Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પર જ તુને દેતે! 1
[૧૫૧
દ્વિ ] મુખ કરીને ભગવાનની પૂજા કરવી. ઘરમાં પેસતાં શય વર્જિત ડાખે ભાગે દોઢ હાથ ઉંચી ભૂમિ ઉપર ઘરદેરાસર કરવું. જો નીચી ભૂમિએ દેરાસર કરે તે તેને વશ એક સરખા નીચે ાય છે, અર્થાત્ ધીમે ધીમે નાશ પામે છે. પૂજા કરનાર માણસે પુર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી પૂજા કરવી. પણ દક્ષિણ દિશાએ તથા ચાર કાણુ દિશાએ મુખ કરીને ન કરવી. જો પશ્ચિમ દિશાએ મુખ કરીને ભગવાનની પૂજા કરે, તે તે માણસની ચાથી પેઢીએ તેને કુલક્ષય થાય. અને દક્ષિણ દિશાએ મુખ કરીને પુજા કરે તે માણસની આગળ સતતિ વૃદ્ધિ પામે નહિ, અગ્નિ કણુ તરફ મુખ કરીને પૂજા કરે તે તેની દિવસે દિવસે ધન હાનિ થાય, વાયવ્ય કોણ તરફ મુખ કરીને પૂજા કરે તે સંતિત ન થાય, નૈઋત્ય કોણ તરફ મુખ કરે તેા કુળ ક્ષય થાય, અને ઈશાન કેણુ તરફ મુખ કરે તે એક સ્થાને સુખ ઠરીને બેસી શકે નહિ. પ્રતિમાના બે પગ, બે ઢીચણુ, બે હાથ એ ખભા અને મસ્તક એ નવે અંગની અનુક્રમે પૂજા કરવી, ચ’જૈન વિના કોઈ પણ કાળે પૂજા ન કરવી. કપાળ, કઠ, હૃદય, ખભા અને નાભિ એટલે ઠેકાણે તિલક કરવાં. નવ તિલકથી (૧ એ અ‘ગુઠા, ર બે ઢીંચણ, ૩ એ હાથ, ૪ એ ખભા, બે મસ્તક, ૬ કપાળ, ૭ કઠ, ૮ હૃદયકમળ, ૯ નાભિ.) એમ નવ અંગે હમેશાં પૂજા કરવી. જાણ્ પુરુષાએ પ્રભાત કાળમાં પ્રથમ વાસપૂજા કરવી, મધ્યાહ્ન સમયે ફૂલથી પૂજા કરવી, અને સ ́યા સમયે ધૂપ દીપથી પૂર્જા કરવી. ધૂપધાણુ ભગવાનના ડાબે પડખે રાખવુ, અગ્રપૂજમાં ધરાય