________________ 128 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद एवं चिय भावथए, आणाआराहणाउरागो वि / जं पुण इयविवरीयं, तं दव्वथओ वि णो होइ // 249 // 6/5 છાયા :- અશ્વમેવ માવત માજ્ઞારાથનાદુર fપ | यत् पुनरितिविपरीतं तद् द्रव्यस्तवोऽपि न भवति // 5 // ગાથાર્થ :- એ જ રીતે આજ્ઞાની આરાધનાથી ભાવસ્તવનો રાગ પણ થાય છે. જે અનુષ્ઠાન આનાથી વિપરીત છે તે દ્રવ્યસ્તવ પણ બનતું નથી. ટીકાર્થ :- “ર્વ વિય'= “આ અનુષ્ઠાન પૂર્વપુરુષથી વિહિત હોવાથી સુંદર છે” એવી બુદ્ધિથી કરાતું જિનભવનાદિ અનુષ્ઠાન ‘ભાવથ'= ભાવસ્તવમાં ‘માપITRUITS'= આગમની આરાધનાથી ‘રા વિ'= અનુરાગ-બહુમાનને પણ પ્રગટાવે છે. અર્થાત્ તે જેમ સર્વવિરતિની પ્રાપ્તિ કરાવે છે તેમ સર્વવિરતિના રાગને પણ ઉત્પન્ન કરે છે. '= પુ0'= જે જિનભવનાદિ અનુષ્ઠાન ‘વિવરીય'= આનાથી વિપરીત છે અર્થાત “આ આપ્તપુરુષથી વિહિત અનુષ્ઠાન છે” એવી બુદ્ધિથી નથી કરાતું, પણ આલોકાદિની આશંસાથી કરાય છે ‘ત'= તે અનુષ્ઠાન “વ્રથમ વિ'= ભાવસ્તવનું કારણ ન બનતું હોવાથી-દ્રવ્યસ્તવ પણ “નો રોટ્ટ'= બનતું નથી. 246 / 6/6 भावे अतिप्पसंगो आणाविवरीयमेव जं किंचि। इह चित्ताणुट्ठाणं, तं दव्वथओ भवे सव्वं // 250 // 6/6 છાયા :- માવે મતિપ્રસÉ માજ્ઞાવિપરીતનેવ યશ્ચિત્ | इह चित्रानुष्ठानं तद्र्व्यस्तवो भवेत् सर्वम् // 6 // ગાથાર્થ :- અહીં સ્તવની વિચારણામાં જિનાજ્ઞાથી વિપરીત રીતે કરાતું હોવા છતાં જિનભવનાદિ અનુષ્ઠાન જો દ્રવ્યસ્તવરૂપ બનતું હોય તો જીવહિંસાદિ વિવિધ પ્રકારના જિનાજ્ઞાથી વિપરીત સર્વ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ બની જાય, આમ અતિપ્રસંગ દોષ આવે છે. અર્થાત્ જીવહિંસાદિ બધા જ જિનાજ્ઞાથી વિપરીત અનુષ્ઠાનોને દ્રવ્યસ્તવ માનવાની આપત્તિ આવે છે. કારણ કે જીવહિંસાદિ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ સ્વરૂપ ન હોવા છતાં તેમને દ્રવ્યસ્તવસ્વરૂપ માનવા પડશે. આ અતિવ્યાપ્તિ નામનો દોષ છે. ટીકાર્થ :- “માવે'= દ્રવ્યસ્તવ બનતું હોય તો ‘તિપ્રસંગો'= અતિવ્યાપ્તિ નામના દોષની આપત્તિ આવે છે. “સાપવિવરીયમેવ'= આજ્ઞાથી વિપરીત અર્થાતુ શાસ્ત્રમાં નિષેધ કરાયેલા "= fa'= જે કોઈ પણ ‘રૂદ= અહીં સ્તવની વિચારણામાં ‘ચિત્તા[ફા'= જીવહિંસાદિ વિવિધ અનુષ્ઠાનો ‘ત'= તે ‘સળં'= સામાન્યથી બધા જ ‘બૂથ'= દ્રવ્યસ્તવ ‘મવે'ક બની જાય. આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છેઃ પૂર્વની ગાથામાં શ્રી ગ્રંથકાર મહર્ષિએ વિધાન કર્યું છે કે આલોકાદિની આશંસાથી જો જિનભવનાદિ અનુષ્ઠાન કરવામાં આવે તો તે જિનાજ્ઞાથી વિપરીત હોવાથી દ્રવ્યસ્તવ પણ બનતું નથી. આ વિધાનની સામે વાદી દલીલ કરે છે કે ભલે તે અનુષ્ઠાન ભાવસ્તવ ન બને પણ દ્રવ્યસ્તવ તો બનશે જ. આ દલીલનો પ્રત્યુત્તર આપતાં ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે જિનાજ્ઞાથી વિપરીત હોવા છતાં જો આ અનુષ્ઠાનને તમે દ્રવ્યસ્તવ કહેશો તો જીવહિંસાદિ જિનાજ્ઞાથી વિપરીત બધા અનુષ્ઠાનોને દ્રવ્યસ્તવ ગણવા પડશે, કારણકે બંનેમાં “જિનાજ્ઞાથી વિપરીતપણું’ એ દોષ સમાન છે. આમ અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. જે ર૬૦ + 6/6