Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 368
________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 339 મેલ પૂરવાનો હોય છે. તેમ આ મિશ્રપ્રાયશ્ચિત્તમાં ગુરુને અપરાધ જણાવવા રૂપ આલોચના કરવાની હોય છે અને ગુરુ ભગવંત કહે કે “મિચ્છા મિ દુક્કડ' દો એટલે “મિચ્છા મિ દુક્કડ' દેવાનું હોય છે. અનેષણીય ભોજનાદિ ગ્રહણ કરવારૂપ અપરાધની ચોથા વિવેક નામના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. તે ચોથા દ્રવ્યશલ્યતુલ્ય છે. તેમાં જેમ ખરાબ લોહી બહાર કાઢી નાંખવાનું હોય છે તેમ આમાં અશુદ્ધ આહાર પરઠવવાનો હોય છે. અશુભ સ્વપ્ર વગેરે કોઈક અપરાધની પાંચમા કાયોત્સર્ગ નામના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. આ અપરાધ પાંચમાં દ્રવ્યશલ્ય તુલ્ય છે. તેમાં જેમ ચાલવા વગેરે ક્રિયા કરવાનો વૈદ્ય નિષેધ કરે છે તેમ આમાં પણ કાયોત્સર્ગમાં ચેષ્ટાનો નિષેધ કરાય છે. પૃથ્વીકાયનો સંઘટ્ટો આદિ કોઈક અપરાધની શુદ્ધિ તપ નામના પ્રાયશ્ચિત્તથી થાય છે. આ અપરાધ છઠ્ઠા દ્રવ્યશલ્ય તુલ્ય છે. તેમાં જેમ અપથ્ય આહારનો ત્યાગ અથવા સર્વથા ભોજનનો ત્યાગ વૈદ્ય કરાવે છે. તેમ આમાં તપ કરવાનો હોય છે. તપથી પણ જો અપરાધની શુદ્ધિ થાય તેમ ન હોય તો તેની શુદ્ધિ છેદ પ્રાયશ્ચિત્તથી કરવામાં આવે છે, છઠ્ઠા દ્રવ્યશલ્ય તુલ્ય આ અપરાધ છે. તેમાં જેમ બગડેલ માંસાદિનો છેદ કરવામાં આવે છે તેમ આ અપરાધમાં પાંચ અહોરાત્રાદિ ક્રમે દીક્ષાપર્યાયનો છેદ કરવામાં આવે છે. ટીકાર્થ :- ‘મિસ્થારિયાદ્રિ = ભિક્ષાચર્યા આદિમાં ગમનાગમનવિષયક “વોટ્ટ'= કોઈક ‘મારો'= અપરાધ ‘વિયUTI 3'= સ્વલ્પ હોવાથી આલોચના વડે જ “સુતિ '= શુદ્ધિને પામે છે. અર્થાત્ તેમાં ગુરુને અપરાધ જણાવવા સ્વરૂપ આલોચના પ્રાયશ્ચિત્ત જ છે. બીજા પ્રાયશ્ચિત્તની તેમાં જરૂર નથી હોતી. ‘વિતિમ 3'= બીજો અપરાધ ‘મમિત મિ ત્તિ'= સમિતિમાં ઉપયોગરહિત “ક્ષીર ?'= ક્યા કારણે હું થયો? ‘સહસી'= કોઈપણ પ્રયોજન વગર જ ‘મારો વા'= ગુપ્તિમાં ઉપયોગ રહિત. અર્થાત્ સમિતિ કે ગુપ્તિમાં કોઈપણ પુષ્ટાલંબન સિવાય હું કેમ પ્રમાદી બન્યો ? તેથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તના વિષયભૂત આ અપરાધ ‘મિચ્છા મિ દુક્કડ' દેવાથી શુદ્ધ થાય છે. જ્યારે સમિતિ-ગુપ્તિનો સહસાકાર ભંગ થઈ જાય ત્યારે માત્ર " મિચ્છા મિ દુક્કડ' કહેવા સ્વરૂપ આ બીજા નંબરનું પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. || 760 | 26/6 “સહિષ્ણુ'= શબ્દ-રૂપ આદિ વિષયોમાં “રા'= આસક્તિ સોર્સ '= અથવા અપ્રીતિ “મને સામો'= માત્ર મનમાં જ થાય છે પણ રાગ-દ્વેષની કોઈ પ્રવૃત્તિ કરી નથી. ‘તાશ્મિ'= ત્રીજા અપરાધમાં ત્રીજા મિશ્ર પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. અર્થાત્ તેની શુદ્ધિ માટે આલોચન ( ગુરુને જણાવવું) અને પ્રતિક્રમણ મિચ્છા મિ દુક્કડ દેવું બને કરવાનું હોય છે. ‘મોળિક્ન'= અકલ્પનીય-દોષિત ‘મત્તાવિ'= ભોજન, પાણી વગેરે ‘પાઉં'= શાસ્ત્રથી પરિકર્મિત થયેલી બુદ્ધિવડે જાણીને ‘વિવિUT'= પરઠવવું. ‘વકલ્થ'= ચોથા વિવેકપ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધમાં દોષિત આહારાદિને પરઠવવાથી શુદ્ધિ થાય છે. || 762 // 26/17 | ‘મારો'= અતિચાર ‘શ્નો'= કોઈપણ જાતના હિંસા આદિના ભાવ ન હોવા છતાં માત્ર હિંસા આદિનું સ્વમ આવ્યું હોય તે ‘ોડુ 3 તવે '= તપપ્રાયશ્ચિત્તને યોગ્ય કોઈ અતિચાર છે. ‘૩રૂરી fa'= તે કાયોત્સર્ગથી પણ “સુતિ'= શુદ્ધિને પામે છે. “તેવિ '= તપ વડે પણ ‘સુમાને'= જેની શુદ્ધિ થાય નહિ તેવા અપરાધની ‘છેવલેસ'= છેદ આદિ વિશિષ્ટ પ્રાયશ્ચિત્તથી ‘વિરોહૃતિ'= શુદ્ધિ કરે

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441