Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 373
________________ 344 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद વર્ણન કરે છે:- (1) ‘મામ'= કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની તથા ચૌદપૂર્વધરો આગમવ્યવહારથી પ્રાયશ્ચિત્ત આપે છે તેઓ જ્ઞાની હોવાથી અપરાધી વ્યક્તિના મનના અભિપ્રાયને જ્ઞાનથી સાક્ષાત્ જાણે છે અથવા ઉપાયો વડે જાણે છે. તેના અભિપ્રાયને તેઓ જેવા હોય એવા સાચા જ જાણે છે, એમાં કદી ભૂલ થતી નથી, તેના આખા જીવનસંબંધી અપરાધને તેઓ સાક્ષાત્ પ્રત્યક્ષરૂપે દેખતા હોય છે (2) “સુ'= બીજો શ્રવ્યવહાર છે તેઓ શ્રુતના અનુસાર પ્રાયશ્ચિત્તને આપે છે. તે શ્રુતવિષયવાળો આ શ્રુતવ્યવહાર છે. (3) ‘મા'= એક ગીતાર્થ અન્ય સ્થળે રહેલા ગીતાર્થની પાસે પોતાની આલોચના કરવાની હોય પણ પોતે ત્યાં જઈ શકે એમ ન હોય તો કોઈ બુદ્ધિશાળી સારી યાદશક્તિવાળા અગીતાર્થને ગુઢ સાંકેતિક ભાષામાં પોતાના અતિચારો કહીને પેલા દૂર દેશમાં રહેલા ગીતાર્થની પાસે મોકલે. પેલા ગીતાર્થ પણ ગૂઢ ભાષામાં પ્રાયશ્ચિત્ત કહીને મોકલે, તે અગીતાર્થ ધારણાશક્તિવાળો હોવાથી બરાબર યાદ રાખીને જરાપણ ભૂલ્યા વગર તે બધું જ કહે- આ આજ્ઞાવ્યવહાર છે. (4) “ઘાર '= ગીતાર્થ ગુરુએ દેશકાળને અનુસારે- દ્રવ્યાદિ, પુરુષ અને પ્રતિસેવનાને જાણીને જે અતિચારોનું જે પ્રાયશ્ચિત્ત અનેકવાર આપ્યું હોય તે શિષ્ય સાંભળ્યું હોય તેને બરાબર યાદ રાખીને શિષ્ય તેવા જ દ્રવ્યાદિમાં તેવા જ અપરાધમાં તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે. આ ધારણાના વિષયવાળો હોવાથી ધારણાવ્યવહાર કહેવાય છે. (5) ‘ની ય પંચમ'= પાંચમો જીત વ્યવહાર છે. પૂર્વ પુરુષોએ આચરેલો આચાર તે જીત કહેવાય છે. તે પણ આગમિક પુરુષોએ આચરેલો હોવાથી તથા અનાદિકાળથી સિદ્ધ જીતવ્યવહારની અંતર્ગત હોવાથી પ્રામાણિક જ છે. જીતવ્યવહાર વિના પાંચ વ્યવહારની સંખ્યા સંગત નહિ થાય. માટે આ પણ વ્યવહાર છે. || 770 || ૨૬/રદ્દ ' પુસરતો'= આ પાંચ પ્રકારના વ્યવહારને અનુસારે જ ‘વિચત્તમેય'= આ પારાંચિક અનેક પ્રકારનું ‘રૂદ'= અહીં ‘વાય'= કહ્યું છે. “સમU'= શાસ્ત્રમાં ‘માસેવUTIfમે'= આસેવના-આશાતનાના ભેદથી ‘ત પુI'= તે પારાચિક પ્રાયશ્ચિત્ત “કુત્તા'= આગમમાંથી ‘Tયવં'= જાણવું. / 772 // ૨૬/ર૭ एवं च एत्थ तत्तं, असुहज्झवसाणओ हवति बंधो। आणाविराहणाणुगमेयं, पि य होति दट्ठव्वं // 772 // 16/28 છાયા :- તથ્વીત્ર તત્ત્વમશુમથ્યવસાનતો મત વન્ય: | आज्ञाविराधनानुगमिदमपि च भवति द्रष्टव्यम् // 28 // सुहभावा तव्विगमो, सोऽवि य आणाणुगो णिओगेण। પછિત્તમ સમ્મ, વિક્રો વેવ વિપutો / ૭૭રૂ . 26/21 જુમ્મા છાયા :- અમાવાદિયામ: સોfપ નાજ્ઞાનુમતે નિયોન | प्रायश्चित्तमेषः सम्यग् विशिष्टक एव विज्ञेयः // 29 // युग्मम् / ગાથાર્થ :- પ્રાયશ્ચિત્તના વિષયમાં આ તત્ત્વ છે કે અશુભ અધ્યવસાયથી અશુભ કર્મનો બંધ થાય છે. જિનાજ્ઞાનું પાલન ન કરવું, તેની વિરાધના કરવી એ જ અશુભ અધ્યવસાય છે. શુભભાવથી અશુભ કર્મનો નાશ થાય છે. શુભભાવ જિનાજ્ઞાને અનુસરવાથી જ થાય છે. અર્થાત્ જે જિનાજ્ઞાનુસારી છે તે જ ભાવ શુભ છે, એ સિવાયનો ભાવ અશુભ જ છે. વિશિષ્ટ શુભભાવ જ યથાર્થ પ્રાયશ્ચિત્ત જાણવો.

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441