Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૬]
રિયાભ મુરરાય
[શ્રા. વિ.
મીરાં સુંદર નારગી, સર્વોત્કૃષ્ટ દામા, પાકાં સાકર નિમ્મૂ, જામૂડા, ખેર, ગ્ ́ાં, પીલુ, *ણુસ, શીગાડાં, સકરટેટી ચીભડાં, પાકાં તથા કાચાં એવા જુદાં જુદાં વાલુક વગેરે ફળા, કમળપત્રના દડાથી પીવાય એવાં દ્રાખ વગેરેનાં સરસ શરખતા, નાળિયેરનું તથા સ્વચ્છ સરેવરનુ' જળ, શાને ઠેકાણે કાચાં આમ્ટવેતસ, આમલી, નિભૂ વિગેરે; સ્વાદિમને ઠેકાણે કાંઈક લીલી તથા કાંઈક સૂકી હારબંધ સાપારીઓ, પહેાળા અને નિમાઁળ પાન, એલચી, લવિંગ, લખતીફળ, જાયફળ વગેરે, તથા ભાગ સુખને અર્થે શતપત્ર અકુલ, ચપક, કેતકી, માલતી, મોગરા, કુદ, સચકુદ, ઘણા જ સુગંધી જાતજાતના કમળા, હર્ષી ઉત્પન્ન કરનાર ડમરો આદિ પુષ્પો તથા પત્રા; તેમજ કપૂવૃક્ષથી ઉત્પન્ન થએલાં કપૂરનાં રજકણ અને જેટલી મળી તેટલી કસ્તુરી, વગેરે તાપસકુમારે ઉપર કહેલી સવ* ઉત્તમ વસ્તુઓ ખાખર ગોઠવીને રત્નસારકુમારની આગળ મૂકી. એટલી મધી વસ્તુઓ મૂકવાનું કારણ એમ છે કે, તે અટવીમાં સર્વ ઋતુના ફળ-ફૂલ હમેશાં સુખે મળતાં હતાં. તથા પ્રત્યેક માણસના મનની રુચિ ભિન્ન ભિન્ન હાય છે, માટે વિસ્તારથી સર્વ વસ્તુ તાપસકુમારે મૂકી. પછી મ્હોટા મનને ધારણ કરનારા રત્નસાર કુમારે કરેલી ભક્તિની રચના અંગીકાર કરવાને માટે તે સર્વ વસ્તુઓ ઉપર ઘણા આદ રથી એક વાર નજર ફેરવી, અને જાણે પૂર્વે કોઈ વખતે ભક્ષણ કરી જ ન હેાય ! એવી તે સવ વસ્તુઓ ઉપયાગમાં આવી તે રીતે થોડી થોડી ભક્ષણ કરી. દાતાર પુરુષની