________________ 342 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद છાયા :- મચોડચ-મૂઢ-BતિશUતિતીવ્રસંન્ને .. तपसाऽतिचारपारमञ्चति दीक्ष्यते ततश्च // 23 // ગાથાર્થ - અન્યોન્ય અતિકરણ, મૂઢ અતિકરણ અને દુષ્ટ અતિકરણથી અર્થાત્ તેવા પ્રકારની પ્રવૃત્તિ વારંવાર કરવાથી, તીવ્રસંક્લિષ્ટ પરિણામ થતાં શાસ્ત્રોક્ત તપ (જઘન્યથી 6 માસ અને ઉત્કૃષ્ટથી બાર વર્ષના તપ)થી અતિચારના પારને પામે અર્થાત્ શુદ્ધ બને પછી તેને દીક્ષા આપવામાં આવે છે, આ પારાચિક પ્રાયશ્ચિત છે. ટીકાર્થ:- ‘પurોડuU/મૂહ,તરતો'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ અન્યોન્યકરણ મૂઢકરણ અને દુષ્ટકરણથી ‘તિવ્યસંન્તિસંમિ'= ઉત્કૃષ્ટ સંક્લેશના પરિણામમાં ‘તવણી'= શાસ્ત્રોક્ત તપ વડે ‘તિયારપાર'= અપરાધના પારને ‘યંતિ'= પામે અર્થાત્ અપરાધની શુદ્ધિ કરે, ‘તતો '= તપ વડે વિશુદ્ધ બન્યા પછી જ ‘વિવૃિતિ'= દીક્ષા અપાય છે, અન્યથા તે દીક્ષાને પણ યોગ્ય બનતો નથી. પોતે તપ કરીને વિશુદ્ધ બનેલો પુનઃ દીક્ષાને યોગ્ય બને છે. શાસ્ત્રાનુસાર, વિશેષ સંક્લેશ પામેલો હોવાથી પોતે પાપસેવન કરવાથી અયોગ્યતાને પામેલો છે એમ પોતે જાણે છે. એ સિવાયના બીજા તો દીક્ષાને માટે અધિકારી જ નથી, અન્યોન્ય અતિકરણ- બે પુરુષોની પરસ્પર વેદવિકારની ક્રિયા કરવી. મૂઢ અતિકરણ - પાંચમી થીણદ્ધિનિદ્રાને વશ બનીને પ્રવૃત્તિ કરવી. દુષ્ટ અતિકરણ - તેના કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ એમ બે ભેદ છે. તે બંનેના સ્વપક્ષ અને પરપક્ષ એમ બે ભેદ છે. સ્વપક્ષકષાય દુષ્ટ - સાધુનો ઘાત કરે. પરપક્ષકષાય દુષ્ટ - રાજાનો વધ કરે. સ્વપક્ષવિષયદુષ્ટ - શ્રમણીની સાથે અબ્રહ્મનું સેવન કરે. પરપક્ષવિષયદુષ્ટ - રાણીની સાથે અબ્રહ્મનું સેવન કરે. || 767 / ૨૬/રર अण्णेसिं पुण तब्भवतदण्णवेक्खाएँ जे अजोग त्ति। चरणस्स ते इमे खलु, सलिंगचितिभेदमादीहिं // 768 // 16/24 છાયા :- ચેષ પુતદ્રવતિચાપેક્ષ વેડ્યોથી રૂતિ ! चरणस्य त इमे खलु स्वलिङ्गचितिभेदादिभिः // 24 // ગાથાર્થ :- અન્યદર્શન તથા જૈનદર્શનના બીજા આચાર્યોના મતે દીક્ષામાટે અયોગ્ય ગણાયેલા બીજા પુરુષની અપેક્ષાએ વધારે સંક્લિષ્ટ હોવાથી તે ભવમાં- અર્થાત્ જે ભવમાં અપરાધ કર્યો તે ભવમાં જેઓ દીક્ષાને અયોગ્ય છે તેઓ આ સ્વલિંગભેદ અને ચૈત્યભેદ કરનારા સાધુઓ છે. સ્વલિંગભેદ એટલે ઋષિહત્યા કરનારા તથા શ્રમણીની સાથે અબ્રહ્મને સેવનારા અને ચૈત્યભેદ એટલે જિનપ્રતિમાનો અને ચૈત્યદ્રવ્યનો વિનાશ કરનારા - તેઓ આ ભવમાં દીક્ષા આપવા માટે અત્યંત અયોગ્ય છે, તેઓને આ ભવમાં ફરી દીક્ષા અપાતી નથી. ટીકાર્થ :- ‘માસ પુ'= અન્યદર્શનીય તથા જૈનદર્શનના જ બીજા આચાર્યોના મતે ‘તમવ'= અપરાધ કર્યો એ ભવમાં ‘તUUવેવાઈ'= દીક્ષાને અયોગ્ય એવા પરપુરુષની અપેક્ષાએ ઘણા સંક્લિષ્ટ હોવાથી ‘ને મનો ઉત્ત'= જે અયોગ્ય છે ‘વર '= ચારિત્રને માટે “તે ને નુ'= તે આ છે.