________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद અનુબંધની શક્તિવાળું હોવાથી એ નિકાચિત પાપકર્મનો અહીં જ અંત આવી જશે, જેથી પરલોકમાં તેને ફરીથી આવી ધનધાન્યાદિની હાનિ પ્રાપ્ત થશે નહિ. 202 / 2/2 આ જ વસ્તુનું અન્યતીર્થિકોની પરિભાષા વડે સમર્થન કરતાં કહે છે : मोक्खद्धदुग्गगहणं, एयं तं सेसगाण वि पसिद्धं / भावेयव्वमिणं खलु, सम्मं ति कयं पसंगेणं // 110 // 3/16 છાયા :- મોક્ષધ્વડુપ્રતત્ તત્ શેષIમપિ પ્રસિદ્ધમ્ भावयितव्यमिदं खलु सम्यगिति कृतं प्रसङ्गेन // 16 // ગાથાર્થ :- અન્યદર્શનોમાં પણ મોક્ષમાર્ગદુર્ગગ્રહણ તરીકે જે પ્રસિદ્ધ છે તે આ ભાવચૈત્યવંદન જ છે. અન્યદર્શનકારો વડે મોક્ષમાર્ગદુર્ગગ્રહણની જે ઉપમા આને આપવામાં આવેલ છે તે સત્ય છે એમ વિચારવું. પ્રસંગથી સર્યું. ટીકાર્થ :- ‘મો+qદ્ધ'= મોક્ષમાર્ગથી પ્રવર્તેલા પુરુષને ‘કુરલી '= દુર્ગનો આશ્રય કરવો, જેમ માર્ગમાં ચોર આદિના ત્રાસથી પરાભૂત થયેલો મુસાફર જો કોઈ પર્વત, વન કે કિલ્લા વગેરેનો આશ્રય કરે તો ચોર આદિથી કરવામાં આવતી આપત્તિથી બચી જાય છે કારણકે કિલ્લામાં રહેલા તેને ચોર આદિ હેરાન કરી શકતા નથી. આ સદેશતાથી ભાવવંદનાને મોક્ષમાર્ગદુર્ગગ્રહણની ઉપમા આપવામાં આવી છે. અર્થાત્ ભવ્યજીવને માટે આ ભાવવંદના એ દુર્ગનો આશ્રય કરવા સમાન છે. એનાથી એવું જબરદસ્ત સાનુબંધ પુણ્ય બંધાય છે કે મોક્ષમાર્ગમાં ગતિ કરવામાં હવે તેને કોઈ પણ પાપકર્મ અંતરાય કરી શકતા નથી. "'= પ્રસ્તુત ભાવવંદન, પોતાની પરિભાષાથી ‘સેસ IIT વિ'= અન્યદર્શનકારોને ‘સિદ્ધ = પ્રસિદ્ધ છે. 'qui @_'= આ નિશ્ચ ‘માવેā'= વિચારવા યોગ્ય છે. આગમના અભ્યાસથી નષ્ટ થઈ ગયો છે અજ્ઞાનરૂપી મળ જેમાંથી તેવી નિર્મળ બુદ્ધિથી માધ્યશ્મભાવનું આલંબન લઇને વિચારવું જોઇએ. અન્યદર્શનકારોએ કહ્યું છે માટે એ ખોટું જ હોય એવું માત્સર્ય ન રાખવું પણ તેમનું આ વચન “સખ્ત તિ'= અવિપરીત હોવાથી સત્ય છે એમ વિચારવું. ‘પસંvi'= વધારે કહેવાથી ''= સર્યું. - કારણકે થોડા જ વચનથી આ વાત સમજાઈ જાય તેમ છે. જે 220 રૂ/૨૬ આ પ્રમાણે દ્રવ્યવંદના તથા ભાવવંદનાની વિધિને પરિસમાપ્ત કરીને હવે, પ્રસ્તુત મુદ્રાવિન્યાસની શુદ્ધિને કહે છે : पंचंगो पणिवाओ, थयपाढो होइ जोगमुद्दाए। वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए // 111 // 3/17 છાયા :- પશ્ચી ઊંટ પ્રUિપાત: તપીઠો મતિ યોગમુદ્રથા | वन्दनं जिनमुद्रया प्रणिधानं मुक्ताशुक्त्या // 17 // ગાથાર્થ :- પ્રણિપાતસૂત્ર પંચાંગમુદ્રાથી બોલવું જોઇએ. સ્તવસૂત્રનો પાઠ યોગમુદ્રાથી કરવો. વંદનસૂત્રો જિનમુદ્રાથી બોલવા, પ્રણિધાનસૂત્ર મુક્તાશુક્તિ મુદ્રાથી બોલવું. ટીકાર્થ :- ‘પંચં પાવાગો'= હવે પછી કહેવામાં આવશે તે પંચાંગ પ્રણિપાત ‘થયાતો'= સ્તોત્રપાઠ ‘દોડ્ડ'= હોય છે ‘નો મુદ્દાઈ'= હવે પછી કહેવામાં આવશે તે યોગમુદ્રા વડે ‘વં'= વંદનસૂત્ર ‘નિમુદ્દા'= આગળ જેનું વર્ણન કરવામાં આવશે તે જિનમુદ્રા વડે ‘પfપાહા'= ચિત્તની