________________ 386 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद શબ્દની સાથે કર્મધારય સમાસ કરીને “સમ' શબ્દની સાથે ષષ્ઠી તપુરુષ સમાસ કરીને તેનો ‘તુલ્ય' શબ્દની સાથે તૃતીયા તપુરુષ સમાસ કર્યો છે. ‘ત = તે પ્રકારે “ગુરુનીયતાસંદિ'= ગુરુલાઘવની વિચારણાથી યુક્ત છે- અર્થાત્ સામાન્ય રોગના સંદેશ સામાન્યદોષની ચિકિત્સા સમાન સ્થવિરકલ્પ છે. જ્યારે પ્રતિમાકલ્પ એ વિશિષ્ટ મોટા દોષની ચિકિત્સા સમાન હોવાથી વધારે લાભદાયી છે. તદ્માવ+g'= પ્રતિમાકલ્પ સ્વીકારવાના કાળની અપેક્ષાએ- અર્થાત્ તે કાળે તેના માટે પ્રતિમાકલ્પનો સ્વીકાર વધારે લાભકારક છે. || 872 / ૨૮/ર૬. હવે સંક્ષેપથી કહેલી આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે દેખાત્ત દ્વારા તેને સમજાવે છે : निवकरलूताकिरियाजयणाए हंदि जुत्तरूवाए। अहिदट्ठादिसु छेयादि वज्जयंतीह तह सेसं // 873 // 18/27 છાયા :- 7પર તૂતક્રિયાયતનાથ દ્િ યુવતરૂપાયામ્ ! अहिदष्टादिषु छेदादिभ्यो वर्जयन्तीह तथा शेषाम् // 27 // ગાથાર્થ :- જેમ રાજાના હાથમાં થયેલ લૂતા નામના રોગને મંત્રથી દૂર કરવાનો યોગ્ય પ્રયત્ન ચાલતો હોય તે દરમ્યાન તુરત મારી નાંખનાર સર્પદંશ વગેરે અન્ય અવસ્થા થાય તો લૂતાની ચિકિત્સાને છોડીને પહેલાં એ સર્પદંશની ચિકિત્સા કરવાની હોય છે તેથી લૂતાની ચિકિત્સાને બંધ કરે છે. ટીકાર્થ:- ‘નિવરત્નતારિયાનયા'= રાજાના હાથમાં થયેલી ભૂતાની ચિકિત્સા માટે પ્રયત્ન ચાલતો હોય ત્યારે- આમાં “નૃપ શબ્દનો’ ‘કર’ શબ્દની સાથે ષષ્ઠી તપુરુષ સમાસ પછી તેનો ‘લુતા” શબ્દની સાથે સપ્તમી તપુરુષ સમાસ કરીને ‘ક્રિયાયતના’ શબ્દની સાથે સપ્તમી તપુરુષ સમાસ કર્યો છે. ભૂતાની ચિકિત્સા મંત્ર તથા અપમાર્જન એટલે પ્રયત્નથી ધોઈને સાફ કરવું, વગેરે રૂપે કરવામાં આવે છે. ‘ઇંદ્રિ ગુત્તરૂવા'= ઉચિત ‘હિટ્ટા'= રાજાને અધિક જોખમી એવા સર્પદંશ વગેરેમાં “રાજાને' એ અધ્યાહારથી સમજવાનું છે. ‘છેયાદ્રિ'= મોટા સર્પદંશરૂપ દોષનું નિવારણ કરવા માટે સમર્થ એ અવયવનો છેદ કરવો અથવા શેક કરવો વગેરે ચિકિત્સા કરાય છે. ‘ફૂદ'= આ સમયે ‘તદ= તે પ્રકારે ‘સે'= પૂર્વકાળની ચાલતી લૂતા સંબંધી મંત્ર અપમાર્જનાદિ ક્રિયાને ‘વનયંતી'= બંધ કરે છે. / 873 / ૨૮/ર૭ एवं चिय कल्लाणं जायइ एयस्स इहरहा न भवे / सव्वत्थावत्थोचियमिह कुसलं होइऽणुट्ठाणं // 874 // 18/28 છાયા :- વિમેવ જ્યા નાયત થતી રૂતરથા ન મવેત્ | सर्वत्रावस्थोचितमिह कुशलं भवति अनुष्ठानम् // 28 // ગાથાર્થ :- આ પ્રમાણે તે સર્પદંશાદિ મોટા દોષની ચિકિત્સા કરવા દ્વારા જ રાજાનું કલ્યાણ થાય છે. અન્યથા જો એમ ન કરવામાં આવે અર્થાત્ સર્પદંશની ચિકિત્સા ન કરાય અને પૂર્વની ભૂતાની ચિકિત્સા જ જો ચાલુ રાખવામાં આવે તો કલ્યાણ ન થાય, ઉર્દુ રાજાનું મૃત્યુ થઈ જાય. માટે સર્વ પુરુષને માટે તે તે અવસ્થાને ઉચિત અનુષ્ઠાન કરવું એ જ કુશળ કરનારું થાય છે. ટીકાર્થ:- ‘વં '= આ પ્રમાણે મોટા દોષનો ઉપશમ કરવા દ્વારા જ ‘&ાપ'= ઈચ્છિત આરોગ્ય નાયટ્ટ'= પ્રાપ્ત થાય છે. ‘સિં'= હાથમાં લૂતા થયેલ રાજાનું ‘રૂદહા'= અન્યથા અર્થાત્ જો સર્પદંશની ચિકિત્સા માટે છેદ-દાહ વગેરે ન કરવામાં આવે અને યંત્ર-અપમાર્જનરૂપ લૂતાની જ જો ચિકિત્સા ચાલુ રાખવામાં આવે તો ‘ર મવે'= કલ્યાણ થાય નહિ. વધારે મોટો દોષ થવાના કારણે મૃત્યુ થઈ જાય. “સદ્ગસ્થ'= - અન્યથી જો ચિકિત્સા