Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પ૧૪] નવિ રહ્યો તુજ કિધુ ગુંજરે. સ્વામી (૧૨૩) [શ્રા. વિ. પૂવી, એક પશ્ચાનુપૂવી અને બાકી ૧૧૮ અનાનુપવીએ આવે છે. નવપદ આશ્રયી અનાનુપૂવી ૩૬ર૮૭૮. અનાનુપૂવી વગેરે ગણવાને વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યશ્રી જિનકીતિસૂરિકૃત સટીક પરમેષ્ટિ સ્તવથી જાણવું. આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર, વૈરી, શહ, મહારોગ વગેરેને શીધ્ર નાશ થાય છે. એનું આલેકમાં પ્રત્યક્ષ ફળ છે. પરલોકમાં એનું ફળ તે અનંત કર્મક્ષય છે. જે પાપકર્મની નિર્જરા છમાસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે, તેજ પાપની નિર્જરા નવકારની અનાનુપૂર્વે ગુણવાથી અર્ધ ક્ષણમાં થાય છે, શીલાંગરથ વગેરેના ગણવાથી પણ મનવચન-કાયાની એકાગ્રતા થાય છે, અને તેથી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે-ભંગિક શ્રત ગણનારે પુરુષ વિવિધ ધ્યાનમાં વતે છે. આ રીતે સ્વાધ્યાય કરવાથી ધર્મદાસની જેમ પોતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબેધાદિક ઘણા ગુણો થાય છે. ૬.૮૪ ધર્મદાસનું દૃષ્ટાંત ધર્મદાસ દરરેજ સાંજે દેવસીપ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતું હતું. તેને પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથી જ ઘણે ક્રોધી હતા. એકદા ધર્મદાસે પિતાના પિતાને કોઇને ત્યાગ કરવા માટે ઉપદેશ કર્યો. તેથી તે ઘણે ગુસ્સે થયે અને લાકડી લઈ દોડતા રાત્રે થાંભલા સાથે અથડાઈને મરણ પામ્યા અને દુષ્ટસર્પની એનિમાં ગયા. એકદા તે દુષ્ટસર્પ અંધકારમાં ધર્મદાસને કરડવા આવતા હતા, ત્યારે સ્વાધ્યાય કરતાં ધર્મદાસના મુખમાંથી ગાથા સાંભળી કે –