________________ 068 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद ગાથાર્થ- તેથી આ ન્યાયથી આ વંદના જૈનીવંદનાના સંદેશ લાગતી હોવા છતાં તેનાથી ભિન્ન લૌકિક વંદના જ જાણવી. વળી સૂત્રોચ્ચાર કરવા છતાં તેના અર્થમાં આ વંદના કરનારને શ્રદ્ધા આદિ ભાવ ન હોવાથી તે મૃષાવાદથી યુક્ત છે. ટીકાર્થ :- ‘પાયો'= ઉપરના શ્લોકમાં બતાવેલી યુક્તિથી ‘તખ્ત'= ઇષ્ટાનિષ્ટફળને નહિ આપનારી હોવાથી ‘તમાસા'= જૈનીવંદના સંદેશ લાગે છે પરંતુ ‘મUT Uત'= આ વંદના તેનાથી ભિન્ન લૌકિક છે. ‘તસ્થમાવાળિયો '= ‘તર્થે'= વંદનાના અર્થરૂપ વસ્તુમાં ‘માવ'= શ્રદ્ધા આદિ અધ્યવસાયનો ‘નિયા'= અવ્યાપાર હોવાથી નિયમા ‘મોમાસાથી'= મૃષાવાદથી યુક્ત “યા'= જાણવી. || 231 | 3/4 સમ્યગુવંદનાની દુર્લભતાનું પ્રતિપાદન કરતાં કહે છે : सुहफलजणणसहावा, चिंतामणीमाइए विनाभव्वा। पावंति किं पुणेयं, परमं परमपयबीयं ति // 140 // 3/46 છાયા :- ગુમનનનનસ્વમાવાન્ ચિન્તામાથાકિશાનપ નામથ: | प्राप्नुवन्ति किं पुनरेतां परमां परमपदबीजमिति // 46 // ગાથાર્થ :- અભવ્ય- અયોગ્ય જીવો શુભ ફળને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા ચિંતામણિરત્ન આદિને પણ પ્રાપ્ત કરતા નથી, તો પછી મોક્ષનું બીજ હોવાથી શ્રેષ્ઠ એવી આ ભાવવંદનાને શું પ્રાપ્ત કરે ? અર્થાત્ પ્રાપ્ત ન કરે. ટીકાર્ય :- ‘સુપત્નગUTUTદીવા'= શુભ ફળને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા ‘વિતામાિમારૂપ વિ'= ચિંતામણિરત્ન આદિને પણ, આદિ શબ્દથી કલ્પવૃક્ષ કામધેનુ ગાય આદિ વિશિષ્ટ વસ્તુનું ગ્રહણ કરવું. ‘પાવંતિ નામવા'= અયોગ્ય જીવો તેમને પ્રાપ્ત કરતા નથી. (અહીં ચિંતામણિ આદિના વિષયમાં ‘અભવ્ય’ શબ્દનો અર્થ “અયોગ્ય’ એવો કરવો, જ્યારે ભાવવંદનના વિષયમાં એનો અર્થ અભવ્ય જીવો એવો કરવો. ‘પરH'= પ્રધાન-શ્રેષ્ઠ એવી ‘પરમપવયં તિ'= મોક્ષના કારણભૂત હોવાથી ' િપુ'= શું પ્રાપ્ત કરે ? અર્થાત્ પ્રાપ્ત ન કરે. ''= આ ભાવવંદનાને તેથી ભવ્ય જીવો જ પ્રાપ્ત કરે છે. તે 140 // 3/46 આ વિષયમાં જ વિશેષતા બતાવતા કહે છે : भव्वा वि एत्थ णेया, जे आसन्ना न जातिमेत्तेणं। जमणाइ सुए भणियं, एयं न उइट्ठफलजणगं // 141 // 3/47 છાયા - ભવ્યા મધ્યત્ર રેયા જે માત્ર ગતિમાત્રેT | यदनादि श्रुते भणितमेतन्न तु इष्टफलजनकम् // 47 // ગાથાર્થ :- અહીં ભવ્યોમાં પણ જે આસન્નભવ્યો છે તે જ આ ભાવવંદનાને પામે છે. ભવ્યત્વ જાતિમાત્રથી જાતિભવ્યો આ ભાવવંદનાને પામતા નથી. કારણકે સિદ્ધાંતમાં જે ભવ્યત્વને અનાદિકાલીન કહ્યું છે, તે આ જાતિભવ્યત્વ એ ઇષ્ટફળને આપતું નથી. ટીકાર્થ :- ‘પત્થ'= અહીં ‘મળ્યા વિ'= ભવ્યો પણ ‘ને'= જે ‘માસન્ના'= નજીક, અર્થાતુ મુક્તિની