Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] તે તેહથી શુભ ભાવ લહીને, [૩૨૫ યથાસ્થિત થાય છે. આ ગુણ પિતાના ગામમાં જ વ્યાપાર વગેરે કરવામાં છે. પિતાના ગામમાં નિર્વાહ ન થતું હોય તે પિતાના દેશમાં વ્યાપાર વગેરે કરે, પણ પરદેશે ન જવું. પિતાના દેશમાં વ્યાપાર કરવાથી શીઘ્ર તથા વારેવારે પિતાને ગામે જવાય છે, તથા ઘરનાં કામે વગેરે પણ જોવાય છે. કેણ દરિદ્રી માણસ પોતાના ગામમાં અથવા દેશમાં નિર્વાહ થવાને સંભવ છતાં પરદેશ જવાને કલેશ માથે લે? કહ્યું છે–હે અર્જુન! દરિદ્રી, રેગી, મૂર્ખ, મુસાફર અને નિત્ય સેવા કરનારો એ પાંચ જણ જીવતા છતાં પણ મરણ પામ્યા જેવા છે. પરદેશે શુભશુકને અને ભાગ્યશાળી સાથે જવું– હવે જે પરદેશ ગયા વિના નિર્વાહ ન ચાલતું હોય, તેથી પરદેશમાં વ્યાપાર કરે પડે તે પોતે વ્યાપાર ન કરે, તથા પુત્રાદિક પાસે પણ ન કરાવ; પરંતુ સમ્યક્ પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વાસપાત્ર થએલા મુનિ પાસે વ્યાપાર ચલાવ. જે કોઈ સમયે પિતાને પરદેશ જવું પડે તે શુભદિને સારૂં મુહૂર્ત, સારા શુકન આદિ જેઈ તથા ગુરુને વંદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરુષોની સાથે જ જવું, અને સાથે પિતાની જ્ઞાતિના કેટલાએક ઓળખીતા લોકે પણ લેવા તથા માર્ગમાં નિશદિ પ્રમાદ લેશમાત્ર પણ કરે નહિ. પણ ઘણું યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરે પડે અથવા રહેવું પડે તે પણ આ રીતે જ કરવું, કારણ કે, એક ભાગ્યશાળી સાથે હોય તે સર્વ લેકેનું વિઘ ટળે છે. આ ઉપર કથા ૬૬ એકવીસમાણસો ભાસામાં