Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ ] ત્રીજે અધ્યયને કહ્યું,
[૧૨૯ એ પાંચે અંગે તથા હદયે તિલક કરે તે છ અંગે એમ સર્વાગે પૂજા કરીને તાજા વિકસ્વર પુષ્પથી સુગધીવાલા વાસથી પ્રભુની પૂજા કરે.” પહેલાંની કરેલી પ્રજાકેઆંગી ઉતારી પૂજા થાયકેનહી?
જે કઈ કે પહેલાં પૂજા કીધેલી હોય કે આંગીની રચના કીધેલી હોય અને તેવી પૂજા કે આંગી બની શકે એવી પૂજાની સામગ્રી પોતાની પાસે ન હોય તે તે આંગીના દર્શનનો લાભ લેવાથી ઉત્પન્ન થતા પુણ્યાનુબંધી પુણ્યમાં અંતરાય થવાના કારણે તે પૂર્વની આંગી ઉતારે નહીં. પણ તે આંગી પૂજાની વિશેષ શેભા બની શકે એમ હેય તે પૂર્વ પૂજા ઉપર વિશેષ રચના કરે પણ પૂર્વ પૂજા વિચ્છિન્ન કરે નહીં. જે માટે બૃહદ્ ભાષ્યમાં કહેવું છે કે –
હવે કઈ ભવ્યજીવે ઘણે દ્રવ્ય-વ્યય કરી દેવાધિદેવની પૂજા કરેલી હોય તો તેજ પૂજાને વિશેષ શેભા થાય તેમ જે હેય તેતેમ કરે.” અહિંયા કેઈ એમ શંકા કરે કે પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તે પૂર્વની આંગી નિર્માલ્ય થઈ તેને ઉત્તર આપતાં બતાવે છે કે –
નિર્માલ્યના લક્ષણો અહિયા અભાવ હોવાથી પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે છે તે નિર્માલ્ય ન ગણાય? પરંતુ જે દ્રવ્ય પૂજા કીધા પછી વિનાશ પામ્યું, પૂજા કરવા ગ્ય ન રહ્યું તે નિર્માલ્ય ગણાય છે, એમ સૂત્રના અર્થને જાણનારા ગીતાર્થો કહે છે.”
જેમ એક દિવસે ચડાવેલાં વસ્ત્ર, આભૂષણદિકકુંડળ જોડી તેમજ કડાં વિગેરે બીજે દિવસે પણ ફરીથી
શ્રા. ૯