Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 543
________________ १०/१९ वर्तनापरिणतधर्मादिद्रव्याणि = कालद्रव्याणि २ १५८९ परिणतधर्मादिद्रव्याणामेव पृथक्पृथक्कालद्रव्यत्वाऽभ्युपगमे पुद्गलास्तिकायाद् अद्धासमयानां द्रव्यार्थतयाऽनन्तगुणाऽधिकत्वं सिध्येत, धर्माऽधर्म-जीव-पुद्गलास्तिकायेभ्यः तत्तद्वर्तनापरिणामपरिणतधर्मादि- ... द्रव्याणाम् अनन्तगुणाधिकत्वात् । तादृशवर्त्तनानां प्रदेशार्थिकनयाभिप्रायेण तत्तद्धर्माऽधर्मादिप्रदेशाऽभिन्नतया तत्तद्वर्तनापर्यायपरिणत- म धर्मादिप्रदेशाणामेव पृथक्पृथक्कालप्रदेशताऽभ्युपगमे तु पुद्गलास्तिकायाद् अद्धासमयानां प्रदेशार्थतया र्श अनन्तगुणाधिकत्वमनाविलम्, धर्माऽधर्म-जीव-पुद्गलास्तिकायप्रदेशेभ्यः तत्तद्वर्तनापर्यायपरिणतधर्मादि-- द्रव्यप्रदेशाणाम् अनन्तगुणाधिकत्वात् । किन्तु तादृशवर्तनानां तथाविधद्रव्यरूपता तथाविधप्रदेशरूपता । वौपचारिकी एव ज्ञेया, परमार्थतः तासां पर्यायरूपत्वात् कालस्य च तत्स्वरूपत्वात् । यत्तु जीवाजीवाभिगमसूत्रे '“किमयं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव, अजीवा चेव" का છે, તે તે દરેકની અંદર અનંતાનંત વર્તના પર્યાયો છે. તે પર્યાયો દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ તે-તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોથી અભિન્ન છે. તથા તે તે અનંત વર્તનાપર્યાયથી પરિણત ધર્મ-અધર્માદિ દ્રવ્યો જ અલગ-અલગ કાલદ્રવ્ય છે - આ પ્રમાણે જો સ્વીકાર કરવામાં આવે તો પુદગલાસ્તિકાય કરતાં અદ્ધાસમયો દ્રવ્યાર્થથી અનંતગુણ અધિક સિદ્ધ થઈ શકશે. કારણ કે ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યો કરતાં જુદી-જુદી વર્તનાથી પરિણત (=વિશિષ્ટ) તે તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અનંતગુણ અધિક છે. - વર્તનાપરિણત ધમદિપ્રદેશ = કાલપ્રદેશ (તા) તથા તે જ તમામ વર્તનાઓ પ્રદેશાર્થિકનયના અભિપ્રાયથી તે તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરેના પ્રદેશોથી = અવયવોથી અભિન્ન છે. તથા “અલગ-અલગ વર્તનાપર્યાયરૂપે પરિણત સ ધર્માસ્તિકાયાદિપ્રદેશો એ જ અલગ-અલગ કાલપ્રદેશ છે' - આવું માનવામાં આવે તો “પ્રદેશાર્થથી પુદ્ગલાસ્તિકાય કરતાં અદ્ધાસમયો અનંતગુણ અધિક છે' - આવું નિરાબાધ રીતે સિદ્ધ થઈ જશે. કેમ ? કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય - આ ચારના પ્રદેશો કરતાં તે તે વર્તનાપર્યાયરૂપે પરિણમેલા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના પ્રદેશો અનંતગુણ અધિક છે. દા.ત. ધર્માસ્તિકાયના છે કુલ પ્રદેશ અસંખ્ય છે. જ્યારે અલગ-અલગ વર્તનાપર્યાયથી પરિણત એવા ધર્મદ્રવ્યના પ્રદેશો અનંત છે. અરે ! ફક્ત એક પરમાણુદ્રવ્યમાં પણ અનંત વર્તનાપર્યાયો હોવાથી તે તે વર્તનાપર્યાયરૂપે પરિણત તે જ પરમાણુ ભેદનયથી અનંતસંખ્યાવાળો બની જાય. આથી સમસ્ત પુદ્ગલાસ્તિકાય કરતાં અદ્ધાસમયોમાં પ્રદેશાર્થથી અનંતગુણાધિકતા નિરાબાધપણે સિદ્ધ થાય છે. પરંતુ આ રીતે જુદી-જુદી વર્તનાઓમાં જે તથાવિધ દ્રવ્યરૂપતા કે તથાવિધ પ્રદેશસ્પતા જણાવેલ છે, તે ઔપચારિક જ સમજવી. કેમ કે પરમાર્થથી તો તે વર્તનાઓ પર્યાયસ્વરૂપ જ છે. તથા કાળ પણ પરમાર્થથી તે વર્તનાસ્વરૂપ જ છે. હોક કાળમાં દ્રવ્યરૂપતાની શંકા : શેકા :- (રૂ.) જો કાળ પરમાર્થથી પર્યાયસ્વરૂપ જ હોય તો જીવાજીવાભિગમસૂત્ર નામના આગમમાં જીવાજીવદ્રવ્યને કાળ તરીકે કેમ જણાવેલ છે ? ત્યાં પ્રશ્નોત્તરી નીચે મુજબ છે. પ્રશ્ન :- “હે ભગવંત ! આ કાળ કોને કહેવામાં આવે છે ? 1. મિથે મત્ત ! નિ રિ પ્રોચતે ? શૌતમ ! નીવાશ્લેવ મનાવાશ્વેતા

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608