Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨ • कर्मोपाधिविघटनकृते यतितव्यम् ।
१३३१ श्वा श्वैव। भणन्ति च “एकदेशविकृतम् अनन्यवद्” (न्यायसङ्ग्रह - ७ पृ.८) इति” (भ.सू.२/१०/१२० प /પૃ.૨૪૬) કવિતીસૂત્રવૃત્તી વ્યમ્ |
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ‘कर्मद्रव्यविभागादपवर्ग उत्पद्यते' इति श्लोकोत्तरार्धांशेनेदं सूच्यते यदुत यावद् निरर्थकं सगृहीतं तावत् परमार्थतत्त्वम् आत्ममुक्तिलक्षणं नोपलब्धुं शक्यम्, निरर्थकसत्त्वे सार्थकाऽऽविर्भावाऽयोगात् । न हि उपाध्यविगमे निरुपाधिकनिजस्वरूपोपलब्धिः सम्भवति। ततश्च मुक्तिकामिभिः आत्मार्थिभिः कर्मोपाधिचयन-वर्धनादिकं परित्यज्य तद्विघटनकृते सदा यति-क तव्यम्। ततश्च “सकलकर्मविमुक्तस्य ज्ञान-दर्शनोपयोगलक्षणस्य आत्मनः स्वात्मनि अवस्थानं = मोक्षः” । (તડબૂ.૧૦/રૂ હા.ગ્રે.કૃ.૧૧૫) રૂતિ તત્વાર્થસૂત્રદારિદ્ધીવૃત્તો તો મોક્ષ: સુત્તમઃ ચાત્Tરા. પણ વસ્તુ વસ્તુ જ કહેવાય છે. જેમ કે ખંડ ઘટ પણ ઘટ જ છે. જેનો એક કાન કપાઈ ગયેલો હોય તેવા પણ કૂતરાને કૂતરો જ કહેવાય છે. વ્યવહારનયનિપુણ લોકો કહે છે કે “એક ભાગમાં વિકૃત થયેલી વસ્તુ પણ પૂર્વકાલીન વસ્તુથી અભિન્ન જ રહે છે.” (હેમહંસગણિકૃત ન્યાયસંગ્રહમાં સાતમા નંબરે આ ન્યાય જણાવેલ છે.) તેથી ત્યાં નૂતન વસ્તુની ઉત્પત્તિને માનવાની જરૂરત નથી.” આ મુજબ ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ સ્પષ્ટપણે જણાવેલ છે.
છ કર્મવિભાગ માટે સજ્જ થઈએ આધ્યાત્મિક ઉપનય - “કર્મનો વિભાગ = વિયોગ થવાથી મોક્ષની ઉત્પત્તિ થાય છે? - આવું શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવેલ છે તેનાથી સૂચિત થાય છે કે જ્યાં સુધી નિરર્થક અનર્થક પદાર્થોને આપણે સંઘરીને બેઠા છીએ ત્યાં સુધી સાર્થક-પરમાર્થભૂત નિર્મળ આત્મતત્ત્વની-મુક્તિની ઉપલબ્ધિ શક્ય નથી. નિરર્થક હટે નહિ ત્યાં સુધી સાર્થક પ્રગટે નહિ. ઉપાધિ ખસે નહિ ત્યાં સુધી નિરુપાધિક નિજસ્વરૂપની નિષ્પત્તિ થાય નહિ. નકામું નિરુપયોગી તત્ત્વ જાય નહિ ત્યાં સુધી કામનું ઉપયોગી આત્મતત્ત્વ પૂર્ણપણે પ્રગટ થાય નહિ. તેથી મુક્તિકામનાવાળા આત્માર્થી સાધકે કર્મસ્વરૂપ ઉપાધિને ભેગી કરવાના બદલે, વધારવાના બદલે તેના વિઘટન માટે સદા સજ્જ રહેવું જોઈએ. તેના લીધે તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં જણાવેલ મોક્ષ સુલભ થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જ્ઞાન-દર્શનઉપયોગસ્વરૂપ આત્મા સર્વ કર્મથી મુક્ત થઈને પોતાનામાં રહે તે મોક્ષ છે.” (/ર૧)
(લખી રાખો ડાયરીમાં.....૪ )
• વિવેકના અભાવમાં સાધના માગણીનો દાવો રાખીને
પણ અંતે ઘણું ગુમાવે છે. દા.ત.મુનિ પીઠ-મહાપીઠ. માગણીશૂન્ય લાગણીપૂર્ણ ઉપાસના અનંત, અસીમ, અનહદ મેળવે છે. દા.ત. ભીમો કુંડલીઓ.