Book Title: Jain Ras Vimarsh
Author(s): Abhay Doshi, Diksha Savla, Sima Ramhiya
Publisher: Veer Tatva Prakashak Mandal
Catalog link: https://jainqq.org/explore/022860/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - જૈન ચોર્સ વિમર્શ સંપાદકો - ડૉ. અભય દોશી + ડૉ. દીક્ષા સાવલા ડૉ. સીમા રાંભિયા, Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન રાસ વિમર્શ સંપાદકો ડો. અભય દોશી ડૉ. દીક્ષા સાવલા ડૉ. સીમા રાંભિયા શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ દ્વારા યોજિત ૨૧માં જૈન સાહિત્ય સમારોહપાવાપુરી-રાજસ્થાન તા. ૨૩, ૨૪, ૨૫ માર્ચ ૨૦૧૨ના પ્રાપ્ત થયેલા શોધ નિબંધોનું સંકલન પ્રકાશક શ્રી વીર તત્ત્વ પ્રકાશક મંડળનશિવપુરી અને શ્રી રૂપ-માણેક ભશાલી ચેરિટેબલ ટ્રસ્ટ ૧૭/૧૯ ખટાઉ બિલ્ડીંગ, રજે માળે, ૪૪, બેંક સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ ૪૦૦૦૦૭ મો. ૦૯૯૮૭૧૦૬૫૦૧ – ૦૯૩૨૩૯૨૦૩૩૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ JAIN RAAS VIMARSH A collection of Research essay on JAIN RAAS edited by Dr. ABHAY DOSHI Dr. Diksa Savla and Dr. SEEMA RAMBHIA Published by Shri Veer Tatva Prakashak Mandal-Shivpuri & Shri Roop Manek Bhanshali Cheritable Trust 17/19, Khatau Building, 2nd Floor, 44, Bank Street, Fort, Mumbai 400 001 First Edition 2014 પ્રથમ આવૃત્તિ ૨૦૧૪ પ્રત ૩૦૦ કિંમત : ૬૦૦ ISBN : 978-93-83814-17-6 પ્રાપ્તિસ્થાન શ્રીરૂપ માણેક ભંશાલી ચેરીટેબલ ટ્રસ્ટ , ૧૭/૧૯ ખટાઉ બિલ્ડીંગ, રજે માળે, ૪૪, બેંક સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ ૪૦૦ ૦૦૧ મો. : ૦૯૯૮૭૧૦૬ ૫૦૧, ૦૯૩૨૩૯૨૦૩૩૩ ગુર્જર એજન્સી રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-380 001 ફોન : 22144663 ટાઈપસેટિંગ કમલ કમ્મર પાલડી, અમદાવાદ-૭. ફોન : ૯૮૨૪૨ ૧૨૮૩૦ મુદ્રક ભગવતી ઓફસેટ, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૫. પૂ. આચાર્ય વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. (કાશીવાળા) ૫ પૂ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ. સા. આપે શ્રુતજ્ઞાનના ઉદ્ધાર માટે જે ભગીરથ પુરુષાર્થ કર્યો એની સ્મૃતિમાં ભાવભીનું અર્પણ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ કૃતવંદના શ્રુતપૂજા એ જિનપૂજા છે. જૈન ધર્મમાં શ્રત સાહિત્યનું અમૂલ્ય મહત્ત્વ છે એટલે જ દિપાવલી પછી નવા વર્ષના પ્રારંભે કાર્તિક સુદ પાંચમને જ્ઞાન પંચમી તરીકે પૂજાય છે અને તે દિવસે પ્રત્યેક જૈન જ્ઞાનપૂજા કરે છે. આ સાહિત્ય, આ કૃત સાહિત્ય જ જૈનધર્મની, કહો કે પ્રત્યેક ધર્મની જીવાદોરી છે. આ શબ્દયાત્રા થકી જ સર્વે ધર્મો ગઈકાલથી આજ સુધી પહોંચી શક્યા છે. - પરમ પૂજ્ય પંજાબ કેસરી આચાર્ય ભગવંત વિજય વલ્લભસૂરીશ્વરજી મ. સા. પ્રેરિત શ્રી મહાવીર જૈન વિદ્યાલય એની સ્થાપનાના એક સૈકા પાસે પહોંચી રહ્યું છે. વિદ્યા ક્ષેત્રે જૈન સમાજની આ ધ્વજવતું ઘટના છે. આ સંસ્થામાં આવાસ કરી હજારો જૈન વિદ્યાર્થીઓએ પોતાના ઉજ્જવળ ભાવિના ઘડતરનો પાયો અહીં રહીને નાખ્યો હતો, અને પોતાની યશસ્વી જીવનઈમારતનું નિર્માણ કર્યું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ વિદ્યા શિક્ષણ ઉપરાંત જ્ઞાન ક્ષેત્રે મહા નોંધનીય પદાર્પણ કર્યું છે. જિનાગમ પ્રકાશન ટ્રસ્ટ દ્વારા લગભગ ૨૧ આગમોનું પ્રકાશન કર્યું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકાશન દ્વારા જૈન ધર્મ આધારિત અન્ય પ્રકાશનો પણ પ્રકાશિત કર્યા. આ ઉપરાંત જૈન સાહિત્યના પ્રસાર, પ્રચાર અને સંવર્ધન માટે ૧૯૭૭થી આ જૈન સાહિત્ય સમારોહના આયોજનો કર્યા. આ સમારોહની પરિકલ્પના જૈન ધર્મના ઊંડા અભ્યાસી ડૉ. રમણલાલ સી. શાહે કરી અને ૧૯૭૭થી ૨૦૦૩ સુધી, એકથી સત્તર સુધી આ સમારોહનું સફળ આયોજન કરી યુવા વર્ગને જૈન સાહિત્ય તરફ આકર્ષિત કર્યો. ૨૦૧૦માં આ સાહિત્ય સમારોહને રૂ૫-માણેક ભાળી ટ્રસ્ટનું સૌજન્ય પ્રાપ્ત થયું અને ૨૦૧૦ના ૨૦મા જૈન સાહિત્ય સમારોહને એક નવી ઊંચાઈ અને વળાંક મળ્યા. આ માટે યશના અધિકારી આ ટ્રસ્ટના સર્જક શ્રી વલ્લભભાઈ ભશાળી અને એમના લઘુ બંધુ મંગળભાઈ છે. પોતાના ષિતુલ્ય પિતાશ્રી પૂ. રૂપચંદચંદજી પન્નાલાલજી ભંસાલી અને જ્યેષ્ટ બંધુ શ્રી માણેક રૂપચંદજી ભંસાલીને આ સૌજન્ય દ્વારા અમૂલ્ય શ્રદ્ધાંજલિ આ સંસ્કારી સરસ્વતીપૂજક લક્ષ્મી Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપન્ન પરિવારે અર્પ, ર૦મો સમારોહ રતલામમાં, ૨૧મો ૨૦૧૨માં પાવાપુરીરાજસ્થાન અને આ ર૧મો મોહનખેડા-મu.માં યોજાઈ રહ્યો છે. આ ત્રણે સમારોહના સૌજન્યધતા આ પરિવાર છે અને ભવિષ્યમાં પણ આ સરસ્વતીશ્રુતપૂજનના કાર્યને આ પરિવારનું સૌજન્ય પ્રાપ્ત થતું રહેશે એવી શ્રદ્ધા છે. આ સમારોહ સમયે શ્રી વલ્લભભાઈ, શ્રી મંગળભાઈ અને એમના પૂરા પરિવાર તેમજ રતલામમાં શ્રી મુકેજ જૈન અને પાવાપુરીમાં શ્રી કાંતિલાલજી જૈને જે આભિજાત્ય દર્શાવ્યું છે એનો આનંદ અને આભાર માનવા માટે અમારી પાસે શબ્દો નથી. ૨૦મા જૈન સાહિત્ય સમારોહનો વિષય હતો જેને ગોરવ ગ્રંથો, એમાં લગભગ ૭૫ અભ્યાસીઓએ પોતાના શોધનિબંધ પ્રસ્તુત કર્યા હતા. એ શોધીનિબંધોનો ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. ૨૧મો જૈન સાહિત્ય સમારોહ જે માર્ચ-૨૦૧૨માં પાવાપુરી-રાજસ્થાનમાં યોજાયો હતો. એ સમારોહમાં વિષય હતો જૈન રાસા સાહિત્ય અને જૈન પત્રકારત્વ'. આ બન્ને વિષય માટે કુલ એકસો શોધ નિબંધો પ્રાપ્ત થયા હતા. આ બન્ને શોધ નિબંધોના બને ગ્રંથો આ ૨૦૧૪ના રરમા જૈન સાહિત્ય સમારોહ મોહનખંડામાં પ્રકાશિત થઈ રહ્યાં છે એ સમગ્ર જૈન સાહિત્ય માટે આનંદની ઘટના છે અને આ ગ્રંથોનું પ્રકાશન કરી શ્રી રૂપ-માણેક ટ્રસ્ટ અને ભંસાલી પરિવારે જે પુણ્ય ઉપાર્જન કર્યું છે એ માટે આપણે સૌ આ ભંસાલી પરિવારની ભૂરીભૂરી અભિવંદના કરીએ. સંપાદનનું કાર્ય ઘણો જ પરિશ્રમ અને વિવેક માંગી લે છે. આ ખૂબ જ કપરું કામ છે. આ બન્ને ગ્રંથોના સંપાદકોને હું હૃદયથી અભિનંદુ છું. આ કાર્યમાં સાથ આપનાર મુદ્રક તેમજ અન્ય સર્વેને મારા પ્રણામ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તો મારા કોટિકોટિ પ્રણામ હોય જ. ઉપરાંત સર્વ માનદ્ કાર્યકરો અને અન્ય સર્વેએ મને હૃદય સાથે બાંધ્યો છે, કોના કોના નામ લઉં? – એ સર્વોનો આભાર માનવા શબ્દો ક્યાંથી લાવું? પૂ. ડૉ. રમણભાઈના આશીર્વાદ જ મને તો ફળ્યા છે. એ પુણ્યાત્માને વંદન વંદન. ૨૩-૧-૨૦૧૪ ધનવંત શાહ સંયોજક જૈન સાહિત્ય સમારોહ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આચાર્ય વિજયધર્મ સૂરીશ્વરજી (કાશીવાલા) આગમન – સંવત ૧૯૨૪ – સન ૧૮૬૮ – મહુવા જિલ્લો ભાવનગર દિક્ષા સંવત ૧૯૪૩, સન ૧૮૮૭ શાસ્ત્ર વિશારદ સંવત ૧૯૬૪, સન ૧૯૦૮ કાળધર્મ સંવત ૧૯૭૮, સન ૧૯૨૨ પ્રથમ સાહિત્ય સંમેલન-જોધપુરમાં, સંવત ૧૯૭૦, સન ૧૯૧૪ સ્થાપનાકર્તા : શિવપુરી પાઠશાળા યશોવિજયજી સંસ્કૃત પાઠશાળા (બનારસ), વીરતત્ત્વ પ્રકાશકમંડળ, મુંબઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ ત્રષિતુલ્ય પિતાશ્રી શ્રી રૂપચંદજી પન્નાલાલજી ભંસાલી ૧૫-૧૧-૧૯૧૫ – ૪-૬-૨૦૦૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ પરમ પાવન માતુશ્રી શ્રીમતી રૂપકંવર રૂપચંદજી ભેંશાલી ૧૯૨૦-૧૯૬૫ 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર પુરુષ કુટુંબ વત્સલ જ્યેષ્ઠ ભ્રાતાશ્રી માણેક રૂપચંદજી ભંસાલી. ૫-૧૨-૧૯૪૮ – ૫-૨-૨૦૦૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ એક પ્રેરણાત્મક જીવન શ્રી રૂપચંદજી ભેંશાલી કેટલાંક પ્રસંગોનું નિમિત્ત વ્યવહાર હોય છે. કેટલાંકનું આનંદ અભિવ્યક્તિનું તો કેટલાંકનું પારંપારિક, પરંતુ આ બધાંથી પર કુદરત અને શુભ કર્મો પણ પોતાનું નિમિત્ત પોતે જ શોધીને એક ભવ્ય પ્રસંગનું સર્જન કરાવી દે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય આયોજિત ર0મા જૈન સાહિત્ય સમારોહનો પ્રસંગ એક ઐષિતુલ્ય વ્યક્તિ અને એમના પરિવારના શુભ કર્મોનું નિમિત્ત બની ગયો. જૈન ગ્રંથ ગૌરવ' શીર્ષકથી યોજાયેલ ત્રિદિવસીય આ સમારોહ રતલામ ખાતે જાન્યુઆરીની ૨૯, ૩૦, ૩૧ના યોજાયો અને માર્ચ-૨૦૧૨માં ૨૧મો જૈન સાહિત્ય સમારોહ, રાજસ્થાન પાવાપુરીમાં યોજાયો અને માર્ચ-૨૦૧૪માં ૨૨મો સમારોહ મોહનખેડામાં યોજાઈ રહ્યો છે જેમાં જૈન ધર્મના ચારેય ફિરકાના અને અજૈન એવા પણ ૨૫૦ વિદ્ધદૂજનોએ એક છત્ર નીચે એકત્રિત થઈ જૈન સાહિત્યના ગૌરવભર્યા વિવિધ ગ્રંથો અને વિવિધ સાહિત્ય અંગે ચર્ચા-ચિંતન કર્યા અને કરશે. આ સમગ્ર જ્ઞાનોત્સવનું યજમાનપદ શોભાવ્યું ઋષિતુલ્ય પિતા શ્રી રૂપચંદજી અને જ્યષ્ટ બંધુ સુશ્રાવક માણેકચંદજી મંશાલીના પરિવારે. આજના શણગાર, વૈભવ અને ઉત્સવપ્રિય સમાજ વચ્ચે એક પરિવારે પોતાના પિતા અને જ્યેષ્ટ બંધુને જ્ઞાનાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ આપી એ એક અમૂલ્ય અને પ્રેરણાત્મક ઘટના છે. ઉત્તમ પિતૃ-ભાતૃતર્પણ છે. . રૂપચંદજી આ સાહિત્ય સમારોહના પ્રણેતા અને આ સંસ્થા-શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પૂર્વપ્રમુખ અને પ્ર.જી'ના તંત્રી ડો. રમણલાલ ચી. શાહના જ્ઞાનમિત્ર હતા અને આ સંસ્થાના આવા જ એક મહામાનવ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પૂ. રૂપચંદજીના પ્રેરક પુરુષ હતા. ડૉ. રમણલાલ ચી. શાહના બે ગ્રંથો, જૈન ધર્મ દર્શન અને જૈન ધર્મ Page #13 -------------------------------------------------------------------------- ________________ આચાર દર્શન'નો હિંદી અનુવાદ પણ આ ભેંશાલી પરિવારે પ્રકાશિત કર્યો છે. આ પ્રકાશન દરમિયાન પૂ. રૂપચંદજીના જીવનને અને એમના પિરવારમાં સરસ્વતી અને લક્ષ્મી બંને આસનસ્થ છે, તેમજ હૃદયમાં અને જીવનચર્યામાં જૈન ધર્મ દૃઢસ્થ છે એવા એ કુટુંબીજનોને ઓળખવાનો અને સમજવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. બાપુજી સા : એક પ્રેરણાદાયી જીવન' એ શીર્ષકથી ગુજરાતી, હિન્દી અને હવે અંગ્રેજીમાં એમના પુત્ર શ્રી વલ્લભ ભંશાલીએ એક નાની પુસ્તિકા આ સમયે પ્રકાશિત કરી. પુત્રની કલમે લખાયેલી આ પુસ્તિકામાં સહજ પ્રવેશો પછી પૂરી જીવનાભૂતિ પામ્યા પછી જ તમે એના બે મુખ્ય પૃષ્ટોને ભેગાકરી શકો એવી આ પુસ્તિકામાં પિતૃભક્તિની ગંગા છે. પૂ. રૂપચંદજીનો જીવનકાળ ૧૯૧૫થી ૨૦૦૭, આયુષ્ય સાડા એકાણું વર્ષ. જન્મ રાજસ્થાનના મારવાડ પાલીમાં. એમના પૂર્વજો રાજ્યના પદાધિકારી હતા. પિતાનું નામ પન્નાલાલજી અને માતાનું નામ ગુમાનબાઈ. આ દંપતીને બે પુત્ર, રૂપચંદજી અને પારસમલ. પિતાએ બન્ને પુત્રોને નાનપણમાં જ જૈન છાત્રાલયમાં મોકલી દીધાં. રૂપચંદજી આઠ વર્ષની ઉંમરમાં જ પૂ. વલ્લભસૂરિના શિષ્ય મુનિ તિલકદાસની સાથે ઘેર પત્ર મોકલી સાધુ બનવા માટે ચાલી નીકળ્યા હતા. આ રૂપચંદજી ૧૧-૧૨ વર્ષની ઉંમરે ગ્વાલિય૨ નજીક શિવપુરીમાં પૂ. વિજ્યધર્મસૂરિજી (કાશીવાળા) દ્વારા સ્થપાયેલ વીરતત્ત્વ પ્રકાશક મંડળના વિદ્યાર્થીગૃહમાં ગયા. રૂપચંદજીએ ચાર વર્ષ શિવપુરીમાં રહીને સંસ્કૃતમાં ઉત્તર માધ્યમાની પરીક્ષા પાસ કરી. ધાર્મિક સૂત્રો શીખ્યાં. અહીં શિક્ષણ અને અધ્યયનની ઊંડી લગન લાગી. ૧૪-૧૫ વર્ષની વયે રૂપચંદજી રજાઓમાં પાલી આવે અને શેરી સફાઈ જેવું સમાજ સેવાનું કામ પણ કરે. ૧૭ વર્ષની ઉંમરે રૂપચંદજી મુંબઈ આવ્યા અને દાદીના સંબંધીની પેઢી ઉપર કામે લાગ્યા. પાલીના ઉત્તમ કુટુંબોમાં છાજેડ પરિવાર. એમની સૌથી મોટી પુત્રી રૂપકુંવર સાથે રૂપચંદજીની સગાઈ થઈ. ૧૯ વર્ષનો વ૨ અને ૧૫ વર્ષની કન્યા. પાલીનો પ્રતિભાશાળી છોકરો અને સમર્થ પિરવારની ગંભીર અને બુદ્ધિમાન છોકરી. બન્ને આત્માનું મિલન થયું. શાનદાર વિવાહની યોજના થઈ, પરંતુ એ ૧૯૩૩ની ગાંધી ચળવળનું વર્ષ અને ચારે તરફ રાષ્ટ્રીય જુવાળ, રૂપચંદજી આ વાતાવરણની બાકાત કેમ રહી શકે? ખાદી પહેરવી, રેંટિયો કાંતવો, ભૂગર્ભ પ્રવૃત્તિમાં રસ 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ લેવો, સ્વાતંત્ર્યવીરોને સહકાર આપવો વગેરે રૂપચંદજીની પ્રવૃત્તિ બની અને લગ્ન માટે શરતો મૂકી, ખાદી જ પહેરશે અને જૈન વિધિથી જ લગ્ન કરશે. અને દૃઢ માનવીની આ શરતો સ્વીકારાઈ અને લગ્નની શરણાઈ ગૂંજી ઊઠી. રૂપચંદજીને દાદા ગુરુ પૂ. આચાર્ય વિજય ધર્મસૂરિજીમાં અનન્ય શ્રદ્ધા હતી. જીવનની વિકટ પળોએ એઓ બાપજી'ને યાદ કરતા અને સહાય મળી રહેતી. રોજ સવાર-સાંજ આ ‘બાપજી'ની એઓ આરાધના કરતા. આ આરાધના એમનામાં શ્રદ્ધા, સંસ્કાર અને બળ જન્માવતા. આ આરાધના જ એમની બધી સફળતાનો આત્મા હતી. હવે કેટલાંક અમી છાંટણા શબ્દો એમના સુપુત્ર વલ્લભભાઈની ઉપર નિર્દેશેલ પુસ્તિકામાંથી અવતારીએ : મહામાનવ રૂપચંદજીનું જીવન એટલી બધી ઘટનાઓ અને પ્રતિભાઓમાંથી અલંકૃત છે કે તેને સંક્ષિપ્તમાં લખવાનું અસંભવ છે. રૂપચંદજીને શિવપુરીથી નાની ઉંમરમાં જ વિભિન્ન વિષયોમાં રસ પડ્યો. અને તેનાથી આરંભ થયો પુસ્તક સંગ્રહનો અને તેમાંના દરેક પુસ્તકના અધ્યયન અને ચિંતનનો. યોગ, સાહિત્ય, વિભિન્ન મતોના ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો, ઇતિહાસ, કાવ્ય, ઇત્યાદિ વાંચ્યા. અને યથાશક્તિ બાળકોને વંચાવ્યાં. જ્યોતિષશાસ્ત્ર તથા હસ્તરેખાશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યોતિષ છોડીને આયુર્વેદને અપનાવ્યું. આયુર્વેદના પુસ્તકોનો વિપુલ સંગ્રહ કર્યો. ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેને સેવાનું માધ્યમ બનાવ્યું. અનેક ઔષધિઓ બનાવી. જીવનભર પોતાનું સ્વાસ્થ્ય સાચવ્યું. (સોનેરી વાળને કાળા બનાવ્યા અને અંત સુધી વાળ કાળા રહ્યા.) અન્યોની સેવા કરી, ત્યાં સુધી કે હૉસ્પિટલમાં ડૉક્ટરો તથા નર્સોના પણ ઉપચાર કર્યાં. હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ ઉપર સારી નિપુણતા. જૈન સૂત્રો, સ્તોત્રો અને અનેક શાસ્તોનું, ગીતાના શબ્દ, અર્થ અને ભાવાર્થનું જ્ઞાન. ઘણું બધું કંઠસ્થ. વિષયના દરેક પાસા પર ચિંતન કરતા અને તેને આત્મસાત્ કરતા. તેમની ટિપ્પણો અદ્વિતીય, સરળ અને માર્મિક હતી. કોઈ પણ વિષય પરની વાત સંક્ષિપ્ત હોય. ચર્ચા નહીંવત્, કદાગ્રહ ક્યારેય નહીં. 13 Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂ. બાપુજી કહેતા : આપણાં અસ્તિત્વના ત્રણ પાસાં છે : તન, મન અને ધન. મન સૌથી વ્યાપક છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે સૌથી વધારે સમય અને શક્તિ ધનના ક્ષેત્ર ઉપર ત્યાર પછી તન ઉપર અને ઓછામાં ઓછો સમય મન પાછળ આપીએ છીએ. પૂજ્ય બાપુજી રોજ જિનેશ્વર ભગવાનની પૂજા કરતાં. પૂજા ઘણી જ શાંતિથી કરતાં, સારગર્ભિત એવા ચૈતન્યવંદન અને સ્તવન જ ગાતા. તેઓશ્રી રોજ સામાયિક કરતા. નવરાશના સમયમાં પણ સામાયિક કરતા. શ્રી ચીમનભાઈ ચકુભઈ શાહનો દાખલો આપતા કે રોજ એક સામાયિક કરવાના નિયમને કારણે તેઓ આટલા મોટા વકીલ, સમાજ્ઞેવક અને સાહિત્યકાર બની શક્યા હતા. રોજ સવારસાંજ નવસ્મરણના પાઠ અને ગુરુદેવ વિજ્ય ધર્મસૂરિની પૂજા, જાપ, આરતી, ઈત્યાદિ કરતા. આ બધું અર્થપૂર્ણ રીતે અને પરમ ભક્તિભાવથી કરતા હતા. નિયમોનું શાંતિપૂર્ણ અનુશાસન કરતા, તેમના નિયમોમાં કદીય ચૂક નથી આવી. છેલ્લા મહિનાઓમાં અસ્વસ્થ હોવા છતાં યથાશક્તિ નિયમો પાળતાં. તેઓ ભારપૂર્વક કહેતા કે, એવા અને એટલા નિયમો ન રાખો જેથી તમને કે અન્યોને તે નિયમો ભારસ્વરૂપ લાગવા માંડે.’ પર્યુષણમાં ઉપવાસ ઉપરાંત દરરોજ આઠ સામાયિક કરતા. આખો દિવસ મૌન રાખતા, સામાયિકમાં નવકારનો જાપ, પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ, પૂ આનંદઘનજી મ.સા., પૂ. યશોવિજ્યજી મહારાજ રચિત સાય, સ્તવનનો સ્વાધ્યાય કરતા. ધ્યાન કરતા. સંવત્સરીના દિવસે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર સાંભળતા અને ઘરે પણ વાંચતા. ઘણાં વર્ષોથી સમગ્ર પરિવાર સાથે સવાર સાંજ પ્રતિક્રમણ કરતા. – પૂ. બાપૂજીએ કરોડો નવકા૨ જાપ કર્યા. ૧૫-૨૦ વર્ષથી રોજ યશોવિજ્યજી રચિત જ્ઞાનસાર, તત્ત્વાર્થ સૂત્ર અને યોગસારનો સ્વાધ્યાય કરતા. ૧૭ વર્ષથી રોજ શ્રીમદ્ ભાગવદ્ ગીતા તથા આદ્ય શંકરાચાર્ય રચિત ‘ભજગોવિંદમ્’ વાંચતા. તેમની ભક્તિમાં પ્રેમ ઉભરાતો હતો – રૂઢિ જરા પણ નહીં. તે કહેતા કે શુદ્ધ હોય તોપણ લોકોથી વિરુદ્ધ હોય તે ન કરવું, ન આચરવું.’ આટલા માટે આપણી પોતાની સમજ સાચી હોય તો પણ આવશ્યકતા ન હોય તો લોકોથી વિરુદ્ધ કામ ન કરવું. ધર્મ સગવડિયો ન થઈ જાય તેનું તે હંમેશા ધ્યાન રાખતા. આત્મશુદ્ધિ માટે તપની અનિવાર્યતા તેમને પૂર્ણ રૂપે પ્રાપ્ત હતી. તેમાં પણ 14 Page #16 -------------------------------------------------------------------------- ________________ સહજ અને અત્યંતર તપની. તપના તમામ પ્રકાર તેમણે અપનાવ્યા હતા. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ બધું તેમના જીવનમાં હતું. રોજ ૪-૪.૩૦ વાગે ઊઠતા. ૧૨ વર્ષની ઉંમરથી જ આ નિયમ બનાવ્યો હતો. ૮૫ વર્ષની ઉંમર સુધી પૂર્ણ રીતે સ્વાવલંબી જીવન હતું. જાતે જ કપડાં ધોવાં, પથારી ઉપાડવી, પાણી ગરમ કરવું ઈત્યાદિ. ઘરમાં દીકરા, વહુઓ, નોકર બધાં જ હતાં. પણ સંભવતઃ કોઈને પણ કશું કામ કરવાનું કહેતા ન હતા. બહુ જ નાની ઉંમરથી ચૌદશનો ઉપવાસ, પ્રતિક્રમણ ઈત્યાદિ કરતા. લગભગ ૬૫ વર્ષ સુધી આ નિયમનું પાલન કર્યું. દ્રુપ અઠ્ઠાઈઓ (આઠ દિવસના ઉપવાસ), ૧૦-૧૨૫ નવપદજી (નવરાત્રીના નવ દિવસના આયંબિલ તપ કર્યા. આયંબિલ દરમિયાન મંદિરમાં માત્ર ખમાસમણાં ઈત્યાદિ કરતા અને પૂજા ઘેર વાંચતા. ૮૯ વર્ષની ઉંમરે છેલ્લી અઠ્ઠાઈ કરી. તેઓ કહેતા, “શક્તિ પ્રમાણે તપ કરવું જ જોઈએ. તેનાથી ઓછું કે વધારે પણ નહીં. શક્તિથી વધારે તપ કરવાથી અહંકાર અને મિથ્યાત્વનો ભાવ જાગે છે; ઓછું કરવાથી પ્રમાદ ઉપર વિજય પ્રાપ્ત થતો નથી.” પૂ. બાપુજીએ ૪૨ વર્ષ (૧૯૬૫ થી ૨૦૦૭) પત્ની રૂપકુંવરનો વિયોગ સહજ અને સમતાપૂર્વક સહન કર્યો. તેમનું જીવન ગાંધીજીથી પ્રેરિત હતું. ખાદી પહેરતા હતા. રૂમાલ, ટુવાલ, જૂતાં બધું જ ખાદીભંડારમાંથી લાવતાં હતાં. જરૂરિયાતો ઓછામાં ઓછી રાખતા. ૪૦ વર્ષ પહેલાં વર્ષમાં રૂ. ૫૦ પચાસ)ના સ્વખર્ચનું લક્ષ્ય હતું. મોંઘવારીને કારણે વધુમાં વધુ રૂ. ૨000 થઈ ગયું હશે. ધોતી, ઝભલ્મો, ટોપી અને બંડી જ પહેરતા. પરંતુ કોઈ રૂઢિ ન હતી. સત્ય અને પ્રેમની એક ઝલક : ભાગીદારીના ધંધામાં ગડબડ થતી દેખાઈ એટલે છૂટા થઈ ગયા. આર્થિક તંગીએ તેમને ભીંસમાં મૂક્યા. નોકરી કરવા નીકળી પડ્યા. શેઠજીએ થોડા દિવસ બાદ કહ્યું કે બે નંબરનો હિસાબ પણ રાખવો પડશે. તેમણે ના પાડી અને પગાર ચારસો રૂપિયાથી અઢીસો રૂપિયા થઈ ગયો. આ સમય એવો હતો કે જ્યારે ડોક્ટરની ફી પણ બાકી રહેતી. ભલે બાકી રહે તો ઈમાનદારી-સત્ય સૌથી પહેલું હોય. રાજકારણમાં સ્વાર્થનો પ્રવાહ જોઈને તેમણે રાજકારણનો સદંતર ત્યાગ કરી દીધો. 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ આવ્યા પછી સેવાના નવા અનેક ક્ષેત્રો ખૂલ્યાં, જેમાં એક કામ આજીવન ચાલ્યું. એ હતું બહારથી આવતા વિદ્યાર્થીઓને મદદ કરવી. અજાણ્યા વિદ્યાથીઓની સાથે જઈ તેમને છાત્રાલયમાં દાખલ કરાવવા; સી.એ. કોર્સ માટે આર્ટિકલ તરીકે રખાવવા, તેમના માટે ડીપોઝીટ ભરવી, નોકરી અપાવવી વગેરે. તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારા પણ નીવડ્યા. આ બાબતમાં એટલા ઉત્સાહી હતા કે કેટલાય લોકોને પોતાના નાના ઘરમાં લાવીને રાખ્યા. બે યુવકોના પિતા બનીને લગ્ન પણ કરાવ્યું. આ એમના અદૂભૂત આત્મવિશ્વાસ અને પત્નીના અનુપમ સાથને કારણે શક્ય હતું. વધારે સંપત્તિ ન હતી અને ૬ બાળકોનો પરિવાર હોવા છતાં આ બધું ચાલ્યા કર્યું. ૨૦૦૧માં એક યુવક દીપકભાઈને ઉપાશ્રયમાંથી લાવ્યા હતા. કેટલાય માસ ઘેર રાખ્યો. અને હીરાનું કામ સીખવાડ્યું, મૂડી આપી. પ્રેમ અને પ્રેરણા આપ્યાં. આજે તે સફળ વ્યાપારી અને આદર્શ ગૃહસ્થ છે. તેઓ કહેતા, માત્ર હોંશિયાર વિદ્યાર્થીને જ મદદ કરો જેની ઇચ્યા પ્રબળ હોય તેને વિશેષ મદદ કરો.” આગળ વધો અને અન્યને આગળ વધવાની પ્રેરણા આપો.” એ જ રૂપચંદજીનું સૂત્ર હતું. તેઓ પોતે પણ અપરિગ્રહી હતા. ગરીબોની હોસ્પિટલમાં જવાની શરૂઆત વ્યાપારમાં હતા ત્યાથી કરી દીધેલી. એમણે ત્રણ હોસ્પિટલોમાં અભિયાન શરૂ કર્યું – સેન્ટ જ્યોર્જ, જી. ટી. અને કામ. ધીરે ધીરે કે. ઈ. એમ, કસ્તુરબા, નાયર અને જે. જે. ને પણ તે અભિયાનમાં જોડી દીધાં. વિશાળ કદની જે. જે. માં અઠવાડિયામાં એક વાર જતા અને અન્ય જગ્યાએ ર-૩ વાર. અઠવાડિયામાં પ-૬ દિવસ પૂરા પ-૬ કલાક આ કામમાં વ્યસ્ત રહેતા. કોઈ પણ કારણસર આ કાર્યમાં વિબ આવે તે તેઓ સહન કરી શકતા નહોતા. સને ૧૯૯૬માં પોતે જ કેન્સરમાં સપડાયા. રોગના ઉપચાર (રેડીએશન) વખતે પણ તેઓ નિયમિત રીતે હોસ્પિટલોમાં જતા હતા. પરિવાર તેમના સ્વાધ્ય અંગે ચિંતિત હતો. ત્યારે પણ તેઓ તો મસ્ત હતા લોકસેવામાં જ. તેઓ દરેક દર્દી પાસે જતા અને સ્નેહ દર્શાવતા. સુખદુઃખની વાતો કરતા. જે પણ નાનામાં નાનું અને મોટામાં મોટું કામ હોય તે કરતા. તન, મન અને ધનથી દરદી સાથે Page #18 -------------------------------------------------------------------------- ________________ આકાત્મતા કેળવવાનો પ્રયાસ કરતા. તેના માટે પોસ્ટકાર્ડ લખતા. સંદેશા પહોંચાડતા. એવી નાની બાબતોમાં રસ લેતા જેથી દર્દીને પોતાના પ્રત્યે દયનીયતા નહિ પણ પોતાપણું લાગે. ધીરે ધીરે હૉસ્પિટલના વ્યવસ્થાપકોમાં તેઓ અજાણ્યાને બદલે અભૂતપૂર્વ વિભૂતિ બની ગયા. કેટલાક ડૉક્ટરો અમને કહેતા કે, “જ્યારે આપના પિતાજી કોઈ દર્દી પાસે ઊભા હોય ત્યારે અમને એમનામાં સાક્ષાત્ ઈશ્વર જ દેખાય છે.' તેઓ ક્યારેય વ્યવસ્થા કે પ્રસિદ્ધિમાં પડ્યા ન હતા. ગમે તેટલું દબાણ પણ તેમને નમાવી શક્યું ન હતું. યથાસંભવ તેઓ “કાકાજી' ના નામથી ઓળખાતા. ઘણા પત્રકારો તેમની પાસે જતા પરંતુ તેઓ તેમનાથી અળગા રહેતા. જર્મનહેતુ ભૂમીને તેઓ બરાબર જાણતા હતા. આ નિત્યક્રમ ૩૦ વર્ષ સુધી ચાલ્યો. નાયર હૉસ્પિટલે તેમની પ્રેરણાથી પોતાની વધારાની જગામાં વ્યવસાય પ્રશિક્ષણ શરૂ કર્યું. સ્વતંત્રતા અને સ્વાવલંબનની તેમની ભાવના અહીં પણ દેખાઈ. કહેતા કે “એક વ્યક્તિ કામ પર લાગે તો પાંચના પેટ ભરાય.” જેમ જેમ જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવતી ગઈ તેમ તેમ વધારે વહેંચવાની હંમેશાં વૃત્તિ રહી. મુંબઈ હૉસ્પિટલ તેમની પ્રિય સંસ્થા હતી અને ત્યાં લગાતાર યોગદાન અપાતું રહ્યું. પોતાના જન્મસ્થળ પાલીમાં કન્યા મહાવિદ્યાલય બનાવ્યું, જેની ત્યાં અત્યંત જરૂર હતી. પાલીની શાનદાર ગૌશાળામાં મોટો ફાળો આપ્યો. તેમનું અને તેમના નાના ભાઈ પારસમલજીનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. તેઓ કહેતા હતા કે, પ્રામાણિકતાથી ખૂબ કમાઓ અને સારા કામમાં ખર્ચે, લોકોના કામમાં આવો. ઉચ્ચ શિક્ષણની ઇચ્છાવાળાને વિશેષ શિક્ષણ આપો.” આ વાત ઉપર વિશેષ ભાર મૂકતા હતા. દાનમાં તેમની ભાવના હંમેશાં સેવાની જ હતી – દાતાની નહીં. તે કહેતા બોધિ-લાભ અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે શરીરથી સ્વસ્થ હોવું અનિવાર્ય છે. તે માટે આરોગ્યની પ્રાર્થના બોધિથી પહેલાં કરવામાં આવી છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ આરુગનો અર્થ-ભાવ આરોગ્ય (સ્વસ્થતા) એવો અર્થ કરવો ન જોઈએ. તે માટે જૈન દષ્ટિકોણની ચર્ચા કરી રહ્યા છે, કારણ કે તેમણે સ્વાથ્યને સૌંદર્ય, શૃંગાર અથવા ભોગનું સાધન નહિ, પરંતુ મોક્ષનું જ સાધન બનાવ્યું. માંદગીને વધવા ન દો' – આ તેમનું સૂત્ર હતું જે સજાગ અને સ્વસ્થ હોય છે, તેમને થોડો જ ફેરફાર તરત જ ખ્યાલમાં આવી જાય છે અને તે માટે તેમને સહજ ચિંતા થતી હતી. બીજું, જ્યારે કોઈ સમસ્યા નાની હોય ત્યારે તેનું સમાધાન કરવું સરળ હોય છે. આ બીજી વાતમાં ઊંડો અનુભવ અને અત્યંત કૌશલ્ય સમાયેલું છે. | મુંબઈમાં ૪૫ વર્ષ સુધી કોઈ મોટા ઘરમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થઈ ન હતી, પરંતુ તેઓ દિવસમાં કેટલીય વાર ઊંચો દાદરો ચઢી-ઉતરીને પણ પછી મરીનડ્રાઈવ કે હેન્ગીંગ ગાર્ડન ચાલવા જતા. કોઈક વાર ત્યાં સુધી ન જઈ શકાય તો નાના એવા રૂમમાં પણ સેંકડો ચક્કર લગાવતા પણ ઘણી તન્મયતાથી નિયમિત યોગાસન કરી લેતા હતા. તેમણે જાણી લીધું હતું કે સ્વાચ્ય, સેવા અને આત્મકલ્યાણ આ ત્રણે એકબીજા પર આધારિત છે. મારું એવું માનવું છે કે તેમના જેવી વ્યક્તિ સંસારથી મુક્ત થવા માટે જ સંસારમાં આવે છે. તે સમજી જાય છે કે “સ્વતંત્ર થવા માટે “સ્વસ્થ હોવું જરૂરી છે. આવી ઊંડી અને સ્પષ્ટ સમજ કોઈ વિરલને જ હોય છે. એમણે મને ઘણી વાર ચેતવ્યો હતો કે મોહ ન રાખવો; હું એમની એ ચેતવણીને પ્રૌઢ થયા પછી જ થોડી થોડી સમજી શક્યો છું. એમના વ્યવહારનું વિશ્લેષણ કરવાથી કેટલાક સિદ્ધાંતો સમજમાં આવે છે. અનાવશ્યક ચર્ચા-પ્રપંચ કરવો નહીં. પ્રપંચ કરતાં કરતાં તથ્થો ઘટનાઓની સાથે બીજાઓના અભિપ્રાય જોડાઈ જાય છે અને સ્વયં આપણે પણ અભિપ્રાય બાંધવા-બનાવવા મંડી પડીએ છીએ, એવું કરવાથી મનમાં વ્યર્થ કષાયો વધે છે એન એમની છાયા સંબંધો ઉપર પડે છે. એક સૂક્ષ્મ પ્રભાવ પડે છે કે આ સિવાય અભિપ્રાય ઊંડા રાગ-દ્વેષમાં બદલાઈ જાય છે. આનાથી ભરાયેલું મન સરળતાથી નિર્ણયો લઈ શકતું નથી, કાર્ય પણ કરી શકતું નથી. 18 Page #20 -------------------------------------------------------------------------- ________________ પોતાના પિતાજીના અકાળ અવસાન પછી પોતાની માતાની વિકટ સ્થિતિ ઘણી દુખદાયક હતી. મહિનાઓ સુધી એ ઘરની બહાર નીકળી શકતાં નહીં. આવી સ્થિતિમાં એ માત્ર બે સપ્તાહ પછી જ માતુશ્રીને રિવાજોની પરવા કર્યા વગર મુંબઈ લઈ આવ્યા. શોભાસ્પદ વસ્ત્રો પહેરાવ્યાં અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનું શીખવ્યું. અચાનક આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતાં તેઓએ ગભરાયા વગર દીકરીના શ્વસુર પાસે જઈને પોતાની સ્થિતિ બતાવી. શાનદાર જાન બોલાવવાને બદલે એમણે કરીને સસરાના શહેરમાં લઈ જઈ ત્યાં લગ્ન કરાવી દીધું. પછી બે દીકરીઓના લગ્ન એકીસાથે કરાવી દીધાં. ખર્ચ ભરપૂર કર્યો, પણ નિરર્થક મહેનત વળી દીધી. બધાં સ્નેહીજનોમાં એમની સ્નેહભરી ધાક રાખી. એમનો સંદેશ-મોહ મત કરો’ એ આ સંદર્ભમાં દ્યોતક છે. ભાઈસાહેબનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી જવું, વ્યાપારમાં ઘણી ઊથલ-પાથલ થઈ જવી, નાની વયમાં મારાં માતાજીનું નિધન થઈ જવું, જેવી ઘટનાઓમાં એ પોતાની શક્તિ મુજબના પ્રયાસો કરી જોતા અને નિષ્ફળ જાય તો આગળ વધતા. પોતાની પરિસ્થિતિને કર્મફળ સમજીને સમયના પ્રવાહને એમણે અપનાવી લીધો. કોઈને દોષ ન દીધો, ન કોઈને ઠપકો આપ્યો. જે કરવું પડે એ એમણે ધન ઉપાર્જન કરવાની બાબતમાં એમની સમજણ સ્પષ્ટ હતી. ગૃહસ્થ પ્રત્યેક સમયે ધન મેળવવાનો ઉત્સાહ સેવવો જોઈએ, પણ એને માટે લાલસા રાખવી જોઈએ નહીં. ખોટા માર્ગો કે ખોટી રીતિઓથી ધન કમાવું જોઈએ નહીં; ધનનો ખોટો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. જો કે એ ૬૧ વર્ષની ઉંમરે ધન કમાવવાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા, તો પણ સંતાનોને થોડી પણ ચિંતામાં જોતાં તો કહેતા કે “ગભરાઓ છો કેમ, હું કમાઈશ-ચાલો, મારી સાથે. મુશ્કેલી આવી છે કો શું થઈ ગયું? શૂન્ય થઈ જાઓ તો ફરીથી પાછા ચાલવાનું શરૂ કરવું. ક્યારેય આવી કઠિન સ્થિતિ આવી નહીં, પરંતુ એમને વિવશતા કે દિીનતા કદી પસંદ નહોતી. પોતાના મનને તરત જ ઉત્સાહમાં લાવવાનું એ ખૂબ જાણતા હતા. કહેતા કે “વધારે પડતી સંપત્તિ દુઃખનું મૂળ છે, ખૂબ કમાઓ અને શુભ માર્ગે ખર્ચ કરો.” 19 Page #21 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં થોડું જ વધારે આનંદ આપે છે. આ સિદ્ધાંત જ એમની જીવનશૈલી દ્વારા અમને શીખવી ગયા. તેમના જીવનનો સંદેશ કે મૂલ્યાંકન છે: “આચરણ અધિક, ઉપદેશ-ચર્ચા ઓછી.” વિદ્યાવિજયજી મ. સા. પાસેથી શિવપુરીમાં શીખેલી અને અપનાવેલી વિચારધારા : જે થવાનું હશે તે થશે, જે થાય તે સારાને માટે, ઉતાવળ ન કરો અને ખેદ ન કરો.' ઝષાયમુરિત નિમુવિવ’ – કષાયોથી મુક્તિ જ ભવ-મુક્તિ છે. એ સિવાયની કોઈ બાબત પર લક્ષ્ય રાખવું નિરર્થક છે. સમયે યમ! મા પમાય’ મહાવીરે મુખ્ય ઉપદેશ પરમ શિષ્ય ગૌતમને સંબોધીને આપ્યો હતો - હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો. જેન ધર્મનો આ જ સાર છે. સારો માર્ગ જાગૃતિનો છે. જે ક્રિયાઓમાંથી જાગૃતિનું લક્ષ્ય નીકળી ગયું છે તે ક્રિયાઓ માત્ર નિરર્થક જ નહીં, નુકસાન કરવાવાળી છે. પાંડિત્યપૂર્ણ વાતો સાંભળી અવારનવાર કહેતા. “બહુ જ સારું પરંતુ હોંશમાં રહેજો.' ‘ડું-અમેતિ મંત્રો’ – “અહં અને મમ' - મોહના બે મહાશસ્ત્રો છે. આ શત્ર દરેક સ્થાને છુપાઈને આવે છે, ખાસ તો પંડિતાઈમાં વિશેષ રૂપથી. અમને ખિન અને મુંઝાયેલી સ્થિતિમાં જોતા ત્યારે કહેતા, “શાંત રહો, જે થઈ રહ્યું છે તે જુઓ. સ્વયંને જુઓ. મનને ભારે થવા ન દેશો.” વર્ષોથી વિપશ્યના ધ્યાન કરતાં કરતાં આ જ સમજાયું કે મનનો ભાર શરીર પર અભિવ્યક્ત થાય છે અને જો સાધક તેને તરત સમજી લે તો તે કષાયોમાં ફસાતો નથી અને નીકળવા માંડે છે. ‘પૂરગૃહ મદા:વું નિસ્પૃહત્વે મહાપુર્વ’ – બીજાની અથવા બીજા દ્વારા અપેક્ષા મહાદુઃખ છે અને તેનાથી મુક્તિ મહાસુખ છે.” “જ્ઞાનસારના આ ઉપદેશનું પુનરાવર્તન કરતા રહેતા હતા. જીવનમાં આર્થિક દૃષ્ટિએ કેટલાક પડતીના પ્રસંગો પણ આવ્યાં એ સમયમાં જે લોકોથી ઘોર નિરાશા પ્રાપ્ત થઈ તેમના પ્રત્યે મનમાં કોઈ કટુતા આવવા Page #22 -------------------------------------------------------------------------- ________________ ન દીધી. તેમની સાથે આજીવન સ્નેહસંબંધો બનાવી રાખ્યા. અમને સંસાર સ્વરૂપ સમજાવવા માટે આ એક ઘટના વિશે કહેતા : અમુક વ્યક્તિને તૈયાર કરી તેનું લગ્ન કરાવ્યું. તે સમયે તે કહેતો, “મારી ચામડીના જૂતાં બનાવીને પહેરાવું તો પણ આપના ઉપકારનો બદલો વાળી શકીશ નહીં, એ જ વ્યક્તિએ મુશ્કેલીના સમયમાં કહ્યું કે, “જાવ, જાવ, તમને આપવા માટે મારી પાસે કશું નથી. મને નહીં પણ આપની પત્ની અને બાળકોને પ્રેમ કરો.” આવા પ્રસંગો વર્ણવી કહેતા કે બુદ્ધિ કર્માધીન છે? પૂજ્ય માતાજીને નાની ઉંમરે કેન્સર થયું હતું. તેમના જેવી વિદુષી, ધર્મપરાયણ, તપસ્વી, કર્મઠ અને સમર્પિત સંગિની તો અનેક જન્મોમાં પણ ન મળે. ઘણા ઉપચાર કરાવ્યા પરંતુ નિદાન ઘણું મોડું થયું. તેમણે ઘણી સેવા કરી, એક વર્ષ બધું છોડી રાતદિવસ તેમની પાસે રહ્યા. એક દિવસ સંધ્યા-પ્રાર્થના કરતી વખતે તેમને આભાસ થયો કે અંતિમ દિવસ આવી ગયો છે. અમને કહ્યું, ત્રણ કલાક અથવા ત્રણ દિવસ એટલો જ સમય બાકી છે. એક કલાકમાં જ માતાજીની સ્થિતિ બહુ જ ખરાબ થઈ. બાપુજીસા સંપૂર્ણ સજાગ થઈ ગયા અને સંગિનીના સમાધિમરણની યોજના તૈયાર કરી લીધી. તેમણે માતાજીને કહેવાનું શરૂ કર્યું. ‘તમારો અંતિમ સમય આવી ગયો છે. તમને ભૂમિ ઉપર સુવાડી રહ્યા છીએ.” ઘોર અને અસહ્ય વેદનામાં પણ તેમનો સંદેશો માતાજીના મનમાં વીજળીની જેમ વ્યાપી ગયો, તેઓ પૂરેપૂરાં જાગી ગયાં. પૂજ્ય બાપુજી આગળ બોલ્યા, “સંસારમાંથી મન ઉઠાવી લો. બધાંની ક્ષમાપના કરી લો. અને પોતાના આત્મામાં ધ્યાન લગાવી દો. કોઈ આખરી ઇચ્છા હોય તો કહો.” ત્રણ પુત્રીઓ (ત્રણે પુત્રો કરતાં મોટી) અને ત્રણ પુત્રો (ત્રણે ઉંમરમાં નાના જ હતા. મોટો ૧૬ વર્ષનો અને સૌથી નાનો ૧૧ વર્ષનો)નો પરિવાર હતો. પરંતુ તેઓ એવા આત્મલીન થયાં કે બધું જ ભૂલી ગયાં. વિચારીને ધીમા સ્વરે બોલ્યાં, “મારા ગળાની કંઠી મોટી પુત્રીને આપી દેજો.' હાથ જોડીને પાસે ઊભેલા બધા જ પરિવારજનોની ક્ષમાયાચના કરી અને પછી શાંત થઈ ગયાં અને શાંતિમુદ્રામાં જ સંસાર છોડી દીધો. - ૩૧ વર્ષોનો સાથ, બાળકો, પોતાની ઉંમર ૫૫૧ વર્ષ. એક વર્ષથી દિવસરાત જેની સેવામાં હતા તેવી પત્ની ચાલી ગઈ. તેઓ હિમાલય જેવા બની ગયાકંઠમાંથી એક શબ્દ નહીં, આંખોમાં આંસુ નહીં. ઘરમાં કેટલાય સભ્યો ઉપસ્થિત 21 Page #23 -------------------------------------------------------------------------- ________________ હતા. નાના મોટા બધાં અસ્વસ્થ થયાં, પરંતુ તેના અભાવનું દુઃખ જણાવી દીધું નથી. બાળકોની સફળતા અને સંપન્નતા જોઈને એક-બે વાર કહ્યું હશે કે, “તે કેવળ તંગી જોઈને ચાલી ગઈ. સુખ જોઈ શકી નહીં.' તેઓ આવી વિપરિત સ્થિતિમાં આટલા અચલ કેવી રીતે રહ્યા? મૃત્યુને કદાચ ઊંડાણતી જાણતા હતા. આથી કેવળ પત્નીનું જ નહીં પરંતુ કોઈ પણ મૃત્યુ તેમને હલાવી શક્યું નથી. સને ૧૯૬૫માં પત્નીનો વિયોગ થયો. ૨૦૦૧ સુધી કોઈ અકાળ અકારણ ઘટના બની નહિ પાછો ભૂકંપ આવ્યો. પૌત્રી શુભાના લગ્નના માત્ર સાત દિવસ પહેલાં સૌથી મોટો પુત્ર માણેક, જે તેમના હૃદયનો માણેક હતો, દવાઓની મિશ્ર પ્રતિક્રિયાથી ગંભીર રીતે બિમાર થઈ ગયો. તે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં હતો ત્યારે જેમ તેમ કરી પૌત્રીના લગ્ન પતાવ્યાં. ૫ ફેબ્રુઆરી ૨૦૦૧, સવારે ૮-૩૦ વાગે હું ઘેર આવ્યો. તેઓ પોતાના નિત્યક્રમમાં વ્યસ્ત હતાં. થોડીવારમાં નિત્યક્રમ પરવારીને આવ્યા. મેં કહ્યું બેસી જાવ.” “બોલ બેટા'. મેં કહ્યું, “ભાઈસાહેબ હવે રહ્યાં નથી. તેમનો ચહેરો ગંભીર બની ગયો. શરીર સ્તબ્ધ થઈ ગયું. સ્થિતિ વિકટ થવા લાગી. પછી અચાનક બોલ્યા, મને એક મિનિટ આપ.” આંખો બંધ થઈ ગઈ ને જાણે ક્યાંક ખોવાઈ ગયા. ૧૫-૨૦ સેકન્ડ બાદ ફરી સ્વસ્થ થઈ ગયા. થોડી વાર પછી બોલ્યા, “જે થાય છે તે સારા માટે પર વર્ષનો યુવાન દીકરો અકસ્માત અકારણ મૃત્યુ પામ્યો. એવો પુત્ર જેણે ૧૬ વર્ષની ઉંમરે ઘરમાં માતાનું સ્થાન સંભાળ્યું હતું. પોતાના ગાઢ પ્રેમથી, સાહસ અને સમજથી પોતાના પરિવાર અને અગણિત લોકોને પ્રેમથી રહેવાનું શીખવ્યું અને રસ્તો બતાવ્યો. માણક ભાઈસાહેબે ભેંશાલી પરિવારમાં સંસ્કાર, સમૃદ્ધિ અને વિકાસ ત્રણેના પાયા નાંખ્યા હતા અને તેના વશમાં ચાર ચાંદ લગાડ્યા હતા. માણક પિતાના તો શ્રવણ જ હતા. જીવનમાં માણેક દ્વારા જેટલું સુખ અને સન્માન મળ્યું હતું તેટલું કોઈનાથી મળ્યું ન હતું. એવો પુત્ર અચાનક ચાલ્યો જાય અને તેઓ કહે, “જે થાય છે તે સારા માટે સંસારી માટે આ માનવું કે જાણવું અત્યંત અઘરું છે. ફરી પાછી તે જ અટલતા, એક શબ્દ નહીં, એક આંસુ નહીં, જીવન પૂર્વવત્. દરેક વખતે તે મૃત્યુને અંગૂઠો દેખાડતા. દરેક પરિસ્થિતિમાં તેઓ કાંઈખ ને કાંઈક સારું જ જોતા હતા. પુત્રીઓ ગઈ તો કહ્યું, જુઓ દુઃખ જોયું નહીં Page #24 -------------------------------------------------------------------------- ________________ અને સધવા તરીકે જઈ રહી છે. પુત્રી પછી જમાઈ ગયા તો પણ તે જ પત્નીના વિયોગનું દુખ જોયું નહીં.” વગેરે. ડિસેમ્બર ૨૦૦૫માં જી. ટી. હોસ્પિટલની એક સીડી જે તેઓ સામાન્ય રીતે ઉપયોગમાં લેતા ન હતા, તેના ઉપરથી તેઓ પડી ગયા. ઊતરતી વખતે વિચારતા હતા કે, “આનું હું સમારકામ કરાવીશ, પોતે જ પડી ગયા. નાની વહુ મીનું વર્ષોથી એમના સેવાકાર્યમાં જોડાઈ ગઈ હતી. આજે પણ એણે એ ક્રમ જાળવી રાખ્યો છે. તેનો ફોન આવ્યો. સમાચાર મળતાં જ હું દોડ્યો, તેઓ અધિક્ષકના ઓરડામાં બેઠા હતા, મેં ગભરાઈને પૂછ્યું, “શું થયું બાપુજી? સાંભળ્યું છે કે હાડકું ભાંગ્યું છે?તેમણે કહ્યું, “બહું સારું થયું. છેલ્લા પગથિયેથી પડ્યો, છેક ઉપરથી પડ્યો હોત તો?’ હાથમાં કાચો પાટો હતો અને ચહેરા પર હાસ્ય. જીવન માટે પ્રેમ હતો, પરંતુ કાયાની આસક્તિ નહોતી. પ્રત્યેક શ્વાસ ઋણરૂપ માનતા હોય એવી રીતે એઓ જીવન જીવ્યા. હું કઈ રીતે દરેક ક્ષણે સ્વસ્થ રહું જેથી મારું જીવન અન્યને ઉપયોગી થાય અને જીવન પ્રસન્ન રહે.” “દુઃખી દેખ કરુણા જગે સુખી દેખ મન મોર – દુઃખીને જોઈને મનમાં કરૂણા જાગે, સુખીને જોઈને મન પ્રસન્ન થાય. ઉચ્ચતમ બ્રહ્મવિહારી અધ્યાત્મભાવ તેમણે નિભાવ્યો. આ જીવન એમનો યજ્ઞ હતો. તેના વર્તન મૂનાથા:” અર્થાત્ ત્યાગીભોગવી જાણો એવા ઉપનિષદનું તેઓ અક્ષરશઃ પાલન કર્યું હતું. તેમણે, આ જીવન સત્યને સમજી લીધું હતું. એની પ્રમુખ પ્રતીતિ એ એમનો બિનસાંપ્રદાયિક સ્વભાવ હતો. બીજું સંસારમાં ખાસ તો મનુષ્યજન્ય મળવાથી દરેક પરિસ્થિતિમાં સુખી રહેવાની સહજ વૃત્તિ. ઈશ્વરનું દરેક માન્ય સ્વરૂપ તેમને માટે વંદનીય હતું. ઘરમાં વિભિન્ન દેવી દેવતાના અનેક ચિત્રો, શો-પીસ, કેલેન્ડર વગેરે હોય જ. દરરોજ તેઓ કૃષ્ણ, શંકર, દત્તાત્રેય બધાની સમક્ષ એટલી જ શ્રદ્ધાથી ધૂપ દીપ કરતા, જેટલી શ્રદ્ધાથી તેઓ મહાવીરસ્વામીની સમક્ષ કરતા. તેમનો ભગવાન આખરે કોણ હતો? તેમના માટે ઈશ્વર, એ તત્ત્વ હતું. જે સંસારના મોહ અને અસ્થિર સ્વભાવના જીવોમાં જાગૃતિ લાવવાની પ્રેરણા આપતું હતું, સહાયતા કરતું હતું. અથવા કહો કો જાગૃતિ અને કરૂણાનું પ્રતિક હતું. લાખો કરોડો નવકાર જપવા છતાં તેમના મનમાં પોતે જેને પરિવારના છે એવો ભાવ ન હતો. આ મહામંત્રના Page #25 -------------------------------------------------------------------------- ________________ મુક્ત આત્માઓ અને સાધુજનોના ગુણોના શરણે જવાથી સર્વ મંગળ સાધવાની યુક્તિ છે, આ જ વાત ઉપર તેમનું લક્ષ્ય હતું. નવકાર મંત્રમાં પંચપરમેષ્ટીના ૧૦૮ ગુણોનું રટણ તેમના મનમાં સતત ચાલ્યા કરતું. આ જ કારણ હતું કે સર્વ તપ કે નિયમો પાળવા છતાં જરા પણ આળસ કે રૂઢિના પટ ચઢવા દેતા ન હતા. દરેક ક્ષણે જાગૃત, પ્રતિક્ષણ સચેત. માનવ જીવનનો પૂરેપૂરો લાભ લેવા માટે જ તેમણે ગીતાના તમામ રોગો એકસાથે અપનાવ્યા હતા – કર્મઠતા, ભક્તિ, જ્ઞાનધ્યાન અને કર્મસંન્યાસ. તેમની વ્યાપક દૃષ્ટિના બે બીજાં ઉદાહરણો ઃ તેમની એક યોજના જે પૂ. વિજય ધર્મસૂરિજી સ્થાપિત થશોવિજય સંસ્કૃત પાઠશાળાથી પ્રેરિત હતી, તે હતીજૈન પંડિતો તૈયાર કરવાની. પરંતુ તેઓ સાથે સાથે એમ પણ કહેતા કે આ યોજના અંતર્ગત ૨૫ હિન્દુ પંડિત તથા ૨૫ મુસ્લિમ અને ખ્રિસ્તી પંડિતોને પણ તૈયાર કરો અને તેમના યોગક્ષેમનો ખર્ચ ઉપાડો. તે સમજતા હતા કે સર્વ પરંપરાઓમાં રૂઢિ અને વ્યક્તિપૂજા વધી રહી છે. તત્ત્વ અને સત્ત્વનું જ્ઞાન ઘટી રહ્યું છે. આટલા માટે જ જાણકારોને તૈયાર કર્યા સિવાય જાણકારીનો વધારો થઈ શકે નહીં. કષાયમુક્તિ જ એમનો ધર્મ હતો, સ્વધર્મ હતો અને તેનું શરણ તેમણે અપનાવ્યું હતું. ભક્તિ, તપ, વાંચન, ચિંતન, ધ્યાન, સેવા વગેરે કરતાં તેમણે આત્માના પ્રત્યેક ગુણને અનુભવમાં ઉતાર્યા હતા. જીવન એક પ્રયોગ બની ગયું હતું. કેવી રીતે પોતાના આત્માને સતત પ્રયત્નથી પરમાત્મારૂપ બનાવી શકાય, અથવા જિનેશ્વર, ઈશ્વરની કેવી રીતે ભક્તિ કરીએ જેથી આત્મા પવિત્ર બને. એક ઉદાહરણ : નાનપણથી જ ચૌદશનો ઉપવાસ રાખતા હતા. કેન્સરની બીમારીમાં પણ તેમણે તે ચાલુ રાખ્યો હતો. થોડાંક વર્ષો પહેલાં તેઓ પોતાની પુત્રી પુષ્પાને ત્યાં અમેરિકા ગયા હતા. તેણે કહ્યું કે, “મારા ઘરે ખાવાનું બંધ ન કરશો, આ ચૌદશે ઉપવાસ ન રાખશો. મારે ત્યાં વળી પાછા મે ક્યારે આવશો?’ તેમણે તરત જ વાત માની લીધી. મુંબઈ પાછા આવીને તેના બદલામાં અનુકૂળતા મુજબ ત્રણ દિવસના ઉપવાસ કરી લીધા. આધ્યાત્મનો અર્થ જ છે, ‘આત્માની સમીપ', ‘આત્મા પ્રેરિત થાય છે. જ્યારે મિથ્યાત્વ સહજ રીતે છૂટી જાય છે, ત્યારે દરેક કાર્ય કરતી વખતે સાધક સમતા અને આત્મામાં જ દૃષ્ટિ રાખે છે. તેનું જીવન આ જ દર્શાવે છે. પૂ. 24 Page #26 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી મ.ના બે પદ તેમની દૃષ્ટિ માટે યોગ્ય રીતે લાગુ પડે છે : ચારો ચરન કે વાસતે ગૌઆ વનમેં જાય, ચારો ચરે ચૌદિશી ફિરે, પન બાકી નજર બિરિયા માંય, ચારપાંચ સહેલિયાં મિલ, પાની હિલહિલ જાય, તાલી દીયે, ખડખડ હસે, બાકી નજર ગગરિયા માંય. અર્થાત જેવી રીતે ગાય ચરે દિશામાં ચારો ચરતી ફરે છે પરંતુ તેનું ધ્યાન તો વાછરડામાં જ હોય છે; જેમ ચાર-પાંચ બહેનપણીઓ પાણી ભરવા જાય, તાલી દે, ખડખડ હસે પરંતુ તેમનું ધ્યાન તો તેમની ગાગર ઉપર જ હોય છે, તેવી જ રીતે જ્ઞાનીની દૃષ્ટિ સંસારના તમામ કામ કરતાં, છતાં આત્મા પર જ રહે છે. “સંસારની સર્વ જવાબદારી અદા કરતાં, ખેલકૂદ ખાન-પાન, વેપાર-વ્યવહાર બધામાં રસ લેવા છતાં, તેમની દૃષ્ટિ પોતાના ઉજ્વળ આત્મા પર મંડાયેલી રહેતી હતી. દરેક કાર્ય દ્વારા જાણે કે તેને અધિક ઉજ્વળ બનાવવાનો પ્રયત્ન ચાલુ હતો. આવા વિરલા અનેક જન્મોમાં પણ દુર્લભ, વિશ્વવંદ્ય પૂજ્ય બાપુજીને અમારા સૌના કોટિ કોટિ વંદન.” (૩) આવા તપોનિધિ, પરમ જ્ઞાની, ઈશ્વર ભક્ત, સેવા રત્ન, સંસાર સાગરના ચતુર નાવિક, અનુપમ આત્મયોગી અને મૃત્યુંજય ઋષિ તુલ્ય સુશ્રાવક રૂપચંદજીને નમન કરીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ મહામાનવનું જીવન આપણને સર્વદા પ્રેરણા અને પથદર્શક રૂપ બની રહો. એમના પુત્રો વલ્લભભાઈ અને મંગળભાઈ તેમજ પરિવારે ૨૦, ૨૧ અને ૨૨મા જૈન સાહિત્ય સમારોહનું યજમાનપદ સ્વીકારી – શોભાવીને જ્ઞાનાંજલિ દ્વારા પિતા-ભ્રાતાને શ્રદ્ધાંજલિ અર્પી છે એમાં આપણે પણ આપણા આત્મભાવની એક પાંખડી ઉમેરીએ અને કવિ ન્હાનાલાલના પિતૃતર્પણ' કાવ્યની કેટલીક પંક્તિઓને સ્મરીએ : છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ; દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય. શ્વેત વસ્ત્રો સદા ધાર્યા, પ્રાણની શ્વેત પાંખ શા, તે જ વાઘા સજી જાણે ફિરિતો કો મનુષ્યમાં. 25 Page #27 -------------------------------------------------------------------------- ________________ સહવારે સાંજરે જેવો તપે ભાનુ દિને દિને, શીળા શીળે તપ્યા તેમ, દઝાડ્યા નહિ કોઈને. નિત્ય જીવનમાં મહાયોગી, તત્ત્વચિંતક ચિંતકો, ચતુર હતા સંસારે, તપોવને તપસ્વી મહીં. શું શું સંભારું? ને શી શી પૂજું પૂણ્યવિભૂતિએ પૂણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે. વિશ્વના સમગ્ર માતા-પિતાને આપણા વંદન હજો.. સૌજન્ય : ‘પ્રબુદ્ધ જીવન' તા. ૨૬-૧-૧૪ 26 ધનવંત શાહ drdtshah@hotmail.com મો. ૯૮૨૦૦૦૨૩૪૧ — Page #28 -------------------------------------------------------------------------- ________________ माणक सा. मेरी अनुभूति आदरणीय श्री माणकजी रूपचंदजी भंशाली के जीवनवृत, पर लेखन की जवाबदारी श्री धनवंतभाई ने मुझे दी है, यह मेरा परम सौभाग्य है कि मै आज तो कुछ भी लिख रहा हूँ यह सब उन्ही के आशीर्वाद का प्रतिफल है। आदरणीय श्री माणकजी भंशाली का जन्म दि. ०५/दिसम्बर/१९४८ को मुम्बई में श्री रूपचंदजी भंशाली के परिवार में हुआ । परिवार के प्रथम पुत्र यथा नाम तथा गुण उनका नाम ‘माणक' रखा गया । ऐसे नाम को चरितार्थ करने वाले माणकजी का जन्म सुसंस्कारी परिवार में हुआ । श्री माणक सा. जन्म से हि कुशाग्र बुद्धि के थे । असल में तो वे बुद्धि और भावना दोनों से समर्थ थे - इस प्रकार का सामंजस्य विरल लोगों में ही देखा जाता है । विलक्षण बुद्धि से वह देख पाते जो और नहीं देख सकते थे वह भावना से व प्रेम और साहस से वह कर पाते जो और कोई नहीं । जीवन भर की घटनाएँ इसी अद्भुत गुण-मिश्रण को दर्शाती हैं | आपकी धार्मिक कार्यों में विशेष रुचि थी। विरासत में मिले माता-पिता के संस्कार उनमें पुरी तरह से समाऐ हुए थे। वे पिता के परम भक्त थे। पिताश्री का कोई भी आदेश उनके लिये शिरोधार्य व पथ्थर की लकीर था । पढाई में बहुत होशियार थे, युं तो वे ३ बड़ी बहन से छोटे थे व दो छोटे भाईयों से बडे परन्तु उनका सभी के साथ अटुट स्नेह था । मुझे याह है कि घर में जब सभी के लिये वे कपडे लाते थे तो उन्हे हॉल में रख देते थे और सभी से कहते थे कि सब अपनी-अपनी पसन्द के ले लो फिर आखिरी मे जो बचा रहता था वो स्वयं अपने लिये रखते थे। वे पुरे परिवार की स्नेह की धुरी थे । उनका प्रिय वाक्य था 'जो देने में मजा आता है वो लेने मे नहीं' सदा दुसरों के कार्यो में साथ देने के लिये तत्पर, उदारता उनका सबसे प्रिय शौक था ।' बहुत ही अल्प आयु मे आपने व्यापार शुरु किया । पहले कपडे का व्यापार मूलजी जेठा मार्केट से करते थे उनके भागीदार एक सिंधी भाई गोप सेठ थे । फर्म का नाम था 'आदि टेक्सटाईल्स' | आप अपने व्यवसाय मे इतनी प्रामाणिकता से का करते थे कि वर्ष के अंत में जब हिसाब मिलाते और अगर मुनाफा ज्यादा होता तो सभी खरीददार व्यापारियों को वापस अपने मुनाफे मे से हिस्सा बिना 27 Page #29 -------------------------------------------------------------------------- ________________ मांगे दे देते थे इस प्रकार आपने पुरे कपडे मार्केट में छोटी सी उम्र में अपनी विशिष्ठ साख स्थापित की। माणक सा. व्यापार में दिव्य दृष्टा थे। कई वर्ष तक वे कपडे के व्यवसाय में रत थे लेकिन उन्हे कपडे के व्यापार में उधारी का चलन कतई पसन्द नहीं था इसलिये वे दुसरे मौको की तलीश में रहते थे । १९७० से शेयर मार्केट में रस रखने लगे थे । जब १९८३ में उन्हे पता चला कि मनुभाई माणकलाल जो कि मार्केट के दादा कहलाते थे । वो उभरती उम्र के नेमिष शाह के साथ मिलकर ENAM FINANCE नाम की कम्पनी खोलने जा रहे थे, तब उन्होने अपने प्रिय छोटे भाई वल्लभ के लिये तुरंत प्रस्ताव रखा कि वह भी जुड जाये । कुछ वक्त बाद शेयर मार्केट में ENAM के पाँव जमने लगे तो वे भी ENAM के बुलंदियों में पहुँचाने और पूरी तरह से शेयर मार्केट में जुट गए । इस तरह उन्होने कपडे के व्यापार से निजात पायी । यह उनकी कुशाग्रता ही थी कि उन्होने थोडे वक्त के बाद यह अनुभव किया कि भागीदारी उसी रूप में चलने वाली नहीं थी - यद्यपि उपर से अत्यंत सफल दिखती थी। उनके आग्रह पर नेमिष ने उससे परिवर्तन कुबूल किया । इस परिवर्तन के कारण भागीदारी आज भी कायम है । यह ज्ञातत्व है कि ENAM के नए आदर्शो, नई प्रमाणिकता के साथ उच्चतम मापदण्ड पर एक नया स्थान हाँसिल किया, जिसकी आज तक देश मे मिसाल दी जाती है। उन्होने शेयर बाजार में रह कर भी कभी कोई Hotel या जिसके उत्पाद मे NonVeg का उपयोग हो या शराब इत्यादि का उपयोग हो में कभी निवेश नहीं किया न हि वे किसी को उस बारे में सलाह देते थे । साधारणतया मार्केट में व्यापारी अपने सौदे या रुख को गुप्त रखते हैं। यह आवश्यक भी है क्योंकि 'जो जल्दी करे, इसीकी चाँदी हो' ऐसा यह मार्केट है। लेकिन माणेक सा. बडे उदार मन से लोगों को अपनी राय देते थे, अपना नुकसान कर के भी लोगों को बचाते थे। या नफा कराकर प्रसन्न होते थे । यद्यपि, वे तकनीकी रूप से (जैसे सी.ए. इत्यादि) शिक्षित नहीं थे, फिर भी अपनी सूझ-बूझ के कारण मार्केट में बडे-से-बडे व्यापारियों का भी भरपूर सम्मान पाते थे। शेयर मार्केट की Arbitration कमिटी में उन्होने महत्त्वपूर्ण काम किया और कई पेचीदा विवाद सुलझाए । साधारणतया, Arbitrator का पद धन्यवाद 28 Page #30 -------------------------------------------------------------------------- ________________ हीन होता है, परन्तु उन्होने चौतरफ का यश पाया । वह उनकी लोकप्रियता ही थी, जिस कारण एक उम्मीदवार को उन्होने, अनपेक्षित रूप से मार्केट का प्रेसिडन्ट बनवा दिया था । श्री माणक सा. व्यक्तिगत जीवन में बहुत धार्मिक स्वभाव के थे । रोज ध्यान, नव स्मरण, माला, पाठ इत्यादि करना, अष्ठमी, चतुर्दशी का उपवास करना कभी भी नहीं छोड़ते थे । अपने सिद्धांतो से वे कभी भी समझौता नहीं करते थे । वे हॉलाकि शेयर बाजार में व्यापार करते थे जो शुरु होता था उस समय पर १० बजे और वे ऑफिस जाते थे १२.३० बजे तब तक कभी भी ऑफिस फोन नहीं करते थे न ही उतार-चढाव के भाव लेते थे । वे सदा कहते थे कि सेठ वो ही होता है जो अपनी मर्जी से कार्य करे । समय उसी के हिसाब से चलेगा, वह समय के हिसाब से नहीं । माणक सा. हमेशा सम्बन्धों में प्रेम का निर्माण करते थें । वे परिवार, व्यापार, रिश्तेदार, बिल्डिंग, सोसायटी के हर व्यक्ति से प्रेम करते थे । हर व्यक्ति उनको अपने दिल की बात कहता था ये उनका प्रेम ही था कि सामने वाला सहज होकर अपने दिल की बात उनसे करता था । उन्हें हमेशा सबसे प्रेम करना, इतने बडे आदमी होकर भी सहज व्यवहार करना व हर एक के साथ प्रेम रे रहना, स्नेह देना उनके स्वभाव का अंतरंग हिस्सा था जो मैने देखा है | वे परिवार मे संस्कार के पोषक थे । उनका आग्रह रहता था कि हमें सबके साथ कैसे रहना, कैसे बडो को आदर देना, नित्य प्रणाम करना, इत्यादि उन्ही - सभी को सिखाया । बडो का आदर, छोटो को अपार स्नेह यह उनके इस विशिष्ट स्वभाव के कारण, वे पुरे परिवार, सभी रिश्तेदार के सबसे प्रिय पात्र थे । सबके हृदय में बसे हुए थे । कोई भी तकलीफ हो तो माणक सा. को कह दो उसका समाधान उनके पास था । हमेशा सबको साथ लेकर चलने का आग्रह था कभी भी कोई कार्य अकेले करने का निर्णय नहीं लिया, परिवार के आदर्श, पितृ भक्त थे । स्वास्थ्य के प्रति सजग थे । खान पान मे बहुत ध्यान रखते थे । जीवनभर प्याज लहसन एवं चाय का उपयोग नहीं किया । हमेशा सबसे स्वास्थ्य के प्रति सजग रहने का बोध कराते थे । एक घटना जिससे मुझे जीवन मे एक बड़ी शिक्षा मिली, का उल्लेख करना चाहता हुँ कि वर्ष १९९२ में माणक सा. रतलाम आए मै उनके साथ स्टेशन गया 29 Page #31 -------------------------------------------------------------------------- ________________ छोटा शहर है अच्छी जान पहचान है अतः मेने रौब डालने के लिये कहा फुफासा प्लेटफॉर्म टिकट लेने की कोई जरुरत नहीं है यहाँ सभी मुझे जानते है जब की उस वक्त प्लेटफॉर्म टिकट ५० पैसै का आता था उन्होने कुछ नहीं कहा । बस कहा प्लेटफॉर्म टिकट खरीदो । फिर घर आकर समझाया कि हम ५० पैसे की चोरी कर रहे है और उफर से रौब गाँठ रहे है और इसे अपनी होशियारी समझ रहे है। यह चोरी है ऐसा कभी मत करना, उनकी वह बात मेरे जीवन का एक टर्निंग पाईन्ट था। उनकी छोटी सी बात ने इतना बडा संदेश दिया कि आज भी जब भी कहीं पार्किंग, प्लेटफॉर्म इत्यादि का शुल्क चुकाता हुँ तो अचानक उनकी याह आ जाता है। चरित्र निर्माण में उनकी इसी तरह की छोटी छोटी सी बातो ने मेरा जीवन का तरीका ही बदल दिया । माणक सा. का अल्पायु (५२ वर्ष में) ०५/फरवरी/२००१ में निधन हो गया । जब उनका निधन हुआ उसके पुर्व उन्हे १३ दिन तक बॉम्बे हॉस्पीटल में इलाज के लिये भर्ती रखा गया था तब वहीं पर प्रतिदिन मुंबई जैसे शहर में जहाँ किसी के पास किसी के लिये समय नहीं है उनके लिये रोज शाम एवं सुबह मिलने को करीबन २०० आदमी नीचे बैठे रहते थे। हम उन्हे समझाते थे फिर भी लोग घर नहीं जाते थे । वहीं बैठे रहते थे । पहले मै यह समझाता था कि माणक सा. सिर्फ मेरे है व मै ही उनके सबसे करीब हूँ और उनकी जिन्दगी में भी ऐसा ही है परन्तु मेरा यह भी भर्म टुट गया जब उनके निधन के पश्चात् सेकडो लोगो से मै मिला जो यही कह रहे थे कि तो सिर्फ उनके थे। उनके सबके जीवन मे सबसे प्रिय, सबस नजदीकी व्यक्ति अघर कोई था तो वे श्री माणक सा. थे। यद्यपि माणक सा. आज वो हमारे बीच नहीं है परन्तु उनके बताए मार्ग पर हम सभी उनकी यादों के सहारे आगे बढ़ रहे है। ये सभी यादें चिरस्मरणीय रह कर पग-पग पर हमारा मार्गदर्शन करती रहेगी। उनकी धर्मपत्नी लता जी मेरी भुआ है धर्म के मार्ग पर बहुत आगे बढ गई, उदारता उनके रोम-रोम में बसी हुई है । उनका पुत्र आकाश सच मे यथा नाम तथा गुण आकाश की तरह पुरे परिवार को साथ लेकर आगे बढ़ रहा है । उनके छोटे भाई श्रीवल्लभजी भंशाली का नाम पूरे दश में प्रामामिक, देश हितचिंतक के रुप में जाना जाता है। निवेश बाजार में उनके विचारो को अलग रूप से देखा जाता है एवं श्री Page #32 -------------------------------------------------------------------------- ________________ मंगलजी भंशाली समर्पित भाव से मानव सेवा के कार्य में लगातार आगे बढ़ रहे है, परिवार के धार्मिक एवं मानव सेवा के कार्य में लगे गुए है । यह श्री माणक सा. द्वारा दिए गए संस्कार ही है कि हम अपने परिवारो को आज साथ लेकर चल रहे है । हर कार्य मै करता हुं और सोचता हूँ कि अगर आज माणक सा. होते तो मै कैसे करता या उनका क्या आदेश होता उसी तरह मै उस कार्य को करने की कोशिश करता हूँ। ___ मै सदैव ऋणी हुँ, रहुंगा आदरणीय माणक सा. का व भंशाली परिवार का... प्रणाम। अंत में चार पंक्तियों के साथ कलम को विराम, मीठी मधुर स्मृतियां आपकी, कभी नहीं मिट पाएगी । आपका व्यवहार, आपकी बात सदैव हमें याद आएगी॥ आपका विरल व्यक्तित्व प्रेरित सदा करते रहेगा। आपका आत्मविश्वास, हममें होलाला भरता रहेगा। मेरी अनुभूति के साथ विनम्र हृदय से माणक सा. को भावांजलि । रतलाम मुकेश जैन ०८.०१.२०१४ 31 Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ખંડ-૧ – રાસાસાહિત્ય: સ્વરૂપ વિમર્શ મધ્યકાલીન સાહિત્યના બાગમાં અનેક પ્રકારનાં સાહિત્યકુસુમો ખીલ્યાં છે. રાસ, આખ્યાન, ફાગુ, પ્રબંધ, પદ, સઝાય, સ્તવન, ચોવીસી, બારમાસી, મહિના, તિથિ, કક્કો, વિવાહલો, થાળ, આરતી જેવા અનેકવિધ પ્રકારોએ મધ્યકાલીન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ પ્રકારોમાં વધુ વ્યાપક સાહિત્ય પ્રકારોમાં રાસ અને આખ્યાનને ગણી શકાય. હેમચંદ્રાચાર્યે સિદ્ધહૈમ વ્યાકરણમાં ગુજરાતી ભાષાનું પારણું બાંધ્યું, એ પછી થોડાં જ વર્ષોમાં રાસલેખનની પ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. | ઉપલબ્ધ રાસોમાં શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર બાહુબલિ રાસ' સર્વપ્રથમ ઉપલબ્ધ થાય છે. આ રાસમાં કવિએ બે ભાઈઓના રાજ્ય માટેના યુદ્ધનું વીરરસસભર આલેખન કર્યું છે. મધ્યકાળમાં આ રાસાલેખનની પ્રવૃત્તિ સારી એવી વિસ્તરી. મૂળના ગેય અને ટૂંકા રાસો દીર્ઘ-દીર્ઘ બનવા લાગ્યા. રાસાઓમાં કથાસાહિત્યનો ઉમેરો થયો. આથી ગેય અને નર્તનક્ષમ રાસાઓ પઠન-પાઠનના વિષય બન્યા. મધ્યકાળમાં સમયસુંદરજી, જિનહર્ષસૂરિ, ઉદયરત્નજી, જ્ઞાનવિમલસૂરિ, ઋષભદાસજી, મોહનવિજયજી જેવા અનેક કવિઓએ વિપુલ માત્રામાં રાસો લખ્યા. એ જ રીતે હેમચંદ્રાચાર્યથી નરસિંહ સુધીના કાળખંડમાં પણ વિપુલ પ્રમાણમાં રાસાઓનું સર્જન થયું હતું. આ રાસની બહુલતાને લીધે કેકા.શાસ્ત્રી પૂર્વ મધ્યકાળના કાળખંડને “રાસાયુગ” તરીકે ઓળખાવે છે. આ રાસસ્વરૂપ ક્યાંથી આવ્યું? એની શું વિશેષતા છે? આ સ્વરૂપનાં લક્ષણો શું છે? એ અંગે આપણે અહીં વિગતે વિચાર કરીશું. ગ્રંથોમાં “રાસ’ શબ્દનો ઉલ્લેખ જોઈએ તો “હરિવંશપુરાણમાં “રાસ” શબ્દનો ઉલ્લેખ મળે છે. ઈશુની બીજી સદીમાં રચાયેલ હરિવંશપુરાણથી માંડી બહ્મવૈવતપુરાણ, ભાગવત આદિ ગ્રંથોમાં “રાસ’ શબ્દનો ઉલ્લેખ થાય છે. આ Page #34 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથોમાં રાસક્રીડા, રાસગોષ્ઠિ, રાસગૃત ઇત્યાદિ શબ્દો પ્રયોજાયેલા છે. આ ઉલ્લેખો પરથી સ્પષ્ટ થાય છે, ‘રાસ’ શબ્દનો મૂળ અર્થ કૃષ્ણ-ગોપીની રાસક્રીડા કે અપ્સરા અને વીરપુરુષોની નૃત્યક્રીડા કે સુંદર સ્ત્રીનું નૃત્ય જેવા હોવા જોઈએ. ભામહ અને અભિનવગુપ્ત પણ રાસને નૃત્યપ્રકાર તરીકે વર્ણવે છે. અભિનવગુપ્ત કહે છે, “ચિત્રવિચિત્ર તાલ અને લયવાળું, અનેક નર્તકીઓએ યોજેલું ૬૪ યુગલો સુધીનું સુકોમળ એ ઉદ્દત પ્રયોગવાળું નૃત્ત તે રાસક કહેવાય છે.’ (અભિનવ ભારતી ગ્રંથ-૧ અધ્યાય ૪-૨૬૮-૨૬૯) શ્રી હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસન ગ્રંથમાં પણ ૬૪ સુધીનાં યુગલો રાસ ૨મે એમ કહ્યું છે. આ રાસના પ્રકારો શારદાતનય ‘ભાવપ્રકાશ' ગ્રંથમાં દર્શાવે છે, મંડલરાસ, લતારાસ અને દંડરાસ. મંડલરાસ એટલે ગોળાકાર કૂંડાળામાં રમાતો રાસ, લતારાસ પછીથી ‘તાલરાસ’ એટલે કે તાળી પાડીને રમાતા રાસમાં વિકસિત થયો. તો દંડરાસ (લકુટારાસ) એટલે હાથમાં લાકડીના દંડ લઈ રમાતો રાસ. આ તાલરાસ અને લકુટારાસના ઉલ્લેખો પ્રારંભિક રાસાઓમાં જેવા મળે છે. ઈ.સ. ૧૧૭૧માં રચાયેલા સપ્તક્ષેત્રરાસ'માં આ રાસોનો ઉલ્લેખ મળે છે. આમ, પ્રારંભિક રાસાઓ ગેય અને નર્તનક્ષમ હતા. આ નર્તનની સાથે જ ભરત રૂપક પ્રકાર તરીકે પણ ‘રાસ’નો ઉલ્લેખ કરે છે. આમ, ગેય, નર્તનક્ષમ અને ક્યારેક અભિનયક્ષમ એવું આ રાસનું સ્વરૂપ રહેતું. આ ઉપરાંત મધ્યકાળમાં ‘રાસ’ નામનો છંદ પણ પ્રયોજાતો. ૨૧ માત્રાનો માત્રામેળ છંદ એ સમયના પ્રાકૃત પિંગળમાં નોંધાયો છે. તેમ જ આ નામના છંદનો વપરાશ પણ મળે છે. વળી, છંદોના સમૂહને કે વિશિષ્ટ છંદોની ગોઠવણ પણ ‘રાસક’ તરીકે ઓળખાય છે. છઠ્ઠીથી આઠમી સદીમાં થયેલ વિરહાંક નામના પ્રાકૃત પિંગળકાર ‘વૃત્તસમુચ્ચય’ ગ્રંથમાં કહે છે. ‘અડિલા, દુવહઅ (દોહા), મત્તા (માત્રા), રડ્ડા અને ઢોસા જેવી અનેક છંદોથી રાસકની રચના કરવામાં આવે છે.’ આમાં ‘અડિલા’ છંદની વ્યાખ્યા નોંધપાત્ર છે, આ વ્યાખ્યા તેના નૃત્ય સાથેના સંબંધને પુનઃ જીવંત કરે છે. અડિલા છંદ એટલે જેમાં આભિરી ભાષા પ્રયોજાય, જેનાં પદોમાં ચમક પણ હોય અને જે કાનને સુખદ લાગે તે છંદ.’ 33 Page #35 -------------------------------------------------------------------------- ________________ આ બધી જ વ્યાખ્યાઓ રાસના ગેય અને નર્તનક્ષમ સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે. મધ્યકાળમાં આ ગેય-નર્તનક્ષમ ક્વચિત અભિનયક્ષમ એવા આ પ્રકારમાંથી ક્રમશઃ પાઠ્ય અને શ્રાવ્ય એવા સ્વરૂપ રૂપે રાસનો વિકાસ થયો. પ્રારંભિક રાસાઓ ગેય અને નર્તનક્ષમ હતા, એની સાથે જ પાક્ય એવા સ્વરૂપનો વિકાસ થતો રહ્યો. ભરતેશ્વર બાહુબલિ રાસ જેવી પ્રારંભિક કૃતિઓમાં પણ પઠન-પાઠનનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. આ ઉત્તરકાલીન રાસોમાં મહાપુરુષો - ઐતિહાસિક પુરુષોની કથા, તીર્થોનો મહિમા, ઐતિહાસિક ઘટનાઓ – ચૈત્ય પ્રતિષ્ઠા, ગુરનિર્વાણ કે ગુરુના પટ્ટાભિષેક આદિની વિગતોનું વર્ણન આદિ અનેક વિષયોનું આલેખન જેવા મળે છે. શ્રી વિજયરાય ક. વૈદ્યના મતે “રાસ કે રાસો એટલે પ્રાસયુક્ત પદ્યમાં (દુહા, ચોપાઈ કે દશી નામે ઓળખાતા વિવિધ રાગોમાં) ધર્મવિષયકને કથાત્મક કે ચરિતાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય છે તેવું; પણ સમકાલીન દેશસ્થિતિ તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબું કાવ્ય” રાસસાહિત્ય ગુજરાતી સાહિત્યના આરંભકાળને છાઈ દીધો છે, તો ઉત્તર મધ્યકાળમાં પણ એક સશક્ત સાહિત્યપ્રકાર તરીકે સાહિત્યભંડારમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાસકાર કવિઓએ ધર્મકથાઓ અને ચરિત્રકથાઓની સાથે જ સમકાલીન પ્રચલિત અનેક લોકકથાઓને ધાર્મિક રૂપ આપી રાસાઓમાં વણી લીધી છે. આ કથાઓના વિસ્તૃત આલેખને લીધે પ્રારંભના ટૂંકા રાસાઓએ ક્રમશ: મહાકાવ્ય જેવા વિશાળ સ્વરૂપને ધારણ કર્યું છે. રાસ એ જૈન કવિઓ દ્વારા વિકસાવાયેલો અને ખેડાયેલો પ્રકાર છે. આમાં સંદેશકરાક' જેવા કેટલાક અપવાદો મળે, પરંતુ મુખ્યરૂપે તો જૈન કવિઓ દ્વારા રચાયેલ હોવાથી તેના વિષયવસ્તુમાં મોટે ભાગે જૈનધર્મના મહાપુરુષોની કથાઓનું આલેખન રહેતું. એની સાથે જ સમકાલીન કે ઐતિહાસિક કથાવસ્તુઓનું પણ આલેખન થતું. એ જ રીતે કેટલાક રાસોમાં ઉપદેશનું તત્ત્વ પણ રહેતું. આમ, રાસના મુખ્ય ચાર પ્રકાર ગણાવી શકાય: (૧) કથાત્મક : ભરતેશ્વર બાહુબલિ રાસ, ચંદનબાલા રાસ, નેમિનાથ રાસ આદિ. 34 Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨) ચરિત્રાત્મક : ગડુશા, પેથડશા, સમર વિસલદેવ, વસ્તુપાલ-તેજપાલ આદિ. (૩) બોધાત્મક: જીવદયા ચસ, મોહવિવેક ચસ, કર્મવિપાકરાસ આદિ. () પ્રકીર્ણ: તીર્થ મહિમા, વિધિ-વિધાન, પૂજાપદ્ધતિ તેમ જ આરોગ્ય શાસ્ત્ર, છંદશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર આદિ અન્ય વિષયોની રચનાઓ. આમ, રસનું વિષયવસ્તુ એ પહેલું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. બીજું વાવર્તક લક્ષણ રાસને પ્રારંભે આવતું મંગલાચરણ ગણાવી શકાય. આ મંગલાચરણમાં જિનેશ્વરદેવ, સરસ્વતીદેવી, ગુરુ, અંબિકાપવાવતી દેવી આદિનું સ્મરણ જેવા મળે છે. ત્રીજું લક્ષણ અંતે આવતું પ્રશસ્તિવચન છે. રસને અંતે કવિ આ ચસ ક્યાં રઓ, કોની સહાયથી રો આદિ વિગતો આપે છે. ચરકૃતિની ફ્લશ્રુતિમાં જૈન ધર્મની દષ્ટિએ અંતિમ ધ્યેય મોક્ષનું જ સ્થાન મહત્ત્વનું રહેતું. ચસકૃતિઓનું ચોથું લક્ષણ ધર્મબોધ છે. આ કવિઓ કથાના વિવિધ રંગો દર્શાવીને અંતે મોક્ષમાર્ગની સાધના પ્રતિ ભાવનું લક્ષ્ય કેન્દ્રિત કરવા ઇચ્છે છે. ચરચના માટેનું પદ્યવાહન એ રાસકૃતિઓ માટેનું વાવર્તક લક્ષણ છે. પંદરમા શતક પૂર્વેના ચસો મુખ્યત્વે માત્રામેળ છંદોમાં લખાયા છે, ત્યારે ઉત્તરકાલીન ચસો દેશીઓમાં રચાયા છે. દેશીનો ઉલ્લેખ અન્ય કૃતિની પ્રચલિત પ્રારંભિક કાવ્યપંક્તિઓ દ્વારા થતો. પ્રારંભની રચનાઓમાં ભાષા, ઠવણી, કડવક, પ્રસ્તાવ જેવા વિભાગોમાં વહેંચવામાં આવતી. ઉત્તરકાલીન રચનાઓ ખંડ, ઉલ્લાસ અધિકાર એવા વિભાગમાં વહેંચાય છે. ઉત્તરકાલીન રચનાઓમાં પવૅવાહનનું એક ચોક્કસ માળખું જોવા મળે છે. રસ દુહા-ઢાળ-દુહા-ઢાળ એવા વિભાગમાં વિભક્ત રીતે આલેખન થતું. રસના અન્ય ઉપલક્ષણોમાં ગૌણ અથવા અવાંતર કથાઓ તેમ જ પૂર્વભવ-કથા પણ ગણાવી શકાય. ચ પ્રકાર મધ્યકાલીન સાહિત્યમાં અત્યંત નોંધપાત્ર સાહિત્યપ્રકાર તરીકે સ્થાન પામ્યો. વિપુલતામાં લખાયેલા આ પ્રકાર વિશે શ્રી હરિવલ્લભ ભાયાણી, કે.કા.શાસ્ત્રી, અગરચંદજી નાહa, શ્રી ૨ ચિ. શાહ જેવા અનેક વિદ્વાનોએ સંશોધન વિવેચનકાર્ય કર્યું. ડૉ. ભારતી વૈદ્ય રસાસાહિત્ય' પર પીએચ.ડી.નું મૂલ્યાંકન કાર્ય કર્યું. મારા પીએચ.ડી. માર્ગદર્શક ડો. દેવબાલા સંઘવીએ હરિબલરાસ' પર શોધકાર્ય કર્યું તેના પ્રથમ પ્રકરણમાં ચસ વિશે 35 Page #37 -------------------------------------------------------------------------- ________________ મૂલ્યવાન ચર્ચા કરી, આ સર્વે ચર્ચાને આધારે અહીં પ્રાસ્તાવિકમાં “રામસ્વરૂપ વિશે, તેમ જ તેના સ્વરૂપલક્ષણ વિશે એક સમજણ આપવાનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. હવે, આ પ્રસ્તાવનાના બીજા ખંડમાં આ પુસ્તકમાં સમાવેશ પામેલા રાસાવિષયક નિબંધોનો પરિચય મેળવીશું. ખંડ-૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે સ્વ. ડૉ. ૨. ચિ. શાહના પુરુષાર્થથી લગભગ દર બે વર્ષે જૈન સાહિત્ય સમારોહનું આયોજન થતું હતું. જેની ધૂરા તેમના અવસાન પછી ડૉ. ધનવંત શાહે સંભાળી લીધી છે. તે જ ઉપક્રમે ૨૧મો જૈન સાહિત્ય સમારોહ પાવાપુરી (જિ. સિરોહી – રાજસ્થાન) મુકામે યોજાયો. આ સમારોહમાં પત્રકારત્વ અને રાસાસાહિત્ય આ બે વિષયો રખાયા હતા. લગભગ ૮૦ જેટલા નિબંધો વિવિધ રાસો પર વંચાયા હતા. આમાંના કેટલાક પસંદ કરેલા રાસાવિષયક લેખોનું આ પુસ્તકમાં સંપાદન કરવામાં આવ્યું છે. કથામૂલક અને ઐતિહાસિક રાસોમાં ર૭ જેટલા લેખો સમાવેશ પામ્યા છે. આ લેખોમાં સર્વપ્રથમ ગુજરાતી ભાષાના સંક્રાંતિકાળની કૃતિ પરના નિબંધને સ્થાન આપ્યું છે. પંચપાંડવ ચરિઉ રાસમાં અપભ્રંશમીશ્રિત ગુજરાતી ભાષામાં શાલિભદ્રસૂરિએ જૈનપરંપરા પ્રમાણે પાંડવ ચરિત્ર કેવી રીતે વર્ણવ્યું છે, તેનો સુંદર પરિચય નલિનીબેન શાહે આપ્યો છે. બીજા તૈતલિપુત્ર રાસમાં સહજસુંદરજીના કળાનો પણ ડૉ. શીતલ શાહે સુંદર રીતે પરિચય કરાવ્યો છે. “મૃગાવતી ચરિત્ર રાસમાં સમયસુંદરજીએ દર્શાવેલી માનવજીવનની ભાગ્યની અદ્ભુત ભયાનક રમતનો દીક્ષા સાવલાએ સુંદર પરિચય કરાવ્યો છે. ક્ષમાપનાના માધ્યમથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર ચંદનબાલા-મૃગાવતી જેવાં માસીભાણેજનું ચરિત્ર આલેખન આ રાસનું આકર્ષક પાસું છે. વલ્કલચિરી રાસમાં વનમાં ઊછરેલા અને સંસારની ગતિવિધિ ન જણનારા વલ્કલચિરીનું ચરિત્ર આકર્ષક બને છે. નલદવદતી રાસ' વિષયક લેખમાં ડૉ. ઉર્વશી પંડ્યાએ મહાભારત અને પ્રેમાનંદકૃત ‘નળાખ્યાનની નળકથાનો સંદર્ભ લઈ તુલનાત્મક ભૂમિકાએ કરેલું નળકથાનું અધ્યયન આપણું ધ્યાન ખેંચે છે. સમયસુંદરજીના ચાર અને તીર્થ વિષયક એક કુલ ૫ રાસોનું સુવિસ્તૃત અધ્યયન આ સમારોહ નિમિત્તે પ્રાપ્ત થાય છે, જેને લીધે સમયસુંદરજીની રાસકવિ તરીકેની પ્રતિભાનો 36 Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ પરિચય આપણને પ્રાપ્ત થાય છે. અજાપુત્રરાસ' વિશેનો ડૉ. ભાનુબહેન શાહનો લેખ અજાપુત્રની અદ્ભુતરસિક કથાવૃત્તાંતનો સુંદર રીતે પરિચય કરાવે છે. ચંદ્રપ્રભસ્વામીના ગણધરનું આ વીર અભુતરસસભર કથાનક એક નોંધપાત્ર કથા છે. ડૉ. ભાનુબેન શાહે થોડા સમય પૂર્વે અજાપુત્ર રાસમાળા' ગ્રંથ પ્રકાશિત કર્યો છે. અજાપુત્ર વિશે વધુ જાણવાની ઈચ્છા ધરાવનારા અભ્યાસીઓ આ ગ્રંથમાં વિવિધ અજાપુત્રકથાઓ જોઈ શકશે. ડૉ. અભય દોશીનો “અંબડરાસ' વિષયક લેખ પણ અભુત રસની અનુપમ કૃતિનો પરિચય કરાવે છે. આ અંબારાસનું ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન શ્રી બ. ક. ઠાકોરે “અંબડ વિદ્યાધર રાસ' નામે સંપાદન કર્યું છે. ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને પ્રસિદ્ધ વિવેચક શ્રી જયંત કોઠારી જયવંતસૂરિની કવિપ્રતિભાના ઉત્તમ અંશોના ચાહક હતા. “શૃંગારમંજરી' એ જયવંતસૂરિની રસસભર, અનેક સમસ્યાઓ તેમ જ વર્ણનથી સમૃદ્ધ રચના તરીકે ધ્યાન ખેંચે છે. આ જ કવિની અન્ય કૃતિ “ઋષદત્તાનાસનો કિરીટભાઈએ સંક્ષેપમાં સુંદર પરિચય કરાવ્યો છે. રાજસ્થાની ભાષાની છાંટ ધરાવતો દેવકીજીના છ પુત્રો વિશેનો રાસ પોતાની ભાષાસમૃદ્ધિથી ધ્યાન ખેંચે છે. ડો. જયશ્રી ઠાકોરે પ્રવાહી શૈલીમાં આ રાસનો સુંદર પરિચય કરાવ્યો છે. જેના માટે ધના શાલિભદ્રનું નામ ખૂબ જાણીતું છે. દિવાળી પર થતા ચોપડાપૂજનમાં એમનું અવશ્ય સ્મરણ થાય. ધન્નાજીનું અપૂર્વ ભાગ્ય તેમ જ તેમના ભાગ્યની ભાઈઓ દ્વારા થતી સતત ઈર્ષ્યા એને લીધે પુનઃ ધનાજીનું નગર છોડી જવું અને ફરી ભાગ્યનો ચમકારો. આવી ધન્નાજીની પરમસૌભાગ્યની આકર્ષક કથાનો નીતાબહેને ખૂબ સુંદર રીતે પરિચય કરાવ્યો છે. ઉદયરત્નજીની સુપ્રસિદ્ધ રચના “સ્થૂલિભદ્રજી નવરસોનું આપણા પ્રસિદ્ધ વિદ્વાન શ્રી જયંત કોઠારીના વિદ્યાર્થી ડૉ. કાંતિભાઈ શાહે અધ્યયન કર્યું છે. તેમણે આ લેખમાં ઉદયરત્નજી ઉપરાંત જ્ઞાનસાગરજી અને દીપવિજયજીની સ્થૂલિભદ્ર વિષયક રચનાઓનું અધ્યયન પ્રસ્તુત કર્યું છે, જે આ અધ્યયનને વિશેષ ધ્યાનાર્ડ બનાવે છે. તેમણે સ્થૂલિભદ્ર અને કોશાની કથાની સંવાદાત્મક શૈલીમાં થયેલી રજૂઆતની વિશેષતાને સુંદર રીતે દર્શાવી છે. 37 Page #39 -------------------------------------------------------------------------- ________________ લટકાળાનું ગૌરવવંતુ માન પામનારા કવિ મોહનવિજયજીની રચના ચંદરાજાનો રસ પોતાની કલ્પનાસમૃદ્ધિ અને વર્ણનવૈભવથી જાણીતી છે. શ્રી ભરતકુમાર ગાંધીએ આ રચનાનો કથાસાર આપતો સુંદર પરિચય આપ્યો છે. મધ્યકાલીન જૈન સાહિત્યના અંતિમ કવિ વીરવિજયજીની બે રચનાઓ વિશેના નિબંધો આ સંગ્રહમાં સ્થાન પામ્યા છે. આ નિબંધોમાં પ્રથમ સુરસુંદરી વિષયક નિબંધમાં આપણા પ્રસિદ્ધ વકતા ડૉ. પ્રવીણ સી. શાહ ઉપદેશાત્મક શૈલીમાં કથામાં રહેલ શીલમહિમા અને નવકારમંત્ર મહિમા પર પ્રકાશ પાથરે છે, બીજા લેખક શ્રીકાંત ધ્રુવ ધમિલકુમાર રાસની કથાનો વિસ્તૃત પરિચય આપે છે, જે તપના મહિમાને સુંદર રીતે વર્ણવે છે. દીપા મહેતા પૂનમિયા ગચ્છના કવિ ભાવપ્રભસૂરિનો હરિબલ માછી રાસનો ડો. દેવબાલા સંઘવીના પ્રકશિત શોધનિબંધ ભાવપ્રભસૂરિકત હરિબલ માછીવાસ ને આધારે સુંદર પરિચય આપે છે. પ્રથમ અહિંસા વ્રતનો મહિમા દર્શાવતી લોકકથાનાં તત્ત્વો ધરાવતી આ કથાની કલ્પનાલીલા આકર્ષક છે. ડૉ. દેવબાલા સંઘવીના અપ્રકાશિત શોધનિબંધમાં ભાવપ્રભસૂરિની અન્ય પ્રકાશિત – અપ્રકાશિત કૃતિઓનું સઘન અધ્યયન થયું છે. મધ્યકાળના અને રાસસાહિત્યના અભ્યાસની દૃષ્ટિએ આવા મૂલ્યવાન શોધનિબંધોનું ઝડપથી પ્રકાશન થવું ઘટે. આપણા પ્રસિદ્ધ અભ્યાસી વિદ્વાન બે રમિભાઈ ઝવેરીએ તેરાપંથી પરંપરામાં પ્રસિદ્ધ સાધુવંદણા રાસ'નો સુંદર પરિચય કરાવ્યો છે. જેના કવિએ પૂર્વે થઈ ગયેલા મહાન સાધુઓની ભાવભરી વંદના કરી છે. આ રાસમાં કોઈ એક નિશ્ચિત વ્યક્તિ નહિ પણ અનેક સાધુઓનું ચરિત્રલેખન થયું છે. શ્રી શાંતિકુશલત “અંજના તીરાસનો શ્રીમતી કોકિલા શાહે કથાસાર દર્શાવતો સુંદર પરિચય આપ્યો છે. એ જ રીતે પરદેશી રાજાનો રસ વિશે શ્રી સુધાબેન ગાંધીએ પણ પરિચયાત્મક દૃષ્ટિએ લખાણ કર્યું છે. શ્રીપાલ રાસ વિશે ડૉ. ધનવંત શાહનો લેખ કલાત્મક રીતે સંપાદિત થયેલ પ્રેમલ કાપડિયાના સંપાદનને અનુલક્ષે છે, સાથે જ શ્રીપાલરાસની તત્ત્વસભરતાનો પણ ટૂંકો પરિચય કરાવે છે. | મુનિ પરંપરાના તેજસ્વી તારક શ્રી સોમવિમલસૂરિનો પરિચય મનોજ ઉપાધ્યાયના લેખ દ્વારા સુંદર રીતે મળે છે. આ જ ઐતિહાસિક રસોની પરંપરામાં Page #40 -------------------------------------------------------------------------- ________________ ‘કોચર રાસ’ એક નોંધપાત્ર ઐતિહાસિક રાસ છે. જેમાં કોચરના વ્રતપાલનનું તેમ જ દૃઢ અહિંસાનું સુંદર રીતે આલેખન થયું છે. શંખલપુરમાં એ કાળે દૃઢતાપૂર્વક હિંસા બંધ કરાવવાનું કાર્ય ક૨ના૨ કોચ૨ વણિકનું પ્રતાપી વ્યક્તિત્વ આ રાસમાં સુંદર રીતે આલેખાયું છે. તેણે ઢોરોને પાણી પિવડાવવાની વ્યવસ્થા કરી, તે માટે નીકોમાં પાણી જાતે ગળાય એવી વ્યવસ્થા એ જમાનામાં કરી. મધ્યકાલીન તંત્રજ્ઞાન (Technology)ના અભ્યાસની દૃષ્ટિએ પણ આ લેખમાં આવતો ઉલ્લેખ નોંધપાત્ર છે. પ્રાકૃતના અભ્યાસી શ્રી પૌરિક શાહે ભાષા અને ઐતિહાસિકતાની દૃષ્ટિએ સુંદર અભ્યાસ પ્રસ્તુત કર્યો છે. શ્રી કુમારપાળ રાજા અને શ્રી હીરવિજયસૂરિ – ગુજરાતના ઇતિહાસના બે પ્રતાપી અને પ્રભાવશાળી જૈન પાત્રો વિશે કવિ ઋષભદાસે વિસ્તૃત રાસાઓ રચ્યા છે. આ રાસાઓમાં આ મહાપુરુષોના જીવનને લેખકે અત્યંત ગૌરવશાળી રીતે વર્ણવ્યા છે. કવિ ઋષભદાસના હીરવિજ્યસૂરિ રાસ માટે તો એમ કહેવાયું; કે રાણકપુર ન જોયું હોય અને હીરસૂરિ રાસ ન સાંભળ્યો હોય તો તમારો જન્મ ગર્ભાવાસમાં ગયો એમ સમજવો. શ્રી કુમારપાળ રાસ વિશે ડૉ. ઉત્પલા મોદીએ તો હીરવિજયસૂરિ રાસ વિશે પારુલબેન ગાંધીએ વિસ્તૃત કથાસાર અને સમીક્ષા કરતા નિબંધો લખ્યા છે, જે અત્રે સમાવેશ પામ્યા છે. જગડુરાસમાં કેસકુશલની કથા સાથે જ જગડુ વિશેની અન્ય દંતકથાઓ લોકકથાઓની સામગ્રી ડૉ. શોભના શાહે પ્રસ્તુત કરી છે. આમાંની ઘણીબધી સામગ્રી ચર્ચાસ્પદ લાગી છે. જે વિદ્વાનો આગળ વિમર્શની દૃષ્ટિએ પ્રસ્તુત કરી છે. કથાત્મક અને ઐતિહાસિક રાસમાં છેલ્લો રાસ આજના યુગના મહાપુરુષ આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના જીવનને વર્ણવે છે. રામચંદ્રસૂરિ, ભુવનભાનુસૂચિ, પં.ચંદ્રશેખરવિજયજી જેવા પ્રતાપી શિષ્યોના ગુરુ અને ઉત્તમ સંયમ જીવનારા, નિઃસ્પૃહી મહાપુરુષના જીવનચરિત્રને ‘ગુરુગુણ અમૃતવેલી રાસ'માં તેમના શિષ્યપરંપરાના એક આચાર્ય જગચંદ્રસૂરીશ્વરજી મહારાજે ખૂબ સુંદર રીતે આલેખ્યું છે. જ્યારે મધ્યકાલીન રાસાઓની પરંપરા અસ્ત પામી છે, એવા સમયે શ્રી જગચંદ્રસૂરિએ રાસનો અર્વાચીનકાળમાં પુનઃ આવિર્ભાવ કર્યો છે, તે નોંધપાત્ર છે. શ્રી કનુભાઈ શાહે સુંદર રીતે આ રાસનો પરિચય કરાવ્યો છે. તીર્થવિષયક રાસોમાં સર્વપ્રથમ રેવંતગિરિરાસ ' જૂની ગુજરાતીની સમયભૂમિકાનો રાસ છે. વસ્તુપાલ-તેજપાલના ગુરુ વિજયસેનસૂરિએ ખૂબ જ 39 Page #41 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાત્મક રીતે ગિરનારનું પ્રકૃતિસૌંદર્ય વર્ણવ્યું છે. તેઓ ગિરનાર તીર્થના મહિમાને પણ સુંદર રીતે વર્ણવે છે. ડૉ. રૂપા ચાવડાનો લેખ આ ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ રાસની સુંદર સમીક્ષા કરે છે. એ જ રીતે બીજો લેખ સમયસુંદરજી દ્વારા રચાયેલ શત્રુંજય તીર્થનો મહિમા દર્શાવતો “શત્રુજ્ય મંડણ રાસ' પર રેશમા પટેલે લખ્યો છે, તો કાપરહેડા (કાપરડા - રાજસ્થાન)ના મહિમા અંગે દયારત્નજીના રાસ પર ટૂંકો પણ સુંદર લેખ કુણાલ કપાસીએ લખ્યો છે. ત્રીજા પ્રકીર્ણ વિભાગમાં ઉપાધ્યાય યશોવિજયજીના દ્રવ્યગુણ પર્યાય રાસ' પર ડૉ. કોકિલા શાહના અભ્યાસલેખને સમાવ્યો છે. આ લેખમાં તેમણે આ ગૂઢ વિષયને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં આ રાસના ગહનતમ તત્ત્વોના વધુ વિમર્શ માટે તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ પાસેથી વધુ અધ્યયનશીલ લેખોની અપેક્ષા રહે છે. આચાર્ય જિનદત્તસૂરિ કૃત “ઉપદેશ રસાયન રાસ' સદાચારને અનુલક્ષે છે. આ રાસનો ટૂંકો પણ સુંદર પરિચય ડૉ. મિલિંદ જોશીએ આપ્યો છે. શ્રાવક જીવનને અનુલક્ષતા શ્રાદ્ધવિધિ અને પૂજાવિધિ અંગેના કવિ ઋષભદાસના બે રાસોનો વિસ્તૃત પરિચય રતનબહેને અને પાર્વતીબહેને પોતાના લેખોમાં કર્યો છે. આ બંને બહેનોએ પીએચ.ડીનો શોધપ્રબંધ પણ કવિ ઋષભદાસ પર જ કર્યો હતો. આ નિબંધસંગ્રહમાં પણ કવિ ઋષભદાસના પાંચ રાસો પરના નિબંધો સમાવેશ પામે છે. શ્રાવક કવિની આ ખરે જ નોંધપાત્ર સિદ્ધિ ગણી શકાય. | જૈન કવિઓએ સાહિત્ય ઉપરાંત તત્ત્વજ્ઞાન, પિંગળ, આયુર્વેદ, જ્યોતિષ આદિ અનેક વિષયોમાં ખેડાણ કર્યું હતું. એ સમયે લખાણનું મુખ્ય માધ્યમ પદ્ય હોવાથી આ વિષયની રચનાઓ પણ પદ્યમાં લખાતી. જયવિજયજી નામના કવિએ શકુનશાસ્ત્ર વિશેની વિસ્તૃત રચના ચોપાઈમાં એટલે કે રામસ્વરૂપમાં કરેલી છે. આ રચનાનો સંસ્કૃતના પ્રસિદ્ધ વિદ્વાન ડો. અજિત ઠાકોરે વિસ્તારથી પરિચય કરાવ્યો છે. આ પરિચયની સાથે જ તેમણે શુકન-અપશુકનના માનસશાસ્ત્રની પણ ચર્ચા કરી છે. રાસસ્વરૂપની આ જુદી તરેહનો વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ પણ પ્રકીર્ણ' શીર્ષક હેઠળ સાંકળી લીધો છે. | હિંદી વિભાગમાં બ્રહ્મજિનદાસના “આદિનાથ રાસ' વિશે ડૉ. વીરસાગર જૈનનો અભ્યાસપૂર્ણ લેખ ઉપલબ્ધ થયો છે. એ જ રીતે દિગંબર પરંપરાના અન્ય કવિ બ્રહ્મ રાયમલનો ‘નેમિશ્વરરાસ' વિશે ડૉ. કુલદીપ સિંહનો લેખ પણ રસપ્રદ 40 Page #42 -------------------------------------------------------------------------- ________________ છે. આ કૃતિઓ જૂની રાજસ્થાની – હિંદી અને ગુજરાતીનું સંમિલન ધરાવે છે. ‘શ્રી નેમિશ્વર રાસ’ બારમાસી પ્રકારની રચના છે. આ રચનામાં કવિએ રાજુલનો ૧૬મા સ્વર્ગમાં ઇન્દ્ર બનાવવાનો ઉલ્લેખ કર્યો છે, જે દિગંબર પરંપરા અનુસાર છે. શ્વેતાંબર પરંપરા પ્રમાણે રાજુલ ગિરનાર પરથી મોક્ષે ગયા છે. આ બંને રાસોની કથા દિગંબર પરંપરા અનુસાર છે. ડૉ. ગંગારામ ગર્ગ કનકસોમકૃત ‘અષાઢાભૂતિ રાસ’નો સુંદર પરિચય આપે છે. આ રાસમાં એક સ્થળે આવતું. ઘ૨ ઘ૨ નાટક હોહી' પદ પરથી મધ્યકાલીન ભારતીય સમાજમાં ‘નાટક’ ખૂબ પ્રચલિત હતું, એવો મત લેખકે દૃઢતાથી રજૂ કર્યો છે, તે ડૉ. ગર્ગનો મત વિવાદાસ્પદ છે. પ્રાચીનકાળમાં નાટ્યપરંપરા ભારતમાં વિદ્યમાન હતી, એ નિર્વિવાદ છે, પરંતુ મધ્યકાળમાં લોકનાટ્યના અપવાદે નાટક ભજવાતાં હતાં, એનું કોઈ પ્રમાણ મળતું નથી. અહીં કાવ્યમાં નાટક નૃત્યના અર્થમાં જ વપરાયો હોય એ સંભવ છે. શ્રીમતી સુમિત્રાબેન ટોલિયાનો લેખ પં. પ્રવર પદ્મવિજયજી ગણિવર રચિત શ્રી નેમિશ્વ૨૨ાસ’નું હૃદયસ્પર્શી રસદર્શન કરાવે છે. અંતિમ બ્રહ્મગુલાલકથા'ના શીર્ષકમાં રાસનો ઉલ્લેખ નથી, પરંતુ દિગંબર-૫રં૫રાની એક વિલક્ષણ કથાનો શ્રી પ્રતાપકુમાર ટોલિયાનો લેખ સુંદર રીતે પરિચય કરાવતો હોવાથી સમાવ્યો છે. શ્રી પ્રેમલભાઈ કાપડિયા સંપાદિત સચિત્ર કલાત્મક ગ્રંથરાજ કહી શકાય એવા ‘શ્રીપાલ રાસ'ના પાંચ પુસ્તકો વિશે આપણા સત્રના મુખ્ય આયોજક શ્રી ધનવંતભાઈ શાહે પ્રયોજનદૃષ્ટિએ મર્મગ્રાહી સમીક્ષા કરી છે. તેમણે શ્રી જૈનધર્મમાં નવપદની ઉપાસનાનું ઉચિત ગૌરવ કરી આ ગ્રંથની કલાત્મકતા અને જ્ઞાનમયતાની સુંદર રીતે નોંધ લીધી છે. ઓટાવા-કેનેડાના વિદુષી પ્રાધ્યાપિકા અનેવેલેવીએ આ ગ્રંથ વિશે વિશિષ્ટ દૃષ્ટિથી વાત કરી છે. જૈનધર્મનો કર્મસિદ્ધાંત તેમજ રાસમાં વર્ણવેલ દૃષ્ટિથી વાત કરી છે. જૈનધર્મનો કર્મસિદ્ધાંત તેમ જ રાસમાં વર્ણવેલ યંત્ર આરાધનાનો સુમેળ કેવી રીતે થાય છે, તે દર્શાવ્યું છે. ત્રીજો લેખ શ્રીમતી પ્રફુલ્લા વોરાનો છે, જે પુસ્તકના કલાત્મક અને આધ્યાત્મિક પાસાની સુંદર રીતે સમીક્ષા કરે છે. સાહિત્ય-સમારોહ પ્રસંગે પ્રકાશિત થયેલ આ કલાત્મક રાસસાહિત્યના પુસલ્તકની આ વિવિધ દૃષ્ટિકોણથી થયેલ સમીક્ષા રાસસાહિત્યના એક અત્યંત કલાત્મક પ્રકાશનમાં પ્રવેશવા ભાવક માટે એક માર્ગદર્શકની ગરજ સારશે. 41 Page #43 -------------------------------------------------------------------------- ________________ આ લેખોમાં પરિચયાત્મક લેખોનું પ્રમાણ સવિશેષ છે. જૈન સાહિત્ય સમારોહમાં ભાગ લેનારાઓમાં વિધિવતુ સાહિત્યના અભ્યાસીઓ કે અધ્યાપકો ઓછા હોવાથી આવું સહજ પણ છે. આમ છતાં પણ કેટલાક મૂલ્યવાન નિરીક્ષણો કે તુલનાત્મક સંદર્ભો ઉપલબ્ધ થયા છે, એ પણ મૂલ્યવાન છે. આ નિમિત્તે ડો. શીતલ શાહ જેવા અભ્યાસીઓએ સંપાદનકાર્ય પણ કર્યું, તે પણ નોંધપાત્ર છે. વળી, આ મધ્યકાલીન રાસસાહિત્યની સંપદા મુખ્યરૂપે કથાશ્રિત છે. પ્રકીર્ણ કે તીર્થવિભાગના કેટલાક લેખો છોડી મોટા ભાગના નિબંધો કથાત્મક રાસાઓ વિશે છે. એ અર્થમાં આ લેખો વિશ્વભરમાં આજે રસનો વિષય બનેલા કથાસાહિત્યના અધ્યયન સાથે સંકળાય છે. આમાંના અમુક લેખો ધન્યકુમાર, મૃગાવતી, સુરસુંદરી, ઋષિદરા જેવા જૈનપરંપરાનાં કથાનકો સાથે સંબંધ ધરાવે છે. તો અંબડ, અજાપુત્ર જેવા કથાનકોમાં લોકકથાનું તત્ત્વ જોઈ શકાય છે. કુમારપાળ, વિજય હીરસૂરિ જેવાં ઐતિહાસિક પુરુષોનાં જીવનચરિત્રો જોવા મળે છે, તો સાથે જ નળ-દમયંતી, સીતા-રામ, જેવા ભારતીય પરંપરામાં સર્વસ્વીકૃત ચરિત્રો પણ જોવા મળે છે. એમ, આ પુસ્તકના લેખો કથાસાહિત્ય, જૈનસાહિત્ય અને રાસાસાહિત્યના અભ્યાસીઓને અવશ્યમેવ લાભદાયી બને એમ છે. વલ્લભવિદ્યાનગરના સંસ્કૃતના અધ્યાપક ડો. દીક્ષા સાવલાએ આ સંપાદનમાં ખૂબ પ્રેમપૂર્વક સહાય કરી, તેમ જ મારા પીએચ.ડી.ના વિદ્યાર્થી ડૉ. સીમા રાંભિયાએ પણ આ સંપાદનકાર્યમાં પોતાનો હૃદયપૂર્વકનો સહયોગ આપ્યો. આ બંને સહ સંપાદકોનો હૃદયપૂર્વક આભાર. આ સાથે જ મધ્યકાલીન સાહિત્ય અને જૈનસાહિત્યના અભ્યાસીઓને આ લેખસંગ્રહ ઉપકારક બને એવી હૃદયપૂર્વકની શુભેચ્છા. સમારોહ પ્રસંગે ડો. જિતેન્દ્ર શાહે અધ્યક્ષીય વક્તવ્ય આપ્યું હતું, તેમનો પણ અત્રે આભાર માનું છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીગણ તેમ જ સમારોહના મુખ્ય સંયોજક શ્રી ધનવંત શાહે આ જવાબદારી માટે મને યોગ્ય ગણ્યો તે માટે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ૧-૮-૨૦૧૩, મુંબઈ. - ડૉ. અભય આઈ. દોશી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૧મા સાહિત્ય સમારોહમાં રાસ સાહિત્ય વિશેની વિવિધ ચર્ચા પાવાપુરી (જિ. સિરોહી-રાજસ્થાન)માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની શીતલ છત્રછાયામાં મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે શ્રી રૂપ માણેક ભંસાલી ટ્રસ્ટના સૌજન્યથી માર્ચ ૨૦૧૨ના દિવસોમાં જૈનસાહિત્ય સમારોહનું આયોજન થયું હતું. તેની ઉદ્દઘાટન બેઠકમાં અભ્યાસી વિદ્વાન બીવિજય ઝવેરીએ રાસસાહિત્ય વિશે ભૂમિકા બાંધતા કહ્યું, મધ્યકાલીન સાહિત્યમાં રાસપ્રકાર ખૂબ ખેડાયો છે. આ રાસ શબ્દના મૂળમાં ભલે રસ ન હોય, પણ રાસકૃતિઓમાં રસ તો અવશ્ય હોય જ છે. અહીં કોશાનો શૃંગાર જોવા મળે છે, શ્રીપાલ કથાનો અદ્ભુત રસ મળે, તો ઋષિદત્તા જેવી કથામાં કરુણ૨સ પણ મળે. પરંતુ, આ રસાત્મક સૃષ્ટિથી ઉપર જઈ તેમાં રહેલા પરમ શાંતને પામવો એ આપણું કર્તવ્ય છે. તેમણે રાસસ્વરૂપના પ્રારંભના ટૂંકા સ્વરૂપથી મધ્યકાળમાં થયેલ દીર્ઘસ્વરૂપની ભૂમિકા પણ બાંધી હતી. ‘રાસસાહિત્ય’ સત્રના અધ્યક્ષ તેમ જ એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજીના નિયામક શ્રી જિતેન્દ્ર શાહે આ પ્રસંગે પ્રકાશન પામેલા પ્રેમલ કાપડિયાના ‘શ્રીપાલાસ'ના કલાત્મક ૫ ખંડોની પ્રશંસા કરી હતી. એ સાથે જ શ્રાવક કવિ ઋષભદાસના ‘હીરસૂરિ રાસ’ના ઐતિહાસિક મૂલ્યો તેમ જ સુંદર વર્ણનો દર્શાવી આ રાસને ભાવિ પ્રકલ્પ તરીકે સ્વીકારવા સૂચન કર્યું હતું. શ્રી જિતેન્દ્ર શાહે વિવિધ નિબંધોની પ્રસ્તુતિ અંગે પણ પોતાની રસમય, વિસ્તૃત ચર્ચા રજૂ કરી હતી. આમ, ૨૧મા સાહિત્ય સમારોહમાં ૮૦ જેટલા રાસવિષયક નિબંધોનું વાચન, કલાત્મક રાસગ્રંથનું વિમોચન તેમ જ સાધ્યક્ષ અને વિદ્વાનોની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ રાસસાહિત્યમય બન્યું હતું. 43 Page #45 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૩ ૧૫ ૩૨. ४४ ૫૨ વિભાગ-૧ કથામૂલક રાસાઓ અને ઐતિહાસિક રાસાઓ પંચપાંડવ ચરિક રસ (શાલિભદ્રસૂરિ). - . ડૉ. નલિની શાહ તૈતલિપુત્ર રાસ.. ડો. શીતલ મનીષ શાહ મૃગાવતી ચરિત્ર-રાસ (કવિ સમયસુંદરજી) .... દીક્ષા એચ. સાવલા વલ્કલગીરી ચસ. ડૉ. મીતા જે વ્યાસ સમયસુંદરજી કૃત સીતારામ ચોપાઈ.... હિતેશ બી. જાની નલદવદંતી રાસ (સમયસુંદરજી)... ડૉ. ઉર્વશી એમ. પંડ્યા કવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ’ ... ડૉ. ભાનુબેન જે. શાહ અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ રાસ ... ડૉ. અભય દોશી મહાસતિ ઋષદના રાસ કિરીટકુમાર જયંતીલાલ શાહ દેવકીજી: છ ભાયારો રાસ... ડૉ. જયશ્રી ઠાકોર જિનવિજયજી કૃતઃ “ધના રાસ” ... શ્રીમતી નીતાબેન મધુકર મહેતા મહાસતી સુરસુંદરી રાસ... ડૉ. પ્રવીણ સી. શાહ .... ૧૧૯ ...૧૩૦ ૧૩૮ , . ૧૫૧ 44. Page #46 -------------------------------------------------------------------------- ________________ પંડિત મોહનવિજયજીકૃત – ચંદરાજાનો ચસ ભરતકુમાર મનહરલાલ ગાંધી સ્થૂલિભદ્ર નવસો (ઉદયરત્નજીકૃત). ડૉ. કાન્તિભાઈ બી. શાહ હિરબલ માછીરાસ. કવિ ભાવરત્ન શ્રી સાધુવંદણા રાસ. ડૉ. રશ્મિભાઈ જેઠાલાલ ઝવેરી અંજના સતીનો રાસ. ભાવપ્રભસૂરિ, દીપા મહેતા (કર્તા-અજ્ઞાત), પરિચય કર્તા : કોકિલા મહેન્દ્ર શાહ શ્રી સોમવિમલસૂરિ રાસ મનોજ અજિતચંદ્ર ઉપાધ્યાય શ્રીઆનંદસોમ વિરચિત પરદેશી રાજાનો રાસ (જ્ઞાનચંદજી). સુધાબેન ગાંધી કોચર વ્યવહારીનો રાસ - જૈન રાસા સાહિત્ય’ ઋષભકૃત કુમારપાળ રાસ ડૉ. ઉત્પલા કાંતિલાલ મોદી શ્રી હીરવિજયસૂરિ રાસ. ............................ 00000 સૌભાગ્યકુશલ રચિત : ગડુરાસ . ડૉ. શોભના આર. શાહ ૧૮૫ શ્રાવક કવિ શ્રી ઋષભદાસજી પારૂલબેન ભરતકુમાર ગાંધી ૨૧૪ ૨૨૫ શ્રી પૌરિક વી. શાહ શ્રીપાલ રાસ (રમણીય, દર્શનીય, મનનીય, ચિંતનીય, ચિત્ત પ્રશંસનીય, વંદનીય) . ૩૦૯ ડૉ. ધનવંત શાહ ગગનગંભી૨ ભક્તિરસ પ્રેરિત સૌંદર્ય સભર ગ્રંથ શ્રીપાલ ચસ. પ્રોફેસર અને વેલ્લેલી ઓટાવા-કેનેડા ૨૩૮ ૨૪૭ ૨૬૪ ૨૭૯ શ્રીપાલ રાસ' વિષયક જ્ઞાનખજાનાનું અજોડ-ઉત્કૃષ્ટ વિસ્તરણ ....... ૩૨૪ ડૉ. પ્રફુલ્લા વોરા ૨૯૬ ૩૧૯ ૩૩૭ ૩૪૮ ૩૦૯ 45 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪O° ૪૧૫ ગુરુગુણ અમૃતવેલી ચસ, પરિચયાત્મક રસ દર્શન................ ૩૯૪ કનુભાઈ શાહ વિભાગ-૨ તીર્થવિષયક નિબંધો કવિ સમયસુંદરજી કૃતઃ “શત્રુંજયમંડન ચસ”... પ્રા. રેશમા ડી. પટેલ ૫. દયારત્નવિરચિત શ્રી કાપરહેડા રસ ... કુણાલ કપાસી વિભાગ-૩ પ્રકીર્ણ દ્રવ્યગુણપયયનો ચસ: એક પરિચય.. . ૪૨૩ ડો. કોકિલા હેમચંદ શાહ કિવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ ચસનું સંક્ષિપ્ત વિવેચન ...૪૩૭ ડો. રતનબેન ખીમજી છાડવા શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ ચસ’ ... ડૉ. પાર્વતી નેણશી ખીરાણી આચાર્યશ્રી જિનદત્તસૂરિકૃત ઉપદેશ રસાયન ચસ: એક અભ્યાસ.૪૭૬ ડો. મિલિન્દ સનતકુમાર જોષી શકુનશાસ્ત્રચોપાઈ : ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભાત્ર શાસ્ત્ર...૪૯૬ ડૉ અજિત ઠાકોર Page #48 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૪ હિન્દી નિબંધો रेवंतगिरिरासु - एक परिचय .... .. ५०८ प्रो. डॉ. रूपा चावडा ब्रह्म जिनदास कृत 'आदिनाथ रास' : एक संक्षिप्त अध्ययन. ५२१ प्रो. (डॉ.) वीर सागर जैन ब्रह्मरायमलकृत नेमीश्वर रास का समीक्षात्मक अध्ययन ........ ५३४ डॉ. कुलदीप कुमार वाचक कनकसोम कृत आसाढभूति रास : ...................... ५५१ साहित्यिक और सांस्कृतिक मूल्यांकन डॉ. गंगाराम गर्ग श्री नेमीश्वर रास : पंडित प्रवर श्री पद्मविजयजी गणिवर.....५९१ श्रीमती सुमित्रा प्र. टोलिया ब्रह्म गुलाल मुनिकथाः (रास-हिन्दी). प्रा. प्रतापकुमार ज. टोलिया ૫૭૪ પરિશિષ્ટ ૫૯O 47 Page #49 --------------------------------------------------------------------------  Page #50 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ કથામૂલક રાસાઓ અને ઐતિહાસિક રાસાઓ Page #51 --------------------------------------------------------------------------  Page #52 -------------------------------------------------------------------------- ________________ પંચપાંડવ ચિઉ રાસ (શાલિભદ્રસૂરિ) ડૉ. નલિની શાહ મધ્યકાલીન સાહિત્યના ઘણા મોટા ભાગનું મૂલ્ય સાહિત્યકૃતિ લેખે નહિ પણ ઐતિહાસિક સાંસ્કૃતિક કે લોકકથા સામગ્રીની દૃષ્ટિએ છે. રાસ એ પ્રધાનપણે જૈનોએ ખેડેલો સાહિત્યપ્રકાર છે. મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુ કવિઓએ અનેક સાહિત્ય સ્વરૂપો જેવાં કે રાસા, બારમાસી, ફાગુ, ચોવીસી, સ્તવન સજ્ઝાય, પો વગેરેનું વિપુલ પ્રમાણમાં ખેડાણ કર્યું છે તેમાં સૌથી વધુ ખેડાણ રાસા સ્વરૂપનું થયું છે. ડૉ. જયંત કોઠારી લખે છે તે પ્રમાણે એ ગાળામાં રાસાનું ૧૬૦૦થી વધુ જૈન કવિઓએ વિપુલ સર્જન કર્યું છે. ઉપર આપેલા બધા પ્રકારોમાંથી ગુજરાતી સાહિત્યનો પ્રારંભ જૈન ચસા-સાહિત્યથી થયેલો મનાય છે. ૧૨મી સદીથી શરૂ થયેલા રાસ પરંપરા અવિરત ચાલુ છે. ગુજરાતી જૈન સાહિત્યનો પ્રવાહ ઈ.સ. ૧૪૮૦૦થી ઈ.સ. ૧૬૦૦ સુધીનાં ૨૦૦ વર્ષના ગાળામાં વધારે પૃષ્ઠ અને વેગવાળો બને છે. જૈન સાધુ કવિ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર આ ગાળામાં વહેવડાવ્યું છે. સચવાયેલી માહિતીઓને આધારે જે પ્રથમ રાસ આપણને મળે છે તે ઈ.સ. ૧૧૮૪માં શાલિભદ્રસૂરિએ રચેલો ભરતેશ્વર બાહુબલી રાસ’ છે. ત્યાર બાદ કવિ ચાસિગકૃત જીવદયા રાસ’ સંવત ૧૨૫૭માં રચાયા. ત્યાર પછીનાં ૨૦૦થી ૨૫૦ વર્ષના ગાળામાં એટલા રાસો રચાયા કે પ્રખર વ્યાકરણશાસ્ત્રી કે.કા.શાસ્ત્રી એ યુગને ‘રાસાયુગ' નામ આપે છે. સામાન્ય રીતે રાસાનું બંધારણ/સ્વરૂપ નીચેનાં લક્ષણોને આધારે નક્કી કરી શકાય. રાસોનો પ્રારંભ નમસ્કારાત્મક રહેતો. ૧. મંગલાચલણ આરાધ્યદેવને પ્રાર્થના. પ્રારંભમાં સરસ્વતી ૨૪ જિન દેવતા, પંચપરમેષ્ઠી કે ગુરુને અથવા આ બધાને પ્રણામ કરવામાં આવતા. - પંચપાંડવ ચિર રાસ 3 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨. નામ – ક્યારેક રાસના પ્રારંભમાં રચનાના વિષયનો નિર્દેશ પણ કરવામાં આવતો અને તેના હેતુનો ઉલ્લેખ થતો. ૩. કથાનું સ્વરૂપ. ૪. અવાંતર કથા. ૫. વિવિધ વર્ણનો. ૬. ગુરુપરંપરાનો ઉલ્લેખ વગેરે. ૭. રાસાના અંતમાં ફલશ્રુતિ આપવામાં આવતી. આમાં રાસના પઠનથી, શ્રવણથી કે નર્તનથી થનારા લાભ વર્ણવવામાં આવતા. ૮. રાસના અંતમાં કવિનું નામ અને ગચ્છની વિગત પણ આપવામાં આવતાં. ૯. રચનાના સ્થળ તથા સમયની માહિતી અંતે મૂકવામાં આવતી. ૧૦. કવિ અંતમાં સહુની કલ્યાણની કામના વ્યક્ત કરતા ને ક્યારેક કવિ પોતાની નમ્રતા પણ દર્શાવતા. ૧૧. રાસની રચના (૧૬+૧૬+૧૩) ૨૨ દ્વિપદી વળી સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈના મત પ્રમાણે ‘વિરાટપર્વના રચનાર શાલિભદ્ર સૂરિ અને પંચપંડવચરિઉ રાસ'ના રચનાર શાલિભદ્રસૂરિ કદાચ એક હોય તો ‘વિરાટપર્વ પણ ૧૫મા સૈકાની રચના ઠરે. આ રચનાઓ આખી સંસ્કૃત અક્ષરગણ મેળ છંદોમાં છે... સ્વાગતા, માલિની, ઉપજાતિ, ઉન્દ્રવજા, રથોદ્ધતા, વસંતતિલકા, ઉપેન્દ્રવજા, કૂતવિલંબિત આ છંદોમાં આખી રચના છે. પણ આ સમયમાં આ સિવાય અક્ષરમેળ છંદોની રચના મળતી નહોતી. એટલે નવીનતા અને વૈવિધ્ય ખાતર આ કવિઓએ અક્ષરમેળ છંદોમાં રચના કરી હોય એમ માનવું રહ્યું. જોકે માત્રામેળ છંદોની વચ્ચે ક્યાંક ક્યાંક અક્ષરગણમેળ છંદો વાપરવાની પ્રથા અપભ્રંશ સાહિત્યથી ચાલતી આવતી હતી. ૧૨. રાસોમાં છંદનું વૈવિધ્ય રહેતું પરંતુ ચોપાઈ અને દુહા વધુ પ્રચલિત હતાં. ૧૩. રાસી ગયા હતા. આ પ્રકારે ઢાળ, દેશી અને શાસ્ત્રીય રાગની સૂચના મૂકવાની પદ્ધતિ ૧૪મી સદીથી શરૂ થતી દેખાય છે. ૧૪. રાસનો વિસ્તાર શરૂમાં ઓછો હતો. શરૂઆતમાં રાસ ટૂંકા હતા 4* જૈન રાસ વિમર્શ Page #54 -------------------------------------------------------------------------- ________________ પણ પાછળથી તેનો વિસ્તાર વધતો ગયો. ઉપરનાં લક્ષણોથી રાસાનું સ્વરૂપ નક્કી કરી શકાય છે. શ્રી શાલિભદ્ર સૂરિએ રચેલી પંચપાંડચરિઉ રાસ' પ્રસ્તુત કર્યું છે. વિ. સં. ૧૪૧૦માં શાલિભદ્ર સૂરિએ આ રાસ રચેલો છે તેમાં જૈન પ્રણાલિકા પ્રમાણેનું પાંચ પાંડવોનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. ૩00 ઉપરાંત કડીની આ રચના ૧૫ ઠવણીમાં વિભક્ત છે. નેમિજીર્ણિદહ પય પણ એવી સરસતિ સામિણિ મનિ સામરેવી અંબિકિ માડી અણુસરઉ.” આમ નમસ્કારથી રાસનો પ્રારંભ કરીને શરૂઆતની બે ઠવણીઓમાં કવિ પાંડવોની આગલી ચાર પેઢીથી શાંતનુ રાજા સુધીની કથા આપે છે. શાંતનુ રાજના ગંગા સાથેનાં લગ્ન, ગાંગેયનો જન્મ તેની ભીષ્મપ્રતિજ્ઞા શાંતનુ રાજાના સત્યવતી સાથે લગ્ન. આ બધા પ્રસંગો એક પછી એક જલદીથી વર્ણવ્યા છે. આ પ્રસંગો બે ઠવણીમાં સમાવી લીધા પછી મૂળ કથાનકનો પ્રારંભ કરતા પણ કવિ શ્રી તીર્થંકર નેમિનાથ સ્વામી અને અંબિકાદેવીને પ્રણામ કરે છે. પણમી સામીલ નેમિનાહ અનુ અંબિકિ માડી પભણિસ પંડવ તણઉ ચરતિ અભિનવપરવાડી પહેલી ઠવણીમાં નમસ્કાર અને વસ્તુનિર્દેશ પછી કથાનો પ્રારંભ થાય છે. આદિ જીનેશ્વરના પુત્ર કર નરેન્દ્ર અને તેમના પુત્રે અમરાપુરી જેવા હસ્તિનાપુરની સ્થાપના કરી. તે નગરમાં શાંતિજીનેશ્વરજી થઈ ગયા. તેમના કુળમાં મહાબળવાન અને દાનવીર શાંતનુ રાજા થઈ ગયો, જેને શિકારનો ખૂબ શોખ હતો. શિકાર કરતાં એક વાર શાંતનુ જંગલમાં દૂર નીકળી ગયા. ત્યાં ગંગા કિનારે વનમાં એક મણિમય મહેલમાં જન્દુ રાજાની પુત્રી ગંગાને જોઈ તેને પરણ્યા ને તેમને ગાંગેય નામે પુત્ર થયો. ગંગાએ રાજાને શિકારની લત છોડાવવા પ્રયત્ન કર્યા, પણ રાજા ન માન્યા. છેવટે રાજના શિકાર શોખથી છંછેડાયેલી ગંગા પુત્રને લઈ પિયર ચાલી ગઈ. આમ ને આમ ૨૪ વર્ષ વીતી ગયાં. બીજી ઠવણીમાં કથા આગળ ચાલે છે. એક વાર રાજા શિકાર કરતો પંચપાંડવ ચરિઉ રાસ *5 Page #55 -------------------------------------------------------------------------- ________________ ગંગાતટે આવે છે ત્યાં બે ખભે બે ભાથાં અને હાથમાં ધનુષ્ય લઈ એક વીર બાળક આવે છે. અને રાજાને પોતે વનનો રખેવાળ હોઈ વનના લોકોને હેરાન નહીં કરવાની વિનંતી કરે છે. પણ રાજા તેના વચનની અવગણના કરે છે. છેવટે રાજા અને બાળક વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધની વાત જાણી બાળકની માતા ગંગા આવે છે અને બાપદીકરાને પરસ્પરની ઓળખાણ કરાવે છે ને રાજા ગંગાને પાછા મહેલે આવવા વિનંતી કરે છે. પણ ગંગા નથી જતી ને પુત્રને મોકલે છે. એક વાર રાજા શાંતનુ જમના તટે રૂપાળી બાલિકાને જોઈ હોડીવાળાને એ બાલિકા કોણ છે એમ પૂછે છે અને તેના હાથની માંગણી કરે છે. પણ હોડીવાળો તેનો અસ્વીકાર કરે છે કારણ કે, તેને ગંગાપુત્રને રાજ્ય મળે ત્યારે તેની પુત્રી અને તેનાં બાળકો દુઃખી થાય એવી શંકા છે. રાજાની આ વાત જાણી ગાંગેય હોડીવાળાને મળી આ જન્મે રાજ્ય નહીં સ્વીકારવાની કે લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરે છે. આ બીજી ઠવણીની છેલ્લી બે પંક્તિમાં હવે કન્યાનું વૃત્તાંત સાંભળો એમ કહેવામાં આવે છે અને ત્યાર પછી “વસ્તુ’ આવે છે. જેમાં રત્નપુર નગરના રત્નશેખર વિદ્યાધર રાજાને ઘેર આ કન્યા જન્મી. વિદ્યાધરે તેને જન્મતામાં જ જમનાતટે મૂકી, આ શાંતનુની સત્યવતી નામે સ્ત્રી થશે, એવી આકાશવાણી થતાં હોડીવાળાએ તેને લઈ લીધી એમ વિગત આપવામાં આવી છે. ત્રીજી ઠવણીમાં હવે શાંતનુ રાજાની કથા પૂરી થાય છે. કૌરવો અને પાંડવોની કથા શરૂ થાય છે. હસ્તિનાપુરમાં શાંતનુ રાજાને ગંગા અને સત્યવતી એમ બે રાણી હતી. ગંગાને ગાંગેય અને સત્યવતીને બે પુત્ર હતા. તેમાંનો એક બાળપણમાં જ મરણ પામ્યો. શાંતનુ રાજા મરણ પામતા ગાંગેયે બીજા કુમાર વિચિત્રવીર્યને ગાદીએ બેસાડ્યો. અને કાશીશ્વરની ત્રણ કન્યાઓ અંબા, અંબાલા અને અમ્બિકાનું અપહરણ કરી લાવી તેની સાથે પરણાવી. આમાંથી અંબિકાને ધૃતરાષ્ટ્ર, અંબાલાને પાંડુ અને અંબાને વિદુર એમ પુત્ર થયા. આમાંથી પાંડુને રાજપદે સ્થાપ્યો, કુન્તીનું રૂપ જોઈ પાંડુ મોહિત થયા ને બીજી બાજુ કુન્તી પણ પાંડુ રાજા માટે વ્યાકુળ હતી અને ગળે ફાંસો ખાવા જતી હતી ત્યાં વિદ્યાધરની મુદ્રાના પ્રભાવે પાંડુ આવી પહોંચ્યો અને બન્નેનાં ખાનગીમાં લગ્ન થયાં, જેના પરિણામે કુન્તીને એક પુત્ર થયો, પણ 6 જૈન ચસ વિમર્શ Page #56 -------------------------------------------------------------------------- ________________ લગ્ન હજી ગુપ્ત હોઈ, તેણે આ પુત્રને કેટલાંક રત્ન સાથે પેટીમાં મૂકી નદીમાં વહેતો મૂક્યો. પાછળથી કુન્તીના બાપે પણ તેનું મન પાંડુમાં મોહિત જાણી તેને પાંડુ સાથે પરણાવી. ગંધાર દેશના રાજાએ તેની સૌથી મોટી પુત્રી ગાંધારીને કુળદેવતાના આદેશથી ધૃતરાષ્ટ્રને પરણાવી. દેવક નરપતિએ વિદુરને પોતાની કુંવરી કુમુદિની પરણાવી અને મદ્ર દેશના રાજાએ પોતાની પુત્રી પાંડુને દીધી. કેટલાક કાળ બાદ ગાંધારીએ ગર્ભ ધારણ કર્યો. તેને ખરાબ દોહદ થવા લાગ્યા. આટલા કથા ભાગ પછી આ ઠવણી પૂરી થાય છે. પુણ્યપ્રભાવે કુન્તીએ પહેલાં પાંચ પુત્રોને જન્મ આપ્યો. પાંચ શુભ સ્વપ્નથી સૂચન મળ્યા મુજબ કુન્તીના પાંચ પુત્રો સુલક્ષણવંત થયા. તે પછી ગાંધારીએ સો પુત્રોને જન્મ આપ્યો. ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્રોમાંનો મોટો દુર્યોધન પાંડવો તરફ પ્રપંચ કર્યા કરતો. પાંડવોમાં બળવાન ભીમ કૌરવોને હેરાન કરતો. આમ મોટા થતા તેઓ કૃપ ગુરુને ઘેર ભણવા લાગ્યા. દરમિયાન બાણવિદ્યા માટે તેમને દ્રોણગુરુ મળ્યા. આ કુંવરોમાં અર્જુન અને કર્ણ બે વીર હતા. એક દિવસ ગુરુએ દુર્યોધન વગેરેને વનમાં લઈ જઈ તેમની પરીક્ષા લીધી. પરીક્ષામાં અર્જુન સફળ થયો. ગુરુએ તેને રાધાવેધની વિદ્યા આપી. એક દિવસ કુંવરો દ્રોણગુરુ સાથે નદીમાં નાહતા હતા ત્યાં દ્રોણનો પગ કોઈ જળચર જીવે પકડ્યો. ગુરુએ મોટી બૂમો પાડવા માંડી તેમને બચાવવા કોઈ કુંવર ન દોડ્યા, પણ અર્જુને દોડ્યો. એટલે ગુરુ તેના પર પ્રસન્ન થયા. ઠવણી પમાં એક વાર ગુરુએ રાજાને કુંવરો માટે નવો અખાડો બંધાવવાની વિનંતી કરી છે. આ અખાડામાં દુર્યોધન અને ભીમ વચ્ચે ગદાયુદ્ધ, અને અર્જુન અને કર્ણ વચ્ચે યુદ્ધ થાય છે અને કર્ણનો પિતા, કર્ણ તેને કેવી રીતે મળ્યો તે વાત જહેર કરે છે પણ કુન્તી સાચી વાત કોઈને કહેતાં નથી. પાંડવો તરફની શત્રુતાને કારણે દુર્યોધન કર્ણને રાજ્ય આપે છે. એક દિવસ એક દૂતે આવીને દ્રુપદરાજાની કુંવરીના સ્વયંવરમાં આવવાનું સહુને આમંત્રણ આપ્યું છે. ઠવણી ૬માં પાંડુ રાજા પોતાના કુંવરો સાથે સ્વયંવરમાં જવા નીકળે છે. દ્રુપદરાજા સામા લેવા આવે છે. અર્જુન રાધાવેધ કરે છે. અને દ્રૌપદી તેને વરમાળા પહેરાવે છે. તે માળા પાંચે ભાઈઓના ગળામાં એકસાથે દેખાય પંચપાંડવ ચરિઉ રાસ * 7 Page #57 -------------------------------------------------------------------------- ________________ છે. યુધિષ્ઠિર આથી શરમાતો હોય છે ત્યાં એક ચારણ મુનિ આવીને કહે છે કે ગયા જન્મે તપ કરી આ સ્ત્રીએ પાંચ પુરુષ ઈચ્છડ્યા હતા તેથી પાંચે પાંડવોનાં દ્રોપદી સાથે લગ્ન થાય છે. લગ્ન પછી બધા હસ્તિનાપુર આવે છે. નારદ મુનિ બધા ભાઈઓ માટે દ્રૌપદી સાથે રહેવાનો સમય નક્કી કરી આપે છે. એક દિવસ સત્યને કારણે અર્જુન આ સમયધર્મનું ઉલ્લંઘન કરે છે તેથી શરત પ્રમાણે તેને ૧૨ વર્ષ વનવાસ વેઠવો પડે છે. તે વખતે વૈતાઢ્ય પર્વત પર જઈ તે નાભિ મલ્હારને પ્રણામ કરે છે ને મણિચૂડને રાજ્ય અપાવી ઉપકાર કરે છે અને અઠ્ઠાવન તીર્થોની યાત્રા કરી ૧૨ વર્ષે અર્જુન પાછો ફરે છે. મણિચૂડના મિત્રની બેનનું એક રાજા અપહરણ કરી જતો હોય છે તેને તેનાથી બચાવી હેમાંગદને આપી આવે છે. ઠવણી ૭માં પાંડુ રાજા યુધિષ્ઠિરને ગાદીએ બેસાડે છે. પાંડવો વિજય કરીને બધા રાજવીઓને વશ કરે છે અને મણિચૂડ પાસે સભાખંડ બંધાવે છે ને તેમાં સભા યોજે છે. તેમના આમંત્રણથી કૃષ્ણ તથા દુર્યોધન આવે છે. આ પ્રસંગે પાંડવો દાન દે છે. બિમ્બ પ્રતિષ્ઠા કરે છે. સભામાં કૃષ્ણ, દુર્યોધન સામું જોઈ હસે છે. રોષે ભરાયેલો દૂર્યોધન કૂડ કરી યુધિષ્ઠિરને ધૂત રમવા તેડાવે છે. વિદુરનું વચન ન માની રમવા ગયેલો યુધિષ્ઠિર બધું હારે છે. ને દ્રૌપદીનું અપમાન થાય છે. તેના કેશ પકડી દુઃશાસન તેને સભામાં આણે છે અને દુર્યોધન તેને પોતાના ખોળામાં બેસવા કહે છે. દ્રૌપદી શાપ આપે છે. દ્રૌપદીના ચીર ખેંચાતાં ગાંગેય દુર્યોધનનો ત્યાગ કરે છે. હારેલા પાંડવોએ ૧૨ વર્ષ વનમાં ૧૩માં વર્ષે નાસતા ફરવું એમ ઠરે છે એટલે પાંડવો દ્રૌપદી સાથે વનમાં જાય છે. ઠવણી ૮માં પાંડવો માતાપિતાની રજા લઈ વનમાં જવા નીકળે છે. પિતા, કુન્તી, સત્યવતી, અંબા, અંબાલિકા અને અંબિકા બધાં તેમને વળાવવા જાય છે. ને આ વનવાસ દરમિયાન પાંચાલીને ડરાવનાર કારમીર દાનવને ભીમ મારે છે. પાંચાલીનો ભાઈ પાંડવોને પોતાને દેશ લઈ જાય છે. એક વખત દુર્યોધનનો પુરોચન નામે પુરોહિત આવીને કહે છે, કે હવે દુર્યોધનને પસ્તાવો થાય છે અને તમને વારણાવતના મહેલમાં રહેવા વિનંતી કરે છે જેથી પાંડવા વારણાવત આવે છે પણ વિદુર દુર્યોધનનો પ્રપંચ પારખી જાય છે એટલે તે લાક્ષાગૃહની સાચી હકીકત પાંડવોને જણાવે છે અને સુરંગ 8 * જૈન રાસ વિમર્શ Page #58 -------------------------------------------------------------------------- ________________ ખોદાવે છે. રાત્રે પાંડવો સુરંગ વાટે નીકળી જાય છે. પણ લાક્ષાગૃહની આગમાં પાંચ પુત્રો સાથે કોઈ બીજી જ ડોશી મરી જાય છે. ઠવણી ૯માં સુરંગ વાટે નાસી છૂટેલા પાંડવો, દ્રૌપદી અને કુન્તી રાતે નાસતા બીતા આગળ વધે છે. બધા થાકે છે એટલે ભીમ તેમને ઊંચકી લે છે ત્યાં તેમને તરસ લાગે છે. તેમને માટે ભીમ પાણીની શોધ કરતો હોય છે ત્યાં એક સુંદર બાળા દેખાય છે, જે પહેલા તો વિકરાળરૂપે હોય છે. આ બાળા તે જ રાક્ષસી હિડિંબા. પોતાના પિતા હિડંબે માણસની વાસ આવતા માણસો લાવવા હિડંબાને મોકલી છે એમ તે ભીમને જણાવે છે એટલે ભીમ-હિડંબા વચ્ચે યુદ્ધ થાય છે પછી તો ભીમને તે પોતાની સાથે લગ્ન કરવા વિનંતી કરે છે અને પોતે તેમને વનવાસમાં મદદરૂપ થશે એમ કહે છે ને થાય છે. પછી હિડિંબા પાંડવોની સાથે જાય છે. દ્રૌપદી અને કુન્તીને તે પોતાને ખભે ઊંચકી લે છે. એમાં એક વાર પાંડવો વનમાં ભૂલા પડે છે. ઠવણી ૧૦માં હિડિંબા સાથે ભીમનાં લગ્ન થાય છે. હિડિંબા પાંડવો, દ્રૌપદી અને કુન્નીની સેવા કરે છે. તેમની સાથે ભમે છે. પાંડવો એક ચક્રપુરમાં દેવશમાં બ્રાહ્મણને ત્યાં બ્રાહ્મણવેશે રહ્યા ત્યારે હિડંબાને પોતાને ઘે૨ જવા કહ્યું અને સ્મરણ કરે ત્યાં આવવાની સૂચના કરી. એક દિવસ દેવશર્માના ઘરમાં રોકકળ થઈ તેના પરથી પાંડવો બકાસુરની વાત જાણે છે. બકાસુરને રોજ એક માણસ પૂરો પાડવાની રાજાએ તેને કબૂલાત આપી હતી. તે પ્રમાણે તે દિવસે દેવશર્માના ઘરનો વારો હતો. દેવશર્માના ઘરનો કોઈ માણસને બદલે ભીમ જઈને બકાસુરનો વધ કરી આવે છે. આ વાત દુર્યોધનને ખબર પડે છે અને દ્વૈતવનમાં જ્યાં ઝૂંપડી બાંધીને પાંડવો રહેતા હોય છે ત્યાં પોતાનો પ્રિયવંદ નામનો દૂત મોકલે છે. આ વાતની ચેતવણી વિદુર પાંડવોને આગળથી આપી દે છે. દ્રૌપદી રોષે ભરાય છે. યુધિષ્ઠિર તેને અવધિ પૂરી થતાં સુધી શાંત રહી જવાનું કહે છે. દૂતનાં વચને યુધિષ્ઠિર ગંધમાદન પર્વત ૫૨ જાય છે. અર્જુન ઈંદ્રનીલ પર્વત પર ચઢ્યો અને બેઠો. ત્યાંની વનરાઈ જોતાજોતા તેને બધી વિદ્યા સિદ્ધ થઈ. એટલામાં એક સૂવર તેના તરફ ધસી આવે છે. ઠવણી ૧૧માં અર્જુન અને સૂવર વચ્ચે યુદ્ધ જામ્યું છે. છેવટે સૂવરે પ્રગટ થઈને અર્જુનને વરદાન માગવા કહ્યું. અર્જુન તેની પાસેથી ઇન્દ્રનો પંચપાંડવ ચરિઉ ચસ *9 Page #59 -------------------------------------------------------------------------- ________________ નાનોભાઈ વિન્માલિ રોષે ભરાઈને રાક્ષસો સાથે ભળ્યો છે અને તે રાક્ષસોને હરાવવાના છે એમ જાણી દાનવો સાથે લડવા જાય છે. અર્જુન તેમને હરાવે છે. એટલે ખુશ થઈ ઈન્દ્ર તેને કવચ, મુકુટ અને શસ્ત્ર આપે છે અને ચિત્રાંગદા ધનુષ્યવેદ આપે છે પછી તે પાંડવોને આવી મળે છે. એટલામાં આકાશમાંથી એક સુવર્ણકમળ પડ્યું. દ્રોપદીને આવા કમળની ઈચ્છા થાય છે તેને માટે ભીમ વનેવને ફરે છે. ભીમને વાર લાગે છે એટલે યુધિષ્ઠિર હિડિંબાને સંભારે છે. હિડિંબા તેમને ભીમ પાસે પહોંચાડે છે. ભીમ-હિડંબાનો પુત્ર ઘટોત્કચને પાંડવો રમાડે છે. હિડિંબા પાછી જાય છે ત્યાં એક કૌતુક થાય છે. દ્રૌપદીના વચને ભીમ સરોવરમાં જાય છે ને તે પાછો વળતો નથી એટલે એક પછી એક ભાઈઓ પાછળ જાય છે. પણ કોઈ ભાઈ પાછા નથી વળતા એટલે કુંતી, દ્રોપદી નવકાર મંત્રનું સ્મરણ કરતાં ધ્યાનમાં બેસે છે ને બીજે દિવસે પાંડવો એક પુરુષ સાથે આવી પહોંચે છે ને તે પુરુષ સાથે સુવર્ણકમળ લાવ્યો હોય છે. ઇંદ્રના આદેશથી નાગપાશ છોડી નાગરાજ પાંડવોને રાજ્ય ને દ્રૌપદી માટે હાર અને કમળ આપે છે. વળી તેમને ૫ વિદ્યા પણ સિદ્ધ થાય છે. ઠવણી ૧૨માં સ્વૈતવનમાં દુર્યોધનને હરાવી અર્જુન તેને યુધિષ્ઠિર પાસે લાવે છે. યુધિષ્ઠિર તેને જવા દે છે ને સાથે જયદ્રથ હોય છે તે પાછા વળી રહી જાય છે ને એ કપટી, દ્રૌપદીનું અપહરણ કરી ભાગે છે. ભીમ-અર્જુન તેની પાછળ પડે છે અને સૈન્યને હરાવી દ્રૌપદીને પાછી મેળવે છે. કુન્તીના વચનથી તેઓ જયદ્રથને મારતા નથી. બીજી તરફ દુર્યોધન નગરમાં જઈ પડો વગડાવે છે કે જે કોઈ પાંડવોનો વિનાશ કરશે તેને ઇનામ મળશે. પુરોહિતનો પુત્ર પાંડવોને મારવાનું દુષ્કૃત્ય કરવાનું સ્વીકારે છે પણ નારદ ઋષિની સલાહથી પાંડવો ધ્યાનમાં બેઠા હોય છે એટલે તે કાંઈ કરી શકતો નથી. સાત દિવસ પછી આખું સૈન્ય આવે છે પણ પાંડવો તેમનો સામનો કરે છે. ઠવણી ૧૩માં પાંડવો માસખમણ કરે છે ને માસખમણનાં પારણાં કરવાના હોય છે ત્યાં એક જૈન મુનિ આવે છે. પાંડવો તેને અતિથિદાન દે છે ત્યારે આકાશવાણી થાય છે કે વનવાસનું ૧૩મું વર્ષ મત્સ્યદેશમાં ગાળો. પછી પાંચે પાંડવો બ્રાહ્મણ, રસોયો, નૃત્યશિક્ષક, અશ્વસંધિ એવા જુદા જુદા વેશ ધારણ કરીને ત્યાં રહે છે, ત્યાં કીચકને મારે છે, ગાયોનું હરણ 10 જૈન રાસ વિમર્શ Page #60 -------------------------------------------------------------------------- ________________ થતું અટકાવે છે અને ૧૩મા વર્ષના અંતે તે જ દેશની કુંવરી ઉત્તરા સાથે અભિમન્યુનાં લગ્ન થાય છે. કૃષ્ણ દૂતકાર્ય માટે જઈ વનવાસની અવધિ પૂરી કરી આવેલા પાંડવોને પાંચ નગર આપવાનું દુર્યોધનને કહે છે. પણ દુર્યોધન ના પાડી દે છે. કૃષ્ણ તેને પાંડવોના બળની તેમ જ તેમણે કરેલા ઉપકારની યાદ આપે છે. છતાં પણ દુર્યોધન અચળ રહે છે. આમ બન્ને પક્ષ વચ્ચે યુદ્ધનો પ્રસંગ ઊભો થાય છે. ગાંગેય પણ દુર્યોધન તેમને વશ નથી એમ કહે છે. કુન્તી ગુપ્ત રીતે કર્ણને મળે છે અને યુદ્ધમાં કૌરવ સાથે ન ભળવાનું વિચારવા કહે છે. પણ કર્ણ દુર્યોધનનો પક્ષ છોડવાની ના પાડે છે અને કૃષ્ણ યુદ્ધમાં અર્જુન સાથે રહેવાની જહેરાત કરે છે. ઠવણી ૧૪માં વિદુર વ્રત લઈને વનમાં જાય છે. કૃષ્ણ દ્વારકા જાય છે. બન્ને પક્ષે યુદ્ધની તૈયારી થાય છે અને જબરું યુદ્ધ થાય છે તેમાં બને પક્ષે ગાંગેય, દ્રોણ, અભિમન્યુ, જયદ્રથ, ભગદત્ત, કર્ણ વગેરે અનેક યોદ્ધાઓ મરે છે. યુદ્ધના અંતે દુર્યોધન સરોવરમાં સંતાયો હોય છે તેને બહાર કાઢી ભીમ હરાવે છે. અશ્વત્થામા, કૃપ, કૃતવર્મા રાત્રે પાંડવોના પુત્રોની હત્યા કરે છે. શિખંડીને મારે છે ત્યારે કૃષ્ણ બધાને બોધ આપી સાંત્વન કરે છે. યુદ્ધના અંતે બધા લોકો હસ્તિનાપુર આવે છે. છેલ્લી તવણી ૧૫માં કવિ કહે છે કે પાંડવોને એક દિવસ નેમિજીનેશ્વરના વ્યાખ્યાનથી કેવળજ્ઞાન થતાં તેઓ દીક્ષા લે છે ને પરીક્ષિતને રાજ્ય આપે છે એમ કહી પાંચેય પાંડવોના પૂર્વભવ વર્ણવે છે અને છેવટે આ રાસના પઠનથી થનારા લાભ, રાસની રચના ક્યારે થઈ? ક્યાં થઈ? કોણે કરી? આ રાસનું વસ્તુ ક્યાંથી લીધું છે એ બધી વિગતો આપે છે. · पंडव तणउं चरीतु जो पढए जो गुणई संभलए पाप तणउ विणासु तसु रहईं ए हेलां होईसिए । नीपनउ नस्ररि नादउद्रि वजरी ए पच्चहोत्तर ए तंदुलवेनालीन सूत्र माझिला ए भव अम्रि उधा ए पूनिमपखमुणित्रं शालिभद्र ए सूरिहिं नीमीउ ए देवचन्दउपरोधि पंडव ए रासु रसाउलु ए રાસની દરેક ઠવણી જુદા જુદા છંદમાં રચાઈ છે. જોકે લગભગ અડધા ભાગની ઠવણી ચોપાઈ બંધમાં છે. બાકીની ઠવણીમાં સોરઠા, સોરઠાની દેશી, પંચપાંડવ ચરિઉ ચસ •n Page #61 -------------------------------------------------------------------------- ________________ દુહા, રોળા, ત્રિપદી વગેરે છંદમાં રચાયેલી છે. દરેક ઠવણીના અંતે વસ્તુ છંદની એક કે એથી વધુ કડી છે. આમ બધી ઇવણીઓમાં શરૂઆતમાં કોઈ એક છંદમાં મૂળ કથાદેહ અને તેના અંતે વસ્તુ એ પ્રકારનું બંધારણ જોવા મળે છે. આ વસ્તુ કેટલીકવાર આગલી ઠવણીમાં આવી ગયેલ કથાનકનો ખ્યાલ આપે છે. તો મોટે ભાગે કવિને લંબાણથી વર્ણવવાના ન હોય અને છતાં કથાપ્રવાહ તૂટે નહિ તે ખાતર છોડી પણ ન શકાય એવા હોય તો એવા પ્રસંગો સંક્ષેપમાં વર્ણવે છે. આમ વસ્તુ છંદની કડીઓ બે ઇવણી વચ્ચે સાંકળનું કામ કરે છે. ઠવણીની સંખ્યા દર્શાવતા આંકડા “વસ્તુ પછી આપેલા છે. અને રાસ પૂરો થાય છે ત્યાં કવણીની સંખ્યા આપેલી નથી. એટલે આ “રાસમાં મૂળ ક્યાદેહ + વસ્તુ – એમ બનેલા આખા વિભાગને ઠવણી' નામ આપેલું જણાય છે. રાસની જુદીજુદી ઠવણીઓનું માપ અને છંદની વિગતો નીચે પ્રમાણે છે. ઠવણી ૧-૨૨ ત્રિપદી (૧૬+૧૬+૧૩ ના માપની) + ૧ વસ્તુછંદ ૨૩ કડી. ઠવણી ૨ ૧. ૧-૨૨ માત્રાની બે પંક્તિ + ૧૫ કે ૧૬ માત્રાની ૪ પંક્તિ એમ કુલ્લે ૬ પંક્તિની કડી. ૨. ૧૫ કે ૧૬ માત્રાની ૩ કડી. ૩. પહેલી ૭ કડીના બંધારણની ૧ કડી ૪. ૧૫ કે ૧૬ માત્રાની માપની ૨ કડી પ. પહેલી ૭ કડીના બંધારણની કડી. ૬. ૧૫-૧૬ માત્રાની ૩ કડી. ૭. અને છેલ્લે ૧ વસ્તુ. આમ બધી મળીને ૧૮ કડી. ઠવણી ૩: ૨૪ કડી રોળાની + ૨ વસ્તુ = ૨૬ કડી ઠવણી ૪ ૨૧ કડી દુહાની + ૩ વસ્તુ = ૨૪ કડી ઠવણી ૫ 12 “જૈન રાસ વિમર્શ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કડી ચોપાઈની + ૨ વસ્તુ = ૨૨ કડી ઠવણી ૬ ૧૧ + ૧૩ + ૧ વસ્તુ = ૪ માત્રા પછી “એ” ૧૩નાં ચરણ અંતે 9 કાર = ૨૫ કડી ઠવણી ૭ ર૭ પંક્તિ – સોરઠાની દેશી + ૧ વસ્તુ = ૨૮ કડી ઠવણી ૮ ૨૩ સોરઠા + ૧ વસ્તુ = ૨૪ કડી ઠવણી ૯ ૧૮ ચોપાઈ + ૧ વસ્તુ = ૧૯ કડી ઠવણી ૧૦ ૩૦ ચોપાઈ + ૬ વસ્તુ = ૩૬ કડી ઠવણી ૧૧ ૧૬ ચોપાઈ + ર વસ્તુ = ૨૧ કડી આગલી ઠવણીની ગાથા સંખ્યાના અનુસંધાનમાં આ ઇવણીઓની ગાથાઓની સંખ્યા આપેલી છે. બન્નેમાં છંદ પણ એક જ છે. ઠવણી ૧૨ ૧૧ ચોપાઈ + ૧ વસ્તુ = ૧૨ કડી. ગાથા સંખ્યા આગલી ઠવણીના અનુસંધાનમાં જ છે. વળી આ વિભાગના અંતે ઠવણી ૧૨ એમ નોંધ આપવાની રહી ગઈ છે. પરંતુ વસ્તુની કડી પછી શરૂ થતી ચોપાઈ અને તેના અંતે ૬ વસ્તુ પછી ઠવણી ૧૩ એવી નોંધ છે તે પરથી અનુમાન કરી શકાય કે ૧ વસ્તુની કડી પછી ૧૨મી ઠવણી એવી નોંધ આપવાનું રહી ગયું હશે. ઠવણી ૧૩ ૬ ચોપાઈ + ૬ વસ્તુ = ૧૨ કડી ઠવણી ૧૪ ૯ ચોપાઈ + ૨૬ રોળા + ૧ વસ્તુ = ૩૬ કડી. ગાથા સંખ્યા આગલી ઠવણીના અનુસંધાનમાં આપેલી છે. પણ ચોપાઈની ૯ કડી પૂરી થયા પછી સંખ્યા આપેલી નથી. ઠવણી ૧૫ : પંચપાંડવ ચરિઉ રસ 13 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૬ માત્રાની ૨૬ પંક્તિ. રાસનાં પ્રમાણ, છંદોબંધ વગેરે વિગતો જેતાં એક લાક્ષણિક બાબત જરૂર આગળ તરી આવે છે તે એ છે કે આ રાસમાં પ્રસંગ બદલાય છે. તે સાથે છંદ પણ કેટલીક વાર બદલાયો છે. બીજી ઠવણીમાં ગંગા, પિતાપુત્ર વચ્ચેનું યુદ્ધ બંધ કરાવે છે. શાંતનુ રાજા ગાંગેયને લઈ જય છે. ત્યાં પહેલા કથાપ્રસંગનો અંત આવે છે. પછી સત્યવતીનો પ્રસંગ શરૂ કરતાં કવિ છંદ બદલે છે તે જ પ્રમાણે. ૧૪ મી ઠવણીમાં વિદુર દીક્ષા લઈ વનમાં જાય છે. કૃષ્ણ દ્વારકા જાય છે. અને બન્ને પક્ષે યુદ્ધની તૈયારી થાય છે ત્યાં સુધી ચોપાઈ છે. ત્યાર પછીનાં યુદ્ધવર્ણનમાં છંદ બદલાય છે. આ રાસમાં જૈન ધર્મનો, જૈન ધર્મના સિદ્ધાંતોનો કે સદાચારનો સીધેસીધો બોધ નથી અને રાસ કથાત્મક સ્વરૂપનો જ બની રહે છે. અલબત્ત રાસમાં જૈનપ્રણાલી પ્રમાણેની પાંડવોની કથા કહેવામાં આવી છે. તેથી નવકાર મંત્રની શક્તિ કેવી છે તે બતાવવા આ નવકાર મંત્રથી પાંડવો અનેક વાર મુશ્કેલીમાંથી બચી જાય છે તે દેખાડતા પ્રસંગો આપવામાં આવ્યા છે. અને વિદુર પાંડવો વગેરેને દીક્ષા લેતા બતાવવામાં આવ્યા છે. આમ આ કથા મહાભારતની પાંડવોની કથાથી ઘણી જુદી પડે છે. અને આ કથાતત્ત્વ જ રાસનું વિશિષ્ટ અંગ બની જાય છે. 14 * જૈન રાસ વિમર્શ Page #64 -------------------------------------------------------------------------- ________________ તૈલિપુત્ર રાસ ડૉ. શીતલ મનીષ શાહ આ પદ્યમાં મુખ્યત્વે ફગુ, બારમાસી, કક્કો, વિવાહલઉ, પ્રબંધ, ચરચરી, આખ્યાન, રાસ કે રાસા, ગરબો-ગરબી, રાસડા, થાળ, આરતી, હાલરડા, સ્તવન, સ્તુતિ, પ્રભાતિયાં, કાફી, ચાબખા વગેરે પ્રકાર હોય છે. આ બધા પ્રકારમાંથી ગુજરાતી સાહિત્યનો પ્રારંભ જેન રાસાસાહિત્યથી થયો મનાય છે. ૧૨મી સદીથી શરૂ થયેલી રાસ પરંપરા આજ સુધી અવિરત ચાલુ છે. રસના છંદ: રાસા' છંદ ૨૧ માત્રાનો છે. અને એનું લક્ષણ “સ્વયંભૂ છંદ હેમચંદ્ર છન્દાનુશાસન’ અને ‘વિર્પણ'માં મળે છે. તેમાં સામાન્ય રીતે ૧૨મી માત્રાએ યતિ રાખવામાં આવે છે અને છેલ્લી ત્રણ માત્રા પણ લઘુના રૂપમાં આપતો આ છંદ છે. જે “સંદેશકરાકમાં પ્રયોજયેલો છે. આ ઉપરાંત અન્ય સાહિત્યમાં પણ ભિન્નભિન્ન છંદો જોવા મળે છે. સંદેશક રાસકમાં બીજ ૨૨ છંદો જોવા મળે છે. રસકૃતિઓનું વર્ગીકરણ: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો વિશાળ પટ-“રાસ' નામના પ્રકારથી રોકાયેલો છે. તેથી શ્રી કે.કા.શાસ્ત્રીએ આ યુગને “રાસયુગનું નામ આપ્યું છે. આગળ જોયું તેમ રાસ એટલે જૈન સાધુઓ દ્વારા પ્રજાને ધર્મ અને નીતિનો ઉપદેશ આપવા માટે રચાયેલ વિશિષ્ટ પદ્યરૂપ લોકો સમજી શકે માટે લોકભાષામાં લખાતું. કદાચ તે જ કારણે પૂર્વે સમાજની સ્ત્રીઓ આ રચનાઓ કાવ્યરૂપે ઘરમાં ગાતી તથા પ્રતિક્રમણ આદિ ક્રિયામાં સામગ્રી સ્વરૂપે બોલતા. પ્રારંભમાં આ રાસ ગાઈ શકાય, તેમ જ રમી શકાય. તેવા ટૂંકા સ્વરૂપે રચાયાં. સમય જતાં જૈન સાધુ કવિઓએ રાસને જુદું જ સ્વરૂપ આપ્યું. પ્રથમ ટૂંકા ઊર્મિગીત રૂપે રચાતી આ રાસ કૃતિઓ બારમી તેરમી સદી પછી કથાત્મક કવિતાના રૂપે પ્રચારમાં આવી. તૈતલિપુત્ર ચસ 15 Page #65 -------------------------------------------------------------------------- ________________ પંદરમા શતકની કૃતિઓ તો આખ્યાનના નિકટવર્તી રૂપ જેવી છે. આ પ્રમાણે નાજુક કદના રાસાઓ ઉત્તરકાલીન સમયમાં તેમાં અવારનવાર કથાઓ ભળતાં મહાકાવ્ય જેવા વિશાળ બન્યા. આમ, છતાં તેમાં વિષયોનું વૈવિધ્ય તો પ્રચુર માત્રામાં જોવા મળતું. વિષયોની વિવિધતાને ધ્યાનમાં રાખી બરાસ' ગ્રંથોનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય? રાસ કથાત્મક તીર્થાત્મક ઉપદેશાત્મક પ્રકીર્ણ ધાર્મિક ચરિત્રાત્મક લોકિક પૌરાણિક ઐતિહાસિક તાત્ત્વિક સ્તુત્યાત્મક પ્રતિમા પૂજાત્મક પ્રતિષ્ઠિત ધાર્મિક કથાત્મક – જેમાં કોઈ એક જ પાત્ર નાયક પદે હોતું નથી – “ભરતેશ્વર – બાહુબલી રાસ' ચરિત્ર કથાત્મક – જેમાં ધાર્મિક પુરુષોના ચરિત્ર કે તત્કાલીન ધર્મપુરુષોના ચરિત્ર હોય તેના ત્રણ ભાગ છે. લૌકિક – જેમાં કાલ્પનિક કથા હોય – સંદેશક – રાસ પૌરાણિક – જેમાં પ્રાચીન ધર્મપુરુષના ચરિત્ર હોય – નેમિરાસ’ ઐતિહાસિક – જેમાં છેલ્લા હજાર વર્ષોમાં વ્યક્તિવિશેષને કેન્દ્રમાં રાખીને નિરૂપાયેલા ચરિત્ર હોય – “સમરાસુ, પેથડરાસુ, “વસ્તુપાલ-તેજપાલ રાસ', “પૃથુરાજ રાસો' ઇત્યાદિ તીર્થાત્મક રાસ – જેમાં તીર્થોને કેન્દ્રમાં રાખી નિરૂપણ હોય – “રેવન્તગિરિ રાસુ “કછુલીરાસ” ઇત્યાદિ ઉપદેશાત્મક રાસ – જેમાં તત્ત્વનો ઉપદેશ અપાયો હોય – ‘જીવદયારાસ', બુદ્ધિરાસ” 16 * જૈન ચસ વિમર્શ Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ – જેમાં વિવિધ રાસોનો સમાવેશ થાય છે. મેં પસંદ કરેલી કૃતિ તેટલીપુત્ર રાસનો સમાવેશ પૌરાણિક ચરિત્રાત્મક રાસમાં થાય છે. આ કૃતિની રચના સં.૧૫૯૫માં કવિ સહજસુંદરે કરેલ છે. કર્તા: આ કૃતિના કર્તા ઉપકેશ ગચ્છના સિદ્ધિસૂરિના શિષ્ય ઉ.રત્નસમુદ્રના શિષ્ય સહજસુંદરે કરેલ છે. ઉપકેશ ગચ્છની ઉત્પત્તિઃ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦ ગણધરમાંના મુખ્ય ગણધર શ્રી શુભદત્ત હતા તેમની પાટે શ્રી હરિદત્ત આવ્યા. તેમની પાટે આચાર્ય સમુદ્રસૂરિ અને તેમની પાટે શ્રી કેશી ગણધર આવ્યા. આ કેશી ગણધર એ મહાવીર સ્વામીના સમકાલીન સમર્થ આચાર્ય હતા શ્રી કેશી ગણધરે શ્વેતાંબિકાના નાસ્તિક રાજા પ્રદેશીને પ્રતિબોધીને જૈન ધર્મી બનાવ્યો હતો. ત્યાર બાદ એક વાર શ્રી કેશીસ્વામી શ્રાવસ્તી નગરીના તંદુકનમાં હતા ત્યારે ત્યાં ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી ત્યાં આવ્યા. અને ભગવાન પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં વિભિન્નતા દેખાતા વિષયો પર જાહેર વાર્તાલાપ કર્યો. વાર્તાલાપના પરિણામે બંને તીર્થકરોનો માર્ગ એક જ છે એમ નિર્ણય થતાં શ્રી ગણધર કેશીસ્વામી પાંચ મહાવ્રતોને સ્વીકારી ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં દાખલ થયા અને તેઓનો શ્રમણ સંઘ પાર્શ્વ પ્રત્ય તરીકે જહેર થયો. તેમની પાટે શ્રી આ. સ્વયંપ્રભસૂરિ અને તેની પાટે આ. રત્નપ્રભસૂરિ આવ્યા. શ્રી પાર્શ્વનાથ સંતાનીય આ. રત્નપ્રભુ સૂરિ દ્વારા ઉપકેશ ગચ્છની સ્થાપના ઓસિયા નગરીના ઉપકેશપુર કે ઉકેશનગરમાં થઈ હતી. વીરાત્ પર મે વર્ષ શ્રીરત્નપ્રભને ગુરુએ આચાર્યપદે સ્થાપતા તે રત્નપ્રભસૂરિ બન્યા. તેઓ પાંચસો મુનિ સાથે વિહાર કરી ઉકેશનગરમાં આવ્યા. ઉકેશનગરની ઉત્પત્તિ સુરસુંદર નામના કુમારે કરી હતી. જે પૂર્વે શ્રીમાલપુરમાં શ્રીપંજ (શ્રીપુંજી નામના રાજાના કુંવર હતો. તેણે અભિમાનથી નગરની બહાર નીકળી કોઈ નવી ભૂમિ સ્થાપવાની ઇચ્છાથી અઢાર હજાર ૧. જયંત કોઠારી, જૈન ગુર્જર કવિઓ; ભાગ- ૯, પૃ. ૧૯૩. ૨. ત્રિપુટી મહારાજ, જેન પરંપરાનો ઈતિહાસ; ભાગ ૧, પૃ. ૫૮. ૩. જયંત કોઠારી, જૈન ગુર્જર કવિઓ, ભાગ ૯ પૃ. ૧૯૪. તૈતલિપુત્ર રાસ *17 Page #67 -------------------------------------------------------------------------- ________________ વણિક, તેનાથી અડધા બ્રાહ્મણો અને બીજા અસંખ્ય માણસોને લઈને ઉકેશનગરની ભૂમિમાં આવી નવ યોજન વિસ્તારવાળું અને બાર યોજન લાંબુ નગર વિકસાવ્યું. આ નગરમાં રત્નપ્રભસૂરિ પાંચસો શિષ્ય સાથે આવીને ઉદ્યાનમાં રહ્યા પણ કોઈએ તેમણે વંદન કર્યું નહીં. આથી શાસનદેવીએ લોકો સૂરિ પાસે જાય તે માટે એક ઉપાય કર્યો. તે ગામનો ઉહડ શ્રેષ્ઠી કૃષ્ણમંદિર બંધાવતો હતો. તેમાં સ્થાપવા શાસનદેવીએ શ્રીવીર પ્રભુની પ્રતિમા તેજ શેઠની ગાયના દૂધ વડે તૈયાર કરાવવા માંડી. સાંજે તે ગાય લાવણ્યહૃદ નામના પર્વત ઉપર પોતાનું દૂધ રેડતી. આનો સંશય ટાળવા ઉહડ શ્રેષ્ઠી મુનિ પાસે આવ્યા. ત્યારે સૂરિએ કહ્યું કે ત્યાં પ્રભુની પ્રતિમા તૈયાર થાય છે. અને અમુક વખતે તૈયાર થશે. પરંતુ શેઠની ધીરજ ન રહેતા તેણે કહેલ વખત પહેલાં ત્યાં ખોદતાં વિપ્રભુની પ્રતિમા નીકળી પણ તેના હૃદય સ્થાને લીંબુ જેવી બે ગાંઠો હતી. આ પ્રતિમા પ્રાપ્ત થતાં તેની સ્થાપના માટે સૂરિએ મહાસુદ પાંચમ ને ગુરુવારનું મુહૂર્ત લગ્ન જણાવ્યું. તેવામાં તેની નજીકના કોરંટ ગામના નિવાસીઓ પોતાના ગામમાં વીરપ્રભુની પ્રતિષ્ઠા કરાવવા સૂરિ પાસે વિનંતી કરવા આવ્યા. ત્યાંનું પણ એ જ લગ્ન મુહૂર્ત નક્કી થયું. સૂરિએ એક જ લગ્ન દિવસે ઉકેશપુરમાં વીપ્રભુની પ્રતિષ્ઠા કરી તે જ લગ્ન મુહૂર્તમાં આકાશમાર્ગે જઈ કોરંટ નગરમાં પણ બીજા વીરપ્રભુની પ્રતિષ્ઠા કરી. ' સૂરિએ વીરાતુ ૭૦ વર્ષ લોકોને સ્નાત્રક્રિયાને પૂજનક્રિયા સમજાવી આથી ઉહડ શ્રેષ્ઠીએ સહપરિવાર જૈન ધર્મનો અંગીકાર કર્યો. એક વખત ધનકોટિપતિ નામના બ્રાહ્મણના પુત્રને કાળા નાગ દેશ દીધો તેથી તે મૃતપ્રાય થયો. અનેક ઉપાયો છતા કાળાનાગનું વિષ ઊતર્યું નહીં. ત્યારે સૂરિએ તે બ્રાહ્મણને જઈને પૂછ્યું કે આ તારો પુત્ર વિષમુક્ત બને તો તું શું કરે? ત્યારે બ્રાહ્મણે ઉત્તર આપ્યો કે જો આપ મારા પુત્રને વિષમુક્ત કરશો તો હું આપનો સેવક થઈને રહીશ. આચાર્યે પોતાના પગ પખાળી તે જળ પુત્ર પર છાંટતા તે વિષમુક્ત બન્યો. આથી બ્રાહ્મણે અન્ય બ્રાહ્મણોને લઈ ગુરુને વંદન કર્યો. અને આચાર્યો ત્યાં રહીને ૧૮000 વણિકોને જૈનધર્મી બનાવ્યા. એક વાર આ ગામમાં શ્રાવકો ચંડિકાદેવીનું પૂજન કરતા હતા. આ 18 * જૈન રાસ વિમર્શ Page #68 -------------------------------------------------------------------------- ________________ પૂજનમાં દેવીની પ્રસન્નતા માટે પ્રાણીનો વધ કરાતો હતો. આથી જીવદયાપ્રેમી રત્નપ્રભસૂરિએ શ્રાવકોને તેમ ન કરવા સમજાવ્યું. પણ શ્રાવકોએ દેવીના કોપથી કુટુંબાદિનો નાશ થશે તેવી ચિંતા વ્યક્ત કરતાં આચાર્યે રક્ષાની ખાતરી આપી ચંડિકદેવીનું પૂજન ન થતાં તેમણે કુપિત થઈ નેત્રપીડા કરી. ત્યારે ગુરુએ તેમને જકડી બાંધી લીધી અને જીવદયા ધર્મનો ઉપદેશ આપ્યો. અને માંસને બદલે સુગંધાદિ દ્રવ્યો પકવાન આદિ લેવા સમજાવ્યું અને દેવીને પ્રતિબોધ પમાડ્યાં. દેવીએ કહ્યું કે હું આપની સેવા કરવા તત્પર છું પણ યોગ્ય સમયે આપે મારું સ્મરણ કરવું અને દેવતાવસરે મને ધર્મલાભ આપવો. વળી, કંકુ, નૈવેદ્ય, પુષ્ય આદિ દ્રવ્યો દ્વારા શ્રાવકો પાસે મારી સાધર્મિક ભક્તિ કરાવવી. સૂરિએ તેમ કરવા સ્વીકાર્યું અને તે દેવીનું “સત્યકા' (સચ્ચિકા) એવું નામ પ્રસિદ્ધ થયું. આમ, સૂરિએ આ ઉકેશનગરમાં ઘણા જૈન શ્રાવકો બનાવ્યા. ત્યારથી આ રત્નપ્રભસૂરિનો અને તે પછી તેમની પરંપરામાં થયેલા શ્રમણો ઉપકેશગચ્છના શ્રમણ નામે પ્રસિદ્ધ થયા. ત્યાંથી વિહાર કરી અન્ય ગામોમાં વિહાર કરતા તેમણે સવાલાખ શ્રાવકો કર્યા. છેવટે યક્ષસૂરિને પોતાના પદે સ્થાપી ૮૪ વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગસ્થ થયા. ત્યાર બાદ તેમની પરંપરાએ કક્કસૂરિ, દેવગુપ્તસૂરિ અને સિસૂિરિ થયા. આ પરંપરામાં ૩૫મા પટ્ટધર સુધી આચાર્યોની પરંપરા પાંચ-પાંચ નામોથી ચાલતી, અર્થાત્ – રત્નપ્રભસૂરિ - યક્ષદેવસૂરિ-કસૂરિ-દેવગુપ્તસૂરિ સિદ્ધિસૂરિરત્નપ્રભસૂરિજી - યક્ષદેવસૂરિ – કસૂરિ –-- એમ વાવત્ સિદ્ધિસૂરિ (ઉમા) સુધી આ પરંપરા ચાલી પછી ત્રણ-ત્રણ નામોથી પાટ પરંપરા ચાલતી.* સિદ્ધિસૂરિ (ઉમા) – કક્યુરિ (૮મા) – દેવગુપ્તસૂરિ – સિદ્ધિસૂરિ (૮મા) - કક્કસૂરિ... એમ ૭૧મી પાટ પરંપરાએ આવેલા ૧૮મા સિદ્ધિસૂરિ ૧૫Coના સૈકામાં થયા. તેમનો પદ મહોત્સવ સં. ૧૫૬પમાં મેદનીપુરમેતાડમાં શ્રેષ્ઠ ગોત્રના મંત્રી દશરથના પુત્ર મંત્રી લીલાગરે કર્યો હતો. આ જ સિદ્ધિસૂરિના શિષ્ય ઉપાધ્યાય રત્નસુંદર સૂરિના શિષ્ય કવિ ૪. સં. મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજ પાર્શ્વનાથ પરંપરાકા ઈતિહાસ, ભાગ-૨ પત્રિપુટી મહારાજ જૈન પરંપરાનો ઇતિહાસ, પૃ.૨૮ જૈન ગુર્જર કવિઓમાં સિદ્ધિસૂરિને ૭રમી પાટે કહ્યા છે) ૬ જયંત કોઠારી, જૈન ગુર્જર કવિઓ ભા. ૯, પૃ. ૧૯૪ તૈતલિપુત્ર દસ 19 Page #69 -------------------------------------------------------------------------- ________________ સહજસુંદર હતા. જેમણે સં. ૧૫૭૦માં ને તેની આસપાસ કેટલીક ગુ.પદ્યકૃતિઓ રચી. આ સિદ્ધિસૂરિના જ બીજા શિષ્ય ઉપાધ્યાય હર્ષસમુદ્રના શિષ્ય વિનયસમુદ્દે પણ સં. ૧૫૮૩થી સં. ૧૬૦૫માં ગુ.પદ્યકૃતિઓ રચેલ છે. આ જ સમયમાં દેવકુમાર – કર્મસાગર (ઉક્ત) દેવકલ્લોલના શિષ્ય દેવકલશે સં. ૧૫૬૯માં ઋષિદત્તા ચોપાઈ રચી હતી. કિવિ સહજ સુંદરની કૃતિઓઃ કવિ સહજસુંદર ઉપકેશ ગચ્છના ૧૮મા સિદ્ધિસૂરિના શિષ્ય ઉપાધ્યાય રત્નસુંદરના શિષ્ય હતા. આ સમય સં.૧૫૦૦નો હતો. જે સમયે મધ્યકાલીન રાસા સાહિત્યનો ઘણો જ વિકાસ થયેલ હતો. એ સમયે “રાસ', ફાગુ' આદિ કાવ્યરચનાઓ બહોળા પ્રમાણમાં રચાઈ હતી. કવિ સહજસુંદર સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. સંસ્કૃત ભાષા ઉપરના તેમના પ્રભુત્વનો પ્રભાવ તેમની ગુજરાતી કૃતિઓમાં વપરાયેલા તત્સમ સંસ્કૃત શબ્દો ઉપરથી સ્પષ્ટ થાય છે. ઈ. સ. ૧૫૧૪થી ૧૫૩૯ સુધીની તેમની રચનાઓ મળે છે. તેમણે રારા, સંવાદ, છંદ, સ્તવન, સઝાય વગેરે વિવિધ કાવ્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે. જે નીચેના કોષ્ટક દ્વારા રજૂ કરાઈ છે. આ રીતે જોઈ શકાય છે કે કવિ સહજસુંદરજીએ ઘણા જ વિવિધ વિષયોમાં ખેડાણ કરેલું છે. તેમની લગભગ બધી કૃતિઓમાં પ્રારંભ સરસ્વતી દેવીને નમસ્કાર કરાયો છે. ક્યાંકક્યાંક સિદ્ધિસૂરિને પણ નમસ્કાર કરાયો છે. તેમની મોટા ભાગની કૃતિઓ હજુ અપ્રકાશિત છે. તેમની કવિતા ધર્મપ્રતિબોધક હોવા છતાં સાહિત્યિક ગુણવત્તાના ધોરણે પણ ઉચ્ચ કક્ષાની છે, વિવિધ અલંકારો, પ્રચલિત લયઢાળો અને સરળ સુબોધક શબ્દોને પ્રયોજતી તથા જીવનનું તત્તલક્ષી નિરૂપણ કરતી કવિની કાવ્યરચનાઓ તેમાંના ઉત્તમ કાવ્યગુણોનું નિદર્શન કરાવે છે. મહદ્ અંશે પ્રાચીન આગમકથાને આધારે રચાયેલા તેમના રાસાઓ વસ્તુ સુરેખ અને સ્પષ્ટ છે. તેમાં આવતાં વર્ણનો કથારસને ખંડિત ન કરતાં વસ્તુવિકાસ અને પાત્રપરિચય માટે ઉપકારક બની રહે તેવાં છે. ૭. એજનું – પૃ.૧૯૪ ૮. ઉમાશંકર જોશી, ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, પૃ.૫૩ ૯. નિરંજના શ્વેતકેતુ વોરા, કવિ સહજસુંદરની રાસકૃતિઓ પૃ. ૧ 20 * જૈન રાસ વિમર્શ Page #70 -------------------------------------------------------------------------- ________________ ક્રમ કથાત્મક રાસ ૧ ઋષિદના રાસ સં.૧પ૦૨ તાત્વિક રાસ ઇરિયાવહી રાસા સઝાય સ્તવન ઈલાતી આદિનાથ પુત્ર સજ્જાય શત્રુંજય સં.૧પ૦૦ સ્તવન શાલિભદ્ર સઝાયા યૂલિભદ્ર સઝાય માત્રા ૯ ગોથાની છે. સં. ૧૫૩૫ નિંદા નિવારણની સઝાય છંદ' ચોપાઈ અન્ય ગુણરત્નાકર રત્નકુમાર ગર્ભવલી, છંદ ચોપાઈ ૧પ૦૨ સરસ્વતી છંદ જઈતા વેલી કેશ્યાગીતા ૨ રત્નકુમાર રાસા સં.૧૫૮૨ ૩ પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસા સં. ૧૫૪૮ ૪ શુકરાજ સાહેલી કથારાસ. સં. ૧૫૮૨ ૫ તેતલીમંત્ર સં. ૧૫૫ કાયાપુર પાટણની સઝાય સાધુ ગુણમાલા સંસ્કૃતમાં વ્યાકરણે પ્રથમપાદ ઈ.સ.