________________ 347 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद तत्तो तव्विगमो खलु, अणुबंधावणयणं व होज्जाहि / जं इय अपुव्वकरणं, जायति सेढी य विहियफला // 778 // 16/34 છાયાઃ- તતસ્તામ: વૃત્વનુવાનિય વા ભવેત્ | यदिति अपूर्वकरणं जायते श्रेणिश्च विहितफला // 34 // ગાથાર્થ :- વિશિષ્ટ શુભભાવથી અશુભ અધ્યવસાય વડે બંધાયેલા કર્મોનો નાશ થાય જ છે. અથવા કર્મોનો સર્વથા નાશ ન થાય તો તેના અનુબંધનો વિચ્છેદ થાય છે. કારણકે વિશિષ્ટ શુભભાવથી અપૂર્વકરણ નામનું આઠમું ગુણસ્થાનક તથા સિદ્ધાંતમાં જેના ફળનું વર્ણન કર્યું છે તેવી ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ થાય છે. ટીકાર્થ :- ‘તત્તો'= શુભ ભાવથી ‘તવિસામો વ7'= અશુભ અધ્યવસાયથી થયેલો કર્મબંધનો નાશ જ થાય. ‘મવંથાવાયui a દો જ્ઞાદિ = અથવા શુભભાવથી કદાચ કર્મનો સર્વથા નાશ ન થાય તો તેના અનુબંધનો વિચ્છેદ થાય છે. "='= કારણ કે ''= આ પ્રમાણે જ ‘મપુત્રક્ષર '= શ્રેણિની અન્તર્ગત આઠમું અપૂર્વકરણ નામનું ગુણસ્થાનક ‘વિદિયપત્ની'= તથા શાસ્ત્રમાં વર્ણવેલા ફળવાળી ‘સેઢી '= ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ નાયતિ'= પ્રાપ્ત થાય છે. કર્મનો ક્ષય અને સર્વકર્મના અનુબંધના વ્યવચ્છેદ દ્વારા અપૂર્વકરણ નામનું આઠમું ગુણઠાણું તથા ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિની સાધકોને પ્રાપ્તિ થાય છે. // 778 // દ્દારૂ૪ एवं निकाइयाण वि, कम्माणं भणियमेत्थ खवणं ति / तं पि य जुज्जइ एवं, तु भावियव्वं अतो एयं // 779 // 16/35 છાયા - પર્વ નિવઘતાનામપિ વર્ષનાં મતમત્ર ક્ષમિતિ / तदपि च युज्यत एवं तु भावयितव्यमत एतत् // 35 // ગાથાર્થ :- આમ હોવાથી શ્રેણિમાં નિકાચિત કર્મોનો ક્ષય થાય છે એમ જે કહ્યું છે તે પણ આ રીતે શુભભાવથી જ ઘટે છે. વિશિષ્ટ શુભભાવ વગર બીજા કોઈથી કર્મનો ક્ષય થાય જ નહિ. આથી શુભભાવ વડે જ પ્રાયશ્ચિત્ત દોષોની શુદ્ધિ કરે છે એમ વિચારવું. ટીકાર્થ :- ‘વં'= આમ હોવાથી અર્થાત્ વિશિષ્ટ શુભભાવથી અપૂર્વકરણ ગુણસ્થાનક અને શ્રેણિની પ્રાપ્તિ થતી હોવાથી ' નિફયા વિ માન'= નિકાચિત અવસ્થામાં રહેલા જ્ઞાનાવરણીય આદિ કર્મોની ‘ળિય'= કહી છે. “પત્થ'= શ્રેણિમાં ‘વUT તિ'= ક્ષપણા- ગાથામાં ‘ય’ શબ્દનો પ્રયોગ નથી કર્યો પણ તેનો અર્થ સમજી લેવાનો છે ‘ય’= જે ‘તં પિય'= તે ક્ષપણા પણ ‘ગુજ્ઞકું'= ઘટે છે. ‘વં તુ'= શ્રેણિમાં ભાવની જ મુખ્યતા હોય છે. અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોમાં જે નિકાચિત કર્મોની ક્ષપણા કહી છે તે તેવા પ્રકારના શુભભાવ સિવાય બીજા કોઈથી થતી નથી. આમ કર્મક્ષયનું કારણ હોવાથી તે શુભભાવ જ કરવા યોગ્ય છે એમ જાણવું. ‘તો'= આ શુભભાવના કારણે જ ર્થ'= આ પ્રાયશ્ચિત્તથી દોષની શુદ્ધિ થાય છે એમ ‘માવિયā'= વિચારવું. વિશિષ્ટ પ્રકારના શુભભાવ સિવાય પ્રાયશ્ચિત્ત પણ દોષની શુદ્ધિરૂપ પોતાનું કાર્ય કરતું નથી માટે કલ્યાણના અર્થીએ શુભભાવનો જ આશ્રય કરવા યોગ્ય છે. કારણ કે વિશિષ્ટ શુભભાવથી યુક્ત હોય