Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પ૭૬). પરજનની અનુવૃત્તિ, શ્રિા. વિપ્રાપ્તિ થયાની તેમને સેનાદેવીને) વધામણ આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણ સાથે ચારે તરફથી આવ્યા, અને તેથી ત્યાં સારે સુકાળ થયે. જે માટે તે ભગવાનના સંભવથી (જન્મથી) સવે ધાને સંભવ થયે, તે માટે માતા-પિતાએ તે ભગવાનનું સંભવ નામ આપ્યું.
દેવગિરિ (વર્તમાન દેલતાબાદ)માં જગસિંહ નામે શેઠ પિતાના જેવા સુખી કરેલા ત્રણ સાઠ વાણેતર પાસે હમેશાં બહોતેર હજાર ટંકને વ્યય કરી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતું હતું. આ રીતે દર વર્ષે તે શેઠનાં ત્રણ સાઠ સાધમિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળી આભૂનામા સંઘપતિએ ત્રણ સાધમી ભાઈઓને પિતાના સરખા કર્યા.
કહ્યું છે કે તે સુવર્ણ પર્વતને તથા રૂપાના પર્વતને શું ઉપગ? કારણ કે, જેને આશ્રય કરી રહેલાં કાષ્ઠનાં વૃક્ષો કાષ્ઠમય રહે છે, પણ સોના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણુ માન આપીએ છીએ; કેમકે, તેને આશ્રય કરી રહેલા આંબા, લીંબડા અને કુટજ નામનાં વૃક્ષો પણ ચંદનમય થાય છે. સારંગ નામના શ્રેષ્ઠીએ પંચપરમેષ્ઠી મંત્રને પાઠ કરનાર લોકોને પ્રવાહવડે દરેકને સુવર્ણના ટંક આપ્યા, એક ચારણને, બેલ એમ ફરી ફરી કહેવાથી તે નવ નવકાર બેલ્ય, ત્યારે તેણે નવ સોનિયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યને વિધિ કહ્યો છે. ૩. યાત્રાએ-શ્રાવકે દરવર્ષે જઘન્યથી એક પણ યાત્રા ખાસ કરવી. યાત્રાએ ત્રણ પ્રકારની છે. તે એ કે–૧ અઠ્ઠાઈ