Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨૬ ० रूपान्तरपरिणामलक्षणात्मद्रव्यनाशार्थं यतनीयम् ० १३६९ पूर्वोक्तस्य (६/१) अभिप्रायेणाऽपि परमाणोः नित्यत्वमप्रत्याख्येयमेवेति प्रतिभाति अस्माकम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – कर्मद्रव्याणाम् अस्माभिः सह संयोगे अस्मद् विभागे वाऽपि अस्माकं नाशः सञ्जायते तथापि कर्मद्रव्यविभाग एवैष्टव्यः आवश्यकश्च, न तु कर्मसंयोगः; यतः कर्मद्रव्यसमूहसंयोगतः अर्थान्तरगमनरूपो नाश: जायते, कर्मद्रव्यविभागाच्च प्रायोगिक-समुदायजनितः स समुदायविभागलक्षणः रूपान्तरपरिणामात्मक आत्मनाश उत्पद्यते। अर्थान्तरगमनलक्षण आत्मनाशो श हि मौलिकात्मस्वरूपतो दूरतरं नयति, रूपान्तरगमनलक्षणश्च तत्समीपं नयति, शुद्धात्मरूपेण स्वात्मानं परिणामयति । 'संसारितयाऽस्मन्नाशे नः न काऽपि क्षतिः' - इत्यवसाय कर्मद्रव्यसमूहविभाग- ... कृते सततमादरेण प्रयतितव्यम्। ततश्च '“अणंतसुहं खीणसमग्गदुहसंतइं। मोक्खं चिअ पसंसंति जरा । -मरणवज्जिअं ।।” (स.सा.५) इति समयसारे देवानन्दसूरिवर्णितं मोक्षसुखं स्राक् प्रादुर्भवति ।।९/२६।। का જણાવેલ નથી. તેથી પૂર્વે (૬૧) જણાવેલ દેવસેનસંમત મેરુપર્વતનિત્યત્વગ્રાહી અનાદિનિત્યપર્યાયાર્થિકનયના અભિપ્રાયથી પણ પરમાણુમાં નિત્યત્વનો અપલાપ નહિ જ કરી શકાય. આવું અમને (પરામર્શકર્ણિકાકારને) જણાય છે. આ અંગે વિજ્ઞ વાચકવર્ગે ઉંડાણથી વિભાવના કરવી.
જ કર્મવિભાગ ઈચ્છનીય અને આવશ્યક છે આધ્યાત્મિક ઉપનય :- કર્મદ્રવ્યનો આપણને સંયોગ થાય તો પણ આપણો નાશ થાય છે અને કર્મદ્રવ્યનો વિભાગ થાય તો પણ આપણો નાશ થાય છે. તો પણ કર્યદ્રવ્યનો સંયોગ થવાના બદલે વિભાગ થાય તે વધુ ઈચ્છનીય છે અને આવશ્યક છે. કારણ કે કર્મદ્રવ્યસમુદાયસંયોગથી આપણો અર્થાન્તરગમનસ્વરૂપ નાશ થાય છે. જ્યારે કર્મદ્રવ્યવિભાગથી જે પ્રાયોગિક સમુદાયજનિત સમુદાયવિભાગ લક્ષણ આત્મનાશ થાય છે તે રૂપાન્તરપરિણામાત્મક છે. અર્થાન્તરગમનરૂપ નાશ આપણને આપણા મૌલિક સ્વરૂપથી દૂર ખેંચી જાય છે. જ્યારે રૂપાન્તરપરિણામસ્વરૂપ વિનાશ આપણને આત્માના મૂળભૂત સ્વરૂપની નજીક પહોંચાડે છે, આત્મસ્વભાવે પરિણમાવે છે. “સંસારીપરિણામરૂપે આપણો નાશ થાય તેમાં આપણને નુકસાની બિલકુલ નથી' – આવું જાણી કર્મદ્રવ્યસમુદાય વિભાગ માટે આપણે નિરંતર પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. તેનાથી સમયસારમાં શ્રીદેવાનંદસૂરિએ પ્રશંસેલ મોક્ષ ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે (૧) અનન્તસુખયુક્ત, (૨) સમગ્રદુઃખપરંપરાશૂન્ય, (૩) જરા-મરણવજિત મોક્ષની જ શાસ્ત્રકારો પ્રશંસા કરે છે.” (૨૬)
લખી રાખો ડાયરીમાં.....
સાધના કર્મબંધને સુધારે છે. દા.ત. મેમણશેઠનો પૂર્વભવ ઉપાસના કર્મના અનુબંધને પણ સુધારે છે.
દા.ત. ભરત ચક્રવર્તી
1. अनन्तसुखं क्षीणसमग्रदुःखसन्ततिम्। मोक्षं चैव प्रशंसन्ति जरा-मरणवर्जितम् ।।