Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 814
________________ ગાથા-૧૨૭ ૭૮૧ શ્રીફળમાં ગોળો જુદો, તુસથી જેમ તંદુલ; મ્યાન થકી તરવારવત, જેમ શરીર દુકૂળ. જે અજ્ઞાન અનાદિનું, ટાળ્યું દઈ જવાબ; આત્મસ્વરૂપ ઓળખાવીયું, એ ઉપકાર અમાપ.૧ “શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહો બોધ સુખસાજ.” શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી ત્યારે તેમણે ‘શિષ્યબોધબીજપ્રાપ્તિકથન' પછી આ ગાથા મૂકી હતી. આ ગાથામાં શ્રીમદે આ શાસ્ત્રની રચના કોના નિમિત્તે થઈ તે દર્શાવ્યું છે. તેમણે આ ગાથા પછીથી કાઢી નાખી હતી. આ ઉપરથી અનુમાન કરી શકાય છે કે તેમણે પ્રથમ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન' પછી આ શાસ્ત્રની પૂર્ણાહુતિ કરવાનો વિચાર કરી આ ગાથાની રચના કરી હશે, પણ પછીથી ‘ઉપસંહાર'ની રચના કરતાં આ ગાથા રદ કરી હશે. આ ગાથામાં શ્રીમદ્ જણાવે છે કે તેમણે તેમના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી અચળ, અર્થાત્ શ્રી ડુંગરશીભાઈ આદિ મુમુક્ષુજનને અર્થે તથા ભવ્ય જીવોના કલ્યાણ માટે પરમાનંદમય મોક્ષની સમગ્ર સામગ્રીરૂપ બોધ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યો છે. આમ, આ શાસ્ત્રની રચના કોના અર્થે અને કેમ કરી હતી તે અહીં જણાવ્યું છે. ૧ “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૬ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૦૫-૫૦૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 812 813 814 815 816 817 818