Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/२४ • निश्चय-व्यवहारनयाभ्यां विनाशविमर्शः
१३४५ दकत्वपर्यायनाशं विना उत्तरगत्यादिजनकत्वस्वभावप्रादुर्भावाऽयोगः। 'पूर्वपर्यायनाशोत्तरकालम् उत्तरपर्यायोत्पाद' इति व्यवहारनयमतं 'पूर्वपर्यायनाशोत्तरपर्यायोत्पादौ समकालीनौ' इति निश्चयनयमतं वा स्वीक्रियताम्, उभयथाऽपि नूतनगत्यादिजनकत्वपरिणामप्रादुर्भावान्यथानुपपत्त्या धर्मादिद्रव्येषु पूर्वपर्यायस्य तद्रूपेण च तेषां नाशोऽप्रत्याख्येयः। परमाण्वादिगत्यादीनां स्वाभाविकत्वेन तन्निमित्तकस्य म धर्मादिनाशस्य वैनसिकत्वं प्रायोगिकजीवगत्यादिनिमित्तकस्य च तस्य प्रायोगिकत्वमिति।। ___ प्रायोगिको विनाशः केवलः समुदयजनित एकविध एव । वैस्रसिकश्च विनाशो द्विधा - समुदयजनित ऐकत्विकश्चेति । ऐकत्विकश्च वैस्रसिको विनाश एकविध एव । धर्मास्तिकायादिषु परमाण्वादिगत्याधुपष्टम्भकत्वादिपर्यायोत्पादस्य तदनुपष्टम्भकत्वपर्यायविनाशपूर्वकत्वेन तादृशानुपष्टम्भकत्वपर्यायविशिष्टरूपेण धर्मास्तिकायादिनाशः ऐकत्विकवैस्रसिकनाशविधया समवसेयः। (=પર્યાયનો) નાશ થયા વિના ઉત્તરકાલીન ગતિ-સ્થિતિ-અવગાહનાજનકત્વ સ્વરૂપ પર્યાયનો પ્રાદુર્ભાવ થઈ ન શકે. વ્યવહારનયથી પૂર્વપર્યાયનાશ પછી ઉત્તરપર્યાયજન્મ થાય. નિશ્ચયનયથી પૂર્વપર્યાયનાશ અને ઉત્તરપર્યાયઉત્પત્તિ - આ બન્ને સમકાલીન છે. આ વાત પૂર્વે થઈ ચૂકેલ છે. પ્રસ્તુતમાં કહેવાનો આશય એ છે કે વ્યવહારનયનો મત સ્વીકારો કે નિશ્ચયનયનો મત સ્વીકારો. પરંતુ એટલું તો નિશ્ચિત જ છે કે નૂતન ગતિ આદિ ક્રિયાની જનતા સ્વરૂપ પરિણામ તો ધર્માસ્તિકાય વગેરેમાં ઉત્પન્ન થાય જ છે. તેથી ફલઅન્યથાઅનુપપત્તિથી પૂર્વતન પર્યાયનો અને તે તે પર્યાયરૂપે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યનો નાશ સિદ્ધ થાય છે. તેનો અપલોપ થઈ શકે તેમ નથી. પરમાણુ વગેરે પુગલોની ગતિ-સ્થિતિ વગેરે સ્વાભાવિક હોવાથી તગ્નિમિત્તક ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો જે નાશ થાય છે, તે વૈગ્નસિક કહેવાય છે. તથા જીવ દ્રવ્યોની ગતિ આદિ ક્રિયા પ્રાયોગિક હોવાથી તનિમિત્તક ધર્માસ્તિકાયાદિનો નાશ થાય છે તે પ્રાયોગિક કહેવાય છે.
. પ્રાયોગિક-વૈઋસિક વિનાશ . (પ્રાયોજિ.) પ્રયોગજન્ય = જીવપ્રયત્નજનિત વિનાશનો ફક્ત એક જ ભેદ છે. તે છે સમુદયજનિત. વૈગ્નસિક = સ્વાભાવિક નાશના બે પ્રકાર છે. (૧) સમુદયજનિત તથા (૨) ઐકત્વિક. ઐકત્વિક સ્વાભાવિક વિનાશનો એક જ પ્રકાર છે. જેમ કે ધર્માસ્તિકાય વગેરે નિષ્ક્રિય દ્રવ્યો પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્યની ગતિ પ્રત્યે સહાયક છે. જ્યારે પરમાણુ વગેરે ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાય વગેરેમાં ગતિઉપષ્ટભક્તા = ગતિસહાયકતા નામનો પર્યાય ઉત્પન્ન થાય છે. તથા તે પૂર્વે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં ગતિઅનુપષ્ટભક્તા = ગતિઅસહાયતા નામનો પર્યાય હતો. જ્યાં સુધી તે અનુપષ્ટભકત્વ પર્યાયનો નાશ ન થાય ત્યાં સુધી ઉપષ્ટભકત્વ પર્યાય ત્યાં ઉત્પન્ન થઈ શકતો નથી. પુદ્ગલ દ્રવ્યની ગતિસ્વરૂપ કાર્ય તો પ્રસિદ્ધ જ છે. તેથી ધર્માસ્તિકાય વગેરેમાં ગતિસહાયકતાસ્વરૂપ નૂતન પર્યાયની ઉત્પત્તિના કારણ તરીકે અનુપષ્ટભકત્વ પર્યાયનો નાશ પણ માનવો જ પડશે. તેથી ગતિઆદિઅસહાયકતાપર્યાયવિશિષ્ટ સ્વરૂપે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યનો નાશ તે ઐકત્વિક વૈગ્નસિક વિનાશ જાણવો.