________________ 364 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद ટીકાર્થ :- ' સ'= કૃતિકર્મને ‘૩૨Ujમી'= ન કરે તો ‘મા'= કરવા યોગ્ય ન કરવાથી અહંકાર સેવાય છે. ‘તદ'= તથા ‘યમવંથો ઉત્ત'= વિનય ન કરવાથી નીચ ગોત્રકર્મનો બંધ થાય છે. ‘પવUરિંa'= ધર્મના મૂળમાં વિનય છે એમ પ્રતિપાદન કરવા છતાં આ બધા સ્વયં વંદન કરતા નથી તેથી આ શાસન શું પ્રમાણભૂત નહિ હોય ? જેથી આ સાધુઓ આ પ્રમાણે વર્તે છે? એમ શાસનની નિંદા થાય. ‘૩યા'= આ સાધુઓ અજ્ઞાની છે જેથી લોકવ્યવહારને પણ જાણતા નથી એમ નિંદા થાય. ‘નવોદિ'= બોધિની પ્રાપ્તિ ન થાય એવું કર્મ બંધાય. ‘કવવુટ્ટિ'= સંસારની વૃદ્ધિ થાય. ‘રિમિ'= વંદનને યોગ્યને વંદન ન કરવાથી આ દોષો થાય છે. તે 821 / ૨૭/ર, વળી કહે છે : पंचवतो खलु धम्मो, पुरिमस्स च पच्छिमस्स य जिणस्स। मज्झिमगाण जिणाणं, चउव्वतो होति विण्णेओ // 820 // 17/26 છાયા :- પશ્ચતઃ વસ્તુ ઘર્ષ: પૂર્વી ર પશ્ચિમી ર નિની ! मध्यमकानां जिनानां चतुतः भवति विज्ञेयः // 26 // ગાથાર્થ :- પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને પાંચ મહાવ્રતવાળો જ ધર્મ હોય છે. મધ્યમજિનના સાધુઓને ચાર મહાવ્રતવાળો ચારિત્રધર્મ હોય છે. ટીકાર્થ :- ‘થો'= ધર્મ ‘પુરિમર્સ '= ઋષભસ્વામી અને ‘પછી '= મહાવીરસ્વામી ''= ભગવાનનો ઉચ્ચરવારૂપ ધર્મ અને ‘પંઘવતો વૃત્ન'= પાંચ મહાવ્રતવાળો જ " મમ+ITUT નિ '= બાવીસ તીર્થકરોનો ઉચ્ચરવારૂપ ધર્મ ‘વળતો'= ચાર મહાવ્રતવાળો ધર્મ ‘રોતિ'= હોય છે. તે "favoo '= જાણવું. ચોવીશે તીર્થકરોના સાધુ ભગવંતોને પાંચ મહાવ્રતો જ પાળવાના હોય છે. માત્ર ઉચ્ચારમાં જ પાંચ અને ચાર એમ શબ્દોનો ભેદ છે. પરમાર્થથી તો બધાનો ધર્મ સરખો છે. જે 820 / ૨૭/ર૬ આ વાતની જ સ્પષ્ટતા કરે છે : णो अपरिग्गहियाए, इत्थीए जेण होइ परिभोगो। ता तव्विरईए च्चिय, अबंभविरइ त्ति पण्णाणं // 821 // 17/27 છાયાઃ- નો અરિ દીવાલઃ સ્ત્રિયા યેન ભવતિ રિમો : तत् तद्विरत्यैव अब्रह्मविरतिरिति प्रज्ञानाम् // 27 // ગાથાર્થ :- બાવીશ તીર્થકરોના શાસનમાં ચોથા મહાવ્રતનો પાંચમાં મહાવ્રતમાં સમાવેશ કર્યો છે, સ્ત્રીને પરિગ્રહમાં ગણવામાં આવે છે કારણકે સ્ત્રીનો સ્વીકાર કર્યા વગર તેનો ઉપભોગ થઈ શકતો નથી. તેથી એ સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી પરિગ્રહની વિરતિમાં જ અબ્રહ્મની વિરતિ આવી જાય છે એમ સમજે છે. આમ તેઓને ચોથું અને પાંચમું મહાવ્રત ભેગું એકમાં જ ગણવામાં આવે છે તેથી તેમને ચાર મહાવ્રત છે. જ્યારે પહેલાં-છેલ્લાં જિનના શાસનમાં એ બે મહાવ્રતો અલગ અલગ ગણવામાં આવેલ છે તેથી પાંચ મહાવ્રત હોય છે. ટીકાર્થ:- ‘નેT'=જે કારણથી ‘મપરિયાઈ'નહિ સ્વીકારેલી ડુત્થીu'=સ્ત્રીનો પરિમોનો'=ઉપભોગ હોટ્ટ'=થતો નો'= નથી. ‘તા'ઋતેથી ‘તધ્વરા વ્યય'= પરિગ્રહની વિરતિમાં જ ‘પUTU'=જાણકાર