Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૯૨] ફેક તેમ જ્ઞાનવિણ પરદયા, ાિ . વિ. વિહાર કર્યો. સાધુના કલ્પને અનુસરી વિહાર કરતાં અને દુખથી આચરાય એવી તપસ્યા આચરતાં તે ચિત્રગતિ મુનિરાજને અવધિજ્ઞાન અને તેની પછવાડે તેની સ્પર્ધાથી જ કે શું! મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું.
(ચિત્રગતિ ચારણ મુનિ રાજા પ્રત્યે કહે છે કે તે હું જ્ઞાનથી લાભ થાય એમ જાણીને તમારે મોડુ દૂર કરવા માટે અહિ આવ્યું. હવે બાકીને સમગ્ર સંબંધ કહું છું. વસુમિત્રને જીવ દેવકથી ચ્યવીને તું પૃપ રાજા થ, અને સુમિત્રને જીવ ચવીને હારી પ્રીતિમતી નામે રાણી થઈ. એ રીતે તમારી બંનેની પ્રીતિ પૂર્વભવથી દઢ થયેલી છે. પિતાનું ઉત્કૃષ્ટ શ્રાવકપણું જણાવવા કઈ કઈ કોઈ વખત સુમિત્રે કપટ કર્યું, તેથી તે સ્ત્રીપણું પામે. ખેદની વાત છે કે, સમજુ મનુષ્ય પણ પિતાનું હિત અને અહિત જાણવામાં મુંઝાઈ જાય છે. મહારા પહેલાં “મહારા. હાના ભાઈને પુત્ર ન થાઓ.” એમ ચિંતવ્યું, તેથી આ ઘણા વખત પછી પુત્ર થયે. એક વાર કેઈનું ખોટું ધાર્યું હેય તે પણ તે પિતાને ઘણું જ આકરૂં ફળ આપે છે.
ધન્યના જીવે દેવતાના ભવમાં એક દિવસે સુવિધિ જિનેશ્વરને પૂછયું કે, “હું અહિંથી અવીને ક્યાં ઉત્પન્ન થઈશ?” ત્યારે તે ભગવાને તમારા બન્નેના પુત્ર થવાની વાત ધન્યના જીવને કહી. પછી ધન્યના જીવે વિચાર કર્યો કે, “માતા પિતા ધર્મ પામ્યા ન હોય, તે પુત્રને ધર્મની સામગ્રી ક્યાંથી મળે? મૂળ કૂવામાં જે પાણી હોય, તે જ પાસેના હવાડામાં સહજથી મળી આવે.” એમ વિચારી