Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
[૪૯
શુદ્ધ નય અ મન ધારીએ. (૩૭) ભણાવવી. તેમાં ફૂલ, ચોખા, ગંધ, ધૂપ અને દીપ એ પાંચ વસ્તુથી પોંચ પ્રકારી પૂજા ભણાવવી. ફૂલ, ચેાખા, ગંધ, દીપ, ધૂપ, નવેદ્ય, ફળ અને જળ એ આઠ વસ્તુથી આઠ કમના ક્ષય કરનારી અષ્ટપ્રકારી પૂજા થાય છે, સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભૂષણ, ફળ, નવેદ્ય, દીપ, નાટક, ગીત, આરતી પ્રમુખ ઉપચારથી સ પ્રકારી પૂજા થાય છે.’ આ ઉપરાંત પૂજાના ત્રણ પ્રકાર જણાવ્યા છે, ફળ, ફૂલ આદિ પૂજાની સામગ્રી પાતે લાવે તે પ્રથમ પ્રકાર, બીજા પાસે પૂજાના ઉપકરણ તૈયાર કરાવવા તે બીજે પ્રકાર અને મનમાં સર્વ સામગ્રીની મંગાવવાની કલ્પના કરવી એ ત્રીજે પ્રકાર. એવી રીતે મન વચન કાયાના યાગથી તથા કરણ, કરાવવા, અનુમેાદનાથી પણ પૂજાના ત્રણ પ્રકાર ઘટે છે. તેમજ પુષ્પ, નવેદ્ય. સ્તુતિ અને પ્રતિપત્તિ (ભગવાનની આજ્ઞા પાળવી) એવી રીતે ચાર પ્રકારની પૂજા છે. તે પણ ચથાશક્તિ કરવી. લલિતવિસ્તરાદિક ગ્રંથોમાં તે પુષ્પ પૂજા, આમિષ-નૈવેદ્ય પૂજા, સ્નાત્રપૂજા અને પ્રતિપત્તિ પૂજા એ ચારે પૂજામાં ઉત્તરાત્તર એક કરતાં એક પૂજા શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. આમિષ શબ્દથી શ્રેષ્ઠ અશનાર્દિક ભાગ્ય વસ્તુ જ લેવી. (ગૌડકાષમાં કહ્યું છે કે— રત્નોને પહલે ન સ્ત્રી, સામિત્ર મોયવસ્તુની એને અથ લિગ નદ્ઘિ એવા આમિષ શબ્દના લાંચ, માંસ અને ભાગ્ય વસ્તુ એવા ત્રણ અથ થાય છે.) પ્રતિપત્તિ શબ્દને અથ તીર્થંકર ભગવાનની આજ્ઞા સર્વ પ્રકારે પાળવી’ એમ કરવા. આ રીતે આગામમાં પુજાના ચાર પ્રકાર જણાવ્યા
દ. કૃ]