Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
કિરિયા ઉથાપી કરી, [૨૧૧ લાવી પ્રથમ બીજા સાધુઓને દેખાડી પછી ગુરૂને દેખાડે.
આહારપાણની નિમંત્રણ પ્રથમ બીજા સાધુઓને કરી પછી ગુરૂને કરે. ૧૭ ગુરૂને પૂછ્યા વિના સ્વેચ્છાએ સ્નિગ્ધ, મધુર આહાર બીજા સાધુને આપે. ૧૦ ગુરૂને નિરસ આપી સ્નિગ્ધાદિક આહાર પોતે વાપરે. ૧૯ ગુરૂનું બેલ્યું, સાંભળ્યું અણસાંભળ્યું કરી જવાબ ન આપે. ૨° ગુરૂના સામે કર્કશ કે ઉચ્ચ સ્વરથી બોલે. ૨૧ ગુરૂએ બલા છે આસને બેઠાં ઉત્તર આપે. ૨૨ ગુરૂએ કંઈ કામ સાટે
લાવ્યા છતાં શું કહે છે? શું છે? એમ કહે. ૨૩ ગુરૂજી કામનું કંઈ કહે તે બોલે તમે જ કરેને? ૨૪ ગુરૂનું વ્યાખ્યાન સાંભળીને રાજી ન થતાં ખેદ પામે. ગુરૂ કંઈક કહેતા હોય તે વચ્ચે બોલવા લાગી જાય કે એમ નથી, હું કહું છું તેમ છે, એમ કહી ગુરૂ કરતાં અધિક બેલવા માંડે. ૨૬ ગુરૂ કથા કહેતા હોય તેમાં ભંગાણ પાડીને પિતે વાત કહેવા મંડી જાય. ર૭ ગુરૂની પર્ષદા તેડી નાંખે, જેમકે ગોચરી કે પડિલેહણ વેળા થઈ છે. ૨૮ ગુરૂએ કથા કહ્યા પછી સભા બરખાસ્ત થઈ હોય ત્યારે પોતાનું ડહાપણ જણાવવા માટે તે, તે કથા વિસ્તારથી કરે. ૨૯ ગુરૂની શય્યા (આસન) ને પગ લગાડે. ગુરૂના સંથારાને પગ લગાડે. ૩૧ ગુરૂના આસન ઉપર બેસે ૩૨ ગુરૂથી ઊંચા આસને બેસે. ૩૩ ગુરૂથી સરખે આસને બેસે. આવશ્યચૂર્ણમાં તે “ગુરૂ કહેતા હોય તે સાંભળી વચમાં જ પિતે બોલે કે હા એમ છે.” તે પણ આશાતના થાય. ગુરૂની જઘન્યાદિ ત્રિવિધ આશાતના-૧ ગુરૂને