________________ 117 श्री पञ्चाशक प्रकरण - ५गुजराती भावानुवाद પ-૪ ગાથામાં “સ્વયંપત્નિની વિધિ સમયુક્ત' માં કહેવાયેલું સ્વયંપાલના દ્વાર હવે કહે છે : सयंपालणा य एत्थं, गहियम्मि वि ता इमम्मि अन्नेसि। दाणे उवएसम्मि य, ण होंति दोसा जहऽण्णस्थ // 233 // 5/39 છાયા :- સ્વયંપાનના ર ૩ત્ર ગૃહૉપિ તક્ષાત્ સ્મિન્ મગ: I. दाने उपदेशे च न भवन्ति दोषा यथाऽन्यत्र // 39 // ગાથાર્થ :- આહાર પ્રત્યાખ્યાનમાં સ્વયં પાલન કરવાનું છે તેથી આહારનું પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું હોવા છતાં બીજાને આહાર આપવામાં અથવા તો આહારનો ઉપદેશ આપવામાં પ્રાણાતિપાત આદિના પ્રત્યાખ્યાનની જેમ કરાવવું અને અનુમોદવું એ બે દોષ લાગતા નથી. ગાથાર્થ :- ‘પત્થ'= આહારપ્રત્યાખ્યાનના અધિકારમાં ‘સપાત્ર IT'= સ્વયં પાલન કરવાનું છે. દિમિ વિ'= ગ્રહણ કર્યું હોવા છતાં પણ ‘તા'= તેથી ‘રૂમમિ'= ઉપવાસ આદિનું પ્રત્યાખ્યાન ‘હિં'= બીજા ભોજન કરનાર સાધુઓને “રા'= આહાર લાવીને આપવામાં ‘૩વામિ ય'= અમુક શ્રાવકના ઘેર તમે વહોરવા જાઓ’ એમ વચન વડે દાનવીર શ્રાવકકુલને બતાવવામાં ‘હરિ હોસ'= દોષો લાગતાં નથી. ‘ન'= જેમ ‘મUUસ્થિ'= પ્રાણાતિપાત આદિના પ્રત્યાખ્યાનમાં કરવારૂપ અને અનુમતિરૂપ દોષ લાગે છે તેમ દોષ લાગતો નથી. પ્રાણાતિપાત આદિના પ્રત્યાખ્યાનો ત્રિવિધ-ત્રિવિધ લેવામાં આવે છે આથી સ્વયં હિંસા કરવી નહિ, બીજા પાસે કરાવવી નહિ અને હિંસા કરનારની અનુમોદના કરવી નહિ- આ પ્રમાણેનું તેમાં પ્રત્યાખ્યાન હોવાથી તેમાં કરાવવું અને અનુમોદવું એ બંને વિકલ્પોનું પણ વર્જન કરવામાં આવે છે આ આહારનું પ્રત્યાખ્યાન ત્રિવિધ-ત્રિવિધ ગ્રહણ કરવામાં આવતું નથી પણ સ્વયં પાલન કરવારૂપ એકવિધ જ પ્રત્યાખ્યાન છે તેથી સ્વયં ઉપવાસ કરનાર નિર્જરાર્થી સાધુ આગમમાં કહેલા યોગ્ય સાધુને આહાર આપી શકે છે અને અનુમોદના કરી શકે છે. 223 | 9/36 તે દાનવિધિને કહે છે : कयपच्चक्खाणो विय, आयरियगिलाणबालवुड्डाणं। देज्जाऽसणाइ संते, लाभे कयवीरियायारो // 234 // 5/40 છાયા :- શ્રુતપ્રત્યાધ્યાનોfપ ર માર્યરત્નાન-વાત-વૃષ્યિઃ | ___ दद्याद् अशनादि सति लाभे कृतवीर्याचारः // 40 // ગાથાર્થ :- પોતે આહારનું પ્રત્યાખ્યાન કર્યું હોવા છતાં લાભાંતરાયના ક્ષયોપશમથી પોતાને આહારાદિ મળે એમ હોય તો વીર્યાચારનું પાલન કરતો સાધુ આચાર્ય-ગ્લાન-બાળ-અને વૃદ્ધ સાધુઓને આહારાદિ લાવીને આપે. ટીકાર્થ :- “જયપāવાળો વિ '= પોતાને આહારનું પ્રત્યાખ્યાન હોવા છતાં પણ “સંત ના'= પોતાને લાભાંતરાયનો ક્ષયોપશમ હોવાથી આહારાદિ મળે એમ હોય તો “યવરિયાયારો'= પોતાને પાળવા યોગ્ય વીર્યાચારનો વ્યાપાર જેણે કર્યો છે અથવા વીર્યાચારનું પાલન કરનાર સાધુ; ‘મારિયાના વહ્નિવી'= અધિક ગુણવાન એવા આચાર્ય આદિ પૂજયોને તથા અસમર્થ હોવાથી