Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ, કૃ] તે જિનપૂજા સાર, સુણે. (૧૨) [૪ર૯ નીકળે. પાલખીમાં સુખે બેઠેલી સખીઓના પરિવારથી બન્ને રાજકન્યાઓ, વિમાનમાં બેઠેલી અને દેવીઓના પરિવારથી શોભતી એવી લક્ષ્મી અને સરસ્વતી માફક
ભવા લાગી. શેકને સમૂળ નાશ કરનારાં ઘણાં અશકવૃક્ષે જેમાં સર્વત્ર વ્યાપી રહ્યાં છે, એવા અશોકવન નામના ઉદ્યાનમાં તે રાજકન્યાઓ આવી પહોંચી. અંદર કીકી સરખા ભ્રમર હોવાથી નેત્ર સમાન દેખાતાં પુષ્પની સાથે જાણે પ્રીતિથી જ કે શું ! પિતાનાં નેત્રને મેળાપ કરનારી રાજકન્યાઓ ઉદ્યાનમાં જવા લાગી. યૌવનદશામાં આવેલી અશકમંજરી કીડા કરનાર સ્ત્રીના ચિત્તને ઉસુક કરનારી, રક્ત અશોકવૃક્ષની શાખાઓ મજબૂત બાંધેલા હિંડોળા ઉપર ચઢી. અશકમંજરી ઉપર દઢ પ્રેમ રાખનારી સુંદર તિલકમંજરીએ પ્રથમ હિંડોળાને હિંચકા નાખ્યા. સ્ત્રીના વશમાં પટેલે ભર્તાર જેમ સ્ત્રીના પાદપ્રહારથી હર્ષ પામી શરીરે વિકસ્વર થયેલા માંચ ધારણ કરે છે, તેમ અશકમંજરીના પાદપ્રહારથી સંતુષ્ટ થએલે અશોકવૃક્ષ વિકસ્વર પુના મિષથી પિતાની મરજી વિકસ્વર કરવા લાગ્યું કે શું ! એમ લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે હિંડોળા ઉપર બેસી હીંચકા ખાનારી અશકમંજરી તરુણ પુરુષોના મનમાં નાનાવિધ વિકાર ઉત્પન્ન કરી તેમનાં મનને અને નેત્રને પણ હિંડોળે ચઢયાં હોય તેમ હીંચકા ખવરાવવા લાગી. તે વખતે રણઝણ શબ્દ કરનારા અશકમંજરીનાં રત્નજડિત મેખલા આદિ આભૂષણે જાણે પિતે તુટી જશે એવા ભયથી જાણે રુદન કરવા લાગ્યાં કે શું ! એમ લાગ્યું. કીડારસમાં