Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
એવભૂત તણા મત ભાખ્યા,
૪૫૦] [ા. વિ. લાગી. અને ટીટોડીની માફક આર્ક કરવા લાગી. વિદ્યાધર રાજાએ તેને કહ્યું “હે સુંદર સ્ત્રી! તું કેમ બીકથી ધ્રુજે છે? દિશાઓને વિષે નજર કેમ ફેકે છે? અને હે સુંદરી! આક્રંદ પણ કેમ કરે છે ? હુ કાઈ ખંદીખાનામાં રાખનારા કે પરસ્ત્રીલંપટ નથી, પણ ત્હારા દાસ થઈ ત્હારી પ્રાર્થના કરૂં છું. માટે મ્હારી સાથે પાણિગ્રહણ કર અને તમામ વિદ્યાધરોની તું સ્વામિની થા.” “અગ્નિની માફક બીજાને ઉપદ્રવ કરનારા કામાંધ લેકે દુષ્ટ અને અનિષ્ટ ચેષ્ટા કરીને પાણિગ્રહણ કરવા ઈચ્છે છે, એમને અતિશય ધિકાર થાઓ ! !” મનમાં એવા વિચાર કરનારી અÀાકમ જરીએ વિદ્યાધર રજાને કાંઈ પણ ઉત્તર આપ્યા નહી. અનિષ્ટ ચેષ્ટા પ્રકટ દેખાતી હોય તે પુરુષને કયા સત્પુરુષ મેઢે ના—હા ના જવાબ સરખા આપે ! માતા-પિતા તથા સ્વજનના વિરહથી હાલમાં એને નવુ‘ દુઃખ થયુ' છે, તથાપિ અનુક્રમે સુખેથી એ હારી ઈચ્છા ફળીભૂત કરશે,”મનમાં એવી આશાનાખીને વિદ્યાધર રાજએ શાસ્ત્રી જેમ પેાતાના શાસ્ત્રનું સ્મરણ કરે છે, તેમ પેાતાનુ સર્વાં કામ પરિપૂર્ણ કરનારી સુંદર વિદ્યાને સભારી તેનું સ્મરણ કર્યું. કન્યાનું સ્વરૂપ ગુપ્ત રાખવા માટે વિદ્યાના પ્રભાવથી તે વિદ્યાધર રાજાએ રાજકન્યાને નટની માફક એક તાપસ કુમારના સ્વરૂપમાં પ્રગટ કરી. જેનામાં બિલકુલ સત્ત્વ નથી, તથા બાળક જેવી બુદ્ધિવાળા એવા વિદ્યાધર રાજા કેટલીયવાર અશાકમ’જરીને મનાવતા હતા. મનાવતાં તેણે જે આદર સત્કારના વચન કહ્યાં, તે અશેાકમાંજરીને તિરસ્કારરૂપ લાગ્યાં. બીજા સારા ઉપચાર