Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૧
० लोकोत्तरदृष्टान्तेन लोकोत्तरसिद्धान्तस्थापनम् । ૨૨૨૨ स्वपतः तिष्ठतः चलतो वा परमगुरुप्रणीतयथोक्तवस्तुस्वरूपाऽभ्युपगमस्य चेतसि सर्वदैव अविचलनात् सम्यग्दृष्टिः સર્વદા જ્ઞાની ” (જ્ઞાના.તર-રૂ/જ્ઞો.9૭) તિ ભવનીય
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'प्रतिवस्तु त्रिलक्षणमिति राद्धान्तो लोकोत्तरः । दुग्धव्रतादि-रा दृष्टान्तः लोकोत्तरः। लोकोत्तरोदाहरणेन लोकोत्तरसिद्धान्तसङ्गतिकरणे लोकोत्तरसिद्धान्तः सुदृढः .. सम्पद्यते । ततश्च लोकोत्तरोदाहरणतो लोकोत्तरसिद्धान्तसाङ्गत्यसम्भवे तेनैव तत् कार्यमिति ध्वन्यतेऽत्र । ततश्च सर्वथा तथाविधलोकोत्तरोदाहरणान्वेषणे तेन च लोकोत्तरसिद्धान्तसमर्थने यतितव्यम् । । इत्थं लोकोत्तरसिद्धान्तविशदीकरण-दृढीकरणतः सम्यग्दर्शनशुद्धिः सम्यग्ज्ञानसूक्ष्मता च सम्पद्यते । क ततश्च मोक्षमार्गानुसारी क्षयोपशमः बलिष्ठो भवति । तेन चात्मार्थी '“एगंतियं अच्चंतियं सिवमयलमक्खयं र्णि धुवं परमसासयं निरंतरं सव्वुत्तमसोक्खं” (म.नि.अध्य.३/पृ.६१) इति महानिशीथे दर्शितं सिद्धसुखं द्रुतम् ... ૩૫મતે IIS/3 જીવ જાગતો હોય, સૂતો હોય, ઊભો હોય કે ચાલતો હોય, તેના અંતઃકરણમાં પરમગુરુ પરમાત્માએ દર્શાવેલ પૂર્વોક્ત વસ્તુસ્વરૂપનો સ્વીકાર કાયમ જ અચલ હોય છે. તેથી સમકિતી સર્વદા જ્ઞાની જ હોય છે.” આ બાબતને વિજ્ઞ વાચકવર્ગે શાંતિથી વાગોળવી.
જે લોકોત્તર સિદ્ધાન્તને દૃઢ કરીએ આધ્યાત્મિક ઉપનય :- ‘પ્રત્યેક પદાર્થ ત્રિલક્ષણાત્મક છે' - આ સિદ્ધાન્ત લોકોત્તર છે. ઘટ-મુગટ -સુવર્ણના વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્યનું ઉદાહરણ લૌકિક છે. જ્યારે દૂધવ્રત, દહીંવ્રત વગેરેનું દૃષ્ટાંત લોકોત્તર દષ્ટાંત છે, શાસ્ત્રીય ઉદાહરણ છે. લોકોત્તર દષ્ટાંત દ્વારા લોકોત્તર સિદ્ધાન્તની સંગતિ કરવામાં આવે છે, તો લોકોત્તર સિદ્ધાન્ત વધુ દઢ બને છે. તેથી લોકોત્તર સિદ્ધાન્તની સંગતિ લોકોત્તર ઉદાહરણ દ્વારા તા થઈ શકતી હોય તો તે રીતે તેની સંગતિ કરવી જોઈએ” – આવી સૂચના ઉપરોક્ત શ્લોક દ્વારા મળે છે. તેથી અન્યવિધ લોકોત્તર સિદ્ધાન્તનું સમર્થન કરનારા એવા લોકોત્તર દષ્ટાંતની શોધ કરવા તથા એ તેના દ્વારા લોકોત્તર સિદ્ધાન્તનું સમર્થન કરવા આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ. આ રીતે લોકોત્તર સિદ્ધાન્તનું સ્પષ્ટીકરણ અને દઢીકરણ થવાથી સમ્યગ્દર્શનની શુદ્ધિ તથા સમ્યજ્ઞાનની સૂક્ષ્મતા થવા દ્વારા મોક્ષમાર્ગાનુસારી ક્ષયોપશમ વધુ બળવાન બને છે. તેના લીધે આત્માર્થી સાધક મહાનિશીથમાં જણાવેલ સિદ્ધ સુખને ઝડપથી મેળવે છે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધનું સુખ (૧) ઐકાન્તિક (અવસ્થંભાવી), (૨) આત્યન્તિક (પ્રચુર-પુષ્કળ), (૩) ઉપદ્રવશૂન્ય, (૪) અચલ, (૫) અક્ષય, (૬) ધ્રુવ, (૭) પરમ શાશ્વત, (૮) નિરંતર અને (૯) સર્વોત્તમ છે.” (લાલ)
1. ऐकान्तिकम् आत्यन्तिकं शिवमचलमक्षयं ध्रुवं परमशाश्वतं निरन्तरं सर्वोत्तमसौख्यम् ।।