Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 559
________________ १०/१९ ० नृलोकव्यापिनिरंशकालद्रव्यमीमांसा १६०५ तदीयवर्त्तनायाः कालनिरपेक्षत्वमिति वक्तुं नैव युज्यते, असम्भवात् । एतेन विवक्षितवर्त्तनायाः नरलोकावच्छेदेन कालापेक्षत्वं तद्बहिर्भागावच्छेदेन च कालनिरपेक्षत्वमित्यपि अपाकृतम्, परमाणु-तद्गति-तद्वर्त्तनानां निरंशत्वेन तथात्वाऽसम्भवात्, सिद्धान्ते तथाऽनभ्युपगमाच्च । किञ्च, मनुष्यलोकव्यापकनिरंशैकातिरिक्तकालद्रव्याभ्युपगमे वदतो व्याघात आपद्येत । नृलोकव्यापी में चेत् कालः, निरंशः कथम् ? निरंशश्चेत्, नरलोकव्यापी कथम् ? ततश्च समयक्षेत्रावच्छिन्नाति- र्श रिक्तैककालद्रव्यस्य अस्तिकायत्वापत्तिः सुदुर्निवारैव, अन्यथा गगनादीनां विभुद्रव्याणां निरवयवत्वंत એવા પરમાણુની વર્તના એક જ છે, એક સમય પૂરતી જ છે. તેથી આવી પરિસ્થિતિમાં ઉપરોક્ત રીતે બનવું અસંભવ છે. એક સમયની ગતિમાં “પરમાણુ જ્યારે મનુષ્યલોકમાં હોય ત્યારે તેની વર્તના કાળસાપેક્ષ અને જ્યારે અઢી દ્વીપની બહાર હોય ત્યારે તેની વર્તના કાળનિરપેક્ષ' - એવું કઈ રીતે સંભવે ? એક સમયની ગતિમાં જ્યારે’ અને ‘ત્યારે - આવી બે વાર કલ્પના અસંભવિત જ છે. જ નિરંશ એકસામાયિક પરમાણુવર્ણના સાપેક્ષ-નિરપેક્ષ ન બને તે (તેર) જ્યારે-ત્યારે શબ્દનો પ્રયોગ કર્યા વગર, પ્રસ્તુત વર્તના મનુષ્યલોકવચ્છેદન કાળસાપેક્ષ છે તથા બહિર્ભાગઅવચ્છેદન કાળનિરપેક્ષ છે” – એવું પણ માની શકાતું નથી. કારણ કે ઉપર જણાવી ગયા તે મુજબ પરમાણુ નિરંશ છે, તેની ઉપરોક્ત ગતિમાં પણ જુદા-જુદા સમયસ્વરૂપ અંશ નથી તથા તેની વિવક્ષિત વર્તન પણ એકસમયવાળી નિરંશ છે. કોઈ અતિશૂલ એક જ વસ્તુ અઢી દ્વીપમાં અને અઢી દ્વીપની બહાર વ્યાપીને રહી હોય તો કદાચ તેને ઉદેશીને એવું કહી શકાય કે “વિવક્ષિત ! વસ્તુના મનુષ્યલોકાવચ્છિન્ન અવયવોમાં કાલસાપેક્ષ વર્ણના છે અને મનુષ્યલોકબહિર્ભાગાવચ્છિન્ન અવયવોમાં કાળનિરપેક્ષ વર્ણના છે.” આવી સ્થિતિમાં હજુ કદાચ અવયવભેદથી એક જ સ્થૂલતમ અવયવીમાં એકસાથે 1. કાલસાપેક્ષ-કાલનિરપેક્ષ બન્ને પ્રકારની વર્તન માની શકાય. પરંતુ આપણે જે પરમાણુવર્ણનાની વિચારણા કરી રહ્યા છીએ, ત્યાં તો તેવું શક્ય જ નથી. વળી, જૈનાગમમાં પણ “પ્રસ્તુત પરમાણુવર્ણના મનુષ્યલોકઅવચ્છેદન કાળસાપેક્ષ તથા બહિર્ભાગવિચ્છેદન કાળનિરપેક્ષ' – આવું માનવામાં આવેલ નથી. તેથી અઢીદ્વીપમાં વર્તનાદિપર્યાયોને અતિરિક્તકાળદ્રવ્યજન્ય માનવામાં ઉપરોક્ત પરમાણુવનાની સમસ્યાનું સમાધાન મેળવવું ખૂબ દુર્લભ છે. . મનુષ્યક્ષેત્રવ્યાપી નિરંશ એક કાલદ્રવ્યનો અસંભવ (ષ્યિ.) વળી, મનુષ્યલોકમાં નિષ્ણ = નિરવયવ એક સ્વતંત્ર કાલદ્રવ્યનો સ્વીકાર કરવામાં તો મારી માતા વંધ્યા છે' એવું બોલતાં જેવો વ્યાઘાત આવે તેવું થશે. કેમ કે જો કાળ મનુષ્યક્ષેત્રવ્યાપી હોય તો નિરવયવ કઈ રીતે હોય ? તથા જો કાળદ્રવ્ય નિરવયવ હોય તો મનુષ્યલોકવ્યાપી કઈ રીતે સંભવે ? જો મનુષ્યલોકવ્યાપી એક અતિરિક્ત કાળદ્રવ્યને માનવામાં આવે તો કાળને અસ્તિકાય = સ્કંધ માનવાની આપત્તિનું આંશિક પણ નિવારણ નહિ થઈ શકે. આ રીતે કાળદ્રવ્યમાં સ્કંધ-દેશ-પ્રદેશની કલ્પના તો આગમસંમત છે જ નહિ. તેથી અતિરિક્તકાલદ્રવ્યવાદીને અપસિદ્ધાંત દોષ લાગુ પડશે. તથા જો મનુષ્યક્ષેત્રવ્યાપી એક અતિરિક્ત કાલદ્રવ્યને નિરવયવ જ માનવામાં આવે તો “આકાશ વગેરે

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608