૧૫૨૫ આંખ-કાન સંવાદ ચવન જરા સંવાદ તૈતલિપુત્ર રસ +21 ૬ રત્નાસર સાર સં. ૧૫૮ર છે પરદેશી રાજાનો રાસા ૮ જંબુ અંતરંગ રાસા સં. ૧૫૦ર ૯ આત્મરાજારાસ સં. ૧૫૮૩ ૧૦ અમરકુમાર રાસા ૧૧ સ્થૂલિભદ્રનો રાસ Page #71 -------------------------------------------------------------------------- ________________ તેતલી રાસ: તેતલી રાસ એ ર૬૪ શ્લોકપ્રમાણ ચરિત્ર કથાત્મક લઘુરાસ કૃતિ છે, જે ચઉપઈ અને દુહામાં વિભક્ત થયેલ છે. આ કૃતિનું પ્રકાશન એક માત્ર પ્રાકૃત વિદ્યામંડળ દ્વારા થયેલું છે. જેમાં તે પ્રતના આધાર રાખીને પ્રકાશન થયું છે તે ઘણી ભૂલભરેલી છે. આથી નવું સંશોધન અપેક્ષિત છે. આ રસમાં ૧૦ વાર ચઉપઈ આવે છે. અને ૯ વાર દુહા આવે છે. આ કૃતિમાં ચઉપઈ અને દુહા સિવાય અન્ય કોઈ છંદનો પ્રયોગ થયેલો ન હોવાથી સરળતાથી ગાઈ શકાય તેવી રચના છે. આ કૃતિમાં કુલ ૧૬ર ચઉપઈ છે અને ૧૦૨ દુહા છે. આ કૃતિ જ્ઞાતાધર્મકથા આગમના ૧૩ અધ્યયનમાં તેતલી મંત્રીની કથાના આધારે રચવામાં આવી છે. કૃતિની ભાષા પ્રવાહી, સરળ છતાં ઈંગિતને સચોટ રીતે વ્યક્ત કરનારી છે. કાવ્યગત ભાવને માર્મિક બનાવવા કવિએ વારંવાર ઉપમા, રૂપક, દયંત વગેરે અલંકારો યોજ્યા છે. તેટલીપુત્રની કથા રાસને આધારે) આ રાસની રચના આગળ વર્ણવ્યું તેમ જ્ઞાતાધર્મ કથા' આગમને આધારે થયેલ છે. કથાસાર: ર૬૪ કડીમાં વિસ્તરેલા આ રાસની શરૂઆતમાં કવિ સરસ્વતી દેવી અને વિતરાગ દેવને વંદન કરીને કથાનો આરંભ કરે છે. જબુદ્વીપના તેતલપુર નગરમાં કનકરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ પદ્માવતી અને મંત્રીનું નામ તેતલપુત્ર હતું. તેટલીપુત્ર એક દિવસ નગરચર્યા માટે ફરતા ફરતા સુવર્ણકર મુષિકાદરકની પુત્રી પોટ્ટિલાને નિહાળે છે. તેના રૂપસૌંદર્યથી તેના તરફ આકર્ષાય છે અને વિધિપૂર્વક તેની સાથે લગ્ન કરે છે. બંને પતિ-પત્ની એકબીજાના પ્રેમમાં આનંદથી દિવસો નિર્ગમન કરે છે. રાજા કનકરથ રાજ્ય પ્રત્યે અત્યંત આસક્ત હતો. પોતાના પુત્રોને પણ તે રાજ્યગાદીની બાબતમાં પોતાના હરીફ ગણતો અને તેમને વિકલાંગ બનાવી દેતો, જેથી તેઓ રાજ્યગાદી માટે યોગ્ય ન રહે 22 જેને ચસ વિમર્શ Page #72 -------------------------------------------------------------------------- ________________ રાણી પદ્માવતી વિકલાંગપુત્રોની વેદનાથી અને રાજાના સત્તાલોભી લાલસાયુક્ત સ્વભાવથી વ્યથિત હતી. પુત્રોને વિકલાંગ નહીં બનાવવા અને રાજગાદીના વારસ માટે અને પિંડદાન માટે પણ પુત્રને સારી રીતે રાખવા તેણે રાજાને વિનંતી કરી, પણ રાજાએ તેની વાત માની નહીં. આથી રાણીએ ભવિષ્યમાં જન્મનાર પુત્રને ગુપ્તપણે ઉછેરવાનો વિચાર કર્યો અને તેની વ્યવસ્થા માટે તેટલીપુત્રને જણાવ્યું. વખત જતાં રાણી પદ્માવતી અને તેટલીપુત્રની પત્ની પોટિલાએ એકસાથે જ ગર્ભધારણ કર્યો અને સમય થતાં રાણી પદ્માવતીએ સ્વરૂપવાન પુત્રને તથા પોટિલાએ મૃત બાળકીને જન્મ આપ્યો. રાણીના કહેવાથી બાળકોની અદલાબદલી કરીને તેટલીપુત્રે રાણીના કંવરને પોટ્ટિલાને સોંપ્યો અને મૃત બાળકીને રાણી પદ્માવતી પાસે મૂકી દીધી. રાણીને મૃત બાળકી જન્મી છે એમ માનીને રાજા નિશ્ચિત બન્યો અને બાળકીની મરણોત્તર ક્રિયા કરી. તેતલીપુત્રે રાજકુંવરનું નામ મકરધ્વજ પાડ્યું અને તેને ગુપ્તપણે ઉછેરવા લાગ્યો. કેટલોક સમય વિત્યા બાદ એકાએક જ તેટલીપુત્ર માટે પોટિલા અપ્રિય બની રહી. તેને પોટિલાનું નામ સાંભળવું ગમતું નહીં. આથી પોટિલા ખૂબ વ્યથિત થઈ અને દુઃખમાં દિવસો વિતાવવા લાગી. તેને દુઃખમગ્ન જોઈને તેટલીપુત્રે પોતાની ભોજનશાળામાં સાધુઓ-સંન્યાસીઓને ભોજન કરાવીને, અન્નદાન કરીને આત્માને શાતા આપવાનું સૂચવ્યું. પોટ્ટિલાએ તે સૂચન સ્વીકાર્યું. દરમિયાનમાં તેતલપુરમાં સાધ્વી સુવ્રતા આર્યાનું આગમન થયું. પોટ્ટિલાએ તેમને યથાયોગ્ય આહાર વહોરાવ્યો અને પ્રણામ કર્યા, તથા પોતાના પતિનો પ્રેમ પ્રાપ્ત કરવાનો ઉપાય પૂછવા લાગી. આથી સુવ્રતા આર્યાએ તેને સંસારની અસારતાનો ઉપદેશ આપીને દીક્ષા લેવાનું સૂચવ્યું. પોટ્ટિલાએ દીક્ષા માટે પોતાના પતિની આજ્ઞા માગી. તેતલીપુત્રે ભવિષ્યમાં પોટ્ટિલાએ પોતાને કેવલી પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપવાની શરત મૂકીને દીક્ષા લેવાની પરવાનગી આપી. પોટ્ટિલાએ વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરી અને સાધ્વી બની. આ બાજુ કનકરથ રાજાનું મૃત્યુ થતાં મકરધ્વજ રાજગાદીએ બેઠો. તેણે પિતાતુલ્ય તેટલીપુત્રની સત્તા અને ભૌતિક સગવડોમાં ઘણો વધારો કરી આપ્યો અને તેટલીપુત્ર ખૂબ વૈભવમાં એશઆરામથી રહેવા લાગ્યો. પોટિલાએ પોઠ્ઠિલદેવના સ્વરૂપમાં તેતલપુત્રને વચન અનુસાર કેવલી તૈતલિપુત્ર રાસ * 23 Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપિત ધર્મનો બોધ આપવાનો આરંભ કર્યો, પણ ભોગવિલાસમાં રહેતા તેટલીપુત્રને તેની અસર થઈ નહીં. પોલિદેવે વિચાર્યું કે જ્યાં સુધી તેતલીપુત્રને આ માનપાન અને સુખ-સમૃદ્ધિ મળતાં રહેશે ત્યાં સુધી ઉપદેશની અસર થશે નહીં. તેથી મંત્રીશ્વરનો મદ ઉતારવા માટે તેમણે લીલાપૂર્વક રાજા મકરધ્વજને મંત્રીથી વિમુખ બનાવ્યો. રાજા દ્વારા અપમાનિત થયેલા મંત્રીનો તેના કુટુંબીજનો – માતા, પિતા, પુત્રો, પત્ની, વગેરેએ પણ અનાદર કર્યો. અપમાનિત થયેલા તેતલીપુત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સૌ પ્રથમ તેણે તાલપુટ નામનું વિષ ખાધું પણ દેવપ્રભાવથી તે અમૃત થયું. પછી મરણ પામવા જળપ્રવેશ, અગ્નિપ્રવેશ, ગળે ફાંસો, ગિરિપાત, વૃક્ષપાત અને શસ્ત્રાઘાત વગેરે મૃત્યુના સર્વે પ્રકાર કર્યા. પણ તે મંત્રી તેમ કરવામાં નિષ્ફળ રહ્યો. આ સમયે પોઠ્ઠિલદેવે પોટ્ટિલાના સ્વરૂપમાં હાજર થઈને સંયમધર્મનો ઉપદેશ કર્યો. સંયમ વ્રત વડે સંસારસાગરને પાર કરી જવાનો બોધ આપ્યો. ઉપદેશના આ શુભયોગથી તેટલીપુત્રને જાતિસ્મરણ થયું. પોતાનો પૂર્વજન્મ અને ચૌદચૌદ પૂર્વોનો કરેલો અભ્યાસ યાદ આવ્યો. તેણે મહાવ્રતોનો સ્વીકાર કર્યો અને પ્રમદવન ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે બેસીને તપશ્ચર્યા કરવા લાગ્યો. શુભ યોગ અને કર્મોનો ક્ષય થવાથી તેને કેવલદર્શન થયું. આ સમયે તેતલપુર નગરની નજીકના દેવ-દેવીઓએ દુંદુભિનાદ કર્યો. પાંચ વર્ણનાં ફૂલોની વર્ષા કરી અને દિવ્ય ગાંધર્વગીતનો નાદ વર્ણવી કેવલજ્ઞાનનો મહોત્સવ ઊજવ્યો. મકરધ્વજ રાજાને તેટલીપુત્રના કેવલજ્ઞાન સંબંધી વાત જણવા મળી. તે તેટલીપુત્ર પાસે આવીને ક્ષમાયાચના કરવા લાગ્યો. તેટલીપુત્રના ઉપદેશથી તેણે પણ સંયમ ધર્મ અંગિકાર કર્યો અને ધર્મનું પાલન કરતાં-કરતાં “અવિચલ ઠામ'નો અધિકારી બન્યો. કથાના અન્ય પ્રાપ્તિ સ્થાન: આ ઉપરાંત તેટલીપુત્રની કથા ઉપદેશપ્રસાદ, વર્ધમાન દેશના, જેન કથાઓ, ઋષિમંડલ પ્રકરણ, ધર્મોપદેશ માલા વિવરણ, આગમ કે અનમોલ રત્ન, મધ્યકાલીન ગુજરાતી કથાકોશ, જૈન કથાઓ, ઈસીભાસિઈ, આદિ ગ્રંથોમાં મળે છે. આમ, તો આ બધા ગ્રંથોમાં કથાનક સમાન છે પણ ઉપદેશપ્રાસાદમાં ક્યાંકક્યાંક જુદાપણું જણાય છે. જેમ કે નગરનું નામ તેતલીને બદલે ત્રિવલ્લી આપેલ છે. રાજા કનકરથ અને રાણીનું નામ પદ્માવતીને બદલે કમલાવતી 24 * જૈન રાસ વિમર્શ Page #74 -------------------------------------------------------------------------- ________________ આપેલ છે. ધર્મોપદેશમાળામાં પણ રાણીનું નામ કમલાવતી અને પુત્રનું નામ કનકધ્વજ આપેલ છે. “ઉપદેશપ્રાસાદમાં પોટ્ટિલાને સુવર્ણકાર મૃષિકાદારકની પુત્રીને બદલે નગરશેઠની પુત્રી કહેલ છે. જ્યારે પોટિલા મંત્રીને પ્રતિબોધ કરે છે ત્યારે તેને જાતિસ્મરણજ્ઞાન થાય છે અને પછી તે સંયમવ્રતને ગ્રહણ કરે છે. ઉપદેશપ્રાસાદમાં મંત્રી પ્રતિબોધ પામી શ્રાવકનાં ૧૨ વ્રત ગ્રહણ કરે છે અને પછી ગુરુ પાસે જઈ પોતાનો પૂર્વભવ પૂછતાં તેને જાતિસ્મરણજ્ઞાન થાય છે. અને ત્યાર બાદ “સંયમવ્રત' ગ્રહણ કરે છે. આત્મપ્રબોધ ભાષાંતરમાં તેલીપિતાને મહાવીર સ્વામીના ૧૦મા શ્રાવક તરીકે ઓળખાવ્યા છે. અન્ય ક્યાંય તેટલીપુત્રનો કે પિતાનો ૧૦મા શ્રાવક તરીકે ઉલ્લેખ મળતો નથી. તેટલીપુત્રની આખી કથામાં ક્યાંય પણ તેતલીમંત્રીને પોટિલા ઉપર અપ્રીતિ થઈ તેનું કારણ વર્ણવવામાં આવ્યું નથી. આ કથા આપણને વિવિધ વિષયોનો બોધ કરાવે છે જેમ કે બોધ – ૧ આ ઉપરાંત જ્યારે પોટ્ટિલા તેતલીને અપ્રિય બની રહે છે, ત્યારે તેટલીપુત્ર તેને પોતાની ભોજનશાળામાં સાધુ-સંન્યાસીને ભોજન કરાવી અન્નદાન કરીને આત્માને શાતા આપવાનું સૂચવે છે કે જેના ધર્મમાં અન્નદાનનો કેટલો મહિમા છે તે સૂચવે છે. બોધ – ર આત્મામાં સમ્યગ્દર્શન વગેરે પ્રગટ થઈ ગયા હોય તોપણ સદ્દગુરુના ઉપદેશરૂપ તેમનું વર્ધન કરનાર સામગ્રી ન હોય તો તે ગુણોની હાનિ થાય છે. બોધ – ૩ જીવને તથાવિધ સામગ્રી મળતી રહે તો જ ગુણસંપત્તિ વધતી જાય છે. તેટલીપુત્ર રસની વિશેષતાઓ : તેતલી રાસ કર્તા: સહજસુંદરસૂરિ, રચના સમયઃ સં. ૧૫૯૫ આસો સુદ-૮ મંગળવાર રચના સ્થળ : શાંતિજ ગામ તૈતલિપુત્ર રાસ 25 Page #75 -------------------------------------------------------------------------- ________________ તેટલીરાસ ઉપર પ્રાપ્ત થતી પ્રતોની વિગત નીચેના કોષ્ટક દ્વારા વર્ણવાઈ છે. ખક ૬૦ પત્ર પ્રાપ્તિ સ્થાન લેખન લેખન વિશેષતા સંખ્યા સમય સ્થળ ૬. શ્રી તિવ્હાલક્ષ્મ વિજયમૂર્તિ ગઢિ ૧૩ વિજય નેમિસૂરી મહારા સ્નેહી ૧૧મું પત્ર જ્ઞાન મંદિર નથી ખંભાત ૨ બિકાનેરણ્ય સં.૧૦૧ અંજીર દક્ષિણે ૧૬ માઈલ માગર ગામ આવેલ દેશનોક ગામે તામિલ ઘેરીની ત GLદ ભા.સં. અક્ષર ચોખા વિધામંદિર સુવાસ છે. મધ્યલિકા છે. ૪. પ્રત . ૨૪-૦ ઉ. ભા.સં. અક્ષર ચોખા વિધામંદિર સુવાચ્ય છે મધ્યકૃતિકા છે. ૨ પ્રત નં. ૦૩ કમફતિય ગણિ ૫ આકે.સાગરસૂરિ સં.૧૧ર ખૂબ ઝીણા કોબા સૈત્ર સુદ અક્ષર છે. મધ્યલિકા નથી ૬ .૨૩ ગણિરાગ્નિ વિજયજી આકે. સં. અક્ષર ઠીક સાગરસૂરિ ૧૬૧લ્માં ઠીક છે. મધ્યકૂલિકામાં અક્ષર છે. છેલ્લા પત્રમાં અમુક અક્ષર ભૂંસાઈ ગયા છે 0 નં.પ૮૬ કે. અક્ષર સુવાચ્ય છે. સાગરસૂરિ મધ્યલિકા છે. બધી પ્રતોમાં શ્રેષ્ઠ પ્રd છે. અન્ય પ્રતમાં ન મળતાં ત્રણ લોકો આ પ્રતમાં જ પ્રાપ્ત થાય છે. ૮ પ્રત નં. ૧૮૮૪ એષિ વેજીંગ કે. સં. ભાડિજ આ પ્રd સાગરસૂરિ ૧૬૬૧ ગામ સંશોધિત છે. મહાdદ ૧૪ મધ્યલિકા છે. બુધવાર અક્ષર પણ સુવાચ્ય છે. પૂનમ ત નં રાડ ૧ 26 જૈન રાસ વિમર્શ Page #76 -------------------------------------------------------------------------- ________________ આગળ જણાવ્યું તેમ સાસની ભાષા સરળ અને ઈંગિત ને સચોટ રીતે વ્યક્ત કરે છે. આ બધી પ્રતોમાં માહ્યાવીર જૈન આરાધના કેન્દ્રમાંથી પ્રાપ્ત થયેલ પ્રત નં૫૭૭૮૬ ઘણી શુદ્ધ છે. આ પ્રતમાં અન્ય પ્રતામાંથી દૂર થયેલ ૩ શ્લોકની પ્રાપ્તિ થાય છે. આ કતિના કર્તા શ્રી સહજ સુંદર સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિલન હતા. આ કૃતિમાં પણ – નિભાવ આર્થાત્ ઘર વૃત ધાતુ પરથી બનેલ વરતાઈ, સુહાગિણી, વિમાન આવા ઘાણા સંસ્કૃત તત્સમ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આ ઉપરાંત વિએ સમઝા કૃતિમાં વાસ્તવિક્તાઓને રજૂ કરવા માટે વિવિધ અલંકારો યોજે છે. જેમ કેઃ રાસની ત્રીજી કીમાં સુધા સાધુ નમઉ નતાર, ભક્તિ મનોહર નવરસ હાર એ કડીમાં ઉપમા અલંકરને સુંદર રીતે પ્રયોજેલ છે. પોટિલાને જોતા જાણી તે સ્વાથી ઊતરી છે જે ઉન્મેલા અલંકાર ધરા વર્ણવેલ છે. તો ક્યાંક ક્યાંક દષ્ણાંત અલંકારનો ઉપયોગ કરીને સાપનું ઝેર તો ઊતરી શકે પણ નાસી જેને સી હોય તેનું ઝેર કેમ ઊતરે? કૃતિને રસાળ બનાવી છે. કવિની ભાષા પ્રવાહી, સરળ છે. કાવ્યગત ભાવને માર્મિક બનાવવા કવિએ વારંવાર સુંદર ઉપમા, રૂપક, દષ્ઠત વગેરે અલંકરો યોજ્યા છે. પ્રાસાનુપ્રાસ અને વર્ણસગાઈના અનેક સુંદર ઉદ્યહરણો આ કૃતિમાંથી મળી રહે છે. તેટલીપુત્રનો સસમાં પોટ્ટિાનું વર્ણન કરતાં ઝબ ઝબ ઝબકઈ કુંડલ કનિ’ માં શબ્દ અને વ્યંજનના આવર્તન લસ બક્તા કુંડલનું તાદશ ચિત્ર રજૂ કર્યું છે. પોટિલા માટે યોજેલી અંધારઈ જિમ દિપાલિકાની ઉપમા પણ મનોહર છે. સહજ સંદરનાં દuતો. ઉપમા રૂપક વગેરે તેમના જનજીવનના બહોળા અનુભવનો પરિચય આપે છે. તે સાથે પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો, પ્રાણીઓ – પક્ષીઓની વિશિષ્ટતાઓની તેમની જાણકારીનો પણ ખ્યાલ આપે છે. તેમની દષ્ટિનો અને સમાજની સૂક્ષ્મતાનો ખ્યાલ નીચેની પંક્તિઓ પરથી આવે છે. પોટ્ટિલા પ્રત્યેનો તેટલીપુત્રનો ગાઢ સ્નેહ અને તેનો લોપ કવિ આ રીતે વર્ણવે છે: તૌતવિપુત્ર રસ •n Page #77 -------------------------------------------------------------------------- ________________ ચક્રવીનઈ ચકવિઉ જિમ નેહ, ચંદચકોર જિસિઉ ગુણગેહ, નખ ન મ સ હતી તે પ્રીતિ તે ચિત્રામ ટલી ગયઉ જિમ ભીતિ. પતિના મૃત્યુ માટે તત્પર રાણી માટેની આ ઉપમા – ઉંદર કેડી બિલાડી ભમઈ તિમ તાકી તાકીનઈ દમઈ. અને સાહેલીની રૂપસૌંદર્યની વાતના પ્રચારની વ્યાપકતાને આલેખતી આ પંક્તિઓ – જિહાં તે કુમર અછઈ જે નગરિ, વાત ગઈ જિમ ભમતી ભમરિ... અવશ્યપણે મનોહારી, સચોટ અને ભાવકના હૃદયને મુગ્ધ કરનારી છે. પોટ્ટિલાથી આકર્ષિત થયેલા તેતલપુત્રના પ્રણયભાવને કામની કમલ ભમર મન રમછ' એ રૂપક દ્વારા ઔચિત્યપૂર્વક અને કાવ્યાત્મક રીતે નિરૂપ્યો છે. સ્થળ, પ્રસંગ કે ભાવપ્રેરક સ્થિતિનાં લાંબા વર્ણનો કવિ આપતા નથી. વાણીનું લાઘવ અને ઓજસ કવિતાને સક્ષમ બનાવે છે. રાજાના કુંવર બાળપણ વિતાવીને યૌવનના પગથિયે પગ મૂકે છે, તેનું આલેખન ચિત્તાકર્ષક છે : સાયરની જિમ વાધી વેલિ. બીજ મયંક વધઈ જિમ હેલિ, જલ સિંચિલે જિમ વાધઈ વૃક્ષ, કુમર વધઈ તિમ સોઈ સલક્ષ. તેમની કવિતામાં નગરી, સ્ત્રીસૌંદર્ય અને પ્રણયભાવવિષયક વર્ણનો વિશેષ રીતે નોંધપાત્ર બને તેવાં હોય છે. તેટલીપુત્ર અને પોલિાના પ્રણયસભર દાંપત્યજીવનનું વર્ણન એક પછી એક કાવ્યોચિત દૃષ્ટાંતો યોજીને પ્રાસાદિક અને પ્રવાહી શૈલીમાં કર્યું છે : 28 જૈન ચસ વિમર્શ Page #78 -------------------------------------------------------------------------- ________________ ભમરી ભેંમ૨ કમલગુણ ગેલિ મીઠી દ્રાખ તણી જિલ વેલિ સરસ ચડીયૌવન માડવઈ રસીઓના તે રસ પૂરવઈ – જેવી પંક્તિઓમાં શૃંગા૨૨સનું માધુર્યભર્યું નિરૂપણ કરતાં આ કવિ ભોગ-વિલાસ જીવનની વ્યર્થતાનું પણ એવું જ સચોટ કાવ્યમય આલેખન કરે છે ઃ સહુકો સ્વારથ આપણઈ મિલિઉં મિલાપઉ એહ, નરગ તણા દુકખ તે લહઈ જે નર કરઈ સનેહ, રાસાઓમાં અનેક ટૂંકા, સુંદર અને ચિત્તહા૨ક વર્ણનો અને ચમત્કૃતિયુક્ત પંક્તિઓ આવે છે. કનકરાજાના વિકલાંગ પુત્રો માટે પાંખ વિહોણા પંખીઆ’ની ઉપમા યોજીને તેમના તરફરાટ અને વિહ્વળતાનું માર્મિક રીતે નિરૂપણ કરનાર આ કવિ માનવહૃદયના સંઘર્ષોને બહુ જ ઓછા જ શબ્દોમાં પણ હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. નાનાવિધ પરિસ્થિતિમાં માનવમનમાં જાગતાં ઊર્મિનાં આંદોલનોને કવિ સહજભાવે તાદશ કરે છે. પતિગૃહે વિદાય થતી રત્નમંજરીના સમગ્ર મનોભાવોને પિતાનું ઘર છોડતાં ‘આધા નવ હિઈ પાઈ’ એટલા શબ્દોમાં જ સચોટ રીતે વ્યક્ત કર્યા છે. પ્રણયી હૃદયની પ્રતીક્ષા, ઉલ્લાસ, વ્યાકુળતા, વિરહની તીવ્ર કટુ વેદના, માતૃહૃદયની ઘેરી વ્યથા, વિકલાંગ પુત્રોની વેદના, સ્વજનો અને પરિજનોથી અપમાનિત થયા તે તેતલીપુત્રની મનોયાતના એવા અનેક પ્રસંગોનું જીવંત નિરૂપણ કરીને કવિ માનવમનના ઊંડાણમાં અવગાહન કરાવે છે. - સંસારની અસારતા અને ક્ષણભંગુરતાની સાથે જ વિવિધ પ્રકારના ભોગોપભોગનાં રસલુબ્ધ વર્ણનો પણ કવિ આપે છે. નારીને નરકની ખાણ’ કુડકપટની જાળ તરીકે આલેખે છે, તો તેના નખશિખ સૌંદર્યનાં વર્ણનો પણ આપે છે. અલબત્ત સહજસુંદરની કવિતાનો મુખ્ય હેતુ ધર્મપ્રતિબોધનો છે. પોટિલા દીક્ષા લે છે ત્યારે તેનાં ધર્મરૂપ આભૂષણોનું વર્ણન કવિ આ રીતે તૈતલિપુત્ર રાસ - 29 Page #79 -------------------------------------------------------------------------- ________________ આપે છે: જીવદયા કરિ કુંકુમસેલ મુહsઈ સત્યવચન તંબોલ, સુમતિપટુલી જસ પડિરાઈ સમક્લિ મુગટ ભરિઉ ભાંગફાઈ. ભાવના બાર કરી કંચની સમતારસ ચૂડઉ કરી હતી, પહિરિઉ સીલ તણઉ શિણગાર શ્રી અરિહંત વરિડે ભરતાર. જીવ અને જગત વિશેનું કવિ સહજસુંદરનું ચિંતન ગોહન અને તાત્વિક છે. તેમના રાસોમાં આવતી અનેક સૂત્રાત્મક કડીઓ કવિના જીવન અને વ્યવહાર વિશેના વિશાળ જ્ઞાનનો પરિચય આપે છે. તત્ત્વનિદર્શનની સાથે જ વ્યવહારજગતની વાસ્તવિક્તાને આલેખતી અનેક પંક્તિઓ તેમની પાસેથી મળે છે. ભાવ કે પ્રસંગોનાં વર્ણનોને વિશાદ બનાવતાં દાંતો અને ઉપમાનો કવિ મહદ અંશે પ્રકૃતિમાંથી જ લે છે. કક્ષાનસ્તાનું સ્પષ્ટ અને પ્રાસાદિક નિરૂપણ, લક્ષ્યવેધી ભાષા, આલંકોનો સમુચિત વિનિયોગ તેમ જ મૌલિક રમણીય વર્ણનો વગેરેને કારણે સુયોજિત અને રસાવહ બનેલી મા કાવ્યકૃતિઓ કવિની સપ્રતિભાનો સુક્ પરિચય આપી રહી છે. આ રાસાત્મક કથાઓમાં કવિએ ઉપયોગમાં લીધેલાં કેટલાંક કથાઘટકે પણ ધ્યાનાઈ છે. જેમ કે પાપી રાજા અને નીતિમાન નિપુણ મંત્રી, રાજાનું હૃદયપરિવર્તન; રાજીવગારી માટેનું પોતાનું સ્થાન નિશ્ચિત બનાવવા પોતાના જ કુંવરોને વિકલાંગ બનાવતો રાજ, ગુપ્તપણો પુત્રને ઉછેરવો, આત્મહત્યા કરવા ઇચ્છતા તેતલપુત્ર માટે વિષ, તરવાર, ગાળાપાર અને અગ્નિનો ઉપયોગ નિરર્થક બનવો વગેરે પ્રકારનાં સ્થાટકોનો અહીં ઉપયોગ થયો છે. જેવી કૃતિને રસિક અને મનોહારી બનાવી છે. ઉપસંહાર: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક રસ થો રચાયા છે. સાધુઓની ગુરુપરંપરામાં કેટલીક રાસ કૃતિઓ સચવાયેલી જોવા મળે છે. અન્ય કવિની જેમ કવિ સહજસુંદરનો પણ આ સાહિત્ય ગ્રંથોમાં અમૂલ્ય સમિર્ચ Page #80 -------------------------------------------------------------------------- ________________ ફાળો રહેલ છે. તેમણે વિવિધ વિષયો પર રાસ ગ્રંથોની રચના કરી અમૂલ્ય વારસો જૈનસાહિત્યને અર્પણ કર્યો છે. જે સુંદર બોધ આપી જીવને મોક્ષસાધના માટે સતત ઉત્સાહિત કરતો રહે છે. સંદર્ભ ગ્રંથોઃ ૧. સંપા. નિરંજના શ્વેતકેતુ વોરા, કવિ સહજસુંદરની ચસકૃતિઓ, પ્રાકૃત વિદ્યામંડળ અમદાવાદ. પ્રથમ, માર્ચ ઈ.સ. ૧૯૮૯ ૨. ત્રિપુટી મહારાજ, સંપા. ભદ્રસેન વિજયજી, જૈન પરંપરાનો ઇતિહાસ, યશોવિજયજી જૈન આરાધના ભવન, પાલિતાણા, બીજી, ઈ.સ. ૨૦૦૦ ૩. મોહનલાલ દલીચંદ દેસાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪. સંપા, ઉમાશંકર જોશી, ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ', ગ્રંથ ૧-૨, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ, ઈ.સ. ૧૯૭૬ જયંત કોઠારી, જૈન ગુર્જર કવિઓ ભાગ-૧-૯, ૧૦, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બીજી, ઈ.સ. ૧૯૯૭. સંપા. મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજ, ભગવાન પાર્શ્વનાથ કી પરંપરા ષ ઇતિહાસ', ભાગ-૨ રત્નપ્રભાકર જ્ઞાન પુષ્પમાલા, પ્રથમ, વિ. સં. ૨૪૬૯. ૭. સંપા. ડૉ. ધીરુભાઈ મકર, ગુજરાતી વિશ્વકોશ ખંડ-૧૭, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, પ્રથમ ઈ.સ. ૨૦૦૩. રે - તૈતલિપુત્ર રાસ ! Page #81 -------------------------------------------------------------------------- ________________ મૃગાવતી ચરિત્ર-રાસ (કવિ સમયસુંદરજી) દીક્ષા એચ. સાવલા વિષયવસ્તુ : આ રાસના કથા-વસ્તુ માટે મૃગાવતીનું જૈનોમાં સુપ્રસિદ્ધ ઐતિહાસિક ચિરત્ર કવિએ પસંદ કર્યું છે. મૃગાવતી ભગવાન મહાવીરના સમયમાં શતાનીક રાજાનાં રાણી હતાં. ભગવાન મહાવીર પાસે એ દીક્ષા લઈ સાધ્વી થયાં હતાં. ભગવાન એમને પ્રવર્તિની ચંદનબાળાની શિષ્યા બનાવે છે. મૃગાવતીનું સ્થાન સતીઓમાં મોખરે છે. પ્રાતઃસ્મરણીય સોળ સતીઓમાં એમની ગણના થાય છે. સૂર્યાસ્ત થઈ ગયા છતાં ભગવાન મહાવીરની પર્ષદામાં વધુ સમય રોકાવાને કા૨ણે ગુરુણી ચંદનબાળા તરફથી ઠપકો મળતાં મૃગાવતી પશ્ચાત્તાપ અને આલોચના કરતાંકરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાનાં ગુરુણી કરતાં પોતે વહેલું કેવળજ્ઞાન પામે છે. આમ એની ખબર પડતાં જૈન પ્રણાલિકા અનુસાર ગુરુણી ચંદનબાળા શિષ્યા મૃગાવતીને વંદન કરે છે, કેવલીને નમસ્કાર કરે છે. આમ આ રાસમાં પશ્ચાત્તાપ વ્યક્તિને કેટલે સુધી લઈ જાય છે અને આખરે તે કેવળીપદને પામે છે. આમ જો મન નિર્મળ હોય તો ચોક્કસ મહાવીરના ધામને આપણે પ્રાપ્ત કરી શકીશું એનો ચિતાર કવિ સમયસુંદરજીએ આ રાસમાં ખૂબ તાદેશ રીતે વ્યક્ત કર્યું છે. ‘મૃગાવતી ચિરત્ર’ ૩ ખંડમાં વિભાજિત છે. ખંડ-૧માં ઢાલ-૧૩, ગાથા ૨૬૮, ખંડ-૨માં ઢાલ ૧૩ ગાથા ૨૬૬, ખંડ-૩માં ઢાલ ૧૨, ગાથા ૨૧૧ વર્ણવાઈ છે. પ્રથમ ખંડ-૧ સરસ્વતીજીએ વંદન કરી સદ્ગુરુને પ્રણામ કરી બે હાથ જોડી એક કૃપા માગે છે એનાથી રાસનો ઉઘાડ થયો છે. દાન-શીલ અને તપ-ધર્મને પ્રધાન માની વર્ધમાનના ગુણ ગાઈ શીલનો ચિતાર આપે છે. શીલવતીના નામ આપે છે. બ્રાહ્મી, ચંદનબાલિકા, વગેરે 32 * જૈન રાસ વિમર્શ Page #82 -------------------------------------------------------------------------- ________________ એમાંથી મૃગાવતી ચરિત્ર વિશે સાવધાન થઈ સાંભળજે, અને જન્મને સુપવિત્ર કરી લેજે એવી અભ્યર્થના સાથે આ રાસનો પ્રારંભ થયો છે. કૌસંબી નગરી જાણે ઈન્દ્રપુરી હોય એવું પહેલી ગાથામાં સમયસુંદરજીએ પ્રારંભિક ચર્ચામાં દેશ, વર્ધમાનની પ્રસિદ્ધિ તથા ચંદનબાળા અને શતાનીક રાજાનાં રાણી મૃગાવતીની પ્રસ્તાવના બાંધી. ત્યાર બાદ બીજી ઢાલમાં મૃગાવતીના શીલ-ચારિત્રનું વર્ણન સૌંદર્યશાલીનતાભર્યું જોવા મળે છે. બીજી ઢાલમાં મૃગાવતી તથા શતાનીક રાજાની પ્રણયભાવોક્તિ તથા મૃગાવતીની વક્રોક્તિ (બોલણ ચતુરાઈ) પર એમના પતિ મોહિત થયા હતા. આમ સંસારનાં સુખ ભોગવતાં-ભોગવતાં મૃગાવતીને ગર્ભદોહદ થયું. એક દિવસ રાણી મૃગાવતી બહુ ચિંતાતુર હતી. શતાનીક રાજાએ ચિંતાનું કારણ પૂછયું અને કહ્યું કે, ચિંતાનું કારણ કહે અને ચિંતાનું કારણ જો કોઈ વ્યક્તિ હોય તો એને રાજ્યમાંથી બહાર કાઢી મૂકીએ. પરંતુ મારી ઇચ્છા તો રુધિરકુંડમાં સ્નાન કરવાની છે. રાજાએ મંત્રીના કહેવાથી આ ઇચ્છા પૂર્ણ કરવા વાવની શોધ કરી. વાવના પાણીમાં નહાવાથી રાતા રંગના દેહવાળા માંસના પિંડ જેવા શતાનીક અને મૃગાવતી દેખાતાં હતાં. વાવડી પાસે ભારંડ નામનું પક્ષી જાણે રુધિર ભૂત દેહ સમાન હતા. જાણે એ પક્ષી ભક્ષણ કરવા આવતું હોય એમ ચરણને સ્પર્શ કરી ઉપર જવા લાગ્યું. આ બધું સર્વે પ્રત્યક્ષ જોયું. એટલામાં તે પક્ષીએ શતાનીક રાજાનું અપહરણ કર્યું અને ત્યાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. એટલામાં ગર્ભવતી મૃગાવતીનું માંસના પિંડ જેવું બાળ હોવાને લીધે એવું જાણી આકાશમાં બીજું ભારંડ પક્ષી તેને ઉપાડી ગયું. રાણી આક્રંદ કરવા લાગી. મલયાચલ પર્વત પર રાણી નીચે પડ્યાં. રાજા એનાથી છૂટો પડ્યો. આમ બંને જુદાં પડ્યાં. પાંચમી ઢાલમાં મૃગાવતી વિલાપ કરી રહી છે અને વેદનાને પ્રગટ કરી રહી હતી. તે પોતાના પતિને મુક્ત કરવા આજીજી કરે છે અને કહે છે જેમ “જલ વિણ કિમ રહઈ માછલી' એમ હું પણ એમના વગર જીવિત નહીં રહી શકું. રાજાએ શું પાપ કર્યું છે? એમ વિલાપ કરતી તે છોડાવી ના શકી. આમ કર્મથી કોઈ છૂટી શકતું નથી એવી ભગવંતની વાત કહી. છઠ્ઠી ઢાલમાં ધરતી પર શતાનીક રાજા મૂછિત થઈ ગયો. શતાનીકની કરુણ સ્થિતિનું વર્ણન છે. આમ કરતાં ચૌદ વર્ષ નીકળી ગયાં. સાતમી ઢાલમાં મૃગાવતી ચરિત્ર-રાસ * 33 Page #83 -------------------------------------------------------------------------- ________________ એક દિન મહાજન પાસે એક વ્યકિત આવે છે. એનું નામ ભીમ હોય છે. પોતાની ઓળખ આપે છે. હું મલયાચલથી આવ્યો છું. કંકણની એ વાત કરે છે. ૧૪ વર્ષ પહેલાં પતિના વિયોગ પછી મૃગાવતી એણે ‘રાજ-કાજ, વૈભવ છોડી કંકણ-કુંડલ, દ્રવ્ય મને આપ્યાં હતાં.' એ વૃતાંત કહે છે. આઠમી ઢાલમાં શતાનીક રાજા અને ભીમ નામના પારધી મૃગાવતીને શોધવા માર્ગે નીકળી પડે છે. આગળ પારધી પાછળ મૃગાવતીને શોધવા શતાનીક રાજા પણ નીકળી પડે છે. પારધી મલયાચલ માર્ગ બતાવે છે જ્યાં એ બાળકને ત્યજીને ગઈ હતી. એ તાપસીનો નિવાસ બતાવે છે. અને ભીમ કહે છે કે ભીલડી મારી પ્રતીક્ષા કરતી હશે હું જઉં છું – “તું મિલિજે નિજ નારિ” એમ કહી તે નીકળી પડે છે. એ બાળક સુંદર છે એનું વર્ણન કરે છે. એ બાળક મૃગાવતીનું હોવું જોઈએ. શતાનીક રાજા એને મળવા આશ્રમે પહોંચે છે. આ ઢાલમાં આશ્રમનું આબેહૂબ વર્ણન, રાજા સેના બહાર મૂકી પોતે અંદર પ્રવેશે છે. આશ્રમનું પણ સુંદર અને ભવ્ય વર્ણન છે કે જે નાગ-નોળિયા એકઠા થઈ વિરોધ વગર રહેતાં હતાં. આ આશ્રમમાં દિવ્ય-શાંત તથા પવિત્રતાનાં દર્શન થાય છે. તાપસી પાસે બાળક આવી વંદન કરે છે. તાપસી એને આશીર્વાદ આપે છે. મસ્તકે હાથ ફેરવે છે. આ કોનો પુત્ર હશે, જેણે આનું સારી રીતે જતન કર્યું. એ પુત્રને આશ્રમના ધરમ (ધર્મ) કહે છે. એ વૃત્તાંત સંભળાવે છે. બ્રહ્મભૂતિના શિષ્યનું નામ વિશ્વભૂતિ. એક વાર વિશ્વભૂતિ ગુરુનો આદેશ લઈ મલયાચલ દેશ નીકળ્યો. ત્યાં એક કામિનીને જોઈ તે મૂચ્છને પામ્યો. તેના દેહસૌષ્ઠવનું વર્ણન જોવા મળે છે. તે અબલા મૃગાવતી પોતાના પતિના વિયોગે દુઃખ પામી છે. તે અતિ વિલાપ કરવા લાગી હતી. એની પાસે વિશ્વભૂતિ નામક વ્યક્તિ આવે છે અને સાંત્વના આપે છે. તે પોતાને બાંધવા કહીને એનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે અને કહે છે કે, તાપસ સંગતિ સાર રે, સફલ હુસ્યઈ અવતાર રે એમ કહીને તે સતી સીતા, મયણા, પદ્માવતી, દવદંતી, દ્રોપદી વગેરે સતીઓની ઉદા.થી વાત કરે છે અને સાંત્વના આપે છે તથા કલાવતી, અંજણા, રતિસુંદરી વગેરે જેવી નારીઓએ પણ ઘણાં દુઃખ સહન કર્યા છે 34 * જૈન રાસ વિમર્શ Page #84 -------------------------------------------------------------------------- ________________ એનો ચિતાર આપે છે. રુકમણિ-કમલા-સુભદ્રાના વૃત્તાન્તથી સાંત્વના મળી અને એ અબલા બ્રહ્મભૂતિ પાસે જઈ ચરણે નમી અને હાથ જોડે છે અને કહે છે તાપસ “ચક્રવર્તી સમાન તારો પુત્ર હજ' એમ તાપસ આશીર્વાદ આપે છે. તાપસ વૃંદમાં જીવન વ્યતીત કરવા લાગી ત્યારે ગર્ભવતી એને શુભ લગ્ન વેળા, પુષ્ય નક્ષત્ર ચંદ્રમાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આશ્રમમાં જાણે ચોમેર જ્ઞાનનો પ્રકાશ પથરાઈ ગયો તથા આશ્રમને ચારે બાજુએથી તાપસે શણગાર સજાવ્યો અને તાપસ કંઈક નામ વિશે વિચારવા જાય છે એટલામાં દેવવાણી સંભળાય છે અને એ શ્લોકમાં પુત્ર વિશેનાં ઉત્તમ લક્ષણોની વાત કરતાં એનું નામ ઉદયન આપ્યું. તથા માતા મૃગાવતી અને પિતા શતાનીકનો પરિચય આપ્યો. અગિયારમી ઢાલમાં મૃગાવતીનો વિલાપ બતાવ્યો છે. બારમી ઢાલમાં શતાનીક રાજાને કેવી રીતે એમની સાથે મિલાપ કરવો એ કહે છે અને આમ સઘળો વૃતાંત કહે છે. આમ મુખ્ય કથાનકની સાથે મૃગાવતીનો ભેટો થાય છે અને મૃગાવતી પોતાના તાપસી જીવન વિશે કહે છે અને સેના સાથે શતાનીક-મૃગાવતી ત્યાંથી નીકળી કૌસંબી નગરીએ પહોંચે છે. એનું ભવ્ય વર્ણન કરવામાં આવ્યું છે. આમ મૃગાવતી ચરિત્રમાં ભારંડ પક્ષી સંહરણ, તાપસાશ્રમ ૧૪ વર્ષ નિવાસ, કૌસંબી નગરી સમાગમન સાથે પ્રથમ ખંડ પૂર્ણ થાય છે. દ્વિતીય ખંડ: બીજા ખંડની શરૂઆતમાં કૌસંબી નગરીનું વર્ણન ત્યાં શતાનીક રાજા અને મૃગાવતી દ્વારા ધર્મઆરાધના તથા દીન-હીન વ્યક્તિઓને દાનપુણ્યનું વર્ણન જોવા મળે છે. ત્યાર બાદ ઉદયન-વીણા પ્રસંગનું નિરૂપણ છે. ઢાલ બીજામાં ઉદયનના વીણા-વાદનથી રાજસભા અચરજમાં મુકાઈ ગઈ એનું વર્ણન છે. અને કહે છે. ‘એહ કલા સીખી કિહાં, સભા સારી રીઝી હો ત્રીજી ઢાલમાં વીણાની વિસ્તારપૂર્વકની કથાનકનું સમાયોજન બતાવવામાં આવ્યું છે. તે ભીલ દેવતા નાગ થઈ પ્રગટ્યો. અને તે પણ પાતાલનગરીમાંથી એ નાગકુમાર અને ઉદયન માતાને નમન કરવા આશ્રમમાં ગયા ત્યાં મહાવીર સ્વામીના શિષ્યા ચંદનબાળા સાથે એ મૃગાવતી જ્ઞાનોપાસના કરી રહી હતી. આમ ઉદયન કહે છે કે હું તો ધન્ય છું. આ મારી માતા છે. રાજ-પાટના વૈભવની વાત મૃગાવતી ચરિત્ર-રાસ * 35 Page #85 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવી છે. ચોથી ઢાલમાં રાજા શતાનીકનું અહંકારીપણું તથા મારા સમડિયો કોઈ નથી એવો અહંકાર પ્રગટ થયો હતો. પાંચમી ઢાલમાં ચિત્રકારો દ્વારા રાજમહેલનાં ભીંતચિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. રામ, સીતા, લક્ષ્મણનાં ચિત્રો, હનુમાન-રાવણ, ગંગા, શ્રીકૃષ્ણ, ગણેશજીનાં ચિત્રો, વિવિધ પક્ષીનાં ચિત્રો, આમ ચિત્રોના સકળ પ્રકાર ચીતરાયા. આમ નિપુણ ચિત્રકારનાં દર્શન આપણને અહીં જેવા મળે છે. ચિત્રકાર પોતાની કલા પક્ષનો મિલાપ એ વિસ્તૃત રીતે વર્ણવે છે. સાતમી ઢાલમાં ચંડપ્રદ્યોત રાજાને ચિતારો મૃગાવતીનું આલેખન કરે છે. એ રાજા ચિત્રમાં જોઈને મૃગાવતી ૫૨ મોહિત થાય છે અને શતાનીક રાજા પાસે જઈ મૃગાવતીની માંગણી કરે છે. આમ પરસ્પર બંને રાજા વચ્ચે વાયુદ્ધ ચાલે છે. દસમી ઢાલમાં રાજા શતાનીકને રોગ થયો એની વાત કરવામાં આવી છે. આક્રમણ સામે રાજા શતાનીક અસ્વસ્થ અને ક્ષુબ્ધ બની જય છે. એ આક્રમણનો આઘાત જીરવાતો નથી. ત્યારે મૃગાવતી પતિને આશ્વાસન આપતાં કહે છે કે; મારી ચિંતા ન કરશો વિતરાગજીને સમરો, સંસારની માયાને છોડી દો, જેમ કે; નઉકાર, મનમાંહિ રાખજે, જિહાં પંચશ્રી પરમિટ્ટ પ્રિય દેખિ ચોર સૂલી ચઢયઉ, દેવતા તણા સુખ ોિજી આ સાંભળતા રાજા શતાનીક રાજા પરલોકે સીધાવ્યા. આ બીજા ખંડમાં ઉદયનકુમારનું વીણાવાદન, ચિત્રસભાકરણ, નિપુણ ચિત્રકારનું વર્ણન, ચંડપ્રદ્યોત તથા અંતે શતાનીક પરલોકગમનનું વર્ણન કરવામાં આવ્યું છે. તૃતીય ખંડ : આ ખંડમાં ચતુરી દૂતી દ્વારા ચંડપ્રદ્યોતરાજા મૃગાવતી પાસે સંદેશો મોકલે છે. આમ પરસ્પર એકબીજાની ઇચ્છાને જણાવે છે, મૃગાવતી ચતુરાઈથી પુત્રના રાજ્યાભિષેકની ઇચ્છા વર્ણવે છે. બીજી ઢાલમાં ઉદયનકુમા૨ રાજ-પાટને ધારણ કરે છે તથા મૃગાવતી દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર કરતા જ સામે આવી સમોસર્યાં, મહાવીર ભગવંત' ત્રીજી ઢાલમાં સમવસરણની દેશના જે મહાવીર સ્વામીજી આપી રહ્યા હતા તે ભાવથી સાંભળે છે. ભીલ ધનુષ્યબાણ હાથ પર ધરી અને છોડે છે. તેમ છતાં પણ મહાવીર સ્વામીજી પર્ષદા ચાલુ જ રહે છે. પાંચમી ઢાલમાં મૃગાવતી મહાવીર 36 * જૈન ાસ વિમર્શ Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્વામીના ચરણોમાં પડે છે અને વીર ચરણ વંદી, પંચમુષ્ટિ લોચન કરી : પ્રભુ સઈ હથિ સંજમ લીયઉ, ટલી સગલી મન સોચોજી'. છઠ્ઠી ઢાલમાં મૃગાવતી જ્યારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે તે સમયે ભગવાન મહાવીર એમને જે બોધ આપે છે તેમાં સાધુ-સાધ્વીઓનાં પંચમહાવ્રત તથા સાધુ-સાધ્વીઓની સમાચારીનો નિર્દેશ જોઈ શકાય છે, જેમ કે : વિનય વૈયાવચ સહુની કરજે રે, દસ વિધિ સમાચારી ધરજે રે... આમ મહાવીર સ્વામી ચંદનબાળાની શિષ્યા તરીકે તેનો સ્વીકાર કરે છે. ઢાલ સાતમાં મહાવીર સ્વામીના કેવળજ્ઞાનનું વર્ણન છે. એક વખત મૃગાવતી મહાવીરની પર્ષદામાંથી મોડાં આવે છે એટલે કે “મિરગાવતી દરસણ મોહી, પડી રાતિ ન ઊઠી તોહી' મૃગાવતી ડરતી હતી અને પશ્ચાત્તાપ તો હતો જ જેમ કે : મૃગાવતી આવી કરી, નીચ3 સીસ નમાય કર જોડી હરષઈ કરી, પ્રણમઈ ગુરુણી પાય. પરંતુ ગુરણી ચંદનબાળા તે માટે જે ઠપકો આપે છે તે પ્રસંગે પોતાની ભૂલ માટે મૃગાવતી જે પશ્ચાત્તાપ કરે તથા એ પશ્ચાત્તાપના સાચા અને ઉત્કટ ભાવથી સર્વ પ્રત્યે જે ક્ષમાપના કરે છે અને એથી કેવળજ્ઞાન પામે છે. ગુર થકી પદવી પામિયઈ રે, એહ અનક્રમ હોઈ રે. ચેલીથી પદ પામિયઉ ૨, ચંદના કેવલ જેઈ રે. આ વાત સાંભળી રાજા ઉદયન, કંચન મણિ પ્રાસાદ, તથા તે જેને ધર્મમાં વિખ્યાત કરે છે જેમ કે: પ્રતિમા જીવિત સામિની, પૂજઈ વિણ પરમાદ. આમ ઉદયન શ્રાવકે જિનશાસનને વિખ્યાત કર્યો. આમ ત્રીજા ખંડમાં શ્રી વીરાગમન, મૃગાવતી દીક્ષા, ઉદયન શ્રાવક વ્રતગ્રહણ, મૃગાવતી-ચંદના, કેવલોત્પતિનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે મૃગાવતીચરિત્રના અનુસંધાનમાં સમીક્ષા જોઈએ. સમીક્ષા: ૧. આ રાસના કથાવસ્તુ માટે મૃગાવતીનું જૈનોમાં સુપ્રસિદ્ધ ઐતિહાસિક મૃગાવતી ચરિત્ર-શસ 37 Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨. ચરિત્ર કવિએ પસંદ કર્યું છે. મૃગાવતી-શતાનીકની રાણી હતાં. આમ કૃતિમાં ઐતિહાસિકતાનાં દર્શન થાય છે. અહીં ગુરુ-શિષ્યાના સંબંધને વેગ મળ્યો છે. મૃગાવતી ભગવાન મહાવીર સ્વામીજી પાસે દીક્ષા લઈ સાધ્વી થયાં હતાં. ભગવાન એમને ચંદનબાળાની શિષ્યા બનાવે છે. મૃગાવતીનું સ્થાન સતીઓમાં મોખરે છે. પ્રાતઃસ્મરણીય સોળ સતીઓમાં એમની ગણના થાય છે. સૂર્યાસ્ત થઈ ગયા છતાં ભગવાન મહાવીરની પર્ષદામાં વધુ સમય રોકાવાને કારણે ગુરુણી ચંદનબાળા તરફથી ઠપકો મળતાં મૃગાવતી પશ્ચાત્તાપ અને આલોચના કરતાં-કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાનાં ગુરુણી કરતાં પોતે વહેલું કેવળજ્ઞાન પામે છે અને એની ખબર પડતાં જૈન પ્રણાલિકા અનુસાર ગુરુણી ચંદનબાળા શિષ્યા મૃગાવતીને વંદન કરે છે, કેવલીને નમસ્કાર કરે છે. ૩. આ કૃતિમાં કથાસાહિત્યના તંતુઓ જોવા મળે છે. સામાન્ય રીતે જૈન કથાઓમાં કથાનાયક કે કથાનાયિકાના નિર્વાણપ્રાપ્તિના પ્રસંગથી કથાનું સમાપન થાય છે તેમ અહીં પણ મૃગાવતીના નિર્વાણના પ્રસંગ સાથે કથાનું સમાપન થાય છે. ૪. આ રાસમાં સમયસુંદરજી કથાકાર તરીકે જ નહીં પણ એક સિદ્ધહસ્ત કવિ તરીકે કથાપ્રસંગનું નિરૂપણ કરે છે. તેમાં અવકાશ મળે ત્યાં પોતાના આલેખનને રસિક બનાવે છે. નગરનું વર્ણન હોય, ઉત્સવનું વર્ણન હોય, નાયક કે નાયિકાનું વર્ણન હોય કે સુખદુઃખના પ્રસંગોનું વર્ણન હોય, કવિ તેમાં પોતાની કલ્પનાના તરંગો રેડે છે. જેમ કે, શતાનીક રાજા અને કોસંબીનગરીનું વર્ણન કરતા કવિ લખે છે : ૫. તિસ દેસ કોસંબી પુરી, જાણે ઇન્દ્રપુરી અવતરી; વિબુધ લોક ગુરુનઈ ધઈ માન, ય શોભિત બહુ સુખ સંતાન. જમુના નદી વહુઈ જસુ પાસ જાણિ જલધિ મુકી હઈ તાસ... ણિ નગર રિધિ જેવા ભણી, અમરસુંદરી આવી ઘણી. આમ સમયસુંદરજી વર્ણન ખૂબ તાદૃશ અને અદ્ભુત આપે છે. રાસની નાયિકા મૃગાવતીનું શબ્દચિત્ર કવિએ એક પછી એક એમ ચારેક કડીમાં સુંદર મનમોહક રીતે દોર્યું છે! આમ એક આખી ઢાલ પ્રયોજી છે. પ્રથમ ખંડની બીજી ઢાલ) એટલું જ નહીં એ ઢાલનું નામ પણ 38 * જૈન રાસ વિમર્શ Page #88 -------------------------------------------------------------------------- ________________ નાયકાની ઢાલ' એવું પ્રયોજ્યું છે. મૃગાવતીના વર્ણનમાં કવિએ જે ઉપમાદિ અલંકારો પ્રયોજ્યા છે તે પ્રશંસનીય અને ગ્લાધ્ય છે, જેમ કે : શ્યામ વેણી દડ સોબતઉ રે, ઉપરિ રાખડિ ઓપ રે મૃગાવતી નયન કમલની પાંખડી રે, અણિઆલી અનુરૂપ રે મુખ પૂનમ કઉ ચંદલઉ વાણી અમૃત સમાન રે કંઠ કોકિલથી રૂડધઊ રે તે તઉ એક વસંત રે રિદ્ધિ અનઈ સિદ્ધિ દેવતા રે લાલ, નિત્ય વસઈ બે સાથ રે કટિ લંક જતઉ કેસરી રે લાલ સેવઈ નિત વનવાસ રે આમ સમયસુંદરજીનું અલંકાપ્રભુત્વ અનન્ય હતું. મૃગાવતીનું જ્યારે ભારંડ પક્ષીએ અપહરણ કર્યું ત્યારે મૃગાવતી જે વ્યથા અનુભવે છે અને વિલાપ કરે છે તે આપણને નળાખ્યાનની દમયંતીના વિલાપનું સ્મરણ કરાવે છે. તે પણ વેદનાથી યુક્ત છે. અહીં આપણને રસૌચિત્યનાં દર્શન થાય છે. મૃગાવતી રાણીની ભાળ લાવ્યા પછી શતાનીક રાજા પોતાની રાણી અને પુત્ર સાથે જ્યારે નગરમાં પ્રવેશ કરે છે ત્યારે એ પ્રસંગને નગરના લોકો ઉત્સવ તરીકે મનાવે છે એ ઉત્સવનું પણ સુંદર વિગતપ્રચુર વર્ણન કવિ પ્રથમ ખંડની છેલ્લી ઢાળમાં કરે છે. ૮. સમયસુંદરજીમાં ચિત્રકળાના જ્ઞાનનું પણ સમાયોજન ભવ્ય રીતે આપ્યું છે. જ્યારે શતાનીક રાજાના મહેલમાં ચિત્રો ચીતરવા માટે એક નિપુણ નામનો ચિતારો આવે છે. એ જે વિવિધ ચિત્રો દોરે છે તેનું વર્ણન સમયસુંદરજીએ રસિક રીતે કર્યું છે. મૃગાવતી ચરિત્ર-રાસ ~ 39 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૯. કવિ સમયસુંદરજીએ જેમ ઉપમાદિ અર્થાલંકારો સહજ રીતે પ્રયોજી શકે છે તેમ પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકારો પણ સહજ રીતે પ્રયોજી શકે છે. રાસની રચનામાં અંત્યાનુપ્રાસ ઘણો મહત્ત્વનો છે. રાસની પ્રત્યેક કડીમાં કવિએ અંત્યાનુપ્રાસની સહજ સંકલ્પના કરી છે. કવિનું શબ્દો પરનું પ્રભુત્વ અસાધારણ છે. તેથી તેમની શબ્દાલંકારયુક્ત પંક્તિઓમાં આયાસ જોવા મળતો નથી. શબ્દાલંકારમાં પણ કવિ એક શબ્દો જવલ્લે જ પ્રયોજે છે. એટલું જ નહીં, કવિ કેટલીક વખત તો શબ્દોને યથેચ્છ રમાડતા હોય તેવું પણ જેવા મળે છે. પ્રથમ ખંડની નવમી ઢાલમાં કવિએ કેટલીક કડીઓમાં અનુનાસિકનો ઉપયોગ કરીને અંત્યાનુપ્રાસ કેવો મધુર કર્ણપ્રિય બનાવ્યો છે! તે જુઓ : નૃપ આગલિ નિરખઈ વનતીર; તાપસ આશ્રમ ગુહિર ગંભીરું; અંબ કદંબ ચંપક કર્ણવીરં, અગર તગર નાલે૨ અંબી૨ મસ્તકિ કેશ જટા કોટીરું, તપ જપ કિરિયા સાહસ ધી૨ રાખઈ નહિ કો ધાત કથીરું, પરિગહન ધરઈ એક કસીર ૧૦. કવિ સમયસુંદરજીએ અર્થાલંકાર શબ્દાલંકાર પ્રયોજવામાં પણ સિદ્ધહસ્ત હતા. તત્કાલીન પ્રચલિત લોકોક્તિઓ, રૂઢિપ્રયોગો, કહેવતો ઇત્યાદિને પણ રાસની પંક્તિઓમાં વણી લેવામાં કવિની કુશળતા જોઈ શકાય છે. કવિએ આ રાસમાં પ્રસંગે એવી સુંદર પંક્તિઓ પ્રયોજી છે. જેમ કે : બાલિ સોનઉ જે કાનનઈ ત્રોડઈ; * જલ બિન કિમ રહુઈ માછલી; * 40 * જૈન રાસ વિમર્શ સુખ સરસવ દુઃખ મેરુ સમાન; * રસવતી જેમ અણી બે કંત વિના જ્યમ નારી વિરંગી * Page #90 -------------------------------------------------------------------------- ________________ રાગ વિના ઢાલ ન ચંગી છે. ૧૧. કવિ સમયસુંદરજી સંગીતના ઘણા સારા જાણકાર હતા. તેમણે રચેલી જુદીજુદી રાસકૃતિઓમાં ઢાળોની જે જુદા-જુદા રાગમાં રચના કરી છે તેના પરથી આની પ્રતીતિ થાય છે. આમ મૃગાવતીમાં એમણે ત્રણ ખંડમાં બધું મળીને ૩૮ ઢાળની રચના કરી છે. એમાં એમણે ભૂપાલ, કેદારો, ગૌડી, આસાવરી, મલ્હાર, મારુણી, પરજિયો, સોરઠી વગેરે રાગરાગિણી પ્રયોજ્યાં છે જે બતાવે છે કે સમયસુંદર વિવિધ રાગરાગિણીમાં ઢાળની રચના કરવામાં કુશળ હતા. ૧૨. સમયસુંદરજીએ પ્રચલિત અને લોકપ્રિય બની ચૂકેલી ગેય પંક્તિઓ અર્થાત્ તત્કાલીન લોકપ્રચલિત દેશીઓનો ઉપયોગ પણ આ રાસમાં કર્યો છે. જેમ કે : “કારણ કુણ સમા રઈ દેહા. ધન ધન અવંતી સુકુમાલ.” “સુગુણ સનેહી મેરે લાલા હરિયા મન લાગઉ' નિંદા મ કરજિયો કોઈ પારકી રે ‘સાધુનઈ વિહરાવ્યું કડવું તુંબડું રે ઇત્યાદિ દેશીઓ સમયસુંદરના સમયમાં પ્રચલિત હશે તેનો આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એની સાથે-સાથે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે સમયસુંદરે આ રાસની રચનામાં ગેયતાની દૃષ્ટિએ શક્ય એટલું વૈવિધ્ય આણવાનો પ્રયત્ન કર્યો છે. ૧૩. જૈન સાધુ કવિઓને હાથ લખાતી રાસકૃતિઓમાં ધર્મોપદેશનું તત્ત્વ સીધી કે આડકતરી રીતે આવ્યા વિના રહે નહિ. સામાન્ય રીતે કવિઓ પોતાની રાસકૃતિ માટે જે કથાનકો પસંદ કરે તે પણ એવાં હોય કે જેમાં ધર્મોપદેશનો અવકાશ રહે, જેમ મૃગાવતીનું જીવન સુખદુ:ખથી સભર છે. દુઃખના સમયમાં પણ તેઓ પોતાના ધર્મને ચૂકતાં નથી. વિષમ કસોટીમાંથી એ પાર પડે છે અને સતી તરીકે પંકાય છે. કવિએ દસમી ઢાળમાં એક-એક કડીમાં, એક-એક, સતીનો પ્રસંગ વર્ણવ્યો છે. એ જ રીતે કલાવતી, અંજનાસુંદરી, રતિસુંદરી, ઋષિદત્તા, કમલા, મૃગાવતી ચરિત્ર-રાસ 41 Page #91 -------------------------------------------------------------------------- ________________ સુભદ્રા વગેરે સતીઓના શીલનો મહિમા કવિએ વર્ણવ્યો છે. રાસના પ્રારંભમાં જ શીલના મહિમાના નિરૂપણને કવિ દ્વારા મહત્ત્વ અપાયો છે. જેમ કે : દાન શીલ તપ ભાવના ચ્યારે ધર્મ પ્રધાન; શીલ સરીખઉ કો નહી, ઈમ બોલાઈ ધમાન્ (વર્ધમાન) આમ સુંદર રીતે ચારિત્ર્ય-શીલની વાત કરી છે. ૧૪. પ્રસંગ અનુસાર એમણે કેટલેક સ્થળે ધર્મની વાત સાંકળી લીધી છે. ઉદા., તરીકે મૃગાવતી અને શતાનીક રાજાનું મિલન થાય છે અને તેઓ કૌસંબીનગરી પાછાં ફરે છે એ પ્રસંગે મૃગાવતી કેટલુંક ધર્મકાર્ય કરે છે તેનું વર્ણન કવિએ ખૂબ જ સરસ રીતે આપ્યું છે. ૧૫. મૃગાવતી જ્યારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે તે સમયે ભગવાન મહાવી૨ એમને જે બોધ આપે છે તેમાં સાધુ-સાધ્વીઓના પંચ મહાવ્રત તથા સાધુ-સાધ્વીઓની સામાચારીનો નિર્દેશ જોવા મળે છે. જેમ કે : જ્ઞાન સુંકિરિયા શિવ સુખદાઈ રે અંધ સુપંગુ નગરી પાઈ રે..... વિનય વૈયાવચ સહુની કરજે રે દસ વિધ સમાચારી ધિરજે રે... આમ કવિ ધર્મતત્ત્વને પણ વણી લે છે. ૧૬. કવિવર સમયસુંદરે આ રાસકૃતિમાં એક ઐતિહાસિક કથાવસ્તુને આલેખ્યું છે. રાસમાં પ્રસંગાનુસાર કવિએ દુહા અને ઢાલની રચના કરી છે. અને કથાનકનું નિરૂપણ કર્યું છે. દુહા અને ઢાલનું આયોજન કવિએ સપ્રમાણ કર્યું છે. અને રાગરાગિણીની દૃષ્ટિએ એને વૈવિધ્યસભર બનાવ્યું છે. મૃગાવતી રાણી, શતાનીક રાજા, જુગંધર મંત્રી, ઉદયનકુમાર, નિપુણ ચિતારો, ચંડપ્રદ્યોત રાજ, ભગવાન મહાવી૨ સ્વામી, ચંદનબાળા ઇત્યાદિનાં પાત્રોને પણ યોગ્ય રીતે વર્ણવ્યાં અને વિકસાવ્યાં છે. આલેખનમાં કવિએ સામાન્ય રીતે ક્યાંય બિનજરૂરી વિસ્તાર થવા દીધો નથી. મૃગાવતીના દોહદનો પ્રસંગ, ભારંડપક્ષીએ કરેલા અપહરણનો પ્રસંગ, ચિતારાનો પ્રસંગ, ચંડપ્રદ્યોતના આક્રમણનો પ્રસંગ, ભગવાન મહાવીર સ્વામીના સમવસરણનો પ્રસંગ, 42 * જૈન રાસ વિમર્શ Page #92 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળાએ મૃગાવતીને આપેલા ઠપકાનો પ્રસંગ અને ક્ષમાપના કરતાં-કરતાં મૃગાવતીને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનનો પ્રસંગ ઇત્યાદિ પ્રસંગો કવિએ રસિક રીતે નિરૂપ્યા છે. ૧૭. કવિએ રાસમાં ધર્મોપદેશની બાબતોને પણ સહજ રીતે રસક્ષતિ ન થાય એ રીતે, બલકે કથાવસ્તુના નિરૂપણને પોષક બને એ રીતે ગૂંથી લીધી છે. ભાષાની દૃષ્ટિએ કવિએ પોતાના સમયની ગુજરાત-રાજસ્થાનમાં પ્રચલિત તત્કાલીન ગુજરાતી ભાષા સાથે સિંધુ ભાષાની અંદર એક ઢાલ પ્રયોજીને રાસની વિશિષ્ટતા અર્પે છે. આમ સમગ્ર દૃષ્ટિએ જોતાં મૃગાવતી ચરિત્ર એ આપણા એક સિદ્ધહસ્ત શ્રી સમયસુંદરજીના હાથે લખાયેલી એક અદ્વિતીય જૈન રાસ સાહિત્યમાં અનોખી ભાત પાડતી મહત્ત્વની કૃતિ છે. મૃગાવતી ચરિત્ર-રાસ +43 Page #93 -------------------------------------------------------------------------- ________________ વલ્કલચીરી રાસ ડૉ. મીતા જે. વ્યાસ સર્જનાત્મક સાહિત્યમાં કવિવરે રાસ અને ગીતોમાં ઉચ્ચ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાષાની સુકુમારતા, વર્ણનોની તાદશતા અને આલેખનની સચોટતા સાથે એમણે આ રાસનું સર્જન કર્યું છે. એમાં એમની ઉચ્ચ કવિપ્રતિભા પ્રસંગે-પ્રસંગે ઝળકી ઊઠી છે. વલ્કલગીરીરાસની રચના સંવત ૧૬૮૧માં જેસલમેર નગરમાં મુલતાનના શાહ કરમચંદના આગ્રહ વિનંતીથી કરી છે. આ રાસમાં જૈનોના સુપ્રસિદ્ધ રાજર્ષિ પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરીની કથા અત્રે આલેખી છે. સામાન્ય રીતે કવિ દરેક કૃતિમાં પોતાના આધારગ્રંથ વિશે નોંધ કરે છે પરંતુ આ રાસને અંતે એમણે નિર્દેશ કર્યો નથી. “ત્રિષષ્ટિશલાકપુરષચરિત્રના પરિશિષ્ઠ પર્વમાં જંબુસ્વામી ચરિત્ર પૂર્વે હેમચંદ્રાચાર્યે વલ્કલચીરી કથા વિગતવાર આપી છે. પરંતુ એની સાથે સમયસુંદરની આ કૃતિ સરખાવતા મુખ્યમુખ્ય ઘટનાઓને તે યોગ્ય રીતે અનુસરતી હોવા છતાં કવિએ માત્ર તેનો થોડોક જ આધાર લીધો હોય તેમ જણાય છે. કથાનકઃ કવિએ વલ્કલચીરીરાસની રચના દુહા અને જુદીજુદી દેશીઓમાં લખાયેલી ઢાલમાં કરી છે. કદની દૃષ્ટિએ જોતાં આ રાસ જૈનરાસાઓમાં મધ્યમ કદના રાસ તરીકે જેને ઓળખાવી શકાય તેવી રચના છે. કવિએ એ માટે કથાનક અનુરૂપ પસંદ કર્યું છે. દસ ઢાલની વચ્ચેવચ્ચે દુહાની કડીઓ મળી કુલ ૨૨૬ ગાથામાં આ રચના પ્રાપ્ત થાય છે. કૃતિના આરંભમાં પ્રણાલિકા અનુસાર સરસ્વતી દેવીને, સદૂગરને તથા પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરવામાં આવ્યા છે. સાથોસાથ આ કૃતિરચનાનો હેતુ દર્શાવવામાં આવ્યો છે : તઉ પણિ ભવ તરિઆ ભણી, કરિવઉ કોઈ ઉપાય વલ્કલચીરી વરણવું, જિમ મુઝ પાતક જાય. કથાના આરંભમાં મગધનગરનું વર્ણન પ્રાપ્ત થાય છે. આ નગરી ભગવાન મહાવીર, ધન્ના, શાલિભદ્ર, નંદન મણિયાર, જંબુસ્વામી, 44 * જૈન રાસ વિમર્શ Page #94 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી વગેરે સાથે કેવી રીતે ગાઢ સંકળાયેલી છે તે દર્શાવવામાં આવ્યું છે. એ રાજગૃહ નગરીના ગુણશીલ નામના ચૈત્યમાં એક વખત ભગવાન મહાવીર એ સમયે સમોવસર્યા હતા. વનપાલક પાસેથી આ વધામણી સાંભળી શ્રેણિક રાજા તેમને વંદન કરવા માટે નીકળ્યા. રસ્તામાં તેમણે એક મુનિવરનાં દર્શન કર્યા. જે એક પગ પર ઊભા રહી, સૂર્ય સમક્ષ બે હાથ ઊંચા કરી કાઉસગ્ન કરી રહ્યા હતા : મારગમઈ મુનિવર મિલ્યા, હું વારીલાલ રહયઉ કાઉસગિ રિષિરાય રે, એક પગ ઊભી રહયઉ હું વારીલાલ પગ ઉપરિ ધરી પાય રે, શ્રેણિક રાજાની સાથે એના સેવકો, દૂતો, સૈનિકો વગેરે હતા. એમાં સુમુખ અને દુમુખ નામના રાજાના બે દૂત વચ્ચે આ મુનિવરની તપશ્ચર્યા અંગે વિવાદ થયો. સુમુખે મુનિવરના ત્યાગવૈરાગ્યની પ્રશંસા કરતાં વચનો કહ્યાં. પરંતુ દુમુખે મુનિવરને ધિક્કારતાં વચનો કહ્યાં. “અરે! આ તો પાખંડી છે. પુત્રને ગાદી આપી પોતે તપશ્ચર્યા કરવા નીકળ્યા છે. પણ એમને ખબર નથી કે શત્રુઓ વખત જોઈને એની નગરીને ઘેરો ઘાલશે, એની રાણીને કેદ પકડશે, એના પુત્રને મારી નાખશે, પુત્ર મરતાં આ નિઃસંતાન મુનિને કોઈ પિંડદાન દેશે નહીં અને તેથી તે દુર્ગતિ પામશે” દુમુખનાં આ વચનો મુનિને કાને પડ્યાં પરંતુ રાજા શ્રેણિકને આ બન્ને દૂતોના વિવાદની કોઈ જ ખબર નહોતી. શ્રેણિક રાજા તો હાથી પરથી ઊતરી આ મુનિવરને પ્રણામ કરી આગળ ચાલ્યા. શ્રેણિક ભગવાન મહાવીર પાસે પહોંચ્યા. ભગવાનની દેશના સાંભળ્યા પછી રાજાએ પ્રશ્ન પૂછ્યો : “હે ભગવાન, રસ્તામાં મેં એક મુનિવરને જોયા. ઉગ્ર તપશ્ચર્યા કરનાર તે મુનિવર જે હમણાં કાળધર્મ પામે તો તેમની ગતિ કેવા પ્રકારની થાય?” ભગવાને કહ્યું, “તે સાતમી નરકે જાય” આવી ઉગ્ર તપશ્ચર્યા કરનારની આ ગતિ થાય તેનું આશ્ચર્ય રાજાને થયું. તેમના મનમાં સંશય થયો. કંઈ સમજ ન પડી એટલે થોડી વાર પછી ભગવાનને ફરી પ્રશ્ન કર્યો તો જવાબ મળ્યો કે, “હવે જો તે કાળધર્મ પામે તો સર્વાર્થ સિદ્ધિઓ જાય” ભગવાનના આ ઉત્તરથી રાજાને વધારે સંશય થયો. રાજા શ્રેણિકનો સંશય દૂર કરતાં ભગવાને કહ્યું, “દુમુખના વચનથી વિલ્કલચીરી રાસ + 45 Page #95 -------------------------------------------------------------------------- ________________ તે મુનિ જે રૌદ્ર ધ્યાનમાં આરૂઢ હતા. તેમણે મનમાં ને મનમાં પોતાના શત્રુઓ સાથે સંગ્રામ માંડ્યો હતો અને તે સમયે જો તે કાળધર્મ પામે તો નરકગામી થાત. મનમાં ને મનમાં શત્રુઓ પર પ્રહાર કર્યા પછી શસ્ત્રો ખૂટી જતાં પોતાના મસ્તક પર હાથ મૂક્યો. પોતાના લોચ કરેલા મસ્તકનો ખ્યાલ આવતાં તેઓએ જે પશ્ચાત્તાપ કર્યો અને પછી શુભ ધ્યાનમાં આરૂઢ થયા. આથી હવે જો તે કાળધર્મ પામે તો સર્વાર્થ સિદ્ધિએ જાય.” રાજએ મુનિની પ્રવજ્યાનું કારણ પૂછ્યું : ભગવાને વિગતે વાત કહી : પોતનપુર નામના નગરમાં સોમચંદ્ર નામે રાજા હતો. એની રાણીનું નામ ધારિણી. એક વખત રાજારાણી મહેલે બેઠાં હતાં તે સમયે રાજાના મસ્તકમાં સફેદ વાળ જોઈ રાણીએ કહ્યું. “દેવ, જુઓ કોઈ દૂત આવ્યો છે. રાજાએ આમતેમ જોયું પણ કોઈ દૂત જણાયો નહિ પણ રાણીએ સફેદ વાળ બતાવી કહ્યું, “જુઓ આ યમનો દૂત” રાજાએ કહ્યું, “અરે, મારા પૂર્વજો માથામાં સફેદ વાળ આવે તે પહેલા જ રાજગાદીનો ત્યાગ કરી વનમાં જતા. હું પણ મોહમાયામાં ફસાયેલો છું. શું કરું? કુમાર પ્રસન્નચંદ્ર હજુ બાળક છે. તું જો તેની સંભાળ રાખે તો હું વનવાસી બનું. રાણીએ કહ્યું: “હું તો તમારી સાથે વનમાં આવવા ઇચ્છું છું. કુમાર ભલે નાના હોય, રાજપુરુષો એની સંભાળ રાખશે.” રાજા-રાણીએ નિશ્ચય કરી રાજગાદી પર કુમારને સ્થાપી તાપસી દીક્ષા ધારણ કરી જંગલમાં રહેવા લાગ્યાં. રાણી ઈંધણ લાવતી, ગાયના છાણથી ઝૂંપડી લીપતી. રાજા વનમાંથી ચોખા લાવતા આ રીતે બંને તપ કરતાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યાં. વનમાં ગયા પછી થોડા સમયમાં રાણીને ગર્ભવતીનાં લક્ષણો દેખાયાં. રાજાએ કારણ પૂછતાં રાણીએ કહ્યું, “ગૃહસ્થાશ્રમમાં જ હું ગર્ભવતી હતી પરંતુ દીક્ષામાં અંતરાય થાય એટલે આ વાત છુપાવી હતી. ગર્ભકાળ પૂર્ણ થતાં રાણીએ પુત્રજન્મ આપ્યો પરંતુ રાણી મૃત્યુ પામી. જન્મેલા બાળકને વલ્કલના વસ્ત્રમાં લપેટવામાં આવ્યું. આથી પિતાએ તેનું નામ “વલ્કલગીરી રાખ્યું. વનમાં પુત્ર મોટો થવા લાગ્યો. પશુઓ સાથે રમતો. પિતાની ચાકરી કરતો, ભણતો એ બાળક ધીમેધીમે યુવાનીમાં પ્રવેશ્યો. સંસારની ગતિપ્રણાલિકાથી અજાણ બ્રહ્મચારીને સંસારની કશી જ ખબર નહોતી. પિતાની ગાદીએ આવેલ પ્રસન્નચંદ્ર મોટો થયો. સુખેથી રાજ્ય કરતો 46* જૈન રાસ વિમર્શ Page #96 -------------------------------------------------------------------------- ________________ હતો ત્યાં તેણે સાંભળ્યું કે માતાને વનમાં ગયા પછી પુત્રજન્મ થયો હતો. એ ભાઈને મળવા એનું હૃદય ભ્રાતૃસ્નેહથી આતુર બન્યું. એણે ચિત્રકારોને બોલાવી જંગલમાં મોકલ્યા અને પોતાના ભાઈનું ચિત્ર કરી લાવવાની આજ્ઞા કરી. ચિત્રકારો ચિત્ર બનાવી લાવ્યા. પ્રસન્નચંદ્ર આનંદિત બન્યો. ચિત્ર જોતાં જ વિચાર આવ્યો કે પિતા તો વૈરાગ્ય ધારણ કરી તપ કરે છે પરંતુ મારો નાનો ભાઈ તરુણાવસ્થામાં આવું કષ્ટ ઉઠાવે અને હું સુખ ભોગવું એ યોગ્ય નથી. આથી રાજાએ કુશળ વારાંગનાઓને બોલાવી કહ્યું “તમે મુનિનો વેશ ધારણ કરી વનમાં જાઓ અને વિવિધ કલાઓ વડે નાના ભાઈનું મન આકર્ષ અહીં લઈ આવો. વારાંગનાઓ ફલ, બિલ વગેરે લઈ અરણ્યમાં ગઈ. વલ્કલચીરીએ તેમનું સ્વાગત કર્યું અને પૂછ્યું તમે ક્યાંથી આવો છો? તેમણે કહ્યું: પોતનપુરના આશ્રમમાંથી. વલ્કલચીરીને આશ્રમમાંનાં ફળ આપ્યાં ત્યારે વેયાઓએ પોતે લાવેલાં ફળ વલ્કલચીરીને ચખાડ્યાં અને કહ્યું “તમારાં ફળ કેવાં નીરસ છે. અમારાં ફળ કેટલાં સ્વાદિષ્ટ છે.” વલ્કલચીરીએ વેશ્યાઓની છાતી પર સ્પર્શ કરીને કહ્યું, “આ શું છે?” વેશ્યાઓએ કહ્યું, અમારા આશ્રમમાં રહેનારને પુણ્યોદયથી આવું ફળ પ્રાપ્ત થાય છે. તમે અમારા આશ્રમે ચાલો.” વલ્કલચીરીએ કહ્યું, “હા, મને જરૂર લઈ જઓ.” વલ્કલગીરી વેશ્યાઓ સાથે નગરમાં જવા માટે થોડેક ગયો ત્યાં સામેથી સોમચંદ્ર ઋષિને આવતા જોઈ વેશ્યાઓ નાસી ગઈ. વલ્કલચીરી તેમને શોધતો-શોધતો વનમાં ભટકવા લાગ્યો. પણ કોઈ દેખાયું નહીં. એવામાં એક પોતાનપુરના રથીને જોયો તેને પૂછ્યું : ક્યાં જાઓ છો? તેની સાથે નગર તરફ જવા નીકળ્યો. રસ્તામાં એક ચોરે રથી પર હુમલો કર્યો. જપાજપીમાં ચોરે પોતાનું બધું ધન રથીને આપી દીધું. પોતાનપુરમાં પહોંચતા જ રથીએ આ બંનેમાંથી થોડું ધન વલ્કલચીરીને આપતાં કહ્યું, “આ લે તારો ભાગ, આના વિના તને ક્યાંય રહેવા કે ખાવા નહિ મળે.' વલ્કલચીરી નગરમાં આશ્ચર્યમુગ્ધ બની ‘તાત’ ‘તાતી બૂમો પાડતો ભમવા લાગ્યો. લોકો તેને જોઈને હસતા હતા. સાંજ પડી ગઈ પણ ક્યાંય આશ્રય મળ્યો નહિ. એક વેશ્યાને ત્યાં પૈસા આપીને રહ્યો. વેશ્યાએ તેને સ્નાનાદિથી સુગંધિત બનાવ્યો. સુંદર વસ્ત્રો પહેરવા આપ્યાં અને પોતાની દીકરીનું પાણિગ્રહણ કરી ઉત્સવ મનાવ્યો. વલ્કલચીરી માટે આ એક નવો વલ્કલચીરી રાસ * 47 Page #97 -------------------------------------------------------------------------- ________________ જ અનુભવ હતો. આ બાજુ વલ્કલચીરીને લેવા ગયેલી વેશ્યાઓએ રાજાને વત્તાંત કહ્યો. તે સાંભળી પોતાના ભાઈ વિશે ચિંતાતુર બન્યો. તે રાત્રી શોકમાં પસાર કરવાનું નક્કી કર્યું. ત્યાં જ ગીતવાજિંત્રોનો નાદ સંભળાયો. તપાસ કરતાં ખબર પડી કે એક વેશ્યાને ત્યાં તેની દીકરીનાં લગ્ન હોવાથી ઉત્સવ મનાય છે. રાજાને સંશય થયો. એણે પેલા ચિત્ર સાથે કેટલાક માણસો મોકલ્યા. આ વ્યક્તિ પોતાનો ભાઈ છે. એ જાણી હાથી પર બેસાડી રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો. રાજાએ એને નાગરિક સંસ્કાર-શિષ્ટાચાર શિખવાડી કેટલીક સુંદર કન્યાઓ પરણાવી. આ બાજુ આશ્રમમાં પુત્રને ન જોતાં સોમચંદ્ર ઋષિને ઘણું દુઃખ થયું. ચિંતામાં ને ચિંતામાં અંધ બની ગયા. પાછળથી સમાચાર મળ્યા કે વલ્કલગીરી પોતાના ભાઈની સાથે છે ત્યારે સાંત્વન મળ્યું. પોતનપુરમાં વલ્કલચીરીને બાર વર્ષ પૂર્ણ થયાં. એક રાત્રે તે અચાનક જાગી ગયો. પોતાના આશ્રમજીવનનો વિચાર કરવા લાગ્યો. પિતાનું સ્મરણ થયું. તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. ભાઈ પાસે પુનઃ વનમાં જવાની, પિતાની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રસન્નચંદ્ર પણ તૈયાર થયા. બંને ભાઈઓ આશ્રમમાં સોમચંદ્ર પાસે આવી પહોંચ્યા. રાજર્ષિને મળ્યા, વંદન કર્યા. હર્ષાશ્રુ વહેવાથી સોમચંદ્રનો અંધાપો ચાલ્યો ગયો. વલ્કલચીરી કુટિરમાં ગયા ત્યાં તાપસનાં ઉપકરણો જોતા જાતિસ્મરણ થયું. અને પોતાના મનુષ્યભવ-દેવભવનું સ્મરણ થયું. આત્માની ઉચ્ચ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે જ સમયે દેવતાઓએ પ્રગટ થઈ એમને સાધુવેશ આપ્યો અને પછી પોતે બીજે વિહાર કરી ગયા. પોતાના નાના ભાઈની આ સ્થિતિ જોઈ પ્રસન્નચંદ્રને વૈરાગ્ય ઉત્પન્ન થયો. રાજ્યમાં પાછા ફર્યા પણ ત્યાગની ભાવના પ્રબળ બનતી ગઈ. એક વખત ભગવાન મહાવીર પોતનપુરના ઉદ્યાનમાં સમવસર્યા હતા ત્યારે તેમની પાસે દીક્ષા લઈ બાલપુત્રને ગાદી સોંપી પ્રસન્નચંદ્ર ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. ભગવાન મહાવીરે શ્રેણિક રાજાને પ્રસન્નચંદ્રની પ્રવજ્યાનું કારણ કહ્યું, એટલામાં દેવદુંદુભિ સંભળાવી દેવતાઓનું આગમન થયું. ભગવાને કહ્યું, પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે માટે દેવતાઓ મહોત્સવ માટે આવી રહ્યા છે. આ જોઈને શ્રેણિક રાજાને આનંદ-આશ્ચર્ય થયું. તેમણે 48 * જૈન રાસ વિમર્શ Page #98 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કેવળીને ફરી-ફરી વંદન કર્યા. મૂલ્યાંકન સમયસુંદર સંગીતના અચ્છા જાણકાર હતા. ભિન્નભિન્ન રાગરાગિણીઓમાં એમણે રાસ તથા ચોપાઈની ઢાળો અને વિશેષતઃ ગીતોની જે રચના કરી છે તે પરથી સહેજે સમજાય છે કે સંગીત પર એમનું પ્રભુત્વ અદ્ભુત હતું. રાગ-રાગિણી ઉપરાંત તત્કાલીન લોકપ્રિય દેશીઓની પણ એમણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. પોતે કેટલાક નવા ઢાળો પ્રચલિત કર્યા હતા. સમયસુંદરના સમકાલીન કવિ ઋષભદાસે સં. ૧૬૭૦માં રચેલા ‘કુમારપાલ રાસમાં સમયસુંદરની પ્રશંસા કરતાં લખ્યું છે : સુસાધુ હંસ સમયો સુચંદ, શીતલ વચન, જિમશારદચંદ એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિ હું મુરખ બાલ. જે સમયે સમયસુંદરનું સાહિત્ય હજુ સર્જાઈ રહ્યું એ સમયે ઋષભદાસે કરેલા આ ઉલ્લેખ પરથી ખાતરી થાય છે કે કવિવરે પોતાના રચનાકાળ દરમિયાન જ ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હશે. વલ્કલચીરીરાસ લગભગ સવાબસો ગાથામાં રચાયેલ કૃતિ છે. આ નાનકડા કથાનકને કવિ સુભગ રીતે આલેખે છે. આ લઘુ રચનામાં કવિત્વ વિલાસને બહુ અવકાશ હોય નહિ એ સ્વાભાવિક છે. છતાં શ્રોતાઓને પ્રિય એવી કથા સાંભળવાનો રસ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આમ છતાં કવિને જ્યાં જ્યાં તક મળી ત્યાં ઉપમા આદિ અલંકારોનો પ્રયોગ કરી કાવ્યત્વના ચમકારા દર્શાવે છે. હીયડઈ શ્રેણિક હરખીયઉ, મેઘ આગઈ જિમ મોર, વસંત આગમ જિમ વનસપતી, ચાહઈ ચંદ ચકોર. પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરી પોતાના પિતાને મળવા માટે વનમાં જાય છે. તે સમયે વનમાં એક પછી એક વસ્તુઓ જોઈ પોતાના બાળપણનાં સંસ્મરણો તાજાં થતાં વલ્કલગીરી કેવી સ્વાભાવિક રીતે ભાઈ પાસે વર્ણન કરે છે : આશ્રમ દીઠું અભિરામ, ઉતર્યા અશ્વથી તામ, સર દેખિ સાથી મેલિ, કરતઉં હું હંસ જુ કેલિ. વલ્કલચીરી રાસ * 49 Page #99 -------------------------------------------------------------------------- ________________ એ દેખિ તર અતિ ચંગ, રમત ઉપરિ ચડિ રંગ, ફૂટડા ફલ નઈ ફૂલ, એહના આણિ અમૂલિ. ભાઈ એ ભાઈસિનું દેખિ, વલ્કલચીરી નઈ હું વેષિ, દોહેનઈ આણી દૂધ, પીતા પિતા અખ્ત સૂધ. મિરગલા એ રમણીક, નિત ચરઈ નિપટિ નિજીક, રમતઉ હું ઈણ શું રંગિ, બાલ તણી પરિ બહુ ભંગિ. નવમી ઢાલમાં અને ત્યાર પછી દુહાની કડીઓમાં કથાનું સમાપન થઈ ગયા પછી દશમી ઢાલમાં કૃતિનું સમાપન કરતાં કવિ કથાનાયકને વંદન કરતાં કેવળજ્ઞાનનું ફરી એક વાર સ્મરણ કરે છે : શ્રી વલ્કલ રે ચીરી સાધુ વાંદિયાં રે, હાં રે ગુણ ગાવતાં અભિરામ અતિ આણંદિયઈ રે. તાપસના ઉપગ્રહણ તિહાં, પડિલેહતાં, હાં રે નિરમલ કેવલ ન્યાન અતિ ભલું ઉપનું, શિવરમણી રે, સંગમનું સુખ સપનું રે. આમ કવિની આ કૃતિમાં સ્થળ-સ્થળે આપણને રસિક કાવ્યમય પંક્તિઓ પ્રાપ્ત થાય છે. તેઓ સંગીતના સારા જાણકાર હતા. આથી આવી નાની રાસ-રચનામાં પણ પ્રત્યેક ઢાલ જુદાજુદા રાગ કે દેશમાં પ્રયોજી છે. એમની પંક્તિઓમાં પ્રાસસંકલ્પના પણ સ્વાભાવિક અને સુભગ હોય છે. મારવાડી છાંટવાળી એમની જૂની ગુજરાતી ભાષામાં એક પ્રકારનું પ્રસાદગુણ અને માધુર્ય અનુભવાય છે. આ રાસમાં હજુ પણ કેટલાંક રસસ્થાનો ખીલવી શકાય એવાં છે. પરંતુ રાસના કદની નિશ્ચિત મર્યાદાને કારણે તેમ થઈ શક્યું નહીં હોય તેમ જણાય છે. કવિ તરીકેની સમયસુંદરની શક્તિનું આ રાસ કૃતિમાં આપણને દર્શન થાય છે. કવિવર ખરેખર અસાધારણ પ્રતિભા ધરાવનાર પ્રખર વિદ્વાન, સમર્થ સાહિત્યકાર, પ્રતિભાશાળી કવિ અને તેજસ્વી સાધુ હતા. સમગ્રપણે મૂલ્યાંકન કરતાં કહી શકાય કે સમયસુંદરની આ લઘુરાસ કૃતિ ઠીકઠીક પ્રમાણમાં આસ્વાદ્ય બની રહી છે. સંદર્ભ ગ્રંથો (૧) ક્રિતિકા રમણલાલ સી. શાહ, ગુર્જર એજન્સીઝ, અમદાવાદ 50 * જૈન રાસ વિમર્શ Page #100 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૮૨ (૨) ગુજરાતી વિશ્વકોશ: ખંડ-૧૭ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ ઈ.સ. ૨૦૩. ગુજરાતી સાહિત્યકોશ: ખંડ-૩ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ: ખંડ-૧ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (૫) પડિલેહા” રમણલાલ સી. શાહ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ – પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૭૯ મધ્યકાળના સાહિત્યપ્રકારો ચંદ્રકાન્ત મહેતા, એન.એમ. ત્રિપાઠી, મુંબઈ. - પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૫૮ મહાકવિ જયશેખરસુરિ ભાગ-૧ સાધ્વીશ્રી મોક્ષગુણાશ્રીજી આર્ય જનકલ્યાણ કેન્દ્ર, મુંબઈ – પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૯૧ (૮) મૃગાવતીચરિત્ર ચોપાઈ અગરચંદ નાહટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૭૮ () શ્રી હરિવંશપુરાણ ગીતા પ્રેસ, ગોરખપુર, છઠ્ઠ આવૃત્તિ સં. ૨૦૬૫ (૬) વાચી રસ જ્ઞ Page #101 -------------------------------------------------------------------------- ________________ સીતારામ ચોપાઈ હિતેશ બી. જાની જીવન અને કવન મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં પોતાના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન દ્વારા મૂલ્યવાન પ્રદાન કરનાર જૈન સાધુ અને કવિ એટલે સમયસુંદર. કવિવર સમયસુંદરનો જીવનકાળ ઈ.સ.ના સોળમા ઉત્તરાર્ધથી સત્તરમાં શતકના પૂર્વાર્ધ સુધીનો છે. પોતાની કવિપ્રતિભાની સાથે તેમણે તપસ્વી સાધુ તરીકેની પોતાની પ્રતિષ્ઠા પણ પોતાના સમયમાં મેળવી હતી. કવિવર સમયસુંદરના જીવન વિશેની માહિતી એમણે રચેલા ગ્રંથો ઉપરાંત એમના શિષ્યોએ રચેલા ગ્રંથો પરથી સાંપડે છે. સમયસુંદરનો જન્મ મારવાડ ખાતે સાંચોરની પ્રાગ્વાટ પોરવાડ) વણિક જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું. પોતાના જન્મસ્થળ વિશે કવિએ પોતાની કૃતિ “સીતારામ ચોપાઈના છઠ્ઠા ખંડની ત્રીજી ઢાલમાં આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે : “મુજ જનમ શ્રી સાચોરમાંહી, તિહાં ચાર માસ રહ્યાં ઉચ્છાહિ; તિહાં ઢાલ એ કીધી એકે જ, કહે સમયસુંદર ધરી હેજ” સમયસુંદરના જન્મસમય કે બાલ્યકાળ વિશે કોઈ નોંધપાત્ર પ્રમાણો મળતાં નથી, પરંતુ અન્ય ગ્રંથોમાં થયેલા ઉલ્લેખો પરથી કેટલાંક અનુમાન કરી શકાય છે. સમયસુંદરનો પ્રથમ ગ્રંથ તે ભાવતિ' સંવત ૧૬૪૧માં રચાયેલો. આ સંસ્કૃત ગ્રંથમાં તેમણે મમ્મટ કૃત “કાવ્યપ્રકાશની ગવેષણા કરી ધ્વનિ ઈત્યાદિ સૂક્ષ્મ વિષયોની ૧૦૦ શ્લોકમાં ચર્ચા કરી છે. માવતિમાં કવિ પોતાને “ગણિ સમયસુંદર' તરીકે ઓળખાવે છે. કહન વિષય અને ગણિ'નું પદ એ બતાવે છે કે પુખ્ત ઉંમરે પહોંચ્યા પછી જ તેમણે આ ગ્રંથની રચના કરી હશે. સંવત ૧૬૪૧માં તેઓ “ગણિ’ હતા. આપણે જાણીએ છીએ કે દીક્ષા લીધા પછી ગણિ' પદ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછાં આઠ દસ વર્ષની અખંડ સાધનાની અને અવિરત અભ્યાસની આવશ્યકતા છે. આ પરથી એવું અનુમાન કરી શકાય કે સમયસુંદરે ૧૬૩)ની આસપાસ દીક્ષા લીધી હશે. 52 * જૈન રાસ વિમર્શ Page #102 -------------------------------------------------------------------------- ________________ સમયસુંદરે દીક્ષા બાળવયે નહીં, પણ પંદર-વીસ વર્ષની વયે લીધી હતી. તેમના શિષ્ય વાદી હર્ષનંદને લખ્યું છે તે પ્રમાણે સમયસુંદરે નવ યૌવન ભર સંયમ સંગ્રહ્યો છે, સઈ હર્ષ શ્રી જિનચંદ વાદી હર્ષનંદને જ્યારે નવયૌવનનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ત્યારે સમયસુંદર આઠદસ વર્ષની બાલ્યાવસ્થાએ નહીં, પરંતુ પંદરવીસ વર્ષની તરુણાવસ્થામાં દીક્ષા લીધી હશે તેવું અનુમાન કરવામાં કશું ખોટું નથી. દીક્ષા સમયે સમયસુંદરની ઉંમર અંદાજે વીસ વર્ષની કલ્પીએ તો તેમનો જન્મ સંવત ૧૬૧૦ની આસપાસ થયો હશે તેમ માની શકાય. યુપ્રધાન આચાર્યશ્રી જિનચન્દ્રસૂરિએ પોતાને હાથે કવિને દીક્ષા આપી હતી અને પોતાના પ્રથમ શિષ્ય સકલચન્દ્ર ગણિના શિષ્ય તરીકે એમને જાહેર કરી, એમનું નામ “સમયસુંદર રાખ્યું હતું દીક્ષા લેતાં પહેલાં સમયસુંદરે કંઈ અભ્યાસ કર્યો હોય તેવો કોઈ નિર્દેશ મળતો નથી. સાંચોર જેવા પછાત ગામમાં અભ્યાસ માટે તેમને બહુ અનુકૂળ પરિસ્થિતિ સાંપડી હોય તેવું લાગતું નથી. દીક્ષા પછી જ અભ્યાસ માટે તેમને ઘણી તક મળી હોય તેમ તેમના લખાણ પરથી જાણી શકાય છે. સમયસુંદરે પોતાનો અભ્યાસ વિશેષતઃ વાચક મહિમરાજ પછીથી જેઓ શ્રી જિનસિંહ સૂરિ તરીકે ઓળખાયા) અને સમયરાજ ઉપાધ્યાય પાસે કર્યો હતો. આ બન્નેને તેઓ “ભાવશતક' અને “અષ્ટલક્ષીમાં પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે. સમયસુંદરના ઉચ્ચતર અભ્યાસ, તીક્ષ્ણ બુદ્ધિ, અસાધારણ પ્રતિભા અને તપસ્વી તેમ જ સંયમી સાધુજીવન જોઈને આચાર્યશ્રી જિનચન્દ્રસૂરિએ તેમને સંવત ૧૬૪૦ના મહા સુદ પાંચમને દિવસે ગણિ'નું પદ આપ્યું હતું. સમયસુંદર ભાષાવિદ્, શાસ્ત્રરાગી અને કાવ્યકલાના અભ્યાસી હતા. તેઓનું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મારવાડી, હિન્દી, ગુજરાતી, સિંધી ભાષાઓ પર પ્રભુત્વ હતું. સંસ્કૃત ભાષામાં એમણે કાવ્યન્યાય, છંદ, વ્યાકરણ, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિવિધ વિષયોની કૃતિઓ આપી છે. સમયસુંદર : (જ.? સાંચોર, રાજસ્થાન : અ. ૧૬૪૬ (સં. ૧૭૦૨, ચૈત્ર સુદ ૧૩) અમદાવાદ) મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યમાં પોતાના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન દ્વારા મૂલ્યવાન પ્રદાન કરનાર જૈન સાધુ કવિ. તેમનો જન્મ પોરવાડ વણિક જ્ઞાતિમાં થયો હતો. એમનું જન્મવર્ષ નિશ્ચિત રીતે ઉપલબ્ધ નથી. સીતારામ ચોપાઈ * 53 Page #103 -------------------------------------------------------------------------- ________________ પરંતુ એમની ગુજરાતી કૃતિ સાંબ પ્રદ્યુમ્ન રાસનું સૌથી વહેલું રચનાવર્ષ ઈ.સ ૧૬૦૩ અને દ્રૌપદીરાસનું રચનાવર્ષ ઈ.સ. ૧૬૪૪ મળતું હોઈ એમનો કવનકાળ ઈસુની ૧૭મી સદીનો પૂર્વાર્ધ હોવાનું નિશ્ચિત કરી શકાય છે. જો કે એમની એક સંસ્કૃત કૃતિ “ભાવશતકની રચના ઈ.સ. ૧૫૮૫ની છે. એમના અવસાનના સ્થળ – સમયનો ઉલ્લેખ રાજસોમ નામક એક કવિના અંજલિગીતમાં મળે છે, તે સિવાય એ અંગે અન્ય કોઈ આધાર મળતો નથી. સમયસુંદર ખરતર ગચ્છના જિનચંદ્રસૂરિ ઉપા. સકલચન્દ્રના શિષ્ય હતા. જિનચંદ્રસૂરિ અકબર બાદશાહને મળવા લાહોર ગયા ત્યારે તેમની સાથેના સાધુસમુદાયમાં સમયસુંદર પણ હતા. ઈ.સ ૧૫૯૩માં લાહોરમાં જિનચંદ્રસૂરિએ સમયસુંદરને ઉપાધ્યાયપદ પ્રધન ર્ક્યુ કહેવાય છે કે પોતાની સંસ્કૃત કૃતિ “અષ્ટલક્ષીની તત્કાલ આંશિક રચના કરીને અકબરને એમણે પ્રસન્ન કરેલા. એ પછી મુખ્યત્વે ગુજરાત, મારવાડ, મેવાડ અને સિંધ પ્રદેશોમાં એમના વ્યાપક વિહારો થતા રહ્યા. એમણે રચેલા ગ્રંથોનાં સ્થળનામો એમના નિશ્ચિત પુરાવા છે. ૧૬રમાં એમણે રાણકપુરની યાત્રા કરી હતી. ઈ.સ. ૧૬રમાં જેસલમેર પાસેના થેરુ ભણસાલીએ કાઢેલા શત્રુંજય યાત્રાના સંઘમાં સમવસુંદર જોડાયા હતા. એમના શિષ્યમંડળમાંથી હર્ષનંદન, હર્ષકુશલ અને મેઘવિજય નામના શિષ્યો સમયસુંદરને સહાયક બન્યાના ઉલ્લેખો એમની રચનાઓમાંથી પ્રાપ્ત થાય છે. સમયસુંદર ભાષાવિદ, શાસ્ત્રરાગી અને કાવ્યકલાના અભ્યાસી હતા. તેઓનું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મારવાડી, હિંદી, ગુજરાતી, સિંધી ભાષાઓ ઉપર પ્રભુત્વ હતું. સંસ્કૃતમાં એમણે કાવ્ય, ન્યાય, છંદ, વ્યાકરણ, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિવિધ વિષયોની કૃતિઓ આપી છે. ગુજરાતીમાં એમણે ૨૧ જેટલી રાસાકૃતિઓ તથા પાંચસોથી વધુ ગેવત્વથી સભર લઘુ કાવ્યકૃતિઓ આપી છે. લોકગીતોના ઢાળ અને વિવિધ દેશીઓના તેઓ મર્મજ્ઞ હોઈને ગેયતાની દષ્ટિએ પણ એમની આ રચનાઓ નોંધપાત્ર બની છે. એમણે રચેલી દીર્ઘ કલાત્મક, રસકૃતિઓ આ પ્રમાણે છે: પ૩૫ કડીનો સાંબ-પ્રદ્યુમ્ન રાસ' (૧૬૩), ૧૮૪૦ કડીનો “ચાર પ્રત્યેક બુદ્ધ રાસ” ( ૧૯), રાણી પદ્માવતીનો રાસ' (૧૯૭૯), મયણરેહા રાસ' (૧૯૭૯), ગ્ર રવિમર્શ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ કડીનો “મૃગાવતી ચરિત્ર રાસ' (૧૯૧૨), ૩૭00 કડીની સીતારામ ચોપાઈ' (૧૯૧૨), ૨૩૦ કડીનો ‘સિંહલસુત પ્રિયમેલક રાસ' (૧૯૧૬), ૨૭) કડીની “પુષ્પસાર ચોપાઈ' (૧૬૧૭), ૨૨૫ કડીનો “વલ્કલચીરી રાસ (૧૬૨૫), ૪૦ કડીનો “વસ્તુપાલ તેજપાલ રાસ' (૧૯૨૬), બાવ્રત રાસ' (૧૬૨૯), ૧૦૮ કડીનો શત્રુંજય તીર્થ રાસ' (૧૯૩૨), ૪૪૮ કડીની થાવસ્યાસુત ઋષિ ચોપાઈ' (૧૯૩૫), ૫૪ કડીનો “ક્ષુલ્લક ઋષિ રાસ' (૧૬૩૮), ૫૦૬ કડીના ચંપક શ્રેષ્ઠ ચોપાઈ' (૧૯૩૯), ૭૪ કડીની ‘ગૌતમપૃચ્છા ચોપાઈ' (૧૯૩૯), ૧૬૧ કડીની “ધનદત્ત શ્રેષ્ઠિની કથા’ (૧૬૪૦), ૫૧૯ કડીનો “સાધુવંદના રાસ' (૧૯૪૧), ૩૭ કડીનો “પુંજ ઋષિરાસ' (૧૬૪૨), ૬૦૬ કડીનો દ્રોપદી રાસ' (૧૯૪૪) અને પ૭ કડીનો કેશી પ્રદેશી પ્રબંધ'. આ કૃતિઓના કથાનકોનો આધારસોત આગમગ્રંથો ધર્મગ્રંથોમાં મળતી જૈન કથાઓ છે. નળ દમયંતી, રામસીતા, દ્રૌપદીનાં જેનેતર કથાનકો પણ તેમના રાસાઓનો વિષય બન્યો છે, પણ મૂળ રામાયણ-મહાભારતથી અલગ પડીને જેનપરંપરામાં રૂપાંતરિત થયેલ કથાગ્રંથોને આધારે એ રચના થઈ છે. સૌથી વધારે ધ્યાનાર્હ રચના છે. “સીતારામ ચોપાઈ' જૈન પરંપરામાં રચાયેલ પઉમચરિત્ર' ગ્રંથ એનો મુખ્ય આધાર છે. વિવિધ દેશીઓમાં કાવ્યચાતુરીથી સભર રસિક રાસકૃતિ એ બની છે. ‘નળ-દમયંતી રાસ', પાંડવ ચરિત્ર' અને “નેમચરિત્ર'ની નલકથાને અનુસરતી એ રચના છે. એમાં નળદમયંતીના ત્રણ ભવનું આલેખન છે એ જ રીતે દ્રોપદી રાસ પણ જ્ઞાતાસૂત્ર'ના ૧૬મા અધ્યાયને આધારે આલેખાયેલી કથા છે. “વસ્તુપાલતેજપાલ રાસ’ જેવી રચના ઐતિહાસિક વિષયવસ્તુને નિરૂપે છે. સમયસુંદરની લઘુકાવ્યસ્વરૂપની ગેય રચનાઓમાં ચોવીસી, વીસી, સ્તવન, સઝાય, ફાગુ, પદ, ગીત, ભાસ, સ્તુતિ, સંવાદ, હરિયાળો જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. સ્તવનોમાં તીર્થકરોનાં તેમ જ વિવિધ તીર્થસ્થાનોનાં સ્તવન ધ્યાનપાત્ર બન્યાં છે. જુદાજુદા સાધુ-મહાત્માઓનાં તપત્યાગ વૈરાગ્યને નિરૂપતી તેમ જ બોધપ્રધાન સઝાયો પણ વિપુલ સંખ્યામાં મળે છે. ગુરુગીતો અને નેમિનાથ-રાજમતિ વિષયક પદો પણ ઉત્કટ ભક્તિભાવથી સભર છે. “દાન-શીલ-તપ-ભાવના સંવાદમાં આ ચારેય ગુણો પોતાનું સર્વોપરીપણું સિદ્ધ કરવા મથે છે. છેવટે મહાવીર પ્રભુ એમનું સમાધાન સીતારામ ચોપાઈ "55 Page #105 -------------------------------------------------------------------------- ________________ કરાવે છે. આ કવિનાં ગીતો માટે કહેવાતું કે સમયસુંદર'નાં ગીતડાં, કુંભારણાનાં ભીંતડાં'. આ કવિએ નવેક છત્રીસીઓ રચી છે જેમાં “સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી'નો તથા ક્ષમા, કર્મ, પુણ્ય, આલેખણા – વિષયક છત્રીસીઓનો સમાવેશ થાય છે. “સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી'માં સં.૧૬૮૭માં પડેલા દુષ્કાળનું કરુણ ચિત્ર નોંધપાત્ર છે. ષડાવશ્યક સૂત્ર બાલાવબોધ' (૧૬૨૭) અને યતિ આરાધના ભાષા' (૧૬૨૯) એ આ કવિના ગદ્યગ્રંથો છે. આ કવિએ “ભાવશતક', “રૂપકમાલા અવચૂરિ', “વિચાર-શતક', “રઘુવંશ ટીકા', દશવૈકાલિક સૂત્ર” પર “શબ્દાર્થવૃત્તિ', “કવિ કલ્પલતાવૃત્તિ ‘અષ્ટલક્ષી' જેવી સંસ્કૃત કૃતિઓ પણ આપી છે. સીતારામ ચોપાઈ-વિસ્તૃત પરિચય કવિવર સમયસુંદરની સર્વોત્તમ કહી શકાય તેવી કૃતિ “સીતારામ ચોપાઈ છે. પોતાની કૃતિમાં કવિ સાલ-સ્થળનો નિર્દેશ કરે છે પરંતુ અહીં તેવો નિર્દેશ પ્રાપ્ત થતો નથી. તેનું કારણ એ હોઈ શકે કે આ રચના એક સ્થળે કે એક વર્ષમાં થઈ નથી. એટલે આ નિર્દેશ અહીં પ્રાપ્ત થતો નથી. પ્રારંભમાં જ કવિ કહે છે : સંબપૂજન કથા સરસ, પ્રત્યેક બુદ્ધ પ્રબંધ; નલદવદન્તિ, મૃગાવતી, ચઉપઈ ચાર સંબંધ. અર્થાત્ સાંબપ્રદ્યુમ્નચોપાઈ', “ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ', “નલદવન્તી ચોપાઈ અને “મૃગાવતી ચોપાઈ', આ ચાર રાસની રચના કર્યા પછી કવિએ રામ-સીતાનું કથાનક આ રાસકૃતિ માટે પસંદ કર્યું છે. કવિની અન્ય કૃતિઓની રચના સાલ તેમના ચાતુર્માસનાં વર્ષ જોતાં ખ્યાલ આવે છે કે આ કૃતિની રચના વિ.સં. ૧૯૭૭થી ૧૬૮૦ સુધીમાં રાજસ્થાનમાં મેડતા, સાંચોર વગેરે સ્થળે રહીને કરી હતી. રાસના છઠ્ઠા ખંડમાં સાંચોરનો ઉલ્લેખ કવિએ આપ્યો છે. આ રાસમાં રામ-સીતાના સુદીર્ઘ કથાનકને નવખંડમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રત્યેક ખંડમાં દુહા અને સાત ઢાળ છે. એ પ્રમાણે દુહા અને ૬૩ ઢાલ મળીને ૨૪૧૭ ગાથા આ રાસમાં સમાવિષ્ટ છે. જેનપરંપરાની 56 * જૈન રાસ વિમર્શ Page #106 -------------------------------------------------------------------------- ________________ રામકથા વાલ્મીકિ રામાયણથી ભિન્ન છે. જેનધર્મમાં ત્રેસઠ શલાકાપુરુષોમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બલદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવો એમ ૬૩ મહાપુરુષો ગણાય છે. તેમાં રામ એ આઠમા બલદેવ, લક્ષ્મણ એ આઠમા વાસુદેવ, રાવણ આઠમાં પ્રતિવાસુદેવ છે. જેને માન્યતા અનુસાર પ્રત્યેક કલ્પમાં આ ત્રણેય સમકાલીન હોય છે. વાસુદેવ મોટાભાઈ બલદેવની મદદ લઈને પ્રતિવાસુદેવને હરાવે છે. સીતાની કથા આલેખન પાછળ સામાન્ય રીતે શીલધર્મના ઉપદેશનું પ્રયોજન રહ્યું છે. સાધુપુરુષોને માથે ખોટું આળ, મિથ્યા કલંક ચડાવવાના પરિણામે માણસને કેવાંકેવાં દુઃખ ભોગવવા પડે છે તે અહીં દર્શાવ્યું છે. સીતાજીના જીવનમાં પડેલાં ઘોર દુઃખો તેમણે પૂર્વભવમાં સાધુને માથે ખોટું કલંક ચડાવ્યું તેને કારણે છે. જૈન ધર્મ મુજબ કર્મના સિદ્ધાંતના પ્રતિપાદન અર્થે જ આ કથા લખાઈ હોય તેમ લાગે છે. કથા પ્રારંભમાં ગૌતમસ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા હતા. તેમની પર્ષદામાં શ્રેણિક મહારાજ પધારે છે. સાધુ પર મિથ્યા કલંક ચડાવતાં કેવું દુ:ખ આવી પડે તેના ઉદાહરણરૂપે સતી સીતાની વાત ગૌતમસ્વામીએ કરી ત્યારે શ્રેણિક રાજાએ તેનું કારણ પૂછ્યું. જવાબમાં ગૌતમસ્વામીએ સીતાના પૂર્વજન્મથી શરૂ કરીને સંપૂર્ણ જીવનવૃત્તાંત જણાવ્યો. - સીતાજી પૂર્વજન્મમાં વેગવતી નામની સ્ત્રી છે. આ વેગવતી મિથિલાનરેશ જનકની પુત્ર તરીકે સીતારૂપે જન્મ લે છે. પૂર્વજન્મનો અહિકુંડલ સીતાના ભાઈ ભામંડલ તરીકે જન્મ લે છે પરંતુ જન્મતાની સાથે ભામંડલનું અપહરણ થાય છે. પૂર્વજન્મના વેરને કારણે મધુપિંગલ નામનો દેવ ભામંડલને મારી નાખવા માટે ઉઠાવી જાય છે. પરંતુ દયા આવતાં વૈતાઢ્ય પર્વત પર છોડી દે છે. રથનેઉરપુરનો રથનુપૂરનો) ચંદ્રગતિ નામનો નિઃસંતાન વિદ્યાધર બ્રાહ્મણ એને લઈ જાય છે. પોતાના પુત્ર તરીકે ઉછેરે છે. સીતા મોટી થતાં જનકરાજા પોતાના મંત્રીને યોગ્ય એવા વરની શોધ કરવા માટે કહે છે. મંત્રી આ માટે દશરથ રાજાના પુત્ર રામની પસંદગી કરે છે. સીતાની સગાઈ રામ સાથે કરવામાં આવે છે. સીતાની સગાઈ થયા પછી એક વાર નારદમુનિ મિથિલા નગરીમાં આવે છે. અજાણતાં જ સીતાએ સ્વાગત કર્યું નહીં. આથી ક્રોધે ભરાયેલા નારદમુનિ યુવાન ભામંડળ પાસે પહોંચે છે, સીતાનું વર્ણન કરે છે, સીતા પ્રત્યે આકર્ષે છે. આથી પિતા સીતારામ ચોપાઈ +57 Page #107 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગતિએ બીજા વિદ્યાધરોને બોલાવી જનકરાજાને ધમકી આપી કે જો રામ દેવતાઓથી અધિષ્ઠિત થયેલું ધનુષ્ય ઊંચકીને તેના પર બાણ ચડાવશે તો જ સીતાને પરણી શકશે, નહિ તો બળજબરીથી સીતાનું હરણ કરશે. સીતા સાથે વરવા ઘણા રાજાઓ ત્યાં આવ્યા હતા પરંતુ બાણનો સ્પર્શ કરતાં દાઝી જતા હતા. રામે ક્ષણવારમાં ધનુષ્ય ચડાવ્યું. ધરતી ધ્રૂજી ઊઠી. રામે ધનુષ્ય ચડાવ્યું આથી સીતા અત્યંત હર્ષ પામ્યાં. વિદ્યાધરોએ પણ રામની ગુણશક્તિ જોઈ પોતાની અઢાર કન્યા રામ સાથે પરણાવી ત્યાર બાદ ભામંડલને જાતિસ્મરણ જ્ઞાન થતાં જાણ્યું કે સીતા સગી બહેન છે. ખૂબ પશ્ચાત્તાપ થયો. પિતા ચંદ્રગતિને વાત કરી. ચંદ્રગતિને બહુ દુ:ખ થયું. સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. ભામંડલને ગાદી સોંપી દીક્ષા લીધી. જૈનપરંપરા પ્રમાણે દશરથને ત્રણ રાણી છે એમાં અપરાજિતાથી રામ, સુમિત્રાથી લક્ષ્મણ અને કૈકયીથી ભરત અને શત્રુબ એમ ચાર પુત્રો છે. વૃદ્ધાવસ્થા આવતાં દશરથ રામને ગાદી સોંપી દીક્ષા લેવાનો વિચાર કરે છે ત્યારે કૈકયી દશરથની પાસે બે વરદાન માગી લે છે (૧) ભરતને રાજગાદી મળે (૨) રામને વનવાસ મળે. આથી દશરથને બહુ દુઃખ થયું. ભરતે ગાદી સ્વીકારવાની ના પાડી. રામ-સીતા-લક્ષ્મણ વનમાં જવાનો નિશ્ચય કરે છે. રામ, લક્ષ્મણ, સીતા ઘર છોડે છે ત્યારે શોક કરતી માતાને આશ્વાસન આપતાં રામ કહે છે કે માતા પરિતાપ ન કરશો અમે જ્યાં જઈશું ત્યાં નગર વસાવી તમને તેડાવીશું: રામ કહઈ તડે માતજી રે, અતિ મ કરિસ્યઉ કાઈ: નગર વસાવી તિહાં વડઉ રે, તુમહનઈ લેસ્યાં તેડાયો રે. વાલ્મીકિમાં દશરથ રામનો વિલાપ જોવા મળે છે જ્યારે અહીં સ્વસ્થ દશરથને વૈરાગ્ય આવતાં દીક્ષા લેવાનો વિચાર કરે છે. વનમાં ફરતાં-ફરતાં દસપુરનગરમાં રામ આવી પહોંચે છે. દસપુરના ન્યાયી રાજા વજાંઘને અવંતીના સિંહોદર સાથે યુદ્ધ થયું છે. લક્ષ્મણ સિંહોદરને પરાજિત કરી બન્નેને સુલેહ કરાવી આપે છે. આગળ જતાં એક રાજકુમાર મળે છે. ખરેખર તો રાજકુમારના વેશમાં તો વાલિખિલ રાજાની કુંવરી હતી. વાલિખિલને મ્લેચ્છ રાજા પકડી ગયા હતા. આથી પુરુષ વેશમાં કુંવરી રાજ્ય સંભાળતી હતી. લક્ષ્મણે મ્લેચ્છ રાજા સાથે યુદ્ધ કરી વાલિખિલને છોડાવ્યો. 58 * જૈન રાસ વિમર્શ Page #108 -------------------------------------------------------------------------- ________________ વનમાં આગળ જતા વર્ષાકાળમાં ભયંકર વર્ષોથી બચવા માટે એક વક્ષે નગરી બનાવી દીધી. ત્યાર બાદ વિજયાપુરીમાં પહોંચી લક્ષ્મણે વનમાલા નામની રાજકુંવરીને આત્મહત્યામાંથી બચાવી. તે પછી ભારત સાથે યુદ્ધની ઈચ્છા રાખનાર નંદાવર્તના રાજા અતિવીર્યને પરાજિત કર્યો. આગળ જતાં લક્ષ્મણે શત્રુદમન રાજાની પુત્રી જિતપવા સાથે લગ્ન કર્યા ત્યાંથી આગળ વંશસ્થલમાં પહોંચ્યા. રાજાએ તેમના માનમાં ઉત્સવનું આયોજન કર્યું. રામના આગમનની યાદીરૂપે ત્યાંના એક પર્વતનું નામ “રામગિરિ રાખ્યું. પાંચમા ખંડમાં જટાયુની કથાનું નિરૂપણ કરી કવિ રાવણકથાનો આરંભ કરે છે. દક્ષિણમાં રાક્ષસ નામના દ્વીપમાં ચિત્રકુટગિરિ નામના પર્વતમાં લંકા નામની નગરી આવેલી છે. વંશાશ્રવ નામનો વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. એનો પુત્ર રાવણ. રાવણને બાળપણથી એના પિતાએ દિવ્યરત્નોનો હાર પહેરાવ્યો હતો. એ હારનાં નવ રત્નોમાં રાવણના મુખનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હતું. એટલા માટે રાવણને દસમુખ કહેવામાં આવે છે. રાવણ' નામ માટે દંતકથા છે કે એક વાર બાલી નામના ઋષિએ એને એક પહાડ નીચે કચડવા પ્રયત્ન કર્યો ત્યારે રાવણે “રવ' (રુદન) કરવો શરૂ કર્યો માટે “રવ કરનાર “રાવણ' એવું નામ પડ્યું. મુક્યો મોટો ચવ, સબદ તિણિ, રાવણ બીજે નામ જી; તે રાવણ રાજ લંકાગઢ, રાજ કરઈ અભિરામજી. જૈનપરંપરા પ્રમાણે રાવણની બહેનનું નામ ચંદ્રલેખા અને એના પતિનું નામ ખરદૂષણ. એના બે પુત્રો સમ્બ, સબુક. લક્ષ્મણે સબુકને ભૂલથી મારી નાખ્યો. આથી ચંદ્રલેખા પુત્રના હત્યારાને શોધવા દંડક વનમાં આવે છે. રામને જોઈને મોહિત બને છે. રામને આકર્ષવા નિષ્ફળ પ્રયત્નો કર્યા બાદ પોતાના શરીર પર પોતે જ નખ-દાંતના પ્રહાર કરી રામે છેડતી કરી છે એમ ખરદૂષણને કહ્યું. ખરદૂષણે રાવણની સહાય માંગીને રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કર્યું. લક્ષ્મણે રામને યુદ્ધમાં આવવાની ના પાડી. હું એકલો જ પૂરો પડીશ, જરૂર પડે સિંહનાદ કરીશ. બીજી બાજુ ચંદ્રલેખાની મદદે આવેલાં રાવણ સીતાને જોઈ મોહિત બને છે. પોતાની વિદ્યા વડે લક્ષ્મણ જેવો સિંહનાદ કરે છે. રામ જટાયુને સીતા સોંપી લક્ષ્મણ પાસે જાય છે એટલામાં જટાયુને ઘાયલ કરી રાવણ સીતારામ ચોપાઈ 59 Page #109 -------------------------------------------------------------------------- ________________ સીતાનું હરણ કરે છે. જ્યારે રામ ત્યાં પહોંચે છે ત્યારે બનાવટ થઈ એવો ખ્યાલ આવે છે. પાછા ફરતાં જટાયુ સીતા-હરણની વાત કરે છે. ઘાયલ જટાયુ દેહ છોડે છે તો રામ એને નવકારમંત્ર સંભળાવે છે. લક્ષ્મણ ખરદૂષણનો વધ કરી એક વિદ્યાધર પાસેથી સીતા અંગેની માહિતી મેળવે છે. સીતાનું હરણ કરી રાવણ દેવરમણ નામના ઉદ્યાનમાં તેને રાખે છે. સીતાનું હૃદય જીતવા માટે રાવણે ઘણા પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળતા મળે છે. રાવણની રાણી મંદોદરી, ભાઈ વિભીષણ વિરોધ કરે છે. સીતા જ્યાં સુધી રામ-લક્ષ્મણના કુશળ સમાચાર ન મળે ત્યાં સુધી અન્નજળ ત્યાગની પ્રતિજ્ઞા કરે છે. કિષ્ક્રિધાનગરીમાં સુગ્રીવ રાજ્ય કરતો હતો પરંતુ એક વિદ્યાધરે પોતે સુગ્રીવ છે એમ કહીને એનું રાજ્ય પડાવી લીધું. આથી સુગ્રીવ રામને શરણે જાય છે અને સીતાશોધનું વચન આપે છે. રામ નકલી સુગ્રીવને હરાવી સુગ્રીવને એનું રાજ્ય પાછું અપાવે છે. સુગ્રીવ સીતાની તપાસ કરતાં રાવણ અપહરણ કરી ગયો છે તેની માહિતી મળે છે. રામ હનુમાનને મોકલવાનો નિશ્ચય કરે છે. રામમુદ્રિકા લઈને હનુમાન લંકા આવે છે, સીતાને મળે છે અને રામ-લક્ષ્મણના કુશળ સમાચાર આપે છે. સીતા હનુમાનના હાથે ઉપવાસનું પારણું કરે છે. હનુમાન વિભીષણ દ્વારા રાવણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. રાવણના પુત્રો હનુમાન સાથે યુદ્ધ કરી એને કેદ કરે છે. પણ હનુમાન છટકી જાય છે અને રાવણના ભવનને ખેદાનમેદાન કરી નાંખે છે. રામ પાસે આવીને સીતાના કુશળ સમાચાર આપે છે. રામ અનેક સૈનિકો સાથે લંકા પર ચઢાઈ કરે છે. રાવણ પોતાની સલાહ ન માનતા વિભીષણ રામના શરણે જાય છે. બંને સેના વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. લક્ષ્મણ ઘાયલ થઈ મૂછિત બને છે. રામ તેને બચાવવા માટે અયોધ્યાથી દેવી જળ લાવવા માટે ભામંડલને મોકલે છે. રાવણ સીતાના બદલામાં પોતાનું અડધું રાજ્ય આપવાની રામને વાત કરે છે. જેનો રામ અસ્વીકાર કરે છે. સીતાને સમજાવવાના નિષ્ફળ પ્રયત્નો કરે છે. રામ-રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. લક્ષ્મણના ચક્રથી રાવણનું મૃત્યુ થાય છે. રામનો વિજય થતાં લંકામાં પ્રવેશ કરે છે. સીતાનું મિલન થાય છે. મહાન ઉત્સવ શાંતિનાથ ભગવાનના જિનાલયમાં થાય છે. લંકાની પ્રજા રામને રાજ્ય કરવાની વિનંતી કરે છે. જેનો રામ અસ્વીકાર કરે છે. 60 * જૈન રાસ વિમર્શ Page #110 -------------------------------------------------------------------------- ________________ રામ, લક્ષ્મણ, સીતા વિભીષણના આગ્રહથી સોળ દિવસ રહીને પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પહોંચે છે જ્યાં પરિવાર સાથે પુનર્મિલન થાય છે. રામ-ભરત પુનર્મિલનનું આલેખન કવિ વિગતપૂર્ણ આપે છે. ભરત દીક્ષા લેવા માટે અફર નિર્ણય જાહેર કરે છે. રામ સમજાવે છે. ભરત કુલભૂષણ કેવલી પાસે દીક્ષા લે છે. રામ અયોધ્યાનું શાસન સુચારુ પૂર્ણ રીતે ચલાવે છે. તે દરમિયાન સીતાની એક શોક્ય સીતા પાસે યુક્તિપૂર્વક રાવણના પગનું ચિત્ર દોરાવે છે. આ ચિત્ર રામને બતાવી સીતા રાવણને ચાહતી હતી એ વાત વહેતી કરે છે. રામ એ વાત સ્વીકારતા નથી પણ ધીમેધીમે આખા નગરમાં એ વાત ફેલાઈ જાય છે. પરિણામે લોકલાજે રામ સગર્ભા સીતાનો સારથિ દ્વારા જંગલમાં ત્યાગ કરે છે. જંગલમાં એકલી સીતા નવકારમંત્રનું સ્મરણ કરતી હતી ત્યાં વજજંઘ રાજા ત્યાંથી પસાર થાય છે. સીતાને પોતાની બહેન ગણીને પોતાના મહેલમાં લઈ જાય છે. સીતા બે પુત્રોને જન્મ આપે છે એનાં નામ રાખવામાં આવે છે. (૧) અનંગ-લવણ (૨) મદનાંકુશ. બંને પુત્રો મોટા થતાં ખૂબ જ તેજસ્વી અને પરાક્રમી બન્યા. રાજ વજજંઘને પૃથુ રાજ સાથેના યુદ્ધમાં જીત અપાવી. એક વાર નારદઋષિ આવે છે. બંને પુત્રોને પોતાનો પરિચય આપે છે. આથી બંને કુમારો અયોધ્યા પર આક્રમણ કરવા ઈચ્છે છે. તેઓ રામલક્ષ્મણ કે કુટુંબના સભ્યોને નહિ મારે પણ પોતાનું પરાક્રમ દર્શાવવાની ઈચ્છા રાખે છે. બંને કુમારો અયોધ્યા પર આક્રમણ કરે છે. રામને જ્યારે ખબર પડે છે કે આ બંને યુવાનો પોતાના પુત્રો છે ત્યારે શસ્ત્ર છોડી તેમની પાસે દોડી ગયા. સીતા અને બંને પુત્રોને રામ પાછા બોલાવે છે પણ સીતા અગ્નિપરીક્ષાનો આગ્રહ રાખે છે. પરીક્ષામાંથી પાસ થયેલી સીતા પવિત્ર અને શીલવતી છે એમ પુરવાર થાય છે. સીતાને રામ પટરાણી થવા માટે વિનંતી કરે છે. પરંતુ સીતા દીક્ષા લેવાનો સંકલ્પ જહેર કરે છે. સીતા બે પુત્રો સાથે મુનિરાજ સર્વગુપ્તિ પાસે દીક્ષા ગ્રહણ કરે છે. રામ-લક્ષ્મણ વચ્ચે અગાઢ પ્રેમ હતો. એમના પ્રેમની કસોટી કરવા ઇન્દ્ર એક દિવસ યુક્તિ કરી માયા દ્વારા લક્ષ્મણને રામનું શબ બતાવ્યું. રામ અવસાન પામ્યા છે એ જોઈ લક્ષ્મણના પ્રાણ તરત જ ચાલ્યા ગયા. રામ સીતારામ ચોપાઈ * 61 Page #111 -------------------------------------------------------------------------- ________________ જ્યારે લક્ષ્મણના મૃતદેહને જુએ છે ત્યારે તે માનવાને તૈયાર નથી. માત્ર મૂછવશ જ છે એમ કહીને અંતિમ સંસ્કાર કરવા ન દીધા. લક્ષ્મણના શબને ઊંચકીને ગાંડાની જેમ ફરવા લાગ્યા આમ કરતાં છ માસ પસાર થયા. અંતે જટાયુ દેવે રામને સમજાવ્યા અને લક્ષ્મણશાબની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી. સંસારની અસારતા સમજી, શત્રુનને રાજ સોંપી રામે દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. પરંતુ શત્રુને પણ દીક્ષા લેવા તૈયારી બતાવતા અનંગલવણના પુત્રને રાજગાદી સોંપી. રામ સાથે સુગ્રીવ, વિભીષણ તેમ જ બીજા સોળ હજર રાજાઓ, છત્રીસ હજાર રાણીઓએ સુવ્રત મુનિ પાસે દીક્ષા લીધી. કેટલાક સમય પછી રામને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે ઉપદેશ આપી અનેક જીવોનું કલ્યાણ કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં નિર્વાણ પામ્યા. મૂલ્યાંકન: રામકથા સુદીર્ઘ હોવા છતાં નવરસ વડે રસિક બનાવી કવિ આલેખવા માગે છે. આથી આ રસ કદની દૃષ્ટિએ મોટો બન્યો છે. કવિ સ્વયં રાસની અંતિમ ઢાલમાં કહે છે? નવ રસ પોષ્યા મહ ઈહાં, તે સુઘડો સમઝી લેજ્યો રે. સુદીર્ઘ કથાનકને લીધે કૃતિ માટે પ્રબંધ' કે “નિબંધ' જેવા શબ્દો પ્રયોજવામાં આવ્યા છે. રાસના પ્રત્યેક ખંડને અંતે આવતી પુષ્યિકામાં ‘ઇતિશ્રી સીતારામ પ્રબંધ....” એવા શબ્દો પ્રયોજ્યા છે. રામ, લક્ષ્મણ, સીતા, રાવણ, ભરત, હનુમાન, દશરથ રાજ વગેરેનું સુરેખ પાત્રાલેખન કવિ કરે છે. પ્રસંગ નિરૂપણમાં સુદીર્ઘ કથાનક હોવાને લીધે ક્યારેય ઝડપથી, કેટલાંક રસસ્થાનો વિકસાવ્યા વગર જતાં હોય તેમ લાગે છે. કેટલાંક વર્ણનો પરંપરાનુસાર છે, તો કેટલાંક મૌલિક કલ્પનાથી આલેખાયાં છે. ઉપમા, ઉàક્ષા આદિ અલંકારોથી પૂર્ણ કવિત્વમય વર્ણનો કૃતિમાં ઘણે સ્થળે જોવા મળે છે. ગર્ભવતી સીતાનું શબ્દચિત્ર કવિએ કેવું સુરેખ દોર્યું છે : વજુર્જર રાજ ઘરે, રહતી સીતા નારિ, ગર્ભલિંગ પરગટ થયો, પાંડુર ગાલ પ્રકાર થણમુખ શ્યામપણો થયો, ગુર નિતંબ ગતિ મંદ નયન સનેહાલા થયા, મુખ અમૃત રસબિંદ. 62 * જૈન રાસ વિમર્શ Page #112 -------------------------------------------------------------------------- ________________ સીતાના દેહનું શૃંગારિક વર્ણન પણ આપવામાં આવ્યું છે. જેને માટે કિવ સભાન છે. આ વર્ણનમાં રાચતા નથી પરંતુ અન્ય ગ્રંથને આધારે તે આ વર્ણન કરે છે એમ દર્શાવે છે. પાંચમી ઢાલ એ માખી, ઈહાં પદમરિત છઈ સાખી હો. લક્ષ્મણ ૫૨ ચક્ર વ્યર્થ જાય છે તે સમયે રાવણને નિષ્ફળતા નિરાશાનો અનુભવ થાય છે અને સંસારની અસારતા પ્રતીત થતાં કવિ વર્ણવે છે કે ઃ ધિગ મુઝ વિદ્યા તેજ પ્રતાપા, રાવણ ઈણ કરિ કરંઈ પછતાપા; હા હા એ સંસાર અસારા, બહુવિધ દુખુ તણા ભંડાર. દંડકવનનું સંક્ષેપમાં વર્ણન કરતાં કવિ લખે છે કે : ગિરિ બહુ અણે ભર્યો, નદી તે નિરમલ નીર વનખંડ ફૂલ ભલે ભર્યા, ઈંા બહુ સુખ શરીર. વૃદ્ધાવસ્થાની અસહાય સ્થિતિનું તાદશ ચિત્ર આપતાં કહે છે, કુણ ભંગની કુણ ભારિજ, કુણ નાતા રે બાપ નઈ વી; વૃદ્ધપણઈ વિસ કો નહીં, પોતાનું રે જે પોખું શરીર. પાણી ઝરંઈ બૂઢાપણે ઈં આંખિ માંહિ રે વઈ ધૂલિ છાંય, કાને સુરતિ નહિ તિસી, બોલતાં રે જીભ લડથડ જાય આ કૃતિ જૈન સાધુકિતની હોવાથી આમાં ધર્મોપદેશનું તત્ત્વ હોય એ સ્વાભાવિક છે. કવિએ સમગ્ર કાવ્યમાં અત્ર-તંત્ર ઉપદેશ તત્ત્વ ગૂંથી લીધું છે. જેમ કે, કામ ભોગ સંયોગ સુખ, ફ્લુ કિંપાક સમાન, જીવિત જલ નઉં બિંદુમઉં, સંપદ સંધ્યાવાન. મરણ પાં માંહિ નિત વહઈ, સાચઉ જિન પ્રમ સાર સંયમ મારગ આદરઉ, જિમ પામઉ ભવ પાર. કવિવરે આ રાસની રચનામાં પચાસથી વધુ જુદીજુદી દેશીઓનો પ્રયોગ કરેલ છે. ધન્યાશ્રી, મારુણી, સોરઠ, મલ્હાર, રામગ્રી, પરાજિયો, સારંગ, કાનડો, આશાવરી, કેદારો વગેરે રાગરાગિણીમાં લખેલી ઢાલ માટે કવિએ તત્કાલીન સુપ્રસિદ્ધ લોકપ્રચલિત જે દેશીઓ પ્રયોજી છે તેનો પણ તેમણે નિર્દેશ કર્યો સીતારામ ચોપાઈ * 63 Page #113 -------------------------------------------------------------------------- ________________ છે. જેમ કે, (૧) રાજીમતિ રાણી ઈણ પરિબો લઈ, ને મિ વિણ કુણ ઘુંઘટ ખોલી (૨) સુણ મેરી સજની રજની ન જાવઈ રે. (૩) સોભાગી સુંદર, તુજ બિન ઘડીય ન જાય. (૪) દિલ્હી કે દરબાર મઈ લખ આવઈ લખ જાવઈ. આદિ પંક્તિઓ તે સમયે કેવાં કેવાં ગીતો પ્રચલિત હશે તેનો ખ્યાલ આપે છે. સમયસુંદરે ગુજરાત, રાજસ્થાન, સિંધ, પંજબ વગેરે પ્રદેશમાં વિહાર કરેલ એટલે તે-તે પ્રદેશની શાસ્ત્રીય સંગીતની લાક્ષણિકતાઓના અને ત્યાંના પ્રચલિત ગીતોના તેઓ સારા જાણકાર હતા. આથી જ એમની રાગ-રાગિણીનું વૈવિધ્ય સારું હોય એ સ્વાભાવિક છે. તત્કાલીન લોક કહેવતો પોતાની કૃતિમાં વણી લેવાની લાક્ષણિકતા અહીં જોવા મળે છે. પ્રસંગ કે પરિસ્થિતિ અનુસાર એવી કેટલીક કહેવતોનો પ્રયોગ અહીં જોવા મળે છે. (૧) છઠ્ઠી રાત લિખ્યઉ તે ન મિટઈ (૨) કીડી ઉપર કેહી કટકી. (૩) મુંગ માંહિ ઢલ્યો ધીય. (૪) યૂકિ ગિલઈ નહિ કોઈ, (૫) જીવતો જીવ કલ્યાણ દેખઈ. (૬) પેટઈ કો ઘાલઈ નહીં અતિ વાલ્હી છૂરી રે. જૈનપરંપરામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક કવિઓએ સીતા-રામ ચરિત્ર પર રાસ-ચોપાઈ સક્ઝાય પ્રકારની અનેક કૃતિઓ લખાયેલી છે. તે બધામાં કદની દૃષ્ટિએ ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ કૃતિ હોય તો સમયસુંદર કૃત ‘સીતારામ ચોપાઈ છે. સંદર્ભ: ૧. ક્રિતિકા : ડૉ. રમણલાલ ચી. શાહ, ગૂર્જર, અમદાવાદ પ્ર.આ.૧૯૮૨ ૨. ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન) : અનંતરાય રાવળ ગૂર્જર, અમદાવાદ પમી આવૃત્તિ : ૧૯૯૯ ૩. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ: મધ્યકાલીન : પ્રસાદ બ્રહ્મભટ્ટ, પાર્થ, અમદાવાદ પ્ર.આ. ૨૦૦૨ 64 * જૈન રાસ વિમર્શ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૪. ગુજરાતી સાહિત્યમાં ઇતિહાસ ગ્રંથ : ૧ (ઈ. ૧૧૫૦-૧૪૫૦) : સં. રમણ સોની ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ બીજી શોધિત વર્ધિત આ. ૨૦૦૧ ૫. મૃગાવતી ચરિત્ર ચોપાઈ, સં. અગરચંદ નાહટા અને રમણલાલ ચી. શાહ, ગૂર્જર, અમદાવાદ. પ્ર. આ.૧૯૭૮. સીતારામ ચોપાઈ 65 Page #115 -------------------------------------------------------------------------- ________________ સમયસુંદર કૃત નલદવદંતી રાસ ડૉ. ઉર્વશી એમ. પંડ્યા સાહિત્ય અને માનવજીવન અવિનાભાવી સંબંધે જોડાયેલાં છે. તત્કાલીન યુગની સામાજિક, રાજકીય, ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ અને એ પરિસ્થિતિઓ અનુસાર જે-તે સ્થળ અને સમયની ગતિવિધિઓની પ્રભાવકતા સાહિત્યસર્જનનું મહત્ત્વનું પ્રેરક-પોષક બળ બને છે તો બીજી બાજુ માનવજીવનનાં પ્રતિબિંબ ઝીલીને રચાતું આ જ સાહિત્ય માનવમાં સંસ્કાર, મૂલ્યો, જીવનની રીતિ-નીતિ આદિના ઘડતરનું માધ્યમ બને છે. કોઈ પણ સમયમાં પ્રજાજીવનની સામૂહિક ચેતના પર તત્કાલીન સાહિત્યનો પ્રભાવ અનિવાર્યપણે પડતો હોય છે એ સર્વવિદિત છે. આ સાહિત્ય મનોરંજન ઉપરાંત મૂલ્યબોધલક્ષી પણ હોય છે. માનવસહજ ચિત્તવૃત્તિને અનુકૂળ એવાં મનોરંજન દ્વારા જીવનનાં શુષ્ક, ગહન જણાતાં ચિંતન-દર્શનનો બોધ કલાત્મક અને રસમય કરાવી આપે છે. પાશ્ચાત્ય સાહિત્યનાં સીમાસ્તંભ સમા સર્જક-વિવેચક ટોમસ સ્ટર્સ એલિયટ (ઈ.સ. ૧૮૮૮ - ૧૯૬૯) પોતાની કાવ્યવિચારણા અંતર્ગત સંસ્કૃતિનાં બે તત્ત્વો સમજવ્યાં છે. એક તત્ત્વ તે ભંગુર અને નાશવંત છે. જે ચોક્કસ સ્થળ-કાળમાં જ પ્રવર્તમાન હોય છે. સ્થળ બદલાતાં કે સમય વીતતાં એ અલ્પજીવો તત્વો પણ લુપ્ત થાય છે. બીજું તત્ત્વ તે શાશ્વત અને સનાતન છે. એવાં તત્ત્વો માનવસંસ્કૃતિનાં સાતત્ય સાથે સદાકાળ સર્વસ્થળમાં પ્રવર્તમાન રહે છે તે શાશ્વત, કાલજયી અને સર્વસામાન્ય હોય છે. વિશ્વની ઘણીબધી કથાઓમાં આ બન્ને તત્ત્વો રહ્યાં છે પણ વિશેષપણે પુરાકથા અથવા પુરાકથા આધારીત પુરાકથાનો ઉપકથા તરીકે વિનિયોગ કરતી કથાઓ અને ઉપકથા તરીકે પ્રયોજાતી કથાઓ સુધ્ધાં આ સનાતન સાંસ્કૃતિક તત્ત્વો ધરાવતી હોય છે. આ પ્રકારની કથાઓ યુગેયુગે અને વિશ્વભરમાં અનેકાનેક સર્જકો વિધવિધ રીતે પોતાનાં સર્જકકર્મ માટે ખપમાં લેતાં હોય છે. નળદમયંતીની કથા તે આવી જ કાલજયી, સનાતન એવાં સાંસ્કૃતિક તત્ત્વો ધરાવતી કથા છે. આ કથા સમસ્ત ભારતવર્ષની લગભગ તમામ ભાવનાઓનાં અને ઠેઠ 66 * જૈન રાસ વિમર્શ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનથી માંડી મધ્યકાલીન આધુનિક-અનુઆધુનિક સમયના કવિઓ દ્વારા પોતાના સમયની સામાજિક સાંસ્કૃતિક ચેતનાના સંદર્ભો સાથે નવસર્જિત થતી રહી છે. ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષા, અર્વાચીન ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃતમાંથી ઉદ્દભવ પામેલી ભારતીય ભાષાઓ ઉપરાંત તમિળ, તેલુગુ, કન્નડ ભાષામાં આ કથા મળે છે. મહાભારત કથાના વનપર્વમાં અધ્યાય પરથી ૬૯ સુધી ઉપકથા | ઉપાખ્યાન તરીકે વિસ્તરતી અને કુલ ૩:વાધિષ્ઠમ્ પર’’ “સુખદુઃખ મનમાં ન આણીયે ઘટ સાથે રે ઘડિયા” અથવા “સુખ દુઃખ કદી એકસમાં ટકતાં નથી” એ સત્ય દુઃખ મગ્ન રાજા યુધિષ્ઠિરને સમજાવવા બૃહદ% મુનિના મુખે કહેવાતી આ કથા તે નળદમયંતીની કથા છે. આ કથાનું સૌથી પ્રાચીનરૂપ તે મહાભારતના “નલોપાખ્યાનની કથાનું છે. જેમાં પુણ્યશ્લોક રાજા નળ અને સતી દમયંતીની કથા છે. એ પછી ગુણાઢ્યની પૈશાચીભાષામાં લખાયેલી નળકથી તમામ નળકથાઓથી વિસ્તૃત છે જેના સારરૂપે કે સંક્ષિપ્ત અનુવાદરૂપે પણ અનેક કૃતિઓ મળે છે જેમાં ક્ષેમેન્દ્ર કૃત બૃહત્કથામંજરી', સોમદેવ ભટ્ટ કૃત કથાસરિત્સાગર' બુદ્ધસ્વામી (નેપાળ) કૃત “બૃહત્કથા શ્લોકસંગ્રહ' આદિ મુખ્ય છે. નળની આ બૃહત્કથા જે ગુણાઢ્ય રચી છે તેનાં આશરે એક લાખ શ્લોક છે એમ મનાય છે અને આચાર્ય હેમેન્દ્ર એનો આઠ હજાર શ્લોકમાં અને સોમદેવે ૨૪,OOO શ્લોકમાં અનુવાદ કર્યો છે. મહાભારતની નળકથા (અરણ્યપર્વ-નલોપાખ્યાન) અને બૃહત્કથાની નળકથા તે કથાના ઉદ્દેશ, કથાનાં પાત્રો, કથાની વસ્તુસંકલના, તેની રચનારીતિ અને કથાનું કદ – આ બધી જ બાબતે ભિન્ન છે. દરેક જમાને નળકથા' એટલી તો લોકપ્રિય થઈ છે કે પ્રાચીનથી માંડી આજપર્વત તમામ યુગનાં સર્જક-ભાવકના રસનો વિષય થઈ પડી છે અને તેથી જ નળકથા, ઉપકથા, આખ્યાન, ઉપાખ્યાન, હજારોની પંક્તિમાં રચાતાં મહાકાવ્ય, વિવાહલઉં, ખંડકાવ્ય, ટીકા, દૃષ્ટાંતકથા, બાલાવબોધ, નાટક, ગીતરચના, અછાંદસ કાવ્યો કે ગીતરચના – એમ પ્રાચીન મધ્યકાલીન આધુનિક અનુઆધુનિક બધાં જ સાહિત્ય સ્વરૂપોમાં તે રચાઈ છે. સંસ્કૃત સાહિત્યમાં નળકથાને વિષયવસ્તુ તરીકે પ્રયોજી લગભગ બે ડઝન જેટલાં નાટકો રચાયાં છે. આ ઉપરાંત બે ચંપૂકાવ્યો પણ લખાયાં નલદવદંતી રાસ * 67 Page #117 -------------------------------------------------------------------------- ________________ છે. ત્રિવિક્રમ ભટ્ટ કૃત “નલચંપૂટ (દમયંતી કથા) અને અજ્ઞાત કવિ કૃત દમયંતી પરિણય' જેવાં ચંપૂકાવ્ય પ્રસિદ્ધ છે, અને અજ્ઞાતકવિની જ દમયંતી પ્રબંધ' નામે એક ગદ્ય અને એક પદ્ય રચના અને પાકશાસ્ત્ર વિશે ‘નલપાક શાસ્ત્ર' આદિ કૃતિઓ મળે છે. જૈનસાહિત્યની પરંપરામાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં લખાયેલી પ્રસ્તારિત કથાઓમાં મુખ્યકથામાં અવાંતર કથા | આડકથા તરીકે નવદલવંતીની કથા જોવા મળે છે, ઘણી કથાઓમાં નળદમયંતીની કથા સંક્ષિપ્તમાં તો કેટલીક કથામાં મહાભારતની નલકથા કરતાં પણ વિસ્તૃતરૂપે આવે છે. આ કથા ગદ્ય, પદ્ય, ચરિત્ર, વૃત્તિ કે કા સ્વરૂપે આવે છે. સંસ્કૃત, પ્રાકૃત, અને અપભ્રંશ ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ નળકથાનો વિકાસ જેનસાહિત્યને આભારી છે. જેનકવિઓની લેખિનીએ મહાભારતની નલકથાને જૈનધર્મના નીતિ-મૂલ્યો અને ચિંતનની બોધકથા રૂપે નવલું રૂપ ઘડ્યું છે. ઈ. સ. પાંચમા-છઠ્ઠા શતકથી જૈનસાહિત્યમાં ઊતરી આવેલી નળકથા તરીકે ખ્યાત દમયંતીની કથા પરંપરા જોવા મળે છે અને અપવાદરૂપ કથાને બાદ કરતાં તમામ નલકથા પૂર્વવર્તી પરંપરા પ્રમાણે જ વસ્તુસંકલના અને પ્રસંગનિયોજન સંદર્ભે) જોવા મળે છે. જેનસાહિત્યની નલકથા પરંપરામાં આ કથાનું સૌથી પ્રાચીનરૂપ વસુદેવહીંડીમાં જોવા મળે છે. આપણા વેદકાલીન કથાગ્રંથો અને પુરાણોમાં જે કથાનાયક છે તે નળ બે છે એક નિષધ દેશના રાજા વીરસેનનો પુત્ર નળ અને ઈક્વાકુ વંશના નિષધ રાજાનો પુત્ર નળ. તેમાં વીરસેન રાજાનો પુત્ર નળ તે પૂર્વકાલીન છે. ‘નળ' નામનો ઉલ્લેખ બ્રહ્માંડપુરાણ, વાયુપુરાણ, પદ્મપુરાણ, મત્સ્યપુરાણ, હરિવંશ તથા લિંગપુરાણમાં મળે છે. વાયુપુરાણના ઉત્તરાર્ધના ર૬મા, ૧૭૩માં અને ૧૭૪મા શ્લોકમાં નળનો ઉલ્લેખ છે : "दिसाक्षहृदयज्ञोऽसो राजा नलसखो बली । नलौ द्वाविती विख्नातौ पुराणेषु द्रढव्रतौ ॥ १७३ वीरसेनात्मजश्वेव वश्वेक्ष्वाकुकुलोद्वहः । ऋतुपर्णस्त्र पुत्रीऽभूत सर्वकामो जनेश्वरः ॥ १७४ જૈનપરંપરામાં વાસુદેવ-કનકાવતીની મુખ્યકથામાં અવાંતરકથા રૂપે નળદવદંતીની કથા આવે છે, જે કુબેરના મુખે વસુદેવને કહેલી. પોતાના 68 * જૈન રાસ વિમર્શ Page #118 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવમાં કનકાવતી દમયંતીનો પતિ હતો) પૂર્વભવની કથા છે. આ કથા પાંચ પૂર્વભવોની કથા છે. જેનસાહિત્ય પરંપરામાં ઈ.સ.ના સોળમા શતકના ઉત્તરાર્ધ અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા જૈન સાધુકવિ શ્રી સમયસુંદરનું સ્થાન વિશિષ્ટ છે. સમયસુંદર કૃત “નલ-દવદંતીરાસ (દલદવદંતી ચોપાઈ)ની રચનાકાળ સંવત ૧૬૭૩ એટલે કે વિક્રમના સત્તરમા શૈકાના ઉત્તરાર્ધનો માનવામાં આવે છે અને મારવાડના મેડતા ગામમાં આ રાસની થઈ હોવાનું મનાય છે. કુલ ૬ ખંડ, ૬૮ ઢાળ અને 1000 કડીમાં રચાયેલો આ રાસ નયસુંદરના કુલ છ ખંડ રાસને બાદ કરતાં સમયસુંદરના બધા જ સમકાલીનોના રાસથી મોટો છે. અને લગભગ હજારેક કડીઓમાં રચાયેલું આ કથાનક સીમંધર સ્વામી, વીસ વીચરતા જિનેશ્વરો, તીર્થકરો, કેવળ જ્ઞાનીઓ, ગણધરો, સાધુઓ, નિજગુરુ તથા સરસ્વતી આદિની વંદના સ્તુતિ સાથે આરંભાય છે. ૧લા ખંડની છ કડી સુધી આ વંદનાનો વિસ્તાર છે અને બાકીની ચાર કડી (૭થી ૧૦)માં દમયંતીના રૂપગુણના આછા પરિચય અને મૂળ કથાવસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રથમ ખંડના આરંભના આ દેવ-ગુરુવંદના અને કથાવસ્તુના ઉલ્લેખ બાદ ઢાલ પહેલીની અઢાર કડી સુધી નૈષધરાજના કુશળ રાજવહીવટ, સુચરિત્ર અને તેના ચજ્યની સમૃદ્ધિ, રાજ્યનાં ધાર્મિક વાતાવરણ, રાજ્યનાં નાગરિકોનાં જાતિ-ધર્મ વ્યવસાય, રાણીનું સુચરિત અને કુબેર અને નળ જેવાં પુત્રરત્નોના જન્મની વાત વણી લેવામાં આવી છે. બીજી ઢાલની બાર કડીમાં દમયંતીના રૂપનું વર્ણન, સ્વયંવરનો ઉલ્લેખ તથા તેમાં નલ અને કુબેરના આગમનને ત્રણ કડીમાં વર્ણવી પંદર કડીની ઢાળ પૂરી કરાઈ છે અને ત્યાર પછી પાંચ દુહામાં નલની તેજસ્વિતાની વાત નિરૂપી છે. દમયંતીના રૂપનું વર્ણન કરતાં કવિ કહે છે : રાજકંવરિ અતિ રૂડી ૨. સકલ કલા અભિરામ – રાયજી. સંત ગજદીઠઉ સૂઈ રે, દવદંતી તિણ નામ – રાયજી જા તથા એક રૂપ ઉત્તમ ઘરાઉ રે, વલિ બીજ ઉ ન ઘડાય – રાયજી વિગન્યાન માહરઉ વીસરયઉ રે, વિહિ ચિંતાતુર થાય – રાયજી પાા નલદવદંતી ચસ 69 Page #119 -------------------------------------------------------------------------- ________________ નિરવંતા નયણાં ઠરઈ રે, ચાલત ગજગતિ ગેલિ – રાયજી ચંદ્રવદની મૃગલોયણી રે, સાચી મોહણ વેલિ – રાયજી || દા. અને દમયંતીને વરવા આવેલા અન્ય રાજાઓની સાથેની સરખામણીમાં નળના ચરિત્રને ઉજ્વળતાને વર્ણવવા કવિ લખે છે : બીજાં પણિ આયા તિહાં, ઠામ ઠામનાં ભૂપ નલ નડ સરિષઉ નિરષીયઉં, બીજે ડાભસરૂપ” ||પા તથા ઢાલ ત્રીજી સ્વયંવર મંડપની શોભા વર્ણવવા સાથે (કડી ૧થી ૧૫) કડી ૧૬થી ૧૯ સુધી પણ નળની રૂપપ્રશંસા આલેખે છે : “રાજન દીસઈ કલ્પવૃક્ષ, અથવા જાણે ઈંદ્ર પ્રત્યક્ષ આજ રઈ કાલિ નવ રોજ જણિ, પામી જઈ પુણ્ય પ્રમાણી” ||૧૬ાા. તથા “રવિ આગઈ તારા જેમ, નલ આગઈ બીજ તેમ કરતા દવદંતી આસ, નલ દેખી થયા નિરાસ” ||૧૮ll કુલ ૩૪ કડીની લાંબી ઢાલ ચોથીમાં દમયંતીને પરણવા આવેલા પ્રત્યેક રાજાઓનાં કુલ, ગુણ, વંશાવળી પરિચય અને અંતે નળ દવદંતીના વિવાહનું આલેખન છે. દવદંતી મન માનિયઉં, નલરાયચુ હરપેણ વરમાલા કંઠઈ વી, સુરગિરિ તારાની શ્રેણી રાજ રજા પાંચમી ઢાલની તેર કડીઓ અને આઠ દુહામાં દવદંતીની શ્વસુરગૃહે વિદાય, વિદાયવેળા મા અને અન્ય સ્ત્રીવૃંદ દ્વારા શ્વસુરગૃહે રહેવાના આચાર વિચારની શિખામણ અને નળ-દવદંતીના સુખી દામ્પત્યજીવનની કથા છે. છઠ્ઠી ઢાલમાં જૈનમુનિ દ્વારા નલદવદંતીને અપાતા ધર્મબોધ, તથા દંપતીનાં વિવિધ વ્રત તપની કથા ૨૦ કડી અને ૨ દુહામાં આલેખાઈ છે. ખંડ-૧ની અંતિમ અને સાતમી ઢાલમાં ૯ કડીમાં નવપરિણીત એવાં નળદેવદતીના સુખી દામ્પત્યજીવનને વિગતે વર્ણવ્યું છે. નલ દવદતી નારી, જોડી વિધાત્રા સરિષી નિરમાઈ આપ ઈ સહુ ઓસીસ, અવિચલ જોડી હુઈ જો નિરભઈ |૬ | 70 * જૈન રાસ વિમર્શ Page #120 -------------------------------------------------------------------------- ________________ બીજા ખંડમાં કુલ પાંચ ઢાલ છે અને તેમાં નિષધ રાજા નળને રાજ્યનો કારભાર સોંપી દીક્ષા લે છે, સુશાસન કરતાં નળની પ્રજાપ્રિયતા અને કીર્તિથી દ્વેષપ્રેરિત યુવરાજ ભાઈ કુબેરનાં રાજ્ય પડાવી લેવા કરાતા કારસા (જયંત્રો, નળને જુગારની લતે ચઢાવ્યો, દમયંતીની વારંવાર વિનવણી છતાં જુગાર ન છોડતાં અંતે નળની હાર થવી, રાજ્ય અને દવદંતીને પણ હારતાં કુબેરનું વનવાસે જતી દમયંતીને અટકાવવું અને શાણા લોકો દ્વારા દમયંતી જેવી સતીને રોકવાની સમજાવટ બાદ નળ દવદંતીને સાથે થતા વનપ્રયાણની કથા ખંડ-રની બે ઢાલની ૩૭ કડી અને ૨૮ દુહામાં નિરૂપે છે. કેસર કેસમણિ સાપની રે રાય, કૃપણ તણઉ ધન જેમ, જીવતાં હાથ પડઈ નહીં રે રાય, સતીય પયોહર તેમ,” વાë. /પા. વનવાસ વેઠતાં નળકવદંતીને પડતાં અપાર કષ્ટ અને નળનાં અપ્રતીમ પૌરુષ તથા દમયંતીના સતીત્વને કારણે સૌ વિનો પાર પડતાં, નળ દ્વારા દવદંતી-ત્યાગ, વસ્ત્ર ફાડવા જતા નળના ડાબા-જમણા હાથ વચ્ચેનો વિવાદસંઘર્ષ વસ્ત્ર છેદ્યા પછી નિજરૂધિર વડે ચીવર પર લખેલ સંદેશ અને દવદંતી જેવી સતીના ત્યાગ પછી આત્મધિક્કારથી દુ:ખી નળના આંતરસંતાપ ત્રીજી અને ચોથી ઢાલમાં ૩૯ કડી અને ૨૦ દુહામાં નિરૂપણ પામે છે. “દવદંતી તું જણજે, છેહિલ મુજ પરણામ, મત રોવઈ જગી થકી, નલ શું કેહઉ કામ,” liણા આવો સંદેશો લખતો નળ સતી ત્યાગ બાદ જાતને ધિક્કારે છે : હા, હા નલ દુષ્ટાતમા, કાં તું ભસમ ન હોઈ નિરપરાધ નિજ કામીની, અબલા તજઈ ન કોઈ" ||૧લા આમ અપરાધભાવથી પીડાતો નળ વનવાસે આગળ વધે છે ત્યાંથી આરંભાતી બીજા ખંડની પાંચમી ઢાલમાં આગમાંથી મનુષ્યવાણી બોલતા સાપને બચાવવાની, એ જ સાપના કરડવાથી કદરૂપા થયેલા નળની દીક્ષા લેવા થતા વિચારના, સર્પના દેવ બની પિતા નિષધરાયરૂપે પ્રકટ થયાની અને પોતે જાણીને નળના અજ્ઞાતવાસમાં મદદરૂપ થાય તેવા કુબડા રૂપ બનાવવા વાત કહી, નળે કર્મબંધનજનિત ફળ ભોગવવાનો બાકી હોઈ દીક્ષા લેતાં વારે છે અને મૂળરૂપ ધારણ કરવું હોય ત્યારે ખપમાં લેવાનાં વસ્ત્રાભૂષણ આપે છે : નલદવદંતી રાસ 71 Page #121 -------------------------------------------------------------------------- ________________ જબ રૂપ ફેરઈ ચંગ આપણઉ, મૂલગઉ રૂપ જબ કઈ આભરણ પહેરી કરંડ કેરા, દેસ પ્રદેશે મત ફિરઈ Ilણા ઢાલ ત્યાંથી આગળ જતાં નળ સુસમાપુરમાં મદઝરતા, મદોન્મત હાથીને વશ કરી દધિપર્ણ રાજા દ્વારા આદરમાન અને રત્નમાળનું ઇનામ પ્રાપ્ત કરે છે અને હંમેશ માટે દધિપર્ણના આવાસમાં સ્થાન પ્રાપ્ત કરે છે – એટલી કથામાં ખંડ બીજો સમાપ્ત થાય છે : કુબડઈ હાથી બાંધીયઉ, આલાન થંભઈ આણોજી રાજા પાસઈ આવિયઉં, નલરાજા મહા જાણોજી મહાજણ રાજાકુઉ હરષતિ આપણ પોલઈ લીયઉ, આભરણ વસ્ત્રઉકુલઉત્તમ દ્રવ્ય પરિધલ આપીયલ || ત્રીજા ખંડમાં દધિપર્ણ રાજાને કુબડાનો પરિચય અયોધ્યાવાસી હુંડિક જે નળરાજાનો રસોઇયો છે તે રૂપે અપાય છે. કૂબડા બનેલા નળ દ્વારા નળરાજાની ધૂતહાર, વનવાસ અને તેના અવસાનના સમાચાર જાણી દુઃખી થતા દધિપર્ણ હુંડિકની રસપાકશાસ્ત્ર અને સૂર્યપાક રસવતીથી પ્રસન્ન થયેલ દધિપણે તેને પોતાના આવાસમાં જ રાખી લે છે. વર્ષો વીતતાં સરોવર કાંઠે ઉદાસ હુંડિક કુંડિનપુરથી આવેલા. એક બ્રાહ્મણ પાસેથી દમયંતી જેવી સતીના ત્યાગના બે શ્લોક સાંભળે છે અને દવતીની વિગતે કથા કહેવા વિનવે છે ત્યારે બ્રાહ્મણ સતિત્યાગ બાદ એકાકી દવદંતીને પહેલાં અપાર કષ્ટ અને એ કષ્ટોમાંથી પાર પડવાના સતીના ઉદાત્ત કાર્યોને નળ પાસે વર્ણવે છે. સૂતેલી દમયંતીને સ્વપ્ન આવ્યું કે પોતે જે આમ્રવૃક્ષ પર ચઢી છે તેને હાથીએ પાડી નાખ્યું છે, તે ભોંય પર પટકાઈ એવું સ્વપ્નમાં જોતાં ઝબકીને જાગતી દમયંતી વિલાપ કરતી ગામ-ગામ રડતી-કકળતી, વિરહાગ્નિમાં બળતી નળને શોધે છે અને ચંદ્રને સંદેશો આપે છે. પિયર ભણી જતી દમયંતી માર્ગમાં સાર્થવાહ વેપારીના કાફલાને ચોરોનાં ધાડાંથી બચાવે છે અને સાર્થવાહના કાફલામાં કુલદેવી સમાં આદરમાન પામે છે. ત્રણ દિવસના અવિરત વરસાદને કારણે સાર્થવાહને છોડી ચાલી જતી દવદંતીનો રાક્ષસ સાથે મુકાબલો, રાક્ષસ દ્વારા પતિમિલનનો સમય જાણવો અને રાક્ષસને વિદાય કરી વનમાં એકલી જ આગળ વધતી દવદંતીનાં વર્ણન સાથે ત્રીજો ખંડ સમાપ્ત થાય છે. ત્રીજ ખંડમાં કુલ પાંચ ઢાલમાં કુલ (૧૫+૧૫+૧+૧+૨૫) ૮૬ 72 * જૈન રાસ વિમર્શ Page #122 -------------------------------------------------------------------------- ________________ કડી, (૨૫) સાત દુહા છે. ચોથા ખંડમાં કુલ છ ઢાલ છે અને કુલ (૮+૧૭+૩૧+૧૯+૧૬+૨૫) કડી અને (૨+૪+૩) ૯ દુહા છે. રાક્ષસ દ્વારા પ્રિયતમમિલનનો કાળ જાણી દમયંતી આકરા અભિગ્રહણ સાથે એક પર્વતગુફામાં શાંતિનાથ ભગવાનની મૂર્તિ બનાવી નિત્યપૂજા – આરાધના કરવામાં પ્રવૃત્ત થઈ. દવદંતીને શોધતા સાર્થવાહનું ત્યાં આવવું અને જલપુરમાં દવદંતીએ સતીત્વના પ્રતાપથી બચાવેલા, દવદંતીની આસપાસ રહેતાં તાપસોને જોઈ સાર્થવાહે તે જ ઠેકાણે તાપસપુર નગર વસાવ્યું : “સાર્થવાહ તાપસ આશ્રમ ઈ, તાપસપુર વાસઈ અનુક્રમ ઈ શાંતિનાથ તણઉ દેહરઉ, સુંદર પ્રતિમા સિર સેહરઉ” ||૧પા ઢાલ-૨ ખંડ-૪ પર્વત પર તાપસપુરના જનસમુદાય અને દેવદતીએ કુબેરના પુત્ર સિંહકેસરીને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાન અને મોક્ષની ઘટના જોઈ ત્યારે દીક્ષા લેવા તત્પર બનેલી દવદંતીને ગુરુ યશોભદ્ર દ્વારા દીક્ષા ન લેવાની શિખામણ સાથે પતિ સાથેના વિરહના કારણરૂપ પૂર્વભવનાં કર્મો છે એમ સમજાવે “યશોભદ્ર સૂરિ ઈમ કહઈ, હિવણાં નહીં તુજ દીષો રે, ભોગ કરણ કઈ તાહરઈ, માની મોરી તું સીષો રે, l૩Oા સિ. ત્યાર બાદ પોતાના પતિને શોધવા નીકળેલી દવદંતીનું વનમાં ભૂલા પડવું, તાપપુરનો માર્ગ ન જડવો, રાક્ષસી મળતાં પોતાના સતીત્વ વડે બચતી વનભ્રમણને કારણે શ્રમિત અને તરસી દવદંતીને પાણી ન મળતાં, સૂકી નદી પર પાની પછાડતાં સતીત્વ થકી જલસ્રોત નિર્માણ કરી, પાણી પી તૃપ્ત થઈ દવદંતી એક વટવૃક્ષની છાયામાં વિશ્રામાર્થે બેસે છે, ત્યાંથી પછી સાર્થવાહ દવદંતીને અચલપુર પહોંચાડે છે ત્યાં નળદવદંતી રાસનો ચોથો ખંડ પૂર્ણ થાય છે. પાંચમો ખંડ પાંચ ઢાલ અને કુલ (૨૪+૨૨+૨૮+૨૧ર૭) ૧૨૧ કડી અને (૧૩+૧૦+૮+૧૩) ૪૪ દુહા વડે રચાયેલ છે. અચલપુરમાં આવેલી દવદંતી અચલપુર નગરની બહાર વાવમાં સ્નાન નલદવદંતી રાસ * 73 Page #123 -------------------------------------------------------------------------- ________________ કરી વસ્ત્રો સૂકવતી હતી ત્યાં રાણી ચંદ્રસા (જે દવદંતીની માસી થતી હતી પણ એ હકીકત બેઉ સ્ત્રીઓ અજાણ હતી) દ્વારા તેને તેડું આવે છે અને રાણી પાસે જ દમયંતી રહે છે, નળની શોધ માટે દાનશાળામાં બેસતી દવદંતી પિંગળ નામના ચોરને બંધનમુક્ત કરાવે છે તેમાં તેની દયાવૃત્તિ અને સતીપ્રતાપ ઉપરાંત તેનાં ઉદારચરિત્ર પ્રગટ થાય છે : “દવદંતી નઈ કરુણા ઉપની, મુંકઊ મુકઊ ચોરોજી હું ઉત્તર દેઈસિ રાજ ભણી, માનઊ મુઝુજ નિહારોજી" || કોટવાલ કિમતી છોડઈ નહીં, સીલ પ્રભાવી સટક્કોજી સતી ચલૂ ભર પાણી છાંટી પઉં, બંધણ ઝૂટા ત્રટક્કોજી || ૧૦ || નળદંપતીની શોધમાં રાજા ભીમે પાઠવેલા વિપ્ર હરિમિત્રનું દાનશાળામાં દવદંતીને જોવું, અચલપુરનાં રાજરાણીને વાકેફ કરવાં, રાજરાણીની દવદંતીને ન ઓળખવા બદલ માફી માગવી અને હરિમિત્ર સાથે પિતૃગૃહે પાછી ફરતી દવદંતીનો માવતર સાથેનો મેળાપ થાય છે. ત્યાર બાદ નળની ભાળ કાઢવા ભીમરાયે મોકલેલા વિપ્રને દધિપર્ણ રાજાનાં પાકગૃહમાં રસોયા તરીકે સેવા આપતા અને અશ્વવિદ્યાના જણકાર કૂબડો નળ છે તેવો વિશ્વાસ થતાં ભીમરાજાને જાણ કરે છે. રાજા ફરી પોતાની કન્યા દવદંતીનો બનાવટી સ્વયંવર રચે છે અને એ માટેની ઓછી અવધિ આપી દધિપર્ણને જાણ કરે છે જેથી સમયસર આવવા રાજ દધિપર્ણ અશ્વવિદ્યામાં નિપુણ એવા કૂબડા (નળ)ને પણ પોતાની સંગાથે લાવે. આ યુક્તિ પાર પડતા કૂબડો (નળ) અને રાજા દધિપર્ણ કુંડિનપુર આવવા સાથે નીકળે છે અને માર્ગમાં પોતપોતાની વિદ્યાની પરસ્પર આપલે કરે છે. સવારના પહોરમાં જ કુંડિનપુર પહોંચતા દધિપર્ણને સ્વયંવરનાં કોઈ જ ચિહ્નો ન જણાતાં આશ્ચર્ય થાય છે. મૂળ તો આખી યુક્તિ નળખોજના ભાગરૂપે જ હતી તેથી દવદંતી કૂબડાની કસોટી કરે છે અને નળ પણ દેવપિતા નિષધરાયે આપેલાં વસ્ત્રાભૂષણ પહેરી પોતાનું મૂળ તેજસ્વી રૂપ ધારણ કરે છે ત્યાં પાંચમો ખંડ સમાપ્ત થાય છે. “બાર વરસે જે દુઃખ સહિયા, તે સહુ વીસરિયા સુખ લહિયા હો ||રરા” નવદંપતીકથાની અંતિમ અને છઠ્ઠો ખંડ દશ ઢાલની કુલ ( ૨૧૨+૧+૧૮+૧૨+ ૧૨૪+૧૯+૧૬૦૩) ૧૪૪ કડી અને (૧૪+૯+૬+૭+૭+૩+૩+૪+૫) ૫૫ દુહા સુધી વિસ્તૃત એવો સૌથી મોટો 74 જૈન રાસ વિમર્શ Page #124 -------------------------------------------------------------------------- ________________ ખંડ છે. આ ખંડમાં રાજા નળની ઓળખ થતાં આટલાં વર્ષો એને પોતાની ચાકરીમાં રાખ્યા બદલ દધિપર્ણ નળની માફી માગે છે ત્યાર બાદ થોડો સમય કુંડિનપુરમાં વીતાવી નળદવદંતી અયોધ્યા આવી કુબેરને દ્યૂતમાં હરાવી રાજ્ય પાછું મેળવે છે. પ્રજા નળાગમનને મહોત્સવથી વધાવે છે. વર્ષો સુધીના સુખમય જીવન જીવી નળદવદંતી આચાર્ય જિતસેનના સદુપદેશથી દંપતીએ દીક્ષા ગ્રહણ કરી પ્રેમાસક્ત નળનો ગચ્છ નિકાલ, નિષધ દેવની ગચ્છમાં આવી નળમુનિને ધર્મબોધ આપવો, છતાં વિકારમુક્ત ન થઈ શકતાં અનશન દ્વારા દેહાંત આણતાં નળ પાછળ દવદંતીનો પણ એ જ પ્રકારે દેહત્યાગ. બેઉનાં પુનર્જન્મમાં દેવલોકમાં પણ ધનદદેવ અને તેની પ્રિયારૂપે અવતરવાનું કારણ બને છે. ત્યાર બાદ દવદંતી ફરી નવજન્મ પેઢાલપુરના રાજાની કુંવરી કનકાવતી તરીકે જન્મે છે. કનકાવતીના સ્વયંવર રચાતાં પૂર્વે જ વિદ્યાધર હંસના દૂતકાર્યથી વાસુદેવ પ્રત્યે આકર્ષિત અને પ્રભાવિત થતી દવદંતી વાસુદેવને વરવા દૃઢ નિશ્ચયી છે. પરંતુ દેવલોકમાં પૂર્વભવનો નળ) ધનદ કનકાવતીને પામવા આતુર હોવાથી ધનદ વાસુદેવને દૂત તરીકે મોકલી પ્રણયસંદેશ પાઠવે છે પણ કનકાવતી તેને પૂજ્ય સ્થાને છે અને અનુરાગ સંભવ નથી એમ ઉત્તર વાળે છે ત્યારે ધનદ વાસુદેવને પોતાની વીંટી પહેરાવી તેનું રૂપ બદલે છે પરંતુ પછી કનકાવતીના કહેવાથી વાસુદેવ પાસેથી વીંટી પરત લઈ તેનું રૂપ પૂર્વવત કરે છે. વાસુદેવ-કનકાવતી દ્વારિકામાં સુખી દામ્પત્યજીવન ભોગવે છે. વખત જતાં નેમિનાથ ભગવાનની અન્ય સાધુઓ સાથે દ્વારકામાં પધરામણી થતાં વાસુદેવ-કનકાવતી દર્શને જતાં ગજસુકુમાલના સંયમ અને મોક્ષની કથાથી પ્રભાવિત કનકાવતી ગૃહસ્થાશ્રમમાં પણ સંયમવ્રતની ભાવના ભાવી કેવળજ્ઞાન પામે છે, પાછળથી દીક્ષા લઈ સાધ્વી થાય છે અને અંતે અનશન દ્વારા દેહત્યાગ કરે છે. અને અહીં છઠ્ઠો ખંડ અને નળદવદંતી સમાપન થાય છે. સમયસુંદર કૃત નલદવદંતી રાસ જૈન નલકથા પરંપરામાં એમના સમકાલીન કે પૂર્વસૂરિઓનો નલકથાનો ખાસ પ્રભાવ વરતાતો નથી પણ જૈનપરંપરાને અનુસરનારી પાંડવરિત અને નેમિચરિત્રની નલકથાને પૂર્ણપણે વફાદાર રહી સમયસુંદરે ‘નલદવદંતીરાસ’ની રચના કરી છે. તેમણે પોતે અત્યંત નમ્રતાથી એ વાતનો સ્વીકાર અંતિમ ખંડ ૬ની નવમી ઢાલની ૧૪મી કડીમાં કરતાં કહ્યું છે : નલદવદંતી રાસ * 75 Page #125 -------------------------------------------------------------------------- ________________ પાંડવ નેમિચરિત્ર હોને. અધિકાર તિહાંથી ઉધર્યઉ; ચંચલ કવિઅણ ચિત્ત હો ને. કવિયણ કેરી કિહાં કિણ ચાતુરી. આમ જોવા જઈએ તો મોટા ભાગનાં જૈન કવિઓ જેવા કે ‘ઋષિવર્ધન, મહારાજ, મેઘરાજ, અજ્ઞાતકવિ, શ્રીહર્ષ, ત્રિવિક્રમ ભટ્ટ, ઋષિવર્ધન સૂરિ, રામચંદ્રસૂરિ માણિક્યદેવસૂરિ, ગુણવિનયસૂરિ ઇત્યાદિ કવિઓ જૈન નલકથા પરંપરાને જ તંતોતંત અનુસરે છે પરંતુ સમયસુંદર આ પરંપરાનું અનુસરણ માત્ર કથાસંદર્ભે જ કરે છે બાકી વસ્તુસંકલના, પાત્રનિયોજન, પ્રસંગવર્ણન આદિ સંદર્ભે તેમની ઊર્ધ્વગામી કવિપ્રતિભા આધારે મૌલિકનિરૂપણ કરે છે જે આ કૃતિને વિશેષ અને વિશિષ્ટ અર્થમાં આસ્વાદ્ય તો બનાવે જ છે પણ વસ્તુસંકલનાને વિશેષ પ્રભાવક અને પ્રતીતિકર રીતે નિયોજી શક્યા છે. દા.ત, મહદ્ અંશના કવિઓની નળદવદંતી કથાકૃતિમાં કથાનો આરંભ તેમના આગલા જન્મ રાજા મમ્મણ અને વીરમતીના ભવથી શરૂ થાય છે અને આ બેઉના પૂર્વભવની કથા એટલે કે નળકવદંતીની કથાએક અવાંતર કે ઉપકથા તરીકે આવે છે જ્યારે સમયસુંદરની કથાનો આરંભ નળ-દમયંતી કથા દ્વારા જ થાય છે અને એના અનુસંધાનમાં જ ખંડમાં દેવધનદ અને તેની પ્રિયા તરીકેનો ભવ અને ત્યાર બાદ દેવધનદ સ્વર્ગમાં જ રહી જતાં પેઢાલપુરના રાજાની કુંવરી કનકાવતી રૂપે બીજે જન્મ લેતાં કનકાવતી અને વાસુદેવની કથા આગળ ચાલે છે, આમ કથાવસ્તુમાં નળદવદંતીના બધા જ જન્મો ખરા અર્થમાં ક્રમિક રીતે આવે છે. Flash Back કે ઉપકથા / આડકથા તરીકે નહીં. એ બાબત જૈનપરંપરાની નલકથા સંદર્ભે સમયસુંદરની પરંપરાથી છૂટાં પડી મૌલિક સર્જનાત્મકતાનો ઉન્મેષ સિદ્ધ કરી આપે છે. બીજું એ કે મૂળ મહાભારતની નળકથામાં અને જૈનેતર કવિઓ નાકર અને નંદનાં નામો ભૂખ્યા નળ માટે માછલાં લાવતી સતી દમયંતીના હાથમાંથી સંજીવન શક્તિને કારણે સજીવ થઈ સરી જતાં સુધાપાપિણી’ કહી તેનો ત્યાગ કરતાં નળનું ચિત્ર છે. જ્યારે જૈન કવિઓને મન નળની આ પુરુષોચિત સંશયવૃત્તિનું એવી કોઈ નબળાઈનું આલેખન અભિપ્રેત નથી. તેમની સામે આદર્શ, સુચરિત નળ ચરિત્રાલેખન કરવાની નેમ છે. સમયસુંદરમાં આ નેમ એટલી Project થાય છે કે દમયંતીનો ત્યાગ કરવા વસ્ત્રછેદન કરવા ટાણે નળના બે હાથના સંઘર્ષમાં કવિએ ખંડ બીજાની ચોથી ઢાલની બાર કડીઓ 76 * જૈન રાસ વિમર્શ Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૩થી ૨૪) ખર્ચી છે અને દવદંતી ત્યાગ પછી નળના અપરાધભાવ, આત્મગ્લાનિ અને આત્મતિરસ્કારના ચાર દુહાનું આલેખન કર્યું છે. એ અર્થમાંય સમયસુંદરની સર્જકતા જૈનપરંપરાના નાયક ચિત્રણની ઉદાત્તતાના ધ્યેયને તાગવા પ્રવૃત્ત થતી જેવા મળે છે. કવિ સમયસુંદરની વર્ણનશક્તિ નળદવદંતી રાસના તમામ વર્ણનો ઉપરાંત કથાનાં પાત્રચરિત્ર વર્ણનમાં અન્ય પુોકાલીન તથા સમકાલીન કવિઓ કરતાં વિશેષ અને વિશિષ્ટ અર્થમાં ખીલતી જોવા મળે છે. નળ-દવદંતી તો કથાનકના પ્રાણરૂપ મુખ્ય પાત્ર છે. કથા તો તેમના જીવનને નિમિત્તે જ, તેમના જીવનની જ તડકી-છાંયડી અને શ્યામ-શ્વેત છાયાઓના નિરૂપણ વડે ઘડાતી આવતી હોવાથી તેમના રૂપગુણવર્ણ સંદર્ભે કવિ વિશેષ રસ દાખવે અથવા તે વર્ણનમાં પોતાની સર્ગશક્તિ, તમામ શક્યતાઓ તાગવામાં પ્રયત્નશીલ બને તે સ્વાભાવિક છે, પણ સમયસુંદરે નળદવદંતી ઉપરાંત નળકથાનાં અન્ય ગૌણ કે પૂરક પાત્રોના ચિરત્રવર્ણનોમાં પણ પોતાના અપ્રતિમ કવિકર્મનો પરિચય આપ્યો છે. નિષધરાજા, ભીમરાજા, રાણી પુષ્પદંતી (દવદંતીની માતા), કુબેર, ઋતુપર્ણ, રાણી ચંદ્રજસા, રાજા દધિપર્ણ, પિંગળ ચોર, ધનદદેવ, સાર્થવાહ, ગુરુ યશોભદ્ર, કેવલી સિંહકેસરી (કુબેર પુત્ર) વાસુદેવ અને કનકાવતી આદિ પાત્રોનાં પણ સુરેખ એવાં ચરિત્રવર્ણનો સુંદર અને પ્રતીતિજન્ય રીતે સમયસુંદરની લેખિત એ યથોચિત નિરૂપણ પામ્યાં છે. આ ગૌણ, પ્રેરક ચરિત્રો મુખ્ય કથાવિકાસમાં તો સહાયક બને જ છે પણ સાથોસાથ મુખ્ય પાત્રોના વિકાસ તથા તેમની ઊર્ધ્વગતિનાં પણ પ્રેરકબળ બને તે રીતે આલેખન પામ્યાં છે. - પાત્રચરિત્રના સર્વથા યથાર્થ વર્ણન દ્વારા નિર્બંધ અને સુગમ રીતે પ્રવાહિત થતો કથારસ સમયસુંદરના કવિકર્મની સુપેરે પરિચય કરાવવા સક્ષમ છે. સમયસુંદરનાં નલદવદંતી રાસમાં આથી જ લાંબી કથા છતાં કથાવિકાસ અને પાત્રવિકાસ દરમિયાન ભાવક/વાચકને ક્યાંય રસભંગ કે કંટાળાનો અનુભવ થતો નથી. કવિની સંપન્ન પ્રજ્ઞા થકી નિરૂપણ પામતા આ તમામ ચરિત્રવર્ણન ઉપરાંત પ્રસંગવર્ણનો, પરિસ૨વર્ણનો પણ અપૂર્વ થવા પામ્યાં છે. દવદંતીના અપ્સરાઓનેય માત કરનારાં દેહસૌંદર્યને પણ અત્યંત સાત્ત્વિક ભાવે નિરૂપ્યું છે અને નળરાજાના વીર પુરુષોચિત અદ્ભુત પરાક્રમો નલદવદંતી રાસ * 77 Page #127 -------------------------------------------------------------------------- ________________ પણ નળને માનવેતર કે દેવકોટિએ સ્થાપી આપે છે. નળ અને દવદંતીનાં ચરિત્રવર્ણનોમાં સમયસુંદરે ઘણે ઠેકાણે અતિશયોક્તિનો આધાર લીધો છે છતાંય એ અતિશયોક્તિ ખૂંચે કે અપ્રતીતિકર લાગે તેવી નથી. આ અતિશયોક્તિ છતાંય આ વર્ણનો દવદંતી અને નળનાં ચરિત્રને અનુકૂળ તેવા નૈસર્ગિક નિરૂપણની માફક ભાવક-વાચક ચેતનામાં અનુભૂત થાય છે. આ તમામ વર્ણનો કૃતક બન્યાં નથી તે આ કૃતિ અને તેના સર્જક સમયસુંદરના કર્તુત્વનાં જમાપાસાં છે. નળદવદંતી રાસમાં સમયસુંદરના કવિકર્મનું બીજું સ્તુત્ય પાસું તે આ કૃતિની ભાષાસંરચના છે. પાત્રના ચરિત્રને અનુકૂળ બદલાતી ભાષા અને તેની ભિન્નભિન્ન ભાવભંગીઓના આલેખનમાં સમયસુંદર સર્વથા સફળ રહ્યા છે. દરેક ઢાલમાં અવિરત, અખંડ વહેતા પંક્તિપ્રવાહમાં અંત્યાનુપ્રાસ અને અનુપ્રાસની યોજના તેમ જ અન્ય શબ્દાલંકારો, પ્રતીકો – કલ્પનો દ્વારા સમગ્ર રાસ એક સુંદર, સુશ્લિષ્ટ, સુગ્રથિત અને સુસંવાદિત એવું નખશિખ સુંદર એવું કલાવિધાન બનવા પામે છે. સમયસુંદરનું સંગીતજ્ઞાન પણ આ કૃતિમાં આવતાં વિવિધ ઢાળ અને દુહાઓના લય અને એ દ્વારા કૃતિમાં નિર્માતા સંગીત સંદર્ભે ખાસું એવું ઉપકારક બન્યું છે. તત્કાલીન લોકપ્રચલિત અને લોકપ્રિય એવાં દેશીઓ અને વિવિધ ઢાળો તેમ જ પોતાનાં સ્વરચિત ઢાળોને કથામાં પ્રસંગોચિત અને ભાવોર્મિઓને ઉચિત એવી રીતે વિનિયોજ્યાં છે. સમગ્ર રાસની આડત્રીસ ઢાલમાં એક ચોપાઈની ઢાલ બાદ કરતાં એક દેશી કે એક ઢાળનું પુનરાવર્તન કૃતિમાં ક્યાંય કર્યું નથી. એ ઉપરાંત એક જ દેશી કે એક જ ઢાળ બે જુદા જુદા રાગે ગાઈ શકાય તે રીતે તેનું પ્રયોજન કર્યું છે. આ રાસની ભાષા તેનામાંના આ સંગીત તત્ત્વને કારણે જ માધુર્યપૂર્ણ, સરળ અને લાલિત્યપૂર્ણ રચાવા પામી છે. કવિ ભાષાની વિવિધ ભંગીઓ અને તેમાં રહેલા માધુર્ય અને માર્દવની સ્પર્શક્ષમ રીતે નિરૂપી શક્યા છે. એ અર્થમાં ભાષાવિધાન, પાત્રાવિધાન, વસ્તુવિધાન, રસવિધાન, સંગીતવિધાન એ તમામ કૃતિતત્ત્વોને કવિ સમયસુંદરે ખૂબ તટસ્થપૂર્વક છતાં મનભરી પલોટ્યાં છે. તેમના કવિ તરીકેના આ મનોયત્નના પરિપાકરૂપે જ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને અને સમસ્ત જૈનસાહિત્યની નલકથા પરંપરાને એક સર્વાંગસુંદર કૃતિ પ્રાપ્ત થાય છે. મહાભારતની નળકથામાં ચાર દેવ ઈન્દ્ર, 78 * જૈન રાસ વિમર્શ Page #128 -------------------------------------------------------------------------- ________________ યમ, વરુણ અને અગ્નિને સ્થાને જૈનપરંપરામાં માનવજન્મનાં જીનધર્મનાં પાલન અને શુદ્ધ સંયમી જીવનમાં વ્રતતપાદિ દ્વારા દેવત્વને વરેલાં નિષધદેવ, પિંગળદેવ, વિમળમતી દેવ તથા ધનદેવ આદિ દેવોની કથા છે. મહાભારતની ઉપાખ્યાન તરીકે આવતી નલકથા શોકમગ્ન યુધિષ્ઠિરને ‘સમયતિ બલવાન’નો બોધ આપવા અને જુગટુંના અનિષ્ટથી અવગત કરાવવાના આદેશ સાથે રચાય છે જ્યારે મૂળ નળકથામાં પોતાના ધર્મની આવશ્યકતા અને નિજી પ્રતિભાના સંસ્પર્શથી જૈનકર્મીઓએ સમયાંતરે ફેરફારો અને ઉમેરણો કર્યાં છે. આ ફેરફારો પાછા કલાવિધાનથીયે વિશેષ તો જૈનધર્મની આચારસંહિતાઓ, તેના નીતિ-નિયમો – મૂલ્યોનો, સચ્ચરિત્ર સ્ત્રી-પુરુષનાં પુણ્યવંતશીલનો મહિમા કરી ઉદાત્ત શીનિર્માણનો સમાજને બોધ કરાવવાનો જૈન કવિઓનો ઉન્નત અને કલ્યાણકારી શુભાશય રહેલો છે. સમયસુંદરરચિત નલદવદંતીરાસ ઋષિવર્ધન, ગુણવિનય તથા અજ્ઞાત કવિ જેવા પુરોકાલીન કવિઓની નળપરંપરાથી કદમાં મોટો છે. અન્ય કવિઓએ નલદવદંતીના પછીના ભવની કથા સંક્ષેપમાં આલેખી છે જ્યારે સમયસુંદરે મૂળ સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથો અનુસરીને નલદવદંતીની કથાને વિસ્તારપૂર્વક, તેમાં આવતા વિવિધ રસોને બહેલાવી બહેલાવીને કથા આલેખી છે. આ પછીના ભવની કથામાં સમયસુંદરે નલદવદંતી રાસનો ઢાલ, કડી અને દુહાનો સૌથી મોટો એવો ખંડ ખર્ચો છે પણ સર્જકનો આ પ્રયાસ પણ કૃતિ સંદર્ભે તો સર્વથા ઉપકારક જ રહ્યો છે. કારણ કે આ પ્રસ્તારને સંતુલિત ક૨વા સમયસુંદરે કૃતિમાં જ્યાં-જ્યાં અવકાશ મળ્યો ત્યાં જે-તે કથાપ્રસંગો લાઘવથી આલેખી દીધા છે. અલબત એમાં પણ કંઈક ખૂટતું હોવાનો રસભંગ થયાનો ભાવ લગીરેય વરતાતો નથી અને કથાની પ્રવાહિતા કે સાહજિક સરળતાને હાનિ થતી નથી કે કવિપ્રતિભા જ કૌશલ્ય છે. આમ સમયસુંદરકૃત નલદવદંતી રાસ તેનાં નખશિખ સુંદર અને કલાવિધાન, કલાગત સૌંદર્ય શાસ્ત્રીય દૃષ્ટિએ સર્જકોચિત્ત તાટસ્થ્ય પ્રાસાદિક, માધુર્યપૂર્ણ છતાં વિવેકભાનથી યુક્ત એવી ભાષાશૈલી અને ખાસ તો પ્રાચીન, મધ્યકાલીન યુગથી માંડી આજે આધુનિક અનુઆધુનિક (Modern-Port Modern) પણ જેને કવિઓએ મનભરી આલેખ્યું છે. તે નળદમયંતીના ઉદાત્ત કથનને કારણે પ્રશિષ્ટ કૃતિ બનવા પામી છે. નલદવદંતિ રાસમાં શાશ્વત અને સનાતન એવાં સાંસ્કૃતિક મૂલ્યો છે. નલદવદંતી રાસ * 79 Page #129 -------------------------------------------------------------------------- ________________ આ એક એવી પ્રશિષ્ટ-ઉદાત્ત ક્રાંતિ છે જે કદીયે કાળપ્રવાહમાં કે સ્થળસીમાડાથી અસરગ્રસ્ત થઈ અપ્રભાવક કે લુપ્ત થવાની નથી પરંતુ તે ચિરકાળ લગી સાર્વભૌમિક રીતે હવે પછી આવનારી અનેકાનેક પેઢીઓને સંસ્કૃતાચાર્યના કહ્યા પ્રમાણે પ્રિય પત્નીની માફક ઉપદેશ / બોધ આપનારી કૃતિની માફક જનમ દ્વારા જિનધર્મમાં ઉન્નત બોધ કે મૂલ્યોથી અવગત કરશે. આ કાલજયી બનવાની સાથોસાથ જિનધર્મનાં મૂલ્યોને પણ લોકસ્મૃતિમાં સારધાર અંકિત કરી આપશે. 80 જૈન રાસ વિમર્શ Page #130 -------------------------------------------------------------------------- ________________ કિવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ' ડૉ. ભાનુબેન જે. શાહ મધ્યકાલીન યુગમાં જૈન કવિઓએ વિવિધ કાવ્યપ્રકારો ખેડ્યા છે. તેમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો વિશાળ પટ “રાસ' નામના કાવ્યપ્રકારથી રોકાયેલો છે, તેથી શ્રી કે. કા. શાસ્ત્રીએ આ યુગને “રાસયુગ'નું નામ આપ્યું છે. આ રાસ અથવા રાસાસાહિત્ય સ્વરૂપ તરીકે અપભ્રંશમાંથી ઉદ્દભવ્યો છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો રાસ શબ્દનો ઉલ્લેખ હરિવંશપુરાણ (બીજી સદી)માં મળે છે. બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ આદિમાં અને કાવ્યશાસ્ત્રોમાં જેમ કે ભામહના કાવ્યાલંકારમાં રાસનો ઉલ્લેખ જોવા મળે છે. અહીં રાસ' શબ્દ નૃત્યકીડાના અર્થમાં અભિપ્રેત છે. મધ્યકાળમાં વિપુલ પ્રમાણમાં રાસકૃતિઓ રચાઈ છે. મધ્યકાલીન વિશાળ રાકૃતિઓના ભંડારમાંથી એક અપ્રકાશિત રાસકૃતિ ચૂંટી કાઢી છે. તેના રચયિતા ખંભાતના શ્રાવક કવિ ઋષભદાસ છે. આ રાસની હસ્તપ્રત શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર – કોબાથી મેળવી છે. આ એક ચમત્કાર પ્રધાનકથા ધરાવતી રાસકૃતિ છે. ઉત્તમપુરુષોનાં જીવનચરિત્ર આત્માને ઓજસ્વી, તેજસ્વી અને દૃઢ શ્રદ્ધાવાન બનાવે છે. જૈનદર્શનમાં ત્રેસઠ શલાકાપુરુષોનું જીવનઝરમરપાઠકની ચિત્તશુદ્ધિ કરી વિશેષ આત્મિક આનંદ અર્પે છે. આત્માનું ઊર્ધ્વગમન કરાવી શિવપદ અપાવે છે. અજાપુત્રનું જીવનચરિત્ર તેનો ઉત્કૃષ્ટ નમૂનો છે. અજાપુત્રના અંગત જીવનના વૈવિધ્યસભર અનુભવો આ રાસકૃતિમાં પ્રગટ થયા છે. અજાપુત્રના જીવનની એક સાહસકથા અહીં પ્રસ્તુત થઈ છે. સાહસિક અજકુમારે જિંદગીની રઝળપાટમાં ક્યારેય હતાશા, નિરાશા કે વેદના અનુભવી નથી. વળી, લોકો તરફથી પ્રાપ્ત થતા માન-સન્માનથી પણ અલિપ્ત રહ્યા છે. સત્યનિષ્ઠ અજકુમાર વિશિષ્ટ પુણ્યશાળી હોવાથી ડગલે ને પગલે તેમને દેવીસહાય પણ પ્રાપ્ત થઈ છે. અજકુમારના જીવનમાં સરળતા, પરોપકારતા, વિનય-નમ્રતા જેવા અનેક ગુણો ખીલ્યા હતા. પ્રત્યેક વેળાએ અન્ય જીવો માટે સરવાણી તેમના જીવનમાં વહેતી દેખાય છે. જેમ તીર્થકરના સાનિધ્યમાં આવેલો જીવ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, તેમ અજકુમારના સંપર્કમાં આવેલો જીવ પ્રેમ અને આત્મિયતાથી અભિભૂત થાય છે. કવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ' + 81 Page #131 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રના સમયમાં વટાળપ્રવૃત્તિ પુરજોશમાં ચાલુ હશે તેમ જ તે સમયની આબોહવામાં દેવ-દેવીઓની પૂજા અને અંધશ્રદ્ધાનો વેગ વધ્યો હશે; તેનો પડઘો આ રાસમાં પડે છે. આ કથાનક દ્વારા કવિ ઉપદેશે છે કે, પ્રાણાન્ત પણ જૈનધર્મને છોડવો નહીં. વળી, કુતર્ક કે મિથ્યા ભ્રાંતિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.” ૧૫મી સદીના પૂ. મેરૂતુંગાચાર્યના પટ્ટપ્રભાવક સાહિત્યકાર પૂ. માણિક્યસુંદરસૂરિએ અજાપુત્રની કથા સંસ્કૃત ભાષામાં રચી હતી. અચલગચ્છના સાહિત્યકાર કલાપ્રભસાગર સૂરિજીએ સંયમજીવનનાં ૨૫ વર્ષની સ્મૃતિમાં સં.૨૦૫૦માં અજાપુત્રની કથાને ગુજરાતીમાં અનુવાદ કરી પ્રકાશિત કરી હતી. આ ઉપરાંત આ કથાનકના આધારે ઘણા મધ્યકાલીન જૈન સાધુ કવિઓએ રાસકૃતિ રચી છે. | વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયેલા જૈન ગૃહસ્થ કવિ ઋષભદાસે શ્રી ચંદ્રપ્રભ જિન (જૈનોના આઠમા તીર્થંકર)ના પ્રથમ ગણધર દત્તજીના પૂર્વભવ – અજાપુત્રનું ચરિત્રચિત્રણ કર્યું છે. રાસકારનો મુખ્ય હેતુ છે – ભક્તિ. પુણ્ય સાથે ભવ્યાત્માઓ ધર્મનું સત્ય સ્વરૂપ સમજી સિદ્ધિ પ્રાપ્ત પોતાના જીવનમાં જેની અનોખી અને અનન્ય કૃપા પ્રાપ્ત થઈ છે, તેવી માતા શારદાની સ્તુતિ કરી પ્રથમ દુહામાં કવિ મંગલાચરણ કરે છે. બ્રહ્માપુત્રીની સાથેસાથે ત્રિલોકનાથ જિનેશ્વરદેવો તથા સર્વોત્તમ શ્રુતધર ગણધર ભગવંતોને મંગલાચરણ રૂપે કવિ ભાવપૂર્વક નમસ્કાર કરે છે. ચોપાઈ-૧માં અજાપુત્રનો પરિચય છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રની, ચંદ્રાનના નગરીમાં ચંદ્રપીડ રાજા રાજ્ય કરતા હતા તે નગરીમાં ધર્મોપાધ્યાય બ્રાહ્મણ અને તેની પત્ની ગંગા રહેતાં હતાં. તેમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. પિતાએ જન્માક્ષર (જન્મકુંડળી) દ્વારા જાણ્યું કે, આ પુત્ર ભવિષ્યમાં આ નગરીનો રાજા થશે.” પિતાએ વિચાર્યું, ‘વિપ્રકુળના આચારોનો લોપ થતાં બ્રાહ્મણકુળ કલંકિત થશે. વળી, “રાજેશ્વરી તે નરકેશ્વરી’ આવા બાળક પર કેવો સ્નેહ? તેનો ત્યાગ કરવો એ જ શ્રેષ્ઠ છે.” ધર્મોપાધ્યાય બ્રાહ્મણે પોતાની પત્ની ગંગાને બોલાવી પુત્ર પ્રત્યે મોહ ત્યાગવાની શિખામણ આપી. માતૃહૃદય રડી ઊડ્યું. તેણે કહ્યું, 82 * જૈન રાસ વિમર્શ Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્વામી, પશુ યા પંખી જેહ, બાલક મોહ ન છોડે તેહ, સ્વામી તુમ કેમ આપું પુત્ર, મૃગાવતી લોઢો. પુત્ર તન દુરંગથી જે પણ હતો, તેણે નવી નાખ્યો ન કઉ જુવો. કરૂણાશીલ માતાએ મૃગાલોઢિયા, પશુ પક્ષીઓ જેવા દૃષ્ટાંતો આપી પતિને સમજાવવાની ખૂબ કોશિશ કરી. પતિ પણ પુત્રનો મોહ છોડાવવા પત્નીને કોણિકરાજ, કનકકેતુ, સુભૂમ ચક્રવર્તી, રાવણ, લક્ષ્મણ, જરાસંધ – જેવા નરકગામી રાજાઓનાં દષ્ટાંતો પ્રસ્તુત કરે છે. મહાકવિ માતાની દેવભૂમિનાં દર્શન કરાવે છે. માતૃત્વ અને માતૃધર્મનું રસાયણ કવિએ રસાળ શૈલીમાં સરસ રીતે પ્રસ્તુત કર્યું છે. દુહા-૨ માતાનું હૃદય પુત્ર પ્રત્યેના મોહને છોડવા તૈયાર નથી. તેના સંદર્ભમાં કવિ કહે છે કે જગતના સર્વ જીવો પર મોહનું સામ્રાજ્ય છવાયેલું છે. પ્રસંગોપાત ઐતિહાસિક મહાપુરુષોનાં નામ અંકિત કરી કવિ વિદિત કરે છે કે, મોહ કેવો ભયંકર છે! મોહથી કેવા કેવા અનર્થો સર્જાયા છે. | ચોપાઈ-૨ અંતે પિતાનો વિજય થતાં લાચાર માતાને પોતાને વહાલસોયા પુત્રને અળગો કરવાની ફરજ પડી. ગંગાનું કરુણ હૃદય હચમચી ઊર્યું. તેણે વિલાપ કરતાં પોતાના પૂર્વક પાપકર્મોનો દોષ ગણ્યો. પ્રસંગોપાત કવિ કર્મસિદ્ધાંત કહે છે. કેવાં દુષ્કૃત્ય કર્મો કરવાથી જીવને સ્વજનોથી વિયોગ થાય છે? આ જગતમાં કયાં સાત દુઃખો અસહ્ય છે? (૧) ઉદરમાં જન્મતાં પિતાનું મૃત્યુ (૨) માતાનું મૃત્યુ (૩) યૌવનવયમાં પત્નીનું મૃત્યુ () વૃદ્ધાવસ્થામાં યુવાન પુત્રનું મૃત્યુ (૫) નિર્ધનપણું (૬) પરવશપણું (૭) અતિશય ભૂખ. પ્રસ્તુત ચોપાઈ માતૃહૃદયી મનોવ્યથાનું કરુણ રસમાં કવિએ માર્મિક દર્શન કરાવ્યું છે. ગંગાએ પતિના આગ્રહથી નવજાત શિશુને નિર્ભય અને એકાંત સ્થાનમાં મૂક્યો. થોડી વારમાં ત્યાંથી બકરીઓનું વેળું પસાર થયું. પૂર્વભવના માતૃસ્નેહને કારણે કોઈ એક બકરીએ પોતાના દૂધ ભરેલા આંચળ બાળકના મુખ તરફ ધર્યા. થોડી વારમાં તે સ્થાને અજપાલ આવ્યો. તેણે નવજાત શિશુને વહાલથી ઊંચકી પોતાની પત્નીને સોંપ્યું. અજપાલ નિઃસંતાન હતો. સુંદર, સ્વરૂપવાન બાળક બકરીઓના ટોળામાંથી મળ્યું હોવાથી તેનું નામ અજાપુત્ર” પડ્યું. કવિ ઋષભઘસ કૃત “અજકુમાર રાસ' 83 Page #133 -------------------------------------------------------------------------- ________________ એક વાર અજાપુત્ર સીમમાં બકરીઓ ચરાવવા ગયો ત્યારે બપોરના સમયે વૃક્ષની છાયામાં બેઠો. તે સમયે ચંદ્રપીડ રાજા શિકાર કરવા માટે નીકળ્યા હતા, તે વિશ્રામ લેવા વૃક્ષની છાયામાં બેઠા. ત્યાં અચાનક એક દેવી પ્રગટ થઈ. તેણે કહ્યું, “હે રાજનું! આ અજાપુત્ર બાર વર્ષ પછી તારું રાજ્ય આંચકી લેશે. તે અહીંનો રાજા થશે.” રાજાએ બાળક સમજી તેની ઉપેક્ષા કરી પરંતુ અનુભવી સુબુધમંત્રીએ રાજાને સમજાવી સેવકો દ્વારા તે બાળકને ગાઢ જંગલમાં એકલો મુકાવ્યો. ચોપાઈ : ૩ સિંહ જેમ જંગલમાં એકાકીપણે વિચરે છે, તેમ વિનયવંત અને ગુણવાન અજકુમાર વનમાં અનેક કૌતુક નિહાળતો નિર્ભયપણે મહાવનમાં વિચરવા લાગ્યો. પ્રસ્તુત ચોપાઈ-૩માં કવિએ વનના પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન કર્યું છે. ઢાળ: ૧ અજાપુત્રે મહા અટવીમાં એક રમણીય દેવપ્રાસાદ જોયો. તેની નજીકમાં અગ્નિકુંડ હતો. ચાર પુરુષો તે અગ્નિકુંડની નજીક ફરતા હતા. તેમના ચહેરા પર ઉદ્વિગ્નતા હતી. અજાપુત્રે વિનયપૂર્વક તેમને ચિંતાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, “અમારા નાનાભાઈનો પુત્ર – ભત્રીજો અસાધ્ય રોગથી પીડાય છે. અનેક ઉપચારો કરવા છતાં રોગ હટવાનું નામ લેતો નથી. ત્યારે એક અનુભવી વૈદ્ય અમૃતકુંડમાં રહેલું દિવ્યફળ લાવવાનું કહ્યું. અમે અહીં ફળ લેવા માટે આવ્યા છીએ પરંતુ ચારે તરફ પ્રસરેલી અગ્નિજ્વાળાથી અમૃતફળ મળવું અસંભવ છે.” પરોપકારી અને સાહસિક અજાપુત્રે કંઈ પણ વિચાર્યા વિના અગ્નિકુંડમાં ઝંપલાવ્યું. તેની શૂરવીરતાથી પ્રસન્ન થયેલા અગ્નિકુંડના દેવે અજાપુત્રને બે અમૃતફળ આપ્યા. તે અમૃતફળ અજાપુત્રે તે પુરુષોને આપ્યાં. વિવેકી અને સંતોષી પુરુષોએ એક ફળથી પુત્રનો અસાધ્ય રોગ દૂર કર્યો અને બીજું ફળ અજાપુત્રને પાછું સોંપ્યું. ચારે પુરુષોએ અજાપુત્રની ખૂબ પ્રશંસા કરી. ચોપાઈ : ૪ અજાપુત્રે પ્રેમભરી વિદાય લીધી. માર્ગમાં આગળ જતાં એક નિર્મળ જળથી ભરેલું સુંદર સરોવર જોયું. અજાપુત્રે આમ્રફળ વસ્ત્રના છેડે બાંધ્યું. વસ્ત્ર ઉતારી કિનારે મૂકીને થાક ઉતારવા સરોવરમાં સ્નાન કરવા કૂદ્યો. તે સ્નાન કરી બહાર આવ્યો ત્યારે ત્યાં આમ્રફળ ન હતું. તે આમ્રફળ શોધવા લાગ્યો ત્યાં એક દિવ્ય પુરુષ આવ્યો. તેણે કહ્યું, “તારી પછેડીના 84 • જૈન ચસ વિમર્શ Page #134 -------------------------------------------------------------------------- ________________ છેડે બાંધેલ આ ફળનો મીઠો રસ પીવાથી હું વાનર મટી માનવ બન્યો છું.” તે દિવ્ય પુરુષે અજાપુત્રનો ખૂબખૂબ આભાર માન્યો. તેણે પ્રસન્ન થઈ ઉપહારમાં એક દિવ્યહાર આપ્યો. હવે બન્ને વચ્ચે ગાઢ મૈત્રી જામી. તેઓ રાત્રિના સમયે દેવકુલિકામાં રાતવાસો રહ્યા. અજકુમાર અર્ધજાગૃત અવસ્થામાં સૂતો હતો ત્યારે તેણે જ્યોતિ જોઈ. કૌતુકવશ અજાપુત્ર જ્યોતિની પાછળ પાછળ સંચર્યો. ઘણે દૂર જતાં જ્યોતિ અદશ્ય થઈ ગઈ. તે સમયે તે એક નગરમાં પ્રવેશી ચૂક્યો હતો. ત્યાંના નગરજનો અત્યંત દુઃખી અને નિરાશ હતાં. અજાપુત્રે કુતૂહલવશ રાજભવનના દ્વારપાળને તેનું કારણ પૂછ્યું. દ્વારપાળે કહ્યું કે, “હે મહાનુભવ! આ નગરનો રાજા થોડા દિવસ પૂર્વે શિકાર કરવા વનમાં ગયો હતો. તૃષાથી વ્યાકુળ રાજાએ માર્ગમાં એક સરોવરનું પાણી પીધું. સરોવરનું પાણી પીતાં જ રાજા મટીને વાઘ બન્યો. વાઘ નરભક્ષી હોવાથી તેણે ઘણાં માનવોનો સંહાર કર્યો. સુભટોએ અનેક પ્રયાસો પછી વાઘને જેમતેમ કરીને પાંજરામાં પૂર્યો. વળી, આ રાજાને કોઈ સંતાન ન હોવાથી રાજ્યનું સુચારુપણે સંચાલન કોણ કરે? તેથી ગ્રામજનો અત્યંત હતાશ બન્યા છે.” દયાળુ અજકુમારે અમૃતફળનું ચૂર્ણ બનાવી વાઘના મુખ પાસે મૂક્યું. તે ચાટતાં જ વાઘ પોતાના મૂળસ્વરૂપમાં આવ્યો. વાઘ મટી રાજા થયો. બને વચ્ચે ભાઈચારો બંધાયો. અજાપુત્ર રાજા સાથે તે સરોવર નિહાળવા આવ્યો. તેઓ સરોવર કાંઠે ઊભા હતા. અજાકુમાર સરોવરનું સૌંદર્ય જેવામાં મશગૂલ હતો. ઢાળ : ૨ સરોવરમાંથી અચાનક એક મોટો વિકરાળ હાથી પ્રકટ્યો. વાયુવેગે અજાપુત્રને સૂંઢથી ઉપાડી તે સરોવરમાં અદશ્ય થઈ ગયો. અજાપુત્રને બચાવવા રાજા પણ સરોવરમાં કૂદ્યો. રાજાએ સરોવરમાં અજાપુત્રને શોધતાં શોધતાં કાલિકાદેવીના મંદિરમાં પ્રવેશ કર્યો. રાજએ ત્યાં તપાસ કરી પણ અજકુમાર ન મળ્યો. રાજાને અજાપુત્રનો વિયોગ અસહ્ય થતાં તે મરવા માટે તૈયાર થયો. ત્યાં દેવીએ આકાશવાણી કરી. છ મહિના પછી તને તારો મિત્ર મળશે” રાજાને ધીરજ બંધાણી. થોડી વારમાં મંદિરમાં એક વ્યંતરદેવી પ્રવેશી. રાજાના સૌંદર્ય પાછળ તે પાગલ બની. રાજાને પણ તે સુંદરી પ્રત્યે પ્રીતિ જાગી. રાજા તે સર્વાંગસુંદરીના આવાસે રહ્યો. મિત્રનું દુઃખ આપોઆપ વિસરાઈ ગયું. કિવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ' * 85 Page #135 -------------------------------------------------------------------------- ________________ ચોપાઈઃ ૫ બીજી તરફ ગજ અજાપુત્રને સૂંઢમાં ઉપાડી દોડ્યો. તેણે વ્યંતરદેવના મહેલમાં તેને મૂક્યો. વ્યંતર દેવના ઈન્દ્ર અજાપુત્રનું અહીં આગમન શી રીતે થયું તે વૃત્તાંત જાણ્યો. ઈન્ડે સાહસિક પુરુષ જાણી અજાપુત્રની સારસંભાળ કરી. અજાપુત્રે એક વાર કુતૂહલવશ ઈન્દ્રને પૂછ્યું, “આ પૃથ્વીથી નીચે પણ કોઈ સ્થાન ખરું?” અજાપુત્રની જિજ્ઞાસાને સંતોષવા ઇન્દ્ર પ્રત્યુત્તર આપ્યો, “અહીંથી નીચે સાત પૃથ્વી છે, જે સાત નરકના નામે ઓળખાય છે.” પ્રસ્તુત ચોપાઈમાં કવિએ સાત નરકનું શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અનુસાર વિવેચન કર્યું છે. કડી-૧૧૬થી ૧૩૪ જેમાં ૭ નરક, તેની વિશેષતા, ત્યાંનું ભૌગોલિક વર્ણન, તેના પ્રત્તર, આયુષ્ય, નારકની અવગાહના અને સ્થિતિનું વિસ્તૃત વર્ણન છે. અહીં કવિની શાસ્ત્રોક્ત પંડિતાઈનાં દર્શન થાય છે. ઇન્દ્ર નરકનાં દુઃખોનું વર્ણન કરે છે. કૌતુકપ્રિય અજકુમારને નરકાવાસ જોવાની તીવ્ર ઉત્કંઠા ઉદ્દભવી. તે ઈન્દ્ર સાથે નરકમાં પ્રવેશ્યો. નરકના બીભત્સ, અતિ ભયંકર અને રૌદ્ર દુઃખો જોઈ તે મૂછિત થયો. દેવે તેને સચેતન કર્યો. દેવે બે સ્વરૂપ પરિવર્તન ગુટિકાઓ આપી. અજકુમાર દેવની સહાયતાથી સરોવરના કિનારે આવ્યો. ત્યાં રાજા ન દેખાયો. સુભટો પાસેથી રાજા વિષે જાણકારી મેળવી. તે રાજાને શોધવા સરોવરમાં પડ્યો. ત્યાં એક મગરના મુખમાં સપડાયો. મગર તેને અડધો ગળી ગયો. અજકુમાર મગરના મુખમાં અડધો બહાર અને અડધો અંદર સ્થિતિમાં રહ્યો. અજાપુત્રના કેડે બાંધેલું અમૃતફળનું ચૂર્ણ ઓગળ્યું, જે પાણી મગરના તેમ જ અજાપુત્રના મુખમાં ગયું. અજાપુત્ર વાઘ બન્યો. મગર પુરુષ બન્યો. મનુષ્યના મુખમાં અડધું વાઘનું શરીર એવું વિચિત્ર દશ્ય પ્રગટ થયું. સર્વાંગસુંદરીની દાસીએ આ જોયું. તેણે પોતાની શક્તિ વડે આ શરીર લઈ જઈ પોતાની સખી (રાણી)ને બતાવ્યું. તે વખતે રાજ ત્યાં હાજર હતો. તે વિસ્મય પામ્યો. રાજને દૈવીમંત્ર યાદ આવ્યો. તે મંત્રયુક્ત પાણી વાઘના શરીરે છાંટ્યું. અજાપુત્ર પશુ મટી માનવ બન્યો. રાજએ અજાપુત્રને ઓળખ્યો. બન્ને મિત્રો એકબીજાને ભેટ્યા. અજાપુત્ર, રાજા, મગર-નર ત્રણે નગરમાં જવા નીકળ્યા. ઢાળ: ૩ માર્ગમાં એક વાવમાં ઘણી દેવીઓ પોતાની સખીઓ સાથે કીડા કરી રહી હતી. તેમના વાર્તાલાપ પરથી અજકુમારે જણ્યું કે, અષ્ટપદ પર્વત પર ઈન્દ્રની હાજરીમાં એક મહોત્સવ (નાટક) છે, જેમાં દેવીઓ પણ 86 * જૈન રાસ વિમર્શ Page #136 -------------------------------------------------------------------------- ________________ જવાની છે. અજકુમારે તરત જ રૂપ પરિવર્તન કર્યું. દેવીઓએ જળક્રીડા કરી પૂજન માટે વાવમાં ઊગેલાં કમળો ઉખેડ્યાં. અજકુમાર કમળમાં ભ્રમર બની બેઠો. દેવીઓ પલકવારમાં વિમાનમાં બેસી અષ્ટાપદ પર્વત પર આવી. ત્યાં નાટ્ય મહોત્સવ શરૂ થયો. ત્યારે તુંબરુ (માદલ-એક વાદ્ય) આવ્યો ન હોવાથી અજાપુત્રે શીઘ્ર ભ્રમરનું રૂપ ત્યજી તુંબરુંનું રૂપ ધારણ કર્યું. અજાપુત્રે સંગીતની હેલી વરસાવી. ઇન્દ્રાદિ દેવો તુષ્યમાન થયા. તેમણે ઉપહારરૂપે અજાપુત્રને દિવ્યવસ્ત્રો અને હાર આપ્યાં. દેવોની સહાયતાથી અજાપુત્ર પુનઃ વાવ પાસે આવ્યો. ચોપાઈ : ૬ ત્રણે મિત્રો એક નગરમાં બહુબુદ્ધિ નામના વણિકને ત્યાં રહ્યા. અજાપુત્ર નખ કપાવવા હજામને ત્યાં ગયો. ત્યાં દિવ્યવસ્ત્ર ભૂલી ગયો. હજામે તે વસ્ત્ર વણિકને વેચ્યાં. વણિકે રાજાને આપ્યા. રાજા વસ્ત્ર પહેરી ઉદ્યાનમાં ફરવા આવ્યા. તે સમયે વણિકપુત્ર મતિસાર, અજાપુત્રે શેઠને આપેલો દિવ્યહાર પહેરી ફરવા નીકળ્યો. રાજાએ આ હાર જોયો. તેણે મતિસારને ચોર સમજી પકડીને જેલમાં પૂર્યો. પુત્રને છોડાવવા આવેલા શેઠે રાજાને કહ્યું, “મહારાજા! મારા ઘરે આવેલા પરદેશી મહેમાનનો આ દિવ્યહાર છે.’’ રાજાએ સેવકો દ્વારા અજાપુત્ર (મહેમાન)ને બોલાવ્યો. અજાપુત્રને રાજાએ હા૨ વિષે પૂછપરછ કરી. અજાપુત્રને આ હાર વાંદરા પાસેથી મળ્યો હતો. અજાપુત્રના મિત્ર કપિ-વાનરને ત્યાં બોલાવ્યો, જે સરોવરનું પાણી પીવાથી પુનઃ વાનર બન્યો હતો. અજાપુત્રએ દિવ્યચૂર્ણ વડે તેને મનુષ્ય બનાવ્યો. તેનું દેવકુમાર જેવું રૂપ જોઈ રાજકુમારી તેની તરફ ખેંચાઈ. વાનર-નરને પણ રાજકુમારી પ્રત્યે આકર્ષણ થયું. ઢાળ : ૪ પિ-નર રાજકુમારી પાસે જ રોકાયો. જેના પ્રત્યે પ્રીત હોય, તે ત્યાં જ રહે છે. તેના સંદર્ભમાં કવિ વિવિધ દૃષ્ટાંતો પ્રસ્તુત કરે છે. શિવજી સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે પરંતુ ગળામાં શેષનાગ ધારણ કરે છે, અંગે ભસ્મ ચોપડે છે. રુદ્રાક્ષની માળા ધારણ કરે છે, હાથમાં ડમરુ રાખે છે, છતાં ઉમાને અતિપ્રિય છે. વળી સાગર પૃથ્વી ૫૨, ચંદ્ર આકાશમાં જ વસે છે, કારણ કે તેમને તે સ્થાન અનહદ પ્રિય છે. આકાશમાં રહેલાં વાદળો વરસે છે ત્યારે ધરતી પર રહેલો મયૂર કેકારવ કરે છે. ચંદ્ર અતિ દૂર હોવા છતાં ચંદ્રની ચાંદની જોઈ મધુર સ્વરે ગુંજી ઊઠે છે. રઘુવંશી રામને પણ વાનરો પ્રત્યે અત્યંત પ્રીતિ હતી. જ્યાં દૃષ્ટિરાગ છે ત્યાં સાર-અસારનો વિવેક કવિ ઋષભદાસ કૃત ‘અજકુમાર રાસ’ * 87 Page #137 -------------------------------------------------------------------------- ________________ વિસરાય છે. તેના સંદર્ભમાં કવિ કહે છે : દૃષ્ટરાગે નર જે પડ્યા રે, ન લહે સાર અસાર; અમૃત છોડી વિષયી ઉરે, ન કરે તત્ત્વ વીચાર... ૧૯૫ ચોપાઈ : ૭ અજાપુત્રને નિર્દોષ સમજી રાજાએ છોડી મૂક્યો. હાર વિશે વધુ જાણકારી મેળવવા રાજાએ ભંડારીને બોલાવ્યો. ભંડારીએ તે હાર રાજકુમારીને આપ્યો હતો. રાજકુમારી સરોવરના કિનારે હાર મૂકી જળક્રીડા કરવા ગઈ ત્યારે વાનરે તે હાર ઉપાડી અજકુમારને આપ્યો હતો. રાજા પાસે રહેલા દિવ્યવસ્ત્ર વેપારીએ આપ્યા હતા. વેપારીને વણિકે અને વણિકને વાણંદ આપ્યા હતા. વાણંદને ત્યાં નખશુદ્ધિ માટે આવેલ પરદેશી અજાપુત્ર ભૂલી ગયો હતો. આ રીતે હાર અને દિવ્યવસ્ત્રના સાચા માલિકની જાણ થતાં રાજાએ અજાપુત્રની માફી માગી મુક્ત કર્યો. રાજા તે રાજ્ય આપવા તૈયાર થયો પરંતુ અપરિગ્રહી અને કૌતુકપ્રિય અજાપુત્ર ત્યાં ન રોકાયો. ઢાળ: પ મગર-નર સાથે અજકુમારે આગળ પ્રયાણ કર્યું. ત્યાં પુનઃ એક ચમત્કારિક ઘટના બની. એક હાથીએ મૂછિત પુરુષને સૂંઢમાં ઉપાડ્યો. હતો. અજકુમારને અનુકંપા આવી. તેણે એક લાડુમાં દિવ્યચૂર્ણ ભેળવી હાથીને ખવડાવ્યું. હાથી માનવ બન્યો. અજકુમારે અચેતન પુરુષને પાણી છાંટી સચેતન કર્યો. તેણે પોતાનો પૂર્વ પરિચય આપ્યો. “વિજયપુરના મહાન રાજાનો વિમલવાહન નામનો પુત્ર છું. મારી માતાનું નામ શ્રીમતી છે. એક દિવસ પટ્ટહસ્તી પર સવાર થઈ સહેલ કરવા નીકળ્યો ત્યારે અચાનક હાથી તોફાને ચડ્યો. તે દોડવા લાગ્યો. હું ગભરાઈને મૂછિત થયો. મને યોગ્ય ઉપચાર કરી તમે મારી સારવાર કરી છે. મારા. સ્વજનો, પત્ની, નગર ક્યાં છે? હું ક્યાં છું?” રાજકુમાર વિમલવાહન શોકાતુર થયો. અજકુમારે તેને વાત્સલ્યપૂર્વક માથે હાથ ફેરવી સાંત્વના આપી. રાજકુમાર માતા-પિતાના વિખૂટા પડવાથી ચિંતાતુર બન્યો હતો. દુહા : ૧૨. રાજકુમાર વિમલવાહન વિષાદના કારણે સુખેથી સૂઈ શકતો ન હતો. તેના સંદર્ભમાં કોણ સૂવે અને કોણ ન સૂવે? એ વિષયમાં કવિ કહે છે : “વલી વછોયા માનવી, નિંદ્રાનાસી જય; ન સુએ રાજ, રોગી, ચોર, અતિરણિલ, વરસાવે મોર.” 88 * જૈન રાસ વિમર્શ Page #138 -------------------------------------------------------------------------- ________________ જે માનવીને ભૂલી જવા મથીએ છતાં ન ભુલાય, યાદ કરીએ તો યાદ આવ્યા જ કરે (હૃદયમાં ન સમાય) તેવા માનવીનો વિયોગ થતાં ઊંઘ હરામ થઈ જાય છે. તે ઉપરાંત રાજા, રોગી, ચોર, દેવાદાર, વર્ષાઋતુમાં મોર અને શ્રીમંત આ છનો સ્વામી ઊંઘે નહીં. ચાતક પક્ષી, આતુર માનવી, ઘણો ધનવાન અને પુત્રહીન, બ્રહ્મા, કોયલ, વિયોગીનર અને ઉદાસ માણસને ઊંઘ ન આવે. રાજાનો પુત્ર, મૂર્ખ, હઠીલો, જોગી, અવધૂત, સમતાવાળા, બાળક અને જંજાળ વિનાનો સુખેથી સૂએ છે. રાજકુમાર વિમલવાહનને ઊંઘ ન આવી. તે જાગતો હતો. તેને પક્ષીઓની ભાષા અંગે જાણકારી હતી. તે ફરવા નીકળ્યો ત્યાં વૃક્ષ ઉપર પોપટ યુગલ વાતચીત કરી રહ્યાં હતાં. તેનો અવાજ સાંભળ્યો. માદા પોપટ કહ્યું. “તું આટલો સમય ક્યાં હતો? હું તારી નઠારી પ્રીતને જાણું છું. તું મને એકલી મૂકી ક્યાં ગયો હતો?” પ્રસંગોપાત્ત કવિએ પવનદેવ, અમરકુમાર, રાજા ભરથરી અને નેમકુમાર જેવા મહાપુરુષોનાં દૃષ્ટાંતો ટાંક્યાં છે; જેમણે વિકટ પરિસ્થિતિમાં સ્ત્રીસંગનો ત્યાગ કર્યો હતો. નર પોપટ આ વાત સાથે સંમત ન થયો. તેણે કહ્યું, “શું સીતાજીને મેળવવા રામચંદ્રજી લંકામાં ગયા ન હતા?” ઢાળ: ૬ પોપટે પોતાની આપવીતી આગળ કહી. “મને પારધીએ પકડ્યો, વિજયનગરના મહાસેન રાજાને વેચ્યો. રાજાએ મને સોનાના સુંદર પીંજરામાં પ્રીતિપૂર્વક રાખ્યો. મને વિવિધ શણગાર સજાવ્યા. રાજા નિત્ય મારી સાથે પ્રેમપૂર્વક આલાપ કરતા. મને અમૃતનો આહાર આપતા. સર્વ સુખ હોવા છતાં હે પ્રિયા! મને તારી યાદ ખૂબ સતાવતી હતી. મને તારા વિના ક્યાંય ગમતું ન હતું. મારી કાયા પીંજરામાં હતી. પરંતુ મારું મન તો તે ચોર્યું હતું. ચોપાઈઃ ૮ હે પ્રિયે! એક એક દિવસ એક વર્ષ જેટલો મોટો લાગતો હતો. હું તારા વિયોગે વ્યાકુળ બન્યો હતો. એવામાં રાજ્ય પર એક અણધારી આફત આવી પડી. મદોન્મત્ત હાથી વિફર્યો. તે રાજકુમારને લઈ જંગલમાં દોડ્યો. ચારેબાજુ સેવકો રાજકુમારને શોધવા દોડ્યા, પરંતુ કોઈ સમાચાર ન મળ્યા. રાજાના હૃદયને ભયંકર ધક્કો લાગ્યો. તેઓ સૂનમૂન બન્યા. રાજ્યની ચિંતા છોડી દીધી. આ પરિસ્થિતિનો લાભ લઈ પડોશી શત્રુ રાજાએ કવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ' *89 Page #139 -------------------------------------------------------------------------- ________________ વિજયપુર નગરને ચારે બાજુથી ઘેરી લીધું. પ્રજાજનો હતપ્રભ બન્યા. સમજુ મંત્રીએ રાજાને જેમતેમ કરી સમજાવ્યા. અંતે રાજા યુદ્ધ કરવા તૈયાર થયા.” પ્રસ્તુત ચોપાઈમાં સમજુ અને ડાહ્યા મંત્રીએ રાજાને કઈ રીતે સમજાવી યુદ્ધ માટે તૈયાર કર્યા તે પ્રસંગમાં કવિએ વીરરસનું નિરૂપણ કર્યું છે. કડી ર૬૦થી ૨૬૪ સુધીમાં શાણા મંત્રીએ રાજાનું સૂતેલું પૌરુષત્વ જગાડયું છે. તે પ્રસંગ અતિ રોચક છે. ઢાળ: ૭ “મહાસેન રાજાએ શત્રુ સૈન્ય સાથે શૂરવીરતાથી યુદ્ધ કર્યું પરંતુ પટ્ટહસ્તીની સહાય વિના તેઓ પરાજિત થયા. આ સમાચાર સાંભળી મંત્રીએ નગરનાં દ્વાર બંધ કરાવ્યાં. રાજાનું મૃત્યુ થયું. રાણી કરુણ કલ્પાંત કરવા લાગી.” પ્રસ્તુત ઢાળમાં કરુણરસ પૂરે છે. “આગલે વીમલવાહન ગીલ, ગઉ હસ્તી અંત રે; કિંથરે કોણ વેલા તુઝ મરણની એ...૨૬૭ કંતા તુઝ વિણ કામની, કેમ નગરીનિ રાખશે રે...ર૬૮ હે પ્રિયે! મારી રાજા વિના કોણ સારવાર કરશે? એવા વિચારે રાણીએ મને પાંજરામાંથી મુક્ત કર્યો. ત્યાંથી નીકળી હું ભૂખ્યો ને તરસ્યો શીઘે તારી પાસે જ આવ્યો છું.” | ચોપાઈ : ૯ રાજકુમાર વિમલવાહને પોપટ યુગલના મુખેથી પોતાના પિતાના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળ્યા. તેને આઘાત લાગ્યો. તે મૂછિત થયો. અજાપુત્રે તેને પાણી છાંટી સચેતન કર્યું. ત્યાર પછી રાજકુમારે સર્વ હકીકત અજાપુત્રને કહી. અજાપુત્રે રાજકુમારને સાંત્વના આપી કહ્યું, “વિમલવાહન! શત્રુ પાસેથી તારું રાજ્ય પાછું મેળવી આપીશ. તું નાસીપાસ ન થા.” વિમલવાહન રાજકુમારનું નામ સાંભળી પોપટ તરત જ ત્યાં આવ્યો. તેણે માતાની દુઃખદ સ્થિતિ પણ જણાવી, તેમ જ જલદીથી માતાને મળવાનું સૂચન કર્યું. અજાપુત્રના કહેવાથી રાજકુમારે એક પત્ર લખી પોતાની કુશળતાના સમાચાર મોકલ્યા. ઢાળ: ૮ પોપટે વિજયનગર પહોંચી મંત્રીના હાથમાં પત્ર આપ્યો. રાજકુમારના સુખદ સમાચાર સાંભળી નગરજનો, સુભટો, મંત્રી અને રાજમાતા બેહદ ખુશ થયાં. તેમણે નગરમાં પડહ વગડાવ્યો કે, “રાજકુમાર 90 જૈન ચસ વિમર્શ Page #140 -------------------------------------------------------------------------- ________________ વિમલવાહન જીવંત છે. તે ટૂંક સમયમાં નગરમાં આવશે.” શત્રુ રાજાએ આ વાતને હસીને ઉડાવી દીધી. શું મૃત્યુ પામેલા કદી જીવંત થાય ખરા? ચોપાઈ : ૧૦ અજાપુત્રે વિજયનગરમાં પ્રવેશવા ગુટિકાના પ્રભાવે વિશાળ ભારંડપક્ષીનું રૂપ ધારણ કર્યું. વિશાળ કાયા બનાવી, સૌને પાંખ પર બેસાડી વિદ્યુતવેગે તેઓ ઊડીને નગરમાં પ્રવેશ્યા. વિજયપુરમાં આગમન થતાં જ રાજકુમાર સૌ પ્રથમ પોતાની માતાને મળ્યો. માતાએ પુત્રને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા. રાજકુમારને જોઈ શત્રુ રાજા દિમૂઢ બન્યો. રાજકુમાર વિમલવાહને તેને યુદ્ધ કરવા માટે લલકાર્યો. અજાપુગે યુદ્ધ માટે હાથીમાંથી નર બનેલાને સરોવરમાં પાણી પીવડાવી ફરી હાથી બનાવ્યો. તે હાથી પર બેસી રાજકુમારે શત્રુ રાજ સાથે યુદ્ધ કર્યું. શત્રુ પક્ષના જાનવરો જ્યારે પાણી પીવા આવ્યા ત્યારે તે પાણીમાં અજકુમારે દિવ્ય ચૂર્ણ ભેળવ્યું. તે પશુઓ માનવમાં પરિવર્તિત થયા. દિવ્ય ઔષધિના પ્રભાવે સર્વ માનવોએ અજકુમારનું આધિપત્ય સ્વીકાર્યું. બન્ને પક્ષે ઘમાસાણ યુદ્ધ થયું. કવિએ અહીં યુદ્ધનું આબેહૂબ વર્ણન કર્યું છે. ગજ સાથે તો ગજ આથડે, રથ સહામાં રથ રણ લડે; પાલે પાલા વલગે બાથ, આઉધ ઉછલે નિજ હાથ...૩૧૦ તરૂઆરે રણ તાલી પડે, સુરાને તન સુરાતન ચડે. અંતે શત્રુપક્ષની હાર થઈ. રાજકુમાર વિમલવાહનનો રાજ્યાભિષેક થયો. તેણે અજાપુત્રનું અભિવાદન કર્યું. અજાપુને એક લાખ સૈનિકો સાથે પોતાના વતન તરફ પ્રયાણ કર્યું. કવિ હવે ચંદ્રપીડ રાજાની વાત કહે છે. ઢાળઃ ૯ જીવનની સંધ્યાએ ચંદ્રપીડ રાજાએ નિમિત્તકને બોલાવ્યો. નિમિત્તકે કહ્યું, “જે પુરષ લાખ સૈનિકોની સાથે અહીં આવશે તે તને મારીને રાજા થશે.” ચંદ્રપીડ રાજાનો પ્રધાન જેને રાજા સાથે અણબનાવ થવાથી દેશ છોડી ચાલ્યો ગયો હતો, તે અજાપુત્રને મળ્યો. તેણે અજાપુત્રને મદદ કરવાનું વચન આપ્યું. અજાપુત્રે તેને લશ્કરનો સેનાપતિ બનાવ્યો. અજાપુત્ર જ્યારે ચંદ્રાનન શહેરની નજીક પહોંચ્યો ત્યારે તેણે મંત્રીને વેશપલટો કરી નગરચર્યા કરવા મોકલ્યો. મંત્રીએ નગરના મુખ્યમંત્રી અને સુભટોને પોતાના પક્ષમાં લીધા. હવે અજાપુત્રનો પક્ષ મજબૂત બન્યો. બન્ને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. બળહીન ચંદ્રાનન રાજા સમરાંગણ છોડી નાઠો. તેનું નાક અને માથું કપાયું. કાયર, ચંદ્રાનન રાજાનું મુખ કાળું થયું. તે સંદર્ભમાં કાળા મુખવાળા કવિ ઋષભદાસ કૃત “અજકુમાર રસ +91 Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓ વિશે કવિ કડી-૩૩૭માં કહે છે. માખી, માંકડ શ્યામ હોય છે. કાળું મુખ કરવાથી સુભટ લાજે છે. ચાડિયા પુરુષનું મુખ શ્યામ હોય છે. જેમ કોયલ પક્ષી શ્યામ હોય છે, તેમ ગુલામડી પણ કાળી હોય છે.” ઢાળ : ૧૦ જેવો ચંદ્રપીડ રાજ નાઠો તેવો જ અજાકુમારે દોડીને તેને પકડ્યો. તેનો શિરચ્છેદ કર્યો. નગરજનોએ અને મંત્રીએ અજાપુત્રનો રાજ્યાભિષેક કર્યો. અજકુમારની કીર્તિ ચોતરફ પ્રસરી ગઈ. અજાપુત્ર ન્યાયપ્રિય, પ્રજાવત્સલ અને ધર્મપ્રિય રાજ હતો. તેણે અનેક ધાર્મિક કાર્યો કર્યા. ચોપાઈ : ૧૧ એક દિવસ અજકુમારને ઉદ્યાનમાં ફરતાં કેટલાંક શબ્દો કાને પડ્યા. “હે હંસ! તારી હંસતાને ધિક્કાર છે. જે તું તારી માતાના દર્શન કર્યા વિના ભોજન કરે.” અજાપુત્રએ તે જ સમયે નિશ્ચય કર્યો કે, જ્યાં સુધી માતા ન મળે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવો.” માતાને શોધવાની સેવકોને અનુજ્ઞા કરતાં કહ્યું કે, “કિલ્લાની દક્ષિણ દિશામાં વાગભટ્ટ નામનો એક પશુપાલક રહે છે તેને શોધી કાઢો.” સેવકોએ તપાસ આદરી. તેમણે જાણ્યું કે, “ વાભટ્ટ પશુપાલકને કોઈ સંતાન ન હતું. તેને નવજાત શિશુરૂપે એક બાળક રસ્તામાંથી મળ્યું હતું. તે બાળક પણ ઘણા સમયથી અહીં નથી. પુણ્ય વિના પુત્ર પણ ક્યાંથી ઘરમાં રહે?’ અજાપુત્રએ રાજ્યમાં ઘોષણા કરાવી કે, “જે મારી માતા વિષે સમાચાર આપશે તેને ઈનામથી વિભૂષિત કરવામાં આવશે.” અહીં કવિએ પ્રસંગને અનુલક્ષીને માતા-પિતાની બહુમૂલ્યતા અને તેમની ઉપકારિતાને કડી ૩૫૬ થી ૩૫૮માં વર્ણવી છે. જે વર્તમાનકાળે ઘરડાં માબાપ પ્રત્યે થતી ઉપેક્ષાભાવને નાબૂદ કરવા, યુવાન પેઢીને તેમનાં કર્તવ્યો પ્રત્યે સજાગ કરે છે. કવિએ અહીં માતૃભક્તિ દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો અને વડીલો પ્રત્યેનો વિનય પ્રદર્શિત કર્યો છે. આ ઘોષણા સાંભળી એક રોગીષ્ટ સ્ત્રી જેને શ્વાસ, ખાંસી, ખસ, ગડગૂમડ, ખરજવું, કર્ણશૂલ, જેવા ઘણા રોગ હતા. તે ત્યાં આવી. તે પરુની ગંધથી ગંધાતી હતી. તેણે કહ્યું, “હે રાજન!! જો તું મને રોગમુક્ત કરે તો હું તારી માતા સાથે મિલન કરાવીશ.” રાજાએ નિયમ કર્યો કે, જ્યાં સુધી વૃદ્ધાને રોગમુક્ત ન કરું ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું છું.” 92 * જૈન રાસ વિમર્શ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગોપાત કવિ કહે છે કે, ઉત્તમ પુરુષોનું વચન અખંડ હોય છે. પટોળામાં પડેલ ભાત-ડિઝાઈન ક્યારેય જતી નથી પણ કદાચ તે ભાતનો નાશ થાય તોપણ હું મારા પરાક્રમી વચનને નહીં છોડું; એવું કહી અજાપુત્ર પોતાની નિયમ પ્રત્યેની દૃઢતા દર્શાવે છે. વૃદ્ધા અજાપુત્રની માતા ગંગાને લઈ આવી. પુત્રને જેઈ ગંગાનું માતૃત્વ ખીલી ઊઠ્યું. તે પુત્રને જોઈ અત્યંત પુલકિત થઈ. તેના સ્તનમાંથી માતા દેવાનંદાની જેમ દૂધ ઝર્યું. અજાપુત્રએ હર્ષિત થઈ માતાને પ્રણામ કર્યાં. માતાપુત્રનો લાંબા કાળ પછી મિલાપ થયો. પોતાના પિતા હવે આ સંસારમાં નથી તે જાણી અજાપુત્રને ખેદ થયો. ત્યાર પછી તેણે માતાને પૂછ્યું કે, “હે માતા! તેં કયા કારણથી તારા પુત્રને તારાથી અળગો કર્યો હતો?’’ માતાએ સર્વ સત્ય હકીકત જણાવી. અજાપુત્ર માતાને સ્વમાનભેર રાજભવનમાં લઈ ગયો. ઢાળ : ૧૧ અજકુમારને માતા મળી ગઈ પરંતુ જ્યાં સુધી વૃદ્ધા નીરોગી ન બને ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. અજાપુત્રે વૃદ્ધાનો ઇલાજ શરૂ કર્યો. અનેક વૈદ્યો આવ્યા પરંતુ કોઈ રોગ દૂર ન કરી શક્યા. અંતે એક પ્રૌઢવયના વૈદ્ય આવ્યા. તેમણે કહ્યું, “બકરીના દૂધથી પોષાયેલા પુરુષની જીભના ટેરવામાં અમૃત હોવાથી તેના ટેરવાનું માંસ મળે તો આ વૃદ્ધા નીરોગી બની શકે.” પરોપકારી અજાપુત્રને યાદ આવ્યું કે, એવો પુરુષ તો હું પોતે જ છું. મારી જીભના માંસ વડે વૃદ્ધાને નીરોગી કરું.' એવું વિચારી પરોપકારી અજાપુત્ર કટારી કાઢી જિહ્વા કાપવા ગયો – ત્યાં વૃદ્ધા દેવાંગના બની ગઈ. કવિએ અહીં પ્રસંગોપાત કહ્યું છે કેઃ મનરંજિત કરવા કોયલ ટહુકે છે. મોર કળા કરે છે. હંસ લહેકાથી ચાલે છે. મૃગની આંખમાં, સિંહની કેડમાં અને આમ્રફળમાં અમૃત ભર્યું છે. અર્થાત્ ત્રણે વસ્તુથી આનંદ મળે છે. કલ્પવૃક્ષ જગતમાં ઉપકાર કરવા માટે જ અવતરે છે. નીલચાસ પક્ષીનાં દર્શન શુકન શાસ્ત્રમાં શુભ ગણાય છે. હાથીના કુંભસ્થળમાં મોતી હોય છે; તેમ પરોપકાર કરનારા સજ્જન પુરુષ બીજા માટે જ જીવે છે. નિર્ગુણ પુરુષનું જીવિત નકામું છે. ચોપાઈ : ૧૨ વૃદ્ધા (દેવાંગના) અજાપુત્રના સત્ત્વની પરીક્ષા કરવા આવી હતી. તે ચંદ્રાનના નગરીની અધિષ્ઠાયિકા દેવી હતી. અજાપુત્રને આશીર્વાદ આપી ચાલી ગઈ. કવિ ઋષભદાસ કૃત ‘અજકુમાર રાસ’ * 93 Page #143 -------------------------------------------------------------------------- ________________ એક વાર નગરમાં જેન સંત પૂ. આ. સમંતભદ્રસૂરિ પધાર્યા. તેમની પાસેથી અજકુમારે સ્વર્ગ અને નરકની વાતો જાણી. કવિએ પ્રસંગોપાત્ત ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવો વિષે ખૂબ વિશદતાપૂર્વક આલેખન કર્યું છે. વૈમાનિક દેવલોકની ઉપર લોકના અંતે સિદ્ધશિલા છે, જ્યાં સિદ્ધ ભગવંત વિદ્યમાન છે. તેઓ આ લોકને અડીને રહેલા છે. જૈનમુનિની તત્ત્વસભર વાતો સાંભળી અજાપુત્રને જિનવાણી પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તેણે શુદ્ધ સમકિત પ્રાપ્ત કર્યું. ચોપાઈ : ૧૩ કારણ પડવા છતાં જે પોતાની શ્રદ્ધામાં અચલ રહે છે તેનું સમકિત અખંડ રહે છે. તેના સંદર્ભમાં મુનિએ આરામનંદની કથા કહી. આરામનંદ નામના શ્રમણોપાસકને બહુ વર્ષો પછી પુત્ર પ્રાપ્ત થયો. તે પુત્ર અત્યંત લાડકો હતો. તેને રોગ થયો. લોકોએ કહ્યું, “યક્ષની પૂજા કરવાથી અસાધ્ય રોગ પણ દૂર થઈ જાય છે.” આરામનંદ દઢ સમકિતી હતો. તેણે કહ્યું, લૌકિક દેવ અને લૌકિક ગુરુને જગતમાં લોકોત્તર દેવ કે લોકોત્તર ગુરુ માનીને ન પૂજાય કે ન ત્યાં જવાય તો યક્ષની પૂજા હું શી રીતે કરું?” પુત્રની વેદના વધતી ગઈ. પૂજારીએ આરામનંદને કહ્યું, તમે ભલે નમન ન કરો પરંતુ માનતા માનો.” તત્ત્વજ્ઞ આરામનંદે કહ્યું, “મારા નસીબમાં જો પુત્રસુખ હશે તો તેને ઊની આંચ પણ નહીં આવે. અતિ મૂલ્યવાન સમકિત રત્નને હું કોઈ પણ સ્થિતિમાં નહીં ખોઈશ. પુત્ર, પરિવાર તો મેં અનંત જન્મોમાં અનંતીવાર મેળવ્યા છે. દઢધર્મીને સમકિત શિવપુરીમાં લઈ જાય છે. વળી, સમકિત વિના મોક્ષનાં શાશ્વત સુખ પ્રાપ્ત ન થાય. આવું અમૂલ્ય સમકિત હું કોઈ પણ રીતે ખોવા માંગતો નથી.” ચોપાઈઃ ૧૪ દેવો આ વચનથી હર્ષિત થયા. આરામનંદ શ્રમણોપાસકની જેમ અજાપુત્ર પણ દઢ સમકિતી બને તે કારણે જૈનમુનિએ આ દjત-કથા બોધરૂપે કહી. મુનિના વચનોથી દઢ સમકિતની સુરક્ષા કરવા અજાપુત્ર દેશવિરતિ – બાવ્રતધારી શ્રાવક બન્યા. ઢાળ: ૧૨ એક વાર નગરમાં હંસસૂરિ મહારાજ આવ્યા. નગરજનો તથા પરિવાર સહિત રાજા ગુરુને વંદન કરવા ગયા. તેમણે ધર્મનું શુદ્ધ સ્વરૂપ જણાવ્યું. અજાપુત્રએ નમ્રતાપૂર્વક હાથ જોડી આચાર્યને બે પ્રશ્નો પૂછ્યા. (૧) હું કયા કર્મથી રાજા બન્યો? (૨) કયા કર્મથી માતા-પિતાથી ત્યજાયો? ચોપાઈ : ૧૫. અજાપુત્ર પોતાનો પૂર્વ ભવ સાંભળે છે. પૂર્વે બુદ્ધિનિધાન 94 * જૈન ચસ વિમર્શ Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રધાનની પુત્રી સાથે તે વિવાહ કર્યા હતા. તે ગર્ભવતી થઈ. ઘણી રાણીઓ. હોવાથી તેને ભૂલી ગયો. તેને કુલટા જાણી ઘરમાંથી કાઢી મૂકી. તે વનમાં રખડતી ભટકવા લાગી. કવિ પ્રસંગોપાત્ત કહે છે : કોઈના દિવસો એકસરખા પસાર થતા નથી. ક્યારેક ચડતી હોય તો ક્યારેક પડતી હોય છે. પાંડવો વનમાં ભમ્યા, વાનરે લંકા લૂંટી, દ્રોપદીનાં ચીર ખેંચાયા. કર્મ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે, તેમ પ્રધાનપુત્રીને રાજમહેલ છોડી વનમાં ભટકવું પડ્યું. ઢાળ : ૧૩ કર્મની ગતિ ગહન છે. કર્મનાં ફળ અવશ્ય ભોગવવાં પડે છે. ગજસુકુમાર મુનિ, સુકોશલમુનિ, મેતાર્ય મુનિ, હરિકેશી મુનિ, સતી કલાવતી, અરણિક મુનિ, નંદિષેણ મુનિ , મૃગાવતી, સુરસુંદરી અને દ્રોપદીને પણ કર્મ છોડ્યાં નથી. કર્મની જાળમાંથી કોઈ પ્રાણી છૂટી શકતાં નથી. | ચોપાઈ : ૧૬ પ્રધાનપુત્રી પિયર પહોંચી પરંતુ ત્યાંથી પણ જાકારો મળ્યો. તે જંગલમાં ગઈ. ત્યાં એક રાજા આવ્યો. તેણે રડતી સ્ત્રીને જોઈ તેનું કારણ પૂછ્યું. સ્ત્રીએ પોતાની આપવીતી કહી. સંશય હોવાથી રાજાએ જ્ઞાની ગુરુને પૂછ્યું કે, “આ સ્ત્રી સતી છે કે અસતી?” ગુરુએ કહ્યું, “હે રાજનુ! આ સ્ત્રી સતી છે. તેના સંદર્ભમાં કવિએ જૈનધર્મની મહાસતીઓના નામનો ઉલ્લેખ કર્યો છે. ચોપાઈ : ૧૭ અજાપુત્રએ પૂર્વના ભવમાં પોતાની નિર્દોષ પત્નીનો ત્યાગ કર્યો હતો તેથી વર્તમાન ભવમાં તેના માતાપિતાએ અજાપુત્રનો ત્યાગ કર્યો હતો. અજાપુત્રએ નિર્ણય કર્યો કે, “સાચું કારણ જાણ્યા વિના ક્રોધ ન કરવો.” જ્ઞાની ગુરુએ કહ્યું, “તું ચંદ્રપ્રભ જિનના સમયમાં દત્ત નામનો તેમનો પ્રથમ ગણધર બનીશ. તું તે જ ભવમાં શિવપદ મેળવીશ.” ગુરુ ભગવંતનાં વચનો સાંભળી અજાપુત્રના હરખનો કોઈ પાર ન રહ્યો. તેમણે શિવરમણીને વરવા સંયમ સ્વીકાર્યો. પંચમહાવ્રતનું સભ્યપણે પાલન કરી તે બારમા દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી તે માનવ થયો. હવે દત્ત ગણધર બન્યા તે ભવનું કવિ વર્ણન કરે છે. ચંદ્રાનન નગરીના મહાસેન રાજા અને લક્ષણારાણીને ત્યાં એક પુત્ર અવતર્યો. માતાએ ગર્ભકાળમાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. કવિએ ચૌદ સ્વપ્ન વર્ણવ્યાં છે. ચોપાઈ : ૧૮ તીર્થંકરનો જન્મ થતાં પ૬ દિગ્ગકુમારીઓ આવી. તેમણે કિવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ' * 95 Page #145 -------------------------------------------------------------------------- ________________ સૂતિકર્મ કર્યું. ઉદયાચલના સૂર્ય જેવી તેજસ્વી આભા અને કાંતિ જોઈ બાળકનું નામ ચંદ્રપ્રભ પડ્યું. યુવાન વયે લગ્ન થયાં. તેમણે રાજ્યની ધુરા કુશળતાપૂર્વક સંભાળી. ઢાળ : ૧૫ ચંદ્રપ્રભ રાજા કુશળ રાજનીતિજ્ઞ હતો. તેના રાજ્યમાં દંડ, કર કે બંધન ન હતા. | ચોપાઈ : ૧૯ ન્યાયસંપન્ન ચંદ્રપ્રભ રાજાએ ઘણો કાળ સુખમાં વિતાવ્યો. અંતે સમય થતાં લોકાંતિક દેવોએ ધર્મપ્રવર્તાવવાની આજ્ઞા કરી પોતાનું કર્તવ્યપાલન કર્યું. ચંદ્રપ્રભ રાજાએ એક વર્ષ સુધી સંવત્સર દાન આપ્યું. ઢાળઃ ૧૬ ચંદ્રપ્રભ મુનિ બન્યા. તેમણે સંયમ સ્વીકાર્યો. સ્વજન, સંપત્તિ, ઘરબારનો ત્યાગ કર્યો. દુહા : ૩૧ ચંદ્રપ્રભ મુનિએ ઘાતી કર્મોનો ક્ષય કર્યો. તેમને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રગટ્યું. દેવોએ સમવસરણની રચના કરી. ચંદ્રપ્રભ સ્વામીની દેશના સાંભળી અજાપુત્રનો આત્મા પ્રતિબોધ પામ્યો. તેણે સંયમ સ્વીકાર્યો. વિશિષ્ટ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં તે ગણધર બન્યા. અજકુમારના આત્માએ દત્ત ગણધર બની કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ચોપાઈઃ ૨૦ કવિએ રાસપૂર્ણાહુતિના પ્રસંગે અંતિમ મંગલાચરણ કર્યું છે. જેમાં વિજયસેનસૂરિ તથા પૂર્વકાલીન શ્રેષ્ઠ કવિઓને ખવ્યા છે. આ રાસકૃતિ ઈ.૧૬૭૦, ચૈત્ર સુદ-૨, ખંભાતમાં ગુરુવારે, પ્રાવંશના વડેરા સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ દ્વારા રચાઈ છે. મધ્યકાલીન યુગમાં આવી ચમત્કારોથી ભરપૂર કૃતિઓનું સર્જન થતું હતું. 96 * જૈન રાસ વિમર્શ Page #146 -------------------------------------------------------------------------- ________________ અદ્દભુત રસની અનુપમ કથાઃ અંબડ રાસ ડૉ. અભય દોશી આગમગચ્છના બિડાલંબીશાખાના મંગલમાણિક્ય મુનિની સં.૧૬૮૩માં રચાયેલી “અંબડરાસ” રચના મધ્યકાલીન સાહિત્યમાં તેની અનુપમ અદ્ભુત કથા – ઉપકથાઓના સંકુલ આલેખનથી એક વિશિષ્ટ કૃતિ તરીકે ધ્યાન ખેંચે છે. મધ્યકાળની અનેક કથાઓમાં અસંભાવ્ય ઘટનાઓનું આલેખન થયેલું જોવા મળે છે. પરંતુ, આ આલેખનોમાં અનેક સંકુલતા અને મનોહરતાને લીધે “અંબડરાસ' તરત ધ્યાન ખેંચે છે. અર્વાચીન સાહિત્યમાં નવપ્રસ્થાન કરનારા બ. ક. ઠાકોરનું પણ આ રાસરચના પ્રત્યે ધ્યાન ખેંચાયું હતું, એટલું જ નહિ, અનેક વ્યસ્તતાઓની વચ્ચે તેમણે આનું સંપાદન પણ કર્યું હતું. અદૂભુત કથાનું નામ આવે એટલે વિક્રમરાજા અને એ સાથે સંકળાયેલી અનેક કથાઓ તરત જ સ્મરણે ચઢે. એમાંય સિંહાસનબત્રીસીની કથા તો સવિશેષ ધ્યાન ખેંચે. આ સિંહાસનબત્રીસીમાં આ બત્રીસ પૂતળીઓ ક્યાંથી આવી તેની કથા આ સંબડ-કથા આપણને જણાવે છે. કથાનો પ્રારંભ પંચપરમેષ્ઠિને વંદન કરવાથી થયો છે એ સામે જ સૂચક રીતે ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ), સરસ્વતીદેવી, 3ૐ કાર આદિને પ્રણામ કરી અંબડકથા કહેવાનો પ્રારંભ કરે છે. સામાન્ય રીતે રાસ ખંડ કે અધિકારમાં વિભક્ત હોય છે, પરંતુ આ રાસ આદેશમાં વહેંચાયેલો છે. “આદેશ” એવા વિશિષ્ટ કથાભાગ કરવા પાછળનો હેતુ એ છે કે, અંબડ ગોરખયોગિનીએ સૂચવેલા સાત આદેશોની પૂર્તિ કરે તે આ કથાનો મુખ્ય વિષય છે. આ વિષય અનુસાર એક આદેશની પૂર્તિને સમાવતી કથા તે એક આદેશ, આ રીતે કથા વિસ્તરતી જાય છે. કુલ ૨૨૨૫ કૃતિઓમાં ફેલાયેલી આ કૃતિ પ્રમાણમાં મોટી કહી શકાય એવી રાસકૃતિ છે. વળી, પ્રત્યેક ભાગમાં કથા-ઉપકથાઓના ગુચ્છની સંખ્યા પણ ઘણી મોટી છે. કથાનો પ્રારંભ અથવા કથાપીઠ અંબાડપુત્ર કરબકની કથાથી થાય છે. નિર્ધન થયેલો કુરબક વાસપુરી નગરીના વિક્રમસિંહ નામના રાજાને ત્યાં પહોંચ્યો. તેણે કહ્યું, “ધનગિરિ પર ગોરખયોગિનીના નિવાસસ્થાને ધ્યાન અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ રાસ 97 Page #147 -------------------------------------------------------------------------- ________________ કુંડલિકા નીચે ધનભંડાર છે.'' આ વાત કેવી રીતે ખબર પડી. પૂછતાં તેણે કહ્યું, “હું અંબડ ક્ષત્રિયનો કુરબક નામનો પુત્ર છું. મારા પિતાએ ગોરખયોગિનીની મદદથી ધન પ્રાપ્ત કર્યું હતું.” એમ કહી તેણે પિતાનો જીવનવૃત્તાંત કહેવાનો પ્રારંભ કર્યો. અંબડ અત્યંત નિર્ધન હતો. વળી અનેક પ્રયત્નો કરવા છતાં પણ ધન પ્રાપ્ત થયું નહિ. અંતે તે ધનિગિર પર્વત ૫૨ રહેનારી ગોરખયોગિની પાસે ધનપ્રાપ્તિનો ઉપાય પૂછ્યો. યોગિનીએ સાહસ કરી સાત વસ્તુઓ લાવવાનો હુકમ (આદેશ) કર્યો. ગોરખયોગિનીએ પ્રથમ આદેશમાં પૂર્વ દિશામાં આવેલ ગુણવર્ધનવાડીમાંથી શતશર્કરાનું ફળ લાવવા કહ્યું. આદેશ અનુસાર પૂર્વદિશામાં ચાલતા અંબડે કમંડલ નગરના સરોવર પાસે એક આશ્ચર્ય જોયું. પુરુષો માથા પર ઘડો મૂકી પાણી લાવી રહ્યા હતા અને સ્ત્રીઓ ઘોડા ૫૨ સવાર થઈને ફરતી હતી. સરોવરનું વર્ણન કવિસુંદર રીતે કરે છે. આગäિ સર આવિઉં, જલભર પચવર્ણ કમલઆરિ, બાંધઉં પંચવર્ણ ગિરિશિલા, અમૃતકુંડ કિરિ આવિઉં ઇલ્લા’ ચક્ર હંસ સારસ શિખિ ચાપ, શુક પિક બક સાલી કાક, ચકોર ઢીક ચાતુક પારેવ ટિટ્ટભ આદિ કરઈ જલસેવ.’ આ સરોવ૨ જળથી ભરેલું, પંચવર્ણ કમળોથી અવાયેલું, પાંચવર્ણ ગિરિશિલાઓથી બંધાયેલું, અમૃતકુંડ સમાન સરોવર હતું. ચક્રવાક, હંસ, સારસ, મોર, ચાષ, પોપટ, બગલા, મેના, કાગડા, ચકોર, ચાતક, પારેવા, ટિટોડીયા આદિ પાણી પી રહ્યા હતા, જળમાં ક્રીડા આદિ કરી રહ્યા હતા. આ સરોવરને કિનારે આ વસ્તુનું રહસ્ય જાણવાની અંબડને ઇચ્છા થઈ તેથી તે જણાવવા એક વૃદ્ધા અંબડને પોતાના ઘેર લઈ ગઈ. વૃદ્ધાના ઘરના પ્રાંગણમાં એક સુંદર કન્યા. સૂર્ય, ચંદ્ર, મંગળ, રાહુ આ ચાર ગ્રહોને દડાની જેમ રમાડતી હતી. આ કન્યાનું નામ ચંદ્રાવલી હતું. ચંદ્રાવલીએ એવી શરત કરી કે જેના હાથમાંથી દડો ઉછાળતાં જેના હાથમાંથી દડો પડે તે બીજાનાં ચરણોની સેવા કરે. ચંદ્રાવલી આ ગ્રહોરૂપી દડા એક પછી એક ઉછાળવા લાગી. આ વાતને કવિ અત્યંત કાવ્યાત્મક રીતે વર્ણવે છે. 98 * જૈન રાસવિમર્શ Page #148 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રાવલી ચતુરલેઈ, યદા, ઉલાલ(ળ)ઈ રવિઠંદુક સદા, થાઈ દિવસ ઉલાળતલ, ઈ, ચંદમંડલ તવ થાઈ નિશિર્વાદ.” કુશળ એવી ચંદ્રાવલીએ આ ચાર ગ્રહોને અત્યંત ચાતુરીથી રમાડ્યા. કવિ કહે છે કે સ્ત્રી-ચારિત્ર્યનો પાર કોણ પામી શકે? ત્યાર બાદ, ચંદ્રાવલીએ આ દડાઓ અંબડને આપ્યા. સૂર્ય નજીક આવતા જ અંબડ બેભાન થઈ સૂર્યબિંબમાં પડ્યો. એટલે ચંદ્રાવલીએ અંબડ સહિત સૂર્યબિંબ સ્થિર કરી દીધું. આ સમયે સૂર્યપુત્ર – સૂર્યના સારથિને દયા આવી એટલે નાગડ અમૃત લેવા રોહિણીના ઘરે ગયો. પણ ચંદ્ર ચંદ્રાવલીના ઘરે હોવાનું જણાવ્યું. એટલે નાગડ ચંદ્રાવલી પાસે પહોંચ્યો, એટલે ચંદ્રાવલીએ તેને નાગપાશથી બાંધી લીધો. આ બાજુ, નાગડની બહેન નાગડને શોધતી ચંદ્રાવલીના ઘરે આવી. તેણે નાગડને વિદ્યાબળે બંધનમુક્ત કર્યો. નાગડ ચંદ્રાવલીની માતા ભદ્રાવલી પર વેર લેવા તત્પર થયો. તેણે સૂર્યની સૂચનાથી કુંડલિનીની આરાધના કરી અને પ્રાપ્ત થયેલી શક્તિ વડે ભદ્રાવલીને મારી નાખી, આથી માનભંગ થયેલી ચંદ્રાવલીએ ચંદ્રને મુક્ત કર્યો. નાગડે ચંદ્ર પાસેથી અમૃત લાવી અબડને પાઈ સજીવન કર્યો. અંબડે સૂર્યની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલા સૂર્યે અંબડને ઇન્દ્રજાલ અને આકાશગામિની વિદ્યાઓ આપી. નાગડે સૂર્યની સૂચનાથી શતશર્કરા ફળ લાવી આપ્યું અંબડને સૂર્યે ઇંદ્રજાલ અને આકાશગામિની વિદ્યા આપી. અંબડ ચંદ્રાવલીને શિક્ષા કરવા માટે પુનઃ ચંદ્રાવલીને આંગણે આવ્યો. ઈન્દ્રજાલ વિદ્યાની મદદથી અંબડે શિવનું રૂપ ધારણ કર્યું. ઘરે શિવને આવેલા જોઈ ચંદ્રાવલીએ એમની આગતાસ્વાગતા કરી. થોડી વારે શિવ રડવા માંડ્યા. ચંદ્રાવલીએ પૂછ્યું એટલે કહ્યું કે પાર્વતી મૃત્યુ પામી છે, એટલે પોતે રડી રહ્યા છે. ચંદ્રાવતીએ સાંત્વન આપ્યું. એટલે શિવે કહ્યું, તું મારી પાર્વતી બનવા તૈયાર છે? ચંદ્રાવલી શિવજી સાથે કૈલાસ જવા તૈયાર થઈ. શિવજીએ એને દિવ્યરૂપ પામવા માટે કેશવપન, જૂનાં વસ્ત્રો પહેરવા, મોઢા પર કાજળ લગાડવું વગેરે શરતો મૂકી. કૈલાસ જવા માટે આ શરતો સાથે તૈયાર થઈ ગઈ. તે શિવજીની સૂચના પ્રમાણે તૈયાર થઈ. લોકો ચંદ્રાવલીના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. “ચંદ્રાવલી ઊંચું જોવા લાગી, ત્યાં વૃષભ ઊંચે ચઢ્યો. વૃષભે એને લાતો મારી. ચંદ્રાવલીને ખૂબ પીડા થઈ અને રડવા લાગી. તેણે કહ્યું : આ અવસર રમતનો નથી. સ્વામી, આ નવી નવી ચાલ ન કરો. ત્યારે અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ રસ *99 Page #149 -------------------------------------------------------------------------- ________________ શિવજી અને વૃષભ સૌ અદશ્ય થઈ ગયા. એ સમયે અંબડે પ્રગટ થઈ કહ્યું, મેં સૂર્યની ઉપાસના કરી અને શક્તિ તેમ જ વિજય મેળવ્યાં છે.” ચંદ્રાવલીએ શિવનું રૂપ લઈ સતાવવા માટે ક્રોધ કર્યો. બંને ફરી દડાની રમત રમ્યા. અંબડે દડાની રમતમાં વિજય મેળવ્યો. નગરની વિચિત્ર રીતે અંગે પૂછતાં ચંદ્રાવલીએ કહ્યું, “આ નગર મેં વસાવ્યું છે. દડાની રમતમાં હાર થઈ હોવાથી ચંદ્રાવલીએ અંબડની ચરણસેવા કરવાને સ્થાને લગ્ન કરવાનું સ્વીકાર્યું. ચંદ્રાવલીએ અંબડને આકાશગામિની, ચિંતિતગામિની, સ્વરૂપ પરાવર્તિની અને આકર્ષણી વિદ્યાઓ આપી. અંબડ ચંદ્રાવલી સાથે ધનગિરિ પર આવી ગોરખયોગિનીને પગે લાગ્યો. શર્કરાફળ ભેટ આપ્યું. અને બીજો આદેશને માંગ્યો, ત્યારે ગોરખયોગિનીએ તેને દક્ષિણ દિશાના સમુદ્રમાં આવેલા હરિબંધ દ્વીપ રહેનારા કમલકાંચન યોગી પાસેથી પુત્રી અંધારીને લાવવા કહ્યું. અંબડ આકાશમાર્ગે યોગીના દ્વીપમાં ગયો. ત્યાં યોગીએ સેવક સાથે પોતાને ઘેર મોકલ્યો. યોગિની પત્ની કાગી અને નાગીએ અંબડને ભોજન કરાવ્યું અને પાન ખાવા આપ્યું. પાન ખાતાંની સાથે જ અંબડ કૂકડો બની ગયો. કાગી અને નાગી યોગીપત્નીઓ બિલાડીનું રૂપ ધારણ કરી કૂકડારૂપે અંબડને હેરાન કરવા લાગી. કમલકાંચન યોગી પણ ત્યાં આવી અંબડને મહેણાં મારવા લાગ્યો. અંબડ યોગીના ઘરે ખૂબ દુઃખી થઈ ગયો. આ પ્રસંગને વર્ણવતાં કવિ મંગલમાણિક્ય કહે છે; કામ પ્રધ્યાન બલ ઈશું હોઈ, હરિ હર મિલઈ ગરુડ તવ જોઈ, ગરુડ નાગસૂ જેઈ નવિ સક, ઈશ બલઈ સર્પથી ઉકઈ.” અંબડ ઘણો બળવાન હોય તોપણ સ્થાન પ્રધાન છે. સ્થાનથી બળ છે. હરિ હર મળે ત્યારે હરિ વિષ્ણ)નું વાહન ગરુડ શિવના કંઠમાં ધારણ કરેલા નાગની સામે જોઈ શકતો નથી. ઈશ (શિવ)ના બળથી સર્પ પણ જય પામે છે. (લુકઈ) ઘરઆંગણે રહેલો કૂકડો ગંદકી કરે છે એવા આક્ષેપ મૂકી યોગીએ પત્નીઓને કૂકડાને વનમાં મૂકી આવવાનો આદેશ આપ્યો. બંને પત્નીઓ બિલાડીનું રૂપ ધારણ કરી કૂકડાંરૂપે રહેલા અંબડને ઉપાડી વનમાં મૂકી આવી. 100 * જૈન રાસ વિમર્શ Page #150 -------------------------------------------------------------------------- ________________ વનમાં ફરતાં-ફરતાં એક દિવસ સુંદર વાવમાં પાણી પીવા ઊતર્યો. પાણી પીવાથી અંબડ કૂકડામાંથી માણસ બની ગયો. માનવરૂપમાં આવેલો અંબડ વનમાં પરિભ્રમણ કરવા લાગ્યો. ત્યાં એક રાત્રે કોઈ એક નારીનો રડવાનો અવાજ આવ્યો. અંબડે જઈ રડવાનું કારણ પૂછ્યું, એટલે એણે કહ્યું : “હું રોલગપુરના રાજહંસ રાજા અને શ્રીમતી રાણીની પુત્રી રાજહંસી છું. મારાં લગ્ન રાજકુમાર મહીચંદ સાથે નક્કી થયાં હતાં. લગ્નમંડપમાં સૂર્યદેવે આપેલી કંચુકી ધારણ કરીને જતી હતી, ત્યાં એક દુષ્ટ મારું અપહરણ કર્યું. તેણે સૂર્ય દીધેલી કંચુકી લેવાનો પ્રયત્ન કર્યો. મેં એનો પ્રતિકાર કર્યો, એટલે જંગલમાં મને એકલી મૂકી તે દુષ્ટપુરુષ ચાલ્યો ગયો. અંબડ વિદ્યાધરે તેની બધી વાત સાંભળીને સૂર્યે કંચુકી કઈ રીતે આપી એ અંગે પ્રશ્ન પૂછ્યો. એના જવાબમાં રાજહંસીએ કહ્યું, ‘હું નાની હતી ત્યારે મારા પિતાએ સરસ્વતી નામની પંડિતા પાસે ભણવા મોકલી. હું અને બીજી સાત કન્યાઓ પંડિતા પાસે ભણતી હતી. એક મધ્યરાત્રિએ સરસ્વતી પંડિતાએ રચેલા મંડળમાં ૨૪ જોગણીઓ આવીને ક્રીડા કરવા લાગી. સરસ્વતીએ સિદ્ધિ માટે કહ્યું, ત્યારે જોગણીઓએ તેને પિંડદાન આપવા કહ્યું. પંડિતાએ આઠ કન્યાઓને પિંડદાનની વિધિ પૂછી. જોગણીઓએ આઠ કન્યાઓનું નૈવેદ્ય સાથે પિંડદાન આપવા કહ્યું. આ વાત સાંભળીને હું ખૂબ ડરી ગઈ. મેં આ વાત મારી સખીઓને તેમ જ પિતાને જણાવી. પિતાએ પંડિતાનો વધ કરવા કહ્યું, પણ આ વાત મને ન ગમી. મેં સૂર્યની આરાધના કરી. સૂર્યે મને દિવ્ય કંચુકી અને સાત સખી માટે સાત ગુટિકાઓ આપી. પંડિતાએ કષ્ટનિવારણ માટે વિધિ કરવી છે એવું કહી ચૌદસની રાતે જાગૃત રહેવા કહ્યું. એ સમયે સખીઓએ ગુટિકા પોતાના મોઢામાં મૂકી અને મેં કચુંકી પહેરી લીધી. સૂર્યના કહ્યા અનુસાર વિધિપૂર્વે પંડિતા સાડી પહેરવા ગઈ એવી જ અમે સખીઓએ સાડી ખેંચી લીધી એટલે તે મૃત્યુ પામી.” આ વાત કહી રાજહંસી રડવા લાગી. અંબડે એ સમયે પોતાનું દિવ્યસ્વરૂપે પ્રગટ કર્યું આથી રાજહંસીએ અંબડ સાથે લગ્નની ઇચ્છા અભિવ્યક્ત કરી એટલે અંબડ તેને રોલગપુર લઈ આવ્યો. રોલગપુરમાં રાજહંસી સાત સખીઓ અને રાજહંસી એમ આઠ કન્યાઓનાં લગ્ન કર્યા. રાજાએ પોતાનું અધું રાજ્ય અંબડને આપ્યું. વિપુલ ભોગવૈભવ ભોગવી અંબડ પુનઃ હરિબંધ દ્વીપ પર ગયો. ત્યાં જઈ અદ્દભુત રસની અનુપમ કથાઃ અંબઇ રાસ 101 Page #151 -------------------------------------------------------------------------- ________________ રૂપપરિવર્તિની વિદ્યાથી કમલકાંચનયોગીનું રૂપ લઈ કાગીને રૂપપરિવર્તનકારી ફળનું શાક બનાવવા આપ્યું. એની વચ્ચે યોગી કન્યાનું અપહરણ કર્યું. યોગી આવ્યો ત્યારે યોગીની બેય પત્ની સાથે એ શાકનું ભોજન કર્યું. એટલે ત્રણે ગધેડામાં ફેરવાઈ ગયાં. બે ગધેડી અને એક ગધેડો એવા એ યોગી પરિવારને અંબડે ખૂબ પીડા આપી. આ દશ્ય જોઈ નગરના લોકોએ દયાપૂર્વક વિનંતી કરી, એટલે ત્રણેને વાવનું જળ પિવડાવી પુનઃ મનુષ્ય કર્યો. એ પોતે રાજહંસી અને અન્ય સાત પત્ની તેમ જ અંધારી સાથે ધનગિરિ પર આકાશગામિની વિદ્યાથી પહોંચ્યો. ત્યાં જઈ યોગીપુત્રી અંધારીને ગોરખયોગિનીને સોંપી. ગોરખયોગિનીએ ત્રીજા આદેશમાં સિંહલદેશના સોમચંદરાજાના ભંડારમાંથી રત્નમાળા લઈ આવવા કહ્યું. અંબડ યોગિનીના આદેશને મસ્તકે ચઢાવી સિંહલદેશ ગયો. સિંહલદ્વીપમાં તેણે એક આશ્ચર્ય જોયું. એક સુંદરીના મસ્તકની પાછળ બગીચો શોભી રહ્યો હતો. અંબડે તેને રાજકુમારી ચંદ્રયશા માની બોલાવી, પરંતુ તે તો પ્રધાનકન્યા રાજલદેવી હતી. મસ્તકની પાછળ રહેલા ઉદ્યાનનું રહસ્ય પૂછ્યું, એટલે તેણે કહ્યું કે તે એક વાર રાજકન્યા ચંદ્રયશા સાથે વનક્રીડા અર્થે ગઈ હતી, ત્યાં એક ડોશી મળી. આ ડોશી શિવની પ્રતિહારી હોવાથી શિવલોક લઈ ગઈ. શિવજીનાં દર્શન કરી અમે ખૂબ આનંદિત થયાં. તેમણે રાજકુમારીને દિવ્ય રત્નમાળા અને મને દિવ્ય કર્મદંડ આપ્યો. રત્નમાળા ધારણ કરનાર રૂપ બદલી શકે છે અને સર્વત્ર જય પામે તેમ જ કર્મદંડ ધારણ કરનારાના સર્વ શત્રુઓ અને રોગો નાશ પામે. નિત્ય દર્શન કરવાની ઇચ્છા જાણી શિવજીએ ત્રિદંડવૃક્ષ આપ્યું. એના પર બેસી આકાશમાર્ગે ઊડીને શિવલોક પહોંચી શકાય. તે પછી બંને કન્યાઓ પૃથ્વીલોક પર પાછી આવે. દરરોજ મંત્રબળે ત્રિદંડવૃક્ષ પર બેસી આકાશમાં જતી. એક વાર એ રીતે ઊડીને જઈ રહી હતી, ત્યાં સૂર્યને લાગ્યું કે પોતાને ગળવા કોઈ આવી રહ્યું છે. નજીક પહોંચ્યાં ત્યાં માનવીને જોઈ સૂર્યની શંકા દૂર થઈ. બંનેને શિવભક્ત જાણી સૂર્યે પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. રાજલદેવીએ ઉદ્યાન માંગ્યું. સૂર્ય રાજકુમારીને અંધકારમાં દિવ્યપ્રકાશ પથરાઈ જય તેવું દિવ્યાભરણ આપ્યું, તેમ જ મને ઉદ્યાન આપ્યું. એમ કહી રાજલદેવી પોતાને ઘરે જવા લાગી, ત્યારે કોઈ દિવ્ય રાખ અંબ છાંટી, એટલે તે અંબડ પર મોહિત થઈ ગઈ. આંબડે નટનું રૂપ ધારણ કર્યું અને રાજલ સાથે નૃત્ય કરવા લાગ્યો. ત્યાં બહુરૂપિણી વિદ્યા સંભારી 102 * જૈન રાસ વિમર્શ Page #152 -------------------------------------------------------------------------- ________________ અને ૩૧ નટ-નટડી સર્યા. કુલ ૩૨ નટ-નટી સાથે અંબડે નૃત્ય માંડ્યું. એમાં તેને જોવા રાજા-રાણી રાજકુમારી સાથે આવ્યા. રાજલને નાચતી જોઈ રાજકુમારીએ ટીકા કરી. રાજલે સંગીત તો પાંચમો વેદ છે' કહી નાચવા માટે આમંત્રણ આપ્યું. આ બાજુ રાજલના માતા-પિતાએ આ નૃત્ય કરનાર નટ અંબડ ફસાવનારો છે એવી ફરિયાદ કરી. રાજા સોમચંદ પણ નાટક જોવા આવ્યો. અંબડે ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) દર્શાવ્યા, વળી દિવ્ય સંગીત સંભળાવ્યું. રાજાએ પુરસ્કાર આપવા માંડ્યો, પણ અંબડે તેનો અસ્વીકાર કર્યો. આથી લોકોમાં સિદ્ધપુરુષ તરીકેની કીર્તિ ફેલાઈ. આ બાજુ રાજલદેવીએ અંબડનો વૃત્તાંત ચંદ્રયાને કહ્યો. આથી પ્રસન્ન થયેલી ચંદ્રયશા અંબડને મળવા આતુર થઈ. રાજલદેવીના આગ્રહથી અંબડ ચંદ્રયશાને ઘરે પહોંચ્યો. ત્યાં રાતભર પ્રેમપૂર્વક વીતાવી, અંબડે પાછા ફરતા રાજકુમારીને રૂપપરિવર્તનકારી ચૂર્ણ આપ્યું. આ ચૂર્ણને પ્રતાપે રાજકુમારી ગધેડી બની ગઈ. રાજા ખૂબ દુઃખી થયો અને ઢંઢેરો પિટાવ્યો કે રાજકુમારીને મૂળરૂપમાં લઈ આવે તેને અર્ધ રાજ્ય અને રાજકુમારી પરણાવશે. અંબડે આડંબરપૂર્વક ઘણા હોમહવન કર્યા અને ત્રીજે દિવસે રાજકુમારીને વાવનું જળ પિવડાવી મનુષ્યરૂપમાં લઈ આવ્યો. રાજાએ રાજકુમારીને પરણાવી તેમ જ ભંડારમાં રહેલી શિવજીએ દીધેલી રત્નમાળા પણ આપી. અંબડે પુનઃ રથનુપુરમાં આવી ગોરખયોગિનીને રત્નમાળા આપી. ચોથા આદેશમાં અંબડને નવલક્ષપુરમાં રહેતા વેપારી બોહિત્ય પાસેથી લખી વાંદરી લાવવાનું ગોરખયોગિનીએ જણાવ્યું. આદેશ મેળવી અંબડ નવલક્ષપુર તરફ ચાલી નીકળ્યો. માર્ગમાં તે સુગંધવનમાં રોકાયો. આ સુગંધવનમાં એ સુંદર સ્ત્રી જોઈ. આ સ્ત્રીના રૂપને વિજળીના ઝબકાર સાથે સરખાવી તેની મનોહરતાને કવિએ સુંદર રીતે વર્ણવી છે. જેહવઉ વીજાણુ ઝબકાર, અંગઈ નવયૌવનનઉ ભાર. એક વનમાં હિ દીઠી બાલિકા, જિન કરિ દેઈ જઈ તાલિકા. આદેશ ૪, કડી ૧૪) અંબડ આ સ્ત્રીને જોઈ તેના પર મોહિત થઈ પાછો કર્યો. પરંતુ આ નવયૌવના સ્ત્રી સરોવરમાં પ્રવેશી અદશ્ય થઈ ગઈ. અંબડ વ્યાકુળ બની તેને શોધવા લાગ્યો. થોડા સમય બાદ અંબડ વૃક્ષ નીચે બેઠો હતો, ત્યાં અભુત રસની અનુપમ કથા : અબડ રાસ +103 Page #153 -------------------------------------------------------------------------- ________________ એક બટુકે આવી તેની સમક્ષ ફળ મૂકી કહ્યું; ‘અમરાવતીએ તમને બોલાવ્યા છે. તમે મારી સાથે ચાલો. અંબડે બટુકને પૂછ્યું, ‘આ અમરાવતી કોણ છે તેની વિસ્તારથી વાત કર'. બટુકે કહ્યું; અમરાવતી ક્ષત્રિયકુંડના રાજા દેવાદિત્યની અને રાણી લીલાવતીની પુત્રી છે. દેવાદિત્ય રાજાને એક વાર અણમાનિતી રાણીએ કામણટુમણ કરી પોપટ બનાવી દીધો. આ પોપટ બનેલો રાજા પોપટ તરીકેના જીવનથી ત્રસ્ત થઈ આપઘાત કરવા માંડ્યો. એ જ સમયે આકાશમાર્ગેથી જતા ફૂલચંદમુનિએ વિદ્યાબળે પુનઃ મનુષ્યરૂપમાં લાવ્યો. એ મહામુનિનો ઉપદેશ સાંભળી દેવાદિત્ય રાજા અને લીલાવતી રાણીએ દીક્ષા ધારણ કરી. આ લીલાવતી રાણી દીક્ષા સમયે ગર્ભવતી હતી, પરંતુ શરમથી બોલી નિહ. દીક્ષા બાદ પુત્રીનો જન્મ થયો, તેનું અમરાવતી નામ રાખી મા સ્વર્ગે ગઈ. આ અમરાવતી નવયૌવના બની, ત્યાં એક ધનદ નામનો વિદ્યાધર એની પર મોહિત થઈ ગયો. તે સમયે તેના પિતા દેવાદિત્ય રાજઋષિને લલચાવવા માટે ત્રણ રત્નો આપ્યા. આ સમયે કન્યાએ પોતાના પ્રત્યે ભાઈ જેવો ભાવ રાખવા કહ્યું. વિદ્યાધરે પણ વાસના છોડી તેની રક્ષા માટે સરોવ૨ બનાવ્યું. આ સરોવરના ભૂગર્ભમાં સુંદર મહેલ બનાવ્યો. એ મહેલમાં જવા માટેનો પાતાળમાર્ગ પણ કરી આપ્યો. અમરાવતીનાં લગ્ન ક્યારે થશે એનો પ્રશ્ન રાજર્ષિએ કર્યો. રાજર્ષિએ અવધિજ્ઞાનથી આજથી સાતમા દિવસે બકુલવૃક્ષ નીચે અંબડ નામનો પ્રતાપી વ્યક્તિ આવશે એ અમરાવતીનો પતિ થશે એમ જણાવ્યું. બટુકે અમરાવતીની કથા પૂર્ણ કરી. તેઓ અમરાવતીના મહેલમાં પ્રવેશ્યા. અમરાવતીએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું. પછી અંબડ દેવાદિત્ય ઋષિને મળવા જળમાર્ગે બટુકની પાછળ જવા લાગ્યો. ત્યાં એક પ્રચંડ માછલાએ એને ગળી લીધો. આ માછલાને બગલાએ પકડ્યો. આ બગલાને ગીધ પકડ્યો. બટુકે પાછા ફરી જોતાં અંબડ દેખાયો નહિ, એટલે એ વાત બટુકે અમરાવતીને મહેલમાં ફરીને કરી. અમરાવતી અંબડના ગુમ થવાના સમાચાર સાંભળી બેભાન થઈ ગઈ. દેવાદિત્ય ઋષિએ આવી ઉપચારો કર્યાં. આ ઉપચારોથી જાગૃત થયેલી અમરાવતી રડવા લાગી અને પોતાના દુઃખને વીસારી શકી નિહ. આ ગીધ ઊડતું ઊડતું ઝાડ પર બેઠું. એક શિકારીએ ગીધ ૫૨ બાણ 104 * જૈન રાસ વિમર્શ Page #154 -------------------------------------------------------------------------- ________________ માર્યું. આ બાણથી તેની ચાંચમાંથી બગલો છૂટી આકાશમાં ઊડડ્યો. બગલાના મુખમાંથી માછલી પડી ગઈ. શિકારી માછલીને પોતાના ઘરે લઈ ગયો. માછલીને ચીરતાં અંબડને જોઈ આશ્ચર્યચકિત થયો. શિકારીએ ઉપાય કરી અંબડને સાજો કર્યો. આ શિકારી નવલક્ષપુરનો જ હતો. અંબડ થોડા દિવસ શિકારીના ઘરે રોકાઈ ગયો. એક દિવસ મધ્યરાત્રિએ શિકારીની દીકરી બહાર નીકળી. આ જોઈ અંબડ પણ તેની પાછળ ગયો. શિકારીની દીકરીને માર્ગમાં બીજી ત્રણ સખીઓ ક્ષત્રિય, બ્રાહ્મણ, વણિકપુત્રી મળી. આ ચારેએ બકરીનું રૂપ ધારણ કર્યું. આ જોઈ અંબડે બકરાનું રૂપ ધારણ કરીને ડરાવી એટલે તેઓ અર્થે રસ્તેથી જ પાછાં ફર્યા. બીજી રાત્રિએ આ બકરાનો ભેદ શોધવાનું નક્કી કરી ફરી મળ્યાં. પુનઃ બકરીનું રૂપ ધારણ કર્યું. અંબડે બકરાનું રૂપ ધારણ કરી બકરીઓને ચંભિત કરી. આમાંથી છૂટવા માટે બોહિત્ય વણિકનું ઘર બતાવવા કહ્યું. ચાર બકરીઓ અને બકરારૂપી અંબડ બોહિત્યને ઘરે ગયા. ત્યાં બોહિત્યની દીકરી રૂપિણી વાંદરી પાસે બેઠી હતી. રૂપિણીને આ બકરીઓએ મનુષ્યરૂપ ધારણ કરી સાથે આવેલો બકરો વિદ્યાનો ભંડાર અંબડ છે એવું જણાવ્યું. રૂપિણીની વિનંતીથી અંબડે મનુષ્યરૂપ ધારણ કર્યું. અંબડે રૂપિણી પાસે વાંદરીની યાચના કરી, ત્યારે રૂપિણીએ કહ્યું કે આ વાંદરી ચંદ્રદેવની આરાધનાથી પ્રાપ્ત થઈ છે. અને રોજ નવલખાં રત્ન ભેટ આપે છે. પણ આ વાંદરીથી જુદી પડતાં જ પોતાનું મૃત્યુ થાય. એના ઉપાયરૂપે અંબડ રૂપિણીને પોતાની સાથે લગ્ન કરવા કહે છે. ત્યારે રૂપિણી પોતાના પિતાને સમજાવવા કહે છે. અંબડ રૂપિણીની સૂચના પ્રમાણે અજવિદ્યા પ્રાપ્ત કરી નવલક્ષપુરના રાજાને બકરો બનાવી દીધો. પછી બહુરૂપિણી વિદ્યા વડે સૈન્ય વિકુર્તી રથનુપુરના રાજા તરીકે આવી બકરો બનેલા રાજાને પુનઃ મનુષ્ય બનાવ્યો. રાજા મલયચંદ્ર અંબડને અર્ધ રાજ્ય અને પુત્રી વીરમતી આપી. આ જોઈ બોહિત્યે પોતાની દીકરીને પરણાવી. રૂપિણીની ચારેય સખીઓ પણ રૂપિણીને અનુસરી. અંબડ પોતાની ૬ પત્નીઓ સાથે સુગંધવન આવ્યો અને અમરાવતી સાથે લગ્ન કર્યા. પોતાની સાતે પત્નીઓ સાથે ગોરખયોગિની પાસે આવી લખી વાંદરીને આપી. ગોરખયોગિનીએ અંબડના પરાક્રમની ખૂબ પ્રશંસા કરી. થોડા દિવસો પછી ગોરખયોગિનીએ પાંચમો આદેશ આપ્યો કે સૌરાષ્ટ્રના દેવપત્તન નગરમાં દેવચંદ્ર રાજાના મંત્રી વૈરોચન પાસે જે રવિ અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ રાસ * 105 Page #155 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર દીપક છે, તે લઈ આવ. અંબડ સૌરાષ્ટ્ર તરફ ચાલવા માંડ્યો. એને દેવપત્તનનો બ્રાહ્મણ મળ્યો. તે સિંહપુરની રાજકુમારી રોહિણી પાસે પરકાયાપ્રવેશની વિદ્યા મેળવવા નીકળ્યો હતો. આ રાજકુમારી રોહિણીના પિતા સાગરચંદ્ર વનવાસમાં જતા પહેલાં પુત્ર સમરસિંહને રાજ્ય સોંપ્યું હતું અને પુત્રી રોહિણીને આ વિદ્યા સોંપી હતી. વિદ્યા એવી શરતે આપી હતી કે, રોહિણીએ ભાઈ સિવાય બીજાનું મુખ જોવું નહિ અને પોતે જેને આ વિદ્યા આપશે તે એનો પતિ થશે. રોહિણી એકાંતમાં સિંહપુરમાં રહેતી હતી. બ્રાહ્મણ પાસે મોહિની વિદ્યા હતી અને તે અદલાબદલીમાં આ વિદ્યા મેળવવા ઇચ્છતો હતો. અંબડે કહ્યું; મારી પાસે અક્ષયધન આપનારી વિદ્યા છે. આપણે વિદ્યાઓ પરસ્પરને આપીએ” બ્રાહ્મણે આ વાત સ્વીકારી. બંનેને એકબીજાને વિદ્યા આપી. પછી અંબડના કહેવાથી બન્ને જુદાજુદા થઈ અલગ અલગ માર્ગે નગરમાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણ અને અંબડે પોતપોતાની રીતે રોહિણી મેળવવાના પ્રયત્નો કરવા લાગ્યા. અંબડ પોતાની બહુરૂપિણી વિદ્યાની મદદથી -- રૂપ ધારણ કર્યું. એ ચાર રસ્તા પર જઈ બેઠો અને મોહિની વિદ્યાના પ્રભાવથી બધાને મુગ્ધ કરી લીધા. થોડા જ સમયમાં તપસ્વિની ત્રિકાળજ્ઞ છે એવી વાત ફેલાઈ ગઈ. પેલો બ્રાહ્મણ રોહિણીને મળવામાં સફળ થયો નહોતો, આથી આ તપસ્વિની પાસે ભવિષ્યમાં જાણવા ગયો. તપસ્વિનીએ કહ્યું કે તારા નસીબમાં પરકાયાપ્રવેશ વિદ્યા નથી. આમ છતાં તેણે ઘણા પ્રયત્નો કર્યા, પણ નાસીપાસ થઈ ચાલ્યો ગયો. તપસ્વિનીના જ્યોતિષજ્ઞાનના સમાચાર રાજકુમારી રોહિણી પાસે પહોંચી ગયા. તેણે તેને રાજમહેલમાં બોલાવી. તેના રૂપ અને ધર્મવૈરાગ્ય જોઈ મોહિત થયેલી રાજકુમારીએ યોગિનીનો ભૂતકાળ પૂછ્યો. ત્યારે યોગિનીએ કહ્યું, “હું પાઠશાળામાં અભ્યાસ કરતી હતી, ત્યારે માણિભદ્ર નામનો એક વિદ્યાધર મારા પ્રેમમાં પડ્યો. તેણે મારું અપહરણ કર્યું. તે મને વૈતાઢ્ય પર્વત પર લઈ ગયો. ત્યાં “ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ શિખવાડી. ત્યાં તેના પુત્ર ભદ્રવેગે મારી પર આસક્ત થઈ પિતાની હત્યા કરી. તે જ સમયે ત્યાં આવેલા વિદ્યાધર નગરરાજે ભદ્રવેગને મરણશરણ કર્યો. મારા કારણે આવી બેવડી હત્યા જોઈ દુઃખી થયેલી હું આત્મહત્યા 106 * જૈન રાસ વિમર્શ Page #156 -------------------------------------------------------------------------- ________________ કરવા તૈયાર થઈ. હું વૃક્ષ પર ચડી વાવમાં કૂદી, પણ નગરરાજે મને પાછળથી આવીને બચાવી. મેં નગરરાજ સાથે લગ્ન કર્યા. નગરરાજ સાથે પ્રેમપૂર્વક દિવસો જતા હતા, ત્યાં નગરરાજને અન્ય સ્ત્રીમાં આસક્ત થયેલો જોયો. આથી વૈરાગી થઈ ગંગાકિનારે જઈ તાપસીવ્રત લીધું અને તીર્થયાત્રા કરતી અહીં સિંહપુર આવી. રોહિણીએ પણ પોતાના પિતા-ભાઈ અંગેની વાત જણાવી, તેમ જ પોતાની મૂલ્યવાન પરકાયાપ્રવેશ વિદ્યા આગ્રહપૂર્વક શિખવાડી. પોતાના ભાવિ પતિ વિશે રોહિણીએ પૂછ્યું, ત્યારે તપસ્વિનીના વેશમાં રહેલા અંબડે કહ્યું, થોડા જ સમયમાં માલણ દ્વારા પુષ્પકંચુક મોકલશે એ તારો પતિ બનશે, એમ કહી અંબડ પોતાના સ્થાને ગયો. અંબડ પુનઃ મૂળરૂપ ધારણ કરી આકાશગામિની વિદ્યા વડે દેવપત્તન પહોંચ્યો. ત્યાં મોહિની વિદ્યાથી માળી કુટુંબને વશ કરી માળીકન્યા દેમતી સાથે લગ્ન કર્યા. એક દિવસ માલણ ફૂલના હાર લઈ રાજદરબારમાં જતી હતી, તેને અટકાવી અંબ બે હાર લઈ મંત્રિત કર્યા. એ હાર અનુક્રમે રાજા દેવચંદ્ર અને પ્રધાન વૈરોચનને આપવા કહ્યું. આ હારના પ્રભાવે રાજા દેવચંદ્ર અને વૈરોચન બેહોશ થઈ ગયા. ભાનમાં ક્યારેક નાચતા, ક્યારેક શિયાળની જેમ લારી કરતા, ક્યારેક કાદવમાં આળોટતા. આ મંત્રી રાજાથી નગર ત્રાહિમામ થઈ ગયું. પછી માલણ પાસેથી એના ઘરે આવેલા તાંત્રિકને લઈ ગયા. અંબડે આડંબર કરી કહ્યું, મને અડધું રાજ્ય, રવિ-ચંદ્ર દીપક અને રાજકુમારી પત્નીરૂપે આપવામાં આવે તો હું રાજા-મંત્રીને ઠીક કરી દઉં. આ વિચિત્ર બીમારીથી કંટાળેલાં પ્રજાજનો અને અન્ય મંત્રીઓએ અંબડની સર્વ શરતો સ્વીકારી. અંબડે પુનઃ બંનેને ઠીક કરી દીધા. તેમ જ પ્રધાનપુત્રી કપૂરમંજરી આપવામાં આવી. એ સાથે જ રવિ-ચંદ્ર દીપક અને અર્ધા રાજ્યનું રાજાનું પદ પ્રાપ્ત થયું. અંબડ ત્રણ પત્નીઓ, સૂર્ય-ચંદ્ર દીપક લઈ ફરી સિંહપુર નગરે આવ્યો. ત્યાં માલણે તેનો આદરસત્કાર કર્યો. અંબડે પરકાયાપ્રવેશથી નગરમાં એક મૃતબાળકને સજીવન કરી માતા સાથે કલાકેક વાત કરાવી. આ વાતની રાજકુમારી રોહિણીને ખબર પડી. અંબડે કુસુમકંચુક રોહિણીને માલણ દ્વારા મોકલ્યો. તેને યોગિનીનો સંકેત યાદ આવ્યો. ભાઈને જાણ કરી રાજકુમારીએ અંબડ સાથે લગ્ન કર્યા. ચાર પત્નીઓ સાથે અંબડ પુનઃ રથનુપુર આવી અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ ચસ 107 Page #157 -------------------------------------------------------------------------- ________________ યોગિનીને રવિ-ચંદ્ર દીપક અર્પિત કર્યો. થોડા દિવસો બાદ અંબડને પુનઃ છઠ્ઠો આદેશ મળ્યો. સૌવીર દેશના સિંધુ પર્વતની તળેટીમાં આવેલ કર્મકરોડીપુરના રહેવાસી સોમેશ્વર બ્રાહ્મણ પાસેથી સર્વાર્થસિદ્ધિ દંડ છે તે લાવવા કહ્યું. આ દંડ લેવા અંબડે સૌવીર દેશ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં કેળના પત્રથી ઢંકાયેલી ઝૂંપડી જળ પર તરતી જોઈ. ઝૂંપડીની પાછળ એક યોગી બેઠો હતો. તેની બાજુમાં સોનાની સાંકળથી બાંધેલી હરણી હતી. અંબડને આ વાતમાં ભેદ લાગ્યો. આ હરણી કોઈ સ્ત્રી હોય એવું જણાયું. અંબડે એ દુષ્ટયોગીને પકડીને વિદ્યાબળથી ઊંચકી આકાશમાં અફાળ્યો અને મલ્લની જેમ નવા-નવા યુદ્ધો કરી યોગીને યમ-ઘરનો પરોણો બનાવ્યો. કવિ આ યુદ્ધને સંક્ષેપમાં પણ સુંદર રીતે વર્ણવે છે. યોગી દુષ્ટ, અંબડઈ લેય, આકાશી અસ્ફલિફતેહ; નવનવયુદ્ધ મલ્લપરિ કરી, તાસ મર્મધાયતનિધરી. “વલતુ યષ્ટિમુષ્ટિને ઘાય, જેગી કીઉ અચેતન કાય, તાપસ અતિથિ વમતણું ભયુ, જયજયનાદ અંબડનઈ હુઉં. અંબડ ઝૂંપડીમાં ગયો. અને ત્યાં એક રાતી અને શ્વેત સોટી પડી હતી. અંબડે રાતી સોટી હરણીને અડાડી એટલે હરણી રાજકુમારીમાં પરિવર્તિત થઈ. અંબડે રાજકુમારીને તેની કથા પૂછી. એટલે રાજકુમારીએ કહ્યું, આ યોગીએ માયાજાળથી મારા પિતાને છેતરી સુવર્ણપુરુષ બનાવ્યા હતા અને યોગી મારી સાથે પરણવા માંગતો હતો. પોતે ના પાડતી હતી, તેથી હરણી બનાવી રાખતો હતો. ત્યાં રાજકુમારી પાસેના દિવ્યકુંડલનું રહસ્ય અંબડે જાણ્યું. યોગીએ કાલિકાદેવીની આરાધનાથી આ દિવ્યકુંડલ પ્રાપ્ત કર્યા હતાં. આ કુંડલમાંનું એક કુંડલ ઉછાળવામાં આવે તો એક વર્ષ સુધી સૂર્યપ્રકાશ આપે અને બીજું ઉછાળવામાં આવે તો વર્ષ સુધી ચંદ્રપ્રકાશ આપે. અંબડે પોતાનું દિવ્યરૂપ પ્રગટ કર્યું એટલે રાજકુમારીએ એની સાથે ગાંધર્વવિવાહ કર્યો. રાજકુમારીને લઈ અંબડ રાજકુમારીના પિતાના નગરમાં આવ્યો. ત્યાં સાળાના નગરને શત્રુઓએ ઘેરી લીધું હતું, તે શત્રુઓને વિદ્યાબળથી ભગાડ્યા. રાજા સમરસિંહે બહેન-બનેવીનો આદરપૂર્વક સત્કાર કર્યો. 108* જૈન રાસ વિમર્શ Page #158 -------------------------------------------------------------------------- ________________ થોડા દિવસો બાદ અંબડ એકરાત્રે કર્મકોડી નગર આકાશમાર્ગે પહોંચ્યો. ત્યાં જઈ કામદેવ યક્ષના મંદિરમાં રહ્યો. ત્યાં મધ્યરાત્રિએ એક સુંદર યુવતી મંદિરમાં આવી. ત્યાં રહેલી ત્રણ પૂતળીઓ પાસે જઈ ઊભી રહી, એટલે તે ત્રણેય સજીવન થઈ ગઈ. તે પછી ચારેએ ભેગા મળી નૃત્ય કર્યું. અંબડ એ સમયે ત્યાં પ્રગટ થયો, અને પોતાને પ્રવાસી તરીકે ઓળખાવ્યો. આવનારી યુવતી પુરોહિતની પુત્રી ચંદ્રકાંતા હતી. તેઓ ચારે સખીઓ મળી પાતાળલોકમાં રહેલી સખી વાસવદત્તાને મળવા માટે નીકળી. અંબડને પણ તેમણે સાથિ તરીકે સાથે લીધો. તેઓ નગર બહાર રહેલા એક રમકડાના રથમાં બેઠાં. અર્ધે રસ્તે ગયાં, ત્યાં અંબડે વિદ્યાથી ૨થ સ્થંભિત કરી લીધો. મંત્રબળે રથ ચલાવવાની વિદ્યા મેળવ્યા બાદ જ અંબડે રથ ચાલવા દીધા. પાતાળલોકમાં પહોંચ્યા પછી વાસવદત્તાએ સૌનું સ્વાગત કર્યું. વાસવદત્તાને ઘરે થોડો સમય રહ્યા બાદ તેઓ પુનઃ નાગશ્રી નામની અન્ય સખીના ઘરે ગયા. સૌને નાગશ્રીએ પાન-બીડા ખાવા આપ્યા. આ પાનબીડામાંથી એક પાનબીડામાં અંબડે છૂપી રીતે ચૂર્ણ ભેળવી દીધું. આ પાનબીડું ખાવાથી નાગશ્રી ગધેડી બની ગઈ. બાદમાં અંબડે ચારે સખીઓને શ્વેત સોટી અડાડી, એટલે તેઓ હરણી થઈ ગઈ. હરણીઓ પુનઃ પોતાના રથમાં બેસી નગરમાં આવી. ત્રણ હરણીઓ નગરમાં રહી. એક હરણી પુરોહિતના ઘરે ગઈ. લોકો આ પુરોહિતની દીકરી હરણી બની તેની કથા વિસ્મયથી કહેવા લાગ્યા. ત્યાં માર્ગમાં લોકોએ અંબડને બળદ વગ૨ ૨થ ચલાવતો જોયો. કોઈ મોટો વિદ્યાસિદ્ધ પુરુષ છે' એમ લોકો આશ્ચર્ય કરવા લાગ્યા. રાજપુરોહિતની દીકરી હરણી બની છે, એવી વાત સાંભળી પુરોહિતના ઘરે જવા નીકળ્યો. ત્યાં માર્ગમાં તેમણે અંબડને બળદ વિના રથ ચલાવતો જોયો. રાજાએ વિદ્યાસિદ્ધ પુરુષ જાણી તેની સ્તુતિ કરી. અણખેડઈ વાયુનઈ વેગિ, તતખિણી જઈ જેયણ અણેગી, એહ શક્તિ નતિ માણસતણી, દીસઈ કો વિદ્યાધર ગુણી.’ કઈ તૂં નરસિદ્ધ દેવતા, નાગકુમર પરિ નિઃશંકતા, ખેલઈ નિજ ઈછાઈ બલી, કૃપા કરઉ હિવઈ પ્રીતઇ મિલી” (આદેશ ૬, ૨૪૩, ૨૪૪) તું અણખેડ્યે રથને વાયુવેગે ચલાવી તત્ક્ષણ અનેક યોજનો પા૨ કરે અદ્ભુત રસની અનુપમ કથા : અંબડ રાસ * 109 Page #159 -------------------------------------------------------------------------- ________________ છે. આ શક્તિ માણસની નથી, તું કોઈ વિદ્યાધર લાગે છે. અથવા તું સિદ્ધ નર, દેવતા અથવા નાગકુમાર લાગે છે. તું તારી ઇચ્છાના બળે ખેલે છે. હવે તું પ્રીતિપૂર્વક અમને મળ. અંબડે વિનંતી સ્વીકારી. રાજાએ પુરોહિતના ઘરે સાથે આવવા કહ્યું. તેમણે કહ્યું કે, હરણીમાંથી પુનઃ મારા પ્રિય પુરોહિતની કન્યા અને તેની સખીઓને મનુષ્ય બનાવીશ તો અર્ધ રાજ્ય અને મારી કન્યા આપીશ. અંબડે હરણીરૂપ કન્યા પાસે જઈ સર્વાર્થસિદ્ધિ દંડ માંગ્યા. કન્યાએ કહ્યું, દંડ મારી પાસે છે, એ કેવી રીતે જાણ્યું? એટલે અંબડે ગોરખયોગિનીનો સંબંધ કહ્યો. કુંવરી દંડ આપવા તૈયાર થઈ એટલે તેમણે પુનઃ મનુષ્ય બનાવી. રાજાએ પુરોહિતકન્યા, તેની ત્રણ સખીઓ અને રાજકન્યાનાં લગ્ન કરાવ્યાં. પાતાળમાં રહેલી નાગશ્રીને પણ પુનઃ વાવનું પાણી પાઈ મૂળરૂપમાં લાવી તેની સાથે પણ અંબડે લગ્ન કર્યા. તેઓ પુનઃ ભોજકટકનગરમાં આવી રત્નાવતીને સાથે લઈ રથનુપુર નગરમાં ગોરખયોગિનીને સર્વાર્થસિદ્ધિ દંડ સમર્પિત કર્યો. થોડા દિવસો બાદ અંબડે ગોરખયોગિની પાસેથી પુનઃ આદેશ મેળવ્યો. આ સાતમા આદેશમાં દક્ષિણ દિશામાં આવેલા સોપારક નગરના ચંડીશ્વર રાજાના મુગટમાંથી પછેડો લઈ આવવાનું કાર્ય કરવાનું હતું. અંબડ આદેશ-અનુસાર સોપારક નગરમાં પહોંચ્યો. એક બગીચામાંથી તે ફળ તોડવા જતો હતો, ત્યાં એક વાનરે તેને અટકાવ્યો. વાનર મનુષ્યવાણીમાં બોલવા લાગ્યો; “પહેલાં તું અહીંથી દક્ષિણમાં તંબુગિરિ પર્વત પર આવેલા આંબાના વૃક્ષનું ફળ લઈ આવ. એ ફળ ભૂખતરસ શમાવી દે એવાં છે. પછી તું આ ફળ તોડજે.” અંબડ તે સ્થળે પહોંચ્યો. જેવો ફળ લેવા ઝાડ પર ચઢ્યો કે ઝાડ આકાશમાં ઊડ્યું અને એક વનમાં જઈને અટક્યું. સમીપમાં અંબડે એક અગ્નિકુંડ જોયો, જેમાંથી અનેક સ્ત્રી-પુરુષો આવતાં-જતાં હતાં અને નાટારંભના અવાજો આવતા હતા. ત્યાં એક પુરુષ આવ્યો. અંબડને તેણે જણાવ્યું. તે લક્ષ્મીપુરનો રાજા હંસ હતો. તે જ વાનર અને આંબાના વૃક્ષનું રૂપ ધારણ કરી અંબડને લઈ આવ્યો હતો. અંબડને અહીં લાવવાનું કામ વિદ્યાધર રાજાએ દીધું હતું, એમ કહી વિદ્યાધરોની સમગ્ર ઘટના જણાવી. સુંદરપુરમાં શિવંકર રાજાને પુત્ર નહોતો. પુત્ર મેળવવા અનેક ઉપાયો 110 * જૈન રાસ વિમર્શ Page #160 -------------------------------------------------------------------------- ________________ કર્યા, પણ નિષ્ફળતા મળી. વિશ્વદીપક નામના તાપસે શિવંકર રાજાને પુત્રપ્રાપ્તિ માટે ફળ આપ્યું. આ ફળ પતિ-પત્ની બંનેએ ખાવાનું હતું, પરંતુ શિવંકર રાજાએ ભૂલમાં ફળ પોતે એકલાએ જ ખાધું. તેના પરિણામે તેને ગર્ભ રહ્યો. સાતમે માસે ભયાનક પીડા ઊપડી. આ પીડાના શમનાર્થે અનેક ઉપાયો કર્યા, પણ તે સર્વ નિષ્ફળ ગયા. શિવંકરના ભાઈ શુભંકરે ધરણેન્દ્રદેવની આરાધના કરી. ધરણેન્દ્ર શિવંકરની પીડા શાંત કરી. નવમે માસે શુભંકર પુત્રને જન્મ આપી મૃત્યુ પામ્યો. ધરણેન્દ્રે પુત્રનું ‘ચૂડામણિ’ નામ સ્થાપી પાતાલનગર વસાવી આપ્યું. સુંદરપુરના લોકો આ પાતાળનગરમાં રહેવા ગયા. બહારની દુનિયામાં આવાગમન આ અગ્નિકુંડના માધ્યમથી કરે છે. ત્યાં ધરણેન્દ્ર પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું. ધરણેન્દ્ર સર્વ વિદ્યાધરોને આજ્ઞા કરી, પાંચ તિથિએ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરવી. આ પૂજા કર્યા વિના ભોજન ક૨ના૨ની વિદ્યા લુપ્ત થશે અને તે કોઢિયો થઈ જશે એવી કડક ચેતવણી આપી. હંસરાજાએ આમ વાત પૂર્ણ કરી કહ્યું, આજે મંદિરમાં પૂજા-ઉત્સવ ચાલી રહ્યો છે. એટલે અંબડે તે જોવાની ઇચ્છા દર્શાવી. રાજા હંસ અને અંબડ અગ્નિકુંડમાંથી જઈને પાર્શ્વનાથ જિનાલયે ગયા. અંબડે ભાવભરી સ્તુતિ કરી. પછી અંબડે હંસરાજાને પોતાને સોપા૨ક નગરથી અહીં આવવાનું કારણ પૂછ્યું. એટલે હંસે કહ્યું, “એક વાર ચૂડામણિ રાજાએ તિથિના દિવસે પાર્શ્વનાથ ભગવાનની પૂજા કર્યા વિના ભોજન કર્યું, આથી તેને કોઢ થયો. દુઃખી થયેલ રાણી અનશન કરી જાપ કરવા બેસી ગઈ. ૨૧ દિવસના ઉપવાસ થયા, ત્યારે ધરણેંદ્રદેવે કહ્યું; સોપાક નગ૨ના અંબડ નામનો વીરપુરુષ આવેલ છે, તેને લઈ આવ. તે રાજાને રોગમુક્ત કરી શકશે. આથી રાણીની વિનંતીથી હું મને લઈ આવ્યો છું.” અંબડે જિનમંદિરમાં અષ્ટાલિકા મહોત્સવ કરાવી મંત્રિતજલ રાજાને પાયું. આ જળથી રાજા રોગમુક્ત થયો. પ્રસન્ન થયેલા રાજાએ અંબડને દીકરી મદનમંજરી પરણાવી અને પોતાનું ચંદ્રકાંતમણિ જડેલું સિંહાસન જે ધરણેન્દ્ર દેવે આપ્યું હતું, તે ભેટ આપ્યું. અંબડ વિદ્યાધરો પાસેથી અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી મદનમંજરી સાથે પુનઃ સોપા૨ક નગ૨માં આવ્યો. અંબડે યોગીનો વેશ ધારણ કરી નગરીના લોકોને મંત્રમુગ્ધ કરી લીધા. પણ અંબડ રાજાના મહેલમાં પ્રવેશી શક્યો નહિ. એક વાર વસંતઋતુ આવતાં રાજકુમારી સુરસુંદરી ક્રીડા માટે વનમાં આવી. અંબડે મોહિની વિદ્યાથી તેને અદ્ભુત રસની અનુપમ કથા : અંબડ રાસ *111 Page #161 -------------------------------------------------------------------------- ________________ વશ કરી દીધી. યોગી રૂપધારી અંબાની પાછળ પાછળ જ જવા લાગી. સખીઓના વારવા છતાં તે રોકાઈ નહિ. તે મુગ્ધભાવે અંબાની પાસે બેસી ગઈ. અંબડે બંગ-કલિંગ આદિ દેશોની અનેક રસમય કથાઓ સંભળાવી. રાજકુમારીને છોડાવવા માટે રાજાએ સૈન્યને મોકલાવ્યું. અંબડે પોતાની મોહિની વિદ્યાના પ્રયોગથી સૌને પોતાની આજુબાજુ બેસાડી દીધાં. સેનાપતિને પણ વિકરાળરૂપ ધારણ કરી ભગાડી દીધો. આ વાત સાંભળી રાજા પોતે આવી બાણપ્રહાર કરવા લાગ્યો. પણ વિદ્યા પ્રભાવે આ બાણો અંબડને વાગ્યાં નહિ. પછી અંબડે સૈન્ય સહિત રાજાને ચંભિત કરી રાજાના મુગટમાંથી પછેડી કાઢી લીધી અને પોતાનું મૂળસ્વરૂપે પ્રગટ કર્યું. સુરસુંદરીની વિનંતીથી અંબડે રાજાને મુક્ત કર્યો પછી રાજાએ સુરસુંદરીનાં અંબડ સાથે લગ્ન કરાવ્યાં. અંબડે પછેડી લાવી ગોરખયોગિનીને અર્પણ કરી. એ પછી અંબડ ૩ર પત્નીઓ સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યો. અંબડને કુરબક નામે પુત્ર થયો. તે આઠ વર્ષનો થયો, ત્યારે ગોરખયોગિની અબડને ધ્યાનકુંડલિકા નીચે રહેલા હરિશ્ચંદ્રરાજાના અદ્ભુત ધનનો ભંડાર બતાવ્યા. આ ધનનો અધિષ્ઠાયક અગ્નિવૈતાલ દેવતા હતો. અગ્નિવૈતાલે ગોરખયોગિનીની ઉપસ્થિતિમાં જ આ ધનભંડાર અંબડને ભેટ આપ્યો. કાળક્રમે યોગિની સ્વર્ગે ગઈ. પોતાની ગુરુ અને પોતાના જીવનને સાત આદેશના માધ્યમથી વૈભવથી છલકાવી દેનારી યોગિનીના વિરહમાં અંબડ શોકમગ્ન રહેવા લાગ્યો. એ સમયે કેશી ગણધરના ઉપદેશથી અંબડે શ્રાવકધર્મને સ્વીકાર્યો. આ પ્રસંગે કેશી અંબડ સંવાદમાં અંબડનો સાંખ્યદર્શન પ્રતિનો ભક્તિભાવ દેખાય છે. બોલઈ અંબડ જે તુહય કહિઉ જૈનધર્મ ભેદ સવિ લહિલ મોટ૬ દર્શન સાંખ્ય જે અછઈ બીજ ધર્મ સવે તે પછઈ.” (આદેશ-૭, કડી ર૯૧) એ પછી કેશી ગણધરે નવતત્ત્વ આદિના મર્મને સારી રીતે સમજાવ્યા, આથી અંબડે સમ્યક્ત ધારણ કર્યું. શ્રી કેશી ગણધરે સુદેવ, સુગુરુ, સુધર્મનું સ્વરૂપ સંક્ષેપમાં દર્શાવ્યું. તેના આલેખનમાં કવિની ટૂંકાણમાં પણ સુંદર વર્ણન 112 * જૈન રાસ વિમર્શ Page #162 -------------------------------------------------------------------------- ________________ કરવાની શક્તિ દેખાય છે. કેશી ગણધરે અંબડ આગળ સમવસણનું વર્ણન કર્યું. કે(હે)મ રૂપ્ય રત્ન પ્રકાર પ્રાકાર), તેહમાં હિઈ પદમાસનું ધ્યાસ રાગાદિક દોષ નહીં જસ છત્ર ત્રણ્ણિ શિરિ ચઉમુખભાસ.’ પ્રતિકા (હાર્ય આઠ સંયુક્ત, સર્વ જણ સર્વદર્શી મુક્ત, ચઉત્રીસઈ અતિશય નઉ ધણી, પંચત્રીસ વચનગુણિ ગુણી. સર્વજીવ ઉપરિઈ પ્રસન્ના દેવતણઉદેવ ભગવત્ત તેહનઉં શરણ શુદ્ધનિ જેહ સાચઉં પ્રથમ તત્ત્વ તે એક (૩૦૦, ૩૦૧, ૩૦૨ આદેશ ૭) ત્યાર બાદ કેશી ગણધરને અંબડ કહે છે; આ તો ઇંદ્રજાળ વિના કેવી રીતે શક્ય હોય? કેશી ગણધર અંબડનો ભ્રમ દૂર કરવા વિચરતા તીર્થંકર મહાવીરસ્વામીના દર્શને વિશાલાનગરમાં લઈ ગયા. અંબડ પ્રભુ મહાવીરના દર્શન કરી અતિ આનંદિત થયો. આ અંબડ ઘરે ગયા બાદ થોડા દિવસોમાં પુનઃ કામાકુલ મનથી સમ્યકત્વ છોડી મિથ્યાત્વ ગ્રહણ કર્યું. પુનઃ નિમિત્ત મળતાં સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. આમ ૧૮ વાર સમ્યકત્વ લીધું અને છોડ્યું. હવે અંબડને પુનઃ પરમાત્મા સાથે મિલન થયું, ત્યારે પરમાત્માએ કહ્યું; “અહી વી૨ સુલસાનઈ જેઈ જિન તુઝ મિતિ ધર્મ થિર હોઈ” (આદેશ ૭, ૩૨૭) પરમાત્મા મહાવીરના નિદર્શનથી અંબડ સુલસાને મળવા રાજગૃહી ગયો. અંબડ વિચારે છે કે, પ્રભુએ વખાણેલી સુલસા કેવી વ્રતોમાં દૃઢ છે, તે જોઈએ. સર્વપ્રથમ અંબડ રાજગૃહીના એક ઉદ્યાનમાં બ્રહ્માનું રૂપ ધારણ કરીને રહ્યો, નગરના સૌ લોકો વંદન માટે આવ્યા, પણ સુલસા આવી નહિ. નગરના સર્વ લોકો આવ્યા, પણ અંબડે પ્રભુએ વખાણેલી સુલસાને જોઈ નહિ. બીજ દિવસે પુનઃ વિષ્ણુરૂપ લીધું, ત્યારે પણ નગ૨ ઘેલું થયું, પણ સુલસા ગઈ નહિ. ત્રીજે દિવસે શિવજીનું રૂપ ધારણ કર્યું. સુલસાની સખીઓએ સાથે આવવા ઘણું કહ્યું, પણ સુલસા ચલાયમાન ન થઈ. પોતાની ઇંદ્રજાળ વિદ્યાથી અંબડે ચોથે દિવસે પચ્ચીસમા તીર્થંકરનું રૂપ ધારણ કર્યું. તીર્થંકર અદ્ભુત રસની અનુપમ કથા : અંબડ રાસ *113 Page #163 -------------------------------------------------------------------------- ________________ તરીકે ‘ભાવદેવ’ એવું નામ ધારણ કર્યું. હવે તો સખીઓ કહેવા માંડી; હવે તો તીર્થંકર આવ્યા છે. સુલસા તું અમારી સાથે આવ. પણ સુલસાએ કપટ જાણી લીધું. પચ્ચીસમો તીર્થંકર થાય નહિ, તો આ તીર્થંકર કેવી રીતે ? આ કોઈ ધૂર્ત ઇંદ્રજાલિક લાગે છે. સખીઓને કહે છે કે; “મારે ઘરનું બહુ કામ છે” આમ, અંબડની ચાર-ચાર પરીક્ષાઓમાંથી સુલસા પાર ઊતરી. એ પછીના દિવસે અંબડ સંન્યાસીનું રૂપ લઈ સુલસાના ઘરે ગયો. ભોજન આપનારી દાસી સાથે વાદવિવાદ કરી મુષ્ટિપ્રહાર કર્યો. એના પરિણામે કુબ્જા દાસીએ સુંદરરૂપ ધારણ કર્યું. પોતાનું નવયૌવન દર્શાવતા દાસી કહેવા લાગી, આપણા ઘરે કલ્પવૃક્ષ આવ્યું છે. આ યોગીના પ્રભાવે મને સુંદર રૂપ અને નવયૌવન પ્રાપ્ત થયું છે તો આપ પણ યોગીની ભક્તિ કરી પુત્રરત્નને પ્રાપ્ત કરો. ત્યારે સુલસાએ કહ્યું, તારા કર્મક્ષયના પ્રતાપે તને સુંદર રૂપ પ્રાપ્ત થયું છે, એમ મારે કર્મક્ષય થશે, ત્યારે મને પણ પુત્ર પ્રાપ્ત થશે. અંબડે સુલસાની આ વાત સાંભળી, સંન્યાસીરૂપે અંબડને થયું, સન્યાસીઈ સુણી એ વાચ, એહની ધર્મ તણી જે ધ્યાત સૂધી સમિકતથી નિવ ટલઈ, ઇંદ્ર ઉપેંદ્ર સુરાસુર મિલઈ’ (૩૮૧, આદેશ ૭) એટલે, અંબડે મૂળરૂપ ધારણ કરી, પોતાનો વીર વિદ્યાધ૨’ તરીકેનો પરિચય આપ્યો. તેમ જ પ્રભુએ પણ તારા સમકિતની પ્રશંસા કરી છે, તેમ સમગ્ર કથા કહી. પોતે પણ સુલસાના વ્રતની ખૂબ જ અનુમોદના કરી દંઢવ્રત થયો. તેણે શ્રાવકનાં બારે વ્રતો ગ્રહણ કર્યાં. થોડાં વર્ષો બાદ રાજકાજ દીકરાને સોંપી પોતે ગોરખયોગિનીનો સેવક હોવાથી સંન્યાસીવેશ ધારણ કર્યો. બારવ્રતધારી એવા અંબડ-પારિવ્રાજકના સાતસો શિષ્યો થયા. આ સાતસો શિષ્યો પણ બારવ્રતધારી હતા. તેઓને સચિત ગંગાજળ મોકળું હતું, પણ અદત્ત ન લેવાની પ્રતિજ્ઞા હતી. તેઓ એક વાર કપિલપુરથી ગુરુને મળવા મતાલપુર ચાલ્યા. માર્ગમાં તેમના કમંડળનું પાણી ખૂટ્યું. બાજુમાં જ ગંગાનદી વહેતી હતી. પરંતુ દીધી વગર ન લેવાનું વ્રત હોવાથી, તેમણે એ પાણી લીધું નહિ. તેઓએ પ્રાણ તજ્યો, પણ ધર્મ છોડ્યો નહિ. તેમણે અનશન ઉચ્ચાર્યું, અને આયુષ્યપૂર્ણ કરી પાંચમા દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી મનુષ્યભવ કરી મોક્ષે જશે. અંબડે પણ જિનનામકર્મ બાંધ્યું. હવે ક્રમેક્રમે તપશ્ચર્યા કરતા અંબડને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. 114 * જૈન રાસ વિમર્શ Page #164 -------------------------------------------------------------------------- ________________ તેને સર્વવ્યાપી એવું રૂપ ધારણ કર્યું. બધાના જ ઘરે અંબડ પધાર્યા હોય એવું બનવા લાગ્યું. આ આશ્ચર્ય જોઈ લોકો એને “મહાયતિ' કહેવા લાગ્યા. તેના અનેક લોકો શિષ્ય થયા. લોકમુખે આ કૌતુક સાંભળી ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને આ પ્રશ્ન પૂછ્યો. તેના ઉત્તરમાં મહાવીરસ્વામીએ કહ્યું: લોકોની કથા સત્ય છે. અંબડને તપશ્ચર્યાના પ્રભાવે લબ્ધિઓ ઉત્પન થઈ છે. ગૌતમસ્વામીએ અંબડની ભાવિ-ગતિ પૂછી, એટલે મહાવીરસ્વામીએ કહ્યું, આયુષ્ય પૂર્ણ કરી અંબડ પાંચમા દેવલોકમાં દેવ થશે. ત્યાંથી જંબુદ્વીપમાં અવતરી પુનઃ દેવ થઈ આવતી ચોવીશીમાં બાવીસમા દેવ નામે તીર્થકર થશે. થોડા કાળ બાદ અંબડનો કાળધર્મ થયો. તેની બત્રીસ પત્નીઓ પણ પતિના વિયોગમાં મરણ પામી. નિર્ધન થયેલા એવા મેં કુરબકે આ ધ્યાનકુંડલિકો ખોદવાનો પ્રયાસ કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે મારી મરણ પામેલી બત્રીસ માતાઓ ત્યાં હતી. મેં માતાઓને પૂછ્યું; તમે મરણ પામ્યા બાદ પુનઃ કેવી રીતે આવ્યાં? ત્યારે માતાએ કહ્યું, પતિના સિંહાસન પ્રત્યેની આસક્તિને લીધે અમે મરણ પામી વંતરનિકાયની દેવીઓ થઈ છે. તારું ભાગ્ય નથી, માટે તને ધન પ્રાપ્ત નહિ થાય. મેં ધ્યાનકુંડલિકા પુનઃ યથાવત કરી. ત્યાર બાદ મેં વિચાર્યું કે, મારું ભાગ્ય નથી પરંતુ હું કોઈ ભાગ્યવાનને આગળ કરું તો કાર્ય સિદ્ધ થાય. તમને મોટા ભાગ્યવાળાં જાણી હું તમારી મદદ લેવા આવ્યો છું. વિક્રમસિંહ પ્રસન્ન થઈ કુરબક સહિત અન્યને લઈ ધ્યાનકુંડલિકા ખોદવા આવ્યા. ત્યાં વિક્રમસિંહને દિવ્ય અવાજ સંભળાયો; આ ભંડાર તને નહીં મળે. ઉજ્જૈની નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા થશે, એને આ ભંડાર પ્રાપ્ત થશે. એટલે વિક્રમસિંહ રાજા પાછો ફર્યો અને કુરબકના જીવનનિર્વાહની વ્યવસ્થા કરી. આ સિંહાસન ત્યાર બાદ પ્રસિદ્ધ વિક્રમાદિત્યને મળ્યું. આ વિક્રમાદિત્ય મસ્તક પર પંચદંડ ધારણ કરનારો હતો. તેને અગ્નિવૈતાલ સહાયક થયો, અને સુવર્ણપુરુષ તેમ જ ધનભંડાર આપ્યો. આ વિક્રમના મૃત્યુ બાદ સિંહાસન ભૂમિગત થયું, તે પુનઃ ભોજરાજાના સમયમાં ભૂમિમાંથી પ્રગટ્યું. તે સમયે સિંહાસન પરની બત્રીસ પૂતળીઓ (અંબડની બત્રીસ પત્નીઓ)એ અદ્દભુત રસની અનુપમ કથાઃ અંબડ ચસ +115 Page #165 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાદિત્યના પરાક્રમની કથા કહી અદશ્ય થઈ અને સિંહાસન પણ અદશ્ય થયું. આ “અંબડરાસ'ની મુખ્ય કથા છે. આ ઉપરાંત એમાં અનેક ગૌણ કથાઓ આવેલી છે. આ કથાઓ પણ ચમત્કારથી પરિપૂર્ણ છે. અંબડકથાનો ઉત્તરાર્ધ સુલસા સાથે મિલન અને અંબડનું દેવલોકગમન, સાતસો શિષ્યોનું અનશન આદિ ઘટનાઓ જૈનસાહિત્યમાં પ્રસિદ્ધ છે, પરંતુ પૂર્વાર્ધના સાત આદેશોની કથા વિશેષ પ્રસિદ્ધ નથી. આ કથા આગમગચ્છના મૂનિરત્નસૂરિએ કુમારપાળના સમયકાળમાં રચ્યું હતું. આ મુનિરત્નસૂરિએ કુમારપાળના મંત્રી જગદેવની વિનંતીથી સં. ૧૨૨૫માં પાટણમાં “અમમસ્વામીચરિત્ર' રચ્યું હતું, આથી તેની નજીકના કાળમાં આ કૃતિની રચના થઈ સંભવે છે. આ મૂળ સંસ્કૃત કૃતિ બક. ઠાકોરના સમયમાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં હતી, એમ નોંધાયું છે. સંભવ છે કે, મૂળ અંબડકથા સાથે લોકજીવનમાં ફેલાયેલી અનેક ચમત્કારિક કથાઓનો સંગ્રહ સંબડ પારિવ્રાજકના પૂર્વજીવનની કથા તરીકે સાત આદેશમાં કરી લેવાયો હોય. આ કથાઓ અત્યંત ચમત્કારિક છે, એ ખરું. ભલે નિયતિકૃત નિયમરહિતા' કહેવાઈ હોય, પણ કાવ્યસૃષ્ટિ એ પણ પોતાના નિયમોનું પાલન કિરવાનું હોય છે. આ નિયમોનો ભંગ આ કથાઓમાં અનેક વાર થતો જોવા મળે છે, આથી આંતરિક સુશ્લિષ્ટતા પણ જોખમાય છે. અંબડકથામાં આ સાત આદેશની મુખ્યકથા ઉપરાંત દરેક આદેશોમાં અનેક ગૌણકથાઓની ગૂંથણી કરવામાં આવી છે. આ ગૌણકથાઓમાં અનેક ચમત્કારિક કથાઓ દ્વારા આ વૃત્તાંત અત્યંત રસિક બન્યું છે. આ ગૌણ કથાઓમાં કામલતાની કથા આદિ કથાઓ પ્રસિદ્ધ કથાઓ છે, પરંતુ બીજી અનેક કથાઓ વિશેષ પ્રસિદ્ધ નથી, અને લોકકથાની અપૂર્વ સમૃદ્ધનું દર્શન કરાવે છે. પ્રો. બ. ક. ઠાકોરે “મુષ્પમિત્ર' નામની આ કથા પર ટીકા લખવાનું વિચાર્યું હતું, આવી ટીકા લખાઈ હોત તો બ.ક. ઠાકોર આ રાસમાંની વિશિષ્ટતાનું દર્શન કરાવી શક્યા હોત. તેમણે ઈ.સ. ૧૯૦૯થી આ રાસનું સંપાદન કરવાનો પ્રારંભ કર્યો હતો. ઈ.સ. ૧૯૦૦-૧૯૦૧માં રાજકોટ ગુજરાતી સાહિત્ય પરિષદ નિમિત્તે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટથી મંગાવેલી પોથીમાંની એક પોથી હતી. ૧૯૫૨માં તેમના મૃત્યુ બાદ શ્રી ભોગીલાલ 16 જૈન રાસ વિમર્શ Page #166 -------------------------------------------------------------------------- ________________ સાંડેસરાએ પ્રાપ્ત સામગ્રીને આધારે પુસ્તક પ્રકાશિત કર્યું, આમ કુલ ૫૦થી વધુ વર્ષ આ શોધયાત્રા ચાલી. આ રાસની મૂળ હસ્તપ્રત ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં, બીજી નડિયાદથી અને ત્રીજી અન્યત્રથી પ્રાપ્ત થયેલી. આ ગ્રંથ સંપાદનના કાર્ય માટે ઝેરોક્સ કે ફોટોકોપીના અભાવવાળા સમયે શ્રી બ. ક. ઠાકોર મહિનાઓ સુધી પૂણે રહી કાર્ય પૂર્ણ કર્યું, એમાં સંપાદકની ઊંડી નિષ્ઠાનાં તેમ જ આ ગ્રંથ માટેની પ્રીતિના દર્શન થાય છે. તેમણે દરેક આદેશોની બેથી વધારે કોપી કરી આ સંપાદનકાર્ય પૂર્ણ કર્યું છે. એમ છતાં જૂની લિપિ અને જેનધર્મના સર્વ સંદર્ભોની જાણકારીના અભાવે કેટલેક સ્થળે પાઠ જોઈએ એવો શુદ્ધ રજૂ થઈ શક્યો નથી. અંબડ રાસમાં યોગના અનેક સંદર્ભો ગૂંથાયા છે. ગોરખ નામ નાથસંપ્રદાય સાથે સંકળાયેલું છે. કુરબક ગોરખયોગિનીની ધ્યાનકુંડલિકાની નીચેથી ધન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. વળી, નાગડ પણ જ્યારે ભદ્રાવલીનું વેર વાળવા ઇચ્છે છે, ત્યારે કુંડલિનીનું ધ્યાન કરવા કહે છે. બીજા આદેશમાં યોગિની પુત્રી લઈ આવવાનું કહે છે. આવા અનેક યોગના સંદર્ભે ગૂંથાયેલા જોવા મળે છે. આ સાત આદેશોનો સંબંધ પણ યોગના સાત ચક્રો સાથે સાંકળી શકાય. સાતમું સહસારચક્ર માથા પરનો પછેડાની વાત સાતમા આદેશમાં આલેખાયેલી છે. આમ, સમગ્ર કથામાં એક પ્રકારની યોગમાર્ગની પ્રતીકાત્મકતા જોઈ શકાય. એ સમયમાં પણ કન્યાઓ ભણવા જતી, સ્ત્રીઓ શિક્ષિકા પંડિતા) હતી આવું બીજ આદેશની વાર્તાને આધારે કહી શકાય. અંબડકથા એ કલ્પનાનું વિશાળ કુસુમ છે. એના સાત આદેશો એની મુખ્ય સાત પાંખડીઓ છે. આ આદેશોમાં આપણી ભારતીય લોકકથા સૃષ્ટિની અપૂર્વ અને અદ્ભુત કહી શકાય એવી ફેન્ટસી – કલ્પનાસૃષ્ટિનો વિહાર છે. પ્રત્યેક આદેશોની કથાઓ લગભગ “અશ્રુત’ કહી શકાય એવી કથાઓથી ભરી છે. આ કથાઓમાં વપરાયેલી કથાઘટકોની સંખ્યા ઘણી મોટી છે. લગભગ કથાઘટકો આ કથાઓમાં પ્રયોજયા છે. આમાંનાં અનેક કથાઘટકો ભારતીય કથાસાહિત્યનાં સમુદ્રમાંની વિરલ જણસ કહી શકાય એવાં અદ્ભુત મોતીઓ છે. આ કથાઓમાં મનુષ્યજીવનનાં સુખદુઃખનું અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ રાસ +117 Page #167 -------------------------------------------------------------------------- ________________ આલેખન છે, તો આ દુઃખમાંથી બહાર આવવા માટે અંબડનાં વિશિષ્ટ પરાક્રમોનું આલેખન પણ થયું છે. આ પરાક્રમકથા નિમિત્તે કલ્પનાની અલૌકિક છોળ એના મૂળ કર્તા આગમિક ગચ્છના મુનિરત્નસૂરિએ ઉછાળી છે, તો એના ગુજરાતી અનુવાદક મુનિ મંગલમાણિક્ય ગુજરાતી ભાષામાં આપણા સુધી પહોંચાડી છે. આ કૃતિમાં સાંખ્યદર્શન તેમ જ શિવ અને સૂર્યની ઉપાસનાના સંખ્યાબંધ સંદર્ભો ઉપલબ્ધ થાય છે. દા.ત, આદેશ ૧ અંબડ દ્વારા સૂર્યસ્તુતિ, આદેશ : ૨ અંધારી દ્વારા શિવઉપાસના) આમ, સંભવ છે કે, આ કથાઓ મૂળ કોઈ અન્ય પરંપરાની હોય, પરંતુ જૈન કવિએ અંબડ પારિવ્રાજકના જીવન સાથે સાંકળી દીધી હોય. આ કથાઓ ભારતીય કથાસાહિત્યની અમૂલ્ય સંપત્તિ છે અને આ અમૂલ્ય કથાસંપત્તિના રક્ષણ માટે મૂળ સંસ્કૃતકર્તા મુનિરત્નસૂરિ, ગુજરાતી કર્તા બંગલમાણિક્ય મુનિ અને તેના સંપાદક શ્રી બ. ક. ઠાકોર ત્રણેનો અંતઃકરણપૂર્વક આભાર. 18 જૈન ચસ વિમર્શ Page #168 -------------------------------------------------------------------------- ________________ મહાસતિ ઋષિદના રાસ કિરીટકુમાર જયંતીલાલ શાહ શ્રી જીન શાસનમાં પૂર્વે થઈ ગયેલા મહાપુરુષો અને મહાસતીઓના આદર્શ જીવનની યશોગાથા આપણા પૂર્વધરો આ શ્રુતધરો દ્વારા આપણે જાણી શકીએ છીએ. તેમાં આ મહાસતી “ઋષિદરા રાસ” ના રચયિતા પૂ.આ. ભગવંત શ્રી જયવંતસૂરિ મહારાજ સાહેબે સંવત ૧૬૪૩માં આ રાસની રચના કરેલ છે. આ રાસના અનુવાદિકા પૂજ્ય વિનિતયશાશ્રીજી મહારાજ સાહેબ છે, જેઓ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ મહાપ્રભાવશાળી બાલ બ્રહ્મચારી પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના સૌભાગ્ય સંપન્ના પૂજ્ય સૌભાગ્યશ્રીજી મ.સા.ના પ્રશિષ્ટા ગુણગૌરવશાલિની પૂ.ગુણશ્રીજી મ.સા.ના સુશિષ્યા પૂ. પ્રવીણાશ્રીજીના સુવિનિત શિષ્યા થાય. ભવ્ય જીવોને બોધ પમાડવા માટે પૂજ્ય શ્રી ગણધર ભગવંતોએ ધર્મકથા સાહિત્યને સ્થાન આપ્યું છે. જે ધર્મબોધના સાધન તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ધર્મકથા અસાર સંસારમાં વિષયકષાયમાં ડૂબેલા આત્માઓને કામુકતામાંથી સાત્ત્વિકતા તરફ અને અનાચારમાંથી આચાર તરફ લઈ જાય છે. જૈનશાસનના ગગનમાં ટમટમી રહેલા મહાપુરુષો અને મહાસતીઓ રૂપી તારકોનાં જીવન સંદેશાઓ દર્શાવતી આ ધર્મકથાનું મહત્ત્વ જેને સમજાય તેના જીવનમાંથી કર્મકથા તિલાંજલિ લે છે અને ધર્મકથાનો પ્રભાવ પડતા તેનું જીવન પરિવર્તન પામે છે. એટલે કે વ્યક્તિમાંથી વિરલા અને વિરલામાંથી વિશ્વવિભૂતિ બનવાનો આદર્શ પ્રાપ્ત થાય છે. આપણા પૂર્વાચાર્યોએ રચેલા કથાગ્રંથોની ભાષા સંસ્કૃત, પ્રાકૃત કે બ્રાહ્મી લિપિમાં હોવાથી સામાન્યજનો સમજવા સુલભ નથી હોતા. તે પછીના મહાપુરુષોએ તે ધર્મકથાઓને સરળ શૈલીમાં રાસરૂપે રજૂ કરેલ છે. તેમાં આ મહાસતી ઋષિદત્તા રાસની પણ રચના કરવામાં આવી છે. વૃદ્ધ તપાગચ્છની પરંપરામાં આવેલા વિનયમંડન મ.સા.ના શિષ્ય બાલ બ્રહ્મચારી, કવિરત્ન પૂ.આ. ભગવંત જયવંતસૂરિજી મ.સાહેબે સંવત ૧૬૪૩માં આ ઋષિદત્તાના રાસની રચના કરી હતી. મહાસતિ ત્રષદના રાસ +119 Page #169 -------------------------------------------------------------------------- ________________ મહાસતી ઋષિદત્તાના ચરિત્રમાં જીવે પોતે ભૂતકાળમાં બાંધેલાં કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવનમાં કેવી ઊથલપાથલ મચાવે છે. તેની આબેહૂબ પ્રતીતિ જેવા મળે છે. કર્મ ક્યારેય કોઈને છોડતાં નથી. પણ નમસ્કાર મંત્રની અદ્ભુત સાધનાના પ્રભાવે કર્મવાદળ દૂર થતાં ફરી સુખની ઘડી આવી. તેના અનુપમ ગુણોએ કરી દેવો, દાનવો અને માનવો વડે સત્કાર અને સન્માનને પામી. કર્મસત્તાના હુમલાઓને સરળતાથી ફગાવી દેનાર ધર્મસત્તાની અદ્ભુત અને પ્રચંડ તાકાતને સમજવા મહાસતી ઋષિદત્તાને ઓળખીએ. જેમ શ્રીપાળ રાજાનો રાસ દર છ મહિને શાશ્વતી ઓળીમાં વેંચાય છે, તેમ દ૨૨ોજ પ્રભાતે ભ૨હેસ૨ની સજ્ઝાયમાં “રાઈમઈ રિસિદત્તા' એ ગાથામાં મહાસતી ઋષિદત્તાનું નામ પણ લેવામાં આવે છે. રાસની રચનાની શરૂમાં પરમ ઉપકારી શ્રી જયવંતસૂરિ મહારાજ લખે છે “ઉદય અધિક દિન દિન હુવઈ, જેહનઈ લીધઈ નામ તે પાંચે પરમેષ્ટન, હુ નિતુ કરૂ પ્રણામ" અહીં આ ઋષિદત્તા રાસના કર્તા પૂ. જયવંતસૂરિ મહારાજે ગ્રંથના પ્રારંભમાં ચૌદ પૂર્વના સારભૂત, સર્વમંત્ર શિરોમણિ, અનાદિ, અનંત, શાશ્વત પંચ મહામંગલ શ્રુત સ્કંધ સ્વરૂપ શ્રી નવકાર મહામંત્રમાં બિરાજમાન પંચપરમેષ્ઠિને નમસ્કા૨ ક૨વાપૂર્વક ભાવમંગલ કર્યું છે. જેના નામસ્મરણથી દિન પ્રતિદિન અધિક તેજથી સવાયો દીપે છે, એવા પંચપરમેષ્ઠિને હું નિત્ય ભાવપૂર્વક પ્રણામ કરું છું. માનવભવની સફળતા માટે સંયમ સ્વીકારી શ્રેણી આરૂઢ થઈ, પૂર્વ સંચિત કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી આદિ અનંત સુખની ભોકતા બની, એવી પુણ્યાત્મા ઋષિદત્તાનું ચરિત્ર વર્ણવે છે. લવણ સમુદ્રથી વિંટળાયેલો ૧ લાખ યોજન વિસ્તારવાળો જંબુદ્વીપ કે જેને છ ખંડ છે. તેમાં ૨થમર્દનપુરી નામની નગરી હતી. જે શુભાનંદને આપનાર, પથ્ય બોલનાર, ધર્મના મર્મને જાણનાર, એવા શેઠ-શાહુકારોથી શોભાયમાન બની રહી હતી. દાનેશ્વરીઓથી શોભતી આ નગરીમાં ગજગતિ ચાલે ચાલનારી સ્ત્રીઓ હતી. જ્યાં જિનમંદિરો, પૌષધશાળાઓ અનેક હતી. અહીં ન્યાયનીતિમાં નિપુણ એવો પ્રતાપી પ્રચંડ પુરુષાર્થી રાજા હેમરથ શોભી 120 * જૈન રાસ વિમર્શ Page #170 -------------------------------------------------------------------------- ________________ રહ્યા હતા. અને સારા યશને ફેલાવનારી સુયશા નામે પટરાણી હતી, તેને કનકરથ નામે પુત્ર હતો. જેને ગળથુથીમાં જ જિનેશ્વર પરમાત્માનાં દર્શનપૂજા, સદ્દગુરુનો સમાગમ વગેરે નિત્યક્રમ બની ગયો હતો. માતા પુત્રને રોજ હિતશિક્ષા આપતી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષમાપક્ષમથી તે શાસ્ત્રવિદ્યાનો પારગામી બન્યો. એમ કરતાં યૌવન અવસ્થાને પામ્યો અને ધર્મકળાથી દેદીપ્યમાન બની રહ્યો. આ સમયે દક્ષિણ ભારતમાં કાવેરી નામની નગરી હતી, જે કાશી સમાન હતી. જ્યાં ન્યાયસંપન્ન અને લોકપ્રિય એવો સુરપાણિ નામે રાજા હતો. અને તેને વસુલા નામની પટરાણી હતી. તેને રુક્ષ્મણી કન્યા અને સુવર્ણપ્રભ નામે રાજકુમાર હતા. આ રાજાને પુત્રી માટે યોગ્ય વરની ચિંતા રહેતી. બધાં સુખો હોવા છતાં તેની ગતિ એવી હોય છે કે જેમાં દુખ, વેદના, ચિંતા, રોગ, શોક, સંતાપ પડેલા જ હોય છે. સુખદ લાગતો સંસાર આવી અવસ્થામાં દુઃખરૂપ બની જાય છે. જ્યારે બાળક ન હોય ત્યારે બાળકની ચિંતા, બાળક આવ્યા બાદ તેને યોગ્ય ઉમરે થાળે પાડવાની ચિંતા પ્રાણને કોરી ખાય છે. ઉચ્ચકુળના રાજકુમારની શોધમાં મંત્રીને અન્ય દેશોમાં મોકલ્યા જેમણે આવીને કહ્યું કે રથમર્દન નગરમાં હેમરથ રાજાને કનકરથ નામે રાજકુમાર છે, જે દેખાવમાં અતિપ્રિય છે અને વિદ્યામાં પારંગત છે અને આવો સુંદર રાજકુમાર હજી સુધી જોવા મળ્યા નથી. સાથે લાવેલી છબી બતાવી. પુત્રીને છબી પરથી રાજકુમાર પસંદ પડી ગયો. રાજકુમાર પણ દાક્ષિણ્ય ગુણવાળો હતો અને તેણે પિતાનું વચન કહેણ માન્ય રાખ્યું. હેમરથ મહારાજના આદેશથી વિનયી અને નમ્રશીલ એવા રાજકુમાર કિનકરથ રુક્ષ્મણીને પરણવા પ્રયાણ કરે છે. લગ્ન એ ભોગાવલીકર્મની વ્યથા છે. કર્મ હંમેશાં આત્માને ભોગવવાં પડે છે. હળુકર્મી આત્મા ભોગવિલાસમાં લબ્ધ થતો નથી. તે ભોગને રોગ સમાન માને છે. યુવરાજ આવો સુશીલ અને સંસ્કારી હતો, જેથી તેણે પોતાની આત્મહિતની સામગ્રી સાથે રાખી હતી. આવા સુખદ પ્રવાસમાં સુંદર જળાશય પાસે પડાવ નાખ્યો. ત્યાં રાજા અરિમર્દનની આણ વર્તતી હતી. તેને પોતાના ભુજબળનું ભારે અભિમાન હતું. રાજકુમાર આ પ્રદેશમાં રોકાયા હતા તે પ્રદેશમાં રોકાવા માટે રાજા અરિમર્દનની પરવાનગી લેવી પડે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું. ત્યાં જ યુવરાજે કહ્યું કે વટેમાર્ગ માટે આવો કોઈ નિયમ હોઈ શકે નહિ. પરિણામે અરિમર્દનના મહાસતિ ઋષિદના રાસ +121 Page #171 -------------------------------------------------------------------------- ________________ સેનાપતિએ કહ્યું કે આપે પાછા જવું પડશે. જે આપ પાછા નહીં વળો તો આપે મહારાજ અરિમર્દન સાથે યુદ્ધ કરવું પડશે. બન્ને સેનાઓ સામસામે આવી ગઈ. યુદ્ધ શરૂ થયું. અરિમર્દન જોતજોતામાં પકડાઈ ગયો. યુવરાજના હુકમથી તેમને આદરપૂર્વક લાવવામાં આવ્યા. તેમના ગુનાની ક્ષમા આપી. યુવરાજ પોતાના મિત્રો સાથે તંબુમાં ધર્મની વાતો કરી રહ્યો હતો. આત્મદષ્ટિ જેમની ખૂલી હોય છે તે આત્મા જ્યાં આગળ જ્યારે જ્યારે વાતો કરે ત્યારે આત્મજ્ઞાનની જ કરે. પડાવ પાસે જળાશયની શોધમાં ગયેલા સેનાપતિઓ આવ્યા અને જળાશય મળ્યાના સમાચાર આપ્યા. તેમણે આગળ કહ્યું કે ત્યાં ત્રિભુવનને મોહ પમાડે એવી સુંદરી બેઠી હતી. યુવરાજને આશ્ચર્ય થયું. સેવકે કહ્યું કે મહારાજ દેવકન્યા હીંચકે ઝૂલતા-ઝૂલતા અદશ્ય થઈ ગઈ હતી. યુવરાજને આ દેવકન્યા જોવાની ઈચ્છા જાગી અને જળાશયની સુંદરતા જોવા ગયા. યુવરાજને દેવકન્યાના દર્શનની પ્યાસ જાગી. આવી સ્વરૂપવાન કુંવરીને જોઈને રાજકુમાર મનમોહિત બન્યો. એકબીજાની નજર મળતાં તરુણી અદશ્ય થઈ ગઈ. રાજકુમાર તરુણીની શોધમાં નીકળ્યો. ત્યાં તો ઘંટનાદનો રણકાર તેના કાને સંભળાયો. ત્યાં તો દેવવિમાન જેવું જિનાલય દેખાયું. અને પરમાત્માની મુખાકૃતિનાં દર્શન કર્યા. પૂજા કરી. પરમાત્માની પૂજા સાધકને પાવન બનાવે છે. પ્રભુની અંગપૂજાનું ફળ આત્માનો અભ્યદય છે. ત્યાર બાદ રાજકુંવરે ત્યાં વસતા ઋષિને આ દેવકન્યા વિષે આશ્ચર્યથી પૂછ્યું કે તે કોણ છે? ત્યાં જ આશ્રમમાં કન્યા વારંવાર રાજકુમાર સામું જોતી ગૃહકાર્ય કરતી હતી. પોતાના નયનદોરથી કુંવરના મનને તેણે વધી લીધું હતું. ઋષિના મનમાં આ રાજકુમારને દેખી એક વિચાર જાગ્યો કે આ રાજકુમાર ઋષિદત્તા માટે યોગ્ય છે. આ સંદર્ભમાં ઋષિએ રાજકુમારને પાસે બેસાડી આ અંગેની અપૂર્વ વાત કહેવા માંડી. મિત્રાવતી નગરીમાં હરિષેણ રાજા હતો. તેને પ્રિયદર્શના નામે રાણી અને અજિતસેન નામે બાળક હતો. સમય વહેતા પ્રિયદર્શના મૃત્યુ પામે છે. રાજા સમજતા હતા કે આ સંસાર તાપ-સંતાપ અને વેદનાથી ભરેલો છે. રસ્તામાં ઋષિમુનિ પાસે રાજા હરિષણ રોકાય છે. શ્રષિમુનિએ રાજાને કહ્યું કે આપ ધનનો સદ્દઉપયોગ એવી રીતે કરો કે જેથી તું પણ પામી જાય અને બીજા પણ પામી જાય. ધન કમાયા પછી તેનાથી જિનમંદિર બંધાવનારનું કલ્યાણ થાય છે. એ તેનાથી બીજા આત્માઓને પણ 122 જૈન રાસ વિમર્શ Page #172 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શન થાય છે. પરિણામે વિશ્વભૂતિ ઋષિના આશ્રમ પાસે ઋષભદેવ પરમાત્માનું દેવવિમાન બંધાવ્યું. ત્યાં મંગલાવતી દેશના રાજાની પુત્રી પ્રીતિમતિ સર્પદર્શનથી મરણપથારીએ હતી. આ સમયે હરિષણ રાજાએ પ્રીતિમતિને વિષાપહારી વિદ્યાથી જીવંત કરી. સૌ આનંદમાં આવી ગયા. આ સંસારમાં ક્ષણેક્ષણે રંગ બદલાય છે. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. જ્ઞાનીઓ કહે છે : “આ સંસાર દાવાનળ જેવો છે તે છોડવા જેવો છે. સંયમ લેવા જેવું છે. અહીં પ્રીતિમતિ હરિષેણ રાજાને વરે છે. છતાં લગ્ન એ ખરેખર બંધનરૂપ છે. છતાં કર્માધિન આત્મા લગ્નગ્રંથિથી જોડાઈ પોતાના આદર્શને સાચવે છે. લગ્ન એ ફક્ત વિલાસભોગનું સ્થાન નથી. જેમ કર્મમાં ત્યાગ અને અર્પણ ભાવ જ શોભે છે એ જ રીતે લગ્નજીવનમાં પણ પરસ્પરના દોષો પ્રત્યે ઉદારતા અને પરસ્પર અતૂટ વિશ્વાસ હોય તો જ તે જીવન શોભે છે. નારી પુરુષના કાર્યમાં સહાયક બને છે. રાજા-રાણી બને આરાધક ભાવવાળા હતા. સુપાત્ર દાન, અતિથિસત્કાર આદિ જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ચૂક્યા હતા. એક શુભ મુહૂર્ત પ્રીતિમતિ સગર્ભા બની. સમય પૂર્ણ થતાં પ્રીતિમતિએ શુભદિવસે શુભલગ્ન પુત્રરત્નને જન્મ આપ્યો. રાજકુમારનું નામ ધીરણ પાડવામાં આવ્યું. પ્રીતિમતિ રાજકુંવરમાં સુંદર સંસ્કારોનું સિંચન કરતી હતી. હવે રાજા હરિષણ અર્ધશતાબ્દીના આરે આવી ચૂક્યા હતા. મહાદેવીને ૧૫ વર્ષે ગર્ભ રહ્યાનું લક્ષણ દેખાયું. મહારાજ બોલ્યા: મારા દેહમાંથી હવે યૌવન ઓસરવા માંડ્યું છે. આમાં માનવી પોતાના આત્મા તરફ દૃષ્ટિ ન રાખે તો જન્મોજન્મ સુધી અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાવવાનું થાય છે. સંસારના દરેક પદાર્થો ચંચળ, વિનાશી પરિવર્તનશીલ સ્વભાવવાળા છે. જવ ન ઇંદિય હારી જવ ન કર રકખસી પરિક્રઈ, જવ ન રોગ વિચાર જવ ન મચ્ચ સમુલ્લિત અઈ” જ્ઞાનિઓએ સત્ય કહ્યું છે જ્યાં સુધી ઇન્દ્રિયની હાનિ થઈ નથી, જરૂપી રાક્ષસી આવી નથી, જ્યાં સુધી શરીર રોગગ્રસ્ત થયું નથી, જ્યાં સુધી જમ દેવ લેવા આવ્યા નથી તે પહેલા હે જીવ! તું ધર્મઆરાધના કરી લે. રાજાએ કહ્યું કે હવે મારે સંસારની દોટ મૂકી દેવી જોઈએ. તુરત જ મહાદેવી બોલ્યાં મહાસતિ ત્રષિદના રાસ +123 Page #173 -------------------------------------------------------------------------- ________________ કે આપને ચેતવણી તે મારે માટે પણ આજ્ઞા માંગું છું. જ્ઞાનીઓએ આવી વૈરાગ્યભાવનાની ઉત્પત્તિના ૩ સ્થાનો બતાવ્યા છે : (૧) મોહગર્ભિત (૨) જ્ઞાનગર્ભિત અને (૩) દુઃખગર્ભિત. તેઓ જણાવે છે કે જ્ઞાનપૂર્વક થયેલો વૈરાગ્ય આત્માને અનાદિકાળથી વળગેલી જન્મ-જરા-મૃત્યુની જળને દૂર કરવાનો પુરુષાર્થ કરાવે છે. પ્રીતીમતિ સમજતા હતા કે કાયાનો રંગ સદા ચંચળ છે, વૈભવો તુચ્છ છે, આયુષ્ય પાણીના પરપોટા જેવું છે. આ બધું અનિત્ય છે, અજરામર આત્મા જ નિત્ય છે. આ જે માનવ આ સંસારમાં સંપૂર્ણ સુખનો આધાર પોતાની સંગૃહિત વસ્તુઓમાં જ માની બેઠો છે. સુખ તો એવું જોઈએ કે જે કાયમ માટે ટકી રહે. “શ્રેયાંસિ બહુ વિજ્ઞાનિ” શુભકાર્યમાં સંસારત્યાગમાં જેટલો વિલંબ એ સમય દુખનો ગણાય. રાજા-રાણીએ નાના રાજપુત્રને રાજતિલક કરી રાજ સિંહાસન પર બેસાડી દીધો. અને રાજમહેલની બહાર નીકળ્યા, અને મનની સ્થિરતા અને ધીરતાપૂર્વક આગેકૂચ શરૂ કરી. સંસારના સોનેરી પીંજરામાંથી મુક્ત થઈને મુક્તિના મહેરામણમાં મહાલવું હોય તો સંસારનો ત્યાગ એ જ ઉત્તમ માર્ગ છે. બન્ને વિભૂતિ મુનિના આશ્રમમાં આવી ગયાં ત્યાં સાધુવ્રત અંગીકાર કર્યું. હવે સાધ્વી પ્રીતિમતિ દીક્ષા પહેલા જ સગર્ભા હતા. અહીં બને લજ્જાકારી બને છે. આની વિશ્વભૂતિને જાણ થઈ. પરિણામે તાપસમુનિ એ આશ્રમ છોડી ચાલ્યા જાય છે. ત્યાં રોકાયેલા તાપસે જણાવ્યું કે તમે ચિતા ના કરો, કર્મની કરુણતા ભયંકર હોય છે. સમયપૂર્ણ થતાં પ્રીતિમતિએ એક કન્યાને જન્મ આપ્યો. પરંતુ ત્યાર બાદ તુરત જ પ્રીતિમતિએ ચિરવિદાય લીધી. સંસારના ભાવો અનિત્ય છે. નાશવંત છે. એમાં રાગ કરવા નહિ, મુનિ હરિષણ કન્યાને લાવે છે જેને જોઈ ગુરુદેવ બોલ્યા. આ બાળકીનો જન્મ ઋષિ આશ્રમમાં થાય છે, તેથી તેનું શુભનામ “ઋષિદત્તા” રાખ્યું. ત્યાર બાદ ગુરુદેવે કહ્યું કે દક્ષિણ ભારતમાં માર્ગમાં ઋષભદેવ પરમાત્માનું ભવ્ય જીનાલય છે, ત્યાં જા, ત્યાં કન્યાનો ઉછેર સારી રીતે થશે. મુનિ હરિષણ જિનમંદિરના સ્થળે પહોંચી ગયા. મોટી થતી ઋષિદત્તાને જ્ઞાન આપ્યું કે સંસારના તમામ મંત્રો કરતાં અને તમામ શક્તિ કરતાં નવકાર મહામંત્ર શ્રેષ્ઠ છે. તેની આરાધનાથી માનસિક ક્લેશ નષ્ટ થાય છે અને દુષ્ટ કર્મોનો 124 * જૈન રાસ વિમર્શ Page #174 -------------------------------------------------------------------------- ________________ વિપાક ઉપશમે છે. આમ કરતાં તે ૧૮ વર્ષની થાય છે. અહીં મુનિએ તેને અયિકરણની વિદ્યા શીખવી. જેથી કોઈ મુસાફરની નજરે ચઢે કે તરત જ અદશ્ય થઈ જાય. આ પ્રમાણે સમજાતાં કહ્યું કે તે જ આ કન્યા ઋષિદત્તા અને હું તેનો પિતા હરિષણ. તને જોઈને મારી આ કન્યા તારા પર મોહિત થઈ છે. ઋષિદત્તા આ કુંવરને નેહપૂર્વક નીરખી રહી છે. તાપસ હરિષણે રાજપુત્રને કહ્યું કે મારું આ કન્યારત્ન તારા હાથમાં અર્પણ કરવા ઇચ્છું છું. કિનકરથ પ્રસન્નચિત્તે બોલી ઊઠ્યા. આપશ્રીએ મારા મનની જ વાત કરી છે. મુનિએ કહ્યું : ધર્મ તારું રક્ષણ કરે. આ બાજુ યુવરાજને શોધવા નીકળેલા સાથીઓ ઉપવનમાં આવી પહોંચ્યા જ્યાં તેઓએ જાણ્યું કે રાજકુમારનાં લગ્ન આજે અહીં જ છે અને અવાક્ થઈ ગયા. ગોધૂલિકામાં ઋષિદત્તા અને યુવરાજનાં લગ્ન થઈ ગયાં. ઘણા દિવસો પ્રવાસ ખેડી કનકરથ રાજકુમાર અને રાણી રથમર્દન નગરમાં આવ્યાં. જ્યાં યુવરાજને મહારાજ હેમરથે યુવરાજની પદવી આપી. ભવનમાં શાંતિનાથ. ભગવાનના ગૃહમાં મંદિરમાં અષ્ટપ્રકારી પૂજા કરતા ઉત્તમ પુષ્પો ફળો વગેરે ઉત્તમ સિદ્ધિપદને આપે છે તેમ રાજકુમાર અને રાણી માનતાં હતાં. ઉત્તમ સામગ્રીના સમર્પણ પાછળ ત્યાગનો દિવ્ય સંદેશ હોય છે. આ બાજુ કાવેરી નગરમાં એકની એક રાજકન્યાના લગ્નોત્સવની તૈયારીઓ ચાલતી હતી. ત્યાં જ માર્ગદર્શકોએ આવીને જણાવ્યું કે યુવરાજ કનકરયે માર્ગમાં જ એક વનવાસીની કન્યા સાથે લગ્ન કરી લીધાં છે. સમાચાર સાંભળીને રુક્ષ્મણી રાજકન્યા બીજા ખંડમાં ચાલી ગઈ. મહારાજાએ ખૂબ સમજાવી પણ રાણી માને નહીં અને કહે કે એક જ વાર લગ્ન કરે છે અને હું એમને મનથી વરી છું. આ સમયે મહાદેવી વસુલાએ સુંદરી દાસીને તેને મનાવવા કહ્યું ત્યારે સુંદરીની નજર મંત્ર-તંત્ર પર જાય છે. અને મંત્ર-તંત્રમાં પ્રવીણ એવી સુલસા નામની યોગિની પર સુંદરીની નજર જાય છે. જયવંતસૂરિ અહીં રાસમાં જણાવે છે કે “હિવઈ જે હુઈ વાત, સુણઉતે સહુ વિખ્યાત, અદેખી સ્ત્રીની જાતિ, કૂડ કરતી નાણઈ ભાંતિ” એટલે કે સ્ત્રીઓ હંમેશાં અદેખી હોય છે. તેમને ઈર્ષાગુણ વરેલો હોય છે. જુઠું. બોલવામાં અવ્વલ હોય છે. રુક્ષ્મણીના મનમાં વનવાસી કન્યા પ્રત્યે દાહ મહાસતિ ત્રષદના રસ +125 Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ભવ્યો. અને વેર લેવાની ભાવનાથી સુલસા યોગિનીને કામ સોંપવા તૈયાર થાય છે. સુંદરીએ સઘળી વાત તુલસા યોગિનીને જણાવી અને કહ્યું કે મારી સખીને તેના પતિનું મિલન કરાવી તેનું હાસ્ય પુનઃ પ્રગટાવો. સુલસા યોગિની પોતાની મંત્ર-તંત્રની વિદ્યાથી અદ૨ય રીતે કનકરથ અને રાજકુમારી પાસે પહોંચી ગઈ. તે પણ બન્નેને અને ખાસ તો રાજકુમારી ઋષિદત્તાનું મોહકરૂપ જોઈને આશ્ચર્ય પામે છે. તેના પ્રત્યે સુલતાના મનમાં ઈર્ષાનો તણખો ઊભો થયો. તેણે લોહીનો ખેલ શરૂ કર્યો. સુલસા યોગિનીએ એક પછી એક માણસોનાં ખૂન કરીને તેનું લોહી નીતરતું વસ્ત્ર અને માંસના ટુકડા લઈને રાજકુમારના શયનખંડમાં જઈ જ્યાં બન્ને ગાઢનિંદ્રામાં પોઢેલા હતા. ત્યાં ઋષિદત્તાના શરીર પર લોહી નીતરતું વસ્ત્ર ઘસે, ગાલ અને હોઠ પર લોહી છાંટે અને માંસના ટુકડા ઋષિદરાના ઓશીકા નીચે મૂકે છે. આમ વારંવાર થોડા દિવસ સુધી કરતી રહી. પરિણામે શેરીએ શેરીએ ઘર ઘરમાં હાહાકાર મચી ગયો. રાજકુમાર અને રાણી વિચારમાં પડી ગયાં છે. રાણી કનકરથને સમજાવતાં કહે છે કે કોઈ દૈવયોગે મને સકંજામાં નાખવા ઈન્દ્રજાળ રચી છે. જ્યારે યુવરાજનો વિશ્વાસ દઢ થયો અને મનનો સંશય દૂર થયો ત્યારે પ્રિયતમાને આશ્વાસન આપવા લાગ્યો અને કહ્યું કે તું નચિંત રહેજે. રાજા આ વાતથી ક્રોધાયમાન બને છે. લોકોની ફરિયાદ વધે છે. પરિણામે આ અંગે રાજા સાથે વાત કરવા સુલસા રાજભવનમાં આવે છે. સુલસા રાજાને કહે છે “તમારો પુત્ર યુવરાજ જે વનવાસિની કન્યાને પરણી લાવ્યો છે તે દેખાવમાં અતિ રૂપવાન અને સુંદર છે. પરંતુ વિનમ્ર છતાં મહાવિકરાળ છે. તે જ રાક્ષસી તારા નગરનો નાશ કરવા અહીં આવી છે. સુલસાએ અંતિમ તીર ફેંકતાં કહ્યું રાજનું આપની કુલવધુ જ હત્યારી છે. મહારાજે જાતે તપાસ કરી અને વાતમાં તથ્ય લાગ્યું. યુવરાજ કનકરથની પરિસ્થિતિ અંતે કરુણ અને વિકટ બની. ઋષિદત્તાએ કહ્યું કે હું જૈનકુળમાં જન્મેલી છું અને “અહિંસા પરમો ધર્મ” ના સંસ્કારથી ગૃહિત છું. હત્યાના સમાચારથી મહારાજા અત્યંત આવેશમાં આવી ગયા અને કહ્યું આવી રાક્ષસી ઘરમાં ક્યાંથી આવી? આ વાત સમગ્ર રાજમહેલમાં અને નગરમાં થવા લાગી. જોકે યુવરાજે કહ્યું કે હું તને સંપૂર્ણ નિર્દોષ અને નિર્મળ માનું છું અને માનતો રહીશ. આ બાજુ મહારાજાએ 126 જૈન રાસ વિમર્શ Page #176 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રીને જણાવ્યું કે ઉદ્દઘોષણા કરાવો કે આજે રાજસભામાં હત્યારીને પ્રકટ કરી તેની શિક્ષાની જાહેરાત કરાવવામાં આવશે. અને તુરત જ કહ્યું વત્સ તારી પત્ની ઋષિદત્તાને હત્યારી તરીકે જહેર કરવામાં આવે છે ત્યારે યુવરાજે કહ્યું, યુવરાશી સંપૂર્ણ નિર્દોષ છે. છતાં મહારાજા આજ્ઞા કરાવે છે કે ઋષિદરાને સ્મશાનમાં લઈ જવી અને ત્યાં તેનો વધ કરવો, અને મહારાજાએ સુલતાને તેના ઉપકારના બદલામાં ભેટ મોકલી અને આભાર માન્યો. | ઋષિદત્તા કહે છે કે પૂર્વકૃત કર્મોના પાપનો ઉદયકાળ આવ્યો હશે! કષાયથી બાંધેલાં કર્મોને અવશ્ય ભોગવવાં પડે છે. હું પણ નીડરતાપૂર્વક ભોગવીશ અને સ્મશાન તરફ ચાલી નીકળે છે. હવે ઋષિદત્તા નવકારમંત્રના સ્મરણમાં લીન બની જાય છે. નવકારમંત્રનું આરાધન ભવોભવના બંધન તોડી જન્મ-જરા-મૃત્યુ પર વિજય અપાવે છે. સ્મશાનમાં મારાઓ ઋષિદત્તાને મૃત સમજી તેના પ્રાણ ઊડી ગયા હોય તેમ સમજી તેને ત્યાં છોડીને ચાલી નીકળે છે. સમય જતા ઋષિદત્તા જાગે છે અને વિચારે છે કે પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર એ જ શરણભૂત છે. ઋષિદના સજાગ થઈ ગઈ અને જંગલની વાટે દોટ મૂકી. લખે છે કે : કરમ સાથ ઈ રે કુણઈ નહિ ચલઈ કરમાઈ નડ્યા રે અનેકજી” કરમને શરમ નથી. કર્મના મર્મને સમજે તે આત્મા ભવસાગર તરી શકે છે. ગુણવાન એવી ઋષિદના પોતાના મનને સાંત્વન આપે છે. ધીમેધીમે તે તેના પિયરના વન તરફ જાય છે. પિતાનો આશ્રમ દેખાયો. ત્યાં આવીને વિચારે છે કે સ્ત્રીની યુવાની હરકોઈ પુરુષને લલચાવે છે, તેથી મારે શીલ સાચવવા સાવધાન બનવું પડશે. આશ્રમમાં તપાસ કરતા એક ઔષધિ પ્રાપ્ત થઈ કે જેના ઉપયોગથી સ્ત્રી-પુરુષ જેવી દેખાય. અને વિચારતા અને ઔષધિનો ઉપયોગ કરતા ઋષિદત્તા હવે ઋષિકુમાર બની ગઈ. આ બાજુ કનકરથ વિલાપ કરે છે. અને ધીમેધીમે રાજનીતિમાં રસ લેતો થયો. બીજી બાજુ તુલસા યોગિની કાવેરી નગરીમાં રુક્મણીને આનંદિત કરે છે અને ભેટ મેળવે છે. ત્યાર બાદ કાવેરી નગરીના મહારાજનો દૂત રાજમાં આવી હેમરથ રાજાને કહે છે કે અમારા મહારાજ પોતાની રૂપવાન મહાસતિ ઋષિદના ચસ 127 Page #177 -------------------------------------------------------------------------- ________________ કન્યાનું કનકરથ યુવરાજ સાથે કન્યાદાનની પ્રાર્થના કરે છે. હેમરથ રાજા આનંદ પામ્યા “ભાવતું હતું ને વૈદ્ય કહ્યું.” પરંતુ રાજકુમાર એક ના બે થતા નથી. પરંતુ ઘણી સમજવટ બાદ ગુણિયલ રાજકુમારે કહ્યું કે આપને ઉચિત લાગે તેમ કરો. પરિણામે રક્મણીનું પાણિગ્રહણ કરવા નક્કી કરે છે. કનકરથ રાજકુમાર વિચારે છે કે હવે કોઈ પણ પ્રિયજનોનો સંબંધ થશે તે વિસામા સમુ બનશે અને એટલામાં અનિવેશમાં ઋષિદત્તા આવે છે. યુવરાજ આ યોગીરાજને જોઈને તેમાં તેને પોતાની પ્રિયતમા ઋષિદત્તાનાં દર્શન થાય છે. પરિચય થાય છે. ઋષિદરા પોતાના પ્રિયતમને ઓળખી જાય છે, તેણે રાજકુમારને કહ્યું છે હું ઋષિદત્તાનો ભાઈ છું અને વાત ટૂંકાવી. પરંતુ યુવરાજના અતિઆગ્રહથી ઋષિદત્તા, યોગીના રૂપમાં કાવેરી નગરી જવા તૈયાર થાય છે. કાવેરી નગરીમાં કનકરથ અને રુક્મણીનું પાણિગ્રહણ થયું. શયનખંડમાં પ્રવેશે અને વાર્તાલાપ થાય છે. કનકરથના એક એક વચનો રકમણીને રૂપને ગર્વને પીગળાવી નાખે છે. ત્યારે રકમણી ક્રોધ અને ઈર્ષામાં કહે છે. વનવાસિની ઋષિદત્તાના અંતરની આશાને ચૂરેચૂરા કરનાર હું પોતે જ છું તેની વાત આપ જણશો તો આશ્ચર્ય પામશો. તે કહે છે કે મારા પ્રબળ પ્રેમની પૂર્તિ કરવા સુલસા નામની યોગિની મને મળી. અને તેને મારા હૃદયની કહાની સંભળાવી. તેણે આ બાબતમાં મને સહાય કરવા તૈયારી બતાવી. મેં કહ્યું કે રથમર્દન નગરીમાં જઈને તે તાપસ કન્યા (ઋષિદત્તા) ઉપર કલંક ચઢાવજે. તેના રૂપનું ગર્વ ઊતરી જાય તેવું કરજે. યુવરાજ મને ઇચ્છે અને અહીં આવી મારી સાથે પાણિગ્રહણ કરે તેવું કરજે. પછી સુલતા યોગિની રથમદન નગરીમાં જઈ પોતાની મેલી વિદ્યાથી નગરમાં કેવો કાળોકેર વર્તાવ્યો – તે સર્વ વૃત્તાંત આપ જાણો છો. મેં પણ આપને મારા કરવા અથાગ પ્રયત્નો કર્યા. આ સાંભળી કનકરથનું હૃદય વલોવાવા લાગ્યું. તેને લાગ્યું કે આત્મા પોતે જ પોતાના કર્મનો કર્તા અને ભોકતા છે. જેવા કર્મ બાંધે તેવું જ તેનું કર્મ ભોગવવું પડે છે. | કનકરથે રકમણીને કહ્યું કે તું આજથી મારી ધર્મપત્ની રહીશ પણ કેવળ લોકનજરે. યુવરાજ વિચારે છે કે ઋષિદત્તાને નહીં બચાવનાર મારે અપરાધનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. અને ઉપવનમાં બહાર ચિતા ગોઠવી. આ સમયે યોગીરાજના વેશમાં રહેલી ઋષિદના કનકરથને સમજાવે છે અને કહે છે કે ઋષિદત્તાનું મોત ના પણ થયું હોય અને આપ જીવતા હશો 128* જૈન રાસ વિમર્શ Page #178 -------------------------------------------------------------------------- ________________ તો મનવાંછિત પ્રાપ્તિ કરી શકશો. યોગીરાજના વચનથી યુવરાજ ચમક્યો. અને લાગ્યું કે ઋષિદત્તા ખરેખર મરી ન પણ ગઈ હોય. ઋષિદત્તાએ કહ્યું કે મેં જ્ઞાનથી જાણ્યું છે કે તમારી પ્રિયા ઋષિદત્તા જીવંત છે. એમ કહીને પોતે યોગીરાજના વેશમાં ઔષધિના પ્રયોગથી પોતાનો સ્ત્રી પહેરવેશ ધારણ કરી દીધો. ઋષિદત્તા કહે છે કે ઋષભદેવની ભક્તિ સાંગોપાંગ ફળી છે. ઋષિદત્તા પ્રકટ થાય છે. બન્નેનું શુભમિલન થાય છે. રાજા સુલસા યોગિનીને દેહાંતદંડની સજા આપે છે. રુકમણી પિતાજી અને સૌની માફી માગે છે. ઋષિદત્તા કનકરથને કહે છે કે મારી માફક આ રુકમણિને આપ અપનાવી લો, અને ગઈ ગુજરી ભૂલી જાઓ. અપકારની ગાંઠ વાળવામાં આત્મશુદ્ધિ નથી, પણ ક્ષમાના માર્ગે જવામાં આત્મશુદ્ધિ છે. ઋષિદત્તા રુકમણિને ગુણિયલ બહેન કહીને ભેટી પડે છે. આમ રકમણિને ઉદાર મનવાળા મહાન પતિ કનકરથ મળ્યા છે અને ઉદાર દિલવાળી ગુણિયલ બેન ઋષિદત્તા મળી યુવરાજ બને પત્ની સાથે નગપ્રવેશ કરે છે. યુવરાજે પિતાને કહ્યું: ધર્મો રક્ષિત રક્ષત એટલે કે જે ધર્મની રક્ષા કરે છે તેની ધર્મ રક્ષા કરે છે. હેમરથ રાજા ભદ્રાચાર્યજીને મળવા જાય છે ત્યારે આચાર્યએ કહ્યું : આપનો ચારિત્ર ધર્મ લેવાનો સંકલ્પ શ્રેષ્ઠ છે. અનંતકાળ જૂના કર્મના બંધનો તોડવાનો આજ શ્રેષ્ઠ માર્ગ છે. બાંધેલા કર્મનું ફળ આત્માએ ભોગવવું જ પડે છે. સમય જતાં કનકર અને ઋષિદત્તા સંસારત્યાગ કરે છે. મહાસતિ ઋષિદના રાસ +129 Page #179 -------------------------------------------------------------------------- ________________ દેવકીજી: છ ભાયારો રાસ ડૉ. જયશ્રી ઠાકોર દેવકીજી : છ ભાયારો રાસ'ના કર્તાનો નામોલ્લેખ મળતો નથી. તેથી એ અજ્ઞાત કર્તાનો રાસ છે. પરંતુ આ અજ્ઞાત કર્તાએ “સુલસાએ હરિણગમેલી દેવની ઉપાસના કરી' એવો ઉલ્લેખ કર્યો છે. વળી એમાં દેવકજીના કથાનકનું જૈનપરંપરા અનુસાર નિબંધન થયું છે. આથી એના કર્તા જેનકવિ હશે એવું નિશ્ચિતપણે માની શકાય. એમાં મારવાડીના પ્રભાવવાળી મિશ્ર ગુજરાતી ભાષા તથા કથનશૈલી યોજાઈ છે. તેથી આ રાસ પ્રમાણમાં પ્રાચીન એટલે કે મધ્યકાલીન સમયમાં રચાયો હશે એવું લાગે છે. કૃતિની સંરચના: દેવકીજી: છ ભાયારો રાસ ૧૯ દોહા, ૧૯ ઢાલ અને અંતે કલશ એમ ૭00 પંક્તિઓમાં વિસ્તર્યો છે. આ રાસની શરૂઆત નેમિનાથની પ્રશસ્તિ કરતા દોહાથી થાય છે. શ્રી નેમ જિણંદ સમોસરા, ત્રયે કાલના જાણ ભવ્ય જીવને તારવા, બોલ્યા અમરત વાણ વાણી સુણિ શ્રીમનિ, બુઝા છએ કુમાર એ પછી કૃતિના પ્રથમ ઢાલમાં કથાનક આ પ્રમાણે ગતિ પકડે છે : આગના લેઈ ભગવંતનિજી, છએ બાંધવ સાર ગોચરિ કરવાને નિકલાજિ, દ્વારકાનગરિ મુંઝાર કથાની રૂપરેખા: ભગવાન નેમિનાથની વાણી સાંભળી એક શ્રેષ્ઠીના છએ છ પુત્રોને સત્યબોધ થયો. તેમણે માતાપિતાની અનુજ્ઞા લઈ દીક્ષા લીધી અને આખી જિંદગી બે-બે ઉપવાસ અને એ પછી એક-એક પારણું કરવું, એવો નિયમ લીધો. એક વાર નેમિનાથ દ્વારકા પધાર્યા ત્યારે તેમની સાથે આ છ સાધુઓ પણ આવ્યા. નેમિપ્રભુની આજ્ઞા લઈ તેઓ ગોચરી લેવા નીકળ્યા. કવિ આ સાધુઓ કેવા દેખાતા હતા તેનું તાદશ વર્ણન કરે છે : 130 જૈન રાસ વિમર્શ Page #180 -------------------------------------------------------------------------- ________________ અનેક સન્યા આદે કીજી, છએ સરખાં અણગાર; રૂપસુંદર અતિ શોભતઈજ, નલકુબેર અનુહાર ત્રણ સંઘાડે કરિ સંચરઈજ, મુનિવર મહા ગુણધાર; ઈરજસુમતિ ચાલતઈજ, પટકાયના હિતકાર. આ પંક્તિ છયે સાધુની શોભાયમાન દેહાકૃતિ તથા એકસરખા ચહેરામોહરાનું સૂચન કરે છે. વળી તેઓ બે-બે સમૂહમાં ગોચરી માટે ફરતાફરતા વસુદેવના ઘરે આવી પહોંચ્યા – એ ઘટનાનો પણ નિર્દેશ કરે છે. દેવકીજીએ બીજા બે બે સાધુઓનેય દેવકીજીએ ભિક્ષા આપી : મોદક-શાલ ભરિ કરિજી, વોરાર્વે દુસરી વાર; દસ્ન-જમણ-તણા લાયર્ને જિ હયર્ડ હરખ અપાર. એ પ્રસંગે દેવકીજીની મનઃ સ્થિતિ અને આત્મમંથન કવિએ સુપેરે વર્ણવ્યાં છે: ભલાનો તો કરણ કોઈ નહીજિ, દિસંત મોઢ અણગાર તિસરિ વાર એ આવિયાઈજ, નહિ એ તો સાધુરો આચાર. આમ દેવકીજી વિમાસણમાં પડ્યાં કે આ વાત આ સાધુઓને કહેવી કે નહીં? પણ છેવટે મનને દઢ કરી તેઓ બીજી ઢાલમાં સાધુઓને પૂછે મુનિવર નગરી દ્વારકાંજી, બાર જોજનચે મંડાણ; ક્રસ્મ નરેસર ચજિયોરેિ, જેની ત્રણ ખંડમાં આણ. લાખ કરોડ ધી વસેરેિ, નગરિમાં બહુ ઘતાર; માહરે પુન તર ઉરેિ . મુનિવર આયા તજિ વાર. આમ દેવકીજીના પ્રશ્નનો મુનિઓએ ઉત્તર આપ્યો કે – આ તારા પુણ્યનું ફળ છે. પણ દેવકીજીને એવું લાગ્યું કે – મારા પ્રશ્નનો ગર્ભિત અર્થ આ સાધુ ભગવંતોને સમજાયો લાગતો નથી. આથી દેવકીજી કહે છે કે – આપને આહાર મળ્યો નહીં હોય તેથી આપ મારા ઘરે ત્રીજી વાર આવ્યા છો. એ વેળા મુનિઓએ ખુલાસો કર્યો કે – હે દેવકી! અમે છ ભાઈઓ-બે બેના સમૂહમાં આવ્યા છીએ: દેવકીજીઃ છ ભાયારો રાસ +131 Page #181 -------------------------------------------------------------------------- ________________ તું સંકા મતિ આણ અમે પેહેલા વોરી ગિયાજિરે, તે મુનિ દુજ જી. આ સાંભળી દેવકીજીને આશ્ચર્ય થયું. આથી તેમણે મુનિઓને પૂછ્યું : હે મુનિવર, તમે ક્યાં જન્મ્યા? તમારાં માતા કોણ છે? દેવકિ મન અચરજ થયો જિ, એ કિણ માયા જાયા રે પુત, કોણ નગરિથી નિકલાજી રે, તમે વસતાં કોણ ગામ, કોહોનાં છો તુમેં દિકરાજિરે, કહેજે તેહનો નામ... મુનિરાજ જવાબ આપે છે - નાગસેઠનાં અમે દિકરાજિન્હેં, સુલસા અમારી રે માય ભદ્દિલપુરના વાસિયાંજિરે, સંમ લિધો છો ભાય રે ત્રિસ ત્રિસ રંભા તજિ જિ, બત્રિસ બત્રિસેં રે દાસ કુટુકા મેલાં અમે રોવા જિરે, વિલ વિલ કરત માય દેવકિ લોભ ન છેહ લગાર. અમે આમ મુનિઓએ દેવકીજીના કુતૂહલને શમાવતા કહ્યું કે નાગશેઠ અને સુલસાના પુત્ર છીએ – અને ભદ્દિલપુરના વતની છીએ. અમે છ યે છ ભાઈએ દીક્ષા લીધી છે. લગ્નમાં અમને મળેલી બત્રીસ – બત્રીસ પત્ની અને બીજી દાસદાસી આદિ સુંદર સુંદર વસ્તુઓનો અમે ત્યાગ કર્યો છે. અમે કુટુંબ અને માતાને રડતા-વલવલતા મૂકીને નીકળ્યા છીએ અને અમને કોઈ પણ વસ્તુનો લેશમાત્ર લોભ નથી. આ સાંભળીને દેવકીજીએ વિચાર્યું કે, આવો પરિવાર તજીને આ મુનિઓએ દીક્ષા કેમ લીધી હશે? એટલે વળી પાછું દેવકીજીએ જિજ્ઞાસાવશ પૂછ્યું કે તમે શા દુ:ખે ઘર છોડીને નીકળ્યા? આનો જવાબ આપતાં મુનિઓએ કહ્યું કે – અમે પરિવાર સાથે સરસ રીતે કાળ વિતાવતા હતા. સમય ક્યાં પસાર થઈ જતો એનીયે અમને ખબર પડતી ન હતી. એ વેળા શ્રીનેમિનાથ પધાર્યા. તેમની ધર્મિષ્ઠ અને વૈરાગ્યભરી વાણી સાંભળી અમે સુખને ભયાવહ જાણી સંયમ સ્વીકાર્યો, ચાર વ્રતો અંગીકાર કર્યા, ધ્યે કાયના જીવોને અભયદાન આપ્યું. મા તથા ભાર્યાઓને ઝૂરતી મૂકીને, બે-બે ઉપવાસ પછી પારણાં કરવાનું વ્રત અમે સ્વીકાર્યું છે. આજે અમે બે-બેના સમૂહમાં અહીં પારણાંની ગોચરી લેવા આવ્યા છીએ. એટલે અમે ત્રીજી વાર આવ્યા 132 * જૈન રાસ વિમર્શ — Page #182 -------------------------------------------------------------------------- ________________ છીએ એવું તમને લાગ્યું છે. પરંતુ આવા કઠોર ગૃહત્યાગની વાત દેવકીજીને બરાબર સમજાતી નથી. એટલે દેવકીજી ફરીથી પૂછે છે કે ઘરમાં શાની ખોટ હતી તે તમે આમ કર્યું. આમ દેવકીજીએ મુનિરાજોને વારંવાર પૂછ્યું કે – આપ વૈચગ્યને કઈ રીતે પામ્યા તે કહો! | મુનિઓએ જવાબ આપ્યો કે – નેમિનાથજીની વાણી સાંભળી અમે સંસારને અસ્થિર જાણી લીધો, કુટુંબને કારમું ગયું. હે દેવકી! અમારી વાત પર તમે જરાય શંકા ન કરશો. અમે તો ધર્મોપદેશથી ધર્મજ્ઞાન થવાને લીધે મુક્તિના ભાથારૂપ સંયમ લીધો છે. અને લીધો મુક્તિનો સાયોજી રે. આ સાંભળી દેવકી વિચારવા લાગી કે, આટલી નાની વયે દીક્ષા લેનાર આ બાળકો ધન્ય છે. પરંતુ જે ઘરમાંથી આવા સુંદર પુત્રો નીકળી ગયા હશે તે ઘરમાં શો ઉમંગ બાકી રહ્યો હશે? મારે એમની સાથે કશુંય સીધું સગપણ નથી છતાં એમના પ્રત્યે મારો પ્રેમ કેમ જગૃત થયો હશે? સાધુઓને જતા જોઈ દેવકીની આંખમાંથી આંસુ પડવા માંડ્યાં. દેવકીજીએ બાળપણનો એક પ્રસંગ યાદ આવ્યો. દેવકીજી નાનાં હતાં ત્યારે અતિમુક્ત નામના મહાત્માએ કહ્યું હતું કે, તું એવા આઠ પુત્રોને જન્મ આપશે કે જેનો જોટો ભારતવર્ષમાં મળશે નહીં. પરંતુ પોતાને તો એક જ પુત્ર છે અને આવા આઠ પુત્રોને જન્મ આપ્યા વિના પણ મને કેમ આનંદ થાય છે? આવો સંશય કેવળ શ્રીનેમિનાથ જ દૂર કરી શકે એમ છે માટે દેવકીજી સત્વર શ્રીનેમિનાથ પાસે જવા રથમાં નીકળ્યાં. તેઓ પરિવાર સાથે કેમ જિનેશ્વર જે સ્થાને સમોસમરણમાં બેઠા હતા ત્યાં પહોંચ્યાં, પ્રભુને પંચાંગ વંદન કર્યા. ત્યાર બાદ તેમણે નેમિપ્રભુને પોતાનો સંશય દૂર કરવાની વિનંતી કરી. નેમિનાથજીએ કહ્યું કે, એ છયે પુત્રો તમારા જ પુત્રો છે. નાગશેઠ અને સુલતાના ઘરે તો તેઓ માત્ર મોત થયા છે. દેવકીજી પૂછે છે કે, આ પુત્રોને જન્મ આપ્યાનો મર્મ હું જાણતી નથી તો આપ એ મર્મ સમજવો. નેમિપ્રભુ કહે છે કે – હે દેવકી! તારી ભાભી જીવજશા અઈમુત્તા અણગારની હાંસી કરવા લાગી. આથી અઈમુતા અણગારે ક્રોધે ભરાઈને શાપ આપ્યો : આવો મુનિવર આપણે ભેગા મળી ગીત ગાઈએ... મુરખણિ ગિનાની માની, ખબર પડે લાતારિ દેવકીગરભ જે સાતમેં થાસે, તે તારા કુલનો એકરિ. દેવકીજીઃ છ ભાયારો રસ 133 Page #183 -------------------------------------------------------------------------- ________________ “હે જરાસંધ પુત્રી અને કંસની પત્ની, તું જાણતી નથી કે, મારો શબ્દ. કદી પાછો પડતો નથી.” આ શબ્દો સાંભળી જીવજશા ધા નાંખતી કંસ પાસે ગઈ. વાત સાંભળી કંસ ચેતી ગયો અને ઉપાય કર્યો. કંસે વસુદેવ પાસે વચન લીધું કે, દેવકીનાં સર્વ બાળકો કંસને ઘેર મોટાં થાય. વસુદેવે સંમતિ આપી. કંસ રાજી થયો. પરિણામે દેવકી જ્યારે જ્યારે ગર્ભવતી થતી ત્યારે કંસ એના પાસે સાતસાત ચોકી મૂકતો. આ વાત આગળ ચલાવતા દસમી ઢાલ અને ૧૦મા દોહામાં વર્ણવાયું છે, તે અનુસાર તે સમયે ભક્િલપુર નામના ગામમાં નાગશેઠ અને પત્ની સુલસા સુખરૂપે રહેતાં હતાં, પરંતુ એને મૂએલા પુત્રો અવતરતા. આથી તેણે હરિગમેલી દેવની આરાધના કરી અને દેવ પ્રત્યક્ષ થયા અને શા માટે મારી આરાધના કરે છે તે પૂછતાં જણાવ્યું કે મારા મૂએલા બાળક જીવતા થાય એવી શક્તિ આપો. દેવે કહ્યું કે મરેલાને જીવતા કરવાની શક્તિ મારામાં નથી. આ સંદર્ભે સુલસાએ બીજો કોઈ ઉપાય સૂચવો એવું કહ્યું ત્યારે દેવે સમજાવ્યું કે આ બધું પૂર્વ પુણ્યને આધારે જ સાંપડે છે, ત્યારે સુલસા તરત બોલી કે હે દેવ તમે તુષ્ટ થયા પણ તે ન થયા બરાબર જ. આ સાંભળી દેવે કહ્યું કે હું તને તરતનું જન્મેલું બાળક આણી આપું, પણ એ સંદર્ભે સુલસાએ પ્રતિપ્રશ્ન કર્યો કે તમે ગમે તેનું બાળક લાવી આપો તેની શી ખબર પડે? અને મને એવા બાળક ન ખપે. આ કથનને અનુલક્ષીને દેવોએ સ્પષ્ટતા કરી કે કંસે વસુદેવ અને દેવકીના જે પુત્રો મારવા માટે માગ્યા છે, તે તને હરીને લાવી આપીશ. આ સાંભળી સુલસા રાની રેડ થઈ ગઈ. હવે આ જ્ઞાન વડે દેવે વિચાર કરીને દેવકીને કહ્યું કે તું અને તુલસા બંનેને એક જ સમયે ગર્ભવંત કર્યો અને જન્મકાળે દેવકીનો પુત્ર લઈને સુલતાને આપ્યો અને તારું મૂએલું બાળક ઊંચકીને તેની પાસે લઈ ગયો. છયેની બાબતમાં આમ બન્યું. એણે તમને બંનેને નિંદ્રા પ્રેરીને આમ કર્યું એટલે તે તમે કોઈએ આ બાબત જાણી નથી. માત્ર બધાંને એટલી જ ખબર પડી કે કંસે તારાં મરેલાં બાળકો લીધાં. આમ આ છયે મોટા થયા, ભણ્યા, પરણ્યા ને દેવસમાન સુખ ભોગવવા લાગ્યા. પછી તેઓએ વૈરાગ્યવાણી સાંભળી દીક્ષા લીધી. આ પછી દેવકી પોતાના પુત્રોને વંદન કરવા માટે આવી, ત્યારે અતિ આનંદને કારણે એની કંચુકીની કસ તૂટી અને થાનમાંથી દૂધની ધાર છૂટી, આ એકીટશે નિહાળી 134 જૈન ચસ વિમર્શ Page #184 -------------------------------------------------------------------------- ________________ રહેલા આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. અંતે મોહવશ દેવકી ઘેર આવી, અશુભ વિચારો કરી રહી હતી ત્યારે કૃષ્ણ, માતા દેવકીને પગે લાગવા આવ્યા. આમ દેવકીને વિચારગ્રસ્ત અને દુઃખી જોઈને, કૃષ્ણે પૂછ્યું કે મા, તમને કોણે દુભવ્યાં છે? એના જવાબમાં દેવકીજી કહે છે કે હું જગતની સર્વ દુ:ખી નારીઓમાં સૌથી વધુ દુ:ખી છું, મેં તારા જેવા જ સાતને જન્મ આપ્યો છે, પણ એકનેય ગોદમાં હુલરાવી શકી નથી. એક સાતમો તું મારી પાસે આવ્યો તે પણ છેલ્લે. તેનેય છ મહિના થઈ ગયા. અને આ પહેલાં સોળ વર્ષ તું અળગો – નંદ-જશોદાને ત્યાં રહ્યો. મેં તારા બાળપણના એકેય કોડ પૂર્યા નહિ. આ દેવકીની દુઃખભરી વેદના નીચેના શબ્દોમાં વ્યક્ત કરાઈ છે : મેં કીયાં કરમ કઠોર રે... ભવાંતરે કીધાં હશે મેં કંઈ પાપ અઘોર રે....” આ સંદર્ભે કૃષ્ણ કહે છે, બાળકને હુલરાવવાના કોડ પૂરા કરાવવા માટે હું મારા પૂર્વભવના સંબંધી એક દેવને બોલાવું છું આમ કહી માને પગે લાગી કૃષ્ણ પૌષધશાળામાં આવ્યા અને ત્રણ ઉપવાસ કરી હિરગમેષી દેવની આરાધાના કરી દેવને હાજરાહજૂર કરી પોતાને માટે નાનોભાઈ માંગું છું; માતા દેવકીને આઠમો પુત્ર થાય તેમ કરવા કહ્યું. દેવે અધિજ્ઞાનથી કૃષ્ણપ્રભુને કહ્યું, દેવલોકમાંથી આવીને (ચ્યુત) દેવકીની કૂખે પુત્ર જન્મશે, એ ભણીગણી મોટો થશે પણ એ અવશ્ય સાધુ બનશે. કૃષ્ણે આવીને દેવકીને વધાઈ આપી, દેવકીને આનંદ થયો, એણે કહ્યું; તું મારા કુલનો ચંદ્રમા છે, તેં મારી ચિંતા દૂર કરી, પછી દેવકી પોતાના આવાસમાં ગઈ. એ વખતે દેવલોકથી ચ્યવી (એક આત્મા) દેવકીના ઉદરમાં ઉત્પન્ન થયો. માતાએ સ્વપ્નમાં સિંહ જેયો, અને આ વાત વસુદેવને કહી ત્યારે તેમણે કહ્યું કે હે બડભાગી, તને પુત્ર જન્મશે. આમ બરાબર સવા નવ મહિને ગજસુકુમારનો જન્મ થયો એને રમાડીને દેવકી પોતાના વણપૂર્યા મનોરથ પૂરા કરવા લાગી. ગજસુકુમાર મોટો થયો, ભણ્યો ને સોમલને ત્યાં એનાં વેવિશાળ થયાં. આ દરમિયાન શ્રી નેમિનાથ શીઘ્ર પ્રવાસ કરતા સોરઠમાં દ્વારિકા નગરે આવી પહોંચ્યા ત્યાં નંદનવનમાં ઊતર્યા. એમની સાથે અઢાર હજાર સાધુ દેવકીજી : છ ભાયારો રાસ * 135 Page #185 -------------------------------------------------------------------------- ________________ અને ચાલીસ હજાર સાધ્વીઓ હતા. પ્રભુને જોઈને વનપાલક કષ્ણ પાસે દોડ્યો અને વધામણી દીધી. કૃષ્ણ પોતાના આસનેથી ઊઠ્યા, ને પ્રભુની દિશામાં સાન-આઠ પગલાં સામા ગયા, વંદન કર્યું, નોકર પાસે કોમુદભેર વગાડાવ્યું. જે સાંભળીને નગરજનો પ્રભુનાં દર્શન માટે સજ્જ થયાં. આમ વિવિધ રીતે વિચારી નર-નારીનાં વૃંદોએ પાંચ અભિગમ સાચવીને નેમજીને વંદન કર્યું. કૃષ્ણ અને બલરામ ગજસુકુમાળને લઈને પ્રભુ પાસે આવી, વિધિપૂર્વક વંદન કરી, યોગ્ય સ્થાને બેઠા. એમનો ધર્મોપદેશને સાંભળી અનેક નરનારી બોધ પામ્યાં. વતો અંગીકાર કર્યો, અને વ્યાખ્યાન પૂરું થતાં કૃષ્ણ વંદન કરીને આવ્યા હતા તેવા પાછા ગયા, પરનું પ્રભુની વાણી સાંભળીને ગજસુકુમાળ પ્રતિબોધ પામ્યા. ઘરે આવીને કહેવા લાગ્યા. વાણિ શ્રી જિનરાજ - તણિ કાને પડિ. અંતર હૈયાની આંખ આજ મારિ ઉઘડી... આ વાણી અને દૂધ સાકર ને દહીં જેવી મીઠી લાગે છે મને દીક્ષા લેવાની અનુમતિ આપો... પ્રભુએ વર્ણવેલો ધર્મ મને રુચ્યો છે. ખરે જ આ સંસાર ધૂળ જેવો અસાર છે, પછી વિસ્તારથી ગજસુકુમાળે પ્રભુના ઉપદેશોનો સાર માતાને વર્ણવી બતાવ્યો. પુત્રના શબ્દો સાંભળી દેવકી ઝળઝળી ઊઠી ને મૂછવશ થઈ. પુત્રે ઠંડો પવન નાખતા; એ જગૃત થઈ અને પુત્ર સામે ટગરટગર જોઈ રડવા લાગી અને તેને અટકાવતી કહેવા લાગી કે તું મારું જીવન અને પ્રાણ છે. મારી અંધાની લાકડી છે. સંયમ પાળવો મહાદુષ્કર છે. આના પ્રત્યુત્તરરૂપે ગજકુમાળ બોલ્યા. મા, કાયર પુરુષ દીક્ષાનાં દુઃખોને દુઃખ ગણે. હે માતા! આવી વાત કરી મને ઠગો છો શા માટે? એના પ્રત્યુત્તર રૂપે કહે છે કે મા, હું ઉત્સાહરૂપી બખ્તર પહેરી, પરાક્રમરૂપી ધનુષ હાથમાં લઈ, સ્થિરતારૂપી પણછ પર વૈરાગ્યરૂપી બાણ ચડાવી સામાવળિયાને પ્રથમ ઘાએ જ હણીશ. દેવકીએ કહ્યું: “હે પુત્ર! તું પહેલાં સંસારનો ભોગ ભોગવી લે, તે પછી સંયમ લેજે. માતાનું વચન સાંભળી પુત્ર કહે છે કે હે માતા એ વિષયરસ જન્મ-મરણરૂપી દુઃખનો દાતા છે, ધર્મ ન સાધનાર મનુષ્ય નરકને પામે છે. સંસારમાં તો જેવાં કર્મ કરીએ તેવું પામીએ. હું આ પૂર્વે અનંતવાર અવતરીને મર્યો છું. આ પંક્તિ આપણે શંકરાચાર્યનું સ્મરણ કરાવે છે: “પુનરપિ મરણમ્ પુનરપિ જનન, પુનરપિ જનની જઠરે શયનમ્.” 136 જૈન રાસ વિમર્શ Page #186 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાળે માતાના સંશયો દૂર કરતાં કહ્યું કે “હું શૂરવીરની જેમ દીક્ષા પાળીશ. આખું વિશ્વ અસ્થિર અને નિર્બળ છે માટે હે મા, તમે મારા વિશેનો મોહ દૂર કરો; મેં પ્રભુની અમૃતવાણી પ્રમાણરૂપ માની છે, માયા પરથી મારું મન ઊતરી ગયું છે. માટે સોમની પુત્રી સાથે લગ્ન કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી” આમ મા-બાપ અને ભાઈએ કુંવરને મોહમાં લપટાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ સુલક્ષણો કુંવર માન્યો નહીં. દેવકી અને વસુદેવ વિલાપ કરવા લાગ્યા આ જોઈ કૃણે તેમને કહ્યું; સાંભળ, મારા વીર, હું તને તારામતીની ગાદીએ બેસાડું અને તારી આણ પ્રવર્તાવું છું પણ કુંવર તટસ્થ રહ્યા. કૃષ્ણ ગત્સુકુમાળને રાજગાદી પર બેસાડી હાથ જોડી કહ્યું કે: આણ પ્રવર્તાવો. કુંવરે જવાબ આપ્યો કે, મારું દિક્ષા મહોત્સવની તૈયારી કરો. બધાં ભંડારો ખોલી નાંખો તથા સાધુના ઉપકરણ અને પાત્રો મંગાવો. કણે તે પ્રમાણે કર્યું. અને સેવકોને આજ્ઞા આપી. કુંવરનો દઢ નિશ્ચય જાણી માતા દેવકીએ પણ આશીષ આપી, કુંવરને પાલખીમાં બેસાડવામાં આવ્યા અને વરઘોડો નેમિનાથજી પાસે આવી પહોંચ્યો. કૃષ્ણ શ્રી નેમિનાથને કહ્યું: આ જ હો આણિ સોપા છે શ્રી જગનાથને જિ, રહે તે એહને માત, તત હૂતો ઈષ્ટને કાંત આજ હો તમને સોંપું છું પ્રભુજિ સિષ ભણિજિ. માતાપિતા કહે છે કે: પ્રભુજિંઈ દિક્ષા ૨ દિધ, કુઅરનું કારજ સિધ. આજ હો માતાપિતા કુઅર પ્રતે ઈંમ કહે જિ. ધરજે મન સુભ ધીયાન, દિન દિન ચતે વાન આજ હો સંઘતણિ પરે સંજમ પાલજે જિ. પછી દેવકીએ નેમિનાથજીને કહ્યું: આ જ હો જલવજે રૂડ પેર એહ ને જિ માહરિ પોથી મેં આથી તે દિધી તુમ હાથ આજ હો જેમ જાણો તેમ હવે એહને રાખજે જિ આમ કહીને દેવકી પરિવાર પોતાના નગર પાછા ફરે છે ને પ્રભુએ ગજસુકુમાળને દીક્ષા આપીને બધો આચાર અને સૂત્રો શીખવ્યાં. દેવકીજીઃ છ ભાયારો રસ 17 Page #187 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી ઢાલમાં વર્ણવાયું છે કે સાંજ પડતાં ગજમુનિ સ્મશાનમાં જઈ કાયોત્સર્ગ-ધ્યાન ધરવા માંડ્યું તે વખતે ત્યાં સોમલ આવી પહોંચ્યા. તેમના મનમાં મુનિને જોઈ વેર જન્મ્યું. આ પુરુષે વગર વાંકે મારી પુત્રીનો જન્મ નિરર્થક કર્યો છે. સોમલે મુનિના માથા પર માટીની પાળ બાંધીને તેમાં ખેર-વૃક્ષના ધખધખતા અંગારા ભર્યા. મુનિને ભયંકર દુઃખ થયું છતાં તેમણે પોતાના આત્માની જ સંભાળ લીધી. એમણે વિચાર્યું કે જે દાઝે છે તે મારું નથી, આ બધું તો ઘાતુકર્મ છે, આમ મુનિ કેવળજ્ઞાન પામી મુક્તિધામ પહોંચ્યા તેનું કવિ સુંદર વર્ણન કરે છે. સાત સહોદર ભુગર્તે, વાંઢિ નેમ જીણંદ રે એહવા મુનિને સંભારિઈ, લહિએ તે પરમ આણંદ ... આમ જ્યારે દેવતાઓએ ગજમુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયાનો મહોત્સવ કર્યો ત્યારે દેવકીએ મુરારિને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે ત્યારે મુરારિએ સર્વવૃતાન્ત કહ્યું : “આમ અંતમાં કલશમાં કહેવાયું છે કે શ્રી નેમ સમક્ષ મોહની જંજાળ છોડનાર, કેશવના બંધુ ગજસુકુમાળને ધન્ય હો, અને શ્રી જૈનસંઘનું કલ્યાણ થાઓ.” 138 * જૈન રાસ વિમર્શ Page #188 -------------------------------------------------------------------------- ________________ જિનવિજયજી કૃત: “ધન્ના રાસ” શ્રીમતી નીતાબેન મધુકર મહેતા ધના-ગસના રચયિતા: આ રાસ પંડિત જીવનકીર્તિસૂરિ રચિત સંસ્કૃત ચરિત્ર ઉપરથી જનવિજયજી મહારાજે સુરત શહેરમાં આ સસ બનાવ્યો છે. તેમણે ચોથા ઉલ્લાસની અાવીસમી ઢાળમાં ૨૦મી ગાથામાં બતાવ્યું છે કે ૧૭૯૯ના વર્ષની શ્રાવણમાસની સુદ દશમીને ગુરુવારે સિદ્ધિયોગે આ ચસની રચના કરી છે. તેમણે ર૯મી ઢાળમાં તેમની ગુરુપરંપરાનું પણ વર્ણન સરસ રીતે કરી પાટપરંપરા પણ દર્શાવી છે. અહીં રાસકર્તાએ સસસર્જનમાં પોતાની સર્જકપ્રતિભાનો ભરપૂર પરિચય કરાવ્યો છે. તેમણે ઐતિહાસિક ચરિત્રની સાથેસાથે સંકળાયેલા નગપ્રસંગો અને લોકોનાં ચરિત્રનું વર્ણન સુંદર રીતે કરેલ છે. રસની પતિઃ ધના રાસ કુલ ચાર ઉલ્લાસમાં વહેંચાયેલો છે. પ્રથમ ઉલ્લાસમાં ૧૭ ઢાળ છે. દ્વિતીય ઉલ્લાસમાં ૧૭ ઢાળ છે. તૃતીય ઉલ્લાસમાં ૨૨ ઢાળ છે. ચતુર્થ ઉલ્લાસમાં ર૯ ઢાળ છે. ૮૫ ઢાળ છે. દરેક ઢાળની આગળ શરૂઆત દોહાથી કરવામાં આવે છે. વિષયવસ્તુ અને કથા: આ કથા ધરા પંડિત શ્રી જીનવિજયજી મહારાજ આપણને સુપાત્રદાનનું મહત્ત્વ સમજાવ્યું છે. આ સંસારમાં દાન શીયળ, તપ અને ભાવ આ ચાર પ્રકારનું મહત્ત્વ છે. તેમ અહીં ધનધર્મનું પ્રધાનપણું બતાવવામાં આવ્યું છે. સર્વધર્મ સાર પદાર્થ તે ધનધર્મ જ છે. રાજ, રિદ્ધિ, સમૃદ્ધિ, ભોગ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તેમ જ પોતાનો અને પરના દેશમાં જશ, મહિમા અને મનોવાંછિત ફળોનો દેનાર, તે દાનધર્મ જ છે. જેમ ધનના પ્રભાવથી ધના રાસ +139 Page #189 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવ પ્રભુએ પ્રથમ ધનવસાર્થવાહના ભાવમાં મુનિઓને ધનનું દાન દિધું તો તીર્થંકરપદ પામ્યા. બાહુમુનિએ પાંચસો મુનિઓને આહાર-પાણી લાવી આપવાથી બીજા જન્મમાં ચક્રવર્તી થવાનું પુણ્ય ઉપાર્જન કર્યું. એમ ઘન દેવાથી, દેવરાવવાથી અને અનુમોદના કરવાથી સુખ, સંપા તેમ જ મોક્ષ દેવલોકનાં સુખ મળે છે. અને દાન દઈને પશ્ચાત્તાપ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે. તે સર્વે આ રાસ વાંચવાથી પૂરેપૂરી રીતે સમજાઈ જાય છે. પ્રથમ દેહાની શરૂઆતમાં જ ગુરુવરે વીર પ્રભુ વનદેવી સરસ્વતી, ગુરુના ચરણ, સિદ્ધાચલ, વૈભવગિરિ. અષ્ટપદ, ગિરનાર અને સમેતશિખર એ પાંચ તીર્થોને વંદના કરી છે. અને સાથેસાથે દાનનો મહિમા પણ ગાયો છે. ભારતના મહારાષ્ટ્ર પ્રદેશમાં પુરાઈઠાન નામના નગરમાં ધનસાર' નામના એક શેઠ રહેતા હતા. તેમને શીલવતી શેઠાણી હતાં. તેમને ધનદત્ત, ધનદેવ અને ધનચન્દ્રાધિપ નામના ત્રણ પુત્રો હતા. ધનસાર શેઠના ઘરે શુભ નક્ષત્રયોગમાં ચોથા પુત્રનો જન્મ થયો. આ નવજાતશિશુની નાળ જમીનમાં ભંડારવા ગયેલી નોકરાણી જ્યારે પાછળ અશોકવાટિકમાં ગઈ ત્યારે જમીનમાંથી ધન ભરેલો ઘડો પ્રાપ્ત થયો. તેથી ધનસાર શેઠને થયું કે આ બાળક ખૂબ જ પુરાવાન છે. તે ધનનો ભરેલો ઘડે તેના પુણ્યના પ્રતાપે જ મળ્યો છે. તેથી આ ધન તેના જન્મોત્સવમાં જ વાપરીશ. અને દીનદુખી લોકોની સેવામાં તેનો ઉપયોગ કરીશ એવો નિશ્ચય કર્યો. ધનસાર શેઠે નીકળેલા ધનનો જન્મ મહોત્સવ કર્યો. શેઠે તેના જન્મ સમયે ધન મળેલું હોવાથી તેનું નામ ધનકુંવર રાખ્યું બાળક ધનકુંવર જયારે આઠ વર્ષનો થયો ત્યારે ધનસાર શેઠે તેને કલાચાર્ય પાસે વિદ્યા અને કળા શીખવા બેસાડ્યો. ધનકુંવર થોડા જ સમયમાં ખૂબ જ વિદ્વાન અને કલાનિપુણ થઈ ગયો. આ ત્રીજી ઢળમાં વિદ્યાનું મહત્ત્વ સમજાવતા ગુરુ લખે છે કે વિદ્યારૂપ ધન ચોર તથા રાજાથી લઈ લેવાતું નથી. ભાઈઓથી વહેંચી લેવાતું નથી. બે ભાગ કરતું નથી. કોઈને આપવાથી ઘટવાને બદલે નિરંતર વધે છે. માટે વિદ્યા રૂપ ધન સર્વધનમાં શ્રેષ્ઠ ધન છે. આમ વચ્ચે વચ્ચે જીવનની શ્રેષ્ઠત્તમ વસ્તુઓની સમજ આપી છે. આમ ધનકુંવર માતાપિતા, અને સર્વ લોકોને આનંદ આપવા લાગ્યો. તેના સારા ગુણોને કારણે ધનસાર શેઠ સમય-સમય પર તેના નાના પુત્ર ધનકુંવરની પ્રશંસા કરવા લાગ્યા. ધનસાર શેઠ તારા કરાતી ધનકુંવરની 0 જૈન સર વિમર્શ Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસા તેના મોટા ત્રણેય ભાઈઓ માટે અસહ્ય થવા લાગી. તેઓ ધનકુંવરની પ્રશંસામાં પોતાની નિંa સમજવા લાગ્યા. તેણે પિતાને કહ્યું કે સદ્ભાગ્ય અને દુર્ભાગ્યની પરીક્ષા કરો તો જ ખબર પડે કે સદ્ભાગી અને દુર્ભાગી કોણ છે? પિતાએ પુત્રોની અદેખાઈ પારખી તેણે તેમને સમજાવ્યા પણ સમજાવટ નિષ્ફળ ગઈ. પરિણામે તેણે તેમની જ ઈચ્છાથી તેમનાં ભાગ્ય અને બુદ્ધિની પરીક્ષા કરવા માટે સ્વતંત્ર વ્યાપારના પ્રયોગમાં તે સર્વને સરખી સહાય કરી. મોકભાઈઓ સામાન્ય વ્યાપારમાં પરોવાયા. તેમાં નજીવું કમાઈ તે પાછા ફર્યા પણ ધન્ય માનસ પરીક્ષક હતો. તેણે ત્યાંના રાજકુમારનું તરંગી માનસ અવલોક્યું. તેનો લાભ ઉઠાવવા તેણે નિશ્ચય કર્યો તેણે સશક્ત બોકડો ખરીદ્યો. તે બોકડાને તેણે રાજકુમારના બોકડ સાથે શરતી યુદ્ધમાં ઉતાર્યો. બોકડો જીત્યો. શરત પ્રમાણે તેને એક હજાર સોનામહોરો મળી તે લઈ તે ઘેર આવ્યો. માતા-પિતાએ તેને ભાગ્યવાન લેખ્યો. ભાઈઓએ તેને જુગારી માન્યો - નગરજનોએ તેને રસચર્ચાની માળમાં ગૂંચ્યો. ભાઈ પુનઃ ઈર્ષાળુ થયા. પિતાએ કંઢળી પુનઃ પરીક્ષા આદરી. તેણે તે સર્વને, સરખું સુવર્ણ આપી, વ્યાપારનો નવીન પ્રયોગ કરવાને મોકલ્યા. ધના સુવર્ણ લઈ નગર ચૌટે ગયો. ત્યાં તેણે ચંડાળોથી વેચાતો એક પલંગ જોવો. તે પલંગનો તેણે વિચિત્ર ઈતિહાસ સાંભળ્યો. ધનાએ તે પલંગ ખરીદી લીધો તે લઈ તે ઘેર પાછે ર્યો. ભાઈઓએ તેની મશકરી આદરી પણ ધનાએ પલંગને ચીરવા માંડ્યો તેમ કરતાં, પાયાના પોલાણમાંથી ચાર કીમતી રત્ન સરી પડ્યાં, તે લઈ તેણે પિતાને સોંપ્યાં. પિતાએ તેનું ભાગ્ય પ્રશસ્યું ભાઈઓએ આ પ્રસંગ અકસ્માત માન્યો પણ ધનાને મન તો તીણ બુદ્ધિ ને ઝીણવટભરી ગણતરીનું જ પરિણામ હતું. લોભી ધાર્મિક હઠ, તેની સમૃદ્ધિ, ગુપ્તતા, પલંગ સાથે તેના ચિત્તની એકતાનતા, તેનો હળોહળ સ્વાર્થ પલંગને સાથે જ બાળવાની તેની તીવ્ર ઈચ્છા પાછળ તેણે તે પલંગમાં, મનચક્ષુએ, તેની સમૃદ્ધિ વાંચેલી ને તે ચક્ષુ સાચાં પડ્યાં ધના રસ 1w Page #191 -------------------------------------------------------------------------- ________________ ધનાનું ગૌરવ વધતું ચાલ્યું. ભાઈઓથી આ ન જવાયું. તેણે તેનો વધનો ઉપાય ચિંતવ્યો પણ તેમની સ્ત્રીઓને દિવર વહાલો હતો. તેમણે તેને ચેતવી દીધો. ધના ત્યાંથી ગુપ્ત વેશે દૂર ચાલ્યો. તે જ્યાં જ્યાં ગયો ત્યાં લક્ષ્મી તેને પગલે અનુસરી તેની સહાયથી. તેણે લોક પર ઉપકાર આદર્યા તે ભાગ્યવાન લેખાયો. સર્વે સ્થળે તેને સન્માન મળ્યું તેમનું સ્વરૂપ પણ તેજભર વૌવનની કળી સમું આકર્ષક હતું. તે નગરમાં જાય તો નયનબાણ વર્ષે સમૃદ્ધિ તેની સેવિક બને તે વનમાં જાય તો વસંત ખીલે. કંઈક સમય વીતતાં તે રાજગૃહે જઈ પહોંચ્યો. ત્યાં તેણે નિવાસ અપનાવ્યો. તેની બુદ્ધિ ને બ્રિર્તિની સુવાસ સ્વર્ગીય પુષ્પની જેમ દૂર દૂર સુધી મહેકવા માંડી. લક્ષ્મી તેને આંગણે ઉભરાણી. તેની સાહસિકતાની કથાઓ ગૂંથાણી, તેના શૌર્યમાંથી પ્રેરણા જન્મી. તે નગરમાં તે સમયે શ્રેણીક રાજવી હતો. ગોભદ્ર નગરશેઠ હતો. કુસુમપાળ ઉપવનપતિ હતો. તે ત્રણેની સામગ્રી, સુભદ્રા અને કુસુમશ્રી કન્યાઓએ તેને પ્રિયતમ તરીકે અપનાવ્યો. તે ત્રણેનાં તેની સાથે લગ્ન થયાં. શ્રેણીકે તેને સન્માન આપ્યું. જાગીર બક્ષીતેને ઐશ્વર્ય મળ્યું. ઉપભોગ મળ્યા તે તેમાં મહાલવા લાગ્યો. એક દિવસે તેણે સ્વભુવનની અટારીએ રમતાં, ગરીબોનું એક ટોળું જોયું. તે ટોળાએ તેનાં નવન ભજવ્યાંતેમાં તેનાં દુખી મા-બાપ હતાં, ચિંથરેહાલ ભાભીઓ હતી. તેણે તે સર્વને સ્વભુવને તેડ્યાં. તેમની પાસેથી જાયું કે સમૃદ્ધિ ખૂટતાં તેઓ, પુત્રની કિર્તિ સાંભળી, આ બાજુએ વળ્યાં હતાં. તેઓ નગરમાં પુત્રને શોધતાં હતાં. તેના ભાઈ, લજ્જાએ ઘેર્યા, ગામ બહાર ઊભા હતા. ધનાએ તેમને સાંત્વન આપ્યું ભાઈઓને પણ તેડાવી લીધા. તે સર્વેને તેણે સુખ ને ઐશ્વર્ય બક્યાં. તેઓ સર્વે આનંદમાં મહાલવા લાગ્યા. પણ ભાઈઓમાં ઈર્ષા અને તર્કી સ્વભાવ પુનઃ ઊછળી આવ્યો ધનાની સમૃદ્ધિમાં પોતાનું જ પ્રતિબિંબ જોયું. તેમાં તેમણે સરખો હિસ્સો માગ્યો. તેની સહાયથી ધનાથી ભિન્ન રહેવાની તેમણે ઇચ્છા દર્શાવી. પિતાને દુખ થયું. ધના કંટાળ્યો. તે એક રાત્રે તે સર્વેને છેડી ગુપ્ત વેશે ત્યાંથી દૂર ભાગ્યો. 