Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११५२
० स्यादर्थानुप्रवेशेन सर्वव्यवहारः । ર વ્યવહાર તો સર્વત્ર ચાદર્યાનુપ્રવેશઈ જ હોઈ. T થાક્ષેપ ન ઈંત્ર વિરોધું પ્રતિત્તિ વિકાસ | “સળં વિયે વિમવ-મંગ-ફિરૂ” (વિ..HT.૧૮૪૩) - इति विशेषावश्यकभाष्यवचनमप्यत्र भावनीयम् ।।
एतेन उत्पाद-व्यय-ध्रौव्याणामेकत्राऽविरोधेऽभ्युपगम्यमाने तु मुकुटोत्पत्तौ घटत्वेनेव सुवर्णत्वेनाऽपि - हेमध्वंसव्यवहारः प्रसज्येतेति प्रत्याख्यातम्, श सर्वत्रैव स्यादर्थस्य अपेक्षाविशेषस्य अनुप्रवेशेनैव व्यवहाराऽभ्युपगमात् । क अत एव स्यात्पदस्याऽनिश्चितार्थबोधकत्वात् ‘स्यादुत्पन्नम्' इत्यादौ ‘केन विशेषरूपेण सुवर्णादिणि द्रव्यम् उत्पन्नम् ?' इति शङ्का अनिवारितप्रसरैव स्यादित्युक्तावपि न क्षतिः,
આક્ષેપ કરે છે. સ્યાસ્પદગર્ભિત વિનાશવિષયક વ્યવહાર ઉત્પાદ-ધ્રૌવ્યને આક્ષિત કરે છે. તથા કથંચિત પદથી ગર્ભિત સ્વરૂપે દ્રૌવ્યને જણાવનાર વ્યવહાર ઉત્પાદ-વ્યયને પણ બોધમાં ખેંચી લાવે છે. આવું માનવામાં વિદ્વાનોને વિરોધનું ભાન થતું નથી. “બધી જ વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય છે' - આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યના વચનની પ્રસ્તુતમાં વિભાવના કરવી.
પૂર્વપક્ષ :- (ન.) જો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો એકત્ર સ્વીકાર કરવામાં વિરોધ માનવામાં ન આવે તો સુવર્ણઘટને ભાંગીને મુગટ બનાવવામાં આવે તે સ્થળે મુગટ ઉત્પત્તિ સમયે ઘટરૂપે જેમ સુવર્ણધ્વસનો વ્યવહાર થાય છે તેમ સુવર્ણરૂપે પણ સુવર્ણવ્વસનો વ્યવહાર થવાની આપત્તિ આવશે. કારણ કે ઉત્પત્તિ, નાશ વગેરેને એક-બીજાનો વિરોધ ન હોવાથી ઘટવરૂપે સુવર્ણવ્વસની જેમ સુવર્ણત્વરૂપે પણ સુવર્ણવ્વસનો મુગટજન્મ વિરોધી બની શકતો નથી.
I ! અપેક્ષાવિશેષથી વ્યવહાર માન્ય છે ઉત્તરપક્ષ :- (સર્વત્રવ) તમારી દલીલનું નિરાકરણ અને પૂર્વે જણાવેલ શ્રી શાંતિસૂરિજી મહારાજના આ વચન દ્વારા જ થઈ જાય છે. કારણ કે સ્યાદ્વાદીઓ સર્વત્ર ચોક્કસ પ્રકારની અપેક્ષાનો સ્વીકાર કરીને
જ તમામ વ્યવહારનો સ્વીકાર કરે છે. અપેક્ષાવિશેષને દર્શાવવા માટે જ “ચા” શબ્દનો સ્યાદ્વાદીઓ ૧ પ્રયોગ કરે છે. “મુગટરૂપે સુવર્ણની ઉત્પત્તિને ઘટવરૂપે જ સુવર્ણવ્વસની સાથે વિરોધ આવતો નથી
- આ રીતે અમે સ્યાદ્વાદી માનીએ છીએ. “સુવર્ણત્વરૂપે સુવર્ણવૅસની સાથે મુગટઉત્પત્તિને વિરોધ નથી - તેવું અમે સ્વીકારતા નથી. તેથી મુગટજન્મસમયે સુવર્ણત્વરૂપે સુવર્ણધ્વંસ થવાની આપત્તિને અવકાશ નથી.
શંકા :- (ર) “ચા” શબ્દ અનિશ્ચિત અર્થને જણાવે છે. તેથી “ચાત્ ઉત્પન્ન કહેશો તો સુવર્ણાદિ દ્રવ્ય કઈ અપેક્ષાએ (કયા વિશેષરૂપે) ઉત્પન્ન થયું? આ બાબત કેમ સમજાશે ? “ચા” શબ્દ ચોક્કસ પ્રકારની કઈ અપેક્ષાને દર્શાવે છે ? તેનું જ્ઞાન શ્રોતાને કઈ રીતે થઈ શકે ? “ચાત્ સુવ નરતિ’ અહીં “ચા” શબ્દ સુવર્ણત્વરૂપ ધ્વસપ્રતિયોગિતાઅવચ્છેદકનો બોધ કરાવે છે. - તેવું કેમ માની ન શકાય ? ઘટતસ્વરૂપ ધ્વસપ્રતિયોગિતાવચ્છેદકને દર્શાવવા માટે “ચા” શબ્દનો પ્રયોગ થયેલ છે - આવું જ્ઞાન શ્રોતાને કઈ રીતે થઈ શકે ? આ શંકા તો સ્યાદ્વાદમાં ઉભી જ રહે છે.
લા.(૨)માં “પ્રદેશન' પાઠ. લી.(૧)માં પ્રવેશઈ ન’ અશુદ્ધ પાઠ. 1. સર્વ જૈવ વિખવ-મ-સ્થિતિમયનું