Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 350
________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 321 ટીકાર્થ :- ‘ાને'= કાળસંબંધી જ્ઞાનાચાર- શાસ્ત્રમાં જે કાળે સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે તે કાળે સ્વાધ્યાય ન કરવો તે કાલાચાર. ‘વUTU'= જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના પુસ્તકાદિ સાધનોનો ઉપચારરૂપ વિનય કરવો પણ અવિનય ન કરવો તે વિનયાચાર. ‘વહુમાળ'= જ્ઞાન, જ્ઞાની આદિ પ્રત્યે આંતરિક પ્રીતિ રાખવી, દ્વેષ ન કરવો તે બહુમાનાચાર. ‘૩વહા'= જે સૂત્ર અધ્યયનાદિને ભણવા માટે જે તપ કરવાનો શાસ્ત્રમાં વિધિ બતાવ્યો છે તે તપ કરવાપૂર્વક તે સુત્રાદિને ભણવા તે ઉપધાનાચાર. જો એ તપ કર્યા વગર, ભણવામાં આવે તો શ્રતની આશાતના થાય છે,- કહ્યું છે કે, “કેવળજ્ઞાન વડે તત્ત્વને જાણીને કેવલી ભગવાને જે આજ્ઞા ફરમાવી છે તેનાથી વિપરીત કરવામાં આજ્ઞાભંગનું મહાન પાપ લાગે છે.” (પંચવત્થગં-ગાથા-પ૯૦) ‘તહા'= તથા ‘નિષ્ફવા'= સૂત્ર-અર્થ અને તદુભય જેમની પાસે ભણ્યા હોય તે ગુરુનો અપલાપ ન કરવો અર્થાત્ જેમની પાસે ભણ્યા હોઇએ તે ગુરુનું જ નામ જાહેર કરવું પણ તેને છુપાવવું નહિ. ‘વંના'= સૂત્રોના અક્ષરોમાં કોઈ જાતનો વધારો ઘટાડો કરવો નહિ પણ તે જેવા સ્વરૂપે છે તે જ રીતે બોલવા કે લખવા. ‘સ્થ'= સૂત્રનો ખોટો અર્થ ન કરવો. ‘ત,મા'= અર્થજ્ઞાનપૂર્વક સૂત્ર બોલવાની ક્રિયા તે તદુભાય છે. સૂત્ર અને અર્થ બંનેમાં એકીસાથે ગોટાળો કરે તો તદુભય આચારવિષયક દોષ છે. સૂત્ર પણ શુદ્ધ બોલવું અને તેનો અર્થ પણ સાચો જ બોલવો તે તદુભય આચાર છે. આ આચારનું પાલન ન કરે તે સૂત્ર-અર્થમાં વિસંવાદ થાય. ‘મવો'= આઠ પ્રકારનો “નામીયારો'= શાસ્ત્રપ્રસિદ્ધ જ્ઞાનાચાર છે. 727 26/23 સમ્યગુદર્શન અને તેના હેતુમાં અભેદ ઉપચાર કરીને દર્શનાચારના ભેદોને કહે છે निस्संकिय निक्कंखिय, निव्वितिगिच्छा अमूढदिट्ठीय। उववूहथिरीकरणे, वच्छल्लपभावणे अट्ठ // 718 // 15/24 છાયા- નિ:શાંતિ-નિર્બક્ષિત-નિર્વિવિવિત્સ સમૂઢષ્ટિ ! उपबृंहस्थिरीकरणयोः वत्सलप्रभावनयोरष्ट // 24 // ગાથાર્થ :- નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ પ્રકારના દર્શનાચાર છે. ટીકાર્થ:- ‘નિસ્પંજિય'= શંકા= શંકા કરવી, તેનો અભાવ એ નિઃશંકિત” “નિવવિલે'= કાંક્ષા= અન્યદર્શનની ઇચ્છા, તેનો અભાવ એ નિઃકાંક્ષિત”- અથવા ભાવપ્રધાન નિર્દેશ હોવાથી અહીં ભાવવાચી અર્થ સમજવાનો છે. નિઃશંકિત શંકારહિતપણું, નિઃકાશિતમ્ કાંક્ષારહિતપણું ‘નિબ્રિતિનિચ્છ'= વિચિકિત્સા ફળમાં સંશય કરવો. જેમકે, “જે આ સંયમ-તપ વગેરેના કષ્ટો સહન કરું છું તેનું પરલોકમાં મને ફળ મળશે કે નહિ ? આમ ધર્મના ફળસંબંધી જે શંકા થાય તે વિચિકિત્સા કહેવાય છે. તેનો અભાવ એ નિવિચિકિત્સા. ‘મમૂઢવિ ય'= જેની દૃષ્ટિ મૂઢતા વગરની છે” એમ બહુવ્રીહિ સમાસ કરાય અથવા ‘મૂઢતા વગરની દૃષ્ટિ’ એમ કર્મધારય સમાસ કરાય. અર્થાત્ કુતીર્થિકોની ઋદ્ધિ જોવા છતાં મુંઝાવું નહિ. ‘૩વવૃદં= ધાર્મિક માણસના પ્રશસ્ત સભૂત (સાચા) સદ્દગુણોની પ્રશંસા કરીને તેને પ્રોત્સાહિત કરવો અર્થાત્ તેના ભાવમાં વૃદ્ધિ લાવવી. ‘fથીર'= પ્રમાદના કારણે ધર્માનુષ્ઠાનમાં શિથિલ બનેલાને પ્રેરણા કરીને ધર્મમાં સ્થિર કરવા તે ધર્માનુરાગી વ્યક્તિ સંબંધી આ આચાર છે. વછ8'= સાધર્મિક બંધુઓનું વાત્સલ્ય કરવું તે. પોતાના શરીરના ભોગે પણ સાધર્મિકનું કાર્ય કરી આપવું. તથા તેમને અન્નપાણી-ઔષધ આદિ જરૂરી વસ્તુ આપવી તે વાત્સલ્ય આચાર છે. “પમાવો'=

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441