Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/८
• धर्मादिविरहेऽनुग्रहोपघाताद्यनुपपत्तिः
१४७३ पर्युदासप्रतिषेधबलेन लोकानुरूपतयैव अलोकस्य युज्यमानत्वात् । तथा च लोकस्य आकाशविशेषरूपतया अलोकेनाऽपि तदानुरूप्येणैव भवितव्यम् । अन्यथा 'अब्राह्मणम् आनय' इत्युक्त्या कश्चिद् घटादिकमपि आनयेत् । तस्माद् धर्माऽधर्माऽवच्छिन्नाऽऽकाशस्य लोकपदार्थत्वम्, तदनवच्छिन्नाऽऽकाशस्य चाऽलोकपदार्थत्वम् आस्थेयम् ।
अन्यथा लोकालोकव्यवस्थाविरहेण जीव-पुद्गलादीनां सम्बन्धविरहेण मिथोऽनुग्रहोपघातादिव्यवहार एव न स्यात्, जीव-पुद्गलेभ्य आकाशप्रदेशानाम् अनन्तगुणत्वात् । तदिदमभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये “लोगस्स त्थि विवक्खो सुद्धत्तणओ घडस्स अघडो ब्व । स घडाइ च्चिय मई ?, न, निसेहाओ तदणुरूवो ।। 'तम्हा धम्माऽधम्मा लोयपरिच्छेयकारिणो जुत्ता। इहराऽऽगासे तुल्ले लोगोऽलोगो त्ति को भेओ ?।।
આ ઘટાદિ અલોકપદાર્થ તરીકે અમાન્ય , શમન :- (છું.) “અજીવ' વગેરે શબ્દની જેમ “અલોક' શબ્દમાં જે “” છે તે પર્યદાસપ્રતિષેધ અર્થમાં પ્રયોજાયેલ છે. “' પદની પાછળ જે પદ લાગેલ હોય, તે પદના અર્થથી ભિન્ન અને તેના સમાન અર્થને ‘’ યુક્ત પદ જણાવે છે. દા.ત. અબ્રાહ્મણ એટલે બ્રાહ્મણભિન્ન અને મનુષ્યત્વરૂપે બ્રાહ્મણસદશ એવા ક્ષત્રિય વગેરે મનુષ્ય. તે રીતે “અલોક' એટલે લોકભિન્ન તથા આકાશવરૂપે આકાશતુલ્ય એવું ધર્માસ્તિકાયાદિશૂન્ય શુદ્ધ આકાશ. આમ પર્યદાસપ્રતિષેધના બળથી લોકને અનુરૂપ એવા જ અલોકને માનવો યોગ્ય કહેવાય. જો સાદશ્યને છોડી કેવલ ભેદનો જ પર્યુદાસપ્રતિષેધપદાર્થ તરીકે સ્વીકાર કરવામાં આવે તો “અબ્રાહ્મણને લાવ' આવો આદેશ સાંભળીને બ્રાહ્મણભિન્ન ઘટ-પટ વગેરે પદાર્થને પણ લાવવાનું કોઈ માણસ કામ કરે તો તેવી પ્રવૃત્તિને માન્ય કરવી પડશે. તેથી ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયથી અવચ્છિન્ન આકાશ એ જ લોકપદાર્થ છે તથા ધર્મ-અધર્મદ્રવ્યથી અનવચ્છિન્ન = રહિત આકાશ એ જ અલોકપદાર્થ છે - તેમ સ્વીકારવું જોઈએ.
69 ધર્માદિદ્રવ્ય ન હોય તો સુખ-દુઃખાદિવ્યવહારનો ઉચ્છેદ (8 | (અન્યથા.) જો ધર્મ-અધર્મદ્રવ્યથી અવચ્છિન્ન = વિશિષ્ટ આકાશને લોક માનવામાં ન આવે તો લોક અને અલોક અંગે કોઈ વ્યવસ્થા જ નહિ રહે. તેથી જીવ અને પુદ્ગલો અધિક હોવાથી વિરાટ અનંત આકાશમાં ગમે ત્યાં ભટકશે. જીવ અને પુદ્ગલ કરતાં આકાશપ્રદેશ અનંતગુણ અધિક હોવાથી વિરાટ અનંત આકાશમાં અતિઅલ્પસંખ્યક જીવ-પુગલનો સંબંધ જ થઈ નહીં શકે. તેથી પુદ્ગલસંબંધ દ્વારા જીવોને જે અનુગ્રહ અને ઉપઘાત વગેરેનો વ્યવહાર થાય છે, તે પણ સંભવી શકશે નહિ. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “લોકનો વિપક્ષ = અલોક છે. કારણ કે લોક શબ્દ શુદ્ધપદ છે. જેમ કે ઘંટનો વિપક્ષ અઘટ. ‘તે લોકપ્રતિપક્ષ ઘટાદિ જ છે' - આવી બુદ્ધિ યોગ્ય નથી. કારણ કે “અલોક' શબ્દમાં પર્યાદાસપ્રતિષેધ હોવાથી લોકને અનુરૂપ જ અલોક હોવો જોઈએ. તેથી લોકને = લોકાકાશને નિયંત્રિત કરનારા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય માનવા યોગ્ય છે. બાકી 1. लोकस्याऽस्ति विपक्षः शुद्धत्वतो घटस्याऽघट इव । स घटादिरेव मतिः ? न, निषेधात् तदनुरूपः।। 2. तस्माद् धर्माऽधर्मी लोकपरिच्छेदकारिणौ युक्तौ । इतरथाऽऽकाशे तुल्ये लोकोऽलोक इति को भेदः ?।।