Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* युगपन्मानसविकल्पद्वयनिषेधनम्
१२९१
९/१६ यौगपद्याभ्युपगमे तु न कोऽपि बाधः, असमानत्वात् । दिगम्बराणामपि सम्मतमिदम् । तदुक्तम् अनन्तवीर्येण सिद्धिविनिश्चयोपटीकायां “मानसं समम् उपयोगद्वयं युगपद् नेष्यते, न इन्द्रिय- मानसे" (सि. प वि.भाग-१/१/२५ वृ.पृ.११३ ) इति । किन्तु चाक्षुष - श्रावणादिविभिन्नबहिरिन्द्रियजन्याऽनेकसविकल्पज्ञानरा यौगपद्यं तु न सम्भवति, युगपन्नानेन्द्रियैः सह मनःसम्बन्धाऽसम्भवात् । अतः बहिरिन्द्रियजन्यत्वापेक्षया समानानां चाक्षुष-श्रावणादिसविकल्पप्रत्यक्षाणां न यौगपद्यम्, मनसि तादृशसामर्थ्यविरहात् । ‘अयं घटः’, ‘घटञ्चाहं जानामि' इत्येवं व्यवसायानुव्यवसायलक्षणाऽसमानसविकल्पज्ञानद्वययौगपद्ये तु न किमपि बाधकम्, व्यवसायस्य बहिरिन्द्रियजन्यत्वेन अनुव्यवसायस्य च मनोजन्यत्वेन असमानत्वात् । कु ततश्च केवलज्ञान-दर्शनयोः यौगपद्ये न किमपि बाधकम्, तयोः निर्विकल्पत्वेन प्रतिबध्यताकोटिबहिर्भावादिति ।
इत्थञ्च तर्काऽऽगमोभयाभिप्रायेण केवलिनि युगपदुपयोगद्वयप्रवर्तने तर्कागमबाधलक्षणो न कोऽपि दोष अस्माकमाभाति । ततश्च क्रमिकोपयोगद्वयपक्षे केवलोपयोगत्वेन रूपेण युगपदुपयोगનથી. કારણ કે તે બન્ને સવિકલ્પજ્ઞાન સમાનજાતીય નથી. દિગંબરોને પણ આ વાત માન્ય છે અકલંકસ્વામીરચિત સિદ્ધિવિનિશ્ચયની સ્વોપજ્ઞટીકા ઉપરની ઉપટીકામાં અનન્તવીર્ય નામના દિગંબર વિદ્વાને જણાવેલ છે કે ‘એકીસાથે સમાન માનસ ઉપયોગદ્રય માન્ય નથી. પરંતુ એક ઉપયોગ (= જ્ઞાન) ઈન્દ્રિયજન્ય હોય અને બીજો ઉપયોગ મનોજન્ય હોય તો તે બન્ને એકીસાથે હોવામાં કોઈ વાંધો નથી.' પરંતુ ચક્ષુ, કર્ણ, ઘ્રાણ આદિ વિભિન્ન ઈન્દ્રિયથી ઉત્પન્ન થનાર અનેક સવિકલ્પજ્ઞાન એકીસાથે થઈ શકતા નથી. કારણ કે મન એકીસાથે અનેક ઈન્દ્રિય સાથે સંબદ્ધ થઈ શકતું નથી. ચાક્ષુષ, શ્રાવણ વગેરે સવિકલ્પપ્રત્યક્ષો બહિરિન્દ્રિયજન્યત્વરૂપે સમાન છે. તેવા બે કે અનેક સવિકલ્પપ્રત્યક્ષ એકીસાથે એક આત્મામાં થઈ ન શકે. કારણ કે અનેક ઈન્દ્રિયજન્ય અનેક સમાન સવિકલ્પજ્ઞાનને યુગપત્ ઉત્પન્ન 'घटञ्चाहं કરવાનું સામર્થ્ય મનમાં નથી. છદ્મસ્થ જીવોને ઈન્દ્રિયજન્ય અને મનોજન્ય ‘યં ઘટ', જ્ઞાનામિ' આ પ્રમાણે અસમાન સવિકલ્પ બે જ્ઞાન (= વ્યવસાય જ્ઞાન અને અનુવ્યવસાય જ્ઞાન) એકીસાથે ઉત્પન્ન થવામાં કોઈ બાધ નથી. કારણ કે વ્યવસાયજ્ઞાન બાહ્યઈન્દ્રિયજન્ય છે તથા અનુવ્યવસાયજ્ઞાન મનોજન્ય છે. મતલબ કે તે બન્ને જ્ઞાન અસમાન હોવાથી એકીસાથે ઉત્પન્ન થઈ શકે છે’ આ પ્રમાણે સંમતિવ્યાખ્યાકારના આશયનું સ્પષ્ટીકરણ મહોપાધ્યાયજી મહારાજે સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથના ચોથા સ્તબકમાં કરેલ છે. મહોપાધ્યાયજી મહારાજે કરેલા સ્પષ્ટીકરણથી પણ એટલું તો સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે કેવલજ્ઞાનીને કેવલજ્ઞાનઉપયોગ અને કેવલદર્શનઉપયોગ યુગપત્ માનવામાં કોઈ બાધ નથી. કારણ કે તે બન્ને ઉપયોગ નિર્વિકલ્પ હોવાથી પ્રતિબધ્યકોટિમાંથી પ્રતિષેધકોટિમાંથી બહાર નીકળી જાય છે.
=
=
-
* [ ]]
* યુગપત્ કેવલજ્ઞાન-દર્શનનું સમર્થન
(નૃત્યસ્વ.) આમ ઉપરોક્ત રીતે તર્ક અને શ્વેતાંબર સંપ્રદાયના અનેક આગમ તથા આગમાનુસારી શાસ્ત્રોનું તાત્પર્ય વિચારતાં કેવલજ્ઞાનીમાં જ્ઞાન-દર્શન ઉપયોગદ્રયને એકીસાથે પ્રવર્તમાન માનવામાં અમને આગમબાધ કે યુક્તિબાધ સ્વરૂપ કોઈ પણ દોષ જણાતો નથી આ પ્રમાણે ફલિત થાય છે. તેથી
CUI