Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૬૪] વિષય કષાયાદિકને ત્યાગે, [શ્રા. વિ. એ ક્ષણમાત્ર મનમાં ખેદ કરીને પાછે કુમાર વિચાર કરવા લાગ્યું કે, “વિષભક્ષણ કરવા જે આ ખેદ કરવાથી શું સારું પરિણામ નીપજવાનું? નાશ પામેલી વસ્તુની પ્રાપ્તિ કદાચ થાય તે તે ગ્ય ઉપાયની જનાથી જ થાય. ઉપાયની યોજના પણ ચિત્તની સ્થિરતા હોય તે જ સફળ થાય છે. નહીં તે થતી નથી. મંત્ર વગેરે પણ ચિત્તની સ્થિરતા વિના કોઈ કાળે પણ સિદ્ધ થતા નથી, માટે હું હવે એ નિર્ધાર કરું છું કે, “હારે પોપટ મને મળ્યા વિના હું પાછો વળું નહીં.” પિતાના કર્તવ્યને જાણ રત્નસાર કુમાર એ નિશ્ચય કરી પેટની ધમાં ભમવા લાગે. ચેર જે દિશાએ આકાશમાં ગયો, તે દિશાએ થાક વિના ઘણે દૂર સુધી કુમાર ગયે, પરંતુ ચારને કાંઈ પણ પત્તો લાગ્યું નહીં. ઠીક જ છે, આકાશ માર્ગો ગએલાને પત્તે જમીન ઉપર કયાંથી લાગે? હશે, તથાપિ “કોઈપણ ઠેકાણે કઈ રીતે પોપટને પત્તો લાગશે” મનમાં એવી આશા રાખી કુમારે તપાસ કરવામાં કંટાળે નહીં કર્યો. પુરુષોની પિતાના આશ્રિતને વિષે કેવી લાગણી હોય છે ? પિપટે મુસાફરીમાં સાથે રહી અવસરને ઉચિત મધુર સુભાષિત કહી કુમારને માથે જે ત્રણ ચઢાવ્યું હતું, તે ત્રણ પોપટની તપાસ કરતાં કલેશ સહન કરનાર કુમારે ઉતારી નાખ્યું. કુમારે આ રીતે પિોપટની શોધમાં ભમતાં એક આખો દિવસ ગાળ્યો. બીજે દિવસે આગળ સ્વર્ગ સમાન એક નગર તેના જેવામાં આવ્યું, તે નગર આકાશ સુધી ઊંચા સ્ફટિકમય દેદીપ્યમાન કેટવડે ચારે તરફથી