________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) (૨૨) લાકડાને સડેલ વેર એ એક અતિ ઉત્તમ ખાતર છે. એ કુંડાનાં ઝાડને તે ઘણો જ સારે છે. ગંડળના બાગમાં ત્યાંના વર્કશાપમાં તમામ વેર ખાતર તરીકે વાપરવામાં આવે છે. અને તે એક ઘણું કિમતી ખાતર છે એવું જણાઈ આવ્યું છે.
નિચે લખેલ મિશ્ર ખાતરો જેને અંગ્રેજીમાં કાંપોસ્ટ કહે છે તે ઘણું ઉપયોગી છે.
(૨૩) એક ચઢીઆતે જમીનને ભાગ પસંદ કરી તે ઉપર ઝીણું માટીને બે ઇંચ જાડાઈને થર આશરે દશ ફુટ પહોળ અને ખાતર જોઇતું હોય તે પ્રમાણમાં લંબાઈનો લે. એ થર ઉપર ભઠ્ઠીમાંથી તાજે ચુને લાવી તેને આશરે અરધો ઇંચ જાડાઇને થર લેવો અને એ તાજે ચુને મીઠાનું પાણી કરી, તેનાથી ફેડવો , અને એ ઉપર પ્રથમ લખ્યા મુજબ બે ઇંચ ઝીણી માટીને થર લેવો અને તે ઉપર અર્ધ ઇંચ તાછ ભઠ્ઠીના ચુનાને થર લેવો અને તે પ્રથમ લખ્યા મુજબ મીઠાના પાણીથી ફોડવો. એ ઉપર માટીને અને તે ઉપર પાછો ચુનાનો એ પ્રમાણે જેટલું ખાતર કરવું હોય તે પ્રમાણે કર્યો જવું અને એક અઠવાડીયા સુધી એ ખાતર પડતર રહેવા દેવું, તે પછી પાવડાથી એ સારી પેઠે ખાંપી ખાતર તરીકે વાપરવું. એ મિશ્ર ખાતરને ઈંગ્લાંડમાં ઘણો ઉપયોગ કરવામાં આવે છે અને એથી કોબી અને બટાટાનો પાક તેને તબેલામાંનું ખાતર દીધાથી પાક આવે તેથી બમણો આવે છે એમ કહે છે.
(૨૪) એક કંડીમાં ચાર મણ બને ભુકો, એક મણ ચાળેલ રાખ, અર્ધ મણ ચાળેલ કળી ચુને અને આઠ મણ ગાયનું છાણ, એ પ્રમાણે સપ્ટેમ્બર અને અર્ટોબરમાં એક બીજા સાથે
For Private and Personal Use Only