Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિ. ક] આતમતત્વ વિચારીએ (૨૨) હિ ઢોકળાં, થુલી, બાંટ, કણક, આટે, એક જાતિના ધાન્યનાં હોય છતાં પણ જુદા જુદા સ્વાદ અને નામ લેવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે. વળી ફલા, ફલીકા, એવા નામ એક છે પણ સ્વાદની ભિન્નતાથી કે પરિણમાંતર થવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે. એમ દ્રવ્ય ગણવાની રીતિ નિયમ લેનારના અભિપ્રાય તથા સંપ્રદાયના પ્રસંગથી ભિન્ન ભિન્ન હોય છે તે ગુરુ-પરંપરાથી જાણું લેવી. ધાતુની સળી તથા હાથની આંગલી દ્રવ્યમાં ગણાતાં નથી. એ દ્રવ્યમાંથી એક બે ચાર જે વાપરવાં હોય તેની છૂટ રાખી બીજા બધાને ત્યાગ કર.
૩ વિગઈ (વિગત)–વિગઈઓ ખાવા ગ્ય છે પ્રકારની છે. ૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી, ૪ તેલ, ૨ ગોળ, ૬, કડા વિગય (એ છ પ્રકારની વિગઈમાંથી જે જે વિગઈ વાપરવી હોય તે છૂટી રાખી બીજીને ત્યાગ કરે.
૪ ઉવાહ (ઉપનહ) પગમાં પહેરવાના જેડા વિ. તથા કપડાનાં મેજા, કાષ્ઠની પાવડી તે ઘણુ જીવની વિરાધના થવાના ભયથી શ્રાવકને પહેરવી જ એગ્ય નથી.
૫ બોલ (તાંબૂલ) પાન સેપારી ખેરસાર કે કાશે વિગેરે સ્વાદય વસ્તુઓને નિયમ કરે.
૬ વત્થ (વસ્ત્ર)–પાંચે અંગે પહેરવાના વેષ-વસ્ત્રનું પરિમાણ કરવું, ઉપરાંતને ત્યાગ કરે. એમાં રાત્રે પતી કે બેતીઉં અને રાત્રિને પહેરવાનાં વસ્ત્રાદિ ગણાતાં નથી.
૭ કુસુમ–અનેક જાતિનાં ફૂલ સુંઘવાને, માળા, પોલિને કે મસ્તકે ઘાલવ, કે શય્યામાં રાખવા