Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૩૦] શ્રમણેાપાસક તે કહોછ, [શ્રા. વિ. નિમગ્ન થયેલી અશેકમ'જરી તરફ તરુણુ પુરુષો વિસ્તર રામરાજીવાળા થઈ અને તરુણુ સ્ત્રીએ મનમાં ઈર્ષ્યા આણી ક્ષણમાત્ર જોતાં હતાં, તેટલામાં દુર્ભાગ્યથી પ્રચંડ પવનના વેગવડે હિડાળા ત્રટ વટ શબ્દ કરી અકસ્માત્ ત્રુટી ગયા, અને તેની સાથે લેાકાના મનમાંના ક્રીડારસ પણ જતા રહ્યો. શરીરમાંની નાડી તૂટતાં જેમ લેાકેા આકુળ-વ્યાકુળ થાય છે, તેમ હિંડોળા તુટતાં જ સર્વે લોકે “આનું હવે શુ થશે ?” એમ કહી આકુળ-વ્યાકુળ થઇ હાહાકાર કરવા લાગ્યા. એટલામાં જાણે કૌતુકથી આકાશમાં ગમન કરતી ન હાય ! એવી તે અશાકમ જરી હિડાળા સહિત આકાશમાં વેગથી જતી વ્યાકુળ થએલા સર્વે લોકોના જોવામાં આવી. ત વખતે લોકેએ હાય હાય ! કાઈ યમ સરખા અદૃશ્ય પુરુષ અને હરણ કરી જાય છે ! !” એવા ઉચ્ચ સ્વરે ઘણા કોલાહલ કર્યાં. પ્રચંડ ધનુષ્યા અને ખાણુના સમુ દાયાને ધારણ કરનારા શત્રુને આગળ ટકવા ન દેનારા એવા શૂરવીર પુરુષો ઝડપથી ત્યાં આવી પાસે ઉભા રહી અશાક મંજરીનુ' હરણ ઊંચી દૃષ્ટિએ જોતા હતા; પરતુ તેઓ કાંઈ પણ કરી શકયા નહી. ઠીક જ છે, અદૃશ્ય અપરાધીને કાણુ શિક્ષા કરી શકે ? કનકધ્વજ રાજા કાનમાં શૂળ પેદા કરે એવું કન્યાનું હરણ સાંભળીને ક્ષણમાત્ર વાપ્રહાર થયાની માફક ઘણા દુઃખી થયા. “ હે વત્સે ! તુ' કયાં ગઈ ! તું મને કેમ પોતાનું દર્શન દેતી નથી ? હે શુદ્ધ મનવાળી ! પૂર્વના અતિશય પ્રેમ તે' છેડી દીધા કે શું?
''
,,
હાય હાય ! કનકવજ રાજા વિરહાતુર થઇ આ રીતે