Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિ, કૃ] મુનિજનનાં ગુણ સાંભળી, [૨૮૯ દ્રવ્યશુદિ–તેમાં દ્રવ્યશુધિ તે પંદર કર્માદાન આદિનું કારણ એવું કરિયાણું સર્વથા વવું. કહ્યું છે કે-ધર્મને પીડા કરનારૂં તથા લેકમાં અપયશ ઉત્પન્ન કરનારૂં કરિયાણું ઘણે લાભ થતું હોય, તે પણ પુણ્યાથી લોકેએ કદિ ન લેવું કે ન રાખવું. તૈયાર થએલાં વસ, સૂતર, નાણું, સુવર્ણ, રૂપું વિગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે.
વ્યાપારમાં જેમ આરંભ એ થાય, તેમ હંમેશાં ચાલવું. દુર્ભિક્ષ આવ્યું છતે બીજી કોઈ રીતે નિર્વાહ ન થતું હોય તે, ઘણા આરંભથી થાય એ વ્યાપાર તથા ખરકમ વગેરે પણ કરે. તથાપિ ખરકમ વગેરે કરવાની ઈચ્છા મનમાં ન રાખવી. તે પ્રસંગ આવ્યે કરવું પડે તે પિતાના આત્માની અને ગુરુની સાખે તેની નિંદા કરવી. તથા મનમાં લજજા રાખીને જ તેવાં કાર્ય કરવાં. સિદધાંતમાં ભાવશ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે–સુશ્રાવક તીવ્ર આરંભ વજે અને તે વિના નિર્વાહ ન થતો હોય તે મનમાં તેવા આરંભની ઈચ્છા ન રાખતાં કેવળ નિર્વાહને અથે જ તીવ્ર આરંભ કરે; પણ આરંભ–પરિગ્રહ રહિત એવા ધન્યવાદને લાયક જીવોની સ્તુતિ કરવી, તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખવો. જે મનથી પણ કેઈ જીવને પીડા ઉપજાવતા. નથી અને જે આરંભનાં પાપથી વિરતિ પામેલા છે એવા ધન્ય મહામુનિઓ ત્રણકેટિએ શુદ્ધ આહાર ગ્રહણ કરે છે. કેવા માલનો વ્યાપાર ન કરવો ?–નહીં દીઠેલું તથા નહીં પારખેલું કરિયાણું ગ્રહણ ન કરવું. તથા જેને વિષે લાભ થાય કે ન થાય? એવી શંકા હેય; અથવા જેમાં
શ્રા. ૧૯