Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 575
________________ १०/१९ • दिगम्बरमतसमालोचना । १६२१ यद्वाऽस्तु अलोके समयाऽऽवलिकादिलक्षणस्य व्यवहारकालस्य पूर्वोक्तस्य (१०/१८) विरहः, प किन्तु अनाद्यनन्तस्थित्याद्यात्मकवर्तनादिपर्यायस्वरूपो नैश्चयिकस्तु कालः तत्राऽपि अव्याहत एव, ग तदीयास्तित्व-ज्ञान-व्यवहाराणाम् अत्यन्तं सूर्यक्रियादिनिरपेक्षत्वादिति सूक्ष्ममीक्षणीयम् । વાતાધારે ય વક્રુતિ ટુ સવ્વદ્રવ્યાન” (પો.સા.ની..વ૬૮) તિ જોમટસાવિત્તેન નોઠાવાશ- प्रदेशस्थैकैककालाणुद्रव्यवादिभिः आशाम्बरैरपि कालं विना अलोकाकाशद्रव्यवर्त्तनाऽनुपपत्तिः चिन्त्या। (४) समयावलिकादिरूपः अद्धाकालः (५) अहोरात्रलक्षणश्च प्रमाणकालः अद्धाकालविशेषः क नृक्षेत्रे एव स्तः, तयोः कथञ्चित् सूर्यादिपरिस्पन्दनक्रियाऽपेक्षत्वात् । तदिदमभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये र्णि “सूरकिरियाविसिट्ठो गोदोहाइकिरियासु निरवेक्खो। अद्धाकालो भण्णइ समयखेत्तम्मि समयाई ।।” (वि.आ. જ અલોકમાં નિશ્વયકાળ નિરાબાધ ? (યા.) અથવા અઢારમા શ્લોકમાં નવતત્ત્વપ્રકરણની સુમંગલા વ્યાખ્યાનો જે સંદર્ભ દર્શાવ્યો હતો, તે મુજબ સમય-આવલિકાદિસ્વરૂપ વ્યવહારકાળનો ભલે અલોકમાં અભાવ હોય. પરંતુ અનાદિ-અનંત સ્થિતિ વગેરે સ્વરૂપ વર્તનાદિ પર્યાયાત્મક નશ્ચયિક કાળ તો ખરેખર અલોકમાં પણ અવ્યાહત જ છે. કેમ કે તે નૈૠયિક કાળ તો સૂર્યક્રિયા વગેરેથી અત્યંત નિરપેક્ષ છે. વર્તનાપર્યાયાત્મક કાળ પોતાના (A) અસ્તિત્વ માટે, (B) જ્ઞાન માટે કે (C) વ્યવહાર માટે સૂર્યગતિ વગેરેથી તદન નિરપેક્ષ હોવાથી અલોકમાં પણ વર્તનાપર્યાયાત્મક કાળની હાજરીને સ્વીકારવામાં કોઈ દોષ નથી. આમ સૂક્ષ્મ વિચારણા કરવી. દિગંબરો માટે વિચારણીય બાબત (“શાના) દિગંબરો ભલે લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં એક-એક કાલાણુ દ્રવ્યોનો સ્વીકાર કરતા હું હોય. પરંતુ તેઓએ પણ ગોમ્મદસારની એક પંક્તિને ગંભીરતાથી વિચારવી જ પડશે. ત્યાં જણાવેલ છે કે “કાળના આધારથી જ સર્વ દ્રવ્યો વર્તી રહ્યા છે.” મતલબ કે સર્વદ્રવ્યવર્તન પ્રત્યે કાળ પ્રયોજક (ા છે. તથા અલોકાકાશ પણ એક પ્રકારનું દ્રવ્ય જ છે. તેથી જો અલોકમાં કાળને દિગંબરો ન માને તો અલોકાકાશની વર્તના - અનાદિ અનંત સ્થિતિ - શાશ્વત વિદ્યમાનતા અસંગત બની જશે. જો ની અદ્ધાકાળ-પ્રમાણકાળ મનુષ્યક્ષેત્રવર્તી રહી (૪) સમય, આવલિકા, મુહૂર્ત વિગેરે સ્વરૂપ અદ્ધાકાળ અઢીદ્વીપમાં જ રહે છે. તેમ જ (પ) રાત-દિવસ સ્વરૂપ પ્રમાણકાળ તો એક પ્રકારનો અદ્ધાકાળ જ છે. તેથી તે પણ ફક્ત મનુષ્યક્ષેત્રમાં = અઢી દ્વીપમાં રહે છે. આ બન્ને પ્રકારના કાળને માત્ર અઢી દ્વીપમાં રહેવાનું કારણ એ છે કે તે બન્ને કાળ કોઈકને કોઈક રીતે સૂર્ય વગેરેની પરિસ્પદ ક્રિયાને સાપેક્ષ છે. તથા સૂર્ય-ચંદ્ર વગેરેની પરિસ્પદ ક્રિયા = ભ્રમણક્રિયા તો માત્ર મનુષ્યક્ષેત્રમાં જ છે. તેથી અઢી દ્વીપની બહાર અદ્ધાકાળ કે પ્રમાણકાળ ન સંભવે. આ જ અભિપ્રાયથી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સમય વગેરે સ્વરૂપ અદ્ધાકાળ સમયક્ષેત્રમાં = મનુષ્યક્ષેત્રમાં જ કહેવાય છે. કારણ કે તે સૂર્યની પરિસ્પન્દ્રક્રિયાથી 1. Iધારે 7 વર્નને દિ સર્વદ્રવ્યના 2. सूरक्रियाविशिष्टः गोदोहादिक्रियासु निरपेक्षः। अद्धाकालो भण्यते समयक्षेत्रे समयादयः।।

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608