12 જૈન રાસ વિમર્શ Page #192 -------------------------------------------------------------------------- ________________ પણ તેનું ભાગ્ય બળવાન હતું. લક્ષ્મીનો તે લાડકો હતો. તે બંને તેના નિત્યનાં સાથી હતાં. તેઓ જે હતું એ કરતાં તે વધુ ભવ્ય ઐશ્વર્ય અર્પવાને, કૌશામ્બી નગરીએ ખેંચી ગયાં. તે નગરમાં તે સમયે શતાનીક રાજા રાજ્ય કરતો. તેના ભંડારમાં એક અમૂલ્ય રત્ન હતું, પણ તેના ગુણ કે ઉપયોગની કોઈને માહિતી નહોતી. રાજવીએ તેવી માહિતી આપનાર માટે સામંત રાજવીને સમાંતર પદ, વિશાળ જાગીર અને કુંવરીના હસ્તથી શોભતું અદ્વિતીય ઇનામ જાહેર કર્યું હતું. ધન્ના આગળ આવ્યો. તેની રત્નપરીક્ષણ શક્તિ અપ્રતિમ હતી. તે શક્તિ તે કળાનો અભ્યાસ કરતાં, મેળવી હતી. રાજગૃહની રાજસભામાં તે ખીલવી હતી. તેણે રત્ન હાથમાં લીધું. તેના ગુણને, સિદ્ધહસ્ત કલાકારની જેમ વર્ણવી ગયો. તે વર્ણન સાચું નીવડ્યું. રાજવી મુગ્ધ બન્યો. તેણે ધનાને સૌભાગ્યમંજરી નામની પોતાની કુંવરી આપી. પાંચસો ગામનો ગ્રાસ આપ્યો. દેવી ઐશ્વર્ય આપ્યું. ધન્ના આ રીતે પુનઃ વૈભવી બન્યો. તે, તે નગરમાં રાજભોગ્ય વિલાસને અનુભવવા લાગ્યો. તેમ કરતાં તેણે ગરીબોને પોષવાને તે દ્વારા કીર્તિને વધુ વ્યાપક બનાવવાને, નગરની બહાર એક સરોવર ખોદાવવા માંડ્યું. એક સમયે, તે ખોદકામ નજરે નિહાળવા તે સરોવરની પાળે પહોંચ્યો. તેના મસ્તકે છત્ર ઝૂલતાં અંગ પર વસ્ત્રાલંકાર ઝળહળતાં, તે મજૂરોને તથા તેમના કામને નિહાળતો હતો. તે સમયે તેની તીણ દષ્ટિએ દૂરના મજૂરોની મધ્યે, શ્રમમાં તરત જ મજૂરીએ પરોવાયેલાં પોતાનાં માતા-પિતા, ભાઈભાભીઓને, સુકોમળ પ્રિયાને અવલોક્યો. તેને કમકમાં આવ્યાં. “સુભદ્રા લક્ષ્મીને ઐશ્વર્યના પ્રયતમ શાલિભદ્રની હાલસોયી બહેન, તેની પણ આ સ્થિતિ? તે પળભર થોભ્યો. બીજી પળે તેણે તે સર્વને પોતાની સમીપ બોલાવ્યાં પણ કોઈ તેને ઓળખી ન શક્યું. તેણે પણ ગુપ્તતા જાળવી રાખી. તે સર્વના ભાગ્ય ને માનસને અવલોકવાની તેને ઈચ્છાથી. “જેમને સમૃદ્ધિની મધ્યમાં છોડ્યાં, તેમની આ સ્થિતિમાં તેમને હવે ક્રમ અને શાંતિથી યથાસ્થાને સ્થાપવાનો તેણે નિર્ણય કર્યો, પણ છતાં તેમને ભોજનમાં સગવડતા ને સામાન્ય સુખ બક્ષવાની તેણે સરોવર-મંત્રીને સૂચના કરી. તેમ છતાં બીજાં મજૂરોને પણ સુખ સગવડતા મળ્યાં તે સર્વે તેમને ચાહતાં થયાં. તે હવે પ્રસંગે સરોવરની પાળે આવવા લાગ્યો. મજૂરોની ને કુટુંબીઓની ધના ચસ 143 Page #193 -------------------------------------------------------------------------- ________________ ખબર-અંતર પૂછવા લાગ્યો. કંઈક દિવસો વીતતાં તેનાં માતા-પિતાની દષ્ટિમાં શ્રમને તાપથી પાણી બાજ્યાં. તેણે તેમને છાશ, ઘી વાપરવાની સૂચના કરી, છાશ પોતાના ભુવનેથી લઈ જવા અનુમતિ આપી. ધનાનાં માતા-પિતા રાજી થયાં, કુળવધૂઓને તેણે આ મહામોંઘું કામ સોંપ્યું. તેમ છતાં, પ્રત્યેક વધુ, પ્રતિદિન છાશ લેવાને, ધનાના ભુવને આવતી થઈ. ધનાએ સૌભાગ્યમંજરીને પોતાનો પૂર્વ ઇતિહાસ કહીને તે સર્વેનું યોગ્ય માન સાચવવા સૂચના કરી. મંજરીએ આશ્ચર્ય અનુભવ્યું. તેણે સુભદ્રાને સખી લેખી, તેને તે મહામોંઘી ચીજો અર્પવા લાગી. સુભદ્રા ભાગ્યવતી લેખાઈ. એક દિવસ ધનાએ સુભદ્રાને વારાના અવસરે સ્વભુવને રહ્યો. તેણે તેને પોતાની સમીપ તેડાવી. તેના સૌંદર્યના તેણે ગુણગાન ગાયાં. ગુપ્તવેશે જ તે સૌંદર્ય રસપાનની તેણે માંગણી કરી. સુભદ્રા છંછેડાઈ, તેણે ધન્નાને તુચ્છકાર્યો, તેના અંગ પર પવિત્ર તેજ પથરાયું. ધન્નાએ ગર્વ અનુભવ્યો. તેણે પોતાની વહાલસોયી પત્નીને કરુણ છતાં નિર્મળ સ્વરૂપે નિહાળી. તેણે પોતાનું સ્વરૂપ ખોલ્યું. સુભદ્રાએ તેને ઓળખ્યો. તેની આંખમાં હર્ષનાં આંસુ ચમક્યાં. તે ધનાના ચરણે ઢળી. ધનાએ તેને હસ્તયુગલમાં લીધી. કંઈક ક્ષણો સ્વર્ગીય આનંદમાં વીતી. સુભદ્રા તે પછી ત્યાં જ રોકાઈ, પતિભવનની દેવી બની. ધનાની ભાભીઓ, સુભદ્રા વીતતી સંધ્યા સુધી પાછી ન ફરતાં, નાની દેરાણીને મેણાં મારવા માંડ્યાં. તેમાંની એક તપાસ કરવા ધનાને ઘેર આવી ત્યાં સુભદ્રાને તેણે દિવ્ય વેશમાં જોઈ. તે ચમકીને ક્રોધભેર પાછી ફરી સાસરિયાંને તેણે કાતિલ શબ્દોમાં વિગત સંભળાવી. સર્વના મસ્તકે જાણે તગતગતી વીજળી પડી. સસરા ત્વરાએ ગામમાં ગયા. ગામના મહાજનને તેણે ફરિયાદ કરી. મહાજનના મોવડીઓએ, ધન્નાના ચારિત્રની સુવાસ પર તેઓ જોકે મુગ્ધ છતાં, શાન્તિથી તેની વિગત સાંભળી. તેઓ વિસ્મય પામ્યાં. વાતને સાચી માનતાં પણ તેઓ અચકાયા, છતાં તેમાં તેમ હોય તો ધનાને સમજાવવા તેઓ તેના ભુવને ચાલ્યા. ધનાએ તેમને સન્માન્યા. પણ તેઓએ વાત ઉકેલતાં તેણે સૂચક મૌન સેવ્યું. મોવડીઓ નિરાશ થઈ પાછા ફર્યા. તેઓ ઉપાયના ચિંતનમાં પરોવાયા. પણ ધન્નાના પિતાએ એ ચિંતવન – ક્રમ ન પાલવ્યો. તે ત્વરાએ 144 * જૈન રાસ વિમર્શ Page #194 -------------------------------------------------------------------------- ________________ ધન્નાના ભુવને પહોંચ્યા, ત્યાં તેમણે કરુણ છતાં ક્રોધભેર આજીજીઓ વર્ષાવી ધનાની આંખો પલળી. તેણે પિતાને ભુવનની અંદર તેડાવ્યા. તેની સમીપ તેણે પોતાનું સ્વરૂપ ખોલ્યું. પિતા હર્ષથી ઘેલા બન્યા. ધન્નાએ તેમને ત્યાં જ રોક્યા. તે પછી ધનાની માતા આવી, તેના ભાઈ આવ્યા. તે સર્વને ધન્નાએ પોતાના ત્યાં રોક્યા. છેલ્લે ધનાની ભાભીઓ આવી તેને ધન્નાએ તુચ્છકારી કાઢી. રાજવી શતાનીક પાસે પહોંચી. રાજવીએ ધન્નાને ન્યાયથી વર્તવા આજ્ઞા મોકલી. પણ ધન્નાએ પોતાની પર આજ્ઞા મોકલવાના રાજવીના હક્કને સ્વીકારવાની ના પાડી. શતાનીક ક્રોધે ભરાયો. તે સૈન્ય લઈ ધનાને કેદ કરવા આવ્યો. ધન્ના પણ સામંત રાજવી હતો. તે પોતાના સૈન્ય સાથે શતાનીક સામે ગયો. બન્ને વચ્ચે તીક્ષ્ણ યુદ્ધ થયું. ઘરડો શતાનીક જમાઈના હાથે હારી ગયો. તેના અંતરે વ્યથા ઉભરાઈ. પણ મંત્રીઓએ અંતે માર્ગ કાઢ્યો. ધન્નાની મહત્તા તેઓ સમજતા હતા. તેના આવા વર્તન પાછળ તેમને કંઈક ગૂઢ આશય લાગ્યો. ધન્નાના પૂર્વ જીવનને તેઓ જાણતા નહોતા. ધનાની ભાભીઓને તેણે તેમનો વૃત્તાંત પૂછડ્યો. ભાભીઓને તે ઝીણવટથી ગાઈ બતાવ્યો. મંત્રીઓએ ધનાને તેમનો ગુમ થયેલો દિયર હોવા સંભવિતતા દર્શાવી. ભાભીઓએ તેમના કથન પર શોધખોળ આરંભી. ધનાના પગ ધોઈ તેમણે તેનાં અંગલક્ષણ પારખાં. દિયરને તેમણે ઓળખી કાઢ્યો. ધન્નાએ પ્રથમ તેમને ગભરાવી, પણ પછી તેમનું ઘટિત સન્માન કર્યું. શતાનીકને કાને આ વિગત પહોંચી. તેણે ધન્નાને મિત્રભાવે રાજભવને તેડ્યો. ધન્નાએ તેમને સ્નેહ – વિનયથી પોતાનો આશય સમજવ્યો. “રાજન! મારા ભાઈ નબળા ને બુદ્ધિના કચાશભર્યા છે. ભાભીઓ તેમને નચાવે છે. મેં ઘણી વાર તેમનો ગર્વ સાચવ્યો. સારું સર્વસ્વ તેમને સમપ હું દેશવટે ચાલી નીકળ્યો પણ તેમનાં ભાગ્ય કાચાં છે. લક્ષ્મી તેમનાથી દૂર ભાગે છે. હું નમતું તોળું તો તેઓ લક્ષ્મીમાં ભાગ માગે છે, ને તે લઈ, તેને ગુમાવી, તેઓ દુઃખી થાય છે. રાજગૃહીની મારી અખૂટ સંપત્તિ તેમની પાસેથી ચાલી ગઈ. એટલે તેમના જ સુખને ખાતર મેં સખ્ત હાથે કામ ધન્ના રાસ +145 Page #195 -------------------------------------------------------------------------- ________________ લેવા ભાભીઓને શિખામણ આપવા, આ માર્ગ અપનાવ્યો.” શતાનીકે જમાઈની કુનેહની પ્રશંસા કરી, ધનાએ અવિનય બદલ ક્ષમા વાચી. ધન્નાનું કુટુંબ આ રીતે પુનઃ સુખના સિંહાસને ચઢ્યું. ધન્નાએ તે સર્વને સાથે લઈ ભારતના પાટનગર સમા, રાજગૃહે ચાલ્યો. રાજવી શ્રેણીક તેની સામે આવ્યો. ધનાએ તેને સામંત રાજવીનું પદ બક્યું. તેજ ને સૌંદર્યની વેલ સમી ચાર ઊગતી સુંદરીઓએ તેને પતિ તરીકે અપનાવ્યો. તે આઠ વનિતાઓનો કંથ બન્યો. સાતે બહેનોએ ભેગી થઈ સુભદ્રાને પટરાણી તરીકે સ્થાપી. પણ ધનાના ભાઈ હજુ પણ અસંતોષમાં ગૂંગળાતા હતા. ધન્નાએ તેમને કેટલાંક ગામ આપ્યાં. તે સર્વે પોતપોતાના સ્થાને ગયા. પણ દરિદ્ર બનતા તેમને વાર ન લાગી. વણજારાઓને વેશે તેઓ રાજગૃહમાં આવ્યા ધન્નાએ તેમને આશ્રય આપ્યો. ભાઈઓએ હજુ પણ ધન્નાથી જુદા થવાની ઇચ્છા સેવી, પણ તેમ કરતાં અવાર-નવાર વિનાશ તેમની નજરે પડ્યો. ભાઈની ક્ષમા માગી તેઓ તેના સહભાગી બન્યા. આ રીતે કુટુંબનો કલ્પવૃક્ષ સમો, ભૂમિને રસમો ને સ્ત્રીઓને કામદેવ સમો ધના લક્ષ્મીના લાડકવાયા પુત્રની જેમ મહાલવા લાગ્યો. એક દિવસ તેની પત્ની, શાલીભદ્રની બહેન, સુભદ્રા તેને નવરાવતી હતી. તેના અંગે અલંકાર છતાં મુખ પર વ્યથા હતી. તેની આંખો અશ્રુભીની હતી. તે આંખોમાંથી એક બે અશ્રુ ધન્નાના અંગ પર પડ્યાં. ધનાએ ઊંચે જોયું. સુભદ્રાને તેણે રડતી જોઈ. તેને રડવાનું કારણ પૂછ્યું. સ્વામિન” સુભદ્રા બોલી, “મારો ભાઈ શાલિભદ્ર વૈરાગ્યભીનો બન્યો છે. હંમેશાં તે એક એક સ્ત્રીને ત્યજે છે.” ઘેલો" ધના વચ્ચે જ બોલ્યો, “વૈરાગ્યને એમ વરાય? પહેલી જ પળે પૂર્ણ નહિ તે વૈરાગ્ય શાનો? “એમ?” આંખને પલકારે કંકણ નચાવતી અન્ય સ્ત્રીઓ બોલી, “આપ આવો અનુભવ તો લઈ જુઓ.” 146 * જૈન રાસ વિમર્શ Page #196 -------------------------------------------------------------------------- ________________ કહેવો જગમેં સોહલો, વિણ કરતાં જંજણ હે । સ્ને | કાય૨ ન૨ના બોલડા, થાય આલ પંપાળ રે || સ્ને ॥ - "24" - (૧૭મી ઢાળ ગાથા ૨) ઉલ્લાસ – ૩) આ ક્ષણથી જ” બોલતાં ધન્નાજી ઊભા થઈ ગયા. ને વસ્ત્ર પહેરીને ત્વરાએ શાલિભદ્રને ઘે૨ ચાલ્યા. રુદન કરતી, વિનવતી, કરગરતી આઠેય સ્ત્રીઓ સુભદ્રા સહિત ધન્નાની પાછળ પાછળ આવવા લાગી અને કરુણ સ્વરે પાછા વળવા વિનવવા લાગી. પણ તેમનાં મોતી સમાં આંસુ પણ ધન્નાજીને ન પીગળાવી શક્યા. ને શાલિભદ્રના આંગણે પહોંચ્યા, શાલિભદ્ર એ સમયે પ્રાસાદની છેલ્લી ભૂમિકાએ હતા. ધન્નાએ તેમને નીચે બોલાવ્યા અને કહ્યું “વૈરાગ્ય આમ રંગાય? ચાલો મારી સાથે.” શાલિભદ્ર પણ એ જ ઇચ્છતા હતા. છતાં આટલી ત્વરાથી તે ચમક્યા. તેણે ધન્નાની આંખોમાં જોયું. બન્ને ક્ષણભર માટે અવાક થયા. શાલિભદ્ર, તેજ વેરતા તે ભુવનને બારણે, માળવામાંથી સર્જાયેલી સુકોમળ પ્રતિમા સમ લાગતા ધન્ના આરસમાંથી ક્રમે ઘડાયેલી જાણે તેજસ્વી માનવમૂર્તિ. શાલિભદ્ર ઉપવને રક્ષાયેલું ગુલાબનું ફૂલ, ધન્ના જાણે સરોવરે શોભતું પંકજ, શાલિભદ્રમાં લાગણીનો પ્રવાહ તરવરે, ધન્નામાં તિખાશની છાયા, શાલિભદ્ર જાણે ઉપવનની રસવેલ, ધન્ના જાણે વનનો અનુભવ છોળ, સમૃદ્ધિ ને ઐશ્વર્યે બંને જાણે લક્ષ્મીનું લાડ તોળતા. રાજગૃહના નંદનવનમાં શોભતાં જાણે કુમા૨ ને કામદેવ. એક શિબિકામાં ધન્નાને સાથે દીક્ષિત થવા સુભદ્રા ગોઠવાયાં અને બીજી શિબિકામાં શાલિભદ્ર રાજવી શ્રેણિકે બંનેનો દીક્ષા-મહોત્સવ ઊજવ્યો. બંનેએ પ્રભુ મહાવી૨ પાસે દીક્ષા ગ્રહણ કરી. બંનેએ માસક્ષમણના પારણે માસક્ષમણ કરી ૧૨ વરસ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી. ધન્ના મુનિ અને શાલિભદ્રમુનિ પ્રભુ સાથે વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યારે તેમનું પારણું હતું. આ બાજુ ભદ્રા માતાને શાલિભદ્ર અને ધન્ના - સુભદ્રાના આવ્યાના સમાચાર મળતા તેમને મળવા જવાની તૈયારી ચાલતી હતી. બંને મુનિઓએ ભગવાન પાસે ભિક્ષા લેવાની અનુમતી માંગતા ભગવાને કહ્યું કે હે શાલિભદ્ર! આજે તારી માતાના હાથે તારું પારણું થશે.' એવું સાંભળી બંને ધના રસ - 147 Page #197 -------------------------------------------------------------------------- ________________ મુનિઓ ભદ્રાના ઘરે ગયા. પરંતુ કૃશ કાયાને કારણે કોઈ તેમને ઓળખી ન શક્યું અને બંને મુનિ પાછા ફરતા રસ્તામાં વૃદ્ધાના હાથે દૂધ વહોરીને બંનેએ પારણું કર્યું. ત્યારે ભગવાને તેમને કહ્યું કે, “હે શાલિભદ્ર! એ પૂર્વ ભવમાં તારી માતા હતી અને તું એમનો બાળક હોવાથી તેનો પૂર્વ ભવ કહી સંભળાવ્યો અને તે સાંભળી ધન્ના અને શાલિભદ્ર મુનિને ખૂબ જ આનંદ થયો. પછી બંને મુનિઓએ પોતાનું શરીર ક્ષીણ થયેલું જાણી સંથારો કરવાની પ્રભુ પાસે આજ્ઞા માંગી. ભગવાને બંનેને અનુમતી આપતા શિલા ઉપર વિધિવત પાદોપગમન સંથારો લીધો. - ભદ્રા, તેની પુત્રવધૂઓ ભગવાનને વંદન કરવા આવી તો ભગવાને કહ્યું કે આ બંને મુનિ તમારા ત્યાં ભિક્ષા માટે આવ્યા હતા. પરંતુ ભિક્ષા મળી નહીં. બંને મુનિએ તો પોતાનું શરીર અશક્ત જાણીને મારી સ્વીકૃતિથી વૈભવગિરિ પર્વત પર સંથારો કર્યો છે. ભગવાનની વાત સાંભળી ભદ્રા અને શાલિભદ્ર અને ધનાજીની પત્નીઓને બહુ જ દુઃખ અને પશ્ચાત્તાપ થયો અને એ પ્રકારે દુઃખ અને પશ્ચાત્તાપ કરતી ભદ્રા શેઠાણી અને પુત્રવધૂઓ જ્યાં મુનિઓએ સંથારો કર્યો હતો ત્યાં ગયાં અને બહુ પ્રાર્થના અને વિલાપ કરતી પોતાના અપરાધની ક્ષમા માંગી. મુનિઓ તો પોતાના ધ્યાનમાં અચલ રહ્યા. કેટલાક લોકોનું માનવું છે કે ધના મુનિ તો સંથારામાં અવિચલ રહ્યા પરંતુ શાલિભદ્ર મુનિએ ભદ્રામાતા સામે આંખો ખોલીને જોયું હતું. શાલિભદ્ર મુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા પરંતુ આ કહેવું ઉચિત નથી કારણ કે શાલિભદ્ર મુનિનું આયુષ્ય બાકી હોવાથી ધનાજી અને શાલિભદ્રમુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા તા.ક: પૂ.જવાહરલાલજી મહારાજ લિખિત “શેઠ ધનાજીમાં તેમણે લખ્યું છે કે ધનાજી મુનિ સિદ્ધ બુદ્ધ થઈ ગયા. (પાન નં.૨૮૯) બંને મુનિઓના સંથારો પૂર્ણ થતા શાન્ત શ્રેણિક ઉત્સવપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો. સવાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રે કોઈ મોટા શેઠને ઘરે જન્મશે ત્યાં પણ સદ્ગુરુ સમીપે દીક્ષા લઈ કર્મ ખપાવી સિદ્ધિગામને વરશે. 148 * જૈન રાસ વિમર્શ Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: ધન્નાજીના રાસ દ્વારા, પંડિત જિન વિજયજી મહારાજ આપણને સદ્કાર્ય અને દુષ્કાર્યનું પરિણામ બતાવી સત્કાર્ય કરવાની શિક્ષા આપે છે. પ્રસ્તુત રાસનો ઉદ્દેશ આ જ છે. આ કથાના મુખ્ય નાયક ધનાજી છે. ધનાજીએ પોતાના પૂર્વ ભવમાં મહાત્માને સુપાત્ર દાન કર્યું હતું એમના આ સુકતને ફળસ્વરૂપે તેમણે સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. પાછલા ભવમાં માત્ર દાનની અનુમોદના કરવાથી સુભદ્રા આદિ આઠે સ્ત્રીઓ થઈ તેમ જ ધનદત્ત ધનદેવ અને ધનચંદ્ર એ ત્રણેય ભાઈઓ પાછલા ભવમાં દાન દઈને ત્રણવાર પશ્ચાત્તાપ કર્યા જેથી ત્રણ વખત મહાદુઃખ પામ્યા. એમ જાણી સર્વે પ્રાણીઓએ દાન દેવું જોઈએ. આ પ્રકારે દાન આપવાથી કે અપાવવાથી અર્થાત્ અનુમોદના કરવાથી સુખ-સંપદા મોક્ષનાં સુખ મળે છે અને દાન આપીને પશ્ચાત્તાપ કરવાથી દુઃખ મળે છે. વળી સ્ત્રીઓ માટે સતી સુભદ્રાનું ચરિત્ર પણ જણવા જેવું કે જેમ સુભદ્રા પોતાના પતિની સાથે સુખદુઃખમાં સાથે રહે અને દુઃખના સમયમાં સતીત્વની રક્ષા કરે છે. અને અંતે પતિની સાથે દીક્ષા લે છે. આમ સાચી પતિવ્રતા સ્ત્રી કોને કહેવાય? તેનું ઉદાહરણ આપણને સુભદ્રાના ચરિત્ર દ્વારા જાણવા મળે છે. એમ આ રાસ દ્વારા અનેક પ્રકારની શિક્ષા મળે છે. જે દૃષ્ટિમાં રાખી મનુષ્ય આ લોક અને પરલોકનું સુખ પ્રાપ્ત કરી શકે છે જે જેવું પાત્ર હશે તેવું આ કથા દ્વારા શિક્ષા લઈ નિશ્ચયથી પોતાના આત્માનું કલ્યાણ સાધી શકશે. સંદર્ભ ગ્રંથોઃ ૧. “ધના શાલિભદ્રનો રાસ’ - પંડિત જનવિજયજી મહારાજ વિરચીત સં. ૧૯૮૪, સને ૧૯૨૮ પ્રકાશક – સૂર્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ, અમદાવાદ શેઠ ધનાજી' - પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજના વ્યાખ્યાનમાંથી સં. ૧૯૯૫, વીર સંવત ૨૪૬૫, ધના ચસ +149 Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક હિતેચ્છુ શ્રાવક મંડળ, રતલામ (માળવા) ૩. “ધના – શાલિભદ્ર', - સ્વ. ચિમનલાલ સંઘવી પ્રકાશક : કપૂરચંદ રણછોડદાસ વારેવા – ત્રાપજ વિ.સં. ૨૪૭૧ ૪. ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર’ – ગુજરાતી પર્વ-૧૦ પ્રકાશક: શ્રી જેન પ્રકાશન મંદિર, દોશીવાડાની પોળ, અમદાવાદ મહામાત્ય વસ્તુપાલ' જીવન, કાર્ય અને રાસકૃતિઓ, સંશોધક – સંપાદક ડૉ. બળવંત જાની પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ ૬. “મધ્યકાલીન ગુજરાતી યુથ સાહિત્ય - ડૉ. હસુ યાજ્ઞિક ૭. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, - મોહનલાલ દેસાઈ ૮. ધરાસ સાહિત્ય, ડૉ. ભારતી વેદ્ય 150 * જૈન રાસ વિમર્શ Page #200 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સુરસુંદરી રાસ ડૉ. પ્રવીણ સી. શાહ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કન્ધ – સ્વરૂપ, પરમતારક, ભવોદધિ તારક મહામંત્ર શ્રી નવકારમંત્રના અલૌકિક મહિમાને વર્ણવતો અને બ્રહ્મચર્યવ્રતના પાલનથી થતા આત્મ-લાભને આલેખતો કાવ્યગ્રંથ એટલે સુરસુંદરીનો રાસ. શીલ-સદાચારને નિષ્ઠાથી વળગીને જીવનારા આત્માને કેટલી અને કેવી આકરી કસોટીઓ તથા યાતનાઓમાંથી પસાર થવું પડે છે, અને ક્યારેક તો આ યાતનાઓ કેટલી બધી મર્માન્તક અને જીવલેણ હોઈ શકે છે, અને છતાં દઢ નૈષ્ઠિક આત્મા કેવો ઘોર વર્ષોલ્લાસ ફોરવીને કેવો હેમખેમ એ યાતનાઓમાંથી બહાર નીકળી જાય છે, તેની હૈયાને હલબલાવી મૂકે અને ભલભલાને થીજવી મૂકે તેવી કથા એટલે મહાસતી સુરસુંદરીના જીવનની કથા. મહાસતી સુરસુંદરીના જીવનની કથા આપણા જૈનશાસનની એક જાણવા જેવી ખૂબી છે. જૈન ઇતિહાસમાં નહિ પરણેલ અને બાલ બ્રહ્મચારિણી જ રહેલ મહાસતીઓનો મહિમા અને નામોલ્લેખ મળે છે ખરો, પરંતુ તેના કરતાં પરણેલ હોય અને પોતાનું સઘળું જીવન (સાંસારિક જીવન) મન-વચનકાયાથી પતિવ્રતાધર્મના અણીશુદ્ધ આરાધનામાં જ વિતાવ્યું હોય અને મનથી જ નહિ, પણ સ્વપ્નમાં પણ પરપુરુષ તરફ આકર્ષાઈ ન હોય, તેવી શીલવંત મહાસતી શ્રાવિકાઓનો મહિમા અને નામ-યાદી ઘણી મોટી જોવા મળે છે. આ સૂચવે છે કે બ્રહ્મચર્ય મહત્ત્વનું છે, પરંતુ નિષ્ઠા તો તેથીયે અનેકગણી અગત્યની છે. સીતા, દ્રૌપદી, કુંતી, શીલવતી, દમયંતી, મૃગાવતી, સુલસા, ઋષિદત્તા, અંજના, પ્રભાવતી, રુક્ષ્મણી – આવાં તો અઢળક નામો જૈનગ્રંથોમાં મળે છે કે જેઓ પરિણીત હોય, ઘરસંસારી જ હોય અને છતાં જેમની ગણના મહાસતી તરીકે થતી હોય અને બહુશ્રુત ગુરુભગવંતો પણ જેમના ગુણ ગાવામાં પોતાને કૃતાર્થ અનુભવતા હોય. આનું એકમાત્ર કારણ સ્વધર્મે – પતિવ્રતધર્મમાં અડોલ-અડગ નિષ્ઠા અને સાથે સાથે એવી જ દૃઢ ધર્મશ્રદ્ધા. મહાસતી સુરસુંદરી આવી જ એક શ્રદ્ધાવંત અને અડગ નિષ્ઠાવંત શ્રાવિકા છે. આ મહાસતીનું ચરિત્રાલેખન અત્યંત રસપ્રદ, રોચક, ઘટનાસભર મહાસતી સુરસુંદરી રાસ +151 Page #201 -------------------------------------------------------------------------- ________________ અને ક્યારેક તો કરુણ પણ છે. આ ચરિત્ર પ્રાકૃત ભાષામાં તો પ્રખ્યાત છે જ. પરંતુ બાળ જીવોના ઉપકાર ખાતર આપણા અમર યશનામી કવિરાજ શ્રી વીરવિજયજી મહારાજે પંડિત શ્રી શુભવી), એ ચમત્કારિક કથાનકને સરળ છતાં ગંભીર એવા રાસરૂપે ગુજરાતી ભાષામાં ઢાળ્યું છે, જે એમનો મોટો ઉપકાર છે. શુભ-વીરની કવિતા વિશે કાંઈ પણ કહેવું તે અ-કવિ એવા આપણા માટે અયોગ્ય અને અસ્થાને જ ગણાય. પણ છતાં એટલું કહેવું જોઈએ કે આથમતા મધ્યકાળના તેઓ સર્વોત્તમ કવિ છે. આથમતા સૂર્યની શાતાદાયક હુંફ અને તેના વિવિધરંગી આયામો આપણને આ કવિની કવિતામાં વ્યાપકપણે અનુભવવા મળે છે. ૧૮-૧૯મા સૈકામાં કવિવરો તો અનેક થયા, અને તેમની કવિતા અભુત માણવા યોગ્ય તેમ જ ભક્તિપ્રેરક પણ ખરી જ, પરંતુ ગેયતા શબ્દપસંદગી, અભિવ્યક્તિ ને પુણ્ય અને ભાવોત્પાદકતા – આ ચાર તત્ત્વોમાં તો શુભવીર જ મેદાન મારી જાય, એમાં શંકા નહિ. આવા મહાન કવિ જ્યારે મહાસતી સુરસુંદરીના ચરિત્રને હાથમાં લે, ત્યારે મૂળે સુગંધ છલકાતું એ ચરિત્ર કેવું રસમધુર બની જાય છે તો આ રાસના સમગ્ર વાચનામાંથી પસાર થનારાને જ અનુભવ કરવા દઈએ. કિનારે બેઠાબેઠા અનુભૂતિના ઘરમાં માથું મારવું ઉચિત પણ કેમ ગણાય? સાધ્વીશ્રી જીતકલ્પાશ્રીજીએ અનુવાદ તથા વિવેચન કરવામાં પોતાની રુચિ તથા ક્ષયોપશમને અનુસાર પ્રશંસાપાત્ર પ્રયાસ કર્યો છે. જીવન જીવવાની અને જીવનના ઝંઝાવાતો સામે ધર્મના સહારે ઝઝૂમવાની – આત્મશક્તિનો અંદાજ અને પ્રેરણા આપતો આ રાસ શાસનના પ્રાંગણમાં સંકલ્પ, શ્રદ્ધા અને સમર્પણનાં આદર્શ પુષ્પો વેરી પવિત્રતાનો પમરાટ ફેલાવે છે. ગ્રંથકાર શ્રી વીરવિજયજી મહારાજ મંગલાચરણ કરવા માટે ત્રેવીસમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના કરતા કહે છે : જગતમાં સઘળા ગુણોનો ભંડાર, મનોવાંછિત આપનાર, સુખસામગ્રી આપનાર, હંમેશાં જેમનું નામસ્મરણ કરવા યોગ્ય તથા સૂર્ય કરતા તેજસ્વી જેમનું નામ શંખેશ્વર છે એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જય પામો જય પામો. આ દક્ષિણ ભારતના મધ્યખંડમાં, પૃથ્વીરૂપ સ્ત્રીના ભાલ સમો અંગ નામનો દેશ છે. તે દેશના મધ્યભાગમાં ચંપા નામની નગરી છે. આ નગરીનો રિપુમર્દન રાજા ન્યાય સત્ય, ચારિત્ર્યની સુવાસથી મહેકતા જીવનવાળો હતો. 152 * જૈન રાસ વિમર્શ Page #202 -------------------------------------------------------------------------- ________________ સોનામાં સુગંધ સમાન આ નરેશની પટરાણી રિતસુંદરી રહેલી છે. બે રાજકુમાર પછી આ રાજકુંવરીનો જન્મ થયેલો છે. વળી પુણ્યશાળી પણ ઘણી છે. પુત્રીજન્મનો મહોત્સવ કર્યો. રાજકુંવરીનું રૂપ સ્વર્ગની દેવી કરતાં ચડી જાય તેવું હોવાને કારણે રાજાએ સુરસુંદરી નામ રાખ્યું. પુત્ર પારણે ને વહુ બારણે' કહેવતને અનુસરીને બાળાની ચપળતા વિચક્ષણતા ચતુરાઈ દેખાવા લાગી. અનુક્રમે વધતી બાળા સાત વરસની થઈ. તેને ભણાવવા માટે માતાપિતા આનંદપૂર્વક નિપુણ અને હોશિયાર વિદ્યાગુરુ પાસે મૂકે છે. વિદ્યાગુરુ બહુ કાળજી રાખીને સર્વે કળાઓ શિખવાડે છે. ઉત્તમ જીવોને વિદ્યાગુરુ માત્ર સાક્ષીરૂપ હોય છે. વિવેકી બાળા વિનયપૂર્વક વ્યાકરણ આદિ વિષયોનો અભ્યાસ કરે છે. જે અરસામાં સુરસુંદરીના વિદ્યાગુરુ પાસે અમરકુમાર પણ ભણે છે. તેણે પંડિતના મનને જીતી લીધું છે. આ જ ચંપાનગરીમાં જૈનધર્મોમાં રક્ત, સમકિતના રંગથી વાસિત, પંચપરમેષ્ઠિમાં મગ્ન, પરમ શ્રાવક ધનવાહ નામના શ્રેષ્ઠી વસતા હતા. નિષ્ઠાવાન શેઠને ગુણવતી, પ્રેમાળ, સરલ સ્વભાવવાળી અપ્સરાને હરાવે તેવી રૂપવાન નામના અર્થને સાર્થક કરનારી ધનવતી નામે નારી હતી. સમય થતાં પૂરણ માસે ધનવતીએ શ્રેષ્ઠ એવા પુત્રને જન્મ આપ્યો. શ્રેષ્ઠીએ બા૨મે દિવસે કુટુંબીઓને, જ્ઞાતિજનોને, સંબંધીઓને, સજ્જનોને બોલાવ્યા. જોષીઓને પણ બોલાવ્યા. લાડકવાયા લાલનું નામ અમર રાખ્યું. મંત્ર-તંત્ર આદિ કાળને ભણતો કુમા૨ ૭૨ કળાને શીખી ગયો. આ પંડિત પાસે રાજકુમારી સુરસુંદરીએ વિનય વિવેકયુક્ત સ્ત્રીઓની ૬૪ કળાને આત્મસાત્ કરી લીધી. તે બંને વિદ્યાર્થી કુમાર અને કુંવરી વચ્ચે નિર્દોષ નિર્મળ દોસ્તી બંધાઈ હતી. દ૨૨ોજ ભણવા કા૨ણે ચર્ચા-વિચારણા શંકા સમાધાન કરતા હતા. તક મળતાં કુમાર આજે કુંવરીની મીઠી મશ્કરી કરવામાં પડ્યો. અમકુમારે સુરસુંદરીના વસ્ત્રના છેડે ગાંઠ બાંધેલી પોટલી જોઈ. સહજતાથી ખોલી. તો સાત કોડી નીકળી. તેની સુખડી મંગાવી બધાંને ગળ્યાં મોં કરાવ્યાં. ને ત્યારે તો તે સૂતી હતી. કુંવરે સુરસુંદરી જાગી જતાં તેને કહ્યું, તારો ભાગ રાખીને બધાંને સુખડી વહેંચી દીધી. આ વાતમાં તું સંશય ન રાખતી. નિરાંતે તારો ભાગ તું આરોગી જા. આ વાત સાંભળતાં કુંવરીને તો મહાસતી સુરસુંદરી રાસ * 153 Page #203 -------------------------------------------------------------------------- ________________ સખટ ચટકો લાગ્યો. ગુસ્સો પણ આવ્યો. કુમારને કહેવા લાગી. રે અવગુણી! બીજાનું દ્રવ્ય લઈને ખરચીને ઉજાણી કરાવી. આ દુકૃત્ય કરતાં શરમ ન આવી! ત્યારે કુમારે ઠંડે કલેજે જવાબ આપ્યો. આવી નાની શી વાતમાં આવવું મોટું સ્વરૂપ શા માટે કરે છે! આ બધું બોલે છે તે શું તને શોભે છે! સાત કોડી મેં લીધી. તેમાં શું થઈ ગયું. સાત કોડીમાં તો તું શું કરત! જેથી તને આટલું બધું દુઃખ લાગ્યું છે. કુંવરી કહે રે! શ્રેષ્ઠિકુમાર! સાત કોડીની તારે મન કંઈ કિંમત દેખાતી નથી. પણ સાંભળ. સાત કોડીમાં હું તો રાજ્યને મેળવી શકીશ. આવાં વચનો સાંભળીને કુમારને ઘણું જ દુઃખ લાગ્યું. કુંવરીના અપમાનને સહન કરી લીધું. મૌન રહ્યો. બંને બાળકોનો વ્યાવહારિક અભ્યાસ પૂરો થયો. હવે બંનેને પોતપોતાની માતા ધર્મના સંસ્કારો, ધર્મની જાણકારી મેળવવા જૈનાચાર્ય પંડિતની પાસે ભણવા મૂકે છે. બુદ્ધિશાળી બંને બાળકો વિનયપૂર્વક પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ભાષ્ય-કર્મગ્રંથ, વળી આગળ વધીને ક્ષેત્રસમાસ આદિ ગ્રંથોને ભણતાં સૂત્રથી અને અર્થથી જ્ઞાન મેળવે છે. અમર પોતાની હવેલીએ ભણે છે. કુંવરી રાજમહેલમાં અભ્યાસ કરે છે. એકદા રાજદુલારી સુરસુંદરી પૂ.સાધ્વી મ.સાહેબ પાસે આવે છે. પૂછે છે પૂજ્યશ્રી શ્રી નવકાર મહામંત્રનો મહિમા શું છે તે કૃપા કરીને મને બતાવશો. પરોપકારી પૂજ્ય સાધ્વી મસા. કહે છે. શિવકુમારની જેમ નવકારમંત્રની સાધના કરનાર અઢળક લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. પૂ.સાધ્વી મ.સા. કહે છે : હે સુરસુંદરી, નવકારમંત્રનો મહિમા મોટો છે. આ ભવમાં સુખ મેળવે છે. પરભવમાં વળી સુખસાહ્યબી પામે છે. પરંપરા એ સિદ્ધિવધૂને મેળવે છે. મનમાં ઉત્સાહ લાવી હાથજોડી કહી રહી છે : હે ગુરુદેવ! મને અભિગ્રહ આપો. મને નિયમ કરાવો. આજથી હું હરહંમેશ ૧૦૮ વાર શ્રી નવકાર મંત્રનો જાપ કરીશ. વળી યથાશક્તિએ હું નવકારશીનું પચ્ચકખાણ કરીશ. મારા દેહમાં જ્યાં સુધી હું પ્રાણને ધારણ કરીશ અર્થાત્ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ નિયમ મનની શુદ્ધિપૂર્વક પાળીશ. અમરકુમાર પોતાના આવાસે રહ્યો છે. રાજકુમારી મહેલમાં રહી છે. બંનેના ભણ્યાનું પારખું કરવા, પરીક્ષા આપવા રાજા રાજદરબારમાં બાળકોને બોલાવે છે. હવે રાજા બંને પરીક્ષાર્થીઓને વારાફરતી શ્રુતના અગોચર પ્રશ્ન કરી 154 જૈન રાસ વિમર્શ Page #204 -------------------------------------------------------------------------- ________________ રહ્યા છે. વિવેકી વિદ્યાર્થીઓ પોતાના બુદ્ધિબળે એકએક પ્રશ્નના ઉત્તર વિવેકપૂર્વક આપી રહ્યા છે. સભા સાંભળીને આશ્ચર્યમુગ્ધ બની જાય છે. રાજાની સભાએ લેવાયેલી પરીક્ષામાં પોતાના બંને વિદ્યાર્થીઓએ રાજા અને પ્રજાને આનંદ કરાવ્યો. જાણી અધ્યાપક ઘણા જ રંજિત થયા. બંને વિદ્યાર્થીઓને ભણાવવામાં કરેલો પુરુષાર્થશ્રમ સફળતાને પામ્યો. રાજા પણ આનંદ પામ્યા. - પરિવાર આદિ પણ ઘણા ખુશ થયા. રાજા-રાણી પોતાની એકની એક લાડકવાયી કુંવરીનું અમરકુમારને પસંદ કરી કન્યાદાન કરે છે. ત્યાં હસ્તમેળાપ કરાવે છે. આડંબરપૂર્વક મોટા મહોત્સવે શ્રેષ્ઠિપુત્રનાં ધામધૂમથી લગ્ન થયાં. કુમાર કહે – હે પિતાજી! આ ધન-માલ મિલકત આપની છે. પિતાના પૈસે મોજમજા ઉડાડનાર દીકરાને ધિક્કાર છે. તેનું જીવિત પણ ધૂળ છે. માટે પુણ્યને અનુસારે નસીબ અજમાવવા જુદાજુદા પ્રકારના ચરિત્ર આશ્ચર્યોને જોવાને માટે દેશપરદેશ જોવું જ છે. આ પ્રમાણે અનુજ્ઞા મેળવી, રજા મેળવી અમર સુરસુંદરી પરદેશ જવા તૈયાર થયાં છે. આ ચરિત્રમાં આવે છે કે કેવા ગુણોથી શત્રુ પણ મિત્ર થઈને રહે છે. સિંહનો એક ગુણ (૧) બગલાનો એક ગુણ (૨) ચરણાયુધ (કૂકડાના) ચાર (૪) વાયસ-કાગડાના પાંચ ગુણ (૫) કૂતરાના છ ગુણ (૬) ગધેડાના ત્રણ ગુણ (૩) પ્રધાનના ચાર ગુણ (૪) એમ મળીને (૨૪) થાય. વળી હંસ, મોર, હરણ, માછલું, માળી, શિયાળ, કોયલ અને લુહાર આમ આઠનો, દરેકની પાસેથી એક એક ગુણ, એમ ૮ ગુણો મળી કુલ ૩૨ ગુણો થાય. સિંહને સાહસિક ગુણ ગણાવ્યો છે. તે ગુણથી સિંહ જંગલમાં નિર્ભયપણે એકલો રહે છે. સાહસિકતાના ગુણને ગ્રહણ કરજે. બગલો : પોતાની ઇન્દ્રિયોને ગોપવી એકધ્યાનમાં સ્થિર રહેવા રૂપ ગુણ બગલામાંથી લેવાનો છે. કોઈ પણ કાર્યમાં એકલીનતારૂપ ગુણ જણાવ્યો છે. કૂકડો ચાર ગુણો (૧) બ્રહ્મ મુહૂર્ત એટલે ચાર ઘડી એક કલાકને ૩૬ મિનિટ) બાકી રહે રાત ત્યારે ઊઠવું (૨) દુમનનો યોગ થતાં લડી લેવું (૩) કુટુંબની સાથે બેસીને જમવું () બળના પ્રમાણમાં ભોગ કરવો. કાગડો : પાંચ ગુણો (૧) મૈથુન ગુપ્ત રીતે કરવું (૨) અવસરે રહેવા માટેનું મકાન-સ્થાન તૈયાર કરી લેવું. (૩) પ્રમાદ ન કરવો (૪) ધૃષ્ટ બનવું (૫) કોઈથી છેતરાવું નહિ. કૂતરો : છ ગુણો (૧) નિદ્રાની અલ્પતા (૨) જાગૃતિ (૩) શૌર્ય (જી સ્વામીભક્તિ મહાસતી સુરસુંદરી રાસ +155 Page #205 -------------------------------------------------------------------------- ________________ (૫) ભૂખ્યા ઊઠવું નહિ એટલે આહારમાં શરમ ન રાખવી (૬) સંતોષ. ગધેડો : ત્રણ ગુણો (૧) ખૂબ થાકેલો હોવા છતાં ભાર વહન કરે (૨) ટાઢ-તટકો શરીરને લાગે તે ગણે નહિ (૩) સંતોષથી હંમેશાં ચરે. પ્રધાન : બુદ્ધિના ચાર ગુણો પ્રધાન પાસે હોય છે તે લેવા જોઈએ (૧) પ્રપંચ (૨) વાચાળતા (૩) સર્વેને સંતોષવા (જી એકબીજાના મનને તાત્કાલિક પારખી લેવો. હંસ: એક ગુણ પાણીવાળા દૂધમાંથી દૂધ પીએ છે. પાણી છોડી દે છે તેમ અવગુણમાંથી પણ જે ગુણ હોય તે જ લેવારૂપ ગુણ હંસમાંથી લેવા જેવો છે. મોર : એક ગુણ – મનોહર પીંછાને ધરનારો મોર પોતાના પગને જોઈ માન તજે છે. તેમ માણસે પણ અભિમાન મૂકી ગુણો ઢાંકી અવગુણ શોધી કાઢીને દૂર કરવા. હરણઃ એક ગુણ-હરણ વનમાં ચરતાં કે નાસતાં પાછળ વળી જોયા કરે છે તેમ માણસે પણ પાપ કરતાં ફરી ફરી મરણનો વિચાર કરવો. માછલું એક ગુણ-આળસુ નહિ બનતા ચપળ બનવાનો ગુણ. માળી : એક ગુણ-માળી જેમ ચંપક, ગુલાબ વગેરે છોડવાઓને વચ્ચે રોપીને તેની આજુબાજુ વંતૂરા-થોર અને એરંડા વગેરેને રોપે છે તેમ માણસે પણ વિવેકી બનીને સુમિત્ર, કુમિત્ર તથા ભલા-ભૂંડા વગેરેને એકસરખા નહિ ગણતાં યોગ્યતા મુજબ વર્તાવ કરવો. માતાપિતાએ અમરકુમાર અને સુરસુંદરીને હિતશિક્ષા આપી. આશીર્વાદ પણ આપ્યા. હવે રાણી રતિસુંદરી પોતાની દિકરી સુરસુંદરીને શિખામણ આપતાં કહે છે કે હે સુંદરી! પરદેશમાં પતિ સાથે જાય છે તો સર્વ સમયે સાવધાન રહેજે. પતિવ્રતાવ્રતને પાળજે. ગળથુથીમાં મળેલા સંસ્કારોનું પ્રેમપૂર્વક પાલન કરજે. હૈયામાં ધર્મને ધારણ કરજે. પરદેશમાં સંકટો આવવાનાં છે. તો સંકટ આવતાં કષ્ટ પણ ઘણું જ પડવાનું. તે વેળાએ શુભ ધ્યાનપૂર્વક પંચપરમેષ્ઠિરૂપ નવકાર મહામંત્રનું ધ્યાન વિશેષ પ્રકારે કરજે. પરમ ઉપકારી ગુરુ ભગવંતે બતાવેલ ધર્મને તથા મહિમાવંત મહામંત્રને પળવાર પણ ભૂલતા નહિ. કુમારને સાત કોડીની વાત સાંભરી આવી. વિચારે છે એક પછી એક થયેલ સ્મરણપટ પર આવવા લાગી. મેં આંચળેથી છોડેલી સાત કોડી, મંગાવેલી સુખડી, સરખે ભાગે વહેંચીને દીધેલી સુખડી, સુંદરીનો ભાગ રાખી, અમે સૌએ ખાધી, સુંદરીએ કરેલું અપમાન. સુખડીની વાત, તેથી દીધેલી ગાળ, બાલ્યકાળની બધી વાતો તાજી થઈ. હા તે વેળાએ મેં જવાબ આપ્યો 156 * જૈન રાસ વિમર્શ Page #206 -------------------------------------------------------------------------- ________________ નહોતો. મૌન રહીને અપમાનને ગળી ગયો. હૈયે લાગ્યો એ ડંખ – એ ડંખ અત્યારે કુમારને બમણા જોરથી હૃદયમાં ડંખવા લાગ્યો. બદલો લેવાની વૃત્તિ થઈ આવી. સૂતેલી કુંવરીના આંચલે નિર્લજ્જ કુમારે સાત કોડી બાંધી દીધી. ને ઉપર લખી દીધું કે સાત કોડીથી રાજ્ય મેળવજે. ક્રોધના વચ્ચે પડેલા માણસો અકાર્ય કરવામાં પાછા પડતા નથી, જેથી જગમાં તેની લાજ રહેતી નથી. સમાજમાં અપવ્યાજના થાય છે. માટે હે ભવ્ય જીવો, ક્યારેય ક્રોધને વશ ન થશો. શાસ્ત્રોમાં કેટલાંયે ઉદાહરણો ટાંક્યાં છે કે ક્રોધને વશ થયેલા જીવોની શી શી હાલત થઈ છે. પૂર્વેક્રોડ વર્ષ સુધી સુંદરતર સંયમ ચરિત્રની આરાધના કરનાર મહાન પુણ્યશાળી આત્માઓ, ફક્ત બે ઘડી ક્રોધને વશ થતાં પૂર્વ ક્રોડ વર્ષના સંયમના ફળને ખોઈ નાખે છે. ચારિત્રને બાળી નાખે છે. આવી વાતો સિદ્ધાન્તના પાને લખાઈ છે. આગમને પણ જાણવા છતાં અમરકુમારે ક્રોધ થકી કઠણ કલેજું કરી નાખ્યું. ને ત્યાંથી મૂઠી વાળીને દોડતો દરિયાકાંઠે આવીને બૂમાબૂમ કરી મૂકી. દોડો દોડો આ દ્વિપના યક્ષરાજે આવીને સુરસુંદરીને મારી નાખી. તમે સૌ જલદી વહાણમાં ચડી જાઓ. જલદી વહાણને હંકારી છે. અહીં ક્ષણ વાર પણ રોકાવું નથી. મારી પત્નીને ભરખી ગયો. વળી પાછો અહીં આવશે. મેં છોડાવવા ઘણો પ્રયત્ન કર્યો. પણ હું મારી પત્નીને ન બચાવી શક્યો. તદ્દન ખોટાં બોલાયેલાં વચનો સૌને સાચાં લાગ્યાં. જરા પણ વિલંબ કર્યા વિના સૌ વહાણમાં ચડી ગયા. ખલાસીઓએ વહાણો હંકારી મૂક્યાં. હવે આ બાજુ લક્ષદ્વિપમાં મૂકેલી અબળા સુરસુંદરી ઊંઘ પૂરી થયે જાગી. બિચારીને કંઈ જ ખબર નથી. જ્યારે કુંવરી જાગી. પોતાનું માથું નીચે મૂકેલું છે. પોતાના પ્રીતમને માથા પાસે બેઠેલો ન જોતાં સફાળી બેઠી થઈ. હૈયે ફાળ પડી. અંતરમાંથી આહ નીકળી ગઈ. આંસુ લૂછતાં-લૂછતાં પાલવને છેડે કંઈક પોટલી જોઈ. અને પાલવને છેડેથી લખેલા અક્ષર જોયા. પાલવની ગાંઠ છોડીને અક્ષર પણ ઓળખ્યા. દ્રવ્યને ગણતા સાત કોડીને જોઈ. અક્ષર વાંચ્યા સાત કોડીએથી હે સન્નારી! રાજ્યને ગ્રહણ કરજે. શબ્દો વાંચતાની સાથે જ હા હા કરતી ધરતી પર ઢળી પડી. મૂછિત થઈ ગઈ. પણ સાવધાન થઈ ગયેલી સુંદરી તરુવર નીચે આસન લગાવીને નવપદનું ધ્યાન ધરતી બેઠી છે. કહ્યું છે કે પરદેશમાં દુઃખના હેતુભૂત એવી મહાસતી સુરસુંદરી રસ 157 Page #207 -------------------------------------------------------------------------- ________________ ન રાત્રિને વિષે નિદ્રા ન લેવી. સુંદરીનું શિયળ રૂપ બખ્તરથી યુક્ત છે અને નિદ્રા પરિહરીને શ્રી પંચપરમેષ્ઠીમાં એકાકાર બની છે. એ અવસરે યક્ષદ્વીપનો અધિષ્ઠાયક યક્ષ જે મહાપાપી છે તે માણસની ગંધ આવતા, હણવા માટે જ્યાં સુંદરી રહી છે તે તરફ દોડી આવે છે. યક્ષ ખાઉંખાઉં કરતો ધસી આવ્યો છે. સુંદરી નવકારમય બની ગઈ છે. શીલ જેનું બખ્તર બન્યું છે, શ્રી નવકારમંત્ર : જેનો રક્ષણહાર બન્યો છે, તે મહાસતી સુરસુંદરીને આ યક્ષરાજા કંઈ જ કરી શકતો નથી. તેથી વળી પાછો કહે છે. હે બેટી! મારાથી ડરીશ નહીં. તને જોતાં મને મારી પુત્રી જોયા જેટલો આનંદ થયો છે. હવે તું અહીં નિર્ભય છે. તે સૂણીને સુરસુંદરીનો ભય ઓછો થયો. અહીં સુધી બનેલી બધી જ બિના યક્ષરાજા આગળ કહી. હે તાત! હવે અહીં એકલી બેસીને શ્રી નવપદમય નવકારનો જાપ કરી રહી છું. તેના પ્રભાવે મારાં દુઃખો દૂર થશે, આજ મારો સહારો છે. શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલ ધર્મમાં અવિહડ શ્રદ્ધા છે. એ જ મારે આધારભૂત છે. એના પ્રભાવે મારાં સઘળાંયે સંકટો દૂર થશે. દૈવી શક્તિ વડે સતીની ચારેબાજુ ફરતા ચાર ઉપવન બનાવી દીધા. મહાસતી રહી શકે તેવી નાનીશી મઢુલી બનાવી દીધી. યક્ષના ઉપવનમાં આવેલાં વૃક્ષો ઉપરના ફળો ઉતારી ઉદરપૂર્તિ કરી લે છે. ઉપવનમાં વહેતા મીઠા પાણીના ઝરણાથી પોતાની તૃષાને તૃપ્ત કરે છે. દિવસનો મોટો ભાગ નવકારના જપમાં વિતાવે છે. દિનભરની થાકેલી હવે નિર્ભય હોવાથી રાત્રિએ નિદ્રા લે છે. કેટલોક કાળ આ રીતે સુંદરીનો વીતી જાય છે. જંગલમાં સદા-સાવધાન રહેલી બાળા શીલને પણ સાચવે છે. યક્ષરાજા પણ દરરોજ રાજકુંવરીની સાર-સંભાળ કરે છે. હવે એકદા કેટલાંક વહાણો લઈને એક વેપારી સિંહલદ્વિપ તરફ વેપાર અર્થે જઈ રહ્યો હતો. જળ અને ઈંધણ માટે પોતાનાં વહાણો આ યક્ષદ્વીપના કિનારે થોભાવે છે. સુરસુંદરીને જોતાં હાથ જોડી પ્રણામ કરી વિનયપૂર્વક પૂછવા લાગ્યો. આપ કોણ છો! સતીએ તેને પોતાની વિતકકથા કહી. માનવ સ્ત્રીની વાત સાંભળી સહાનુભૂતિ દર્શાવતા શેઠ કહેવા લાગ્યા. અહીંયાં રહેવાની જરૂર નથી. તું અમારી સાથે ચાલ. સતી કહે : હે શેઠ! મારી વાત સાંભળો. મને પુત્રી તરીકે માનવાના હો તો તમારી સાથે આવું. આ જગતમાં વિશ્વાસ કોઈનોય રાખવા જેવો નથી. તેથી જે પુત્રી કે બેન તરીકે સ્વીકારે અને સ્વીકાર્યા 158 * જૈન રાસ વિમર્શ Page #208 -------------------------------------------------------------------------- ________________ પછી ક્યારેય આ વચન ચૂકવાનું નહિ કારણ કે મારા સ્વામી સિવાય આ જગતને વિષે જે કોઈ પુરુષ વસે છે તે તો મારા પિતા અને ભાઈ બરાબર છે. સતીની વાતનો સ્વીકાર કરીને, પુત્રીપણે માનીને, સતીના રૂપમાં અંજાયેલો હરામી શેઠ પોતાના વહાણમાં બેસાડીને લઈ ચાલ્યો. સુંદરીએ યક્ષરાજની રજા પહેલેથી જ લીધી હતી કે દિવસના ક્યારેક વહાણ આવી જશે તો ચાલી જઈશ. યક્ષરાજે પણ રજા આપી. બેટા! તારું હિત થાય ને તારું શીલ સચવાય તેમ હોય તો તું તારે વહાણમાં ચાલી જજે. હાથીના કાનની જેમ, પીપળના પાંદડાની જેમ શેઠનું ચિત્ત ચકડોળે ચડ્યું છે. વાસનાનો કીડો એવો સળવળ્યો છે કે અન્ન પાણી પણ ભાવતાં નથી. નિદ્રા પણ હરામ થઈ ગઈ છે. સુંદરીને મેળવવાની ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી શેઠનું ચિત્ત ઠેકાણે આવે તેમ નથી. શાસ્ત્રકારો કહે છે કે જગતમાં આઠને ઊંઘ આવતી નથી. (૧) મોટા કુટુંબવાળો અથવા ઘણાં સંતાનવાળો (૨) સ્વજનોનો વિયોગી (૩) રોગિષ્ટ (૪) વિદ્યાર્થી (૫) ધનનો લોભી (૬) ક્રોધી (૭) સ્ત્રીવિયોગી (૮) તરુણ સ્ત્રીના રસમાં રક્ત – આ આઠેય ક્યારેય સુખની નિદ્રા પામી શકતા નથી. શેઠના શરીરરૂપી મંદિરમાં વિકરાળ વાસનાની ભયંકર વિરહઝાળ ભરી છે. તે વિરહ ઝાળને સમાવવા, શાંત કરવા લજ્જાને નેવે મૂકીને સતી સુંદરીને કહેવા લાગ્યો : હે સુંદરી! તારા હૃદયને વિષે જરાયે દુઃખને ધારણ કરીશ નહિ. હે ગુણવંતી! તારા પ્રબળ પુણ્યથી હું તને મળ્યો છું. તો મારી સાથે પાંચેય વિષયોનાં સુખને ભોગવ. ત્યારે શેઠને કહેવા લાગી. હે નરોત્તમ! તમે આ શું બોલો છો. દીકરી ગણીને મારો સ્વીકાર કર્યો. હું પિતા સમજીને તમારી સાથે આ પ્રવાહણમાં આવી. અને હવે આ રીતે મારી સાથે વર્તન કરતાં શરમ નથી આવતી. મહાસતી સુરસુંદરીએ નવકારમંત્રને ગણતા જ સમુદ્રમાં ઝંપલાવ્યું. અગાધ દરિયો! સતીના શા હાલ! સાગરમાં સમાઈ ગયેલા શેઠના વહાણના પાટિયા આમતેમ ઊછળતાં એક પાટિયું સતીના હાથમાં આવી ગયું. સુંદરીએ તો આ પાટિયાને મજબૂત પકડી લીધું કે હાથમાંથી છૂટે જ નહિ. સુરસુંદરીના સત ને શીલનું રક્ષણ કરવા મહાસાગર વહારે આવ્યો હતો. કેટલોક સમય સમુદ્રમાં તણાતી, પછડાતી, કૂટાતી, બેનાતટપુરના કિનારે સાગરે લાવીને મૂકી દીધી. પાટિયા સાથે કિનારે પડેલી સુંદરી હજી બેભાન હતી. મધરાતે કિનારે મહાસતી સુરસુંદરી રસ 159 Page #209 -------------------------------------------------------------------------- ________________ આવી. બેભાન અવસ્થામાં હતી. એવે અવસરે આ નગરમાં એક વાત બની ગઈ. નગરના રાજાનો હાથી મદઝરતો મદોન્મત બનીને ગાંડો થઈ ગયેલ. બંધનમાંથી છૂટો થઈ નગરમાં ભારે કોલાહલ મચાવી રહ્યો હતો. અને તે ઘણા વેગથી આ દરિયાકિનારે આવી રહ્યો હતો. આ હાથી રસ્તાની ધૂળ રેતીને ઉડાડતો સુરસુંદરી જ્યાં બેઠી છે તે તરફ જ ધસી આવે છે. સુરસુંદરી તરફ ધસી આવતા હાથીને જોઈને લોકો દૂરથી ચિચિયારી પાડીને કહેવા લાગ્યા, રે બાઈ! ઝટ ઊભી થા! હાથી જો તારા તરફ જ આવે છે. સતી ધડક ધડક છાતીએ શ્રી નવકાર મહામંત્રને ગણવા લાગી અને પોતાના કર્મને સંભારવા લાગી. ત્યાં તો હાથીએ સુરસુંદરીની કમરે સૂંઢ વીંટાળી લીધી. સતીએ પોતાની અંતિમ ક્ષણ જ સમજી લીધી. ક્ષણ વારમાં અમરની યાદ આવી ગઈ. રે અમર! તારો શો વાંક! મારાં બાંધેલાં કર્મે જ મને દુ:ખની ગર્તામાં નાખી છે. નમો અરિહંતાણં આટલા શબ્દો સતી બોલે તેટલી વારમાં તો હાથીએ સતીને ફૂલના દડાની જેમ આકાશમાં ઉછાળી કિનારે ઊભેલા લોકો આ દૃશ્ય જેઈ કારમી ચીસ પાડી ઊઠ્યા. પણ કરે શું! હાથી તે સુંદરીને ઉછાળીને સાગરમાં મસ્તી કરવા પડ્યો. લોકો બોલી રહ્યા છે કે ૨ે પાપી હાથીએ નિરપરાધી અસહાય બાઈને હણી નાખી. તે વેળાએ કોઈ પરદેશી વહાણ કિનારે લંગર નાખી ઊભેલું હતું અને તે અહીંથી ઊપડવાની તૈયારીમાં હતું. વિદાય લઈ રહેલા આ વહાણના લંગર ઊઠી ગયા, સઢ ચઢી ગયા. પવન અનુકૂળ હતો. ખારવાઓએ માછલાં પકડવા જાળ વહાણ ઉપર બાંધી રાખેલ. હવામાં ગોથા ખાતો સુંદરીનો દેહ એ જાળ ૫૨ પડ્યો. ધબાક કરતો અવાજ આવતાં વહાણમાં રહેલાં સૌ કોઈ ચમક્યાં. જાળમાં કોઈ સ્ત્રી આવીને પડી છે. ખારવાઓએ જાળને સાચવીને છોડી. સ્ત્રીને નીચે ઉતારી. સુરસુંદરી તો બેભાન હતી. માલિકની આજ્ઞાથી દાસીઓ સતીની સેવા કરવા લાગી. સતી સ્ત્રીને ભાનમાં લાવવા વિવિધ પ્રકારના ઔષધોપચાર ચાલુ છે. સુંદરીને સ્વસ્થ જોઈને શેઠ આવ્યો. સવારે શેઠનો ચહેરો જે જોયો હતો, તે કરતાં અત્યારે ચહેરો સતીને જુદો લાગ્યો. સંસારમાં પુરુષોની આંખો સ્ત્રીઓના રૂપ અને સૌંદર્ય પાછળ ક્ષુબ્ધ હોય છે. સતીને આજે શેઠની આંખમાં વિકાર દેખાયો. વિચારવા લાગી કે અહીંયાં પણ મારું શીલ કેમ રહેશે? કેમ સાચવીશ? પોતાના કર્મની લીલાને વિચારી રહી છે. શેઠ પડખે 160 * જૈન રાસ વિમર્શ * Page #210 -------------------------------------------------------------------------- ________________ ક્યારે આવી ઊભો ખબર નથી. અમરને સંભારતી, કર્મને વિદારતી, સતીનાં આંખે આંસુ ઊભરાયાં. શેઠ પૂછવા લાગ્યો – સુંદરી રડવાનું કારણ! હાથીના સૂંઢથી છૂટી આવી પડી તમારા વહાણમાં શેઠ! કોઈને સતાવવાથી સુખી થવાતું નથી. આ રીતે પૂર્વે થયેલી શેઠની દશાને કહી રહી છે. સુરસુંદરીના તે શબ્દોની ઘેરી અસ૨ થઈ. બોલે છે : બહેન! મને ક્ષમા કરો. મારા જાગી ઊઠેલા વિકાર બદલ પસ્તાઉ છું. હવે તમને નહીં સતાઉં, આગળ કોઈ શહેર આવશે ત્યાં તમને મૂકી દઈશ. હે બેન! આવતીકાલે આપણાં વહાણો સોવનકુલ નગરમાં પહોંચશે. તમને ત્યાં ઉતારી દઈશ. સુરસુંદરી : ભાઈ! તમારું કલ્યાણ થાઓ! તમારો ઉપકાર નહિ ભૂલું. શેઠ પોતાના સ્થાને ચાલ્યો ગયો. ત્યાં જઈને વિચારે છે કે મને મળેલું અમૂલ્ય સ્ત્રી રત્ન મને કામ ન આવ્યું. તો ઠીક! મફતમાં જવા નહિ દઉં. વળી સતી પ્રત્યે શેઠ શઠ અને નિર્દયી બન્યો. બજારમાં જઈને વેચી તેનાં મૂલ્ય કરી લઉં. સોવનકુલનગર આવતાં વહાણે લંગર નાખ્યાં. સૌ કિનારે ઊતર્યાં. નિર્લજ્જ બનેલો શેઠ સુરસુંદરીને લઈને બજારમાં ગયો. સતીને ખબર નથી કે અહીં માનવની હરાજી બોલાય છે. ગુલામનો વેપાર થાય છે. તે તો એક બાજુએ ઊભી છે. તે વખતે નગરની પ્રખ્યાત ગણિકા ત્યાંથી નીકળે છે. ને આ સુંદરી તેના જોવામાં આવી. સતીનું રૂપ જોતાં જ અંજાઈ ગઈ. શેઠજી! તમારા માલની કિંમત બોલો! શેઠ: હે ગણિકા! સત્ય કહું છું કે સવા લાખ મુદ્રા! જુઓ આ સ્થળે સુંદરીના દેહનું લિલામ થાય છે. માટે વેશ્યા કહે, તમે ઘણી કિંમત મૂકી. શેઠ બોલ્યાઃ સવા લાખ એટલે સવા લાખ. એક મુદ્રા તેમાંથી ઓછી ન લઉં. વેશ્યા : ભલે. વેશ્યાએ સવા લાખ મુદ્રા ગણી આપી. શેઠ લઈને રવાના થઈ ગયો. વેશ્યા બોલી : મને ઓળખતી નથી કેમ! હું નગરીની ગણિકા છું ને વહાણટિયાએ તને અહીં સવા લાખ મૂલથી વેચી દીધી છે. મેં તને મૂલ આપીને ખરીદી છે. માટે તારે મારું પદ સાચવવા તૈયાર થવું જ પડશે. ન સુરસુંદરી કહેવા લાગી હે અક્કા! મારી આગળ તમારી વાત જે કરવી હોય તે વાત ત્રણ દિન પછી કહેજે. સતી મનથી મજબૂત થઈને બોલી રહી છે. ઉપાય સુઝતાં વળી વાત કરે છે. જે ત્રણ દિન અંદ૨ આવી વાત કરશો, મારી પાસે કોઈ કામ માંગશો તો સાંભળી લ્યો, હું મારા પ્રાણ ત્યજી દઈશ. અણધાર્યું આવી પડેલું મારું આ દુઃખ જ્યાં સુધી વિસરી ન જાઉં મહાસતી સુરસુંદરી રાસ * 161 - Page #211 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સુધી કંઈ જ કહેશો નહિ. દુઃખ વિસરે પછી તમે જે કહેશો તે કરીશ. આ દુર્જનના સંગે મારા શિયળનું શું! ખરેખર જગતમાં કામીજનો દુર્જન કહેવાય છે. તેના સંગથી મારા શિયળની હાનિ થશે. હે દેવ! હું શું કરું! ખરેખર! આ જગતના લોકો અગિયારના સંગથી વિનાશને પામે છે. ૧. કુમંત્રીથી રાજા ૨. લોભ થકી મુનિવર, ૩. વખાણ કરવાથી પુત્ર પુત્ર ઉદ્ધત થાય) ૪. વિદ્યા વિનાનો બ્રાહ્મણ (અજ્ઞાનતાથી બ્રાહ્મણ) ૫. કુપુત્રથી કુળ ૬. ઈર્ષા દ્વેષથી મિત્રતા ૭. દારૂના આશ્રયથી સેવનથી) લજ્જા, ૮. માલિક વગરનું ખેતર ૯. પતિ વિનાની પત્ની (વ્યાભિચારિણી બની જાય) ૧૦. પ્રમાદ થકી ધન ૧૧. દુર્જનની સેવાથી શીલ-વિનાશ થાય છે. માટે આ અગિયારનો સંગ ન કરવો. વળી નાના એવા છિદ્રથી ઝલ્લરી, ઝાલર પણ મોટા દુઃખને પામે છે. વિદ્યા અને ધનથી શોભતો ધનવાન પણ જે દુષ્ટ-દુર્જન હોય, મણિથી શોભતો ફણીધર આ બધાનો ક્યારેય વિશ્વાસ ન કરવો. આ સર્વથી ડરીને દૂર રહેવું. હાથીથી હજાર હાથ, ઘોડાથી દસ હાથ, ગાંડાથી પાંચ-સાત હાથ દૂર રહેવું. પણ દુર્જન થકી તો પરદેશ ઘણા દૂર રહેવું. ક્યારેય નજીક ન રહેવું. સુરસુંદરીએ ત્રણ દિવસની અવધિ માંગી લીધી. ત્રણ દિવસમાં અક્કા મળવા પણ આવી નથી. તે તક લઈને સુંદરીએ અહીંથી નાસી જવાનો ઉપાય વિચાર્યો અને સુરસુંદરીએ વૃદ્ધ ચોકિયાતની સહાયથી ઝાંપાની બહાર નીકળી ગઈ. સતીએ છૂટ્યાનો શ્વાસ લીધો. હૈયે ટાઢક થઈ. વૃદ્ધ ચોકિયાતને પણ દયા આવતા ગામની બહાર સુધી મૂકીને બીજે ગામે જવાનો રસ્તો બતાવી ઘરે પાછો વળ્યો. જેન સિદ્ધાંતોને જાણતી, પળેપળે નવકારને ગણતી છતાં હૈયે હિંમત હારી ચૂકી છે. એક શીલને માટે જ્યાં જાય ત્યાં શીલને માટે જે ભયંકર સંકટો ઊભાં થતાં. તેથી હવે મનથી નિશ્ચય કરી શાસન દેવતાને યાદ કર્યા. સરોવરનાં અધિષ્ઠાત્રી જળ દેવીને પણ યાદ કરી. સતીએ સરોવરમાં ઝંપાપાત કર્યો. પડતાંની સાથે સતી તો પાણીમાં અદશ્ય થઈ ગઈ. મોટા મગરના મુખમાં જઈને પડી. મોટો શિકાર મળતાં મગર સતીને ગળી ગયો. મોટી મોટી દાઢોને દંત હોવા છતાં સતીને એક પણ દાંત દાઢ વાગી નહિ. ને એક કોળિયામાં મગરે પેટમાં ઉતારી દીધી. કેવી દશા! કુદરતે કરી ને આ મગર જ માછીમારની જાળમાં ફસાઈ ગયો. માછીમારના કેડે કટારી હતી. જળમાં રહેલા મગરને કટારીથી છેદી નાખ્યો. મગરના શરીરના ટુકડા કરવા 162 * જૈન રાસ વિમર્શ Page #212 -------------------------------------------------------------------------- ________________ જાય છે ત્યાં તો તેની કટારી અટકી. રૂપે રંભા સરખી સ્ત્રીને જોઈ આશ્ચર્ય પામી ગયો. માછીમારને પણ દિલ હતું. દિલમાં દયા ઊભરાઈ. સ્ત્રીને જોતાં હળવેકથી સ્ત્રીને બહાર કાઢીને જોયું. સ્ત્રી બેભાન હતી. મૃત્યુ પામી નહોતી. સુરસુંદરીને નવું ચેતન આવ્યું. ભાનમાં આવતા ભગવાનને પહેલાં વાદ કર્યા. તેની પાછળ તરત પોતાનો પતિ પણ યાદ આવ્યો. આજુબાજુ રહેતા ધીવરો ત્યાં ભેગા થઈ ગયા. સુંદરીને સૌ જોઈ રહ્યા છે. સુરસુંદરી પૂછે છે કે હું ક્યાં છું? ધીવરે કહ્યું! બેન ગભરાઈશ નહિ. ભગવાનની દયાથી તમે બચી ગયાં છો. ધીવરને થયું કે આ રમણી તો રાજાને ત્યાં શોભે, મારે ત્યાં નહિ તેથી તેને લઈ જઈને રાજાને ભેટ ધરું. રાજાને ભેટ ધરવાથી મોટું ઈનામ આપશે. આવું વિચારીને ધીવર રાજાને ત્યાં પહોંચ્યો ને રાજાને ભેટ ધરી. રાજાએ સુંદરીની આખી કથા સાંભળી. ત્યકતા સ્ત્રી છે. જુવાન સ્ત્રી છે. દુઃખ હળવું થયે હું કહીશ તે પ્રમાણે તે માની જશે. રાણી બોલી : સુર! તમે શિયળ માટે જે અહીં રહ્યા હો તો તમારે ચારિત્ર જખમમાં ન મુકાય. માટે જ અત્યારે તમને કહેવા આવી. સુરસુંદરી કહે: બેન – તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું. હું હવે અહીં શું કરું! રાણી કહે: તું ચિંતા ન કર. હું તને ગુપ્ત સહાય કરીશ તો સાંભળો! અહીંથી તમે મારા મહેલના પાછળના રસ્તે ભાગી જાઓ. રાજા આવતાં પહેલાં તમે રવાના થઈ જાઓ. જો રહેશો તો રાજા તરફથી ઘણાં જ દુઃખો પામશો. મારી દાસી તમને નગર બહાર મૂકી જશે. દાસી અને સતી ધીમા પગલે મહેલના પાછળના ગુપ્ત ભાગે બહાર સહીસલામત નીકળી ગયાં. નગરની બહાર નીકળી દાસી કહેવા લાગી – બેન! રાણી સાહેબના કહેવા પ્રમાણે તમને સલામત અહીં સુધી લઈ આવી. પણ અહીંથી પાછી વળીશ. તમે આ સીધા માર્ગે ચાલ્યા જજો. વનવગડાની વાટે, અંધારી રાતે, શિયળ અને સાહસ સાથે નવકારમંત્રના જાપ સાથે, માર્ગને વિષે ચાલી જાય છે. સુંદરી જે માર્ગેથી ચાલી જાય છે. તે ઉજ્જડ માર્ગે ધાડપાડુ ચોરની ટુકડી બીજી કેડીએથી સતીના માર્ગમાં બરાબર ભેગી થઈ ગઈ. ત્યાં સતીના હાથે ચમકતા હરિવલયોને જોતા એક નજરની નજર, જતી સુંદરી ઉપર પડી. ચોર કહે: હાથમાં શું ચમકે છે! સુર કહે – લ્યો ભાઈ! તમારે જોઈએ તો આ લઈ લ્યો. પણ મને જવા દો. એમ કહી સતીએ હાથમાંથી કંકણ કાઢીને આપી દીધાં. કંઠે પહેરેલી મોતીની માળા પણ આપી. છતાં સતીને જવા ન દીધી. મહાસતી સુરસુંદરી રસ 163 Page #213 -------------------------------------------------------------------------- ________________ હવે આ સ્ત્રીને ઉપાડી લ્યો. આપણા સરદારની રાણી બનાવીશું. આપણો સરદાર ખુશ થશે. સાંભળ! આ અમારો સરધર છે. તેની તું આજથી ઘરવાળી છો. અને અમારી સૌની રાણી છો. સતીના કર્મોએ હદ કરી નાખી. સતીને સૌ ભેગા થઈને સતાવવા લાગ્યા. મનથી દેવગુરુને યાદ કરી લીધા. શાસન દેવતાને પ્રાર્થના કરી લીધી સામે આવતા સરદારને પડકાર કર્યો. ભાઈ! ત્યાં જ ઊભો રહેજે. મારા માટે કોઈ વિચાર કરીશ નહિ. સરદાર કહે: તું અમારા હાથ નીચે છે. આજથી મારી ઘરવાળી તું છો. તે હાલ હવે મારા ઘરમાં, સતી કહે: આ વાત કરીશ નહિ, સ્ત્રી તરીકે તો જરાયે નામ ન દઈશ. રખેને સૂર્ય પૂર્વ છોડી પશ્ચિમ દિશામાં ઊગે, સમુદ્ર મર્યાદા કદાચ લોપે, બરફનો પર્વત હિમાલય તે કદાચ અગ્નિ બની જાય તો પણ સતી પોતાના શિયળવ્રતમાંથી ચલાયમાન નહિ થાય. સતીની વાત સાંભળી, સરદાર તથા બીજા પણ બધા સાથીદારો ક્રોધે ભરાયા. કહ્યું કે દુર્જનને ઉપદેશ આપવો, સર્પને દુગ્ધપાન કરાવવું નકામું છે. વિપરીત જ થાય. તેમ સતીનાં વચનોએ આ પલ્લીપતિ સરદારને વધારે ઉશ્કેર્યો. સરદાર દુર્જનમાં દુર્જન હતો. સુરસુંદરી સતીને પોતાના ઘરમાં લઈ જવા, ગુસ્સામાં તેનો હાથ પકડ્યો. રાક્ષસના પંજામાંથી એકઝાટકે પોતાનો હાથ સરદારના હાથમાંથી છોડાવતી સતી કહે: ખબરદાર! જો મારા શરીરને અડક્યો છે. તો હવે સરદારે પોતાના કમરે લટકતી તલવારને હાથમાં લીધી. બબડવા લાગ્યો. આ બૈરી તો બહુ બહાદુર લાગે છે. એમ કહીને ફરીથી સુરસુંદરીનું કાંડુ પકડ્યું. ભીલ સરદાર અને સુરસુંદરી વચ્ચે હવે રસાકસી જામી. બીજી વાર હાથ પકડતાં તો સતીનું જોર વધી ગયું. સુરસુંદરીએ ભીલના જડબા પર એક લપડાક મારી દીધી. સુરસુંદરી હવે પોતાના જીવનમરણના નિર્ણય પર આવી ગઈ. તેના મોં ઉપર ક્ષાત્રતેજના ઝગારા મારતા હતા. તમાચો પડતાં જ સરદાર દસ કદમ દૂર હટી ગયો. સુરે મક્કમતાથી ગંભીર સ્વરે કહી દીધું. મારી પાસે આવવાનું જરાયે સાહસ ન કરીશ. સરદારને આ નારીનો તમાચો વસમો પડ્યો. વનવગડાનો ભીલ તમાચા સહન કરે? મ્યાનમાં રહેલી તલવાર ખેંચી નારીને કહેવા લાગ્યો. હું મરદનો દીકરો, હમણાં બતાવી દઉં છું. મારા સામે તેં હાથ ઉગામ્યો? હમણાં તને બતાવી દઉં કહીને સતીને મારવા માટે દોડ્યો. 164 * જૈન રાસ વિમર્શ Page #214 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તો સુરસુંદરીએ કહી દીધું તારામાં તાકાત હોય તેટલા જોરથી મારા ઉપર તલવાર ચલાવ. એટલું કહી સુરસુંદરીએ આંખો બંધ કરી મેઘગંભીર સ્વરે નવપદમંત્રનો જાપ ચાલુ કર્યો. મંત્ર શબ્દોની અંચિત્ય શક્તિ સતીનું કવચ બની ગયું. વાયુ થંભી ગયો. દિશાઓ કંપવા લાગી. એક અસહાય નારીના હૈયાની શ્રદ્ધા, તેમ જ શિયળવ્રતનું અખંડપણું અને સાહસિકતાએ ગજબનો ચમત્કાર સર્યો. શાસનદેવો સતીની સહાયે આવ્યા. સતી તો નવકારમય બની ચૂકી હતી. ભીલે હણવા માટે ઉગામેલી તલવાર હવામાં અધ્ધર રહી ગઈ અને હાથ પણ ઊંચો રહ્યો. અદશ્ય પ્રહારો પડવા લાગ્યા. ભીલનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. જીભ થોથરાવા લાગી. નયન ચકળવકળ થવા લાગ્યાં. બીજા ભીલો પણ ત્યાં ઊભાઊભા થરથર ધ્રુજવા લાગ્યા. સૌ બોલવા લાગ્યા. આ માનવ સ્ત્રી નથી. કોઈ દેવી લાગે છે એમ સમજી સૌ સતીને શરણે આવ્યા. સતીએ આંખ ખોલીસર્જાયેલા ચમત્કાર દેખીને સતી મનોમન શાસનદેવતાના ઉપકારને યાદ કરવા લાગી. નમસ્કાર મંત્રનો પ્રભાવ જોઈને આનંદ પામી શ્રી જિનેશ્વર ભગવાન ઉપર ઓવારી ગઈ. ત્યાર પછી ભીલોએ કહ્યું કે હે માતાજી! આપનું મન જ્યાં જવા ચાહતું હોય ત્યાં આપ પધારો. ભીલોની રજા લઈ સુરસુંદરીએ ત્યાંથી કોઈ ગામ તરફ પહોંચાય એ રીતે ભીલોએ બતાવેલી કેડીએ હવે સતી આગળ ચાલવા લાગી. ભીલ પરિવાર એકલી જતી સ્ત્રીને દૂર મૂકી આવ્યો. સતી એક વૃક્ષ નીચે જમીન સાફ કરી આસન લગાવીને બેઠી. એક પ્રહર સુધી નવકારમંત્રનું આરાધન કર્યું. સરોવરનો કિનારો હતો. જંગલનાં પુષ્પોની મહેક હતી. મંદ મંદ વાયુ વાઈ રહ્યો હતો. આરાધન પૂરું થતાં સતી હાથનું ઓશીકું કરીને સૂઈ ગઈ. દુઃખિયારા માણસને ઊંઘ એ આશીર્વાદ રૂપ હોય છે. સતી ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. તે અવસરે એક મહાકાય પક્ષી આવ્યું. જેને જગત ભારંડ પક્ષી તરીકે ઓળખે છે. પંખીઓમાં તે શિરદાર છે. કિનારે આવી આ પક્ષીને આમતેમ જોતાં સૂતેલી સુંદરી જોવામાં આવી. તેને થયું કે કોઈ માનવીનો મૃતદેહ પડેલો છે એટલે તરત જ ફૂલને ઉપાડે તેમ તેણે સુરસુંદરીને પોતાની ચાંચમાં ઉપાડી લીધી. પાંખ ફફડાવી આકાશમાં ઊડવા લાગ્યું. સુર તો ભરનિંદરમાં હતી. અચાનક પોતે અધ્ધર ઊંચકાઈ હતી. તેથી જાગી ગઈ. જોયું આ શું? હું ક્યાં જાઉં છું? મને અહીં કોણે ઉપાડી? અરે? હું કોઈ પક્ષીના પંજામાં સપડાઈ છું. હવે છૂટવું મુશ્કેલ છે. મહાસતી સુરસુંદરી રાસ 165 Page #215 -------------------------------------------------------------------------- ________________ તેનાથી કારમી ચીસ નંખાઈ ગઈ. તે ચીસ સાંભળી ભાખંડ પક્ષીના કાન ચમક્યા. તે જીવતા માણસનો ક્યારેય શિકાર ન કરે. મળેલો શિકાર જીવતો છે જાણી તરત જ પક્ષીએ ચાંચ પહોળી કરી દીધી ને સુરસુંદરીને છોડી દીધી. સતીનો દેહ નસીબયોગે કોઈ વિદ્યાધર વિમાન લઈને જતો હતો. તેના જોવામાં સતી આવી ને તરત વિદ્યાબળે પોતાના વિમાનમાં ઝીલી લીધી. માનવભક્ષી ભારંડ પક્ષીના મુખમાંથી છૂટેલી સુરસુંદરી વિદ્યાધરના વિમાનમાં બેભાન પડી. વિદ્યાધરના વિદ્યાબળે સુરસુંદરીએ તરત જ ભાનમાં આવી. સતીનું રૂપ જોઈને વિદ્યાધર મનમાં હરખ્યો. સતી બોલી હું ક્યાં છું! તમે એક વિદ્યાધરના વિમાનમાં છો. ભાઈ! મને છોડી દ્યો. મારે મન તો મૃત્યુ જ શ્રેય છે. મારે તો વિસમ મૃત્યુ વિસામો છે, સ્ત્રીની વાત સાંભળી વિદ્યાધર બોલ્યો : બહેન તમારું આયુષ્ય બળવાન છે. આકાશમાંથી નીચે પડતાં તમારા પુણ્યથી હું આવી ગયો. તમે બચી ગયાં, માટે હવે મરવાનો વિચાર ન કરો. રે ભાઈ! મારી કથની કેટલી કહું! કમેં મારી ઉપર કાળો કેર વર્તાવ્યો છે. જે સાંભળતા, મારી હાંસી થાય છે. જગતમાં નવ વસ્તુ ગુપ્ત રાખવા જેવી છે, જેથી કરીને પસ્તાવું ન પડે. આયુષ્ય, ધન, ઘરનું છિદ્ર, ખાનગી વિચારણા, મૈથુન, ઔષધ, દાન, માન અને અપમાન. આ વસ્તુ ક્યારેય કોઈને કહેવી નહિ. સુંદરીની વીતક કથા સાંભળીને ખેચરની આંખ પણ ભીની થઈ ગઈ. ખેચર વિચારવા લાગ્યો. હૈયામાં અહોભાવ જાગ્યો. ત્યાર પછી સતીને કહેવા લાગ્યો. હે બહેન! મારી વાત સાંભળ. હવે તારા દુઃખને ખંખેરી નાખ. આ તારો ભાઈ, માજણ્યો સમજજે. હવે મનમાં જરાયે દુઃખને ધારણ કરીશ નહિ. આજથી તું તારા ઈષ્ટદેવની અનન્ય ભક્તિ કરજે. અને ધર્મની આરાધના કરજે. મારું આ વચન તું સત્ય સમજી લેજે. નિશ્ચયથી હું તારા દુઃખને ખંખેરી નાંખીશ, જીવનનૈયા તારી ઝોલા-ખોયા છે. મને વિશ્વાસ છે કે તું હેમખેમ પાર ઊતરી જશે. કવિરાજા કહેઃ સભામાં બેઠેલા શ્રોતાઓ ચૌદ પ્રકારે હોય છે. તે આ પ્રમાણે : ૧. હંસ જેવાઃ હંસ દૂધ પાણી ભેગાં હોય તો યે દૂધ દૂધ પીએ છે અને પાણી ત્યજે છે. તેમ સાર લેનાર શ્રોતાઓ. ૨. મહિષ પાડા જેવા: પાડો જેમ આખા તળાવને ડહોળે તેમ બોધ નહિ લેનારા અને કેવલ સભાને ડહોળનારા. ૩. શુક, પોપટ જેવા : પોપટ મુખપાઠ કરે છે. પણ અર્થ જાણે નહિ. તેમ શબ્દગ્રહી બની ભાવને નહીં જણનારા. ૪. શૈલ 166 * જૈન રાસ વિમર્શ Page #216 -------------------------------------------------------------------------- ________________ - પર્વત જેવા : પર્વત કે પથ્થર ગમે તેટલા પાણીએ પણ જેમ પલળે નહિ તેમ સાંભળે પણ કશી અસર થાય નહિ. ૫. કર્ક-કાચબા જેવા : કાચબો જેમ ડોળા કાઢવા સિવાય કંઈ કરી શકતો નથી. તેમ માત્ર ડોળા કાઢનાર. ૬ મક-મચ્છર જેવા: મચ્છર જેમ જેનું લોહી પીએ જેમ જેને દંશ દે તેમ ઉપદેશ દેનારને ડંસ દેનારા – હેરાન કરનારા ૭. મૃત મડદા જેવા : મડદાની માફક ચેતનહીન જેવા બનીને સાંભળનારા. ૮. ચાળણી જેવા : ચાળણીમાંથી આટો નીકળી જાય ને થૂલું રહી જાય, તેમ સારને તજી અસારને ગ્રહણ કરનારા. ૯. સછિદ્ર કુંભ જેવા કાણા ઘડામાં પાણી રહે નહિ તેમ સાંભળે ખરા પણ યાદ કાંઈ રાખે નહિ. ૧૦. વ્યાલ- સર્પ જેવા : સાપને દૂધ પીવા આપો તો યે તેનું ઝેર બનાવે. તેમ સારી વાતને ખરાબ રૂપે જ લેનારા. ૧૧. ઇન્દુ-ચન્દ્ર જેવા : ચન્દ્ર જેમ સૌમ્યતાને ધરનારો છે તેમ હૃદયના સૌમ્ય સ્વભાવવાળા. ૧૨. પશુ જેવા : પશુમાં જેમ વિવેક નથી હોતો તેમ વિવેક વિનાના ૧૩. માર્ગાર બિલાડા જેવા બિલાડો જેમ શિકારની શોધમાં ફરે છે તેમ વક્તાના છિદ્રો જોવાને જ તલપાપડ થનારા. ૧૪. જલના ઓઘ એટલે સમૂહ જેવા : પાણીનો સમૂહ જ્યાં નીચાણ હોય તે દિશાએ વહે ને ખાડો હોય ત્યાં ભરાય. તેમ હલકી મનોવૃત્તિના પોષક રૂપ ઉપદેશમાં જ રાચનારા અને તેવા જ ઉપદેશકોના શ્રોતા થનારા. વળી કવિરાજ કહે છે કે હે ભવ્યો! ધર્મોપદેશનું શ્રવણ કરનારા શ્રોતા જે ચૌદ ગુણોએ સહિત હોય તેને તે ચૌદ ગુણો સ્વર્ગ અને અપવર્ગ એટલે મોક્ષ દેનારા થાય છે. તે ચૌદ ગુણ : ૧. વક્તા ઉપર ભક્તિ ૨. ગર્વરહિતપણું ૩. શ્રવણને રુચિ ૪. ચંચળતાનો અભાવ ૫. મર્મજ્ઞપણું ૬. પ્રશ્ન કેમ, ક્યાં ને ક્યારે થાય એ વગેરેનું જ્ઞાન. ૭. બહુશ્રુતપણું એટલે જેણે ઘણું વાંચ્યું હોય અને સાંભળ્યું હોય તે ૮. અપ્રમતપણું ૯. આંખમાં નિદ્રાનો અભાવ. ૧૦. ઉત્તમ બુદ્ધિ ૧૧. દાનશીલતા ૧૨. વિકથાનો ત્યાગ ૧૩. ઉપકાર કરનાર ઉપર પ્રીતિ દાખવનાર ૧૪. નિન્દાનો ત્યાગ. કવિરાજે શ્રોતાના ચૌદ ગુણ બતાવ્યા. તે જ રીતે વક્તાના ચૌદ દેખાડે છે. તે ચૌદગુણો: ૧. વચન શક્તિવાળો ૨. વિસ્તાર અને સંક્ષેપનો જ્ઞાતા ૩. પ્રિય કહેનાર ૪. અવસરે ચિત્તને જાણનારો ૫. સત્યવાદી ૬. સંદેહ છેદનારો ૭. સઘળાં શાસ્ત્રોમાં નિપુણ ૮. વસ્તુના પૂરતા અને આવશ્યક વર્ણનમાં વિલંબ નહિ કરનારો. ૯. સંપૂર્ણ અંગવાળો ૧૦. લોકોને રંજન મહાસતી સુરસુંદરી રાસ +167 Page #217 -------------------------------------------------------------------------- ________________ કરનારો ૧૧. સભાને જીતનાર ૧૨. અહંકાર વિનાનો. ૧૩. ધર્મનું આચરણ કરનારા. ૧૪. સંતોષી હોવો જોઈએ. આ ચૌદ ગુણોથી યુક્ત વક્તા પણ સ્વર્ગ અને અપવર્ગ – મોક્ષને મેળવે છે. ઉપર બતાવ્યા એ ગુણોથી યુક્ત વક્તા અને શ્રોતા ચતુર હોય તો ત્યાં શાસ્ત્રનો વાદવિવાદ અને વિનોદ કરવો પ્રમાણ છે. જેમ કે દૂધમાં સાકર ભળતાં તે દૂધ પીતાં અતિશય મીઠું લાગે છે. તેમ શાસ્ત્રની વાતોમાં આનંદઉલ્લાસ મીઠાશ આવે છે અને લાભ પણ ઘણા થાય છે. નીતિશાસ્ત્રમાં પાંચ પ્રકારે બાંધવ કહ્યા છે: ૧. માતાની કુક્ષિમાં જન્મેલ. ૨. સાથે ભણનાર. ૩. મિત્ર ૪. રોગમાં સેવા કરનાર ૫. રસ્તામાં વાતચીતનો મિત્ર. આ પાંચેય પ્રકારના ભાઈ કહ્યા છે. સુરસુંદરી રત્નજી વિદ્યાધર સાથે નંદીશ્વર દ્વીપના શાશ્વત જિનમંદિરે શાશ્વતા જિનેશ્વર પરમાત્માના દર્શન કરી રહી છે. ૮૪ આશાતનાઓને જાણતી, તે આશાતનાઓને ટાળતી, વિધિવત પરમાત્માના મંદિર ૧૦ પ્રકારની ત્રિકને સાચવતી તેમ જ પાંચ પ્રકારના અભિગમને સાચવતી થકી ભક્તિ કરી રહી છે. અંગપૂજા કરી, ત્યાર બાદ અગ્રપૂજા પણ કરી. હવે પછી ભાવપૂજા રૂપ પરમાત્મા સામે બેસીને ચૈત્યવંદન કરવા લાગી. રત્નજી હવે સુરસુંદરીને લઈ પોતાના પિતામુનિ ભગવંતની પાસે ગયો. બંને જણાએ વિધિવત વંદના કરી. મુનિનાં દર્શન થતાં સુંદરીનું હૈયું પુલકિત બની ગયું. મુનિભગવંતના સામે યોગ્ય જગ્યાએ બેઠા. મુનિ પણ યોગ્ય જીવ જાણી ધર્મને કહેવા લાગ્યા. નંદીશ્વર દ્વિપની એક ટેકરી ઉપર વૃક્ષ નીચે મુનિ ભગવંત આસન લગાવીને પોતાની સાધનામાં મગ્ન હતા. યોગ્ય જીવ જાણી મુનિ ભગવંત ઉપદેશ આપે છે. પાંચ પ્રકારના દાકારને જે આત્મસાત કરે છે તેને દુર્ગતિ ક્યારેય મળતી નથી. પાંચ દ. કાર ૧. દરરોજ યથાશક્તિ દાન કરો. ૨. જીવ માત્ર ઉપર દયા રાખો. ૩. ત્રિકાળ દેવની – જિનેશ્વરની પૂજા કરો. ૪. પાંચે ઈન્દ્રિયોનું દમન કરો. ૫. એટલે પાંચ ઇન્દ્રિયને કાબૂમાં રાખવી. પરમાત્માએ આદરેલી સર્વવિરતિ રૂપ દીક્ષાને આદરો. વળી પોતાના દેહને મિત્ર સરીખો હંમેશ માનવો, જ્યારે સ્વજનો પર્વ સમ કહ્યા છે. મિત્ર સમ દેહ – સાધન બનતાં તેની પાસેથી ઇચ્છિત એવો ધર્મ કરી લેવો જોઈએ. જ્ઞાની મુનિભગવંત જ્ઞાનબળે સુંદરીને સાંત્વન આપતાં કહે છે – બહેન! તારા પૂર્વ કર્મનો ભોગવટો પૂરો થવા આવ્યાં છે. અશુભ કર્મ ઘણાં ક્ષય 168* જૈન રાસ વિમર્શ Page #218 -------------------------------------------------------------------------- ________________ પામ્યા છે. શ્રી નવકારમંત્રની આરાધનાથી, તારી અચળ શ્રદ્ધાથી તારા કર્મમળ ધોવાઈ ગયા છે. થોડા સમયમાં તારી સામે સુખનો માર્ગ ખુલ્લો થશે. વળી તારો સ્વામી તને બેનાતટ નામના નગરમાં મળશે. તું પૈર્ય રાખજે. અશુભ કર્મ પૂરાં થાય છે. હવે શુભ કર્મનો ઉદય થાય છે. ગુપ્ત વાત પણ કરવી નહીં. ગુપ્ત વાત છે કાને જાય તો વાત ચાર કાને રહી હોય ત્યાં સુધી ગુપ્ત રહે છે. અને બે કાને રહેલી વિચારણાને તો બ્રહ્મા પણ પાર પામી શકતો નથી. કુન્જની કથા ખેચરરાય રત્નજી સુરસુંદરીને કહી રહ્યો છે. હે બેન! છ કાનેથી ગયેલી વાતથી કુલ્થ પ્રાણ ખોયા. રાજાને છોડી ઘર ઘર ભટકવું પડ્યું. ભિખારીપણામાં રાજાએ કેટલું દુઃખ સહન કર્યું. સાધુમુનિની વાતને સુરસુંદરીએ એ ચિત્તમાં ગ્રહણ કરી શિખામણને માથે ધરી. ઉત્તર શ્રેણીના અધિપતિ વિદ્યાધર રત્નજટીના મહેલમાં સતીસુંદરી વિદ્યાધરની ચાર પત્નીઓ વચ્ચે રહેલી છે. સતીનાં પાપો ક્ષય પામ્યાં છે. પ્રબળ પુણ્યનો ઉદય થયો છે. વિદ્યાધર પત્નીઓ સતીનું બહુમાનપૂર્વક અપૂર્વ ભક્તિ કરી રહી છે. કવિરાજ કહે છે કે જે આત્મા શીલરૂપી બખ્તરને ધારણ કરે છે. તે માણસો શીલના પ્રભાવ થકી મોટી પુણ્યાઈ અને યશ કીર્તિ મેળવે છે. વળી સાતેય પ્રકારના ભયો નાશ પામે છે. આવતાં વિબોને ટાળી દે છે. ઇચ્છિત ફળ મેળવે છે. સંસારમાં નારીઓ અસમાન હોય છે. એકસરખી હોતી નથી. જગતમાં સ્ત્રીના ચાર પ્રકાર કહ્યા છેઃ ૧. પદ્મિની ૨. હસ્તીની ૩. ચિત્રિણીની ૪. શંખિની. જે સ્ત્રી પોતાના પતિને વાદાર હોય છે. તે નારીનું સ્થાન શ્રેષ્ઠ છે. વળી સાથેસાથે હલકી પણ નારી હોય છે. સદ્ગુણોથી યુક્ત નારી મળી જાય તો નારી એ નારાયણી બની રહે છે. દુર્ગુણોથી યુક્ત હોય તો નારીને નરકની ખાણ પણ કહી છે. સ્ત્રીના ચાર પ્રકારના જે નામ બતાવ્યા છે. તેનાં લક્ષણો નીચે મુજબ છે. પવિત્રની સ્ત્રીના શરીરની ગંધ – કમલ સરખી હોય છે. હસ્તિની સ્ત્રીના શરીરની ગંધ – દારૂની તીવ્ર ગંધ સરખી હોય છે. ચિત્રિણી સ્ત્રીના શરીરની ગંધ – દારૂની તીવ્ર ગંધ સરખી હોય છે. શંખિની સ્ત્રીના શરીરની ગંધ ખાર સરખી હોય છે. પદ્મિની સ્ત્રી હંમેશાં મુખની શોભા કરે છે. હસ્તિની સ્ત્રી હંમેશાં પેટની શોભા કરે છે. મહાસતી સુરસુંદરી ચસ 169 Page #219 -------------------------------------------------------------------------- ________________ ચિત્રિણી સ્ત્રી હંમેશાં કમરની શોભા કરે છે. શંખિની સ્ત્રી હંમેશાં પગની શોભા કરે છે. પદ્મિની સ્ત્રીના વાળ સુંવાળા, લાંબા તેમ જ જથ્થામાં ઘણા હોય છે. હસ્તિની સ્ત્રીના વાળ ટૂંકા હોય છે. ચિત્રિણી સ્ત્રીના વાળ જાડા, વાંકાચૂકા હોય છે. શંખિની સ્ત્રીના વાળ ડુક્કરની જેવા બરછટ વાંકા હોય છે. પદ્મિની સ્ત્રી બાળ બચ્ચા, આદિ પરિવાર વચ્ચે રહે. હસ્તિની સ્ત્રી કુટુંબ પરિવારની પાછળ રહે. ચિત્રિણી સ્ત્રી એકબીજાથી પૂંઠે લાગી રહે. શંખિની સ્ત્રી ઘર ઘર ભટકતી, ગણતી ફરે. પદ્મિની સ્ત્રીને વહાલું તાંબલુ હોય. હસ્તિની સ્ત્રીને વહાલો હાર હોય. ચિત્રિણી સ્ત્રીને વહાલાં કપડાં હોય. શંખિની સ્ત્રીને વહાલો કજિયો હોય. પદ્મિની સ્ત્રી માથામાં મોગો આદિ સુગંધિ તેલ નાંખે હસ્તિની સ્ત્રી માથામાં નાગરવેલનું તેલ નાંખે છે. ચિત્રિણી સ્ત્રી માથામાં ધૂપેલ નાંખે, શંખિની સ્ત્રી માથામાં ધૂળ નાંખે. આ સંસારમાં ત્રણ વસ્તુ વહાલી હોવા છતાં તેના ઉ૫૨ વિશ્વાસ ન રાખવો. વૈરી, વિષધર અને વિરક્ત નારી. દુશ્મન દુભાય તો અગ્નિદાહ દે છે, સર્પને જો છંછેડ્યો તો પ્રાણ લઈ લે. વિરક્ત નારી પણ જે રૂઠી તો ઝેર આપવામાં અટકતી નથી. માટે વહાલા વહાલા કરતાં વહાલા ક્યારે વૈરી બની જાય છે તે ખબર પડતી નથી. વળી પણ આ જગતમાં વિશ્વાસ ન કરવા જેવી કેટલી વસ્તુ રહેલી છે. જેવી કે શૃંગી નામનું વિષ (ઝેર), અગ્નિ, પાણી, રાજા, તલવાર, વેશ્યા સ્ત્રી અને સોની. આ સાત ઉપર વિશ્વાસ ન કરવો. આ સાતનું ભરણપોષણ કરો. ઘણું સાચવો છતાં એ ક્યારેય પોતાનાં થતાં નથી. નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા ગયેલા ખેચરાય અને સુરસુંદરીએ મણિશંખ વિદ્યાધર પિતામુનિ મુખેથી સાંભળ્યું હતું કે સુરસુંદરીને સ્વામીનો મેળાપ બેનાતટ નગરે થશે. તે વચનને અનુસારે રત્નટી વિદ્યાધરે બેનને લઈને બેનાતટ નગરની બહાર બગીચામાં વિમાન ઉતાર્યું અને ભાઈબેન વિમાનમાંથી નીચે ઊતર્યાં. બેનને ઉપવનના લતામંડપમાં મૂકીને ભાઈ ઊભો છે. 170 * જૈન રાસ વિમર્શ Page #220 -------------------------------------------------------------------------- ________________ ધર્મબંધુએ આપેલી ચાર વિદ્યાઓ યાદ આવી. સતી વિચારે છે કે હું એક સ્ત્રી છું તો મારું રૂપ જ મને અનર્થ કરનારું બની રહ્યું છે. તેથી આ સ્ત્રીપણાનો ત્યાગ કરીને મેળવેલી “રૂપપરાવર્તન” વિદ્યા વડે રૂપ બદલી પુરુષ રૂપ ધારણ કરું. તેથી નિર્ભયપણે મારાથી બધે જઈ શકાય. વિદ્યાનો પ્રયોગ શ્રી નવકાર મહામંત્રના સ્મરણ સાથે કર્યો. અને તરત જ રૂપપરાવર્તન થઈ જતાં પુરુષ બની ગઈ. નવયુવાન સ્વરૂપવાન પુરુષ થયો. હવે સતી સ્ત્રીપણાથી આવતાં સંકટોથી બચશે. ઉપવનમાંથી નીકળીને બેનાતટ નગર તરફ ચાલવા લાગી. નગરમાં રહેલા માળીને ત્યાં ઉદ્યાનમાં ગઈ. ત્યાં માલણને દ્રવ્ય આપીને તેના ઘરે રહેવા માટે વ્યવસ્થા કરાવી. માલણે નામ પૂછ્યું. સતી પોતાનું નામ વિમલયશ’ કહે છે. ‘દામ કરે કામ’ દ્રવ્ય મળતાં માલણ ખુશ થઈ. નવયુવાનની બધી જ સગવડ સાચવવા લાગી. પોતાના માટે જે મંદિર હતું તે મંદિરે લઈ ગઈ. વિમલયશ માલણને માતાના સંબોધનથી બોલાવે છે. નગરીનો રાજા ગુણપાલ છે. નામ પ્રમાણે ગુણ રહેલા છે. પ્રજા ઘણી સુખી છે. રાજા તરફથી કોઈ પ્રકારનો રંજાડ નથી. સુખ શાંતિ અનુભવે છે. કોઈ વાતે પ્રજાને દુઃખ નથી. ધનધાન્યથી ભરપૂર છે. સુખસમૃદ્ધિ પણ અપાર છે. વેપારધંધા પણ સારા છે. માલણ પાસેથી નગરીની વાતો સાંભળીને વિમલયશે પોતાની કળા થકી પંખો બનાવવા વિચાર્યું. માલણ પાસે પંખાને યોગ્ય સાધનો મંગાવી લીધાં. વિમલયશ વીંઝણો બનાવવા લાગ્યો. આ વીંઝણો દૈવી છે. તેનાં ફૂલ કરમાતાં નથી. બજારમાં જઈને તમારે વેચવાનો છે. પંખાની કિંમત સવાલાખ મુદ્રાની છે. “આ પંખાનાં ફૂલો કદી કરમાતાં નથી. અને જે આ પંખાથી વાયુ નાંખે તેના સર્વ રોગ નાશ પામે છે. નવું જીવન પ્રાપ્ત કરે છે. અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં જે રોગો શાંત ન થયા હોય તે આ પંખાના પવનથી શાંત થઈ જાય છે.” વીંઝણાની વિશેષતા સાંભળી હસતી હસતી માલણ પંખાને લઈને નગરમાં ગઈ. દસ કોડીની કિંમતના પંખાનું મૂલ્ય સવા લાખ મુદ્રા. શું વાત છે? આજુબાજુવાળા પણ કિંમત સાંભળી હસવા લાગ્યા. માલણ છોભીલી પડી. શેઠના ઘરે પોતાનો પુત્ર રોગથી પીડાતો હતો. ઘણા ઉપાયો કરવા મહાસતી સુરસુંદરી ચસ * 171 Page #221 -------------------------------------------------------------------------- ________________ છતાં દાહજ્વર શાંત થતો ન હતો. તેની લાંબા કાળની બીમારી હતી. તે પંખાના પવનથી દૂર થઈ. શરીરનું પરિવર્તન થવા લાગ્યું. દર્દીએ આંખ ખોલી. પંખાનો આવો ચમત્કાર જોઈને શેઠના આશ્ચર્યનો પાર ન રહ્યો. થોડી વારમાં દીકરો નીરોગી થયો. શેઠે તરત જ માલણને સવા લાખ મુદ્રા ગણી દીધી. નોકર પાસે થેલી લેવરાવી. માલણને માન આપી બગીચામાં તેના સ્થાને પહોંચાડવા મોકલ્યો. શેઠ તો જાણે સાક્ષાત્ દેવ આવ્યા ન હોય તેમ માનવા લાગ્યા. શેઠ કહે: મહારાજ! મારા પુત્રને સારું છે. મૃત્યુના મુખમાંથી બચી ગયો છે. ચમત્કારિક પંખાના પ્રભાવે. એમ કહી ખેસમાંથી દૈવી પંખો આપતા કહ્યું. રાજન! આપને ભેટ ધરું છું. અને પંખાના ગુણોની વાત કહી. ગુણો સાંભળી રાજા પણ હરખાયો. રાજાએ પોતાના માણસો મોકલી બગીચામાંથી માલણને બોલાવી, રાજાએ માલણનો આદરસત્કાર કરીને પૂછ્યું “હે માલણ! પંખો તમે ક્યાંથી મેળવ્યો? પંખો બનાવનાર કોણ છે?” માલણ કહેઃ હે મહારાજ! સાંભળો, મારા આવાસે પરદેશી ગુણવાન એક નવયુવાન આવ્યો છે. જેનું નામ વિમલયશ છે. પોતાની કળાથી આ પંખો બનાવ્યો છે. રાજાએ દૈવી પંખાના સર્જક વિમલયશને માનસહિત સભામાં લાવવા માટે બોલાવવા પોતાના માણસોને પાલખી લઈને મોકલ્યા. રાજા કહેઃ “હે કુમાર! તમારી દૈવી કળાને જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. આપના જેવા વિદ્યાવંત પુરુષો ધન્યવાદને પાત્ર છે. આ સાંભળી વિમલયશ બોલ્યો : “રાજન! આપનું હૃદય ગુણપૂજક છે. તેથી મારા જેવા દુઃખી યુવાનને આપે સન્માન આપ્યું.” હે પરદેશી કુમાર! તમારી કળાને જોતાં હું ઘણો ખુશ થયો છું. માટે માંગો? તમે કંઈ પણ માંગો? હું વચન આપું છું કે માંગશો તે આપીશ. કુમાર કહે: રાજન! આપનો આગ્રહ છે તો મને તમારા નગરના માંડવી” જકાતનાકાના અધિકારીની જગ્યા જોઈએ. એ જગ્યા આપો. પરદેશી કુમાર પોતાની યશ અને કીર્તિ વિસ્તારવા લાગ્યો. જકાતમાંથી મળતા દ્રવ્યને ધર્મસ્થાને વાપરવા લાગ્યો. ખરેખર ધર્મથી સકલ વાંછિત પ્રાપ્ત થાય છે. અહીંયાં કુમાર સુખે રહેવા લાગ્યો. આમ અનુક્રમે કેટલાંયે દિવસો આનંદ અને સુખમાં વીતવા લાગ્યા. ખરેખર! પુણ્યથી આ જગતમાં 172 * જૈન રાસ વિમર્શ Page #222 -------------------------------------------------------------------------- ________________ જયજયકાર થાય છે અને અમૃતના સ્થાનરૂપ સુખના ઘર રૂપ એવાં દેવલોકોની સાહ્યબી મળે છે. આ પ્રમાણે વિમલયશના સ્વાંગમાં સતી પણ પુણ્યનો અનુભવ કરતી થકી નવકારને ગણે છે. અત્યારે પુણ્ય બળવાન બની ચૂક્યું છે. બેનાતટ નગરના આવાસમાં આનંદ કરતાં દિવસો પસાર કરે છે. તેવામાં નગરમાં મોટો ઉત્પાત મચી ગયો છે. નગરમાં ચોરી થઈ રહી છે. એક ચોર દરરોજ કોઈ ને કોઈ ઘરે ખાતર પાડે છે. કેટલાક દિવસથી ખાતર પાડતા ચોરનો ઉપદ્રવ વધી ગયો છે. નગરના લોકો ઘણા જ દુઃખી થઈ રહ્યા છે. રાજા કહેવા લાગ્યા : મારી હાલી પ્રજા! આપણા નગરમાં ચોર ઉલ્કાપાત મચાવે છે. તમારા સૌના મનમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. પ્રજાની સંપત્તિ લૂંટાતી હોય ત્યારે રાજ્ય તરફથી રક્ષણ માટે દરેક પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. એ નીતિ અનુસારે હું સર્વને વિનંતી કરું છું કે આ ચોરને જે કોઈ વીર નર પકડી આપવા તૈયાર હોય તે મારો આ પડહ ઝીલી લે. ચોરને પકડી લાવનાર વીરપુરુષની હું કદર કરીશ. અને તેને મોં માંગ્યું ઈનામ પણ આપીશ. રાજસભામાં રાજાએ બીડું ફેરવ્યું. સાથે પડહ વજડાવ્યો. જે કોઈ વીરપુરુષ આ ચોરને પકડી લાવશે તેને અડધું રાજ અને મારી પુત્રી આપીશ. પણ કોની હિંમત ચાલે! માયાવી ચોર સામે જંગ ખેલવો રમત વાત નહોતી. સભામાંથી કોઈ પણ સાહસિક ન નીકળ્યો. સ્મશાનવત્ શાંતિ પથરાઈ ગઈ. સભામાં રાજા ચારેકોર નજર ફેરવે છે. ત્યાં તો રાજાની નજર ફરતી ફરતી વિમલયશ ઉપર પડી. પરદેશી કુમારે હામ ભીડી બીડું ઉપાડી લીધું. મહેલના એક ખૂણામાં વિમલયશ પદ્માસને અદય બનીને બેઠો છે. ચોરને ખબર પડી ગઈ છે કે વિમલશે બીડું ઝડપ્યું છે. મધરાતે પોતાના આવાસેથી નીકળ્યો. વિમલયશના મહેલે પહોંચી ગયો. વિમલયશે અદશ્યકરણી વિદ્યા પાછી ખેંચી લીધી. પ્રગટ થયો. તેને જોઈ ચોર ક્ષણ વાર તો ડઘાઈ ગયો. વિમલયશના હાથમાં અષાઢી વીર જેવી તલવાર ચમકી રહી છે. એક વાર તો મુષ્ટિપ્રહારે વિમલશે ચોરને પછાડ્યો. ચોર તો ગભરાઈ ગયો. વિમલયશ કહે : તને ઘણો ગર્વ હતો કેમ! મારા જેવો કોઈ બળવાન નથી. પણ હંમેશાં શેરને માથે સવાશેર હોય મહાસતી સુરસુંદી રસ 173 Page #223 -------------------------------------------------------------------------- ________________ જ. મારી તાકાત તો એટલી છે કે તને અત્યારે મારી પણ નાંખી શકું છું. પણ હું તેમ કરવા ઇચ્છતો નથી. વિમલયશે ચોરને રાજાની આગળ હાજર કર્યો. રાજાને સોંપ્યો. રાજકુમારી તો પિતાને વળગી પડી. વિમલયશે કહ્યું : હું આપના આશીર્વાદથી બધું કામ પાર પાડીને આવી ગયો છું. ત્યાર બાદ વિમલયશે તેને સાચી સમજ આપી. રાજા આગળ હાથ જોડીને ચોરે ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. વિમલયશે રાજાનો સેવક તરીકે રાખવાની વાત કરી. ચોર શાહુકાર બન્યો. અને રાજાનો સેવક બની ગયો. ત્યાર પછી રાજકુમારીની ક્ષમા માંગી. પ્રજાના હૃદયમાં આનંદ છવાઈ ગયો. ચોરની સાથે રાજાના માણસો ગુપ્ત સ્થાનમાં સાથે ગયા. જેનું જેનું ચોર્યું હતું તેનું તેને આપી દીધું. નગરમાં વિમલયશનાં યશોગાન ગવાઈ રહ્યાં છે. રાજા વિમલયશની વીરતા ઉપર ખુશ થયા. વિમલયશની પીઠ થાબડતાં કહે છે : હે મિત્ર! તમારા અપૂર્વ સાહસને બિરદાવું છું. આજથી તમે મારા રાજ્યના અર્ધા ભાગીદાર છો. અને મારી કન્યાના સ્વામી છો. રાજકુમારી તો વિમલયશને ઝંખતી હતી. અપૂર્વ સાહસ થકી વિમલયશે કુંવરીને મેળવી. કુમારીના અંતરમાં સ્નેહના સરોવર છલકાયા. પ્રીતિનાં રસઝરણાં ફૂટી નીકળ્યાં છે. રાજાએ ગુણમંજરીનાં લગ્ન ધામધૂમથી વિમલયશ સાથે કર્યા. વિમલયશે રાજા પાસે મૂકેલી શરતે ગુણમંજરીને પોતાના મહેલમાં રહેવુ પડ્યું છે. તે વિમલયશના મહેલમાં જઈ શકી નથી. તો સ્વામીનાથ વિમલ પણ તેને મળવા આવી શક્યા નથી. પુણ્યોદયે વિમલયશ ઉર્ફે મહાસતી સુરસુંદરી પોતાના આવાસે નિરાંતે બેઠી છે. ઊંડા ભૂતકાળમાંથી વર્તમાનમાં વિચારે છે. સાત કોડીએ બેનાતટ નગરનું અર્ધું રાજ્ય મેળવ્યું. બાલ્યકાળમાં મારા એ શબ્દો આજે આંખ આગળ સાકાર થઈને રહ્યા છે. આ અવસરે એક દિવસે બેનાતટના દરિયાકિનારે સુંદરીનો પ્રિય સ્વામી ઘણા મહિનાએ યાત્રા કરી પ્રવાસ ખેડીને આવ્યો છે. રત્નદ્વીપની સફળ યાત્રા કરીને પોતાના વતન તરફ જતાં અહીં બેનાતટે આવવાની ઇચ્છા નથી. પોતાના વહાણોમાં ભરેલો માલ છે. તેનું દાણ ચૂકવીને અહીંથી આગળ જલદી જવું છે. પણ અહીંના નિયમના કારણે વહાણ સીધા જઈ શકતાં નહોતાં. અનિચ્છાએ પણ અમરકુમાર વૃદ્ધ મુનીમજીના કહેવાથી રિઝવવા ભેટલું લઈને રાજદરબારે આવ્યો. પરિવારથી યુક્ત અમરકુમારે રાજાના ચરણે નજરાણું મૂક્યું. રાજાની 174 * જૈન રાસ વિમર્શ Page #224 -------------------------------------------------------------------------- ________________ પાસે બેઠેલો માંડવિયો મુખના અણસારે ઓળખી ગયો. અંતરના ઊંડાણમાં આનંદની લહેર આવી ગઈ. તે અવસરે વહાણવટી અમરકુમાર ભટણું લઈને રાજદરબારે આવ્યો. રાજાના ચરણ પાસે ભેટશું મૂક્યું. માંડવિયો વિમલયશ ઓળખી ગયો. તે સિવાય અહીં તેને ઓળખનાર કોઈ જ હતું નહિ. અમરકુમારને પોતે ગુમાવેલી સુરસુંદરીનું સ્મરણ સતાવ્યા કરતું હતું. જેમ જેમ વહાણો દેશ તરફ ગતિ કરતાં હતાં તેમતેમ તેના હૈયામાં સુરસુંદરી વધુ વધુ યાદ આવતી હતી. ઘેર પહોંચ્યા પછી પિતાજીની આગળ શું કહેવું? મારા મહાપાપનો પશ્ચાત્તાપ કોની આગળ કરવો? આવા અનેક પ્રશ્નોએ તેના હૃદયને ખળભળાવી મૂક્યું હતું. વિમલયશ ઓળખી ગયા. પોતાના હૈયામાં આનંદ થયો. બીજી પળે પોતાના સેવકને કહી દીધું કે આ વેપારી જુદો છે. તેના વહાણોની જપ્તી કરી લ્યો. તેનો ભોંઠો પાડીને રાજાને કહો કે આ વેપારી તદ્દન ખોટો છે. ત્યાર પછી તેને મારી પાસે મારા આવાસમાં લઈ આવો. વિમલયશની આજ્ઞા પ્રમાણે સેવક કામ કરીને વેપારીને વિમલયશ પાસે લઈ આવ્યો. વિમલયશ કામ પતાવીને પોતાના શયનખંડમાં આવ્યો. અમરનાં આંસુ જમીન ઉપર સુકાયા નહોતાં. વિમલે તે જોયાં. વિમલના હૈયામાં કંપારી છૂટી. હૃદયમાં પ્રલયતાંડવનું ગર્જન થયું. આવા સમયે હૃદયની સ્થિતિ કેવી હોય છે તે કહેવું કઠણ છે. સેવકે કહ્યું સાહેબ! આપના ગયા પછી વેપારી તો વારંવાર રડ્યા કરે છે. પરિચારિકાએ જમવા માટે ઘણું કહ્યું. પણ શેઠ જમ્યા નથી. વિમલયશના વેશમાં સુરસુંદરીના હૃદયમાં શેઠ ન જમ્યા તેની અકથ્ય વેદના થઈ રહી છે. વિમલશે પોતાની પાસે બેસાડ્યો. મિત્ર! શા માટે મુંઝાઓ છો તમને હેરાન નહિ કરું. દુ:ખી પણ નહિ કરું. તમારા માલની તપાસ કર્યા પછી તમને રજા આપીશ. દયાજનક સ્થિતિ જોઈને વળી વિમલયશે પૂછ્યું. મિત્ર! માનસિક દર્દથી પીડાઓ છો, હું તમારો સાહેબ નથી. અત્યારે એમ સમજો. એક મિત્ર તરીકે મને માની લ્યો. તમારા હૈયામાં ઘોળાતી વાતને ખુલ્લા દિલથી મારી આગળ કહો. જવાની શા માટે ઉતાવળ છે! અમરકુમાર વિમલયશને ઓળખી શક્યો નથી. અત્યારે પોતાનો આપ્તજન મિત્રવત્ લાગ્યો. ને હૈયાની વરાળ કાઢવા તૈયાર થયો. દાઝેલા મને કહાની શરૂ થઈ. વિમલ : રે મિત્ર! આપની કહાણી સાંભળીને હવે સહાય કરવાને બદલે તમને હું દુઃખી કરું! ના! શેઠ, ના. ના, મારી એવી વૃત્તિ નથી. હું તમારી પત્નીને મહાસતી સુરસુંદરી ચસ * 175 Page #225 -------------------------------------------------------------------------- ________________ લઈ આવું છું.” અમરની સામેથી વિમલયશ ઊઠ્યો. અમરઃ રે મિત્ર! તમે આ શું કરો છો! વિમલ કહે: ના ના. અમર : મને અહીંથી જલદી જવા દો. હું તને મારું મોં બતાવવા લાયક નથી. વિમલ : ત્યારે શું તમારો પ્રેમ આટલો નિર્બળ છે! આટલું કહી વિમલયશ પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો. અમર તો બહાર દીવાનખાનામાં બેઠો છે. વિમલે રુપપરાવર્તિની વિદ્યાને સંભારી, રૂપ ફેરવાઈ ગયું. પુરુષપણાને પરિહરીને સ્ત્રી સ્વરૂપે આવી ગઈ. સોળ શણગાર સજી લીધા. અરીસા સામે આવી ઊભી. રત્નજી અને તેની પત્નીઓ આવી. તેણે આપેલાં ઘરેણાં પહેર્યા. સૌંદર્ય સો-ગણું વધી ગયું. પોતાના પતિ પાસે જવા પગ ઉપાડ્યા. પણ પગ ભારે થઈ ગયા હતા. છતાં પણ ઉપાડ્યા. ઉતાવળી-ઉતાવળી અમરની સામે ઊભી રહી. અમરકુમાર જોતાં જ આભો બની ગયો. હું ક્યાં છું! વિચારતો થઈ ગયો. આ શું સત્ય છે! હૈયાનો વેગ વધી પડ્યો. એક શબ્દ ન બોલી શક્યો. સુરસુંદરી સ્થિર ભાવે ઊભી છે. એનાં નયનો રડવા માટે ઉતાવળાં બન્યાં છે. જ્યારે અમરનાં નયનોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં છે. વિમલયશ મટીને સુરસુંદરી બનતાં વાર ન લાગી. સુરસુંદરી સ્વામી સામે સ્થિર ભાવે ઊભી છે. બંને વચ્ચે મૌન છવાયું છે. સુરસુંદરી કહે: નાથ હૃદયમાં કશું રાખશો નહિ. વિમલયશના વેશમાં હું પોતે જ હતી. મને ક્ષમા આપશો. મેં તમને ઘણા હેરાન કર્યા! સુરસુંદરીએ યક્ષદ્વીપથી માંડીને અહીં સુધી જે બન્યું હતું જીવનમાં તે સવિસ્તાર કહી સંભળાવ્યું. અમરકુમાર કહે : દેવી મારી ભૂલને ક્ષમા આપો. મેં તને દુઃખ આપવામાં બાકી રાખ્યું નથી. સાત કોડીએ રાજ મેળવી, તેં તારા વચનને ચરિતાર્થ કરી બતાવ્યું. દેવી! તને ધન્ય છે. તારા જીવનમાં તારા પૂર્વના પુણ્ય વડે અને નવકાર મંત્રના જપ વડે તારું સઘળું દુઃખ સુખમાં પરિણમ્યું. સુરસુંદરીએ રાજા ગુણપાલને વાત કરી. અને ગુણસુંદરીનાં લગ્ન અમરની સાથે ભવ્ય અને મોટા ઠાઠથી કર્યો. વહાલું વતન તેનાથી નહોતું વિસરાયું. એક દિવસ રાજાને કહ્યું – મહારાજ! માતાપિતા અમારી રાહ જોતા હશે. અમારું મન ચંપાપુરી જોવા તલસી રહ્યું છે. આપ સંમતિ આપો. સતીએ પોતાનું રાજ્ય રાજા ગુણપાલને પરત કર્યું. હાથી, ઘોડા, રથ, આદિ બધી વસ્તુ પણ રાજાને સોંપી દીધી. વતનમાં જવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વતનમાં જવાની વાતથી પરિવારમાં મળતાં આનંદ થયો. 176 * જૈન રાસ વિમર્શ Page #226 -------------------------------------------------------------------------- ________________ ચંપાનગરીની નજીક આવતાં અમરકુમારે પોતાના માણસો આગળ મોકલીને, સમાચાર માતાપિતાને રાજરાણીને મોકલી આપ્યા. આ સમાચાર મળતાં ધનાવહ શેઠ, રિપુમર્દન રાજા તેમ જ પરિવાર સૌ હર્ષિત થયા. સૌ દરિયાકાંઠે આવવા માટે નીકળ્યા છે. રિપુમર્દન રાજા જમાઈરાજનું સામૈયુ કરવા સૈન્ય સહિત આવે છે. ધનાવહ શેઠ ને ધનવતી શેઠાણી બાર વર્ષે દિીકરાનું મુખ જેવા માટે કાંઠે આવ્યા છે. રાજએ ચંપાનગરીને શણગારવા માટે આજ્ઞા આપી દીધી હતી. હોડીમાંથી ઊતરીને કિનારે આવતાં પુત્ર અને પુત્રવધૂને જોતાં શેઠશેઠાણી આનંદ પામ્યાં. દીકરી-જમાઈને જોઈને રાજારાણી પણ ઘણાં આનંદ પામ્યા. પ્રવાસની અવનવી વાતો કરતો અમરકુમાર માતા પિતા પાસે બેઠો છે. પોતાના પાપનો એકરાર પિતા સમક્ષ કર્યો. પ્રવાસની વાતો કરી. સુરસુંદરીની ચાતુરી, નવકારમંત્રની શ્રદ્ધા, શિયળની અડગતા, વગેરે ઘણી ઘણી વાતો કરી. માતાપિતાને હર્ષ ને દુઃખ બંને થયાં. ચરિત્રનાયિકા મહાસતી સુરસુંદરી પોતાના પરમ ઉપકારી શ્રી નવકાર મહામંત્રને ક્યારેય ભૂલતી નથી. નિયમને પાળતી થકી વધુ ને વધુ જપમાં તન્મય બને છે. પોતાની આરાધનાની સાથેસાથે મુનિ ભગવંતોને સુપાત્ર દાન આપે છે. આંગણે આવેલા કોઈ પણ પાછા જતા નથી. સતી કંઈ ને કંઈ પણ આપીને સંતોષતી હતી. દાકારના લાભ કેટલા | પુણ્ય યોગે મળેલી લક્ષ્મીને જે આપે છે. લક્ષ્મીનું દાન દે, દેવરાવે, દેતાં હોય તેમાં સહકાર આપે તો તે – કાર શ્રેષ્ઠ દેવલોક આપે છે. અર્થાત્ તે માણસને દેવલોકમાં સ્થાન મળે છે. નિશ્ચયથી તે દાતા દેવલોકને મેળવે છે. તો નકાર શું કરે! લક્ષ્મી ઘણી હોય પણ પોતાના પૂર્વના કર્મને અનુસરે તેની પાસે કોઈ માંગવા આવે તો શું કહે – ના મારી પાસે નથી. જે આપવાનો નથી. આંગણે આવેલાને અનુકંપાથી પણ ન આપે. તો સુપાત્રે લાભ ક્યાંથી લઈ શકે! તે માણસ લક્ષ્મીવાન હોવા છતાં પણ નકાર નરકે લઈ જાય છે. નિશ્ચયથી નકારને ભણતાં નરકમાં સ્થાન મેળવે છે. આવા અવગુણોથી દૂર રહેતાં દંપતી પોતાનાં દિવસો આનંદમાં પસાર કરે છે. મનુષ્યનાં સાત પ્રકારનાં સુખો કહે છે : ૧. શરીર નીરોગી હોય. ૨. દંપતીનો સુમેળ -- પતિ-પત્ની વચ્ચે ક્યારેય મતભેદ ન હોય. ૩. એક સ્થાનમાં રહે. ક્યારેય રખડવું ન પડે. ૪. દેવું-કરજ ન હોય. ૫. જ્યાં જાય ત્યાં માન મળતાં હોય ૬. સકલ કળામાં જાણકાર હોય. ૭. પુત્ર આદિ પરિવાર મહાસતી સુરસુંદરી રાસ +177 Page #227 -------------------------------------------------------------------------- ________________ વિનયશીલ હોય. આ સાતે પ્રકારના સુખો અમરને પુણ્યના યોગે મળ્યાં છે. છતાં પણ પર્વના દિવસોએ દંપતી પૌષધ કરે છે. ધર્મને ભૂલતાં નથી. સ્ત્રીઓનાં સાત પ્રકારનાં સુખો હોય છે: ૧. પિયરનું સુખ. પોતાનું પિયર ગામમાં હોય તે સ્ત્રીને પ્રથમ એ સુખ. ૨. ગુણવાન સ્વામી ૩. પોતાના પતિ પરદેશ ક્યારેય ન જાય. ૪. પોતાનું ઘર લક્ષ્મીથી ભરેલું હોય. ૫. નીરોગી હોય. ૬. પરિવારમાં દીકરી ઓછી હોય. ૭. સખીઓનો સંગ સારો હોય. આ સાતેય પ્રકારનાં સુખો સતી સુરસુંદરી તથા ગુણમંજરીને હતાં. પુરુષનાં સાત પ્રકારનાં દુઃખો (૧) ચાડી-ચુગલી કરનાર પાડોશી. (૨) ઘરમાં વિષનું વૃક્ષ હોય (૩) ભોજન પૂરું ન હોય. (૪) માથા ઉપરનો ભારને વહન કરવો – મજૂરી કરવાની હોય. (૫) પગથી ચાલવાનું હોય – ગરીબાઈને લઈને વાહન-વ્યવહારની સગવડ ઘરમાં ન હોય. તેથી જ્યાં જવું હોય ત્યાં પગપાળા જવું પડતું હોય. ૬. ભીખ માંગવી ૭. નિર્ધનતા. આ સાતેય પ્રકારનાં દુઃખથી પુરુષ પીડાય છે. સ્ત્રીનાં સાત પ્રકારનાં દુઃખો: ૧. સ્ત્રીનો અવતાર ૨. પતિ મૃત્યુ પામ્યો હોય ૩. પુત્રરત્ન ન હોય. ૪. દરિદ્રપણું ૫. ઘરમાં રહીને ન કરવાં પડતાં પાપો. ૬. માતા-પિતા ન હોય ૭. ગર્ભ ધારણ કરવો. આ સાતેય પ્રકારનાં દુઃખથી સ્ત્રી પીડાય છે. ચંપાપુરી નગરીના ઉદ્યાનમાં શ્રી પૂ. જ્ઞાનધર મુનિ ભગવંત પરિવાર સાથે પધાર્યા છે. જ્ઞાન-ધ્યાન-તપ આદિ યોગમાં શિષ્યો લીન બનેલા છે. હવે રાજા ગુરુ ભગવંતને વાંદવા તેમ જ દેશના સાંભળવા જવાની તૈયારી કરે છે. મુનિ ભગવંત પણ પરમાત્માએ બતાવેલ ધર્મ કહે છે. મુનભગવંતનો સ્વભાવ છે કે જિજ્ઞાસા સંતોષવી. ક્યારેય વિકથા નિંદા કરે નહિ. મુનિ ભગવંત હવે દેશના આપે છે. ગુરુ ભગવંત દેશના આપે છે. ગુરુ ભગવંત દેશના આપતાં કહે છે કે – હે પ્રાણી! તમે જિનવાણી સાંભળીને બોધ પામો. આ અસાર સંસારમાં સારભૂત એક ધર્મ છે. અને તે ધર્મનો આધાર મનુષ્યભવમાં જિનેશ્વર ભગવાનની વાણી સાંભળવી તે જ છે. અને તે જિનવાણીમાં શ્રદ્ધા રાખો તે જ ધર્મનું બળ છે. મનુષ્યભવ દસ દષ્ટાંતે દોહિલો કહ્યો છે. તેથી સુગુરુનો યોગ જ્યારે મળી જાય ત્યારે ભક્તિપૂર્વક બહુમાનપૂર્વક શ્રુત-શાસ્ત્ર સાંભળવું જોઈએ. પણ તેર કાઠિયા – આળસ – મોહ – શોક શાસ્ત્ર પ્રત્યે અનાદર, માન, ક્રોધ, પ્રમાદ કૃપણતા, ભય, અજ્ઞાન ચિત્તની અસ્થિરતા કામ અને કુતૂહલ વગેરેને વશ થઈ શ્રુતનો યોગ શ્રુતનો લાભ જીવને થતો ન 178 જૈન રાસ વિમર્શ Page #228 -------------------------------------------------------------------------- ________________ હોય, તેથી કરીને શ્રુત વિનાનો નર પશુ જેવો હોય છે. પુણ્ય-પાપનું જ્ઞાન પામી શકતો નથી. આવા સુગુરુનો યોગ પણ પુણ્યરાશિથી થાય છે. તેમની પાસેથી મૃતનો યોગ પૂર્વના પુણ્યથી થાય છે. પાપના સ્થાન સત્તર છે. મિથ્યાત્વ સ્થાનક અધિક કરતાં કુલ અઢાર પાપસ્થાનક થાય છે. કષ્ટ કરવામાં આવે, ઇન્દ્રિયનું દમન કરવામાં આવે પણ જે તે મિથ્યાત્વથી યુક્ત છે તો તે ધર્મ જુઠ્ઠો કહેવાય છે. હવે જિનેશ્વર ભગવાનનું સ્વરૂપ બતાવે છે. જિનેશ્વર દેવ અઢાર દોષથી રહિત છે. પાંચ અંતરાય કર્મ, હાસ્યાદિ છ કર્મ, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા અવિરતિ રાગ અને દ્વેષ. આ અઢાર દોષ છે. પરમાત્મા આ દોષથી પર છે. તેને દેવ રૂપે હૃદયમાં તમે ધારણ કરો. શ્રી દશવૈકાલિક સૂત્રમાં પ્રથમ અધ્યાયને પ્રથમ ગાથામાં આ વાત જણાવી છે. ધમ્મો મંગલ મુર્ફિં, અહિંસા સંજમો તવો, અહિંસા (દયા), સંયમ અને તપ રૂપ જે ધર્મ છે તે જે ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધર્મનું આચરણ કરો. વળી મુનિભગવંતને આશ્રયીને ક્ષમા આદિ દશ પ્રકારનો ધર્મ બતાવ્યો છે. ક્ષમા – માર્દવ – આર્જવ મુક્તિ (નિલભતા) સંયમ-સત્ત્વ-શૌચ-અકિંચન-બ્રહ્મચર્ય – આ દશ પ્રકારના ધર્મને મન-વચન-કાયા વડે કરણ કરાવણ અને અનુમોદના આ ત્રિવિધ ત્રિવિધ જે ગુણવાન મુનિવરો પાળે છે તે મુનિવરોને સંત કહેવાય છે. આ ધર્મક્રિયા સમકિત શ્રદ્ધા વિના નિષ્ફળ છે. સમ્યકત્વ પામતાં જીવને આઠ દોષો દૂર થાય છે : ૧. મુદ્રતા ૨. લોભનો પ્રેમ ૩. દીનતા ૪. માત્સર્ય (અભિમાન) ૫. શઠ (માયાવીપણું) ૬. અજ્ઞ (અજ્ઞાનતા શ્રાદ્ધવિધિ તથા ગૌતમકુલકમાં દષ્ટાંત તરીકે આવતાં કુલપુત્રકની જેમ તત્ત્વની વાત સમજી ન શકે.) ૭. ભવાભિનંદી ૮. ભય આ આઠ દોષો ચાલ્યા જાય છે. જીવને સમકિતની પ્રાપ્તિ થતાં આઠ ગુણ મેળવે છે. ૧. સૌમ્યતા ૨. ગંભીરતા ૩. ધર્યતા ૪. દક્ષતા (ચતુરાઈ) ૫. ધીરતા ધેર્યતા એટલે ધર્મમાં વિઘ્નો આવે તો પણ મક્કમ રહેનારો. તે ધૃતિમાન ધીરતા સર્વજ્ઞ દર્શનમાં સ્થિર ચિત્તવાળો ધીર) ૬. સંસારથી ઉદ્વિગ્ન ૭. ભદ્રિક પરિણામી ૮. ગુણીજનનો રાગી હોય છે. હે રાજન! તમે સૌને પૂર્વભવના વૃત્તાંત સાંભળવાની જિજ્ઞાસા છે. સાંભળો! સુદર્શન નામે નગર હતું. તે નગરનો રાજા સુરરાજા નામે હતો. રાજા શૂરવીર – પરાક્રમી અને ઉત્સાહી હતો. પ્રજાવત્સલ હતો. જેનધર્મનો ઉપાસક હતો. આ રાજાને અનુસરનારી રેવતી નામે પટરાણી હતી. પતિવ્રતા મહાસતી સુરસુંદરી રાસ 179 Page #229 -------------------------------------------------------------------------- ________________ રૂપવતી ગુણવતી આદિ ગુણોથી શોભતી હતી. એકદા આ દંપતી વનક્રીડા કરવા પિરવાર સુભટો આદિ સાથે લઈને જંગલમાં જાય છે. જંગલમાં મુનિભગવંત ધ્યાનમાં હતા. રાજાએ પ્રણામ કર્યા. પછી રાણીને કહે છે હે દેવી! આ મુનિભગવંત કેવા રૂડા છે. યતિમાં શિરદાર છે. પોતાની આત્મસાધના કરતાં ધ્યાનમાં કેવા લીન બન્યા છે. રાજા મુનિભગવંતોના ગુણોમાં રક્ત બની ગુણગાન ગાઈ રહ્યા છે. રાણી રાજાની વાત એકચિત્તથી સાંભળે છે. ત્યારબાદ રાણી કહેવા લાગી - હા સ્વામીનાથ! આપની વાત સાચી છે. પ્રસન્નતા મુખ ઉપર કેવી દીસે છે! ધ્યાનમાં મગ્ન છે. પણ છતાં તમે કહો તો આ મુનિ ભગવંતને ધ્યાનમાંથી વિચલિત કરી દઉં. રાણી રાજા પાસેથી ઊઠીને મુનિભગવંત પાસે પહોંચી ગઈ. ધ્યાનમાંથી ચલાયમાન કરવા આવી છે. મુનિ પાસે હાસ્ય વિનોદ કરવા લાગી, ટીખળ કરવા લાગી. મશ્કરી કરતાં આગળ વધીને મુનિનો ઓઘો અને મહુપતિ પણ ખેંચી લીધાં. અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી. પણ મુનિ ચલાયમાન નહિ થયા તેથી પ્રતિકૂળ ઉપસર્ગ કરવા લાગી. મુનિને સંતાપવા લાગી. છતાં મુનિ ચલિત ન થયા. ધ્યાનમાં વધુ સ્થિર બન્યા. એક પણ ઉપાય રાણીનો મુનિને ચલાયમાન કરવામાં સફળ ન બન્યો. રાણીએ બાર ઘડી સુધી મુનિને સંતાપ્યા, છતાં મુનિ સ્થિરતાપૂર્વક ધ્યાનમાં છે. રાણી હારી-થાકી. રાજા કહે તારા આવા પ્રકારના ચાળા તને પાપો બંધાવશે. દેવી! સમજ રાજા રાણીને પાછી વારે છે. હે દેવી આ મુનિભગવંત ધર્મની આરાધનામાં રૂડા તેજસ્વી છે, હાંસી મશ્કરી કરવી ઘટતી નથી. રાજા વારંવાર પોતાની રાણીને મુનિને ઉપસર્ગ કરતી વારે છે. થાકેલી રાણી મુનિને સંતાપવાનું છોડી દઈને રાજા પાસે આવીને બેઠી. ત્યાર પછી થોડી વારમાં મુનિનું ધ્યાન પૂર્ણ થયું. મુનિ બંનેને ઉદ્દેશીની કહેવા લાગ્યા. રાણીએ સંતાપ્યા છતાં તેના પ્રત્યે દ્વેષ નથી. રાજા પ્રત્યે રાગ નથી. સમભાવમાં રમતાં મુનિ પરમ કરુણાવંત હતા. બંનેને ઓળખી લીધા. રાજા રાણી છે તે રીતે નહિ. પણ નજીકના ભવમાં મોક્ષગામી છે. ભાવિ જોઈ લીધું. અમૃતધારા જેવા મુખમાંથી વચનો નીકળ્યા. હે રાજન! દાન-શીલ-તપ અને ભાવ. આ ધર્મના પાયા છે. સુપાત્રે દાન દઈને દાનધર્મ કરો. નિર્મળ અને પવિત્ર એવા શિયળવ્રતનું પાલન કરો. યથાશક્તિએ તપ ધર્મના આરાધના કરવા જોઈએ. સર્વ આરાધના ભાવપૂર્વક કરવાથી પ્રાણીઓ શુભફળ રૂપ સિદ્ધિને મેળવે છે. પોતાને બાર ઘડી સુધી આ રાણીએ સંતાપ્યો. 180 * જૈન રાસ વિમર્શ Page #230 -------------------------------------------------------------------------- ________________ છતાં તે ભૂલી ગયા. અપકારને ભૂલીને ઉપકારમાં જેનું મન છે. આ વાત રાણીને સમજાઈ. અંતઃકરણમાં મુનિને સંતાપ્યાનું દુઃખ થાય છે. મુનિભગવંતના વચન અનુસારે ધર્મને હૈયામાં સ્થાપન કર્યા. શુભભાવનાથી મુનિભગવંતોને સુપાત્રદાન આપે છે. બીજા ક્ષેત્રોમાં પણ પોતાની લક્ષ્મીને વાપરે છે. દાનધર્મની આરાધનામાં ભાવધર્મ ભેળવીને અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. યથાશક્તિ તપ કરે છે. શીલવ્રતને પણ ધારણ કરે છે. દંપતી પોતાના જીવનમાં ધર્મને આરાધતા કેટલો કાળ ગયો. મુનિને સંતાપ્યાથી લાગેલા પાપનું પ્રાયશ્ચિત્ત લીધા વિના રેવતી મૃત્યુ પામી. રાજા પણ મૃત્યુ પામ્યો. બંને જણા દેવલોકે પહોંચ્યા. હે રાજન્! સુ૨ાજનો જીવ તે તમારી નગરીમાં ધનાવહ શ્રેષ્ઠીને ત્યાં પુત્ર તરીકે અવતર્યો જે અમરકુમા૨ અત્યારે તમારી સાથે બેઠા છે. રેવતીનો જીવ દેવલોકમાંથી ચ્યવી તમારી પુત્રી સુરસુંદરી તરીકે અવતરી. મુનિ ભગવંતને બાર ઘડી સંતાપ્યા. ધ્યાનમાં વિચલિત કર્યા. તે કર્મના અનુસારે સુરસુંદરીને પોતાના પતિથી બાર વર્ષનો વિયોગ થયો. વળી મુનિની દુર્ગંચ્છા કરવાથી મગરના ઉદરમાં જવું પડ્યું. તે પછી પોતે ધર્મને આરાધ્યો. દાન-શીલ-તપભાવરૂપ ધર્મની આરાધનાએ સુખસંપદા પામ્યા. મુનિભગવંતને આહાર પાણી પંડિલાભીને યાચકોને દાન આપતી હતી. તે પુણ્ય થકી રાજારમણીનાં સુખો મેળવ્યાં. ઉત્તમ પ્રકારની વિદ્યાઓ મેળવી. પ્રબળ પુણ્ય થકી રાજ્યને પણ મેળવ્યું. નવપદમય મહામંત્રના જાપથી, ધ્યાનથી તથા શિયળના પ્રભાવથી જગતમાં સંપત્તિસુખ અને યશને વરી. આ રીતે મુનિનાં વચનો સાંભળીને પૂર્વભવની વાત સાંભળી અમરકુમા૨ અને સુરસુંદરી શુભવિચારે ચડ્યાં. ને ત્યાં જ બંનેને જતિસ્મરણજ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોયો. સંસા૨ બિહામણો લાગ્યો. સંસાર અસાર લાગ્યો. સંસારથી વિરક્ત થતાં દંપતી મુનિભગવંતને હાથ જોડી કહે છે. હે ગુરુદેવ! અમારા આત્માનો ઉદ્ધાર કરો. અમર અને સુંદરીની વિનંતી સાંભળી પૂ. ગુરુ મહારાજ કહે છે. હે ભવ્ય જીવો! આ સંસારથી તરવા માટે પરમાત્માએ આદરેલી પ્રવજ્યા છે. જે દુતિને હરે છે, કલ્યાણને કરે છે. મોક્ષ મેળવવામાં કારણભૂત મહાન ઉપકારી છે. ભવજલ તરવામાં નાવ સમાન છે. સંવેગરસથી ભરપૂર દેશના સાંભળીને અમર-સતી બંને સંયમ ગ્રહણ કરવા ઉત્સુક બન્યાં. દંપતી ગુરુમહારાજને વિનંતી કરે છે હે ગુરુદેવ! હે સાહેબ! તો હવે અમને મહાસતી સુરસુંદરી ચસ * 181 - Page #231 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની પાવનકારી પ્રવજ્યાનું દાન આપો. દીક્ષા આપીને અમારા ભવોભવના સત્તાના પડેલા, એકઠાં કરેલાં પાપોને કાપીએ. ગુરુ મહારાજ રાજાદિ પરિવારને ધર્મ સમજાવી, નવદીક્ષિતને લઈને મહીતલને વિષે વિહાર કર્યો. સુરસુંદરીએ સાધ્વીવૃંદની સાથે અન્યત્ર વિહાર કર્યો. ગુરુ સાનિધ્યમાં શાસ્ત્રને ભણે છે. તપને કરે છે અને છ કારણે આહારને લે છે. છ કારણે જ મુનિ આહાર વાપરે ઃ ૧. સુધા વેદનીય શમાવવા ૨. આચાર્યાદિક સાધુની વૈયાવચ્ચ કરી શકાય તે માટે ૩. ઈર્ષા સમિતિની શુદ્ધિ માટે ૪. સંયમપાલન માટે ૫. દેહ ટકાવવા માટે ૬. ધ્યાનને સ્થિર કરવા માટે. સાધુ ભગવંત આહાર વાપરે. વળી સાધુ ભગવંત છ કારણોથી આહારનો ત્યાગ કરે છે: ૧. રોગના કારણે ૨. ઉપસર્ગ આવે ત્યારે. ૩. શીલના રક્ષણ માટે ૪. જીવની રક્ષા માટે. ૫. તપ માટે ૬. શરીરત્યાગ (અંત સમયે) માટે, આ છે કારણે આહાર ન કરે. ઉપર કહેલા કારણે દંપતી વતીઓ આહાર લે છે. અને કારણસર આહારનો ત્યાગ પણ કરે છે. વળી પંચ મહાવ્રતને પાળે છે. બ્રહ્મચર્યને નવ વાડ – વાડ એટલે જેમ ખેતરનું વાડથી રક્ષણ થાય છે. તે આ નવપ્રકારની વાડથી શીલનું રક્ષણ થાય છે. દસ પ્રકારની સામાચારી અમરમુનિ તેમ જ સુરસુંદરી સાધ્વી ભવનો પાર પામવા ઉત્કૃષ્ટથી આદરે છે, પાળે છે. આ રીતે ગુરુની તેત્રીસ આશાતનાને ટાળે છે. શાસ્ત્રમાં શીલવ્રતના અઢાર હજાર ભેદ કહ્યા છે. તે ભેદને વિચારીને વ્રતને પાળે છે. વળી પરમાત્માના શાસનમાં બાર પ્રકારે તપ કહ્યો છે. આ તપમાંથી યથાશક્તિ તપ કરતાં, ઉણોદરી તપને કરતાં રસાસ્વાદ આદિ ગોચરીને લાગતા જ ૪૨ દોષને વર્જીને ગોચરી ગયેષણા કરે છે. આ પ્રમાણે અમરમુનિ સુરસુંદરી આર્યા સંયમજીવન પાળતાં ઉત્કૃષ્ટપણે તપ આદિને કરતાં પૂર્વ સંચિત કઠિન કર્મોને બાળી રહ્યાં છે. ઉગ્ર તપને કારણે શરીરમાં રહેલા લોહી-માંસ સુકાઈ ગયાં છે. અષ્ટ કર્મને ખપાવવા માટે ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યાં છે. ગુરુનિશ્રામાં રહેતા અમરઋષિ અને શ્રમણી વૃંદમાં આરાધના કરી રહેલાં સુરસુંદરી આર્યા પોતાનાં કર્મોને ખપાવી રહ્યા છે. આ બંનેને સાત પ્રકારનાં સંયમીનાં સુખો મળ્યાં છે. પહેલું સુખગુરુકુળમાં સર્વ શ્રમણોનો વિનય કરે છે. બીજું સુખ-દીક્ષાદાતા, નિશ્રામાં વસતા ગુરુ ભગવંતની પ્રત્યે અહોભાવ પૂર્ણ બહુમાન કરે છે. વારંવાર અંતરમાં તારક ગુરુની અનુમોદના કરે છે. ત્રીજું સુખ – જિનેશ્વર ભગવાનની આજ્ઞાને 182 * જૈન રાસ વિમર્શ Page #232 -------------------------------------------------------------------------- ________________ મન-વચન-કાયાના યોગે પાળે છે. ચોથું સુખ – સંવેગ રસને ઝીલતા સુજ્ઞાનતાને પામે છે. પાંચમું સુખ-સંયમ જીવનમાં ઓતપ્રોત મહાત્માઓની પૂજ. છઠું સુખ : ક્યારેય ઉસૂત્ર પ્રરૂપણા કરતાં નથી. જે પ્રરૂપણા પાછળ પાપનો સંચય થાય. ઉત્સુત્ર પ્રરૂપણાના પાપ જેવું બીજું કોઈ પાપ નથી. જે પાપે કરીને નરક નિગોદ મળે. આવા પાપથી ઘણાં દૂર રહે છે. મુનિને સાતમું સુખ પદવીને ધારણ કરે છે. ગુરુની કૃપાએ જ્ઞાનવંત બનતાં ગુરુભગવંતે મુનિમાંથી પદવી આપીને પદસ્થ બનાવ્યા. સુરસુંદરીને પણ સાધ્વીઓમાંથી પ્રવર્તિની પદ આપ્યું. ગુણવંત આત્મા ચરણસિત્તરી. કરમસિત્તરીને ધારણ કરે છે. શ્રમણના કુટુંબ પરિવારમાં કોણ હોય! તે કહે છે. ધૈર્ય રૂપ, અનુકૂળ પિતા, ક્ષમારૂપી માતા છે. સુગતિને અપાવનાર વિરતિ રૂપ મુનિ ને સ્ત્રી રહેલી છે. ડાહ્યો અને ગુણવાન વિવેકી મંત્રીશ્વર છે. સંવેગરૂપ પુત્ર છે, જેને હંમેશા સ્મરણ કરે છે. સંવર રૂપ ચોકીદાર હંમેશાં આ મુનિનું રક્ષણ કરે છે. આર્જવરૂપ પટ્ટહસ્તી શોભે છે. વિનયરૂપ ઘોડા ઘણા છે. અઢાર હજાર શિલાંગ રથ ઉપર હંમેશાં મુનિ ચડેલા છે. શમ-દમ-ત્યાગ આદિ મુનિવરના નોકરો પણ વખાણવા લાયક છે. મુનિવરની બંને બાજુ ધર્મધ્યાન શુક્લધ્યાન રૂપ બે ચામર શોભે છે. વળી મુનિ ક્યાં બેસે! સંતોષરૂપ સિંહાસન ઉપર બેઠેલા શોભે છે. મસ્તક ઉપર જિનેશ્વર પરમાત્માની આજ્ઞારૂપ છત્ર ધારણ કરે છે. ભૂમિ શઠાશયન માટે સમાર્જન કરે છે. આત્મસ્વભાવ રૂપ મુનિનું મંદિર છે. સુજ્ઞાનરૂપ દીપક દુરિત અંધકારને હરણ કરે છે. આ ગુણિયલ મોટું કુટુંબ મુનિનું હોય છે. આ કુટુંબથી શોભતા મુનિવરને જિનેશ્વર ભગવાન સાચા મુનિ તરીકે માને છે. આ ચેતન તો દ્રવ્યમુનિ ઘણી વાર થયો. અને દ્રવ્ય કુટુંબ પરિવારને ધારણ કર્યો છે. ભાવમુનિપણાને ધારણ કરતા ભાવ કુટુંબની સાથે રહેતા જિનેશ્વરના માર્ગે ચાલતા-ચાલતા અવ્યાબાધ શાશ્વતા સુખને મેળવે છે. આ પ્રમાણે સંયમથી સુવાસિત મુનિવરોનો આત્મા કેટલો કાળ સુધી ક્ષમાથી ક્રોધને નમ્રતાથી, માનને સરલતાથી માયાને અને બળવાન સંતોષ થકી લોભને અટકાવ્યો છે. સતી અને અમર અણીદને રાગ-દ્વેષને સંસારરૂપ, વૃક્ષના મૂલ જેવા છે, તે રાગ અને દ્વેષને સમતાના પરિણામ વડે દૂર કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તેમ જ અંતરાયકર્મ રૂપ. ચાર મહાસતી. સુરસુંદરી રાસ +183 Page #233 -------------------------------------------------------------------------- ________________ ઘાતી કર્મ – આત્માના પ્રતિકૂળ છે. તેને દૂર કરવા, ઉચ્છેદ કરવા દેપતી મુનિવરો ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈને, જિનેશ્વર પરમાત્માની જેમ રાધાવેધને સાધે છે અને રાધાવેધ થયે તે અપ્રતિપાતી કેવલજ્ઞાનને મેળવે છે. બંને મહાત્માઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આકાશમાં રહેલા દેવો મનોહર જય-જય શબ્દો ઉચ્ચારે છે. હે ભવ્યપ્રાણી! આ કથાનો મહિમા શિયળ ઉપર તથા નમસ્કાર મહામંત્રની ઉપર છે. 184 જૈન રાસ વિમર્શ Page #234 -------------------------------------------------------------------------- ________________ પંડિત મોહનવિજ્યજીકૃત - - ચંદરાજાનો રાસ ભરતકુમાર મનહરલાલ ગાંધી (રાજકોટ) - કૃતિનું નામ : શ્રી ચંદરાજાનો રાસ રચયિતા : પંડિત શ્રી મોહનવિજયજી મ.સા. ગુરુ શ્રી રૂપવિજયજી મ.સા. રચના કરી તે સાલ તથા સ્થળ : સંવત ૧૭૮૩ અમદાવાદ (ગુજરાત) રચના સ્વરૂપ : પ્રથમ ઉલ્લાસ ૨૧ ઢાળ, ગાથા ૫૧૪, તૃતીય ઉલ્લાસ ૩૧ ઢાળ ગાથા ૩૩ ઢાળ ૮૨૭ દ્વિતીય ઉલ્લાસ – ૨૩ ઢાળ પત્ય ચતુર્થ ઉલ્લાસ ચાર ઉલ્લાસમાં મળીને કુલ ઢાળ ૧૦૮ અને કુલ ગાથા ૨૬૭૯ છે. મૂળ-માત્ર સંવત ૧૯૨૯ની સાલમાં ઝીણા ટાઈપમાં છપાયો હતો. ત્યાર બાદ સં. ૧૯૪૪માં શ્રાવક ભીમશી માણેક તરફથી શાસ્ત્રી ટાઈપમાં મુદ્રિત થયો હતો. - સં. ૧૯૬૦માં અમદાવાદવાળા બુકસેલર જેસીંગભાઈ મોતીલાલ શાહે મૂળ અને અર્થ સાથે ગુજરાતી ટાઈપમાં છાપ્યો. સં. ૧૯૬૧મા શ્રાવક ભીમશી માણેક તરફથી મૂળ અર્થ સાથે સચિત્ર શાસ્ત્રી ટાઈપ સં. ૧૯૭૪માં જૈન ધર્મ પ્રચારક સભા તરફથી મૂળ, ભાવાર્થ, રહસ્ય સાથે છપાયો. પ્રસ્તુત કૃતિ ૧૯૯૪માં તૈયા૨ ક૨વામાં આવેલ. આ મહાન ગ્રંથનું રહસ્ય અને ભાવાર્થ તૈયા૨ કરી આપવાનું કાર્ય અને સંશોધનકાર્ય વ્યાકરણતીર્થ પંડિતજી અમૃતલાલ મોહનલાલ સંઘવી (ભાવનગરવાળા)એ ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરી આપ્યું છે. ગ્રંથના સંશોધનકાર્ય માટે લીંબડી નિવાસી શ્રીયુત વ્રજલાલ ભૂરાભાઈ દોશી પાસેથી મૂળની પ્રત મળી હતી. જેસલમે૨ દુર્ગના ભંડા૨ની, શ્રી તપાગચ્છ ભંડારની, યતિ શ્રી વૃદ્ધિચંદ્રજીના ભંડારની, યતિ શ્રી વેલચંદ્રજીના ભંડારની એમ હસ્તલિખિત મૂળની ચાર પ્રતો મળી હતી. ગ્રંથ વિષે માહિતી : ચંદરાજાના રાસમાં હકીકતો એવી ખૂબીથી વર્ણવવામાં આવી છે કે જે વિષય ચાલતો હોય તેને પૂર્ણ કર્યા વગર વાંચનાર ચંદરાજાનો રાસ * 185 Page #235 -------------------------------------------------------------------------- ________________ કે શ્રોતાને ઊઠવાનું મન ન થાય. પ્રાસ, અન્યોક્તિ, યમક, ઉપમા, ઉàક્ષા, અર્થાન્તર ન્યાસ, રૂપક, જુદાજુદા દેશની કહેવતો અને ભિન્નભિન્ન દેશમાં વપરાતા નવી નવી ઢબના શબ્દો સ્થળે સ્થળે નજરે પડતા હોવાથી ગ્રંથકારનું વિશાળ જ્ઞાન, તેમનો ઉગ્ર વિહાર તથા અનુભવજ્ઞાન કેટલું બહોળું હશે તેનો ખ્યાલ આવે છે. ઘણી રચનાઓમાં ગ્રંથકાર પોતાની વિદ્વત્તા બતાવવા જતાં લાંબાં વર્ણનો, ઉપમાઓ વગેરે આપે છે જેને કારણે રસક્ષતિ થતાં રસભંગ થાય છે. આ કૃતિ તેમાં અપવાદરૂપ છે. ગમે ત્યાંથી વાંચીએ કે તુરત જ રસવૃત્તિ પેદા કરે છે, જિજ્ઞાસા જાગે છે કે જે વાંચનારને આગળનું વાંચન પૂરું કરવાની તાલાવેલી જગાડે છે. એ જ તો વિદ્વાન ગ્રંથકારની ખૂબી છે. ગ્રંથકાર મહાપુરુષ જેવી રીતે લેખનકળામાં કુશળ હતા તેવી જ રીતે વ્યાખ્યાનકળામાં પણ એટલા જ કાબેલ હતા અને તેથી જ તેઓ લટકાળા"ના ઉપનામથી મશહૂર થયા હતા. તેઓની વ્યાખ્યાનશેલી એવી પ્રભાવક હતી કે ગમે તેવો નાસ્તિક પણ તેમનો એક જ વખતના વ્યાખ્યાનશ્રવણથી પરમ શ્રદ્ધાળુ બનતો. ચંદરાજાનું ચરિત્ર પૂર્વાચાર્ય કૃત સંસ્કૃત કે પ્રાકૃત ગ્રંથોમાં દષ્ટિગોચર થયું નથી. આથી કયા પુસ્તકને આધારે રચના કરી છે તે જણાયું નથી. ૧૭૬૦માં તેમણે રચેલ બીજી કૃતિ “માનતંગમાનવતી” રાસ પણ ખૂબ રસિક છે. શ્રી ચંદાના રસ કથાઃ ગ્રંથકાર પંડિત શ્રી મોહનવિજયજી મહારાજ મંગલાચરણ કરવા માટે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુની પ્રાર્થના કરતાં કહે છે કે, પ્રથમ ધરાધવ તિમ પ્રથમ તીર્થકર આદેય; પ્રથમ જિણંદ દિણંદ સમ, નમો નમો નાભેય. ૧ અમિતકાન્તિ અદભૂત શિખા, શિરભૂષિત સોચ્છાહ; પ્રકટ્યો પદ્મદ્રહ થકી, સિંધુ સલિલ પ્રવાહ. ૨. અર્થાત્ શ્રી નાભિકુલકરના નંદન, પ્રથમ રાજા, માનનીય પ્રથમ તીર્થંકર તથા સૂર્યની ઉપમાવાળા પ્રથમ જિનેન્દ્ર શ્રી ઋષભદેવ ભગવાનને વારંવાર નમસ્કાર હો. ૧ જાણે પદ્મદ્રહમાંથી નીકળેલો સિંધુ નદીના પાણીનો પ્રવાહ જ ન હોય? 186 જૈન રાસ વિમર્શ Page #236 -------------------------------------------------------------------------- ________________ એથી અતુલ કાંતિવાળી અદ્ભુત શિખા જેમના મસ્તકને સુંદર રીતે શોભાવી રહી છે, એવામાં શ્રી આદિશ્વર ભગવાને ક્ષુધા સહન કરી (તપ કરી) કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પહેલું માતાને ભેટ કર્યું. આવી રીતે માતા પર ભક્તિ રાખવાવાળા જે હોય તે દુનિયામાં જન્મ્યા પ્રમાણ ગણાય. (જન્મવું સફળ). કોઈ પણ ગ્રંથની શરૂઆત કરતાં તે પૂર્ણ થતાં સુધીમાં વિઘ્નો ન આવે તે માટે દેવ, ગુરુ, સરસ્વતી વગેરેની સ્તુતિ કરી પછી ગ્રંથ શરૂ કરવામાં આવે છે. પ્રથમ ૧૧ ગાથામાં ઇષ્ટદેવ, પુંડરિક ગણધર, સરસ્વતી અને ગુરુની સ્તુતિ દ્વારા મંગલાચરણ કરી ગ્રંથકર્તા શ્રી ચંદરાજાના રાસની શરૂઆત કરે છે. પ્રથમ ઢાળની પ્રથમ સાત ગાથામાં જંબુદ્વીપ, જંબુવૃક્ષ, સિદ્ધાયતન, મેરુપર્વત ભરતક્ષેત્ર, સિદ્ધાચળ મહાતીર્થ આદિનું સુંદર વર્ણન કરી તેના દેશો તથા આર્યદેશ વગેરેનો ઉલ્લેખ કરાયો છે. ત્યાર બાદ આભાપુરી નગરીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં વીરસેન રાજા રાજ્ય કરે છે. વીરમતી નામની પટ્ટરાણી છે. આ નગરીમાં એક સોદાગર અનેક જાતના ઘોડા વેંચવા આવ્યો. ઘોડા ઉત્તમ પ્રકારના હોવાથી રાજાએ તે દરેકનાં યોગ્ય દામ આપી ખરીદી લીધા. રાજાને એક સુંદર ઘોડો ખૂબ જ ગમ્યો જેની ઉપર બેસી રાજા શિકાર ખેલવા ગયો, પણ તે ઘોડો વક્રગતિવાળો હતો તેનું જાણપણું રાજાને થયું નહિ. એક હરણને જોતાં રાજાએ ઘોડાને તેની પાછળ દોડાવ્યો પણ તે હરણ ખૂબ તીવ્રવેગથી ભાગી ગયું આથી રાજાના હાથમાં આવ્યું નહિ. રાજા પણ શ્રમિત થયો હોવાથી ઘોડાને ઊભો રાખવા લગામ ખેંચવા માંડી તેમ ઘોડો વધારે દોડવા લાગ્યો. રાજા રસાલાથી છૂટો પડી ગયો. ત્યાં દૂર એક સુંદર વાવ દેખાઈ. આજુબાજુ વૃક્ષો હતાં તેમાં એક વડનું ઝાડ હતું. રાજાએ વિચાર્યું કે ઘોડો આ ઝાડ નીચેથી પસાર થાય તો હું વડવાઈને વળગી પડું અને અશ્વને છોડી દઉં. ભાગ્યયોગે તેમ જ બન્યું. રાજા વડવાઈ પકડી ઘોડા પરથી ઊતર્યો, લગામ મોકળી પડવાથી ઘોડો પણ તુરત જ ઊભો રહી ગયો. રાજા તો આશ્ચર્ય પામ્યો સાથે ઘોડો વક્રશિક્ષિત હોવાની ખબર પડી. રાજા ખૂબ થાક્યો હોવાથી વાવમાં જઈ પાણી પીધું. ન્હાયો અને પાણી સંગે ખેલી પોતાના થાકને દૂર કરવા લાગ્યો. વાવ ખૂબ જ સુંદર હતી. ચારે બાજુ જોતાં એક મોટી જાળી દેખાઈ. તેમાં નજર કરી તો પગથિયાં દેખાયાં. રાજા નિર્ભય રીતે હાથમાં ખડગ પકડી પગથિયા ઊતર્યો એટલે અંદર ચંદરાજાનો ચસ * 187 Page #237 -------------------------------------------------------------------------- ________________ પાતાળમાં મોટું વિસ્તારવાળું વન દેખાયું. રાજાની સાથે ધેર્ય, ધર્મ, પુણ્ય અને પુરુષાર્થ ચાર મિત્રો હોવાથી નિઃશંકપણે આગળ વધવા લાગ્યો. તેવામાં કોઈ કન્યાનો કરુણ સ્વર તેને કાને પડ્યો. તે અવાજની દિશામાં આગળ વધ્યો ત્યાં એક યોગી ધ્યાનમાં બેઠો હતો. તેની આગળ કુસુમ, ધૂપાદિ સામગ્રી પડી હતી. સમીપમાં અગ્નિકુંડ હતો. તેમાં અગ્નિ પ્રજ્વલિત હતો. કુંડની નજીકમાં એક ઉઘાડી તલવાર પડી હતી. બીજી બાજુ મજબૂત રીતે બાંધેલી એક કન્યા બેઠી હતી. તે કરુણસ્વરે રુદન કરી રહી હતી. રાજાને જોતાં જ તે બોલી ઊઠે છે કે “હે આભાપુરીના ભૂપતિ! આ કન્યાની વહાર શીઘ કરો, નહિ તો આ યોગી અગ્નિકુંડમાં મારું બલિદાન દેશે!” પોતાના નામ સહિત બાળાએ ઉચ્ચાર કરતાં રાજાએ ખડગ ઉપાડી પેલા યોગીને બોલાવી કહ્યું, “અરે નિર્દય! નિર્લજજ! પાપી! દુષ્ટાત્મા! ઊઠ, ઊભો થા. આ નિર્દોષ બાળાને છોડી દે અને મારી સાથે યુદ્ધ કર. હવે આ કન્યાનું બલિદાન તો નહિ જ દેવાય પણ હું તને જીવતો નહિ છોડું.” રાજાના આવા શબ્દોથી ભયભીત બનેલો યોગી ઊભો થઈને, માત્ર કોપીનભેર, મુઠીઓ વાળીને ત્યાંથી ભાગી છૂટ્યો. રાજાએ યોગી જાણી તેનો પીછો ન પકડતાં તેને જવા દીધો. ત્યાર બાદ કન્યાનાં બંધન છોડી આદરપૂર્વક તેને પૂછ્યું કે, “હે નિરુપમ રૂપવાળી રાજપુત્રી! તમે કયા રાજાનાં પુત્રી છો? અહીં આ યોગી પાસે કેમ આવી ચડી? આભાપુરીના રાજાને તું કેવી રીતે ઓળખે? આ બધી વાત મને જરાય ભય રાખ્યા વગર કહે. ત્યારે લજ્જા સહિત મુખકમળ નીચું રાખીને મર્યાદાપૂર્વક તે બોલી કે “આભાપુરીથી પચ્ચીસ યોજન દૂર પાપુરી નામે નગર છે. ત્યાં પદ્મશેખર રાજા છે, રતિરૂપા નામે પટરાણી છે. તેની ચંદ્રાવતી નામે હું પુત્રી છું. જૈન ધર્મ મને પ્રિય છે તેથી તેનું આરાધન કરું છું. હું યુવાન બની એટલે મારાં માતા-પિતાને મારા લગ્ન સંબંધી ચિંતા થઈ. એક નિમિત્તિયો આવતાં તેને મારાં લગ્ન સંબંધી પૃચ્છા કરી. તેણે કહ્યું કે આભાપુરીના રાજા તમારી પુત્રીના પતિ બનશે. આ જાણી અમે રાજી થયાં અને નિમિત્તિયાને યોગ્ય પુરસ્કાર આપી વિદાય કર્યો. એક વાર નદીકિનારે સખીઓ સાથે જળક્રીડા કરવા ગઈ હતી ત્યારે આ યોગી ત્યાં આવ્યો. તેણે ઈન્દ્રજાળ વડે મને મોહ પમાડી, મારું અપહરણ કર્યું. ત્યાંથી આ વાવમાં લાવી યજ્ઞ કરવા બેઠો. આપે મને સંકટમાંથી છોડાવી એટલે હું આપને ઓળખી ગઈ કે પતિ વિના પ્રાણ સંકટમાંથી કોણ છોડાવે?” 188 * જૈન રાસ વિમર્શ Page #238 -------------------------------------------------------------------------- ________________ આમ કુંવરીની વાત સાંભળી રાજા ખુશ થયો. કુંવરીને લઈ પોતે આવ્યો હતો તે જ રસ્તેથી બહાર નીકળ્યો. ત્યાં તેને શોધતાં-શોધતાં તેમનો રસાલો આવા પહોંચ્યો હતો. રાજાનો ભેટો થતાં બધા ચિંતામુક્ત બન્યા. રાજકન્યા સહિત વી૨સેન પોતાની નગરીમાં આવ્યા. તેણે પદ્મશેખર રાજાને સમાચાર મોકલાવ્યા કે, “આપની કુંવરી આભાપુરીમાં છે. આપને મળવા ખૂબ જ આતુર છે.” સમાચાર સાંભળી પદ્મશેખર રાજા ત્યાં આવ્યા. રાજાનો ઉપકાર માની પુત્રી સાથે પાણિગ્રહણ કરવા વિનંતી કરી. શુભદિવસે બંનેનાં લગ્ન થયાં. વીરમતિ સિવાય આખું શહેર ખૂબ રાજી થયું. વીરસેન રાજા ચંદ્રાવતી રાણી સાથે આનંદપૂર્વક સુખ-ભોગ ભોગવવા લાગ્યા. દિવસે દિવસે પ્રીતિ વધવા લાગી. પતિનો પ્રેમ પૂર્ણ હોવાથી આનંદ કરવા લાગી. કોઈ પુણ્યવંત જીવ ચંદ્રાવતીના ઉદરમાં આવીને ઉત્પન્ન થયો. ગર્ભકાળ પૂર્ણ થયે સુંદર, રૂપવંત, પુત્રનો પ્રસવ થયો. ૧૨મા દિવસે ચંદ્રના સ્વપ્ન અનુસારે પુત્રનું ચંદ્રકુમાર નામ પાડ્યું. વીરમતી પોતાના ચિત્તમાં શોક્યપણાનો સંબંધ ચિંતવીને નિરંતર ચંદ્રાવતીની ઈર્ષા કરવા લાગી. ચંદ્રાવતી નિષ્કપટ હોવાને કારણે તે તો વીરમતીને બહેન તુલ્ય જ માનતી. ધાવમાતાઓની દેખરેખમાં ચંદ્રકુમા૨ મોટો થવા લાગ્યો. ચંદ્રાવતી જૈન ધર્મમાં દૃઢ શ્રદ્ધાવાળી હોવાથી અને કુશળ હોવાથી રાજાને અનેક યુક્તિથી શિકાર વગેરે પાપકારી વ્યસનો છોડાવી દીધાં. રાજા જૈન ધર્મમાં શ્રદ્ધાવાન થયો એટલે તેણે અનેક જિનમંદિરો બંધાવ્યાં. સાધર્મિકોની સેવા કરતો તેમ જ મુનિરાજની ખૂબ જ ભક્તિભાવથી સેવા કરતો. એકદા તે બંને પત્નીઓને સાથે લઈ વનમાં ગયો. ત્યાં બધાં જ આનંદપ્રમોદ કરતાં હતાં. માત્ર વીરમતી પોતાને પુત્ર ન હોવાથી ભાગ્યને કોસતી એક બાજુ બેઠી હતી. તે વખતે એક સૂડો આવ્યો. તે વીરમતીને પૂછવા લાગ્યો કે, “તું કેમ શોકમગ્ન છો?’ તે વખતે વીરમતીએ પુત્ર ન હોવાની વાત કરી. સૂડાએ પુત્રપ્રાપ્તિ માટે ઉપાય બતાવ્યો. વીરમતીએ સૂડાના કહેવા પ્રમાણે અપ્સરાને રાજી કરી, પરંતુ અવધિજ્ઞાન વડે જોતાં જણાયું કે તેના ભાગ્યમાં પુત્ર નથી પણ હું તને જે વિદ્યાઓ આપું છું – આકાશગામિની, શત્રુબળહરણી, વિવિધકાર્યકરણી, જળતરણી - તું તે સિદ્ધ કરજે તેથી રાજ્ય તારું થશે, પ્રજા તારી થશે અને પુત્ર ચંદ્રકુમાર પણ તારો થશે. તું તે બીજીનો પુત્ર છે એમ માનતી નહિ. તેને કિંચિત્ પણ દુ:ખ આપતી નહિ, તારા પુત્રની ચંદરાજાનો રાસ * 189 Page #239 -------------------------------------------------------------------------- ________________ જેમ પાળીશ તો તું સુખી થઈશ.” વીરમતી ઋષભદેવના સ્થાનકમાં, તેમને નમસ્કાર કરી વિદ્યા ગ્રહણ કરી ઘેર આવી. આ વાતની રાજાને કે અન્ય કોઈને ખબર ન પડી. સર્વ વિદ્યાઓ સિદ્ધ થતાં તે આનંદથી રહેવા માંડી, દુઃખ નાશ પામ્યું. સર્પ જેમ પાંખવાળો થાય અને સિંહ જેમ પાખરેલો થાય તેમ અન્યને ભયકારક થઈ પડી. તેણે મંત્રાદિક પ્રયોગ વડે પતિ વગેરેને વશ કરી લીધા અને દેશપ્રદેશમાં ચોતરફ પ્રસિદ્ધિને પામી. ચંદ્રકુમાર મોટો થતાં પંડિત પાસે ભણ્યો, ગણ્યો, વિદ્યાઓમાં નિપુણ બન્યો. યુવાન થતાં વરસેન રાજાએ ગુણશેખર રાજાની પુત્રી ગુણાવળી સાથે તેનાં લગ્ન કર્યા. આ બાજુ વૃદ્ધાવસ્થા નિકટ આવતાં વીરસેન રાજા સંયમ લેવા તત્પર બન્યા. તેની સાથે ચંદ્રાવતી રાણી પણ સંયમ લેવા તૈયાર થયાં. બંનેએ પુત્ર ચંદ્રકુમારને ઓરમાન મા વીરમતીને સોંપી ધામધૂમથી સંયમ અંગીકાર કર્યો. ચરિત્ર લેતી વખતે ચંદ્રકુમારને ઘણી ઉત્તમ શિખામણો આપી રાજગાદીએ બેસાડ્યો. વીરસેન રાજર્ષિ અને ચંદ્રાવતી સાધ્વી નિરતિચાર ચારિત્ર પાળી શ્રી મુનિસુવ્રત સ્વામીને વારે કેવળજ્ઞાન પામી સિદ્ધિસુખનાં ભાજન થયાં. વીરસેન રાજા અને ચંદ્રાવતી રાણીના ગયા પછી વીરમતી સર્વેસર્વા થઈ ગઈ છે, તો ચંદરાજા પણ ખૂબ સુંદર રીતે રાજ્ય ચલાવી રહ્યા છે અને રાણી ગુણાવળી સાથે ભોગો ભોગવી રહ્યા છે. વીરમતીને બંને ખૂબ આદર આપે છે. આથી વીરમતી પણ ખુશ છે. એક વાર વીરમતીને થયું કે વિદ્યા સાધલી છે તેનો ઉપયોગ ન કરું તો શું કામનું? આથી તે વિદ્યાઓનો ઉપયોગ કરવા વિચારે છે પણ પોતે એકલી ન પડી જાય માટે ગુણાવળીને સમજાવી-પટાવી પોતાની સાથે રાખવા પ્રયત્ન કરે છે. ગુણાવળી ભોળી છે. વીરમતીની કપટલીલાને તો પોતા પ્રત્યેનો પ્રેમ સમજે છે. તેને જુદીજુદી વાતો દ્વારા વીરમતી દેશાટન કરવા લલચાવે છે. ગુણાવળી આર્ય સ્ત્રી છે, પતિને પૂછડ્યા વિના પગ પણ ઘર બહાર ન મૂકે તેવી છે. આથી તેને શામદામ-દંડ-ભેદથી સમજાવી પોતાની સાથે દેશવિદેશ જોવા આવવા તૈયાર કરે છે. આભાપુરીથી અઢારશે કોસ દૂર વિમળાપુરી નગરીમાં, મકરધ્વજ રાજા છે તેની પુત્રી પ્રેમલાલચ્છીનાં લગ્ન, સિંહલપુરના સિંહરથ રાજાના પુત્ર કનકધ્વજ સાથે થવાનાં છે તે લગ્ન મહોત્સવ અને વરકન્યા જોવા જેવાં છે એમ સમજાવી ત્યાં લઈ જાય છે. ચંદરાજાને શંકા જતાં તે રાણીની પાછળ 190જેને ચસ વિમર્શ Page #240 -------------------------------------------------------------------------- ________________ જાય છે અને આંબાની બખોલમાં છાનોમાનો બેસી સાસુ-વહુની સાથે વિમળાપુરી પહોંચે છે. રસ્તામાં વીરમતી ગુણાવળીને ગંગા-યમુના નદી, સમેતશિખરજી, વૈભારગિરિ, અર્બુદાચલ અને સિદ્ધાચલ તીર્થનાં દર્શન કરાવે છે. અહીં સાસુ-વહુ લગ્નોત્સવ જોવા નગરમાં જાય છે અને રાજા પણ વિમળાપુરમાં પ્રવેશ કરે છે. અહીં પ્રથમ ઉલ્લાસ સમાપ્ત થાય છે. બીજી ઉલ્લાસની પ્રથમ ઢાળમાં દુહાઓ દ્વારા પ્રથમ તો સોળમાં જિનેશ્વર શ્રી શાંતિનાથ ભગવાનનું સ્મરણ કરી ઉલ્લાસની શરૂઆત કરવામાં આવે છે. વીરમતી અને ગુણાવળીની પાછળ પાછળ ચંદરાજા પણ નગરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાં જ સેવકો તેમને નામથી આવકાર આપે છે. આથી ચંદરાજા આશ્ચર્ય પામે છે. સેવકોને સમજાવે છે કે પોતે ચંદ નથી છતાં સેવકો તેને ચંદરાજા તરીકે ઓળખીને રાજા પાસે લઈ જવા તૈયાર થાય છે. ચંદને પણ થાય છે કે સેવકો માનતા નથી, પારકા દેશમાં વળી પંચાત થશે માટે લાવ સીધો રાજાને જ મળી લઉં. તે રાજાને મળવા જાય છે ત્યાં સિંહરથ રાજા, તેનો કપટી પ્રધાન હિંસક, પુત્ર કનકધ્વજ, ધાવ માતા કપિલા વગેરે હાજર હતાં. ચંદરાજાના પ્રશ્નના ઉત્તરમાં પ્રધાન હિંસક કહે છે કે અમારું રાજ્ય ઘણું સમૃદ્ધ છે, પ્રજા ઘણી સુખી છે. બધા પ્રકારનાં સુખ છે પરંતુ અમારા કુંવર કનકધ્વજ કુષ્ટી છે. અમે તેના વિવાહ પ્રેમલાલચ્છી સાથે કર્યા છે. પરંતુ રાજાને કે કુંવરીને અમારા યુવરાજ કુષ્ટી છે તેની ખબર નથી. હવે ખબર પડે તો વિવાહ તૂટી જાય. રાજાએ કુળદેવીને આરાધ્યાં તો તેમણે પણ કુષ્ઠ રોગ પૂર્વકર્મના ઉદયે હોવાથી તે દૂર ન થઈ શકે તેમ કહ્યું પણ સગવડ ખાતર ચંદરાજાને અહીં બોલાવી આપીશ તે કનકધ્વજને બદલે કુંવરી સાથે પરણશે તેમ કહ્યું. હવે તમે ચંદરાજા છો તે દેવીએ આપેલ એધાણીથી ઓળખી ગયા છીએ. આપ જ ચંદરાજા છો, જો તમે પરણવા તૈયાર નહિ થાવ તો અમારે બધાએ આત્મહત્યા કરવી પડશે તેવો ભય બતાવે છે. ઉપરાંત ચંદરાજા પણ વાદ-વિવાદમાં સવાર પડી જશે તો હું અહીં જ રહી જઈશ. માની લગ્ન કરવા તૈયાર થાય છે. વરઘોડો નગરમાંથી પસાર થાય છે ત્યારે ગુણાવળી વરરાજાને જોઈ કહે છે કે આ તો ચંદરાજા જ છે પણ વીરમતી કોઈ પણ રીતે માનતી નથી. આ બાજુ મકરધ્વજ રાજા, પ્રેમલાલચ્છી, રાણી, પ્રજાજનો બધાં આવા સુંદર વરરાજાને જોઈ ખુશ થાય છે અને સુખી રહેવાના આશીર્વાદ આપે છે. ચંદરાજાનો રાસ 191 Page #241 -------------------------------------------------------------------------- ________________ રંગેચંગે લગ્ન પૂરાં થતાં ચંદરાજા અને પ્રેમલાલચ્છી સામસામા સારીપાસા રમવા બેઠા. ચંદરાજાએ પાસા હાથમાં લઈ કોઈ સાંભળે નહિ તે રીતે પોતાની સમસ્યા કહી. ચતુર પ્રેમલાએ પણ તેનો યોગ્ય ઉત્તર વાળ્યો છતાં તેના મનમાં શંકા તો થઈ જ કે રાજા આવું શા માટે બોલે છે? રાજાને લાગ્યું કે પ્રેમલા બરાબર સમજી નથી એટલે ફરી બીજા શ્લોકમાં આભાપુરી, ચંદરાજા અને તેના મહેલનાં વખાણ કર્યા. પ્રેમલો પાણી આપવા આવી ત્યારે ગંગાજળનાં વખાણ કર્યા. આથી ચતુર પ્રેમલા તેના વિષે વિચારવા લાગી. આ બાજુ સિંહલ રાજાએ ચંદને કહ્યું કે લગ્ન થઈ ગયાં હવે આપ પધારો. વચન દીધું હતું તેથી ચંદરાજા પ્રેમલાને છોડવા તૈયાર થયા પણ પ્રેમલાનો પ્રેમ ભૂલી શકાય તેવો નથી, છતાં જવું પડે એમ તો હતું જ આથી પ્રેમલાને બહાનું કાઢી દૂર કરવા પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ પ્રેમલા ચતુર હતી. તે પામી ગઈ કે રાત્રે લગ્ન વખતના ચંદ અને હમણાંના ચંદમાં ઘણો ફરક લાગે છે. તેનું વર્તન ઘણું અલગ છે આથી તે તેની પાછળ જ જાય છે. દરેક વખતે પ્રેમલા એવું કરવા લાગી એટલે ચંદ તેને છેતરી ન શક્યો. આ બાજ પ્રેમલા પણ પ્રેમભરી વાણીમાં તેને વિનવવા લાગી. પ્રેમથી બોલાયેલા શબ્દોથી રાજા પણ જીતાઈ જાય છે પરંતુ સાપે છછુંદર ગળ્યાની જેમ તે પ્રેમલા પાસે રહી શકે તેમ પણ નથી. આથી પોતાના નામની, નગરની બધી એંધાણી આપે છે. પ્રેમલા દૂર જતી ન હોવાથી કપટી હિંસક મંત્રીએ અંતઃપુરમાં પેસી જોરાવરીએ ચંદનો છેડો છોડાવ્યો. પ્રેમલા પણ પહેલો જ પ્રસંગ હોવાથી લજવાઈ અને ખસી ગઈ તેથી ચંદરાજ નીકળી ગયા. નીકળીને સીધા આંબા પાસે આવ્યા. છુપાઈને કોટરમાં બેસી ગયા. આ બાજુ સાસુ-વહુ પણ આવ્યાં અને આકાશમાર્ગે આભાપુરી જવા રવાના થયાં. આભાપુરી પહોંચી ગુણાવળી પતિ પાસે પહોંચી તેને ઉઠાડ્યા. ચંદરાજા પત્ની પાસે સાચું બોલાવવા એક પછી એક જુદીજુદી વાતો કહે છે પણ વીરમતીએ ના પાડી હોવાથી ગુણાવળી સાચું બોલતી નથી. આથી રાજા કહે છે કે મને સપનું આવ્યું હતું. જેમાં તમે બંને વિમળાપુરી નગરે ગયાં હતાં અને ત્યાં એક લગ્ન પ્રસંગ જોઈ પાછાં આવ્યાં. આથી ગુણાવળી સપના ખોટાં જ હોય તે સંબંધી વાત કરી રાજાને ખોટા પાડે છે. આમ બંને એકબીજા પાસેથી સાચી વાત કઢાવવા મથે છે પરંતુ કોઈ સાચી વાત કરતું નથી. ગુણાવળી ભોળી છે પણ વીરમતીના ડરથી તે ખોટું બોલે છે. રાજા એમ 192 * જૈન રાસ વિમર્શ Page #242 -------------------------------------------------------------------------- ________________ કહીને વાત વાળે છે કે હું મજાક કરતો હતો. શ્રી ચંદરાજાના રાસનો દ્વિતીય ઉલ્લાસ અહીં સમાપ્ત થાય છે. ત્રીજી ઉલ્લાસના પ્રારંભમાં નીલરંગવાળા, કાશીનગરીના ધણી, દેવતાઓથી પૂજિત એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરે છે. સ્વમત દર્શનનું સ્વરૂપ દર્શાવી વાત આગળ ચલાવતા ફરી ચંદ અને ગુણાવળી વચ્ચે વાવિવાદ થાય છે. ગુણાવળી ચંદરાજાના હાથ પરનું મીંઢોળ તેમ જ લગ્ન વખતની અમુક નિશાનીઓથી પામી જાય છે કે પતિ જ ગઈકાલે હતા. ચંદરાજા કબૂલ કરતા નથી અને પોતાની વાત મનાવવા પ્રયત્ન કરે છે અને રાણીથી રિસાઈ જાય છે. આથી ગુણાવાળી વીરમતી પાસે જઈને કહે છે કે, “તમે મોટી મોટી બડાશ હાંકતાં હતાં પણ મારા પતિએ આપણને બંનેને છેતર્યાં છે. તેનામાં રહેલા ડહાપણ પાસે સ્ત્રીજાતિનું ડહાપણ શું કામનું? હવે ક્યારેય આવી બડાઈ હાંકીને મારા જેવીનો સ્વાર્થ બગાડશો નહિ. હું તો દેશ-વિદેશ જોવા ગઈ ને પતિને દુભાવવાનું થયું. મેં તેમની વાત માની નથી પણ નજરે જોયેલા સામે ખોટું કેટલી વાર ટકશે? હવે મારે તેમની વાતનો ઇન્કાર કેમ કરવો?’’ આથી વીરમતીએ કહ્યું કે, “તું ચિંતા ન કર.” ગુણાવળીના વચનોથી ક્રોધિત થઈ તે ખુલ્લી તલવાર લઈ ચંદરાજા પાસે આવી. તેને જમીન ૫૨ ચત્તોપાટ પાડી તેની છાતી પર ચડી બેઠી. ચંદને કહે, “તને એમ કે તું રાજા છો તેથી તારું જ ચાલશે પણ એમ માનતો નહિ. આ બધું મેં તને આપેલું છે. હવે તું તારા ઇષ્ટદેવને યાદ કરી લે કારણ કે આજે હું તને છોડવાની નથી.' સાસુનું આવું કાળઝાળ સ્વરૂપ જોઈ ગુણાવળી ત્યાં આવી, રડતી રડતી. ખોળો પાથરી વિનવણી કરવા લાગી. ચંદરાજા ફરી ક્યારેય આવું નહિ કરે તેવી ખાતરી આપી અને કહેવા લાગી કે તમારો પુત્ર જ છે તેના પર કૃપા કરી જીવતદાન આપો. છતાં તે માનતી નથી ત્યારે ગુણાવળીએ ખૂબ વિનંતી કરતાં તેને જીવતદાન આપવાનું કબૂલ કર્યું. એક મંત્ર બોલી દોરો ચંદરાજાની ડોકમાં બાંધ્યો આથી રાજા મનુષ્ય મટી કૂકડો બની ગયો. પતિને કૂકડો બનેલો જોઈ ગુણાવળી ચોધાર આંસુએ રડતી સાસુને ફરી વિનવવા લાગી. આથી વીરમતિ ખિજાઈ અને ગુણાવળીને પણ કૂકડી કરી દેવાની વાત કરે છે. આથી ગુણાવળી પતિને લઈ પોતાના ઓરડે ચાલી ગઈ. કૂકડાનું પતિની જેમ જ જતન કરવા લાગી. એક વાર એક મુનિરાજ ચંદરાજાનો રાસ * 193 Page #243 -------------------------------------------------------------------------- ________________ ગોચરીએ પધારે છે તે કૂકડાને પીંજરામાં જોઈ તેને મુક્ત કરવાનું કહેવા લાગ્યા. આથી ગુણાવળીએ બધી વાત કરી. ત્યારે તેમણે કર્મની મહત્તા બતાવતા કહ્યું કે કર્મ પાસે બધા પરાધીન છે. પરંતુ તમે ધર્મનું આરાધન કરશો તો સહુ સારાં વાનાં થઈ રહેશે. આમ આશ્વાસન આપીને ગયા. ગુણાવળી ઘણો પશ્ચાત્તાપ કરે છે કે હું સાસુ પાસે ન ગઈ હોત તો આ થાત જ નહિ અને ચંદરાજાની માફી માગે છે. ચંદ રાજા બધું સમજી શકે છે પરંતુ ઉત્તર આપતા નથી. એક વા૨ રાણી કૂકડાને લઈ ગોખમાં બેઠી છે. આથી પસાર થતાં પ્રજાજનો વિચારે છે કે રાજાને હમણાંના જોયા નથી. આ જ રાજા લાગે છે. રાણી વીરમતી તો પ્રથમથી જ કપટી છે. આથી સહુ કૂકડાને રાજા સમજી પ્રણામ કરે છે. આ વાત વીરમતીના ધ્યાનમાં આવતાં તે ગુણાવળીને ગોખમાં ન બેસવા તાકીદ કરે છે. આ બાજુ પ્રેમલા પતિની રાહ જુએ છે પણ આવતા નથી. હિંસક પ્રધાન કુષ્ટી કનકરાજને પ્રેમલા પાસે મોકલે છે. પ્રેમલા તેને પતિ માનવા ઇન્કાર કરે છે. આથી સિંહરથ રાજા, રાણી સર્વે આવી ખોટો વિલાપ કરી પ્રેમલાના પિતા મકરધ્વજને કહે છે કે તમારી કન્યાના સ્પર્શથી મારો રૂપવંત પુત્ર કુષ્ટી થઈ ગયો. તે વિષકન્યા છે. આ સાંભળી પ્રેમલાના પિતા પ્રેમલાને મારવા મ્યાનમાંથી તલવાર કાઢે છે પણ કનકધ્વજ એમ કહીને રોકે છે કે કન્યાહત્યાનું પાતક ચડશે. વળી દોષ કોઈનો નથી, કર્મોનો છે માટે તેને જીવતદાન આપો. પછી મકરધ્વજ પોતાના પ્રધાનને બોલાવી સઘળી વાત કરે છે. પ્રધાન વિચક્ષણ છે. સમજી જાય છે કે આમાં કંઈક પ્રપંચ છે. રાજાને પણ સમજાવવા પ્રયત્ન કરે છે પણ રાજા માનતો નથી. પુત્રીનો વધ કરવાનો હુકમ કરે છે. વધ કરતી વખતે ચાંડાળોના હાથમાં તલવાર જોઈ ભયભીત થયા વિના પ્રેમલા હસે છે. ચાંડાલના પ્રશ્નના ઉત્તરમાં રાજા અને મંત્રીને મળવાની વાત કરે છે. મંત્રીના સમજાવવાથી રાજા પડદો રાખી તેની વાત સાંભળવા તૈયાર થાય છે. પ્રેમલા વિસ્તારથી બધી વાત કરે છે અને એ પણ કહે છે કે પોતાનાં લગ્ન વીરસેન રાજાના પુત્ર, ચંદરાજા જે આભાપુરીના સ્વામી છે તેની સાથે થયાં હતાં. રાજાને થોડોક વિશ્વાસ બેસે છે અને તે સુબુદ્ધિ પ્રધાનને કહે છે કે તમે કુંવરીને તમારે ત્યાં રાખો. આભાપુરી માણસો મોકલી તપાસ કરાવો જેથી સત્ય હકીકત જાણી શકાય. પોતે જે ચાર સચિવોને પ્રેમલા માટે કનકધ્વજને જોવા મોકલેલા તે ચારેયને બોલાવી પૂછે 194 * જૈન રાસ વિમર્શ Page #244 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે ખ્યાલ આવે છે કે પૈસાના લોભમાં પોતાના માણસોએ કુંવરને જોયા વિના હા ભણી વિશ્વાસઘાત કર્યો છે. આથી પાંચેય સિંહરથ રાજા, રાણી, હિંસકપ્રધાન, કનકધ્વજ અને કપિલા ઘાવને બોલાવી. સાચી વાત પૂછતા તેઓ પકડાઈ ગયા. રાજાએ પાંચેયને કેદી બનાવ્યા. ચંદરાજાનો પત્તો મેળવવા મકરધ્વજે દાનશાળા ખોલી. ત્યાં આવતા દરેક માણસને તેનું ઠેકાણું પૂછી તપાસ કરવા લાગ્યા. એકદા જંઘાચરણ મુનિ ત્યાં પધાર્યા. તેમનાં દર્શન-વંદનથી પ્રેમલા જૈનધર્મ પર અત્યંત દઢ શ્રદ્ધાવાન થઈ. વધુ ને વધુ તપ-જપ-ભક્તિ કરવા લાગી. આથી શાસનદેવી પ્રગટ થયાં અને આશીર્વાદ આપ્યા કે લગ્નના ૧૬મા વર્ષે તને પતિ પાછો મળશે. એક વખત એક યોગિની ત્યાં આવી. તેના હાથમાં વીણા હતી, જેનાથી તે સુંદર ગીત ગાતી હતી. પ્રેમલાએ તેને બોલાવી તેનું સ્થાન પૂછ્યું. જવાબમાં યોગિનીએ જણાવ્યું કે પોતે આભાપુરીનગરીની છે અને ત્યાંના રાજાને તેની માતાએ કૂકડો બનાવી દીધા છે. આથી પ્રેમલા તેને રાજા પાસે લઈ જાય છે. રાજાએ સઘળી હકીકત જાણી અને પ્રેમલાને વૈર્ય રાખવા કહે છે. આ બાજુ ચંદરાજા ન દેખાવાથી પ્રજાજનો, મંત્રીઓ વગેરે તેના વિષે પૃચ્છા કરે છે. ત્યારે વીરમતી પ્રધાનને પોતાનો ભય દેખાડી મોં બંધ રાખવા કહે છે. પોતે રાજ્ય વહીવટ પોતાને હસ્તક લઈ લે છે. લોકો પણ ભયના. માર્યા વીરમતી સામે બોલવાનો પ્રયત્ન કરતાં નથી. એક વાર મંત્રી મહેલમાં કૂકડાને જોતાં વીરમતીને તેની પૃચ્છા કરે છે. વીરમતી ઉડાઉ જવાબ આપે છે. ફરી તે બાબતમાં ન પૂછવા ધમકી આપે છે. અંદર બેઠેલી ગુણાવળીને આંસુ સારતાં જુએ છે તો તેને પૂછે છે ત્યારે ગુણાવળી કહે છે કે કૂકડો પોતાનો પતિ ચંદરાજા છે. મંત્રી કાંઈ બોલ્યા વિના ત્યાંથી જતો રહે છે. રાજાને કૂકડો બનાવ્યાની વાત બધે ફેલાય છે પણ ભયના માર્યા કોઈ કશું બોલતું નથી. સ્ત્રીના હાથમાં રાજ્ય જાણીને હેમાલયનો હેમરથ રાજા છે જે ચંદરાજાથી માનહીન થયેલો તે તેની ગેરહાજરીમાં રાજ્ય હડપ કરવા વિચારે છે અને વીરમતીને તાબે થવા અથવા યુદ્ધ કરવા સંદેશ મોકલે છે. રાણીની આજ્ઞાથી મંત્રી લડાઈ કરવા જાય છે અને વિજયની વરમાળા પહેરી પાછો આવે છે. હેમરથને વીરમતી પોતાનો આજ્ઞાંકિત રાજા બનાવે છે. એ અરસામાં ચંદજાનો ચસ 195 Page #245 -------------------------------------------------------------------------- ________________ જ જ્ઞાનકળાના ભંડાર જેવો એક નટ આભાપુરીની પ્રશંસા સાંભળી પોતાના ૫૦૦ માણસો સાથે ત્યાં આવ્યો. વીરમતીની આજ્ઞા લઈ પોતાના દ્રવ્ય દારિદ્રયને દૂર કરવા જુદાજુદા ખેલો દેખાડવા લાગ્યો, સાથે પુત્રી શિવમાળા પણ સુંદર ખેલ કરતી હતી. તેમના ખેલ જોઈ બધા ખૂબ જ પ્રસન્ન થયા. નટ પણ ચંદરાજાની બિરદાવળીરૂપ યશોગાન ગાવા માંડ્યો. વીરમતીના કાનમાં આ શબ્દો ખીલાની જેમ ભોંકાયા. નટ પોતાને બદલે ચંદરાજાના ગુણગાન ગાતો હતો તેથી તેણે તેને ઈનામ ન આપ્યું. આ બાજુ નટ વારંવાર યશોગાથા ગાઈ, અન્ય અંગકસરતો બતાવવા લાગ્યો પણ વીરમતી રાજી ન થઈ. કૂકડો સમજી ગયો કે ચંદરાજાના યશોગાન ગાય છે તેથી ઇનામ નથી આપતા. તેણે વિચાર્યું કે નટ બીજા રાજ્યમાં જઈ આભાપુરીના અવર્ણવાદ બોલશે. જો કાંઈ દાન નહિ મળે તો. આથી પીંજરના સળિયા હટાવી પોતાને દાણા નાખતા હતા તે રત્નજડિત કચોળાનો દાન પેટે ઘા કર્યો. ગોખમાંથી નીચા નમી, પાંખોને આડી કરી, કચોળાને ચાંચ વડે ઉપાડી નીચે નાંખ્યું. જેને નટે નજીક જઈ હાથ વડે ઝીલી લીધું પછી તો ચારેબાજુથી દાનરૂપે વસ્ત્રો, અલંકારો વગેરે આપવા લાગ્યાં. વીરમતીને ખ્યાલ ન આવ્યો કે કૂકડાએ દાન આપ્યું છે આથી મનમાં ને મનમાં ગુસ્સે થઈ. કોણે પ્રથમ દાન આપ્યું તે વિચારમાં ક્રોધે ભરાઈ. બીજે દિવસે કોણે દાન આપ્યું હતું તે નક્કી કરવા વીરમતીએ ફરી નટને બોલાવી નાટક કરવાનો હુકમ કર્યો. નટ પણ ગઈકાલે મળેલા મોટા ઈનામની લાલચે જલદીથી નાટક કરવા તૈયાર થઈ ગયો. આજે પણ નાટક પૂર્ણ થતાં વીરમતિએ દાન દીધું નહિ. નટ ફરી ચંદરાજાનો યશ ગાવા લાગ્યો. આજે પણ ચંદરાજાએ પોતાના પાણી પીવાનું સુવર્ણનું લાખ સોનૈયાનું કચોળું દાનરૂપે ફેંક્યું. આ વાત વીરમતીના ધ્યાનમાં આવી અને તે ખુલ્લી તલવાર સાથે કૂકડાને મારવા આવી. લોકો પણ ભેગા થઈ ગયા. ગુણાવાળીએ માંડ માંડ સમજાવી કૂકડાને ત્યાંથી દૂર લઈ જઈ બચાવ્યો. શિવકુંવર નટ ત્યાં આવી વીરમતી પાસે મીઠી વાતો કરી તેના ગુસ્સાને ઓછો કર્યો. એ વખતે કૂકડાએ શિવાળાને પક્ષીની ભાષામાં કહ્યું કે, “હે શિવમાળા! તું તારી કળામાં ખૂબ જ હોશિયાર છો અને પક્ષીની ભાષા પણ તું સમજે છે એમ મને ખબર પડે છે. આ ખેલના અંતે જ્યારે વીરમતી તને ઈનામ માંગવાનું કહે ત્યારે તું મને માંગી લેજે. જોજે દાનમાં 196 * જૈન રાસ વિમર્શ Page #246 -------------------------------------------------------------------------- ________________ લોભાતી નહિ અને બીજું કાંઈ માંગતી નહિ. મને અભયદાન આપજે. હું જિંદગીભર તારો ઉપકાર નહિ ભૂલું.” શિવમાળા દોરડા પરથી ઊતરી પિતાને એકાંતમાં લઈ કૂકડાએ કહેલી વાત કરી તેને માગી લેવા કહે છે. શિવકુંવર સમજી જાય છે. વીરમતીનો યશ બોલ્યો તેથી તે ખુશી થઈ. ઇનામ માગવા કહેતાં જ નટે કૂકડો માંગ્યો. વીરમતીએ બીજું માગવા કહ્યું પણ નટ ન માન્યો. ગુણાવળીને એ બાબત કહ્યું તો તે પણ ના પાડવા લાગી. મંત્રીએ ગુણાવળીને સમજાવી કે કૂકડો અહીં રહેશે તો મૃત્યુનો ભય સતત તેની સામે ઝળૂબ્યા ક૨શે માટે તેને નટને આપી દો. તે તેને જીવની જેમ જાળવશે. આથી તે સંમત થાય છે પરંતુ જીભથી કૂકડા પાસે પોતાના વિરહની વ્યથા વર્ણવતા ચોધાર આંસુએ રડે છે. ઘણી બધી વિનવણી કરે છે પણ સાસુના ભયથી અંતે કૂકડાને સોંપવા તૈયાર થાય છે ત્યારે કૂકડો પગના નખ વડે અક્ષર લખી તેને સમજાવે છે કે, “તું મારી બિલકુલ ફિકર કરીશ નહિ. હું જો જીવીશ તો તું જરૂર માનજે કે તને આવીને ચોક્કસ મળીશ.” હવે નટ અને શિવમાળા સાથે તેઓ ગામેગામ ફરે છે. શિવમાળા પણ એક ભાઈની જેમ કૂકડાનું જતન કરે છે. બે રાજાઓએ તો કૂકડાની માગણી કરી. યુદ્ધ પણ કર્યું પરંતુ અંતે બધું સમુ-સૂતરું પાર ઊતરી ગયું. ફરતાં ફરતાં પ્રેમલાલચ્છીના ગામ વિમળાપુરી આવ્યા. કૂકડાને જોતાં પ્રેમલાલચ્છીને પણ તેની ઉપર પ્રેમભાવ આવ્યો અને તેની માગણી કરી. આ બાજુ કૂકડારૂપે રહેલા ચંદને પણ પ્રેમલા પાસે જવાનું મન થયું. તેનો પતિપ્રેમ પત્નીને ઝંખવા લાગ્યો. તૃતીય ઉલ્લાસ સંપૂર્ણ. પ્રેમલાએ પિતા દ્વારા કૂકડાની માગણી કરી. પહેલા આનાકાની બાદ માંડ માંડ શિવમાળા તે કૂકડાને આપવા તૈયાર થઈ. કૂકડો ધીમેધીમે પ્રેમલાને સાનથી સમજાવે છે કે પોતે તેનો પતિ છે. પ્રેમલા પણ તેને જ્યાં જાય ત્યાં સાથે ને સાથે રાખે છે અને તેનું જીવની જેમ જતન કરે છે. ચાતુર્માસ પૂર્ણ થતાં પ્રેમલાને સિદ્ધાચલજીની યાત્રાએ જવાનું મન થયું. પોતે ત્યાં જ રહેતી હોવાથી તરત વિચારને અમલમાં મૂકે છે. કૂકડાને પણ સાથે લઈને જાય છે. ચંદરાજાને પણ આનંદ થાય છે કે ક્યાં આભાપુરી અને ક્યાં વિમળાપુરી... પોતે કદાચ કોઈ દિવસ સિદ્ધાચલની યાત્રાએ ન જઈ શકત. એ જમાનામાં સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર નહિવત્ હોવાથી આટલા અંતરે વું શક્ય જ નહોતું. પરંતુ પોતે આજે ભગવંતને ભેટવા જઈ રહ્યા છે તે જાણી તેના રોમેરોમમાં ઉલ્લાસ છવાયો. જેમજેમ ચંદરાજાનો રાસ * 197 Page #247 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચડતા ગયા તેમ તેમ આનંદ વધતો ગયો. પ્રેમલા દાદાના દરબારમાં જઈ ભેટ્યા, અષ્ટપ્રકારી પૂજા કરી તે બધું જોઈ કૂકડો તેની અનુમોદના કરવા લાગ્યો. પૂજા કર્યા બાદ પ્રેમલા ફરતી ફરતી પવિત્ર સૂર્યકુંડ પાસે આવી ત્યાં શીતળ જળને સ્પર્શી તેની શીતળતાનો લાભ લેવા બેઠી. કૂકડાને ત્યારે જ આ સંસારની અસારતાનું ભાન થયું. ૧૬-૧૬ વર્ષ વીતવા છતાં પોતાનો ઉદ્ધાર થયો નહિ હવે તો તે આ જ રીતે મરશે એમ તેને લાગ્યું. મનુષ્ય તરીકે પોતે પાછો આવી શકશે નહિ એમ તેને થયું. મનમાં ખૂબ દુઃખી થતાં તેને વિચાર આવ્યો કે આના કરતાં તો મરી જવું સારું. આમ વિચારી તે સૂર્યકુંડમાં પડતું મૂકે છે. પ્રેમલા પણ તેને પકડવા અથવા પતિની ગતિ જેવી મારી ગતિ થાય. જીવતા તો ન મળ્યા, મૂઆ પછી સહી એમ વિચારી કૂકડાની પાછળ પાણીમાં પડે છે. બંનેની અંતરાય તૂટવાથી અને શુભ કર્મોદય શરૂ થવાથી, મંત્રેલો દોરો બાંધેલો હતો તે તૂટી જતાં ચંદરાજા મનુષ્યત્વને પામે છે અને શાસનદેવી બંનેને કિનારે મૂકે છે. ભવ શ્રેણી તોડીને સર્વ કર્મનો ક્ષય કરનાર, મોક્ષે પહોંચાડનાર આ પ્રભાવિક તીર્થમાં મનોવાંછિતની પ્રાપ્તિ થાય અને દુઃખ દૂર થાય તેમાં શું આશ્ચર્ય છે. ત્યાર બાદ પ્રેમલા પ્રથમ કર્તવ્ય તરીકે પતિને કહે છે કે સ્વામી આપ અહીં સ્નાન કરી ત્રણ જગતના નાથની પૂજા ભક્તિ કરો. ચંદરાજા પણ તેની ઉત્તમ સલાહનો તુરત જ સ્વીકાર કરે છે. આ બાજુ પ્રેમલાના પિતા મકરધ્વજને વધામણી મળે છે. વાત સાંભળતાં જ પોતે જમાઈને મળવા સિદ્ધગિરિની યાત્રાએ જાય છે. જમાઈને પ્રેમથી મળી પછી પરમાત્માની પૂજાનો લાભ લે છે. જમાઈનો ધામ-ધૂમે વિમલાપુરીમાં પ્રવેશ કરાવે છે. ચંદરાજા શિવકુમાર નટને બોલાવે છે અને તેને એવો ન્યાલ કરી દે છે કે તેની ભવની ભાવઠ ભાંગી જાય છે. જિંદગી પર્યત નટપણું કરવાનું બાકી રહેતું નથી. તેનો ઉપકાર પણ એવો જ છે કે પ્રત્યુપકાર થઈ શકે જ નહિ. અપરમાતા પાસેથી પ્રાણાંત કષ્ટમાંથી છોડાવ્યા. પરમપ્રિયા પ્રેમલા સાથે મેળવી આપ્યા. તેમના નિમિત્ત કારણથી જ છેવટે મનુષ્યપણું પામ્યા. ચંદરાજા સુજ્ઞ હોવાથી બધું સમજે છે. તેનો બદલો વાળવામાં બાકી રાખતા નથી. પ્રેમલા ઉપર કનકધ્વજ રાજાએ વિષકન્યાનું આળ મૂકતા મકરધ્વજ 198 * જૈન રાસ વિમર્શ Page #248 -------------------------------------------------------------------------- ________________ પોતાની પુત્રી એવી પ્રેમલાની હત્યા કરાવવા તૈયાર થયો હતો પરંતુ સમજદાર મંત્રીને કારણે પ્રેમલાનું જીવન બચી ગયું. રાજાએ પુત્રીનું મોટું ન જોતાં મંત્રીને સોંપી દીધી પરંતુ મંત્રીએ તેને થોડાં વર્ષો સાચવી રાજાને સમજાવ્યા પછી મહેલમાં પાછી લાવ્યા. મકરધ્વજને આ બધી વાતો યાદ આવતાં ખૂબ જ પશ્ચાત્તાપ થયો, પ્રેમલાની માફી માગી. પ્રેમલા જૈનદર્શનમાં માનનારી અને શ્રદ્ધા કરનારી હોવાથી પોતે સમજતી હતી કે આ બધો મારા કર્મોનો જ દિોષ છે. આથી તેણે પિતા પ્રત્યે પણ લેશમાત્ર ભાવ બગાડ્યા નહોતા. તેણે પિતાને કશો ક્ષોભ ન રાખવા કહી સાથે વિનંતી પણ કરી કે ચંદરાજા મનુષ્યત્વ તો પામ્યા હવે તેનું રાજ્ય પાછું મેળવી આપવાની જવાબદારી પિતાની છે. પિતાએ કહ્યું કે, “એની ચિંતા કરીશ નહિ” પછી તેમણે ચંદને બોલાવી પૂર્વવૃત્તાંત પૂછડ્યો. ચંદે પણ વિસ્તારથી પોતાના લગ્નથી માંડીને બધી વાત કરી. હવે મકરધ્વજને સિંહલ નરેશ, કુષ્ટી કનકધ્વજ વગેરેની સાચી વાતની ખબર પડી ગઈ. એ પાંચેય જણાને કેદમાં રાખ્યા હતા. તેમનો વધ કરવા આદેશ આપ્યો પણ ચંદરાજાએ તે બધાને છોડી દેવા મકરધ્વજને સમજાવતા તેમણે છોડી દીધા. સજ્જનોની રીતિ આવી જ હોય છે. ઉપકારનો બદલો તો પ્રાણાંતે પણ વાળે જ છે પરંતુ અપકારી પર પણ ઉપકાર કરનાર છે. પ્રેમલાલચ્છીએ પોતાના નામ માત્રના કોઢવાળા પતિ પર ચંદરાજાના ચરણ ધોઈ પાણી છાંટ્યું અને કનકધ્વજનો કોઢ દૂર થયો. આ ચંદરાજાના શિયળનો પ્રભાવ છે. સિંહલ નગરે જઈ તે પાંચેય ચંદરાજાને આશીર્વાદ દેતાં દેતાં જીવન વ્યતીત કરવા લાગ્યાં. હવે એક રાત્રિએ ઊંઘ ઊડી જતાં ચંદરાજાને ગુણાવળીનું સ્મરણ થયું. ગુણાવળીને પોતે આપેલું વચન યાદ આવ્યું. પોતે પ્રેમલાના પ્યારમાં ગુણાવળીને તો સાવ ભૂલી જ ગયા. સવાર પડતાંની સાથે જ તેણે ગુણાવળીને એક પત્ર લખ્યો. તે લઈ સેવકને આભાપુરી મોકલ્યો. ખાસ સૂચના આપી કે “ગુપ્ત રીતે પ્રથમ મંત્રીને મળી પછી જ ગુણાવળીને મળવું. અપર માતાને ખબર ન પડે તે રીતે મળવું.” સેવકે તે રીતે જ કર્યું. પતિનો સંદેશ વાંચી તે આનંદમાં આવી ગઈ અને નયનમાંથી હર્ષનાં અશ્રુઓ વહેવા લાગ્યાં. આ બાજુ વા વાતને ફેલાવે એ રીતે છૂપી રાખવા છતાં પ્રજાજનોમાં ફેલાણી કે ચંદરાજા મનુષ્યપણું પામ્યા છે. આથી પ્રજાજનો પણ ઇચ્છવા લાગ્યા કે હવે ચંદરાજા અહીં આવે તો સારું. વીરમતીના કાને આ વાત ચંદરાજાનો રાસ +199 Page #249 -------------------------------------------------------------------------- ________________ આવતાં તે ક્રોધથી રાતી પીળી થઈ ગઈ. વાતમાં સત્ય છે કે કેમ તે જાણવા તેણે ગુણાવળીને બોલાવી. પરંતુ એક વાર સાસુથી છેતરાયા બાદ તે સમજી ગઈ હતી કે સાસુને સત્ય બતાવવામાં સાર નથી. વીરમતીએ બીક બતાવી છતાં ગુણાવળીએ સત્ય છતું ન કર્યું. ઊલટાનું સાસુને ખરાબ ન લાગે તે રીતે સલાહ પણ આપી કે દરેક માણસ, દરેક વખત, દરેક બાબતમાં ફાવે જ એવું નથી માટે જે કરો તે વિચારીને કરજો. વીરમતી વાતની પાકી ખાતરી કરવા જે દેવો પોતાને આધીન હતા તેમને બોલાવે છે. દેવો હાજર તો થયા પરંતુ વીરમતીને કહ્યું પણ ખરું કે ચંદરાજાનું અપ્રિય કરવાનું તેમની સત્તા બહાર છે, તેમના રખેવાળ દેવો અમારા કરતાં વધારે બળવાન છે. હવે વીરમતી કોઈપણ ઉપાયે ચંદરાજાને મારવા પ્રયત્ન કરે છે. મંત્રીને બોલાવી ચંદ પર હુમલો કરવા કહે છે. મંત્રી સમયનો જાણનાર હોવાથી હા માં હા મિલાવે છે. પણ પોતે તો હૃદયથી ચંદનો જ માણસ છે. પરંતુ એમાં વાર લાગશે એમ વિચારી પોતે ખુલ્લી તલવાર લઈ આકાશમાર્ગે વિમલાપુરી જઈ એકદમ જ ચંદરાજા પર હુમલો કરે છે. ચંદરાજાએ બખ્તર પહેરેલું હોવાથી તે તલવાર અથડાઈને પાછી ફરે છે! વિનાશકાળે વિપરીત બુદ્ધિ અનુસાર ભવિતવ્યતા હોય તે પ્રમાણે જ બુદ્ધિ દોરે છે અને સહાયકો તેવા જ મળે છે. દેવો તેને આધીન હોવાથી બોલાવતા આવ્યા તો ખરા પરંતુ પુણ્ય પરવારી ગયું હોવાથી વીરમતીની રક્ષા કરવા તત્પર ન બન્યા. તલવાર જોરથી અથડાઈને વીરમતીને વાગે છે જેના પ્રહારથી તે બેશુદ્ધ બની જાય છે. આટલાં વર્ષો સુધી પોતાને હેરાન કરનાર માતા પર ક્રોધ આવવાથી ચંદરાજા તેનો ચોટલો પકડી, ગોળ ફેરવી અને દૂર ફેંકે છે આથી વીરમતી મૃત્યુ પામે છે. તેને આધીન રહેલા દેવો પણ ચંદરાજાનો જયઘોષ કરે છે. સસરા પણ ખુશ થઈ તેમને અડધું રાજ્ય આપે છે. આ બાબત એ વાતની સાક્ષી પૂરે છે કે સંસારમાં પુણ્ય અને પાપનાં ફળો પ્રત્યક્ષ હોવાથી પુણ્ય પાપ પ્રત્યક્ષ જ છે છતાં મૂઢ આત્મા તેને જોઈ શકતાં નથી અને પુણ્ય કાર્યમાં પ્રવૃત્તિ અને પાપ કાર્યથી નિવૃત્તિ કરી શકતાં નથી. અંતે સત્યનો જ જાય થાય છે એ વાત સાચી ઠરે છે. ચંદરાજાએ વીરમતીને પરલોક પહોંચાડી એ વાત એક દેવે આકાશમાર્ગે આભાપુરી આવી ગુણાવળીને કરી. ગુણાવળી ખૂબ આનંદિત થઈ. તેણે મંત્રીને બોલાવી વાત કરી. મંત્રીએ રાજ્યમાં પડહ વગડાવી જાહેરાત 200 * જૈન રાસ વિમર્શ Page #250 -------------------------------------------------------------------------- ________________ કરી. ચંદરાજાને પાછા બોલાવવા આમંત્રણપત્ર લખાવ્યો. આ બાજુ ગુણાવળી વિચારે છે કે પતિ કેમ પાછા ફરવાના સમાચાર મોકલતા નથી. એ વખતે એક સૂડો ત્યાં આવે છે જે ગુણાવળીને આશ્વાસન આપી ચંદરાજાને તેનો પત્ર પહોંચાડે છે. પત્રમાં રહેલા આંસુથી ચંદરાજાનું હૃદય પીગળી જાય છે અને સત્વરે આભાપુરી પહોંચવાનો નિર્ણય કરે છે. વિચાર કરતાં શ્વસુરરાજા તથા પ્રેમલાના ઉપકાર યાદ આવે છે. તેમની સમક્ષ કેવી રીતે વાત કરવી તે વિચારતા ઉદાસ થઈ જાય છે. પરંતુ પ્રેમલા તેને ઉદાસ જોઈ કારણનું અનુમાન કરી ગુણાવળીને અહીં તેડાવી લેવાની વાત કરે છે. પરંતુ ચંદરાજા અસરકારક રીતે પોતાનું આભાપુરી જવું કેટલું જરૂરી છે તે સમજાવવામાં સફળ થાય છે. પછી મકરધ્વજ રાજાને વાત કરે છે. રાજા ઘણા લાગણીભર્યા વચનો કહી તેને રોકવાનો પ્રયત્ન કરે છે. પોતાને પુત્ર ન હોવાથી ચંદ જ તેનો પુત્ર છે. એક જ પુત્રી હોવાથી ઘણો આગ્રહ કરે છે પણ ચંદરાજા માનતા નથી. છેલ્લે ચંદરાજાની વાત સ્વીકારે છે. જવાનું નક્કી થતાં ચંદરાજા નગરજનોના આશિષ મેળવતાં નગર મધ્યેથી પસાર થઈ સિદ્ધાચળની તળેટીમાં આવે છે ત્યાં વંદન કરી આભાપુરી જવા રવાના થાય છે. રસ્તામાં ઘણા રાજાઓ ચંદરાજાના પુણ્યપ્રતાપથી વશ થાય છે અને પોતાની કન્યાઓ ચંદરાજાને પરણાવે છે. આમ તેઓ પોતનપુર નગરીમાં પ્રવેશ કરે છે. નટ શિવકુંવર અને તેની પુત્રી શિવમાળા પણ રાજાની સાથે છે અને રસ્તામાં મનોરંજન કરાવતાં રહે છે. એક વાર ઈન્દ્ર ભરી સભામાં ચંદરાજાના શિયળવ્રતની પ્રશંસા કરે છે અને કહે છે કે કોઈ પણ તેને શિયળવ્રતથી ડગાવી શકે તેમ નથી. આથી એક મિથ્યાત્વી દેવ ચંદરાજાની પરીક્ષા કરવા પોતનપુરમાં પ્રવેશી મધ્યરાત્રિએ અદ્દભુત વિદ્યાધરીનું રૂપ વિકવ્યું અને કરુણ સ્વરે રુદન કરવા લાગ્યો. ચંદરાજાએ કરુણ વિલાપ સાંભળી એ દિશામાં જવા પગ ઉપાડ્યા. ત્યાં જઈને જોયું તો એક સુંદર યુવતી એકલી છે અને રુદન કરી રહી છે. આથી રુદનનું કારણ પૂછ્યું. જવાબમાં સુંદરી કહે મારા પતિ મને છોડી ચાલ્યા ગયા છે. આપ મને સ્વીકારો. હવે તો આપ જ મારા પતિ છો કહી લલચામણા હાવભાવથી ચંદરાજાને શિયળથી ડગાવવા પ્રયત્ન કરે છે. પરંતુ ચંદરાજા સુંદરીમાં મોહાયા વિના તેને બહેન તરીકે સંબોધિત કરી બ્રહ્મચર્યનો મહિમા સ્થાપિત કરે છે. આમ શિયળવ્રતની પરીક્ષામાં સાંગોપાંગ ઊતરી દેવના ચંદરાજાનો રાસ *201 Page #251 -------------------------------------------------------------------------- ________________ આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ત્યાંથી આગળ વધી ધીમેધીમે પોતાની નગરી આભાપુરીમાં પહોંચે છે. પ્રજાવત્સલ હોવાને કારણે પ્રજાજનો તેમને ખૂબ ચાહતા હતા અને રંગેચંગે તેમનું સ્વાગત કરી નગપ્રવેશ કરાવે છે. ૭૦૦ રાણીઓના સ્વામી બન્યા બાદ ચંદરાજા ગુણાવળીને પટરાણી પદે સ્થાપે છે. પ્રેમલાને પણ ઉપકારી તરીકે ગણાવળી પછીનું સ્થાન આપે છે. બંને રાણી સહિત બધાની સાથે રહેતા રહેતા અનુક્રમે બે પુત્રોના પિતા બને છે. આમ સાંસારિક અપેક્ષાએ રાજયસુખ, સ્ત્રીસુખ, પુત્રસુખ અને શારીરિક સુખ મેળવી સંપૂર્ણપણે સંસારમાં સુખી બને છે. થોડાં વર્ષો બાદ આભાપુરીના કુસુમાકર ઉદ્યાનમાં મુનિસુવ્રતસ્વામી ભગવાન પધાર્યા. રાજા ખૂબ રોમાંચિત થયા. ચતુરંગી સેના સાથે દર્શનાર્થે પધાર્યા. ત્યાં ભગવાનની દેશના સાંભળી. . તીર્થંકર પ્રભુએ દેશનામાં કર્મનું સ્વરૂપ બતાવતા જીવની જુદીજુદી અવસ્થાનું વર્ણન કર્યું. જીવન સૂક્ષ્મ નિગોદમાં કેવી રીતે હોય છે. ત્યાંથી નીકળીને ક્રમેક્રમે આગળ વધતો બાદરપણે, ત્યાર બાદ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, નારકી, દેવતા, તિર્યંચ અને મનુષ્યપણે પંચેન્દ્રિયમાં કેવી રીતે આવે છે. ત્યાર બાદ પુરુષાર્થથી સમકિત, સર્વવિરતપણું, દેશવિરતીપણું કઈ રીતે પામે છે અને કઈ રીતે અવર્ણનીય સુખના સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે તે સમગ્ર ઘટનાક્રમ વર્ણવી માનવી પોતાના આત્માના કલ્યાણ અને ઉન્નત દશા માટે કઈ રીતે પ્રયત્નશીલ બની શકે તે વિસ્તારથી સમજાવ્યું. ભગવાનની વાણી સાંભળી ચંદરાજાનું રોમરોમ ઉલ્લસિત થયું. તેમના હૃદયમાં વૈરાગ્યનો અપૂર્વ રસ જામ્યો. તેમણે ભગવંતને પોતાને પ્રાપ્ત થયેલ સુખ-દુઃખાદિકના નિમિત્ત કારણો જાણવાની તીવ્ર ઇચ્છા પ્રભુને બતાવી. ગુણાવળી, વીરમતી, પ્રેમલા, કનકધ્વજ રાજા, કપિલા ધાવ વગેરેનો પૂર્વભવ પૂક્યો. ભગવાને તેના ઉત્તરમાં ખૂબ સુંદર રીતે બધાના પૂર્વભવના વૃત્તાંત તેમનાં કર્મફળ સહિત સમજાવ્યા અને સંબંધો સ્પષ્ટ કરી બતાવ્યા. સંબંધોની સાંકળ બરાબર જોડવાથી શ્રોતાઓ તો ધર્મના રંગે રંગાયા પરંતુ ચંદરાજા તો સંપૂર્ણપણે વૈરાગ્યવાસિત થઈ ગયા. પ્રભુ પાસે સંયમમાર્ગ અંગીકાર કરાવવા વિનંતી કરી છે. ભગવાન પણ શુભકાર્યમાં વિલંબ ન કરવાનું કહે છે. પોતે તો આ સંસારનું સ્વરૂપ સારી રીતે જાણી ગયા છે પરંતુ પોતાની બંને મુખ્ય પત્નીઓને વૈરાગ્યવાસિત કરવા માટે તેમને સંસારનું સ્વરૂપ 202 * જૈન રાસ વિમર્શ Page #252 -------------------------------------------------------------------------- ________________ વિસ્તારથી સમજાવે છે અને ચારિત્ર લેવાની રજા માગે છે સાથે તાકીદ પણ કરે છે કે, “તમે રજા નહિ આપો તોપણ મારે ચારિત્રમાર્ગ ગ્રહણ કરવો જ છે.” બંને રાણીઓ રાજાને સમજાવી સંસારમાં રોકવા પ્રયત્ન કરે છે પરંતુ રાજા નિશ્ચયમાં અડગ રહેતાં તેમને તો રજા આપે છે પણ સાથે સાથે પોતે પણ સંયમમાર્ગ અંગીકાર કરવાને તૈયાર થાય છે. ઉત્તમ મનુષ્યનો પરિવાર પણ ઉત્તમ જ હોય છે. અનુત્તમ પણ ઉત્તમના સંગમાં આવવાથી ઉત્તમ થઈ જાય છે. એ રીતે ચંદરાજાની બધી પત્નીઓ, મંત્રી, નટ, શિવકુંવર, શિવમાળા વગેરે પણ ચારિત્રમાર્ગે આગળ વધવા તત્પર બને છે. ચંદરાના બંને પુત્રોને રાજ્ય સરખે ભાગે વહેંચી આપે છે. પુત્રો ધામ-ધૂમથી માતા પિતાનો દીક્ષોત્સવ ઊજવે છે. ચંદરાજા સ્થવિર પાસે પ્રથમ ક્રિયા-કલાપ પછી જ્ઞાનાભ્યાસ શીખે છે. માત્ર ચારિત્ર ગ્રહણ કરવાથી કાર્ય સરતું નથી, કારણ દ્રવ્યચારિત્રથી મોક્ષ ન મળે અને ભવમાં ભટક્યા કરે છે. ભાવચરિત્ર આવે તો સંયમમાર્ગ સાર્થક થાય છે. ભાવચરિત્ર ઉત્કૃષ્ટ આઠ વાર જ પ્રાપ્ત થાય. આઠમી વખત અવશ્ય મોક્ષે જાય જ. સિંહ પેઠે સંયમ લઈ સિંહ પેઠે જ પાળવો તેમાં જ મહત્તા છે. ચંદરાજા પણ એવી જ રીતે સંયમપાલન કરે છે. ચંદરાજા મોહશત્રુને જીતવા પ્રબળ પુરુષાર્થ આદરે છે. છછું સાતમે ગુણસ્થાનકે વર્તતા મુનિરાજ ત્યાંથી અપૂર્વકરણ (૮મું ગુણસ્થાનકો આવી અપૂર્વ વીર્ય ફોરવી પ્રથમ મોહનીય સાત પ્રકૃતિઓનો વિનાશ કર્યો હતો તેમ અહીં મોહનીય કર્મની ચારિત્રને આવનારી ૨૧ પ્રકૃતિઓનો વિનાશ કરવા કટિબદ્ધ બને છે. આઠમાંથી નવમે-દસમે ગુણઠાણે જઈ અગિયારમે ગુણઠાણે ન જતાં બારમે જાય છે. ઉપશમ શ્રેણીવાળો જ અગિયારમે ગુણઠાણે જઈ પડિવાઈ થાય છે. ક્ષપક શ્રેણીવાળા દસમેથી સીધા બારમે જ આવે. ચારિત્રવરણીય સર્વ પ્રકૃતિઓનો વિનાશ કરી બાકીના ત્રણ ઘનઘાતી કર્મનો પણ આત્યંતિક અભાવ કરે છે. જ્યારે ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય થાય છે ત્યારે તેને અનંતર સમયે જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેરમું યોગીકેવળી ગુણઠાણું પ્રાપ્ત કરે છે. શુક્લધ્યાનના પ્રથમના બે પાયા સેવી આ ગુણઠાણે આવે છે. અહીં ધ્યાનનો અભાવ છે. ધ્યાનાંતર દશા વર્તે છે. તે બે પાયા વડે યોગ નિરોધ કરી, શૈલેષી અવસ્થા પ્રાપ્ત કરી દેહના ત્રીજા ભાગને સંકોચી એટલે કે આત્મપ્રદેશોનો દેહના ૨/૩ ભાગમાં દાન કરી ચંદરાજાનો ચસ * 203 Page #253 -------------------------------------------------------------------------- ________________ એકસાથે દેહમાંથી નીકળે છે. અને જે સમયે નીકળે છે તે સમયે જ સાત રાજા ઊર્ધ્વગમન કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કરે છે. અક્ષય સ્થિતિ છે. ત્યાંથી સંસારમાં પાછા આવવાપણું નથી. કારણ કર્મનો સર્વથા ક્ષય થયેલો હોય છે. આવી સર્વોત્તમ દશા ચંદરાજાને પ્રાપ્ત કરે છે. ચતુર્થ ઉલ્લાસ સંપૂર્ણ. રસ વિષે કેટલીક માહિતી : પ્રસ્તુત રાસનો અભ્યાસ કર્યા બાદ કેટલીક જૈનદર્શનને તાદશ કરતી બાબતોનો ખ્યાલ આવે છે જે નીચે પ્રમાણે છે. કર્મને કોઈની શરમ નડતી નથી. રાય હોય કે રંક તેની પાસે સહુ સરખો છે. કર્મના વિપાક અત્યંત કડવા જાણી કર્મ બાંધતા જ વિચાર કરવો. અશુભ કર્મથી પાછા ઓસરવું. કરેલા કર્મ સર્વને ભોગવવા જ પડે છે. દેવો પણ તેમાં સહાયરૂપ નથી બની શકતા. દીર્ઘદૃષ્ટિથી દરેક બાબતનો વિચાર કરી, પરિણામનો વિચાર કરી પછી જ કાર્ય કરવા માટે તત્પર બનવું. આમ ન કરવાથી ઘણી વાર પસ્તાવાનો વારો આવે છે. કરેલાં પાપ કોઈ કાળે પ્રગટ થયા વિના રહેતાં નથી. યોગ્ય સમયે કાળ પૂરો થતાં તે બહાર આવે જ છે. તેની યોગ્ય શિક્ષા ભોગવવી જ પડે છે. હંમેશાં કોઈ પણ જાતના છળ, પ્રપંચ, ઠગાઈ કે વિશ્વાસઘાત કરતાં પહેલાં દસ વાર વિચાર કરવો અને તેનાં કડવાં ફળ નેત્રની સમક્ષ ખડાં કરી દેવાં જેથી મન પાપ કરતાં પાછું વળે. નારી, વારિ, તલવાર, નેત્ર, અશ્વ અને નરેશ જેમ વાળીએ તેમ વળે છે. મુખ્ય વિષય શિયળ ગુણની પ્રધાનતા, પુણ્યનું પ્રાબલ્ય અને કિસ્મતની કરામત કેવી હોય છે તે સૂચવવાનો છે પણ સાથે બીજા પુષ્કળ વિષયો દષ્ટિગોચર થાય છે. ચંદરાજા અનેક વિપત્તિઓ વચ્ચે પણ શિયળપાલનની ટેકમાં અડગ રહે છે. એ વિષય વાંચી વર્તમાને તો દરેકે ખાસ આચરણમાં મૂકવા જેવો છે. કારણ વર્તમાન સમયે બ્રહ્મચર્યનું મહત્ત્વ દિવસેદિવસે ઘટતું જાય છે. જેને કારણે માણસ નિવીર્ય, નાહિંમત અને નાલાયક બનતો જાય છે. શત્રુંજય મહાતીર્થ એટલે કે સિદ્ધાચલનું ભાવસેવન અને દ્રવ્યસેવન 204 * જૈન ચસ વિમર્શ Page #254 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે ઉપકારક થાય છે તે આ રાસ પરથી સમજી શકાય છે. રાસના મુખ્ય પાત્ર એવા ચંદરાજાને તૂર્કટના સ્વરૂપમાંથી મનુષ્યપણું ધારણ કરવામાં કારણભૂત આ મહાતીર્થ પર આવેલ પ્રભાવશાળી એવા સૂર્યકુંડનું જળ છે. જેની પુષ્ટિ વિદ્વાન, મહાકવિ, પંડિત શ્રી વીરવિજયજી પોતે રચેલી નવાણું પ્રકારી પૂજામાં જણાવતાં લખે છે કે, દ્રવ્યસેવનથી સાજા તાજા, જેમ કૂકડો ચંદરાજા રે; એ તીરથ તારું.” ચંદરાજાની પ્રથમ પત્ની ગુણાવળીનું ચરિત્ર દરેકે મનન કરવા જેવું છે. પતિની આજ્ઞા વિરુદ્ધ તેનાથી છુપાવીને કરેલું એક નાનું પણ અકાર્ય તેને કેટલું દુઃખ આપનાર બન્યું. તે ધ્યાન ખેંચતી બાબત છે. વળી દુર્જનની દોસ્તી પણ સારી નહિ અને દુશમની પણ સારી નહિ એ બાબત તેણે વીરમતીને આપેલ સાથ ઉપરથી સાબિત થાય છે. વીરમતીની દોસ્તીથી પતિ કૂકડાના સ્વરૂપને પામે છે. જ્યારે વીરમતીની દુમની પતિ સાથે ૧૬-૧૬ વર્ષનો વિયોગ કરાવે છે. ચંદરાજાની બીજી પત્ની પ્રેમલાલચ્છીનું ચરિત્ર કઠણ હૃદયના માનવીને અને તેના ચિત્તને ખળભળાવી મૂકે, હચમચાવી મૂકે તેવું છે. કર્મ સિવાય કોઈ પણ માનવીને સુખ-દુ:ખ આપી શકવા સમર્થ નથી. આથી કર્મને સમજી સત્કર્મ કરવા પ્રયત્નશીલ રહેવું. જૈનદર્શન અને તેના સિદ્ધાંતો પ્રત્યેની, જિનવચનો પ્રત્યેની અવિહડ શ્રદ્ધા દુઃખના દાવાનળને શાંત કરી સુખના શીતળ જળમાં સ્નાન કરાવ્યા વિના રહેતી નથી. તે આપત્તિ-વિપત્તિથી મુક્ત તો કરે જ છે, ભૌતિક સુખની પ્રાપ્તિ કરાવે જ છે પણ અવર્ણનીય આત્મિક સુખની પ્રાપ્તિ પણ તેના વડે જ થાય છે. ચંદરાજાની સાવકી માતા વીરમતી એ સ્ત્રીચરિત્રને આબેહૂબ રજૂ કરે છે. બેહદ પ્રપંચજાળ, રાજ્ય ખટપટ, અન્યોને ભોળવી ગેરમાર્ગે દોરવા, ચંદરાજા પ્રત્યે ક્રૂરતા વગેરે ત્યાજ્ય હોવા છતાં સમજવા જેવાં છે એટલું જ નહિ તેને બરાબર સમજી પોતાના જીવનમાં એવા દોષો તો નથી ને? જો હોય તો તેને તત્કાળ દેશવટો આપવો તે બાબત તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ રાસ પરથી વીરમતી એટલી પ્રસિદ્ધ થઈ હતી કે અત્યારે પણ આવી કૂડ-કપટવાળી અને કરામતવાળી સ્ત્રીને લોકો વીરમતીના ઉપનામથી ઓળખાવે છે. આ રાસના રચયિતા કવિ મોહનવિજયજીની વિદ્વત્તાને પ્રગટ કરતી ચંદરાજાનો રાસ » 205 Page #255 -------------------------------------------------------------------------- ________________ રચનાઓ : કુડકંધા લહુકના, ઊલટ કટોરા ચક્ષ; ગતિ અધિકી મન પવનથી, જંગમ તક્ષ વિપક્ષ ૨ વીજ ઝબુકા જિમ અલખ, દ્રઢ વપુ નાલિય પ્રચંડ; ખુરાઘાત પડતાળથી, કરે ગિરિ ખંડોખંડ, ૩ તેજી સુરકી હંસલા, કંબોજ એરાક; પાણીપંથા કાબલી, જાતિ અનેક ઉછાક ૪ અર્થાત્ તે ઘોડાઓના કાંધ કૂકડાઓના જેવા હતા. તેઓની આંખો વિશાળ અને તીક્ષ્ણ હતી. તેઓની ગતિ મન અને પવનથી પણ અધિક હતી, અને તેઓ જાણે પાંખો વિનાના ચાલતા ગરુડ હોય તેવા લાગતા હતા. વીજળીના ઝબકારાની જેમ ક્ષણમાં અલક્ષ્ય થઈ જાય તેવા હતા. તેમનાં શરીર દઢ હતાં. અને નાળો પ્રચંડ હતી, તેઓ પોતાની ખરીઓના આઘાતથી પર્વતના ખંડેખંડ કરે તેવા હતા. વળી તેઓમાં તેજી, તરકી, હંસલા, કંબોજ, એરાક, પાણીપથા, કાબલી એવી અનેક જાતિઓ હતી. ઘોડાઓ વિષેની આટલી ઊંડી જાણકારી સામાન્ય માણસોમાં પણ નથી જોવા મળતી. ઘોડાઓ વિષેની બધી જ હકીકત તેમણે માત્ર ત્રણ ગાથાઓમાં સંપૂર્ણ રીતે આપી દીધી છે. ઢાળ ૧૧મીના દુહાઓમાં રાસકાર ચંદરાજાના દરબારનું વર્ણન કરે છે. દરબારમાં સમકાળે છએ ઋતુ. વર્તી રહી છે તેની ઘટના કરી છે. તે ખૂબ સુંદર ઉપમાઓ આપી કરી છે. તેમાં રચયિતાનું જ્ઞાન, જે કહેવું છે તે ઓછા શબ્દોમાં બખૂબીથી કહે છે જે તેમની વિદ્વત્તા છતી કરે છે. લઘુવયથી રતિપતિ સમો, રાજે ચંદ નરિંદ તખતે શોભે અતિ વખત, ઉદયાચળે દિણંદ. ૧ મદજળતનુ કાળીઘટા, દતદામિની રંગ; પાઉસપરે દરબારમાં, ઉદ્ધત અતિ માતંગ. ૨ નાસા કેસર પિચરકી, ફણ અબીર લસંત; હોય ધમાલ ગુલાલ ગતિ, ખેલે તુરગ વસંત. ૩ 206 * જૈન રાસ વિમર્શ Page #256 -------------------------------------------------------------------------- ________________ નૃપમયંક વાણી સુધા, પ્રજા કર્ણ જિમ સીપ; અવિતથ મોતી નીપજે, સદા શરદ ઉદ્દીપ. ૪ નિત નિત નવલાં ભેંટણાં, મુખ આગળ દીપંત; કિધા ધાન ખળાં મનુ, ઋતુ આવે હેમંત. ૫. ભય હિમથી આનનકમળ, દાધા વેપથ શીત; અનમી જે આવિ નમ્યા, તિહાં શિશિર સુપવિત. ૬ નચ પુર નચ ઘર નચ વને, નહીં જક કોઈને આઘ; અન્ય દેશ રાજ ભણી, સદા હરંત નિદાધ. ૭ વિલસે સુખ નૃપપદ તણા, નિત નિત ચંદ્ર ભૂપાળ; આતપત્ર ધારી થકા, થયા અંગ રખવાળ. ૮ લઘવયથી કામદેવ જેવો રૂપવંત. ચંદરાજા ઉદયાચળ પર સૂર્ય શોભે તેમ રાજ્ય સિંહાસન પર બેઠો છતો શોભે છે. તેના દરબારમાં હાથીઓ હતાં જે શયામ શરીરવાળા હોવાથી મેઘની ઘટા જેવા મદજળ નીકળતું હોવાથી જળને વરસતા, ઉજ્વળ દાંતો હોવાથી વીજળી જેવા અને શબ્દ કરવા વડે મેઘગર્જનાનું ભાન કરાવતા હોવાથી ત્યાં પ્રત્યક્ષ પાઉસ (વર્ષા ઋતુ જણાતી હતી. ૧-૨ નાસિકામાંથી નીકળતાં જળ વડે કેસરની પચરકીનું ભાન કરાવનારા અને મોઢામાં નીકળતા ફીણ વડે અબીલનું ભાન કરાવનારા તેમ જ હષારવ વડે ધમાલનું ભાન કરાવનાર અશ્વો ત્યાં આનંદથી ખેલતા હતા. તેથી પ્રત્યક્ષ વસંત ઋતુ જણાતી હતી. ચંદરાજા રૂપ મૃગાંક (ચંદ્ર)ના મુખમાંથી વાણીરૂપે સુધા નીકળતી હતી, તેનું પ્રજા કર્ણરૂપ છીપ વડે પાન કરતી હતી અને તેથી સાચા મુક્તાફળો નીપજતા હતા તે શરદ ઋતુનું ભાન કરાવતાં હતાં. ૩-૪ નિરંતર નવા નવા ભટણા આવતાં હતાં તે જાણે મોઢા આગળ ધાન્યના ખળાં કરેલા ન હોય તેવા જણાતા હતા. તેથી પ્રત્યક્ષ હેમંત ઋતુ જણાતી હતી. ચંદરાજાના ભયરૂપ હિમથી જેના મુખકમળ સંકોચાઈ ગયા છે અને જેઓ ટાઢથી કંપે તેમ તેના ભયથી કંપે છે એવા અનેક રાજાઓ આવી આવીને ત્યાં નમે છે તે શિશિર ઋતુનું ભાન કરાવે છે. ૫-૬ ચંદરાજાનો ચસ * 207 Page #257 -------------------------------------------------------------------------- ________________ ચંદરાજાના શત્રુ રાજાઓને નગરમાં, ઘરમાં કે વનમાં કોઈ જગ્યાએ શાંતિ વળતી નથી તેથી તેઓને દુઃખથી પાર પમાય તેવી ગ્રીષ્મ ઋતુનું ભાન કરાવે છે. તેઓ ચંદરાજા પાસે આવી તેના પર છત્ર ધરી અંગરક્ષક થઈને રહે છે ત્યારે જ તેમને શાંતિ પ્રાપ્ત થાય છે. ૭-૮ આ પ્રમાણે ત્યાં સમકાળે છએ ઋતુનો નિવાસ દષ્ટિએ પડે છે. ઢાળ ૧૧મી (કર્મ પરીક્ષા કરણ કુંવર ચલ્યો – એ દેશી) અગિયારમી ઢાળના દુહાઓમાં છ ઋતુને રાજદરબારમાં સમકાળે પ્રવર્તતી જણાવ્યા બાદ અગિયારમી ઢાળમાં ખૂબ સુંદર રીતે રાજસભાનું વર્ણન કરી, તેમાં કેવી કેવી વિદ્વાન વ્યક્તિઓ હાજર રહેતી હતી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે રાસકારે ષદર્શનનું ટૂંકમાં પરંતુ સુંદર રીતે વર્ણન કર્યું છે. પર્દર્શનની સુંદર વ્યાખ્યા ટૂંકમાં, સરળ રીતે, સમજાય તેમ રજૂ કરી છે. ઢાળ : પંડિત પાંચસે પૂજિત પર્ષદા રે, સવિ સુરગુરુ પ્રતિરૂપ; અદ્ભુતવેત્તા ષટશાસ્ત્રના રે, ગુણથી રંજિત ભૂ. ૫.૧ સૌગત સાંખ્ય જૈન નૈયાયિકા રે, વૈશેષિક ચાર્વાક; નિજ નિજ યુક્તિ કરે ષદના રે, એક એકથી આર્વાક. ૫. ૨ શૂન્યપણે ચાકમતિ કહે રે, માને પ્રત્યક્ષ પ્રમાણ; વસ્તુ સકળ છે ક્ષણિક અનુમાનથી રે, એ સૌગતમતિ જણ. પં.૩ શબ્દપ્રમાણ પ્રમાણે વૈશેષિકા રે, સાંખ્ય શબ્દસનુમાન; પ્રકટાનુમાન શબ્દ ઉપમાનને રે, એ નૈયાયિક સાન ૫.૪ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણને રે, ભાખે જેન અનૂપ; કોઈ કહે એ કર્તાએ કર્યો રે, સુંદર જગત સરૂપ પંપ જગત એ જ્ઞાનમયિ કોઈક કહે રે, સ્વભાવન જાનિત કહે કોય; કોઈ કહે જગ શશકશૃંગોપમાં રે, વંધ્યાસુત સમ હોય પં.૬ ઘટ પર ઘટા ઈમ સહુકો ઘટે રે, અંધ ગયંદને ન્યાય; વ્યુત્પત્તિ શબ્દ તણી કરે શાબ્દિકા રે, ઉદર ભરણ ઉપાય ૫.૭ વેદોચ્ચાર કરે બહુ વેદિયા રે, કરતા કર આસ્ફાલ; સાહિત્ય પાઠ સાહિત્ય ઉચ્ચરે રે, પ્રશ્ન કરે ભૂપાલ પં.૮ કાવ્ય કરે વેત્તા અલંકારના રે, પુરે સમશયા સંઘ; વાંચે પુરાણ પૌરાણિક પરવડા રે, રામાયણ સંબંધ પં.૯ જળ અન્ન પય તરૂ ફળ દળ ફૂલના રે, ગુણ કહે જેઈ શાસ્ત્ર; નિપુણ આદાન નિદાન ચિકિત્સા વિષે રે, વૈદ્ય ઈસા બુદ્ધિપાત્ર ૫.૧૦ ઘનમૂળ વર્ગમૂળાદિક ગણિતનો રે, અતિ પરિચય છે જસ; જણે સમ છેદાદિક માનને રે, કરે પંચાંગ પ્રકાશ પં.૧૧ સાધે રવાધિક ગ્રહ ગગને થકા રે, વરને ગ્રહણ શશિ સૂર; જાણે 208 * જૈન રાસ વિમર્શ Page #258 -------------------------------------------------------------------------- ________________ ખગોળ ભૂગોળને રે, હૃદય સિદ્ધાંતે પુર પં.૧૨ નૃપદરબારે એવા જ્યોતિષી રે, જાણે નક્ષત્ર પ્રહાચાર, રંજ્યો તેહને ચંદન રેશરૂ રે, આપે ગરથ ભંડાર પં.૧૩ રૂપક છંદગીત તુક દૂકડા રે, કહે ઈમ વિવિધ બનાય; પિંગળપાઠી પામે ચંદનો રે, પગ પગ લાખ પસાય .૧૪ અર્થાતુ ચંદરાજાની સભામાં પાંચસો પંડિત કાયમ આવનારા છે, તેઓ બુદ્ધિ વડે સુરગુરુ જેવા છે, છ શાસ્ત્રને જાણે છે અને રાજા તેમના ગુણોથી રંજિત થયા કરે છે. તેઓ પરસ્પર કુશળતા પુરવાર કરવા માટે વાદવિવાદ કર્યા કરે છે. ઉપરાંત બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક, જૈન, વૈશેષિક અને ચાર્વાક એ છ દર્શનનાં પંડિતો સભામાં આવે છે. તેઓ યુક્તિ પ્રયુક્તિ વડે પોતાના દર્શનને શ્રેષ્ઠ પુરવાર કરવા પ્રયત્ન કરે છે. ચાર્વાક માત્ર પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે અને જગત બધું શૂન્ય કહે છે. સૌગત (બૌદ્ધ) સર્વ વસ્તુને ક્ષણિક માને છે. વૈશેષિક – શબ્દ પ્રમાણને જ પ્રમાણે કરે છે. સાંખ્ય – શબ્દ અને અનુમાન એ બે પ્રમાણ માને છે. નૈયાયિક – પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાન એ ચાર પ્રમાણ માને છે. જેન – પ્રત્યક્ષને અનુમાન પરોક્ષ) બે પ્રમાણ માને છે. કોઈ જગતને ઈશ્વરે બનાવ્યું છે તેમ માને છે, કોઈ બધું જ્ઞાનમય છે તેમ કહે છે તો કોઈ કહે છે બધું સ્વભાવથી થયેલું છે. કોઈ કહે છે આ જગત શશશૃંગ અથવા વંધ્યાપુત્ર વગેરેની જેમ ખોટું છે. ભ્રમરૂપ છે, આ પ્રમાણે અંધગજના ન્યાયે જેમ ફાવે તેમ કહ્યા કરે છે. વ્યાકરણીઓ શબ્દની વ્યુત્પતિઓ અનેક પ્રકારની કરીને સભાને રંજિત કરે છે. ૧-૭ - વેદિયાઓ વેદોચ્ચાર કરે છે. સાહિત્યશાસ્ત્રીઓ સાહિત્યની અપૂર્વ રચનાઓ બતાવી રાજાને પ્રસન્ન કરે છે. અલંકારશાસ્ત્રીઓ નવાંનવાં કાવ્યો બનાવી ચમત્કાર ઉપજાવે છે અને અનેક પ્રકારે સમસ્યાઓ પુરે છે. પૌરાણિકો રામાયણાદિકના પ્રબંધો સંભળાવે છે. વૈદકશાસ્ત્રના નિપુણ વૈદ્યો જળ, અન્ન, દૂધ, વૃક્ષ, ફળ, પત્ર, પુષ્પાદિકના ગુણોનું વર્ણન કરે છે, અને આદાન-નિદાનચિકિત્સા વગેરેમાં પોતે નિપુણ છે એમ બતાવી આપે છે. પંચાંગ પ્રવીણ જ્યોતિષીઓ ને ગણિતશાસ્ત્રીઓ ઘનમૂળ, વર્ગમૂળ આદિ ગણિતને પ્રકાશે છે, તેમ જ રવિ વગેરે ગ્રહોની વર્તના કહી આપે છે, ગ્રહણ વગેરેના વર્તારા ચંદરાજાનો રસ + 209 Page #259 -------------------------------------------------------------------------- ________________ કહે છે. ખગોળ-ભૂગોળના જાણનારા તે સંબંધી બાબતો પ્રકાશિત કરે છે. ગ્રહના અને નક્ષત્રાદિના ચારને જાણનારા અનેક પ્રકારની ભવિષ્યની વાતને પ્રકટ કરે છે. પીંગળપાઠી અનેક પ્રકારના રૂપક, ગીત, છંદ, પદ, દુહા વગેરે કહી ચંદરાજાને પ્રસન્ન કરે છે. ચંદરાજા એ સર્વને યથોચિત દાન આપી દાનેશ્વરી ગુણને પ્રદર્શિત કરે છે. આ રીતે ખૂબ સુંદર વર્ણન કરે છે જેમાં કર્તાની વિદ્વત્તા છાની રહેતી નથી. સરળ ભાષા, ઓછા શબ્દો છતાં સંપૂર્ણ રજૂઆતની રસાળ શૈલી વાચકોને જકડી રાખે છે એટલું જ નહિ રસભંગ થવા દેતી નથી. વળી આ બધાથી સામાન્ય જન અજાણ હોય તેને જ્ઞાન વધે છે, એટલું જ નહિ વધુ જાણવા માટે જિજ્ઞાસા પ્રકટ થાય છે. કર્તાના વિશાળ જ્ઞાનને પ્રદર્શિત કરતાં માત્ર એક જ ઢાળ નથી આવા તો કેટલાય ઉદાહરણ આપણને ઠેકઠેકાણે જોવા મળે છે. વૃદ્ધાવસ્થાનું વર્ણન કરતાં, તેની મહિમા ગાતા, તેની અનિવાર્યતાને બતાવનાર રાસકાર તે માનવને કઈ રીતે મદદરૂપ થાય છે તે બતાવતા કહે બાહ્ય પ્રકાશ જરા કરે, ભીતર ન કરતું કેમ; સ.રાજ્ય નરકદાયક સદા, ત્યાં કિમ મુક્યો એમ. સ. ૧૨ રે આતમ કરશે તુને, પરમાતમ ગુણ અંશ; સં. ગુણ એ જેય જરા તણા, કાગભણી કરે હંસ. સ.૧૩ કારિકા નિત્ય તણી જરા, આણા એહની અખંડ, સં.દત સખા રસના તણા, તસ દે પાતન દંડ સ.૧૪ અર્થાત્ આ જરા બાહ્યા પ્રકાશ (ઉજ્વળતા) કરે છે તો તું અંતરમાં પ્રકાશ કેમ કરતો નથી? રાજ્ય અંતે નરકને આપવાવાળું છે. એમાં સંદેહ નથી તો મૂંઝવણ શાની? પ્રકાશ કેમ કરતો નથી? જરાનો ઉપકાર માન કે પરમાત્માના ગુણનો અંશ પ્રકટ કરવામાં સહાયક બને છે. તે કાગડાને હંસ બનાવે છે. એની આજ્ઞા અખંડ પ્રવર્તે છે. જે આજ્ઞાને વશ થતાં નથી અને રસનેન્દ્રિયને વશ થઈ સંસારમાં જ પડ્યા રહે છે તેને એ સખત શિક્ષા કરે છે. એટલે કે રસનાના મિત્ર દાંતોને દંડ વડે પાડી નાખે છે. આ ઉપરાંત સિદ્ધાચલનું વર્ણન કરતી વેળાએ તેના ૧૦ જીર્ણોદ્ધાર કોના વડે થયા તે ખૂબ સુંદર રીતે દર્શાવી જૈન દર્શનનું, ઈતિહાસનું પોતાનું અપ્રતિમ જ્ઞાન પ્રગટ કરે છે. પ્રથમ ઉલ્લાસ, ઢાળ-૨૦) 210 * જૈન રાસ વિમર્શ Page #260 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉલ્લાસના આરંભના દુહાઓમાં સ્વમત-પરમત દર્શાવી તેનું ખૂબ સુંદર વર્ણન કર્યું. જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ; દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ. ૩ ભંગજાળ નર બાળમતિ, રચે વિવિધ આયાસ; તિહાં દર્શન દર્શન તણો, નહી નિદર્શનાભાસ. ૪ અર્થાત્ જે દર્શન આત્મસ્વરૂપના અનુભવ વિનાનું છે તે દર્શન (મત) વિરોધી મતવાળું છે અને જે દર્શનમાં આત્મસ્વરૂપના અનુભવરૂપ સમ્યગુદર્શન થાય છે તે જ દર્શન પ્રત્યક્ષદર્શન છે. અજ્ઞાનને આધીન બનેલો પુરુષ અનેક પ્રકારના પ્રયાસથી વચનોના ભંગજાળની રચના કરે છે. તેવા કપટવાળા મત-દર્શનથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. જે થાય છે તે દર્શન નથી પણ દર્શનાભાસ છે. ચતુર્થ ઉલ્લાસની ૩૨મી ઢાળ એટલે રાસને પૂર્ણતાના પંથે પહોંચાડનાર ઢાળ. આ ઢાળમાં ચંદરાજાએ સંયમ લઈને, સંયમનું સુંદર પાલન કરીને, મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવાનો આરંભ કર્યો તેનું સુંદર છતાં સહજ વર્ણન જેવા મળે છે જેમાં ઉપમા, રૂપક વગેરેનો ખૂબ જ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગાથાઓ પર નજર કરીએ તો ગુજરાતી ભાષાનો વૈભવ નજરે ચડ્યા વિના રહેતો નથી. આઠે પ્રવચન માતા કેરા, ખોળામાંહે ખેલે રે; સ0 ખંતિતણે ખડગે કરી સહિ, મોહ મહામદ ઠેલે છે. સ૦૩ અંતર સંવેગની તટિનીએ, પરમાનંદ ઝીલે હે; સ0 કાયા રથને સુવિધે આણ્યો, યોગપંથને ચીલે હે સ૮૪ જેન વિવેકશૈલીથી લીધી, અનુભવ રસની કુંચી હે; સ0 સુભગ સંતોષ તણા મંદિરમાં ક્ષાયિક ભાવને સ્પી હે. સ૦૫ પંચમેરૂસમ પંચમહાવ્રત અતુલબળે ઉપાડે છે; સ0 પંચકરણ પંચાનનની પરે, લાવે સંવર વાડે છે સ.O૬ પરિસહથી આતમગુણ પુષ્ટિ મુક્તિની પ્રાપ્તિ વિચારે છે; સ0 જિમ તાપહિક સહનથી કંચન, ભૂષણપણું નિરધારે છે. સ0૭ અર્થાત્ આઠ પ્રવચન માતાના ખોળામાં ખેલે છે, ક્ષમારૂપ ખગ વડે મોહરાજને પરાજય પમાડે છે. અંતરંગ સંવેગરૂપ નદીમાં પરમાનંદના ચંદજાનો ચસ *211 Page #261 -------------------------------------------------------------------------- ________________ સમૂહરૂપ આ આત્માને સ્નાન કરાવે છે. કાયારૂપી રથને રત્નત્રયીના યોગરૂપે સુપંથે ચલાવે છે. જૈનધર્મના વિવેકરૂપી પર્વતમાંથી અનુભવરૂપી રસકુંપિકા પ્રાપ્ત કરીને સૌભાગ્યવંતા સંતોષના મંદિરમાં રહેલા ક્ષાયિક ભાવને તે સોંપી દીધી છે. પાંચ મેર સમાન પાંચ મહાવ્રતને અતુલબળી થઈને ઉપાડે છે. પાંચે ઈંદ્રિયોરૂપ મૃગને સિંહની જેમ કબજે કરી સંવરરૂપ વાડામાં રૂંધે છે. પરિષહોને સમભાવે સહન કરે છે અને તેના વડે જ આત્મગુણની પુષ્ટિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ માને છે. જેમ અગ્નિતાપાદિક સહન કરવાથી સુવર્ણ ખરા કંચનપણાને કે આભૂષણપણાને પામે છે. ૨-૭ ઉપસંહાર: તપગચ્છના નાયક શ્રી વિજયસેનસૂરિ થયા જે અકબર પ્રતિબોધક હતા. તેમના શિષ્ય કીર્તિવિજય, તેમના માનવિજય, તેમના રૂપવિજયજીના શિષ્ય પંડિત મોહનવિજયજીએ આ રાસ સં. ૧૭૮૩ના પોષ વદ પાંચમના દિવસે, શનિવારે રાજનગર (અમદાવાદ)માં આ પૂર્ણ કર્યો છે. રાસના પ્રકારની રચનાઓના મુખ્ય પાંચ વર્ગ પાડી શકાય છે. ધાર્મિક કથાત્મક, ચરિતકથાત્મક, તીર્થાત્મક, ઉપદેશાત્મક અને પ્રકીર્ણ. આમાં શ્રી ચંદરાજાનો રાસ ઐતિહાસિક ચરિતકથાત્મક વર્ગમાં આવી શકે. જુદાજુદા સુંદર ગાઈ શકાય તેવી ઢાળોમાં ચાર ઉલ્લાસમાં આ રાસની રચના કરવામાં આવી છે. તત્કાલીન ઐતિહાસિક, ધાર્મિક તેમ જ ભૌગોલિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ આ રાસમાં સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે. રાસનું મુખ્ય પ્રયોજન છે જૈનધર્મનો ઉપદેશ અને તેમાંયે શિયળ ધર્મનું પાલન. આ મુખ્ય બાબતને ખૂબ સરળ રીતે છતાં ઉપમા અને રૂપક જેવા આભૂષણોથી મઢીને લોકભોગ્ય બનાવવામાં આવી છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો જેવા કે સરળતા, માયા-કપટથી વિરમવું. કર્મનું સ્વરૂપ, કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો જ નથી પછી ચાહે તે ગમે તેવો રાજા પણ કેમ ન હોય? વગર વિચાર્યું કાર્ય કરવાથી આવતી મુશ્કેલીઓ જેવી બાબતોને ખૂબ સુંદર રીતે વણી લેવાઈ છે. આ ઉપરાંત ઐતિહાસિક, ધાર્મિક, ભૌગોલિક બાબતો સંબંધી જે જે વાતો રચનામાં વણી લેવાઈ છે તે કર્તાનું વિશાળ જ્ઞાન, વિદ્વત્તા તથા જાણપણાની સાક્ષી પૂરે છે. આ ઉપરાંત દાનધર્મનો મહિમા પણ ખૂબ રૂડી રીતે વર્ણવવામાં આવ્યો છે. 212 * જૈન રાસ વિમર્શ Page #262 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપ, મહાવિદેહક્ષેત્ર, સિદ્ધાચલ, સમેતશિખર, આબુ, વૈભાગિરિ વગેરે તીર્થોનું તેમ જ તેના મહત્ત્વનું વર્ણન ક૨વામાં આવ્યું છે તે થોડા શબ્દોમાં પણ સંપૂર્ણ શબ્દચિત્ર આલેખે છે. સંસારમાં રહેતા વ્યક્તિઓના આત્મકલ્યાણને માટે ધર્મ, ધર્મનું સ્વરૂપ, સમકિત, સમકિત સ્વરૂપ, સ્વમતપરમત દર્શન, પાંચ મહાવ્રત, પાંચ ઈંદ્રિયોનો સંયમ અને મોક્ષમાર્ગના ચૌદ સોપાનનું ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આમ વિદ્વાન કર્તાએ જૈન ધાર્મિક અને દાર્શનિક સિદ્ધાંતોને ગેય પદો દ્વારા સરળ બનાવીને સુંદર રજૂઆત કરી છે. સામાન્ય માનવ પણ તેને સરળતાથી હૃદયંગમ બનાવી શકે છે. આથી કવિએ જે ઉદ્દેશ માટે રચના કરી છે તે સંપૂર્ણ રીતે ફળીભૂત થતી જોઈ શકાય છે. ચંદરાજાનો ાસ * 213 Page #263 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર નવરસો (ઉદયરત્નજીકૃત) ડૉ. કાન્તિભાઈ બી. શાહ જેને આપણે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે સાહિત્ય ૧૨મી શતકથી ૧૯મી શતકના પૂર્વાર્ધ સુધીના સમયપર પથરાયેલું છે. હસ્તલિખિત કે કંઠસ્થ સ્વરૂપ, બહુધા પદ્યનું માધ્યમ, મુખ્યતા ધાર્મિક-સાંપ્રદાયિક સંદર્ભ છતાં અન્ય જીવનરસો પ્રત્યે પણ એની જળવાયેલી અભિજ્ઞતા, વિશિષ્ટ ભાષાભિવ્યક્તિ અને રચનારીતિ આ બધી લાક્ષણિકતાઓ ધરાવતું આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણી ભારતીય સંસ્કૃતિનો એક અતિ મૂલ્યવાન વારસો છે. મધ્યકાળના આ ગુજરાતી સાહિત્યસર્જકોમાં લગભગ પોણા ભાગના સર્જકો તો જૈન સાધુકવિનો છે. એ ગાળામાં જે દીર્ઘ-લઘુ પદ્યાત્મક સ્વરૂપો ખેડાયાં અને વિકસ્યાં છે તેમાં મુખ્યત્વે રાસા અને ફાગુ એ જેન કવિઓને હાથે વિકસેલા સાહિત્યસ્વરૂપો છે. આ ઉપરાંત બારમાસા, પૂજા, વિવાહલો, વેલી, સ્તવન, સઝાય, ચૈત્યવંદન, ઘોર, હરિયાળી, ગફૂલી જેવાં કાવ્યસ્વરૂપોનું પણ વિપુલ સાહિત્ય સર્જન આ જૈન કવિઓને હાથે થયું છે પણ એ સૌમાં સૌથી મોટા ભાગની જગા તો રાસાસાહિત્ય સ્વરૂપ દીર્ઘ કથનાત્મક પદ્યસાહિત્ય રોકીને બેઠું છે. જેનોના આગમ-આગમેતર ગ્રંથોનો કથાનુયોગ એ એનો મુખ્ય આધારસ્ત્રોત છે. | તીર્થકરો, ગણધરો, ચક્રવર્તીઓ, સાધુ મહાત્માઓ, રાજાઓ, શ્રેષ્ઠીઓ, સતીનારીઓના ધર્મગ્રંથોમાં જે ચરિત્રકથાનકો નિરૂપિત થયાં છે તેનો આધાર લઈને પછી પ્રાકૃત-અપભ્રંશ-જૂની ગુજરાતીમાં પ્રચુરમાત્રામાં કથનાત્મક સાહિત્ય સર્જાયું છે. જૈન સમુદાયમાં જેમ બાવીસમા તીર્થંકર નેમિનાથ અને રાજુલનું કથાનક વધુ ધ્યાનાકર્ષક બન્યું છે એ રીતે સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક પણ વિશેષ લોકપ્રિય બન્યું છે. મધ્યકાળના નાનાં-મોટાં પદ્યસ્વરૂપો ધરાવતી અસંખ્ય કૃતિઓમાં સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક આલેખિત થયું છે જેમ કે સ્થૂલિભદ્ર રાસ, યૂકવિત, સ્થૂછંદ, સ્કૂચોપાઈ, યૂઅવયુરિ, ધૂફાગુ, ઘૂ 214 જૈન રાસ વિમર્શ Page #264 -------------------------------------------------------------------------- ________________ મોહનવેલિ, સ્ફૂરસવેલિ, સ્થૂશિયાળવેલ, સ્થૂનવરસો, સ્થૂબારમાસા, સ્થૂએકવીસો, સ્થૂઅઠાવીસો, સ્થૂબાસટીઓ, સ્થૂચંદ્રાયણિ, સ્યૂસાય, સ્થૂદુહાગીત, સ્થૂકક્કાવળી, થૂકોશા સંવાદ, સ્થૂલાવણી, (તથા ગદ્યમાં સ્થૂ ચિરત્ર બાલાવબોધ) આમ કોઈ મધ્યકાલીન જૈન પદ્યસ્વરૂપ એવું નથી જે સ્થૂલિભદ્ર-કોશાના વિષયોને સ્પર્ધું ન હોય. અહીં મારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક નોંધપાત્ર જૈન સાધુકવિ શ્રી ઉદયરત્નજીની સ્થૂલિભદ્ર નવ૨સો કૃતિ જે સ્થૂલિભદ્ર રાસ અથવા ‘સ્થૂલિભદ્રસંવાદ’ને નામે પણ ઓળખાવાઈ છે એને વિશે વાત કરવાની છે. ઉદયરત્નજી ઉપરાંત જ્ઞાનસાગરજીએ ‘સ્થૂલિભદ્ર નવ૨સ-ગીતની રચના કરી છે તો દીપવિજયજીએ ‘સ્થૂલિભદ્ર નવ૨સ-દુહા’માં નવરસોના ગેય કથાનકને દુહા છંદમાં નિરૂપ્યું છે. આ બન્ને કૃતિનો કેટલોક તુલનાત્મક પરિચય પણ પ્રસ્તુત કૃતિની સાથે અહીં કરીશું. કર્તા ઉદયરત્નજી : આ જૈન સાધુકવિનાં જન્મ અને સ્વર્ગારોહણનાં વર્ષો અનુપલબ્ધ છે પરંતુ એમની કૃતિઓનાં ઉપલબ્ધ રચનાવર્ષાને આધારે એમનો કવનકાળ તેમ જ જીવનકાળ નિશ્ચિત કરી શકાય છે. એમની રચનાઓમાં સૌથી વહેલું રચ્ચાવર્ષ ધરાવતી કૃતિ જંબુસ્વામી રાસ છે. એનું રચનાવર્ષ સં. ૧૭૪૯ છે. જ્યારે છેલ્લું રચના વર્ષ ધરાવતી કૃતિ હિરવંશરાસ અથવા રસરત્નાકર રાસનું સર્જન સંવત ૧૭૯૯માં છે. આમ વિક્રમના ૧૮મા સદીના પૂર્વાર્ધના વચગાળેથી લઈને સદીના અંત સુધીના એમનો જીવનકાળ સ્થાપિત કરી શકાય છે. ઉદયરત્નજી તપાગચ્છના વિજ્યરાજસૂરિની પરંપરામાં શિવરત્નજીના શિષ્ય હતાં. પ્રાગ્ધાટ ઇતિહાસ'માં જણાવ્યા પ્રમાણે તેમ જ હંસરત્નજી વિશેની પ્રાપ્ત સજ્ઝાયને આધારે કહી શકાય છે. હંસરત્નજી અને ઉદયરત્નજી બન્ને ભાઈઓ જેમાં ઉદયરત્નજી નાના ભાઈ. માતાપિતાના નામ અનુક્રમે માનબાઈ અને વર્ધમાન. કવિ પોરવાડ જ્ઞાતિના હતા અને એમનો સ્વર્ગવાસ મિયાંગામમાં થયો હતો. ખેડા અને આસપાસના પ્રદેશમાં ઉદયરત્નજીનો ઘણો પ્રભાવ હતો. ત્રણ નદીઓ વચ્ચેના બેટ પ્રદેશમાં ભાવસારનાં ૫૦૦ કુટુંબોએ તેમ જ સોજિત્રાનાં કેટલાંક પટેલકુટુંબોએ કવિના પ્રભાવથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. એમની સત્પ્રેરણાથી ખેડાના એક સગૃહસ્થે શ્રી શંખેશ્વર તીર્થનો સંઘ સ્થૂલિભદ્ર નવરસો * 215 Page #265 -------------------------------------------------------------------------- ________________ કાઢેલો. સંઘનો શંખેશ્વર મુકામે પહોંચવામાં વિલંબ થયો. પૂજારીએ ગામના ઠાકોરની કડકાઈને કારણે દ્વાર ખોલવાનો ઈન્કાર કર્યો. કહેવાય છે કે ઉદયરત્નજીએ પાસ શંખેશ્વરા, સાર કર સેવકો, દેવ કાં એવડી વાર લાગે. એ સ્તુતિ ગાઈ અને દેવળનાં દ્વાર ખૂલી ગયાં. પણ આ કવિનો મહિમા કેવળ આવી કોઈ ચમત્કારિક ઘટનાને કારણે જ નથી. એમણે જે વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે એને કારણે જૂની ગુજરાતી જૈન સાહિત્યમાં એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. કડવા ફળ છે. કોધનાં, જ્ઞાની એમ બોલે કે “રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે' જેવી સક્ઝાયો તેમ જ “આંખડિયે રે મેં આજ શત્રુંજય દીઠો રે, શંત્રુજા ગઢના વાસી રે મુજશે માનજે રે, તે દિન ક્યારે આવશે. શ્રી સિદ્ધાચલ જાશું જેવાં સ્થળનો લાખો જૈનોને મુખે આજે પણ ગવાતાં રહ્યાં છે. ઉદયરત્નજીએ સ્તવન-સઝાય-ચૈત્યવંદન-થોય-ચોવીશી-સલોકો-છંદબારબાસ જેવી લઘુસ્વરૂપી રચનાઓ ઉપરાંત લગભગ વીસેક રાસાઓ લખ્યા છે. રાસાઓમાં વિષયવૈવિધ્યનો વ્યાપ આપણું ધ્યાન ખેંચે છે. નેમનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થકરો, ઋષભપુત્રો ભરત-બાહુબલિ, જંબૂસ્વામી અને યૂલિભદ્ર જેવા મહાત્માઓ, સુદર્શન શ્રેષ્ઠી મલયસુંદરી-ગુણમંજરી જેવી શીલવતી નારીઓ, શત્રુંજય આદિ તીર્થો અને એમના જીર્ણોદ્ધારો હરિવંશ રાસ જેવી રચનામાં મહાભારત અંતર્ગત પાંડવાદિનું કથાનક, વિમલ જેવા મંત્રી ઐતિહાસિક વ્યક્તિવિશેષ આ સધળા વિષયવસ્તુનો કવિના રાસાસાહિત્યમાં સમાવેશ થયો છે. આવા વિપુલ સાહિત્યના સર્જકે સ્થૂલિભદ્ર નવરસોની જે રચના કરી છે. એની સાથે પણ એમના જીવનની એક કિવદન્તિ સંકળાયેલ છે. કહેવાય છે કે આ કૃતિમાં નિરૂપિત શૃંગારરસને લઈને એમના આચાર્યે ઉદયરત્નજીને સંઘાડા બહાર કરેલા પણ પછી એમણે શિયાળની નવ વાડની રચના કરતાં એમનો સંઘાડામાં પુનઃપ્રવેશ થયો. જોકે આ માત્ર લોકવાયક જ જણાય છે. આ ઘટનાને કોઈ લખાણનો આધાર નથી. જેનપરંપરામાં શૃંગારરસનું નિરૂપણ ઉદયરત્નજી અગાઉ અનેક જૈન સાધુકવિઓએ અનેક કૃતિઓમાં વિસ્તારથી ને ઉત્કટતાથી કરેલું જ છે. દા.ત, જયવંતસૂરિનું શૃંગારમંજરી' કે સહસજસુંદરનું “ગુણરત્નાકરછંદ જૈનપરંપરામાં સ્થૂલિભદ્ર-કોશાના વિષય નિરૂપણનું પ્રયોજન કામવિજય તેમ જ શીલ-વૈરાગ્યનો મહિમા દર્શાવવાનું 216 જૈન રાસ વિમર્શ Page #266 -------------------------------------------------------------------------- ________________ જ રહ્યું છે. એટલે અહીં પણ “નવરસોનું અંતિમ લક્ષ્ય તો વૈરાગ્યભિમુખતા જ છે. જે કવિ એક કૃતિમાં આસક્તિના ભાવ નિરૂપી શકે છે એ કવિ અન્યત્ર વિરકિતના ભાવ પણ કેવા નિરૂપી શકે છે એની તીવ્રતા દર્શાવવા માટે કવિની બને કૃતિઓનો આધાર લઈને આવી લોકવાયકા પ્રચલિત થઈ હોય. સ્થૂલિભદ્રજી એ જિનશાસનનું એક વિરલ વ્યક્તિત્વ છે. આપણે જે માંગલિક સાંભળીએ છીએ – મંગલે, ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્થૂલિભદ્રાદ્યા, જિનધર્મોડસ્તુ મંગલમ્' એમાં પણ સ્થૂલિભદ્રનું સ્મરણ કરવામાં આવે છે. આગળ ઉલ્લેખ કર્યો તેમ, મધ્યકાળમાં સ્થૂલિભદ્ર કોશાને વિષય બનાવીને વિપુલ સાહિત્ય સર્જાયું છે. અને એનો આધારસ્ત્રોત છે. આગમ-આગમેતર ધર્મગ્રંથો જેવા કે ઉત્તરાધ્યનસૂત્ર, ઉપદેશમાલા, શીલોપદેશમાલા, યોગશાસ્ત્ર, ભરતેશ્વરબાહુબલિવૃત્તિ, ઉપદેશ પ્રસાદ વ. શ્રી સિદ્ધાર્થસૂરિએ ‘ઉપદેશમાલા' પરની સંસ્કૃત ટીકામાં લખ્યું છે કે, ગિરી ગુહામાં વિજને વનાન્તરે, વાસં શ્રવંતો વશિનઃ સહસ્રશ; હમૅતિ રમ્ય યુવતી જનાન્તિકે વશી સઃ એક શકહાલનંદન” પર્વતમાં, ગુહામાં, એકાંતમાં અને વનમાં ઇન્દ્રિયોને વશ રાખનારા હજારો છે, પણ અતિરમ્ય હવેલીમાં અને નારીના સાનિધ્યમાં રહીને ઇન્દ્રિયોને વશ રાખનાર તો એક શકડાલપુત્ર (સ્થૂલિભદ્ર) જ છે.) સ્થૂલિભદ્ર નવરસો : ઉદયરત્નજીએ આ રાસની રચના સં. ૧૭૫૯ ને માગશર સુદ ૧૧ના રોજ ઊના મુકામે કરી હતી. આ કૃતિનું અપરનામ “સ્થૂલિભદ્ર સંવાદ' છે એ આ કૃતિની રચનારીતિનું નિર્દેશક છે. ૯ ઢાળમાં રચાયેલી આ કૃતિનું કથાનક મુખ્યતયા યૂલિભદ્ર અને કોશાના સંવાદરૂપે ગતિ કરે છે. કૃતિનો આરંભ આઠ દુહાથી કરાયો છે. ઢાળોમાં કથાનક જે બિંદુએથી શરૂ કરવું છે તે અગાઉની સ્થૂલિભદ્રના જીવનની એક સંક્ષિપ્ત ભૂમિકા કવિ આ દુહાઓમાં બાંધે છે. પ્રારંભે મહાવીર પ્રભુને નમસ્કાર છે. પછી પાટલિપુત્રનરેશ નંદરાજાના મંત્રી તરીકે પિતા શકવાલ, માતા લાછલદે, સાત બહેનો, ભાઈ શ્રીયહ સમેતનો કુટુંબપરિચય, કોશા પ્રત્યેની આસક્તિમાં સ્થૂલિભદ્ર નવરસો *217 Page #267 -------------------------------------------------------------------------- ________________ એને ત્યાં જ રહીને સ્થૂલિભદ્રે વિતાવેલાં બાર વર્ષ, વરરુચિ બ્રાહ્મણની ઈર્ષ્યાને નિમિત્તે નંદરાજાની શંકાશીલતા, પિતાની હત્યા, મંત્રીપદ માટે રાજ્યનું તેડું અને રાજને મળવા જવા માટે પ્રેમિકા કોશાની માગેલી આજ્ઞા – આ ભૂમિકા દુહાઓમાં આલેખાઈ છે. કવિએ ઢાળોમાં રચનાપદ્ધતિ એવી પ્રયોજી છે કે આખી ઢાળ પાત્રસંવાદ રૂપે અને છેલ્લી કડી કવિમુખે કથિત થાય. પ્રથમ ઢાળમાં સ્થૂલિભદ્ર નંદરાજા પાસે જવા માગેલી આજ્ઞાના પ્રત્યુત્તરરૂપે કોશાના ભાવવાહી ઉદ્ગારોનું આલેખન છે. પોતે સ્થૂલિભદ્રને જાળાની સોગંદ ખવડાવીને ના પાડે છે. આલેખન છે પોતે ક્ષણ માટે પણ અળગી થવા માગતી નથી. કેમ કે એને મન યૂલિભદ્ર આ નગરીમાંથી સાંપડેલું અમૂલ્ય રત્ન છે. જે એને જવું જ હોય તો પોતાને પણ સાથે તેડી જવા વીનવે છે. છેલ્લી કડીમાં કવિકથન છે. સ્થૂલિભદ્ર નંદરાજાને મળ્યા. મથામણને અંતે એમણે સંયમ સ્વીકાર કર્યો. બીજી ઢાળમાં સમય ચોમાસાની ઋતુનો – આષાઢ માસનો. અહીં સ્થૂલિભદ્રના ગયા પછી વિરહવેદના અનુભવતી કોશાના ઉદ્ગારો છે. એ કહે છે, “વિરહરૂપી ભુજંગ મને ડંખ્યો છે અને એનું વિષ તનમનમાં વ્યાપી વળ્યું છે. એનાથી ફૂલ સમી કોમળ કાયા દાઝી રહી છે. શકટાલસુત સિવાય કોઈ આ વિષ ઉતારી શકે એમ નથી.” અહીં વર્ષોવર્ણન પણ કોશાના ઉદ્દગાર રૂપે નિરૂપાયું છે. જેમ કે – વેરીની પરે એ વરસાવો, મુજ આવી લાગ્યો આડો રે.” છેલ્લી કડીમાં સંભૂતિવિજય ગુરુ પાસે પ્રથમ ચાતુર્માસનો આદેશ લઈને સ્થૂલિભદ્ર કોશાના રંગભવનમાં આવે છે. કોશા પરત આવેલા પ્રીતમને મોતીડે વધાવે છે. બીજી ઢાળ વિરહોગારની હતી, તો ત્રીજી ઢાળ મિલનના આનંદોદ્ગારની છે. “અંતે પ્રાણનાથ પધાર્યા. શું આ સ્વપ્ન તો નથી ને? આજે મારા સુખમાં કોઈ ઊણપ રહી નથી.” સ્થૂલિભદ્ર કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ સ્થિરતા કરી. ચોથી ઢાળમાં ચૂલિભદ્રનો જોગીવેશ જોઈને કોશા ગાન-નર્તન દ્વારા એમને આકર્ષવા પ્રયત્નશીલ બને છે. પ્રેમીને ઉપાલંભ આપતાં એ કહે છે, 218 * જૈન રાસ વિમર્શ Page #268 -------------------------------------------------------------------------- ________________ સાચો જોગી તો જંગલ સેવે અને તો જ જોગીનો જોગ જળવાય. અહીં તો છે ગીત-સંગીત-નૃત્ય-ઝાંઝરના ઝમકાર ને મુખનાં મરકલડાં. એના ફંદમાં કોણ ન પડે?” પણ કોશાનાં કોઈ ઈંગિતો કામિયાબ થયાં નહીં. સ્થૂલિભદ્ર અવિચલિત રહ્યા. પાંચમી ઢાળમાં ચોથીનું જ સાતત્ય છે. કોશાની વસ્ત્રાલંકાર, વેશભૂષા અંગચેષ્ટા, ગાનવાહન બધું જ નિષ્ફળ. જળમાં કમળની જેમ સ્થૂલિભદ્ર કોરા જ રહ્યા. છઠ્ઠી ઢાળમાં હવે સ્થલિભદ્રનો કોશા પ્રતિનો સંબંધ આરંભાય છે. તેઓ કહે છે, મને ચલિત કરવાના તારા પ્રયાસો નિરર્થક છે. સંયમમાર્ગેથી હું ચળનાર નથી. મારું સગપણ શીલ સાથેનું છે. ચંદ્ર અંગાર વરસે, સમુદ્ર મર્યાદા મૂકે, પવનથી કનકાચળ ડગે, નક્ષત્ર માર્ગ ચૂકે તોપણ હું તારે વશ થનાર નથી.” સાતમી ઢાળ કોશાના પ્રત્યુત્તર રૂપે છે. “બાર બાર વર્ષની બંધાયેલી પ્રીતિનો આપેલો કોલ તમે તોડી રહ્યા છે. એક સમયે મને મસ્તકે બેસાડી, હવે મૂળમાંથી તરછોડો છો.’ નાગર કોમને ઉપાલંભ આપતાં કહે છે, “જે મોઢેથી મીઠું મીઠું બોલે ને કાળજે કપટ રાખે.” આઠમી ઢાળમાં સ્થૂલિભદ્ર કોશાને કહે છે હું સંયમનારીને વર્યો છું. એ કામણગારી સંયમનારી મારો સંગ ત્યજતી નથી. એ મને તારાથી અળગી રાખે છે. તે મારી ચોકી કરે છે. મુહપત્તિ, માળા ને ઓઘો મારી રક્ષા કરે છે. ચોરનું જોર ત્યાં સુધી જ હોય જ્યાં સુધી માલિક નિદ્રામાં હોય ને જાગે નહીં.” સ્થૂલિભદ્રનાં આ મર્માળાં વચનોથી પ્રતિબોધિત કોશા સમકિતને પામી. નવમી ઢાળ સ્થૂલિભદ્ર પ્રત્યે કોશાની કતજ્ઞતાની છે એ નિમિત્તે એ નિમિત્તે છેલ્લી ઢાળ સ્થૂલિભદ્રનું પ્રશસ્તિગાન બને છે. સ્થૂલિભદ્રનાં વચનોથી પ્રતિબોધિત થયેલી કોશાએ બાર વ્રતો સ્વીકાર્યા. પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તે કહે છે સ્થૂલિભદ્રનાં માતાપિતા ગૌતમ ગોત્ર નાગરીન્યાત સાતબહેનો શ્રાવક બંધુ, ગુરુ સૌ સ્થૂલિભદ્રના ધર્મવિચારથી ધન્ય બન્યા છે ને મારો જન્મારો પણ ધન્ય બન્યો છે પછી સ્થૂલિભદ્ર ચાતુર્માસ પૂર્ણ કરીને ગુરુ સંભૂતિવિજય પાસે પહોંચ્યા ગુરુએ દુષ્કર કહીને એમને સત્કાર્ય કવિ કહે છે. ચોર્યાસી ચોવીશી સુધી સ્થૂલિભદ્ર નવરસો *219 Page #269 -------------------------------------------------------------------------- ________________ આવા ધૂલિભદ્રજીનું નામ ગવાતું રહેશે. રચનારીતિ અને કાવ્યત્યકતા : કૃિતિની નવ ઢાળોનું કથાસંયોજન મુખ્યત્વે પરસ્પર સંવાદ રૂપે થયું છે. ઢાળની અંતિમ કડીમાં કથનનો દોર કવિમુખે ગતિ કરે છે. સંવાદોની ભાષાનાં બે રૂપો જોવા મળે છે. ક્યાંક ભાષા બોલચાલની અત્યંત ઘરાળુ બની છે તો જ્યાં ખાસ કરીને વર્ણનો આવે છે ત્યાં ભાષા સાલંકૃત બની છે. આ વર્ણનો પણ પાત્રોદ્ગાર રૂપે રજૂ થયાં હોઈ પાત્રના હૃદયભાવોમાં ઝબકોળાયેલાં છે. સંવાદમાં બોલચાલની ઘરાળુ ભાષાનાં કેટલાંક ઉદાહરણો જુઓ કોશાના ઉદ્ગારો, ‘તમને મારા બાપના સમ જવા નહિ દઉં રે “તમને તલપાપડ થયું મળવા’ ‘જે તે ફરમાવશે તે માથે ચઢાવી લેશું, ‘લોહી રેવું રે, નહિ મેલું છેડો રે, મેરને માથે ચડાવી રે, “નારી રે, રાઈનો પહાડ વહી ગયો રાતે', બેસી રહો મન વાળી રે, કછોટો વાળ્યો સૂધી, તારો છોડ્યો નહિ છૂટે રે કોશા ક્વચિત્ ઉપાલંભની ભાષા પણ પ્રયોજે છે જેમ કે, નાગર સહી તે નિર્દય હોવે મુખથી મીઠું બોલે રે, કાળજા માહેથી કપટ ન છંડે તે મેં પ્રત્યક્ષ દીઠું રે. વર્ણનોમાં મુખ્યત્વે વર્ષોવર્ણન કોશાનાં નૃત્યસંગીત અને વેશભૂષાનાં વર્ણનોમાં મુખ્યત્વે પાત્રોદ્ગાર રૂપે આવે છે. વિરહ કે મિલનના શૃંગારનિરૂપણમાં તે ઉદ્દીપન વિભાવનું કામ કરે છે. વર્ષાને વર્ણવતાં કોશા કહે છે, ઝરમર મેહલો વરસે ખલહલ વોંકલા વાજે રે. બપેપડો પિયુ પિયુ પોકારે તિમ તિમ દિલડું દાઝ રે. આ પંક્તિઓ આપણને જિનપદ્મસૂરિના જણીતા સ્થૂલિભદ્રસાગમાંની પંકિતઓનું સ્મરણ કરાવે છે, ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ એ મહા વરસંતિ ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ થરહર થરહર થરહર એ વિરહિણીમણું કંપાઈ 220 * જૈન રાસ વિમર્શ Page #270 -------------------------------------------------------------------------- ________________ નૃત્યસંગીતનું વર્ણન – ઠમક ઠમક પાય વિછુઆ ઠમકે રમઝુમ ઘુઘરી વાગે રે ઝાંઝરડાના ઝમહારામાં વ્રત સઘળાં ઈમ ભોજે રે વેશભૂષાવર્ણન – ઝળહળ કાને ઝાલ ઝબૂકે હરીએ સાળુ અતિ દીપે રે કેટલાક અલંકાર જુઓ - મુંને ડંખ્યો વિરહભુજંગ કોઈ ઉતારો રે (રૂપક) મારી ફ્લ સમી દેહડી દાધી રે જલ માંહે રહે જિમ કોરું (ઉપમા) પ્રાણનાથનાં પગલાં થાતાં આંગણું નાચવા લાગ્યું રે મંદિર હસીને સામું આવે રે સજીવારોપણ) આજ મારે આંગણે આંબો મોર્યો આજ મારે ઘેર ગંગા આવી (અન્યોકિત). સો બાળક જે સામટા રૂ તો પાવઈ ન ચડે પાનો રે તેમ જ (દષ્ટાંત) કામવિજયની વાત કવિ યુદ્ધની પરિભાષામાં કરે છે. જાલીમ મયણને જેર કરીને જીત નિશાન બજયા રે તો વળી સંયમસ્વીકારની વાત કવિ પરિણયની પરિભાષામાં કરે છે. “મેં પરણી સંજમ નારી રે. સહેજ તુજ શું વાત કરું તો ચડશે તેહને રે, તલવારની ધાર પર રાખે પણ લાખિણો લટકો રે. કૃતિને નવરસો સંજ્ઞા અપાઈ છે પણ અહીં નવે રસોની કોઈ ઉત્કટ રસનિષ્પત્તિ કે કાવ્યચમત્કૃતિ વરતાતી નથી. જ્ઞાનસાગરજીકૃત યૂલિભદ્ર નવરસ-ગીત : આ કૃતિના કવિ અંચલગચ્છની પરંપરામાં માણિક્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરજી છે એમનો કવન કાળ વિક્રમની ૧૮ મી સદીના પૂર્વાર્ધનો છે. ન્યાનસાગરને નામે પણ તેઓની ઓળખ મળે છે એમનો આરંભ સ્થૂલિભદ્રને રાજ્યનું તેડું આવે ને કોશા એમને ન જવા વીનવે તે પ્રસંગથી થાય છે જ્યારે આ કૃતિમાં સંયમ સ્વીકાર કરીને ચાતુર્માસ માટે આવેલા સ્થૂલિભદ્રને કોશા ચિત્રશાળામાં વસવા પ્રણયભીનું ઈજન આપે છે તે પ્રસંગથી થાય છે. સ્થૂલિભદ્ર નવરસો +221 Page #271 -------------------------------------------------------------------------- ________________ બીજા ગીતમાં સ્થૂલિભદ્રના તપ સંયમથી અકળાઈને કોશા સખી સમક્ષ પોતાની વેદના રજૂ કરે છે. ત્રીજા ગીતમાં કાઉસ્સગ્નમાં રહેલા ધૂલિભદ્રને પોતાના ઉપર કરુણા કરવા કોશા વીનવે છે ચોથામાં સ્થૂલિભદ્રને કોશાને વિષયવિહાર ત્યજવા ઉપદેશે છે. પાંચમા ગીતમાં શૃંગારસજ્જ કોશાને કવિએ મદનયુદ્ધના યોદ્ધા તરીકે વર્ણવી છે. ભૂકુટિના ધનુષ્ય પર નયનકટાક્ષના બાણ દ્વારા ને વેણી (કેશગુંફન)ની તલવાર વડે સ્થૂલિભદ્રને જીતવા માગે છે પણ સ્થૂલિભદ્ર કહે છે કે મારા અઢારસહસ્ત્ર શીલાંગ રથ આગળ તારું શૃંગારક્ટક તણખલાની તોલે છે છઠ્ઠા ગીતમાં પ્રત્યુત્તર રૂપે કોશા કહે છે જે સુખ અહીં છે તે મુક્તિમાં નથી માટે સંયમવેશ ત્યજી દો. સાતમામાં કોશા સ્થૂલિભદ્રના જુગુપ્સાભર્યા વરવા જોગીરૂપને વખોડે છે મેલો વેશ, મુંડાવેલું મસ્તક હાથમાં ભિક્ષાપાત્ર અને ડાંડો આ બધું જોઈને તો નાનાં બાળ રડે ને ગાય ભેંસ ભડકે આવો વેશ ઉતારી મનગમતા પાઘ વાઘા પરિધાન કરો. આઠમા ગીતમાં કોશા સખીને કહે છે મારાં અદ્ભત ગાન ધ્વનિથી હું એમના તપને ભુલાવી દઈશ. જે એહને તપે ઈન્દ્રાસન ડોલે મુઝ નયણબાણે તપ ભૂલે રે, પણ માહરી ચાલે સભા ચૂકે શેષનાગ મહી મૂકે છે. પણ કોશાની હઠ નિષ્ફળ જ રહી. નવમું છેલ્લું ગીત શાંતરસનું છે અહીં પ્રતિબોધિત થયેલી કોશાનું હૃદયપરિવર્તન છે. કોશા મન વચન કાયાથી સ્થૂલિભદ્રને ખમાવે છે. મિચ્છામિદુક્કડમ્ કહે છે. સ્થૂલિભદ્ર ગુરુજી પાસે આવ્યા છે અને પ્રત્યેક ગીતના અંતે જુદાજુદા રસનાં નામ આપ્યાં છે. આમ નવ ઢાળમાં નવ રસનો ઉલ્લેખ થયો છે. દિપવિજયજીકૃત યૂલિભદ્ર નવરસ દુહા : આ કવિ તપાગચ્છના આણંદસૂરિ શાખાના જૈન સાધુ છે. પંડિત પ્રેમવિજય રત્નવિજયના શિષ્ય છે. ઉદેપુરના રાણા ભીમસિંહ પાસેથી કવિરાજનું બિરુદ એમને મળેલું છે. વિક્રમની ૧૯મી સદીનો પૂર્વાર્ધ એમનો કવનકાળ જણાય છે. દુહાનો આરંભ, નંદરાજા સામે ઉપસ્થિત થઈને પિતાની હત્યા શ્રી કને અને પોતાને કેમ બોલાવવામાં કરાઈ અને પોતાને કેમ બોલાવવામાં આવ્યો છે તે અંગે સ્થૂલિભદ્ર દ્વારા પ્રશ્ન પૂછવાથી થાય છે 222 * જૈન સ વિમર્શ Page #272 -------------------------------------------------------------------------- ________________ એના જવાબમાં નંદરાજ ઈર્ષાળુ વરરુચિ બ્રાહ્મણના કપટની અને કાનભંભેરણીની વાત કરી સંભળાવે છે અને મંત્રીપદ સ્વીકારવા દરખાસ્ત કરે છે પછીનો સઘળો ઘટનાક્રમ આગળની બે કૃતિઓ પ્રમાણેનો જ છે. અહીં મુખ્યત્વે સ્થૂલિભદ્ર કોશા વચ્ચેના સંવાદ દ્વારા કથાદોરની ગતિ જોવા મળે છે પણ આગળની બને કૃતિઓ ગેય છે જ્યારે દીપવિજ્યજીની આ રચના દુહા છંદમાં સર્જાઈ ઝિલાયેલી વરતાય છે. કેટલીક પંક્તિઓનું શાબ્દિક સામ્ય અને દુહાની પંક્તિઓમાં ઉદયરત્નનો આવતો ઉલ્લેખ આવું અનુમાન કરવા પ્રેરે છે જેમ કે વજકછોટો વાળ્યો મેં સૂધો (ઉદય) વજકછોટો દૃઢ કરી (દીપ) જાલીમ મયણને જેર કરીને (ઉદય) જાલીમ મયણને વશ કર્યો (દીપ) ધન્ય ધન્ય ચિત્રશાળી (ઉદય) ધન શાળીઆવાસ (દીપ) ઊઠ હાથ અળગી સંચરજે (ઉદય) સાડા ત્રણ જે હાથ મુઝથી આળગી તું રહે (દીપ) તથા દીપવિજ્યની આ રચનામાં ઉદયરત્ન કહે નાયકા તેમ જ ઉદય કહે સ્થૂલિભદ્ર જેવી પંકિતઓનો પાઠ મળે છે. કવિનો દુહા છંદ ઉપરનો કાબૂ અતિ પ્રશસ્ય છે આમ તો સ્થૂલિભદ્ર કોશા વિષયક મધ્યકાળમાં વિપુલ પદ્યસર્જન થયું છે પણ અહીં પ્રસ્તુત ત્રણેય કૃતિઓમાં વચ્ચેનું સામ્ય એ છે કે આ ત્રણેય કૃતિઓ નવરસો નવરસ સંજ્ઞાથી ઓળખાઈ છે. ત્રણેય કૃતિઓનું કથાનક સ્થૂલિભદ્ર કોશાના સંવાદરૂપે ગતિ કરે છે. સ્થૂલિભદ્ર ઉત્તરજીવનની કથા અહીં સ્થૂલિભદ્ર ભદ્રબાહુસ્વામી પાસે ૧૪ પૂર્વના અધ્યયન માટે ગયા પણ ગુરુએ એમને ૧૦ પૂર્વેનું જ્ઞાન અર્થ સાથે અને બાકીનાં ૪ પૂર્વેનું જ્ઞાન કેવળ સૂત્રરૂપે આપ્યું. આ ઉત્તર કથાનક આ ત્રણેય કૃતિઓમાં પ્રસ્તુત નથી વળી દીપવિજયના આ દુહા અંશતઃ ઉદયરત્નજીની સ્થૂલિભદ્ર નવરસોની કેટલીક હસ્તપ્રતોમાં ઢાળોની સાથે ઉમેરાયેલા છે. નોંધઃ સ્થૂલિભદ્ર નવરોસ વિષયક ત્રણેય કૃતિઓનું પ્રકાશન આ પ્રમાણે છે : ઉદયરત્નકૃત યૂલિભદ્ર નવરસો ૧ પુસ્તક પૂલિભદ્ર નવરસ સંપાદક જશભાઈ કા પટેલ પ્રકા ચારુતર પ્રકાશન સં. ૨૦૦૭. ૨ પુસ્તક “ઉદય અર્ચના' (બીજી આવૃતિ) સંપા કાન્તિભાઈ બી. શાહ સ્થૂલિભદ્ર નવરસો +223 Page #273 -------------------------------------------------------------------------- ________________ વિનોદ ચંદ્ર ર. શાહ. કીર્તિદા શાહ, પ્રકા. શ્રી ખેડા જૈન મિત્રમંડળ અમદાવાદ ઈ.સ. ૨૦૧૧ જ્ઞાનસાગરકૃત ‘સ્થૂલિભદ્ર નવરસગીત” તથા “દીપવિજયકૃત નવરસ દુહા' પુસ્તક ‘અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય સંપા સાધ્વીજી વિરાગરસાશ્રીજી અને ડૉ. કવિન શાહ પ્રકા. ઓંકારસૂરિ આરાધના ભાવનગર સુરત સં ૨૦૬૭. 224 * જૈન રાસ વિમર્શ Page #274 -------------------------------------------------------------------------- ________________ હરિબલ માછીરાસ કવિ ભાવરત્ન – ભાવપ્રભસૂરિ દીપા મહેતા ૧૮મા શતકના ઉત્તરાર્ધના એક અગ્રગણ્ય નોંધપાત્ર વિદ્વાન સાહિત્યસર્જક તરીકે શ્રી ભાવરત્ન – ભાવપ્રભસૂરિનું નામ અને કામ બંને મહત્ત્વ ધરાવે છે. તેઓ ઊકેશવંશના વાણી ગોત્રના શાહ માંડણ અને વાહિલમ દેવીના પુત્ર હતા. દીક્ષા સમયે તેમનું નામ ભાવરત્ન હતું. તેમણે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જન કર્યું હતું. શ્રી ભાવપ્રભસૂરિનો સાહિત્યસર્જનકાળ લગભગ ૪૫ વર્ષનો છે. તેમનો આચાર્ય પદવીનો મહોત્સવ સં.૧૭૭૨ના માઘ શુક્લપક્ષમાં થયો હતો. તેમને સૂરિપદ પ્રાપ્તિ પછી “ભાવપ્રભ' એ નામ મળ્યું છે. માતૃકા પ્રકરણ, ગણધરવાદ જેવી સ્વતંત્રકૃતિઓ આપી છે. પાર્જચંદ્રકૃત મહાવીર સ્તોત્ર પર વૃત્તિ, ભદ્રબાહુ સ્વામીકૃત “કલ્પસૂત્ર' પર ટીકા કરી છે. તેમ જ હરિબલ રાસ, અંબડરાસ, સુભદ્ર મહાસતી રાસ પણ આપ્યા છે. તેમણે ગુરુમહિમા અને શિક્ષણ લક્ષણ જેવી ચોપાઈ આપી છે. આ સિવાય તેમના સ્તવનો, સઝાય, સવૈયા, બાલાવબોધ પણ મળી આવે છે. આમ ભાવરત્ન મુનિ – ભાવપ્રભસૂરિએ સંસ્કૃત-ગુજરાતી હિંદીમાં નાની-મોટી લગભગ ૬૭ રચનાઓ મળે છે જે તેમની વિદ્વત્તા અને સર્જકપ્રતિભા દર્શાવે છે. હરિબલ રાસ'નો કથાવિષય જીવદયાના નાનકડા નિયમ સંબંધી હરિબલ માછીનું કથાનક છે. સમાજના નીચલા સ્તરના આ કથાનકને લીધે આ કથાનક જુદું તરી આવે છે. - વર્ધમાન દેશના અંતર્ગત કે પડિક્કમણાવૃત્તિ અંતર્ગત તથા વંદિતસૂત્ર બાલાવબોધ, અંતર્ગત આ કથાનક જૈનધર્મના આચારના ચરિત્રના) બે પ્રકારો યતિધર્મ અને શ્રાવકધર્મમાંથી બીજા પ્રકાર વિશેના નિરૂપણમાં મળે છે. ધર્મપાલન ઇચ્છુક શ્રાવકે સમ્યક્ત્વ સહિત પાંચ અણુવ્રત, ચાર ગુણવ્રત અને ત્રણ શિક્ષાવ્રત લઈ આદરવા જોઈએ. તેમાં પ્રથમ અણુવ્રત જીવદયા વિશે છે એના નિરૂપણમાં જીવદયાના નાનકડા નિયમનું ફળ કેટલું મહત્તમ મળે. હરબલ માછીરાસ +225 Page #275 -------------------------------------------------------------------------- ________________ તે દર્શાવવા હરિબલ માછીનું કથાનક આલેખાયું છે. ‘હરિબલ રાસ’નું કથાવસ્તુ આ પ્રમાણે છે. કાંચનપુર કે સુવર્ણપુર નગરીના વસંતસેન – વસંતસેના રાજા-રાણીને રૂપગુણસંપન્ન વસંતશ્રી નામે પુત્રી હતી. તે જ નગરમાં હિરબલ નામનો ભદ્રકજીવ માછીમાર હતો. અને તેની કલહપ્રિય પત્ની સત્યા સાથે ખૂબ દુ:ખી અવસ્થામાં વસતો હતો. જાળ લઈને એક દિવસ હિરબલ નદી કિનારે ગયો. ત્યાં જૈન મુનિને જોયા. ધર્મની સમજ આપતાં મુનિએ સાચો ધર્મ કુલધર્મ નથી, પરંતુ જેના પાયામાં અહિંસા છે તેવો જૈન ધર્મ છે એમ હિરબલને કહ્યું. માછીમાર હોઈ જીવહિંસા પર જ નિર્વાહ કરનાર હરિબલ જીવદયાનો ધર્મ શી રીતે પાળી શકે? દુઃખી હિરબલનો ધર્મ માટેનો રાગ છતાં પાલનની અશક્તિ જાણી મુનિએ તેને નાનકડો નિયમ લેવડાવ્યો. જળમાં જે પહેલું માછલું પકડાય તેને ન મારતાં જીવનદાન આપવું. નિયમ લઈ દૃઢપાલનના નિરધારપૂર્વક ગયેલા હરિબલની જાળમાં તે દિવસે મોટો મચ્છ આવ્યો. તેના ઉપર નિશાની કરી તેને પાણીમાં પાછો મૂક્યો. ફરી ફરી તેનો તે જ મચ્છ જાળમાં આવતો ગયો અને હિરબલ દૃઢ મનથી તેને પાણીમાં મૂકતો હતો. આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. તેને બીજું એકેય માછલું મળ્યું નહિ છતાં પણ તે તેના નિયમ પર અડગ રહ્યો. જલ દેવતાએ મચ્છરૂપે આવીને કરેલી કસોટીમાંથી પાર ઊતરેલા હિરબલની નિયમપાલનની દૃઢતા જોઈ, પ્રસન્ન થઈ સાગરદેવે વરદાન માંગવા કહ્યું. આ સમયે હરિબલે માંગ્યું દુઃખના સમયે સહાયરૂપ થવાનું. હિરબલને આ વરદાન આપી દેવ સ્વસ્થાને ગયા. ઝઘડાખોર પત્નીની બીકે ઘેર ન જતાં હિરબલ ગામ બહારના મંદિરમાં જ સૂતો. હવે આ જ નગરમાં હિરબલ નામે એક સ્વરૂપવાન શ્રેષ્ઠી પણ રહેતો હતો. રાજકુમારી વસંતશ્રીને એ હરિબલ પ્રત્યે અનુરાગ થતાં તેઓએ ગામ બહારના મંદિરે મધ્યરાત્રિએ મળવાનો સંકેત કર્યો. અન્યત્ર નાસી જઈ લગ્ન ક૨વાની યોજના બનાવી પરંતુ સંજોગવશાત્ બન્યું કે શ્રેષ્ઠીપુત્ર હરિબલ ડરને કા૨ણે ત્યાં ગયો નહિ. રાજકુમારી તૈયારી સાથે મંદિરે પહોંચી જલદી જલદી હિરબલને બોલાવી અને બંને જણ નીકળી પડ્યાં. માર્ગમાં ખરી હકીકત જણાતાં સ્વરૂપવાન શ્રેષ્ઠી પુત્રને બદલે કાળો, કુરૂપ હિરબલ જોઈ કુંવરીના પશ્ચાત્તાપનો પાર ન રહ્યો. વિલાપ કરતાં રાજકુમારી ધરતી પર ઢળી પડી. 226 * જૈન રાસ વિમર્શ Page #276 -------------------------------------------------------------------------- ________________ સાગરદેવની દરમિયાનગીરી રૂપ હરિબલને પરણવાથી જ ઈચ્છિત સુખ મળશેની વાત સાંભળી વસંતશ્રીએ હરિબલ સાથે લગ્ન કર્યા અને વિશાલાપુરી જઈ વસ્યાં. હરિબલ અને વસંતશ્રી વિશાલાપુરીના રાજા મદનવેગની કૃપાને પાત્ર બન્યાં. એક દિવસ ભોજન નિમંત્રણના ફલસ્વરૂપ વસંતશ્રીને જોઈ રાજા મદનગ લુબ્ધ બની કામપીડા ભોગવી રહ્યા. દુષ્ટમંત્રીએ વસંતશ્રીને મેળવવા માટે હરિબલને મારવાનો ઉપાય સૂચવ્યો. રાજા મદનવેગે હરિબલને પુત્રીના લગ્ન નિમિત્તે લંકેશને નિમંત્રણાર્થે મોકલ્યો. સાગરતટે મુંઝાઈને હરિબલ ઊભો રહ્યો. પરંતુ સાગરદેવની સહાયથી જ લંકાના ઉપવનમાં પહોંચ્યો. ત્યાં સમૃદ્ધિસભર વાતાવરણમાં મૃતક સમી પડેલી સુંદરીને જોઈ. ઉપર લટકતા તુંબડામાંથી નીતરતા પ્રવાહી સિંચીને તે આળસ મરડી ઊંઘમાંથી ઊઠતી હોય તેમ ચેતનવંતી બની. પરસ્પર પરિચય થતાં તે કુસુમશ્રી નામની લંકેશના સેવક પુષ્પબકની પુત્રી હોવાનું જણાયું. તેનાં સામુદ્રિક લક્ષણો પરથી તે રાજરાણી થવાનું સુખ પામશે તે જાણતાં રાજ્યના લોભે પિતા જ પુત્રીને પરણવા તત્પર બન્યો. અને તેના પરિણામે જ તેને અહીં બંદી બનાવી રાખી હતી. મંત્રના પ્રભાવે મૃતક બનાવી કાર્યવશ બહાર જાય અને આવે ત્યારે અમી સિંચી ચેતનવંતી કરતો હતો. આવા સમયે આવી પહોંચેલા હરિબલને પોતાની સાથે પરણવા કસમશ્રીએ પ્રાર્થના કરી. બન્ને પરણ્યાં. લંકેશમિલનની નિશાનીરૂપ ચંદ્રહાસ ખગ, અમી ભરેલ તુંબડું અને શૂન્યગૃહની ઉત્તમ વસ્તુઓ લઈ તે સાગરદેવની સહાયથી ફરી વિશાલાપુર પહોંચ્યો. આ બાજુ નગરમાં હરિબલના લંકાપ્રસ્થાન બાદ વસંતશ્રીને મેળવવા માટે મદનવેગે અવનવા ઉપાયો કરવા માંડ્યા. વસ્ત્રો, અલંકાર, ખાન-પાનની સામગ્રી જેવી વૈભવી ભેટો મોકલી. પછી એક રાત્રે અધીર બની જાતે જ આવ્યો. લંકાને બહાને હરિબલનો કાંટો માર્ગમાંથી દૂર કર્યો છે, અને વસંતશ્રીને મેળવવા માટે જ તેમ કર્યું છે તે જણાવ્યું. પણ વસંતશ્રીએ કહ્યું કે પતિના સમાચાર મળે તે પછી જ આ વાત મદનવેગના પ્રસ્તાવ) વિચારવાનું કહી તે ક્ષણ પૂરતી આફત ટાળી દે છે. ઉપવનમાં કુસુમશ્રીને મૂકી બારણે આવી છુપાઈને ઊભેલા હરિબલે વસંતશ્રીની વાત સાંભળી. શિયળરક્ષા કાજે પ્રાણત્યાગનો તેનો નિર્ણય સાંભળી હરિબલ વસંતશ્રીની સામે હરિબલ માછી રાસ 227 Page #277 -------------------------------------------------------------------------- ________________ આવ્યો. અરસપરસ બનેલી વાતો જણાવી અને ઉપવને જઈ વસંતશ્રી કુસુમશ્રીને તેડી લાવી. બને સગી બહેનોની જેમ રહેવા લાગી. હરિબલ રાજદરબારમાં આવ્યો અને લંકાની આખી ઘટના કહી સંભળાવી કે લંકેશને મળવા માટે પોતે અગ્નિપ્રવેશ કર્યો તેથી લંકેશે પ્રસન થઈ, સજીવન કરી, કન્યાને પરણાવી અને નિશાનીરૂપ ચંદ્રહાસ ખગ મોકલાવ્યું તેમ જણાવ્યું. આખી વાત સાંભળી રાજા મદનવેગનો કામાવેગનો ઘોડો થોડો મંદ થયો. પરંતુ ફરી પાછો ભોજનપ્રસંગે હરિબલની પત્નીઓને જોઈ તેની વાસના ઉદ્દીપ્ત થાય છે. ફરી પાછો દુષ્ટમંત્રીની સૂચના અનુસાર રાજ મદનવેગ હરિબલને અગ્નિપ્રવેશ કરી યમ નિમંત્રણે જવાની આજ્ઞા કરે છે અને વચનપાલનની હરિબલની દઢતા અને સ્વામી પ્રત્યેની વફાદારીને કારણે તે પણ કરવા તૈયાર થાય છે પણ દેવતાની સહાય વડે સર્વજન સમક્ષ અગ્નિપ્રવેશ કરી વગર બળે હરિબલ સ્વગૃહે પાછો આવ્યો હતો. કામાતુર મદનવેગ ભય-લજ્જા છોડી તે જ રાત્રે આવ્યો. પત્નીઓએ હરિબલને સંતાઈ જવા કહ્યું. રાજાએ આવીને સ્પષ્ટપણે પોતાની માગણી દર્શાવી, અને તેમ ન થતાં બળાત્કાર માટેની તૈયારી પણ દર્શાવી. વિવિધ પ્રકારે સમજાવવા છતાં મદનવેગ માનતો નથી તેથી કુસુમશ્રી વિદ્યાના બળે બાંધી તેને શિક્ષા કરે છે. રાજા મદનવેગ પોતાના કૃત્યને બદલ ક્ષમા માંગે છે. રાજા દુષ્ટ નથી પણ મંત્રી જ આ બધાના મૂળમાં હોવાનું જણાતાં હરિબલે તેનો ઉપાય વિચાર્યો. બીજે દિવસે યમ પ્રતિહારના રૂપમાં સાગરદેવને લઈ હરિબલ ચજદરબારમાં આવ્યો. વમનિમંત્રણનું કાર્ય પાર પાડ્યાની વાત કહી સંભળાવી. યમરાજ સમૃદ્ધિ, અમરતા આપી, સુંદર કન્યા પરણાવવા તત્પર હોવા જણાવ્યું. હરિબલે તેનો અસ્વીકાર કર્યો. તેથી રાજાને અને રાજાના માન્ય પુરુષોને આમંત્રણ આપી તેડી જવા માટે યમરાજે પોતાનો પ્રતિહાર મોકલ્યો હોવાનું જણાવ્યું. લોભીરાજા, મંત્રી પ્રજાજનો સહુ અગ્નિપ્રવેશ કરીને યમપુરી જવા તૈયાર થયા. પ્રતિહારે સર્વજનોની હિંસા ન કરવાની હરિબલની ઇચ્છા જાણી યુક્તિપૂર્વક કેવળ દુષ્ટમંત્રીને જ અગ્નિપ્રવેશ કરાવ્યો. તેની પાછળ ચિતામાં પ્રવેશવા જતા મદનવેગને રોકી હરિબલે શરૂઆતથી લઈ અંત સુધીની ઘટના જણાવી સત્ય પ્રકટ કર્યું. પશ્ચાત્તાપમાં બળતાં મદનવેગને વૈરાગ્યભાવ જાગવાથી પુત્રી મદનશ્રી અને રાજ્ય હરિબલને સોંપી દઈ તેણે 228 * જૈન રાસ વિમ Page #278 -------------------------------------------------------------------------- ________________ સંસાર ત્યાગી સંયમ માર્ગ સ્વીકાર્યો. ત્રણ રાણીના પતિ અને વિશાલાપુર રાજ્યના સ્વામી બનેલા હરિબલની વાત કંચનપુર રાજવી વસંતસેને જાણી. તેથી હિરબલને અને તેની પત્નીઓને પોતાને નગર આવવાનું આમંત્રણ આપે છે અને તે રાજ્ય પણ હરબલને સોંપીને દીક્ષા ગ્રહણ કરે છે. હિરબલ આદર્શ રીતે રાજ્ય કરવા લાગ્યો. જે ધર્મના પ્રભાવે આ રાજ્યસુખ મળ્યું. તે મુનિ આગમને બારવ્રતધારી શ્રાવક બની દૃઢતાપૂર્વક ધર્મપાલન કરવા લાગ્યો. તેણે ઠેર ઠેર ાનની ગંગા વહાવી, ચૈત્યો બંધાવ્યાં, અમૃત તુંબડા વડે લોકોના દુઃખ દૂર કર્યાં. સાત વ્યસનોમાંથી અને હિંસાચારમાંથી પ્રજાને મુક્ત કરી એક દિવસ કેવલજ્ઞાનીના ઉપદેશને કારણે પૂર્ણ મહાવ્રતોનો યતિધર્મ તેણે સ્વીકાર્યો અને જપ તપ કરી સ્વર્ગે ગયો. આ કથા દ્વારા સમજાય છે કે શરૂઆતમાં નાનો નિયમ, પછી શ્રાવકના બાવ્રત અને અંતે સંયમગ્રહણ વખતે મુનિરાજોનો ઉપદેશ આ કથાનકનો મહત્ત્વનો અંશ છે. કામલોલુપતા અને અધમ લોલુપતા તજી દઈ, શિયળરક્ષા તથા જીવદયા પાલન કરવા પર અહીં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જુદાજુદા સર્જકોએ વિવિધ રસબિંદુઓને ઓછાવત્તા પ્રમાણમાં ખીલવીને આ કથાનક આલેખતી સુંદર રસભર એવી રાસકૃતિઓનું નિર્માણ કર્યું છે જેમાં સંસ્કૃત હરિબલ કથામાં સંસ્કૃત ભાષામાં કથાના કેવળ માળખાને રજૂ કરતી સંક્ષિપ્ત ગદ્યકૃતિ છે અને આખી કથા ૧૦૦ પંક્તિમાં સમાયેલી છે. શ્રી જૈનકથા રત્નકોશમાં પણ હિરબલ માછીકથા પાના નં.૧૦૧થી ૧૩૭ સુધી આલેખવામાં આવી છે. જૈન કથા રત્નકોશ ભાગ-૪માં પણ હિરબલ કથા આલેખાઈ છે જેમાં અંતમાં હિરબલ ગુરુનો ઉપદેશ સાંભળવા બેઠો હતો અને જેમાં મુનિએ બે પ્રકારના ધર્મ વિશેનું જ્ઞાન આપ્યું હતું. એક સાધુધર્મ અને શ્રાવકધર્મ. જીવદયા તો ધર્મના પાયારૂપ છે. સંપૂર્ણપણે જીવદયા પાલન ઇચ્છનારે સાધુધર્મ સ્વીકારવો જેઈએ. પરંતુ જેમને માટે શક્ય ન હોય તેમના માટે પ્રભુએ બારવ્રતરૂપ શ્રાવકધર્મ કહે છે તેનાં મત પ્રમાણે જીવદયા ન હોય તેવો ધર્મ પણ નષ્ટ સમજવો. હિરબલ મૂળ તો જાતિથી, કરણીથી, સંગતિથી અને કુલથી નીચ હોવા છતાં દયા ધર્મના પ્રતાપે મહાન બન્યો. જેમ કાદવમાંથી કમળ ખીલે તેવી રીતે હલકી જાતિનો હોવા છતાં ગુણના પ્રભાવથી વિખ્યાત બને છે. અને વિખ્યાતિ માટે જન્મ કારણભૂત નથી. હિરબલ માછીરાસ * 229 Page #279 -------------------------------------------------------------------------- ________________ આ રીતે હિરબલ શૌર્ય, ઐશ્વર્ય ઉત્તમતા આદિમાંથી હરિ એટલે કે સિંહ સમાન ગુણવાળો થયો પરંતુ સિંહના ચાંચલ્ય, કર્દમ, આસક્તિ જેવા અવગુણો તેનામાં નહોતા વળી તે ધીવર યાને માછીમા૨ મટી જઈને ધીવ૨ એટલે કે ઉત્તમ બુદ્ધિમાન હતો. હરિબલ માછી કથા નિરૂપતિ કેટલીક રાસકૃતિઓ પણ મળે છે. જેમાં હિરબલરાસ, હિરબલ ચોપાઈ, હિરબલ માછી ચોપાઈ, હિરબલ માછીરાસ વગેરેનો સમાવેશ થાય છે. આપણે અત્યારે ભાવરત્નસૂરિ – ભાવપ્રભસૂરિ કૃત ‘હિરબલ રાસ’ની ચર્ચા કરવાની છે. આખી કથા કવિએ ૩૩ ઢાળમાં રચી છે. કથાવસ્તુનો આપણને હવે ખ્યાલ આવી ગયો હોવાથી સમગ્ર રાસ રચનાને વસ્તુસંકલના, પાત્રાલેખન, પ્રસંગનિરૂપણ, રાસનિષ્પતિ, ભાષા અને શૈલીના સંદર્ભે વિચારીએ. હિરબલ કથાનક મૂળભૂત રીતે બહુ દીર્ઘ કે ઘટનાઓના જટાજૂટવાળું નથી. પરંતુ તેમાં વિસ્તાર કરી શકાય તેવી શક્યતાવાળા ઘટના-અંશો અનેક છે. કવિ ભાવરત્નસૂરિએ પડિક્કમણાવૃત્તિ'ની હજારથી વધુ પંક્તિઓ અને ૩૦ અવતરણ શ્લોકોની કથાને અનુસરીને જ હિરબલકથા આલેખી છે. કવિએ ૩૩ ઢાલ અને ૮૭૪ કડીમાં હિરબલ કથાનો રાસ રચ્યો છે. સંક્ષિપ્તતા અને સચોટતાની દૃષ્ટિએ આ રાસ કૃતિ વિશેષ નોંધપાત્ર બની છે. વસ્તુ નિરૂપણની દૃષ્ટિએ તો કથાપ્રવાહ અસ્ખલિત વહેતો રાખ્યો છે. શ્રેષ્ઠી પુત્ર હરિબલના મનોદ્વન્દ્વની ખેંચતાણમાંથી નિર્ણાયકબળ બનીને તેને સંકેતસ્થાને ન જવાનો નિર્ણય લેવડાવતી ભદ્રકશેઠની કથા એકસાથે બે હેતુ પાર પાડે છે. નારીનો મોહ માનવીને વિવેકશૂન્ય બનાવે છે' એવો ઉપદેશ હિરબલકથા અંતર્ગત રાજા મદનવેગ ચરિત્રનો સાર છે. આખી કૃતિનું મુખ્ય જમા પાસુ તેનું વર્ણન છે. સમુચિત અલંકારોનો ઉપયોગ, કવિની લયની આગવી સૂઝ અને ભાષાપ્રભુત્વથી આ વર્ણનો દ્વારા પાત્રોનાં તાદશ ચિત્રો દોરી તેને જીવંત બનાવે છે. પ્રસંગ નિરૂપણ વર્ણનમાં યમપુરી જતા હિરબલને વળાવવા માટે નીકળેલા જનસમૂહના ઉદ્ગારોનું આલેખન અને લોભવશ ચિતાએ ચઢવા આતુર બનેલા જનસમુદાયનું ચિત્ર આ કૃતિનાં વિશિષ્ટ અંગો બન્યાં છે. પ્રકૃતિવર્ણનોને આ કથામાં વધુ અવકાશ નથી છતાં લંકા જતા હિરબલે 230 * જૈન રાસ વિમર્શ Page #280 -------------------------------------------------------------------------- ________________ કરેલું સાગરવર્ણન કવિની કલ્પનાસમૃદ્ધિ અને અલંકાપ્રભુત્વને લીધે યાદગાર બની રહે છે. જંગમ અલકા જાણીઈ કનકઈ મરૂ હરાય' એવું કંચનપુર તેનો રાજા જોધા અરિયણ જેહથી વેડિંડર યઉ વિશ્રામ' એવો શત્રુજિત વસંતસેન, કવિએ વસંતશ્રીનું નખશિખ સુંદર વર્ણન કરેલું છે. ચરણ કનકના કાછલા રે ઉર ગજરાજની શુંડ નાભિ ગંભીર સોહામણી રે જાણીઈ અમૃત કંડ રે પોયણ પાન ક્યું કુથલી રે પાતાલપેટી સુવાન નિરમલ તીષી નાસિકા રે સુંદર અંગ સંધાન રે. તેમના મતે વસંતશ્રીની સુંદરતા કેટકેટલાયે યોદ્ધાઓને પરાજિત કરે તેવી છે. બીજી તરફ શ્રેષ્ઠીપુત્ર હરિબલ નારીનાં દોષપક્ષને જ વિચારતો. ગરજે ગહિણી, પુરુષન ઈ. પાડઈ પાર્પિણી, વહુઈ વાઘણિ સારિખી શ્રેષ્ઠી હરિબલને વસંતશ્રી ત્યજવા યોગ્ય છે એવું લાગે છે. છતાં તેના મનને લોહચુંબકની જેમ ખેંચે છે. રાજા મદનગની રૂપલબ્ધ દષ્ટિએ થયેલું વસંતશ્રીનું વર્ણન ચિત્રાત્મક અને તાદશ છે. તેનો આશ્ચર્યયુક્ત અહોભાવ જુઓ “અહો અહો ઘાટ સુઘટ ઘડ્યો મુખ તેજ તપઈ છઈ પ્રદીપ – જંગમ જવહિર જાષિતાએ અમૃતવલ્લી સુરંગ.' વસંતશ્રી વિના મદનવેગને મહેલ, વૈભવ, રાજ્ય અને જીવન સુધ્ધાં શૂન્ય, નિષ્ફળ, વ્યર્થ ભાસે છે. કુસુમશ્રી માટે કવિએ પદ્મિની, કમલમુખી, હરણાંષી, ચતુરા, નવયૌવનબાલિકા જેવા વિશેષણો પ્રયોજ્યાં છે. પુરુષપાત્રોના સૌંદર્યવર્ણનમાં શ્રેષ્ઠીપુત્રી હરિબલના રૂપની મોહકતા આ રીતે આલેખી છે. શિર પાઘ છોગાલો, રૂપાલો, વાંકડી મુંછાલો રતિપતિનો અવતાર, ભોગી ભ્રમર સોહામણો' માછી હરિબલની તુલનાએ થતું શ્રેષ્ઠી હરિબલનું વર્ણન પણ રોચક છે. હરિબલ માછીરાસ 231 Page #281 -------------------------------------------------------------------------- ________________ કિહાં કરહો કુંભી કિહાં, કિહાં હંસો કિહાં કાગ કિહાં રણ કિહાં કાંકરો, કિહાં કાકીંડો નાગ. વસંતશ્રીને મને શ્રેષ્ઠી પિત્તળ નહીં પણ સોનું, બાવળ નહીં પણ આંબો જણાય છે. બીજું પુરુષપાત્ર છે ધીવર માછીમારમાંથી ધીવર ઉત્તમ બુદ્ધિશીલ બનતા હરિબલનું તેના કાર્યોમાંથી જ તેનાં ગુણોનું સૌંદર્ય પ્રકાશે છે. દઢવ્રતના પ્રભાવે તે દેવોનું વરદાન મેળવે છે. વચનપાલનની બાબતમાં જે બોલ્યા તે બોલ પથ્થર ટાંકયા' જેમ અફર ગણી પ્રાણાંતે પણ તે પાળવા દૃઢચિત્ત છે તેથી જ રાજા-મંત્રીની દુષ્ટ યોજના તેને માટે કુસુમશ્રી સાથેના લગ્નમાં અને તેથી રાજા થવામાં પરિણમે છે. કથાને રાજર્ષિ હરિબલની ધર્મમાં અનુરક્તિ મુનિ મહારાજે દ્વારા ધર્મવીર' તરીકેની પ્રશંસા પામે છે. કુરૂપતાના વર્ણનમાં કવિની કલમ ખીલે છે. બળકટ બોલીમાં માછીપત્ની સત્યાનું વર્ણન કરે છે. શંખિની, કુભાર્યા, અલક્ષ્મી, વાઘણ શી વિકરાળ, વીંછણ શી ઝેરીલી, કુરૂપ, ઝઘડાખોર, ગાળો બોલનારી એવી સત્યા, માછી પતિને ભાંડતી, બાળકોને મારતી, ઝઘડા કરતી તેથી હરિબલની જિંદગી દુઃખદ બની જાય છે. કવિએ જનસમુદાયના વાણી, વર્તન, બોલચાલના વર્ણનથી નજર સમક્ષ ચિત્રો ખડાં થાય છે. શોક, દુઃખ, રીસ, રોષ, વેદના વલોપાત, શિખામણ, ઉપદેશ, હાહાકાર અને ફિટકાર. આ સર્વ ભાવોની મિશ્ર રંગોળી પૂરીને કવિએ રમ્ય રસસૃષ્ટિ ઊભી કરી છે. હરિબલના અગ્નિપ્રવેશ પછી તો જનલાગણી ધોધરૂપે વહી નીકળે છે. હાહાકાર લોકે કર્યો પડ્યા શૂના પડનાલ કરઈ ડચકારા ડસડસઈ નયર સોરાસોર તવ થયો... પર દુઃખઈ દુખીયા થયા ગદ્ ગત્ સ્વર કંઠઈ થયા. નયણ આંગૂજલ નિંતરઈ. જતાં રોતાં લોકનઈ...” કવિએ અહીં સુંદર કલ્પના કરી છે કે આંસુનાં ખારાં પાણી વહી નીકળવા છતાં ચિતાની જ્વાળા બુઝાવવાને બદલે સાગરનાં ખારાં પાણીમાંના વડવાનલ પેઠે અધિક પ્રદીપ્ત થઈ ઊઠી. શ્રેષ્ઠી હરિબલના મનોદ્વન્દનું માનસ શાસ્ત્રીય નિરૂપણ કરતી પાંચમી 232 * જૈન રાસ વિમર્શ Page #282 -------------------------------------------------------------------------- ________________ ઢાલ પણ વિશેષ છે. મનનો અનુરાગ અને વણિકની અગમબુદ્ધિનો વિગ્રહ અહીં આલેખાયો છે. - હરિબલના હૈયાની હાલકડોલક હાલતનું કવિએ અહીં સુંદર વર્ણન કર્યું છે. રાજાનો અપરાધી થઈ, પકડાઈ જતા મૃત્યુદંડ પામવાનો ભય તેના ભીરુ હૈયાને સતાવે છે. પ્રકૃતિવર્ણનોમાં લંકાના ઉપવન-ઉદ્યાનનું વર્ણન આ કથાનકના અંશ બની શકે તેમ છે. કવિએ સુંદર સાગર વર્ણન કર્યું છે. દેખઈ વેલ ઉદ્યાન, દરિયજલ આસમાન, વિષયતરંગ આ કિમ તરુ એ ઉદધિ, આતંક, કિમ જ્વરાયલંક, યાન પાતર પણિ નહીં ઈહાં' (ઢા-૧૩) હરિબલે જોયેલા સાગરના વર્ણનની છ કડીમાં કવિની કલ્પનાશક્તિ ઝળકે છે. વિવિધ આકાર પ્રકારનાં માછલાં સમુદ્રછોળે પળમાં નજીક આવે તો પળમાં દૂર ચાલ્યાં જાય છે. આ માછલાંઓની ગતિ, મોટા મગરમચ્છની નાના પર ચોટ, ઊંચે ઊછળી નીચે પછડાતા વિશાળકાય મોજા, જળમાં રચાતી ભમરી આ સર્વનું સુંદર ચિત્ર કવિએ આલેખ્યું છે. કવિની કલ્પના અનુસાર સાગરના મોજાના શ્વેત ફીણના ગોટેગોટા હસતા સાગરની દૂતાવલિ છે. સુવર્ણની લંકા પ્રતિબિંબ પડતાં પીળા હરતાલના રંગના મોજાં ઉછળે તે જાણે તે વડવાનલની જ્વાલા સમાન તથા બાકીના કાળા નીર તે વડવાનલના ધુમાડા સમાન લાગે છે. જલ ગંભીર ભમરા પડઈ રે, કિંતાઈ ન દીસઈ તીર રે, હસઈ સાયર ઈજ જણાઈ રે ફીણના ગોટા ગોટ રે સોવન ગઢ છાયા પડી રે જલ પીલાં હરતાલ રે પવન ઝકોલઈ ઊછલઈ રે વડવાનલની ઝાલ રે કથાના ખલનાયક મદનવેગની સ્થિતિ તેની કામપીડિત દશા વિગતે નિરૂપી છે. આ પીડામાંથી બહાર આવવા માટેના તેના પ્રયાસો હરિબલને મારી નાંખવા સુધી પહોંચે છે. વળી તે વાત વસંતશ્રી સમક્ષ કબૂલી લેવા સુધીની કક્ષાએ તેની મૂઢતા પહોંચી જાય છે. - હરિબલની બંને સુંદર પત્નીને જોતાં તેનો કામવાસનાનો કીડો ફરી ઉદ્દીપ્ત થાય છે. અને બળાત્કારની તૈયારી બતાવે છે. કુસુમશ્રીના વિદ્યાના હરિબલ માછરાસ *233 Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગથી તેને શિક્ષા મળે છે. પરંતુ મદનવેગની હૃદયની પૂર્ણ વિશુદ્ધિ તો મંત્રીના ચિતાપ્રવેશ પછી હરિબલે કરેલા રહસ્યોદ્ઘાટને જાગતા પશ્ચાત્તાપથી જ થાય છે. આ વિશુદ્ધિના ત્રણ તબક્કા કવિએ દર્શાવ્યા છે. મૂછમાં મૂરછા વિના અધોમુખઈ અવનીશ નિજ નિંદા નૃપ મુર્ખ કરઈ કરાઈ હરિની પસંસ... દીક્ષા લેઈ જપ તપ કરી મુક્તિ ગયો મહીરાજ આમ મદનવેગની મૂળભૂત સારપને અનુરૂપ અંત આપી ચરિત્રચિત્રણ પૂર્ણ કર્યું છે. વસ્તુસંયોજન વસ્તુસંયોજન દ્વારા નિષ્પન્ન થતું નાટ્ય તત્ત્વ પણ આ કૃતિના તાદશ વર્ણનો દ્વારા પાત્રચિત્રણ જેવું અને જેટલું જ નોંધપાત્ર જમાપાસું છે. એકલા કવિ જ મંચ પર રહી કથાકથન કરતા હોય તેવું ક્યારેય લાગતું નથી. પાત્રોની સ્વગતોક્તિઓ એકમેકના વિશે કે એકમેકને સંબોધીને પાત્રો દ્વારા કરાતાં કથન દ્વારા જ બહુધા કથાવિકાસ સાધીને કવિએ આ નાટ્ય તત્ત્વ સિદ્ધ કર્યું છે. જેમાં હરિબલનો નિયમગ્રહણ, શ્રેષ્ઠી હરિબલને જોઈ કુંવરીના મનને થતા ખેંચાણને દર્શાવતી ઉક્તિ, શ્રેષ્ઠીના મનદ્વન્દ્ર, લંકાગમન પૂર્વે હરિબલ વસંતશ્રી-સંવાદ, હરિબલ-કુસુમશ્રી સંવાદ, આ આખી કથા વારાફરતી વર્ણન સંવાદ-સ્વગતવિચાર દ્વારા જ આલેખાઈ છે. લય-શબ્દ-સંગીત ભાવરત્નસૂરિની લય-શબ્દ સંગીત સૂઝનો પરિચય તેમણે પ્રયોજેલા ભાવાનુરૂપ સુગેય દેશીઓ દ્વારા મળે છે. તેમના પૂર્વસૂરિઓ સમયસુંદર, જિનહર્ષ, જ્ઞાનસાગર આદિએ પ્રયોજેલી લોકપ્રિય દેશીઓ તેમણે ઉપયોગમાં લીધી છે. ગોડી, કેદાર, જયતશ્રી, મારૂ, કાફી વગેરે રાગ રાગિણીમાં તે દેશીઓ યુક્ત ઢાલ ગાવાની સૂચના પણ આપેલી છે. આ સર્વને લીધે આ કૃતિની કેટલીક ઢાળો સંગીત-શબ્દલય ભાવનિરૂપણના ત્રિવેણી સંગમના લીધે સમૃદ્ધ બની છે. સાગરવર્ણન કરતી વખતે કવિએ પંક્તિને અંતે હો લાલ રે એવા ચરણાન્તકના આવર્તનથી નિષ્પન્ન થતું સંગીત ઢાલને કર્ણપ્રિય બનાવે છે. ભાવને અનુસરતા સંગીતલયનું ઉત્તમ નિદર્શન થયું છે. 234 * જૈન રાસ વિમર્શ Page #284 -------------------------------------------------------------------------- ________________ હરિબલ શ્રેષ્ઠીના રૂપદર્શને જાગતા અનુરાગનું અને પછી પરસ્પર પ્રમોદભાવનું વર્ણન છે તેથી તેમાં પ્રારંભે, દીઠો રૂપાલો, શિરપાઘ છોગાલો. વાંકડી મુંછાલો’ ની ટેકપંક્તિ મૂકી ભાવાનુસારી લયસંગીત પ્રશસ્ય રીતે પ્રયોજેલ છે. અલંકાર સમૃદ્ધિ : અલંકાર સમૃદ્ધ વાણીએ આ કૃતિનું મન હરી લેનાર અંગ છે. શ્લેષ, યમક, વર્ણસગાઈ, પ્રાસ, અનુપ્રાસ શબ્દાલંકારોનાં બહોળા પ્રમાણમાં પ્રયોગ આ કૃતિમાં થયો છે. એક વર્ણસગાઈનું ઉદાહરણ જોઈએ. વાલિ ન વલઈ વાગ નયણાં તગી’ કેટલીક જગ્યાએ યમક સાંકળીનો પણ કવિએ સુંદર પ્રયોગ કર્યો છે. ચિત્ત ચિંતવના, લાવણ્ય અગણ્ય પુણ્ય, અવસર સર માંહિ’ રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દોનો પણ કવિએ વિશેષ પ્રયોગ કર્યો છે. ઉદા. તરીકે થોકાથોક, હાહાકાર, ડસડસઈ, સોરાસો૨. ભાષા : ભાષાકીય દૃષ્ટિકોણથી આ કૃતિમાં વિશેષ પ્રયોગ મળે છે. લોકબોલી તેમજ દૃશ્ય ગણાય એવા શબ્દોનો બહોળો ઉપયોગ થયો છે. સત્યા માછણનાં વર્ણનમાં ટુંબા, ઓથમી, ત્રાડિ, ઉકડો જેવા શબ્દો જિહાજ, બંદીખાના, દીનાર, દીદાર, શિ૨દા૨, જંજીર જેવા વિદેશી શબ્દો તેમ જ મોડ, અહમચી જેવા મરાઠી ભાષાના શબ્દો પણ કવિએ પ્રયોજ્યા છે. શબ્દોને લાડ લડાવવાની કવિની શૈલી અહીં વિશેષ ધ્યાન ખેંચે છે. આ કૃતિનાં અન્ય ધર્મશાસ્ત્રો વા ગ્રંથોના ઉલ્લેખો વિષે વિચારીએ તો કવિ ભાવરત્નસૂરિ જૈન સાધુ હોવા છતાં તેમણે કથાનાયક હિરબલની તુલના ઈશ ગોરી જેમ બલદીઈ' અને જિમ સિદ્ધરસની તુંબડી યોગીંદ્ર તે રાખઈ હાયિ' શિવ અને યોગીન્દ્ર સાથે કરી છે. વળી એથી વધુ વખત હિરબલ રૂપવર્ણનમાં તેને ‘અભિનવ જણે અનંગ’ કહેલ છે તે શિવના ત્રીજા નેત્રના અગ્નિથી કામદેવને બાળી ભસ્મ કર્યો હતો. તે ઘટનાનું સૂચન કરે છે. રામ, રાવણ, દ્રૌપદી, સીતા, શિશુપાલ, ચાણ્ર આદિના નામના ઉલ્લેખો કવિએ હિરબલ માછીાસ * 235 Page #285 -------------------------------------------------------------------------- ________________ જુદાજુદા સંદર્ભે કર્યા છે. જૈન મુનિની જૈન ધર્મના શ્રાવક ધર્મ પાલનના પહેલા વ્રતવિષયક કથાનક પરની આ રાસકૃતિમાં ઉપદેશ ધર્મનો ઉપદેશ, મહત્ત્વનું અંગ હોય તે સ્વાભાવિક છે. કવિ ભાવરત્નસૂરિએ મુનિ તરીકે પોતાના રાસ-શ્રોતાઓને આ રાસ પરથી બોધ લઈ ધર્મપાલન માટેનો ઉપદેશ એ પ્રત્યક્ષ ઉપદેશ છે. કુલધર્મ અને જિનવ૨ ભાષિત જીવદયામૂલ એવો જીનધર્મ ઉપદેશ, અધર્મી ધર્મ ન જાણના૨ કેવાં કેવાં વ્યસનોમાં ડૂબેલા છે. ધર્મમાં અનુરક્ત એવા માભિમુખ, માર્ગાનુસારી, માર્ગપ્રતિત આદિ વિશેની સમજ તથા જીવદયાનો ઉપદેશ કથાના એક પાત્ર દ્વારા અન્ય પાત્રોને અપાય છે. જીવદયાની નિયમપાલન ૫૨ જ આખી કથાની ઇમારતનું ચણતર થયું હોવાથી વચનપાલન, નિયમપાલન, વચનદઢતા આદિ વિષે યંત્ર તત્ર ઘણા ઉલ્લેખો છે. દુઃખ પડે ત્યારે કર્મનું ફળ ગણીને સમજાવે રોકકળ વિના કે વેરભાવ લાવ્યા વિના સહન કરવું જોઈએ એવો બોધ પણ આ કથાનો મહત્ત્વનો અંશ બની રહે છે. આ કથામાં કર્મ ફિલસૂફી યોગ્ય રીતે આલેખાઈ છે. આ કૃતિમાં શીલવતની રક્ષા અને કામવિજય એ આનુષંગિક બોધકથા હોઈને શિયળમહિમા, નીતિનું બળ અને વ્યભિચારનાં પાપફળ વિષે કવિ વિગતે વર્ણવે છે. વિવેક દ્વારા સાચા ધર્મની પ્રાપ્તિ આ કૃતિમાં આલેખી ધર્મની વ્યાખ્યા આપે છે. આત્માને તારે તે ધર્મ.’ આવા તારક જૈન ધર્મનું મૂળ છે. જીવદયા. અહીં જીવદયાથી મળતા સુફલ દર્શાવ્યા છે. જીનેશ્વરે દર્શાવેલાં જીવોના ચૌદ પ્રકાર જેમાં હાથીથી માંડી કીડી સુધી સહુનો સમાવેશ થાય તે સર્વને જીવવું વ્હાલું છે. તેથી જેનાથી જેવી પીડા આપણા જીવને થાય, તેવી જ પીડા તેનાથી અન્ય જીવોને પણ થાય છે. જીવદયાનો ધર્મ સમજવાથી જ રૂપ, ગુણ, સંપત્તિ તથા લક્ષ્મી જેવી ભાર્યાનો સ્વામી બન્યો. હરિબલનો શ્રદ્ધાથી નિયમ પાલન કહેવાય છે કે ઉત્તમજનો આપત્તિ આવે તોય ડગતો નથી તેવો જ હિરબલ છે. અને પોતાના નિયમને વિચાર, વાણી અને વર્તનથી પાળે છે. શ્રેષ્ઠી હરિબલ અને ધીવર હિરબલ બંનેની અવઢવ વચ્ચે ખૂબ તફાવત છે. એકમાં પાપપંકમાંથી પુણ્ય તરફ ગતિ તો બીજામાં લૌકિક કામના અને 236 * જૈન ાસ વિમર્શ Page #286 -------------------------------------------------------------------------- ________________ રૂપલબ્ધતાના મોહવશ વધુ નીચે પાડવાની ગતિ. વણિકપુત્રની હાલકડોલક પરિસ્થિતિ દર્શાવી છે. નિયમનું મહત્ત્વ – નાનો નિયમ પણ પરિણામ અતિ મહાન અને ભવ્ય હોય છે. કવિ જિનેશ્વર ભગવંતના શાસન દરમિયાનના દાનાદિક કાર્ય અને હરિબલના નાના નિયમના ફલની તુલના કરે છે. નિયમગ્રહણ પૂર્વેની હરિબલની સ્થિતિ તથા તેની વર્તમાન સ્થિતિની તુલના કરતાં કવિ હિંસાના કર્મફલરૂપ અંધાર ઘેરા ભાવિને જીવદયાની દીવીના પ્રકાશે ઝળહળતા કરી શકાય છે. જીવદયા વ્રત એ સાફલ્યની ગુરુચાવી છે. અમૃતનું એક ટીપું વિશાલ જલરાશિમાં પડે તો તે સાગર અમૃત બની જાય. તેમ નાનકડો જીવદયાનો અહિંસાનો નિયમ જીવનને કેટલું સુંદર બનાવી શકે છે. સર્વે જીવો સાથે મૈત્રી કેળવો, અહંકાર અને અજ્ઞાન ધર્મ આડેનું વિબ છે. ધર્મનું પાલન જેવાતેવાથી થતું નથી. દઢતાનો અભાવ અને ચંચલ મન એ ધર્મ આડેનું વિઘ્ન છે. વાંદરાની જેમ એક ડાળથી બીજી ડાળે કૂદકા મારો તેવું મન ધર્મને પામી શકતું નથી. આમ ધર્મ ઉપદેશ ઉપરાંત સામાન્ય જ્ઞાનમાહિતી, બોધ વગેરે કથામાં ગૂંથી લેવાની મધ્યકાલીન રાસસાહિત્યની પરંપરાનુસાર આ કૃતિમાં પણ જ્યાં જ્યાં તક મળી ત્યાં કવિએ એ અંગેની માહિતી આપી છે. આમ કવિ ભાવરત્નસૂરિએ વિક્રમના અઢારમા શતકમાં રચેલી હરિબલ રાસ' નામની આ રાસકૃતિ આપણા મધ્યકાલીન રાસસાહિત્યની એક મહત્ત્વપૂર્ણ સર્જક કૃતિ બની છે. અસ્તુ આ રાસ ડૉ. દેવબાલાબેન સંઘવીના હરિબલ રાસના અપ્રકાશિત શોધ નિબંધને આધારે તૈયાર કર્યો છે. તે બદલ તેમનો હાર્દિક આભાર. સંદર્ભ સૂચિ ૧. હરિબલ રાસ' – ભાવ રત્નસૂરિ – સં. ડૉ. દેવબાલા સંઘવી - સંશોધક ડો. દેવબાલા સંઘવી ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ – મોહનલાલ દલીચંદ દેસાઈ ૩. ગુજરાતી સાહિત્યના સ્વરૂપો – ડૉ. મંજુલાલ મજમુદાર. હરિબલ પાછીપાસ * 237 Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાધુવંદણા રાસ ડો. રશ્મિભાઈ જેઠાલાલ ઝવેરી વિષયપ્રવેશ સાધુ વંદણા' શીર્ષક બે શબ્દોનો બનેલો છે – સાધુ અને વંદણા. પ્રસ્તુત પુસ્તકમાં નિર્મળ સંયમમય જીવન દ્વારા મોક્ષ પામેલા અથવા સુગતિમાં જઈ પરંપરાએ મોક્ષે જનારા છે, એવા પરમ વંદનીય તીર્થકરો, કેવળી ભગવંતો, સાધુજનો અને મહાસતીજીઓને ભાવભરી વંદણા કરવામાં આવી છે. આ આખી કૃતિ ૧૧૦ પદ્યમાં સરળ છંદમાં ગેય રાસ સ્તુતિરૂપે રચાયેલી છે. આ સ્તુતિમાં અનાદિ કાળના થઈ ગયેલા અનંત તીર્થકર ભગવંતો, વર્તમાનમાં ચોવીસમા ઋષભનાથ ભગવાનથી ભગવાન મહાવીર સ્વામી આદિ ચોવીસ તીર્થકરો, સીમંધરસ્વામી આદિ વર્તમાન તીર્થકરો, કરોડો કેવલી ભગવંતો વર્તમાન ચોવીસ જિનપ્રભુજીના ૧૪પર ગણધરો તથા મહાસતીજીઓ, આદિ અનેક મહાન આત્માઓની સ્તુતિ કરવામાં આવી છે. જૈનાગમોમાં અનેક ધર્મકથાઓના અધિકાર બતાવવામાં આવ્યા છે. પ્રસ્તુત રાસમાં નીચેના આગમોની કથાઓ એક કે બે પદ્યમાં સુંદર રીતે વણાયેલી છે. ૧. ઉત્તરાધ્યયન ૨. ભગવતી ૩. જ્ઞાતાધર્મકથા ૪. અંતગડ દશાંગ ૫. અનુત્તરોવાઈ ૬. વિપાક ૭. કલ્પ વસંતિકા ૮. વૃષ્ણિ દશાંગ ૯. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૧૦. સૂત્ર કૃતાંગ આ ઉપરાંત ત્રિશષ્ઠીશલાકાપુરુષ આદિ ગ્રંથોમાં આવેલાં ચરિત્ર વિષે 238 * જૈન રાસ વિમર્શ Page #288 -------------------------------------------------------------------------- ________________ મુક્તકંઠે પ્રમોદભાવના રજૂ કરવામાં આવી છે. આ સર્વે મોક્ષ પધારેલા અથવા મોક્ષગામી મહાત્માઓની સ્તુતિથી આ રાસે પ્રાર્થનાનું સ્વરૂપ પણ લીધું છે. પ્રસ્તુત સાધુવંદણાને “મોટી સાધુવંદણા” કહેવામાં આવે છે. કારણ કે સંવત ૧૮૩૮માં મુનિ આસકરણજીએ “બુર્સી ગામમાં નાની સાધુવંદણાની રચના કરી હતી. એમાં ૧૦ પદ્યોમાં સાધુજી વિષે બહુ સુંદર ગુણ-સ્તુતિ કરવામાં આવી છે. આજે પણ જેનસમાજમાં આને “નાની સાધુવંદણાના નામથી જ ઓળખવામાં આવે છે. આમ સંવત ૧૮૦૭માં મોટી અને સંવત ૧૮૩૮માં નાની સાધુવંદનાની રચના થયેલી છે. રાસના પ્રારંભમાં જ “નમુ અનંત ચોવીસી ઋષભાદિક કહી ધર્મ નાયક – જે ધર્મનું મૂળ છે – ની મહત્તા બતાવી છે. ૧૩મી ગાથાથી કપિલ મુનિવર આદિ ઉત્તમ પુરુષોની સ્તુતિથી શરૂઆત કરી ૧૦પમી ગાથામાં દમયંતી સતી સુધી અનેક સાધુ, સાધ્વી, શુદ્ધ પંચ મહાવ્રતધારી જાતિઓ” અને “સતિઓની અમર ગાથા સંક્ષિપ્તમાં બતાવવામાં આવી છે. રચનાકાર, રચનાકાળ અને રચના સ્થળ આ રાસની રચના “ઋષિ જેમલજી' અથવા જયમલજી મહારાજશ્રીએ રાજસ્થાનના “ઝાલોર' નામના ગામે સંવત ૧૮૦૭ (સન ૧૭૫૧)માં કરી હતી. એમનો જન્મ મેડતા નગરી મારવાડી પાસે આવેલા લાંબીયા ગામમાં વિ.સ. ૧૭૬પ (સન ૧૭૧૯)માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ મોહનદાસ મહેતા અને માતુશ્રીનું નામ મેમાદે મહિમાદેવી) હતું. માતાપિતા ધર્મનિષ્ઠ હતાં. તેમની અસર બચપણથી જ જયમલજી પર પડી હતી. એની ધર્મવૃત્તિને પ્રોત્સાહન મળ્યું. શ્રી ધર્મદાસજી સંપ્રદાયના શ્રી ભૂદરજી મહારાજ તરફથી તેમના સમાગમમાં આવવાથી જુવાન વયે વૈરાગ્યવાસિત બન્યા અને વિ.સં. ૧૭૮૭ના માગસર વદ બીજના દિવસે બાવીસ વર્ષની ભરયુવાન વયે મેડતા ગામમાં જ તેમની પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને તપ અને જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના શરૂ કરી. સોળ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યો. સાથે સૂત્રસિદ્ધાંતનું અધ્યયન પણ કરતા હતા. તેમના તપની વિશિષ્ટતા એ હતી કે પાંચ વર્ષ સુધી પાસું ઢાળીને નિદ્રા લીધી ન હતી. કોઈ વાર બેઠાબેઠા નિદ્રા આવી જતી, આ રીતે શાસ્ત્રનું શ્રી સાધુવંદણા રાસ 239 Page #289 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું. શ્રી જૈન જે. તેરાપંથી સંઘના સ્થાપક આચાર્ય ભીખણજી (ભિક્ષુ સ્વામી)ના એ સમકાલીન હતા. તેરાપંથ સંઘના દ્વિતીયાચાર્ય શ્રી ભારમલજી સ્વામી અને એમના પિતા શ્રી કિમ્બોજીએ શ્રી ભિક્ષુસ્વામી પાસે દીક્ષા લીધી હતી. પણ પાછળથી શ્રી કિશ્મીજીને શ્રી ભિક્ષુસ્વામીએ મુનિ જયમલજીને સોંપી દીધા હતા. શ્રી જયમલજી મહારાજે ૬૬ વર્ષ સુધી અણીશુદ્ધ ચારિત્ર પાળીને ૮૮ વર્ષની વયે સંવત ૧૮૫૩ (સન ૧૭૯૭)ના નાગોર (રાજ.)માં કાળધર્મ પામ્યા હતા. એમની રચેલી આ “સાધુવંદણા” આજે પણ હજારો જૈનો દ્વારા નિયમિત સ્વાધ્યાયના રૂપે ગવાય છે. અને આમ આ કૃતિ અમર બની ગઈ છે. (૩) શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાંથી નીચેના અધિકારો લેવામાં આવ્યા છે. પદ્ય-૧૩ મુનિ ત્રણ પ્રકારથી બોધિ પામે છે. (૧) સ્વયંબુદ્ધ – જેમ કે, કપિલમુનિ. (૨) પ્રત્યેકબુદ્ધ – જે કોઈ એક ઘટના નિમિત્તે બોધ પામે છે. કરકંડુ, દ્વિમુખ, નમિ અને નગ્નતિ. તથા (૩) બુદ્ધબોધિત – જેમ કે સંયત્તિરાજ. ઉત્તરાધ્યયનમાં આ બધાં “બુદ્ધ પુરુષોનું વર્ણન છે. અધ્યયન ૮: શ્રી કપિલ મુનિવર : બે માસા સોનું માગવા ગયેલા કપિલ બ્રાહ્મણને લોભવશ રાજાનું અધું રાજ્ય માંગવાની ઈચ્છા થઈ; પણ તરત જ એમની અંતઃચેતના જાગૃત થઈ અને વિચાર્યું કે જેમ જેમ લાભ વધે છે તેમ તેમ લોભ વધે છે.” અંતે બધું જ ત્યાગી એ કપિલ મુનિવર’ બની ગયા, અને કેવલી થઈ મોક્ષે પધાર્યા. (૨) પદ્ય ૧૩: અધ્યયન ૯ઃ પ્રત્યેક બુદ્ધ શ્રી નમિ રાજર્ષિઃ શરીરના દાહજ્વરને શીતળતા આપવા માટે હજાર રાણીઓના કંકણોનો અવાજ એમને અશાંત કરવાથી બધી રાણીઓએ માત્ર એક જ કંકણ રાખ્યું, અને અવાજ બંધ થઈ ગયો. આ બનાવ પરથી નમિરાજા એકત્વ ભાવના ભાવતાં વૈરાગ્ય પામ્યા અને દીક્ષા લઈ મોક્ષે પહોંચ્યા. પદ્ય ૧૪માં (અધ્ય.૧૨) વર્ણવેલી ચંડાળ કુળમાં ઉત્પન્ન હરિકેશી મુનિની અત્યંત રોચક કથા વર્ણવી છે. આ કથામાં જાતિ મદ, ક્રોધ-કષાય, 240 * જેન રાસ વિમર્શ Page #290 -------------------------------------------------------------------------- ________________ તપ પ્રભાવ, બ્રાહ્મણ ધર્મ, નિગ્રંથ પ્રવચન, આદિનું સુંદર પ્રતિપાદન થયું છે. (૪) પદ્ય ૧૪માં (અધ્યઃ૧૩) ચિત્ત મુનિશ્વરની કથાનો ઉલ્લેખ છે. આ અધ્યયનમાં ચાંડાળ કુળમાં જન્મેલા બે ભાઈઓ – ચિત્ત અને સંભૂતના - જીવનમાંથી સુખદુઃખના ફળવિપાકની રોમાંચક કથા છે. ચિત્તમુનિ ઉત્કૃષ્ટ સંયમ પાળી અનુત્તર સિદ્ધિ ગતિ પામ્યા ત્યારે સંભૂતનો જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી બની અનુત્તર કામ-ભોગોમાં રાચી સાતમી નરકે ગયો. (૫) પદ્ય ૧૫ અને ૧૬માં સૂત્રના ૧૪મા અધ્યયનમાં વર્ણવેલી નીચેના ૬ જીવોના મોક્ષગમનની વાત છે. ઈષકાર રાજ, કમળાવતી રાણી, ભૃગુ પુરોહિત તથા એની પત્ની જશા અને એના બે પુત્રો. આ અધ્યયનનો પ્રતિપાદ્ય વિષય છે – અન્યત્વ ભાવના. (૬) પદ્ય ૧૭થી ૨૨ સુધી સંયતિ રાજા (સૂત્રનું અધ્યયન ૧૮) મુનિ ગર્દભાલિના ઉપદેશથી શિકારીમાંથી સંયમી બને છે. તેની વાતથી અહિંસા ધર્મની મહત્તા બતાવી છે. સંયતિ રાજર્ષિને “ક્ષત્રિય મુનિ મળે છે. એ બેની ચર્ચા આ અધ્યયનમાં આપી છે. તેમાં ભારત આદિ ૧૦ ચક્રવર્તીઓ, કરકંડુ આદિ ૪ પ્રત્યેક બુદ્ધ, દર્શાણ ભદ્ર રાજા, ઉદાયણ, કાશીરાજા શ્વેત, વિજય, મહાબલ અર્ષદ, આદિ નવ નરેશ્વરોનું વર્ણન છે. આ ઉપરાંત આ અવસર્પિણી કાળમાં અચલ આદિ આઠ બળભદ્રો (રામ) મોક્ષે ગયા અને બળભદ્રમુનિ પાંચમે દેવલોક ગયા એમ બતાવ્યું છે. પદ્ય ૨૩મા (અધ્ય ૧૯) મૃગાપુત્રના માતા-પિતા દ્વારા શ્રમણ ધર્મની દુષ્કરતા અને મૃગાપુત્ર દ્વારા સંયમ લેવાની દઢતાનો પરિચય મેળવે છે. પદ્ય ૨૪માં સમુદ્રપાલ મુનિ (અધ્ય. ૨૧) ચોરને જોઈને પણ સંવેગ પામે છે. એ જ પદ્યમાં રાજીમતિ સતીજી અને ભગવાન અરિષ્ટનેમિના અનુજ રથનેમિ મુનિ (અધ્ય. ૨૨)ની અત્યંત રોમાંચક કથાનો ઉલ્લેખ છે. એ જ પદ્યમાં પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના શ્રી કેશી શ્રમણ અને ભગવાન મહાવીરના ગણધર ગૌતમસ્વામીના પ્રશ્નોત્તરથી (અધ્ય. ૨૩) એમ દર્શાવવામાં આવ્યું છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ભિન્ન ભિન્ન આચારવેશ આદિ હોવા છતાં જિન માર્ગ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધનાનો જ છે. પદ્ય ૨૫માં જયઘોષ અને વિજયઘોષ (અધ્ય. ૨૫) દ્વારા સ્થીરીકરણનું અનુપમેય દૃષ્ટાંત રજૂ કરાયું છે. એ જ પદ્યમાં શિષ્યાદિનું મમત્વ છોડી શ્રી સાધુવંદણા રાસ 241 Page #291 -------------------------------------------------------------------------- ________________ આત્મકલ્યાણ કરનાર ગર્ગાચાર્યનો (અધ્ય.૨૭) ઉલ્લેખ છે. આમ આ પદ્યમાં એકત્વાદિ વૈરાગ્યની ભાવનાઓ, સંતોષ ધર્મ એકત્વાદિ સંયમ લેવા ફળની નહીં પણ વૈરાગ્ય અને આચારની મહત્તા, નિદાન નિષેધ, અહિંસા, પાલન, નિમિત્તથી ઉત્પન્ન થતું વૈરાગ્ય, સ્વયંબુદ્ધ પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત સંયમમાં સ્થિરીકરણ, જ્ઞાનદર્શન-ચારિત્ર એ જ મોક્ષ માર્ગ. આદિ વિષયોને ભગવાન મહાવીરની અંતિમ દેશના રૂપ આગમમાંથી લેવામાં આવતા આ વંદણા અનુપમ સ્વાધ્યાય અને વૈરાગ્યનું નિમિત્ત બને છે. (૪) આ પછી પદ્ય ર૭થી ૩૮ સુધી શ્રી ભગવતી સૂત્રના આધાર નીચેના અધિકારો લેવામાં આવ્યા છે. ૧. ખંધક સન્યાસી શતક ૨/૧ ૨. ઋષભ દત્ત – દેવાનંદા શતક ૯/૩૩ ૩. સુદર્શન શેઠ શતક ૧૧/૧૧ ૪. શિવરાજ ઋષિ અને ગાંગેય અણગાર શતક ૧૩/૩ર ૫. જયંતિ શ્રાવિકા શતક ૧૨/૨ ૬. સતી સુદર્શના ૭. કાર્તિક શેઠ ૮. ઉદાયન રાજર્ષિ ૯. ગંગદત્ત ગાથાપતિ ૧૦. આણંદ મુનિ ૧૧. સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારો ૧૨. સિંહ અણગાર ૧૩. રોહ અણગાર. જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો જૈનદર્શનમીમાંસા અને વૈજ્ઞાનિક તત્ત્વો જેવા અનેક વિષયોને ઉજાગર કરનાર શ્રી ભગવતી સૂત્રમાંથી લીધેલી ઉપરની કથાઓનું સ્વાધ્યાય કરવાથી નીચેનાં તથ્યો જાણવા મળે છે. લોક-જીવ વગેરે શાશ્વત કે અશાશ્વત, માતા-પિતાને ધર્મમાર્ગે ચડાવી એમનું ઋણ ચૂકવવું, કાળના ચાર ભેદ, તેજલેશ્યા આદિ. (૫) ત્યાર બાદ ધર્મકથાનુયોગ – આગમ-જ્ઞાતા-ધર્મકથાની નીચેની કથાઓ પદ્ય ૩૯થી ૫૪ સુધી લેવામાં આવી છે. ૧. મુનિ મેઘકુમાર અધ્ય. ૧ 242 * જૈન રાસ વિમર્શ Page #292 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૫ ૨. થાવરચા પુત્ર ૩. શુકદેવ સંન્યાસી અધ્ય. ૫ ૪. શૈલક રાજર્ષિ અને પંથક મુનિ અધ્ય. ૫ અધ્ય. ૯ ૫. જિનપાલ મુનિવર ૬. ધન્ના શેઠ અધ્ય. ૨ ૭. ધન્ના સાર્થવાહ અધ્ય. ૧૮ ૮. જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાન અધ્ય. ૧૨ ૯. કેતલી મુનિવર અધ્ય. ૧૪ ૧૦. પાંચ પાંડવ અને દ્રૌપદી અધ્ય. ૧૬ અધ્ય. ૧૬ ૧૧. મુનિ ધર્મઘોષ અને ધર્મચિ ૧૨. પુંડિક કંડિક અધ્ય. ૧૯ આ કથાઓ નીચેના તથ્યો ઉજાગર કરે છે શ્રી જીવદયા,, સ્થિરીકરણ, જરા અને મરણ રોકવાનો એક જ માર્ગ છે. ભગવતી દીક્ષા, ધર્મનું ફળ શૌચ નહીં પણ વિનય છે, મોહથી પરાજિત થના૨ સંસાર-સાગ૨માં ડૂબે છે પણ જે મોહને જીતે છે તે તરી જાય છે. શરીરને અન્નરૂપી ‘ભાડું’ સંયમના નિર્વાહ માટે જ આપવું; તપસ્યામાં પણ માયા-કપટ કરવાથી સ્ત્રીવેદનું આયુષ્ય; મળમૂત્રથી ભરપૂર દેહનો મોહ ત્યાગવા યોગ; પુદ્ગલની પર્યાયો બદલાતા રહે છે; જૈન સાધુ-સાધ્વીજીએ સંસારના કામ માટે મંત્ર-તંત્ર ન આપવાનો આદેશ; સત્તા, સંપત્તિ અને સન્માન હંમેશાં રહેતાં નથી; તપસ્વી સંતને ઝેરી (કે અસુઝતુ) અન્નનું દાન દેવાથી જીવ અનંતકાળ સુધી અશુભ યોનિઓમાં જન્મ લે છે; તપસ્યા તો એકાંત નિર્જરા માટે – મોક્ષ માટે જ કરાય, એનું નિયાણું ન કરાય; કામ-ભોગોની આસક્તિ અત્યંત દુઃખ દેનારી છે, આદિ. (૬) ત્યાર પછી પદ્ય ૫૫ થી ૭૭ સુધીમાં નીચેની કથાઓનો સમાવેશ ક૨વામાં આવ્યો છે. જે બધી ‘અંતગડ’ (અંતકૃત દશાંગ) સૂત્રમાંથી લીધેલી છે. આ ‘અંતકૃત કેવલીઓ”ની કથાઓમાં ૯૦ ભવ્ય આત્માઓ બધાં કર્મોનો ‘અંત’ કરી સંયમની “દશા” પ્રાપ્ત કરી એ જ ભવમાં મુક્તે પધાર્યા છે, એનો ઉલ્લેખ છે. ૧. ગૌતમકુમાર આદિ ૧૮ ભાઈઓ ૨. અનેકસેન આદિ ૬ ભાઈઓ શ્રી સાધુવંદણા રાસ * 243 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૩. દારુક આદિ ૬ ભાઈઓ ૪. ગજસુકુમાર મુનિ ૫. જાલીકુમાર આદિ ૬. સત્યનેમિ અને દઢનેમિ ૭. શ્રીકૃષ્ણની ૮ પટરાણી પદ્માવતી આદિ) અને એમની સાથે શ્રીકૃષ્ણના અનેક પુત્રો, મૂળશ્રી આદિ બે પુત્રવધૂઓ ભગવાન નેમિનાથ પાસે દીક્ષા લઈને મોક્ષે ગયા. ઉપરના બધા જ પુણ્યાત્માઓ શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ તે જ ભવે મોક્ષ પામ્યા હતા. ૮. અર્જુનમાળી ૯. બાલકુંવર આઈમુત્તા (અતિમુક્તક કુમાર) જે ૯ વર્ષની બાલવયે જ મુક્તિ પામ્યા. ૧૦. શ્રેણિકની કાલી આદિ દસ રાણીઓ પુત્રવિયોગે દીક્ષા લઈ એક એકથી ચડતી તપસ્યા કરી મુક્ત પહોંચી. ૧૧. શ્રેણિક રાજાની નંદા આદિ ૧૩ રાણીઓએ મહાસતી ચંદનબાળ પાસે દીક્ષા લીધેલી. આ બધા ભાગ્યશાળીઓ ભગવાન મહાવીર પાસે બોધ પામી મોક્ષે ગયાનું વર્ણન કરાવાયું છે. આ પ્રમાણે અંતગડ સૂત્રમાં આઠ વર્ગના થઈને ૯૦ મહાપુણ્યશાળી જીવોનો અધિકાર છે. લગભગ રાજકુળમાં જન્મેલા આ બધા મહાત્માઓ નેમપ્રભુ અથવા મહાવીર સ્વામીની દેશનાથી બોધ પામી કઠિન તપસ્યા કરી કે કઠિન ઉપસર્ગ સહી મહાનિર્જરા કરી તે જ ભવે અથવા એકાવતારી થઈ મોક્ષગામી થયા છે. (૭) શ્રી અનુત્તરોવાઈને આધારે પદ્ય ૭૮થી ૮૩ પદ્યોની રચના કરવામાં આવી છે. આમાં નીચેના મોક્ષગામી જીવોનો ઉલ્લેખ છે. ૧. શ્રેણિક રાજાના જાલી કુમાર આદિ ૨૩ કુમારોએ અને દીર્ઘસેન આદિ ૧૩ કુમારોએ ગુણરત્ન સંવત્સર તપ કર્યું હતું. ૨ કાકંદીના રાજકુમાર ધનાએ ૩૨ રાણીઓનો ત્યાગ કરી દીક્ષા લઈને ઉત્કૃષ્ટ તપ કર્યું. જેના વખાણ સ્વયં મહાવીર સ્વામીએ કર્યા હતા. ધન્ના અણગારની જેવા જ સુનક્ષત્ર આદિ. નવ અણગારો પણ મહા નિર્જરા કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા હતા. 244 * જૈન રાસ વિમર્શ Page #294 -------------------------------------------------------------------------- ________________ આ બધાં પદ્યોમાં નિજ તપની મહત્તા દર્શાવવામાં આવી છે. (૮) ત્યાર બાદ વિપાક સૂત્રની સુબાહુકુમાર અને એમના જેવા અન્ય ભદ્રનન્દિ આદિ કુમારોની કથા પદ્ય ૮૪ અને ૮પમાં લેવામાં આવી છે. ભગવાન મહાવીરની દેશના સાંભળી આ દશે અતિ પુણ્યશાળી રાજકુમારો પ્રત્યેક) પાંચસો પાંચસો રાણીઓનો ત્યાગ કરી શુદ્ધ સંયમ પાળી દેવલોક જઈ અંતે મોક્ષે જશે. | (૯) ત્યાર બાદ પદ્ય ૮૬-૮૭ શ્રી કષ્પવડિંસીયા સૂત્રમાંથી શ્રી પદ્મકુમાર આદિ શ્રેણિક રાજાના દસ પૌત્રોની કથા છે જે બધાએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધેલી છે, અને અંતે મોક્ષે જવાના છે. (૧૦) ત્યાર બાદ શ્રી વલિ દશા સૂત્રમાંથી બળભદ્ર (શ્રીકૃષ્ણના ભાઈ)ના નિષધકુમાર આદિ દસ પુત્રોની કથા પદ્ય ૮૮-૮૯માં લેવામાં આવી છે. આ દસે મહાત્માઓ શ્રી નેમપ્રભુ પાસે સંયમ લઈ સર્વાર્થસિદ્ધ વિમાને ગયા છે, અને અંતે મોક્ષે જશે. (૧૧) ત્યાર બાદ પદ્ય ૯૦થી ૯૭ સુધી નીચેની કથાઓ લીધી છે જેનો આધાર વિવિધ ગ્રંથો છે. (૧) ધના અને શાલિભદ્ર (૨) જંબુસ્વામી (૩) પ્રભવ સ્વામી () ઢંઢણ મુનિવર (૫) સુંદક ઋષિ અને એમના ૫૦૦ શિષ્ય. (૬) ભદ્રબાહુ સ્વામી અને ચંદ્રગુપ્ત મૌર્ય (રાજર્ષિ) આમાંની પ્રત્યેક કથા અત્યંત રોચક અને મહત્ત્વની છે. પદ્યમાં આર્દ્રકુમાર મુનિ (સૂત્ર કૃતાંગ સૂત્ર) સ્થૂલભદ્ર મુનિ, નંદિષેણ મુનિ, આરણિક મુનિ અને અઈમુત્તે મુનિ (શ્રી ભગવતી સૂત્રનો અધિકાર - પ્રસ્તુત ગ્રંથમાં પદ્ય ૭૦)ની કથાનો ઉલ્લેખ છે. પદ્ય ૯માં કહ્યું છએ કે ચોવીસ તીર્થકરોના મુનિઓની સંખ્યા અઠાવીસ લાખને અડતાલીસ હજર હતી. ૧૨. ત્યાર બાદ પદ્ય ૧૦૦થી ૧૦૫ સુધી મહાસતીજીઓનો ઉલ્લેખ છે. મરુદેવી માતા, બ્રાહ્મી સુંદરી, ચેડા (ચેટક) રાજની પ્રભાવતી દેવી આદિ સાત પુત્રીઓ, સતી દમયંતિ, રાજીમતિજી, વિજયા, મૃગાવતી, પદ્માવતી, શ્રી સાધુવંદણા રાસ * 245 Page #295 -------------------------------------------------------------------------- ________________ મયણરેહા, દ્રોપદી આદિ મહાસતીજીઓનો ઉલ્લેખ છે. આ પદ્યોમાં એમ પણ બતાવવામાં આવ્યું છે કે ચોવીસ તીર્થકરોની સર્વ સાધ્વીજીઓ અડતાલીસ લાખ અને સિત્તેર હજાર આઠસો હતી. અંતિમ ૧૦૬થી ૧૧૦ પદ્યોમાં સંત જયમલજી પોતાના નામનો, રચના સ્થળનો, રચનાકાળનો ઉલ્લેખ કરી સાધુવંદણામાં ઉલ્લેખિત સંત સતી-જાતિ આદિની ભક્તિ કરી ૧૧ સ્વાધ્યાય કરવાની પ્રેરણા આપે છે. ઉપસંહાર આગમ આધારિત અને જ્ઞાની આચાર્યો દ્વારા ગ્રંથોમાં ઉલ્લેખિત અનેક સંતપુરુષોના નામ અને કર્તુત્વ દ્વારા દાન, શીલ, તપ, ભાવ-રૂપ ધર્મ-ધર્મનો મહિમા બતાવવામાં આવ્યો છે. આવાં સુંદર અને મહત્ત્વના રાસાસાહિત્ય ઉપર વિશેષ વિવેચન કે ટીકા સાહિત્ય ઉપલબ્ધ નથી. શ્રી રસિકલાલ છગનલાલ શેઠે વડોદરાથી “શ્રી મોટી સાધુ વંદણા' નામના ૧૬૬ પૃષ્ઠ લઘુપુસ્તકમાં આના પર સુંદર વિવેચન કર્યું છે. અને મોટા ભાગની કથાઓ સંક્ષિપ્તમાં આપી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમા અધ્યયનમાં અત્યંતર તપના છ પ્રકારો બતાવવામાં આવ્યા છે. એમાં સ્વાધ્યાય એક છે. (સૂત્ર ૩) સૂત્ર ચોવીસમાં સ્વાધ્યાયના પાંચ પ્રકારો કહેવામાં આવ્યા છે – વાચના (અધ્યાપન) પૃચ્છના, પરિવર્તના પુનરાવૃત્તિ) અનુપ્રેક્ષા (અર્થચિંતન) અને ધર્મકથા. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૭મા અધ્યાયના ૧૯મા સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે સ્વાધ્યાય સૂત્ર વડે જીવ જ્ઞાનાવરણીય કર્મને ક્ષીણ કરે છે. કાંક્ષા-મોહનીય કર્મનો નાશ કરે છે. વ્યંજન-લબ્ધિ (વર્ણ-વિદ્યા)ને પ્રાપ્ત કરે છે, તથા ધર્મકથા વડે પ્રવચન (આગમ)ની પ્રભાવના કરી કલ્યાણકારી ફળ આપનાર કર્મોનું પુણ્યનું) ઉપાર્જન કરે છે. આમ આ સાધુવંદણાનો સ્વાધ્યાય કરવાથી આગમ કથાઓનું જ્ઞાન, સંયમની પ્રમોદભાવના, આદિ નિર્જરાથી કર્મોનો ક્ષય થાય છે. સંપાદકીય નોંધ : શ્વેતાંબર પરંપરામાં ચંદ્રગુપ્તની દીક્ષાના ઉલ્લેખ વિશેષરૂપે મળતા નથી, પણ આ “સાધુવંદનામાં દૃષ્ટિગોચર થાય છે, એ વિશેષ છે. આ સાધુવંદનામાં વિવિધ આગમોની કથાઓનો સુંદર સંચય કરવામાં આવ્યો છે. 246 * જૈન રાસ વિમર્શ Page #296 -------------------------------------------------------------------------- ________________ અંજના સતીનો રાસ (કત-અજ્ઞાત) પરિચય કર્તા: કોકિલા મહેન્દ્ર શાહ શ્રી અંજના સતીનો રાસના કર્તા અજ્ઞાત છે. તેનું સંપાદન અને સંશોધન પૂ.આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલ છે. તેઓ) તપોમૂર્તિ પૂ.આ. શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર હાલારદેશોદ્ધારક પૂ.આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ.આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે તેમનો ઉલ્લેખ છે. અને તેના પ્રકાશક તરીકે શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ-શાંતિપુરી (સૌરાષ્ટ્ર)નો ઉલ્લેખ છે. કવિએ તેના દોહા અને ઢાળનો ઉપયોગ કરેલ છે. દોહા દ્વારા કવિને જે તત્ત્વ પર ભાર મૂકવો છે તે જણાવે છે અને ઢાળ દ્વારા તે વર્ણન કરે છે. આ રાસ બાવીસ ઢાળમાં વિભક્ત છે. તેમાં અંજના સતીનો મુખ્ય ગુણ શિયળ ઉપર ભાર આપી તેના દાનગુણ, દયાગુણ વગેરેનો પણ ઉલ્લેખ છે. પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર શીર્ષક આપ્યું છે “શ્રી અંજના સુંદરી રાસ” અને અંદરના પૃષ્ઠ ઉપર શીર્ષક આપ્યું છે “શ્રી અંજના સતીનો રાસ”. રાસની શરૂઆત દોહાથી થાય છે જેમાં કવિ શિયલ ગુણ પર ભાર મૂકે છે. શીયલ સમોવડ કોઈ નહીં, શીયલ સબલ આધાર; શિવસુખ પામે શીયલ, પામે ભવનો પાર. જીવ જગતમાં ઉદ્ધરયા, જેહનું અવિચલ નામ; શીયલવતી અંજના તણો, ચસ ભણું અભિરામ. ઢાળ પહેલી પ્રથમ ભવદુઃખ ભંજન ભગવંતને નમન કરી કવિ કહે છે કે હું સતી અંજનાનો રાસ કહીશ, જે સતી દાન, દયા ગુણ તથા શિયલગુણસંપન્ન છે અને તે વિરહિણી બનતાં વૈરાગિણી બને છે અને પછી સંયમ લઈને દેવલોક ગઈ છે એવી સતી શિરોમણિ અંજનાના રાસની વિષયવસ્તુ છે. શરૂઆતમાં બધી સતીઓનાં નામ અને તેમની વિશેષતાઓનું વર્ણન કરે છે. કવિ કહે છે ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી કામભોગની અંજના સતીનો રાસ 247 Page #297 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા વગ૨ જ બાલપણે વનમાં તપ કરવા ગઈ, મેઘ સેનાપતિની પત્ની સતી સુલોચના, સીતા, સંસારત્યાગ કરનાર સતી રાજેમતી, મહાવીરને આહા૨ દેનાર સતી ચંદનબાલા, દમયંતી, મદાલસા, મયણરેહા વગેરે સતીઓને વંદન કરીને હવે હું અંજનાના ગુણ કહીશ, અંજના વિદ્યાધરના વંશમાં મહેન્દ્રપુરી નગરીના રાજા મહેન્દ્ર અને પટરાણી મનોવેગાની કુક્ષીએ ઉત્પન્ન થયેલ સો બાંધવની એક જ બેનડી હતી. તે સુંદરી સર્વવિદ્યા ભણીને જેમ ચંપકવેલ દિન પ્રતિદિન વધે છે તેમ સહુ સ્વજનની પ્રિય સુંદરી મોટી થતી જાય છે. દોહા. તે સુંદરી જૈન માર્ગને અનુસરતી ભરજોબનમાં પ્રવેશ કરે છે. એક વખત તે શણગાર સજી પિતાની પાસે જાય છે ત્યારે તેનું ભરજોબન જોઈ પિતા વિચારે છે કે આ મારી વહાલસોયી પુત્રી હું કોને પરણાવું? ઘર અને વર બન્ને જો સરખા મળે તો જ જગતમાં યશ મળે. ઢાલ બીજી ત્યારે રાજા પ્રધાનને બોલાવીને અંજના માટે કોઈ સારો વર શોધવા કહે છે. એક કહે છે કે રાવણને આપો, તો બીજો કહે છે કે મેઘકુમારને આપો. પછી મેઘકુમારની વિશેષતાનું વર્ણન કરતાં કહે છે કે તે રૂડો વર છે, અઢારમે વર્ષે તપ કરી છવ્વીસમા વર્ષે મોક્ષ પામશે તેથી રાજા કહે છે કે તેથી તો કન્યાને સુખ નહીં પણ અતિ દુ:ખ ઊપજશે તેથી તેનો વિચાર છોડી દો. ત્યાર પછી રતનપુરીના રાજા વિદ્યાધર પ્રલ્હાદના પુત્ર પવનજી સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. અંજનાના રૂપગુણ વિષે દેશ-વિદેશમાં બધે ખ્યાતિ ફેલાઈ હતી. પવનજી તેના મિત્રને કહે છે કે આપણે જઈને અંજનાનું રૂપ જેઈએ. પુરોહિત નીચી દૃષ્ટિ રાખીને બેઠા છે ત્યારે પવનજી અંજનાનું રૂપ નિરખતાં કહે છે કે તેનાં દર્શન દેવાંગના સમાન છે. બોલે છે તો સુલલિત વાણી બોલે છે, તે મૃગાક્ષી, ચંપકવરણી છે. પછી અંજના વસ્ત્રાભૂષણથી શણગાર સજી સિંહાસને બેસે છે તો સખી તણા વૃંદ સાથે તે તારામાં જેમ પૂનમનો ચાંદ શોભે છે તેમ તે શોભે છે. ત્યારે અંજનાની સખી વસંતમાલા કહે છે કે બન્નેનું જોડું ખૂબ જ યોગ્ય છે, જેવા પવનજી છે તેવી જ અંજના નારી છે. તો બીજી સખી કહે છે કે પહેલાં જે વર મનમાં ચિંતવ્યો હતો 248 * જૈન રાસ વિમર્શ Page #298 -------------------------------------------------------------------------- ________________ જ નથી તેવો આ પવનજી નથી, પહેલાં ચિંતવેલ વર અઢારમા વર્ષે તપ કરી, પાંચ ઇન્દ્રિયોને જીતશે અને છવ્વીસમા વર્ષે મોક્ષ પામશે તેથી કન્યાને વરનું દુઃખ ઊપજે તેથી કરીને તે વિવાહ નક્કી નથી કર્યો. ત્યારે અંજના તો સહજ ભાવે એમ કહે છે કે તે નરનો અવતાર તો ધન્ય છે. તે પોતાના કર્મની નિર્જરા કરીને વહેલો ભવપાર ઊતરશે. હું તો તે પૂજ્યને પામવંદન કરી બે કર જોડીને શીશ નમાવું છું. આટલું સાંભળતાં જ પવનજીને ક્રોધ ચડ્યો અને તે તો ધનુષ ચડાવીને બાણનું સંધાન કરે છે અને કહે છે કે આ તો પરપુરુષના વખાણ કરે છે, મારા અવગુણ બોલે છે. ત્યારે મંત્રીએ તેમને પગે લાગીને તેમ ન કરવા વિનંતી કરી અને કહ્યું કે નારીને નર જોર કરીને ઘાત ન કરે. બસ આ જ વાત પવનજીના મનમાં શલ્ય બની જાય છે. જે અંજનાની જિંદગીમાં દુઃખરૂપ બની જાય છે. પવનજી મનમાં વિચારે છે કે તેનું ચિત્ત શુદ્ધ નથી, તે પાપિણી છે. પરાયા પુરુષમાં તેનું મન રમે છે. જો હું તેને મૂકી દઉં તો તેને તો ઘણા વર મળી જશે, પરંતુ હું તેને પરણીને પછી પરિહરું એના જેવી કોઈ જ સજા નથી. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. વાજિંત્રોના નાદ સાથે ધામધૂમથી પવનજી આવે છે ત્યારે મહેન્દ્ર રાજા તેનું સામૈયું કરે છે અને સાસુજી હોંશે હોંશ પોંખણાં કરે છે. અંજનાની સખીઓ વરને જોવા જાય છે, પરંતુ પવનજીના મનમાંથી શલ્ય ગયું નથી તેથી તેમને તો અંજનાનું નામ સાંભળતાં તો શીશ ચટકો ચઢે ને નામ લેતાં હડહડ તાવ ચડે છે. પછી લગ્નમંડપનું વર્ણન કરતાં કવિ કહે છે કે રૂપાનો મંડપ ને સોનાના કળશ અને સોનાની વેલ છે, સોપાનના પાયામાં મોતી જડ્યાં છે. ત્યાં અંજનાને પવનજીના લગ્ન થઈ ગયાં છે, પહેરામણીમાં પિતાએ તેને ઘણા હાથી, રથ, ઘોડા, ધન, કંચન, મોતી, રત્નો તથા સાથે વસંતમાલા આદિ પાંચસો સખીઓનું વૃંદ આપ્યું. પછી રતનપુરી આવે છે ત્યારે અંજના સાસુ-સસરાના પાય પૂજી અમૂલ્ય આભરણને રત્ન આપે છે. દોહા પવનજી અંજનાને પરણીને સાપની કાંચળીની જેમ તેને છોડી દે છે. કવિ સુંદર શબ્દોમાં કહે છે “અહિ તણી કાંચલીની પરે, ફરી ન પૂછી સાર' અંતર હેત હવે નહીં તો નયનાં નેહ ન હોય. નેહ વિહૂણી તેહની, વાત ગમે નહી હોય.” અંજના સતીનો રાસ * 249 Page #299 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ત્રીજી રાજાએ વહુને મોટો મહેલ આપીને કહ્યું કે તમે અહીં લીલાલહેર કરો. પરંતુ પવનજી તો અંજનાની સામે દૃષ્ટિ પણ નથી કરતા. અંજનાના પિયરથી સુખડી અને વસ્ત્ર આભરણ આવ્યા હતા તે વસંતમાલા સાથે મોકલે છે, પરંતુ પવનજી તેને તિરસ્કૃત કરે છે. આ સાંભળતાં અંજનાની આંખમાં આંસુ આવે છે કે હું ક્યાં ભક્તિ ચૂકી? પરંતુ તેને તેમાં પણ પવનજી નિર્મળ દેખાય છે, તે તો પોતાના કર્મનું જ ફળ તેને જાણે છે. દોહા અહીં કવિ અંજનાની વિરહિણી દશાનું વર્ણન કરે છે. કવિ કહે છે કે પ્રીતમ વિણ વલખી ફરે, જલ વિણ નાગરવેલ, વણજારાની પોઠ જવું, ગયો ધુખંતી મેલ.’ ઢાળ ચોથી અંજના પોતાના મહેલમાં બેઠી બેઠી પવનજી ઘોડેસવારી કરતા જતા હોય છે તે જોઈને ખુશ થાય છે. પવનજીને આ ખબર પડતાં તેમણે ગોખ આગળ ભીંત કરાવી અને રાજા પ્રહ્લાદે અંજનાને પાંચસો ગામ આપ્યા હતા તે પવનજીએ લઈ લીધા. તે સમયે રાજા રાણી તો અંજનાને સતી સુલક્ષણી માની તેનો આદર કરે છે, અને પુત્રને વર્ષે છે. અંજનાના પિયરથી આણાં આવે છે, તેને તેડવા મોટો ભાઈ આવે છે, પરંતુ અંજના તેને પાછો વાળે છે. આમ ને આમ બાર વરસ વીતી ગયાં. પછી રાવણ અને વરુણ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે રાજા વિદ્યાધર પ્રહ્લાદને તેડું આવે છે, પરંતુ તે સમયે પવનજી કહે છે કે યુદ્ધમાં તો હું જઈશ. અંજનાને આ સમાચાર મળતાં તે શકુનના નિમિત્તે દહીં લઈને પતિને વંદન કરવાની ઇચ્છાથી માર્ગમાં ઊભી રહે છે. પવનજી માતાપિતાને શીશ નમાવી હાથી પર બેસી યુદ્ધમાં જવા નીકળે છે ત્યારે ભીંતના ઓઠે ઊભેલી અંજનાને જોતાં તેમને તો કોઈ ચિતારાનું ચિત્રામણ લાગે છે. તેથી મંત્રીને પૂછે છે કે આવી રંભા જેવી પૂતળી કયા ચિતારાએ ચીતરી છે, ત્યારે મંત્રી કહે છે કે તે પૂતળી નથી પરંતુ અંજના નારી છે. આ સાંભળી રાજ ગુસ્સે થઈ તેને ઠેલો (ધક્કો) મારીને જાય છે, ત્યારે વસંતમાલા અંજનાને ઊભી કરી અંદર લઈ જાય છે અને કહે છે કે તમારો નાથ તો મૂર્ખ લાગે છે ત્યારે અંજના તેને ગાળ દેવાની 250 * જૈન રાસ વિમર્શ Page #300 -------------------------------------------------------------------------- ________________ ના કહે છે પરંતુ તેને દુઃખ થાય છે કે તેણે શ્વસુરપક્ષના લોકો વચ્ચે મારી લાજ લીધી હોય તો હું સાસુને મુખ કેમ બતાવીશ? અંજના મનમાં વિચારે છે કે હું જિનનું નામ લઈશ અને અવસર આવતાં સંયમ લઈશ. પવનજી મંત્રીને કહે છે કે જેનું મન પરાયા પુરુષમાં ૨મે છે એને મેં ચકવીની જેમ ગામમાં મૂકી દીધી છે ત્યારે મંત્રીજી રાજાને વિનવતા કહે છે કે તમે મનમાં આવો ભ્રમ ન રાખો, તેના વચન ૫૨ રીસ રાખીને એમ ન માનો કે તે પરાયો પુરુષ વાંછે છે. તે તો એકદમ શિયળનું પાલન કરતી જાણે મોક્ષગામી જતી હોય તેમ આચરણ કરી રહી છે. દોહા મંત્રીના વચન સાંભળી રાજાનું ચિત્ત કોમળ થયું અને મંત્રીને કહે છે કે ફક્ત તેના વચન ઉપરથી મેં તેને દુભાવી છે, મારા મનમાં તે પ્યારી વસે છે. ઢાલ પાંચમી પવનજી મિત્રને કહે છે કે જે હું હમણાં યુદ્ધમાં જાઉં તો નારી માનું પાપ લાગે અને જો પાછો વળું તો પ્રજામાં હાસ્યાસ્પદ બનું. ત્યારે મિત્ર કહે છે કે આપણે છાનામાના જઈશું અને સેનાપતિને કહે છે કે અમે જાત્રા કરીને આવીએ ત્યાં સુધી તમે સૈન્યને સંભાળજો. છૂપી રીતે આવીને અંજનાના કમાડ ઠોક્યાં ત્યારે વસંતમાલા ઉતાવળમાં ગાળ બોલતી કહે છે કે શૂરા પુરુષ તો કટકે ગયા છે, લંપટ લોક રખવાલ રહ્યા છે તો હું સવારે રાજાને કહી તેની ખાલ કઢાવીશ. ત્યારે પુરોહિત મંત્રી કહે છે કે એ તો અંજનાના પતિ છે. વસંતમાલા આવીને નિહાળે છે અને કહે છે સતી સામાયિકમાં છે તેથી હમણાં થોડી રાહ જુઓ. ધર્મક્રિયા કરી અંજના આવે છે ત્યારે પવનજી તેની ક્ષમા માગે છે ત્યારે અંજના કહે છે, સ્વામી! એમ ન બોલો. જેવી પગની મોજડી તેવી પુરુષની નાર. ત્રણ દિવસ તેઓ અંજનાને ઘરે રહ્યા તેટલામાં તો અંજનાએ રાજાનું ચિત્ત હરી લીધું. અંજના પવનજીને કહે છે કે તમે જે પ્રચ્છન્ન ગતિએ આવ્યા તે રાજા રાણીને જણાવજે. પવનજી વસંતમાલાને અંજનાનું ધ્યાન રાખવાની ભલામણ કરે છે તેઓ મંત્રીને રાજ્યનું ધ્યાન રાખવા કહે છે અને રણમાં પૂંઠ ન બતાવતાં, યુદ્ધ કરતાં મરણ આવે તો તે ભલું પણ હાર ભલી નહીં અને રાજાને કહે છે જેમ શ્રાવણ માસે અંજના સતીનો રાસ * 251 Page #301 -------------------------------------------------------------------------- ________________ મેહની વાટ જોઈએ તેમ હું તમારી વાટ જોઈશ. દોહા. કવિ કહે છે કે રાજકુમા૨ જે યુદ્ધમાં ભાગે તો બે કુળને લાંછન લાગે, મરવું તો એક જ વાર છે, માટે કાયર બનવું નહીં. ઢાલ અંજનાને થાય છે કે તેણે કંથને કઠિન વચન કહ્યાં તેથી તેને રડવું આવે છે ત્યારે વસંતમાલા તેને ધીરજ આપી સામાયિક કાલની યાદ દેવડાવે છે. પછી તો અંજનાના દિવસો સામાયિક, પ્રતિક્રમણ કરતાં, ચૌદ નિયમ તથા બાર વ્રતનું પાલન કરતાં, બાર ભાવના ચિંતવતાં અને સજ્ઝાય કરતાં અંજનાના દિવસો જાય છે. દોહા આ બાજુ પવનજી રાવણનો આદેશ લઈ વરુણ પર ચઢાઈ કરે છે બીજી બાજુ અંજનાને ગર્ભ રહે છે ત્યારે સાસુ કેતુમતી કહે છે કે પવનજી તો પરદેશમાં છે અને વહુએ પેટ વધાર્યું છે અમને તેની ઉ૫૨ શંકા કરે છે. ઢાલ છઠ્ઠી : અંજના તો ઉદરે ઓધાન જાણીને ખૂબ દાન કરે છે. દીન દુઃખિયાની સંભાળ લે છે. પછી તેની સાસુ કેતુમતી તેને ત્યાં મળવા આવે છે, અંજના સાસુનો સત્કાર કરે છે. તેમના ચરણ પખાળીને નીર પીએ છે. કેતુમતીને વહુનો દેહ જોઈને શંકા જાય છે અને તેને પૂછે છે કે તારે ઉદરે ઓધાન છે કે વિકાર? ત્યારે અંજના તેમને બધી સત્ય હકીકત જણાવી કહે છે કે તેઓ ત્રણ દિવસ મારે ત્યાં રહ્યા હતા તેથી મારે સાતમો માસ ચાલી રહ્યો છે. દોહા સાસુ તે જૂઠ્ઠું બોલે છે એમ કહી તેને પાપિણી, કુના૨ વગેરે કહી તેને ધિક્કારે છે. સાસુની વાત સાંભળી અંજનાને મૂર્છા આવી જાય છે. અંજના કહે છે કે સાસુજી, મેં કોઈ કુકર્મ નથી કર્યું. ઢાલ સાતમી વહુના વચન સાંભળીને કેતુમતીને ગુસ્સો આવે છે અને કહે છે કે 252 * જૈન ાસ વિમર્શ Page #302 -------------------------------------------------------------------------- ________________ તું આજ સુધી અળખામણી હતી ને હવે નિર્મલીની જેમ વાત શું કરે છે? તેને વંઠ્ય દૂધ કહી સહીયર સાથે પિયર જવા કહે છે. દોહા સાસુ તેને પાપિણી, ફાટું દૂધ, કહી દૂર દેશાંતરે જવા કહે છે અને કહે છે કે તારા અવગુણ જોઈ હું તને પરિહરું છું, કંચનની છરી હોય તે કાંઈ પેટ ન મરાય. ઢાલ આઠમી અંજના સાસુને તેમનો પુત્ર પાછો વળે ત્યાં સુધી ઘરમાં રાખવા વિનંતી કરે છે અને કહે છે કે કલંક લઈને હું પિયરે કેમ જઉં? પરંતુ કેતુમતી તો હઠે ચઢી હતી કે તેણે તેને પગે કરી ક્રોધથી તેનું શીશ ઠેલ્યું અને જ્યાં સુધી અંજના ત્યાં રહે ત્યાં સુધી અન્ન પાણી હરામ એવો નિયમ લીધો. વસંતમાલાને બંધને બાંધી મારે છે અને પૂછે છે મારા પુત્રના આભરણ ચોરનાર ચોર કોણ છે? વસંતમાલા કહે છે કે ચોર તો પવનજી જ હતા, પરંતુ સાસુજી માનતા નથી અને અંજનાને કાળાં વસ્ત્ર પહેરાવી, કાળો રથને કાળા ઘોડા જોડી, કાળી મસ્તકે રાખડી બાંધી, કાળા બાજુબંધ બાંધી પિયરે મોકલી આપે છે. સારથિ પણ દૂરથી પિતાની ભૂમિ દેખાતાં અંજનાને વનમાં ઉતારી પાછો વળે છે. દોહા સારથિ અંજનાને પગે લાગીને પાછો વળે છે. દિવસ આથમી ગયો ને અંધારું થયું. અંજના વિચારે છે કે આમાં કોઈનો દોષ નથી, આપણા શુભાશુભ બંધ બાંધ્યા હોય હવે તેને રોવાથી શું વળે? ઢાલનવમી દિન આથમતાં રાત પડી. અંજના વિચારે છે કે આ ઘોર અંધારી રાત વનમાં કેમ વિતાવવી? તેણે તો શુદ્ધ સામયિકમાં રાત્રિ પસાર કરી. અંજના વસંતમાલાને કહે છે કે હું માતાપિતા, ભાઈ-ભોજાઈને મારું કલંક ચઢાવેલું મુખ કેવી રીતે બતાવીશ? ત્યારે વસંતમાલા કહે છે કે જ્યાં સુધી તમે નિર્મળ છો ત્યાં સુધી માતાપિતા, ભાઈ ભોજાઈ તમને હોંશે બોલાવશે અને પવનજી આવે નહીં ત્યાં સુધી પિયરમાં જ રહો. અંજના સતીનો રસ +253 Page #303 -------------------------------------------------------------------------- ________________ દોહા અંજના સંકુચિત પગલે ચાલતી, મનમાં લા રાખતી, કંપતી ચાલે ચાલતી (શેરીમાં હું કેમ કરી મુખ બતાવું એમ વિચારતી શેરીમાં ચાલી રહી છે. વસંતમાલા તેને ધીરજ દે છે અને તેના મનમાં વિશ્વાસ આણે છે. ઢાલ દસમી અંજના નગરમાં ઘૂઘટને નીચી દષ્ટિએ હંસગતિએ ચાલતી પિતાને મહેલે પહોંચે છે. પહેલાં તો રાજા ખૂબ જ રાજી થઈને તેનો સત્કાર કરવા કહે છે પણ જેવી તેને ખબર પડે છે કે અંજનાને તેના સાસરે પરિહરી છે તો તેને મૂર્છા આવી જાય છે અને અંજનાને પોળની બહાર કાઢવા કહે છે. પછી અંજના માતા પાસે જાય છે. તે સુવર્ણ હિંડોળે, માણેક મોતી હીરે જડ્યા પાટે બેસીને હીંચકા ખાઈ રહી હતી પરંતુ અંજનાને કાળા વેશમાં જેતાં જ તે રડવા લાગી તેમ જ અંજનાને ભાંડવા લાગી. દોહા ત્યારે ચાર ચેટી આવીને અંજનાને પાપિણી, કલંકિની, માતાપિતાનું કુળ લજવનાર આદિ કટુવચનો કહેવા લાગી. ઢાલ અગ્યારમી વસંતમાલા ત્યારે બધાને તેમ ન બોલવા કહે છે અને બન્ને જણ ભાઈને ત્યાં જાય છે, ત્યાં ભાઈ-ભાભી પણ મુખ ફેરવી લે છે, કટુવચનો કહે છે. ભાઈ પુરોહિત, પ્રધાન જ્યાં જ્યાં અંજના ગઈ ત્યાં બધાંએ દ્વાર વાસી દીધાં. અંજનાને ખૂબ જ તરસ લાગી ત્યારે કોઈ બ્રાહ્મણ વીર તેને માટે પાણી લાવી તેને આપે છે ત્યારે અંજના કહે છે કે ભાઈ! નગરનાં તો મારા પિતાની આણ છે તેથી નગરમાં નહીં પણ પોળ બહાર જઈને હું પાણી પીશ. દેહા અહીં કવિ બહુ સુંદર શબ્દોમાં ફિલસૂફી કરે છે. સજ્જન સ્નેહ ન કરે, ખોટું બોલે, આદર ન કરે તો પણ મનમાં રોષ ન આવે. માછલીનો પાણી સાથે જે સંબંધ છે તે સાચો સ્નેહ છે, તેને જે જલથી જુદી કરવામાં આવે તો તે ક્ષણમાં પ્રાણ છોડે છે, ડુંગર ઉપરથી વહેતા ઝરણાંનો સ્નેહ ઓછો છે, તે ઉતાવળે વહે છે પણ ઝટ છેહ દેખાડે છે તેવી જ રીતે માતા પિતા 254 * જૈન રાસ વિમર્શ Page #304 -------------------------------------------------------------------------- ________________ અને પિયરના સજ્જનોએ પણ બહુ પ્રીત બતાવીને છેડે છેહ બતાવ્યો એ ઓછાંની રીત છે. વૃક્ષ સાથે સંગત કરવી સારી કે જે અવગુણને ગુણ કરી લે છે, ઝાડ પર પથ્થર ફેંકો તોપણ તે તલ્લણ ફળ આપે છે. માટે એવા સજ્જનની સંગત કરીએ કે જે મજીઠ જેવા હોય, તે પોતાના રંગે બીજાને રંગી દે છે. આંબા જાંબુ, કરમદાં અને બોર ઉપરથી નરમ દેખાય પણ અંદરથી કઠણ હોય છે. માટે હે જોશીવીર, જે શહેરમાં પાણી મળે તો તે હું નહીં પીઉં. ઢાલ બારમી માટે વસંતમાલા જે મને ઉજ્જડ, ઘનઘોર વન કે જ્યાં સૂર્યકિરણ પણ પ્રવેશી શકે નહીં ત્યાં લઈ જાય તો ત્યાં હું જળ પીશ. આમ પિયરની આશા છોડીને અંજના વનમાં જાય છે. નગરના લોકો પણ કહે છે કે રાજાને આવો કેવો ખ્યાલ ઊપજ્યો છે કે તેમણે ઘરેઘરે આણ દેવરાવી, પુત્રીને પરહરી વનમાં મોકલી. આવું કર્મ તો ચાંડાળ પણ ન કરે. માતાને ચિંતા થતાં સહેલી દ્વારા તપાસ કરાવે છે ત્યારે ખબર પડે છે કે અંજના તો વનમાં ગઈ છે. દોહા મનરેગા મનમાં વિચારે છે કે મારી લાડકી વનમાં જઈને વસી છે, આ લોકમાં નિંદા થઈ અને પરલોક વિણસાડ્યો – બગાડ્યો. પોતે નારીની મતિ પ્રત્યે અફસોસ કરતાં કહે છે કે નારીની મતિ પાછલી છે, પહેલાં કોઈ વિચાર ન કરે અને કામ બગડ્યા પછી અપાર શોક કરે છે. ઢાલ તેરમી માતા અંજનાએ ભોગવેલ સુખોને યાદ કરીને વિલાપ કરે છે કે તે વનનાં દુખો કેમ કરીને સહેશે અને મૂચ્છ પામે છે ત્યારે રાજા આવીને રાણીને સમજાવે છે કે કટકથી પવનજી આવશે તો આપણું નાક કપાઈ જશે, કેવી રીતે દેશની આબરૂ રાખશું અને જે હું અંજનાને ઘરે લઈ આવું તો નગરના બધા નર નારી કાલે અનાચાર કરતાં થઈ જશે. બીજી બાજુ વસંતમાલા અંજનાને કહે છે કે તારા પિતા કર્મચંડાલ, માતા મૂર્ખ છે, ભાઈઓએ વિકરાલ કર્મ કીધું છે, તને આંગણે ઊભી પણ ન રાખીને કલંક ચડાવ્યું અને તને કહે છે તારું પિયર રસાનલ પડ્યું છે તોપણ અંજનાના મનમાં તો શુદ્ધ ભાવ જ છે. તે કહે છે કે મારા પિતા નિર્મળ છે, મારા અંજના સતીનો રાસ *255 Page #305 -------------------------------------------------------------------------- ________________ માતા પતિવ્રતા ધર્મ પાળનાર મહાસતી છે, ભાઈઓ પિતાના ભક્તો છે એમને કોઈને દોષ ન દો. પૂર્વે પુણ્ય કર્યા નહીં એ સહુ આપણાં કર્મના દોષ છે. ત્યાં ગિરિગુફામાં અંજનાએ પંચમહાવ્રત પાળતાં, તપ, જપ અને સંયમ થકી શોભતાં અવધિજ્ઞાની મુનિને જોયાં, અંજનાએ તેમના ચરણમાં વંદન કર્યા અને અતિ દુઃખમાં પણ તેને આનંદ થયો. દોહા ઋષિને વંદન કરીને સતી પૂછે છે સ્વામી! ક્યા કર્મનો દોષ હું ભોગવી રહી છું? ઢાલ ચૌદમી અંજના પૂછે છે કોણે કર્મે રડવડી, કોણ કર્મે મહારી તુટી છે આશ તો, કોણ કર્મે માતાએ પરહરી, કોણે કમેં મારો વન માંહે વાસ તો ત્યારે ઋષિ કહે છે તમે શોક્યના ભવમાં જે કર્મ કીધું છે તેનું આ ફળ છે. તું ત્યારે ધર્મની દ્રષિણી હતી, જિનધર્મનો દ્વેષ કરતી હતી, તે સાધનો ઓઘો ચોરીને તેર ઘડી પડોશણને ત્યાં રાખ્યો હતો. જ્યાં સુધી સાધુ આવીને વહોરે નહીં ત્યાં સુધી અન પાણીનો નિયમ હતો. ત્યારે સાધ્વી આવીને તમને ઉપદેશ આપ્યો જેથી તમારા મનમાં વૈરાગ્ય ઉત્પન થયો. પછી તમે ઓઘો આપી દીધો અને સાધ્વીને પાયે નમ્યાં, ધર્મનો રાગ ઊપજ્યો અને સંયમ સાધીને તપ કર્યું પણ આલોચણા ન કરી. કરેલાં કર્મથી છૂટકો જ નથી, તેર ઘડીની તેર વર્ષ તમારે ફળ ભોગવવું રહ્યું. ત્યાંથી ચ્યવીને તમે દેવ થયાં અને પછી રાજકુમારી થયાં. તમારી સાથે તમારી પડોશણ (હાલ વસંતમાલા) દુઃખી રહે છે અને તમારી કુખે પુણ્યવંત, શૂરવીર અને આગળ જતાં ધર્મ આધાર બનનાર જીવ છે. પવનજી રણમાં વરુણ સાથે યુદ્ધ કરીને કુશળે આવીને તમને મળશે. એટલું કહીને ઋષિ ગયા ત્યાં તો ગુફામાં સિંહ ગાજ્યો. વસંતમાલા તો ડરીને વૃક્ષ પર ચઢી ગઈ અને અંજના દઢ આસને બેઠી ને ભગવાનનું નામ લેવા લાગી, ચારે ગતિના જીવને ખમાવતી ચારે શરણાં મનમાં ચિંતવવા લાગી કે મારો ધર્મ કોઈ ન લઈ શકે, કેસરી રૂટીને શું કરશે? વસંતમાલા વૃક્ષ પરથી મદદ માટે બૂમો પાડવા લાગી. તે વનમાં ૧. સં. ૧ પ્રસિદ્ધ અંજનાસુંદરી કથામાં જિનમૂર્તિ જમીનમાં દાટી' એવી કથા છે. ૨. બાવીસનો ઉલ્લેખ મળે છે. 