Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૮૬ નવિ પતિએ ભવ કુ. શ્રી (૧૧) [શ્રા. વિ. હોય તે તેમાં ખારપદાર્થ નાખી રાખવો. કે જેથી તે સચિત્ત થઈ શકે નહીં.” છે કેઈપણ બાહ્ય શસ્ત્ર લાગ્યા વિના સ્વભાવથીજ અચિત્ત જળ છે એમ જે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, કે શ્રુતજ્ઞાની પિતાને જાણપણાથી જાણતા હોય તે પણ તે અવ્યવસ્થા–પ્રસંગના (મર્યાદા ટૂટવાના) ભયથી વાપરતા નથી, તેમ બીજા કેઈને પણ વાપરવાની આજ્ઞા આપતા નથી.
વળી સંભળાય છે કે, ભગવાન વર્ધમાનસ્વામીએ આ દ્રહ સ્વભાવથી અચિન જળથી ભરેલ છે અને વળી, સેવાળ કે મત્સ્ય, કચ્છપાદિક ત્રસ જીવથી પણ રહિત છે.” એમ કેવલજ્ઞાનથી જાણવા છતાં પણ પિતાના કેટલા શિષ્ય તૃષા પીડિત થયેલા પ્રાણસંશયમાં હતા, તો પણ તે વાપરવાની આજ્ઞા ન આપી. એમજ કઈક વખતે શિવે ભૂખની પીડાથી પીડિત થયા હતા તે વખતે અચિત્ત (તલનાં ગાડાં) નજીક છતાં પણ અનવસ્થાદેષરક્ષા-મર્યાદા સાચવવા માટે તેમજ શ્રતજ્ઞાનનું પ્રામાણિકપણું બતાવવા માટે પ્રભુએ તે વાપરવાની આજ્ઞા ન આપી.
જેમકે, પૂર્વધર વિના સામાન્ય જ્ઞાની બાહ્યશસ્ત્રના સ્પર્શ થયા વિના પાણી પ્રમુખ અચિત્ત થયું છે એમ જાણી શકતા નથી. એટલાજ માટે બાહ્યશાસ્ત્રના પ્રયોગથી વર્ણ, ગંધ રસ, સ્પર્શ પરિણામાંતર પામ્યા પછી પાણી પ્રમુખ અચિત્ત થયા પછી જ વાપરવાં.
વળી કોરડું મગ, હરડેના ઠળિયા વગેરે જોકે નિર્જીવ છે તે પણ તેની નિ નષ્ટ થઈ નથી. તેને રાખવા માટે