Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ ક જેમ તે ભૂયો રે મૃગ દિશિ દિશિ ફરે, પિ૧ તે તે દુઃખદાયક છે. શુક્લ પક્ષના પ્રાતઃકાળમાં ચંદ્ર નાડી અને કૃષ્ણપક્ષને પ્રાતઃકાળમાં સૂર્ય નાડી સારી જાણવી. શુક્લપક્ષમાં અને કૃષ્ણપક્ષમાં ત્રણ દિવસ પડવે, બીજ અને ત્રીજ સુધી પ્રાતઃકાળમાં અનુક્રમે ચંદ્રનાડી અને સૂર્યનાડી શુભ જાણવી. અજવાળી પડવેથી માંડીને પહેલા ત્રણ દિવસ (ત્રીજ) સુધી ચંદ્રનાડીમાં વાયુતત્વ વહે, તે પછી ત્રણ દિવસ (ચેથ પાંચમ અને છઠ) સુધી સૂર્યનાડીમાં વાયુતત્તવ વહે, એ રીતે આગળ ચાલે તે શુભ જાણવું. પણ એથી ઉલટું એટલે પહેલા ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુતત્વ અને પાછલા ત્રણ દિવસમાં ચંદ્રનાડીમાં વાયુતત્વ એ પ્રમાણે ચાલે તે દુઃખદાયી જાણવું. ચંદ્રનાડીમાં વાયુતત્વ ચાલતાં છતાં જે સૂર્યને ઉદય થાય અને સૂર્યના અસ્તસમયે સૂર્યનાડી શુભ જાણવી તથા જે સૂર્યને ઉદયે સૂર્યનાડી વહેતી હોય અને અસ્તને સમયે ચંદ્રનાડી શુભ જાણવી.” વાર, સંક્રાંતિ ને ચંદ્રરાશિમાં રહેલ નાડીનું ફળ.
કેટલાકના મતે વારને અનુક્રમે સૂર્ય ચંદ્રનાડીના ઉદયને અનુસરી ફળ જણાવેલ છે તે આ રીતે – “રવિ, મંગલ, ગુરૂ અને શની આ ચાર વારને વિષે પ્રાતઃકાળમાં સૂર્યનાડી તથા સોમ, બુધ ને શુક તે ત્રણ વારને વિષે પ્રાતઃકાળમાં ચંદ્રનાડી હોય તે સારી,” કેટલાકના મતે સંક્રાંતિના અનુકમથી સૂર્ય ચંદ્રનાડીને ઉદય કહેલ છે. તે આ રીતે– મેષ સંક્રાંતિ વિષે પ્રાતઃકાળમાં સૂર્યનાડી અને વૃષભ સદ્ધતિને વિષે ચંદ્ર નાડી સારી ઈત્યાદિ.” કેટલાકને મતે