Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
તુજ વિણ ગતિ નહિ જંતુને,
૬. કૃ [૨૫૯ કે અજ્ઞાનથી કમ ક્ષય થાય તે મ ુક (દેડકા) ના ચૂર્ણ સરખા જાણવા. (જેમકાઈ દેડકો મરણ પામ્યા પછી સુકાઈ ગયેલા છતાં તેના કલેવરનુ ો ચૂણું કીધુ હાય તા તેમાંથી હજારા દેડકાં થઈ શકે છે. તે ચૂણુ પાણીમાં નાખ– વાથી હજારા દેડકાં તત્કાળ ઉત્પન્ન થઈ જાય છે. એટલે અજ્ઞાનથી ક ક્ષય થાય તેમાં ભવપરંપરા વધી જાય છે), અને સમ્યકૢજ્ઞાન સહિત ક્રિયા તા મ`ડુકનાચૂર્ણની રાખ સરખી છે (એટલે ભવની પરપરાની વૃદ્ધિ થઈ શકતી નથી)
જેટલાં કર્મ ઘણાં ક્રોડા વર્ષોં તપ કરવાથી અજ્ઞાની ખપાવે છે, એટલાં (ક) મન-વચન-કાયાની ગુપ્તિવાળા જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં ખપાવી દે છે. એટલા જ માટે તામિલ, પૂરણાદિક તાપસ વિગેરેને ઘણા તપ કરતાં છતાં પણ ઈશાનેન્દ્ર અને ચમરેન્દ્રપણારૂપ અલ્પ ફળની જ પ્રાપ્તિ થઈ. તેમજ શ્રદ્ધા વિના એકલા જ્ઞાનવાળા અંગારમકાચાય ની પેઠે સમ્યક્રિયાની પ્રવૃત્તિ થાય નહીં. કહ્યું છે કે જ્ઞાન રહિત પુરુષની ક્રિયા કરવાની શક્તિ, ક્રિયા વિનાના પુરુષનું જ્ઞાન અને મનમાં શ્રદ્ધા નથી એવા પુરુષની ક્રિયા અને જ્ઞાન, એ સ` નિષ્ફલ છે. અહિ ચાલનાની શક્તિ છે. પણ માના અજાણુ-આંધળાનુ, માના જાણુ છતાં ચાલવાની શક્તિ નહી પાંગળાનુ અને ચાલવાની શક્તિ છતાં ખાટે માગે ચાલનાર પુરુષનું, એમ ત્રણ દૃષ્ટાંત એક પછી એક જાણવા; કારણ કે, દૃષ્ટાન્તમાં કહેલ ત્રણે પુરુષો અંતરાય રહિત કેઈ ઠેકાણે જઈ શકતા નથી. તેમ જ્ઞાન, દર્શીન, ચારિત્ર, એ ત્રણના સથેાળ