256 * જૈન રાસ વિમર્શ Page #306 -------------------------------------------------------------------------- ________________ એક વ્યંતર યક્ષ રહેતા હતા તેણે બૂમો સાંભળી શાર્દૂલરૂપ કરી કેસરીને નખથી છેદી નાખ્યો અને અંજનાને બે હાથ જોડી પગે લાગ્યો અને કહેવા લાગ્યો તમારા શિયળના બળે તમને તમારા પતિ મળશે અને તમારા મામા આવશે ત્યાં સુધી તમે અહીં નિશ્ચિતપણે રહો. અંજના વનફળ ખાઈને રહેતી, અખંડપણે વ્રત કરતી શુદ્ધ સામાયિક રોજ કરતી હતી, ત્યાં ચૈત્ર વદી અષ્ટમી, પુષ્ય નક્ષત્રને સોમવારે પાછલી રાતે અંજનાએ હનુમંતકુમારને જન્મ આપ્યો. કુંવરના પિતા તો સૈન્ય સાથે ગયા છે. તો તેનો જન્મોત્સવ કોણ કરે? અંજના પૂનમની ચાંદની રાતે પુત્રને કરમાં લઈને બેઠી હતી તે સમયે અંજનાના મામા શૂરસેન યાત્રા કરીને પાછા વળતાં ત્યાં વિમાન થંભ્ય તો બે બાલિકાને દીઠી. ત્યાં મામીએ અંજનાને ઓળખી અંજના મામાને કોટે વળગીને રડવા લાગી. પછી અંજનાને અને હનુમંતકુમારને વિમાનમાં બેસાડી સંચર્યો, પરંતુ મોતીના ઝુમખા જોતા કુમાર મોતી તોડીને નીચે ભૂમિ પર પડ્યો ત્યારે અંજના મૂછિત થઈ. મામા તેને પાછો લઈ આવ્યા અને કહે છે તેના જેવો બળવાન આ વિશ્વમાં બીજો કોઈ નથી. દોહા કપિકુલનો રાખણહાર પૂર્ણ પરાક્રમી જ્યોતિમાં શશી સમાન દીપતો વીર બજરંગ ઉત્પન્ન થયો છે. ઢાલ પંદરમી મામાએ બારણે તોરણ બંધાવી, યાચકોને દાન આપી, હનુમાનનો જન્મ મહોત્સવ કર્યો. દોહા અંજના સુતના મુખને નીરખતી, પોતાના ભરથારના આવવાની રાહ જોતી તથા પતિ આવીને કલંક દૂર કરે તેની રાહ જોતી સમય પસાર કરતી હતી. ઢાલ સોળમી અહીં મેઘપુરી જઈ વરુણ રાજા સાથેના યુદ્ધનું વર્ણન છે. તે યુદ્ધ એક વર્ષ ચાલ્યું અને વરુણને હરાવી પવનજી લંકા રાવણ પાસે આવ્યા. રાવણે તેમને મહેલમાં બે ચાર માસ રાખી કહ્યું કે જ્યારે તમને તેડાવું ત્યારે તે અંજના સતીનો રાસ +257 Page #307 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાધર નાથ! તમે આવજો. યુદ્ધથી કુંવર પાછા ફર્યા, માતાપિતાને પગે લાગ્યા અને માતા ભોજન તૈયાર કરે તેટલી વારમાં અંજનાને ઘેર આવ્યા. તેના સૂના મંદિર દેખી, સર્વ વાત સાંભળી તેમને ગુસ્સો આવ્યો. માતા વિનવણી કરે છે પણ પવનજી તો ગુસ્સમાં જ છે કે તમે સૈન્ય તરફ માણસ મોકલી પુછાવવું તો હતું. પવનજી વિચારે છે કે માતાએ આવી ગુણિયલ નિર્મલી સ્ત્રીને પરિહરી કે જે હંમેશાં બીજાના ગુણ જ ગાય છે. પછી પવનજીએ સંદેશો કહેવડાવ્યો કે તેઓ આણે આવે છે. આ સાંભળી મહેન્દ્ર રાજાને પણ દુઃખ થાય છે કે મેં નરક નિયાણું બાંધ્યું તે કમેં હું કેમ છૂટીશ? રાજરાણી વિચારે છે કે જમાઈને હું શું મુખ બતાવીશ? પવનજી આવતાં તેનો આદરસત્કાર ખૂબ જ સરસ રીતે કર્યો વિધવિધ ભોજન પીરસ્યા. પવનજી અંજનાની વાટ જોતાં બેઠા છે અને વિચારે છે કે અંજનાને પુત્રી થઈ હશે, કારણ કે પુત્ર થયો હોય તો વધામણી ખાય, વસંતમાલા પણ કેમ નથી દેખાતી? ત્યાં માંહોમાંહ બે જણાની વાત પરથી તેને બધી વાતની જાણ થાય છે, તેથી તે દુઃખી થાય છે. પછી તે ચારે દિશામાં વિમાન દ્વારા, ઘોડેસવાર દ્વારા, પગે ચાલતા માણસો દ્વારા દિશદિશ તપાસ કરાવી. પવનજી કહે છે કે એ સતી દીસે તો જીવવું નહીંતર ખગ મારી હું મૃત્યુને ભેટું. છેવટે અંજનાનો તેના મોસાળમાંથી પત્તો લાગ્યો. પવનજી ત્યાં આવતા હતા ત્યારે સહીયરે તેને ઓળખ્યા અને અંજના આવીને પગે પડી અને તેના ખોળામાં હનુકુમારને બેસાડ્યા. પવનજી એક ક્ષણ અંજના સામે અને એક ક્ષણ પુત્ર સામે જુએ છે અને તેને અને વસંતમાલાને કહે છે કે કેવી રીતે આવા દુઃખમય દિવસો વનમાં પસાર કર્યા. વસંતમાલા કહે છે સાસરા પિયર બંનેએ જાકારો દીધો તેથી અમે વનમાં ધર્મધ્યાન કરતાં સમય પસાર કર્યો અને દેવતાએ અમારી સારસંભાળ લીધી, અંજનાના ગુણોનો કોઈ પાર નથી. દોહા કવિ કહે છે ભલે ભરથાર આવ્યા, સતી સાચી ઠરીને તેનું કલંક મચ્યું. ઢાલ સત્તરમી અંજના અને તેની સખી પવનજીને કેવી રીતે યુદ્ધમાં લડ્યા વગેરે કુશળ અંતર પૂછે છે. અંજના સાસુ, સસરા, માતા, પિતા બધાને પ્રણામ કરે છે : બધા તેની ક્ષમા માંગે છે ત્યારે અંજના કહે છે તમારો કોઈનો 258 * જૈન રાસ વિમર્શ Page #308 -------------------------------------------------------------------------- ________________ દોષ નથી, હું મારે કર્મે જ વન ગઈ. દોહા દાદા દાદી પૌત્રને જોઈ ખુશ થાય છે. પાંચ-સાત દિવસ પવનજીને પ્રેમથી રાખી સહુ શીખ માંગી પોતપોતાના ઘેર જાય છે. ઢાલ અઢારમી સહુ પાટણથી નીકળી રત્નપુરી આવ્યા. મામાજી તેમને વળાવવા આવ્યા. પવનજીને રાજ્ય સોંપી રાજરાણી બેઉ તપોવન ગયાં. હનુમંતકુંવર વિદ્યા ભણે છે, તેઓ વાનરવિદ્યા તેમ જ બીજી પણ ઘણી વિદ્યા ભણ્યા જેથી દેશવિદેશમાં તેમની ખ્યાતિ ફેલાઈ. પવનજી રાજપાટ સંભાળી રહ્યા છે. પાછો વરુણ વાજિંત્ર વગડાવી લંકા તરફ તેનું સૈન્ય મોકલે છે, રાવણે તેની સેના મોકલી અને એક તેડું પવનજી રાયને પણ મોકલ્યું. ત્યારે હનુમંત કહે છે અમે જઈશું, પણ પિતા કહે તું હજી નાનો છે. અંજનાએ પણ કહ્યું કે રાજા જાય તો રણ રહે, મારો કુંવર હજી નાનો છે. ઢાલ ઓગણીસમી હનુમંત હઠ કરીને ચાલ્યો ને મહેન્દ્રપુરી જઈને મહેલાણ દીધું. ત્રણ પહોર સુધી દળ આવ્યું, તેણે મા-બાપને બંધને બાંધ્યા ત્યારે મામાએ આવીને છોડાવ્યા. બંધન છોડી પ્રણામ કરીને કહે છે. મારી માતાને જરૂર પડી ત્યારે કોઈએ તેને ઠામ કેમ ન આપ્યું? હનુમંત લંકા ભણી ચાલ્યો. રાવણ રાજા સામે મળવા આવ્યો. તેમણે બીડું ઝડપ્યું ને પાછા વળી મેઘપુરી તરફ જઈ ત્યાં પડાવ નાખ્યો. સામે યોદ્ધા આવ્યા અને ધનુષ્ય ખેંચીને સામસામા બાણ છોડવા લાગ્યા. રાવણની સેના જોઈ વરુણના સો પુત્ર રણે ચડ્યા અને સામસામા લોહના બાણ અફળાય ત્યાં અંગારા ઝરતાં. રાવણસેના નાસી ગઈ અને આગળ હનુકુમાર ઊભા છે. દોહા ત્યારે વરુણપુત્ર બજરંગીને પૂછે છે કે હે કુંવરજી! તારો બાલક વેશ છે, કોણ તારા પિતા છે અને કયો તારો દેશ છે? ત્યારે તેજસ્વી હનુમંત કહે છે કે મારું નામ પવનપુત્ર છે. હું લઘુdશે નાનો બાળ છું પણ મારા કામ જુઓ. અંજના સતીનો રસ +259 Page #309 -------------------------------------------------------------------------- ________________ ઢાલ વીસમી હનુમંતને તેઓ કહે છે કે શું તારી માતા તારી વેરણ છે? અને તું પિતાનો અળખામણો પુત્ર છે કે તને યુદ્ધમાં મોકલ્યો? તું વરુણની સમક્ષ આવ્યો તો તારો કાળ આવી ગયો માન. હનુમંત સામે ઉત્તર આપે છે, તમે સો ભાઈઓ સાથે મળી આવ્યા છો પણ રણમાં જો તમે હાથ વાપરશો તો જોઈ લેશું. પછી તો તેણે વાનરવિદ્યા સાધી વાનરરૂપ કરી ૧૨ જોજન સુધી હુંકાર સંભળાય તેવી હાકલ કરી. વૃક્ષને ઉખેડીને નાખ્યા અને પૂંછે ફેરી કરી વરુણના પુત્રને એકઠા કરી બાંધ્યા ત્યારે વરુણ રાજા આવીને હનુમંતને હાકલ કરે છે કે તેં મેલી વાનરવિદ્યા રણમાં કરી છે. ગુસ્સે થયેલ રાજા રથમાંથી ઊતરી હનુમંતને બાથમાં લઈ, તેના વાળમાં ગ્રહ્યા અને મુષ્ટપ્રહાર કરવા લાગ્યો ત્યારે પાછળથી રાવણ તેની મદદે આવ્યો. તેણે હનુમંતને ઉપર કર્યો અને વરુણને બાંધીને રથમાં નાંખ્યો. પછી વરુણના બંધન છોડી નાખ્યા અને રાવણને જુહાર કીધો. વળતો વરુણ રાય કહે છે, મારું શીશ તમને નમાવું છું. વરુણે પુત્રને રાજ્ય સોંપી પોતે સંયમ લીધો. દોહા આમ વરુણને જીત્યો પછી વરુણને જુહાર પ્રણામ) કરી સ્થાનકે સ્થાપ્યો. ત્યારે વરુણે પોતાની સત્યવતી' નામની કન્યાને હનુમંતને યોગ્ય વર જાણી તેની સાથે પરણાવી. ઢાળ એકવીસમી રાવણે પણ હનુમંતની પ્રશંસા કરી કાનનાં કુંડળ આપ્યાં અને ઘણા વેશ આપ્યા, તેમ જ પોતાની ભાણેજ પદ્મિની આપી. વળી તેને હજાર વિદ્યાધરી પરણી. સુગ્રીવની બેટી જેને પરણી હતી તે પિયુ ઉપર તેને ઘણો રાગ હતો. સુગ્રીવ, હનુમંતને રામની કથા રામાયણમાં ચાલશે. દોહા અનંગની પુત્રી કુન્નુમા હનુમંતને પરણી અને બીજી એક હજા૨ વિદ્યાધરી હનુમંતને પરણાવી. હનુમંત રાવણનો આદેશ લઈ, નારીઓને પરણી ૧. લોકપ્રસિદ્ધ કથામાં હનુમાન કુંવારા છે, પણ જૈન રામાયણ' અનુસાર હનુમાન પરણેલા છે. વિશ્વભરમાં રામાયણની વિવિધ પરંપરાઓ વ્યાપ્ત છે. થાઈલેન્ડ વગેરેની પરંપરામાં પણ હનુમાન વિવાહિત છે. 260 * જૈન રાસ વિમર્શ Page #310 -------------------------------------------------------------------------- ________________ ઘરે આવ્યો અને માતાપિતાને આનંદ થયો. ઢાલ બાવીસમી આમ પવનજી રાજ્ય કરે છે અને દેદીપ્યમાન કુંવરને જોઈ બધા દુર્જન બધા દૂર નાસી જાય છે. પવનજીના રાજ્યમાં પ્રજા સુખી છે, યાચકને દાન દેવડાવે છે તથા દાનપુણ્ય કરે છે, રાજાને યોગ્ય બધા સુખ ભોગવે છે. હજાર વહુઓ તેમની સેવા કરે છે અને તેઓ પાંચ ઇન્દ્રિયના ભોગ ભોગવે છે ત્યારે અંજના મનમાં ચિંતવે છે કે ધન્ય તે નર છે જે પોતાને શિરે યોગનું વહન કરે છે. રાત્રિને પાછલા પહોરે ધર્મચિંતન કરતાં કરતાં અંજના મનમાં ચારિત્રની ચિંતવણા કરે છે. તત્ક્ષણ પવનજીને પગે લાગીને કહે છે જન્મમરણના દુ:ખ દોહ્યલા છે, રોગ, વિયોગ ને સંસાર ક્લેશ છે, હવે વિષયના સુખ પૂરા થયા તો સ્વામી મને સંયમની શીખ દો. પવનજી કહે છે કે દેવી! ઘે૨ બેઠાં ધર્મ કરજે, હજી બાલપણું છે, ચોથે આશ્રમે સંયમ લેજે ત્યારે અંજના કહે છે કાલનો કાંઈ ભરોસો નથી, જેને મરણ તણો ત્રાસ નથી તે વિલંબ કરે. આ કાચી કાયાને વિનાશ પામતાં જરાય વા૨ નથી લાગતી તેથી રાયે રીઝીને મનમાં વૈરાગ્ય આણી હનુમંતકુંવરને તેડાવ્યા ત્યારે હનુમંતને માતાનો મોહ છૂટતો નથી પરંતુ માતા કહે છે આ અસ્થિર આયુષ્યનો વિશ્વાસ નથી. માતાપિતા પિરવારને સહુ કોઈ મારું મારું કરે છે પણ અંતકાળે કોઈ કોઈનું શરણ નથી. અંજના બધાને ખમાવીને ગુરુણી પાસે ગઈ, વસંતમાલા પણ તેની સાથે થઈ. અંજનાએ તેના બધાં આભૂષણોનો ત્યાગ કરી લોચ કરી ત્યાંથી સંયમ લઈ કર્મની ક્રોડિ તોડતાં ચાલ્યા. અંજનાના આભરણ અને વાળ લઈને પુત્ર ચાલ્યો કે ઘરે જઈ તેને પૂજશું અને આપણો સમય પસાર કરીશું. પછી તો અંજનાને માસે માસે પારણું કરતા શરીર સૂકાઈ ગયું. સમસ્ત જીવની પ્રતિપાલના કરતાં બાર માસ સુધી તપ કરી અંજના અનશન વ્રત લઈ સંથારો કરે છે. ચારે ગતિના જીવોને ખમાવે છે, મનમાં ચાર શરણાનું ચિંતન કરે છે અને સદ્ગતિ પામ્યા. તે વિદ્યાધરના વંશમાં ઊપજી, તેના નામે નવિધિ સંપન્ન થાય, તેનું ભજન કરતાં ભવદુઃખનો છેહ થાય, છેવટે કવિ કહે છે મેં કાંઈ અધિક ઓછું કહ્યું હોય તો મિચ્છામિ દુક્કડં. મેં તો સતી સાધ્વી અંજનાના શિયલ તણા ગુણનું વર્ણન કર્યું છે. પછી કવિ આગળ સીતા આખ્યાન લખવા વિશે ઉલ્લેખ કરે છે. અંજના સતીનો રાસ * 261 Page #311 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના – આ રાસ અજ્ઞાતકર્તા રાસ છે. કવિની કૃતિ અમર થઈ પણ કવિને પોતાનું નામ અમર કરવાની ઇચ્છા નથી દેખાતી. કવિએ અંજના સતીના જીવન પર અને તેના શિયળ ગુણ પર પ્રકાશ ફેંક્યો છે. રાસની ભાષા પરથી તે એકદમ પ્રાચીન સમયની નથી લાગતી કે જે ૧૧મી સદીથી ચૌદમી સદીનો હતો જેમાં અપભ્રંશ ગુજરાતી વપરાતું. ૧૫મી સદીથી સત્તરમી સદીનો સમય જે મધ્ય ગુજરાતી સમય છે તે સમય દરમિયાન આ રાસ લખાયો હશે એમ લાગે છે. પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૮૬માં છપાઈ છે. વાલ્મીકિ રામાયણના અંજનાના પાત્ર કરતાં આનું આલેખન થોડું જુદું દેખાય છે. વાલ્મીકિ રામાયણમાં અંજના વાનર સ્ત્રી અને તેનો પતિ કેસરી વાનરપુરુષ તરીકે વર્ણવ્યા છે. અંજના એક અપ્સરા હતી જેને શાપને કારણે આ જન્મ લેવો પડ્યો હતો અને તે શિવસ્વરૂપ પુત્રને જન્મ આપે પછી તેને શાપમાંથી મુક્તિ મળે તેમ હતું. વાલ્મીકિ રામાયણ મુજબ હનુમાન શિવનું સ્વરૂપ જ છે. અને અંજનાને પુત્ર પવનદેવથી થયો હતો તેથી હનુમાનને પવનપુત્ર પણ કહે છે. આ રાસમાં હનુમાનનો જન્મદિવસ ચૈત્ર વદી અષ્ટમી જણાવી છે જ્યારે લોકમાં ચૈત્ર સુદ પૂનમને દિવસે હનુમાન જયંતી ઊજવવામાં આવે છે. આ રાસમાં ચૈત્રી પૂનમને દિવસે મામાને ત્યાં જન્મમહોત્સવ ઊજવવાનો ઉલ્લેખ છે. કવિનો મુખ્ય ઉદ્દેશ અંજનાના શિયળ ગુણ વિષે કહેવાનો છે અને બીજું કર્મસિદ્ધાંત રજૂ કરે છે. કડાણ કમો મોખ્ખો નત્યિ પૂર્વના મહાપુરુષોએ જૈન શાસ્ત્રોનાં રહસ્યોને આબાલ ગોપાલ સુધી પહોંચાડવા માટે તેના ભાવને ગુજરાતી રાસો કાવ્યો આદિ દ્વારા સરલ ભાષામાં ઉતારેલ છે. આવા સેંકડો રાસો આજે વિદ્યમાન છે. જૈનસંઘમાં આ રાસોનું ગાયન વાંચન વધે તો પૂર્વના મહાપુરુષોને પિછાનવાની તક મળે અને તેમનું આલંબન પામી શ્રેય માર્ગે આગળ વધી શકાય. અહી અંજનાનું પાત્રાલેખન બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે તેને ધર્મમાં દઢ શ્રદ્ધા હતી. જયારે પણ તેના માથે વિપત્તિ આવી પડતી ત્યારે તે બીજી કોઈ પણ વ્યક્તિ કે સંજોગોને દોષ ન દેતાં પોતાના કર્મને જ દોષ દેતી. તેર ઘડી માટે કરેલા કાર્યનું ફળ તેને તેર વર્ષ ભોગવવું પડ્યું. તેને વડીલો તેમ જ બંધુઓ તરફથી અકારો મળવા છતાં તેણે બીજા કોઈને દોષ ન આપ્યો તેમ જ મનમાં પણ તે લોકો પ્રત્યે કોઈ ખરાબ ગ્રંથિ ન 262 * જૈન રાસ વિમર્શ Page #312 -------------------------------------------------------------------------- ________________ બાંધી અને તેઓને હંમેશાં પૂજનીય, માનનીય ગણ્યા. દઢપણે શિયળનું પાલન તેમ જ દાન, દયા વગેરે ગુણોનું પાલન જ તેને સતીની કક્ષામાં સ્થાન અપાવ્યું છે. આ રાસ પરથી તે સમયની રાજકીય, સામાજિક તેમ જ ધાર્મિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. રાસના ઘણાં વિશિષ્ટ લક્ષણો – સ્તુતિ, ધર્મોપદેશ, વર્ણનો, વિવિધ ઢાળોમાં રચના, શૃંગાર રસ અને કરુણ રસ – કવિએ એમાં વણી લીધાં છે પરંતુ કાવ્યને અંતે સામાન્યત: કવિનો અંગત પરિચય, એના ગુરુનો નામો-ઉલ્લેખ, ગ્રંથની રચનાતાલ અને ફલશ્રુતિ આવે તેનો આમાં અભાવ દેખાય છે. યુદ્ધનું વર્ણન ટૂંકામાં સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ રાસમાં ઈહ જીવનના અનુરાગ કરતાં તેમાં પરલોકઅભિમુખતા જ મુખ્ય છે. કાવ્યમાં પ્રાસાનુપ્રાસ અને ક્યાંકક્યાંક ઉપમા અલંકારનો ઉપયોગ દેખાઈ આવે છે. ઉચ્ચ પ્રકારની કલામયતાનો અભાવ દેખાઈ આવે છે. ધર્મમાં દઢ શ્રદ્ધા હોય તો જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તેમાંથી પાર ઊતરી જવાય છે. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ધર્મમાં દઢ શ્રદ્ધાને કારણે જ શૂળીનું સિંહાસન થઈ જાય. સૂતરના તાંતણે ચાળણીથી પાણી કાઢી શકાય વગેરે ઉદાહરણો ઇતિહાસમાં મળી આવે છે. અહીં પણ ધર્મમાં દઢ શ્રદ્ધાના કારણે જ અંજના સતીને સિંહના ઉપદ્રવમાંથી મુક્તિ માટે કુદરતી સહાય મળી છે. તેથી જ કહ્યું છે હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.” અંતમાં જે આપણા પૂર્વાચાર્યનો ઉદ્દેશ સામાન્ય જનજીવનમાં સામાન્ય કથા દ્વારા તેમાં કોઈ ધર્મનું તત્ત્વ ઉમેરી લોકોને ધર્મોપદેશ આપવાનો હતો તે અહીં પાર પડ્યો છે. વર્તમાનયુગમાં જ્યાં ચારિત્ર માટેના વિચારોમાં પરિવર્તન આવી ગયું છે. જ્યાં આચારોમાં શિથિલતા આવી ગઈ છે, હિંસાનું સામ્રાજ્ય વધી ગયું છે ત્યાં આવા ઉપદેશો દ્વારા આપણી પૂર્વની ઉચ્ચ ચારિત્રભાવના કેળવી શકાય અને આપણા આદર્શો તરફ યુવાનોને વાળી શકાય તો આપણા પૂર્વાચાર્યોના ઉદ્દેશ સફળતાને વરી શકે. અંજના સતીનો રાસ * 263 Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆનંદસોમ વિરચિત – શ્રી સોમવિમલસૂરિ રાસ મનોજ અજિતચંદ્ર ઉપાધ્યાય પ્રસ્તાવના: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મંગળ પ્રારંભ થાય છે જેન રાસો સાહિત્યથી. એ પ્રારંભિક યુગ (ઈસુની બારમી શતાબ્દીથી ચૌદમી શતાબ્દી, અર્થાત્ આચાર્ય હેમચંદ્રથી આરંભીને ભક્તકવિ નરસિંહ મહેતાના જન્મ સુધી). આ સમય રાસયુગ અથવા હૈમયુગ કે જેનયુગ તરીકે ઓળખાય છે. આનાથી સમજાય છે કે જૈન રાસ-કવિઓ ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રણેતાઓ છે. રાસના રચયિતા શ્રી આનંદસોમનો પરિચય: શ્રી આનંદસોમ એક સફળ કવિ રહ્યા છે. તેઓએ વિવિધ ૭ રાગ અને વૈવિધ્યસભર ઢાળોમાં ૧૫૬ પંક્તિમાં શ્રી સોમવિમલસૂરિ રાસ રચ્યો છે. તેમણે આ રાસ સંવત્ ૧૬૧૯ મહા સુદ ૧૦ના રોજ નંદુરબારમાં પૂર્ણ કર્યો હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત છે. આનંદસામે પોતાના ગુરુ પ્રત્યે આદર અને ભક્તિપૂર્ણ પૂજ્યભાવ રજૂ કરવા માટે આ સ્તુતિ સ્વરૂપ રાસ રચ્યો છે. જેમાં તેઓ પોતાના ગુરુના ગુણ ગાતાં દુષ્કૃત દૂર થવાનું તેમ જ રિદ્ધિ, વૃદ્ધિ, સુખ, સંપદા નિશ્ચિતપણે પોતાના ઘરે થવાનું દૃઢપણે માનતા હોવાનું દષ્ટિગોચર થાય છે. શ્રી આનંદસામે શ્રી સોમવિમલસૂરિ રાસ સિવાય પણ એક અન્ય કૃતિ સાહિત્ય જગતને ભેટ ધરી છે તે સ્થૂલભદ્ર સ્વાધ્યાય નામનો ગ્રંથ છે, જેમાં પ૩ કડીઓ છે. તેની રચના સંવત ૧૬૨૨ શ્રાવણ સુદિ ૧૦ના રોજ વૈરાટ (જયપુર પાસે) માં થઈ હોવાની માહિતી ઉપલબ્ધ થાય છે. (આ ગ્રંથ પ્રકાશિત હોવાની માહિતી જૈન ગુર્જર કવિઓ-૨, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય-સંચય, સંગ્રાહક અને સંપાદક – શ્રીમાનું જિનવિજયજી. પ્ર.શ્રીજન આત્માનંદ સભા, ભાવનગર ઈ.સ. ૧૯૨૬, પૃ.૭૭ અને જૈન ગૂર્જર કવિઓ-૨ : સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેસાઈ પ્ર.શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ઈ.સ. ૧૯૮૭, પૃ.૧૧૨ 264 * જૈન રાસ વિમર્શ Page #314 -------------------------------------------------------------------------- ________________ દલીચંદ દેસાઈઃ પ્ર. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ઈ.સ. ૧૯૮૭, પૃ.૧૧૩ પર પ્રાપ્ત થાય છે.) આ સ્થૂલભદ્ર સ્વાધ્યાય ગ્રંથનો અંત અહીં રજૂ કર્યો છે. તપગચ્છિ નિર્મલ ચન્દ્ર, શ્રી સોમવિમલ સૂરિદ, તસ સીસ રચિઉ સઝાય, સાંભળતા (મન) નિર્મલ થાય. પૃથિવી રસ સંવત એહ કુચ કર્ણ પ્રમાણિ જેહ, શ્રાવણ સુદી દશમી દિવર્સિ, વયરાટિ યુણિક મન હરસિ, જે તારા ગણિ દેણંદ, જે સાયર મેરૂ ગિરિદ, તાં પ્રતપું જવલી સોમ, ઈમ ભણઈ આણંદસોમ. (એજ પૃષ્ઠ ઉપર) શ્રી સોમવિમલસૂરિનો પરિચય: શ્રીહેમવિમલસૂરિ તપાગચ્છના પટ્ટધર હતા. તેમની પાટે સૌભાગ્યહર્ષસૂરિ થયા, અને તેમની પાટે સોમવિમલસૂરિ થયા. ક્રમાનુસાર જોતાં તેઓનો ક્રમ.૫૮મો થાય. તેઓશ્રીનો જન્મ ખંભાતમાં સમધર મંત્રીના વંશજ રૂપવંતને ત્યાં તેમની પત્ની અમરાની કુક્ષીએ થયો. તેઓશ્રીનું નામ જસવંત રખાયું હતું. તેઓએ શ્રીહેમવિમલસૂરિ પાસે સં.૧૫૭૪માં વૈશાખ સુદ ૩ને દિવસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષિત થતાં જ તેમને સોમવિમલ એવું નામ મળ્યું. સંવત્ પન્નર જેહ, તેહ ચિંહુત્તિરેઈ, વૈશાખ શુદિ ત્રીજઊ લીએ; રોહિણિ નક્ષત્રિ વ્રતસાર, વાર શનિ આદરાઈ, સુમતિ ગુપતિ અતિ નિરમાલી એ. અહ્મદાવાદ શ્રીપતિ, સંઘપતિ ભૂભચ. સૂરાજ ઈચ્છવ કરઈ એ; સોમવિમલ મુનિ નામ, તામ ઠવાઈ વર, જસ મહિમા મહિ વિસ્તરઈએ. ૨. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રીજૈન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૩૮, ૧૩૯ ૩. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.જૈન આત્માનંદ સભા, ભાવનગર ૧૯૨૬, પૃ. ૧૩૪-૧૪૯. શ્રી સોમવિમલસૂરિ રાસ +265 Page #315 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ હેમવિમલસૂરિએ સૌભાગ્યહર્ષને સૂરિપદ આપ્યું અને તેઓએ સોમવિમલને પંડિત એવું પદ શિરોહીમાં આપ્યું. વળી વિજાપુરમાં અમદાવાદના સંઘે તેઓને ઉપાધ્યાયનું પદ અપાવ્યું હતું. સંવત ૧૯૫૭ને આસો સુદ ૫ ને ગુરુવારના દિવસે શ્રી સોમવિમલને અમદાવાદમાં આચાર્યપદ અર્પણ કરાયું. પછી સંવત્ ૧૬૦૫માં મહાસુદ ૫ના દિવસે ખંભાતમાં તેઓને ગચ્છનાયકપદ સુપ્રત કરાયું. (ઉપરોક્ત પંક્તિઓમાં કવિએ સફળતાપૂર્વક જેહ, તેહ; વતસાર, વાર; શ્રીપતિ, સંઘપતિ; નામ, તામ જેવા શબ્દ ગૂંથીને પ્રાસ સાંકળી અલંકારનો સુંદર પ્રયોગ કર્યો છે) શ્રી સોમવિમલસૂરિ સ્વયં એક સિદ્ધ કવિ એવં રચયિતા હતા. તેઓએ ૪ રાસ રચ્યા છે. ૩-૪ સઝાય રચી છે. તેઓએ “મનુષ્ય ભવોપરિ દશ દૃષ્ટાંતનાં ગીતો"; કુમરગિરિમંડણ શ્રી શાંતિનાથ સ્તવન” તથા “દેશવૈકાલિક સૂત્ર બાલાવબોધ” અને “કલ્પસૂત્ર બાલાવબોધ”ની રચના પણ કરી છે. તેમણે (૧) ધમિલ રાસ સંવત ૧૫૯૧ના પોષ સુદ ૧ રવિવાર ખંભાતમાં રચ્યો. તેના અંતમાં ગુરુ હેમવિમલસૂરિ પટ્ટે સૌભાગ્યહર્ષસૂરિ શિ. સોમવિમલગણિભિલિંબાપિતા કૃતા ચ પરોપકૃતિકૃત' એવી પુષ્પિકા મળે છે. (૨) શ્રેણિક રાસ અથવા સમ્યકત્સાર રાસ – સંવત ૧૬૦૩, ભાદ્રપદ શુક્લ ૧, કુમરગિરિમાં રચ્યો છે જેમાં ૬૮૧ ગાથા છે. (૩) ચંપક શ્રેષ્ઠિ રાસ : સંવત ૧૬૨૨ ને શ્રાવણ શુક્લ ૭ને શુક્રવારે વિરાટનગરમાં દાનનો મહિમા વર્ણવતો આ રાસ છે. શ્રી સોમવિમલસૂરિ રાસઃ શ્રી સોમવિમલસૂરિરાસ એક ચરિતકથાત્મક પ્રકારનો રાસ છે. આ રાસ સંવત્ ૧૬૧૯માં આનંદસોમ નામના તેમના શિષ્ય રચ્યો છે. આનંદસામે આ રાસ સં. ૧૬૧૯માં નંદુરબારમાં પૂર્ણ કર્યો હતો. આનંદસોમ તેમના શિષ્ય હોવાથી અહીં વર્ણવેલ ચરિત્ર પૂર્ણપણે વિશ્વસનીય હોવાની ખાતરી તેમ જ સંતોષ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત રાસ એક ગેય રચના છે. આ રાસમાં કુલ ૧૩ રાગ ઢાળ સહિત છે. તેમના વિષય, રાગ, ઢાળ અને પંક્તિની સંખ્યા નીચે પ્રમાણે છે. 266 * જૈન રાસ વિમર્શ Page #316 -------------------------------------------------------------------------- ________________ હાલ. કુલ ક્રમ ચગ વિષય પંક્તિ મંગલ પ્રસ્તાવના દુહા અને વસ્તુ મંગલ પ્રસ્તાવ અને વસ્તુ ૦૧-૦૭-૦૭ ૧ અસાઉરી. વેલિન તપગચ્છપાટપરંપરા ૮-૧૯-૧૨ ૨ ગુડી માઈ ધિન્ના સંપુના તું જન્મ અને ગુરુદર્શન ૨-૨૬-૦૭ ૩ ગુડી સલખણીઆનુ ગુરુ ઉપદેશ અને સંયમ ગ્રહણ ૨૭-૩૭-૧૧ ૪ અસાફરી દમયંતી પાલી પલઈ સંયમ પાલન અણે પદ્ધી પ્રાપ્તિ ૩૮-૫૬-૧૯ ૫ કેદારૂ ઈશાન ઈન્દ્ર ખોલઈ અમદાવાદમાં વાસ ૫૭-૬૬-૧૦ ૬ દેશાઓ આચાર્યપદની યોગ્યતા ૬૭-૭૨-૦૬ ૭ દેશોખ ઉલાલાનું આચાર્યપદ મહોત્સવ ૭૩-૯૬-૨૪ ૮ મલ્હાર મેરે લાલ આચાર્યપદ પ્રાપ્તિ ૯૭-૧૦૫-૦૯ ૯ ધન્યાસી સહિ ગુરુ વંદીઈ ગચ્છનાયક મહોત્સવ ૧૦૬-૧૨-૨૨ ૧૦ કેદારૂ સંગનું સંયમ ચર્ચા ૧૨૮-૧૩૨-૦૫ ૧૧ કેદારૂ અંદોલાનું ૧૩૩-૧૪૧-૦૯ ૧૨ સામેરી જયમાલાનુ ૧૪-૧૫૦૯ ૧૩ મલ્હાર મોરી આંખડી ફરકઈ રે --- ૧૫૧-૧૫૬-૦૬ કુલ પંક્તિ ૧૫૬ આ રાસના પ્રારંભ દુહામાં રચાયેલી પાંચ કડીઓમાં મંગલ પ્રસ્તાવથી થાય છે. જેમ સકલ સા લ સેવાઈ, શ્રીગૌતમ ગણધર; મણહ મનોરથ પૂરણ, લબધિ તણુ ભંડાર. ૧ આ રાસની આરંભિક માંગલિક પ્રસ્તાવનામાં: સોમગચ્છગયણિગણિ, સોમવિમલ ગુણધાર; શ્રી સોમવિમલસૂરિ તણું, રચિસુ રાસ વિસ્તાર એવું કથન મળે છે. જેમાં રચયિતા પોતાના ગુરુના ગુણ ગાતાં દુષ્કૃત દૂર થવાનું તેમ જ રિદ્ધિ, વૃદ્ધિ, સુખ, સંપદા નિશ્ચિતપણે પોતાના ઘરે થવાનું દેઢ પણે માનતા હોવાનું દૃષ્ટિગોચર થાય છે. જેમ કે.. સાર સગુરુ ગુણ ગાયતાં, દુષ્કૃત દૂરિ જઈ; રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, નિશ્ચઈ નિયઘરિ થાઈ. વળી દુહાની અંતિમ પંક્તિમાં રચેતાએ ભ-અક્ષરનો બહુલ પ્રયોગ કરી જાણે વર્ણાનુપ્રાસ અલંકાર રચ્યો છે. જેમ... (ભાવિ ભલઈ ભેટી ભવિક, જિમ પામું જયકાર..) શ્રી સોમવિમલસૂરિ રાસ * 267 Page #317 -------------------------------------------------------------------------- ________________ આમ, મંગલ પ્રસ્તાવ જેહા કહી શકાય તે આનંદસામે પોતાના ગુરુ પ્રત્યે આદર અને ભક્તિપૂર્ણ પૂજ્યભાવ રજૂ કરવા માટે આ સ્તુતિ સ્વરૂપ રાસ રચ્યો છે. જે તે મનુષ્ય તેના આરંભકાળથી જ ઈશ્વર અને ગુરુજનોનો આભારી રહ્યો હોવાથી તે આરંભથી જ સ્તુતિ એટલે કે પ્રશંસા કરી રાજીપો તેમ જ કૃપા પ્રાપ્ત કરવા સ્તુતિ કરતો રહે છે. મંગલ પ્રસ્તાવ પછી સાત પંક્તિમાં વસ્તુનો ઉલ્લેખ થયેલ છે. કવિ અહીં સકલ સુખના દાતા એવા શ્રી સોમવિમલસૂરિની સ્તુતિ કરે છે. કવિ પોતાના પૂજ્ય ગુરુના ગુણ ગાઈને પોતાનો દિન (જન્મ) સફળ કરવાની વિનમ્ર અપેક્ષા ધરાવે છે. જેમ કે... શ્રી પૂજ્યતણા ગુણ ગાતાં, સલ કરું દિન આજ. વસ્તુના નિર્દેશ બાદ કવિ આનંદસોમ તપાગચ્છપાટપરંપરાને વર્ણવતાં ૮-૧૯ એમ કુલ ૧૨ પંક્તિની રચના કરે છે. અહીં જૂની ગુજરાતી ભાષા તેમ જ ઘણા પ્રાકૃત શબ્દોની ઊંડી અસર જેવા મળે છે. આનંદસોમાં વર્ણવે છે કે.... શ્રીસોમવિમલસૂરિ તપગચ્છની પટ્ટપરંપરામાં થયા. આ તપા બિરુદ ક્યાંથી અને કેવી રીતે ઉદ્ભવ્યું, કેવી રીતે અસ્તિત્વ આવ્યું એ સઘળી વાત જણાવતાં કહે છે કે.. આદિ થિકિ તપગછ વખાણું, જાણું જગ વિખ્યાત; તપાબિરુદ એ કિહાંથી પ્રગટિઉં, સુણયો સહુ અવદાત. શ્રી જગચંદ્રસૂરિએ બાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યું. તેથી ‘તપસ્વી' શબ્દ પરથી તેમને તપા' એ બિરુદ રાજાએ સંવત્ ૧૨૮૫માં આપ્યું અને તેમના ગચ્છનું નામ તપાગચ્છ પડ્યું. આ ઘટનાને આ પ્રમાણે વર્ણવી છે : પાંચમનું ગણધર સધર સુધર્મા, વીર પટ્ટિ જયકારી; અનુક્રમિ તસ પટ્ટાચલ દિનકર, સિરિ જગચંદસૂરિ બાર વરસ આયંબિલ તપ કીધું, સાધિઉં નિજ તનું કામ; ભગતી ધરીનઈ ભૂપતિ ભાખ, તપાગચ્છ દિઉં નામ. સંવત બાર વરસિ પંચ્યાસી, તિહાંથી તપગચ્છ સાર; ૪. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય-સંચય. પ્ર.શ્રીજૈન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૩પ. ૫. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રીજૈન આત્માનંદ સભા, ભાવનગર. ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૩૫. 268 * જૈન રાસ વિમર્શ Page #318 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ તેની પાટે અનુક્રમે નીચે પ્રમાણે શિષ્યો થયા તેમનું વર્ણન છે, જે ટૂંકમાં નીચે પ્રમાણે છે : શ્રીજગચંદ્રસૂરિ શ્રીદેવેન્દ્રસૂરિ શ્રીવિદ્યાનંદસૂરિ શ્રીધર્મઘોષસૂરિ શ્રી સોમપ્રભસૂરિ શ્રી સોમતિલકસૂરિ શ્રીદેવસુંદરસૂરિ શ્રી સોમસુંદરસૂરિ શ્રીમુનિસુંદરસૂરિ શ્રીરત્નશેખરસૂરિ શ્રીલક્ષ્મીસાગરસૂરિ શ્રીસુમતિસાધુ શ્રીહેમવિમલસૂરિ શ્રી સૌભાગ્યહર્ષ અને શ્રી સોમવિમલસૂરિ આપણા આ રાસના મૂળ ચરિત્રનાયક શ્રી સોમવિમલસૂરિ આ પરંપરામાં અનુક્રમે પ૮મા હોવાનો તથા તેમના સમયમાં આ ગચ્છ પરંપરાનો ચારે દિશાઓમાં જયજયકાર થયો હોવાનો ઐતિહાસિક પુરાવાનો ઉલ્લેખ પ્રથમ ૧૮ પંક્તિ બાદ આપેલ વસ્તુમાં મળે છે. જેમ કે.. અનુક્રમિ અઠ્ઠાવનામઈ, પટ્ટિ પ્રગટ દિનકાર, શ્રી સોમવિમલસૂરિ ચિર ક્યું, નામિ જયજયકાર નિર્દિષ્ટ વિષય વસ્તુ બાદ સોમવિમલસૂરિના જન્મ તથા ગુરુદર્શનનો વર્ણવતો અંશ પંક્તિ ૨૦-૨૬માં ગુડીરાગ અને માઈ ધિન્ના સંપુના તું - એ ઢાલમાં) અંકિત કરાયો છે. ૬. જેના ઐતિહાસિક ગૂર્જર કાવ્ય - સંચય, પ્ર.શ્રીજેન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૩૬ , શ્રી સોમવિમલસૂરિ રાસ * 269 Page #319 -------------------------------------------------------------------------- ________________ આપણા આ રાસના મૂળ ચરિત્રનાયક શ્રી સોમવિમલસૂરિનો જન્મ ત્રંબાવતી નગર (ખંભાત) પાસે કસારી નામના પુરમાં પ્રાગ્વાટ જ્ઞાતીના મંત્રી સમધરના વંશમાં તેમની ભાર્યા અમરાદેથી થયો. જેમ કે : આદિનગર ત્રંબાવતી અમરાવતી અવતાર, ગઢમઢ વલી મંદિર પોઢાં પોલિ પ્રકાર; જિનમંદિર સુંદર-પુરંદર સમ વિવારી, જિહાં વસઈ વિચખ્યણ શ્રાવક જનસુવિચારી. તસ પરિસર સારી છામિ પુર કંસારી,% આમ જન્મસ્થાનનો ઉલ્લેખ છે. તેમના પિતા વિચક્ષણ શ્રાવક વિચખ્યણ શ્રાવક) હતા તેમ પણ નિર્દેશ મળે છે. ત્યાર બાદ તેમના માતાપિતાનું નામ તથા તેમનો તથા ગુરુના આગમન તથા મેલાપનો પ્રસંગ ૬ પંક્તિમાં વર્ણિત છે. જેનો ઉલ્લેખ કરતી પંક્તિ આ પ્રમાણે છે : તિહાં વસઈ મંત્રીસર સમધર અતિ અભિરામ, પૂછઈ અમરાદે સુપનભઅવ ઉલ્હાસિ નામ દઈ જસવંત જસવંત પૂરૂ આસ. તપગપતિ ગિરુઆ હેમવિમલસૂરિદ, વંદઈ સકુટુંબ રૂપ ધરીઅ આણંદ આમ તેમના નામકરણ અને ગુરુમેલાપનું વર્ણન મળે છે. સોમવિમલસૂરિનું નામ જસવંત પાડ્યું હતું. તેમના મોટાભાઈનું નામ પિત્રિદાસ હતું. જસવંત જરા મોટા થયા એટલે એ અવસરે હેમવિમલસૂરિ પધાર્યા અને તેમના ઉપદેશથી જસવંતે સંવત્ ૧૫૭૪ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે રોહિણી નક્ષત્રમાં દીક્ષા લીધી. તેમની દીક્ષાનો ઉત્સવ અમદાવાદમાં થયો અને દીક્ષિતનું નામ સોમવિમલ રખાયું. હવે ગુરુમેળાપ પછી ગુરઉપદેશ અને સંયમપ્રહણનો રાસખંડ પંક્તિ ૨૭-૩૭મા (કુલ ૧૧ પંક્તિ, રાગ-ગુડી અને સલખણીઆનું – એ નામના ૭-૮. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય - સંચય, પ્રશ્રીજૈન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૩૬. ૯. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રીજેન આત્માનંદ સભા, ભાવનગર, (ઈ.સ. ૧૯૨૬, પૃ. ૧૩૬. 270* જૈન રાસ વિમર્શ Page #320 -------------------------------------------------------------------------- ________________ ઢાળમાં) છે. શ્રીગુરુ હેમવિમલસૂરિ ઉપદેશ કરતાં જૈનધર્મની ખૂબ પ્રશંસા કરે છે. તેઓ તેને ભવતારક કહે છે. જૈનધર્મ સકલધર્મનું મૂળ હોવાનો ઉપદેશ કરે છે. તેમાં જીવદયા અને દુઃખનિવારણના સદ્ગુણ હોવાનું પણ વર્ણવે છે. આમ અનેક ગુણનો ઉપદેશ કરે છે અને ચારિત્ર, ધર્મ, શર્મ, નિયમ વગેરેની સમજ આપે છે. જેમ કે.. શ્રીગુરુ કરઈ વખાણ, આણ વહુ જિણતણી, ભવિયણઈ ભવતારણી એ; સકલધર્મમૂલ જેહ, તેહ જુ પાલીઈ, જીવદયા દુહવારણી એ; કહઈ બિંદુ ભેદે ધર્મ, શર્મ ચારિત્રથી, નિઅમનિ ઈમ મુણીએ; વયણ સુણી ભગવંત, જસવંત કુઅર, દિલ દિખ્યા કહઈ ગઈધણી એ. વધુમાં ઉપદેશ કરતાં શ્રીગુરુએ ઉષ્ણ તાપ સહેવાનું, દોષરહિત આહાર લેવાનો ઉપદેશ પણ કર્યો. ઉષ્ણતાપ સહિતુ એ દોષરહિત આહાર, સારજિ લેવું એ. વળી શ્રીગુરુ ખૂબ જ સ્નેહ અને આદરપૂર્વક તેમને વત્સ (પુત્ર) કહી સંબોધીને આ દિક્ષિત માર્ગ તલવારની ધાર ઉપર ચાલવા જેવો અત્યંત દુષ્કર હોવાનું પણ જણાવે છે. તેમના મતે આ પંથ લોખંડના ચણાને મીણના (માછલીના) દાંતથી ચાવવા બરાબર મુશ્કેલ હોવાનું પણ જણાવે છે. અને આવામાંથી સફળતા પ્રાપ્ત કરવા સંયમનું મહત્ત્વ દર્શાવી સંયમી બનવા પ્રેરે છે. જેમાં : વલી વછા અવધારિ, ચારિત્ર દુઃકર, ખડગધાર જિમ ચાલિવુ એ; ૧૦ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રીજેન આત્માનંદ સભા, ભાવનગર. ઈ. સ.૧૯૨૬, પૃ.૧૩૭ શ્રી સોમવિમલસૂરિ રાસ * 271 Page #321 -------------------------------------------------------------------------- ________________ લોહચણા મીણદતિ, ચાવવા વચ્છ, સંયમ ઈણિપરિ પાલિjએ. ગુરુ-ઉપદેશ અને સંયમગ્રહણ બાદ સંયમપાલન અને પદવી પ્રાપ્તિ નામનો રાસ ખંડ છે. આ ખંડ ૧૯ પંક્તિ (૩૮-૫૬)માં રચાયેલો છે જેનો રાગ – અસાઉરી છે અને દમયંતી પાલી પલઇ એ નામનો ઢાળ છે. આ પંક્તિઓમાં સામાન્ય રીતે દરેક પ્રથમ પંક્તિમાં ૧૯ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૫ – ૧૬ અક્ષર સંખ્યા છે. દીક્ષા પછીના સમયમાં શાસ્ત્રાભ્યાસ, યોગોહન વગેરે કરી સંયમ પાળ્યો. સં. ૧૫૮૩માં હેમવિમલસૂરિએ સૌભાગ્યહર્ષસૂરિને પટ્ટધર સ્થાપ્યા. તે સૌભાગ્યહર્ષસૂરિએ સોમવિમલને ગણિપદ આપ્યું. આ પદનો ઉત્સવ સ્તંભતીર્થમાં પ્રાગ્વાટ જ્ઞાતીય શાહ કીકુએ ઘણું દ્રવ્ય ખર્ચો કર્યો. શિરોહીમાં શ્રીમંત ગાંધી નામે રાણા જોધાએ કરેલા મહોત્સવ પુર:સર સં.૧૫૯૪ના ફાગણ વદિ પને દિને સૌભાગ્યહર્ષસૂરિએ સોમવિમલગણિને પંડિતપદ આપ્યું. પછી ગુરુ- શિષ્ય વિજાપુર આવ્યા કે જ્યાં, ત્યાંના સંઘે પ્રવેશ મહોત્સવ ઘણા ભભકાથી કર્યો. ત્યાં અમદાવાદના સંઘે અનુમતિ આપી એટલે સૌભાગ્યહર્ષ સૂરિએ સોમવિમલને ઉપાધ્યાયપદ આપ્યું. આ સઘળું વર્ણન રામસ્વરૂપે આ પ્રમાણે છે : સકલશાસ્ત્ર મુનિ અભ્યાસઈ, વસઈ શ્રીગર પાસિ રે; પાસિનઈ વાસિ જસ મુખિ સરસતી એ. સંવત્ પનાર વ્યાસીઈ, થાપ્યા સોભાગ્યહરિષસૂરિંદ રે; સોભાગહરિષસૂરિ વાસ હવઈ – ગણિ – પદ ચંગિરે; ચંગિની રેગિ સાહ કીકુ દીઈ એ. સીરોહી નગરી ભલી, જિહાં વસઈ તિ ગાંધી રાણ રે; પંડિત-પદ ઉચ્છવ કરઈ, દિઈ નવા નવા તંબોલ રેક તંબોલનઈ બોલ માનિઉં ભલુ સહિગુરુઈ એ. વીજપુરિ પધારીઆ, તિહા પ્રવેશ-મહોચ્છવ કીજઈ રે; અહિમદાવાદી સંઘ તિહાં, આવિ અનુમતિ માગી એ; શ્રાવકજન ઉચ્છવ કરઈ, સોભાગહરિષસૂરિ થાપઈ રે; થાપનઈ આપઈ-ઉવઝાય-પદ વરૂ એ. 272 * જૈન રાસ વિમર્શ Page #322 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગે સારી લ્હાણી પણ થઈ. જેમાં પાંચ શેરના લાડુ સહિત લ્હાણી કરાયાનો ઉલ્લેખ પણ મળે છે. જેમ કે પાંચશેરના લાડૂઆ, થાલી સહિત સુચંગી રે; ચંગનઈ રંગ બહુ લાહણી દીઈ એ. અંતે આ સર્વે ઉત્સવનો પ્રસંગ કવિ શ્રી આનંદસામે લખ્યો છે અને વળી સ્વયં પોતે કહ્યો છે એમ જણાવી કવિ રાસની મધ્યમાં પોતાના નામનો ઉલ્લેખ કરે છે. જેમ કે ઈમ ઉચ્છવ અનોકપરિ, અનુક્રમિ લહિઆ રે; લહિઆનઈ કહીઆ મઈ આણંદસિઉ એ. અમદાવાદમાં ચોમાસુ વાસ કર્યો તે વિષયનો ખંડ ૧૦ પંક્તિઓમાં (૫૭-૬૬) વર્ણિત છે જેનો રાગ-કેદારૂ છે અને ઈશાન ઈન્દ્ર ખોલઈ લઈ ઢાલ છે. ૧૧ આચાર્યપદની યોગ્યતા: આ નામનો રાસ ખંડ ૬ પંક્તિમાં (૬૭-૭૨)માં છે. શ્રી સોમવિમલ ઉપાધ્યાયને દર્શન, ન્યાય, તર્ક, છંદ, જ્યોતિષ તેમ જ વેદપુરાણના જાણકાર તેમ જ સ્મૃતિ, ગીતા, સાહિત્ય અને સૂત્રના અર્થના જણકાર હોવાનું તેમ જ પંચાચારને અનુસરતા પામી તેમને આચાર્યપદ માટે યોગ્ય મનાયા. જેમ કે.. દરશન વાન ચારિત્ર ભરિઆ, પાલઈ પંચાચાર... તર્ક છંદ યોતિષ ભલાં, લખ્યણ વેદ પુરાણ; મૃતિ ગીતા સાહિત્ય વલી, સવિ સૂત્ર અરથના જણ. ૧૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૪-૧૪૧ ૧૨. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રી જેને આત્માનંદ સભા, ભાવનગર ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૪૧-૧૪૨ ૧૩. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૪૧ શ્રી સોમવિમલસૂરિ રાસ 273 Page #323 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ મહોત્સવઃ આ મહોત્સવને વર્ણવતો આ રાસ ખંડ ૨૪ પંક્તિ (૭૩-૯૬)માં રચાયો છે. તેમાં રાગ-દેશાખ અને ઢાલ-ઉલાલાનું પ્રયોજ્યા છે. આ રાસ ખંડ આખો અંત્યાનુપ્રાસ કે પ્રાસ સાંકડી પ્રકારના અલંકારથી સુશોભિત છે. જેમ કે... હવઈ સુણ સવિ પ્રાણી, અનુકમિ વાત જે જાણી; પંક્તિ. ૭૩થી માંડીને સુરહ ભુવન સમ તોલઈ, આણંદસોમ ઈમ બોલઈ. પંક્તિ ૯૬ સુધી વળી આ ખંડના અંતમાં રચયિતા પુનઃ પોતાનું નામ જોડે છે. મુનિ અમદાવાદ આવી ચોમાસુ રહ્યાં જ્યાં તેમને અમદાવાદ, ખંભાત વગેરેને સંઘોએ મળી શ્રી સોમવિમલ ઉપાધ્યાયને ઘણા મોટા ઉત્સવથી સં. ૧૫૯૭ના આસો સુદ પને ગુરુવારે આચાર્યપદ આપ્યું. જેમ કે: વિરહતા ૫હતા વલી, અનુક્રમિ અહિમ્મદાનાદિ રે; ચઉમાસિ રાખ્યા શ્રીપૂજ્ય, શ્રીસંઘમાનિ રંગરોલ રે. વર્ણાનુપ્રાસનું ઉદાહરણ ૧) બોલઈ બાલી અબોલ, લિલ કુકુમતણ રોલ; પ્રાસાનુપ્રાસનું ઉદાહરણ ૨) ઉડી ગુડી તે રુડી, વાત નહી એક કુડી; આગલી જ તે સાર, લોકતણું નષિ પાર. ૮૩ ૩) અહવી ઉઆરણા કરતી, શ્રીલ અવ્વાણાં ધરતી; આગલ પાછલિ ફિરતી, ગુરુગુણ અહી ઉચરતી. બહૂઆ અડા બોલી, નવનવાં ગીત તે પોલઈ; ગુણ ગંધર્વ તે ગાઈ, જેવા બાલઊ ઈ. પૂઠલીધા કરઈ સાદ, ઉપજઈ અતિ હિ આલ્હાદઃ નામ નવરંગ પાત્ર જણે સહુ મિલિક જત્ર એક કહ ભાવ બિન, જન્મ્યા એહવા રતન; તપગચ્છતણ અ આધાર, હોસિ એહ ગણધાર. કીધા ઉચ્છવ જેહ, વર્ણવી ન શકું તે; મંદબુદ્ધિ કિમ જશું, જીહિ એક કિમ વખાણું. 274* જૈન રાસ વિમર્શ Page #324 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ પ્રાપ્તિ ઃ રાસનો આ ખંડ ૯ પંક્તિ (૯૭-૧૦૫)માં રચાયો છે. તેમાં રાગ મલ્હાર તથા મેરે લાલ નામનો ઢાલ પ્રયોજયો છે. પ્રત્યેક પંક્તિને અંતે ઢાલને અનુરૂપ મેરે લાલ શબ્દ પ્રયોજ્યો છે. ભાવે ભવિજન ભેટીઈ, દીપઈ જિસિઉ દિગંદ મેરે લાલ; ચિહુ પખિ ચ્યારિ ગૃહલી વલી કીજઈ, દીઈ બહુલાં દાન મેરે લાલ.’ વારૂ વિસ થતા અસંતોષાઈ, પોષઈ પિરલિ ભાવિ મેરે લાલ; વગેરે આમ ખંડમાં રચિયતાએ પંક્તિઓની વચ્ચે વચ્ચે પ્રાસ મળતા શબ્દો પ્રયોજીને સુંદર રીતે પ્રાસ સાંકળીનો સફળ પ્રયોગ કર્યો છે. આ ખંડમાં શ્રીસોમવિમલ ઉપાધ્યાયને સં. ૧૫૯૭ના આસો સુદ પને ગુરુવારે પુષ્યનક્ષત્રમાં આચાર્યપદ અપાયાનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે. જેમ કે : સંવત્ પન્નર સતાણવઈ, આસો માસ મઝારિ મેરે લાલ; પુષ્પનિિત્ર પદ બઈસણું, સુદિ પંચમી ગુરુવર મેરે લાલ.’ આ રાસખંડના અંતે કવિ હવે પછી આવનાર રસખંડનો આંશિક ઉલ્લેખ કરી આગામી વિષયવસ્તુનું જાણે મહાકાવ્ય નાટક વગેરેના નિયમ અનુસાર ઉલ્લેખ કરે છે. ગચ્છનાયક પદ કેરૂ ઉચ્છવ, હવઈ પભણુ આનંદ મેરે લાલ.’ ગચ્છનાયક પદ મહોત્સવ : આચાર્યપદ પ્રાપ્તિ બાદ હવે ગચ્છનાયક પદનો મહોત્સવને વર્ણવતો આ રાસખંડ ૨૧ પંક્તિ (૧૦૬-૧૨૭)માં ૨ચ્યો છે. આ ખંડમાં ધન્યાસી રાગ અને સહિગુરુ વંદઈ નામનો ઢાળ પ્રયોજ્યો છે. આ ખંડની દરેક પ્રથમ પંક્તિનો અંત ‘એ' વર્ણથી થાય છે જ્યારે દરેક બીજી પંક્તિ ‘કિ' વર્ણમાં અંત પામે છે અને તેના અંતે રાગ – સહિગુરુ વંદઈનામ – નો આરંભિક વર્ણ ‘સ’ પુનરાવર્તન પુનરાલાપ) અર્થ આપેલ છે. શ્રીસોમવિમલ આચાર્યને સં. ૧૬૦૫ને મહાસુદ પને દિને જ્યારે તેઓ ખંભાત આવ્યા ત્યારે દોશી જ્યચંદે પ્રવેશ મહોત્સવ કરી ત્યાંના સંઘની આજ્ઞા લઈ આચાર્યને ગચ્છનાયક પદ આપ્યું. આ ગચ્છનાયક પદના મહોત્સવ વિશે કવિ આનંદસોમે સવિસ્તાર શ્રી સોમવિમલસૂરિ રાસ * 275 Page #325 -------------------------------------------------------------------------- ________________ લખ્યું છે. તેમાં ઘેર ઘેર વધામણાં થવાનો, સહુના અપાર આનંદનું, જયકારાનું વર્ણન છે. સંઘ આગળ વધતાં વિવિધ વાજિંત્ર શરણાઈ, ઢોલ, કાંસલ, માદલ, ઘૂઘરી, ડમરુ વગેરેના આનંદપૂર્વક વગાડવાનો અને હર્ષોલ્લાસના પ્રસંગનું નિરૂપણ કર્યું છે. સંયમચર્યા : આ અંતિમ ખંડમાં ૨૯ પંક્તિ (૧૨૮-૧૫૬) યોજી છે. તેમાં વિવિધ ચાર રાગ પણ પ્રયોજ્યા છે. જેમ કે. પંક્તિ ૧૨૮થી ૧૩રમાં રાગ કેદારૂ અને ઢાલ ફાગનું છે. પંક્તિ ૧૩રથી ૧૪૧માં રાગ કેદારૂ પણ ઢોલ દોલાનું છે. પંક્તિ ૧૪૨થી ૧૫૦માં રાગ સામેરી અને ઢાલ જયમાલાનું છે. જ્યારે અંતિમ ખંડ પંક્તિમાં ૧૫૧થી ૧પ૬માં રાગ મલ્હાર અને ઢાલ મોરી આંખડી ફરૂકઈ રે છે. આનાથી વિશેષ માહિતી લઘુપોશાલિક તપગચ્છની પટ્ટાવલિમાંથી મળી આવે છે તે નીચે પ્રમાણે છે.૧૪ - તેઓશ્રીના વિજાપુર ગયાં પહેલા અજહરીમાં (અંજાર/અજમેરમાં) પંડિતોએ આરાધિત કરેલી શારદાનો વિજયવર સોમવિમલ પંડિતને મળ્યો હતો. સંવત્ ૧૫૯૨માં અમદાવાદથી વિદ્યાપુર વિજાપુર) જતા સંઘમાં મરકી થઈ રહી હતી જે શ્રી સોમવિમલસૂરિએ ધ્યાન કરી શાંત કરી હતી. સંવત્ ૧૫૯૯માં પત્તન (પાટણ)માં ચોમાસુ કર્યું ત્યારે ઘણા અભિગ્રહ કર્યા હતા અને પાળ્યા હતા ત્યાર બાદ શ્રી શેત્રુજ્ય, રૈવતકાચલ (ગિરનાર), ધવલ (ધોળકા), કાન્હમ પ્રદેશના વણછરા ગામે તેમ જ આમ્રપદ (આમોદ), ઈલદુર્ગ (ઈડર) વગેરે સ્થાનોએ અભિગ્રહ કરી પાળ્યા. વળી હાથીલ ગામમાં આવ્યા ત્યારે કુંડાદ ગામે મરકી થયેલી અને આચાર્યને વિનંતી કરાતા તેઓએ ત્યાં જઈ મરકીનું નિવારણ કર્યું હતું. - શ્રી સોમવિમલસૂરિ અષ્ટાવધાની હતા, તેઓ ઈચ્છાલિપિ વાચક હતા, ચૌર્યાદિ ભય નિવારક હતા, માત્ર સંદેશ કહીને એક-બે-ત્રણ આંતરીઓ તાવ ૧૪ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય - સંચય, પ્ર.શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર. ઈ.સ. ૧૯૨૬, પૃ.૭૭. 276 * જૈન રાસ વિમર્શ Page #326 -------------------------------------------------------------------------- ________________ વગેરેને દૂર કરતા. તેમના પગ ધોયેલ પાણી પીવાથી સ્ત્રીઓને સુખેથી પ્રસવ થતો તથા કુષ્ટ આદિ મહાવ્યાધીને પણ તેઓ દૂર કરતા. તેમના પાદ વંદનાથી આધા-શીશી ચાલી જતી. આમ ખૂબ મહિમાનવાન હતા શ્રી સોમવિમલસૂરિજી. ઈ.સ. ૧૬૨૫ આનંદસોમને સૂરિપદ આચાર્યપદ શ્રી સોમવિમલસૂરિએ આપ્યું. શ્રીસોમવિમલસૂરિ સં. ૧૬૩૭માં માર્ગશીર્ષમાં સ્વર્ગવાસ થયો. તેમને પોતાના કાર્યકાળ દરમિયાન બધાં મળી બસો સાધુને દીક્ષા આપી હતી. શ્રી સોમવિમલસૂરિએ ગુજરાતી સાહિત્યમાં કલ્પસૂત્ર પરના ગ્રંથો, બાલાવબોધ ઉપરાંત રાસાઓ પણ રચેલા છે. જેમ કે : – ૨. ૧. ધમ્મિલકુમાર રાસ સં. ૧૬૧૫, પોષ સુદ ૧ને વિવા૨, ખંભાત. ચંપકશ્રેષ્ટિરાસ. સં. ૧૬૨૨, શ્રાવણ સુદ ૭ ને શુક્રવાર, વિરાટનગ૨ શ્રેણિક રાસ / સમ્યકત્વસાર રાસ. સં.૧૬૦૩, ભાદ્રપદ સુદિ ૧, કુમારિગર. ૩. ૪. ૫. ક્ષુલ્લકકુમા૨ાસ સં. ૧૬૩૩, ભાદ્રપદ વદ ૮, અમદાવાદના રાજપરા. આ સિવાય અન્ય ગીત, સ્તવન વગેરે પણ રચ્યા છે. ઉપસંહાર : કવિ શ્રી આનંદસોમ એક સાચા ગુરુભક્ત હોવાનો સજ્જડ પુરાવો આ ૧૫૬ પંક્તિના વિશાળ રાસથી જ જ્ઞાત થાય છે. તેઓ સ્વયંની ગુરુવંદના તથા સ્તુતિને દુષ્કૃત્યોને દૂર ક૨ના૨ હોવાનું તેમ જ રિદ્ધિ, વૃદ્ધિ, સુખ, સંપદા નિશ્ચિતપણે પોતાના ઘરે થવાનું દૃઢપણે માનતા હોવાનું દૃષ્ટિગોચર થતાં જ તેઓ પરમ્ શ્રદ્ધેય હોવાનું પણ જ્ઞાન થાય છે. કવિની આ રચનાથી તેઓ એક નીવડેલા કવિ હોવાનું જ્ઞાન પણ થાય છે. તેઓ ગુજરાતી, પ્રાકૃત તેમ જ અપભ્રંશ ભાષાના સમ્યક્ જ્ઞાતા હોવાનું જેવા મળે છે. અને તેમના સમયે પ્રાકૃત અને અપભ્રંશ તથા જૂની ગુજરાતી ભાષાનો પ્રભાવ સમાજ ઉ૫૨ રહ્યો હશે એમ માની શકાય. તેમણે ભાષા ઉપરાંત વિવિધ અલંકારો પ્રયોજીને અલંકારના જાણકાર હોવાનો પરિચય આપ્યો છે. શ્રીઆનંદસોમ પણ આ શિષ્યપરંપરામાં આવતા હોવાથી તેઓ શાસ્ત્ર તથા ધર્મના કુશળ જાણકા૨ છે તેમ કહેવું સહેજ પણ અતિશયોક્તિ નથી. શ્રી સોમવિમલસૂરિ ાસ * 277 Page #327 -------------------------------------------------------------------------- ________________ અને તેથી જ તેઓ જૈનધર્મના ઉપદેશોનો માર્મિક ઉપદેશ પોતાના શ્રીગુરુના મુખથી કહી શક્યા છે. જેમ કે... શ્રીગુરુ હેમવિમલસૂરિ ઉપદેશ કરતાં જૈનધર્મની ખૂબ પ્રશંસા કરે છે. તેઓ તેને ભવતારક કહે છે. જૈનધર્મ સકલધર્મનું મૂળ હોવાનો, તેમાં જીવદયા અને દુઃખનિવારણના સદ્ગુણ હોવાનું પણ વર્ણવે છે. આમ અનેક ગુણનો ઉપદેશ કરે છે અને શર્મ, ધર્મ, ચારિત્ર, નિયમ વગેરેની સમજ આપે છે. આ રાસમાં જૈન ધર્મ યજ્ઞયાગાદિ સ્થૂળ ક્રિયાઓને બદલે તપોમય સંયમી જીવનનો આદર્શ રજૂ કરે છે. મહાવીર સ્વામીએ પ્રબોધેલ સંયમધર્મનું આલેખન ઉપદેશાત્મક રીતે પ્રસ્તુત કર્યું છે. આ કૃતિ અલંકારો અને છંદોના વૈવિધ્યને કારણે ગેયતા અને કાવ્યાત્મકતા સંપન્ન બની છે. આ રાસમાંથી ઇતિહાસ ઉપરાંત પ્રાચીન ભૌગોલિક સ્થળો અને તેમનાં પ્રાચીન નામો પણ જાણવા મળે છે. ૧. ત્રંબાવતી નગરી – ખંભાત ૨. કંસારી પુર ૩. અલ્પદાવાદ | અહિમદાવાદ | અહિમ્મદાવાદ – અમદાવાદ ૪. સીરોહી નગરી ૫. વિદ્યાપુર – વિજપુર ૬. પાટણિપુર – પાટણ ૭. ખંભનયરી – ખંભાત નગરી ૮. નંદરબારિ – નંદુરબાર જૈન રાસો સાહિત્યની પરંપરા પ્રાચીન સમયથી આજ સુધી અમ્મલિત રહી છે એ એની લોકપ્રિયતા અને વ્યાપકતાનું પ્રમાણ છે. ગેયતા, નૃત્ય અને અભિનયના સમન્વિત આનંદ સાથે કથારસ અને ધર્મામૃતનું બહુજન સમાજને પાન કરાવવામાં આવી રામકૃતિઓ મૂલ્યાધિકારિણી બની છે. આ રાસ ગુજરાતી સાહિત્યના આખ્યાન, ગરબા – ગરબી ઈત્યાદિ કાવ્યપ્રકારો માટે ઉદ્ભવ સ્રોત સમા છે. 278 * જૈન ચસ વિમર્શ Page #328 -------------------------------------------------------------------------- ________________ પરદેશી રાજાનો રાસ (જ્ઞાનચંદજી) સુધાબેન ગાંધી શ્રી પરદેશી રાજાનો ૨ાસ આજથી અઢીથી ત્રણ હજાર વર્ષ પૂર્વના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે. તે સમયના સામાજિક જીવનનાં પાસાંઓને ઉજાગર કરે છે. રાજાનો સમગ્ર વ્યવહાર, સભ્ય દેશોની સભ્યતાને, અસભ્ય વ્યક્તિના જીવનમાં લઈ જવાનો એક ભગીરથ પ્રયાસ છે. આ રાસમાં આધ્યાત્મિક અથવા આંતરિક વિચારો કે સંસ્કારોનો ઇતિહાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. આદિકાળથી ચાલી આવતી મનુષ્યની સ્વાર્થપરાયણતા, ક્રોધ, અહંકાર, માયા, કપટ, કામવાસના ઇત્યાદિનો જે પ્રવાહ જગતમાં જળવાઈ રહ્યો છે જે ઇતિહાસ બહુ જૂની પ્રકૃતિ તથા વિશ્વ સાથે જોડાયેલો છે તેવા આંતરિક પ્રવાહોનો ઇતિહાસ આ રાસમાં સંકલિત થયેલ છે. આ પરદેશી રાજાના રાસમાં આર્યભૂમિ તથા અનાર્યભૂમિનો મુખ્ય ઉલ્લેખ છે. આર્યભૂમિ ગંગાના નિકટવર્તી પ્રદેશોમાં સમાવિષ્ટ છે. આર્યભૂમિ તરીકે આ પ્રકરણમાં જે દેશોનો ઉલ્લેખ છે ત્યાંનો રાજા ઘણો જ બુદ્ધિશાળી, વિચક્ષણ અને શક્તિશાળી છે. રાજા હોશિયાર હોવા છતાં નાસ્તિકતાની લપેટમાં આવી જાય છે અને અગોચરભાવ પ્રત્યે પ્રબળ અશ્રદ્ધા ધરાવવા લાગે છે. આ પરદેશી રાજા તેની નાસ્તિકતાના કારણે ખૂબ હિંસક પગલાં ભરે છે, વળી રાજ્યમાં નીતિ, ન્યાયને સ્થાન આપી શકતા નથી. પાપનાં ફળ બૂરાં હોય તેવું ન માનનાર તે પાપાચાર પ્રવૃત્તિને વેગ આપે છે. જેના પરિણામે પ્રજાને તથા રાજા કર્મચારીને ઘણો અન્યાય થાય છે અને હિંસક બળોને પ્રોત્સાહન મળે છે. સદ્નસીબે રાજાને મંત્રી ચિત્તસારથિ ખૂબ જ આસ્તિક, ધાર્મિક વૃત્તિવાળો વિચક્ષણ અને બુદ્ધિમાન છે. આ મંત્રી પ્રબળ, પરાક્રમી મહાત્માની શોધમાં છે. જે રાજાને પડકારી શકે અને તેમની નાસ્તિકતાને નાથી શકે. મંત્રી ખૂબ ચતુર અને રાજનીતિનાં સૂત્રોનો જાણકાર છે. પરદેશી રાજાનો રાસ * 279 Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રધાનમંત્રી ચિત્ત જ્યારે શ્રાવાસ્તિનગરીમાં આવ્યા અને કેશીકુમા૨ શ્રમણનાં તેમને દર્શન થયાં ત્યારે સત્વરે બુદ્ધિમાન આ પ્રધાને પોતાના રાજાને સુધારવા માટે કેશીકુમા૨ શ્રમણને પોતાના દેશમાં લઈ જવાનો સંકલ્પ કર્યો. કેશીકુમાર શ્રમણનાં તેમને દર્શન થયાં ત્યારે સત્વર બુદ્ધિમાન પ્રધાને પોતાના રાજાને સુધારવા માટે ચાલાકી પૂર્વક મેળાપ કરાવ્યો. કેશીકુમાર શ્રમણ અને પરદેશી રાજા વચ્ચે સફળ વાર્તાલાપ થયો. તેમાં રાજાનો માનસિક પરાજય થયા પછી તેના મનમાં આસ્તિકતાનો ઉદય થયો. સમગ્ર રાજ્યમાં નીતિની સ્થાપના થઈ. રાજાનું જીવન પરિવર્તન તો થયું પણ તેની સાથે સંપૂર્ણ રાષ્ટ્રનું પણ પરિવર્તન થયું. ખજાનાનો સદ્ઉપયોગ થયો. રાજાની રાણી સુરિશ્ચંતાને આ રીતે રાજાનું થયેલું પરિવર્તન અયોગ્ય લાગતાં, પોતાનું જીવન હિંસાથી કલંકિત કરી દુર્ગતિને પામે છે. જેવું કર્મ તેવું ફળ તેમ આ રાસ પરથી ફલિત થાય છે. નર હોય કે નારી, રાજા હોય કે રાણી, કર્મનો સિદ્ધાંત બધા માટે સમાન જ હોય છે. પરદેશી રાજા-દેહ અને આત્મા એક છે તેમ માનતા હતા. પરદેશી રાજાનું અધર્મી જીવન, કેશી સ્વામીના સત્સંગે ભવ્ય, દિવ્ય, રમ્ય બનીને પરિવર્તનનો ઇતિહાસ સર્જી જાય છે. પાપના પલટાથી પ્રાપ્ત થતાં પુણ્યના પુંજના પુંજ દેવલોકમાં જ્યાં શાશ્વત દિવ્ય સામગ્રી છે ત્યાં લઈ જાય છે. આવી સંજીવની ભરેલી જડીબુટ્ટી જેવું આ સૂત્ર છે. ભરતક્ષેત્રમાં આમલકપ્પા નામની સમૃદ્ધ નગરી છે ત્યાં કોઈ ગુનેગાર નહીં મળે. પ્રજા સુખપૂર્વક ન્યાયનીતિથી જીવી રહી હતી. ત્યાંના શ્વેત રાજા અને ધારિણીદેવી શુભ લક્ષણવંતાં અને વિશુદ્ધવંશનાં હતાં. તે નગરીના અંબસાલ વનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિહરતા-વિહરતા પરિવાર સહિત પધાર્યા. અશોક વૃક્ષ નીચે નિર્દોષ જગ્યામાં અવગ્રહ ધારણ કરીને ઊતર્યા. ત્યાં રહેલી શુદ્ધ કાળી શિલાપાટ ઉ૫૨ પર્યંકાસને રહી સંયમ તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. સૌધર્મ નામના પ્રથમ દેવલોકના સૂર્યભવિમાનના અધિપતિ સૂર્યાભદેવે અવધિજ્ઞાન અને અવધિદર્શન દ્વારા આમલકપ્પા નગરના ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીને જોયા. ભગવાનનાં દર્શન થતાં જ તેઓ સિંહાસન ઉ૫૨થી ઊભા થઈ ગયા અને ભગવાન જે દિશામાં હતા તે દિશામાં પ્રભુને વંદન કર્યાં. 280 * જૈન રાસ વિમર્શ Page #330 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિય શરીર પ્રમાણે ઉત્કૃષ્ટ દિવ્યદેવ ગતિથી ઉત્તમ, પ્રશસ્ત, ત્વરિત, ચપળ, અતિ વેગવાળી, શીવ્રતાવાળી, તીવ્રવેગવાળી પવનથી ઊડતી રજની ગતિ જેવી દિવ્ય દેવગતિથી તિરછી દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રને પાર કરતાં જંબુદ્વિપતા ભરતક્ષેત્રની આમલકપ્પા નગરીના આમ્રશાલ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. ત્યાં આવીને તેઓએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન – નમસ્કાર કર્યા. હે ભગવાન! અમે સૂર્યાભદેવના આભિયોગિક દેવો આપ દેવાનુપ્રિયને વંદન નમસ્કાર કરીએ છીએ. આપની પÚપાસના કરીએ છીએ. ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે : હે ભગવાન! તે સૂર્યાભદેવને આ પ્રકારની મહારુદ્ધિ, મહાદેવ પ્રભાવ કેવી રીતે મળ્યાં? તે સૂર્યાભદેવ પૂર્વ ભવમાં કોણ હતા? તેમનું નામ-ગોત્ર શું હતું? કેવું આચરણ કર્યું? જેથી તેઓને આવો દિવ્ય પ્રભાવ મળ્યો? ત્યારે પ્રભુ જવાબ આપે છે કે “હે ગૌતમ! શ્વેતાંબિકા નગરીમાં મહાહિમાવાન પર્વત જેવો પ્રભાવશાળી પરદેશી નામનો રાજા હતો. તે રાજા અધમનુગામી, અધર્માવિલોકી, અધર્મને ફેલાવનારો અધર્મશીલ, અધર્મવિચારી હતો. તે પરદેશી રાજાને સૂર્યકેતા નામની રાણી હતી. સૂર્યકેત નામનો કુમાર હતો. તે પરદેશી રાજાને ચિત્ત નામનો સારથિ – પ્રધાન હતો. ચિત્તસારથિ સમૃદ્ધ-સંપત્તિવાન તથા અનેક લોકો માટે આદર્શભૂત હતો. રાજાનો વિશ્વાસુ હતો અને રાજની ધૂરાને વહન કરતો હતો. તે કાળે વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરામાં તે સમયે કેશી સ્વામી વિવૅમાન હતા, તે સમયે રિદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિથી ભરપૂર તથા રમણીય એવો કૃણાલ નામનો દેશ હતો. તેમાં રિદ્ધિ સિદ્ધિ, સમૃદ્ધિથી પરિપૂર્ણ રમણીય એવી શ્રાવસ્તી નામની નગરી રાજધાની હતી. શ્રાવતી નગરીની ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન ખૂણામાં અત્યંત પ્રાચીન તથા મનોહર એવું કોષ્ટક નામનું વલાયતન યુક્ત ઉદ્યાન હતું. તે શ્રાવસ્તીનગરમાં મહાહિમવાન પર્વત જેવો પ્રભાવશાળી જિતશત્રુ નામના પરદેશી રાજાના આધીનસ્થ ખંડિયા રાજા રાજ્ય કરતા હતા. શ્રાવસ્તી નગરીનો જાતશત્રુ રાજા શ્વેતાંબિકાના પરદેશી રાજાનો પરદેશી રજાનો રસ + 281 Page #331 -------------------------------------------------------------------------- ________________ અંતેવાસી હતા. અંતેવાસી – શિષ્યભાવનો સૂચક છે. શિષ્ય ગુરુની આજ્ઞાનો ધારક હોય છે. તેમ જિતશત્રુ રાજા પરદેશી રાજાના આજ્ઞાના ધારક હતા. તેના તાબામાં રહેતા ખંડિયા રાજા હતા. એક વાર પરદેશી રાજાએ મણિરત્નયુક્ત મહામૂલ્યવાન ભેટ સાથે ચિત્તસારથિને જિતશત્રુ રાજાને ભેટ આપવા કહ્યું – ત્યાંનાં રાજકાર્યો, રાજનીતિઓ, રાજવ્યવહાર તપાસવા કહ્યું. જિતશત્રુ રાજાએ ચિત્તસારથિની ભેટ સ્વીકારી. તેના ચિત્તના સત્કાર, સન્માન કર્યા – ઉતારા માટે રાજમાર્ગ ઉપરનો એક મોટો મહેલ આપ્યો. તે કાળે, તે સમયે પાર્શ્વનાથ ભગવાનની શિષ્ય પરંપરાના કૌમાર્યવસ્થામાં દીક્ષિત થયેલા કેશીકુમાર નામના શ્રમણ પ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાં પધાર્યા. ક્રોધાદિ પર જય મેળવેલો હોવાથી તેઓ જિતક્રોધી, જિતમારી, જિતલોભી હતા. નિદ્રા અને ઇન્દ્રિયોને વશ કરેલ હોવાથી તેઓ જિતેન્દ્રિય હતા. જિનપરિષહી હતા. જીવન-મરણમાં સમભાવી હતા. ચારુ જ્ઞાનના ધારક એવા કેશીકુમાર શ્રમણ પોતાના પાંચસો શિષ્યો સાથે ગામેગામ વિચરતા, સુખપૂર્વક વિહાર કરતા શ્રાવસ્તીનગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાં પધાર્યા અને યથોચિત સ્થાનમાં રહેવાની આજ્ઞા લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા ત્યાં રહ્યા. ત્યાર બાદ કેશીકુમાર શ્રમણના શ્રાવસ્તીનગરીમાં આગમન બાદ નગરીના ત્રણ રસ્તા ભેગા થતા હોય તેવા ત્રિકમાં, ચાર રસ્તા ભેગા થતા હોય તેવા ચોકમાં, ઘણા રસ્તા ભેગા થતા હોય તેવા ચિત્રો, ચારે બાજુ દ્વાર હોય તેવા ચતુર્મુખોમાં, રાજમાર્ગોમાં અને શેરીએ-શેરીઓમાં લોકો પરસ્પર એકત્રિત થયેલા લોકો વાતો કરવા લાગ્યા. જનસમૂહ કેશીકુમાર શ્રમણનાં દર્શન કરી, તેમને વંદન-નમસ્કાર કરી પર્યાપાસના કરવા લાગ્યા. જનસમૂહ જોઈ ચિત્તસારથિ વિચારવા લાગ્યા કે આજે શ્રાવસ્તીનગરીમાં ઈન્દ્ર મહોત્સવ છે? કાર્તિકેય મહોત્સવ છે? પોતાના દ્વારપાળને કહ્યું. કંચુકી પુરુષે ચિત્તસારથિને કહ્યું હે દેવાનુપ્રિય! જાતિસંપન્ન એવા પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના કેશીકુમાર શ્રમણ ગામેગામ વિહાર કરતા આજે અહીં પધાર્યા છે – કોષ્ટક ઉદ્યાનમાં બિરાજી રહ્યા છે. 282 * જૈન રાસ વિમર્શ Page #332 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસારથિએ કેશીકુમાર શ્રમણને ત્રણવાર પ્રદક્ષિણા કરી વંદનનમસ્કાર કર્યા. કેશીકુમાર શ્રમણે ચિત્તસારથિ આદિ વિશાળ પરિષદને ચાતુયામિ ધર્મનો ઉપદેશ આપ્યો. પ્રદક્ષિણાપૂર્વક વંદન – નમસ્કાર કરી કહ્યું – “હે ભગવાન! નિગ્રંથ પ્રવચન ઉપર હું શ્રદ્ધા રાખું છું. હું આપની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત મૂલક બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કરવા ઈચ્છું છું.” ચિત્તસારથિની ભાવનાને જાણીને કેશીકુમાર શ્રમણે કહ્યું – “હે દેવાનુપ્રિય! જેમ સુખ ઊપજે તેમ કરો પણ વિલંબ ન કરો.” ત્યારે ચિતસારથિએ કેશીકુમાર શ્રમણ પાસેથી પાંચ અણુવ્રત, સાત શિક્ષાવૃતરૂપ શ્રાવક ધર્મનો અંગીકાર કર્યો અને જે દિશામાંથી આવ્યા હતા ત્યાં પરત ફર્યા. મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં સાધુઓ માટે ચાર મહાવ્રતનું વિધાન છે. કેશીકુમાર શ્રમણ ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના હોવાથી તેમણે ચાર મહાવ્રતરૂપ શ્રમણધર્મનો ઉપદેશ આપ્યો. મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ ચતુર્થ મહાવ્રતમાં સમાવેશ કરે છે. વ્રતગ્રહણ કર્યા પછી તે ચિતસારથિ શ્રમણોપાસક થઈ ગયા. ચૈતન્ય સ્વરૂપી જીવતત્ત્વ અને જડરૂપી અજીવ તત્ત્વના જ્ઞાતા બની ગયા. શુભકર્મરૂપ પુણ્યતત્ત્વ, અશુભકર્મરૂપ પાપતત્ત્વને સમજવા લાગ્યા. કર્મબંધના કારણરૂપ આશ્રવતત્ત્વ, હિંસાદિ સંવર તત્ત્વ, કર્મ પુદ્ગલોનું રૂપ બંધતત્ત્વ અને સર્વ પુદ્ગલોનું આત્મપ્રદેશોથી સર્વથા છૂટા પડવા રૂપ મોક્ષતત્ત્વ સ્વરૂપને જાણવામાં કુશળ થઈ ગયા. જેમ અસ્થિ અને મજ્જા પરસ્પર ઓતપ્રોત હોય છે તેવી જ ઓતપ્રોતતા ચિત્તસારથિને નિગ્રંથ પ્રવચનમાં રગેરગમાં પ્રતીતિ થઈ, તેઓનું શીલ એટલું બધું પવિત્ર બની ગયું કે અંતઃપુરમાં પ્રવેશી શકતા જિતશત્રુ રાજા સાથે રહીને રાજકાર્યો, રાજ્ય વ્યવહારોનું અવલોકન કરતા શ્રાવસ્તીનગરીમાં રહ્યા. જિતશત્રુ રાજાએ ચિતસારથિને વિદાય આપી. પગપાળા કેશીકુમાર શ્રમણ બિરાજમાન હતા ત્યાં ધર્મોપદેશ સાંભળ્યો અને શ્વેતાંબિકાનગરીમાં પરદેશી રાજાને ત્યાં પધારવા સવિનય વિનંતી કરી. કેશીકુમાર શ્રમણે ચિત્ત પરદેશી રાજાનો ચસ 283 Page #333 -------------------------------------------------------------------------- ________________ સારથિને કહ્યું પરદેશી રાજા અધાર્મિક છે ત્યાં કેમ આવું? ચિત્તસારથિએ પ્રત્યુત્તર આપ્યો. શ્વેતાંબિકા નગરીમાં ઘણાં ઈશ્વર, તલવર, સાર્થવાહ વગેરે ઘણા ધાર્મિક વળી આપના પધારવાથી પરદેશી રાજાને પણ ધર્મની સમજણ મળશે એમ લોકો રહે છે. કેશી નામના કુમાર શ્રમણ વિચરતા-વિચરતા પધાર્યા. શ્વેતાંબિકા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં આવીને ઊતરવાની આજ્ઞા લઈને સંયમ, તપથી આત્માને ભાવિત કરતા રહ્યા. ચિતસારથિ-પરદેશી રાજા રથમાંથી ઊતરતા ઊતરતા કેશીકુમાર શ્રમણ પર દૃષ્ટિ પડી. પરદેશી રાજાએ ચિત્તસારથિને કહ્યું – આ પુરુષ અવધિજ્ઞાન સંપન્ન છે અને જીવ તથા શરીરને ભિન્ન માનનારા છે? ચિત્તે કહ્યું : હા. પરદેશી રાજા કેશીકુમાર શ્રમણ પાસે જાય છે. કેશીકુમાર શ્રમણે પરદેશી રાજાને કહ્યું – જ્ઞાનના પાંચ પ્રકાર – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાનના ચાર પ્રકાર અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, શ્રુતજ્ઞાનના બે પ્રકાર અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય, અવધિજ્ઞાનના બે પ્રકાર - ભવ પ્રત્યયિક, ક્ષાયોપરામિક, મન:પર્યવજ્ઞાનના બે પ્રકાર – ઋજુમતિ, વિપુલમતિ, કેવળજ્ઞાન અરિહંત ભગવંતોને હોય છે. પાંચ ઇન્દ્રિયોને મનની સહાયતાથી પદાર્થનું જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન કહે છે. ઇન્દ્રિય કે મનની સહાય વિના સાક્ષાત આત્મા રૂપી પદાર્થોનું, ક્ષેત્રનું જ્ઞાન થાય તેને અવધિજ્ઞાન કહે છે. સમસ્ત જીવોના. મનોગત ભાવોને જ્ઞાન થાય તેને મન:પર્યવજ્ઞાન કહે છે. સમસ્ત દ્રવ્યોને તથા ત્રણે કાળને, ત્રણ લોકને જે જાણે છે તે કેવળજ્ઞાન કહે છે. રાજાએ કેશીશ્રમણને કહ્યું કે આત્માને જાણવા જોવા શોધવા પ્રાપ્ત કરવા મેં ઘણા પ્રયોગો કરી જોયા છે પણ તે પ્રયોગોમાં મને નિષ્ફળતા મળી છે. હું આત્માને જોઈ શક્યો નથી. મારા તે પ્રયોગોના અંતે હું એ નિર્ણય પર આવ્યો છું કે શરીરથી જુદો કોઈ આત્મા નથી. આત્મા કહેવો જ હોય તો શરીરને જ આત્મા કહેવો પડશે. જે શરીર છે તે જ આત્મા છે તે જ શરીર છે. અનેક તર્કો દ્વારા પણ શરીર અને આત્મા એક છે તે જ વાત સિદ્ધ થાય છે. આત્મા નથી તેથી પુણ્ય પાપ, પુર્નજન્મ પણ નથી. પરદેશીએ કેશી શ્રમણ સમક્ષ નીચે પ્રમાણે દસ તર્કો રજૂ કર્યા અને 284 * જૈન રાસ વિમર્શ Page #334 -------------------------------------------------------------------------- ________________ કેશી શ્રમણે દૃષ્ટાંત દ્વારા તે તર્કપ્રયોગોમાં જે જે ભૂલ હતી તેનો નિર્દેશ કરીને શરીરથી આત્મા ભિન્ન છે તે સિદ્ધ કર્યું. (૧) પરદેશી રાજાએ કહ્યું : નરકે ગયેલા મારા દાદા મને અધર્મ ન આચરવાનું કહેવા નરકથી આવ્યા નથી. માટે હું શરીર અને આત્માને એક માનું છું. કેશી શ્રમણ કહે છે રાણી સાથે કામસેવન કરતા પકડાયેલો પુરુષ સ્વજનો પાસે જઈ શકતો નથી તેમ ભયંકર વેદનાદિની પરતંત્રતાના કારણે નાકીઓ અહીં આવી શકતા નથી. - (૨) પરદેશી રાજા પ્રશ્ન કરે છે – દેવલોકમાં ગયેલા મારા દાદી મને તેના વહાલા પૌત્રને ધર્મ આચરવાનું કહેવા આવતા નથી માટે હું શરીર અને આત્માને એક માનું છું. કેશી શ્રમણ પ્રત્યુત્તર આપે છે ઃ સ્નાનાદિ કરી મંદિરમાં તો પુરુષ સંડાસમાં જતો નથી. તેમ મનુષ્યલોકની દુર્ગંધિ અને દેવલોકના દિવ્ય કામભોગાદિ કારણોથી દેવો અહીં આવી શકતા નથી. – (૩) પરદેશી પુછે છે – લોઢાની કોઠીમાં પુરેલો પુરુષ મરી જાય ત્યારે આત્મા તેમાંથી નીકળે તો કોઠીમાં છિદ્ર કે તડ પડે પણ તેમ થતું નથી. તે મારી માન્યતાને પુષ્ટ કરે છે. કેશી શ્રમણ શાંત ભાવે વર્ણવે છે સજ્જડ બંધ ઓરડામાંથી અવાજ બહાર નીકળી જાય છે તેમ સજ્જડ બંધ કોઠીમાંથી જીવ નીકળી શકે છે. જીવમાં પર્વતાદિ ભેદીને જવાનું સામર્થ્ય છે. (૪) પરદેશી રાજા ફરી પ્રશ્ન પૂછે છે લોઢાની કોઠીમાં પૂરેલા મૃત પુરુષના મૃત શરીરમાં કીડા પડે છે. તે કીડાના જીવો કોઠીમાં પ્રવેશે તો કોઠીમાં છિદ્રાદિ પડવા જોઈએ પણ તેમ થતું નથી. આ પ્રયોગ પણ મારી માન્યતાને પુષ્ટ કરે છે. કેશી શ્રમણ શાંત ચિત્તે જવાબ આપે છે. છિદ્ર વગરના લોઢાને તપાવવામાં આવે ત્યારે તે લોઢામાં અગ્નિ પ્રવેશી જાય છે તેમ કીડાના જીવો કોઠીમાં પ્રવેશે છે. જીવ પૃથ્વી આદિને ભેદીને જવાનું સામર્થ્ય ધરાવે છે. (૫) પરદેશી રાજા આગળ જતા પૂછે છે: યુવાન એકસાથે પાંચ બાણ ફેંકી શકે છે. બાળક એકસાથે પાંચ બાણ ફેંકી શકતો નથી. યુવાવસ્થા અને બાલ્યાવસ્થામાં આત્મા એક જ હોય તો બન્ને અવસ્થામાં એકસરખું સામર્થ્ય રહેવું જોઈએ પણ તેમ થતું નથી. “કેશી શ્રમણ ધીર ગંભીર થતાં પરદેશી રાજાનો રાસ * 285 Page #335 -------------------------------------------------------------------------- ________________ કહે છે” – યુવાન પુરુષ જુના ખવાઈ ગયેલા બાણથી પાંચ તીર છોડી શકતા નથી. તેમ બાળકનું આવડતરૂપી ઉપકરણ ખામીવાળું છે તેથી તે એકસાથે પાંચ બાણ છોડી શકતો નથી. ૬) પરદેશી રાજા ફરી પ્રશ્નોત્તરી માટે ગંભીરતાથી કહે છે : “તરુણ પુરુષની જેમ વૃદ્ધ પુરુષ લોખંડ વગેરે ભારને ઉપાડી શકતા નથી. તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં એક જ આત્મા હોય તો બંને સમયે સમાન સામર્થ્ય રહેવું જોઈએ પણ તેમ થતું નથી.” કેશી શ્રમણ જવાબ આપે છે – “તરુણ પુરુષ પણ જૂના ખવાઈ ગયેલા ટોપલાથી લોખંડાદિ ભારને વહન કરી શકતા નથી તેમ વૃદ્ધ પાસે શક્તિરૂપી સાધનની ખામી છે તેથી તે ભાર ઉપાડવા અસમર્થ છે.” (૭) પરદેશી રાજા ફરી સવાલ કરે છે – “જીવંત પુરુષને અને તેના મૃત શરીરને વજન કરતાં બન્નેના વજનમાં અંશમાત્ર ફેર પડતો નથી. જીવા ચાલ્યો જાય તો મૃત શરીરનું વજન ઓછું થવું જોઈએ તેમ થતું નથી.” કેશી શ્રમણ વર્ણવે છે. “ખાલી અને હવા ભરેલી મશકના વજનમાં ફરક પડતો નથી. તેમ જીવ ચાલ્યા ગયા પછી મૃત શરીરના વજનમાં ફરક ન પડે. જીવ અરૂપી છે. અગુરુલઘુ છે. તેથી જીવને વજન નથી. | (૮) પરદેશી રાજા ફરી પ્રશ્ન સર્જે છે; “જીવતા પુરુષમાં અને તેના ટુકડે ટુકડા કરી તે ટુકડાનું નિરીક્ષણ કરતાં એક પણ ટુકડામાં જીવ દેખાતો નથી.” કેશી શ્રમણ જણાવે છે અરણીના લાકડામાં તેના ટુકડાનું નિરીક્ષણ કરતાં એક પણ ટુકડામાં અગ્નિ દેખાતો નથી. જીવ અરૂપી છે તે ચક્ષુગ્રાહ્ય નથી. | (૯) પરદેશી ફરી પ્રશ્ન પૂછે છે – “હથેળીમાં રહેલા આમળાની જેમ જીવ દેખાય તો જીવ અને શરીરને ભિન્ન માનું.” કેશી શ્રમણ જવાબ આપે છે “વાયુથી ઝાડ-પાન હલે છે. હલતા ઝાડપાન દેખાય છે પણ વાયુ દેખાતો નથી. અનુભવાય છે, તેમ અરૂપી આત્મા દેખાતો નથી પણ અનુભવાય છે.” (૧૦) પરદેશી રાજા છેલ્લે પ્રશ્ન કરે છે – “શરીરથી ભિન્ન આત્મા હોય તો એક જ આત્મા કંથવા અને હાથીના નાના મોટા શરીરમાં કેમ સમાઈ શકે?” 286 જૈન રાસ વિમર્શ Page #336 -------------------------------------------------------------------------- ________________ કેશી શ્રમણ પ્રત્યુત્તર આપે છે, “દીવા ઉપર નાનું મોટું જેવડું પાત્ર ઢાંકીએ તેટલામાં તે પ્રકાશ સમાય છે, તેમ આત્મપ્રદેશોમાં સંકોચ-વિસ્તાર થવાથી તે નાનું – મોટું જેવું શરીર મળે તેમાં સમાઈ જાય છે.” કેશી શ્રમણના યુક્તિસંગત દૃષ્ટાંતોથી પરદેશી રાજા જીવાદિ તત્ત્વ પ્રત્યે શ્રદ્ધાવાન બન્યા, તેમના સદ્ ઉપદેશથી શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યો અને પોતાના અવિનય માટે ક્ષમાયાચના કરી. હવે પરદેશી રાજાને વૃત્તિઓનું પરિવર્તન થઈ જતાં, ધર્મને આચરણમાં મૂકી. પોતાની સર્વ સંપત્તિના ચાર ભાગ કરી, ચોથો ભાગ દાનધર્મ માટે ફાળવ્યો. આ રીતે નવ પુણ્યોમાં પ્રથમ પુણ્ય એવા અન્નદાન માટે દાનશાળા ખોલાવીને ગૃહસ્થ ધર્મના કર્તવ્યનું પાલન કર્યું. સાથે જ તેઓ પૌષધ આદિની સાધનામાં લયલીન બની ગયા. જેથી તેમની વિષયવાસના કે એશઆરામની વૃત્તિઓ સર્વથા સમાપ્ત થઈ ગઈ. પરદેશી રાજા તરફથી ભોગપૂર્તિ ન થતાં રાણી અકળાવા લાગી. તેના ફળસ્વરૂપે તેણીએ રાજાને ભોજનમાં વિષ આપી દીધું. રાજાના શરીરમાં વેદના થતાં તેને રાણીના કાવતરાનો ખ્યાલ આવી ગયો પણ સમતાની સાધનામાં પુષ્ટ બની ગયેલા રાજાને રાણી પ્રત્યે લેશમાત્ર દ્વેષભાવ જન્મ્યો નહીં. જીવનનો અંત સમય સમીપ આવેલો જાણી રાજાએ અનશનવ્રત ગ્રહણ કરી લીધું. આત્મભાવમાં સ્થિત બની સમાધિભાવે દેહત્યાગ કરી, પરદેશી રાજા સૂર્યાભદેવ રૂપે ઉત્પન્ન થયા. સૂર્યાભદેવ ચાર પલ્યોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞા નામે મનુષ્યરૂપે જન્મ લઈ સંયમ સ્વીકારી સમાધિમરણે આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ, બદ્ધ મુક્ત થશે. કેશીકુમાર શ્રમણે પરદેશી રાજાને કહ્યું: સિદ્ધાંત છે કે જીવ અને શરીર એકરૂપ નથી. જીવ નિત્ય અને શાશ્વત છે. જીવમાં અગુરુલઘુ નામનો ગુણ છે. જીવ અરૂપી છે તેથી તે હળવો નથી અને ભારે પણ નથી. છાસ્થ જીવ દશ સ્થાનને સંપૂર્ણ પણે જાણતા નથી. જોતા નથી. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવ પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ, જીવ, જિન થશે કે નહીં? જીવ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં? વગેરે દસ પદાર્થોને જાણે છે – જુએ છે. કેશીકુમાર શ્રમણના સમજાવવાથી પરદેશી રાજા સત્ય સમજી ગયા પરદેશી રાજાનો રાસ +287 Page #337 -------------------------------------------------------------------------- ________________ અને વંદન કરી કહ્યું - હે ભગવન! મારે પસ્તાવું ના પડે તેવું હું નહીં કરું. હું આપ દેવાનુપ્રિય પાસેથી કેવળી પ્રરૂપિત્ત ધર્મ સાંભળવા ઈચ્છું છું. કેશીકુમાર શ્રમણ પ્રત્યુત્તર આપે છે – હે દેવાનુપ્રિય! જેમ સુખ ઊપજે તેમ કરો, વિલંબ ન કરો. ચિત્તની જેમ પરદેશી રાજા વગેરેને મુનિધર્મ અને ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર બાદ પરદેશી રાજાએ પણ ચિત્ત સારથિની જેમ શ્રાવકના બાર વ્રતને અંગીકાર કર્યા. કેશીકુમાર શ્રમણે પરદેશી રાજાને કહ્યું – આચાર્ય કેટલા પ્રકારના હોય? ત્રણ પ્રકાર. કલાચાર્ય, શિલ્પાચાર્ય, ધર્માચાર્ય, કલાચાર્ય અને શિલ્પાચાર્યના શરીર પર ચંદન આદિનો લેપ, તેલ આદિનું માલિશ કરવું, સ્નાન કરાવવું, પુષ્પ આદિ ભેટરૂપે ધરવાં. કપડા આદિને સુરભિગંધથી સુગંધિત કરવાં, આભૂષણો આદિથી શણગારવા, આદરપૂર્વક જમાડવા, આજીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન દેવું અને પુત્રોના પુત્રોનું ભરણપોષણ થઈ શકે તેવી આજીવિકાની વ્યવસ્થા કરવી જોઈએ. ૭૨ કલાનું જ્ઞાન આપનાર કલાચાર્યની અને શિલ્પનું શિક્ષણ આપનાર શિલ્પાચાર્યની આ વિનય પ્રતિપત્તિ છે. ધર્માચાર્યને જોતાં જ તેમને વંદન-નમસ્કાર કરવા સત્કાર કરવો, સન્માન કરવું, કલ્યાણ મંગલદેવ સ્વરૂપી તેમની પપાસના કરવી તથા અચિત અને નિર્દોષ અશન પાન ખાદ્ય, સ્વાદ્ય ચાર પ્રકારના આહારથી પ્રતિલાભિત કરવા, પાઠીયારા, પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ ગ્રહણ કરવા માટે ભાવના ભાવવી જોઈએ. આ ધર્માચાર્યની વિનય પ્રતિપત્તિ છે. કેશીકુમાર શ્રમણ પરદેશી રાજાને કહે છે – આ પ્રકારની વિનય પ્રતિપત્તિ જાણતા હોવા છતાં અત્યારસુધી મારી સાથે જે પ્રતિકૂળ વ્યવહાર તથા પ્રવૃત્તિ કર્યા છે તેની ક્ષમા માગ્યા વિના જ શ્વેતાંબિકાનગરી તરફ જવા કેમ ઉતાવળા થાઓ છો. આમ કેશીકુમારે વિનવધર્મ સમજાવવા મધુર ટકોર કરી. કેશીકુમારની આવી ટકોર સાંભળ્યા પછી પરદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું છે કે ભગવન્! અત્યાર સુધી હું આપની સાથે પ્રતિકૂળ વત્યું છું, તે સાચું પરંતુ મનમાં એવો વિચાર ઉદ્દભવ્યો છે કે કાલે સવારે રાત્રિ વ્યતીત થાય, પ્રતિકાલીન કિંચિત માત્ર પ્રકાશ થાય, વધુ સ્કુટ પ્રકાશ થાય. અર્થાત્ હો ફાટે, કમળોને વિકસિત કરતું અને મૃગનાં નયનોને ઈષદ ઉન્મલિત 288 * જૈન રાસ વિમર્શ Page #338 -------------------------------------------------------------------------- ________________ કરતું સોનેરી ઝાંયવાળું શ્વેતવર્ણયુક્ત પ્રભાત થાય ત્યારે તેમાં રક્ત અશોકવૃક્ષ, પલાશપુષ્પના તેજથી દેદીપ્યમાન સૂર્ય ઉદિત થશે ત્યારે અંતપુરના પરિવાર સાથે દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર કરવા માટે, પૂર્વોક્ત અપરાધની વિનયપૂર્વકની વારંવાર ક્ષમાપના કરવા માટે આવીશ. આમ કહી પરદેશી રાજા પરત ફર્યા. બીજે દિવસે રાત્રિ પસાર થઈ, સૂર્ય પ્રકાશિત થયો ત્યારે અંતઃપુરના પરિવાર સાથે હર્ષિત હૃદયે કૌશિક રાજાની જેમ પોતાના ઘેરથી નીકળ્યો. પરિવાર સહિત પાંચ અભિગમપૂર્વક વંદન-નમસ્કાર કરી, પોતાના અપરાધની સમ્યક પ્રકારે વિનયપૂર્વક વારંવાર ક્ષમાયાચના કરી. ત્યાર બાદ કેશીકુમારશ્રમણે પરદેશી રાજા, સૂર્યકતા આદિ રાણીઓ અને અતિ વિશાળ પરિષદને ધર્મકથા સંભળાવી. ધર્મદેશના સાંભળીને પોતાના સ્થાને જતાં પરદેશી રાજાને કેશીકુમાર શ્રમણે કહ્યું હે પરદેશી વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢની જેમ તું પહેલાં રમણીય થઈને પછી અરમણીય ન બની જતો. પરદેશી કહે છે કે હે ભગવાન! વનખંડ વગેરે પહેલા રમણીય થઈને અરમણીય કેવી રીતે થઈ જાય છે? કેશીકુમાર શ્રમણ કહે છે કે હે પરદેશી! વનખંડ જ્યાં સુધી ફૂલો, ફળો અને લીલોતરીવાળું હોય, લીલુછમ અને અતિ શોભાયમાન હોય ત્યાં સુધી રમણીય લાગે છે જ્યારે બધું ખરી પડે છે, સુકાઈ જાય, શોભારહિત બની જાય ત્યારે ભયાનક ભાસે છે ત્યારે અરમણીય બની જાય છે, માટે પરદેશી! ધર્મ-પ્રવચન પરની શ્રદ્ધાને ટકાવી રાખજે. પરદેશીએ કેશીકુમાર શ્રમણને જવાબ આપ્યો, હે ભગવન્! વનખંડ તથા ખળાની જેમ હું પહેલા રમણીય થઈને પછી અરમણીય બનીશ નહીં. હું મારા તાબામાં રહેલા શ્વેતાંબિકા નગરી આદિ સાત હજાર ગામોના અર્થાત્ સાત હજાર ગામો દ્વારા પ્રાપ્ત સંપત્તિના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક ભાગ સેના અને વાહનને માટે રાખીશ. એક ભાગ અનાજના કોઠારો માટે રાખીશ. એક ભાગ મારા અંતઃપુરાદિ પરિવારના નિર્વાહ માટે અને શેષ એક ભાગમાંથી વિશાળ કુટાગર શાળા બનાવીશ અને પછી ઘણાં પુરુષોને દૈનિક મજૂરી, ભોજન, વેતન પર નિયુક્ત કરીને પ્રતિદિન વિપુલ માત્રામાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને અનેક શ્રમણો, માહણો, ભિક્ષુઓ, યાત્રીઓ, મુસાફરોને તે આહારાદિ આપતા પરદેશી રાજાનો રાસ 289 Page #339 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રત, તપવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોવાસ તપ દ્વારા આત્માને ભાવિત કરતાં મારું જીવન વ્યતીત કરીશ. આમ પરદેશી રાજા શ્રમણોપાસક થઈ ગયા. અને જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈ ગયા. તથા ધાર્મિક આચાર-વિચારપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. પરદેશી રાજા જ્યારથી શ્રમણોપાસક થયા ત્યારથી તે રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, ભંડાર, કોઠાર, નગર અંતઃપુર અને જનપદ તરફ ઉદાસીન રહેવા લાગ્યા. તે સમયે પરદેશી રાજાના રાજ્યકારભાર આદિ તરફ ધ્યાન ઓછું થવા લાગ્યું ત્યારે સૂર્યકેતા રાણીને મનોમન વિચાર ઉત્પન્ન થયો કે પરદેશી રાજા જ્યારથી શ્રમણોપાસક થયા છે ત્યારથી રાજ્ય, રાષ્ટ્ર, અંત:પુર, જનપદ અને મારાથી પણ ઉદાસીન થઈ ગયા છે તો કોઈ પણ પ્રકારના શસ્ત્રપ્રયોગ, અગ્નિપ્રયોગ, મંત્રપ્રયોગ કે વિષ પ્રયોગ દ્વારા પરદેશી રાજાને ઠેકાણે પાડી સૂર્યકેત રાજકુમારને રાજગાદી સોંપી, મારે રાજલક્ષ્મીનો ઉપભોગ કરતા અને પ્રજાનું પાલન કરતા રહેવું જોઈએ. સૂર્યકેત રાજકુમારને કહ્યું, “હે પુત્ર પરદેશી રાજા જ્યારથી શ્રમણોપાસક થયા છે ત્યારથી રાજા મારાથી, જનપદ તથા મનુષ્ય સંબંધી કામભોગોથી વિમુખ બની ગયા છે તેથી શસ્ત્રપ્રયોગાદિ કોઈ પણ ઉપાયે તેમને મારી નાખીને તારો રાજ્યાભિષેક કરીને, રાજ્યલક્ષ્મીનો ઉપભોગ કરતા તથા પ્રજાનું પાલન કરતા રહેવું ઉચિત છે.” સૂર્યકેતા રાણીએ આ પ્રમાણે કહ્યું ત્યારે સૂર્યકેત રાજકુમાર પોતાની માતાના આવા ક્રૂર વિચાર સાથે સંમત ન થયો, પ્રત્યુત્તર ન આપતા મૌન રહ્યો. પોતાના વિચારમાં રાજકુમારની અસંમતિ જાણીને સૂર્યકતા રાણીને આ પ્રમાણે વિચાર આવ્યો કે પરદેશી રાજા આગળ સૂર્યકત કુમાર ક્યાંક મારા રહસ્ય-ભેદને ખુલ્લો કરી દેશે? આમ વિચારી તેણે પરદેશી રાજાને મારવા માટે લાગ, છિદ્ર, દોષો, મર્મ, રહસ્યો, એકાંત અને મોકાને શોધવા લાગી અર્થાતુ રાજાની હિલચાલ ઉપર દૃષ્ટિ રાખીને રાજાને મારવાની તક શોધવા લાગી. એક દિવસે લાગ જોઈને સૂર્યકેતા રાણીએ પરદેશી રાજાના અશન, પાન આદિ ભોજનને, પહેરવાના વસ્ત્રોને, સૂંઘવા યોગ્ય સુગંધિત વસ્તુને, 290 * જૈન રાસ વિમર્શ Page #340 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળાને અને આભૂષણોને વિષયુક્ત કરી દીધાં. પરદેશી રાજા સ્નાનથી પરવારી ભોજન કરવા માટે સુખપૂર્વક શ્રેષ્ઠ આસન પર બેઠા ત્યારે રાણીએ વિષમિશ્રિત ઘાતક ભોજન પીરસ્યું અને વિષમય વસ્તુ, અત્તરલ, માળા વગેરે સામગ્રી ત્યાં રાખી હતી તે તેને આપી. તે વિષયુક્ત ભોજન કરતાં જ પરદેશી રાજાના શરીરમાં ઉજ્વલસુખનું નામનિશાન ન રહે તેવી દુખદ, વિપુલ આખા શરીરમાં વ્યાપ્ત, પ્રગાઢ, તીવ્ર કર્કશ, શરીરના સાંધે સાંધા તોડી નાખતી, અપ્રતિજનક પરુષ-દારુણ, નિષ્ફર મટાડવી અશક્ય, રૌદ્ર, તીક્ષણ, દુર્ગ, દુઃસહાય વેદના ઉત્પન્ન થઈ ગઈ. શરીરમાં પિત્તજ્વર વ્યાપ્ત થતાં આખા શરીરમાં બળતરા થવા લાગી. - શરીરમાં વેદના ઉત્પન્ન થતાં જ પરદેશી રાજા સૂર્યકેતા રાણીના કાવતરાને જાણી ગયા. છતાં પણ સૂર્યકેતા રાણી પ્રત્યે મનથી પણ દ્વેષ ન કરતાં, પોતાની પૌષધશાળામાં જઈને તેણે પૌષધ શાળાનું પ્રમાર્જન કર્યું, પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કર્યું, ધર્મનું આસન પાથર્યું. ધર્માસન પર તેઓ પૂર્વાભિમુખ પર્યકાસને બેસીને બન્ને હાથ જોડીને આવર્તનપૂર્વક મસ્તક ઉપર અંજલિ કરીને બોલ્યા - સિદ્ધગતિને પ્રાપ્ત કરનાર સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશીકુમાર શ્રમણને નમસ્કાર હો. અહીં રહેલો હું, ત્યાં બિરાજમાન ભગવાન કેશીકુમાર શ્રમણને વંદન કરું છું. ત્યાં બિરાજિત ભગવાન અહીંથી કરાતા મારા વંદનને સ્વીકારે. પહેલા પણ મેં કેશીકુમાર શ્રમણ પાસે સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કર્યા હતા. અને અત્યારે પણ હું તે ભગવંતની સાક્ષીએ જીવનપર્યત સુધી સર્વ પ્રકારના પ્રાણાતિપાત સર્વ પ્રકારના પરિગ્રહ, ક્રોધ, માન, મિથ્યાદર્શન પર્વતના અઢારે પાપસ્થાન અને અકરણીય – અનાચરણીય કાર્યોના પ્રત્યાખ્યાન કરું છું. ત્યાં જીવન પર્યંત સર્વ પ્રકારના આહાર-પાણી, મીઠાઈ, મેવા, મુખવાસ આદિ ચારે આહારનો ત્યાગ કરું છું. આ શરીર કે જે મને અતિ વહાલું છે તેમાં કોઈ રોગાદિ ન થાય તેમ તેનું રક્ષણ કર્યું છે તેવા આ શરીરનો પણ અંતિમ શ્વાસોચ્છવાસ સુધી પરિત્યાગ કરું છું. આ રીતે અનશન ધારણ કરીને પોતાના અતિચાર, દોષોની આલોચના કરીને તેનાથી પણ નિવૃત્ત થઈને, મૃત્યુના સમયે સમાધિપૂર્વક મૃત્યુ પામીને પરદેશી રાજાનો રાસ * 291 Page #341 -------------------------------------------------------------------------- ________________ પરદેશી રાજા સૌધર્મ કલ્પના, સૂર્યાભ વિમાનની ઉતપાત સભાની દેવશય્યામાં સૂર્યાભરૂપે ઉત્પન્ન થયા. - તત્કાલ ઉત્પન્ન થયેલા તે સૂર્યાભદેવ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને પાંચમી ભાષા-મન, આ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત થયા. હે ગૌતમ! તે સૂર્યાભદેવે આ દિવ્ય દેવધ્ધિ, દિવ્ય, દેવ દ્યુતિ અને દિવ્ય દેવ પ્રભાવ ઉપાર્જિત કર્યા છે. પ્રાપ્ત કર્યા છે, સ્વાધીન કર્યા છે. ગૌતમ પૂછે છે “હે ભગવન! તે સૂર્યાભદેવની સ્થિતિ કેટલી છે?” ભગવનું - હે ગૌતમ! તેમની સ્થિતિ ચાર પલ્યોપમની છે. ગૌતમ ફરી પ્રશ્ન કરે છે, “હે ભગવન્! તે સૂર્યાભદેવ આયુષ્યક્ષય, ભવક્ષય, સ્થિતિક્ષય કરીને, દેવલોકથી અવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ભગવાન કહે છે, હે ગૌતમ! તે સૂર્યાભદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સમૃદ્ધ અને પ્રભાવક, વિપુલ – મોટા કુટુંબ પરિવારવાળા, ઘણાં ભવનો, શય્યાઓ, આસનો, પાન-વાહનો, ધન, સોનું, ચાંદીવાળા અર્થોપાર્જનના વ્યાપારમાં કુશળ, ગરીબોને વિપુલ પ્રમાણમાં ભોજન-પાણી આદિ આપનારા, સેવા માટે ઘણા દાસદાસીઓવાળા, વિશાળ સંખ્યામાં ગાય, ભેંસ, ઘેટા વગેરે પશુધન વાળા અને ઘણા લોકોના આદર્શભૂત એવા કોઈ એક પ્રસિદ્ધકુળમાં પુત્રરૂપે ઉત્પન થશે. તે બાળક ગર્ભમાં આવતા જ માતા-પિતા ધર્મમાં દૃઢપ્રતિજ્ઞાવાનશ્રદ્ધાવાન થશે. ગુણોથી યુક્ત, પ્રમાણોપેત શરીરવાળા, સુજાત, સર્વાંગસુંદર, ચન્દ્રતુલ્ય સૌમ્ય આકારવાળી, નમણાં, પ્રિયદર્શિની અને સ્વરૂપવાન પુત્રને જન્મ આપશે. તે બાળકના માતા-પિતા પ્રથમ દિવસે કુળપરંપરા પ્રમાણે બાળકનો જન્મોત્સવ કરશે, ત્રીજા દિવસે ચન્દ્રદર્શન, સૂર્યદર્શન કરાવશે, છઠ્ઠા દિવસે રાત્રિ જાગરણ કરશે, અગિયાર દિવસ પૂર્ણ થશે એટલે બારમા દિવસે અશુચિ જાતકર્મ કરશે અર્થાત્ સૂતકથી નિવૃત્ત થશે, ઘરને સાફ કરી, લીપીને શુદ્ધ કરશે અને વિપુલ માત્રામાં આહાર, પાણી, મીઠાઈ, મુખવાસ વગેરે ચારે પ્રકારની ભોજનસામગ્રી બનાવશે અને મિત્રજનો, બંધુ આદિ જ્ઞાતિજનો, પુત્રાદિ નિજજનો, કાકાદિ સ્વજનો, શ્વસુરાદિ સંબંધીજનો અને દાસ-દાસાદિ પરિજનોને ભોજન માટે આમંત્રિત કરીને સ્નાન કરીને, અલંકત થઈને ભોજન મંડપમાં શ્રેષ્ઠ આસન પર સુખપૂર્વક બેસીને, મિત્રો, પરિજનો સાથે વિપુલ 292 * જૈન ચસ વિમર્શ Page #342 -------------------------------------------------------------------------- ________________ આહાર-પાણી સ્વયં ભોજન કરતાં અને અન્યને કરાવતાં આ રીતે જન્મોત્સવનો આનંદ માણશે. ભોજનથી નિવૃત્ત થઈ પરમશુચિભૂત થઈ તે મિત્રો, જ્ઞાતિજનો તથા પરિજનોને વિપુલ માત્રામાં વસ્ત્ર, ગંધ, માળા, અલંકારાદિ આપીને સત્કાર, સન્માન કરશે અને કહેશે હે દેવાનુપ્રિયો! અમારો આ પુત્ર જ્યારથી ગર્ભમાં આવ્યો ત્યારથી અમે ધર્મમાં દઢપ્રતિજ્ઞ-શ્રદ્ધાવાળા થયા છીએ, આ પ્રમાણે કહીને માતા-પિતા તે બાળકનું “દઢપ્રતિજ્ઞ” એવું નામકરણ કરશે. તે બાળકનાં માતા- પિતા (૧) સ્થિતિ પતિત (૨) ચન્દ્ર-સૂર્યદન (૩) રાત્રિ જાગરણ (૪) નામકરણ સંસ્કાર કરીને પછી અનુક્રમે (૫) પ્રજેમણક - અન્ન પ્રાશન – બાળકને પ્રથમવાર અન્ન ચખાડવું (૬) પ્રતિવર્માપન – આશીર્વાદ આપનારને દ્રવ્યાદિ આપવા (૭) પ્રચંક્રમણ – સ્વત:ભ્રમણ. બાળક પ્રથમ ડગ ભરે (૮) કર્ણવેધન – કાન વીંધવા (૯) સંવત્સર પ્રતિલેખ – વર્ષગાંઠ, પ્રથમ વર્ષનો જન્મ દિવસ (૧૦) મૂડાપનયન – બાળમોવાળા ઉતરાવવા વગેરે અન્ય અનેક ગર્ભાધાન અને જન્માદિ સંબંધી ઉત્સવ મહાન સમારોહપૂર્વક ભવ્ય રીતે ઊજવશે. દઢપ્રતિજ્ઞ બાળકના લાલનપાલન માટે પાંચ ધાવમાતાઓ નિયુક્ત કરવામાં આવશે. (૧) ક્ષીરધાત્રી – દૂધ પિવડાવનારી (૨) મંડન ધાત્રી – શણગારનારી (૩) મજ્જનધાત્રી – સ્નાન કરાવનારી () એકધાત્રી – ખોળામાં લેનારી (૫) ક્રીડાપધાત્રી – રમાડનારી. દઢપ્રતિજ્ઞ જ્યારે સાધિક આઠ વર્ષનો થશે ત્યારે માતા-પિતા શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં સ્નાન કરાવીને અલંકારોથી વિભૂષિત કરીને ઋદ્ધિ, વૈભવ, સત્કાર સમારોહપૂર્વક કલાચાર્યની પાસે ભણવા બેસાડશે. દઢપ્રતિજ્ઞ બાળકના માતા-પિતા અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહાર, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી કલાચાર્યનો સત્કાર – સન્માન કરશે. તે દઢપ્રતિજ્ઞ બાલ્યભાવથી મુક્ત થઈ પરિપકવ વિજ્ઞાનયુક્ત યુવાવસ્થાને પ્રાપ્ત કરશે. તે ૭૨ કળાઓમાં નિપુણ થશે. બાલ્યાવસ્થાના કારણે બે કાન, બે નેત્ર, બે નાસિકા, જીભ, ત્વચા, મન-નવ અંગ જે સુષુપ્ત અર્થાતુ અવ્યક્ત ચેતનવાળા હોય તે જાગૃત થઈ જશે. અઢાર દેશની ભાષામાં વિશારદ થઈ જશે. ગીત, સંગીત, નૃત્યમાં કુશળ થઈ જશે. પોતાના સુંદર પરદેશી રાજાનો રાસ 293 Page #343 -------------------------------------------------------------------------- ________________ વેશથી શૃંગારના આગાર જેવો પ્રતીત થશે. તેની ચાલ, હાસ્ય, ભાષણ, શારીરિક તથા નેત્રોની ચેષ્ટાઓ આદિ સુસંગત થશે. પરસ્પરના વ્યવહારમાં કુશળ થશે. અશ્વયુદ્ધ, ગજયુદ્ધ, રથયુદ્ધ, બાહુયુદ્ધ સક્ષમ બનશે. ભોગ સામર્થ્યથી સંપન, સાહસિક, હિંમતવાન, વિહાલચાલી મધ્યરાત્રીએ પણ નિર્ભય બની વિચરણ કરનાર) થઈ જશે. દૃઢપ્રતિજ્ઞ વિપુલ અન્ન, પાણી, તથા શપનાદિ રૂપ ભોગ્ય પદાર્થોમાં આસક્ત થશે નહીં, વૃદ્ધ, મૂચ્છિત કે અનુરક્ત થશે નહીં. કામભાગોમાં, મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનોમાં અનુરક્ત થશે નહીં. તથારૂપના સ્થવિરો પાસેથી તે બોધિ જ્ઞાનને કેવલિ પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત કરશે. મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગારપણાને – પ્રવજ્યાને અંગીકાર કરશે. દઢપ્રતિજ્ઞ અણગાર ધર્મનું પાલન કરીને ઈર્થાસમિતિ આદિ અણગાર ગુણોથી સંપન્ન અને અનેક ઉપમાઓને યોગ્ય બનશે, પ્રજ્વલિત અગ્નિની જેમ પોતાના તેજથી ચમકવા લાગશે. દઢપ્રતિજ્ઞ અણગાર, સર્વોત્તમ એવા જ્ઞાનદર્શન, ચારિત્ર, અપ્રતિબદ્ધવિહાર, સરળતા, નિરભિમાનતા, લઘુતા, ક્ષમા, ગુપ્તિ, નિર્લોભતા. તથા સુઆચરિત સંયમ અને તપના ફળ સ્વરૂપી નિર્વાણ માર્ગ મોક્ષમાર્ગ)માં આત્માને ભાવિત કરતાં અનંત, અનુત્તર, સકલ, પરિપૂર્ણ, નિરાવરણ, નિર્વાઘાત પ્રતિહત એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરશે. ત્યાર પછી તે દઢપ્રતિજ્ઞ અણગાર ભગવંત અહત જિન અને કેવળી બની જશે. તેઓ દેવ, મનુષ્ય તથા અસુરાદિ સહિત સમસ્ત લોકને અને તેની સર્વ પર્યાયોને જાણવા લાગશે અર્થાત્ તે પ્રાણી માત્રની અન્ય ગતિમાંથી આવવા રૂપ આગતિ, અન્યગતિમાં જવા રૂપ ગતિ, તે તે ગતિમાં રહેવા રૂપ સ્થિતિ, દેવોનું આયુષ્ય પૂર્ણ થવા રૂપ ચ્યવન, દેવ-નારકીમાં ઉત્પન થવા રૂપ ઉપપાત, તર્ક, ક્રિયા, મનોભાવ, તેઓના પ્રગટકર્મ કે ગુપ્તકર્મ તથા ખાધેલું, પીધેલું, ભોગવેલું વગેરે સર્વ પર્યાયોને જાણશે. જેમને માટે કોઈ વસ્તુ રહસ્યભૂત (ગુપ્ત) નથી તેવા તે દઢપ્રતિજ્ઞ અહંત મન, વચન, કાયાના યોગમાં વર્તતા સર્વ લોકના સર્વ જીવોના સર્વભાવોને જાણતાં, જોતાં વિચરશે. આ રીતે દઢપ્રતિજ્ઞા કેવળી ઘણાં વર્ષો સુધી વિચારીને, ઘણાં વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કરીને, પોતાના આયુષ્યનો અંત નિકટવર્તી જાણીને, અનેક ભક્તિ (ભોજનનો) ત્યાગ કરીને ઘણા ભક્ત દિવસનું અનશન-સંથારો 294 * જૈન ચસ વિમર્શ Page #344 -------------------------------------------------------------------------- ________________ લઈને. જે સાધ્યની સિદ્ધિ માટે નગ્નભાવ-પરિમિત વસ્ત્ર ધારણ કરવા, મુંડભાવ, કેશલુંચન, બ્રહ્મચર્ય ધારણ, અસ્નાન, દાંત ધોવા – રંગવાનો ત્યાગ, ઉપાનહ – પગરખાનો ત્યાગ, ભૂમિ પર શયન કરવું, પાટિયા પર સુવું, ભિક્ષા માટે પરગૃહ પ્રવેશ, લાભ-અલાભ, માન-અપમાનમાં સમ રહેવું, અન્ય દ્વારા થતી હિલના, નિંદા, ખિસના, તિરસ્કાર, તર્જની આંગળી ચીંધી-ચીંધીને કરાતો તિરસ્કાર, તાડના, ગૃહો – ધૃણા, અનુકૂળ – પ્રતિકૂળ બાવીસ પરિષહો, કઠોર વચનો સહન કરાય છે, તે સાધ્યની સાધના કરીને ચરમ શ્વાસોચ્છવાસે સિદ્ધ થશે – સર્વ દુઃખોનો અંત કરશે. આ પ્રમાણે સૂર્યાભદેવના અતીત, અનાગત, વર્તમાન જીવનપ્રસંગોને સાંભળ્યા પછી ગૌતમ સ્વામીએ કહ્યું – હે ભગવન્! તે એમ જ છે, આપે પ્રતિપાદન કર્યું છે – તેમ જ છે. આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને ગૌતમસ્વામી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. પરદેશી રાજાનો રાસ *295 Page #345 -------------------------------------------------------------------------- ________________ કોચર વ્યવહારીનો રાસ શ્રી પૌરિક વી. શાહ ભૂમિકા : જૈનપરંપરાનું સાહિત્ય ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે : ૧. ચરણકરણાનુયોગ ૨. દ્રવ્યાનુયોગ ૩. ગણિતાનુયોગ ૪. ધર્મકથાનુયોગ (ચરિતાનુયોગ). જૈન ધર્મના અનુયાયી એવા સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાને પાલન કરવાના અને અનાચ૨ણ ક૨વા યોગ્ય વ્યવહારોને દિગ્દર્શિત કરાવતું તમામ સાહિત્ય ચરણકરણાનુયોગમાં આવે છે. ષદ્ભવ્યાત્મક લોકમાં તેનાં દ્રવ્ય, ગુણ, પર્યાયાદિ પરિવર્તનોને બતાવતું સાહિત્ય દ્વિતીય દ્રવ્યાનુયોગમાં સમ્પાદિત કરવામાં આવ્યું છે. જૈન ખગોળ અને ભૂગોળ સંબંધિત ગણતરીનો સમાવેશ કરતાં શાસ્ત્રોને ગણિતાનુયોગમાં અને વીતરાગ પરમાત્માના ઉપદેશના પાલનથી સુખને અપાલનથી દુઃખને પામેલા જીવોના જીવનને બતાવતા કથાનકો આદિ ચરિત્રો તે ચિરતાનુયોગ અર્થાત્ ધર્મકથાનુયોગમાં સમાવેશ થાય છે. આ ઉપરોક્ત ચારેય અનુયોગોમાં સામાન્ય જીવોને ઉપદેશ આપવા માટે ધર્મકથાનુયોગ ખૂબ જ ઉપયોગી છે. કેમ કે ધર્મકથાનુયોગમાં જૈનશાસનના સારરૂપ અનેક સામગ્રીઓ તમામ સ્થાનોમાંથી પ્રાપ્ત થાય છે. આવા રિતકથાનુયોગ અનેક રીતે આલેખન પામેલ જોવા મળે છે જેમ કે સંસ્કૃત શ્લોકબદ્ધ, ગદ્યબદ્ધ, ચમ્પૂ રીતે, તે જ રીતે પ્રાકૃત ભાષામાં પણ અનેક ચરિતો પ્રાપ્ત થયાં છે. અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષામાં પણ વિશાળ ચરિત સાહિત્ય પ્રાપ્ત થાય છે. જૂની ગુજરાતીમાં રચાયેલું સાહિત્ય સામાન્યતઃ ટબારૂપે, રાસરૂપે, શ્લોકોરૂપે વિવિધ પૂજા સંગ્રહરૂપે, ચોપાઈરૂપે, સ્તવનરૂપે અને સજ્ઝાય આદિ રૂપે રચાયેલું જોવા મળે છે. કોચર વ્યવહારી રાસના કર્તા અને સમય ઃ આજથી લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે તપાગચ્છાધિપતિ તરીકે વિજયસેન સૂરીશ્વરજીનું શાસન ચાલતું હતું. તેઓની શિષ્યપરંપરામાં કનકવિજ્યજી નામના કવિરાજ મુનિ થયા. અને તેમના શિષ્ય ગુણવિજયજીએ વિ. સં. ૧૬૮૭માં ડીસા નગરે આસો વદી-૯ના દિવસે કોચર વ્યવહારીના રાસને 296 * જૈન રાસ વિમર્શ Page #346 -------------------------------------------------------------------------- ________________ રચીને પૂર્ણ કર્યો હતો. તે અંગે રાસમાં અંતે પ્રશસ્તિ પ્રાપ્ત થાય છે. તેમાં જણાવ્યું છે; શ્રી તપગચ્છનાયક ગુરુ ગિરૂઆ વિજયસેન ગણધાર રે; સાહ કમાનંદન મનમોહન મુનિ જનનઉ આધાર રે || ૧૯ II તાસ વિનયે વિબુધ કુલ મંડન કનક વિજય કવિરાય રે; જસ અભિધાનિ જાગઈ શુભમતિ દુર્મતિ દુરિત પલાઈ ૨ || ૨૦ || તસ પદપંકજ મધુકર સરિષઉ સહી સરસતિ સુપસાય રે; ઈમ ગુણવિજય સૂકવિ મનહરર્ષિ કોચરના ગુણ ગાઈ રે | ૨૧ | સંવત સોલ સિત્યાશી વરશે ડીસા નયર મઝારિ રે; આસો વદિ નુંમિએ નિરૂપમ કીધઉ રાસ ઉધર રે || ૨૨ , પ્રસ્તુત રાસની હસ્તલિખિત પ્રત સં. ૧૭૪૨ના કારતક સુદ ૧૧ ને મંગળવારના દિવસે લિપિબદ્ધ કરાયેલી પ્રાપ્ત થાય છે. संवत् १७४२ वर्षे कार्तिक शुक्ला-११ भौमदिने लीखीतं मोढज्ञातीयसमुद्भवः । કોચર વ્યવહારી રાસનું કથાવસ્તુઃ કોચર વ્યવહારી રાસનો અભ્યાસ કરતાં નીચે મુજબની કથાવસ્તુ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત રાસમાં પ્રધાન વિષય અમારિનું પ્રવર્તન છે. તે સમયે ગુજરાતનું પાટનગર “અણહિલ્લપુર પાટણ” હતું. જે એક સમયે ૪૪૪ ગામનો તાલુકો કોચર વ્યવહારીનો રાસ +297 Page #347 -------------------------------------------------------------------------- ________________ હતો. ત્યાંથી ૧૫ કોશ દૂર (આશરે ૪૫ કિ.મી. દૂર) લખમણરાજાએ વસાવેલું સલખણપુર નામનું ગામ હતું. હાલમાં તે શંખલપુર તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં અનેક ધનવાન વણિકો વસતા હતા. તેમાં વિશાપોરવાડ (વીશો પોરવાડ) જ્ઞાતિના વેદોશાહ નામના વેપારી હતા. તેમને વીરમદે નામની પત્ની હતી. તેઓને “કોચર” નામનો નાનપણથી જ ધર્મશીલ અને પ્રતાપર્વત પુત્ર હતો. બાળપણથી જ જીવદયાના પાલનને અનુસરતો હતો. સલખણપુરથી ૧ ગાઉ દૂર “બહિચર” નામે ગામ છે, જ્યાં લોકપ્રસિદ્ધ બહુચરાજી દેવીનું સ્થાન આવેલું છે. ત્યાં એવી ક્વિદન્તી ચાલતી આવતી હતી કે, “બહિચરનઉ ઊખાણઊ વડલ, ઉદર થકી વાસઈ કૂકડG || ૧૫ || એટલે કે “મલેચ્છાએ મારી ખાધેલો બહુચરાજીનો કૂકડો પ્રભાત થતાં મલેચ્છના પેટમાંથી બોલ્યો.” આ ક્વિન્તીના કારણે માતાનો મહિમા વધી ગયો અને માતાના નામે જીવોના ઘાત મોટા પ્રમાણમાં થતો હતો. તે જોઈને કોચરને મનમાં ખૂબ દુઃખ થતું હતું. પરંતુ પોતાનું જોર ઓછું પડતાં તે કાંઈ કરવા અસમર્થ હતો. એક વખત તે પોતાના ધંધાર્થે ખંભાત ગયો. તે દિવસે ચૌદશ હતી અને તપગચ્છનાયક શ્રી સુમતિસાધુસૂરિ – અન્ય મતે શ્રી દેવસુંદરસૂરિના પટ્ટધર આચાર્ય સાધુરત્નસૂરિ પ્રવચન આપતા હતા. કોચરે ચાલુ પ્રવચને અનેક ધનાઢ્ય શ્રાવકો જે સભામાં હાજર હતા તેમની સમક્ષ ગુરુને વંદન કર્યા. ત્યારે શ્રાવકોએ કોચરને પરગામનો ધર્મબંધુ જાણીને સન્માનથી આગળની હરોળમાં બેસાડ્યો. તે સમયે ત્યાં રાજાના પ્રધાન (“અરડક્કમલ્લ) એવા દેસલસેહરા વંશમાં જન્મેલા સાજણસી શાહ નામના મોટા અને પ્રતિષ્ઠિત, રાજદરબારમાં માનવંત ગૃહસ્થ બેઠો હતો. રાસમાં કવિએ સાજણસી શાહનું વર્ણન જે રીતે કર્યું છે, તે વાંચતા સાજણસી શાહને ખૂબ જ ધનવંત અને ભૌતિક સુખોથી પરિપૂર્ણ બતાવવામાં આવ્યા છે. તેઓ લખ્યું છે કે, સંઘમુખ્ય સાજણસી શાહ જ, લિ નિત્ય લષિમીન ઉ લાહ; તિણિ કરિ પુરમાં અધિકઉ વાન, સબલ વલી માંનઈ સુલતાન || ૨૪ || અનુપમ અરડમલ ઓસવાલ, 298 * જૈન ચસ વિમર્શ Page #348 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમિ ચંદ સરિસર ભાલ; પશિ પહિરાઈ કનક જેહનંઈ, કુણ સમવડિ કીજઈ તહનઈ || ૨૫ / જસ ઘરિ આવઈ કનકરયાલ, બહુ કાલાપાણીના માલ; જે નવિ જાણઈ દુષમા સમઈ, સૂરય કિહાં ઊગઈ આથમઈ || ર૬ || પ્રસંગોપાત્ત આચાર્ય મહારાજે સહુ શ્રાવકો સમક્ષ જીવદયાના મહત્ત્વને સમજાવતી દેશના આપી. તીર્થકર ભગવંતો સમોવસરણમાં જીવદયાનો આધાર રાખીને જ દેશના આપે છે. તેમ જણાવ્યું. ત્યાં પારેવાની રક્ષા કરવાથી મેઘરથરાજા ૧૬મા તીર્થંકર થયા અને જીવદયા પાલન કરવાથી દીર્ધાયુ, દેવ સરિખુ રૂપ, નીરોગી શરીર, મોટા રાજાઓ પાસેથી માન પ્રાપ્ત થાય છે. મનુષ્યને અનર્થ થતું નથી. સહુની પ્રશંસા પ્રાપ્ત થાય છે. જીવદયાના પાલનથી મનુષ્યોમાં તે મુગટ સમાન બને છે. જીવદયા પાલન કરવાની સાથે બીજા પાસે પળાવવાથી પણ તુરંત જ ભવનો પાર પમાય છે. આમ જીવદયાના ફળને બતાવતી ધર્મદેશના સાંભળી સકળ સભા હર્ષિત થઈ. કોચરે આ પ્રસંગને સાધી તુરંત જ ગુરુ મહારાજને કહ્યું કે સલખણપુરમાં અમારિ પળાતી નથી. ત્યાં બહુચરાજીદેવી પાસે હિંસક લોકો ઘણા જીવોનો વધ કરે છે. કોચરની હકીકત સાંભળી આચાર્ય ભગવંતે સાજણસી શાહને ઉદ્દેશીને કહ્યું કે “તમે તમારી સંપત્તિનો લાભ લો. જોઈતું દાન કરો અને શામ-દામ-દંડ-ભેદ આદિ નીતિ વાપરીને જે રીતે બને તેમ જીવનો બલી ચઢતો અટકાવો. અને અમારિનું પ્રવર્તન કરાવો.” ગુરુનાં આ વચનો સાંભળીને સાજણસી શાહ ખૂબ ખુશ થયા અને કોચરને પોતાના ઘરે તેડી ગયા. અને ત્યાં સ્નાનાદિ કરી જિનપૂજા કરાવી પોતાની સાથે બેસાડી ઉત્કૃષ્ટ દ્રવ્યથી સાધર્મિક ભક્તિ કરી. ભોજન બાદ સાજણસી અને કોચર પાલખીમાં બેસીને સુલતાન પાસે ગયા. ત્યાં સુલતાને બંનેની માનપૂર્વક મહેમાનગતિ કરી અને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે સાજણસીએ કહ્યું કે “સલખણપુરનો ફોજદાર વિના કારણે ઊપજમાં ખાનાખરાબી કરે છે, તેથી આપના કોઈ અધિકારીની ત્યાં જરૂર વર્તાય છે.” સુલતાને કહ્યું, “ચચ્ચાજી, કોચર વ્યવહારીનો રસ +299 Page #349 -------------------------------------------------------------------------- ________________ આપના ધ્યાનમાં આવે તેમ કરો.” તરત જ સાજણસીએ જૂના હાકેમને તેડાવી લીધો અને કોચરને સરપાવ આપી સમશેર બંધાવી અને સલખણપુર વગેરે ૧૨ ગામનો અધિકારી બનાવ્યો. કોચરને ખૂબ આનંદ થયો. તુરંત જ પોતાના ગુરુ પાસે જઈ કોચરે ગુરુને શુભ સમાચાર સંભળાવ્યા. ગુરુએ પ્રસન્નાતાપૂર્વક આશીર્વાદ આપ્યા અને કોચરને તેના અધિકારનાં ગામોમાં અમારિ પળાવવા ઉપદેશ પણ આપ્યો. કોચર ૧૦00 ઘોડેસવાર સાથે પોતાના ગામ સલખણપુરમાં આવ્યો અને વિજયનાં વાજાં વગડાવ્યાં. કોચરના આ કાર્યથી લોકો ચકિત થઈ ગયા. ગામના મહાજને ઠાઠથી તેનું સામૈયું કર્યું. ઘરેઘરે આનંદોત્સવ મનાવવામાં આવ્યો. કોચરના પિતા વેદોશાહ, માતા વીરમદે અને કોચરનાં પત્ની અત્યંત હર્ષ પામ્યાં. કોચરે ૧૨ ગામનો અધિકાર હાથમાં લેતાં જ બારે ગામમાં અમારિપાલનનો વટહુકમ બહાર પાડ્યો. કોચરના અધિકારનાં બાર ગામ આ મુજબ હતાં: ૧) સલખણપુર ૨) હાંસલપુર ૩) વડાવલી ) સીતાપુર ૫) નાવિઆંણી ૬) બહિચર ૭) ટૂહડ ટુવડ) ૮) દેલાવાડુ ૯) દેનમાલ (દેલમાલ) ૧૦) મોઢેરૂ ૧૧) કાલહરિ ૧૨) છમીઠું ઉપરોક્ત ગામો સલખણપુરથી લગભગ ૨૦ કિલોમીટરના પરિઘમાં આવેલાં છે. ઉપરોક્ત બારે ગામોમાં કોચરે અત્યંત ચીવટપૂર્વક જીવદયા પળાવી. જેમાં ૧– સલખણપુરના તળાવ ઉપર ચોકીદારો મૂકી દીધા એટલે બગલાથી પણ માછલાનો થતો નાશ દૂર થયો. ૨ – સરોવરની પાળે અનાજના કૂંડા ભરાવીને મુકાવ્યા જેથી જાનવરો નિરાંતે ચણી શકે. ૩ – પરબનું પાણી ગાળીને ભરાવવા માંડ્યું, જેથી મનુષ્યો ગાળેલું પાણી પી શકે. ૪ – સરોવરમાં એવી રીતે ગરણી બંધાવી કે તેની નીકમાંથી આવતું પાણી ગળાઈને આવે અને ઢોરો પણ ગળેલું પાણી પી શકે. ૫ – પાણી ભરવા જતા પાણીહારીઓની ભાગોળે તપાસ થતી અને તેમાં જેની પાસે ગળણું ન જોવામાં આવતું તેને નવું ગળણું આપવામાં આવતું. ૬ – બહુચરાજીના મંદિરમાં થતો જીવવધ અટકાવે છે. આમ વિશિષ્ટ જીવદયાનું પાલન કરાવવાથી કોચર અત્યંત પુણ્યાઈથી વર્તવા લાગ્યો. 300 * જૈન ચસ વિમર્શ Page #350 -------------------------------------------------------------------------- ________________ તે સમયે સાજણસીના સમર નામે પિતા દિલ્હીમાં બહુ વિખ્યાત અને રાજા દરબારમાં માનવંત હતા. અને તેની સાથે સમરનો ભત્રીજો સારંગ શાહ વસતો હતો. તેમણે પોતાની બુદ્ધિથી ૯ લાખ બંદીવાનોને છોડાવ્યા હતા. સુપ્રસિદ્ધ કવિ “દેપાલ” આ જ મહાનુભાવોને આશ્રિત હતો. જે યાચક તરીકે પણ પ્રસિદ્ધ હતો. જ્યારે દેપાલ દિલ્હીથી ગુજરાત આવ્યો ત્યારે શંખેશ્વરની યાત્રા કરવા ગયો. ત્યારે તેણે કોચરની ખૂબ પ્રસિદ્ધિ સાંભળી તે સલખણપુર આવ્યો અને વિવિધ રીતે જીવદયા પળાતી જોઈને કોચર ઉપર ખૂબ ખુશ થયો અને કોચરના ઘરે જઈ કોચરના આશીર્વાદ લીધા અને કોચરની કીર્તિની નૂતન કવિતાઓ રચીને સંભળાવી. બીજઉ એહ કુમારપાલ કરૂણા પ્રતિપાલ, વાંગડ નર વર કાર સાર વયરીનઉ કાલ; ન્યાઈ રામ નરિદ તુલ્ય જગિ રાખ્યઉં નામ, સબલ વસાવી સહિર કીધ જિણઈ દ્વાદશ ગામ. | ૮૮ || વેદનંદન વેદવાક્ય નિરૂપમ ગુણગેહ, પ્રાગવાટકુલ રવિ સમાન નરમાંહિ રહ: વીરમદે વરમાતકૂપ ધરણીતલિ ધન્ય, જેહનઈ કુંઅર જગવદીત કોચર કૃતપુણ્ય [ ૮૯ | જાવડ ભાવડ ભીમાસાહ સમરા સારિંગ, વસ્તુપાલ તેજપાલ વીર જગડૂ ગુણગંગ; મુંજા પુંજા મંત્રિ મુખ્ય સોની સંગ્રામ કોચની તિમ તુંગ મામ મહીઅલી અભિરામ. || ૯૦ || આ કવિતાઓ સાંભળી કોચર ખૂબ પ્રસન્ન થયો અને કવિને મનપસંદ ભેટસામગ્રી અપાવીને વિદાય આપી. દેપાલ ત્યાંથી નીકળી ખંભાત ગયો. ત્યાં પણ ગુરુના વ્યાખ્યાન સમયે કેટલીક કવિતાઓ કહીને કોચરનાં ઘણાં વખાણ કર્યાં. કોચરને કલ્પવૃક્ષ સાથે પણ સરખાવ્યો. ત્યાર બાદ દેપાલ શત્રુંજય તરફ ગયો. બીજી તરફ ખંભાતના સાજણસી શાહને દેપાલે કોચરના કરેલા વખાણથી ઈર્ષ્યા થઈ અને તેને મનોમન લાગી આવ્યું કે મારાથી પ્રસિદ્ધ થયેલા કોચરના આટલા બધા વખાણ અને હું કોઈની લેખામાં પણ નથી? કોચર વ્યવહારનો રસ * 301 Page #351 -------------------------------------------------------------------------- ________________ હું ઓશવાલ ભૂપાલ કહેવાઉ છું. જ્યારે કોચર દેપાલ જેવા વાચકોને પૈસા આપી પોતાના ગીત ગવરાવે છે અને મને થોડું પણ માન અપાવતો નથી. ખેર! હું તેને કુટુંબ સહિત કેદમાં નંખાવી મારી આ ફજેતીના ફળ દેખાડું. તુરત જ સાજણસી સુલતાન પાસે ગયો અને કોચરના સંબંધમાં કેટલીક આડીઅવળી વાતો ભરાવી સુલતાનની તેના ઉપર અરુચિ ઉત્પન્ન કરાવી. એટલું જ નહીં પરંતુ તેને બાંધીને કેદખાનામાં નંખાવ્યો. આ ઘટના ઘટતાં પ્રજામાં હાહાકાર થઈ ગયો. કોઈ સાજણસીને નિંદવા લાગ્યા તો કોઈ દેપાલને માથે દોષ દેવા લાગ્યા. જ્યારે દેપાલ શત્રુંજયની યાત્રા કરીને પાછો ખંભાત આવ્યો ત્યારે લોકોને છાની છાની એવી વાતો કરતા સાંભળ્યા કે “એણે ન બોલવાનું બોલીને સાજણસીને ઉશ્કેર્યો અને કોચરને બંધનમાં નંખાવ્યો.” પોતાની કૃતિનું આવું પરિણામ જોઈને દેપાલ બહુ દિલગીર થયો અને તેના પ્રતિકારને માટે સાજણસીની કવિતા બનાવીને તે જ વખતે સભામાં ગાઈ. આ કવિતામાં સાજણસીના ખૂબ વખાણ કર્યા. સંઘાધિપ સાજણ મન દેઈ સુણિ ઓસવાલ ભૂઆલ, શત્રુકાર સબલ તઈ માંડ્યઉ તું કરૂણા પ્રતિપાલ; તું કીડી કંધૂ નવિ દુહવઈ દુર્બલ દિ આધાર, બિરૂદ સબલ બોલાવઈ ભૂતલિ મહાજન રાય સધાર || ૧૦પ || સાથે સાથે એ પણ કહ્યું કે કોચરનો અમલ નષ્ટ કરવાથી બહુચરાજીના પૂજારીઓ ખૂબ ખુશ થયા છે. હવે પાડાઓ વગેરે અનેક જીવોનો વધ થવા લાગ્યો છે. વધુ શું કહું! તારા પ્રતાપે બારે ગામોમાં “અવળી મૂઠે” અમારિ પળાવવા લાગી છે. દેપાલના વચનો પૈકી “અવળી મૂઠે” શબ્દ સાંભળીને સાજણસી ઘણું શરમાયો. તેને અહંકારના અંધાપામાં ભૂલનો અહેસાસ થયો. દેપાલને પોતાના ઘરે લઈ જઈ ઘણું દ્રવ્ય દાનમાં આપ્યું અને કોચરને કેદખાનામાંથી છોડાવી તેને ૧૨ ગામનો અધિકાર પાછો સોંપાવ્યો. કોચરે જૂનું ભૂલી જઈ પહેલાની માફક ૧૨ ગામોમાં ફરીથી અમારિ પળાવવાનું ચાલુ કરાવ્યું અને ખૂબ પુણ્ય અને કીર્તિ મેળવી. કોચર વ્યવહારી રાસનું બંધારણ : કોચર વ્યવહારી રાસ એ જૂની ગુજરાતીમાં રચવામાં આવ્યો છે. જેને 302 જૈન રાસ વિમર્શ Page #352 -------------------------------------------------------------------------- ________________ ગઉડી 2 ૨ ૨ ૩ ૪ કુલ ૧૨૫ ગાથામાં નિબદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં કુલ સાત ઢાળ આપવામાં આવી છે. તે સાતેય ઢાળોનો રાગ નીચે મુજબ છે. ઢાળ કુલ શ્લોકો રાગ ૧લી ધમાલિનઉ રજી ૩જી સામેરી ૪થી. દેશાષ પમી ગઉડી ૬ઠ્ઠી વેલિનઉ ૭મી ધન્યાસી ઉપરોક્ત ઢાળ સિવાય ૨૧ ગાથાની એક ચોપાઈ પણ મળે છે. અને શેષ ગાથાઓ દુહા તરીકે આપવામાં આવી છે. કોચર વ્યવહારી રાસમાં પ્રયોજાયેલા વિશિષ્ટ નામ કોચર વ્યવહારી રાસમાં વિવિધ નામો વપરાયેલા જોવા મળે છે. તેમાં મુખ્યત્વે કોચર વેપારી સાથે સંબંધ ધરાવતા નામો સવિશેષ રીતે પ્રયોજાયેલા મળે છે. સાથે તે સમયના નગરના નામો પણ મળે છે. અણહિલ્લપુર પાટણ : વેદો શાહ: કોચરના પિતા ગુજરાતનો તાલુકો અને તે સમયની રાજધાની લખમણ : રાજા (સલખણપુરના સ્થાપક) વીરમદે: કોચરની માતા સલખણપુર : ગામ સમર : સાજણસી શાહના પિતા કોચર : વેપારી સારંગ શાહ: સાજણસીનો પિતરાઈ ભાઈ બહિચર: ગામ (બહુચરાજી નામે પ્રસિદ્ધ)દેપાલ સુપ્રસિદ્ધ કવિ બહુચરાજી : દેવી દિલ્હી : શહેર ખંભાત : નગર શંખેશ્વર તીર્થધામ શ્રીસુમતિસાધુસૂરિ : તપાગચ્છાચાર્ય શત્રુંજય તીર્થધામ સાજણસી શાહઃ ઓશવાલ ભૂપાલ દેસલસેહરા : તે નામે જ્ઞાતિ જૈન અગ્રણી શ્રાવક) સલખણપુર, હાંસલપુર, વડાવલી, સીતાપુર, નાવિઆંણી, બહિચર, ટૂકડ, દેલાવાડુ, દેનમાલ, મોઢેરૂ, કાલહરિ, છમીછું: કોચરના તાબા હેઠળનાં ૧૨ ગામ કોચર વ્યવહારી રાસમાં પ્રયોજાયેલા શબ્દોમાં અપભ્રંશ – પ્રાકૃતનો કોચર વ્યવહારીનો રાસ 303 Page #353 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત पाद पाय પાય સુણયો. ८ प्रभाव: કોચર વ્યવહારની ભાષા જૂની ગુજરાતી છે. કોચર વ્યવહારી રાસ પર અપભ્રંશ ભાષાની ઘણી અસર વર્તાયેલી જોવા મળે છે. તેમાનાં સંસ્કૃતપ્રાકૃત – અપભ્રંશ – ગુજરાતીમાં ધ્વનિ પરિવર્તન બતાવવામાં આવ્યું છે. પ્રાકૃત અપભ્રંશ ગુજરાતી ગાથા નં. पाय हर्ष हरस हरस હરખ श्रुतः सुणिओ सुणिओ मातृ माया माया માય गर्जयति गज्जइ गाज ગાજર पञ्चदश पन्नरस पन्नर પનર ૮ लक्ष्मण लक्खमण लखमण લખમણ ददाति देइ देइ દીઈ दक्षिण दक्षिण दक्खिण દાખિણ पृथ्वी पुहवि पुहवि પુહવિ ૧૪ सन्मान्य सन्माणिय सम्माणिय સનમાનિ ૨૩ सहश सरिस सरिस સરિસ अस्तमेति अत्थमेइ आथमेइ આથમઈ ૨૬ सद्दक्षाः सरिक्खा सरीखा સારીખા पारापता: पारेवआ पारेवआ પારેવા ૩૨ दीर्घ दीरध / दीरह दीरध દીરઘ उ४ कुमार कुमर कुमर કુમાર ૩૬ स्नेह सणेह सणेह સનેહ यतना जयणा जयणा જયણા बका: बगा બગલા जगति जए/जमे जगि જાગ. नीरीक्ष्य निरिक्खिअ निरिक्खि नजि ७९ विराजति विराजइ विराजइ वि२।४ ८७ एकविंशति एगविंशइ एगविंशइ भेगवीस. ८१ वणिज् वणिअ वणिअ ४ १०० टे ४७ बगा 304 * छैन. यस. विमर्श Page #354 -------------------------------------------------------------------------- ________________ तास नोमि महत् महंत महंत મહંત ૧૧૫ तस्य तस्स તાસ ૧૧૯ नवमी नोमि નુંમિ ૧૨૨ કોચર વ્યવહારી રાસમાં આવતા વિવિધ પાત્રોના ઉલ્લેખ: કોચર વ્યવહારી એ ખૂબ અપ્રસિદ્ધ પાત્ર છે. તેમણે પળાવેલી અહિંસા નોંધણીય જરૂર છે, પરંતુ તેમનું ચરિત્ર ઇતિહાસમાં તે ક્યાંક છુપાઈને પડ્યું છે. તેમાં પ્રયોજાયેલાં પાત્રો અંગે સંશોધન કરતાં કેટલા ઉલ્લેખો મળ્યા છે. જે અત્રે આપવામાં આવ્યા છે. (૧) કોચર શાહ વિશે સંશોધન કરતાં એવો ઉલ્લેખ મળી આવે છે કે તેનો કાર્યકાળ વિ.સં. ૧૫મી શતાબ્દીનો પૂર્વાર્ધ હોઈ શકે. (૨) સાજણસી વિશે પણ એવો ઉલ્લેખ મળે છે કે વિ.સં. ૧૪૪રમાં તે જગતના જીવોના કલ્યાણ માટે થયો. સંભવ છે કે આ ઘટના સં. ૧૪૪રમાં બની હોય. રાસમાં ઉલ્લેખ મળતો નથી પણ સાજણસીએ (સજ્જનસિંહ) પછી શત્રુંજય તીર્થ ઉપર આ ભૂલનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું અને સંભવતઃ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું. આથી તે “સાધુ” તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા હતા. (૩) મહાકવિ દેપાલ તે ભોજક જ્ઞાતિનો જૈન હતો. આ એ વાત ઉપરથી સિદ્ધ થાય છે કે રાસમાં ઉલ્લેખ મળે છે કે જ્યારે દેપાલ, કોચર પાસે આવ્યો ત્યારે કોચર તેમને ઉદ્દેશીને કહે છે કે “લેયો રે ઠાકુર તમ જે ભાવ” એટલે કે દેપાલને ઠાકુર શબ્દથી સંબોધ્યો છે. અને ઠાકુર એ ભોજકોનું બિરુદ છે, જે સુપ્રસિદ્ધ છે. તેની ઘણી રચનાઓ હાલમાં પ્રાપ્ત થાય છે, જે આ મુજબ છે. ૧. સ્થૂલભદ્ર કક્કાવલી ૨. ચંદનબાલા ચોપાઈ ૩. હરિયાળી ૪. સં. ૧૫રરમાં રચેલી વ્રજસ્વામીની ચોપાઈ ૫. આર્દ્રકુમાર સૂડ ૬. રોહિણીયા ચોરનો રાસ ૭. જાવડશા રાસ ૮. શ્રેણિક-અભયકુમાર ચરિત ૯. સં. ૧૫૨૨ના અષાઢ સુદિ ૧૫ના રોજ રચેલો જેબૂસ્વામી પાંચ કોચર વ્યવહારીનો ચસ 305 Page #355 -------------------------------------------------------------------------- ________________ ભવ રાસ. ૧૦. સ્થૂલિભદ્ર ફાગ (ટૂંક : ૨૭) ૧૧. “મંગલદીવો” – જે હાલમાં પ્રત્યેક શ્વેતામ્બર તપાગચ્છ શ્રી સંઘનાં જિનાલયમાં આરતી બાદ મંગલદીવા તરીકે અરિહંત ભગવાનની આરતીમાં બોલાય છે. દિપાલ ભણે એણે એ કલિકાલે આરતી ઉતારી રાજા કુમારપાલે. દેપાલ તે વખતના પ્રસિદ્ધ કવિઓમાંનો એક હતો. તેટલા જ માટે તેના પછી થયેલ સુપ્રસિદ્ધ કવિ શ્રાવક ઋષભદાસ પોતાના સંવત ૧૯૭૦ના ભાદરવા સુદ-૧ને ગુરુવારે ખંભાતમાં બનાવેલા “કુમારપાલ રાસ”માં બીજા કવિઓ સાથે દેપાલનું નામ પણ ઉલ્લેખી પોતાની લઘુતા દર્શાવે છે. આર્ગેિ જે મોટા કવિરાય, તાસ ચરણરાજ ઋષભાય; લાવણ્ય લીંબો ખીમો ખરો, સકલ કવિની કરતિ કરો | પ૩ || હંસરાજ વાછો દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ; સુસાધુસ સમરો સુરચંદ, શીતલવછન જિમ સારદસંચ || ૫૪ || કોચર વ્યવહારીના સમયનું સામાજિક જીવન: કોચર વ્યવહારી રાસ પરથી કેટલાક સમાજજીવનને લગતા નિયમો આંખ સામે તરી આવે છે. ૧. ભૌતિક સુખની અપેક્ષાએ માત્ર અંધશ્રદ્ધાથી પ્રાણીઓનો વધ બહુચર માતાના મંદિરમાં કરાતો હતો. જે-તે સમયની કનિષ્ઠ માનસિકતા સૂચવે છે. ૨. પરગામથી ખંભાત આવેલા કોચર ને ખંભાતના શેઠ સાધર્મિક ભાવથી આગલી હરોળમાં બેસાડે છે, જે જૈન સાધાર્મિક ભાઈઓનો પરસ્પર બહુમાન સૂચવે છે. ૩. સાજણસા અને કોચર સુલતાનને મળવા પાલખીમાં જાય છે. જે તે સમયની શેઠાઈની નિશાની ગણાતી હતી. મોટા હોદ્દેદારો અને માનવંત પુરૂષો મોટા ભાગે પાલખીમાં જ બેસતા હતા. ૪. નગરની સ્ત્રીઓ પાણી લેવા ગામ બહાર સરોવરમાં જતી હતી. 306 * જૈન ચસ વિમર્શ Page #356 -------------------------------------------------------------------------- ________________ જે તે સમયની પાણીની કરકસરથી કરાતો ઉપયોગ સૂચવે છે. ૫. ઢોરોને પાણી ગાળીને પિવડાવવા નીક પાસે કોચરે ગળણું બંધાવ્યાની વાત આવે છે, જેથી તે સમયના મનુષ્યો પ્રાણીઓને પણ સરળતાથી જળ મળી રહે તેની વ્યવસ્થાનાં પરિમાણી જણાય છે. ઉપસંહાર : કોચર વ્યવહારી રાસનો મુખ્ય વિષય જીવદયા છે. તેનું કારણ એ છે કે ખંભાતમાં ગયેલ કોચર વ્યવહારી વગેરે શ્રાવકોને સુમતિસાધુસૂરિએ જીવદયા ઉપર વિસ્તૃત પ્રવચન આપ્યું હતું. તે તક ઝડપીને કોચર વ્યવારીએ બહુચરાજી માતાના મંદિરમાં થતા પ્રાણીઓના વધની હકીકત સૌ સમક્ષ જણાવી હતી અને સાજણસાની સહાયથી રાજનીતિ વાપરી તે જીવવધ સહિત ૧૨ ગામોમાં સૂક્ષ્મ જીવોની પણ જીવદયા પળાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ રાસના અધ્યયનથી એટલો ઉપસંહાર નીકળે છે કે જો મનમાં જીવદયા પ્રતિ પાલન કરવા-કરાવવાનો ઉદ્દેશ્ય હોય તો પદ્ધતિસર વિચારીને અમલ કરાતાં તેમાં અવશ્ય સફ્ળતા મળે છે. સંદર્ભગ્રંથ ૧. સુમતિનાહ ચિરયમ્, આચાર્ય સોમપ્રભસૂરિ પ્રસ્તાવના પૃષ્ઠ-૨૨, આત્માનંદ જૈનસભા, ભાવનગર २. प्राकृत भाषा और साहित्यका आलोचनात्मक इतिहास ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, તારા પબ્લીકેશન, કમચ્છા, વારાણસી, ૧૯૯૬ કુમારપાળ રાસ ઋષભદાસજી ૩. જૈન સિદ્ધાંત ભાષા ભાગ-૧૧ - લેખક : પંડિત પરમાનંદ શાસ્ત્રી લેખ : “અપભ્રંશ માવાન ાત” પૃષ્ઠ રૂ સે ૪૦ ૪. જૈનપરંપરાનો ઇતિહાસ ભાગ-૨ પૃષ્ઠ ૧૧૫ ૫. સૌવર્ણ કલ્પસૂત્રની પ્રશસ્તિ દેસલસેહરામાં થયેલ શિવશંકરની દેવલ દેએ ઉપકેશ ગચ્છીય કક્કસૂરિના ઉપદેશથી વાચનાચાર્ય વિત્તસારને સં. ૧૫૧૬માં ચૈત્ર સુદ ૮ને રવિવારે વહોરાવી હતી. ત્યાં દેસલસેહરાને દેસલવંશ તરીકે બતાવ્યો છે. કોચર વ્યવારીનો ચસ * 307 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૬. વાચક તેહના ઘર તણઉ, વેધક નર વાચાલ, જાણી તઉ જિનશાસનની કહીઈ કવિ દેપાલ || ૭ || કોચર વ્યવહારીનો રાસ ૭. જેનપરંપરાનો ઇતિહાસ ભાગ-૨ લેખક: ત્રિપુટી મહારાજ પ્રકાશક: શ્રી યશોવિજયજી જૈન આરાધના ભવન વિક્રમ સં. ૨૦૫૭, પૃષ્ઠ ૧૫૬ 308 * જૈન રાસ વિમર્શ Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ રાસ (રમણીય, દર્શનીય, મનનીય, ચિંતનય, ચિત્ત પ્રશંસનીય, વંદનીય) ડૉ. ધનવંત શાહ સંશોધક, સંપાદક અને ચિંતક સુશ્રાવક શ્રી પ્રેમલ કાપડિયાએ સને ૨00૫માં શ્રીમદ દેવચંદ્રજી કૃત ચોવીસી જેવો અદ્દભુત ગ્રંથ આપીને જૈન સાહિત્ય ઉદ્યાનને રળિયાત તો કરી દીધું હતું, પણ આ પાંચ ભાગમાં વિસ્તરિત ગુજરાતીમાં ૧૧૧૨ વિશાળ પૃષ્ઠોમાં ૪૦૨ અલૌકિક, અપ્રાપ્ય પ્રાચીન ચિત્રોથી, સુશોભિત આ “શ્રીપાળ રાસ' ગ્રંથ જેને વિશ્વને આપીને જૈન સાહિત્ય અને જિન શાસનને ચિરસ્મરણીય યશ-ગૌરવ અર્પણ કર્યા છે. આ ગ્રંથ જ નથી પણ આ હરતું ફરતું જૈન સ્થાપત્ય છે, જેનાં દર્શન માત્રથી ધન્યતાની અનુભૂતિ થાય છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રકાશિત થયેલ આ ગ્રંથોને હિંદી-અંગ્રેજી ભાષા વૈભવથી સંપાદકના સહધર્મચારિણી સુશ્રાવિકા સુજાતા કાપડિયાએ સુશોભિત કર્યા છે. ધન્યવાદ. અભિનંદન. આમ ત્રણ ભાષામાં કુલ પંદર ગ્રંથ. ગ્રંથના પૃષ્ઠોની સાઈઝ ૧૫” x ૧૧.૫”ની, જેનું મુદ્રણ જર્મનીમાં થયું, તેજાબરહિત કાગળો અને આ આર્ટ પેપરોનું આયુષ્ય 300 વર્ષનું પ્રમાણિત. માત્ર એક ગ્રંથ ઊંચકવો હોય તો બે હાથે જ ઊંચકી શકાય. વંદન કરવા બે હાથ જોઈએ જ. અને બધા સાથે ઊંચકવાની તો એક માણસની ક્ષમતા જ નહિ – (કુલ ૧૮ કિલો) પૂ.શ્રી આનંદઘનજી મહારાજ, પૂ.શ્રી દેવચંદ્રજી મહારાજા, ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા અને અધ્યાત્મ યોગી આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાને, સતત પાંચ વર્ષ સુધી સંશોધન પરિશ્રમ કરી તૈયાર કરેલ આ ગ્રંથને અર્પણ કરતા આ ભવ્યાતિભવ્ય ગ્રંથના પ્રારંભમાં વ્યવસાયે કેમિકલ એન્જિનિયર એવા સંપાદકશ્રી પોતાનો આત્મભાવ પ્રગટ કરતા પ્રસ્તાવનામાં લખે છે : જેમાં ચારે દિશાઓમાં સિદ્ધાદિ તથા વિદિશાઓમાં આદિ અને અંતિમ બીજ સહિત સમ્યગુ દર્શન-જ્ઞાન-ચરિત્ર-તપ પદો જય પામે છે તે શ્રી સિદ્ધચક્રને હું નમન કરું છું.” શ્રીપાલ રાસ * 309 Page #359 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રીપાલરાસ’ ઉપર સચિત્ર ગ્રંથ પ્રકાશિત કરવાનું અમારું મુખ્ય કારણ એ છે કે, સિદ્ધચક્ર પૂજનમાં જવાના પ્રસંગો ઉપસ્થિત થતા એનાથી ચિત્તની પ્રસન્નતા વધી અને અંતરમાં ઉલ્લાસનો અનુભવ થયો. તેથી તેના પ્રત્યે ભક્તિભાવપૂર્વકનું બહુમાન જાગ્યું. જીવનમાં પ્રાપ્ત થયેલા આવા અમૂલ્ય આનંદનો અનુભવ કરતા કરતા એક ધન્ય ઘડીએ નવપદાત્મક સિદ્ધચક્રજીના રહસ્યો, ઇતિહાસ, ફળાદિ વિષયક જાણકારી રુચિ પ્રગટી અને આ વિષય ઉપર એક વિશાળ ગ્રંથસંગ્રહ સંપાદન કરવાની મહેચ્છા પ્રગટી. સંશોધન કરતાં જાણ્યું કે – શ્રી સિદ્ધચક્રનું ઉદ્ધરણ વિદ્યાનુવાદ નામના નવમા પૂર્વમાંથી થયું છે. તે અંગે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશનનો પ્રાપ્ત પાઠ અહીં પ્રસ્તુત કરીએ છીએ. "ज्ञानवद्भिः समाम्नातं वज्रस्वाम्यादिभिः स्फुटम् । विद्यानुवादात्समुद्धत्य बीजभूतं शिवश्रियः ॥ ७४ ॥ जन्मदावहुताशस्य प्रशान्तनववारिदम् । પુરુષવેશદજ્ઞા સિદ્ધવ વિચિન્તયેત્ | ૭૬ ” મૂળાર્થ : વિદ્યાનુવાદ (નામના પૂર્વ) થી સમ્ય રીતે ઉદ્ધરણ કરીને વજસ્વામી વગેરે વિશિષ્ટ જ્ઞાનીઓ દ્વારા સ્પષ્ટરૂપે પ્રમાણિત, મોક્ષલક્ષ્મીનું બીજ અને જન્મરૂપી દાવાનળથી બળેલા (જીવો) માટે પ્રશાન્તકારી નૂતન મેઘ સમાન શ્રી સિદ્ધચક્રને ગુરુના ઉપદેશથી જાણીને તેનું) ચિંતન-મનન કરવું જોઈએ. ઉપરોક્ત પાઠ શ્રી સિદ્ધચક્રની પ્રાચીનતા સિદ્ધ કરે છે. વર્તમાનમાં ઉપલબ્ધ સાહિત્ય પૈકી તેની સર્વપ્રથમ રચના સંવત ૧૪૨૮માં સિરિસિરિવાલ કહાના નામથી પ્રાકૃત ભાષામાં નાગોરી તપાગચ્છીય પૂ. આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજીએ કરી. ત્યાર બાદ તે ગ્રંથની અનેક હસ્તપ્રતો શ્રમણ ભગવંતો, વિદ્વાનો અને વિભિન્ન સંઘો દ્વારા ઘણા સમય સુધી વિવિધ રીતે પ્રકાશિત થઈ હશે. પૂ. આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજીની શિષ્ય પરંપરામાં પૂ. શ્રી હેમચંદ્રજી સાધુએ સંવત ૧૫૭૫ વર્ષ આસો સુદ-૧૫ના શનિવારે લિપિબદ્ધ કરેલી હસ્તપ્રત હાલ કોબા જ્ઞાનભંડારમાં ઉપસ્થિત છે. એ પછી બીજા મહાત્માઓએ, જેમ કે (૧) અચલગચ્છાલંકાર મુનિ શ્રી જ્ઞાનસાગરજીએ 310 * જૈન રાસ વિમર્શ Page #360 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષામાં ‘શ્રીપાલરાસ (સાર્થ)'ના નામથી કરેલી રચના પાટણ જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત (૨) સિદ્ધસેન કવિ દ્વારા સંવત ૧૫૨૮માં રચિત શ્રી સિદ્ધચક્ર માહાત્મ્ય' સંવેગી ઉપાશ્રય, અમદાવાદમાં છે. (૩) સુખસાગર દ્વારા સં. ૧૭૬૪માં રચિત ‘શ્રીપાલ નરેન્દ્ર ચિરત્ર' (બાલાવબોધ) પાટણ જ્ઞાનભંડારમાં છે, (૪) શ્રી ચંદ્રકીર્તિસૂરિ દ્વારા સંવત ૧૮૨૩માં લખેલ શ્રી સિદ્ધચક્રયંત્રોદ્વા૨ વિધિ' એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં છે. (૫) ખરતરગચ્છના શ્રીલાલચંદ દ્વારા ૧૮૩૭માં મારૂ ગૂર્જર પદ્યમાં રચિત ‘શ્રીપાલરાસ' કોબા જ્ઞાનભંડારમાં છે. (૬) કેશવ દ્વારા સંવત ૧૮૭૭માં રચિત ‘સિદ્ધચક્રયંત્ર સહ શ્રીપાલ કથા' (સંસ્કૃત ગદ્ય) કોબા જ્ઞાનભંડારમાં છે. ઉપરોક્ત રચનાઓ તથા બીજી પણ અજ્ઞાત શ્રમણ ભગવંતો દ્વારા સંસ્કૃત, પ્રાકૃત અને મારૂ ગૂર્જરમાં રચિત સર્વ રચનાઓનો આધાર ફિસિરિસિવાલ કહા' જ હોવાનું અનુમાન થાય છે. તેવી જ રીતે શ્રીપાલ રાસના એક મહાન ગ્રંથની રચના સં. ૧૭૩૮મા વર્ષે રાંદેર નગ૨માં (સુરત) ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ પ્રારંભ કરી તેની પૂર્ણાહુતિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ કરી. આ રાસ લોકભોગ્ય અને લાલિત્યપૂર્ણ ભાષામાં તેમ જ રોચક શૈલીમાં બનેલી એક પ્રૌઢ કથામય રચના છે. સંપૂર્ણ ગ્રંથ ૧૨૫૨ ગાથાપ્રમાણ મારૂ ગુર્જર ભાષામાં છે, જે અધ્યાત્મ અને તત્ત્વથી અલંકૃત એક અલૌકિક અને અજોડ કૃતિ છે. એમાં નવપદજીનો ખૂબ જ વિસ્તારથી ઉલ્લેખ મળે છે. સાથેસાથે ગ્રંથ લખતી વખતના મહોપાધ્યાયજીના અંગત અનુભવોનો પણ ઉલ્લેખ મળે છે. એમાં સર્વમાન્ય ન્યાયવિશારદ, આધ્યાત્મિક શિરોમણિ, મહાનતાર્કિક મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીએ એમનું હાર્દિક યોગદાન આપેલ હોવાથી આ ગ્રંથચના અતિશય મહિમાવંત અને શ્રદ્ધાપાત્ર હોવામાં કોઈ બેમત નથી અને તેથી જ સમય પસાર થયે આ ગ્રંથનો મહિમા સર્વત્ર ફેલાય તથા શ્રી જિનશાસનમાં આયંબિલની બન્ને શાશ્વતી ઓળીઓમાં એનું ગાન અને એના ઉપર વ્યાખ્યાન આપવાનો પ્રારંભ થયો. આ દૃષ્ટિથી શ્રીપાલરાસ' વર્તમાનકાળે અનેક જૈન કથા રચનાઓમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતો હોવાથી ઉપરોક્ત મહેચ્છાને પૂર્ણ કરવા માટે શ્રી સિદ્ધચક્રજીની ભક્તિથી સભર ‘શ્રીપાલરાસ’ સર્વશ્રેષ્ઠ જણાયો. સર્વપ્રથમ અમે અમારું ધ્યાન આ મહત્ત્વપૂર્ણ ગ્રંથની પ્રસ્તુતિ કેવી રીતે કરવી એના ઉ૫૨ કેન્દ્રિત કર્યું. તેના અનુસંધાનમાં જૈનશાસનની દુર્લભ, શ્રીપાલ ાસ * 311 Page #361 -------------------------------------------------------------------------- ________________ સચિત્ર કલાકૃતિઓ જેમ કે પ્રાચીન હસ્તપ્રતો, પટ, ભવ્યાતિભવ્ય ચિત્રો આદિ વિષયક શોધખોળ અને સંશોધન કરતાં એમ સમજાયું કે આ બધી દુર્લભ કૃતિઓ મહદંશે એક કે બીજી રીતે નવપદથી સંભવિત છે. તેથી આ ગ્રંથનું પ્રકાશન કરતી વખતે ભાવના જાગી કે જિનશાસનના ઉપરોક્ત સુંદરમાં સુંદર, દુર્લભ ચિત્રકલાના નમૂનાઓ દેશભરથી ભેગા કરીને નવપદ મહિમાવંત એવા આ મહત્ત્વપૂર્ણ ગ્રંથમાં સંગ્રહી લેવા. અમારા આ પ્રયાસની ફળશ્રુતિરૂપે અમે ગ્રંથનો શણગાર નિમ્નોક્ત રીતે કર્યો છે. શ્રીપાલરાસની મૂળ મારૂગૂર્જર ભાષામાં લખાયેલ લગભગ ૧૨પર ગાથાને કલાત્મક રીતે શણગારવા ઉત્તમમાં ઉત્તમ, પ્રાચીન કલ્પસૂત્ર અને અન્ય સૂત્રોની સચિત્ર પ્રતોનો આધાર લીધો છે. આ ઉજ્જવળ પ્રતોમાંથી પ્રાપ્ત કરેલ લગભગ ૩૦૦ અતિસુંદર હાંસિયાઓ અને કિનારીઓથી શ્રીપાલરાસની ગાથાઓને સુશોભિત કરી છે. આ પ્રાચીન પ્રતો મુખ્યપણે ૧૬મી સદીની છે અને થોડીઘણી ઉત્તમ શૈલીની, સત્તરમી સદીની, બુંદી કલમની છે. હાંસિયાઓ અને કિનારીઓની શોભા અપ્રતિમ, હૃદયંગમ, મનોહર, બેનમૂન અને અજોડ છે. આ જૈન ચિત્રકલાનો એક અલૌકિક અમૂલ્ય સંગ્રહ છે, જેના નમૂનાઓ ગ્રંથમાં પ્રદર્શિત કર્યા છે. આ પ્રકારની કલાકૃતિના દર્શન પણ વાચકવર્ગને માટે દુર્લભ છે. ગ્રંથમાં પ્રસ્તુત અન્ય શૈલી અને વિષયોની કલાકૃતિઓ તો અતિ સૌંદર્યસભર અને મનમોહક છે. એમાં પણ પ્રાચીનતાની દૃષ્ટિએ વિશિષ્ટપણે તરી આવે એવા આ અનૂઠા હાંસિયાકિનારીઓનું અવલોકન એક આનંદ મહોત્સવનો અવસર છે. કથામાં આવતા દરેક મુખ્ય પ્રસંગોને ચિત્રોમાં આવરી લેવા માટે તે અંગે સંશોધન કરતાં જાણવા મળ્યું કે શ્રીપાલરાસની પ્રાચીન સચિત્ર હસ્તપ્રતોમાં બધાં જ ચિત્રો લગભગ સિરોહી કલમથી કે એમાંથી નિષ્પન્ન થયેલાં છે કે જે એક લોકકલાનું ઉદાહરણ છે. આવા પ્રકારની શ્રીપાલરાસની સચિત્ર હસ્તપ્રતોના કેટલાક નમૂનાઓ અમે પરિશિષ્ટમાં પ્રકાશિત કર્યા છે. એની તુલનામાં આ ગ્રંથમાં લીધેલા જયપુર મોગલ શૈલીના ચિત્રો વધુ ઉચ્ચ કોટિના છે. ગ્રંથમાં સમાવિષ્ટ ઉત્તમ કલાકૃતિઓ પણ કથાપ્રસંગોને પૂર્ણ ન્યાય આપીને એમાં પ્રાણનો સંચાર કરે છે. હવે નવપદ અંતર્ગત પ્રત્યેક પદને અનુરૂપ સચિત્ર પ્રસંગો માટે શ્રી જિનશાસનના ઉત્તમ જ્ઞાનભંડારો, મંદિરો, સંસ્થાઓ અને વ્યક્તિગત 312 • જૈન રાસ વિમર્શ Page #362 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહવાળી વ્યક્તિઓને વિનંતી કરીને એમની પાસેથી સર્વશ્રેષ્ઠ ચિત્રોને ગ્રહણ કરી આ ગ્રંથમાં પ્રસ્તુત કર્યા છે. ઉદાહરણ તરીકે (૧) ‘અરિહંત પદ'ને ઉજ્વળ કરતાં ચિત્રો મોટા ભાગે કલક્તાના શીતલનાથ મંદિર (દાદાવાડી), બડામંદિર (તુલાપટ્ટી) તથા જિયાગંજના વિમલનાથ મંદિર વગેરે સ્થાનેથી પ્રાપ્ત કરીને અહીં પ્રસ્તુત કર્યાં છે. વળી ૧૭ મી સદીના અતિસુંદર બુંદી શૈલીના સચિત્ર કલ્પસૂત્રમાંથી પણ અનેક પ્રસંગોનો અહીં સમાવેશ કર્યો છે. (૨) ‘આચાર્ય પદ'ને પુષ્ટ કરતાં નિમ્નલિખિત જીવનચરિત્રો અમે અહીં પ્રકાશિત કર્યા છે. (અ) જિનદત્તસૂરિજી, જિનચંદ્રસૂરિજી અને જિનકુશલસૂરિજીના ચમત્કારિક પ્રસંગો (આ) શ્રી હેમચંદ્રસૂરિજી દ્વારા કુમારપાળને પ્રતિબોધ કરવા પ્રયુક્ત ચમત્કારિક પ્રસંગો. (ઈ) સ્તંભન પાર્શ્વનાથને પ્રગટ કરતાં ‘શ્રી જયતિહુયણ સ્તોત્ર'ના રચયિતા શ્રી અભયદેવસૂરિજી. (૩) ‘જ્ઞાનપદ’ અંતર્ગત કેવળજ્ઞાનને દર્શાવવા, સંયમની સાધના કરીને કેવળજ્ઞાનને વરેલા અને કેવલી થઈને તરત જ નિર્વાણ પામેલા મહાત્માઓના પ્રસંગોનો સહારો લીધો છે. જેમ કે (અ) મૃગાવતીજી અને ચંદનબાળાનો પ્રસંગ (બ) આસિા ભવનમાં કેવળજ્ઞાન પામેલા ભરત ચક્રવર્તીનો પ્રસંગ અને (ક) હાથીની અંબાડી ૫૨ કેવલી થયેલ મરૂદેવા માતાજીનો પ્રસંગ. (૪) ‘દર્શનપદ’ની અંતર્ગત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને ત્યાર બાદ તે સમ્યગ્દર્શનના પુષ્ટિકારક એવા સ્થાવર-જંગમ તીર્થોનાં વિવિધ ચિત્રો, જેમ કે ચંપાપુરીજી, હસ્તિનાપુરીજી, કેશરિયાજી, રાણકપુરજી, તારંગાજી, ગિરનારજી, ભરૂચ, શત્રુંજય, સહસ્રકૂટ, અષ્ટાપદજી, ઇન્દ્ર મહારાજા દ્વારા પ્રતિબોધિત થયેલા દર્શાણભદ્રનો પ્રસંગ વગેરેને આવરી લેવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. આચારાંગ સૂત્રની નિર્યુક્તિમાં કહ્યું છે કે વંતળ-નાળ-ચત્તે, તવ વેì ય લોક્ ૩ પક્ષત્યા | जाय जहा ताय तहा, लक्खणं वुच्छं सलक्खणओ ॥ ३२९ ॥ હિત્યરાજ માવો, પવયળ-પાવળિ-બડ્સીનું | મિશમળ-નમળ-વીશળ, વિત્ત સંપૂલના મુળા || ૩૩૦ || ભાવાર્થ : તીર્થંકર ભગવંતો, પ્રવચન, પ્રાવચનિક પ્રભાવકો, અતિશય લબ્ધિધારી એવા મુનિ ભગવંતોની સન્મુખ જવામાં, નમસ્કા૨ ક૨વામાં, દર્શનકીર્તન-પૂજન-સ્તુતિ કરવામાં દર્શન-જ્ઞાન-તપ-વૈરાગ્ય ચારિત્ર આદિ ગુણોની શ્રીપાલ રાસ * 313 Page #363 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ થાય છે. એવી જ રીતે શેષ પદોને પણ તેમને અનુરૂપ ધર્મકથાઓના કલાત્મક અને મૂલ્યવાન ચિત્રો દ્વારા પુષ્ટ કરવાનો સવિશેષ પ્રયાસ કર્યો છે. આમ નવપદ માટે ૧૫૦થી વધારે ચિત્રોનો સમાવેશ કર્યો છે. પ્રસ્તુત રાસના મૂલ પ્રણેતા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા છે, પણ ત્રીજા ખંડની પાંચમી ઢાળની રચના દરમિયાન આયુષ્ય પૂર્ણ થતા તેઓ સ્વર્ગવાસી થયા અને તેમને પૂર્વે આપેલ વચન મુજબ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ બાકીનો રાસ પૂર્ણ કર્યો. આમ તો બન્ને ઉપાધ્યાય ભગવંતો વિદ્વાન અને આરાધક હતા છતાં સંપૂર્ણ રાસનું અવલોકન કરતાં પૂ. શ્રી વિનયવિજયજી મ.સા.ની શાંત છબી અને પૂ. શ્રી યશોવિજયજી મ.સા.ની તાત્ત્વિક છબી પ્રકટ થયા વગર રહેતી નથી. જોકે પ્રારંભકારે પણ ઉચિત સ્થાને તત્ત્વ તો દર્શાવ્યું જ છે છતાં પૂર્ણકારે રાસને ગહન તત્ત્વોથી વધુ અલંકૃત કર્યો છે, જેની પ્રતીતિ ગ્રંથને સાંગોપાંગ જોયા પછી થયા વગર રહેતી નથી.” ગ્રંથકર્તાની પ્રસ્તુત પ્રસ્તાવના અંશોમાંથી સંશોધકની આ ગ્રંથ માટેની સજ્જતા, સંશોધનની ઊંડી સૂઝ અને એ માટે કરેલ પ્રબળ પુરુષાર્થનાં દર્શન થાય છે. સમગ્ર દેશના હસ્તપ્રતના ભંડારોમાં ખોજ કરવામાં આવી અને શ્રીપાલ રાસની ત્રીસ જેટલી મહત્ત્વની હસ્તપ્રતો મેળવીને તેનો અભ્યાસ કર્યો. ગ્રંથ ભંડારોમાંથી હસ્તપ્રતો મેળવીને ગ્રંથમાં સંગ્રહ થયો છે. શ્રીપાલ રાસના પાંચ ભાગમાં હસ્તપ્રતોના હાંસિયા અને કિનારીઓના ત્રણસો જેટલા સુશોભનો મળે છે. જે પ્રાચીન કલાસમૃદ્ધિની ગવાહી પૂરે છે. આમાં જૈન ધર્મના પર્યુષણમાં શ્રવણ કરતાં શ્રી કલ્પસૂત્ર અને અન્ય સૂત્રોની પ્રાચીન પ્રતોનો આધાર લઈને મનોહર, બેનમૂન, અને હૃદયંગમ હાંસિયાઓ અને કિનારીઓથી શ્રીપાલ રાસની હસ્તપ્રતોને સુશોભિત કરી છે. શ્રીપાલરાસની પ્રાચીન સચિત્ર હસ્તપ્રતોના બધા જ ચિત્રો સિરોહી કલમથી તૈયાર થયેલ છે. જેની સચિત્ર હસ્તપ્રતોના કેટલાક નમૂના ગ્રંથના પરિશિષ્ટમાં પ્રાપ્ત થાય છે. સિરોહી કલમે તૈયાર થયેલા ચિત્રો કરતાં જયપુર મોગલ શૈલીના ચિત્ર વધુ ઉચ્ચ કોટિના હોવાથી ગ્રંથના કથાપ્રસંગો સાથે એને પ્રકાશિત કર્યા છે. 314* જૈન રાસ વિમર્શ Page #364 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડારો અને ટ્રસ્ટીઓ પાસેથી પ્રમાણિત પ્રતો મેળવવા ગ્રંથના સંપાદકે ધીરજપૂર્વક કેટલી રખડપટ્ટી કરી હશે એની પ્રતીતિ વાચકને થયા વગર રહેશે નહિ જ. ડૉ. કુમારપાળ દેસાઈ આ ગ્રંથ વિશે ગુજરાત સમાચારમાં લખે છે : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની પાટ પરંપરાદર્શક પ્રશસ્તિ આપી છે. પારિભાષિક શબ્દાર્થ, આધારગ્રંથો તથા મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતોના નમૂનાઓ આપીને આ ગ્રંથોને વિશેષ સમૃદ્ધ કર્યા છે અને ગ્રંથના પ્રત્યેક પૃષ્ઠને કલાત્મક અને અધ્યાત્મભાવથી સભર બનાવવા પ્રયાસ કર્યો છે. સંસ્કૃત ભાષાની અમૂલ્ય ગદ્યકૃતિ કાદમ્બરીનો પ્રારંભ કર્યો મહાકવિ બાણે, પરંતુ અધૂરી કથાએ બાણનો દેહવિલય થયો અને બાણના પુત્રે કાદમ્બરીનું સર્જનકાર્ય પૂરું કરી પિતૃઋણ ચૂકવ્યું એમ વિક્રમ સંવત ૧૭૩૮માં ઉપાધ્યાય વિનયવિજયજીએ શ્રીપાળરાસનો પ્રારંભ કર્યો ત્યારે આ સંતના અંતરમાં ધ્વનિ પ્રગટ થયો હતો કે તેઓ કદાચ આ રાસ પૂરો ન કરી શકે એટલે પૂજ્યશ્રીએ ગુરુબંધુ ઉપાધ્યાય યશોવિજયજી પાસે વચન લીધું કે કાળે કરીને પોતાની શંકા જો સત્યમાં પરિણત થાય તો ઉપાધ્યાય યશોવિજયજી રાસનું અધૂરું કાર્ય પૂર્ણ કરશે, અને ઘટના એવી જ બની, અને ઉપાધ્યાયજીએ રાસ પૂર્ણ કરી, મિત્રધર્મ અને કર્તવ્યધર્મ પ્રમાણ્યો. એટલે બે સારસ્વત ઉપાસકોની આ રચના છે. કુલ ચાર ખંડ, ૪૧ ઢાળ અને ૧૨૫૨ ગાથા. ચોથા ખંડના શ્રી યશોવિજયજીએ રસકથામાં જૈન તત્ત્વનું ઊંડાણ, વ્યવહાર નય, નિશ્ચય નય વગેરે છલોછલ ભર્યા છે. આ કથાના મૂળ તરફ પ્રયાસ કરીએ તો અન્ય ગ્રંથોમાંથી આ પ્રમાણે સત્ય પ્રાપ્ત થાય છે : પ્રસ્તુતિ અવસર્પિણી કાળમાં ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીજીએ શ્રી નવપદજીનો મહિમા શ્રીપાળ ચરિત્ર સાથે શ્રી ગૌતમ સ્વામીજી – તેમના પુણ્ય ગણધર પાસે વર્ણવ્યો. તેમણે મગધપતિ શ્રેણિક મહારાજા સન્મુખ નિવેદન કર્યા. ઉત્તરોત્તર વિદ્યાનુપ્રવાહ નામના દશમાં પૂર્વમાં પ્રથિત થયો. અહીં સિદ્ધચક્ર યંત્રનો પણ ઉલ્લેખ છે – અને તેમાંથી ઉદ્ધરીને પપૂ. રત્નશેખરસૂરીશ્વરજીએ સિરિસિરિવાલ કહાની આ અર્ધમાગધી ભાષામાં રચના કરી. આ મહાત્મા વિક્રમના ૧૪મા સૈકાની શરૂઆતમાં થઈ ગયા. તેઓ પરમ પૂજ્ય શ્રી વ્રજસેનસૂરીશ્વરજીના પટ્ટધર પ.પૂ. શ્રી હેમતિલક શ્રીપાલ રાસ *315 Page #365 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વરજીના શિષ્ય હતા. પ્રસ્તુત મૂળ ગ્રંથમાં લગભગ ૧૩૪ર માગધી શ્લોકો છે. “નવપદજીના માહાસ્યગર્ભિત શ્રી શ્રીપાલરાજાની કથા સાંભળનારા તથા કહેનારા ભવ્યજનોનું કલ્યાણ કરનારી છે. શ્રી વ્રજસેનસૂરીના પાટના માલિક શ્રી હેમતિલકસૂરિના શિષ્ય શ્રી રત્નશેખરસૂરિજીએ આ શ્રીપાલકથાની રચના કરી છે. તેઓના શિષ્ય શ્રી હેમચંદ્રજી નામના સાધુએ વિક્રમ સંવત ચૌદસો અઠાવીસ (૧૪૨૮)માં ગુરુભક્તિ નિમિત્તે આ કથા લખી છે. જ્યાં સુધી પૃથ્વી પર સમુદ્ર તથા મેરુપર્વત રહેલા છે, તેમ જ આકાશતલમાં જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહેલા છે, ત્યાં સુધી વંચાતી એવી આ કથા વૃદ્ધિ પામો.” કલ્પસૂત્રના કથાનુસાર આ કથાનો સમય ૨૦મા તીર્થકર મુનિસુવ્રત સ્વામીના ચોથા આરાનો છે, એટલે અગિયાર લાખ ૮૪ હજાર વર્ષો પૂર્વેની આ કથા છે. એટલે એ સત્ય છે કે કથાની યાત્રા માત્ર મૃતોપમૃત જ નથી પણ પશ્ચાત કાળે પૃષ્ટોપપૃષ્ટ પણ છે. આ કથાનું અવતરણ સંસ્કૃત, પ્રાકૃત, મારૂ ગુર્જર, હિંદી, અંગ્રેજી અને ભારતની અનેક ભાષામાં થયેલું છે. આ કથનનો ઉલ્લેખ મુનિશ્રી જયકીર્તિ કૃત સંસ્કૃત ગદ્ય શ્રીપાલ ચરિત્રમાં આ રીતે કરાયો છે. 'तस्मिन काले यतुर्यारके श्री मुनिसुव्रत स्वामीवारके मालव देशे उज्जयिनी नाम नगरी आसीत ।' આ શ્રીપાળ રાસ ઉપર અત્યાર સુધી સંશોધકની પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે અનેક ગ્રંથો લખાયા છે, ઉપરાંત કેટલાંકનો ઉલ્લેખ અહીં કરવાનો નમ્ર પ્રયાસ કરું છું. (૧) વિ.સં. ૧૪૨૮માં પ.પૂ. આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. રચિત ‘સિરિસિરિવાલ કહા' પ્રાકૃત અને સંસ્કૃત છાયાવાળું શ્રી દેવચંદ લાલભાઈ પ્રકાશિત. (૨) વિ.સં. ૧૪૨૮ પછી પ.પૂ. આ. શ્રી રત્નશેખરસૂરીશ્વજી મ.ના શિષ્ય પ.પૂ. મુનિ શ્રી હેમચન્દ્રમુનિવરે પ્રાકૃત ઉપરથી સંસ્કૃતમાં સંક્ષિપ્ત કરી રચેલ શ્રી નેમિ-વિજ્ઞાન-ગ્રંથમાળા' પ્રકાશિત. (૩) વિ.સં. ૧૫૧૪માં પ.પૂ.પં શ્રી સત્યરાજ ગણિવર રચિત શ્રીપાલચરિત્ર શ્લોકબદ્ધ શ્રી જૈન આત્મવીરસભા-પ્રકાશિત. 316 જૈન રાસ વિમર્શ Page #366 -------------------------------------------------------------------------- ________________ (૪) વિ.સં. ૧૫૫૭માં પ.પૂ.આ. શ્રી લબ્ધિસાગરસૂરીશ્વરજી મ. રચિત શ્રીપાલચરિત્ર – શ્લોક શ્રી વીર સમાજ પ્રકાશિત. (૫) વિ.સં. ૧૭૪૫માં પપૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મ. રચિત શ્રીપાલ રચિત સંસ્કૃત કાવ્યમ્ ગદ્ય. શ્રી દેવચંદ લાલભાઈ પ્રકાશિત. (૬) વિ.સં. ૧૮૬૭માં ખરતરગચ્છીય પ.પૂ. આ. શ્રી જયકીર્તિગણિવર રચિત શ્રીપાલચરિત્ર-ગદ્ય શ્રી હીરાલાલ હંસરાજ પ્રકાશિત. (૭) પ.પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજીની પરંપરામાં થયેલ પ.પૂ. મુનિશ્રી નયવિજયજી મ.ના શિષ્ય પ.પૂ. મુનિ શ્રી શુભવિજયજીએ રચેલ સંસ્કૃત-ગદ્ય શ્રીપાળચરિત્ર. (૮) વિ.સં. ૧૭૩૮માં સુરત પાસે રાંદેર ગામે પપૂ. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર તથા પપૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે રચેલ “શ્રીપાળરાસ'. આ રાસમાં ભરૂચ-થાણા વગેરે અર્વાચીન નગરોના નામ આવે છે. એ દર્શાવે છે કે મૂળ કથાનું વર્તમાન ભાવરૂપાંતર થયું હોય. (૯) વિ.