Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. ક. એમ હૃદયમાં ચેતે ને શુ. (૩૮) [૧૫૩ ૯ અક્ષત, ૧૦ પત્ર, ૧૧ સોપારી, ૧૨ નૈવેદ્ય, ૧૩ જળ, ૧૪ વસ્ત્ર, ૧૫ ચામર, ૧૬ છત્ર, ૧૭ વાજિંત્ર, ૧૮ ગીત, ૧૯ નાટક, ૨૦ સ્તુતિ, ૨૧ ભંડારની વૃદ્ધિ, આ એકવીસ ઉપચારથી એકવીસ પ્રકારની પૂજા થાય છે. “સર્વે દેવ ભગવાનની એકવીસ પ્રકારની પ્રસિદ્ધ પૂજા હમેશાં કરે છે, પરંતુ કલિકાળના દોષથી હાલ કેટલાક કુમતિ (સ્થા નિક્ષેપો નહિ માનનારા) જીવેએ ખંડિત કરી છે. આ પૂજામાં પિતાને જે જે વસ્તુ પ્રિય હોય, તે તે વસ્તુ ભગવાનને અર્પણ કરી પૂજામાં જોડવી.” વિવેક વિલાસમાં દેવમંદિરનું સ્થાન, પૂજા કરવાની રીતિ તથા ફૂલ પૂજાને અધિકાર
ઈશાન કે દેવમંદિર કરવું.” એમ વિવેકવિલા સમાં કહ્યું છે. તેમજ “વિષમ આસને બેસી, પગ ઉપર ચઢાવી, ઉભા પગે બેસી, અથવા ડાબે પગ ઊંચે રાખી પૂજા કરવી નહિં, તથા ડાબે હાથે પણ પૂજા ન કરવી. સૂકા, ભૂમિ ઉપર પડેલા, સડેલી પાંખડીવાળા, નીચ લોકોએ અડેલા ખરાબ અને નહિ ખીલેલાં, કીડીથી ખવાયેલાં, વાળથી ભરાયેલાં, સડેલાં, વાસી, કરોળિયાનાં ઘરવાળાં, દુધી, સુગંધરહિત, ખાટાગધનાં, લઘુ-વડી નીતિ કરતા પાસે રાખેલા ખરાબ ભૂમિમાંઉગેલા એવા ફૂલ પૂજામાં લેવા નહિ.” વિસ્તૃત સ્નાત્ર પૂજા
સવિસ્તાર પૂજા કરવાને અવસરે, પ્રતિદિવસ તથા પર્વ દિવસે ત્રણ, પાંચ અથવા સાત પુષ્પાંજલિ ચઢાવીને ભગવાનનું સ્નાત્ર કરવું. તેને વિધિ આ પ્રમાણે છેઃ–પ્રભાતે પ્રથમ
મારા ખરાબ અસર, સડેલી પણ પૂજ.