Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/१२ ० विभक्तकालत्रयप्रयोगसमर्थनम् ।
१२४९ તો વ્યવહારઈ (પહિલાં અછતિ વિશિષ્ટ) ઉત્પત્તિ ક્ષણસંબંધમાત્ર (આદરોક) કહો. તિહાં પ્રાગભાવધ્વંસના કાલત્રયથી કાલત્રયનો અન્વયે સમર્થન કરો.
तर्हि व्यवहारात् = पूर्वोक्तं(९/११) शुद्धर्जुसूत्रानुगृहीतव्यवहारनयमाश्रित्य हि = एव उत्पत्तिः उररीक्रियताम् । तन्नये आद्यक्षणसम्बन्धमात्रलक्षणा उत्पत्तिरुच्यते । सा च कारणकलापव्यापारात् पूर्वम् असती = अविद्यमाना पश्चात् = सामग्र्यव्यवहितोत्तरक्षणावच्छेदेन सती = विद्यमाना भवति । सा हि प्रागभावध्वंसीयकालत्रितययोगाद् युता = विभक्तकालत्रयान्वयविशिष्टा भवति । तत एव विभक्तकालत्रयव्यवहार उत्पादादौ सम्भवति। तथाहि - घटस्याऽऽद्यक्षणे = घटोत्पादसमये घटप्रतियोगिकप्रागभावस्य ध्वंस उत्पद्यते । अतः तदा घटप्रागभावप्रतियोगिकध्वंसोत्पत्तौ वर्तमानत्वाऽन्वयाद् ‘घट उत्पद्यते' इति प्रयोग उपपद्यते, घटप्रागभावध्वंसोत्पादस्य वर्त्तमानतायां सत्यां घटप्रागभावध्वंसे वर्तमानत्वस्य न्याय्यत्वात् । નિશ્ચયનયસંમત વાક્યપ્રયોગને નવ્ય નૈયાયિકો પ્રમાણભૂત માનતા નથી.
| / વ્યવહારનયમાન્ય ઉત્પત્તિ વિમર્શ / (તર્દિ.) જો નવ્ય તૈયાયિકો ઉપરોક્ત રીતે ઉત્પત્તિના અને નાશના વ્યવહારનું સમર્થન કરતા હોય તો નવ્ય નૈયાયિકોએ નિશ્ચયનયના બદલે ૧૧મા શ્લોકમાં જણાવ્યા મુજબ શુદ્ધ ઋજુસૂત્રનયથી અનુગૃહીત સૂક્ષ્મવ્યવહારનયનો આશ્રય કરીને જ ઉત્પત્તિને સ્વીકારવી જોઈએ. અર્થાત્ નિશ્ચયનયસંમત ઉત્પત્તિના બદલે સૂક્ષ્મવ્યવહારનયસંમત ઉત્પત્તિને તેઓએ સ્વીકારવી જોઈએ. આવું માનવામાં કોઈ દોષ આવશે નહિ. તે આ રીતે – સૂક્ષ્મવ્યવહારનયના મતે ઉત્પત્તિનું લક્ષણ ફક્ત આઘક્ષણસંબંધ કહેવાય છે. કાર્યનો પ્રથમક્ષણ સાથે સંબંધ થવો તે જ કાર્યની ઉત્પત્તિ છે. કુંભાર, દંડ આદિ કારણસમૂહના વ્યાપારની (= પ્રવૃત્તિની) પૂર્વે ઘટ વગેરે કાર્ય અવિદ્યમાન હોવાથી ઘટને પ્રથમ ક્ષણ સાથે સંબંધ થવા સ્વરૂપનું ઉત્પત્તિ પણ અવિદ્યમાન હોય છે. કારકપ્રવર્તન પૂર્વે અવિદ્યમાન એવી ઉત્પત્તિ, કારણસમૂહ સ્વરૂપ સામગ્રી હાજર થતાં, તે પછીની અવ્યવહિત ઉત્તરક્ષણે હાજર થાય છે. સામગ્રી પૂર્વે અસત્ અને સામગ્રી : પછી સત્ એવી પ્રથમક્ષણસંબંધાત્મક ઉત્પત્તિમાં પ્રાગભાવધ્વંસના ત્રણ કાળનો સંબંધ થવાથી વ્યવહારનયસંમત ઉત્પત્તિ અલગ અલગ ત્રણ કાળના અન્વયથી વિશિષ્ટ બનશે. આમ પ્રથમક્ષણસંબંધાત્મક રી. ઉત્પત્તિમાં પ્રાગભાવપ્રતિયોગિક ધ્વંસના ત્રણ કાળનો અન્વય થવાના કારણે જ ઉત્પાદ વગેરેમાં ભૂત, ભવિષ્ય, વર્તમાન સ્વરૂપ વિભક્ત કાળત્રયનો વ્યવહાર સંભવી શકે છે. તે આ રીતે - ઘટની પ્રથમ ક્ષણે અર્થાત્ ઘટોત્પત્તિના સમયે ઘટપ્રતિયોગિકપ્રાગભાવનો ધ્વંસ ઉત્પન્ન થાય છે. તેથી ત્યારે (ઘટજન્મ સમયે) ઘટપ્રાગભાવના ધ્વસની ઉત્પત્તિમાં વર્તમાનત્વનો અન્વય થઈ શકે છે. આમ ઘટપ્રાગભાવપ્રતિયોગિક એવા ધ્વસની ઉત્પત્તિમાં વર્તમાનકાળનો અન્વય સંભવતો હોવાથી ત્યારે “પટઃ ઉત્પઘતે' - આવો વાક્યપ્રયોગ સંગત થઈ શકે છે. કારણ કે ઘટના પ્રાગભાવના ધ્વસની ઉત્પત્તિ વર્તમાન = વિદ્યમાન હોય ત્યારે ઘટપ્રાગભાવના ધ્વંસમાં વર્તમાનતા = વર્તમાનકાલીનત્વ રહે - આ વાત ન્યાયસંગત છે. જ કો.(૧૩)માં “ઉત્પત્તિકરણસંબંધ’ પાઠ. 8 કો.(૧૧)માં “ક્ષણસંબંધમાં “સ્વાધિરાક્ષાત્વવ્યાપસ્વાધિરપક્ષપર્વાસાધિવરતાત્વમ્ મનુતન્નત્વમાત્ર' કહો” પાઠ. • કો.(૯)માં “અન્વય'ના બદલે “અર્થ’ પાઠ.