સં. ૧૭૨૬માં કચ્છમાં શેષપુર ગામ અંચલગચ્છીય પૂ. શ્રી ન્યાયસાગરજીએ રચેલ “શ્રીપાળરાસ’ કચ્છ અંજારવાલા શા. સોમચંદ ધારશીભાઈ પ્રકાશિત. (૧૦) મયણા અને શ્રીપાળ મુનિ શ્રી નિરંજન વિજયજી મ.સા. (વિક્રમ સંવત ૨૦૧૯) (સંપાદક શ્રી કૃષ્ણલાલ ભટ્ટ – પંડિત બાબુભાઈ સવચંદ શાહ) (૧૧) શ્રીપાલ કથા પૂ.લબ્ધિસાગરસૂરિ (૧૨) શ્રીપાલ રાસ ભાષાંતર – શ્રી કુંવરજી આણંદજી (૧૩) શ્રી ભુવનભાનુસૂરિકૃત – ‘નવપદ પ્રકાશ' (૧૪) શ્રીપાળ મયણામૃત કાવ્યમ્ (સંસ્કૃત) પૂ.નયચંદ્ર સાગરજી (૧૫) શ્રીપાળ રાજાનો રાસ-શ્રાવક ભીમસેન માણેકજી (૧૬) સિરિ સિરિવાલ કહા (અંગ્રેજી) વાડીલાલ જે. ચોકસી (૧૭) શ્રીપાળ મયણાની અમરકથા – પૂ. મુક્તિદર્શન વિજયજી પ્રસ્તુત શ્રીપાળ રાસ, પાંચ ભાગ વાંચતા ૧થી ૩માં સરળ કથારસ છે, ૩ અને પાંચમાં કથારસની સાથે તત્ત્વરસ છે. નવપદનું વર્ણન છે, વિલાસ છે, શાસ્ત્ર અને તીર્થકર વચનોને આધારે ચિંતનાત્મક પ્રશ્નો અને ઉત્તરો છે. જે ચિત્તને પ્રશ્ન કરી આત્મા પ્રદેશમાં ભાવક-દર્શકને દૃષ્ટિ કરાવે છે. પ્રત્યેક પંક્તિના છૂટા છૂટા અર્થ, પછી પંક્તિઓનો સરળ અર્થ અને શ્રીપાલ રાસ + 317 Page #367 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી ઉપરાંત ટબા-ટીકા પણ મૂળ ભાષામાં જ પ્રસ્તુત છે. જે સંપાદકની માત્ર સંશોધક દૃષ્ટિ જ નહિ પણ એમની સર્જનાત્મક પ્રતિભાની પરખ પણ કરાવે છે. ઉપરાંત પાંચમા ભાગના અંતે પ્રગટ કરેલા ૧૪ પરિશિષ્ટો પણ સંપાદકની બહુશ્રુતતાની પ્રતીતિ કરાવે છે. ગ્રંથમાં જે સાહિત્ય છે એ ભલે યથાસ્થાને રહ્યું જે ગ્રંથના પૃષ્ઠોના દર્શન કરતી વખતે આત્માને પ્રસન્ન કરે છે પણ આવા અર્થગંભીર તત્ત્વો વાંચીને સંપાદકશ્રીને વિનયપૂર્વક સૂચન કરવાનો ભાવ થાય છે કે આ પાંચ ભવ્ય ગ્રંથો સાથે અંદરના આ સાહિત્યની એક જુદી પુસ્તિકા આપી હોત તો સરળતાથી અનેક જિજ્ઞાસુઓ એના તત્ત્વનો લાભ લઈ શકત. હજી એ શક્ય છે. પ્રજ્ઞા અને પુરુષાર્થના સમન્વયથી નિર્મિત થયેલા તીર્થસ્વરૂપ આ પાંચ ગ્રંથોનું સ્થાપન પ્રત્યેક જૈન ઉપાશ્રયમાં થવું જ જોઈએ. શક્ય હોય તો પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાના ઘરમાં એનું સ્થાપન થાય, તો ઘરદેરાસરના નિર્માણ જેટલો આનંદ-ઉલ્લાસ એ ઘ૨માં નિઃશંક સર્જાય અને પ્રતિદિન થોડાં પાનાંનું વાચન થાય તો નવપદની ભક્તિનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત થાય જ. શ્રીપાલ-મયણા ઉપર પૂ. મુનિ ભગવંતો અને શ્રાવક પંડિતોએ અત્યાર સુધી જેટલા ગ્રંથોનું સર્જન કર્યું છે, એ સર્વે ગ્રંથોનું પંક્તિમાં આ યુગના પંડિત ભીમશી માણેક જેવા શ્રી પ્રેમલ કાપડિયાના આ ગ્રંથો યશસ્થાને બિરાજવાના નિઃશંક અધિકારી છે. જીવે કર્મચક્રથી મુક્ત થવું હોય તો ધર્મચક્રનું શરણું સ્વીકારવું જ પડે. કર્મચક્રમાં કષ્ટો અને અનિષ્ટો છે. ધર્મચક્રમાં પરમેષ્ઠિઓ છે. કર્મચક્રની દુઃખદ લીલાનું શમન ધર્મચક્ર કરે છે. સિદ્ધચક્રના પૂજનથી ધર્મચક્રમાં પ્રવેશ થાય. જૈનશાસનમાં સિદ્ધચક્રથી મહાન કોઈ યંત્ર નથી. નવપદ અને સિદ્ધચક્ર યંત્રની આરાધના કરવાની ભાવના ચતુર્વિધ સંઘમાં પ્રગટ થાઓ, એ સર્વેને શ્રીપાળ રાજાની જેમ નવનિધિ સિદ્ધિઓ પ્રાપ્ત થાઓ એવી મંગળ ભાવના ભાવતા આ ગ્રંથ વિશે વિશેષ લખવાના ઉમંગ છે છતાં સમયમર્યાદાને કારણે સ્થિર થવું પડે છે, સુજ્ઞેષુ કિં: બહુના? આ ગ્રંથોનું પ્રાપ્તિ સ્થાન : હર્ષદરાય પ્રા.લિ. જીજી હાઉસ, દામોદર સુખડવાલા માર્ગ, વી.ટી. સામે, મુંબઈ-૪૦૦૦૦૧ ફોનઃ ૦૨૨-૬૬૫૧૯૯૦૦ મો.નં. ૯૮૨૧૧૪૧૪૦૦ 318 * જૈન રાસ વિમર્શ Page #368 -------------------------------------------------------------------------- ________________ ગગનગંભીર ભક્તિરસ પ્રેરિત સૌંદર્ય સભર ગ્રંથ શ્રીપાલ રાસ પ્રોફેસર અને વેલેલી – ઓટાવા-કેનેડા રાજા શ્રીપાલનું જીવનચરિત્ર, જે એક કથા રૂપે આલેખાયેલું છે, તે જૈન સમુદાયમાં અતિ લોકપ્રિયતાને વરેલું અને ભક્તિસભર એવું કથાનક છે. અમોઘ શક્તિ ધરાવનાર સિદ્ધચક્ર યંત્ર સાથે કથાવસ્તુનાં સંલગ્નત્વે એને મનુષ્યમાં આમૂલ પરિવર્તન લાવવા માટેનું પ્રખ્યાત માધ્યમ બનાવ્યું છે. આ કથાનું અલગ અલગ કાળાંતરે, બહોળા પ્રમાણમાં પ્રકાશન થયું છે. પરંતુ મુંબઈ નિવાસી જૈન, સેવાભાવી દાતા અને સંપાદક પ્રેમભાઈ કાપડિયાએ તાજેતરમાં પ્રકાશિત કરેલ “શ્રીપાલ રાસ' ગ્રંથની ભવ્યતા અને તેમનો સમર્પણભાવ (નહીં, નહીં, આરાધના)ની તુલનામાં પૂર્વમાં કોઈ પણ પ્રકાશનો ખરાં ન ઊતરી શકે. પ્રેમલભાઈએ આ પ્રાચીન કથાવાર્તા પુનઃ લોકભોગ્ય બનાવવાનો નિર્ણય કર્યો. જેનોના માનવા પ્રમાણે આ વાર્તાની મૂળ વસ્તુનું જિનેશ્વર મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ ૨૫૦૦થી પણ અધિક વર્ષો પહેલાં પ્રકાશી હતી. એક કુષ્ટરોગી, જે સમય વીત્યા બાદ રાજા બને છે, ની કથની પ્રારબ્ધ અને ભક્તિને વિષયને મધ્યમાં રાખીને એક મનમોહક કથાવાર્તાનું સ્વરૂપ ધારણ કરે છે. એક અતિ અહંકારી રાજા પોતાની સુપુત્રીનો વિવાહ શિક્ષારૂપે એક કુષ્ઠરોગી સાથે કરે છે. એનું કારણ એ છે કે દીકરીએ પોતાના પિતારાજાની મહાનતાને સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. સ્વને નિયતિએ બક્ષેલા સુખ-સંતોષ કે દુઃખ સંતાપને પોતાના જ પૂર્વ કર્મના વિપાક તરીકે આલેખવાનો આગ્રહ રાખ્યો છે જે દ્વેષીલા પિતાના એક અતિ નિર્દય દુષ્કૃત્ય તરીકે દૃષ્ટિમાન થાય છે ને જ. આ પૃથ્વીતલ પર કદીયે ન બની શકે એવી એક અસંભવિત ઘટના સ્વરૂપે પ્રસ્તુત થાય છે અને એક આપ્તરંગી, અદ્ભુત કથાનકનો ૧૨૦૦ ઉપર ગાથાના સ્વરૂપે પ્રારંભ થાય છે. જોકે કર્માધીનતાની માન્યતા હંમેશાંથી પ્રવર્તી રહી છે પરંતુ બીજી બાજુએ રહસ્યમય યંત્ર શ્રી સિદ્ધચક્રજી (કે નવપદજી) ની પ્રાધાન્યતા અને એનું શ્રીપાલની સમૃદ્ધિમાં અને શ્રીપાલ રાસ 319 Page #369 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્યમાં યોગદાન પણ એટલાં જ મહત્ત્વનાં છે. શ્રીપાલ રાસનું કથાસ્વરૂપ પાંચ વિશાળ ગ્રંથોમાં સ્થિત ગાથાઓની સાથે સાથે ભવ્યાતિભવ્ય ચિત્રાંકનો અને હાંસિયાઓ વચ્ચે પ્રવાહિત થઈને વાચકવર્ગને જુદા જુદા પડાવ પર લઈ જાય છે. સંપાદક ગ્રંથનું એક પણ પૃષ્ઠ શણગારથી વંચિત નથી રાખ્યું. આવા વિશાળ કદના અને પ્રભાવશાળી ગ્રંથને વાંચવાનો અનુભવ અનન્ય છે તે એ રીતે કે જેમ જેમ આપણે કથાનકમાં આગળ વધીએ છીએ તેમ તેમ તે આપણને વધુ અને વધુ સુજ્ઞતા પ્રદાન કરે છે અને આ પ્રમાણે મંદ ગતિએ આગળ વધતા વધતા આપણે જાણે શાનદાર, ઘટાદાર હસ્તપ્રસ્તોની વિશાળ પુસ્તકરૂપી લીલીછમ વનરાજિમાંથી પસાર થઈને પ્રવાસ કે પછી એક પવિત્ર ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ રહ્યાં છીએ એવા મનોભાવની ઉત્પત્તિ થાય છે. દરેક હસ્તપ્રત આપણી સમક્ષ કથાનું વિસ્તૃત વર્ણન શબ્દો દ્વારા તાદેશ કરે છે. નિખાલસતાપૂર્વક કહું તો, હું ગ્રંથના સૌંદર્યથી મંત્રમુગ્ધ બની અને ત્યારે આ ગ્રંથનું નિરીક્ષણ કરવાની પ્રાથમિક ઇચ્છા મને ઉદ્દભવી. જે પ્રતિભા અને રોમાંચક રજૂઆત સાથે આ ગ્રંથને સંપૂર્ણતાને આરે પહોંચાડવામાં આવ્યો છે તે જોતાં એમ કહેવાનું સહેજે મન થઈ જાય છે કે આ ગ્રંથ એના મૂળ ગ્રંથના પ્રબુદ્ધ કથાનક સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે સક્ષમ છે. સામાન્યતઃ ભક્તિરસ પ્રધાન કે રહસ્યમય પુસ્તકો શૈક્ષણિક નિરીક્ષણ માટેની રસાળ સામગ્રી નથી. આવા રહસ્યમય, વરદાયી યંત્રો, ઈશ્વરીય, દિવ્ય જિન ભગવંતો કે પછી કર્મવાદમાં દઢનિશ્ચયતા, આ સર્વની સત્યવાદિતાનું વિદ્વત્તાને ધોરણે કઈ રીતે મૂલ્યાંકન કરવું? આવું કાર્ય હાસ્યાસ્પદ જ ઘટાવી શકાય. આ પુસ્તકના ઐતિહાસિક સંદર્ભને કોઈ પણ કાળમાં અંક્તિ કરવો (આ ઉદાહરણમાં સત્તરમો સૈકો) અને પછી આ પુસ્તક કઈ રીતે સામાજિકધાર્મિક પૂર્વાપર સંબંધમાં ભાગ ભજવે છે, એની પરિસ્થિતિનો તાગ મેળવવો એ આ કાર્યમાં આગળ વધવા માટે માન્ય માર્ગ હોવાની શક્યતા છે. પણ આમ કરવાથી પુસ્તકના મૂળભૂત તત્ત્વથી વિમુખ થવાની આશંકા છે. એના કરતાં, પુસ્તકના સાર સાથે મક્કમતાપૂર્વક વળગી રહેવાથી કાંઈક વિલક્ષણ એવી વસ્તુમાં આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે – સુસ્પષ્ટ અને સઘન આરાધન જૈનધર્મનું મધ્યબિંદુ છે. આ હકીકત સ્વમાં અને સ્વથી પ્રકાશિત થાય છે અને ચિંતનશીલતાની સુપાત્રતા દર્શાવે છે. 320 * જૈન ચસ વિમર્શ Page #370 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરવાદમાં ન માનનાર જૈન ધર્મની પ્રણાલિકામાં ભક્તિનું સ્થાન શું અને ક્યાં છે તે વિષય વિદ્વાનોને માટે કોયડો છે. જેનો કોને આરાધે છે? જે પ્રણાલિકામાં અનુગ્રહ બક્ષનાર સર્જનહારને કોઈ સ્થાન નથી અને જે આત્માની મુક્તિ માટે આત્મનિર્ભરતા અને સ્વાશ્રય પર ભાર મૂકે છે તે પ્રણાલિકામાં ભક્તિ શું ભાગ ભજવે છે? શ્રીપાલ રાસનું સત્ત્વ નિશ્ચયાત્મક રીતે ભક્તિભાવમાં તરબોળ છે, આરાધન અને આત્મસમર્પણમાં ભીંજાયેલું છે પરંતુ રાસમાં ફક્ત તે જ ભાવો સંપૂર્ણતયા સમાવિષ્ટ નથી. એના સહઅસ્તિત્વમાં આપોઆપમાં જ સુસ્પષ્ટ અને સરળતાથી દર્શન થાય એવું યંત્ર આરાધન અને સામાન્યતઃ પ્રચલિત “કર્મના ફળનું નિશ્ચયપણે ભોગવવાપણું” પણ છે, જે જૈનધર્મની વિચારશૈલીના કેન્દ્રમાં છે. કથાનકમાં વિધાતાના લેખ અને અનુગ્રહ પ્રદાન કરનાર સિદ્ધચક્ર યંત્રજીના આરાધનથી શ્રીપાલને પ્રાપ્ત થયેલ ચમત્કારિક વરદાનોની આનંદકારી હિતશિક્ષા પણ અતિ કુશળતાપૂર્વક તાણાવાણાની જેમ ગૂંથવામાં આવી છે. જે જૈનધર્મની શ્રમણ પ્રણાલીથી સુવિદિત છે. તેને આ વાત કદાચ આશ્ચર્યકારક લાગે. વિશ્વે પરિત્યાગ જેવા મૂળભૂત સિદ્ધાંતનો યંત્ર-પૂજા સાથે સુમેળ શી રીતે સાધી શકાય? આ ઉપરોક્ત બક્ષેલા અભિનપણાને સમજવા માટે આપણે કથાનકના અંત સુધી રાહ જોવી પડશે. કથાના શુભારંભમાં આપણને વિદિત થાય છે કે જીવનની મીઠી-મધુરી ચડતી અને કડવી પડતી એ તો આપણાં કર્મના ફળસ્વરૂપે છે, જેનું સ્રોત આપણા જ્ઞાનથી પરે છે. આપણને યાદ અપાવવામાં આવે છે કે કર્મથી વધુ પ્રબળ શક્તિ કોઈ નથી. જૈનધર્મ આપણને શીખ આપે છે કે કષ્ટદાયી પરિસ્થિતિઓમાં પણ દઢનિશ્ચયી અને સમભાવપૂર્ણ નિરાગતા વહન કરવી જ રહી. એ જ ચરમમુક્તિનો એકમાત્ર માર્ગ છે. પોતાનાં દુઃખ કે સુખના અનુભવોમાં જ આસક્ત કે રચ્યાપચ્યા રહેવાથી કર્મની આત્મા પરની પકડ વધારે ને વધારે દઢ બને છે. આપણને આ બોધ કથાનકનાં પાત્રો ઉપરથી થાય છે. અન્ય સર્વ કથાવાર્તાઓની જેમ “શ્રીપાલરાસ' જે સિદ્ધચક્ર યંત્રને સમર્પિત છે તે એની અનુભવગમ્યતા વડે આપણને સવિશેષ રીતે ચર્મ અને કાલ્પનિક એમ ઉભય દૃષ્ટિની સામસામે લાવીને ઊભા કરે છે અને બન્ને વિચારવંત, નીતિમાન અને હિતશિક્ષાના સિદ્ધાંતથી પરિચિત અને એમાં રુચિવંત હોવા છતાં બૌદ્ધિક કક્ષાથી પરે કાર્યાન્વિત બને છે. વરદાનરૂપે શ્રીપાલ રાસ 321 Page #371 -------------------------------------------------------------------------- ________________ આશિષની વર્ષા વરસતી હોય ત્યારે કે દુ:ખના ડુંગર નીચે દબાયેલો હોય ત્યારે પણ ચતુર મનુષ્યને સમજતા વાર નથી લાગતી કે આવી પરિસ્થિતિઓ તો માત્ર તેણે સ્વયં આચરેલાં પૂર્વકર્મોનાં ફળસ્વરૂપે જ સર્જાય છે. ઉદાહરણાર્થ, આપણે જ્યારે પ્રથમવાર શ્રીપાલની સમક્ષ થઈએ છીએ ત્યારે એ માત્ર નીચી જાતિનો, કદરૂપો કુષ્ઠરોગી છે. એ ઉપહાસપાત્ર હોવા છતાં પોતાને દયનીય નથી સમજતો કે નથી તે પોતાની સ્થિતિ માટે કોઈને દોષી માનતો. પણ જ્યારે એના પ્રારબ્ધ પરથી કષ્ટનું પાંદડું ખસી જાય છે અને એ અતિ સ્વરૂપવાન માનિની, પ્રગાઢ શક્તિ અને અપાર ધનવૈભવનો સ્વામી બની જાય છે ત્યારે પણ તે તેની વિનમ્રતા છોડતો નથી. એથી વિપરીત, કથાના પ્રતિસ્પર્ધીઓ જેઓમાં શાણપણનો અભાવ છે (જેમ કે ધવલ શેઠ) તેઓ હતભાગ્ય અને વિજયની લાગણીઓ વચ્ચે ઝૂલતા હોય છે. એ લોકો દુઃખના દિવસોમાં પોતાને સજા પામેલ વ્યક્તિ તરીકે અને સુખના દહાડામાં પોતાને ઉમદા ગુણ ધરાવનાર પરાક્રમી નર તરીકે સમજે છે. ચોથા ગ્રંથમાં જ આપણી સમક્ષ શ્રીપાલના ભાગ્યના નાટકીય, અણધાર્યા વ્યુત્કમનું રહસ્ય છતું થાય છે. એની શરૂઆતની શારીરિક વ્યાધિ એના પૂર્વના અજ્ઞાત રાજા-શિકારીના ભવમાં તેણે આચરેલા પાપોના પરિણામ રૂપે હતી. એની હાલની અઢળક સમૃદ્ધિ એની સિદ્ધચક્રજી પ્રત્યેની ભક્તિના પરિણામ રૂપે છે, જે ભક્તિથી એણે વિપુલ પ્રમાણમાં ભોગાવલી કર્મ બાંધ્યાં છે. (ભોગાવલી કર્મ એ કર્મ છે જેને લીધે મનુષ્ય ભૌતિક ભવ્યતા અને સૌખ્યનો અપાર આનંદ અનુભવ કરે છે.) મનને હેરત પમાડે એવી વાત તો એ છે કે આપણને જણાવવામાં આવ્યું છે કે શ્રીપાલના અધિકાધિક ભોગાવલી કર્મ જ એને દુનિયાદારીનો સ્વેચ્છાએ ત્યાગ કરતા રોકશે. સાધુઓ, જેનું જૈન ગ્રંથોમાં સામાન્ય દૃષ્ટિએ તેમ જ વધુ ઉદાર દૃષ્ટિએ જૈન ધાર્મિક પરિકલ્પનામાં એક અનોખું, આગવું સ્થાન હોય છે, તેઓ શ્રીપાલ રાસ' કથાનકમાં માત્ર આંશિક પાત્ર ભજવે છે. તેમ છતાં, એટલું તો ખાતરીપૂર્વક કહી શકાય કે સાધુઓ આ વાર્તાના કથાકાર હોવાને કારણે એમનું સ્થાન કથાવસ્તુથી સવિશેષ મહત્ત્વ ધરાવે છે. પરંતુ સાધુઓ અને સામાન્યપણે સંયમમાર્ગ કથાનકમાં સહાયકની ગરજ સારે છે અને આ બન્ને કથાનકની સાથે યુક્ત હોવા છતાં આ ગૂઢ, રહસ્યમય કથામાં પ્રમાણમાં ગૌણ ભૂમિકા ભજવે છે. શ્રીપાલને એની અપરંપાર સિદ્ધચક્ર પ્રત્યેની ભક્તિને લીધે કહેવામાં 322 * જૈન રાસ વિમર્શ Page #372 -------------------------------------------------------------------------- ________________ આવે છે કે મૃત્યુ બાદ એનો નવમા દેવલોકમાં જન્મ થશે અને ત્યાર બાદ એકાંતરે મનુષ્યભવ અને દેવભવમાં જન્મીને, અતિ સુખ-સમૃદ્ધિને અનુભવીને, નવમા જન્મના અંતે એ મુક્તિ પામશે. જે પ્રણાલિકામાં કર્મસત્તાની નિશ્ચલ પ્રબળતા અને દુન્યવી સર્વ વસ્તુઓના ત્યાગની આવશ્યકતા પર અતિ ભાર મુકાયો છે, તેમાં ઊડીને આંખે વળગે તેવું ભક્તિ પરનું પ્રગટ કેન્દ્રિતપણું વિસ્મય નિપજાવે છે. ગ્રંથનાં અંતિમ પૃષ્ઠોમાં જ એ વાત પ્રકાશિત થાય છે કે આ રહસ્યમય યંત્ર બીજું કાંઈ નહીં પણ આત્માનું શુદ્ધ આત્મસ્વરૂપ છે જેને મૂર્તિમંત કરવામાં આવ્યું છે. તેને ધ્યાવાથી મનુષ્ય પોતાના આત્માના શુદ્ધ ગુણોને જ ધ્યાવે છે. ઉદાહરણ તરીકે, ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે અરિહંત જે સિદ્ધચક્રજીનું મધ્યવર્તી અંગ છે, તેનું પૂજ્યભાવે કરેલું આરાધન સર્વજ્ઞતાના ગુણને આરાધવા સમાન છે – એ સર્વજ્ઞતા જ આત્માના શુદ્ધ, સંપૂર્ણ જ્ઞાનના ગુણ સિવાય બીજું કશું નથી. શ્રીપાલની શ્રી સિદ્ધચક્રજી પ્રત્યેની નિતાંત અભિરુચિ અને એકનિષ્ઠા આત્મચિંતન અને કર્મશુદ્ધિ માટેનું એક ખૂબ જ પ્રભાવશાળી સાધન છે. એના વડે એ અહંકારની સભાનતા લાંઘી જાય છે અને આત્માની સહજ મૂળ સ્વભાવગત શક્તિ સુધી પહોંચે છે, જે આ વિશ્વના સંપૂર્ણ સૌષ્ઠવ અને પરમાનંદનો સ્ત્રોત છે. નિષ્કર્ષ : શ્રીપાલ રાસની આ અતિ સૌંદર્યસભર કૃતિને એક ગહનગંભીર ભક્તિપ્રેરિત કૃત્ય તરીકે લેખવી શકાય. પણ એનાથી પણ વિશેષ. એ એક આપણને એક મોહક કથાવાર્તા પ્રત્યે લાલાયિત કરે છે, જે સંયમમાર્ગના વિશિષ્ટ લક્ષણને ગહન ભક્તિના અતિ ઉલ્લાસમય ઉજમણા સાથે યુક્ત કરે છે. શ્રમણ પ્રણાલિકા અને ભક્તિ, ઉભયની જેનપરંપરામાં અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સુસ્પષ્ટતાથી અંકિત કરીને, અને ત્યાર બાદ આ બન્નેને સમકક્ષતા કઈ રીતે બક્ષી શકાય એનું આલેખન કરીને “શ્રીપાલરાસનું આ કથાનક ઈશ્વરવાદમાં નહીં માનનાર જૈનભક્તિનું અમૂલ્ય સૂક્ષ્મદૃષ્ટિથી દર્શન કરાવે છે. શ્રીપાલ ચસ છે 323 Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રેમલભાઈ કાપડિયા દ્વારા “શ્રીપાલ રાસ” વિષયક જ્ઞાનખજાનાનું અજોડ-ઉત્કૃષ્ટ વિસ્તરણ ડૉ. પ્રફુલ્લા વોરા ૐ નમ: सरस्वती मया द्रष्टा वीणा पुस्तकधारिणी । हंसवाहन संयुक्ता विद्यादान वरप्रदा ॥ હે મા શારદા! આપના ચરણોમાં કોટિ કોટિ વંદન સાથે આપની પ્રાર્થના કરું છું કે હું આપની કૃપા માટે પાત્રતા પ્રાપ્ત કરી શકું. પ્રસ્તુત શ્રીપાલ રાસ દ્વારા વિભાગ ૧થી ૫માં મહાગ્રંથનિધિનું સર્જન એ જ્ઞાનોપાસક શ્રી પ્રેમલભાઈ કાપડિયાનું ભગીરથ કાર્ય છે. આ નૂતન પ્રકાશનની ઉત્તમતાને પ્રસ્થાપિત કરવાનું તો શું ગજું? છતાં પણ તેનું યથોચિત અવલોકન કરવામાં આપની કૃપા પ્રાપ્ત થાય એ માટે આપને હૃદયપૂર્વક પ્રાર્થ છું. ઉપાધ્યાય શ્રીમદ્ વિનયવિજયજી મહારાજ તેમ જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ‘શ્રીપાલરાસ'ની અલૌકિક રચનાનું ઐશ્વર્ય જાળવીને, મૂળ ગ્રંથના વારસાની ગરિમાને વધારીને, વિશેષરૂપે સંવર્ધિત કરવાનું મહાયજ્ઞકાર્ય જ્ઞાનપિપાસુ શ્રી પ્રેમલભાઈ કાપડિયા દ્વારા થયું છે, તેમના રોમેરોમમાં શ્રી સિદ્ધચક્રજી-નવપદજી પ્રત્યે ભક્તિની રોમાંચકતા અનુભવાઈ હશે; તેમના હૃદયમાં તે પ્રત્યે બહુમાનભાવના પૂર છલકાયાં હશે; તેમના ચિત્તમાં એ રાસને વિશ્વવ્યાપી બનાવવા માટે તેમની ઊર્મિઓ ઝંકૃત થઈ હશે ત્યારે આ ગ્રંથ પ્રકાશન શક્ય બન્યું હશે. અહીં તેઓના પ્રબળ પુરુષાર્થ, શ્રી જૈનશાસન પ્રત્યેનો અપાર પ્રેમ અને મનની ઉદારતાની ત્રિવેણીધારા પ્રગટ થતી જોવા મળે છે. આપણો જૈન સાહિત્યવારસો એવા ઉત્તમ જ્ઞાનવૈભવથી ગૌરવવંતો બન્યો છે કે તેના સ્મરણ, દર્શન અને વાચન-મનનથી ધન્યતાનો અનુભવ થાય. આ પૈકી શ્રી ‘શ્રીપાલરાસ' એવી રચના છે કે સામાન્યતઃ વર્ષમાં બે વખત શાશ્વતી ઓળી પ્રસંગે આ રાસનું વાચન, શ્રવણ અને અનુમોદનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ મહિમાને ધ્યાનમાં રાખીને આ મહાગ્રંથનું 324 * જૈન રાસ વિમર્શ Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન થયું છે. આકાશમાં અનેક ઝગમગતા સિતારા વચ્ચે કોઈ પ્રકાશપુંજ સૌનું ધ્યાન ખેંચે છે. કમલદલથી ભરેલા જળાશયમાં શ્વેતહંસ જે રીતે મન મોહી લે છે, એ રીતે “શ્રીપાલરાસ' પર આ પાંચ ભાગનો ગ્રંથ કોઈ અલૌકિક અનુભૂતિ કરાવે છે. શ્રી શ્રીપાલ ચરિત્ર પર લખાયેલાં વિવિધ વિવેચનો, તે વિષયક સંપાદનો અને સંશોધન જાણીતાં છે. પરંતુ અહીં શ્રી પ્રેમલભાઈએ ગજબનો પુરુષાર્થયજ્ઞ માંડ્યો હશે તેની પ્રતીતિ આ ગ્રંથના પ્રત્યેક પાન પર થાય છે. જેમ જેમ પઠન થતું જાય તેમ આપણાં બાહ્ય નેત્રોથી કોઈ અવર્ણનીય દર્શન આપણાં આંતરચક્ષુઓ સુધી પ્રક્ષાલિત થતું અનુભવાય. પાંચેય ભાગમાં મૂકેલી જિનેશ્વર ભગવંતોની તસવીરો પ્રત્યક્ષ દર્શનો અહોભાવ પ્રગટાવે છે. એ વખતે આપણું મસ્તક ખરેખર નમી જાય છે. આ સમગ્ર કાર્યના અભ્યાસથી થયેલી ભાવાનુભૂતિને વિવિધ પરિમાણોથી પ્રસ્તુત કરું તો કાંઈક અંશે ગરિમા જાળવી શકાશે. રચયિતાનો શ્રી સિદ્ધચક્રજી તરફનો અનન્ય ભક્તિભાવ પ્રસ્તુત ગ્રંથ નિધિ) વાંચતી વખતે સર્વપ્રથમ એ વિચાર આવે કે આપણાં જૈન સાહિત્યનો વિશાળ વારસો છે એમાંથી શ્રી પ્રેમલભાઈએ શ્રી વિનયવિજયજી – શ્રી યશોવિજયજી રચિત “શ્રીપાલરાસની પસંદગી સાથી કરી હશે? આ પ્રશ્નનો ઉત્તર પણ યોગ્ય રીતે જ પ્રાપ્ત થાય છે. ભાગ૧ની અંદર પ્રસ્તાવનાના પ્રારંભે જ રચનાકારે “ૐ હ્રીં શ્રી સિદ્ધવશ્વય નમ:કહીને શ્રી સિદ્ધચક્રને મૂળમંત્રવાળું કહ્યું છે અને અહંના ઉજ્જવળ આદ્યબીજ સાથે “સિદ્ધલિયો રિક્ષ વિઢિ” અને અંતિમ બીજ સહિત ચૌપદોદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનો જયકાર કર્યો છે. “તવહં નમમ' શબ્દો વાંચતા જ આપણી નજર સમક્ષ શ્રી સિદ્ધચક્રવંત્ર દશ્યોકિત થાય છે. સારસ્વત રચનાકારની એ જ ખૂબી હોય છે જે સ્વાનુભૂતિને પરાનુભૂતિની પરાકાષ્ઠાએ લઈ જાય. શ્રી સિદ્ધચક્રજી તરફનો તેમનો અહોભાવ એક વાચક-ભાવક તરીકે આપણે પણ પામી શકીએ છીએ. તેથી જ આપણા મુખમાંથી સ્વાભાવિક જ આ શબ્દો સરી પડે : ધન્યવાદ શ્રી પ્રેમલભાઈના આ ભક્તિભાવને! આ સચિત્ર ગ્રંથ પ્રકાશનનો આદ્ય હેતુ પણ તેઓ જણાવે છે કે જ્યારે શ્રીપાલ રાસ 325 Page #375 -------------------------------------------------------------------------- ________________ જ્યારે સિદ્ધચક્ર પૂજનમાં જવાનું થયું, ત્યારે ત્યારે તેઓને તે તરફનો ભક્તિભાવ એટલો ઉલ્લસિત થયો કે એક બહુમાન કે આદરભાવના સ્વરૂપે શ્રી સિદ્ધચક્રજીમાં સમાવિષ્ટ નવપદો, તે સંબંધી રહસ્યો, તેની ઐતિહાસિક કથાત્મકતા અને તેની હૃદયપૂર્વકની આરાધનાથી પ્રાપ્ત થતાં ફળ વગેરે વિષે સંશોધન કરવાની પ્રબળ ઈચ્છા થઈ. એવું કહેવાય Where there is will, there is way અથવા એમ પણ કહી શકાય કે will has wings. અહીં પણ એવું જ બન્યું હશે. ઉપરોક્ત તમામ બાબતો વિષે સંશોધન કરીને, જાણીને, તેનું યોગ્ય સંકલન કરીને, તે વિષેના જ્ઞાનવૈભવને ગ્રંથસ્થ કરવાની ઇચ્છા આ ભગીરથ કાર્યના મૂળમાં સમાયેલી હતી. વિવિધ આધારોના અભ્યાસ પછી વર્તમાન સમયે શાશ્વતી ઓળીમાં જે પ્રચલિત છે તે શ્રીપાલરાસ (ઉપાધ્યાય શ્રી જિનવિજયજી મહારાજ તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત) જેમાં શ્રી સિદ્ધચક્રજી તરફની અનન્ય ભક્તિ સમાયેલી છે તે વિષયક પ્રકાશન કરવાનું નક્કી કર્યું. રચનાકારનો આ અનહદ અનુરાગ અને ભક્તિભાવ સિદ્ધ કરતાં અનેક સંદર્ભો આ ગ્રંથવિધિમાં જોવા મળે છે. ખાસ તો વિવિધ સ્વરૂપે અને વિવિધ માધ્યમો પર આલેખાયેલાં શ્રી સિદ્ધચક્રજી – નવપદજીનાં યંત્રો ધ્યાન ખેંચે છે. આ આધારો – સંદર્ભો પ્રાપ્ત કરવામાં તેઓએ કેટલી બધી જહેમત લીધી હશે! ઉદાહરણ રૂપે : ભાગ : ૧માં નં. ૭ – અષ્ટ નવપદ યંત્ર, નં.૯ હીંકારમય શ્રી પાર્શ્વપ્રભુ અને સરસ્વતીયુક્ત મંગળ નવપદજી નં. ૩૧ – રજતપત્ર પર અષ્ટાપદની પ્રતિકૃતિ યુક્ત શ્રી સિદ્ધચક્ર યંત્ર નં. ૬૪ – પ્રાચીન હસ્તપ્રત પર અને નં. ૬૭ શ્રીપાળ – મયણા વંદિત યંત્ર ભાગઃ રમાં નં. ૧૦૧ – સ્વ-સ્વ વર્ણયુક્ત શ્રી નવપદ યંત્ર નં. ૧૬૧ – આરસની દીવાલમાં કોતરેલ કમલાકાર નવપદ યંત્ર (તારંગા તીર્થ) ભાગઃ ૩માં . ૨૩૫ – સંગેમરમર નિર્મિત શ્રી નવપદ યંત્ર પાંચ પ્રતિમા સહિત) ભાગ : ૪માં નં. ૩૮૨ - હોંકાર ગર્ભિત – વિશિષ્ટ શૈલીવાળું 326 * જૈન રાસ વિમર્શ Page #376 -------------------------------------------------------------------------- ________________ નવપદ યંત્ર. ભાગ : ૫માં નં. ૩૯૪ શ્રી નવપદ યંત્ર (પ્રાચીન) આ રીતે અહીં દુર્લભ કૃતિઓ મૂકવામાં શોધ-સંશોધનના આધારે મેળવેલા વારસાનું ચયન જોવા મળે છે. પરિણામે પરિકલ્પના વિશુદ્ધ રીતે સાકાર થઈ છે. રચયિતાની કલાપ્રિયતા અને સૌંદર્યદૃષ્ટિ સંસ્કૃતના એક પ્રચલિત શ્લોકમાં જણાવાયું છે કે સાહિત્ય, સંગીત, કલા વગરનો માણસ પૂંછ વગરના પશુ સમાન છે. આ તો થઈ સામાન્ય જનસમાજ માટેની અપેક્ષા. પરંતુ અંગ્રેજીમાં કહીએ તો: Literature is the light. Art is the sublimity but where literature and art both are found, it is the sublime light. આ બાબત આ ગ્રંથસર્જનનું હાર્દ પણ છે. આ માટે ભવ્યાતિભવ્ય તસવીર-ચિત્રો, પટો, દુર્લભ ચિત્રાંકનના નમૂનાઓ, સુંદર અને કલાત્મક કિનારીઓ સાથેની હસ્તપ્રતો, પ્રાચીન સચિત્ર પ્રતો, સિરોહી કલમથી નિષ્પન્ન થયેલી કલાકૃતિઓ, સૌથી ધ્યાનાકર્ષક એવા મુઘલશૈલીનાં ચિત્રો વગેરેએ આ ગ્રંથની કલાત્મકતાને વિશેષ સમૃદ્ધ બનાવી છે. આ કલાનું દર્શન મનને પ્રસન્નતા બક્ષે છે. તેનાથી આ ગ્રંથનો શબ્દ વધારે ઉજાગર બન્યો છે. આપણી વાચનયાત્રા આ કલાના કાંગરે કાંગરે અટકી જાય છે. આ દૃશ્યાંકનોને મનભરીને માણી લેવા થંભી જવાય એવાં અનેક ઉદાહરણો આપી શકાય એવી વિશાળતા અહીં પડી છે. એમાંના કેટલાક મુકામો આ રહ્યા : નં.૨૨ - રાસરચનામાં મગ્ન મહો.શ્રી યશોવિજયજી ભાગ : ૧ મહારાજ...પૃષ્ઠ ૫૪ - નં.૪૪ – ટોળાંને જોઈને વિસ્મિત થયેલા રાજા (સમગ્ર દેશ્ય મન ભરીને માણવા લાયક) પૃષ્ઠ ૧૧૬-૧૧૭ ભાગ : ૨ નં.૧૩૮ (તમામ) શ્રી સહસ્ત્રકૂટ ગર્ભિત શ્રી શત્રુંજયતીર્થ... પૃષ્ઠ : ૩૪૦-૩ નં.૧૫ શ્રી રાતા મહાવીરાય નમ: પૃષ્ઠ-૨૪૬ ભાગ : ૩ નં.૧૯૪ રાજકુંવરી ગુણસુંદરીનું વીણાવાદન... પૃષ્ઠ ૪૯૨ ભાગ : ૪ નં.૨૮૬ પ્રાચીન હસ્તપ્રત ઉત્તરાધ્યયનના (ઓ.અં.) - શ્રીપાલ રાસ. * 327 Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨થનેમીય (૨૨મું અધ્યયન ૩૭ મૂળ ગાથાઓ) પૃષ્ઠ ૭૫૪-૭૫૫ ભાગ : ૫ નં. ૩૬૨ માલવદેશ – ઉજ્જયિણી નગરી શક રાજાશાહીની સ્થાપના ઉન્નતિ માટે આ.શ્રી કાલકસૂરિજી પૃષ્ઠ : ૯૨૬ પરિશિષ્ટ : ૧૧ શ્રીપાલ રાસ (૧૯મી સદી) દુર્લભ સિરોહી કલમથી નિષ્પન્ન સચિત્ર હસ્તલિખિત દર્શનીય પત્રો પૃષ્ઠ : ૧૦૯૬ અને પરિશિષ્ટ : ૧૨ ‘સિરિરિવાલ કહા’ (૧૫મી સદી) દુર્લભ સચિત્ર હસ્તલિખિત પ્રતના દર્શનીય પત્રો.. પૃષ્ઠઃ ૧૧૦૪ આ તો માત્ર આઠ-દસ ઉદાહરણો આપ્યાં છે. આ ગ્રંથ આવા ખજાનાથી વિભૂષિત થયો છે. આ.શ્રી અભયશેખરસૂરિજીનું માર્ગદર્શન ઉલ્લેખનીય છે. તેઓના શબ્દોમાં જોઈએ તો... જૈનશાસનનું અજોડ અધ્યાત્મ સાહિત્ય, જૈનશાસનના પૂર્વના શ્રાવકોની કલાપ્રિયતા એ માટેની ઉદારતાને એના પ્રભાવે જૈનશાસનનો સમૃદ્ધ કલાખજાનો. આ બધાનો વિશ્વને એકસાથે પરિચય મળે એ માટે આજના વિશ્વને ગમે એવી સાજ-સજ્જા સાથે ૨જૂ ક૨વામાં દિલની અત્યંત ઉદારતાનો પરિચય આપનાર છે શ્રી પ્રેમલભાઈ કાપડિયા.’ કલાની સૂઝ, કલાપરખ અને કલાની કદર આ ત્રણેય બાબતોનો અહીં સમાવેશ થાય છે. સામાન્યજીવ બાહ્ય કલા-રૂપ-રંગને સમજશે. જિજ્ઞાસુ બની અંદરના ઊંડાણને પામવાનો પ્રયત્ન કરવાની સમજ ધરાવનારા કલાત્મક અભિવ્યક્તિના આધારે શ્રીસિદ્ધચક્રજી – નવપદજીની આરાધનામાં વધારે તીવ્ર બને અને પુણ્યાત્મા તરીકે જ્ઞાનની વિશેષચિ ધરાવનારા બને એની કાળજી આ સૌંદર્યદૃષ્ટિમાં પ્રતિબિંબિત થાય છે. ખાસ તો શ્રીપાલરાસની ગાથાઓનાં વાચન-મનનની સાથે ભાવાત્મક પ્રત્યક્ષીકરણની સંયોજિત અનુભૂતિથી અભિભૂત થઈ જવાય એવી સુખદ ઘટના અહીં ઠેરઠેર પામી શકાય છે. આ ઉપરાંત આ પાંચેય ભાગનાં મુખપૃષ્ઠો, દરેક પાનની સજાવટ વગેરે જોઈને સૌ કોઈ આ ગ્રંથો ખોલ્યા વગર ન જ રહી શકે. આ પ્રકાશનની આ તો મોટી સિદ્ધિ છે! જ્ઞાનવૈભવની જાહોજલાલી શ્રી પ્રેમલભાઈએ આ મહાપ્રકાશન અથાગ, અપાર અને અજોડ પુરુષાર્થથી કર્યું છે, તે દર્શાવે છે કે આ જ્ઞાનવિસ્તરણનું મહાસોપાન છે. આ કાર્યમાંથી પ્રગટતી જ્ઞાનાત્મક દિવ્યતા પામવા માટે અહીં પૂરી તક છે. 328 * જૈન રાસ વિમર્શ Page #378 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રી જણાવે છે કે વર્તમાન સમયે શ્રુત સાહિત્ય તરફ સેવાતી ઉપેક્ષાથી વર્તમાન પેઢીમાં તે તરફની જિજ્ઞાસા ઘટતી જાય છે. એથી એવા પ્રયાસો થવા જોઈએ કે જેથી જ્ઞાનનું સંસ્કરણ થતું રહે. શ્રીપાળરાસમાંથી પ્રગટ થતાં ચાર અનુયોગો – દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ અને ચ૨ણક૨ણાનુયોગ જ્ઞાનના ક્ષયોપશમની ક્ષમતાની સાથે જોડાયેલાં છે. દા.ત., કથા, આરાધનાવિધિ, જ્ઞાનાનુષ્ઠાનો અને રિદ્ધિસિદ્ધિ અનુક્રમે કથાનુયોગ, ચરણાકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ દર્શાવે છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ જ્ઞાનના ક્ષયોપશમની કક્ષાના આધારે બાળ, મધ્યમ અને પંડિત – એમ ત્રણેય પ્રકારના જીવો (વાચકો)ને ધ્યાનમાં રાખીને ગાથાર્થ, ટબો, અનુપ્રેક્ષા સંદર્ભો વગેરે જોવા મળે છે. જ્ઞાનનો મંદ ક્ષયોપશમ હોય એ પ્રકારના લોકો એટલે કે બાળજીવો તેઓને ધર્માભિમુખ બનાવવા માટે કથા અને બાહ્ય આકર્ષણ ઉપયોગી બને. અહીં શ્રીપાળ-મયણાનું કથાનક સરળ અને રસપ્રદ બન્યું છે, ઉપરાંત પ્રભુના ગુણોને પણ સરળતાથી દર્શાવ્યા છે, પરિણામે આવા જીવો, શ્રી નવપદજીનો મહિમા સમજી શકે. જેમના જ્ઞાનનો ક્ષયોપશમ સામાન્ય કક્ષાનો છે એ જીવો મધ્યમ ગણાય. આવા લોકો ધર્મમાં જોડાય અને સ્થિર થવા પ્રયત્નશીલ રહે એ માટે અહીં શ્રીપાળ-મયણા દ્વારા શ્રી સિદ્ધચક્રજીની આરાધનાવિધિ, નિયમોનું પાલન વગેરે બાબતોનું આલેખન થયું છે. દા.ત., જ્યારે તેઓએ નવપદજીની ઓળીનો પ્રારંભ કર્યો ત્યારે જે વિધિ કરી તે માટે સિરિસિસરવાલ કહા’માં જણાવ્યું છે : पढमं तणुमणसुद्धिं, काउण लिणालए चिणच्चं च । સિરિ-સિદ્ધવ-પૂર્વ અટ્ટુપયત્રં ઝુળદ્ વિહિન || ૨૩૩ || (ભાગ : ૧ પૃષ્ઠ ૧૭૬) પ્રથમ તન-મન શુદ્ધિ, જિનપૂજા અને શ્રી સિદ્ધચક્રજીની અષ્ટપ્રકારી પૂજા... આ રીતે વિધિવિધાનોમાં કાળજી વિષયક ધર્મભાવના પ્રગટ કરી છે. ત્રીજા પ્રકારના વધારે ઊંચી કક્ષાના જ્ઞાનના ક્ષયોપશમવાળા જીવો બાહ્ય બદલે આંતરિક અને તાત્ત્વિક રીતે ધર્મને સમજે છે અને તેમાં જોડાય છે. આવી સુંદર છણાવટ એ જ્ઞાનવૈભવની સાક્ષીરૂપે વર્ણવી શકાય. આ ઉપરાંત ‘શ્રીપાળરાસ'ના ચારે ય ખંડોના કુલ ૧૮૨૫ શ્લોક પ્રમાણ અને ૧૨૫૨ ગાથાઓની સ્પષ્ટ સમજ માટે શબ્દાર્થ સાથે ગાથાર્થ તો છે શ્રીપાલ રાસ * 329 Page #379 -------------------------------------------------------------------------- ________________ જ. પરંતુ વિસ્તા૨માં અર્થ સમજવા માટે ટબો પણ સમાવિષ્ટ છે. ટબો શોધવા માટેની શ્રી પ્રેમલભાઈની જહેમત નોંધપાત્ર છે. આ માટે ૧૭મીથી ૧૯મી સદી સુધીની હસ્તપ્રતોમાંથી સર્વમાન્ય ટબો સ્વીકાર્યા અને જરૂ૨ લાગી ત્યારે અન્ય ટબાઓના પાઠાંતરો પણ પ્રયોજ્યા છે. દા.ત., જિનેશ્વર ભગવાન કેવા છે? આ પ્રકારના ઉત્તરૂપે જે ટબો છે તેમાં જણાવ્યું છે : જે તિહું નાણ સમગ્ગ ઉપજા... એ હવા જે જગદુપગારી શ્રી જિનાને સહિતને નમિઈં.” (ભાગ : ૪ પૃષ્ઠ : ૮૩૭) અહીં શ્રી જિનેશ્વર – તીર્થંકર પરમાત્માના સ્વરૂપની વિશેષ જાણકારી મળે છે. હજુ આટલાથી આ ગ્રંથકારને સંતોષ ન થયો તેથી તમામ પ્રકારના વાચકોની ક્ષમતાઓ મર્યાદાઓ પિછાણીને વિવિધ અર્થઘટનો માટે અનુપ્રેક્ષા આપવાનો પ્રબળ પુરુષાર્ષ જોવા મળે છે. મૂળકૃતિમાંથી પ્રાપ્ત થતાં જ્ઞાનનું યથોયોગ્ય વિસ્તરણ થયું છે. જે પંડિત જીવ છે તેઓ જ્ઞાનના ઊંડાણને પામી શકે એવી વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આ બાબત ધ્યાનમાં રાખીને અનુપ્રેક્ષાનું પ્રયોજન થયું છે. આ જીવોમાં પુદ્દગલ આધારિત સુખની પ્રાપ્તિ કરતાં આત્મિક ગુણોની મહત્તા વિશેષ હોય છે. આવા વાચક-ભાવક અને અભ્યાસક્રમ અપેક્ષા સંતોષવાનો જે પુરુષાર્થ અહીં શ્રી પ્રેમલભાઈએ કર્યો છે ઃ દા.ત. જ્યારે શ્રીપાળકુંવરને લઈને તેમની માતા જંગલમાં જતા હતા ત્યારે સાતસો કોઢિયાઓએ તેમને રક્ષણ આપ્યું. એ સમયે રાજમહેલમાંથી તેમનો શોધ કરતાં ઘોડેસવારો આવી પહોંચ્યાં અને તેમના વિષે પૂછપરછ કરી. કોઢિયાઓએ કહ્યું : “વાર્ફ હાં આપ્યો નથી ? (ભાગ-૧ પ્રથમ ખંડ, ઢાળ ૧૦, ગાથા ૨૧) અહીં પ્રશ્ન થાય કે કોઢિયાઓએ મૃષાવાદનો સહારો લીધો એ યોગ્ય છે? અનુપ્રેક્ષામાં આ બાબત સ્પષ્ટ થઈ છે. દ્રવ્યથી અસત્ય હોવા છતાં ભાવથી સત્ય છે. શાસ્ત્રાર્થ પ્રમાણે જોતાં જેનાથી નિષ્કારણે ષટ્કાયની હિંસા થાય તે ભાષા દ્રવ્યથી અસાવધ હોવા છતાં તે ભાવથી સાવદ્ય કહેવાય છે. અહીં અનુપ્રેક્ષાના અનેક સુંદર ઉદાહરણો જોવા મળે છે. ખાસ તો એ બાબત 330 * જૈન રાસ વિમર્શ . Page #380 -------------------------------------------------------------------------- ________________ નોંધનીય છે કે વિવિધ વિષયોની ગહનતાને સ્પષ્ટ કરવા માટે તેને અનુરૂપ સંદર્ભોથી આ વિભાગ જ્ઞાનસભર બન્યો છે. આથી કહેવું છે કે જૈન સાહિત્યનું આકાશ તેજસ્વી રચયિતાઓના પ્રદાનથી સુશોભિત છે, પરંતુ શ્રી પ્રેમલભાઈના આ પ્રદાને તે અધિક અલંકૃત બન્યું છે. રસભોગ્યતા પ્રારંભમાં વિદ્યાદેવીને પ્રાર્થના, હૃદયના ઉદ્ગારોથી તેમની સાથે થતું અનુસંધાન અને પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થતાં અલૌકિક ફળ વિષે જણાવ્યું છે આથી સિદ્ધ થાય છે કે આ મહાકાર્ય અન્ય કરતાં કાંઈક વિશેષ છે. આચાર્ય શ્રી અભયશેખરસૂરિજીના શબ્દો : આ પ્રકાશન પાછળની ઇચ્છા, “જીવો વધુ ને વધુ ઉપાસ્ય તત્ત્વો પ્રત્યે આકર્ષાય” એ રહી છે. એ અનુસાર આ સંશોધન-સંપાદન ઘણું જ ઉપકારક નીવડ્યું છે. વાચક માત્ર કથાપ્રસંગો વાંચીને મૂકી દેશે નહીં. તેનું મુખ્ય કારણ આ સર્જનમાં રહેલી રસભોગ્યતા છે. શ્રીપાળ-મયણાની શ્રી સિદ્ધચક્રજીની સાધના, ભક્તિ, આ પછી શ્રીપાળની જુદી જુદી રાજકુમારી સાથેના લગ્નની પૂર્વશરતોનું રોચકશૈલીમાં નિરૂપણ થયું છે. નવપદજી સાથે સંકળાયેલાં નવેય પદનાં અનુસંધાને આપેલા સંદર્ભો, વિવિધ અધ્યયનો, તે વિષયક તાત્વિક અર્થઘટનો, નવ પદ વિષયક ચિત્રો, જ્ઞાનપદ માટે સંયમ સાધકો દ્વારા ઉપાસના, સ્થાવર-જંગમ તીર્થોના ચિત્રાંકનો, સંદર્ભગત અવતરણો, દુર્લભ સાહિત્યના ઉલ્લેખો, વિવિધ શૈલીનાં પ્રસંગચિત્રો વગેરેથી સભર પ્રસ્તુત ગ્રંથમાં પાયાની બાબત તેમાંથી પ્રગટ થતો રસવૈભવ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કૃતિ યા પુસ્તક વાંચવાની શરૂઆત કર્યા પછી ઘણી વખત તેના અંત સુધી પહોંચવામાં વાચકની કસોટી થતી હોય છે. તેનો આધાર રચનાની રસિકતા પર છે. જેમ જેમ તેમાંથી વિવિધ પરિણામો ભાવક સમક્ષ ખૂલતાં જાય તેમ તેમ રસ ઉત્કૃષ્ટ થતો જાય તો મન પણ પ્રસન્ન થઈ જાય છે. પ્રસ્તુત પાંચે ય ભાગમાં છવાયેલા રસના કારણે પ્રથમથી અંતિમ પૃષ્ઠ સુધીની ભાવયાત્રામાં વાચક રસવિભોર બની જાય એવો ઉત્તમોત્તમ રસવૈભવ અહીં જોવા મળે છે. ગ્રંથસજાવટ અને વિભાગીકરણ: હાથમાં પુસ્તક આવે અને અંદરનાં પાન ખોલવાની ઉત્સુકતા શ્રીપાલ રાસ 331 Page #381 -------------------------------------------------------------------------- ________________ અનુભવાય, બહારથી આવું સુંદર તો અંદર તો કેવું હશે!'ની આહ્લાદક ભાવના જન્મે એ જિજ્ઞાસા જ જે તે પુસ્તક પ્રકાશનની પ્રથમ સફળતા. આ દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તુત ગ્રંથ સાહિત્યનો ભાગ-૧ હાથમાં લેતાં જ તેનાં મુખપૃષ્ઠની કલાકૃતિની દિવ્યતા સ્પર્શી જાય છે. આવરણ હંસવાહિની – મા સરસ્વતીની દર્શનીય આભાયુક્ત તસવી૨ – ચિત્રથી ધન્યતાનો અનુભવ થાય છે. સાથે શ્વેત હંસનું પાવનકારી સ્વરૂપ જોઈ મન એટલી ઘડી પરમ શાતામાં સ્થિર થઈ જાય છે. પછી તો અંદરના દર્શનીય જિનેશ્વર ભગવંતોના નયનરમ્ય ચિત્રો, લેખન અને શૈલી, ઉદાહરણો, રેખાંકનો, કથાનક અને તે સંબંધી પ્રસંગપટ, મૂળ ગાથા-હસ્તપત્રો વગેરે જોતાં-વાંચતાં અને અહોભાવથી દર્શન કરતાં કરતાં પાંચમા ભાગના અંતિમ પાન સુધી પહોંચવા મન ઉતાવળું થઈ જાય એવો અનુભવ સૌ કોઈને થાય એ જ બહુ મોટી સિદ્ધિ છે. ગ્રંથનો lauout દરેક પાનની કિનારીની સજાવટ, વિવિધ શૈલીનાં ચિત્રો વગેરેથી સજાવટ સુંદર બની છે. પ્રસ્તુત ગ્રંથ તૈયા૨ ક૨વામાં કઠિન પરિશ્રમ અને વિપુલ દ્રવ્યરાશિ સાથે ભક્તિસભર ઉત્સાહ પ્રગટ થાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળમાં પણ સાત્ત્વિકતા જાળવી છે. - પાંચ ભાગમાં પ્રકાશિત આ ગ્રંથની અનુક્રમણિકા રચવામાં પણ વાચકની સરળતા વિષે ધ્યાન અપાયું છે. પ્રથમ ભાગમાં પાંચેય ભાગમાં સમાવિષ્ટ સાહિત્યની ઝાંખી થઈ જાય એ નોંધપાત્ર બાબત છે. દરેક ભાગમાં પ્રકરણ, ગાથા સંખ્યા, વિષય અને પૃષ્ઠાંકના અભ્યાસથી તદ્દન સરળતાથી વાચક જે કાંઈ મેળવવું છે તે મેળવી શકે છે. દરેક ભાગના અંતે જે તે ભાગમાં ઉપલબ્ધ ચિત્રોનું સૂચિપત્રક છે, જેમાં જે તે ચિત્ર વિષે ટૂંકી છતાં જરૂરી અને ઉપયોગી માહિતી આપી છે. આ માટે પાંચ પરિશિષ્ટો ઉમેર્યાં છે. (દરેક ભાગનું એક) વળી કુલ પૃષ્ઠ સંખ્યા માટે સળંગ પૃષ્ઠાંકન અને તમામ પરિશિષ્ટોનું ટૂંકમાં વિવરણ પણ પ્રથમ ભાગમાં મળે છે. ઋણ સ્વીકારમાં શ્રી પ્રેમલભાઈ કોઈને ભૂલ્યા નથી એવું પ્રતીત થાય છે. ઉપકારક ગુરુ ભગવંતોથી શરૂ કરીને વ્યક્તિગત અને જે જે સંસ્થાઓ પાસેથી જે કાંઈ મેળવ્યું છે તે તે નામ અને સાહિત્યિક અને ચિત્રિત સામગ્રી વિષે જણાવ્યું છે. સમગ્ર ગ્રંથમાં જે કોઈ પાત્રો અને સ્થાન સમાવાયાં છે તેનો પરિચય 332 * જૈન રાસ વિમર્શ Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રથમથી મળી રહે એવી વ્યવસ્થા પણ પ્રથમ ભાગમાં થઈ છે. પાંચમો ભાગ તો સજાવટની દૃષ્ટિએ ઘણો જ વિશિષ્ટ બન્યો છે. ધાતુના પાવન તેજોમય પ્રતિમાજીઓની ઉત્તમ ફોટોગ્રાફી મનોહર બની છે. તેમ જ દરેક ભાગમાં વિવિધ તીર્થોમાં રહેલા પ્રતિમાજીઓના દર્શનથી પણ ધન્ય થઈ જવાય છે. પંચ પરમેષ્ઠિનાં પદો સાથેનાં ચિત્રો સંકલિત થયાં છે તેમાં ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજીની ચરણપાદુકા, ૧૬થી ૧૮મી સદીના અમદાવાદી, ‘સાહેબખાની’ નામના દેશી કાગળ પર મહારાષ્ટ્રીય દેવનાગરી લિપિમાં કાળી શાહીથી પરમ પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ દ્વારા હસ્તલિખિત પત્રો, સાધુના આચાર દર્શાવતો ૧૮૦૦૦ શીલાંગયુક્ત ૨થ, દર્શન-જ્ઞાનચરિત્ર અને તપપદો માટેની ચિત્રકૃતિઓથી આ વાત સુશોભિત થયો છે. ઉપરાંત પરિશિષ્ટ ૬થી ૧૪ જોતાં આ મહાકાય ગ્રંથના રચિયતાના પરિશ્રમ અને ગોઠવણી માટેની સૂઝનાં દર્શન થાય છે. એમાં પણ શ્રીપાલ રાસની મૂળ ગાથાઓ સળંગ રાસ સ્વરૂપે મૂકી છે તેથી તેનું ઉપયોગિતામૂલ્ય વધી જાય છે. (પરિશિષ્ટ-૯માં) આમ પ્રકીર્ણક સાથે સમગ્ર ગ્રંથસજ્જા અને વિભાગીકરણ ધ્યાનાકર્ષક બન્યાં છે. ઉત્તમ પ્રકાશન કેવું ઉચ્ચ કોટિનું બની શકે એનો અદ્ભુત ખજાનો અહીં આપણને પ્રાપ્ત થયો છે. અતિ પ્રસન્ન બાબત તો એ છે કે આ ગ્રંથનાં ભક્તિસાહિત્યનું વિદેશોમાં પણ વિસ્તરણ થાય અને જગત જૈનધર્મની અજોડ સાહિત્યિક - મૂલ્યનિષ્ઠ અને કલાત્મક સંસ્કારિતા પામી શકે એ માટે હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ પ્રસ્તુત મહાકાય ગ્રંથનું ટાઇપિંગ અને સંકલન થયું છે. આટલી ઉત્તમ પ્રકાશન સેવા બદલ રચનાકાર માટે ધન્યવાદના કોઈ પણ શબ્દો ઊણા ઊતરે. ગ્રંથકારની ગુણગરિમા કોઈ પણ રચનાનું સાંગોપાંગ વાચન, ભાવન અને ઊંડાણમાં અધ્યયન થાય તો તેના સર્જકનાં વૈયક્તિક પાસાંઓ પ્રગટ થાય છે. ભલે સર્જક વચ્ચે સીધા પ્રવેશ ન કરે, તોપણ તેમની એક અનોખી છબી તેમાંથી આકા૨ પામે છે. પ્રસ્તુત ગ્રંથમાં આ બાબત સુપેરે સિદ્ધ થઈ છે. અહીં તેની આછી ઝલક પ્રસ્તુત કરવામાં અતિશયોક્તિ નહીં લાગે. શ્રીપાલ રાસ * 333 Page #383 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રત્યેનું બહુમાનઃ શ્રી પ્રેમલભાઈની જ્ઞાનપિપાસા વિષે અગાઉ પણ નોંધ્યું છે. શ્રી સિદ્ધચક્રજી નવપદજી તરફનો તેમનો અપ્રતિમ અહોભાવ જેમ જેમ પ્રબળ બનતો ગયો તેમ તેમ તે ભાવ અન્ય પણ અનુભવે; એવી અભિવ્યક્તિ પામે અને એ જ્ઞાનવૈભવ વારસારૂપે ભાવિ પેઢીઓમાં હસ્તાંતરિત થાય એવા ઉમદા ભાવનું આ ગ્રંથ પ્રતિબિંબ છે. આ મહાકાર્ય જ તેમની જ્ઞાન પ્રત્યેની ઉત્તમ ભાવના પ્રસ્થાપિત કરે છે. આ માટે સંદર્ભ સાહિત્ય દેશભરમાંથી મેળવવાનો અજોડ પુરુષાર્થ કેવી સુંદર રીતે ફલિત થયો એ દેખાય છે. શ્રીપાળ-માણાના કથાપ્રસંગો સાથે સાથે ગૂઢ તાત્ત્વિક બાબતો વિષયક વિવરણનો અભ્યાસ સર્જકની જ્ઞાનપિપાસા દર્શાવે છે. જ્ઞાન મેળવવું એ સાથે એની પ્રત્યે બહુમાનભાવ કેળવવો એ બહુ મોટી વાત છે. આ માટે પ્રસ્તુત ગ્રંથ ઉત્તમ ઉદાહરણ બન્યો છે. વિનમ્રતા: ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી – શ્રીયશોવિજયજી કૃત શ્રીપાલરાસ ઉપર આ ભગીરથ કાર્ય કરવા માટેનાં કારણો દર્શાવવામાં, આ યજ્ઞકાર્ય માટે જે જે ગુરુ ભગવંતોનો, જે જે સંસ્થાઓનો અને જે જે વ્યક્તિઓનો સહયોગ સર્જકને પ્રાપ્ત થયો એ પ્રત્યે પૂર્ણ વિનમ્રતાથી ઋણ સ્વીકાર થયો છે. માત્ર એક પરંપરાના ભાગરૂપે નહીં પણ હૃદયપૂર્વક અને ભાવથી તેઓના બહુમાન સાથે આભારયુક્ત અહોભાવ પ્રગટ થયો છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રી દેવચન્દ્રજી મહારાજના અનન્ય ઉપાસક એવા શ્રી પ્રેમલભાઈએ તેઓ શ્રી વિષે તો ચોવીસી સન્દર્ભે અલગ દળદાર પ્રકાશન તો કર્યું જ છે, પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં પણ સર્જકનો તેઓશ્રી પ્રત્યે વિનમ્ર ભક્તિભાવ પ્રગટ થયો છે. એ જ રીતે આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી તરફનો અધ્યાત્મભાવ સવિશેષ હોવાથી આ પ્રકાશન તેઓશ્રીના ગુરુ મંદિરના પ્રતિષ્ઠાના દિવસે જ કર્યું. આ બાબત પણ વિનમ્રતાના ગુણને પ્રસ્થાપિત કરે છે. ગુરુ ભગવંતોના અનન્ય ઉપકાર માટે “મો હવે ફ્લાયાબં” શબ્દો પ્રયોજ્યા છે. વળી દરેક ચિત્ર કે અન્ય સામગ્રીની સાથે જે તે સંદર્ભનો પણ ઉલ્લેખ કર્યો છે. સામગ્રી ગોઠવણીની અનેરી સૂઝ: જ્યારે આપણી પાસે વિપુલ જથ્થામાં સામગ્રી ઉપલબ્ધ હોય ત્યારે તેને કઈ રીતે પ્રદર્શિત કરવી, ક્યાં ક્યાં ગોઠવવી અને તેનું યોગ્ય ચયન જેવી બાબતોમાં જો સૂઝ અને તાર્કિકતા ન હોય તો તે સામગ્રીના જથ્થાનો ભાર લાગે છે. પ્રસ્તુત ગ્રંથમાં રચયિતાએ 334 જેન રાસ વિમર્શ Page #384 -------------------------------------------------------------------------- ________________ મૂળગ્રંથના દરેક ખંડ, ઢાળ, ગાથા અને શબ્દોને ધ્યાનમાં રાખીને તેના આધારભૂત સંદર્ભો, ચિત્રો અને પત્રોની ઉચિત ગોઠવણી કરી છે. દા.ત., નવપદ પ્રમાણે દરેક પદને અનુરૂપ ચિત્રો, ચિત્રાંકનો, પટો તેમ જ સંદર્ભો ગોઠવાયાં છે. ઉપરાંત કથાનાં પ્રસંગચિત્રોનું ચયન અને ગોઠવણ તાર્કિકકલાત્મક સૂઝથી થયાં છે. પ્રમાણભૂતતા અને પ્રામાણિકતા: આવા ભગીરથ કાર્ય માટે સંશોધન અને સંપાદન મહામુશ્કેલ છે. જે સામગ્રી મળે તે પૂર્ણતયા વિશ્વસનીય છે કે નહીં તેની ચકાસણી કરવી ઘણી જ જરૂરી હોય છે. જ્યાં શંકા લાગે ત્યાં બહુમતીય સ્વીકૃતિનો આધાર લઈને કામ થાય. પ્રસ્તુત ગ્રંથમાં આ બાબત સિદ્ધ થઈ છે. રચનાકારે સંદર્ભ સાહિત્યને સંશોધનની એરણ પર ચડાવીને, સિદ્ધ કરીને તે ખપમાં લીધું છે. આ બાબતની જો નોંધ ન લઈએ તો અનુભાવક તરીકે આપણે ઊણા ઊતરીએ. વળી સાહિત્યજગતમાં સાહિત્યચોરીની ઘટનાઓ પણ બને છે. સર્જકની પ્રામાણિકતાની બાબત બહુ જરૂરી હોય છે. શ્રી પ્રેમલભાઈએ તમામ ચિત્રો તથા સંદર્ભો માટે ગ્રંથની નાનામાં નાની માહિતી માટે પ્રામાણિકતાને નિભાવી છે. જે સ્વરૂપે જે પ્રાપ્ત થયું તેની સાદર નોંધ પણ લીધી છે. આ માટે આપણને પણ ગૌરવ થાય એવું બન્યું છે. ઔદાર્યઃ શ્રી પ્રેમલભાઈની ઉદાર લાગણી પ્રસ્તુત પ્રકાશનમાં જોવા મળી. આવા ઉત્તમ જ્ઞાનખજાનાને, દુર્લભ કાર્યને હૃદયની ઉદારતાથી શાસનને સુપ્રત કરવાની ઘટના જૈન સાહિત્ય પ્રકાશનના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે અંકિત થશે. પ્રકાશન સામાન્ય હોય તોપણ કઠિન બને છે. જ્યારે આ તો મહાગ્રંથનું ઉત્તમ કોટિનું દુર્લભ પ્રકાશન છે. આ માટે વિપુલ ધનરાશિની ગંગા વહાવીને ઔદાર્યનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વૈશ્વિક સ્તરે અને વર્તમાન તેમ જ ભાવિ પેઢી આ શ્રુતખજાનાથી લાભાન્વિત થાય એવી અંતરની ઇચ્છાને સાકાર કરવાની ઉદાર દૃષ્ટિ પણ અહીં જોવા મળે છે. આ માટે ક્યાંય કોઈ કચાશ ન રહે તેનો પૂરો ખ્યાલ પણ રખાયો છે. ધન્ય છે આવા ઔદાર્યને! ધન્ય છે આ પાછળના સર્જકના ભક્તિભાવને! આમ વિવિધ પરિમાણોથી સર્જકનું વ્યક્તિત્વ અહીં પ્રતિબિંબિત થાય છે. તેમાં પરિશ્રમ પ્રત્યે ગૌરવની લાગણી પણ પ્રગટ થાય છે. ALAતરેT શ્રીપાલ રાસ 335 Page #385 -------------------------------------------------------------------------- ________________ અંતમાં પ્રસ્તુત ગ્રંથનું અનુભાવન પણ મનને પ્રસન્ન કરે છે. આવો ભવ્ય- દિવ્ય સાહિત્ય-કલા સંયોજનનો વારસો મળ્યો એ પરમ સૌભાગ્ય છે. વ્યક્તિગત રીતે જ્ઞાનની ઉપાસના માટે આધારભૂત અમૂલ્ય પ્રદાન પ્રાપ્ત થયું એ માટે કોઈ દિવ્યકૃપા જ ગણી શકાય. જે વાચક આ મહાગ્રંથનું અધ્યયન કરશે એનું તો નસીબ જ ખૂલી જશે. કારણ કે તેમાંથી જે કાંઈ પામી શકશે એ અનન્ય અને ઉપકારક હશે. ધન્યવાદ આ મહાગ્રંથના સર્જક શ્રી પ્રેમલભાઈને. ભવિષ્યમાં આથી વિશેષ જ્ઞાનખજાનો આપણને જરૂર પ્રાપ્ત થશે. 336 * જૈન રાસ વિમર્શ Page #386 -------------------------------------------------------------------------- ________________ જૈન રાસા સાહિત્ય' ઋષભકૃત કુમારપાળ રાસ ડૉ. ઉત્પલા કાંતિલાલ મોદી વિશાલ એપાર્ટમેન્ટસ, એચ' બીલ્ડીંગ ફ્લેટ નં.૪૦૨, ચોથે માળ, સ૨ એમ.વી. રોડ, અંધેરી (ઈસ્ટ) મુંબઈ-૬૯. ફોનઃ ૨૬૮૩૬૦૧૦/ ૨૬૮૩૩૯૬૧. ઉપપ્રાચાર્યા અને તત્ત્વજ્ઞાન વિભાગના વડા ભવન્સ હજારીમલ સોમાણી કૉલેજ, કે. એમ. મુનશીમાર્ગ, ચોપાટી, મુંબઈ-૪૦૦૦૦૭] કુમારપાળ રાસ ચાલુક્ય વંશમાં, જૈન ધર્મના આધારસ્તંભ સમાન કુમારપાળ રાજા અતિપ્રસિદ્ધ છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સંપર્કથી તેઓ જૈન ધર્મના આરાધક બન્યા. જીવદયા પ્રેમી રાજર્ષિ તરીકે પંકાયેલા કુમારપાળ રાજાનું જીવનચરિત્ર કવિ ઋષભદાસ વડે આલેખાયેલું છે. સંસ્કૃત ભાષામાં કુમારપાળચિરત્ર, કુમારપાળપ્રબંધ, કુમારપાળ પ્રતિબોધ વગેરે અનેક ઐતિહાસિક ચરિત્રો સાધુ કવિઓ દ્વારા લખાયેલા છે. તેના ઉપરથી કેટલાક કવિઓએ રાસો બનાવેલ છે. તેમાં ઋષભદાસ કવિએ લખેલ ‘કુમારપાળ રાસ' સોમસુંદર સૂરિશિષ્ય જિનમંડનગણિ ઉપાધ્યાયના સં. ૧૪૯૨માં રચાયેલા ‘કુમારપાળ પ્રબંધ'ના આધારે આ કૃતિ રચાઈ છે. વળી ઋષભદાસ કૃત રાસ પરથી સં. ૧૭૪૨માં આસો સુદ૧૦ (વિજયાદશમી)ના દિવસે ખરતરગચ્છના જિન હર્ષગણિ નામના સાધુએ કુમારપાળ ૫૨ સંક્ષિપ્ત રાસ રચેલો છે. જિનાગમ અને જિનમંદિર એ બંને આ કાળમાં પરમતારક છે તે નિર્વિવાદ છે ને તેની વિદ્યમાનતામાં જૈનશાસનમાં સર્વ છે અને તેના અભાવે કશું નથી. ધર્મવિષયને પ્રતિપાદન કરનાર કે તેની પ્રભાવનાને અનુસ૨ના૨ જે કોઈ ગ્રંથ હોય તે જિનાગમ છે પછી ભલે તે ગદ્ય, પદ્યાત્મક ઐતિહાસિક, ઉપદેશાત્મક, વાર્તા સાહિત્ય, આચાર વિષયક કે ધર્મવિષયક મૂલગ્રંથને અનુસ૨ના૨ કોઈ પણ ગ્રંથ હોય. ‘કુમારપાળ પ્રતિબોધ પ્રબંધ' ઐતિહાસિક હોવા છતાં ખરી રીતે ધર્મગ્રંથ જ છે. કારણ કે તેમાં વર્ણવેલ કુમારપાળની જીવનગાથા સમ્યક્ત્વની કુમારપાળ રાસ - 337 Page #387 -------------------------------------------------------------------------- ________________ દઢતા અને ધર્મસન્મુખ વાળવાના આશયે શુદ્ધસત્યોના સંગ્રહરૂપ છે, અને પૂર્વ પુરુષોનો તેની રચના પ્રત્યેનો પરિશ્રમ કુમારપાળના ધર્મદઢ અને ધર્મપ્રભાવક કાર્યોના પ્રચાર દ્વારા જગતમાં ધર્મભાવનાની પ્રગટતા સાથે ધર્મપ્રભાવના થાય તેને લઈને છે. - કવિ ઋષભદાસે આ રાસકૃતિમાં પ્રારંભમાં પંચપરમેષ્ઠીને વંદના કરી મંગલાચરણ કરી માતા સરસ્વતીની અનેક નામો વડે સ્તવના કરી છે. સૂર, નર કે કિન્નર ગમે તેટલો શક્તિશાળી હોય પણ માતા શારદાની કૃપા વિના જગતમાં પૂજનીય બનતો નથી. પ્રથમ ચોપાઈમાં કવિએ માતા સરસ્વતીની સ્તુતિ, જ્ઞાનનો મહિમા દર્શાવ્યા પછી કુમારપાળ રાજાની શ્રેષ્ઠતા દર્શાવે છે. ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના સમયમાં અનેક રાજા મહારાજાઓ થઈ ગયા. જેવા કે રામ, કૃષ્ણ, શ્રેણિક, કોણિક, ભરત, બાહુબલી વગેરે. પરંતુ કુમારપાળ જેવો સમર્થ અહિંસાપ્રેમી રાજવી થયો નથી. ઉપરોક્ત સર્વ રાજાઓની કીર્તિ પ્રશંસનીય છે પરંતુ જીવદયાપ્રેમી કુમારપાળ રાજાની અહિંસાની તોલે કોઈ ન આવી શકે. તેમણે પોતાના રાજ્યમાં તથા પોતાની આજ્ઞામાં વર્તતા અઢારે દેશમાં અમારિ પડહ વગડાવ્યો હતો. આ પ્રમાણે સર્વ જીવો પ્રત્યે આત્મવતુ. ભાવના ભાવનારા કુમારપાળ રાજાની શ્રેષ્ઠતા દર્શાવી હવે ઋષભદાસ ધર્મપ્રેમી કુમારપાળ રાજાનો પરિચય વિસ્તારપૂર્વક કહે છે. સદ્ભાગ્યે આ કૃતિ આ.કા.મમૌ.૮માં પ્રગટ થયેલી છે. કુમારપાળના જીવનનાં અભ્યાસ માટે તે એક આકર્ષક ઐતિહાસિક કૃતિ છે. સોમસુંદર સૂરિશિષ્ય જિનમંડણગણિ ઉપાધ્યાયના સં. ૧૪૯૨માં રચાયેલા કુમારપાળ પ્રબંધ (સંસ્કૃત) ના આધારે કવિએ આ કૃતિ રચી છે એમ કવિ પોતે જણાવે છે. તે પ્રબંધનાંહિ છે જર્યું. રૂષભ કહે મેં અધ્યું તર્યું (ખંડ રજો, પૃ.૧૯૮) વળી શાસ્ત્ર પરંપરાથી પ્રાપ્ત થતી કેટલીક વિગતો અને નીતિશાસ્ત્રનાં વચનો પણ કવિએ તેમાં ઉતાર્યા છે. હેતુ, યુક્તિ અને દૃષ્ટાંતો પણ કવિએ. શાસ્ત્ર અનુસાર તેમાં મૂક્યાં છે. વળી – 338 * જૈન રાસ વિમર્શ Page #388 -------------------------------------------------------------------------- ________________ “કવિતા કાવ્ય શ્લોકને દુહા, કવ્યા કવિ જિંઈ આગઈ હુઆ સરસ સુકોમળ આણ્યા જેહ, રાસમાંહિ લેઈ આયાતેહ હુઆ” આમ પૂર્વ કવિઓએ વાપરેલાં કવિત, કાવ્ય, શ્લોક અને દુહાનું અનુકરણ પણ કવિએ તેમાં કર્યું છે એમ જણાવી પૂર્વકવિઓનું ઋણ પણ કવિ સ્પષ્ટપણે સ્વીકારે છે. આ રાસનો કથાભાગ કે વસ્તુ ગૌણ છે, અમારિ (અહિંસા-જીવદયા), શીલ, દાન, તપ, ભાવ, આદિ જે સદાચારના સિદ્ધાંતો ઉપર જૈન ધર્મ પર ખાસ ભાર મૂકે છે, તેનો આ રાસનો પ્રધાન વિષય છે.” (બ. ક. ઠાકોર) આ રાસના ખંડ ૧લામાં કવિએ ખંભાતમાં પોતાના સમયમાં પ્રચલિત સિક્કાઓની યાદી આપી છે જે ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી છે. આ રાસમાંથી, કવિની કાવ્યશક્તિનો પરિચય કરાવે એવા કેટલાક નમૂના જોઈએ. આંબાના ફળનો રસનો સ્વાદ અને આંબાના વૃક્ષનું વર્ણન પ્રથમ જોઈએ. કુમારપાલ નૃપ ચાલ્યો જસઈ, અતિ અંબાવન દીઠું તસઈ, લેઈ લુંબ બઈઠો તેણઈ ઠાય, કુમારપાલ તિહા અંબા ખાય.” સરલ ભાષામાં કરેલું આંબાનું આ આબેહૂબ વર્ણન આજે પણ સુંદર લાગે છે. કવિએ નિર્દેશેલી આંબાની ઉત્તમ નર સાથે સરખામણી પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. ત્યારબાદ જ્યાં અલંકાર તત્ત્વનાં આપણને દર્શન કરાવે છે. હવે એક યોગીની ફરિયાદ જોઈએ. એક પુરુષની સ્ત્રીને ગામનો ધણી ઉપાડી ગયો છે અને તેના દુખે યોગી થયેલો તે પુરુષ કુમારપાલ રાજા પાસે ફરિયાદ કરે છે. નિત ઝૂરું દુખીઓ ફરું, જોઉં તે ગામો ગામિ, સીતાતણઈ વિયોગ કે, કિમ રોયો જગિ રાંમ, રામ રડત વનિ રડ્યું. રડ્યા તેહ મૃગલાય, ચેયા તે વનમાં પંગિયા, ચેતા ચ્ય િવિયાય.” પૃ.૧૩૫-૩૬, કડી ૧૬ થી ૨૮) અહીંયાં કવિએ વાપરેલી ઉપમાઓ, દૃષ્ટાંતો અને રૂપકો વગેરે કવિની કવિત્વ શક્તિનો સુંદર પરિચય કરાવે છે. કુમારપાળ ચસ 339 Page #389 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ રાસમાં ઋષભદાસે ચોપાઈ, દુહા અને છપ્પય આદિમાં આપેલાં સુભાષિતો પણ ખાસ નોંધપાત્ર છે. છોલી છુંદી છુંબરી, કીધી કટકા કોડી, તુહઈ મીઠી સેલડી, જેહની નહી જોડી. આ રાસમાં કેટલાંક ઉખાણાં અને કહેવતો પણ નોંધપાત્ર છે (૧) જીહાં હિંસા તિહાં તિહાં ધર્મ ન હોય. (૨) જીહાં સંપદ તિહાં આપદા (૩) દૂધ સીંચ્યો લીમડો, તોહે ન મીઠો થાય, અહિનઈ અમૃત પાઈઈ, તો સહી વિશ નવી થાય. (૪) મુનિવર સોય મમતા નહિ, કુણ ખાસર કુણ ચીર રે. ખંડ રજો, પૃ.૧૨૧-૨૨, કડી ૧ થી ૨૪માં યશોભદ્રસૂરિએ કુમારપાલ સમક્ષ જૈન સાહિત્યના જુદાજુદા જાણીતા દષ્ટાંતોનો ઉલ્લેખ કરી કરેલું સાત પ્રકારના મનુષ્યોનું વર્ણન પણ નોંધપાત્ર છે.' અહીં કર્તાએ ઘણા વંશોનાં નામ નિર્દેશન કર્યા છે. તે સર્વમાં ચાલુક્યવંશ શ્રેષ્ઠ છે. એવા ઉત્તમકુળમાં ત્રિભુવનપાળ પિતા અને કાશમીરાદેવીના લાડકવાયાનો જન્મ થયો. તેમના ગુરુ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય હતા. તેઓ બંને કમલ અને કુમદિની જેવા હતાં. હવે કર્તા તે બંનેનો પરિચય શી રીતે થયો તથા ગુરુના સંપર્કથી રાજા કુમારપાળે જૈનધર્મની ઉન્નતિનાં કાર્યો કરી, પોતાની કીર્તિ કેવી રીતે પ્રસારી આ સર્વ હકીકત વિસ્તારપૂર્વક આલેખેલી છે. ગુર્જર દેશના રાજા જયશિખરી શત્રુઓ વડે હણાયા તેથી તેમની સગર્ભા ભાર્યા રૂપસુંદરી શત્રુથી બચવા રાજ્ય છોડી નાસી ગઈ. તેણે વનમાં પુત્ર પ્રસવ્યો. જેનું જૈન મનિષીએ વનરાજ નામ પાળ્યું. આ બાળક આગામી કાળમાં જૈન શાસનને ઉદ્યોત કરનારો થશે એવું જાણી તેની સારસંભાળની જવાબદારી શ્રાવકને મહાત્માએ સોંપી. ત્યાર પછી કર્તાએ શ્રાવક વડે બાળકનું લાલનપાલન થયું તેનું વર્ણન કરતાં કહે છે કે વનરાજ ક્ષત્રિય કુળમાં જન્મેલો હોવાથી સ્વભાવે શૂરવીર અને નીડર હતો. અન્ય બાળકો સાથે રમતા રમતાં તે રાજા બની ઇન્સાફ કરતો. તેમ જ અપરાધીને દંડ કરતો. આ પ્રમાણે જાતિ સંસ્કાર કદી છુપાવ્યા રહેતા નથી. તેના પહેલા ક્ષત્રિયને યોગ્ય ગુણો જોઈને શ્રાવકોએ તેની માતાને વિનયપૂર્વક વિનંતી કરે કે “તેનામાં રહેલા સંસ્કારોની સુરક્ષા માટે તમે કોઈ રાજાની સેવા કરો જેથી બાળકમાં રહેલા સંસ્કારોનું સિંચન થાય અને તત્કાળ 340 * જૈન રાસ વિમર્શ Page #390 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય ફળ મળે. રૂપસુંદરી પોતાના પુત્રને લઈ ભાઈ સુરપાળ પાસે ગઈ. તે લૂંટારો હોવાથી તેની સાથે રહી વનરાજ ચોર શિરોમણિ બન્યો. જેવો સંગ તેવો રંગ! વનરાજે પોતાની બહાદુરીથી દ્રવ્ય લૂંટી લશ્કર વધાર્યું અને સુભટોની મદદથી ધીરે ધીરે સમગ્ર ગુજરાત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું. ત્યાર પછી વનરાજે ‘અણહિલપુર પાટણ' નામનું શહેર વસાવ્યું. કવિએ અહીં પૃ.૧૦ થી ૧૫ સુધી કડી ૧૦૦થી ૩૮) પાટણની સુંદરતા અને વિશાળતાનું વર્ણન કર્યું છે. પાટણ નગરીમાં બાવન વવા વર્તે છે. દા.ત. વાડી, વન, વેલી, વનિતા, વ્યાપારી, વૈદ્ય, વીણા, વિપ્ર, વર્ણ, અઢાર, વારિ, વાજિત્ર, વ્યાકરણી, વીંઝણા, વેદનાજ્ઞાતા ઈત્યાદિ વસ્તુઓથી નગરીનું સૌંદર્ય દીપે ઊઠે છે. ત્યાર પછી કવિએ નગરીની વિશાળતાનું વર્ણન કરવાં એક રમૂજી રૂપક રજૂ કર્યું છે. વનરાજ ચાવડો, સિદ્ધરાજ જયસિંહ અને સાનમંત્રીના જીવન પ્રસંગો કવિએ રસભરી રીતે આલેખ્યાં છે. ત્યાર પછી કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યનો જીવન વૃત્તાંત દર્શાવે છે. ધંધુકા શહેરમાં મોઢ જ્ઞાતિમાં ચાચોશાહ શેઠ અને તેમની ધર્મપત્ની ચાહની રહેતાં હતાં. જેઓ જૈનધર્મી હતાં. તેમને ત્યાં સંવત ૧૧૪૫ના કાર્તિકપૂર્ણિમાના દિવસે દેવકુમાર જેવો સ્વરૂપવાન અને તેજસ્વી પુત્ર જન્મ્યો તે વખતે આકાશવાણી થઈ કે તેમનો પુત્ર બ્રહ્મચારી થશે. ચારિત્ર લઈ જૈન ધર્મ દીપાવશે. તે બાળકનું નામ ચંગદેવ પાળ્યું. પાંચ વર્ષની ઉમરે માતાએ દેવચંદ્રસૂરિ (ચંદ્રગચ્છ)ના કહેવાથી બાળકને જિનશાસનના ચરણે સોંપ્યું. ચંગદેવ નવ વર્ષની ઉમરે દીક્ષિત થયા. તેમનું સોમદેવ મુનિ નામ પડ્યું. ત્યાર પછી કવિએ હેમચંદ્ર નામ સાથી પડ્યું તે દર્શાવ્યું છે. એક દિવસ કુમારપાળ નામનો સિદ્ધરાજના પિત્રાઈભાઈ ત્રિભુવનપાળનો પુત્ર સિદ્ધરાજની સભામાં આવ્યો. ત્યાં તેણે હેમચંદ્રાચાર્યને જોયા. તેમને જોઈને તે હર્ષિત થયો. હેમચંદ્રાચાર્યે કુમારપાળને શીલ અને સત્ત્વગુણની મહત્તા દર્શાવી. જેમાં પૌરાણિક કથાઓ અને જેને ઐતિહાસિક દૃગંતો ટંકાયેલા છે. સિદ્ધરાજ જયસિંહની પુત્રપ્રાપ્તિની ઝંખના. તેણે પુત્રપ્રાપ્તિ માટે અનેક દેવદેવીઓની માનતા કરી હેમસૂરિ સાથે શેત્રુંજય તીર્થની યાત્રા, સૂરિને કુમારપાળ દાસ 341 Page #391 -------------------------------------------------------------------------- ________________ રાજાએ પુત્રપ્રાપ્તિ થશે કે નહીં એવો પ્રશ્ન પૂછ્યો. આદિ પ્રસંગોને કવિએ સુંદર રીતે વર્ણવેલ છે. અંતે સોમેશ્વર દેવે કહ્યું કે, “હે રાજન! તારા કર્મો અસાર છે તેથી તને પુત્રપ્રાપ્તિનો યોગ નથી.” અહીં પ્રસંગોપાત્ત પુણ્ય ખૂટતાં કર્મ પોતાનો કેવો વિપાક બતાવે છે તે કવિએ જણાવ્યું છે. સિદ્ધરાજની દિલગીરી અને રાણીઓની સંતતિ માટેની ઝરણા પણ કવિએ ખૂબ વિસ્તારપૂર્વક દષ્ટાંતો સહિત વર્ણવેલી છે. ત્યારપછી સંસારની અસારતા તેમ જ સ્વાર્થવશ મનુષ્ય દુષ્કૃત્યો કરતાં અચકાતો નથી. આવા હિતોપદેશ કવિએ દષ્ટાંત સહિત દર્શાવેલ છે. અનેક ઉપાયો છતાં પુત્રપ્રાપ્તિ ન થતાં રાજા સિદ્ધરાજને દુર્બુદ્ધિ સૂઝી. તેણે વિચાર્યું. જો કુમારપાળને મારી નાખું તો તેના ભાગ્યમાં આ રાજ્ય હોવાથી તે મારો પુત્ર થાય અને રાજ્ય લે.” આવા કુવિચારથી રાજા જયસિંહ કુમારપાળને મારી નાખવા અનેક યુક્તિઓ શોધવા લાગ્યો. ત્યારથી કુમારપાળની નાસભાગ શરૂ થઈ. તેથી કુમારપાળને ઘણા સ્ત્રી અને પુરુષો સાથે સંબંધ થયો. અનેક મુશ્કેલીઓનો સામનો કરી કુમારપાળ ભાગ્યયોગે અને આયુષ્ય બળવાન હોવાથી દરેક વખતે જયસિંહની જાળમાંથી આબાદ છટકી જતો. પ્રસંગોપાત્ત કવિએ સજ્જનની સજ્જનતા તેમ જ વૃક્ષો અને તિર્યચો પણ અપકારી પર ઉપકાર કરે છે તેવું કહેલ છે. કુમારપાળની રઝળપાટના અંતે હેમચંદ્રાચાર્યનું મિલન થયું. તેમના મુખેથી સં. ૧૧૯૯ મહા વદ ૪, રવિવાર પુષ્યનક્ષત્રના દિવસે મધ્યાહન સમયે રાજ્યાધિકારી બનશો. આ સાંભળી કુમારપાળ અત્યંત હર્ષિત બન્યો. એવામાં ઉદયમંત્રી આવ્યા. આચાર્યએ રાજકુમારના રક્ષણની જવાબદારી તેમને સોંપી. સિદ્ધરાજને એ વાતની ખબર પડી તેથી ઉદયમંત્રીએ તેમની સુરક્ષા માટે નાસી જવાનું કહ્યું. કુમારપાળ નાસીને હેમચંદ્રાચાર્ય પાસે આવ્યા. તેમણે ઉપાશ્રયના ભોંયરામાં છુપાવ્યો અને ઉપર પુસ્તકો મૂક્યાં. આ રીતે ઉદય મંત્રી અને હેમચંદ્રાચાર્યની મદદથી કુમારપાળ બચી ગયો. ત્યારપછી વિદેશમાં કુમારપાળે ભ્રમણ કર્યું. અનેક સંકટો સહન કરી સિદ્ધરાજના મૃત્યુના સમાચાર સાંભળી તે પાટણમાં આવ્યો અને પ્રધાનોએ કુમારપાળને આચાર્યશ્રીના કહેલા દિવસે રાજગાદી આપી. અહીં કવિએ જયસિંહ રાજાની ચિતાનું માર્મિક વર્ણન કરેલ છે. રાજરીત પ્રમાણે મરણક્રિયા કરવામાં આવી. અગર, કપૂર, આદિ સુગંધી પદાર્થો સહિત 42 * જૈન રાસ વિમર્શ Page #392 -------------------------------------------------------------------------- ________________ ચંદનના કાષ્ટની ચિતામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોનાવ૨ણી ચેહ બળે, રૂપાવરણી દેહ, કુંકમ વરણી છાંયડી, અગ્નિ પ્રજાળે તેહ માન મ ધરશો માનવી, કિયો કાયાનો તે ગર્વ રે, સુર-નર કિન્નર રાજીયા, અંતિ મૃત્તિકા સર્વ રે.... ચંપક વરણી રે દેહડી, કદલી કોમલ જાંઘરે, તે નર સૂતા રે કાષ્ટમાં, પડઈ ભડોબડી ડાંગરે, (કડી ૨૯, ૩૦, ૩૮, ૨૨ થી ૩૩, ૩૪ થી ૪૪) આ જગતમાં દેવતા, ચક્રવર્તી કે કિન્નર કોઈ અમર નથી. માટે હે માનવી! તું કાયાનો ગર્વ ન કરીશ કારણ કે અંતે માટીમાં સમાઈ જવાનું છે. કવિએ વર્ણવેલ દુહાઓ હિત શિક્ષાયુક્ત છે. પોતાના સંકટમાં મદદ ક૨ના૨ સર્વને કુમારપાળ રાજાએ નવાજ્યા. અને જે જે વચનો બીજાને આપ્યાં હતાં તે પાળ્યાં. કૃષ્ણદેવ જે કુમારપાળ રાજાના બનેવી થાય તેઓ વારંવાર પૂર્વની સ્થિતિ યાદ કરાવી કુમારપાળની મશ્કરી કરતા હતા. કુમારપાળે તેમને વડીલ માની પ્રેમથી સમજાવ્યા, છતાં પોતાનું અનુચિત વર્ણન તેમણે છોડ્યું નહિ. આ દૃષ્ટાંતના સંદર્ભમાં કર્તા કહે છે કે “લક્ષ્મી, યૌવન, બાલ્યાવસ્થા, અતિસાર, હાથીના કાન સ્થિર રહી શકતા નથી. અને મૃત્યુ આવે ત્યારે પ્રાણ પણ રોકી શકાતાં નથી. જીભને વશમાં ન રાખતાં કૃષ્ણદેવ દુ:ખી થયા.’ કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્યને ગુરુ તરીકે સ્વીકાર્યા. હેમચંદ્રાચાર્યના સત્સંગથી કુમારપાળ રાજા જૈન બન્યા. તેમને દ્રવ્ય સમક્તિની પ્રાપ્તિ થઈ તેમણે હેમચંદ્રાચાર્ય પાસેથી બે નિયમ અંગીકાર કર્યાં. (૧) પરદારાગમન ત્યાગ અને (૨) માંસ ભક્ષણનો ત્યાગ. કુમારપાળ રાજાએ પાટણમાં હેમચંદ્રાચાર્યની હાજરીમાં ષટ્કર્શનના અધિકારીઓને બોલાવ્યા. તેમની સમક્ષ હેમચંદ્રાચાર્યે રાજાને સુદેવ, સુગુરુ અને સુધર્મનું સ્વરૂપ સમજાવ્યું. રાજા કુમારપાળને જૈન ધર્મમાં સ્થિર કરવા હેમચંદ્રા/યે ચાર મિત્રોનું દૃષ્ટાંત આપ્યું. જેમાં આચાર્ય રાજાને બોધ આપે છે કે, “સત્ય સમજાય ત્યારે અસત્યને છોડી દેવું એ સુજ્ઞ જીવોનું લક્ષણ છે. કદાગ્રહ એ સંસારવૃદ્ધિનું કારણ છે. માટે હે રાજન! મિથ્યાત્વ ધર્મને છોડી જૈન ધર્મને અંગીકાર કરો.” કુમારપાળ રાસ * 343 Page #393 -------------------------------------------------------------------------- ________________ રાજા કુમારપાળ આ દખંતથી પ્રતિબોધ પામ્યા. દેવબોધિ પંડિત અને હેમચંદ્રાચાર્ય વચ્ચે વાદવિવાદ થયો. હરિયાળીનો જવાબ હેમચંદ્રાચાર્યે કવિતામાં આપ્યો. દેવબોધ પંડિતના સર્વ પ્રત્યુત્તરો હેમચંદ્રસૂરિએ સચોટ રીતે આપ્યા જેથી દેવબોધિ ઝંખવાણો પડી ગયો. ત્યાર પછી બંને વચ્ચે ગારુડી વિદ્યાની રમત શરૂ થઈ. તેમાં પણ હેમચંદ્રાચાર્ય વિજયી બન્યા. ત્યાર પછી હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને ધર્મના સિદ્ધાંતો અને બારવ્રતનો મહિમા સમજાવ્યો. પુણ્ય પ્રાપ્તિ માટે દાનની આવશયકતા છે તેમ જ પુણ્ય વિના સુખની અભિલાષા રાખવી નકામી છે. એવું ગુરુ રાજા કુમારપાળને સમજાવે છે તેમ જ સંદર્ભમાં કૃપણ પુરુષોનાં લક્ષણ દર્શાવે છે. હેમચંદ્રાચાર્યની મધુરી દેશનાથી કુમારપાળ રાજા સમકિતધારી શ્રાવક બન્યો. | હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને બોધ પમાડવા પ્રથમ પ્રાણાતિપાત વ્રતના સંદર્ભમાં અમરસિંહ કુમાર અને બોકડાની કથા કહી. આ ઉપરાંત મેઘકુમાર, શાંતિનાથ ભગવાનની પૂર્વભવ મેઘરથ રાજા, મેતારજ મુનિ જેવાં શાસ્ત્રીય દષ્ટાંતો આપ્યાં. વળી અળગણ પાણી પીવાથી સાતગામ બાળે એટલું પાપ લાગે છે. એવું અહિંસાનું સ્વરૂપ સાંભળી કુમારપાળ રાજાએ શિકારનો ધંધો બંધ કરાવ્યો. નદી, કૂવા, સરોવર આદિ સ્થળોએ પાણી ગાળીને વપરાય તે માટે ગરણા બંધાવ્યા. અગિયાર લાખ અશ્વો, એંશી હજાર ગાયો અને ભેંસો અને અગિયારસો હાથી જે કાયમ રહેતા તે સર્વ પ્રાણીઓને પાણી ગાળીને પાવાનો બંદોબસ્ત કર્યો. રાજ્યમાં જીવદયાનો આદેશ બહાર પાડ્યો. છતાં મેવાડમાં એક વણિક સ્ત્રીએ માથાની જૂ મારી નાખી, રાજપુરુષો તેને પકડી ગયા. તેમ જ પ્રાયશ્ચિત્તરૂપે જૂવિહાર' નામનું મંદિર બંધાવ્યું. રાજા કુમારપાળને જીવદયા પ્રાણ સમી પ્યારી હતી. તેથી પરંપરાથી નવરાત્રીમાં કેટકેશ્વર દેવીને અપાતો બોકડાનો પાડાનો) ભોગ બંધ કરાવ્યો. દેવી કોપાયમાન થઈ. રાજા કુમારપાળને દેવીના પ્રકોપથી શરીરમાં કુષ્ઠ રોગ થયો. છતાં અહિંસાવ્રતનું તેમણે ખંડન ન કર્યું. ગુરુ હેમચંદ્રાચાર્યની કૃપાથી રાજાનો રોગ દૂર થયો. રાજાની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ બની. તેમણે અહિંસાનો પ્રચાર અઢારે દેશમાં કર્યો. તેથી તેમસૂરીશ્વરે “પરમાઈ’ એવું ઉત્તમ બિરુદ આપ્યું. 344 * જૈન રાસ વિમર્શ Page #394 -------------------------------------------------------------------------- ________________ અસુર્ય વિમાની પૃથ્વીરાય, શસ્ત્રો તિહાં છેધો નિજપાય; ચમ મંસ મંકોડા મુખિ, ભૂપઈ અલગો મુક્યો સુMિ કુમારપાળ રાજા અભયદાન દેનારા હતા તે કાવ્યપ્રસંગ ઉત્તમ રીતે કર્તાએ અહીં દર્શાવેલ છે. એક વાર કુમારપાળ રાજા કાઉસગ્નમાં ઊભા હતા ત્યારે પગે ચોટેલો મંકોડો જણાપૂર્વક ધીમેધીમે ઉખેડવા છતાં પણ ઊખડ્યો નહિ ત્યારે કરુણાના ભંડાર તે નૃપતિએ મંકોડાને ઈજા ન થાય માટે મંકોડાના પ્રાણ બચાવવા શાસ્ત્ર વડે પોતાના શરીરના જે ભાગે મંકોડો ચોંટ્યો હતો તે ભાગની ચામડી માંસ સહિત કાપી નાખી. આ પ્રમાણ તે દયાળુ ભૂપાળે મંકોડાની યથાર્થ રક્ષા કરી. શત્રુ કરતાં વધુ શક્તિ હોવા છતાં ક્ષમાધારણ કરનાર વ્યક્તિ ઉત્તમ છે. તે પ્રસંગે કવિએ રામચંદ્ર, પાર્શ્વનાથ પ્રભુ, ચરમ તીર્થકર વીપ્રભુ, બાહુબલી, પુંડરીક અને કંડરીક, સનતકુમાર ચક્રવર્તી ઇત્યાદિ બળવાન હોવા છતાં ક્ષમા રાખી સમતાગુણને ખીલવ્યો તેથી તેઓ વંદનીય છે. હેમચંદ્રાચાર્ય જ્ઞાનના ભંડાર અને મહાપંડિત છે એવું જાણી કુમારપાળ રાજાએ પોતાના પૂર્વભવનો તેમ જ આગામી ભવનો વૃતાંત પૂછ્યો. (૧) પૂર્વભવે હું કોણ હતો. (૨) આવતા ભવમાં હું કઈ ગતિમાં જઈશ? (૩) સિદ્ધરાજ જયસિંહ સાથે મારે વૈરનું કારણ શું હતું? (૪) આપની સાથે સ્નેહભાવ શાથી? (૫) ઉદાયન મંત્રીનો મારા પર પ્રેમ શાથી? ત્યાર પછી જંબુસ્વામીના નિર્વાણ બાદ દશ બોલ વિચ્છેદ ગયા તે કવિએ દર્શાવેલ છે. રાજા કુમારપાળે ગુરુ મુખેથી દાન-શિયળ-તપ અને ભાવધર્મનો મહિમા સાંભળી પોતાની લક્ષ્મીનો સાત ક્ષેત્રમાં (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, પ્રતિમા, દેરાસર, જ્ઞાન આ સાત ક્ષેત્રમાં દાન આપનાર મહાશ્રાવક કહેવાય છે.) સદ્વ્યય કર્યો. અનેક જિનમંદિરો બંધાવ્યાં. જીર્ણ જિનમંદિરોનાં સમારકામ કરાવ્યાં. પ્રતિમાઓ પધરાવી. પુસ્તક ભંડારો કરાવ્યા. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રની છત્રીસ હજાર શ્લોકની પ્રતો સુવર્ણ અક્ષરે લખાવી. તેનું બહુમાન કરવા તે પોથી હાથીની અંબાડી પર મૂકી ધામધૂમથી વરઘોડો કાઢી સકળ સંઘ સહિત ઉપાશ્રયે આવી ગુરુ મહારાજને વિનયપૂર્વક વહોરાવી. અગિયાર અંગ, બાર ઉપાંગ, સોનાના અક્ષરથી લખાવ્યા. યોગશાસ્ત્રના બાર પ્રકાશ અને વીતરાગ સ્તવના વીશ પ્રકાશ એ રીતે બત્રીશ પ્રકાશ સુવર્ણ અક્ષરે લખાવી તે પોથી નિત્ય ગણવા માટે રાજાએ પોતાની પાસે રાખી. કુમારપાળ રાસ * 345 Page #395 -------------------------------------------------------------------------- ________________ તેઓ સુવર્ણકમળ વડે ગુરુ પૂજા કરતા. પ્રતિ માસે એક લાખ દ્રવ્ય ખર્ચા સાધર્મિક ભક્તિ કરતાં હતાં. હર વર્ષે સમક્તિધારી ક્રોડ શ્રાવકની ભક્તિ ભાવપૂર્વક કરતા હતા. દુર્બળ અને દુઃખીજનો માટે દાનશાળાઓ ખોલાવી હતી. પર્વતિથિએ પૌષધવ્રત કરનારની પારણા કરાવી ભક્તિ કરતા. આ પ્રમાણે રાજા કુમારપાળ દેવભક્તિ, ગુરુભક્તિ, જ્ઞાનભક્તિ અને સંઘભક્તિ ઉદાર દિલથી પુષ્કળ દ્રવ્ય ખર્ચીને કરતા હતા. ત્યાર પછી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ રાજાનું મૃત્યુ કેવી રીતે થયું તેનું આલેખન કવિએ વિસ્તારપૂર્વક કર્યું છે. આ રાસમાં કવિએ પોતાની શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. પ્રસંગોપાત્ત દરેક બાબતમાં પોતાનો અનુભવ જણાવ્યો છે. શુકનશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વગેરે અનેક વિષયમાં એમનો અનુભવ તરી આવે છે. વવા, હહા, લલા, સસા આવી અનેક બાબત એક અક્ષરના સંબંધવાળી લખીને કવિએ પોતાની વિચક્ષણતાનો આદર્શ રજૂ કર્યો છે. આ રાસમાં અનેક પૃથક્ વિષયો છે. તેમ જ ઉદયન, બાહડ, અંબડ વગેરે ઉત્તમ પુરુષોનાં ચરિત્રો પણ આ રાસમાં સમાવવામાં આવ્યાં છે. તે સમયમાં ભીમો કુંડલીઓ અને જગડુશા જેવા શ્રાવકો થયા. આ સર્વ મહાન વ્યક્તિઓ હતી. આખી રાસકૃતિમાં પ્રાય બાળચંદ્ર શિષ્ય અને અજયપાળ રાજા આ બે વ્યક્તિઓ હીનવૃત્તિવાળા દેખાય છે. આ રાસની શૈલી ઉપદેશાત્મક અને બોધપ્રદ છે. ભાષા મીઠી અને મધુરી છે. આ કૃતિમાં અનેક સુભાષિતો, કહેવતોનો પ્રયોગ થયો છે. કવિની વર્ણનાત્મક શૈલી, હાસ્યરસ, નિરૂપણ, ભક્તિરસનો પરિચય થાય છે. વિપુલતાની દૃષ્ટિએ આ રાસ ૪૦૬ કડીનો છે. આ રાસમાં વિવિધ દેશી ઢાળો અને રાગો આવેલા છે. દુહા, ચોપાઈ, વસ્તુ, કુનિહાં, કવિત, કૂટક, કવિત્વ આદિનો કવિએ ઉપયોગ કર્યો છે. કુમારપાલ રાસની શૈલી પ્રાસાદિક, મધુર અને મુખ્યત્વે દલપતરામની માફક ઉપદેશાત્મક અને બોધપ્રધાન છે. ભાષા મીઠી અને રસાળ છે. કથારસની દૃષ્ટિએ પ્રથમ ખંડ વાચકને રસમાં તરબોળ કરી નાખે તેવો છે, જ્યારે બીજા ખંડમાં કથારસ જરા મંદ પડે જ છે, અને તેને તે કદાચ ઉપદેશ અને બોધની દૃષ્ટિએ રોચક લાગે. આમ છતાં વનરાજ ચાવડો, સિદ્ધરાજ 346 * જૈન રાસ વિમર્શ Page #396 -------------------------------------------------------------------------- ________________ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ આદિના જીવન વિષે અગત્યની માહિતી આપતો હોઈ આખોયે કુમારપાળ રાસ ઐતિહાસિક દષ્ટિએ એક અગત્યની કૃતિ છે. તેમાં આવતા ઉપયુક્ત રસપ્રદ સાહિત્ય પ્રસંગો તેમ જ અનેક સુંદર સુભાષિતો અને કહેવતો, કવિની વર્ણનશક્તિ, હાસ્યરસનિરૂપણ, માનવહૃદય પરીક્ષા અને ભક્તિરસનો પરિચય થાય છે. કુમારપાલ રાસમાં કવિએ વાપરેલી ધ્યાન ખેંચી તેવી વિવિધ દેશીઓ, ઢાલો અને રાગો છે. ૧. સાંસો કીધો સામલીઆ – એ દેશી અથવા હમચીની (રાગ ગોડી) ૨. ઢાલ ત્રિપદીનો – રાગ કેદારો ૩. ઢાલ કામણની – રાગ ધન્યાસી ૪. ઢાલ અઢીઆનો – રાગ મલ્હાર ૫. ઢાલ – ફાગનો ૬. વીર મધુરી વાણી બોલઈ – એ દેશી ૭. રાગ સારંગ...મગધ દેસડો રાજ રાજેશ્વર એ દેશી કુમારપાળ દસ * 347 Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ રાસ શ્રાવક કવિ શ્રી ઋષભદાસજી પારૂલબેન ભરતકુમાર ગાંધી રચના કરી તે સાલ અને સ્થળ: સંવત ૧૬૮૫ ખંભાત-ગુજરાત રચના સ્વરૂપ: મુખ્યત્વે દુહા અને ચોપાઈ છંદમાં અને વિવિધ દેશીઓમાં રચાયેલી ૧૧૦ ઢાળની ૩૧૩૪ કડીની આ દીર્ઘ રચના છે. આ કૃિતિમાં ઋષભદાસ કવિએ એમની પૂર્વે રચાયેલા શ્રી હીરવિજયસૂરી વિષયક ગ્રંથોનો ઉપયોગ પણ કરેલો છે, તેમ જ પોતાના ગુરુભગવંતો પાસેથી સાંભળેલી શ્રી હીરસૂરિજીની વિગતોને પણ વણી લીધી છે. કર્તા કવિ ઋષભદાસ વિષે કેટલીક માહિતી : મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યનું ખેડાણ મુખ્યત્વે જૈન મુનિ કવિઓ દ્વારા થયું છે. તેમાં થોડા પ્રમાણમાં કેટલાક શ્રાવક કવિઓનું પણ નોંધપાત્ર યોગદાન રહેલું છે. આવા શ્રાવકોમાંના એક તે આ રાસના રચયિતા શ્રી ઋષભદાસ કવિ જેઓ ગુજરાતના ખંભાત નામના શહેરમાં થયા. તેમના જન્મ કે નિધનનું નિશ્ચિત વર્ષ ક્યાંય સ્પષ્ટ રીતે નોંધાયેલું મળતું નથી. છતાં તેમની રચનાઓને આધારે તેમનો કવનકાળ સં.૧૬૬૨ થી ૧૬૮૮નો નિશ્ચિત થાય છે. મધ્યકાળમાં ખૂબ જાણીતા બે જૈન મુનિ કવિઓ નયસુંદર અને સમયસુંદરના તેઓ નજીકના સમકાલીન કવિ છે. સં. ૧૬પરમાં નિર્વાણ પામેલા મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર શ્રી વિજયસેન સૂરિના. શિષ્ય સમાન તેઓ હતા. તેમણે તેમની પાસે ઘણું શાસ્ત્રાધ્યયન કર્યું હતું. વિજયસેનસૂરિની પાટે વિજયતિલકસૂરિ અને એમના પછી વિજયાનંદસૂરિ થયા તેમને પણ કવિ ઋષભદાસે પોતાના ગુરુ માન્યા હોવાનું તેમની કૃતિ ભરતેશ્વર રાસમાં મળતા ઉલ્લેખો પરથી જણાય છે. કવિ ઋષભદાસ વીસા પોરવાડ વણિક જ્ઞાતિના અને સંઘવી અટક ધરાવતા હતા. તેમના પિતામહનું નામ મહિરાજ હતું. પિતા સંઘવી સાંગણ હતા. માતાનું નામ સરૂપાદે હતું. જન્મ ખંભાત મુકામે થયો હતો. તેમને સુલક્ષણી પત્ની હતી. ભાઈ, બહેન અને એકથી વધુ સંતાનો હતાં. ઘેર ગાય ભેંસ દૂઝતી હતી. પોતે પૈસેટકે સંપન્ન હતા. રાજ્યમાં કવિ તરીકે પણ એમની 348 * જૈન રાસ વિમર્શ Page #398 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા સારી હતી. તેમના પૂર્વજોએ શત્રુંજય, આબુ, ગિરનારની જાત્રાઓ કરેલ અને સંઘ પણ કાઢેલો હોવાથી તેમની ઓળખાણ (અટક) સંઘવી તરીકે થતી. તેઓ સંસ્કૃત ભાષાના સારા જાણકાર હતા. તેમણે લગભગ બત્રીસ જેટલા રાસની રચના કરી છે. આ ઉપરાંત સ્તવન, સ્તુતિ, નમસ્કાર, સુભાષિત, ગીત, હરિયાળી, છંદ આદિ વિવિધ સ્વરૂપની અસંખ્ય લઘુકાવ્યકૃતિઓ આ કવિએ રચી છે. જૈન-જૈનેતર કથાસાહિત્યનું ઐતિહાસિક વ્યક્તિવિશેષો અંગેનું, મહત્ત્વના ચરિત્રો અને જૈનદર્શનનું સારું એવું જ્ઞાન આ કવિ ધરાવતા હતા એમ તેમની કૃતિઓ પરથી પ્રતીત થાય છે. ઋષભદાસની રચનાઓમાં ભાષાની પ્રૌઢી છે. કહેવતો, રૂઢિપ્રયોગો, સંવાદલઢણો, વાદવિવાદોમાંની દૃષ્ટાંતપ્રચુરતા પરથી એમનું ભાષા પરનું પ્રભુત્વ અને વિદ્વત્તા વિષે ખ્યાલ આવે છે. વળી ધર્મચર્ચા અને વાદવિવાદ નિમિત્તે જૈન તત્ત્વદર્શનનું નિરૂપણ જે તેમણે કર્યું છે તેના પરથી કવિ જેને દર્શનમાં પાંડિત્ય પણ જોવા મળે છે. ઋષભદાસ વિષે એક દંતકથા છે કે આચાર્ય વિજયસેનસૂરિએ પોતાના શિષ્ય માટે સરસ્વતીદેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યો હતો. તે રાત્રિએ ઉપાશ્રયમાં સૂઈ રહેલા ઋષભદાસને ખબર પડતાં પોતે એ પ્રસાદ આરોગી લીધો જેને કારણે તેઓ સંખ્યાબંધ કૃતિઓ રચી શક્યા. પણ આનો કોઈ આધાર સાંપડતો નથી. તેમણે આપેલા પરિચય પ્રમાણે તેઓ ખૂબ જ ધાર્મિક વૃત્તિના, રોજિંદી ધાર્મિક આવશ્યક ક્રિયા કરનારા અને ધર્મમય જીવન જીવનારા હતા. પ્રસ્તુત રાસના નાયક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીનો પરિચય જન્મ : સંવત ૧૫૮૩ના માગશર સુદ ૯, પાલણપુરમાં જન્મ નામ : હીરજી માતા-પિતા : નાથીબાઈ અને કુરા શાહ વૈરાગ્ય બીજ : ૧૩ વર્ષના હતાં ત્યારે બહેન વિમલાને ત્યાં પાટણ ગયાં હતાં. ત્યારે તેમણે શ્રી વિજયદાનસૂરિજીનો ધર્મોપદેશ સાંભળ્યો. દીક્ષા : સંવત ૧૫૯૬ના કારતક વદ ૨, પાટણ ખાતે દીક્ષાનું નામ : હરિહર્ષમુનિ દીક્ષાગુરુ : આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી શાસ્ત્રાભ્યાસ : દક્ષિણ ભારતમાં દેવગિરિ ખાતે એક બ્રાહ્મણ પંડિત શ્રી હીરવિજયસૂરિ રાસ 349 Page #399 -------------------------------------------------------------------------- ________________ પાસે. પંડિતપદ : સંવત ૧૬૦૭માં નાડોલાઈ નગરે. વાચકપદ : સંવત ૧૬૦૮માં, મહાસુદ પાંચમ, નારદપુરમાં. આચાર્યપદ : સંવત ૧૬૧૦માં, મહાવદ પાંચમ, સિરોહીનગર. આચાર્યનું નામ : શ્રી હીરવિજયસૂરિ ગુરુ વિજયદાનસૂરિના પટ્ટધર બન્યા. ગુરુના સ્વર્ગવાસ પછી તપાગચ્છના નાયક થયા. શિષ્યશિરોમણિ આ. વિજયસેનસૂરિને સંવત ૧૬૨૮માં પોતાની પાટે સ્થાપ્યા. લોકાગચ્છના મેઘજી મુનિ મૂર્તિપૂજામાં શ્રદ્ધા બેસતાં શ્રી હીરવિજયસૂરિ પાસે પુનઃ દીક્ષિત. અસંખ્ય જિનબિંબોની પ્રતિષ્ઠા અને સેંકડો વણિકોની દીક્ષા શ્રી હીરવિજયસૂરિને હાથે થઈ. ગંધાર બંદરે હતા ત્યારે મોગલસમ્રાટ અકબર બાદશાહનું ફતેહપુર સિક્રી આવવા ગુજરાતના સૂબા સાહિબખાન દ્વારા નિમંત્રણ મળ્યું. જૈનશાસનનો ઉદય અને અહિંસા – પ્રસારના પ્રયોજનથી આમંત્રણનો સ્વીકાર. વિહાર કરી, અમદાવાદ આવી સૂબા સાહિબખાન સાથે મુલાકાત. સંવત ૧૬૩૯માં ફત્તેહપુર સિક્રી પહોંચ્યા. મુસ્લિમ ગ્રંથોના વિશેષજ્ઞ શેખ અબુલફઝલ દ્વારા ભવ્ય સ્વાગત. સમ્રાટ અને સૂરીશ્વરનું મિલન. અકબર શાહ સાથે ધર્મગોષ્ઠિમાં ઈશ્વર-દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ, પાંચ મહાવત સમજાવ્યા. જૈન તીર્થોની માહિતી આપી. અકબરશાહને પ્રભાવિત કર્યા. બાદશાહે હીરગુરુને જગદગુરુ'નું બિરુદ આપ્યું. આગ્રા ખાતે ચાતુર્માસ કરી પુનઃ સિક્રીમાં. પ્રભાવિત થયેલા અકબરશાહે બંદીવાનોને કેદમાંથી છોડાવ્યા, પક્ષીઓને પિંજરમાંથી મુક્ત કરાવ્યા. પર્યુષણ પર્વના દિવસોમાં ચાર દિવસ ઉમેરી બાર દિવસનું સમસ્ત રાજ્યમાં અમારિ પ્રવર્તન કરાવ્યું. હિંસા પ્રતિબંધના છ ફરમાનો સૂરિજીને 350 * જૈન રાસ વિમર્શ Page #400 -------------------------------------------------------------------------- ________________ આપ્યા. ડામર તળાવ સૂરિજીને અર્પણ કરી મત્સ્ય શિકાર બંધ કરાવ્યો. સંવત ૧૬૩૯થી ૧૬૪૨ના ગાળાનાં ત્રણ વર્ષ આસપાસના પ્રદેશોમાં વિતાવ્યાં. શાંતિચંદ્ર ઉપાધ્યાયને અકબરની વિનંતીથી રાખી સૂરિજીનો વિહાર. સિરોહી, વરકાણા, આબુ વગેરે સ્થળોએ થઈને અણહિલપુર પાટણ શાંતિચંદ્ર ઉપાધ્યાયે બાદશાહની પ્રશસ્તિરૂપે “કૃપારસ કોશ’’ની રચના શાંતિચંદ્રના પ્રસ્થાન સમયે બાદશાહે સૂરિજીને ભેટ ધરવારૂપ જજિયાવેરો રદ કરતું ફરમાન પૂ. શાંતિચંદ્રજીને આપ્યું. આગમન. કરી. ઉપરાંત, અગાઉના બાર દિવસના સ્થાને હિન્દુ-મુસ્લિમ-પારસી તહેવારો, તમામ રવિવારો સહિત વર્ષમાં કુલ છ માસ ને છ દિવસનું અમિર પ્રવર્તન કર્યું. શત્રુંજ્યતીર્થમાં લેવાતો યાત્રાવેરો બંધ કરાવી એ પર્વત હીરવિજયસૂરિને સમર્પિત કર્યો, અને તેને લગતું ફરમાન મોકલ્યું. સંવત ૧૬૫૦માં શત્રુંજ્યતીર્થની યાત્રા. ઉના ખાતે સંવત ૧૬૫૨માં સૂરિજનું ચાતુર્માસ. ૧૬૫૨ના ભાદરવા સુદ ૧૧ને ગુરુવારે નિર્વાણ. શિષ્ય પરિવાર : આચાર્યશ્રી વિજ્યસેનસૂરિ, ઉપાધ્યાય શ્રી વિમલહર્ત, ઉપાધ્યાયશ્રી સોમવિજય, ઉપાધ્યાયશ્રી શાંતિચંદ્ર વગેરે ૭ ઉપાધ્યાયો, ૧૬૦ પંન્યાસ, ૨૦૦ સાધુ ભગવંત, ૩૦૦૦ સાધ્વીજી મહારાજો. તપસ્યા : ૨૦૦૦ આયંબિલ, ૨૦૦૦ નીવી, ૩૬૦૦ ઉપવાસ, ૨૨૫ છઠ્ઠ, ૮૧ અઠ્ઠમ, ૨૦ સ્થાનકની આરાધના, ત્રણ માસની વિવિધ તપસ્યા સાથે સૂરિમંત્રનું ધ્યાન, ૨૨ માસના આયંબિલ નીવી સાથે જ્ઞાનની આરાધના, ૧૩ માસનું (ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, આયંબિલ નીવી સાથે) ગુરુભક્તિ તપ. પૂજ્યશ્રીએ વિષે થોડુંક... વર્તમાન શ્રીસંઘમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ, શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ તથા શ્રી હીરવિજયસૂરિજી મહારાજ આ ત્રણ નામનું સૌભાગ્ય અનેરું છે. એ ત્રણેની આગવી વિશેષતા છે. તેમાં પણ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ શ્રી હીરવિજયસૂરિ રાસ * 351 Page #401 -------------------------------------------------------------------------- ________________ તો સત્તરમા-અઢારમા સૈકામાં પૂર્ણ રીતે છવાઈ ગયા હતા. પોતાના જીવન કવનથી જૈનશાસન અને જૈનસાહિત્યને પ્રભાવિત તેમ જ સુસમૃદ્ધ કરનારા જે અનેક જ્યોતિર્ધર મહાપુરુષો થઈ ગયા. તેમાં જેઓનું નામ સુવર્ણાક્ષરે અંકિત કર્યા સિવાય ચાલે જ નહિ તે હતાં ભગવાન મહાવીરસ્વામીની પ૮મી પાટે થયેલા જગદ્ગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરિશ્વરજી મહારાજ. જૈનશાસનના પ્રત્યેક અંગોમાં તેઓની સત્તા દરમિયાન તેઓની આગવી સૂઝ-સમજ-પ્રેરણા અને પુરુષાર્થથી અપૂર્વ ચેતનાનો સંચાર થયો હતો. ઋતુરાજ વસંતના આગમને ચારે બાજુ લીલીછમ વનરાજિ હરીભરી અને નવપલ્લવિત બની જાય છે. તેવી જ રીતે હીરગુરુદેવના શાસનકાળમાં જૈનશાસનમાં પણ જાણે નવી બહાર આવી ગઈ હોય તેમ અનેક શિખરો સર કરી ઉત્કૃષ્ટ વિકાસ સાધ્યો હતો. સ્વ પર દર્શનના ટોચના ગ્રંથોનો તેમણે કરેલો ઊંડો અભ્યાસ તથા કરેલું આમૂલચૂલ પરિશીલન જોઈ સાંભળી ભલભલા ખેરખાં ગણાતા વિદ્વાનોનાં મસ્તકો પણ ડોલી ઊઠતાં. વાદ-વિવાદમાં વાદીઓને એવી રીતે પરાસ્ત કરતા કે ભલભલા વિદ્વાનો તેમનાં ચરણમાં મસ્તક નમાવી તેમનું શિષ્યત્વ અપનાવતા. ફૂલ અને માખણ કરતાં પણ વધારે કોમળ હૈયું ધરાવતા તેઓ તપ, ત્યાગ, અને સંયમપાલન તથા અનુશાસનમાં વજથી પણ અધિક કઠોર હતા. તેઓના જીવનનો સૌથી મહત્ત્વનો ગણાય તેવો પ્રસંગ હોય તો તે અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો તે છે. અમારિ પ્રવર્તક અને મોગલ સમ્રાટ અકબર પ્રતિબોધક તરીકે આ મહાન જૈનાચાર્યનું નામ ખૂબ જાણીતું બન્યું છે. હિંસામાં ચકચૂર, અતિશય જુલમી, માંસનું ભક્ષણ કરનાર ખૂબ જ પાપી રાજા હતો. આવો અકબર પણ પૂજ્યશ્રીના પ્રતિબોધથી અહિંસાનો મહાન ઉપાસક બન્યો હતો. વળી તેઓ તથા તેમના શિષ્યો આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મહારાજ તથા ઉપાધ્યાય ભગવંતશ્રીઓ – શ્રી વિમલહર્ષજી, શ્રી સોમવિજયજી, શ્રી શાંતિચંદ્રજી, શ્રી ભાનુચંદ્રજી, શ્રી સિદ્ધચંદ્રજી આદિના ઉપદેશથી તેમણે પોતાના સમસ્ત રાજ્યમાં છ મહિના પર્યન્ત અમારિ પ્રવર્તાવી, હિન્દુ રાજ્યમાં પણ થવું મુશ્કેલ ગણાય તેવું કાર્ય એક યવનના રાજ્યમાં કરી દેખાડ્યું. તેઓની હયાતીનો વિક્રમના સોળમા સૈકાનો પશ્ચાર્ધમાં તથા સત્તરમાં સૈકાનો પૂર્વાર્ધ કાળ કેટલાયે ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ પ્રસંગોથી અવર્ણનીય 352 * જૈન રાસ વિમર્શ Page #402 -------------------------------------------------------------------------- ________________ બની ગયો. એથી જ ઇતિહાસકારોએ એ સમયને “હીરયુગ” તરીકે નવાજ્યો છે. તેઓના સમયમાં જૈનશાસનનો વિજયધ્વજ દિગટિંગતમાં લહેરાતો હતો. જૈનધર્મની કીર્તિ ચારે દિશાઓમાં, ભારતમાં ખૂણેખૂણામાં ફેલાઈ હતી. આવા મહાન પ્રભાવસંપના તેમ જ ત્યાગી-વૈરાગી અને પરમ તપસ્વી એવા મહાપુરુષના જીવનમાં જેની સંભાવના પણ ન કરી શકાય તેવા કષ્ટદાયક પ્રસંગો બન્યા છે, જેને વાંચતા કે સાંભળતા આપણે ધ્રૂજી ઊઠીએ. પરંતુ આવા કસોટીના પ્રસંગોમાં તેઓ જરાય ચલાયમાન ન થયા, ન સાધુપણામાં દોષ લગાડ્યો, ઊલટું કંચન જેમ અગ્નિપરીક્ષામાં શુદ્ધ થઈ સો ટચનું બને છે તેમ અણિશુદ્ધ પાર ઊતર્યા એમને વિષે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં જે અઢળક સાહિત્ય રચાયું છે તેમાં હીરસૌભાગ્યમ્ જેવા સંસ્કૃત મહાકાવ્યથી માંડીને ગુજરાતીમાં શ્રાવક કવિ ઋષભદાસે રચેલી ૧૧૦ ઢાળની દીર્ઘ રાસાકૃતિનો સમાવેશ થાય છે. એ સિવાય પદ્યાત્મક નાની-મોટી જેની ગણના કરતાં આપણે થાકી જઈએ એટલી કૃતિઓ તેમના તરફની ભક્તિને કારણે વિદ્વાનોએ રચી છે. તેઓના પરિવારમાં ૨૦૦૦ સાધુઓ હતા. તેમાંથી કેટલાયે વિદ્વાનો, કવિઓ, વાદીઓ અને ગ્રંથોની રચના કરનારા હતાં. આચાર્ય શ્રી વિજયસેન સૂરિજી મહારાજ તેઓના મહાન શાસનપ્રભાવક પટ્ટધર હતા. ૭ ઉપાધ્યાય ભગવંતો, ૧૬૦ પંન્યાસજી મહારાજાઓના સમુદાયથી પરિવરેલા તેઓશ્રી તારાસમૂહની વચ્ચે રહેલા પૂર્ણ ચંદ્રની જેમ શોભતા હતા. આટલો વિશાળ શિષ્યસમુદાય અને તે પણ જ્ઞાનાદિ ગુણથી સમૃદ્ધ હોય તેવું ભાગ્યે જ બને. તેમના શિષ્ય-પ્રશિષ્યના વંશવેલા પર નજર કરીએ તો અનેક શાખાપ્રશાખાઓથી ભરપૂર ઘેઘૂર વડલો યાદ આવે છે. આવા પુરુષો વારેવારે થતા નથી. વૃક્ષોથી ઊભરાતા વન-ઉપવનને અટવી-અવનિ પર ઘણાં પણ બધે ચંદનનાં વૃક્ષ હોતા નથી, ચન્દન ન વને વને | શ્રી હીરવિજયસૂરિનું જીવન અનેક ઉત્તમ, વિરલ ગુણોથી ભર્યુંભર્યું હતું. તેમના મનોમંદિરમાં એક એવો જ્ઞાનદીપક પ્રગટેલો હતો કે જે ક્યારેય બુઝાય તેવો નથી. તેનું તેજ આજ સુધી ફેલાયેલું જોવા મળે છે. આજે તપાગચ્છમાં જે વિજય શાખા, વિમલશાખા અને સાગરશાખા દેખાય છે તે બધાના મૂળ આહીરવિજયસૂરીશ્વરજી મહારાજમાં મળે છે. પૂર્વે દેવવિમલ પંન્યાસ થયા. તેમણે સોળ સર્ગમાં અને ત્રણ હજારને - શ્રી હીરવિજયસૂરિ રાસ 353 Page #403 -------------------------------------------------------------------------- ________________ પાંચ શ્લોકોમાં “હીરસૌભાગ્યમ્” મહાકાવ્ય રચ્યું છે. બીજો ૫૫૫૧ ગાથાનો અને ત્રીજો ૯૭૪૫ ગાથાનો ગ્રંથ એમણે રચ્યો છે. આ ગ્રંથો તથા બીજા ગ્રંથોમાંથી પ્રેરણા લઈ કવિ ઋષભદાસે આ રાસની રચના કરી છે. આમ અનેક ગચ્છપતિઓ થયા પણ હીરગુરુ સમાન કોઈ નહિ. ગ્રહમંડળમાં જેમ ચંદ્ર, દેવોમાં જેમ ઇન્દ્ર, રાજાઓમાં જેમ રામ, સતીઓમાં જેમ સીતા, મંત્રમાં જેમ નવકારમંત્ર, તીર્થોમાં જેમ શત્રુંજય, જિનેશ્વરોમાં જેમ ઋષભજિણંદ, ચક્રવર્તીઓમાં જેમ ભરતરાજા, પર્વતમાં જેમ મેરુ, સર્વ માર્ગોમાં જેમ મોક્ષમાર્ગ, નદીઓમાં જેમ ગંગા મહાન છે તેમ સર્વ ગચ્છપતિઓમાં હીરગુરુ મોટા છે. બ્રહ્મચારીઓમાં નેમકુમાર, નગરીઓમાં વિનીતાનગરી, પર્વોમાં પર્યુષણ, તરુવરોમાં કલ્પવૃક્ષ, સરોવરોમાં માનસરોવ૨, ગાયોમાં કામધેનુ જેમ મહાન છે તેમ હીરગુરુ સર્વે ગચ્છપતિઓમાં મહાન છે. રાસના અભ્યાસ દરમિયાન ધ્યાનમાં આવેલી કેટલીક સંશોધનાત્મક માહિતી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક કાવ્યપ્રકાર અસ્તિત્વમાં આવ્યા. એમાં મુખ્ય ગણાવી શકાય તેવા કેટલાક પ્રકારો છે. રાસો, ફાગુ, આખ્યાન, બારમાસા, ગરબા, ગરબી વગેરે. રાસને માટે રાસો, રાસા, રાસુ કે રાસક શબ્દ પણ પ્રયોજાય છે જે લગભગ સમાનાર્થી છે. તેમાં તાત્ત્વિક ભેદ નથી. સાહિત્યસ્વરૂપની દૃષ્ટિએ રાસ એક નૃત્યકાવ્ય કે ગેયરૂપક છે, જેમાં ગેયતા, સંગીતાત્મકતા, છંદોબદ્ધ કથાવસ્તુ, અભિનેયતા ઇત્યાદિ તત્ત્વો મુખ્ય છે. રાસનો અભ્યાસ કરતાં જણાય છે કે સામાન્ય રીતે રાસની શરૂઆત તીર્થંકરવંદના, મા સરસ્વતીની સ્તુતિ, ગણધરનંદન, ગુરુવંદન વગેરેથી થાય છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરી મહારાજશ્રીના જીવનચરિત્રના વિસ્તૃત વર્ણન સ્વરૂપ રાસની રચના કરતાં કવિ શ્રી ઋષભદાસજી મંગલાચરણમાં આરંભમાં જ વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીના ૧૬ પર્યાયવાચક નામોનો ઉલ્લેખ કરી તેમની કૃપાદૃષ્ટિ માટે પ્રાર્થના કરે છે. મા શારદાનાં જુદાંજુદાં નામ તેમણે કેવી ખૂબીથી વણી લીધાં છે તે જોઈએ તો : 354 * જૈન રાસ વિમર્શ Page #404 -------------------------------------------------------------------------- ________________ (ોહરા છંદ) સરસતી ભાષા ભારતી, ત્રિપુરા શારદ માય; હંસગામિની બ્રહ્મસુતા, પ્રણમું તાહરા પાય. બ્રહ્માણી બ્રહ્મચારિણી, બ્રહ્મવાદિની માત; દેવકુમારી ભગવતી, તું જગમાં વિખ્યાત. હંસવાહની હરખતી, આપે વચનવિલાસ; વાગેશ્વરી વદને રમે, પોહોચે મનની આશ. કાશમીર મુખમંડણી, કમળ કમંડળપાણિ; મુજમ્મુખ આવી તું રમે ગુણ, સઘળાની ખાણિ. આગમ વેદ પુરાણમાં, વાણી તુજ બંધાણ; તું મુખ આવી જેહને, તે પંડિત તે જાણ. સ્વામી સુધર્મા વી૨નો, રચતો અંગ સુ બાર; શારદ ભાષા ભારતી, તે તાહરો આધાર. સિદ્ધસેન દિવાકરુ, સમિર તાહરું નામ; વિક્રમ નૃપ પ્રતિબોધિયો, જિણે કીધાં બહુ કામ. હેમસૂરિ વદને વિંસ, હવી વચનની સિદ્ધિ; ગ્રંથ ત્રિકોટિ તિણે કીઓ, ઈસી ન કેહની બુદ્ધિ. ૧ પુંડરિક પ્રમુખા વળી, ગણધર જે ગુણવંત; તિણઈં ધુર સમી સરસતી, સમજ્યા ભેદ અનંત. ૬ હીર હર્ષ તુજને નમે, શારદનામ જ સોળ; નૈષેધ ગ્રંથ તિણે કર્યો, બોલ્યો વચન કલ્લોલ. ૩ ૪ ૫ ૮ ૯ ૧૦ મંગલાચરણમાં મા સરસ્વતીની ૧૬ નામો દ્વારા સ્તુતિ, ત્યાર બાદ એ દેવીની કૃપાથી જેમણે મહાન શાસ્ત્રો રચ્યાં છે તે જૈનાચાર્યો-કવિઓનાં ૧. આ મહા વદ ચોથ રાજસ્થાની પરંપરા અનુસારની હોવાનો સંભવ છે. સં. ગુજ. પોષ વદ ૪. શ્રી હીરવિજ્યસૂરિ રાસ * 355 Page #405 -------------------------------------------------------------------------- ________________ નામ છે. આમ મા સરસ્વતી પ્રત્યે કવિને જે અંદરમાં પૂજ્યભાવ, ભક્તિ અને ભાવનાથી છલોછલ હૈયું ભરેલું છે તે આદર સહિત થોડા શબ્દોમાં પણ ખૂબ સુંદર રીતે વર્ણન કરે છે. ત્યારપછી જંબુદ્વીપનું, ભરત ક્ષેત્રનું, મનુષ્ય ક્ષેત્રનું, ૨પા આર્યદેશનું વગેરે વર્ણન છે. આ આર્યદેશનો ગુજરાત પ્રદેશ, તેમાં પાલ્ડણપુર નામનું નગર છે. તેનું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ પાલ્ડણપુરનો સર્જનઇતિહાસ પણ સુંદર રીતે વણી લીધો છે. તેમાં હાણવિહાર નામે ખૂબ સુંદર પ્રાસાદ છે. પ્રાસાદની ફરતો ત્રાંબાનો ગઢ છે. તેમાં રૂપાના કાંગરા તથા સોનાના ૧૬ કાંગરા છે. એ ઈન્દ્રપુરીની સાથે વાદ કરતો હોય તેવો છે. તેમાં સોનાના કળશ, રૂપાના દરવાજા, તોરણની પૂતળીઓ છે. એ પ્રાસાદમાં પર દેરી, ૮૪ મંડપ તેમ જ નીલરત્નનું તોરણ શોભી રહ્યું છે. આનાથી નગરનું નામ પાલ્ડણપુર પડ્યું છે. કરોડપતિ લોકો જ ત્યાં વસતા હતા, લખપતિઓને નગરની બહાર વસાવવામાં આવતાં. પૂર્વે અબ્દગઢના રાજા એવા હાલ પરમારે આબુ ઉપરની શ્રી પરમાત્માની પિત્તળની મૂર્તિની ઘોર આશાતના કરી તેને ગાળી નાખી. તેના પાપથી તેને કોઢનો રોગ થયો. રાજા સ્થાન અને માનથી ભ્રષ્ટ થયો. ભટકતાં-ભટકતાં ભાગ્યયોગે તેમને આચાર્ય શીલધવલનો ભેટો થયો. તેમને પોતાનું દુઃખ તથા તેનું નિવારણ પૂછતાં આચાર્યએ જિનપ્રતિમાના દર્શન-પૂજા તથા દાન વગેરે ધર્મકાર્ય કરવા જણાવ્યું. તેણે સુંદર ભૂમિ જોઈ પાલ્ડણપુર નગરી વસાવી. તેમાં હારવિહાર ચૈત્ય બનાવ્યું. તેમાં સુવર્ણમય પ્રતિમાજી બિરાજમાન કર્યા. આનાથી તેનો કોઢ દૂર થયો. રાજ્ય પણ પાછું મળ્યું. આ પાલ્ડણપુરમાં, ઓશ વંશના કુંઅરો સાહ અને માતા નાથીબાઈની રત્નકુક્ષીએ વિ.સં. ૧૫૮૩, માગસર સુદ ૯ ને સોમવારના દિવસે બત્રીસલક્ષણા, પુણ્યવંતા, શાસનોદ્ધારક પુત્રનો જન્મ થયો. ફેબાએ તેનું નામ હીરજી પાડ્યું. હીરજીને ત્રણ મોટા ભાઈ છે. જેમનાં નામ છે સંઘો, સૂરો અને શ્રીપાળ. હીરજીને ત્રણ મોટી બહેનો છે જેમનાં નામ છે – ગુણવંતી, રંભા અને વિમલા. હીર ખૂબ જ લાડપ્યારમાં મોટો થઈ રહ્યો છે. બાલ હીરને માતાબહેનો તથા ઘરનાં સર્વે સભ્યો ખૂબ ખુશખુશાલ છે. કવિ એમના અંગોનું વર્ણન વિવિધ ઉપમા આપીને કરે છે તે જોઈએ | (ઢાળ ૧૫-દેશી સુણિ નિજ સરૂપ – રાગ દેશાખ) 356 * જૈન રાસ વિમર્શ Page #406 -------------------------------------------------------------------------- ________________ શિરે ટોપીએ આંગણું પંચવરણું, મુખ ચંદ સરીખ દુખ નાય હરણું; અર્ધ ચંદ સરીખો જસ હોય ભાલ, કનકવાટિકા વારણા સોહે ગાલ. હીર.૨૦૫ હીર કમલદાન લોચનો સબળ સોહે, શુકચંચુ પરે નાશિકા મન હી મોહે; હીરદાંત દીસતા અતિ અમૂલો, લાજી વને ગયાં જ મચકુંદ લો. હીર ૨૦૬ અધર રક્તવર્ણી દુભ કોટ કહિયેં, હીર પોયણાપાન જિસી જીભ લહીયે; કંઠ શંખ પરે મીઠો અતિ વિશાલો, ભુજા હોય સરલ જિસી કમલનાલો. હીર ૨૦૭ હૃદય નિર્મલું નાભિ ગંભીર જાણું, કટી કેશરી સિંહની પરે વખાણું; ગતિ વૃષભની કાંતિ સોજા કાય, દેખી રીઝતી બહેનડી હીરમાય. હીર. ૨૦૮ બાળક હીર ધીમેધીમે મોટો થાય છે, પંડિત પાસે અભ્યાસ કરે છે. ભણવામાં ખૂબ હોશિયાર છે. સરસ્વતીપુત્ર જેવો લાગે છે. પંડિતજી પાસે અભ્યાસ પૂરો કરી ગુરુ પાસે ધાર્મિક અભ્યાસ માટે તેને મોકલવામાં આવે છે. ત્યાં ધર્મનું સ્વરૂપ સમજતાં મનમાં વૈરાગ્યબીજ રોપાય છે. માતા-પિતા પરણાવવાની તૈયારી કરે છે. બાળ હીર કહે છે “હજુ હું નાનો છું મારા લગ્ન કરવાની ઉતાવળ ન કરો.” વાતવાતમાં એમ પણ કહે છે કે, “તમારો એક પુત્ર જો સાધુ હશે તો કુળ અજવાળશે.” પણ માતા-પિતાની દીક્ષાની રજા આપવા ચોખ્ખી ના પાડે છે ત્યારે હીર કહે છે “માતા-પિતાને દુઃખ થતું હશે તો સંયમ નહિ લઉં પણ પરણાવવાની ઉતાવળ ના કરો.” થોડો સમય પસાર થતાં માતા-પિતા મૃત્યુ પામે છે. હીરને ઘણું દુઃખ થાય છે. સંસારમાંથી દરેકે જવાનું જ છે તે વાસ્તવિકતાથી મન ઉદ્વેગમય બની જાય છે. કાળ વિષે વિચારે છે – (દુહા) કાળ જગ ખાધો સહી, કુણે ન ખાધો કાળ; કિાલ આહેડી જગ વડો જેણે ભખીઆ વૃદ્ધ બાળ. ૨૩૨ આઉખારૂપી લાકડું, રવિશશીરૂપ કરવત્ત; કાળ રૂપીઓ સૂત્રધારસ વહેરી આણે અંત. ૨૩૩ શ્રી હીરવિજયસૂરિ રાસ +357 Page #407 -------------------------------------------------------------------------- ________________ કાળ બધાનું ભક્ષણ કરે છે પણ કાળનું કોઈ ભક્ષણ કરી શકતું નથી. કાળ એવો જબરો શિકારી છે કે જે નાનામોટા સૌના શિકાર કરે છે. કવિ બીજા દુહામાં સુંદર મજાનું રૂપક આપે છે. કાળ રૂપી સુથાર સૂર્યચંદ્રરૂપી કરવત વડે આયુષ્યરૂપી લાકડાને વહેરે છે. આમ માતા-પિતાના વિયોગથી દુઃખી હીરને બહેનો પાટણ લઈ જાય છે. જ્યાં વિજયદાનસૂરિ મહારાજનો સત્સંગ એ વ્યાખ્યાનશ્રવણ તેમને સંયમ લેવા માટે પ્રેરણા આપે છે. બહેનો પાસે રજા માંગતા બહેન મૂછ ખાઈ ઢળી પડે છે. પરંતુ હીરજી જુદા જુદા દચંતો સાથે બહેનોને સમજાવે છે. સંઘ પણ તેમને સમજાવે છે આથી રજા આપે છે. દીક્ષાનો વરઘોડો નીકળે છે. નાના એવા તેજસ્વી બાળકને સંયમ પંથે જતાં જોઈ અઢારે વરણના લોકો અશ્રુધાર વહાવે છે. ત્યારે તે જોઈને પશુ-પંખીનો રાજીપો શુકનરૂપે વાણીમાં વર્ણવતા કવિ લખે છે કે, ઢાળ ૨૪ દેશી ચોપાઈની – અભે મરીઉં છું જ અનાથ, અહ્મ મસ્તગ એ હોશે નાથ; હેમ સરીખો એ ત્રીષ થશે, અહ્મ મારતા મુકાવશે. ૩ર૪ તિણ કારણ નવિ રોઉં અહ્મો, હીયડે હર્ષ ધરો નર તુહે; વીરશાસને એ દિનકર થશે, દિન દિન ઉન્નતિ અધિકી કુશે. ૩૨૫ ભગવાન મહાવીરે જેમ મેઘકુમારને દીક્ષા આપી હતી તેવી રીતે શ્રી દાનસૂરિ મહારાજે તેર વર્ષની વયવાળા બાળકુમાર હીરજીને વિ.સં. ૧૫૯૬, કારતક વદ ૨, સોમવાર, મૃગશીર્ષ નક્ષત્રમાં દીક્ષા આપી. એમની દીક્ષા પછી બીજા આઠની દીક્ષા થઈ તે અધિકાર કવિએ ખૂબ સુંદર રીતે વર્ણવ્યો છે. ગુરુએ વિ.સં. ૧૬૦૦માં પંન્યાસપદ આપ્યું. ત્યાર બાદ સં. ૧૬૦૮માં એ જ નાડુલાઈ ગામે જ્યાં ભ.આદિનાથ અને નેમિનાથના સુંદર મંદિરો શોભે છે ત્યાં પંહીરહર્ષજી, પંધિર્મસાગરજી તથા પં. રાજવિમલજી ત્રણેને મોટા મહોત્સવ સાથે ઉપાધ્યાય પદ અર્પણ કર્યું. વિ.સં. ૧૬૧૦માં પોષ સુદ પાંચમ, ગુરુવાર સિરોહી મુકામે હીરહર્ષને આચાર્યપદ અર્પણ કરી શ્રી હીરવિજયસૂરિ નામ આપ્યું. રાણકપુરના દેરાસર બનાવનાર ધના શેઠના કુળમાં થયેલા ચાંગા મહેતાએ પુષ્કળ દ્રવ્ય ખર્ચીને આચાર્યપદવીનો મહામહોત્સવ કર્યો. જોટાણામાં જિનદાસ ઋષિ મળ્યા. તે લંકા મત છોડીને હીરવિજયસૂરિના ચરણે 358 * જૈન રાસ વિમર્શ Page #408 -------------------------------------------------------------------------- ________________ નમ્યા. સુમતિવિજય નામ આપ્યું. તેઓ ૩૮મા ઉપાધ્યાય થયા. ગુરુ શ્રી વિજયદાનસૂરિ મ. વડલી (વડાવલી)માં સ્વર્ગવાસી થયા. ત્યારે હીરવિજયસૂરિને બધું ભળાવવામાં આવ્યું. તેમની કીર્તિ ચોમેર પ્રસરી, બાર વર્ષ તેઓ આચાર્યપદે રહ્યા. ત્યાર બાદ ભટ્ટારકપદે સ્થાપિત થયા. અહીં ગુરુદેવ પર સનાબખાનનો ઉપસર્ગ આવ્યો. તેઓ ત્રેવીસ દિવસ છુપાતા રહ્યા. વિ.સં. ૧૬૨૮માં રાજનગર મુકામે, ફાગણ સુદ સાતમના દિવસે શાસનદેવીની આજ્ઞાથી વિમલને આચાર્યપદવી આપી. વિજયસેનસૂરિ નામ સ્થાપન કર્યું. આગમજ્ઞાતા વિમલહર્ષને ઉપાધ્યાયપદ પર સ્થાપન કરવામાં આવ્યા. લોંકા મતના ગચ્છનાયક મેઘજી ઋષિ આચાર્ય આવીને હીરગુરુના ચરણે નમ્યા. તેઓએ પ્રતિમાપૂજનનો ઇન્કાર કરેલો. હવે તે પ્રતિમાપૂજનની પ્રેરણા કરે છે. એ માટે આગમોમાં કયાં કયાં તેનું વર્ણન આવે છે તે દર્શાવતા કવિનું જ્ઞાનઊંડાણ બહાર આવે છે. આગમનો અભ્યાસ ગહન રીતે કર્યો છે તે આના ૫૨થી સાબિત થાય છે, આ આગમો જોઈએ જેમાં જિન પ્રતિમાનો અધિકાર છે.... (ઢાળ-૨૭ દેશી ત્રિપદી ચોપાઈની) છ આવશ્યક રિષિ કરતાં જોય, જિનપુજા ફળ ઇચ્છે સોય; નંદીસૂત્રે પ્રતિમા જોય હો ગુરુજી વિજ્ય જીવાભિગમ અને ઠાણાંગ, જો જે ભગવતી પંચમ અંગ; ઉવાઈસૂત્ર ઉપાંગ હો ગુરુજી વિજ્ય શાતાધર્મકથાંગે જોય, દ્રુપદી પૂજા કરતી સોય; છેદ ગ્રંથે પ્રતિમા હોય હો ગુરુજી. વિજ્ય પ્રશ્ન વ્યાકરણ તે દશમું અંગ, ચેઈ વૈઆવચ ઉપર રંગ; પૂજે પ્રતિમા અંગે હો ગુરુજી વિય રાયપસેણી ભત્તપયન્ના, કલ્પસૂત્ર જુઓ એકમા; જિન પૂજે તે ધા હો ગુરુજી વિજ્ય ઉત્તરાધ્યયન સમવાયાંગ છેદ, મહાનિશીથમાં પ્રતિમાવેદ; જંબુદ્રીપપન્નતિ ભેદ હો ગુરુજી. વિજય ૪૨૬ ૪૨૭ ૪૨૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧ શ્રી હીરવિજયસૂરિ રાસ * 359 Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રીગણવિજ્જાપના માંહિ, ઉપાશગદશાંગ છે વળી જ્યાંહિ; પ્રતિમા પૂજી ત્યાંહિ હો ગુરુજી વિજય ૪૩ર મૂળસૂત્રો પેખઓ નર સારો, અર્થ ભલો અનુયોગ હવારો; નામાદિક ઠવણા ધારો હો ગુરુજી વિજય ૪૩૩ આર પ્રકારેં અરિહંત ધ્યાઉં, તિહા જિનપ્રતિમાના ગુણ ગાઉ; સકળ પદારથ પાઉં હો ગુરુજી. વિજય૦ ૪૩૪ ઉપરના બધા સૂત્રોમાં જિનપ્રતિમાનો અધિકાર આવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિર્ણયોથી અરિહંતને ધ્યાવવાની વાત કરી છે. ત્યાંથી પાટણ આવી ત્યાંના દુર્દાન્ત સુબા કલાખાનને મળ્યા. તેમને પોતાના જ્ઞાન વડે પ્રભાવિત કરી, શંકા નિર્મળ કરી એક મહિના સુધી જગતમાં અમારિનો હુકમ બહાર પાડવામાં આવ્યો. હીરગુરુના હાથે વીરમગામમાં ગોપાળજીએ સંયમ લીધું તેની પાછળ બીજા અઢાર જણા દીક્ષિત બન્યા. ગોપાળજીનું નામ સોમવિજય, કલ્યાણજીનું નામ કીર્તિવિજય, બહેનનું નામ વિમળશ્રી રાખ્યું. સોમવિજયજી ઉપા. થયા. તેઓ હીરગુરુના પ્રધાન ગણાતા હતા. વિનયવિજયજી ઉપા. હતા તેમના ગુરુ કીર્તિવિજય હતાં. સોમવિજયની દેશના નંદિષણની જેમ ક્યારેય ખાલી જતી નહોતી સં.૧૬૩૪માં પાટણમાં કલાખાનનો ઉપસર્ગ આવે છે અને હીરગુરુને ત્રણ માસ સુધી ગુપ્તપણે રહેવું પડયું હતું. સં.૧૬૩૬માં પણ આવો જ ભયંકર પરિસહ આવ્યો. જેમાંથી તેઓ હેમખેમ પાર ઊતર્યા. દિલ્હીમાં ચંપા શ્રાવિકાએ છ માસી તપ કરતાં વરઘોડો નીકળ્યો. તે જોતાં અકબરને હરિગુરુ વિષે જાણકારી મળી અને તેણે હીરગુરુને દિલ્હી તેડાવવાનું ફરમાન કર્યું. અકબરની સંપત્તિનું વર્ણન કરતાં કવિ કહે છે કે, (ઢાળ,૩૭ – ચોપાઈ) સોળ સહિજ ગજે જેહને બારિ, ઐરાવણ સરિખા તે દ્વારિક નવલખ કયવંર કેરી હારિ, તરણિ-અશ્વ સરખા તે દ્વારિ. ૭૦૩ રથ રૂડા જસ વીસ હજાર, દિનકર રથથી અધિક અપાર; અઢાર લાખ પાયગ પરિવાર, તોમર ગુરજ હાર્થિ હથીઆર૦ ૭૭૪ અકબરની આણ કેટલા પ્રદેશમાં પ્રવર્તતી હતી તે દર્શાવતા કવિ કહે છે, 360 * જૈન રાસ વિમર્શ Page #410 -------------------------------------------------------------------------- ________________ ચોપાઈ) તિલંગ બાબર હુમાઉ જુઓ, અકબર સરિખો કો નવિ હુઓ; અનેક દેશ લીધા જેણે સંગ, અંગ વંગ અતિ જ કિલિંગ૭૧૭ ગઉડ ચઉડે તિલંગ માલવો, સોરઠ દેશ જસ પોતે હવો; ગુર્જર કુંકણ નિ મલબાર, દખ્યણ દેસ જસ પોતિ સાર. ૭૧૮ ખુરાસાન કાબુલ મુલતાન, ખાનદેશનો તે સુલતાન; લાટ, ભોટ વાગડ ભંભેર, કચ્છ દેસ જેણે કરિયું જેર. ૭૧૯ કર્ણાટક મારૂ મેવાડ, દૂરિ કર્યા જેણિ ડુબી ચાડ; જાલંધર દીપક નિ સિંઘ, મોટા રાય કર્યા જેણિ બંધ. ૭૨૦ મગધ દેશ કાસી નેપાલ, કોશલ દેશનો તે ભૂપાલ; અનેક દેશ તુજ પોતે બહુ વિષમા ગઢ તે લીધા સહુ ૭૨૧ ચીત્રોડગઢ તિણે દીધી દોટ, લીધો કુંભમેરનો કોટ, પાવો જૂનોગઢ આશેર, જીતા કોટ વાજેતે ભેર. ૭૨૨ આટલી સત્તા, સંપત્તિનો સ્વામી એવો અકબર પુણ્યોદયે ગુરુ હીરને મળ્યો અને તેના પ્રભાવથી જૈન ધર્મની કીર્તિ દિગદિગંતમાં ફેલાઈ. અકબરના જનાનખાનાનું વર્ણન કરતાં કવિ નારીના ચાર પ્રકાર પદ્મિની, હસ્તિની, ચિત્રિણી અને શંખિની તેનાં લક્ષણો સહિત ખૂબ સુંદર રીતે વર્ણવે છે. જે તેમના જ્ઞાનગાંભીર્યની સાક્ષી પૂરે છે. આ પછી જ્યારે શ્રી હીરવિજયસૂરિ અકબરને મળવા દિલ્હી જવા ગંધારથી નીકળે છે ત્યારે શુભ મુહૂર્ત નીકળી સામા કોણ મળે છે તેનું વર્ણન કરતાં જે વાત લખે છે તેનાથી તેમનું શુકનશાસ્ત્રનું જ્ઞાન કેટલું ઊંડાણભર્યું છે તેનો ખ્યાલ આવે છે. ગર્જના કરતો હાથી – મહિમા જગત ગાશે, હાથીની જેમ બધે પૂજાશે અને હાથીના શરીરની જેમ યશ વધશે. જમણી બાજુથી નોળિયો – મારાથી જેમ સર્પ દૂર ભાગે છે તેમ તમને જોઈ દુર્જનો દૂર ભાગશે. કંકુમ - પુષ્પયુક્ત ગાય - મારી જેમ આ મુનિવરની પણ પૂજા થશે. તેમને બધા પવિત્ર માનશે. નીરભર્યો ઘડો – તમારી નિર્મળ કીર્તિ થશે અથવા હું જેમ પૂર્ણ શ્રી હીરવિજયસૂરિ રાસ 361 Page #411 -------------------------------------------------------------------------- ________________ છું તેમ તમે સંપૂર્ણ ઋદ્ધિ પામશો. આ ઉપરાંત રાત્રે શાસનદેવી પધાર્યા તેના આશીર્વાદ મળ્યા. અકબરના પ્રતિનિધિ તરીકે સાહિબખાન અમદાવાદ ઘણા આડંબરપૂર્વક સૂરિજીને લેવા આવ્યો. રસ્તામાં ગુરુ સાથે સત્સંગ કરે છે જેમાં ગુરુદેવ જૈન ધર્મનું સ્વરૂપ, સાધુના વ્રતો, અહિંસા, અપરિગ્રહ, અસત્ય, અદત્ત વગેરે સિદ્ધાંતનું સ્વરૂપ સમજાવે છે. મુનિએ કયા બાવન બોલનો ત્યાગ કરવો જોઈએ તે પણ સમજાવે છે. આ બધા વર્ણનમાં કવિનું જૈનધર્મનું જ્ઞાન કેવું વિશાળ અને ગહન છે તેનો ખ્યાલ આવે છે. હરિગુરુ પાટણની યાત્રા કરી, રોહમાં સહસા અર્જુન નામના ભીલોના સરદારને પ્રતિબોધી આ પધાર્યા. ત્યાં ગિરિરાજની યાત્રા કરી. આબુમાં વિમલવસહીને જોઈ હીરગુરુ તેની વારંવાર પ્રશંસા કરે છે. આ વિમલ કોઈ જેવો તેવો રાજા નથી. તેની ઉપર ત્રણ ત્રણ દેવીઓની અમદષ્ટિ છે. તે વર્ણવતાં કવિ લખે છે કે, દુહા. ત્રણ્ય દેવી પરગટ હુઈ અંબાઈ સૂતક; પંચ કોસ બાણ જ વહે સિંઘનાદ આપેહ. ૯૪૫ પદમાવતી ગજ વીસનું, આપે પ્રાકમ સાર; ચક્રેશ્વરી લચ્છી દીએ, તૂકી વિમલકુમાર ૯૪૬ વિમલે લચ્છી બહુ બાવરી, શેત્રુજે સંઘવી થાય; ગઢ ગિરનારે જઈ કરી, આવ્યા વિમલ સુરાય. ૯૪૭ વિમલને અંબાજીએ પ્રસન્ન થઈ કાં પ્રાસાદ, કાં પુત્ર એ બેમાંથી એક માગવા કહ્યું ત્યારે તેમણે પુત્રને બદલે પ્રાસાદ માગ્યો. આ પ્રાસાદનાં દર્શન કરી ઘણાં લોકો તીર્થકર નામગોત્ર બાંધે છે. ત્યાંથી વસ્તુપાળના દેરાસરો જુહારી હીરગુર સિરોહી આવે છે. ત્યાંનો સુલતાન સામો આવી ગુરુદેવનું ઠાઠમાઠથી સ્વાગત કરે છે. હીરગુરુના સત્સંગથી ખુશ થઈ તે વ્યસનો ત્યાગે છે. ત્યાંથી સાદડી, રાણકપુર, ફલોધિના જિનમંદિર જુહારી સાંગાનેર પહોંચ્યા. ત્યાંથી વિહાર કરી આગળ નીકળેલા વિમલહર્ષ ઉપાધ્યાય હીરગુરની પહેલા બાદશાહને મળવા જવા વાત કરે છે. ત્યારે શ્રાવકો ના પાડે છે. જવાબમાં વિમલહર્ષ કહે છે. 362 * જૈન રાસ વિમર્શ Page #412 -------------------------------------------------------------------------- ________________ ધીર્ય ધરી બોલ્યો વિઝાય, કવિત એક કિયો પાનશાય; તો તુજને એ માઠું કરે, પણિ ગુરુ હીર મુનિ ઊગરે. ૧૦૫૫ નિજ આચાર્ય ઉપરિ જોય, તીવ્ર રાગ કોઈકને હોય; ન ખમ્યો સુનક્ષત્ર સુજાણ, વીર કાર્ય જેણે મુક્યા પ્રાણ. ૧૯૫૬ આમ વિમલહર્ષ હીરગુરુની પહેલા અકબરને મળી લે છે. તેમને મળીને અકબર ખૂબ રાજી થાય છે. હીરગુરુ નવલી, ચાટવ્સ, હીંડવણી, સિકંદરપુર, બાના, અભિરામાવાદ પધાર્યા. ત્યાં વિખવાદ દૂર થયા. ત્યાંથી ત્તેપુર સિક્રી તરફ વિહાર કરે છે. તે વખતે ગુરુદેવ સાથે ૬૭ શ્રેષ્ઠી મુનિઓનો પરિવાર હતો. ત્તેપુરમાં અકબરના શેખ દ્વારા ગુરુદેવનું ભવ્યાતિભવ્ય સ્વાગત થાય છે. ગુરુદેવ પાસે મનમાં રહેલી શંકાઓનું સમાધાન તથા સત્સંગના પરિણામે શેખ સમ્યકત્વનો સ્વામી બન્યો. સં. ૧૬૩૯ જેઠ વદ ૧૩ને દિવસે ગુરુ હીર બાદશાહ અકબરને મળ્યા. ત્યારે અકબરે પૂછ્યું કે “તમારા મોટા તીર્થો કયા છે તે અમને કહો” જવાબમાં હીરગુરુ કહે છે કે, (ઢાળ-૪૫ મનભમરાની દેશી) સોરઠમાં શેત્રંજ વડો, ઋષભ જિન ચઢીઆજી; સિધ્ધા સાધુ કોઈ કોડી, મુંગતે અડીઆજી. ૧૧૩૩ બીજો તીરથ ગિરનારિ તિહાં ટુંક સાતજી; ચઢતા નેમિ નિણંદ મુગતિ જાતજી ૧૧૩૪ ગજપકુંડ તિહાં અછે, બહુ દેહરાજી; આબૂ અચલગઢ આંહિ, તીરથ ભલેરાજી. ૧૧૩૫ સમેત શિખર વીસ પૂજા છે, કાસી પાસોજી; અપદિ પ્રાસાદ, ખુધનો વાસોજી ૧૧૩૮ આમ બધા તીર્થોનું વર્ણન કરી, અકબરને ખુદા એટલે કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે તે બતાવતા કહે છે, ધર્મ ન થાય ખાવા વતી, સેવે ન ગુરુના ચરણ; આપ ધણી નવિ ઓલખ્યો, નહિં આતમસુખરણ – ૧૧૫૮ શ્રી હીરવિજયસૂરિ રસ * 363 Page #413 -------------------------------------------------------------------------- ________________ સુખી હોય તબ આતમા, લહે ખુદાની વાત; અકળ અવરણ અભેદ છે, નહિં પગ મસ્તક હાથ, ૧૧૫૯ (ઢાળ-૪૬ પદમરાય વિત એ દેશી) જન્મ જરા ને મરણ નહિં ખુદા તણિ રે, ખુદાના ગુણ એકત્રીસ; પંચવરણથી ખુદા રહ્યો જંગ વેગળો રે, દોએ ગંધ નહિં ઈસ. સુણીએ પાતા રે. પાંચ રસ જેણે પ્રેમ કરીને પરિહર્યાં રે, આઠ ફરસ ત્રિણ્ય વેદ; શરીર રૂપ નહિં કોએ ખુદા તેણે રે, કરવો સંગ ન ખેદ. સુણી. ૧૧૬૦ ૧૧૬૧ ઉપજિ નહિં એ સાંઈ કહા સંસારમાં રે, નહિ પંચે સંસ્થાન; ગુણ એકત્રીસ એ સમરું ભવિ સિધ્ધના રે, જેહને નિરમલ ગ્યાન. સુણી. ૧૧૬૨ સુખ અનંતું રોગ સોગ ભય દુખ નહિં રે, મુગતિશિલા સુખસાર; યોજન લાખ પિસ્તાલીસ પોહોલી લંબપણે રે, ચંદ તણે આકાર. સુણી ૧૧૬૩ 364 * જૈન રાસ વિમર્શ મુગતિશિલા ઉપર ઊંચુ જે જિન કહિં રે, યોજન ચોવીસમો ભાગ; અનંત દરસણ બળ ને વીરજસ્તું વળી રે; ત્યાં હાં રહે ખુદા નિરાગ.સુણી ૧૧૬૪ અહીં ખુદાનું સ્વરૂપ બતાવવા સાથે તે કયા સ્થાને રહે છે તે બધું પણ સુંદર રીતે વર્ણવ્યું છે. ઢાળ ૪૭માં સાધક કેવા હોય? તેનો ધર્મ કેવો હોય? મુક્તિમાર્ગ કેવો હોય? તેનું ખૂબ સુંદર વર્ણન. ઢાળ ૪૮માં પંચાચા૨, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા ગોચરીના બેંતાલીસ દોષનું ખૂબ સુંદર વર્ણન છે. આચાર્યના ૩૬ ગુણનું વર્ણન કર્યું ત્યારે અકબર પૂછે છે કે, “તમે આ ધર્મ બતાવ્યો તે તમે કરો છો?’’ ત્યારે જવાબમાં હીરગુરુએ કહ્યું, “એવો ધર્મ પૂરેપૂરો તો ક્યાંથી કરી શકાય? થોડો ઘણો કરીએ છીએ.'' જવાબ સાંભળી અકબર ઘણો ખુશ થયો. હીરગુરુની પ્રશંસા કરતો કરતો કહે છે કે આવા ફકીર મેં ક્યારેય જોયા નથી. વળી દર્શનો તો ઘણાં જોયાં પણ આવું દર્શન તો એકેય નથી. ત્યાર બાદ ગુરુની ભાટચારણની જેમ ઘણી Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસા કરે છે. પદ્મસુંદર નામના એક સાધુ ખૂબ જ વિદ્વાન હતા. પોષાળમાં ચાર ધર્મ રાખતા હતા. તેઓ જ્યોતિષ, વૈદક, તથા સિદ્ધાંતમાં નિપુણ હતા. અનેક ગ્રંથો તેમની પાસે હતા. વાદવિવાદમાં તેમને કોઈ જીતી શકતું નહિ. તેઓ કાળધર્મ પામતા તેમનાં અમૂલ્ય પુસ્તકો અકબરે સાચવી રાખેલાં તે પુસ્તકો હીરગુરુને આપતા કહે છે કે આ તમે રાખો. ત્યારે હીરગુરુએ તેની આદરપૂર્વક ના પાડી. આથી અબુલફઝલને કહ્યું કે, “હીરગુરુને કહો પુસ્તક સ્વીકારે” ત્યારે અબુલફઝલે આગ્રહ કર્યો ત્યારે ગુરુદેવ કહે, “કોઈ શ્રાવક વણિકને ઘેર પુસ્તકો મૂકો અને જ્ઞાનભંડાર કરો. જે સાધુને ભણવા પુસ્તકો જોશે તે ત્યાંથી લેશે.” ત્યારે અકબર ખૂબ ખુશ થયો કે ગુરુ સાચા વિરાગી છે. ત્યાંથી આગ્રા, શૌરીપુર આદિ યાત્રા કરી ત્યાં અમારિ પડહ પર્યુષણ દરમિયાન વગડાવી ગુરુદેવ ફરી ફત્તેપુર આવ્યા. અકબર તેમનાથી ઘણા ખુશ હતા. કશુંક માગવાનું કહ્યું ત્યારે ગુરુએ જીવરક્ષા માગી. અમારિ પડહ વગડાવ્યો અને તેના ફરમાન લેખિતમાં લીધા. ઢાળ ૫૮ – દેશી ઈલગાની) શાહ અકબર હુકમે હુઆ, લખીઆં ખટ ફરમાન; એક ગુજ્જર દેસે ગયું, શિર ધરે સાહિબખાન; અકબર રે હીરગુરુ રે લખી લખી દીએ ફરમાન. ૧૨૯૭ માલવ દેશમાં મોકલ્યું, આવ્યું એક અજમેર; એક દિલ્લીપુર વર્ચિ, ફરતો નિત ઢંઢેર. અકબર. ૧૨૯૮ લાહોર મુલતાન મંડલિ. ગયું પંચમ ફરમાન; છઠ્ઠ પાસે રાખ્યું સહી, ઠોરિ ઠોરિ ગુરુમાન. અકબર. ૧૨૯૯ શ્રાવણ વદી દસમી થકી, પળે દિવસ વળી બાર; ભાતૂવા શુદિ છઠ્ઠ લગિ, ઉગરે જીવ અપાર. અકબર ૧૩૦૦ જેણે પાપ કરતી વખતે કદી પાછું વાળીને જોયું નહોતું. જે રોજ પાંચસો ચકલાની જીભ ખાતો હતો. અસહ્ય જુલમી અને મહાપાપી હતો તેવા અકબરે વર્ષમાં છ મહિના માંસ ખાવાનું છોડ્યું એટલું જ નહિ હીરગુરુના ધર્મની વાતો, તેમના સત્સંગ, તેમનું જ્ઞાન જોઈ તેમને બિરુદ આપ્યું “જગતગુરુ”નું શ્રી હીરવિજયસૂરિ રાસ * 365 Page #415 -------------------------------------------------------------------------- ________________ તેનું વર્ણન રાસમાં જોઈએ તો, ગચંદ્રસૂરિ તે જગમાં સાર, આંબિલ કીધાં વરસ જ બાર; આદ્ધપુર નગરી મેં જોય, તપા બિરુદ તિહાં કણિ હોય. ૧૩૪૧ ત્રંબાવતી નગરીમાં જોય, દફરખાન તવા હાકિમ હોય; મુનિસુંદરસૂરીશ્વર જેહ જીતે વાદ દિગંબર તેહ. ૧૩૪૨ વાદી ગોકલસાંઢ વૃંદ થાય, તિમ તિહાં બોલ્યો અકબર શાહ; જગત ગુરુ બિરુદ તે કહે, હરિ તણી શોભા વાહ. ૧૩૪૩ ત્યાર બાદ વિજયરાજ પ્રબંધમાં બે પાદશાહી સાધુ વિજયરાજ અને જિનવિજયનું વર્ણન છે. ત્યાંથી હીરગુર મથુરાપુર, ગ્વાલિયરગઢ થઈ આગ્રા પધાર્યા. ત્યાંથી મેડતા થઈ નાગોર પધાર્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. ત્યાંથી શિરોહી આવ્યા જ્યાં વિજયસેનસૂરિ સાથે મિલન થયું. વિજયસેન ગુજરાતમાં ખંભાત આવ્યા. જ્યાં વાજિયા-રાજિયા પારેખે પાંચ પ્રાસાદ કરાવી કનકરત્નમય તેમ જ રજત, પિત્તળ, પરવાળાના બિંબ ભરાવીને કીર્તિસ્તંભ સ્થાપ્યો. તે બંનેના એમાંયે રાજિયાના એટલા ગુણ છે કે કહેતા પાર ન આવે. સંવત ૧૬૬૧માં જ્યારે ભયંકર દુકાળ પડ્યો ત્યારે ૪000 મણ અનાજ આપીને વહીવટીતંત્રને ઉગારી લીધું. શિરોહીમાં ૧૦ દીક્ષા થઈ. જેમાં શ્રીવંત શાહના પુત્ર કુંવરજી હીરસૂરિના પટ્ટધર વિજયાનંદસૂરિ થયા. બીજો પુત્ર ધારો પંન્યાસ ધર્મવિજયત્રીજો પુત્ર અજો પંડિત અમૃતવિજય અને ચોથો પુત્ર મેઘો મેરુવિજય ગણિ થયા. એ જ ગામમાં વરસંગ શાહ થયા તેમણે દીક્ષા લીધી. તે વરસિંગ પંન્યાસ થયા. તેમને ૧૦૮ શિષ્યો થયા. શિરોહીથી નીકળી ગુરુએ પાટણમાં ચાતુર્માસ કર્યું. હીરગુરુના કહેવાથી અકબર પાસે રોકાયેલા શાંતિચંદ્ર ઉપાધ્યાયે કથાકોશ (કૃપારસકોશ) રચ્યો. તે અકબરને સંભળાવી બોધ પમાડ્યો. અકબરના મનમાં દયાધર્મ વસ્યો, અકબરના જન્મનો આખો મહિનો, રવિવારના દિવસો, સંક્રાંતિ અને નવરોજના દિવસો એ દિવસોમાં જીવહિંસા ન કરવાનું ફરમાન કર્યું. ઈદ આવતી હોવાથી ત્યાંથી વિહાર કરવા અકબરની રજા માગી. કારણ તરીકે વર્ણવ્યું કે ઈદના દિવસે હિંસા થાય તો મને પણ દોષ લાગે. અકબરને કહે તમારા ગ્રંથમાં ઈદને દિવસે રોટીને ભાજી ખાવાનું લખ્યું છે. અકબરે બધા ઉમરાવોને એકઠા કરી કિતાબ વંચાવી ત્યારે તેમાં 366 * જૈન રાસ વિમર્શ Page #416 -------------------------------------------------------------------------- ________________ તે જ લખેલું. આથી ઢંઢેરો પીટાવ્યો કે ઈદને દિવસે કોઈ જીવને મા૨વા નહિ. બધું મળી છ માસ અમારપાલન થયું અને બીજું ફરમાન જજિયાવેરો નાબૂદ કરવાનું થયું. પાટણમાં હીરગુરુની વાણીથી પ્રતિબોધ પામેલા સંઘજી શાહ સહિત ૭ જણાએ દીક્ષા લીધી. સં. ૧૬૪૩નું ચાતુર્માસ ખંભાત કર્યું. ચાતુર્માસ પૂર્ણ કરી હીરગુરુ અમદાવાદ પધાર્યા. ત્યારે ત્યાં ગાંધર્વો આવ્યા. જેમણે ૬ રાગ અને ૩૬ રાગિણીઓ દ્વારા ગુરુ હીરના ગુણગાન કર્યાં. ઢાળ ૭૪ની ગાથા ૧૭૪૮થી ૧૭૭૨માં જુદાજુદા રાગોનું ખૂબ સુંદર વર્ણન વાંચીને કવિનું સંગીત અંગેનું જાણપણું કેટલું ગહન છે તે જણાય છે. અમદાવાદમાં જ આજમખાન સાથે મુલાકાત થઈ તેમની સાથે સત્સંગ કરતાં ૧થી ૨૪ તીર્થંક૨ અને તેના આરામાં આવતાં પરિવર્તનની વાત કવિએ કહી છે. આ આરામાં જુદાંજુદાં લક્ષણો હોય છે તેનું પણ સુંદર વર્ણન ગાથા ૧૮૦૩થી ૧૮૧૧માં ખૂબ સરસ રીતે કહેવામાં આવી છે. આ ઉપરાંત હિંદુ તથા મુસ્લિમે ખુદા જોવાની વાત કહી એ વાત આજમખાન ખૂબ ખુશ થાય છે અને કાંઈક માંગવાનું કહે છે ત્યારે હી૨ મહેર અને ખેર કરવાનું કહે છે. ખૂબ આગ્રહ કરે છે ત્યારે હીરજી જગડુશાહ શ્રાવકને કેદ કરેલો છે તેનો છુટકારો માગે છે. અમદાવાદથી વિહાર કરી હીરગુરુ રાધનપુર આવ્યા. સિદ્ધપુર નગરના રામો શાહ તથા રમાદેના પુત્ર રંગો અને ભાણજી બંનેએ દીક્ષા લીધી. બંને પંન્યાસ થયા. ભાલચંદ્ર અકબરને ગુરુઆજ્ઞાથી મળ્યા. અકબરની શિરોવેદના દૂર કરી જીવહિંસા અટકાવી. ઉપરાંત સત્યવાદી ભટ્ટ નામના અભિમાની પંડિત સાથે વાદ કરી તેને હરાવ્યો. અકબર સાથે તેઓ પણ કાશ્મીર ગયા. અકબરનો પ્રશ્ન, નજીકનો ખુદા કોણ છે? તેના જવાબમાં કહ્યું, “નજીકનો જાગતો દેવ સૂર્ય છે. તેના નામે અપાર ઋદ્ધિ થાય છે અને તેના ઘણા ઉપકાર છે.” બાદશાહના કહેવાથી સૂર્યનાં હજાર નામ સંભળાવે છે. તેમણે કાદમ્બરી ટીકા, ભક્તામરસ્તોત્ર ટીકા, વિવેકવિલાસ ટીકા વગેરે ગ્રંથોમાં પોતાને સૂર્યસહસ્રનામાધ્યાપકઃ આવું વિશેષણ આપ્યું છે. એમનાથી બાદશાહ ઘણા પ્રભાવિત થતાં તેમને હીરસૂરિના પટ્ટધર તરીકે સ્થાપવા વિનંતી કરે છે. પરંતુ ભાનુચંદ્ર પ્રેમથી સમજાવે છે કે પોતે ઘણા નાના છે. આથી અકબર ઉપાધ્યાય પદવી આપવા વિનંતી કરે છે. પરંતુ ભાનુચંદ્રને ઉપાધ્યાય પદ અર્પણ કર્યાનો ઉલ્લેખ સંસ્કૃત મહાકાવ્ય શ્રી હીરવિજયસૂરિ રાસ * 367 Page #417 -------------------------------------------------------------------------- ________________ હીરસૌભાગ્યમ્” માં મળે છે. તેમના શિષ્યોમાંથી ૧૩ પંન્યાસ થયા. ઉદયચંદ્ર મુખ્ય હતા. સિદ્ધચંદ્ર નામના શિષ્ય ઘણા હોશિયાર હતા. તેને બાદશાહ પણ ખૂબ મહત્ત્વ આપતા. સિદ્ધચંદ્ર ઘણાં કાર્યો બાદશાહની મદદથી કર્યા છે. જીવદયાના કાર્યો પણ ઘણાં કર્યાં છે. વિસ્તારભયે અહીં ઉલ્લેખ નથી કર્યો. આ ઉપરાંત જેસિંઘ નામે હીરસૂરિના શ્રેષ્ઠ શિષ્ય થયા જેમને હીરસુરિજીએ પોતાના પટ્ટધર તરીકે સ્થાપ્યા હતા. આ જેસિંઘે પોતાના કાર્યો દ્વારા ૩૫ પેઢીને ઉજ્વળ બનાવી તેનો ઇતિહાસ પણ ખૂબ સુંદર રીતે કવિએ અહીં આલેખ્યો છે. જેસિંઘ પૂર્વાશ્રમમાં રાજકુમાર હતા. કમોસાહને કોડાદે નામે પત્ની હતાં. તેમને ત્યાં ૧૬૦રમાં ફાગણ સુદ પૂનમના દિવસે ગુરુવારે જેસિંગનો જન્મ થયો. તે માત્ર સાત વર્ષના હતા ત્યારે તેમના પિતાએ દીક્ષા લીધી. પોતે આઠ વર્ષના થયા ત્યારે સં. ૧૬૧૩ના જેઠ સુદ ૧૧ના દિવસે માતા સાથે સુરતમાં દિક્ષા લીધી. તેમને ભણીગણીને તૈયાર થતાં સં. ૧૬૬૬માં પંડિતપદ – ખંભાત, સં. ૧૬૨૮માં ઉપાધ્યાયપદ અમદાવાદ, સં. ૧૬૩ માં આચાર્યપદ પાટણમાં સાથે પાટસ્થાપના થઈ હતી. અકબર બાદશાહે હીરસૂરિ પાસે વચન લીધેલું કે હીરગુરુ તેમના ગુજરાત પહોંચ્યા પછી અકબરની પાસે વિજયસેનને અવશ્ય મોકલશે. આ વચનની યાદ દેતો પત્ર મોકલ્યો. ગુરુની આજ્ઞા લઈ વિજયસેને દિલ્હી જવા માટે સં. ૧૬૪૯ના માગસર સુદ ૩ને દિવસે પ્રયાણ કર્યું. તેમની સાથે ઘણા વિદ્વાન સાધુઓ હતા. તેમાંના નંદવિજય પંડિત આઠ અવધાનના સાધનારા હતા. તેમના આઠ અવધાન જોઈને અકબરે તેમને “ખુરાફીસ” એવું નામ આપ્યું. એ વખતે ત્યાં શૈવ, સંન્યાસી, બ્રાહ્મણ, ભટ્ટ, પંડિત વગેરે જાતજાતના લોકો વાદ કરવા ભેગા થયા. ત્યારે બ્રાહ્મણોએ અકબરને કહ્યું કે, “જેનો વેદ, સ્નાન, ગંગા, સૂર્ય વગેરેને માનતા નથી અને પોતાના અનાદિ ધર્મને જ સાચો માને છે.” ત્યારે અકબરે કહ્યું કે, “બ્રાહ્મણો શું કહે છે?” ત્યારે વિજયસેન જૈન ધર્મનું સ્વરૂપ સમજાવતા જે વાત કરે છે તે કવિની બુદ્ધિમતા છતી કરે છે, એટલું જ નહિ જૈન મુનિરાજો વાદ-વિવાદમાં કેટલા કુશળ હતા અને કેવી રીતે સામા માણસને ધર્મની મહત્તાનું ભાન કરાવતા તે જોઈએ તો ખરેખર મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે. આમાંની કેટલીક ગાથાઓ જોઈએ તો, 368 * જૈન રાસ વિમર્શ Page #418 -------------------------------------------------------------------------- ________________ (ઢાળ-૮૧ : કાહના પ્રીતિ બાંધી રે, રાગ મારુ) વેદ મેં મહિર કહિ બહુ પણ) મારતે એહ અજાય; અશ્વમેધ નનિ હણે તો, ક્યાાં રહી ઈનકી દયાય. ગાજી. સ્નાન અંગ હય કમ કીજીયે, કામથી દુર્ગંત હોય; ઈનકે ભી તાપસ કૈ હુએ તો, ઘૂસલ ન કરતે સોય. ગાજી. બિંબપ્રતિષ્ઠા કારણે રે, આણયે ગંગાનીર; એ નાંખે જન અસ્થિને તો, ધોવે સયલ શરીર. ગાજી સૂર્યદેવ દેખ્યા બિના રે, અમે ન ખાઉં અન્ન; અસ્ત હોય તવ આખડી તો, માનું સૂર રતન. ગાજી ૧૯૯૩ નિરાકાર સોય નમુંજી, માનું ઉ૨ આકાર; ક્રોધ, માન, માયા નહિ તો, નહિ સ્ત્રીસંગ લગાર. ગાજી ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૮ જૈન અનાદિ છે સહી રે, એકનું એ ઈધાણ; વાસ્તુક શાસ્ત્ર બ્રહ્મા તણું તો, ત્યાં જૈન ભુવન બંધાણ. ગાજી ૧૯૯૯ ૨૦૦૦ આમ ધર્મનું સાચું સ્વરૂપ જાણીને અકબર ખુશ થયો. અકબરે વિજયસેનને સૂરિ સવાઈ” પદવીથી નવાજ્યા. જ્યાં જ્યાં અકબરની આણ વર્તતી હતી ત્યાં ત્યાં જીવદયાનો પ્રચાર થયો. તેની પાછળ હીરગુરુનું જ્ઞાન અને જૈનધર્મની શાન જ રહેલાં છે. વિજયસેનસૂરિને જોતાં જ વાદીઓએ માન મૂક્યું. આ બાજુ હીરસૂરિ રાધનપુરમાં છે. ત્યાં ઉત્સવ કરી પાટણ ગયા જ્યાં ત્રણ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. આ વખતે તેજસાગર અને સામલસાગ૨ નામના બે સાધુને ગચ્છપતિએ ગચ્છ બહાર મૂક્યા. આથી તેઓ કાસમખાન પાસે ગયા. ત્યારે કાસમખાનને શરીરે રોગ થયો હતો. જૈન મુનિઓએ ઔષધ દ્વારા તે મટાડ્યો. કાસમખાને ખુશ થઈ નાણું ધર્યું. બંને સાધુએ તે લેવાની ના પાડી અને કહ્યું કે, અમને ગચ્છમાં પાછા લેવડાવો.” કાસમખાને હીરસૂરિને માનપૂર્વક તેડાવ્યા. ગુરુ પધાર્યા ત્યારે ઘણી ધામધૂમથી તેમનું સ્વાગત કર્યું. પોતે સામો તેડવા આવ્યો. ધર્મની વાતો પૂછી સામે થોડા પ્રશ્નો કર્યાં પણ હીરસૂરિએ આપેલા ઉત્તરો સાંભળી ખૂબ જ ખુશ થયો, એટલું શ્રી હીરવિજયસૂરિ રાસ * 369 Page #419 -------------------------------------------------------------------------- ________________ જ નહિ જીવદયામાં ધર્મ છે તે સમજ્યો અને તે પ્રમાણે કરવા તૈયાર પણ થયો. ખાને હીરસૂરિને બંને સાધુઓને ગચ્છમાં પાછા લેવા વિનંતી કરી ત્યારે પૂ.શ્રીએ કહ્યું કે અમને એ લોકોને સાથે રાખવામાં શું વાંધો હોય? પરંતુ એ લોકો ગુરુ આજ્ઞા માનતા નથી. પોતાની રીતે વર્તે છે. છતાં તમારા કહેવાથી ગચ્છમાં લઈએ છીએ. કાસમખાને બંનેને ગુરુને સોંપ્યા અને કહ્યું કે ગુરુ કહે તે રીતે વર્તજો. ખાને ગુરુદેવને વાજતેગાજતે વળાવ્યા. ગુરુદેવ ઉપાશ્રયમાં આવ્યા ત્યારે તે બંનેએ પૂછ્યું કે, “અમે ક્યા સ્થાને ઊતરીએ?” આથી લાભવિજયે કહ્યું, “મસ્જિદમાં જઈને ઊતરો, સઘળું કહેણ કરીને આવો પછી તમને સમુદાયમાં લઈશું.” આથી બંને ખૂબ લજ્જા પામ્યા. અને પાછા વળ્યા. ફરી પાછા એમણે વિનંતી કરી નહિ અને પોતાની રીતે અલગ રહ્યા. હીરગુરુની કિર્તિ સર્વત્ર પ્રસરી. પાટણમાં હીરસૂરિને સ્વપ્ન આવ્યું કે પોતે હાથી પર બેઠા છે અને હાથી પર્વત ચડે છે. આ સાંભળી સોમવિજય બોલ્યા, જેનું તમે મનમાં ચિંતવન કરતા હતા તે શત્રુંજયયાત્રા સુખથી થશે.” સ્વપ્નનો આવો સંકેતાર્થ સાચો માની તેઓ વિમલાચલ જવાનું નક્કી કરે છે. સકળ સંઘ ભેગો થશે. ગામેગામ કાસદ મોકલ્યા. સહુ શત્રુંજય જવાની તૈયારી કરવા લાગ્યા. પાટણથી વિહાર કરી અમદાવાદ આવ્યા. ત્યાંના પાદશાહ પૂછે છે કે ધર્મ કોને કહેવાય? શાહ મુરારિને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવે છે. પાદશાહ ખૂબ ખુશ થાય છે. કાંઈક માંગવાનું કહેતાં જીવરક્ષા માગે છે. અમારિ પડહ વગડાવી. માણસોને સાથે ધ્યાન રાખવા મોકલી ગુરુને વિદાય આપે છે. ધોળકા પહોંચ્યા ત્યાં ઉદયકરણે તેમને રોકી રાખ્યા. ત્યાંથી ઘણા સાથે જોડાયા. સોરઠનો સ્વામી હરિગુરુની સામે આવ્યા. અકબરના ફરમાન તેમને બતાવ્યા. તેમણે ખૂબ માન આપ્યું. ગુરુદેવનું શત્રુંજયમાં અભૂતપૂર્વ સ્વાગત થાય છે. સં. ૧૯૫૦માં ચૈત્રી પૂનમે ૭ર સંઘવીઓ સાથે પધાર્યા. ઢાળ ૮૩ના દુહામાં શત્રુંજય પર્વતની એકથી સાત ટૂંકનું વર્ણન કવિએ ખૂબ સરસ રીતે કર્યું છે. સાતે ટૂંકમાં શું આવેલું છે તેનું સંપૂર્ણ વર્ણન કરી. ઢાળ ૮૪માં શેત્રુંજ્ય પર્વતના એક એક દેહરા તેમ જ સ્થળનું વર્ણન છે જે ખૂબ સુંદર રીતે કેટલાં જિનબિંબ, કેટલી દેરીઓ, કેટલાં પગલાં બધું જ છે ત્યાર બાદ શત્રુંજય માહાસ્ય બતાવે છે. અન્ય તીર્થો છે પણ જ્યારે પૂર્વના કોટિ પુણ્યો ભેગા થાય ત્યારે શ્રી વિમલાચલના દર્શન થાય. તે મહત્ત્વ 370 * જૈન રાસ વિમર્શ Page #420 -------------------------------------------------------------------------- ________________ વર્ણવતી ગાથાઓ જોઈએ તો, નાગ મોર નહિં વેર લગાર, ખરી ઋદ્ધિનો એ દેવણહાર; દારિદ્ર રોગનો ખ્યય ઈહાં થાય, પગ પગ ચઢતાં પાતિગ જાય. ૨૧૧૩ સિદ્ધ ગતિની સૂરની ગતિ દેહ, ત્રેવીસ જિનવર ત્યહાં આવે; કાકરે કાકરે સિદ્ધ અમંદ, શેત્રુંજયગિરિ ગુણનો નહિ અંત. ૨૨૧૫ નબલો ખાંડ સેર ત્યે સાથિ, ઘોળી જળમાં કે અન્ય હાથિ; ઈસી વાત કહી જગનાથિ, પુણ્ય ઉપાડી ન સકે બાથિ. ૨૦૧૮ પર્વત પર આવતા જળકુંડોનો મહિમા બતાવતાં કવિ લખે છે કે, બાથિ પુણ્ય ન ઊપડે, નાહિ સુરજકુડિ; ભીમ કુંડહાં નાહતાં, પાતિગ નાહાસે છડિ. ૨૧૧૯ વિષ્ણુકુંડ પાસે સહી, ખોડીયારકુંડ જ જેહ, ઋષભદેવને પૂંજીને, નિરમલ કીજે દેહ. ૨૧૨૦ મરૂદેવ્યા ટૂંક જઈ, અદબદ દેહવું જ્યાંહિ. સામકુંડ નિર્દિ ભર્યો, દેહ પખાલો ત્યાંહિ. ૨૧૨૧ પખાલ નર પાતિગ છોડી, એણે ગિરિ મુગતિ ગયા કઈ કોડિ;. . આમ દેશ-પરદેશના સંઘો હીરસૂરિના અહીં આવવાથી સિદ્ધાચલના દર્શને આવ્યા. ચારે બાજુ મદનભેરી અને રણતુર વાગે છે. કાંસીજોડા વાગે છે. જંતર અને વીણાના સૂરો રેલાય છે. મેરુપર્વત પર (જન્માભિષેક)ના મહોત્સવ જેવો શત્રુંજય ઉપર ઉત્સવ થાય છે. ખૂબ જ ઠાઠપૂર્વક સર્વે ઋષભદેવને ભેટ્યા, ત્રણ પ્રદક્ષિણા કરી, પછી હીરગુરુને ખમાસણાં દઈને વંદના કરી. ઋષભદેવના મસ્તકે છત્ર ચડાવે છે. એક પછી એક સંઘવીઓ દર્શન કરવા આવે છે. ડામર સંઘવી, ગંધારના રામજી દર્શને આવે છે. સમજીએ પોતાને સંતાન થતાં ૨૨ વર્ષની યુવાન પત્ની સાથે શિયળવ્રતના પચ્ચકખાણ કર્યા. અન્ય પ૩ જણાએ પણ વ્રત લીધું. પાટણના કરૂ સંઘવી વગેરે પણ દર્શને આવે છે. શ્રાવકોએ હીરનું પૂજન અગિયાર હજાર ભરૂચીની શ્રી હીરવિજયસૂરિ રાસ +371 Page #421 -------------------------------------------------------------------------- ________________ ઉછામણીથી કર્યું. અન્યનું આખા જન્મારાનું જે પુય હોય એનાથી શ્રી હીરનું એક ઘડીનું પુષ્પ ચડી જાય. ત્યાંથી ઊતરી પાલિતાણામાં આવે છે. ત્યાં કેટલાક દર્શનાર્થીઓને પાલો રાંધીને જમતાં હીરસૂરિએ જોયા તે ન ગમ્યું. તેથી સોમવિજયજીને વાત કરી. સોમવિજયજીએ તેજપાલને વાત કરી. તેજપાલે સાંગદે સાથે મળી દર્શનાર્થીઓને તેડ્યા. બધાને ચાર રોટલી, ચાર કડછી અન, પાશેર ઘી, બે શાક, સુખડી આપી. બધા ખુશ થયા. હીરની કીર્તિ આકાશે પહોંચી. ઉદયકરણ શેઠ ગચ્છપતિને ખંભાત આવવા વિનવે છે. દીવનો સંઘ પણ ખૂબ વિનંતી કરે છે. મેઘજી પારેખ, દામો પારેખ, રાવજી ખોળા પાથરે છે. દીવના લાડકીબાઈ વિનંતી કરતાં કહે છે કે – સઘલે જ્યોતિ કરતો તે સદા, ભુંયરામાંહિ ન ઊગ્યો કહા; ભુંયરાના વાસી છું અમો, તિહાં અજવાળું કીજે તમો. ૨૧૯૭ સંઘની ઉત્કટ વિનંતીથી હીરજી ઊના જવાનું નક્કી કરે છે. દાઠા, મહુવા થઈ દેલવાડા અને અજારા આવ્યા. ત્યાં ભગવાનની પૂજા કરી. દશરથપિતા અજરામે (અમરાની) મૂર્તિ ભરાવી હતી. તેની ઉત્પત્તિનો વૃત્તાંત ખૂબ સુંદર વર્ણવવામાં આવ્યો છે. અજારાથી દીવનો સંઘ ગુરુજીને તેડી ગયો. ત્યાંથી ઊના ગયા, સવારે ૨૫ સાધુઓ હતા. ત્યાં આજમખાન ગુરુને વાંદવા આવે છે. ગુરુનું વ્યાખ્યાન સાંભળી ખુશ થાય છે. ગુરુના આદેશથી બંદીઓને છોડે છે. ઊનામાં ત્રણ મોટી પ્રતિષ્ઠા થાય છે. પ્રથમ મેઘજી પારેખે કરાવી, બીજી લખરાજ રૂડાએ કરાવી અને ત્રીજી લાડકીબાઈની માતાએ કરાવી. ત્યાંના શાહબકોરે સંયમ અંગીકાર કર્યો. શ્રીમાળ વંશના શણગારરૂપ હતા. અનેક શાસ્ત્રો ભણી નિર્મળ સાધુપણું પાળે છે. ઉપધાનભાવ અને વ્રતપૂજા થઈ નવાનગરનો પુરુષ અને જામસાહેબ વજીર અબજી ભણશાલી આવી ગુરુને વંદન કરે છે. ઊનામાં ચોમાસુ પૂરું થયું એટલે સૂરિજી વિહાર માટે તૈયાર થયા. પણ શારીરિક સ્વાથ્ય સારું ન હોવાથી શ્રાવકોએ કહ્યું કે, “આ વર્ષે પણ ચોમાસું અહીં જ રહો. શરીર સ્વસ્થ થતાં વિહાર કરજો.” આમ ઊનામાં જ રોકાયા. પગે સોજા હતા. ઔષધ કરાવતા નહોતા. દિવસે દિવસે સ્વાથ્ય બગડે છે પણ ઔષધ કરાવતા નથી તેથી દીવ-ઊનાનો સંઘ ભેગો થયો. બધા તે જ સ્થાને ઉપવાસ પર ઊતર્યા. ગુરુને નિર્દોષ ઉપચાર કરાવવા આગ્રહભરી વિનંતી કરી. બાળકોને માતા ધવરાવતી પણ નથી. આથી 372 જૈન રાસ વિમર્શ Page #422 -------------------------------------------------------------------------- ________________ હીરસૂરિએ કમને ઇલાજની હા ભણી. ઇલાજથી થોડો આરામ થયો પણ પૂર્ણ સ્વસ્થતા ન આવી. પોતાનું આયુષ્ય ઓછું જાણી સર્વે સાધુઓને બોલાવ્યા અને કહ્યું, “સત્વરે જેસિંગને – વિજયસેનસૂરિને તેડાવો તેથી મને શાંતિ થાય.” | મુનિએ કાગળ લખ્યો. ધનવિજય કાગળ લઈ તેડવા ગયા. લાહોર જઈ અકબરને કાગળ આપ્યો. અકબરે વિજયસેનસૂરિને કહ્યું, “આપ વેગે જાઓ અને ગુરુને મળો. મારી દુઆ એમને પહોંચાડજો.” આ બાજુ ગુરનું સ્વાથ્ય કથળતાં જ આતમકાજ કરવાનું કહે છે. જવાબમાં સોમવિજય તેમને કહે છે કે તમે અત્યાર સુધી આતમકાજ જ કર્યા છે તે યાદ કરો. તેમણે કરેલી સાધના વિષે જણાવતાં તેઓ કહે છે – આવા વિષમકાળમાં પણ આપે આત્મસાધના કરવામાં કચાશ નથી રાખી. ત્યાગ, વૈરાગ્ય, તપશ્ચર્યા, જ્ઞાન, ધ્યાન, ક્ષમા આદિ ગુણો તથા અસંખ્ય જીવોને અભયદાન આપવા-અપાવવા દ્વારા આપનું જીવન સાર્થક જ છે. આપે એકાસણું, નીવી કરી તેમાં પાંચ વિગરનો ત્યાગ કર્યો છે. ૧૨ દ્રવ્ય અને દોષરહિત આહાર વાપરવાના નિયમો પાળ્યા છે. વિજયદાનસૂરિ પાસે બે વાર આપે આલોચણા લીધી છે. આપે ૨૨૫ છઠ્ઠ, ૮૧ અઠ્ઠમ ૨૦૦ આયંબિલ, ૨૦૦ નીવી, ૮૧ એકભક્ત, ૩૬OO ઉપવાસ એમ અનેક તપ કર્યા. વીસ સ્થાનક તપની આરાધના વીસ વાર કરી તેમાં ૪૦૦ આયંબિલ કર્યા, ૪૦૦ ચઉત્થભા કર્યા. સૂરિમંત્રની આરાધના ત્રણ માસ કરી. તેમાં ઉપવાસ, આયંબિલ, કાયોત્સર્ગ, નીવી, એકાસણા આદિ કર્યા. જ્ઞાનની આરાધના માટે બાવીસ માસ તપ કર્યું. પહોરમાં પાંચસો વાર ખમાસમણ, લોગસ્સ, ઉજ્જો અગરેનું ધ્યાને એમ ૨૨ માસ કાઉસગ્ગ કર્યો. ગુરુતપમાં ત્રણ મહિના અઠ્ઠમ, છઠ્ઠ, ઉપવાસ, આયંબિલ નીવી વગેરે તપ કર્યો. વાપરવામાં સફેદ ધાન્ય તે પણ અલૂણું. જ્ઞાન-દર્શન, ચારિત્રની આરાધનાનું ૧૧ માસનું તપ તથા સાધુની બાર પ્રતિમા વહન કરવારૂપ તપો આપે કર્યા. અભિગ્રહો ધારણ કર્યા. આતાપના પણ લીધી. આપે અનેક ગ્રંથોનું સંશોધન કર્યું. ચાર ક્રોડ ગાથાનો સ્વાધ્યાય કર્યો. અનેક શિષ્યોને દીક્ષા આપી. ૧૬0ને પંડિતપદ પંન્યાસપદ) આપ્યું. ૬૦ સાધુઓને ઉપાધ્યાય પદ આપ્યું. એકને આચાર્યપદ આપ્યું. આપના ઉપદેશથી ૫00 જિનમંદિરો, ૫૦ બિંબપ્રતિષ્ઠાઓ થઈ. આપે આબુ, અચલગઢ, શ્રી હીરવિજયસૂરિ રાસ 373 Page #423 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર, મેવાડ, લવર્ધી, વરતાણા, કુંભલમેર, પાટણ, અમદાવાદ, ખંભાત, ગંધાર, શૌરીપુર, મથુરા, ગ્વાલિયર, ચિત્તોડ, તારંગા, શેત્રુંજય, ગિરનાર વગેરેની યાત્રા કરી. લાખ બિંબોને વંદન કર્યા. અકબરને જીવદયા પ્રતિપાલક બનાવ્યો. તીર્થોના સંઘ કાઢનારા ૩૦૩ સંઘવીઓ આપના ઉપદેશથી થયા. ગુજરાત, માળવા, સોરઠ, વાગડ, મારવાડ, દક્ષિણમાં કોંકણ, મેદપાટ, મેવાત, આગ્રા અને કામદેશમાં આપે વિહાર કર્યો. આમ તેમનું સમગ્ર જીવનકવન તેમની સમક્ષ વર્ણવી તેમને અનશન ન કરવા સમજાવે છે. ભાદરવા સુદ ૧૦ની મધ્યરાત્રિએ તેમની તબિયત લથડી. શિષ્ય પરિવારને પાસે બોલાવી બધાને હિતશિખામણ આપે છે. ત્યાર બાદ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એ પાંચ આચારમાં લાગેલા અતિચારો આટોપી, સર્વેને ખમાવી, અઢાર પાપસ્થાનક વોસિરાવી ચાર શરણ ગ્રહણ કરે છે. ઈહલોક-પરલોકના કરેલા દુષ્કૃત્યોની આલોચના કરે છે. નિંદાગહ કરે છે. ત્રણે લોકના સર્વે જિનબિંબોને અને પ્રતિમાઓને વંદન કરે છે. પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોને વંદન કરે છે. શલ્ય, નિયાણાને વોસિરાવે છે. ૧૨ ભાવના ભાવી, નવકારમંત્રનું રટણ કરે છે. સાત પહોરનું અનશન પાળીને તેઓ સુરલોકે સંચર્યા, ઈશાન દેવલોકમાં દેવપણું પ્રાપ્ત કર્યું. સંવત ૧૬૫ર, ભાદરવા સુદ ૧૧ને ગુરુવારના શુભદિને શ્રવણ નક્ષત્રમાં ગુરુવર દિવંગત થયા. તેમનો નિર્વાણ મહોત્સવ ઊજવવા દેવો મૃત્યુલોકમાં આવે છે. આખી જીવસૃષ્ટિ દુઃખી દુઃખી થઈ જાય છે. શ્રી હીરગુરુની ચિતામાં ૧૫ મણ સુખડ, ૫ મણ સુગંધી અગર, ૩ શેર કપૂર, ૩ શેર કસ્તુરી, ૩ શેર કેસર મુકાયું, સુગંધી અગરનો ૫ સેર ચૂવો ચિતામાં નાખ્યો. આબાલ-વૃદ્ધ સહુ મુનિઓએ અઠ્ઠમ તપ કર્યું. જે વાડીમાં અગ્નિસંસ્કાર થયો ત્યાં ફળતા નહોતા તે આંબા પણ મહોરી ઊઠ્યા. બધા આંબા ફૂટ્યા તે કળિયુગમાં કૌતુક થયું. અકબરે અગ્નિસંસ્કારની ભૂમિ ભેટમાં આપી. લાડકીબાઈએ એ ભૂમિ પર સ્તુપ કરાવ્યો. હીરગુરુનાં પગલાં સ્થાપન કરાવ્યાં. વિજયસેનસૂરિ આવી પહોંચ્યા. ગુરુની વિદાયને કારણે તેઓ ભાંગી પડ્યા. ત્રણ દિવસ સુધી આહાર પાણી પણ ગ્રહણ કરતા નથી. ચોથે દિવસે સંઘ સમજાવે છે કે જો તમે જ હિંમત હારી જશો તો બધાનું શું થશે? આમ સમજાવતાં વિજયસેનસૂરિ શાંત પડે છે. ચોથે દિવસે વ્યાખ્યાન આપી થોડો આહાર ગ્રહણ કરે છે. ગુરુના જીવનને વિચારી, તેમણે આપેલી હિતશિક્ષાઓ સ્મરી 374 * જૈન રાસ વિમર્શ Page #424 -------------------------------------------------------------------------- ________________ ગચ્છને વિસ્તાર્યો. શિષ્યગણને હીરગુરુની ખોટ સાલવા દીધી નહિ અને હીરગુરુના વચનને, વિશ્વાસને અને નામને દીપાવ્યા. આમ લગભગ ૧૦૧મી ઢાળથી ગુર્નાવલિની શરૂઆત થાય છે. જેમાં હીરસુરિની આગળની પ૭ પાટનો વિસ્તૃત રીતે ઉલ્લેખ છે. વસ્તુપાળ, તેજપાળ જેવા શ્રાવકોનું સવિસ્તર જીવન સાથે વ્રજસ્વામી, દેવેન્દ્રસૂરિ, હેમવિમલસૂરિ, આણંદવિમલસૂરિ, વિદ્યાસાગર, વિજયદાનસૂરિજીના ચરિત્રનો પણ વિસ્તારથી સમજાવી ઉલ્લેખ કરેલો છે. ભૈરવ શાહ શ્રાવક, ભદૂઆ શ્રાવક વગેરેના જીવન પ્રસંગો વર્ણવેલા છે. હીરસૂરિના જીવનના પ્રસંગોનો ઉલ્લેખ છે. તેમના શિષ્યો કે જેઓએ ગુરુના નામને ચાર-ચાંદ લગાડ્યા તેમનો ઉલ્લેખ છે. ૧૦૮મી ઢાળમાં કવિએ પોતાનો પરિચય મૂક્યો છે. આ પરિચય મૂકવાની ખૂબી એ છે કે રાસની રચના કયા દેશમાં, કયા ગામમાં, કયા રાજાના રાજ્યમાં, કોના પુત્રે, કયા સંવત્સરના કયા માસમાં, કયા દિવસે, કયા વારે રચ્યો તે વાત સમસ્યાથી (ઉખાણાની જેમ મૂકીને) દર્શાવવામાં આવી છે. પાછી એવી તાકીદ કરી છે કે, મૂર્ખ માણસ તો આ નહિ સમજી શકે પરંતુ નિપુણ પંડિત તેને ચોક્કસ સમજી શકશે. આ બધી ગાથાઓનો ઉલ્લેખ કર્યા વિના આ રાસનું સમાપન પૂર્ણ નહિ થાય તે જોઈએ તો - ચોપાઈ પાટણમાંહિ હુઓ નર જેહ, નાત ચોરાસી પોષે તેવ; મોટો પુરુષ જગે તેહ કહેસ, તેહની નાતને નામે દેસ. | ગુજ્જર દેસ ૩૦૫૪ આદિ અખર વિન “બીબે” જોય. મધ્ય વિના સહુ કોનિ હોય; અત્ય અક્ષર વિન ભુવન મજારિ, દેખી નગરના વિચાર – ખંભાત – ૩૦૫૫ ખ' ડગતણો ધુરિ અક્ષર લેહ, અખર ધરમનો બીજો જેહ; ત્રીજો કુસુમ' તણો તે ગ્રહી નગરી નાયક કીજે સહી. - ખુરમ પાદશાહ – ૩૦૫૬ શ્રી હીરવિજયસૂરિ રાસ 375 Page #425 -------------------------------------------------------------------------- ________________ નિસાણતણો ગુરુ અવ્વર લેહ, લઘુ હોય ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, કવિ કેરો તે કહું પિતાય. – સાંગણ -૩૦૫૭ ચંદ અખ્તર “–ષિ ઘરથી લેહ મેષલા તણો નયણમો જેહ; અખ્યર ભવનમાં શાલિભદ્રા તણો, કુસુમ દામનો વેદમો જાણો, ૩૦૫૮ વિમલ (વ) “સહી અખેર બાણમો, જોડી નામ કરો કાં? ભમો! ઋષભદાસ – ૩૦૫૯ દિગ આગળ લે ઈદુ ધરો, કાલ સોય તે પાછળ કરો; કવણ સંવત્સર થાયે વળી, ત્યારે રાસ કર્યો મન રલી - ૧૬૮૫ () ૩૦૬૦ વૃક્ષમાંહિ વડો કહેવાય, જેણે છાંહિ નર દુષ્ટ પલાય; તે તરુઅરને નામે માસ, કીધો પુણ્ય તણો અભ્યાસ. આસો માસ ૩૦૬૧ આદિ અખ્તર વિન કો મમ કરો, મધ્ય વિના સહુએ આદરો; અંતિ વિના સિરિ રાવણ જોય, અજાઆલી તિથિ તે પણ હોય. શુક્લ દરામ ૩૦૬ર સકલ દેવ તણો ગુરુ જેહ, ઘણા પુરુષને વલ્લભ તેહ ઘરે આવ્યો કરી જયજયકાર, તેણે વારે કીધો વિસ્તાર. – ગુરુવાર ૩૦૬૩ દિવાળી પહેલું પરવ જ તેહ, ઉદાઈ કેડે નૃપ બેઠો તેહ; બહુ મળી હોયે ગુરુનું નામ, સમયે સીઝે સઘળાં કામ – | વિજયદાનસૂરિજ ૩૦૬૪ આમ ખૂબ સુંદર રીતે, શ્રેષ્ઠ બુદ્ધિમત્તાનો પરિચય કરાવનારી આ ગાથાઓ કવિમાં રહેલી દક્ષતા, નિપુણતા અને હોશિયારી કેટલી છે તે દર્શાવે છે. આ કવિએ ૫૮ સ્તવનો અને ૩૪ રાસાની રચનાઓ કરી છે. તે જ તેમના પર રહેલી માતા સરસ્વતીની કૃપાનો નિર્દેશ કરે છે. 