Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૮૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંયોગ તથા પરભાવથી રહિત એવું શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે. દેહાદિ સંયોગ અને વિભાવપરિણામથી તે સર્વ પ્રકારે રહિત છે.
પોતાના જ આધારે ત્રિકાળ ટકવાવાળો, અખ્ખલિત જાણ્યા કરવાના સ્વભાવવાળો અને કર્મકૃત અવસ્થાઓ તથા કર્મકૃત ભાવોથી ભિન્ન એવો શુદ્ધાત્મા જે રીતે પમાય તે જ મોક્ષમાર્ગ છે. જે વડે આવા શુદ્ધ આત્મસ્વરૂપનો લક્ષ થાય અને તેમાં સ્થિરતા થાય તે મોક્ષનો ઉપાય છે એમ આ ગાથામાં પ્રતિપાદિત કર્યું છે.
ત શુદ્ધ આત્મસ્વરૂપમાં અખંડપણે સ્થિર થવું તે મોક્ષ છે. તેથી શુદ્ધ આત્મવિશેષાર્થ)
૧] સ્વરૂપની પ્રાપ્તિ અને સ્થિરતાનો પુરુષાર્થ તે જ મોક્ષનો ઉપાય છે, મોક્ષમાર્ગની વિધિ છે. મુક્તિનો માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ છે. સમ્યગ્દર્શન એટલે સાચી શ્રદ્ધા, સમ્યજ્ઞાન એટલે સાચો બોધ અને સમ્યફચારિત્ર એટલે સાચું આચરણ. નિશ્ચયથી તો ત્રણે આત્મારૂપ જ છે, અર્થાત્ આત્માની શુદ્ધ પર્યાયો જ છે. પરપદાર્થોથી ભિન્ન એવા પોતાના આત્માના વાસ્તવિક સ્વરૂપમાં પોતાપણાની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન, પરપદાર્થોથી ભિન્ન એવા પોતાના આત્માની યથાર્થ ઓળખાણ કરવી તે સમ્યજ્ઞાન અને પરપદાર્થો તેમજ પરભાવોથી ભિન્ન એવા પોતાના જ્ઞાનસ્વભાવી આત્મામાં લીન થવું તે સમ્મચારિત્ર છે. આ ત્રણેની અવિરુદ્ધ એકતા એ જ સાચો મોક્ષમાર્ગ છે. આત્માના શુદ્ધ સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરી તેની પ્રાપ્તિ કરવી તે જ મોક્ષમાર્ગની આરાધના છે. તેથી શ્રીમદે પ્રસ્તુત ગાથામાં આત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ કરાવી, જે રીતે તેની પ્રાપ્તિ થઈ શકે એવી મોક્ષમાર્ગની વિધિ દર્શાવી છે, અંર્થાત્ મોક્ષનો ઉપાય દર્શાવ્યો છે.
આત્મસ્વરૂપની ઓળખાણ કરાવતાં શ્રીમદે સૌ પ્રથમ આત્માને “સત્' કહી, આત્મા એક અવિનાશી દ્રવ્ય છે, અદ્રવ્ય કે કલ્પના નથી એમ તેના સાધારણ ગુણ દ્વારા તેની ઓળખાણ કરાવી છે; પછી આત્માને “ચૈતન્યમય' કહી, તે એક જ્ઞાનધારક પદાર્થ છે, જડ કે અજીવ નથી એમ તેના અસાધારણ ગુણ દ્વારા તેની ઓળખાણ કરાવી છે; પછી આત્માને “સર્વાભાસ રહિત’ કહી તેનું સ્વરૂપ સર્વ પ્રકારની અશુદ્ધિઓથી રહિત છે, અર્થાત્ દેહાદિ સંયોગો અને રાગાદિ વિકારોથી રહિત છે એમ કહી તેના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ કરાવી છે. તેમણે “સ” શબ્દ દ્વારા આત્માના દ્રવ્યપણાનું, અર્થાત્ અદ્રવ્યથી ભિન્નતાનું; “ચૈતન્યમય' શબ્દ દ્વારા આત્માના ચૈતન્યપણાનું, અર્થાત્ જડ દ્રવ્યથી ભિન્નતાનું અને “સર્વાભાસ રહિત' શબ્દ દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપનું, અર્થાત્ પદ્રવ્ય-પરભાવથી ભિન્નતાનું કથન કર્યું છે. આમ, માત્ર ત્રણ શબ્દોમાં શ્રીમદે આત્મસ્વરૂપનું યથાર્થ દર્શન કરાવી તેમની અદ્ભુત શૈલીનો પરિચય આપ્યો છે. આત્મસ્વરૂપ સંબંધી શ્રીમદે દર્શાવેલ ત્રણ તથ્યોને વિશેષતાથી વિચારીએ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org