________________
કેશી શ્રમણ પ્રત્યુત્તર આપે છે, “દીવા ઉપર નાનું મોટું જેવડું પાત્ર ઢાંકીએ તેટલામાં તે પ્રકાશ સમાય છે, તેમ આત્મપ્રદેશોમાં સંકોચ-વિસ્તાર થવાથી તે નાનું – મોટું જેવું શરીર મળે તેમાં સમાઈ જાય છે.”
કેશી શ્રમણના યુક્તિસંગત દૃષ્ટાંતોથી પરદેશી રાજા જીવાદિ તત્ત્વ પ્રત્યે શ્રદ્ધાવાન બન્યા, તેમના સદ્ ઉપદેશથી શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યો અને પોતાના અવિનય માટે ક્ષમાયાચના કરી.
હવે પરદેશી રાજાને વૃત્તિઓનું પરિવર્તન થઈ જતાં, ધર્મને આચરણમાં મૂકી. પોતાની સર્વ સંપત્તિના ચાર ભાગ કરી, ચોથો ભાગ દાનધર્મ માટે ફાળવ્યો. આ રીતે નવ પુણ્યોમાં પ્રથમ પુણ્ય એવા અન્નદાન માટે દાનશાળા ખોલાવીને ગૃહસ્થ ધર્મના કર્તવ્યનું પાલન કર્યું. સાથે જ તેઓ પૌષધ આદિની સાધનામાં લયલીન બની ગયા. જેથી તેમની વિષયવાસના કે એશઆરામની વૃત્તિઓ સર્વથા સમાપ્ત થઈ ગઈ. પરદેશી રાજા તરફથી ભોગપૂર્તિ ન થતાં રાણી અકળાવા લાગી. તેના ફળસ્વરૂપે તેણીએ રાજાને ભોજનમાં વિષ આપી દીધું.
રાજાના શરીરમાં વેદના થતાં તેને રાણીના કાવતરાનો ખ્યાલ આવી ગયો પણ સમતાની સાધનામાં પુષ્ટ બની ગયેલા રાજાને રાણી પ્રત્યે લેશમાત્ર દ્વેષભાવ જન્મ્યો નહીં. જીવનનો અંત સમય સમીપ આવેલો જાણી રાજાએ અનશનવ્રત ગ્રહણ કરી લીધું. આત્મભાવમાં સ્થિત બની સમાધિભાવે દેહત્યાગ કરી, પરદેશી રાજા સૂર્યાભદેવ રૂપે ઉત્પન્ન થયા.
સૂર્યાભદેવ ચાર પલ્યોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞા નામે મનુષ્યરૂપે જન્મ લઈ સંયમ સ્વીકારી સમાધિમરણે આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ, બદ્ધ મુક્ત થશે.
કેશીકુમાર શ્રમણે પરદેશી રાજાને કહ્યું: સિદ્ધાંત છે કે જીવ અને શરીર એકરૂપ નથી. જીવ નિત્ય અને શાશ્વત છે. જીવમાં અગુરુલઘુ નામનો ગુણ છે. જીવ અરૂપી છે તેથી તે હળવો નથી અને ભારે પણ નથી.
છાસ્થ જીવ દશ સ્થાનને સંપૂર્ણ પણે જાણતા નથી. જોતા નથી. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવ પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ, જીવ, જિન થશે કે નહીં? જીવ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં? વગેરે દસ પદાર્થોને જાણે છે – જુએ છે.
કેશીકુમાર શ્રમણના સમજાવવાથી પરદેશી રાજા સત્ય સમજી ગયા
પરદેશી રાજાનો રાસ +287