Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 570
________________ १६१६ • अद्धासमयो जीवाजीवपर्यायात्मक: ० १०/१९ प ४०१ हा.वृ.पृ.४३७) इति अनुयोगद्वारसूत्रहारिभद्रीवृत्तिवचनम्, “अद्धा = कालः। तल्लक्षणः समयः = क्षणः in = સદ્ધ સમય | સ વૈવ વ વર્તમાનક્ષત્તHME, સતીતાડના તિયો: સત્તા” (મ.ફૂ.૨/૧૦/૨૨૩/9.969) " इति भगवतीसूत्रवृत्तिवचनञ्च कालपर्यायपक्षपातीति भावनीयम् । म पूर्वानुपूर्वीनिरूपणावसाने अद्धासमयनिर्देशबीजं अनुयोगद्वारसूत्रचूर्णी “जीवाऽजीवपज्जायत्तणतो कालस्स शं णियमा आधेयत्तणतो य अंते अद्धासमय” (अ.सू.१३१, चू.पृ.१८१) इत्युक्तम्, अनुयोगद्वारसूत्रहारिभद्रीवृत्ती + “जीवाऽजीवपर्यायत्वादद्धासमयस्य” (अ.सू.१३१, हा.व.पृ.१८३) इत्येवमुक्तम्, अनुयोगद्वारसूत्रमलधारवृत्तौ । च “जीवाजीवपर्यायत्वात् तदनन्तरम् अद्धासमयस्य उपन्यासः” (अ.सू.१३१, हे.व.पृ.१८५) इत्युक्तमिति " आगमिकचूर्णिकार-टीकाकाराणामपि कालपर्यायपक्षे एव आधिक्येन स्वरसो ज्ञायते । का युक्तञ्चैतत् । कालस्य निरुपचरिताऽतिरिक्तद्रव्यत्वाऽभ्युपगमे पूर्वाऽपरसमयविविक्तवार्त्तमानिकै માનવામાં જ હતો - તેમ જણાય છે. તેઓશ્રીએ ભગવતીસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે “અદ્ધા = કાળ કાળસ્વરૂપ સમય = ક્ષણ એટલે જ અદ્ધાસમય. તે એક જ છે. કારણ કે તે માત્ર વર્તમાનક્ષણસ્વરૂપ જ છે. વર્તમાનક્ષણ તો કાયમ એક જ હોય છે. માટે અદ્ધાસમય એક જ છે. અતીતક્ષણ અને અનાગતક્ષણ તો અસત્ = અવિદ્યમાન છે.” જો બન્ને વ્યાખ્યાકારના મનમાં કાળ સ્વતંત્ર દ્રવ્ય તરીકે માન્ય હોત તો અદ્ધાસમયને માત્ર વર્તમાનક્ષણસ્વરૂપે તેઓ જણાવી ન શકે. પરંતુ જીવાદિ દ્રવ્યોની જેમ કાળને પણ શાશ્વતદ્રવ્ય તરીકે જ જણાવવું પડે. પરંતુ તે મુજબ જણાવેલ નથી. માટે તેઓશ્રીનું ઉપરોક્ત વચન પણ કાલપર્યાયપક્ષમાં જ ઢળે છે તેમ જણાય છે. આ અંગે વિદ્વાનોએ ઊંડાણથી વિભાવના કરવી. - આગમિક પૂર્ણિ-વ્યાખ્યાદર્પણમાં કાળ પર્યાયાત્મક તો (પૂર્વી.) પૂર્વાનુપૂર્વીનું નિરૂપણ કરવાના અવસરે “અદ્ધાસમયનો નિર્દેશ શા માટે ધર્માસ્તિકાયાદિની વા પરિપાટીમાં સૌથી છેલ્લે કર્યો ?” - આ પ્રશ્નનો જવાબ આપતાં અનુયોગદ્વારસૂત્રચૂર્ણિમાં શ્રીજિનદાસ ગણિમહત્તરે જણાવેલ છે કે “કાળતત્ત્વ જીવ-અજીવ દ્રવ્યનો પર્યાય છે. તથા કાળ નિયમા આધેય છે. આ બે કારણના લીધે આધારભૂત ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોનું નિરૂપણ કર્યા બાદ અંતે પર્યાયાત્મક આધેયસ્વરૂપ “અદ્ધાસમય' નામના છઠ્ઠા તત્ત્વનું નિરૂપણ કરેલ છે.” શ્રીહરિભદ્રસૂરિજીએ પણ અનુયોગકારસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે “અદ્ધાસમય જીવ-અજીવ દ્રવ્યનો પર્યાય છે.' તથા માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ અનુયોગકારસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે “જીવ-અજીવ દ્રવ્યનો પર્યાય હોવાથી તેનો નિર્દેશ કર્યા બાદ અદ્ધાસમયનો ઉપચાસ મૂળસૂત્રમાં કરેલ છે. આમ આગમિક ચૂર્ણિકારને અને ટીકાકારોને પણ “કાળ એ પરમાર્થથી પર્યાય છે' - આ જ પક્ષમાં વધારે સ્વરસ જણાય છે. 8 કાળમાં પારમાર્થિક દ્રવ્યત્વ બાધિત હs (ગુજ.) તથા કાળને પર્યાયાત્મક માનવાની વાત યુક્તિસંગત પણ છે. આનું કારણ એ છે કે કાળને જો નિરુપચરિત = પારમાર્થિક સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવે તો ‘કાળ પૂર્વાપરસમયવ્યાવૃત્ત = અતીત -અનાગતસમયરહિત માત્ર એક વર્તમાન સમયસ્વરૂપ છે' - આ સિદ્ધાન્તનો ઉચ્છેદ થઈ જશે. કેમ કે 1. जीवाऽजीवपर्यायत्वतः कालस्य नियमाद् आधेयत्वतश्च अन्ते अद्धासमयः।

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608