376 * જૈન રાસ વિમર્શ Page #426 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: ભગવાન મહાવીરની ૫૭મી પાટે થયેલા શ્રી વિજયદાન સૂરિના અનન્ય ભક્ત એવા કવિ શ્રી ઋષભદાસે શ્રી હીરવિજયસૂરિ રાસની રચના કરી છે. મંગલાચરણમાં માતા સરસ્વતી, તીર્થકર, ગુરુદેવ આદિને વંદન કરીને રાસનો આરંભ કરે છે, તો અંતમાં કેટલાક ઉખાણાઓ દ્વારા કવિ રાસના રચયિતા ખૂબ જ સુંદર રીતે બુદ્ધિમત્તાથી પોતાનો પરિચય આપે છે. ૧૧૦ ઢાળમાં આ રાસની રચના કરવામાં આવી છે. ઢાળના આરંભે રાગ-રાગિણીઓના નામનો નિર્દેશ થયેલો છે. આ રાસા મુખ્ય તો દોહા, રોલા, દાત્તા, ચોપાઈ, કવિત સોરઠા વગેરે માત્રામેળ છંદોમાં રચાયા છે. આ રાસને ઐતિહાસિક કહી શકાય. ઇતિહાસમાં સુવર્ણપૃષ્ઠોને આલેખતા ચરિત્રોને વર્ણવતા આ રાસમાં નાયકના માતા-પિતા, ગુરુ, નગરી, જન્મસ્થળ, શૈશવ, તીર્થયાત્રા, દીક્ષા, શાસ્ત્રાભ્યાસ, આચાર્યની પદવી પ્રાપ્તિ, શાસન પરનો પ્રભાવ, નિર્વાણ વગેરેનું વર્ણન ખૂબ જ સુંદર રીતે જે તે સમયની સંસ્કૃતિને તાદ્દશ કરતું હોય તે રીતે કરવામાં આવ્યું છે. આ રાસનું મુખ્ય પ્રયોજન જેન ધર્મનો પ્રચાર-પ્રસાર જ છે. આથી જ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોથી માંડીને જેન ધર્મનું સ્વરૂપ વગેરેનું ખૂબ જ વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવ્યું છે. જૈન તત્ત્વદર્શન અન્ય દર્શનો કરતાં કેવી રીતે ચડિયાતું છે તે પણ વાદવિવાદથી બતાવીને અન્ય દર્શન કરતાં આ દર્શન શ્રેષ્ઠ છે તે પુરવાર કરવામાં આવ્યું છે. તે સમયની ઐતિહાસિક, ધાર્મિક તેમ જ ભૌગોલિક પરિસ્થિતિનો પણ ઉલ્લેખ મળી રહે છે. એમાંથી ભાષાવિકાસનો ક્રમિક પરિચય પણ મળે છે. વળી આ રાસમાં શત્રુંજય તીર્થનો મહિમા તથા અન્ય તીર્થોનો ઉલ્લેખ ખૂબ જ ઝીણવટથી કરવામાં આવ્યો છે. ખાસ કરીને યાત્રા દરમિયાન હીરસૂરિજીનું ઠેરઠેર કરવામાં આવતું સ્વાગત, હીરસૂરિજીનો શાસન પર પ્રભાવ, તેમના ક્ષાવકોનો તેમના પ્રત્યેનો ભક્તિભાવ તથા ધર્મક્ષેત્રે દ્રવ્ય વાપરવામાં દર્શાવેલી ઉદારતા વગેરેનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અંતમાં હીરગુરુનો રાસ જે ભણે, ગણે, વાંચે કે સાંભળે તેને થતાં લાભ વર્ણવતા લખ્યું છે કે, ભણે ગુણે વાંચે સાંભળે, તેહને બારે કલ્પદ્રુમ ફળે; લિખલિભાવે આદર કરે, પુણ્ય તણો ઘટ પોતે ભરે! ૩૦૦૩ શ્રી હીરવિજયસૂરિ રાસ 377 Page #427 -------------------------------------------------------------------------- ________________ હીર તણો જે સણયે રાસ, તેહના મનની પોહોચે આશ; તસ ધરિ હોય કમળાવાસ તેહને ઉપચ્છવ બારે માસ : ૩૦૦૪ ચોપાઈ હિરનામ સુણતા સુખ થાય, મહઅલિ માને મોટા રાસ; મંદિર મણિ સુંદર મહિલા, હય ગય વૃષભો મહિષી ગાય! ૩૦૦૫ પુત્ર વિનીત ધરિ દીસે બહુ, શીલવતી ધરિ દીસે વહુ સકટ ઘણાં ધરિ વહેલ્યો બહુ કીર્તિ કરે જગે તેહની સહુ! ૩૦૦૬ રોગ રહિત શુભ થાનક વાસ, ગણા લોક કરે તસ આસ; બહુ જીવે ને બહુ લજાય, સોવન તણી પામે શવાય! ૩૦૦૭ જપે હીર તણું જે નામ, કરે દેવતા તેહનું કામ; જેણે નામે વિષધર વિષ જાય, જેણે નામે ગજિસિંહ પળાય! ૩૦૦૮ જેણે નામ વયરી વશ થાય, જેણે નામ દુષ્ટ દૂર જાય; પ્રવહણમાંહિ બૂડતો તરે, હરિનામ જો હિયે ઘરે! ભૂતપ્રેત ન માંડે પ્રાણ, હીરના નામે જપો જગે જાણ; હીર તણા ગુણ હીઅડે ઘરે, જો જીવિતાં લગિ લીલાં કરે. ૩૦૧૦ ૩OO૮ ૩૦૧૧ ચરિત્ર હીર તણું સાંભળી, પાપ થકી રહે પાછો ટળી; ન કરે હિંસા બોલે સાચ, વિવહારશુદ્ધિ નિરમળ કાચ. ઇતિ શ્રી હીરવિજયરાસ સંપૂર્ણ 378 * જૈન રાસ વિમર્શ Page #428 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્યકુશલ રચિતઃ જગડુરાસ ડૉ. શોભના આર. શાહ આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪] પ્રાચીન ભારતીય પરંપરામાં રાસ, કથા, ચરિત્ર આદિનું આગવું સ્થાન છે. જેના દ્વારા માનવી પોતાના વિચારો, અનુભવો, કૌતુકો, સાહસો અને ઉપદેશોનું વર્ણન સરળતાથી અને સહજતાથી કરી શકે છે. એટલું જ નહીં પરંતુ જટિલ જણાતી સમસ્યાઓનું સમાધાન પણ તેના દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવે છે. આમ પ્રાચીન કાળથી જ રાસ, કથાઓ અને ચરિત્રનું નિર્માણ થતું આવ્યું છે. અને તે સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ભોગવે છે. ભારતીય પરંપરાની કેટલીય મૂળભૂત કથાઓ, રાસ વિદેશની ધરતી પર પહોંચી માનવજીવનનો સંદેશ રજૂ કરે છે. રાસસાહિત્યનું અધ્યયન તે સમયની સંસ્કૃતિનો વિકાસ, રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિઓનું સમ્યફ આકલન કરવા માટેનું સબળ સાધન છે. ભારતીય કથાસાહિત્યને ચાર ધારામાં વિભક્ત કરવામાં આવ્યું છે : ૧. વૈદિક, ૨. બૌદ્ધ, ૩. જેન, ૪. લોકરંજન આમાંથી મધ્યકાલીન ગુજરાતી જૈન કથાસાહિત્ય ભારતીય કથાસાહિત્યની એક મહત્ત્વની ધારા ગણાવાઈ છે. રાસનો આરંભ : જૈન કથાસાહિત્ય અનેક સાહિત્યસ્વરૂપોમાં કલાત્મક રીતે રચાયેલું છે. જેને કથાસાહિત્ય રાસા, પ્રબંધ, પવાડા, પદ્યવાર્તા – એમ ચાર જેટલા સ્વરૂપમાં સમાવિષ્ટ છે. જૈનધર્મ ચરિતાનુરાગી હોઈ એમાં ચરિત્રને ઉપસાવતું સાહિત્ય સવિશેષ છે. મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યમાં ‘રાસનું નિર્માણ પ્રાચીનકાળથી જ પ્રારંભ થઈ ચૂક્યું હતું. એટલું જ નહીં, પરંતુ તેને ઉપદેશનું સબળ અને પ્રબળ છતાં સહજ માધ્યમ માનવામાં આવ્યું છે. સાહિત્યમાં રાસનું અત્યધિક મહત્ત્વ છે. રાસાના કેન્દ્રમાં ચરિત્ર જ હોય છે. ક્યારેક-ક્યારેક એ ચરિત્ર પ્રચલિત લોકકથાનું હોય, ક્યારેક ધર્મકથાનું હોય, ક્યારેક વ્રતકથાનું હોય, ક્યારેક ઐતિહાસિક કે પૌરાણિક પણ હોય તો ક્યારેક માત્ર બોધ-ઉપદેશ જ કેન્દ્રમાં જગડુરાસ * 379 Page #429 -------------------------------------------------------------------------- ________________ હોય. રાસ કૃતિઓ પણ વિવિધ પ્રકારે વર્ગીકૃત થયેલી જોવા મળે છે. ૧. કથાત્મક ૨. ધાર્મિક સ્થાનક – ચરિત્ર કથાનક – લૌકિક કથાનક-ઐતિહાસિક કથાનક ૩. તીર્ધાત્મક ૪. ઉપદેશાત્મક ૫. પ્રકીર્ણ ચસ: જનસામાન્યની વાતચીત લોકો દ્વારા કહેવાતી વાતો કે કથાઓ જ્યાં એની વસ્તુ કે સામગ્રી કે ઘટના પ્રસંગ વિશેષ જિજ્ઞાસા પ્રેરક અને રસ સંતર્પક બન્યા ત્યારે તે સાહિત્ય રાસા સ્વરૂપ પામે છે. રાસો દશ્ય ભાષામાં હોય, ગેય હોય અને લોકભાષામાં હોય. ગ્રંથનું નામાભિધાન : રાસા ગ્રંથમાં નાયક કે નાયિકાનાં નામ પર એક પ્રથા એવી છે કે તેનું નામકરણ કરવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથમાં જગડુશાહ મૂળનાયક છે તેના ચરિત્રને ધ્યાનમાં રાખીને જગડુશાહ એવું નામકરણ રાખવામાં આવ્યું છે. આ રાસા નાનાં ચરિત્રો કે દૃગંત કથાઓ જેવા હોઈ શકે છે. કેટલીક વાર વિસ્તૃત અને ક્યારેક પ્રબંધ રૂપે પણ હોય છે. રસની પ્રતિઓ : જગડુ રાસ - આ રાસની બે પ્રતિઓ પ્રાપ્ત થઈ છે. ૧. ભો.જે. વિદ્યાભવનમાંથી નં.૨૭૬૫, લેખક – વીરકુશલ સૌભાગ્યકુશલ શિષ્યની ચોપાઈમાં ૧૦૪ કડીઓ ધરાવતી કૃતિઓ છે. ૨. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી નં.પરપ૬, લેખક – વિજયદેવ સૂરિના શિષ્ય રંગવિમલજી જેમાં સાત પત્ર અને ૧૨૫ ઢાલ છે. જગડુ રાસ એ રાસ પ્રકારની રચના છે સાથે સાથે ચરિત કાવ્ય અને મહાકાવ્ય પ્રકારનું પણ છે. અહીંયાં પ્રસ્તુત કૃતિનું વિવેચન કરવા માટે બન્ને પ્રતોનો ઉપયોગ કર્યો છે. કથાનક સમાન પ્રાપ્ત થાય છે. 380 * જૈન રાસ વિમર્શ Page #430 -------------------------------------------------------------------------- ________________ કવિનું જીવન, સમય અને કાર્ય : મધ્યકાલીન ગુજરાતી કવિઓના જીવન વિશે યથાયોગ્ય માહિતી પ્રાપ્ત થતી નથી. માત્ર કવિ નામ એમની ગુરુપરંપરા અને ગચ્છની પરંપરા તેમ જ રચના સમયનો નિર્દેશ આદિ થોડી માહિતી પ્રાપ્ત થાય છે. માત્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ નહીં પરંતુ પશ્ચિમ ભારતીય ભાષાઓની કૃતિઓમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. રાસ કૃતિને અંતે મૂકેલ ગુરુ અને ગચ્છપરંપરાના આધારે કહી શકાય કે, વીરકુસલ ગુરુ પરમ નિધાન, સૌભાગ્ય કુસલ સેવક સુપસાય તારું શિષ્ય કેશર ગુણ ગાય.” વીરકુશલ - સૌભાગ્યકુશલ શિષ્ય ૧૭૬૦ શ્રાવણમાં આ રાસની રચના કરી છે. અન્ય લોકોક્તિ પ્રમાણે જગડુશાહનો સમય ઈ. સ. તેરમી સદી જૈન શ્રાવક ખરતરગચ્છના જિનેશ્વરસૂરિના આચાર્યકાળ દરમિયાન (ઈ.સ. ૧૨૨૨થી ૧૨૭૫)માં રચાયેલી માનવામાં આવે છે. જે લોકોક્તિ મૂલક દૃષ્ટાંતાદિના થોડાક વિનિયોગપૂર્વક કવિએ ચોપાઈની ૧૦૪ કડીઓમાં રચના કરી છે. જગડુશાહના પૂર્વજોની વંશાવલી પિયદ્ દુ (શ્રીમાળી વણિક) વરણાગ (કંથકોટનો વાસી) વાસ વસ લક્ષ વીસલા વીરદેવ નેમિ ચાંડુ સુલક્ષણ સોળ (ભદ્રેશ્વરમાં જઈ વસ્યો) સોહી પત્ની-લક્ષ્મી જગડુ (પત્ની યશોમતી) (પત્ની રાજલ્લદેવી) (પત્ની પદ્મા) કન્યા પ્રીતિમતી (પુત્ર વિક્રમસિંહ) (પુત્ર ઘાંઘો) (કન્યા હંસી, હાંસબાઈ) રાજ પત્ર ગડુરાસ * 381 Page #431 -------------------------------------------------------------------------- ________________ વિષયવસ્તુ : જગડુશાહ વિશે આપણને જુદીજુદી માહિતી પ્રાપ્ત થાય છે. જગડુ વિશે લાંબો સમય થઈ ગયો હોવાના કારણે તેને લોકોએ જુદી જુદી રીતે જોડી દીધો છે. તેને કોઈ કાઠિયાવાડમાં તો કોઈ કચ્છમાં તો કોઈ મારવાડમાં થઈ ગયાનું લખે છે. તેને કોઈ સં. ૧૨૦૩માં તો કોઈ ૧૨૧૩માં કોઈ ૧૬૧૫માં મૂકે છે. એક સારસ્વત બ્રાહ્મણના કહેવા પ્રમાણે જગડુને છોકરો હતો. પોરબંદર પાસે ડુંગર ઉપર હર્ષદમાતાનું સ્થાનક હતું. તેથી ડુંગર ઉપરથી દરિયામાં જે વહાણ ઉપર તેની નજર પડતી તે ડૂબી જતાં. જગડુએ. દેવી આગળ લાંઘણ કરતાં, દેવી પ્રસન્ન થયાં અને વરદાન માંગવા કહ્યું. જગડુએ કહ્યું તમારે મોઢું બીજી તરફ ફેરવવું. દેવી કહે, “દેવળના પગથિયાની સંખ્યા જેટલા પાડા ચઢાવે તો મોઢું ફેરવું.” તેમ કરતાં છેલ્લા ત્રણ પગથિયા રહ્યાં એટલે જગડુએ પોતાની સ્ત્રી તથા પુત્રનો ભોગ આપ્યો, અને છેલ્લે પોતે તૈયાર થયો. એટલે દેવીએ “હાં ‘હા’ કરી તેને વાર્યો અને અતિશય પ્રસન્ન થઈ બધા પાડા તથા તેની સ્ત્રી અને પુત્રને સજીવન કર્યા અને પોતાનું મોઢું ફેરવી લીધું. અન્ય કથા પ્રમાણે જગડુ કચ્છના વાગડમાં થઈ ગયો. કોઈ કહે છે કે કાઠિયાવાડમાં ગિરનારમાં થઈ ગયો. જે જમાનામાં તે થયો તે વખતે ગૃહસ્થનું મોટાપણું પોતાની પાસે જેટલાં ગામ, ઢોર વગેરે હોય તે પરથી અંકાતું. ૧૦૦ ગાયનું એક ગોકુળ કહેવાતું. જગડુશાહ પાસે આવાં ઘણાં ગોકુળ હતાં. સં. ૧૩૧૫માં દુકાળ પડશે એવી તેને કોઈ દેવતા તરફથી ખબર પડતાં ગામે-ગામથી જુવારની પાલો નંખાવી અને દુષ્કાળ વખતે દરેક માણસને માટે ખુલ્લી મૂકી. તે જોઈ કાળ તેની પાસે માંગવા આવ્યો. તે ખાતા કેમે કર્યો ધરાય નહીં. ખૂબ ખાતા જ્યારે કાળનું પેટ ફાટવા માંડ્યું. ત્યારે કાળ ખાતો બંધ થયો. જગડુએ કહ્યું કે, “હજુ ખાવું જોઈશે.” કાળે લાચાર થઈ કહ્યું કે હવે મને છોડી દે અને હું વચન આપું છું કે કોઈ વાર પનરોતરે (સં. ૧૩૧૫) નહીં પડું. તે વિશે દોહરો બોલાય છે. પૂર્વાર્ધ કોઈને યાદ નથી ઉત્તરાર્ધ આ પ્રમાણે છે. “જગડુશા હવે નહીં પડું પનરોતરો.” ૧. અહીં સુધીની કથાઓ લોકકથાને આધારે છે. – સં. 382 * જૈન રાસ વિમર્શ Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકોના ભાટ અથવા ભોજક જ્યારે યાચવા આવે છે ત્યારે યજમાનના વખાણ કરતી વખતે તેને કહે છે કે, “તું તો બીજો જગડુ પેદા થયો છે.” અન્ય માહિતી પ્રમાણે જગડુ કચ્છનો અતિ શ્રીમંત જૈન વેપારી અને દાનવીર હતો. તે ભદ્રેશ્વરમાં રહેતો હતો. તેનો જન્મ અને અવસાન કઈ સાલમાં થયાં તે જાણવા મળતું નથી. પરંતુ તે ૧૧૯૫થી ૧૨૬૫ સુધી જીવિત હશે તેમ લાગે છે. એ લવણપ્રસાદ વાઘેલા, વીરધવલ, વાસલદેવ અને જૈનમંત્રીઓ વસ્તુપાલ-તેજપાલનો સમકાલીન હતો. તેના પૂર્વજો શ્રીમાળના વતની હતા. અને કંથકોટમાં થોડો સમય રહીને ભદ્રેશ્વર આવ્યા હતા. ભદ્રેશ્વર તે સમયે મોટું બંદર હતું. જગડુના પિતામહનું નામ વરણાગ, પિતાનું નામ સાલ્ડ (સોલકી અને માતાનું નામ લક્ષ્મી હતું. જગડુને રાજા અને પદ્મનાભ નામના બે લઘુબંધુ હતા. તેના લગ્ન યશોમતિ નામની કન્યા સાથે થયા હતા. પિતાનું અવસાન થતાં વેપાર અને કુટુંબની સઘળી જવાબદારી યુવાન જગડુ પર આવી. જગડુએ દેશ-પરદેશમાં વેપારને વધાર્યો. એમાં ખૂબ કમાયો. ઈરાનમાં હોરમઝ બંદરમાં એની પેઢી હતી. હોરમઝની તેની પેઢીના મુનીમે મુસલમાન વેપારી પાસેથી એક મોટો કીમતી પથ્થર ખરીદ્યો હતો. જગડુશાએ પોતાની આબરૂ રાખવા બદલ મુનમને શાબાશી આપી હતી. તે પથ્થરથી તેને ઘણું ધન મળ્યું હતું. તેની એક પુત્રી નાની વયમાં વિધવા થઈ હતી. જગડુની ઈચ્છા તેનાં બીજા લગ્ન કરવાની હતી. પરંતુ કુટુંબની બીજી બે વિધવાઓએ વિરોધ કરતાં તેણે એ વિચાર માંડી વાળ્યો હતો. અન્ય કથા પ્રમાણે ભદ્રેશ્વરમાં ભાડલભૂપ રાજ્ય કરતો હતો. તે પાટણના વિસલદેવ રાજાની સેવામાં હતો. ત્યાં સોળ નામે શેઠિયો હતો. અને તેની શ્રીદેવી પત્નીથી રાજ, જગડુ અને પારાજ નામના ત્રણ પુત્રો થયા. જગડુશાહે સમુદ્રતીરે બજાર બાંધી. એક વખતે ચાંચિયાઓ જગડુ પાસે આવી કહેવા લાગ્યા, “અમને મીણથી ભરપૂર વહાણ મળી આવ્યું. જો તને જોઈતું હોય તો ધન આપીને લે.” તે ઉપરથી જગડુએ મૂલ આપીને વહાણ લીધું. જગડુના નોકરો ગાડામાં મીણ ભરીને તેને ઘેર લઈ જઈ અને તેની સ્ત્રીને પૂછવા લાગ્યા, “જગડુશાએ મીણ લીધું છે, તે ક્યાં ઉતારવું છે?” ત્યારે બોલી, “એ પાપનું બંધન મીણ અમારે ઘેર ઉતારવું નથી. એટલે નોકરોએ તે બધી મીણની ઈંટો ઘરના આંગણામાં લીમડાના ઝાડ નીચે ઉતારી, એક ગડુરાસ * 383 Page #433 -------------------------------------------------------------------------- ________________ વખત જગડુના પુત્રે સગડીમાં તાપ કરવા ઘાસ નાખ્યું તેની સાથે છોકરમતમાં ઈંટ પણ નાંખી. તેથી મીણ ઓગળ્યું એટલે ખુલ્લી થયેલી સોનાની ઈંટો નજરે પડી. ત્યારે તેની સ્ત્રીએ કહ્યું ‘આમ જુઓ.' આપણી મીણની ઈંટો તો સોનાની થઈ ગઈ. તે ઉ૫૨થી જગડુએ જોયું તો તેને સોનાની ઈંટો જણાઈ. તેની પરીક્ષા કરાવી તો તે સોનાની જ નીવડી. એટલે તે બધી ઘરમાં લાવી મીણ છૂટું પાડી વેચી. બધી ઈંટો ૫૦૦ હતી. તેણે સ્ત્રીને કહ્યું ધર્મગુરુને બોલાવો અને તેમણે કહેલા ધર્મમાં ધન વાપરો.' કારણ કે ધન હંમેશા રહેતું નથી. જગડુશાએ મીણનો વેપાર કીધો છે તેમ જાણી ધર્મગુરુએ આવવાની ના પાડી. ત્યારે જગડુએ ગુરુને શિષ્યોની સાથે દેવપૂજા કરવા બોલાવ્યા. દેવપૂજા કરતી વખતે જગડુએ સર્વ વૃત્તાંત કહ્યો. ગુરુ ખુશ થયા. જગડુએ એ કહ્યું કે લીધી તો મીણ સમજીને પણ તે સોનાની થઈ ગઈ.' રાજ્યભયથી મોટેથી બોલાતું નથી. એ પ્રમાણે જગડુના ઘરમાં કોટિ ટંકા થયા. અન્ય માહિતી પ્રમાણે વીસલરાજા પાટણની એક ધર્મશાળામાં ગયો. ત્યાં તેણે ૨૦,૦૦૦ માણસો જમતા જોઈ જગડુને કહ્યું, ‘તમારું અન્ન ભલે પીરસાય, પણ મારું ઘી પીરસાવો.' ઘી પીરસતાં જ્યારે ખૂટ્યું, ત્યારે વીસલે તેલ પિરસાવવા માંડ્યું. અને જગડુએ ઘી પીરસવું શરૂ કીધું. પછી એક વખતે વીસલદેવે જગડુ પાસે ‘જ્ન્મ જય’ના બોલ બોલાવતો હતો, તે સાંભળી એક ચારણ બોલ્યો – કહાવે જય ગડૂ કને, નહીં યોગ્ય રે તેહ, તેં વીસલ દે તેલ તો, ઘી નમાવે એહ.’ જગડુનાં કાર્યો : જગડુએ લોકહિતનાં અનેક કાર્યો કર્યા. એને આક્રમણકારીઓથી લોકોનું રક્ષણ કરવા ભદ્રેશ્વર ફરતો કોટ બંધાવ્યો હતો. પોરબંદર પાસેનું હરિસિદ્ધિમાતાનું મંદિર તેણે મોટો ખર્ચ કરી નવેસરથી બંધાવ્યું. ભદ્રેશ્વરમાં તેણે ભવ્ય મંદિરો બંધાવ્યાં. ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એણે ઘણી ધર્મશાળાઓ, કૂવાઓ, તળાવો અને મંદિરો બંધાવ્યાં. મુસ્લિમો માટે ખીમલી મસ્જિદ બંધાવી અને ધાર્મિક ઉદારતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. ૧૨૫૭થી ૧૨૫૯ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભયંકર દુષ્કાળ દરમિયાન એણે સંઘરેલા અનાજના ભંડારો ખુલ્લા મૂકીને સમગ્ર 384 * જૈન રાસ વિમર્શ Page #434 -------------------------------------------------------------------------- ________________ પ્રજાને બચાવી લીધી હતી. વિ.સં. ૧૩૧૫માં આ ભયંકર દુકાળ પડ્યો હોવાથી તે પનરોત૨ કાળ તરીકે ઓળખાય છે. પુરાતન પ્રબંધ સંગ્રહ પ્રમાણે જગડુશાહે પાટણ આવી રાજા વિસલદેવની વિનંતીને માન આપીને પરદેશથી અનાજ મંગાવી ગરીબોને મદદ કરી હતી. તેના આ ઉમદા કાર્ય માટે એ લોકસાહિત્ય અને લોકમાનસમાં અમર બની ગયો. ગુજરાતના રાજા વાઘેલાના શાસન દરમિયાન તેનું અવસાન થયું હતું. દાનવી૨ જગડુશા : જગડુશા દાનવીર હતો તેવો ઉલ્લેખ આપણને સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તેની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે. ૧. જેમ માળાના મણકા તેના પ્રથમ આચાર એટલે વિધિપૂર્વક ફેરવવાથી શોભે છે, તેમ જગડુની દાનશાળાઓ પૃથ્વીમાં શોભતી હતી. રેવાકાંઠા, સોરઠ અને ગુજરાતમાં ૩૩, મારવાડ, ધા૨ અને કચ્છમાં ૩૦, મેદપાઠ (મેવાંડ) માળવા, ઢાલમાં ૪૦, ઉત્તરભાગમાં ઢાલમંડળમાં મોટી ૧૨ (અન્નસ્થાનક) દાનશાળાઓ તેણે કરી. શંખલપુરમાં દાન આપનાર જગડુએ તાંબાના પત્ર કર્યાં. એમ જગડુશાહે અન્નદાનનો સત્ર માંડ્યો. ૨. ૩. તેણે ૮૦૦૦ મૂડા શૂરવીર વીસલદેવને ૧૨૦૦૦ મૂડા સિંધના હમી૨ને, દિલ્હીના સુલતાનને ૨૧,૦૦૦, માળવાના રાજાને ૧૮૦૦૦, મેવાડના રાજાને ૩૨૦૦૦ મૂડા અનાજના આપ્યા. આમ જગડુ ૧૨૦૩માં રાજાઓને ધારણા આપના૨ (બારસો) પનરોતરો કાળ પ્રસિદ્ધ કરનાર થયો. ૫. ૯,૯૯,૦૦૦ ધાન્યના મૂડા તથા અઢાર કરોડ દામ યાચકોને દુકાળમાં તેણે આપ્યાં. તેણે કરોડો લજ્જા પિંડોમાં સોનાના દીનાર નાંખીને તે કુલીન જનને રાત્રે આપતો હતો. આમ જગડુએ શ્રીમાળી શ્રાવક વણિક વહેપારી તરીકે ૧૩૧૫ના દુકાળમાં લોકોને અન્નદાન દઈ મોટી ખ્યાતિ મેળવી છે. ભાષા અને શૈલી : દેશ્ય, લોકભાષામાં રચાયેલી કૃતિ છે. છંદ-ચોપાઈ છે. ભાષા ગ ુરાસ *385 Page #435 -------------------------------------------------------------------------- ________________ વ્યાવહારિક સહજ અને સરળતાથી સમજી શકાય તેવી છે. રાસકૃતિ તરીકે જગડુરાસ કૃતિ મહત્વની છે. આ વિષયની જૂની પરંપરા છે. મૂળ કથાનક ગડુનું છે. અલંકા૨ : કૃતિમાં આપણને ઉપમા, રૂપક, દૃષ્ટાંત આદિ અલંકારો જોવા મળે છે. ધાર્મિક સ્થિતિ : જૈનસાહિત્યનો મુખ્ય ઉદ્દેશ રાસ, ચરિત્ર કે પ્રબંધ દ્વારા ધર્મ અને દર્શનના નિગૂઢ સિદ્ધાંતોને સહજ રીતે સમજાવવાનો છે. જગડુ રાસમાં પણ ધાર્મિક બાબતોનો સહજ રીતે નિર્દેશ થયો છે. જગડુ પોતે રોજ નવકા૨ ગણતો તેમ જ સામાયિક, પ્રતિક્રમણ કરી રોજ ઘે૨ જતો એવો ઉલ્લેખ જોવા મળે છે. લેખકે અહીં દાનની બાબત સામાન્ય જન પણ સમજી શકે અને ધારણ કરી શકે તે રીતે સહજતાથી સમજાવી છે. આ કૃતિમાં દાનકથાનો મુખ્ય ભાગ બને છે. કર્તાનો આશય દાન દ્વારા માનવીય નીતિમત્તાનાં જીવનમૂલ્યોને અને તપ-વ્રતની ઉચ્ચતાને ગાવાનો છે. જૈનધર્મમાં ધર્મ ક૨વા ૫૨ ભા૨ મૂકવામાં આવ્યો છે. ધર્મ માટે કહ્યું છે કે, ધરમ ન વાડી વાવીઈ, ધરમ ન વાડી હાટિ વિકાય । ધરમ રૂપિયો ન લખઉ, લખિણ બિમારી તાપ II ધરમ કરવાથી લાભ થાય છે તેમ જણાવે છે. ચાર પ્રકારનો ધર્મ કહેવામાં આવ્યો છે. તેમાં પણ પહેલું સ્થાન દાનધર્મનું છે. ભારતીય સમાજમાં કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવાની એક પ્રથા રહી છે, જે હાલમાં પણ પ્રચલિત છે. આશીર્વાદ મેળવવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. જેનો ઉલ્લેખ જગડુ રાસમાં લેખકે કર્યો છે. સામાજિક – રાજકીય સ્થિતિ : પ્રાચીન સમયમાં જેટલા દેશ-વસ્તી એટલી જ ભાષાઓ અને બોલીઓ હતી. ઉદ્યોતનસૂરિની કુવલયમાલામાં પણ આપણને અઢારદેશની ભાષાઓ 386 * જૈન રાસ વિમર્શ Page #436 -------------------------------------------------------------------------- ________________ અને અઢાર જાતિઓનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તેવી જ રીતે આપણને આ રાસમાં પણ વિવિધ જાતિઓ વિશે જોવા મળે છે. છત્રીસકુળ : આ વિશે એવી દંતકથા છે કે આબુપર્વત ૫૨ ઋષિ લોકોને યજ્ઞાદિક કર્મોમાં રાક્ષસો પીડા કરવા લાગ્યા, ત્યારે તેમનું રક્ષણ કરવાને ત્યાં વશિષ્ઠ ઋષિ રહેતા હતા. તેમણે અગ્નિકુંડમાંથી ચાર કુળના રજપૂતો ઉત્પન્ન કર્યા. તેમાંથી છત્રીસકુળ થયાં. જે નીચેના છપ્પામાં જોવા મળે છે. રિત, શિશ, જાદવ વંશ, કકુત્સ્ય, પરમાઈં તોંવર, ચાહવાણ, ચાલુક્ય, હિંદ, સિલા૨, આભીવર દોપમત્ત, મકવાન, ગરુઅ, ગોહિલ, ગહીભૂત ચાપોત્કટ, પરિહાર, રાવરાઠોડ, રોસજુત; દેવાં, ટાંક, સિંધવ, અનિય યોતિક, પ્રતિહાર, ધિષ્ટક, કારટપાળ, કોટપાલ, હુન, હિરતટ, ગોર, કમાડ, જટ. શ્રીમાળી : વાણિયા બે જાતના છે. દશા અને વિશા. દંતકથા એવી છે કે લક્ષ્મીજીએ ૪૫૦૦૦ શ્રીમાળી બ્રાહ્મણોને નિભાવવા પોતાના હારમાંથી શ્રીમાળી વાણિયાના ૯૦,૦૦૦ કુળ ઉત્પન્ન કર્યા. જેઓ હા૨ની જમણી બાજુમાંથી થયા તે વિશા અને ડાબી બાજુમાંથી થયા તે દશા. તેઓ વેપાર અથવા ગુમાસ્તાગીરી કરે છે. અને એકબીજામાં કન્યા દેતા નથી. તે લોકો ત્રણ પંથના છે. જૈન, વૈષ્ણવ અને શિવમાર્ગી. શ્રીમાળી બ્રાહ્મણ તેઓના કુળ ગોર છે. વિશા શ્રીમાળી વાણિયા વીશા ઓસવાળ વાણિયા સાથે કન્યા આપે લે છે. ઓસવાળ : આ એક જ્ઞાતિ છે. તેઓ ઔસ. પારીનગર અને બુદ્ધેસરમાં રહેતા. કચ્છી ઓસવાળ વાણિયાઓનું એવું કહેવું છે કે તેના મુખીને ગેરવર્તણૂક માટે પાક છોડવું પડ્યું. ભોજક-પુષ્કરણા : લક્ષ્મીજીએ પોતાના લગ્નપ્રસંગે શ્રીમાળીઓને શ્રીમાળ નગ૨ બક્ષિસ જગડુરાસ * 387 Page #437 -------------------------------------------------------------------------- ________________ આપ્યું. તેઓમાં ચૌદ ગોત્ર હતાં. અને ૪૫000 હજાર માણસ હતાં. થોડાકાળ પછી ૧૮000 કુળ શ્રીમાળ છોડી રાજપૂતાનામાં પુષ્કર ક્ષેત્રમાં આવ્યાં. અને તે દિવસથી તેઓ પુષ્કરણા અથવા પોકરણા કહેવાયા. અને તેઓ ભાટીઆના ગોર થયા. ૫OOO માણસોએ ઓસનગરના ઓસવાળ વાણિયાઓ સાથે ભોજન કીધું તેથી ભોજક કહેવાયા. તેઓ જૈન દહેરામાં ગંધર્વ એટલે કે ગવૈયાનું કામ કરે છે. પણ બ્રાહ્મણનો ધર્મ પાળે છે. સૂરિ આ પદવીએ પહોંચવા અમુક વિદ્વત્તા અને મુખ્ય છત્રીસ ગુણ જોઈએ. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ ધારણ કરવી જેવી કે ૧. બ્રહ્મચર્ય, ૨. સ્ત્રીની કથા પ્રીતિયુકા ન કરવી. ૩. જ્યાં સ્ત્રી હોય ત્યાં બેસવું નહીં. ૪. સ્ત્રીના અંગોપાંગ રાગથી નીરખવા નહીં. પ. ભીંતને આંતરે જ્યાં સ્ત્રી-પુરુષ હોય ત્યાં જવું નહીં. ૬. પૂર્વાવસ્થામાં સ્ત્રી સાથે કરેલી કામક્રીડા યાદ ન લાવવી. ૭. રસવાળો આહાર ન લેવો. ૮. નીરસ આહાર પણ માત્રામાં લેવો. ૯. શરીરની શોભા ન કરવી. ૧૦ ચાર પ્રકારના કષાયને ત્યજવા. પાંચ મહાવ્રત પાળવા. પાંચ સમિતિ ત્રિગુપ્તિ સહિત પાંચ આહાર પાળવા. આ પ્રમાણે આચાર પાળ્યા પછી સૂરિની પદવી પ્રાપ્ત કરે છે. સંઘપતિ : પ્રાચીન સમયમાં જ્યારે દેશમાં જુદા જુદા ઠેકાણે જુદા જુદા રાજાઓ રાજા કરતા હતા અને તેમના એકબીજાના સંબંધ મિત્રતાના, અમિત્રતાના, શત્રુતાના હતા, અને ઐક્ય હતું નહીં, તેથી આખા દેશમાં બાંધેલી સડકો ન હતી. તસ્કરો અને લૂંટારુઓનો ભારે ઉપદ્રવ હતો. ત્યારે લાંબી મુસાફરીએ કે જાત્રાએ જવું વિકટ હતું. તેને લીધે જ્યારે કોઈ મોટો માણસ જાત્રાએ જતો ત્યારે તે રાજાઓ સાથે આગળથી બંદોબસ્ત કરી, રાજાના અને પોતાના રક્ષકો પોતાના ખર્ચે રાખી મોટા દમામથી જાત્રાએ નીકળતો. તેની સાથે તેના ગામના તેમ જ આસપાસના બીજા જાત્રાળું તથા ગરીબો જેમની પાસે ધન ન હોય તે પણ જાત્રાએ જતાં. એ માણસ પોતે તેમનું રક્ષણ કરતો તથા તેમને જોઈતી વસ્તુ અને ખાવાપીવાનું પણ પૂરું પાડતો. એને લીધે સંઘના 388 * જૈન રાસ વિમર્શ Page #438 -------------------------------------------------------------------------- ________________ આધિપતિપણાનું તિલક કરતાં. સાધારણ રીતે તેને સંઘવી કહેવાય છે. શ્રેષ્ઠી : સમાજમાં શ્રેષ્ઠીનું સ્થાન મોભાનું હતું. રાજા પણ તેમને આદર આપતાં શ્રેષ્ઠીઓ રાજાને ધન આપતાં. આજીવિકા માટે વ્યાપાર મુખ્ય હતો. વ્યાપાર માટે વન, જંગલના માર્ગે અથવા નાવ દ્વારા સમુદ્ર માર્ગે અન્ય નગર અને દેશમાં કાફલા સાથે જતાં. ધનોપાર્જન માટે અનેક પ્રકારનાં સાધનો તે સમયે પ્રચલિત હતાં વિધવાવિવાહ: તે સમયે વિધવાવિવાહ પણ થતાં હશે. જગડુની એકપુત્રી નાની વયમાં વિધવા થઈ હતી. જગડુની ઇચ્છા તેના બીજા લગ્ન કરવાની હતી. પરંતુ કુટુંબની બીજી બે વિધવાઓએ વિરોધ કરતાં તેણે એ વિચાર માંડી વાળ્યો હતો. ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી: જગડુરાસ નાનો છે છતાં પણ તેમાં આપણને થોડા ઘણા અંશે ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી પ્રાપ્ત થાય છે. પ્રત્યેક કથાનો આરંભ દ્વીપ, નગરી, જનપદ, ગામ તેમ જ ઉદ્યાનના ઉલ્લેખ સાથે થાય છે. તેવી જ રીતે જગડુરાસમાં પણ દ્વીપના ઉલ્લેખ સાથે જ શરૂઆત થઈ છે. જંબુદ્વીપ મધ્યલોકના અસંખ્યાત દ્વીપસમુદ્રની વચ્ચેનો દ્વીપ એક લાખ મહાયોજન વ્યાસવાળો ગોળ વલયના આકારનો છે. એની ચારે બાજુ લવણ સમુદ્ર અને મધ્યમાં મેરુપર્વત છે. એમાં ભરત-હેમવત, હરિ, વિદેહ, રમ્યફ, હૈરણ્યવત અને એરાવતના સાત ક્ષેત્ર છે. તેમાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા હિમવત, મહાહિમવત, નિષદ, નીલ, રુકિમ અને શિખરિન આ છ કુલાચલ પર્વત છે. ભદ્રેશ્વર : ભદ્રેશ્વર કચ્છના પૂર્વ કિનારે હતું. તે નાશ પામ્યું છે. માત્ર તેના કોઈક કોઈક ખંડેર રહ્યા છે. હાલ નવું ભદ્રેશ્વર વસાવ્યું છે. તેની પૂર્વ દિશાએ ગડુરાસ 389 Page #439 -------------------------------------------------------------------------- ________________ તે પ્રાચીન ભદ્રેશ્વરની જગ્યા ઘણા વિસ્તારમાં આવી છે. ત્યાંની ઘણીખરી ઇમારતોના પથ્થરો લોકો બીજે ઠેકાણે ઇમારતો બાંધવા લઈ ગયા છે. હાલ ત્યાં જે જોવામાં આવે છે તે કહેવાતું જગડુશાહનું જૈન દહેરું. દુદાશાના શિવાલયના થાંભલા, અને તેના ઘુમટનો થોડો ભાગ તેની પાસેની દુદા વાવ આશાપુરી માતાનું પડી ગયેલું દેવળ આદિ જોવા મળે છે. વસહી : ૪ જેને જગડુશાહના દહેરા કહેવાય છે. તે જૂના ભદ્રેશ્વરની પૂર્વ દિશાએ છે. દહેરું એક વિશાળ ૪૮ ફીટ પહોળા અને ૮૫ ફીટ લાંબા ચોકના પાછલા ભાગમાં છે. તેને ફરતી ૪૮ દહેરીઓ અને ૪ છત્રી મળી કુલ પર દહેરીઓ છે. તેની આગળ થાંભલાવાળી ચાલ છે. તેમાં થઈને તે દહેરીઓમાં જવાય છે. દહેરાસરમાં મુખ્ય મૂર્તિ ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામીની છે. તેની ઉ૫૨ ૬૨૨ની સાલ કોતરેલી છે. કુલસર તળાવ : ભદ્રેશ્વ૨ શહેરની વાયવ્યે એક ફુલસર તળાવ સારી રીતે બાંધેલું છે. તેમાં જૂની વાવો તથા કૂવાઓ છે. આ વાવો તથા કૂવાઓના ઉદ્ધાર માટે જગડુએ ચણતર કરાવ્યું. અષ્ટાપદ : જૈનોમાં એવી કથા છે કે ભરતચક્રીનું અષ્ટાપદનું દેવળ અયોધ્યાથી ૧૯,૨૦૦૦ કોશ ઉપર ઈશાને હિમાલયની પેલી પાર ઉત્તરાખંડમાં છે. તેને ચાર ચાર ગાઉના આઠ પગથિયા હોવાથી તે ડુંગર ઉપર બત્રીસ ગાઉ ઊંચું છે. અને આઠ પગથિયાને લીધે તે અષ્ટાપદ કહેવાય છે. શત્રુંજ્ય : જૈનલોકોનો સૌથી પવિત્ર પર્વત પાલિતાણાથી આશરે અર્ધગાઉ દક્ષિણે સમુદ્રની સપાટીથી આશરે ૧,૯૭૭ ફીટ ઊંચો છે. એ પર્વતને મથાળે બે ટૂંકો છે. તે ટૂંકોની વચમાંની ખીણને મોતીશાહ નામના ધનાઢ્ય જૈન વેપારીએ પાષાણથી બાંધી લીધી છે. 390 * જૈન રાસ વિમર્શ Page #440 -------------------------------------------------------------------------- ________________ ગિરનારઃ કાઠિયાવાડમાં સૌથી ઊંચો પર્વત સોરઠ પ્રાંતના જૂનાગઢ થડમાં છે. તેને ઘણી ટૂંકો છે. તેમાં મુખ્ય પાંચ ગણાય છે. ૧. અંબામાની, ૨. ગોરખનાથની જે સમુદ્રની સપાટીથી ૩,૬૬૦ ફીટ કાઠિયાવાડમાં સૌથી ઊંચે. છે. ૩. ઓઘડ શિખર. ૪. ગુરુ દત્તાત્રેય, ૫. કાલિકામાતા. ઢંકા: જે હાલમાં ઢાંક કહેવાય છે. કાઠિયાવાડમાં પોરબંદરની ઈશાને ૧૫ ગાઉ પર ૨,૬૨૦ માણસની વસ્તીનું ગામ છે. તેને રહેવાસ પાટણ કહેવામાં આવતું અને તે મોટા વિસ્તારવાળું હતું. આદ્રપુરઃ આદ્ર એટલે ભીનાશવાળું અને તેને અવાજમાં મળતું ગણી પુર શબ્દ ઉમેરી આદ્રપુર બન્યું હશે. સ્ત્રીના સીમંત સમયે ઊંચા પ્રકારની વસ્તુઓ જે સ્થળે મળે છે ત્યાંથી મોટા ખર્ચે તે સ્ત્રીના શૃંગાર અર્થે મંગાવવાનું ગુજરાતી સ્ત્રીઓ પોતાના ગીતોમાં ગાય છે. વિવિધ મતઃ વોટસન સાહેબ પોતાના કાઠિયાવાડ ગેઝેટિયરમાં લખે છે કે સૌથી પહેલો દુકાળ જેની કંઈ પણ નોંધ છે તે ઈ.સ. ૧૫૫૯ – સં. ૧૬૧૫માં પડ્યો હતો અને તે જગડુશાનો દુકાળ કહેવાય છે. રાજકોટમાં આજી નદીને પૂર્વ કિનારે એક જગ્યા છે તે હજુ પણ જગડુશાના મિનારા તરીકે ઓળખાય છે. દાનવીર જગડુશા માટે કહેવાય છે કે તેણે અન્નદાન આપી લોકોના જીવ બચાવ્યા હતાં. આમ બેહદ દાનનો દાતાર અને લક્ષ્મીના હૈયાનો હારરૂપી શણગાર, એવો જગડુ દુકાળરૂપી સંનિપાત (દૂર કરવા)માં ત્રિકટુ ઓષધિની ઉપમાને પામ્યો. જે કળિયુગે નળનો પરાભવ કીધો હતો. તેને પણ જગડુએ પૃથ્વીનો ત્યાગ કરાવ્યો. આ રીતે પૃથ્વી પરના ત્રણ વર્ષના અતિ તીવ્ર દુકાળને દળી નાંખી, મહા વૈભવવાન તે જગડુ સર્વ જનને જિવાડનાર થયો. કલ્પવૃક્ષની પાસે અત્યંત યાચના કરીએ તોપણ તે સ્વર્ગ કે મોક્ષ આપતું જગડુરાસ ~ 391 Page #441 -------------------------------------------------------------------------- ________________ નથી પણ સ્વભાવે સરળ ધર્મ તો વિવેકી અને વિરક્ત પુરુષોને (માગ્યા વિના) પણ સ્વર્ગ અને મોક્ષ સહેજમાં આપે છે. આ સંસારમાં જગડુનું સુંદર ચરિત સારી રીતે શ્રવણ કરવાથી સાધુજનનું ચિત્ત અતિ પ્રસન્ન થાય છે. કાન પવિત્ર થાય છે. સર્વ દુઃખનો અતિ વેગથી નાશ થાય છે. દુનિયામાં ઉત્કૃષ્ટ બુદ્ધિના પ્રભાવ વડે શોભતા, કવીશ્વરોથી વર્ણવતા, અને ઈન્દ્રના હાથી ઐરાવતના દાંત સમાન શ્વેત કાંતિવાળા, જગડુના ગુણોના સમૂહની પ્રશંસા કોણ ન કરે? આમ, દાનવીરમાં જગડુનું નામ મોખરે છે. આપણે ત્યાં લોકવાયકા છે કે એની ગાથા લખીને કોઠારમાં નાખવાથી અનાજ સડતું નથી. એવો ઉલ્લેખ આપણને આ રાસમાં મળે છે. જેમ કે – સંવત બાર પનરોતરે પડશે કાલ દુર્મિક્ષ ઈમાં જગડુનો સંબંધ નોં અને છે રાંકરતન મતઃ || ગાથા || એહવી ગાથા લખી દાણાની ખાણમાં નાખી લખાવીને દાણા સડે નહિ માટે" ઉપર્યુક્ત ગાથા લખીને પાણીમાં નાખવામાં આવતી હતી. જેથી દાણા સડે નહીં. અનન્ય શ્રદ્ધાથી આજ લગભગ સાતસો વર્ષ પછી પણ લોકો માને છે કે : મેઘરાજા જેવા સ્વેચ્છાચારી દેવે જગડૂશાને આવું વચન આપ્યું છે. ભયાનકમાં ભયાનક માણસભૂખ્યા કલિદ્રાવતારશા દુકાળદેવે જગડુશાહને એ કોલ આપ્યો છે કે, “આજથી કોઈ દિવસ હું પંદરની સાલમાં પડીશ નહીં.” આમ, દાનવીરોમાં જગડુશાનું નામ અમર છે. “દુકાળરૂપે સર્ષે ખેલા આ આખા જગતને જગડુએ ખૂબ અન્નદાનરૂપી અમૃત આપીને જીવાડ્યું.” તેના આધારે સમાજમાં સૌ બોધ મેળવી શકે છે કે અન્નદાન મહાદાન છે. તેનું દાન કરવાથી યુગો સુધી જગડુશાહની જેમ યશગાથા ગવાતી રહેશે. વર્તમાનમાં પણ આવા જગડુશાની જરૂરિયાત છે અંતમાં જગડુશા માટે કહેવાયું છે કે, ઈંદ્ર ચંદ્ર કે સૂરતરુ સાર, માનવ નહીં એ સુર અવતાર | ધન ધન જાતિ શ્રીમાલી તણી જેહની કીરતિ ચિહું દિશે જણી | 392 જૈન રાસ વિમર્શ Page #442 -------------------------------------------------------------------------- ________________ આવા ગડૂશા લોકો માટે માનવ નહીં પરંતુ દેવ હતા. એવી શ્રીમાળી જાતિ ધન્ય છે જ્યાં ગડુ જેવો વણિક ઉત્પન્ન થયો. લક્ષ્મીના ઘ૨ સમાન શ્રી જગડુશાનું બધું જ ગમે તેવું છે. કારણ કે એમનું તેજ” – બધા શત્રુઓનું માન મૂકાવે છે. દાન’ ધરતીનો ઉદ્ધાર કરે છે. ‘સાહસ’ અનેક સજ્જનોના મનમાં આશ્ચર્ય સર્જે છે. ‘બુદ્ધિ’ જિન ધર્મના મર્મને પામી ગઈ છે. કીર્તિ' ચાંદની જેવી ઝળહળતી છે. આમ આ રાસ કૃતિ દ્વારા આપણને દાનનો મહિમા સમજાવ્યો છે. જગડુરાસ * 393 Page #443 -------------------------------------------------------------------------- ________________ ગુરુગુણ અમૃતવેલી રાસ પરિચયાત્મક રસ દર્શન કનુભાઈ શાહ (મધ્યકાલીન સાહિત્યમાં રાસ વેલી, ઢાળ, કળશ શૈલીમાં રચાયા છે. આ શૈલીમાં અનેક રાસાઓ જૈન કવિઓએ રચ્યા છે. તેવી રીતે અર્વાચીન સાહિત્યમાં મુનિશ્રી જગટ્યદ્રવિજયજીએ પરમ પૂજ્ય આચાર્યદેવ સિદ્ધાંત મહોદધિ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના જીવનના વિવિધ પ્રસંગોના / પાસાઓના તાણા-વાણા ગૂંથીને ગુરુગુણ અમૃતવેલી નામનો રાસ રચ્યો છે. આ રાસનો સામાન્ય પરિચયાત્મક રસાસ્વાદ અને કરાવવામાં આવ્યો છે.) પુસ્તકનું નામ: ગુરુગુણ અમૃતવેલી રાસ (સવિવેચન) રાસકારઃ પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય જગચંદ્રસૂરિ મહારાજ વિવેચનઃ પૂ.મુનિરાજ શ્રી મુક્તિવલ્લભ વિજયજી મહારાજ સંપાદન : પૂ.મુનિરાજ શ્રી મહાબોધિ વિજયજી મહારાજ પ્રકાશકઃ દિવ્યદર્શન ટ્રસ્ટ – મુંબઈ, વિ.સં. ૨૦૪૪ પ્રાચીન મધ્યકાલીન સાહિત્ય રાસા, બારમાસા, સ્તવનો, સઝાયો એમ વિવિધ પ્રકારની જૈન પદ્ય રચનાઓથી સમૃદ્ધ થયું છે. અનેક જૈન કવિઓએ વિવિધ વિષયો પર રાસાઓ લખ્યા છે. પદ્યમાં આલેખાયેલા વિશિષ્ટ મહાપુરુષોનાં ચરિત્રોના કથારૂપ ગ્રંથોને રાસ એવું નામ આપવામાં આવ્યું છે. આવા રાસોમાં નીતિ અને ધર્મની વાતો સમજાવવા માટે મહાત્માઓ અને સંયમી પુરુષોનાં ચરિત્રોનો આધાર લેવાયો છે. રાસાનું ખેડાણ મુખ્યત્વે જૈન કવિઓએ કર્યું છે. તેથી એના પ્રારંભે તીર્થકરને વંદના કરાય છે. એ વંદના પછી સરસ્વતીની કે અન્ય કોઈ દેવીની સ્તુતિ પણ મુખ્યત્વે જોવા મળે છે. બારમી સદીમાં રચાયેલા પ્રથમ ઉપલબ્ધ રાસ શાલિભદ્રસૂરિકૃત “ભરતેશ્વર બાહુબલિ રાસ”માં ઋષભદેવને નમન કરી, સરસ્વતીનું સ્મરણ કરીને રચનાનો પ્રારંભ કર્યો છે. દરેક રાસમાં છેવટે પ્રશસ્તિ રચનાર મહાપુરુષનું નામ, રચનાસમય, સ્થળ અને પોતાના ગુરુ પરંપરાનું નામ ઇત્યાદિ આપવામાં આવે છે. આ રીતે બધી વિગતો આપવામાં 394 * જૈન રાસ વિમર્શ Page #444 -------------------------------------------------------------------------- ________________ આવતી હોવાથી ઐતિહાસિક વિગતોની પ્રાપ્તિ થાય છે. અને તે સમયે ગુજરાતી ભાષા કેવી હતી તે પણ જાણવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં જૈન કવિઓએ રાસોનું સર્જન કર્યું છે. તેવી રીતે ગુજરાતી ભાષામાં સ્તવનો, સ્તુતિઓ અને સજ્ઝાયોની રચનાઓ પણ થયેલી છે. સાયો મોટે ભાગે ઉપદેશાત્મક જ હોય છે. સામાન્ય રીતે રાસમાં મુખ્ય પાત્ર સંસારમાંથી વિરક્ત બની સિદ્ધપદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતું દર્શાવાય છે. મુખ્ય પાત્રના સર્તન દ્વારા જનસમૂહને સવર્તનની પ્રેરણા તરફ દોરવાનો આશય હોય છે. આવાં પ્રેરણાત્મક જીવનવૃત્તાંતોથી શ્રોતાઓ વાચકોને બોધ પમાડવાનો આશય રાસાઓ તેમ જ અન્ય પ્રકારના સાહિત્યમાંથી ફલિત થતો જોવા મળે છે. આજે પણ જૈન સમાજમાં રાસાઓનું વાંચન-શ્રવણ ઉપાશ્રયોમાં થતું જણાય છે. ઉપદેશાત્મક તેમ જ પ્રેરણાત્મક રાસાઓમાંથી જેમનું વાંચન થાય છે, એવો શ્રીપાલ રાસ આજે પણ એટલો જ પ્રિય છે અને બંને શાશ્વતી ઓળીમાં એનું વાંચન શ્રવણ ખૂબ જ શ્રદ્ધાથી થાય છે. આ રીતે ધર્મ, નીતિ અને સદાચારનું શિક્ષણ આપનારા અનેક રાસાઓનું સર્જન જૈન કવિઓ દ્વારા મધ્યકાલીન સાહિત્યમાં થયું છે. ચરિત્રાત્મક રાસા સાહિત્યનું ખેડાણ મધ્યકાલીન સાહિત્યમાં થયું છે. તેવી રીતે આચાર્ય જગચંદ્રસૂરિએ ગુરુના જીવન અને કવનને ગૂંથીને ગુરુભક્તિ નિમિત્તે ‘ગુરુગુણ અમૃતવેલી રાસ'નું સર્જન કરીને ગુરુભક્તોને ભેટ ધરી છે. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની અમૃતવેલીમાં પૂ.મુનિરાજ શ્રી જગચંદ્રવિજયજી મ.સાહેબે (હાલ આચાર્ય જગચંદ્રસૂરિજી મ.સા) ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સ્વર્ગસ્થ પૂજ્યશ્રીના ઉત્તમ ગુણસમૃદ્ધિના ભંડાર સમા જીવનને ગુરુગુણ અમૃતવેલીમાં મળ્યું છે. આ સુંદર રાસની રચના પિંડવાડા મુકામે પ્રથમ વાર્ષિક તિથિએ પૂર્ણ કરી એમના ચરણે ધરી હતી. આ રાસની રચના પ્રથમ પાંચ દુહાથી પ્રારંભ કરી ઢાળ પહેલીથી ઢાળ નવમી અને કળશથી ૧૦૮ પૃષ્ઠોમાં વિવેચન સાથે પૂર્ણ થાય છે. દરેક ઢાળમાં સ્વર્ગસ્થ ગુરુદેવના જીવનના કયા કયા પાસાંઓનો ઉલ્લેખ થયો છે. ગુરુગુણ અમૃતવેલી રાસ * 395 Page #445 -------------------------------------------------------------------------- ________________ તે નીચે મુજબ છે. ઢાળ પહેલી : પૂ.ગુરુદેવના જન્મથી માંડીને દીક્ષા સુધીની જીવન યાત્રાનો સુંદર પરિચય દર્શાવ્યો છે. ઢાળ બીજી : અંતર્મુખતાનું લોખંડી બખ્તર પહેરીને રત્નત્રયીની સુવિશુદ્ધ આરાધનામાં ગળાડૂબ બનેલા મુનિવર શ્રી પ્રેમવિજયજીનો પરિચય આપ્યો છે. ઢાળ ત્રીજી : સ્વર્ગસ્થ સુરિપુંગવના ઉચ્ચતમ સંયમગુણની સૃષ્ટિનું વર્ણન જાણવા મળે છે. ઢાળ ચોથી : પરિષહ, સહનશીલતા, વાત્સલ્ય, બ્રહ્મચર્ય, લઘુતા, આદિ ગુણોનું વર્ણન મળે છે. ઢાળ પાંચમી નિસ્પૃહતા, પરગુણાનુમોદન, સ્વપ્રશંસા, શ્રવણ, આજ્ઞા પ્રતિબદ્ધતા, પરહિતચિંતા, ગ્લાનિસાધુસેવા, સમાધિદાન, સમુદાય સંયમ રક્ષાનું બંધારણ, દોષશુદ્ધિ હિતશિક્ષા પ્રદાન ઈત્યાદિ. ઢાળ છઠ્ઠી : ગણિપદ, પંન્યાસપદાદિ, ગચ્છપાલન, લોકમાં ગચ્છના ગુણગાન, શિષ્યાદિકની અતિશય ભક્તિ, શાસનરક્ષા, શાસન પ્રભાવનાદિ ભવ્ય ઇતિહાસનું વર્ણન કરેલું છે. ઢાળ સાતમી : ચરમ ચાતુર્માસ બગડતું સ્વાસ્થ શિષ્ય પ્રશિષ્યાદિ પરિવારનું આગમન, સમાધિ, એકાગ્રતા હેતુ સમાધિ વિચારાદિના સતત શ્રવણ, જીવનનો અંતિમ દિવસ, અંતિમ આરાધના, દેહત્યાગ, સંયમાદિ આરાધના, વિયોગે શિષ્યાદિના રૂદન. ઢાળ આઠમી : પૂજ્યપાદશીના દેહવિલયથી મુનિજગતના હૃદય વ્યથાના વિરાટ વિલાપનું કુશળ કવિરાજના શબ્દોમાં હૃદયંગમ ચિત્રણ. ઢાળ નવમી : પૂજ્યપાદશ્રીના પાર્થિવદેહના અંતિમવિધિનો આખરી અધિકાર અંતિમ ઢાળમાં વર્ણવી કવિવરશ્રી કળશની રચના કરે છે. આમ ઉપર દર્શાવ્યા પ્રમાણે પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબના જીવનને નવઢાળમાં અંકિત કરાયું છે. કવિશ્રી પ્રારંભિક દુહામાં સરસ્વતીની વંદના કરી રાસમાં વણી લેવાની વસ્તુનો નિર્દેશ કરે છે. શ્રીમતી ! ભગવતિ! શારદે યાચું વલણ વિકાસ ગુણ ગાવા ગુરુરાયના જેણે દીધ પ્રકાશ ૧ 396 * જૈન રાસ વિમર્શ Page #446 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી પોતાના ગુરુનું જીવન અગણિત ગુણોથી ભરેલું હતું તેવું તેમનું જીવન અમારાથી કેવી રીતે રાસમાં ગૂંથાશે? તેમનું જીવન ઉત્તુંગ ગિરિશિખર જેવું હતું પરંતુ હું તો મંદબુદ્ધિવાળો એટલે એ ગુણગિરિની મહાઊંચાઈ સુધી કેવી રીતે પહોંચી શકીશ? કવિશ્રી હજી પણ પોતાની લઘુતા બતાવતાં કહે છે કે, ગુરુવર્યનું જીવન તો અતિ ભવ્ય હતું પરંતુ હું તો ભાષાનો દરિદ્ર છું તો તેમના ગુણોનું કીર્તન કરવા જતાં તેમના ઉચ્ચ જીવનનું અવમૂલ્યન તો હું નહીં કરી બેસું ને? કવિશ્રી પોતાની જાતને આવા પ્રશ્નો પૂછીને રાસને ગૂંથવાનો સરસ પ્રયત્ન કરે છે. રાજસ્થાનની મભૂમિમાં નાદિયા ગામે માતા કંકુબાઈની કુખે સં. ૧૯૪૦ના ફાગણ સુદ ૧૫ના રોજ પુત્રજન્મ થયો. કવિ શ્રી એવી કલ્પના કરે છે કે પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાના તેજ શોભી રહ્યાં હતાં તે સમયે શ્રી કિંકુબાઈની કૂખે જાણે બીજો ચંદ્ર અવતાર પામ્યો. પિંડવાડામાં શ્રી ભગવાનજીભાઈને પણ પુત્રજન્મના વધામણાં પહોંચ્યાં. બંને પરિવારોમાં ખુશાલીનો પાર નહોતો. આ શિશુના સૌમ્ય વદનને જોતાં સૌ કોઈના દિલમાં પ્રેમ ઊભરાતો તેથી તેનું નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું. બાલક પ્રેમચંદમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થતાં જિનવાણી શ્રવણનો રંગ લાગ્યો, પિતાશ્રી ભગવાનદાસભાઈ કુમાર પ્રેમચંદને લઈને સુરત જિલ્લાના વ્યારા ગામમાં વ્યવસાય અર્થે ગયા. અહીંયાં ગુરુજનોના મિલાપના સંયોગો ઊજળા બન્યા. કુમાર પ્રેમચંદ જિનવાણીનું શ્રવણ કરીને તેને જીવનમાં ઉતારવા લાગ્યો. કિશોર પ્રેમચંદે અનેક તપશ્ચર્યાઓ સાથે ભાવવિભોર બનીને ગિરિરાજની અનેક યાત્રાઓ કરી અને સાધુ મહાત્માઓના મુખેથી જિનવાણીનું શ્રવણ થતાં કિશોરના હૃદયમાં સંયમ લેવાની અભિલાષાના કોડ જાગ્યા. આ ભાવના પૂ.શ્રી સિદ્ધમુનિ પાસે રજૂ થતાં એમને ઘોઘામાં બિરાજમાન પૂ.વીરવિજયજી મ.સા. તથા પૂ.દાનવિજયજી મ.સા પાસે મોકલ્યા. કુટુંબ તરફથી પ્રવજ્યાની અનુમતિ ન મળતાં કિશોર પ્રેમચંદ ઘરબાર છોડી સર્વવિરતિ અંગીકાર કરવા ચાલી નીકળ્યો. વ્યારાથી ૪૫ કિ.મી.નું અંતર એક જ દિવસમાં પગે ચાલીને સુરત પહોંચીને રેલવે મારફત પાલિતાણા પહોંચ્યો. ગુરુગુણ અમૃતવેલી રાસ * 397 Page #447 -------------------------------------------------------------------------- ________________ એક દિન અઢાર ગાઉ ચાલીને બામ્બયાન આરોહી, પહોંચી શીધ્ર સદ્દગુરુના ચરણે નમી પડ્યો નિર્મોહી. ૧૨ દેવગુર જિનશાસન છોડી નવિ લાગે કઈ પ્યારું સંયમ સંયમ મન તુજ ઝંખે લાગે જગત અકારું. ૧૩ વિ.સં. ૧૯૫૭ના કાર્તિક વદ ૬ના દિને સંસારનું સઘળું સુખ ત્યજીને કુમાર પ્રેમચંદે અતિકષ્ટવાળું સર્વવરતિ જીવન અંગીકાર કર્યું. ૧૭ વર્ષના પ્રેમચંદે સંસારની બાહ્યાભ્યતર ક્રિયાઓને છોડીને નિગ્રંથપદ સકલાગમ રહસ્યવેદી મુનિશ્રી દાનવિજયજી મ.સા. પાસે સ્વીકાર્યું અને પ્રેમવિજયજી નામ ધારણ કરીને તેમના પ્રથમ શિષ્ય બન્યા. સત્તર વર્ષની વયે પરાક્રમે કીધું અગમ અમાન માત તાત જગ મોરી વિછોડી ભાગ્યા ગુરુ વરદાન. ૧૫ વદી છઠ્ઠ દિન પુણ્ય મુહૂર્ત છોડી સવિ સંસાર સંયમ સિદ્ધગિરિ સાંનિધ્ધ લીધું ન કીધી વાર, ૧૬ ગુર વિણ જ્ઞાન નહિં, એ ઉક્તિ અનુસાર મુનિ પ્રેમવિજયને ગુરુભક્તિના લીધે ગુરુજીએ જ્ઞાનદીપ પ્રગટાવ્યો અને મુનિ પ્રેમવિજયના હૃદયમાં તત્ત્વપ્રકાશનાં અજવાળાં થયાં. જ્ઞાનદીપ હૃદયગેહે પ્રગટ્યો પ્રસર્યો તત્ત્વ પ્રકાશ સ્યાદ્વાદ-સિદ્ધાન્ત રહસ્સે થયો બહુ ગુણ વિકાસ. ૩ મુનિ પ્રેમવિજયજી વિશિષ્ટ બુદ્ધિધારક હતા અને તેમને વિદ્વાન પૂ.ગુરુદેવશ્રીનો સંગ મળ્યો તેથી પ્રેમવિજયજી મ.સાહેબે સંસ્કૃત ભાષા, કાવ્યો, ન્યાય પ્રકરણો, આગમો, છેદસૂત્રો આદિ વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. કર્મગ્રન્થ કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, બંધશતક આદિ ગ્રંથોના પદાર્થોના સ્વાધ્યાયની સાધના દ્વારા આત્મસાત્ કર્યા. પૂ. પંન્યાસપ્રવરશ્રી દાનવિજયજી મસાહેબે સં. ૧૯૭૬માં સિદ્ધાંત મહોદધિનું બિરુદ મહેસાણા મુકામે અર્પણ કર્યું. સ્વાધ્યાયની રમણતામાં સિદ્ધાંતમહોદધિ પ્રેમવિજયજીએ સર્વ ભૂલીને પાંચે ઈન્દ્રિયોને એમાં જ જોડી દીધી હતી, મિષ્ટભોજનને તિલાંજલિ આપી જ્ઞાનામૃત ભોજનની અનુભૂતિ રોમરોમ પ્રસરાવી હતી. સ્વાધ્યાયનું 398 * જૈન ચસ વિમર્શ Page #448 -------------------------------------------------------------------------- ________________ દિવ્યામૃત પૂ.પ્રેમવિજય મ.સાહેબના હૃદયે વસ્યું હતું. મિષ્ટ અન્ન મેવાને લાદિ પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ્યો સાઠ વરસના વ્હાણા વાયા ઔષધ બહાને ન ચાખ્યાં. ૫ સંયમના ૫૦ વર્ષ સુધી તેઓશ્રીએ નિરંતર એકાસણાં કર્યાં. મહિનાઓ અને વર્ષો સુધી માત્ર રોટલી અને દાળ બે દ્રવ્યથી જ એકાસણાં કર્યા, ઔષધના બહાને પણ ગુરુદેવે રાગ ઉત્પન્ન થાય તેવાં દ્રવ્યોનો ઉપયોગ કર્યો ન હતો. શ્રમણોના સંયમને વધુ નિર્મલ કરવા સારણા, વારણા, ચોયણા અને પડિચોયણાથી શ્રમણોને સંયમમાં સ્થિર કરતા, સમિતિ-ગુપ્તિના પાલનમાં વધુ ચોક્કસ બનાવતા, સ્વાધ્યાદિમાં તલ્લીન બનાવતા, તપ-ત્યાગના સાધક બનાવતા અને વિનયાદિ ગુણોની ખિલવણી કરતા. સ્વાધ્યાયની સાથોસાથ એમનું જીવન તપ અને ત્યાગથી શોભતું હતું. આવું તપમય જીવન હોવા છતાં તબિયત અસ્વસ્થ બની, ફરતા વાનો દુખાવો શરૂ થયો. પચાસ પચાસ વર્ષ સુધી આ વ્યાધિની વેદનાને તેઓશ્રીએ પ્રસન્ન વદને સહી. પરિષહ તો તે વેશ્યા, ભારી વાયુ ફરતે દેહે હો ગુરુવાર પીડે અતિશય માઝા મૂકીને દુશમન જિમ નિજ ગેહે. ૨ હૃદયરોગ પણ સહ્યો જીવનમાં ખર અંતિમ વરસમાં હો વેગ વધે જબ તેહતણો તબ દુઃખ આવે બહુ વસમા હો. ૭ જીવનના અંતિમ છ વર્ષોમાં હૃદયરોગના હુમલાથી ગુરુદેવનું જીવન કસોટીની એરણ પર ચડ્યું હતું. પ્રોસ્ટેટ ગ્રન્થિનો રોગ પણ શરીરમાં પ્રવેશી ચૂક્યો હતો. આટલી બધી ગંભીર માંદગીમાં પણ તેઓશ્રીએ સહન કરવામાં સહેજ પણ પાછી પાની કરી ન હતી. જીવલેણ પરિષદોમાં પણ સમતાભાવ ધારણ કરવો એ આ મહાપુરુષનું આગવું લક્ષણ હતું. સહનશીલતા વાત્સલ્ય તાહરું બ્રહ્મચર્ય વિશુદ્ધ હો વેગે વરની જગત જીવનમાં લઘુતાવળી અદ્ભુત હો. ૨૮ ચોથી ઢાળમાં સ્વર્ગસ્થ ગુરુદેવના સહિષ્ણુતા, વાત્સલ્ય, સરળતા, પાપભીરુતા અને લઘુતા જેવા ગુણોના નિધિ સમા આ પરમ બ્રહ્મચારી મહાપુરુષના ઉચ્ચતમ જીવનનાં દર્શન થાય છે. ગુરુગુણ અમૃતવેલી રાસ 399 Page #449 -------------------------------------------------------------------------- ________________ પાંચમી ઢાળમાંથી એમના મનોહર ગુણોની મહેક પ્રસરે છે. જિનાજ્ઞા એ જ પૂ.ગુરુદેવનો સાચો મંત્ર હતો, જિનાજ્ઞાના પાલનની વફાદારી શિષ્યોને પણ શિખવાડી હતી. જિનાજ્ઞાના મંત્ર સમી નિઃસ્પૃહતા હૃદયમાં ધારણ કરી હતી. તેઓશ્રીની પ્રેરણાથી સંયમી બનેલા દીક્ષાર્થીને પોતાનો શિષ્ય બનાવવાની કદાપિ સ્પૃહા રાખી ન હતી. શિષ્ય પણ એક પરિગ્રહ હોઈ શિષ્યોનો પરિવાર પણ વધુ વધાર્યો નહિ. પ્રતિબોધી તું ગુણીજનો પણ શિષ્ય બીજાના કરતો અહો! અહો! નિસ્પૃહતા તારી અમ જીવનને વરજો. ૪ ગ્લાનસેવા એ પૂજ્ય ગુરુદેવનું એક મહત્ત્વનું ગુણવૈભવનું પાસું હતું, ગચ્છ કે સમુદાયના કોઈ ભેદ રાખ્યા સિવાય એક નાના પણ ગ્લાન શ્રમણની સેવા કરવામાં તેઓશ્રીને સેવામૃત જેવો અનુભવ થતો. સ્વગણ પરગણ ભેદ વિસારી કીધી સેવા તે સહુની ગ્લાન ચિત્ત આશ્વાસન આપી કીધી સમાધિ બહુની. ૧૪. શ્રમણોના હિતની ચિંતા તેઓ સદૈવ કરતાં. જમાનાના બદલાવ સાથે સુવિદ્ધ સંયમનું પાલન દુષ્કર જ નહીં પણ અતિદુષ્કર બનશે તેવું સમજીવિચારીને ગુરુદેવે સમુદાયના સાધુઓ માટે એક બંધારણ ઘડ્યું. સંયમી સુરક્ષા માટે ઘડાયેલ આ પટક સં.૨૦૧૮ના ચૈત્ર વદી પના દિવસે જ્ઞાનમંદિરમાં જાહેર કરાયો હતો. સંયમ-સુરક્ષા સામે કોઈ બૂરી અસર ન પહોંચે તે માટે ગુરુદેવે શ્રમણોને આ પટકનું બખ્તર ભેટ ધર્યું. - છઠ્ઠી ઢાળમાં આ મહાપુરુષની અપ્રતિમ આંતરસાધના ધ્યાનમાં રાખીને તેમ જ તેમના ગુણવૈભવમાં થતી વૃદ્ધિને લીધે તેમને ડભોઈ નગરે સં. ૧૯૭૬ના કારતક વદ ૬ના રોજ શાસ્ત્રોક્ત વિધિથી ગણિપદ એનાયત થયું અને સં. ૧૯૮૧ના કારતક વદ ૬ના શુભદિને રાજનગરમાં વિધિપૂર્વક પન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું. વિ.સં ૧૯૮૭ના કારતક વદ ૩ના શુભ દિવસે વિરાટ મેદની વચ્ચે ભવ્ય મહોત્સવપૂર્વક મોહમયી મુંબઈ નગરમાં ભાયખલાના આદિનાથ જિનમંદિરના રંગમંડપમાં તેઓશ્રીને ઉપાધ્યાય પદવી આપવામાં આવી. ગ્લાનસેવી પૂ.ઉપાધ્યાયજી પ્રેમવિજયજી મહારાજ સાહેબનું વિશુદ્ધ ચારિત્રપાલન અનુપમ જ્ઞાનસાધના ગુણવૈભવને કારણે પપૂ. દાનસૂરીશ્વરજી 400 * જૈન રાસ વિમર્શ Page #450 -------------------------------------------------------------------------- ________________ મ.સાહેબે સૂરિપદનો પ્રસ્તાવ ઉપાધ્યાય શ્રી પ્રેમવિજય મ.સાહેબ પાસે મૂક્યો, તો સૌ પ્રથમ તો ઉપાધ્યાયજી મ.સાહેબે વજ્રાઘાત સમો આંચકો અનુભવ્યો અને એક બાળકની પેઠે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આ મહાન પદની જવાબદારી વહન ક૨વાનું સામર્થ્ય મારામાં નથી. પવિત્ર સૂરિપદની આશાતના-વિરાધના થઈ જાય તેનાથી હું ડરું છું, ક્ષમા કરો વગેરે રડતાં રડતાં ઘણી કાકલૂદી કરી, પરંતુ ગુરુદેવશ્રી દાનસૂરીશ્વરજી મહારાજા વજ જેવું કઠોર હૈયું કરીને બેઠા હતા. શિષ્યના આંસુઓ એ હૈયાને પલાળી શક્યા નહિ, કારણ કે શાસનરક્ષા અને સંઘરક્ષા માટે સુયોગ્ય વ્યક્તિને રખેવાળી સોંપવાની ગંભીર જવાબદારી તેઓશ્રીના શિરે હતી. પૂજ્ય ગુરુદેવશ્રીની મક્કમ રજૂઆત આગળ શિષ્યે મૌન રહીને સંમતિ આપી. વિ.સં. ૧૯૯૧ના ચૈત્ર સુદ ૧૪ના મહાન દિને રાધનપુરનગરમાં વિશાળ મંડપમાં ભરચક વિરાટ મેદની વચ્ચે અત્યંત ઉલ્લાસપૂર્વ વાતાવરણમાં જૈનશાસનનું ગૌરવપૂર્ણ આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. ઓગણીસે એકાણુ વર્ષ રાધનપુર શુભ સ્થાને ચૈત્ર સુદી ચૌદશના દીધું પદ ત્રીજું ગુરુ દાને. ૭ સિદ્ધાંતમહોદધિ પૂ.આ. દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજીને નૂતન આચાર્યશ્રી તરીકે ઘોષિત કરવામાં આવ્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રી દાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર તરીકે નૂતન સુરિદેવ આકાશમાંના સૂર્યના તેજસ્વિતા પ્રસરાવી રહ્યા હતા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીની નિશ્રામાં ઉત્સવો, ઉદ્યાપનો, અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, શિબિરો, ઉપાશ્રય આદિના ઉદ્ઘાટનો, તપશ્ચર્યાઓ, અનુષ્ઠાનો, ઉજમણાઓ, તીર્થયાત્રા સંઘો, ઉછામણીઓ, આદિ શાસન પ્રભાવનાનાં કાર્યો થયાં. અદ્વિતીય કોટિના પ્રભાવક પુરુષ તરીકે તેઓનું નામ જૈનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત હશે. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ તેમના ૮૫ વર્ષમાં ૬૮ વર્ષ વિશુદ્ધ સંયમની આરાધનામાં અપ્રમત્ત રહી પોતાનો પ્રાણ પૂર્યો. તેઓશ્રીએ ૩૩ વર્ષ સુધી જિનશાસનનું સૂરિપદ શોભાવી, સંઘ અને શાસનની અદ્ભુત સેવા કરી. તેઓશ્રીએ સાધક તરીકે અધ્યાત્મના અજવાળાં પાથર્યાં. તેની ઝાંખી છ ઢાળમાં કરાવ્યા પછી અંતિમ દિવસોની અદ્ભુત સમાધિ, અપાર સહિષ્ણુતા અને અનન્ય સંયમનિષ્ઠાનો પરિચય કરાવી કવિશ્રીએ સાતમી ઢાળમાં એક ગુરુગુણ અમૃતવેલી રાસ * 401 Page #451 -------------------------------------------------------------------------- ________________ ગોઝારી પળનું અંતિમ દશ્ય કરાવવા ઈચ્છે છે. વિ.સં. ૨૦૧૩ના જેઠ સુદ ૧૦ના દિવસે ભારે ઠાઠમાઠથી પૂજ્યપાદશ્રીનો વિશાળ સાધુવંદ સાથે ખંભાતનગરમાં ચાતુર્માસ પ્રવેશ થયો હતો. તે સાથે જ વાના ભયાનક દુખાવાનો પણ તેઓશ્રીના શરીરમાં પ્રવેશ થયો. આના ઉપચાર માટે તેઓ દોષિત પદાર્થ વાપરવા તૈયાર ન હતા. જીવનના અંતિમ દિવસોમાં એકાસણાં છોડવાં પડ્યાં તેનો તેઓશ્રીને ભારે રંજ હતો. સમાધિ વિચાર, શ્રી પંચસૂત્ર, ચિદાનંદ છત્રીસી, સ્તવનો અને સઝાયોના શ્રવણમાં પૂજ્યશ્રી લીન હતાં. જ્યારે છેલ્લી પળોમાં જાગૃત રહીને અનાદિ સંસારમાં ભટકતા પોતાના આત્માએ કરેલા સર્વ દુષ્કૃત્યોને ગળગળા બનીને નિંદી રહ્યા હતા. જાણે અજાણે અપરાધો બદલ સર્વ જીવરાશિને અંતઃકરણથી ખમાવી રહ્યા. છેવટે પૂજ્યપાદશ્રીના જયેષ્ઠ શિષ્ય પૂ. આચાર્યદેવ રામચંદ્રસૂરીશ્વરજી મ.સાહેબે ગુરુદેવશ્રીના કાનમાં પરમ કલ્યાણકારી શ્રી નમસ્કાર મંત્રની ધૂન ચાલુ કરી. છેવટે વિ.સં. ૨૦૨૪ વૈશાખ વદ ૧૧ની કાળી રાત્રિએ પૂજ્યપાદશ્રીનો જીવનદીપ બુઝાઈ ગયો. ઈષ્ટસિદ્ધ તુજ હાથ અડતા દેર મૂકી તું ચાલ્યો જાગંતા અમે નયને અશ્રુનો વેગ રહ્યો નહિ ઝાલ્યો. ૨૨ કોણ કોના અ8 લુછે, તિહાં સો દુઃખ વેગ વહેતા દુઃખભાર નહિ કોઈ સહેતા મુનિ જગત વિલપતા ૨૪ કોણ કોનાં અશ્રુ લુછે? કોણ કોને આશ્વાસન આપે? જ્ઞાન અને સાધનામાં મસ્ત રહેનારા મુનિઓ પણ રુદનને અટકાવી શક્યા નહીં. અમારા જીવનનો આધાર કોણ બનશે? પૂજ્ય ગુરુદેવશ્રીના કાળ કરી જવાથી એમનો સમસ્ત શિષ્ય સમુદાય ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો. વિરહની વ્યથા કેવી રીતે સહેવાશે? આપશ્રી વિના શહેર પણ ભેંકાર ભાસે છે. આજે આપના વિના સર્વત્ર સૂનકાર છે. ગુરુદેવે કરેલા ઉપકારોને મુનિવરો યાદ કરીને પોતાના વિકાસ માટે જીવનઘડતર માટે ગુરુદેવ કેવા શિલ્પી હતા. તેનું મનોમંથન કવિશ્રીએ આઠમી ઢાળમાં દર્શાવ્યું છે. આપના ઉપકારોને, આપના ગુણોને આપનાં વચનોને સતત યાદ કરતા રહીને અમે અમારો પંથ કાપવા માટે સજ્જ બની શકીએ - એવી પ્રેરણા આપ જ્યાં હો ત્યાંથી પૂરી પાડશો એવી અમારી છેવટની 402 “જેન રાસ વિમર્શ Page #452 -------------------------------------------------------------------------- ________________ માગણી સ્વીકારશો? રાસકાર આઠમી ઢાળની છેલ્લી પંક્તિઓમાં સહાય કરવાનું કહે છે. અને તે સહાયથી અમારી રત્નત્રયીની આરાધના નોર્મલ થાય એવી પ્રાર્થના કરે છે. સ્વર્ગ વસંતા ગુરુજી અમ આતમતણી, રક્ષાધરી મન કરજો નિત્ય સહાય જો તુમ સહાયે રત્નત્રયી આરાધના, નિર્મલ કરતાં થાય ગત ઉદ્ધારજો. ૧૭ મુનિઓના હૈયાફાટ રુદનનું તાદ્દશ ચિત્ર આઠમી ઢાળમાં આપ્યા બાદ સ્વર્ગસ્થ પૂજ્યપાદશીના પાર્થિવ દેહની અંતિમ વિધિનો આખરી અધિકાર અંતિમ ઢાળમાં વર્ણવી કવિશ્રીએ કળશની રચના કરી છે. આ ઢાળમાં પૂજ્યપાદશ્રીના દેહવિલયના સમાચાર સાંભળી ગામેગામથી લોકો આવવા લાગ્યા, ટોળે-ટોળાં ઉભરાવા લાગ્યાં. તેઓશ્રીના મૃતદેહનાં દર્શન કરી સહુ પાવન થયાં. ગુણસમૃદ્ધિના વૈભવવાળા ગુરુદેવશ્રીના જીવનની અનુમોદનાર્થે ખંભાતમાં અને અન્ય સ્થળોએ ભક્તિ મહોત્સવો થયા. ખંભાતમાં પૂજ્યપાદશ્રીના અંતિમવિધિ થઈ તે સ્થળે સમાધિમંદિરનું નિર્માણ થયું. વ્રત નિયમ કોઈ કરતાં તુજ ભક્તિ ચિત્ત ધરંતા ગુરુ મંદિર કોઈ કરાવે તુજ મુરતિ તિહાં પધરાવે. ૮ સત્તર વર્ષના કુમાર પ્રેમચંદની કથાથી પ્રારંભ કરીને કવિશ્રીએ મુનિશ્રી પ્રેમવિજયની આચાર્યપદ પ્રાપ્તિ સુધીની કથાને સુંદર રીતે મઢીને રજૂ કરી છે. મુનિશ્રી પ્રેમવિજયજીએ પોતાની સંયમસાધના દ્વારા ગુરુવર્યોની અસીમકૃપા પ્રાપ્ત કરી. પોતાની આગવી સ્મરણશક્તિ અને અથાગ પરિશ્રમથી કર્મસાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું અને શિષ્યો-પ્રશિષ્યોને કર્મસાહિત્યનું અધ્યાપન કરાવ્યું. પૂજ્યશ્રીએ કર્મવિષયક શાસ્ત્રોનું સર્જન પણ કર્યું. દિનભર તે સ્વાધ્યાયમાં રત રહેતા. ઈન્દ્રિયનિગ્રહના કારણે તે શુદ્ધ સંયમના સ્વામી બન્યા. ત્યાગ, તપ અને નિયમિતતાથી તેમનું જીવન મધુર બન્યું હતું. હૃદયરોગના વ્યાધિ અને પ્રોસ્ટેટના વ્યાધિ જેવા પરિષહોને પ્રસન્નતાપૂર્વક અને સમતાપૂર્વક સહન કર્યા. આ અનેક આવા અનેકગુણોનું કાવ્યમય શૈલીમાં વાચકગણને રસપાન કરાવ્યું. શ્રીજગચન્દ્રસૂરિજીએ ગુરુભક્તિ નિમિત્તે દુહા, ગુરુગુણ અમૃતવેલી રાસ +403 Page #453 -------------------------------------------------------------------------- ________________ ઢાળ અને કળશમાં આલેખાયેલી આ ચરિત્રાત્મક અને પ્રેરણાત્મક રાસની રચના શ્રોતાઓ અને વાચકોના મનમાં અનુમોદના કરવા જેવી વિશિષ્ટ સુંદર છાપ મૂકી જાય છે. | સ્વર્ગસ્થ પૂજ્યપાદશ્રીનો જીવનવૃત્તાંત આવી ગેય રચનામાં જીવનના તાણા-વાણા ગૂંથીને રસપૂર્વક પ્રેરણાત્મક પરિચય કરાવ્યો છે. એ કવિશ્રીની સફળતાનું દ્યોતક છે. 404 * જૈન રાસ વિમર્શ Page #454 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તીર્થવિષયક નિબંધો Page #455 --------------------------------------------------------------------------  Page #456 -------------------------------------------------------------------------- ________________ કવિ સમયસુંદરજી કૃત : શત્રુંજય-મંડન રાસ” પ્રા. રેશમા ડી. પટેલ, વલ્લભ વિદ્યાનગર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સમર્થ જૈન કવિઓમાં શ્રીસમયસુંદરજીનું સ્થાન વિશિષ્ઠ છે. ઈ.સ.ના સોળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુ કવિએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકા૨નો ફાળો આપ્યો છે. વિદ્વાન સાહિત્યકાર તરીકે તેમ જ તપસ્વી સાધુ તરીકે તેમણે ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પોતાના સમયમાં મેળવી હતી. જીવનપરિચય કવિવર સમયસુંદરજીના સમય વિશે મહદ્અંશે માહિતી મળે છે. સમયસુંદરનો જન્મ મારવાડમાં સાચોરની પ્રાગ્ધાટ (પોરવાડ) વણિક જ્ઞાતિમાં થયો હતો. એમની માતાનું નામ લીલાદેવી હતું. અને પિતાનું નામ રૂપસિંહ હતું. પોતાના જન્મસ્થાન વિશે કવિએ પોતે પોતાની એક કૃતિ સીતારામ ચોપાઈ’ના છઠ્ઠા ખંડની ત્રીજી ઢાલમાં આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે : મુજ જનમ શ્રી સાચોરમાંહી, તિહાં ચ્યાર માસ રહ્યાં ઉચ્છાંહિ; તિહાં ઢાલ એ કીધી એકે જ, કહે સમયસુંદર ધરી હેજ. સમયસુંદરજીનો સૌથી પહેલો ગ્રંથ તે ભાવશતક બાળવયે દીક્ષા લઈ ૧૫ વર્ષની ઉંમરે સાધુ તરીકે તેમ જ સંસ્કૃત પ્રાકૃતના અઠંગ અભ્યાસી અને પ્રખર સાહિત્યકાર તરીકે ઉચ્ચ પ્રકારની સિદ્ધિ દાખવનારી કેટલીક વિરલ વિભૂતિઓ આપણને જોવા મળે છે. યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પોતાને હાથે કવિને દીક્ષા આપી હતી અને પોતાના શિષ્ય સકલચંદ્ર ગણિના શિષ્ય તરીકે એમને જાહેર કરી, એમનું નામ ‘સમયસુંદર' રાખ્યું હતું. અભ્યાસ અને પ્રગતિ : કવિના ઉચ્ચ અભ્યાસ, તીક્ષ્ણ બુદ્ધિ, અસાધારણ પ્રતિભા અને તપસ્વી તથા સંયમી સાધુજીવન જોઈને આચાર્યશ્રી જિનચંદ્રસૂરિએ એમને સંવત ૧૬૪૦ના મહા સુદ પાંચમને દિવસે ‘ગણિ'નું પદ આપ્યું હતું. સમ્રાટ અકબરના આમંત્રણને માન આપી જ્યારે આચાર્યશ્રી જિનચંદ્રસૂરિ સંવત શત્રુંજય-મંડન રાસ * 407 Page #457 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪૮માં લાહોર ગયા ત્યારે તેમની સાથે ગયેલા ૩૧ સાધુઓમાં સકલચંદ્ર ગણિ, મહિમરાજ, સમયસુંદરજી વગેરે પણ હતા. તે સમયસુંદરજીએ રાનાનો વત્ત સૌરવવત્ આઠ અક્ષરના આ વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવી, પોતાની ‘અષ્ટલક્ષી' કૃતિ વડે અકબર બાદશાહને ખુશ કર્યા હતા. સંવત ૧૬૪૯માં ફાગણ સુદ બીજને દિવસે શ્રી જિનચંદ્રસૂરિએ સમયસુંદરને લાહોરમાં વાચનાચાર્યનું પદ આપ્યું હતું. એ જ વખતે આચાર્યશ્રીએ વાચક મહિમરાજને આચાર્યની પદવી આપી શ્રી જિનસિંહસૂરિ એવું નામ આપ્યું હતું. એટલે જ આ સમય પછી લખાયેલી ‘સાંબપ્રદ્યુમ્ન પ્રબંધ’, ‘ચાર પ્રત્યેક બુદ્ધનો રાસ', મૃગાવતી ચિરત્ર' વગેરે કૃતિઓમાં સમયસુંદર પોતાને ‘વાચક સમયસુંદર' તરીકે ઓળખાવે છે. આ સમય દરમિયાન સમયસુંદરે ગુજરાતી ભાષામાં રાસ, પ્રબંધ, ગીતો, સ્તવનો, છત્રીસી વગેરે પ્રકારનાં કાવ્યો પણ લખવાનાં શરૂ કરી દીધાં હતાં. કવિવર સમયસુંદરજીને જુદેજુદે સ્થળે ફરવાનું અને ચાતુર્માસ દરમિયાન સ્થિર થવાનું બનતું. એમણે પોતાની કૃતિઓમાં એ સ્થળોનો ઉલ્લેખ કર્યો છે, તેમણે અહિંસાનો પ્રચાર-પ્રસાર કરી અને પ્રાણી હિંસા અટકાવી હતી. શિષ્ય પરિવાર : સમયસુંદરજીનો શિષ્ય પરિવાર વિશાળ હતો. એમના લગભગ ૪૨ જેટલા શિષ્યો હતા. સમયસુંદરજીએ સુદીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું. દીક્ષા પછી નાની વયથી જ એમનું જીવન સંયમી અને તેજસ્વી બન્યું હતું. સાધુ તરીકે અને સાહિત્યકાર તરીકે તેમણે એક પછી એક સિદ્ધિઓ મેળવી હતી. તેમણે પોતાના ચારિત્ર્ય અને વ્યક્તિત્વને ખૂબ ખીલવ્યું. વિદ્વત્તા, ગુણગ્રાહકતા અને ઉદારતાને લીધે તેઓ માત્ર પોતાના ગચ્છના નહિ, પણ સમગ્ર જૈન સમાજના સર્વમાન્ય સાધુ બની ગયા હતા. એમણે સંવત ૧૬૮૭માં ગુજરાતમાં પડેલા ભયંકર દુકાળ વિશે ‘સત્યાસીયા દુષ્કાળ વર્ણન છત્રીસી'માં આબેહૂબ વર્ણન કર્યું હતું. આમ સમયસુંદરે લગભગ નેવું વર્ષનું આયુષ્ય ભોગવ્યું. અવસાનના ત્રણેક વર્ષ પહેલાં એમણે દ્રૌપદી ચોપાઈ’ જેવા સુદીર્ઘ કાવ્યની રચના કરી હતી. એ બતાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ એમણે લેખનપ્રવૃત્તિ ચાલુ રાખી હતી. 408 * જૈન રાસ વિમર્શ Page #458 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસેવા: સમયસુંદરની સાહિત્યસેવા વિપુલ તથા ઉચ્ચ કોટિની હતી. તેમણે સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતી ભાષામાં કૃતિઓની રચના કરી છે. વિશાળ સાહિત્ય સર્જન કર્યું છે તે જોતાં એક વિદ્વાન અને સમર્થ પંડિત તરીકે અને ઉચ્ચ કક્ષાના એક સાહિત્યકાર તરીકે તો એમની પ્રતીતિ અવશ્ય થાય જ. સંસ્કૃત ભાષામાં કવિએ ભાવશતક, રૂપકમાલા અવચૂરિ, કાલિકાચાર્યકથા, સમાચારીશતક, વિચારશતક, વિશેષશતક, ગાથાસહસ્ત્રી વગેરે જેવી અને બીજી કેટલીક નાની મોટી કૃતિઓની રચના કરી છે. ગુજરાતી ભાષામાં સમયસુંદરજીએ રાસ, ચોપાઈ, સ્તવન, સઝાય, ગીત-ચોવીસી-છત્રીસી વગેરે પ્રકારો ખેડ્યા છે. ગુજરાતીમાં પણ એમનું સર્જન અત્યંત વિપુલ છે અને એમને એક ઉત્તમ રાસકાર અને ગીતકાર તરીકે પ્રતિષ્ઠા અપાવે છે. સર્જનાત્મક સાહિત્યમાં સમયસુંદરે રાસ અને ગીતમાં ઉચ્ચ પ્રકારની સિદ્ધિ મેળવી છે. ભાષાની સકમારતા વર્ણનોની તાદશતા અને આલેખનની સચોટતા સાથે એમણે રાસનું સર્જન કર્યું છે. એમાં એમની ઉચ્ચ કવિપ્રતિભા પ્રસંગે પ્રસંગે ઝળકી ઊઠે છે. એમનું ‘અષ્ટલક્ષી' ગ્રંથ અનેકાર્થ સાહિત્યમાં અદ્વિતીય છે. એક પદના આઠ લાખ અર્થ એ તો એમની વાણીની વિશેષતા દર્શાવે છે. એમને અનેક ભાષાઓનું જ્ઞાન હતું તથા સંગીતનો પણ એમને વિશેષ જ્ઞાન હતું. સમયસુંદરજીના સમકાલીન કવિ ઋષભદાસે સંવત ૧૬OOમાં રચેલા કુમારપાલ રાસ'માં સમયસુંદરની પ્રશંસા કરતાં લખ્યું છે : સુસાધુ હંસ સમયો સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલ હું મુરખ બાલ. જે સમયે સમયસુંદરજીનું સાહિત્ય હજુ સર્જાઈ રહ્યું હતું એ સમયે ઋષભદાસે કરેલા આ ઉલ્લેખ પરથી ખાતરી થાય છે કે સમયસુંદરે એમના પોતાના સમયમાં જ ઘણી પ્રતિષ્ઠા મેળવી હતી. સમયસુંદર ખરેખર અસાધારણ ઉચ્ચ પ્રતિભા ધરાવનાર પ્રખર વિદ્વાન, સમર્થ સાહિત્યકાર, પ્રતિભાશાળી કવિ અને તેજસ્વી સાધુ હતા. રાસ-સાહિત્ય: જેનોમાં મહત્ત્વના પાંચ તીર્થોમાંનું એક તીર્થ પાલિતાણા (શત્રુંજય) શત્રુંજયમંડન રાસ *409 Page #459 -------------------------------------------------------------------------- ________________ છે. જૈન શાસ્ત્રો મુજબ મહાપવિત્ર શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવામાં કહેવાયું છે કે “તીર્થ પાથરજા વિરજી ભવન્તિ, તીર્થપુ બભ્રમણતો ન ભવે ભ્રમન્તિ’ એટલે કે તીર્થ અને તેમાં પણ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના રસ્તાની ધૂળથી આત્મા ઉપરની કર્મરૂપી ધૂળ દૂર ફેંકાઈ જાય છે. આ મહાતીર્થમાં ભ્રમણ કરવાથી ભવમાં ભમવાનું મટી જાય છે. આવા જ તીર્થાધિરાજ શત્રુંજય પર શ્રી સમયસુંદરજીએ શત્રુંજય મંડન રાસની રચના કરી છે જે આ પ્રમાણે છે. આ રાસ મધ્યકાલીન રાસા સાહિત્ય' પુસ્તકમાંથી લીધો છે. વિષયવસ્તુઃ સમયસુંદરજીએ પ્રસ્તુત રાસમાં શ્રી ગુરુભ્યો નમઃ || એ મંગલચરણથી રાસનો પ્રારંભ કર્યો છે. બે કર જોડી વિનવું જી, સુણિ સામી સુવિદીત; કુડ કપટ મૂકી કરીજી, વાત કહું આપ વીત અર્થાત્ “બે હાથ જોડી હું વિનવું છું, કૂડ-કપટ મૂકીને આપ સમક્ષ એક વાત કહું છું કે, હે કૃપાનાથ! મારી વિનંતી આપ ધરશોજી.” આવી પ્રાર્થના સાથે રાસનો ઉઘાડ થયો છે. તું તો પ્રભુ) ત્રિભુવનને સમર્થ છે. કૃપાનાથ મારી વિનંતીનો સ્વીકાર કરજો. એવું નિવેદન કરે છે. આગળ કવિ. કહે છે કે ભવસાગરમાં ભમતા અમે થાક્યા છીએ, દુઃખો પણ અનંત જોયાં છે, જે દુઃખ આપણું ભાંગે એને દુઃખની વાત કરવી જોઈએ. પરદુઃખ ન ભાગે એને સુખની વાત કરવી જોઈએ. જો આલોચના લીધા વિનાના જીવને સંસારમાં ઘણો કાળ ભમવું પડે છે. જેમ લક્ષ્મણા બાળથી બ્રહ્મચારિણી સાધ્વી અતિ તપ કરવા છતાં પણ અતિચારની આલોચણા ન કરવાથી અનંત ચોવીશી ભમી હતી. એનું કવિ સદૃષ્ટાન્ત ઉદાહરણ આપે છે. જેમ મા-બાપ પાસે કંઈ વાત કરતા બાળક શરમાતો નથી. તેમ આજે તમારી પાસે હું પાપનું નિવેદન કરીશ. જનધર્મ બધાંયે કહ્યું, પણ સ્થાપના કરવી છે આજે મારી વાતની એવી આજની પરિસ્થિતિ છે. સામાચારી ઘણી છે, એટલે કે સમ્યકત્વના તથા મિથ્યાત્વના પણ જાણે-અજાણે સિદ્ધાંત વિરુદ્ધ (ઉસૂત્ર-સિદ્ધાંતસૂત્ર વગર) કંઈ બોલાયેલું હોય, રતને કાગ ઉડાવ્યા હોય. હવે હું આ જનમમાં હારી ગયો છું. ભગવંતે જે ઉપદેશ આપ્યો તે ક્યાં છે? હાથી-પાખર, ખર (ગધેડો), તે બધાં કર્મના બંધનથી બાધિત છે. હે 410 જ જૈન રાસ વિમર્શ Page #460 -------------------------------------------------------------------------- ________________ ભગવંત! આપે ઉત્સર્ગનો આકરો માર્ગ પ્રરૂપેલો છે. જેમ ઉપદેશમાળામાં માસાહસ પંખી’નું દૃષ્ટાન્ત છે, જેમાં જે સિંહની દાઢમાંથી માંસ ખાય અને વૃક્ષ ઉપર બેસી ઉપદેશ આપે કે સાહસ ન કરો. (માંસાહાર ન કરો.) આ સંસાર પણ દુ:ખોથી ભરેલો છે. ક્યાં જઈને પોકાર કરું. જાણું છું એટલું કરું છું, ઉદ્યમ હોય તેટલો વિહાર કરું. ધી૨જ જીવને નથી તે અનંત મહાસાગરમાં ભમી રહ્યો છે. માટે તો જન્મ-મરણના ફેરામાં ફસાયો છું. સહજતાથી મારી વાત કરું તો મને આવી ભૂંડી વાત ન ગમે. મને પરનિંદા કરતાં થાક ન લાગે, દિવસ-રાતનો એ ભેદ ન જાણું. આગળ વધતાં કવિ કહે છે કે મારા એવા ગુણો નથી તો તેને હું રોજ પ્રશંસુ. વિદ્યા ભણ્યો હું વાદ માટે, ૫૨૨જનના ઉપદેશ માટે. મનનો સંવેદ ધર્યો. નહીં તો સંસારને કેવી રીતે તરીશું? સૂત્ર સિદ્ધાંત વાંચતા જ કર્મવિપાક સાંભળી એક મનમાં વિચા૨ ઊપજે. મારો વૈરાગ તો મરકટ જેવો છે. એમ કવિ કહે છે કે ત્રિવિધના દુઃખોને દૂર કરી એટલે કે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણે પ્રકારે શાંતિ જોઈએ તથા તમારું સાનિધ્ય સદાય જોઈએ. વારંવા૨ છૂટવા પ્રયત્ન કરું છું પણ નથી કરી. પરંતુ આ ભવસાગ૨માં હું ભટક્યો છું, એમ કહી વિ સમયસુંદરજી પ્રભુ પાસે ખુલ્લા મને નિવેદન કરે છે. અણ કીધું લીઈ ત્રિત્રુંજી, તઉહિ અદત્તાદાન ઃ તે દુષણ લાગાં ઘણાજી, ગિણતા નાવઈ ગાન. અર્થાત્ કવિ કહે છે કે ક્યારે પણ આપ્યા વિના લેવું નહીં અને આપતી વખતે ત્રણ ઘણું આપવું. લેતી વખતે તણખલા જેટલું લેવું તોય પણ જાણે ગુપ્તદાન કરવું અને આપ્યા વિના લેવામાં આવે તો તેને અદત્તાદાન કહેવાય એ બરાબર સમજવું એવું કહ્યું છે. આ સંસારમાં ચંચળ આ જીવ રહી નથી શકતો. રમણરૂપમાં ખોવાયેલ કામવિટંબણ હું તમારે સમક્ષ શું કહું? તું બધું જ જાણે છે. તું તો સર્વજ્ઞ-સર્વનિયંતા છે. માયા-મમતામાં જીવ ફસાયો છે. અધિકથી વધારે લોભ કર્યો છે. પરિગ્રહને તો દૂર રાખ્યો અને સંયમનો ક્યારે ક્ષોભ ના કર્યો. મને અનેક પ્રકારના દોષ લાગ્યા છે. રાત્રિભોજન દોષ, વગેરે જેવા આવા અનેક દોષ વિષે મન મૂકીને હું વાચા નથી આપી શકતો. ધર્મમાં ક્યારે સંતોષ રાખ્યો નથી. આ ભવે આ-ભવે કરીશું એમ કરી-કરીને ૮૪ લાખ યોનિમાં હું ફસાયો. આજે હું “મિચ્છામી દુક્કડ' કહું છું. ભગવંત તારી સમક્ષ (તારી શત્રુંજય-મંડન રાસ * 411 Page #461 -------------------------------------------------------------------------- ________________ સાક્ષીએ) જે મેં કર્મ સેવ્યાં છે. તેમને બક્ષ માફ કર મારા નાથ! (મા-બાપ) કવિ સમયસુંદરજી રાસાન્તે એક રસપ્રદ દૃષ્ટાન્ત આપે છે, જેમ દુધમાં સાકરનું મિશ્રણ ભાવે તેમ જિનધર્મનું મિશ્રણ મને ભાવે છે. શત્રુંજય પરના શણગાર એવા ઋષભદેવ રાયજી મારાં પાપોને તું ચકનાચૂર કરજે. જિનધર્મનો મર્મ એટલે કે પાપ ધોવાઈ જાય. મન, વચન, કાયાથી મિચ્છામી દુક્કડં કહેતા હર્ષ થાય છે. તું ગતિ તું મતિ તું ધણીજી, તું સાહિબ તું દેવ! આણ ધરું સિરિ તાહરીજી, ભાવિ તોરી સેવ. અર્થાત્ એવાં તું જ મારા માટે ગતિ, મતિ અને ધણી છે. તું સાહેબ તું દેવ. તારા સમક્ષ મારું મસ્તક ધરી હું પાપોનું પ્રાયશ્ચિત્ત કરું છું. જન્મજન્મમાં તું મને મળે. આમ શત્રુંજય ચડીએ, નાભિનંદનને ભેટવા હાથ જોડી આપ મારા સર્વે પાપ ધોઈ નાખજો. એવું નિવેદન રાસાન્તે થયું છે. જિનચંદ્રસૂરિ સદ્ગુરુના પ્રથમ શિષ્ય તથા સકળચંદ્રગણિ સમયસુંદરજી સમકાલીન હતા, તેની નોંધ ૨ાસાંતે લેવાઈ છે. સમીક્ષા : ૧. પ્રસ્તુત રાસમાં સમયસુંદરજીએ ખૂબ જ નિર્મળ મનથી પ્રભુને પ્રાર્થના અને પાપોનું નિવેદન કર્યું છે. ૨. આ રાસ વાંચતા આપણને એવું લાગે છે કે આપણે પણ ઋષભદેવ પ્રભુને પ્રાર્થી રહ્યા છીએ કે અમારા પણ જન્મ-જન્માન્તરોનાં પાપ ધોવાઈ જાય. આમ તાદશ ચિત્ર ખડું થાય છે જેમ કે : ૩. ભવસાગર ભમતા થકાજી, દીઠા દુ:ખ અનંત ભવસાગર તું ભેટીયઉજી, ભયભંજણ ભગવંત પ્રસ્તુત રાસમાં સમયસુંદરજીએ ખૂબ માર્મિક અને ગહનતાથી તત્ત્વજ્ઞાનને રજૂ કર્યું છે, જેમ કે; મનુષ્ય પાસે બે દૃષ્ટિ છે. એક સમ્યક્ત્વ બીજી મિથ્યાત્વ. પરંતુ મનુષ્ય કઈ દૃષ્ટિથી જોવું તે મનુષ્યે નક્કી કરવાનું છે. એ માટે કવિએ એક સુંદર શબ્દ આપ્યો છે. ગાડરિયો પ્રવાહ’ જેમ લોકો એક પછી એક કંઈ પણ જોયા વિના આવું અનુકરણ કરે એ પ્રભુના મર્મને પામી શકતા નથી. એની ખૂબ જ તાત્ત્વિક વાત કરી છે. એને આપણે વેદાંતની પરિભાષામાં અધ્યારોપ-અપવાદ સાથે 412 * જૈન રાસ વિમર્શ Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪. ૫. ૬. ૭. ૮. સરખાવી શકીએ છીએ. અજ્ઞાનતા હોય ત્યાં સુધી આપણને દોરડામાં સર્પ દેખાય છે પરંતુ જ્યારે આપણામાં જ્ઞાનનો આવિર્ભાવ થાય છે અને સમ્યકત્વ જ્ઞાન એટલે કે અપવાદની સ્થિતિ તરફ વળીએ છીએ. આમ પહેલી અવસ્થા (અધ્યારોપ) જે મિથ્યાત્વ છે. અને બીજી અવસ્થા સમ્યક્ત્વ છે. આમ સમયસુંદરજીએ આ જ્ઞાન-અજ્ઞાનને વેધક રીતે સમજાવ્યું છે. કવિ સમયસુંદરજીના આ રાસમાં ભાવક એવા તરબોળ થઈ ગયા છે, જ્યારે ભાવક વાંચતો હોય ત્યારે આપણને એવું લાગે કે રાસ આગળ વધતાં આપણે પણ શત્રુંજયનાં પગથિયાં ચઢી રહ્યાં છીએ અને આપણે આપણા કર્મને ખપાવી રહ્યાં છીએ. આ વાતથી આપણને ત્યારે કવિ જગન્નાથનું સ્મરણ પણ કરાવે છે. જેમ ગંગાલહરીમાં એક-એક પંક્તિની રચના કરતાં પગથિયે પાણી ચડી આવે છે અને જગન્નાથજી પાવન થાય છે. તેમ આ રાસના અંતે પણ આપણને એવું લાગે છે કે આપણા ૮૪ લાખ ફેરામાંથી મુક્તિ મળશે. એવું ભાવભીનું મનુષ્ય મનનું નિવેદન આ રાસમાં જોઈ શકાય છે. આ રાસમાં લક્ષ્મણાના દૃષ્ટાન્તથી સરસ રીતે ચિતાર આપ્યો છે કે તે વધારે પડતું તપ કરવા છતાં તે અતિચારની આલોચના ન કરી, માટે તે અનંત ચોવીશી ભમી હતી તેમ આપણે પણ મનુષ્યજીવનમાં કેટલીક વખત ખૂબ તપ કરીએ પણ આવાં આલોચનાની જો સમજ ન હોય તો હતા ત્યાં ને ત્યાં જ રહી જઈએ છીએ.’ કવિ સમયસુંદરજી એક બીજું પણ દૃષ્ટાન્ત આપે છે. ‘માસાહસ પંખી’નું. જેમ, વ્યક્તિ (પશુ) પોતે સિંહની દાઢમાંથી માંસ ખાય અને વૃક્ષ ઉપર બેસી ઉપદેશ આપે કે સાહસ ન કરો. (માંસાહાર ન કરો.) તો આવો આકરો વ્યંગ્ય કવિએ બતાવ્યો છે. આજના લોકમાનસને એ જગાડે છે. (જાણે કવિ અવ્યક્ત સવાલ આપણને પૂછતા હોય). જીવની ચંચળતા વિશે કવિએ સુંદર છણાવટ કરી છે તથા માયા, મમતા, લોભ, પરિગ્રહ, સંયમની વાત કરી છે અને રાત્રિ ભોજનનો દોષ પણ કવિએ બતાવ્યો છે. દાનની સુંદર વાત કરે છે, તેઓ કહે છે કે લેતી વખતે તણખલા જેવું લેવું જોઈએ અને આપતી વખતે ત્રણ ઘણું આપવું જોઈએ. પરંતુ કોઈના શત્રુંજય-મંડન રાસ * 413 Page #463 -------------------------------------------------------------------------- ________________ આપ્યા વિના જો લેવામાં આવે તો તે અદત્તદાન કહેવાય છે એ કવિએ બતાવ્યું છે. ૯. રાસના અંતે સમયસુંદરજીએ મનુષ્યની નશ્વરતા વિશે તથા કરેલા કર્મ વિશે મન, વચન અને કાયાથી પ્રભુ પાસે મિચ્છામિ દુક્કડું કહે છે. જેમ દૂધમાં સાકર ભાવે છે તેમ જિનધર્મ પણ અતિ મીઠો-અને રસાળ છે એવું કવિ સમયસુંદરજી કહે છે. ૧૦. અંતે સમયસુંદરજી કહે છે કે શત્રુંજય પરના શણગાર ઋષભદેવને વિનંતી કરે છે, આપ પાપોને ધોઈ નાખજો અને આપ મારા માટે ગતિ, મતિ અને ધણી છો. અને નત્-મસ્તક થઈ વંદન કરે છે. ૧૧. આ રાસમાં સમયસુંદરજીએ ગાગરમાં સાગર સમાય એવો ગહન-ગૂઢાર્થ ઉપદેશ આપેલ છે. કદમાં આ રાસ ખૂબ નાનો છે પણ મનુષ્યના આયખાને રજૂ કરતો આ રાસ મનુષ્યની ક્ષણભંગુરતાને તોડી જાય છે અને પ્રભુના ચરણમાં સમાઈ જાય છે. આમ કવિ સમયસુંદરજીએ લખેલ આ રાસ સમગ્ર માનવજાતિના પ્રાયશ્ચિત્તનું નિવેદન કરે છે અને સાહિત્યપ્રેમીજનોને પ્રિયકર થઈ સુંદર, સુરત ફળ આપનારો બને તથા સમગ્ર માનવજાતના હૃદયનું એક દર્પણ બની રહે છે. જે દર્પણની મલિનતાને દૂર કરી આ દુન્યવી સાગર તરી જવાનો પ્રયત્ન કરે છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આ રાસ ઉત્તમ અને ગહન છે. 414* જૈન રાસ વિમર્શ Page #464 -------------------------------------------------------------------------- ________________ પં. દયારત્નવિરચિત શ્રી કાપરહેડા રાસ કુણાલ કપાસી કાપ૨હેડાનો રાસ, કથાવસ્તુ : કર્તાએ રાસની શરૂઆતમાં કાપરડા તીર્થના મૂલનાયક સ્વયંભૂ પાર્શ્વનાથને યાદ કરીને ગુરુને યાદ કર્યા છે. શરૂઆત કરતા કહે છે કે આ યુગમાં એક આશ્ચર્યની સૌ પ્રથમ સં.૧૬૭૦માં ખરતર ગચ્છના આચાર્યાંય શાખાના આચાર્ય જિનચંદ્રસૂરિને જોધપુરમાં પ્રથમ સંકેત મળ્યો કે કાપરહેડામાં ત્રણ બાવળની તળેટી પાસે ત્રણ વાંસ પ્રમાણ જમીનમાં પાર્શ્વનાથની પ્રતિમા છે.” તે સંકેત મુજબ આચાર્ય ત્યાં આવ્યા પરંતુ કાર્ય સિદ્ધ થયું નહીં પછી તેમણે મેડતામાં જઈને જાપ કર્યો ત્યારે દૈવી સંકેત મળ્યો કે ત્યાં જમીનને સૂંઘજો જ્યાં સુગંધી જમીન જોવા મળે ત્યાં દૂધ સિંચન કરજો ત્યાં પ્રતિમા પ્રકટ થશે, તે પ્રમાણે કરતાં, સં. ૧૬૭૪માં પોષ વદ ૧૦મીના દિવસે જમીન પ૨ ઉજ્જ્વળ વડના અંકુર જેમ પ્રગટ થયો. ધીમે ધીમે મૂર્તિ પ્રગટ થઈ. ૧૧ લાખ વર્ષ પહેલા ત્યાં ચૌમુખ પ્રાસાદ હતો. ત્યાર બાદ તીર્થના નિર્વાહ માટે નારાયણ ભંડારીને યોગ્ય જાણી તે પ્રમાણે મંદિર ક૨વા માટે કહેવાયું. નારાયણ ભંડારી ભાણાનો પુત્ર હતો. ભાણા ભંડારી રાજ્યના મોટા અધિકારી હતા. તેમણે પોતાનાં કાર્યોથી યશ પ્રાપ્ત કર્યો હતો. સંવત ૧૬૦૫માં માગસ૨ સુદ ૩ ના દિવસે મંદિર બનાવવાનો પ્રારંભ થયો. સંવત ૧૬૭૬માં પદ્મશિલાનો પ્રારંભ થયો અને પાર્શ્વનાથજીને પીઠ પર સ્થાપન કર્યા. તે સમયે લોકો ત્યાં ભેગા થયા હતા. રાજસ્થાનમાં પાણીની અછત હોવાથી આવા પ્રસંગે પાણી પણ પહોંચાડવું ભારે પડે ત્યારે ભાણ ભંડારીએ લોકોને લાપસીના મિષ્ટાન્ન સાથે જમાડ્યા હતા અને સાથે મુખવાસ અને રોકડ (દોકડા)થી પ્રભાવના કરીને લોકોનાં દુઃખ દૂર કર્યાં. આચાર્ય અને ભાભા બંનેને દેવ હાજરાહજૂર હતા. ત્યાં ઉત્તમ મંદિર જોઈને દેવો પણ આવીને ભક્તિ કરવા લાગ્યા ત્યાં શાસનના રક્ષક ગોરા, કાળા, રંગ તીથા, ષગ, વગેરે ક્ષેત્રપાલોનો વાસ થયો. સાત ફણાથી પાર્શ્વનાથ શોભતા હતા. સંવત ૧૬૮૧માં વૈશાખ સુદ ૩ના દિવસે દંડ, કળશ અને ધજાનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. દેશ દેશાવર પત્રિકા મોકલાવાઈ, ગામોના ગામોને શ્રી કાપરહેડા રાસ * 415 Page #465 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણ અપાયા હતા. ગામોગામથી માણસો પણ પહેલાથી જ આવી ગયા હતા. તે દિવસે દાલ, લાપસી, ભાત, શાકનું ભોજન કરાવાયું, દેશદેશના સંઘને ઉદારતાથી જમાડ્યા હતા. ભાણના પુત્ર નારાયણ ભંડારીએ બ્રાહ્મણોને સોનું અને ગાયનું દાન કર્યું હતું અને ભોજક, ભાટ, ચારણ વગેરેને પણ મોં માંગ્યું દાન આપ્યું હતું. ત્યારથી ત્યાં પ્રધાનની સૂચનાપૂર્વક ચૈત્રી પૂનમનો મેળો નક્કી થયો. પાર્શ્વનાથના જાપથી નારાયણ ભંડારીનું ધન અખૂટ થયું હતું. તે જાણે બીજો નારાયણ હતો. તે દેવ અને ગુરુનો રાગી હતો તે નરસિંહ અને સોઢો એમ બંને નારાયણના ભાઈ હતા. અને તારાચંદ અને ખેંગાર, કપૂરચંદ ભાણ ભંડારીના પૌત્ર હતા. પાર્શ્વનાથની કૃપાથી તેમના કુટુંબની વૃદ્ધિ થઈ. તેઓ જે પણ સેવાકાર્યો આદરતા તે બધામાં તેઓ નિર્વિને સફળ થતા હતા. આચાર્ય જિનચંદ્રની પાટે હર્ષસૂરિ આવ્યા તે પણ પાર્શ્વનાથની કૃપાથી પ્રભાવક થયા. પાર્શ્વનાથને જે કોઈ અદેખાઈથી માને નહીં તેમને સજા થતી હતી. એમ વારંવાર અહીં ચમત્કારો જોવા મળતા. પોષ વદ ૧૦ના દિવસે ત્યાં પાણીથી દીવો થતો હતો. માત્ર સાત શેર લાપસીમાં સંઘ અને ગામ જમતા હતા. તેનો પરચો રાજાને પણ થયો હતો. પાર્શ્વનાથ દેવોના પણ દેવ છે. અને અભિમાની કરતા પણ વધારે વટવાળા હતા. તેમની કૃપાથી પુત્ર, પત્ની વગેરે પ્રાપ્ત થતા હતા. ટૂંકમાં તેમની કૃપાથી લોકોનાં દુઃખ દૂર થતાં હતાં. પાર્શ્વનાથ કલ્પવૃક્ષ સમાન હતા. તેમનો પ્રભાવ પ્રત્યક્ષ જોઈને કવિની આંખોમાં પૂર આવ્યાં તેથી તેમણે હર્ષપૂર્વક કાપરડામાં આવીને રાસની રચના કરી. આ રાસને જે ભણશે, અને જે સાંભળશે તેનું કલ્યાણ થશે અને બધી જ આશા પૂરી થશે. સંવત ૧૬૯૫માં હર્ષસૂરિના રાજ્યમાં તેમના શિષ્ય દયા રત્નએ આ રાસથી શ્રી પાર્શ્વના ગુણગાન ગાયા છે. કર્તા પરિચય: કૃતિના કર્તા પં. દયારત્નજી છે. તે જૈન ધર્મના ખરતરગચ્છના આચાર્યાય શાખાના સાધુ હતા. જોકે ખરતરગચ્છની પટ્ટાવલીમાં તે આદ્યપક્ષના છે તેમ જણાય છે. તેમણે ઈ.સ. ૧૫૬૯માં ન્યાયરત્નાવલી' નામના ગ્રંથની રચના કરી હતી. જે અપ્રકાશિત છે. કર્તાની અન્યકૃતિઓ પ્રાપ્ત થઈ નથી. આ માહિતી પર જણાય છે કે તેઓ સંસ્કૃત અને રાજસ્થાની ભાષાના જાણકાર હતા. તીર્થ પરિચય: - કટિહેટક, કાપડહેડા, કાપરડા એમ નામથી આ તીર્થ પ્રખ્યાત છે. 416 * જૈન રાસ વિમર્શ Page #466 -------------------------------------------------------------------------- ________________ – ઈ. સ. ૧૬૦૩માં આ મંદિરનું નિર્માણ શરૂ થયું. જોરા નામના શિલ્પીની દેખરેખ હેઠળ તે તીર્થનું નિર્માણ થયું. ૧૦ વર્ષ સુધી કાર્ય ચાલ્યું. મંદિર જમીનથી ૧00 ફૂટ ઊંચું છે. ચૌમુખ અને ચાર માળનું મંદિર છે. દૂરથી તેની ધજા દેખાય છે. મૂળનાયકની પ્રતિષ્ઠા સં. ૧૯૭૮માં વૈશાખ સુદ ૧૫ ના દિવસે જોધપુરનરેશ ગજસિંહની હાજરીમાં ભાણા ભંડારીના પરિવારે કરી છે. તેમ શિલાલેખ પરથી જણાય છે. રાજ્ય તરફથી નિભાવ માટે રૂ.૩૦ મળતા હતા. સં. ૧૬૮૮માં પરિકરની પ્રતિષ્ઠા થઈ હતી. સમયના વહેણની સાથે ગામમાં જૈનોની સંખ્યા ઓછી થઈ અને મંદિર જીર્ણ થયું. ત્યારે આચાર્ય નેમિસૂરીશ્વરજીની નિશ્રામાં સં. ૧૯૧૮માં પુનઃ પ્રતિષ્ઠા થઈ. ઉલ્લેખઃ સંવત ૧૭૨૧માં રચાયેલા પં. મેઘવિજયકૃત પાર્શ્વનાથ નામમાલામાં આ તીર્થનો ઉલ્લેખ જોવા મળે છે. મુનિ ખુશાલવિજય રચિત પાર્શ્વનાથ છંદમાં પણ આ તીર્થનો ઉલ્લેખ જોવા મળે છે. કૃતિની ભાષા તથા કેટલાક શબ્દોનો પરિચય - આ રાસમાં રાજસ્થાની ભાષા છે. મારું ગુર્જર પણ કહી શકાય. - પ્રાચીન લિપિ અનુસાર ખ ના સ્થાને ષ તરીકે વપરાય છે. -- બલિહારી, ભૂઈ, પારસનાથ, પરમારથ, ભાગબલી, શ્રીપૂજ, તંબોલ, હૈજ, ફદીયા, દોકડા, દપટ, પરઠ, અણગંજી, પિસુણ, પરતો, અહીઆલ, મરદ જેવા પ્રાચીન શબ્દો જોવા મળે છે. નિરખી નિરવાહો નિપુણ નારાયણ ભંડારી નામ કી હુકમ દિયો હાજર હુઈ કિણ હી અવર ન ચાલે કામ કી ભાની છાની નહી ભુવણી અદ્દભૂત દાન ધનદ અહિનાણ કિ. ભાગબલી ભાનો ભલૌ સુજસ કીયો સાથે સંસાર કિ. મેલિ હતી ઘણ મેલીયા પાણી બીજૈ નવિ પહુંચાઈ કી. સખત્રિહાંડી લાપસી ભાભૈ માયા ભલ ભાઈ કી. નાકારો કિણકી નહી દુખીયા દપટે કીજે દાન કિ. શ્રી કાપરહેડા રાસ +417 Page #467 -------------------------------------------------------------------------- ________________ ભંડારી ભાના સુતન નારાયણ નારાયણ રૂપ કી. દેવગુરુ રાગી ભાગચલ ઈસમ અવર નદીઠ અનુપ કિ. ભાણા ભંડારીની ઉદારતાના ગુણગાન કવિએ અહીં કર્યા છે. બલિહારી – વારી જાઉં દુકડા-નાણું સયંભ – સ્વયંભૂ બાંભણ-બ્રાહ્મણ સામિ-સ્વામી બંભીસઢંઢેરાપૂર્વક અચંભ-આશ્ચર્ય દપટ-ઉદારતા નખ-જાતિ પરઠ-સૂચના આચારજીયા-આચાર્યાય ભાગબલ-ભાગ્યશાળી તલહટી-તળેટી જાણીતલ-જાણકાર, જ્ઞાની ભૂઈ-ભૂમિ પરતો-પરચો શ્રીપુજ-સાધુ યતિ મછરી-ગર્વિષ્ટ હેજ-આદરથી નિસર્ચ-નિશે સરદહી-શ્રદ્ધાથી પસાઉલે-કૃપાથી પરગટસી-પ્રગટ થશે ઝાંબ-શાખા ભાણ-સૂર્ય, ભાણાભંડારી કિરિયાવર-ઉદાર કામ કરનારા ધન-કુબેર ફદીયા-નાણું ભાગબલી-ભાગ્યશાળી જીમાડીયા-જમાડ્યા મેલિ-મેળો પૂરલતા-પહેલેથી જ સખ-સુંદર નહુતરિયા-નોતર્યા, આમંત્રણ મુઝરઉમુજરો, ઉપાસના તત્કાલીન સામાજિક અને ઐતિહાસિક માહિતી - જોધપુર રાજ્ય હતું. રાજાશાહી હતી. - તે સમયે તીર્થોમાં મેળા ભરાતા હતા. (આજે પણ રાજસ્થાનમાં તીર્થોમાં મેળા ભરવાની પ્રથા છે. સં) – જમણવારમાં લાપસી, દાળ, ભાત વપરાતા હતા. ઘીનો ભરપૂર ઉપયોગ થતો હતો. - તે સમયે પણ પત્રિકાનો પ્રચાર હતો. 418 * જૈન રાસ વિમર્શ Page #468 -------------------------------------------------------------------------- ________________ મૂલ્યાંકન : રાસ સાહિત્યમાં જૈન સાધુઓએ ઘણું ખેડાણ કર્યું છે. ઉપરોક્ત કાપરહેડાનો રાસ અન્ય રાસની સરખામણીએ મધ્યમ ગણી શકાય. તેમાં તીર્થના માહાત્મ્યનું વર્ણન છે. હાલમાં રાજસ્થાનના તીર્થોની યાત્રા માટે ઘણા શ્રદ્ધાળુઓ જાય છે. પાર્શ્વનાથના અન્ય તીર્થોની સરખામણીએ આ તીર્થ ઓછું પ્રખ્યાત છે. આ તીર્થ ૫૨ ત્રણ રાસ રચાયેલા છે. જેમાંથી એક જ રાસ પ્રકાશિત થયો છે. જ્યારે બીજા બે રાસ અપ્રકાશિત છે. જેની વિગત નીચે મુજબ છે. ૧. કા૫૨હેડા રાસ હર્ષકુશલ ઉપા. રચિત, સંવત ૧૬૮૩, આ રાસની પ્રત અભય ગ્રંથાલય બિકાનેરમાં છે. ૨. કા૫૨હેડા પાર્શ્વનાથ રાસ, હર્ષ કુશલ રચિત સંવત ૧૬૭૩, આ રાસની પ્રત અભય ગ્રંથાલય બિકાનેરમાં છે. સંદર્ભગ્રંથ સૂચિ: ૧. ખરતર ગચ્છ સાહિત્ય કોશ, લેખક : મહો. વિનય સાગર ૨. પ્રાચીન તીર્થ કાપરડાજી કા ઇતિહાસ, લેખક : જ્ઞાનસુંદરજી મુનિ ૩. તીર્થદર્શન ખંડ-૨, પ્ર.જૈન પ્રાર્થના મંદિર ટ્રસ્ટ, ચેન્નાઈ ૪. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભાગ-૧ સં. વિજય ધર્મસૂરિ ૫. ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૩ ૬. જૈન તીર્થોનો ઇતિહાસ લેખક: જ્ઞાનવિજયજી ૭. રાજસ્થાન કા જૈન સાહિત્ય : પ્ર. પ્રાકૃત ભારતી જ્યપુર ૮. ઋષિદત્તા રાસ : પ્ર.એલ.ડી. ઇન્ડોલોજી, અમદાવાદ ૯. મધ્યકાલીન રાજસ્થાન મેં જૈન ધર્મ : પ્ર.પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન વારાણસી. શ્રી કાપરહેડા રાસ * 419 Page #469 --------------------------------------------------------------------------  Page #470 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ પ્રકીર્ણ Page #471 --------------------------------------------------------------------------  Page #472 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ : એક પરિચય ડો. કોકિલા હેમચંદ શાહ ગ્રંથનું નામ: દ્રવ્યગુણપર્યાયનો રાસ રચયિતા : મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય એના પર તેમણે પોતે જ ગુજરાતમાં દબો રચ્યો છે. ભાષા : ગૂર્જર ભાષા સંસ્કૃતમાં ટીકા અન્ય મહાત્માઓએ રચી છે. કુલ ગાથા ૨૨૪ છે ઢાળ ૧૭ છે. વિવેચન સંપાદન-પ્રકાશન (૧) દિવ્ય દર્શન ટ્રસ્ટ – ધોળકા આચાર્ચ વિજય અભયશેખર સૂરિ. આ ગ્રંથનું પ્રકાશન ત્રણ ચાર પ્રકાશકો દ્વારા થયું છે (૨) શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા-અમદાવાદ સં. ૨૦૨૦ (૩) ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.ર, મહેસાણા, ૧૯૯૪ (૪) શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત. ન્યાય વિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરના અનેક દુર્બોધ ગ્રંથોમાંનો તર્કબદ્ધ અને શાસ્ત્ર આધારિત એક ગ્રંથ એટલે દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ.” મૂળ ગૂર્જર ગ્રંથ પર સંસ્કૃતવૃત્તિ રચાયેલી હોય એવો ગ્રંથ કદાચ આ એક જ છે. જે જૈન વાડમયમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. શ્રી દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ એક વિશદ ગ્રંથ છે જેમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય – ત્રણેનું સૂક્ષ્મ સ્વરૂપ સમજાવું છે. દ્રવ્ય-ગુણ અને પર્યાય એ ત્રણ શબ્દનું ચિંતન મનન કરવાથી જ્ઞાનની અપૂર્વ પ્રાપ્તિ થાય છે. વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજ્યા વગર કોઈ પણ જીવ ધર્મ લેશમાત્ર કરી શકે નહીં અને વસ્તુ સ્વરૂપ સમજવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન જરૂરી છે. એકની એક વિચારણા જુદા-જુદા નયોની અપેક્ષાએ ભિન્નભિન્ન બોધ કરાવીને સદ્વાદથી તે સર્વ બોધોનો સમન્વય કેવો સુંદર સાધી શકાય છે તેનું દર્શન આ ગ્રંથ કરાવે છે. આ રીતે આત્મામાં એક એવા ચૈતન્યનો વિકાસ થાય છે કે જે દ્વારા તે કોઈ પણ વિચાર ક્ષેત્રમાં ગૂંચવાતો નથી. (ધુરંધરવિજય ગણી) તત્ત્વાર્થસૂત્રમાં ગુણપર્યાય વદ્ દ્રવ્યમ્ (પ-૨૯) સૂત્રમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણનો ઉલ્લેખ છે. પ્રસ્તુત રાસ પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેને સ્પર્શીને છે. બીજી બાજુ, તત્ત્વાર્થમાં જ તથા પ્રસિદ્ધ ત્રિપદીમાં દરેક સત્ વસ્તુને ઉત્પત્તિ, વિનાશ અને ધ્રૌવ્યયુક્ત બતાવી છે. ઉત્પાદવ્યયયુક્ત સત્ દ્રવ્યગુણપર્યાયનો રાસ : એક પરિચય * 423 Page #473 -------------------------------------------------------------------------- ________________ અને સત્ દ્રવ્ય લક્ષણમ્ એમાં ઉત્પત્તિ અને વિનાશ પર્યાયને અપેક્ષીને છે ને ધ્રૌવ્ય મૂળ દ્રવ્યને અપેક્ષીને. આમ સત્ વસ્તુના દ્રવ્ય-પર્યાયરૂપ બે જ અંશ બતાવ્યા-ગુણના અસ્તિત્વની નોંધ લીધી નથી. અલબત તત્ત્વાર્થસૂત્ર (પ-૩૮)માં કહ્યું છે. ગુણપર્યાયવત્ દ્રવ્યમ્ અન્યત્ર ગુણસમુદાયો દ્રવ્ય (પંચાધ્યાયી ગા.૯૭) તત્ત્વાર્થમાં એમ પણ કહ્યું છે. દ્રવ્યના આશ્રયે ગુણ છે. ગુણના આશ્રયે ગુણ નથી. દ્રવ્ય બધા ગુણોનો આધાર છે (તત્વાર્થ પ-૪૧) સિદ્ધસેન અને યશોવિજયજી વાસ્તવમાં તો દ્રવ્ય અને તેના પર્યાય એમ બે જ અંશને સ્વીકારે છે. ગુણો પણ પર્યાયરૂપ જ છે એ મુદો સ્પષ્ટ કર્યો છે. અનેકાંતવાદની ખૂબી દર્શાવીને, પર્યાયમાંથી જે સહભાવી છે તે ગુણ તરીકેની વિશેષ ઓળખને પામે છે. એ નિર્દેશ છે. વ્રત જીવ, જીવદ્રવ્યાત્મક છે, મનુષ્યાદિ પર્યાયાત્મક છે અને જ્ઞાનાદિ ગુણાત્મક છે. કુલ્લે ૧૭ ઢાળમાં રચાયેલ આ રાસ દ્રવ્યાનુયોગની મહત્તા અને વિશિષ્ટતા સમજવા દ્રવ્યનું સ્વરૂપ, ક્રિયા, જ્ઞાન, વ્યવહાર નિશ્ચય શ્વેતાંબરદિગંબર પરંપરા પ્રમાણે વિવિધ વિષયો જેવા કે નયચક્ર, સપ્તભંગી, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયે વગેરેની ચર્ચા દ્વારા શુક્લધ્યાનમાં પણ દ્રવ્યગુણપર્યાયનો આધાર જરૂરી છે. એમ બતાવી દ્રવ્યાનુયોગનું મહત્ત્વ દર્શાવ્યું છે. “સન્મત્તિ તર્કમાં શ્રી સિદ્ધસેન તો ત્યાં સુધી કહે છે કે ચરણ કરણમાં ઘણા આગળ વધેલા હોય પણ જેઓ સ્વસમય અને પરસમય જાણતા નથી તેઓ શુદ્ધ ચારિત્ર જાણતા નથી. રચચિતા વિષે આ ગ્રન્થના રચયિતા સમર્થ વિદ્વાન પ્રતિભાસંપન્ન મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ છે અલ્પવયમાં પણ સ્મરણશક્તિનું અપૂર્વ સામર્થ્ય ધરાવતા લઘુવયમાં સંયમને માર્ગે સંચરતા અધ્યયન અંગે અદ્ભુત તપસ્યા સાધતા, સરસ્વતીની પ્રસન્નતાને વરેલા એ જ્ઞાની પુરુષ સત્તરમાં સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયા. તેમનું સાહિત્ય. તેમના સર્વતોમુખી પાંડિત્યનો પરિચય કરાવે છે. તેમણે રચેલા વિશાળ અને બહુમૂલ્ય ગ્રંથો દુર્બોધ છે તેમના એકએક ગ્રંથની મહત્તા છે. તેમાં પણ આ ગ્રન્થની મહત્તા કોઈ જુદા જ પ્રકારની છે. આ ગ્રંથનું એક વિશિષ્ટ ગૌરવ તો એ છે કે ગુજરાતી ભાષામાંથી સંસ્કૃતમાં ગયેલા ગ્રંથનું દષ્ટાંત પૂરું પાડવાનું સૌભાગ્ય આ એક જ ગ્રંથને વર્યું છે. આ ગ્રંથને આધારે રચાયેલા સંસ્કૃત ગ્રંથનું નામ છે 424 * જૈન રાસ વિમર્શ Page #474 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ તર્કણા. = જીવન અને કવન – શ્રી યશોવિજ્યજી મ. શ્રીનો જન્મ ઉત્તર ગુજરાત મહેસાણા પાસેના કનોડા ગામમાં થયેલો. એમનું મૂળ નામ જશવંતસિંહ હતું. તેમની માતાને દરોજ ભક્તામર સ્તોત્ર સાંભળીને જ પચ્ચખાણ પાળવાનો નિયમ હતો ત્યારે તેમણે તેમને ચોમાસામાં ગુરુનો યોગ થઈ શકે એમ નહોતો ત્યારે ભક્તામર સ્તોત્ર સંભળાવ્યું આટલી નાની ઉંમરમાં – પછી તો તેમણે વૈરાગ્ય ભાવનાથી દીક્ષા લીધી અને શ્રી જશવંતસિંહ બન્યા શ્રી યશોવિજ્યજી. તેમણે અવધાનપ્રયોગ પણ કર્યો હતો. તેમના ગુરુવર્યે શ્રી યશોવિજયજીને ગંગાતટે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક હૈં એવો સરસ્વતીમંત્ર આપ્યો જેની તેમણે ગંગાતટે બેસીને સ્થિરાસને સાધના કરી અંતે સરસ્વતી દેવી સાક્ષાત પ્રસન્ન થયાં અને તેમને તર્કવાદમાં અને કવિત્વશક્તિમાં નિપુણતાનું વરદાન આપ્યું. આ હકીકત તેઓશ્રીએ જંબુસ્વામી રાસ'માં લખી છે, તેમને પછી ન્યાયાચાર્ય’ અને ન્યાયવિશારદતાનાં પદ પ્રાપ્ત થયાં. શ્રુતજ્ઞાનના ઉપાસક તેઓ સજ્ઝાયમાં કહે છે કે ઃ ખાંડ ગળી સાકર ગળી વળી. અમૃત ગળ્યું કહેવાય, માહરેમો મન ધ્રુવ આગળે તે કોઈ ન આવે હોય. સાહિત્ય પરિચય : શ્રી યશોવિજ્યજીએ સાહિત્ય સર્જન ચાર ભાષામાં કર્યું છે (૧) સંસ્કૃત (૨) પ્રાકૃત (૩) ગુજરાતી (૪) રાજસ્થાની વિષયની દૃષ્ટિએ જોઈએ તો કાવ્ય, કથા, ચરિત્ર, આચાર, તત્ત્વજ્ઞાન ન્યાય, દર્શનશાસ્ત્ર યોગ, અધ્યાત્મ, વૈરાગ્ય વગેરે અનેક વિષયોપ૨ ગ્રંથો તેમણે લખ્યા છે. તેમના ગ્રંથો ગહન અને ગંભીર છે તો સરળ અને લોકભોગ્ય પણ લખ્યું છે. અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથો સંસ્કૃતમાં છે, તેમ પ્રાચીન આચાર્યોના મહત્ત્વપૂર્ણ સંસ્કૃત પ્રાકૃતભાષાના ગ્રંથો પર વિવેચનો અને ટીકાઓ પણ લખી છે. તેઓ જૈન શાસ્ત્રોના પારંગત તો હતા જ પરંતુ અન્ય ધર્મો અને દર્શનોના પણ ઊંડા અભ્યાસી હોવાથી એમના સાહિત્યમાં એમની એ વ્યાપક વિદ્વત્તા અને સમન્વયાત્મક ઉદાર દૃષ્ટિનાં સુભગ દર્શન થાય છે. એમની યોગને આઠ દૃષ્ટિની સજ્ઝાયો મનન કરવા યોગ્ય છે. યોગ અને અધ્યાત્મને લગતા એમના શ્રેષ્ઠ ગ્રંથો જ્ઞાનસાર’, ‘અધ્યાત્મસાર’ પાતંજલયોગસૂત્રવૃત્તિ’ વગેરે છે એમના પ્રગટ અપ્રગટ ગ્રંથોની યાદી તો ઘણી મોટી છે. તેમણે રચેલા ગ્રંથો, ટીકાઓ, સ્તવનો, સઝાયો, દુહાઓ વગેરે દ્રવ્યગુણપર્યાયનો રસ : એક પરિચય * 425 - Page #475 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી તમામ સાહિત્ય ગુર્જર સાહિત્ય સંગ્રહ “જિનશાસન રક્ષા સમિતિ મુંબઈથી છપાયેલ છે. સંસ્કૃત પ્રાકૃતમાં મૌલિક ગ્રંથો, ટીકાગ્રંથો અને અનુપલભ્ય ગ્રંથો કુલ ૮૧ તથા ગુજરાતી ભાષામાં કાવ્યમય ગ્રંથો, સ્તવનો અને સઝાયો વગેરે મળીને ૬૨ આમ કુલ ૧૪૩ ગ્રંથો છે. ધન્ય છે આ મહાપુરુષને જેનું જીવન ઘણું જ પવિત્ર વૈરાગ્યવંત સાહિત્યોપાસક અને અત્યંત શાસનસમર્પિત હતું. ' ગ્રંથની ઢાળો તથા તેમાં આલેખાયેલ વિષયોની રૂપરેખા ઢાળ પ્રથમના વિષયો છે – મંગલાચરણ, ચાર પ્રકાર અનુયોગના, દ્રવ્યાનુયોગની મહત્તા, ક્રિયા અને જ્ઞાન, ઇચ્છાયોગ અને પ્રયોજન. ' ગ્રંથની શરૂઆતમાં ગ્રન્થકાર શ્રી યશોવિજયજીએ જીતવિજયજી વિદ્યાગુરુ અને નિયવિજયજી દીક્ષાગુરુ - એ બંનેને નમસ્કાર કરીને મંગળાચરણ કર્યું છે જેનાથી ગ્રન્થરચનામાં આવનારાં વિબો દૂર થાય છે અને ગ્રંથ પૂર્ણતા સુધી પહોંચે છે. પ્રસ્તુત ગ્રંથનો દ્રવ્યાનુયોગ એ વિષય છે. એ વાત ખુદ ગ્રન્થકારે જ સ્પષ્ટ રીતે જણાવી છે. કરું દ્રવ્ય અનુયોગવિચાર અનુયોગ એટલે સૂત્રના અર્થનું વિસ્તારથી વિવરણ : અનુયોગના ચાર પ્રકાર છે: (૧) ચરણકરણનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ધર્મકથાનુયોગ (જી દ્રવ્યાનુયોગ જેમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો વિચાર કરવામાં આવે તે દ્રવ્યાનુયોગ કહેવાય છે – આત્માનું વિશિષ્ટ કલ્યાણ સાધવાનું સમર્થ સાધન દ્રવ્યાનુયોગની વિચારણા છે. આત્માર્થી જીવો પર ઉપકાર-અનુગ્રહ કરવાના , પ્રયોજનથી ગ્રંથકારે આ ગ્રંથની રચના કરી છે અને હવે પછીની ગાથાઓમાં પોતે દ્રવ્યાનુયોગનો વિચાર કરી રહ્યા છે માટે એનો મહિમા જણાવે છે. દ્રવ્યાનુયોગના વિચાર વિના ચરણકરણાનુયોગનું સારભૂત ફળ મળતું નથી એનું સન્મતિતર્ક પ્રકરણમાં કહ્યું છે તે તર્કસંગત છે. ક્રિયામાર્ગ જરૂરી છે પણ જ્ઞાનની ખૂબ જ મહત્તા છે. મોહનીયના ક્ષયોપશમ વગર જ્ઞાન શક્ય નથી. અહીં ઉલ્લેખનીય છે કે જ્ઞાનમાર્ગ કઠિન છે. આહારદિની શુદ્ધિ એ નાનોયોગ છે અને દ્રવ્યાનુયોગ સાધવો મોટો યોગ છે કારણ કે છેવટે શુદ્ધ આહાર આદિથી પણ જ્ઞાનમાર્ગમાં જ રમમાણ બનવાનું છે. ટૂંકમાં દ્રવ્યાનુયોગ એ અંતરક્રિયારૂપ છે. બાહ્ય આચરણમાં થોડા શિથિલ એવા મુનિ જ્ઞાનમાર્ગમાં 426 જૈન રાસ વિમર્શ Page #476 -------------------------------------------------------------------------- ________________ અધિક હોય તો શ્રેષ્ઠ છે એમ ‘ઉપદેશમાળામાં કહ્યું છે. જે જ્ઞાનમાં અધિક છે તે પ્રવચનની પ્રભાવના કરે છે એટલે ગ્રંથકાર કહે છે કે થોડી ક્રિયાહીનતા હોય તોપણ જ્ઞાનની અવજ્ઞા ન કરવી. જયાં સુધી આત્માએ દ્રવ્યગુણ પર્યાય વિચાર કર્યો નથી ત્યાં સુધી ચારિત્રની આરાધના વિશિષ્ટ ફળ આપતી નથી. ચરણકરણાનુયોગનું વિશિષ્ટ ફળ કેવળજ્ઞાન છે. પછી ઈચ્છાયોગમાં રહીને દ્રવ્યાનુયોગ વિચારું છું એમ કહી ગુરુનું મહત્ત્વ દર્શાવે છે. અંતમાં કહે છે કે “શ્રી સમ્મતિ પ્રકરણ’, ‘તત્ત્વાર્થ સૂત્ર વગેરે ગ્રંથરૂપ નિર્ગથ પ્રવચન છે. તેનો આ દ્રવ્યગુણ પર્યાયનો રાસ' તો એક અંશ માત્ર છે. એ ગ્રંથોનો અને આ ગ્રંથનો પરમાર્થ ગુરુવચનથી મેળવો. આમ પ્રથમ ઢાળ પૂરી થઈ એમાં પ્રથમ ચાર અનુયોગ કહીને પરસ્પર વિચારણા ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગની જ કરી. ઢાળ બીજી : દ્રવ્યાનુયોગની મહત્તા આવી છે. અહીં દ્રવ્યાનુયોગનો જે મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે તે દ્રવ્યગુણ-પર્યાય દર્શાવે છે. આ ત્રણમાં પણ ગુણ-પર્યાય કરતાં દ્રવ્યપ્રધાન છે કારણ કે દ્રવ્ય જ આ બંનેના આધારભૂત છે, ઉપાદાન કારણભૂત છે. વૈકાલિક છે, એક છે, જ્યારે પર્યાય અનિત્ય છે, અનેક છે. આમ દ્રવ્ય પ્રધાન છે, કૂટસ્થ નિત્ય છે માટે જ દ્રવ્ય-ગુણ-પર્યાય આ સમાસમાં દ્રવ્યનો સહુ પ્રથમ ઉલ્લેખ છે અને એટલે જ અનુયોગ પણ દ્રવ્યાનુયોગ કહેવાય – દ્રવ્યનું આવું સ્વરૂપ દર્શાવનાર જિનવાણીને શ્રદ્ધાથી માનો. દ્રવ્યાનુયોગનો અભ્યાસ આત્માનું વિશિષ્ટ કલ્યાણ સાધવા સમર્થ સાધન અહીં કહ્યું છે. ગુણપર્યાયનું ભાજન એ દ્રવ્ય છે – છેવટે ગુણો પણ પર્યાય જ છે. આ ઢાળમાં દ્રવ્યનું ગુણનું અને પર્યાયનું લક્ષણ દ્રવ્યશક્તિ દેખાય છે તે સામાન્ય છે. અહીં દિગંબર મતની પણ ચર્ચા કરી તેની ક્ષતિ બતાવી છે (૨-૫). દ્રવ્યની શક્તિ અને યોગ્યતાની વાત કરી છે. ઓઘ શક્તિ અને સમુચિત શક્તિ પોતાના ગુણ પર્યાયો સંભવિત હોય તે દરેક રૂપે પરિણમવાની યોગ્યતા એ શક્તિ છે અને બંને પ્રકારની શક્તિઓને આત્મદ્રવ્યમાં ઘટાવે છે. અભવ્યમાં ઓઘશક્તિ નથી અર્થાત્ આત્માના સ્વભાવને પ્રગટાવનારો ધર્મ ક્યારેય પ્રગટતો નથી. ભવ્યજીવને અચરમાવર્તમાં પણ ધર્મની ઓઘશક્તિ તો હોય જ છે. નહીંતર ચરમાવર્તિમાં સમુચિત શક્તિ આવી શકે નહીં, આમ શક્તિરૂપ દ્રવ્ય જણાવ્યું. ગુણપર્યાય વ્યક્તિઓ અનેક દ્રવ્યગુણપર્યાયનો ચસઃ એક પરિચય + 427 Page #477 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે વર્તે છે. પણ પોતપોતાની જાતિને અનુસરીને જ દિગંબર મતની ટીકા કરતા કહે છે કે ગુણ દ્રવ્ય અને પર્યાયથી ભિન નથી. કારણ કે શાસ્ત્રમાં બે જ નય કહેલા છે: દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક (સન્મતિ પ્રકરણ) ગ્રંથકાર આમ ગુણજન્ય પર્યાયની વાતનું નિરાકરણ કરે છે. અંતમાં દ્રવ્યથી ગુણપર્યાયનો ભેદ સંજ્ઞા (નામ) સંખ્યા અને લક્ષણથી જાણવો એમ કહે છે. ઢાળ ત્રીજી ઢાળ ત્રીજીમાં દ્રવ્ય ગુણ પર્યાયનો એકાંતે અર્થાત્ સર્વથા ભેદ છે. એનો નિષેધ કરે છે. અને ભેદભેદનું સ્થાપન કરવામાં આવ્યું છે. પ્રથમ અભેદની સિદ્ધિ કરી છે. એકતા દ્વારા દા.ત, જ્ઞાનાદિ ગુણો અને નરનારકાદિ પર્યાયો જીવની સાથે અભિન છે. અહીં જુદાજુદા દર્શનોના મતની ચર્ચા કરી છે. ન્યાય, સાંખ્ય વગેરે ન્યાય એકાંતે ભેદ માને છે. સાંખ્ય અભેદ કહે છે. જૈનમત ભેદ, અભેદ બંનેને કહે છે. જૈનમત આ બંને મતોને સ્યાદ્વાદથી સાંકળીને વિસ્તારે છે. આ રીતે એકાંત નિત્યવાદ, એકાંત ક્ષણિકવાદના દોષો બતાવી જૈનમતની નિર્દોષતા સાબિત કરે છે. આ રીતે સત્કાર્યવાદ અને અસત કાર્યવાદના દોષો દૂર કરી જૈનમત દીપી ઊઠે છે. એમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ કહ્યું છે. બધા જ નયોને સમાન રીતે ઈચ્છતો એવો જૈનનો સાદ્વાદ, અનેકવાદ સિદ્ધાંત પક્ષપાતી નથી. અંતમાં ગ્રંથકાર કહે છે બધા વાદોની વચમાં હે જિનેશ્વર તારું અધુષ્ય શાસન જ્ય પામે છે. ઢાળ ચોથી અહીં સરસ વાત કરી છે. એકાંતવાદીનો વિરોધ કરી દ્રવ્યાદિનો પરસ્પર ભેદ અને અભેદ એ બંને ધર્મ કેમ માનો છો? ગ્રંથકાર કહે છે કે પરવાદીની. આવી દલીલો કે ભેદ અને અભેદ એકસાથે રહી શકતા નથી. એ અસ્થાને છે જૈન મત પ્રમાણે તેથી શ્રત ધર્મમાં અર્થાત્ જિનપ્રણીત સ્યાદ્વાદ સિદ્ધાન્તમય પ્રવચનમાં મનને દઢ રીતે શ્રદ્ધામય રાખવું. પ્રવચન પરની આ શ્રદ્ધાને કારણે જ મોક્ષફળ મળે – શંકાસહિત ચારિત્રીઓ પણ સમાધિ ન પામે (આચારાંગ) ગ્રંથકાર હવે પછીની ગાથાઓમાં પરવાદીઓની શંકાનું નિરાકરણ કરેલ છે. દલીલો દ્વારા “સ્વદ્રવ્યક્ષેત્રકાલ ભાવા પક્ષોઈ ઘટ છઈ જ અર્થાત્ સ્વ દ્રવ્ય ગુણ-પર્યાયની અપેક્ષાએ સ્વરૂપે વસ્તુનું અસ્તિત્વ છે. 428* જૈન રાસ વિમર્શ Page #478 -------------------------------------------------------------------------- ________________ અને સ્વ-દ્રવ્ય-ગુણ પર્યાયની અપેક્ષાએ જે “પર” છે એ પર રૂપ છે. તેથી નાસ્તિત્વ છે. આમ પાયાના બે ભાંગા લઈ આખી સપ્તભંગી દેખાડાય છે. ઉપરાંત અર્થપર્યાય અને વ્યંજનપર્યાય વિષે ચર્ચા છે. છેલ્લે કહે છે. આ સપ્તભંગીના દઢ અભ્યાસ દ્વારા જે પરમાર્થને દેખે છે તેની યશ અને કીર્તિ વિશ્વમાં ખૂબ વધે છે, તેને મળેલું જેનપણું લેખે છે. નયદષ્ટિથી બધા દર્શનોને વિચારવા અને તત્ત્વના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરવો આમ આ ચોથી ઢાળમાં દ્રવ્ય ગુણ પર્યાયનો ભેદભેદ દેખાડ્યો અને સપ્તભંગીનું સ્થાપન કર્યું છે. જેમાંથી પદાર્થ ત્રયાત્મક હોય છે એનો નિર્ણય થાય છે. ઢાળ પાંચમી પ્રમાણ નય વિવેક દ્રવ્યાર્થિક સમે યથથાર્થિક આ ઢાળમાં કહ્યું છે. જ્ઞાનદષ્ટિ ગ દેખિઈ જ્ઞાનદષ્ટિથી જગતને દેખો. દ્રવ્યગુણ પર્યાયના પરસ્પર ભેદ, અભેદ અને ભેદભેદ જાણી દ્રવ્ય-ગુણ પર્યાયનું જ્ઞાન પ્રમાણ શી રીતે કરે છે અને નય શી રીતે કરે છે. એ જાણવું. આથી આ ઢાળમાં બેનો ભેદ દર્શાવે છે. નવ વસ્તુના એક અંશને ગ્રહણ કરે છે. જ્યારે પ્રમાણ બંને અંશને ગ્રહણ કરે છે. દ્રવ્યાર્થિક નયથી આત્મદ્રવ્યને જોતાં સત ચિત્ આનંદમય ભાસે છે. અને પર્યાયાર્થિક નથી જોતાં અનિત્ય લાગે છે. જ્ઞાનદષ્ટિ બંનેનો સમાવેશ કરે છે. ગ્રંથકારે આ ઢાળની ધ્રુવપંક્તિ શાનદષ્ટિ જગ દેખિઈ એ દ્વારા બોધ આપે છે કે ગતને કેવી રીતે જોવું? પ્રમાણાત્મક જ્ઞાનથી જોવાથી રાગદ્વેષ મોહ વધવાને બદલે સંવેગ આદિ વધે છે. કારણ કે તેમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ અને અનિત્યતા બંને આવી જાય છે. વળી એમ પણ કહે છે. આ બે નયનો ભેદ “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય તેમ જ સન્મતિ પ્રકરણમાં પણ કહેલો છે. (પ-૬) સુનય અને દુર્નય મિથ્યાદષ્ટિકોણ)ની પણ ચર્ચા કરી છે. આત્માને દ્રવ્યની દૃષ્ટિથી જોતાં-સંસારી જીવો પુરુષાર્થ દ્વારા કર્મરહિત સિદ્ધ દશા પામી શકે છે. એ અંતિમ નિષ્કર્ષક આત્મજ્ઞાન સ્વરૂપ છે. એ પર ભાર મૂક્યો છે. દ્રવ્યાર્થિકના દ્વારા આમ, દિગંબર આચાર્ય દેવસેનકૃત નયચક્રમાં દર્શાવેલા દ્રવ્યાર્થિકનયના દશ પ્રકાર કહી જ્ઞાન જ ઉત્કૃષ્ટ સારભૂત છે. પરમભાવ છે – તે બતાવ્યું છે. ઢાળ-છઠ્ઠી પર્યાયાર્થિકનયના ૬ ભેદનું વર્ણન તથા બીજા ૭ નવોના પેટભેદો સાથે દ્રવ્યગુણપર્યાયનો રાસ: એક પરિચય *429 Page #479 -------------------------------------------------------------------------- ________________ નવેય નયનું પૂરું વર્ણન આ ઢાળમાં કરવામાં આવ્યું છે. દષ્ટાંતો સાથે. ઢાળ-સાતમી દિંગબરમત અનુસાર ૩ ઉપનયો આ ઢાળમાં સમજાવ્યા છે જે નયની સમીપમાં રહ્યા તે ઉપનય. તેના ભેદ-પ્રભેદોનું આમાં વર્ણન છે. ઢાળ આઠમી દિગંબર માન્ય બે મૂળ નયની વાત આ ઢાળના પ્રારંભમાં કરી છે. અધ્યાત્મદષ્ટિએ નિશ્ચય અને વ્યવહાર નય આમ બે નય છે. નિશ્ચયનય શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારના કહ્યા છે. દિગંબર માન્યતા બરાબર નથી તેથી એમ કહ્યું છે. શુદ્ધ નિવાર્થ માટે શ્વેતાંબર ગ્રંથ ભણો તે ગ્રંથો “શ્રી વિશેષાવશ્યા ભાષ્ય', “સમ્મતિ તર્ક પ્રકરણ', અનુયોગ દ્વારા “સ્યાદવાદ રત્નાકર' વગેરે જુદા જુદા નયોની પરીક્ષા કરીને નિશ્ચય કરવાથી સ્વસમય અને પરસમયનું. જૈનસિદ્ધાંતોનું અને ન્યાય વગેરે અન્ય દર્શનના સિદ્ધાંતોનું અંતર જોવા મળે છે. અને હર્ષ ઉત્પન્ન થાય છે. કારણ કે જૈનદર્શન અને તેના ગ્રંથો સ્યાદ્વાદ અને અનેકાંતવાદ એનું મૂલ્ય પારસમણિથી પણ અધિક અનુભવાય છે. આમ નયભેદમાં મતાંતરની ચર્ચા દ્વારા જૈનદર્શનની શ્રેષ્ઠતા બનાવી છે. ઢાળ નવમી ‘ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય’ આમ ત્રિપદી સમજાવી છે. સર્વદ્રવ્યો પ્રતિ સમયે પૂર્વપર્યાયની અપેક્ષાએ વ્યયાત્મક ઉત્તરપર્યાયની અપેક્ષાએ ઉત્પાદાત્મક અને દ્રવ્ય સ્વરૂપે ધૃવાત્મક આમ ત્રિપદી સ્વરૂપ છે. બૌદ્ધ તથા નૈયાયિકની એકાંત અનિત્યતા તથા સર્વ શૂન્યવાદ વગેરેનું ખંડન કર્યું છે. કોઈ પણ એક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણયુક્ત છે. શ્રી જિનેશ્વરના ત્રિપદીના આ ઉપદેશની ખૂબી ઘણી જ અનેરી છે. આ ત્રણ લક્ષણો એ જ વસ્તુનું સાચું સ્વરૂપ છે. એના યોગ્ય જે વસ્તુમાં સત્પણું આવે છે. તે વિના ભાવ-પદાર્થ જ ન રહે. અભાવ થાય. આમ અનેક રીતે દરેક વસ્તુને ત્રણ લક્ષણયુક્ત બરાબર સમજે તે વિસ્તારરુચિ જીવ સમ્યક્ત પામે, અને શાસનના પ્રભાવકપણું પામે. આ ત્રિલક્ષણના સ્વરૂપની ભાવના જે સમજશે તે સ્વભાવ દર્શનની રમણતાનો આનંદ માણશે. જે અપૂર્ણ છે, અદ્ભુત છે. અને અંતરંગ સુખ પ્રાપ્ત કરશે. 430 * જૈન રાસ વિમર્શ Page #480 -------------------------------------------------------------------------- ________________ ઢાળ દશમી દશમી ઢાળમાં છ દ્રવ્યો, તેની સિદ્ધિ અને ભેદો છે, ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને જીવ અને પુગલ આ છે. દ્રવ્યોનું વર્ણન છે. પ્રથમનાં ૩ દ્રવ્યો એક એક છે, બીજાં ૩ દ્રવ્યો અનંત છે. ધર્મદ્રવ્ય વિષે કહ્યું છે. કે જે તેને ન માનીએ તો સિદ્ધ પરમાત્માની લોકાગ્રે ગતિ જે વિરામ પામે છે તે વિરામ ન પામે પરંતુ અનંત અલોકમાં અનંત ગતિ કર્યા જ કરે છે બરાબર નથી. એવી જ રીતે અધર્માસ્તિ કાય જીવ-પુદ્ગલની નિત્ય સ્થિતિ માટે છે – આવી મુક્તિઓથી આ બે દ્રવ્યોની સિદ્ધિ કરી છે. આ બે દ્રવ્યો લોકકાશ પ્રમાણ છે. ત્યાર બાદ આકાશાસ્તિકાય જે પ્રસિદ્ધ જ છે. અલોકાકાશ નિરવધિ છે. જીવપુદ્ગુણોના પર્યાયસ્વરૂપ કાલ છે. કાળને ઉપચરિત દ્રવ્ય કહ્યું છે. બીજા વિચાર પ્રમાણે જ્યોતિષચક્રના ચાર પ્રમાણે જણાતું અઢી દ્વીપવ્યાપી કાલ એ છઠું સ્વતંત્ર દ્રવ્ય છે. અને તેને માનીએ તો જ છ દ્રવ્યો છે, એ પરમાત્મા-વચન યથાર્થ થાય. દિગંબર સંપ્રદાયની માન્યતા લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાલાણુ છે તેથી અસ્તિત્વ નથી પછી જીવ અને પુદ્ગલ દ્રવ્યનો સંક્ષેપમાં વિચાર કરી આ ઢાળ પૂર્ણ કરેલ છે. ઢાળ અગિયાર અહીં છયે દ્રવ્યોના ગુણ અને સ્વભાવનું વર્ણન છે. અસ્તિત્વાદિ સામાન્ય ગુણો છે. અને જ્ઞાન-દર્શનાદિ ૧૬ વિશેષ ગુણો છે. તેની ચર્ચા છે. તથા અસ્તિત્વ સ્વભાવ આદિ સામાન્ય સ્વભાવો છે. અને ચેતનતા આદિ વિશેષ સ્વભાવો છે. ૧૧ સામાન્ય સ્વભાવોનું વર્ણન આ ઢાળમાં છે. વસ્તૃત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ વગેરે સાધારણ ગુણો છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય – એ આત્માના ગુણો છે. અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ચાર પુદ્ગલના વિશેષ ગુણ એ જ રીતે, ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ દ્રવ્યના પ્રત્યેકના વિશેષ ગુણો છે. અસ્તિત્વ સ્વભાવ તે નિજરૂપે સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવ સ્વરૂપે જેમ પર અભાવે નાસ્તિસ્વભાવ અનુભવીએ છીએ. ઢાળ બારમી ૧૦ શેષ સ્વભાવોનું વર્ણન છે તે પણ જણાવ્યું છે. અમુક ચોક્કસ દ્રવ્યમાં ચોક્કસપણે રહે છે. માટે આ દશ સ્વભાવો વિશેષ કહેવાય છે. દસ સ્વભાવોનાં નામ નીચે પ્રમાણે છે. (૧) ચેતન સ્વભાવ (૨) અચેતન સ્વભાવ દ્રવ્યગુણપર્યાયનો રાસ ઃ એક પરિચય *431 Page #481 -------------------------------------------------------------------------- ________________ (૩) મૂર્ત સ્વભાવ છે અમૂર્ત સ્વભાવ (૫) એક પ્રદેશ સ્વભાવ (૬) અનેક પ્રદેશ સ્વભાવ (૭) વિભાવ સ્વભાવ (૮) શુદ્ધ સ્વભાવ (૯) અશુભ સ્વભાવ (૧૦) ઉપચારિત સ્વભાવ – આ દસે સ્વભાવનું સ્વરૂપ સમજાવ્યું છે. દા.ત., જીવ ચેતન સ્વભાવ તેમાં રહેલા અચેતન સ્વભાવને ધ્યાનાદિથી દૂર કરવાના છે. ઢાળ તેરમી ૧૧ સામાન્ય અને ૧૦ વિશેષ સ્વભાવો આમ કુલ ૨૧ સ્વભાવો પર નવો ધરાવવામાં આવ્યા છે. અર્થાત્ એક એક સ્વભાવ કયા કયા નયોથી સંભવે તે નયોનું વિવરણ કર્યું છે. સ્વભાવોનું જે વર્ણન કર્યું છે. આગલી ઢાળમાં તેમાં પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ સ્વભાવો રહે છે તે કઈ રીતે એ વિચારણા વ્યવસ્થિતપણે કરવી આવશ્યક છે. નયભેદે એ વિચારણા કરવાથી સરળતાથી તે તે પદાર્થોમાં બતાવેલા સ્વભાવો સ્થિર થાય છે. ઉદાહરણ તરીકે દરેક દ્રવ્યમાં અહિત સ્વભાવ છે અને નાસ્તિ સ્વભાવ છે. બે વિરુદ્ધ કઈ રીતે રહી શકે ? ઘડો ઘડા સ્વરૂપે છે. પણ વસ્ત્ર સ્વરૂપે નથી. એટલે સ્વરૂપેરૂપે અસ્તિત્વ અને પરસ્વરૂપે નાસ્તિત્વ પદાર્થ માત્રમાં રહે છે એવી જ રીતે ભેદ સ્વભાવ અને અભેદ સ્વભાવ, ચેતન સ્વભાવ અને અચેતન સ્વભાવ ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ આ હકીકત કહી છે. આ પ્રમાણે સ્વભાવની વિચારણા નયયોજનાપૂર્વક કરવી. ઢાળ ચૌદમી પર્યાયના ભેદો લક્ષણો દગંતો દ્વારા સમજાવ્યા છે. મુખ્ય બે ભેદ છે. (૧) વ્યંજન પર્યાય (૨) અર્થ પર્યાય. દીર્ઘકાલવર્તી પર્યાય કે જે શબ્દો દ્વારા બોલી શકાય જેમ કે જીવનો મનુષ્ય પર્યાય, તે વ્યંજનપર્યાય કહેવાય છે. અને ક્ષણક્ષણના એક એક સમયવર્તી પર્યાય કે જે શબ્દોથી બોલી ન શકાય પણ પદાર્થમાં) અર્થમાં એમ બે બે ભેદ ગણી ૮ ભેદો પર્યાયના થાય છે. છ એ દ્રવ્યો ત્રિપદીયુક્ત હોવાથી પરિણામી નિત્ય છે. પણ કૂટસ્થ નિત્ય કે ક્ષણિક માત્ર નથી જે પર્યાય પદાર્થમાં વર્તમાનકાળ પૂરતો ક્ષણમાત્ર રહે છે. તે અર્થપર્યાય છે. જેમ ઘટ પદાર્થમાં ક્ષણેક્ષણે જે પરિવર્તનો થાય છે તે સર્વ તેના ક્ષણ પૂરતા અર્ધપર્યાયો છે. 432 * જૈન રાસ વિમર્શ Page #482 -------------------------------------------------------------------------- ________________ પછી દુહામાં દ્રવ્યાનુયોગના જ્ઞાનની વિશેષ મહત્તાથી ક્રિયા અને જ્ઞાનમાં સૂક્ષ્મભેદની ચર્ચા છે. ઢાળ પંદરમી | ગીતાર્થ પુરુષોમાં જ્ઞાનની ખૂબી અને સ્તુતિ છે. જ્ઞાનગુણ એ જીવનમાં ઉદ્યોત-પ્રકાશ લાવનાર છે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર છે. ભવસાગરમાં જહાજ સમાન છે. જ્ઞાન વિનાની ક્રિયા ખજુ સમાન છે. અને ક્રિયાવિનાનું જ્ઞાન સૂર્ય સમાન છે. જ્ઞાનગુણ યુક્ત ક્રિયારૂપનું મુનિઓ ધન્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટે જે વિહાર કરે છે. તે મુનિઓ પણ ધન્ય છે. જ્ઞાનમાર્ગની ઉપેક્ષા કરીને જે અજ્ઞાનમાં રચ્યાપચ્યા રહેતા છતાં કપટપૂર્વક ક્રિયા કરી માન વહન કરે છે તે નિર્દોષ માર્ગે નથી. આમ જ્ઞાનદશાની ઉપેક્ષા કરી બાહ્યભાવમાં જ રાચતા મુનિઓને આ ઢાળમાં ઉપાલંભ આપ્યો છે. જેમને તેને કરવા યોગ્ય છે. જ્ઞાનીની વચનથી ઝેર પણ અમૃત બને છે. જ્ઞાનીના કહેવાથી વિષપાન કરનાર પણ તરી જાય છે. અજ્ઞાનીના વચને અમૃત ખાનાર પણ મરે છે. એટલે જ્ઞાન મેળવવા અને જ્ઞાનીના વચનને અનુસરવા પ્રયત્ન કરવો એ માર્ગ છે. પ્રથમ જ્ઞાન અને પછી દયા. પદમે ના તોય || ઢાળ સોળમી દ્રવ્યાનુયોગનું જ્ઞાન એ સામાન્ય નથી. આ તો બ્રહ્માણી છે અર્થાત્ પરમાત્મા વીતરાગ દેવની પવિત્ર વાણી છે. માટે ગીતાર્થ ગુરુઓ પાસે જ ભણવાનું કહ્યું છે. તુચ્છ બુદ્ધિવાળાને આવા ગંભીર અર્થી અનુયોગ ભણાવવા નહીં એવી પણ આજ્ઞા કરી છે. તે જીવને આવી મહામૂલ્યવાન વસ્તુઓની કિંમત હોતી નથી. પછી કહે છે. આવા ગંભીર અર્થવાળા દ્રવ્યાનુયોગના ઘણા ભાવો તો કેવલી ભગવંત જ જાણે છે. છતાં સંક્ષેપમાં ગુરુગમથી અને અનુભવબળથી કેટલાક ભાવો આ ગ્રંથમાં વર્ણવ્યા છે. આવા દ્રવ્યાનુયોગનું પઠન કરવાથી પાપની શ્રેણી નાશ પામે છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે. દૃષ્ટાંત આપતા કહ્યું છે; તલને જેમ ઘાણી પીલે તેમ ઘનઘાતી કર્મો પિલાય છે. જેને જ્ઞાનમાં રુચિ નથી તે આવા ગ્રંથોની ટીકા-નિંદા કરે છે. પરંતુ જ્ઞાનરુચિ જીવોથી આ ગ્રંથ પણ જૈનશાસનમાં જરૂર પ્રતિષ્ઠા પામશે આમાં અનેક તત્ત્વરત્નો ભર્યા છે. તેને સારી રીતે સાંભળે અને પ્રયત્ન કરશો તો તમને પણ અનેક રત્નો મળશે. દ્રવ્યગુણપયયનો રાસ : એક પરિચય +433 Page #483 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સત્તરમી વિદ્વાન ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાના યશસ્વી ગુરુ પાટપરંપરાનું વર્ણન કર્યું છે. અકબરબાદશાહના પ્રતિબોધક ૧૬મા સૈકામાં થયેલા પૂજ્ય જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યવર્ગમાં આચાર્યોના નામ જણાવીને પછી પૂજ્ય શ્રી કલ્યાણવિજયજી મ. સા. થી ઉપાધ્યાયના નામો જણાવીને તેમાં થયેલાં પૂજ્ય શ્રી જિતવિજયજી મ. શ્રી. ના લઘુ ગુરુબંધુ શ્રી નવિજયજી મ. શ્રીના વિનીતશિષ્ય શ્રી યશોવિજયવાચકની આ ગ્રંથરચના છે. આમ કહીને જ ગુરુકૃપાથી કાશીમાં ન્યાયશાસ્ત્રાદિ ભણવાની તથા દુર્બોધ એવા ન્યાયચિંતામણિ ગ્રંથના અભ્યાસની પ્રાપ્તિ થઈ તે ગુરુપરંપરાનો ઉપકાર માની ગ્રંથની સમાપ્તિ કરી છે. નિષ્કર્ષ સારાંશ આ ગુજરાતી ભાષામાં રચાયેલી પદ્યબદ્ધ અનોખી કૃતિ કહી શકાય. ભાવોને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારે પોતે જ સ્વોપજ્ઞ-ગુજરાતી ટબો રચ્યો છે. તોપણ આ કૃતિને સમ્યક રીતે સમજવી કઠિન છે. તેથી સામાન્યજન માટે દુર્ગમ અને દુર્બોધ છે. આ નિબંધ દ્વારા તેને સુગમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. દ્રવ્યાનુયોગની મહત્તા છે. દ્રવ્યાનુયોગના મુખ્યગ્રંથો છે-સૂયગણગસૂત્ર, સન્માનિતર્ક, તત્ત્વાર્થ મુખ્યવિષય છે – આ જગતના દશ્ય અદશ્ય છે. દ્રવ્યો અનંતા ગુણો છે. દાર્શનિક જગતમાં પર્યાય શબ્દ આગવો છે. તેની વિચારણા સરવી છતાં ગહન છે. ગુણવગર દ્રવ્ય નથી. અને પર્યાયનો બંને સાથે સંબંધ છે. પર્યાયની વિચારણા વિશ્વદર્શન માટે જરૂરી છે. સમયે સમયે પરાવર્તન પામતા વિશ્વનું મૂળભૂત કારણ પર્યાય છે. કેવળજ્ઞાન એ સર્વ પર્યાયોનું જ્ઞાન છે. દરેક દર્શનમાં દ્રવ્ય અને ગુણની વિચારણા જુદીજુદી રીતે કરવામાં આવી છે. પણ આ ગ્રંથ કઈ વિશિષ્ટ છે. વિષય કઠિન છે અને તેમાં ત્રણસો વર્ષ પૂર્વેની ગુજરાતી ભાષા તેને કઠિનતમ બનાવે છે. છતાં પણ આ ગ્રંથનો અભ્યાસી વર્ગ છે. તેથી તેનું પ્રકાશન થતું રહ્યું છે. કોઈ કોઈ ગાથા હજુ પણ અણઉકેલી રહી છે. જે કંઈ પણ વિવરણ કર્યું છે, તે અભ્યાસીને તૃપ્ત કરશે અને વિશેષ ખેડાણ દ્વારા ખોલવા ઉત્તેજના આપશે. કર્મના ક્ષયોપશમમાં 434 * જૈન રાસ વિમર્શ Page #484 -------------------------------------------------------------------------- ________________ તો અલબત્ત કારણભૂત થશે જ. અંતમાં આ ગ્રંથ ભવ્યજીવોના સમ્યજ્ઞાનની અભિવૃદ્ધિ કરવામાં સહાયભૂત બનો એ જ અભ્યર્થના. આ ગ્રંથની સમાલોચના કરતાં એમ કહી શકાય કે “વાણી વાચક જસતણી કોઈ નયે ન અધૂરી રે – આ યુક્તિની વિશેષ પ્રતીતિ આ રાસનું અધ્યયન કરનાર કરી શકે છે. “એકની એક વિચારણા જુદા જુદા નયોની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન બોધ કરાવીને સ્યાદ્વાદથી તે સર્વબોધોનો સમન્વય કેવો સુંદરે સાધી શકાય છે. તેનું ભાન આ ગ્રંથ કરાવે છે. આ રીતે આત્મામાં એવા ચૈતન્યનો વિકાસ થાય છે કે જે દ્વારા તે કોઈ પણ વિચારક્ષેત્રમાં ગૂંચવતો નથી અને વિરોધોનો પણ સમન્વય કરે છે. આ દ્રવ્યગુણપર્યાયના રાસનો અભ્યાસ કરવો એ જીવનનું એક ગૌરવ છે. આ ગ્રંથના સુંદર અધ્યયનના અંતે જીવ કોઈ એક વિલક્ષણ ખુમારીનો અનુભવ કરે છે. પોતાની પાસે બહુમૂલ્ય મૂડી છે એવું માને છે, વળી આ ગ્રંથ રાસ રૂપે છે. પણ રચનાનું મહત્ત્વ સરળતાથી કંઠસ્થ કરી શકાય એમ છે. આવા કઠિન અને ગંભીર વિષયને પદ્યમાં ઉતારવા અને રસમય બનાવવા એ કાર્યનું મહત્ત્વ તો અનુભવી જ સમજી શકે. આ ગ્રંથ પર ગ્રંથકારે દબો રચ્યો છે. તેમાં દાર્શનિક વિચારણાઓ છે. તે મનનીય છે. દ્રવ્યગુણપયયનો રાસ' – આ સંશોધનાત્મક નિબંધ જીવોને ઉપભોગ્ય છે પણ ઉપયોગી પણ છે. (૧) માત્ર એકાંતવાદી ક્રિયાકાંડીઓને જ્ઞાનમાર્ગ પ્રત્યે દોરશે. (૨) માત્ર જ્ઞાનમાર્ગીઓને એકાંતવાદ છોડાવશે. (૩) તત્ત્વ જિજ્ઞાસુને શુદ્ધધ્યાન તરફ દોરશે. () વ્યવહારનયની પકડવાળાને નિશ્ચયનય તરફ જોવા પ્રેરશે. (૫) તો માત્ર નિશ્ચયને જ માનવાવાળાને વ્યવહારનયથી સુવિદિત કરશે. (૬) શુષ્ક તત્ત્વજ્ઞાનીને ભક્તિયોગી બનાવશે. (૭) સર્વત્ર જિનવચનની અગત્યની સમજાવશે. સમગ્ર ગ્રંથ વાંચ્યા પછી અદ્ભુત એવો ઉદ્ગાર પ્રગટ થયા વિના રહેતો નથી. અમુક અમુક ગાથામાં સુજસકારિણી સુજસવિલાસ, જસકિરતિ, જસ, જસ વિચાર આવા શબ્દો દ્વારા ગ્રંથકારે ગ્રંથકર્તા તરીકે પોતાનું નામ દ્રવ્યગુણપર્યાયનો રસ એક પરિચય 435 Page #485 -------------------------------------------------------------------------- ________________ સૂચવ્યું છે. “સવિ અર્થ સમયમાં ભાષિઆ. ઈમ વિવિધ ત્રિલક્ષણ શીલ રે જે ભાવઈ એહની ભાવના તે પાવઈ સુખ જસ લીલા રે અને છેલ્લે – “મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતુને જ પ્રકાયું છે, તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર * દ્રવ્યગુણપર્યાયરાસ' વિશે પંન્યાસશ્રી યશોવિજયજીએ સાત ભાગમાં વિસ્તૃત વિચારણા કરી છે, તો આ વિચારણાનો મર્મ બે ભાગમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ કર્યો છે. આ પુસ્તકો શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ (ઈલ) દ્વારા પ્રકાશિત થયા છે. આ રાસ વિશે વધુ જાણવાની જિજ્ઞાસાવાળા ભાવકો આ ગ્રંથોનો અભ્યાસ કરી શકે. 436 * જેન રાસ વિમર્શ Page #486 -------------------------------------------------------------------------- ________________ કિવિ ત્રઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન વિવેચક: ડૉ. રતનબેન ખીમજી છાડવા શ્રાદ્ધવિધિ અર્થાત્ શ્રાદ્ધ એટલે શ્રાવક વિધિ એટલે આચાર. શ્રદ્ધા અને વિવેકપૂર્વક ક્રિયા કરે તે શ્રાવક. આવા શ્રાવકે ક્યારે શું કરવું જોઈએ? તેનું સંપૂર્ણ શ્રેષ્ઠ માર્ગદર્શન આપતો રાસ એટલે “શ્રાદ્ધવિધિ રાસ” જન્મ-જીવન-મરણનો ક્રમ ચાલુ છે. પશુ, પક્ષી, માનવ નારક, દેવ બધા જન્મે છે. જીવે છે. અને આયુષ્ય પૂર્ણ કરી અન્ય ભવમાં ચાલ્યા જાય છે. આ ક્રમ અનાદિ કાળથી ચાલુ છે. અનંતકાળ સુધી ચાલ્યા કરશે. પણ એ જન્મ-જીવન-મરણના પ્રવાહમાંથી અનેક આત્માઓ દેવ-ગુરુ-ધર્મના શરણે રહીને આત્મસાધના કરીને પરમ પદને પામવા સફળ બને છે. શ્રાવક કુળમાં મળેલ જન્મ જયણામય જીવન જીવવા માટે સહાયક બને છે. અને તેના કારણે સમાધિમય મૃત્યુ પામીને સદ્ગતિ તેમ જ પરંપરાએ પરમ પછી પ્રાપ્ત કરી શકાય છે. શ્રાવક કુળમાં એવી વિશેષતા છે કે જેના દ્વારા આવી શ્રેષ્ઠ સિદ્ધિ થઈ શકે છે. કારણ કે શ્રાવકના જીવનનો વ્યવહાર જ સ્વ-પરોપકારમય હોય છે. જીવન કેવી રીતે જીવવું તે માટે અનેક મહાપુરુષો વિવિધ ગ્રંથોમાં ઉપદેશ આપી ગયા છે. તેમ કવિ ઋષભદાસે શ્રાદ્ધવિધિ રાસમાં ખૂબ જ સરળતાપૂર્વક બાળકની જેમ પા-પા પગલી મંડાવે તેમ શ્રાવકનાં આત્મવિકાસની પા-પા પગલી મંડાવી છે.જે વિવેકી શ્રાવક માટે ખૂબ જ ઉપકારક આ ગ્રંથ છે. શ્રાદ્ધવિધિ રાસના રચનાકાર: કવિ ઋષભદાસના જન્મ અથવા મરણ વિષેની સ્પષ્ટ માહિતી મળતી નથી પરન્તુ એમની કૃતિઓની રચના ઉપરથી જાણી શકાય છે કે તેમની જન્મ સને ૧પ૭પ અને મૃત્યુ સને ૧૯૩૫ની આસપાસ થયો હશે. આમ ૬૦ વર્ષના જીવનકાળ દરમિયાન તેમણે વિવિધ કૃતિઓનું સર્જન કરી શબ્દદેહથી અમર-પદને પ્રાપ્ત કર્યું છે. તેઓ વસા પોરવાડ જૈન વણિક હતા. તેમના પૂર્વજો મૂળ વીસનગરના વતની હતા. તેમના પિતામહનું નામ મહીરાજ હતું. તેમના પિતાનું નામ સાંગણ હતું કે જેઓ વ્યાપાર અર્થે ખંભાતમાં કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન * 437 Page #487 -------------------------------------------------------------------------- ________________ આવીને સ્થિર થયા. માતાનું નામ રૂપાંદે હતું. દાદા તેમ જ પિતા જૈનધર્મ પ્રત્યે રુચિ ધરાવનાર સમકિત વ્રતધારી શ્રાવક હતા. તેમનું કુટુંબ સુસંસ્કારી અને ધાર્મિક ભાવનાવાળું હોવાથી કવિને ધર્મના સંસ્કારો ગળથૂથીમાં જ પ્રાપ્ત થયા હતા. સાથેસાથે ઉત્તમોત્તમ જગદ્ગુરુના શિષ્ય પરિવારનું સાંનિધ્ધ પ્રાપ્ત થયું કે જે તેમના ધાર્મિક સંસ્કારોના સિંચનમાં વિશેષ મહત્ત્વનું રહ્યું હતું. રોજિંદા જીવનમાં પણ તેમણે ધાર્મિક ક્રિયાઓને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું કે જેની ઝલક શ્રાદ્ધવિધિ રાસમાં દેખાય છે. અર્થાત્ તેઓ જેવું જીવન જીવતા. હતા એવું જ શબ્દમાં કંડરાઈ ગયું છે. સાધુ-સંતોના સમાગમથી તેમ જ સત્સંગથી તેઓ શાસ્ત્રના જાણકાર થયા હતા. વળી સરસ્વતી દેવીની કૃપા મેળવી કવિ બન્યા હતા. તેમની ગુરુભક્તિ. સરસ્વતીભક્તિ અને માતૃભૂમિભક્તિ પણ અજોડ હતી. કવિએ હીરવિજ્યસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિ, વિજયતિલકસૂરિ તેમ જ વિજયાનંદ સૂરીશ્વરને ધર્મગુરુ તરીકે સ્વીકારી તેમની નિશ્રામાં સાહિત્યનું સર્જન પ્રાય ખંભાતમાં કર્યું છે. તેમની કૃતિઓમાં ભાવપક્ષ અને કલાપક્ષ બન્નેનો સુંદર સુમેળ જોવા મળે છે કે જે તેમની કવિપ્રતિભાને ઉજાગર કરે છે. તેઓ લખવા પાછળનો ઉદ્દેશ્ય બતાવતાં કહે છે કે “પર ઉપકાર નિજ સુખની કામ, કીયો રાસ પંડિત સીર નામ” અર્થાત્ પોતાની કૃતિઓ સ્વ-પર ઉપકાર અને સામાન્ય માનવી સમજી શકે તે માટે રચી છે. વર્તમાનમાં પણ કવિ ઋષભદાસકૃત રાસ સ્તવન સ્તુતિ સમજાય વગેરે રચનાઓ ઘણી સારી પ્રસિદ્ધ પામી છે. એમનો ભરતેશ્વરનો રાસ જેનમુનિઓ વ્યાખ્યાનમાં વાંચે છે. એમના મુદ્રિત સ્તવનો, સ્તુતિઓ ભવ્યઆત્માઓ દેરાસરમાં બોલે છે. સંસારના ખોટા સગપણ' વિશેની સઝાયનું ટેપરેકોર્ડિંગ પણ થયું છે. આ લોકપ્રિયતા જ એમની મહત્તા સૂચવે છે. તેમના અસ્તિત્વની ઝાંખી કરાવતું તેમનું ગૃહદેરાસર આજે પણ ખંભાતમાં પાર્શ્વનાથ શંખેશ્વર જિનાલયમાં મૌજૂદ છે. શ્રાદ્ધવિધિ રાસઃ કવિ ઋષભદાસે શ્રાદ્ધવિધિ રાસની રચના સ. ૧૬૮૨ મહાસુદપાંચમ ગુરુવાર ખંભાતમાં કરી છે. આ રાસ અપ્રકાશિત છે. તપાગચ્છના બાવનમા પટ્ટધર પૂજ્ય આચાર્યદેવ શ્રીરત્ન-શેખરસૂરિજી એ રચેલ “શ્રાદ્ધવિધિ 438 * જૈન રાસ વિમર્શ Page #488 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ' તેમ જ બીજા ઘણા શાસ્ત્રોના આધારે કરી છે એમ કવિ પોતે જ આ રાસને અંતે જણાવે છે. કવિએ રચેલા ચોત્રીસ રાસાઓમાંથી આ એક નોંધપાત્ર રાસકૃતિ છે. મુખ્યત્વે દુહા, ચોપાઈ, ઢાલ, કુંડલિયા તેમ જ વિવિધ દેશીઓમાં રચાયેલી ૧૬૩૭ કડીની દીર્ઘ રચના છે. કવિ ઋષભદાસ એક તો કર્મે અને ધર્મ જૈન હતા. તેમના આચાર અને વિચારમાં જૈનધર્મના સંસ્કાર દેખાય છે. આ જ સંસ્કારના પડઘા તેમની આ કૃતિમાં આબેહૂબ પડે છે. કવિ ઋષભદાસ રાસનો આરંભ પરંપરા અનુસાર મંગલાચરણ રૂપે માતા સરસ્વતી દેવીની સ્તુતિ તેમ જ ચરમ તીર્થકર શ્રી વીરજિનેશ્વરને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ત્રિકરણ યોગથી વંદન કરીને કરે છે. રાસની શરૂઆતમાં જ અનુબંધચતુટ્ય દર્શાવ્યું છે. અર્થાત્ રાસ રચનારૂપ કાર્યમાં કારણભૂત વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી તે અનુબંધચતુષ્ટય કહેવાય. વિષય તરીકે શ્રાવક સમાચારીના પર્ બોલ- (૧) દિનકૃત્ય (૨) રાત્રિકૃત્ય (૩) પર્વકૃત્ય (૪) ચાતુર્માસિક કૃત્ય (૫) વાર્ષિક કૃત્ય અને (૬) જન્મ કૃત્ય કે જે રાજગૃહી નગરીમાં શ્રી અભય કુમારના પૂછવાથી શ્રી વીર પ્રભુએ સ્વમુખે પ્રકારેલા પ્રયોજન – શ્રાવક જનોના ઉપકાર માટે સંબંધ-રાસ અને વિષય વચ્ચે વાચ્ય વાચક ભાવ. અધિકારી – એટલે (૧) ભદ્રક પ્રકૃતિ (૨) વિશેષ નિપણમતિ (૩) ન્યાયમાર્ગમાં પ્રેમ અને હજી દઢ પ્રતિજ્ઞ આવો ચાર ગુણ યુક્ત શ્રાવક ધર્મને યોગ્ય જણાવ્યો છે. તેનાથી વિપરીત દષ્ટિરાગી, ધર્મદ્વિષી તેમ જ મૂર્ખને ધર્મ માટે અયોગ્ય ગણ્યાં છે. તે અનુક્રમે ભુવનભાનુ કેવલી, વરાહમિહિર અને કણબીપુત્રના કથાનક દ્વારા સમજાવ્યું છે. વિવિધ પ્રકારે શ્રાવકને ભેદપ્રભેદ બતાવ્યાં છે. જેમ કે – નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવશ્રાવક, ચંડપ્રદ્યોત રાજાના વચનથી વેશ્યા દ્રવ્યશ્રાવિકા બની હતી તે દષ્ટાંતનું આલેખન કરી ભાવશ્રાવકના ત્રણ પ્રભેદ-દર્શન-વ્રત અને ઉત્તરગુણશ્રાવક બતાવી, ઉત્તર ગુણ શ્રાવકના તેરસો ચોરાસી કરોડ, બારલાખ, સત્યાસી હજાર, બસો ને બે ભાંગા થાય તેનું વિવેચન કરી અનુક્રમે શ્રેણિકરાજા, સુરસુંદરકુમાર શેઠની સ્ત્રીઓ તેમ જ આનંદ કામદેવનાં દૃષ્ટાંતો વડે પ્રકાશ પાડ્યો છે. ઠાંણાંગસૂત્ર પ્રમાણે પણ શ્રાવકના ચાર પ્રકાર દર્શાવ્યા છે. દાન, શીલ, તપ અને ભાવનાદિ શુભયોગથી અસ્પ્રકારના કર્મ સમયે સમયે પાતળા કરે, ઓછા કરે તેમ જ સાધુ-સંતો પાસેથી સમ્યક સમાચાર સાંભળે તેને શ્રાવક કહેવાય. આવો શ્રાવક શાસ્ત્રોક્ત એકવીસ ગુણથી યુક્ત હોય તેનું કથન કરી શ્રાવકની કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન +439 Page #489 -------------------------------------------------------------------------- ________________ (ભાવશ્રાવક) સમાચારી રૂપે ષટ્રોલ પ્રકાશ)નું વિવેચન કરેલ છે. (૧) દિન-નૃત્ય : પ્રથમ પ્રકાશ) કવિ ઋષભદાસે છ કૃત્યમાંથી પ્રથમ દિનકૃત્યનું વર્ણન વિસ્તારપૂર્વક આલેખ્યું છે. શ્રાવકે પાછલી પહોર રાત્રિ રહે ત્યારે અથવા સવાર થતાં વહેલાં ઊઠવું. ઊઠીને પ્રથમ નવકારમંત્રનું સ્મરણ કરવું પરંતુ એની પહેલા રાત્રિ દરમિયાન કાંઈ પણ કાર્ય કરવા પડે તો ધીમેથી કરવા. વાતચીત આદિ પણ ધીમેથી ક૨વી કેમ કે અવાજથી જાગી ગયેલાં અનેક જીવો હિંસાના કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. જેને કા૨ણે દોષોનો ભાગી બનવાથી અનર્થદંડની પ્રાપ્તિ થાય. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી નવકારનું ઉચ્ચારણ કરતાં ધર્મજાગરિકા કરવી કે હું કોણ છું? મારો ધર્મ ક્યો? મારા દેવ કોણ? મારા ગુરુ કોણ? મેં શું કર્યું અને શું કરવાનું બાકી છે? એવું વિચારીને પોતાના કુળને યોગ્ય નિયમાદિ કરવા ત્યાર પછી સુખાસને બેસી એકાગ્રતાથી કમળબંધ નંદાવર્ત આદિ રીતથી નવકાર ગણવા. નવકાર ગણવાની વિવિધ રીતોનું વર્ણન તેમ જ તેનાથી થતા લાભો અને તેનું શું ફળ મળે? તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. સ્વપ્નવિચાર શાસ્ત્ર અનુસાર દુઃસ્વપ્ન, સુસ્વપ્ન તેમ જ શુભ-અશુભ ફળ વિષે માહિતી દર્શાવી છે કે જે તેમનું સ્વપ્નશાસ્ત્ર વિષેનું જ્ઞાન દર્શાવે છે. પ્રાતઃકાળે પુરુષે જમણો હાથ અને સ્ત્રી પોતાનો ડાબો હાથ પુણ્યપ્રકાશક હોવાથી જોવો એવું માર્ગદર્શન આપ્યું છે ત્યાર પછી વૃદ્ધ માતા-પિતા વગેરેને નમસ્કાર કરવા ત્યારપછી પ્રતિક્રમણ સામાયિક આદિ કરી ચૌદ નિયમ કરવા. સચિત-અચિત આદિ વસ્તુનું સ્વરૂપ બતાવી તેના નિયમ લેવાની વિધિ પણ વિસ્તારથી દર્શાવી છે ત્યારબાદ દાતણવિધિ, સ્નાનવિધિ, વાળ ઓળવા, હજામત આદિ ક્રિયાઓ શાસ્ત્ર અનુસાર તેમ જ લૌકિકશાસ્ત્ર અનુસાર દર્શાવી છે, આ ઉપરથી કવિને અન્ય શાસ્ત્રનું જ્ઞાન પણ હશે તે સમજાય છે શાસ્ત્રોકતવિધિ પ્રમાણે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી જિનમંદિરે જઈ દેવપૂજા ઉત્તમ દ્રવ્યોથી કરવી. જિનમંદિરમાં જતા પહેલા રાજા તથા શ્રાવકે પાંચ અભિગમ સાચવવા તેમ જ જિનમંદિરની ઉત્કૃષ્ટ ચોર્યાશી આશાતના પણ ટાળવી. આ રીતે જિનપૂજા કરી ગુરુ પાસે જઈ પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ દ્વાદશાવર્ત વંદના કરવી. ગુરુવંદનનું ફળ દર્શાવતા કવિ કહે છે. 440 * જૈન રાસ વિમર્શ Page #490 -------------------------------------------------------------------------- ________________ નીચ ગોત્ર તે ખેપવઈ રે, ઊંચ ગોત્ર બાહ: કર્મ ગાંઠિ ઢીલી કરઈ રે, તીર્થકરણપણું લહઈ તે હોરે. આ વાત શ્રીકૃષ્ણ તેમ જ શીતળાચાર્યના દૃષ્ટાંત આપી સમજાવી છે તેમ જ જિનમંદિરમાં ગુરુ પાસે કેમ બેસવું? તેનું વર્ણન કર્યું છે ત્યાર પછી શ્રાવકે નિદ્રા તથા વિકથા વર્જી બહુમાનપૂર્વક ગુરુનો ઉપદેશ સાંભળવો. ધર્મેદેશના સાંભળવાથી અજ્ઞાનનો અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય. સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય. મોક્ષની ઈચ્છા થાય દેશવિરતિ અથવા સર્વવિરતિની આરાધના થાય વગેરે અનેક ગુણ પ્રગટે છે જે વિસ્તારથી થાવગ્સાપુત્રના કથાનક દ્વારા દર્શાવ્યું છે. અહીં કવિએ સુભાષિત દ્વારા ક્રિયા અને જ્ઞાનના સુમેળની વાત દર્શાવી છે જેમ કે: જ્ઞાન ધરઈ કટારિયા ધરઈ મુતિપથ તસ સાર જિમ અંધો નઈ પગલો મલતા પામ્યા પાર કેમ કે ઔષધ કે ભોજનના જ્ઞાનમાત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ થતી નથી પરન્તુ તેનો ઉપયોગ કરાય તો જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે ધર્મદેશના સાંભળી ગુરુ આદિને શાતા પૂછવી પછી ઘરે આવી ભોજન વેળાએ સાધુ-સંતોને વહોરાવવાની ભાવના ભાવવી. સુપાત્ર દાન આપવાથી પુણ્ય થાય છે આ વાત તંગીઆ નગરના શ્રાવકનું દૃષ્ટાંત આપી સમજાવી છે જેમ કે : આરે આહારનો કહ્યો વીચાર દેતાશ્રાવક સોય સુસાર તુંગીઆ નગરિ શ્રાવક એહ માહાદાતા નર ભખ્યા તેહ આમ ઉત્કૃષ્ટ જાવક ભોજન આદિનું દાન આપી પછી સચિત આદિ વસ્તુનો ત્યાગ નીવી આયંબિલ, એકાસણું કે બીસણું આદિ ધરીને પછી ભોજન કરે ભોજન કરી નવકાર ગણે. સાથે ભોજન કેમ કરવું તેની વિધિ અને ભોજન પછી પાન-સોપારી ખાવી. આર્યુવેદ શાસ્ત્ર પ્રમાણે પાન ખાવાથી કફ અને વાયુ શાંત થાય તેમજ શરીર બળવાનનો ઉલ્લેખ કર્યો છે ત્યાર પછી ધોયેલા નિર્મળ વસ્ત્રો પહેરીને ધનઉપાર્જન અર્થે શ્રાવક દુકાને જઈ ન્યાયનીતિપૂર્વક વેપાર કરે. વ્યવહારશુદ્ધિથી દેશાદિના વિરુદ્ધનો ત્યાગ કરવાથી ઉચિત આચારનું આચરણ કરવાથી પોતાના ધર્મનો નિર્વાહ કરતાં દ્રવ્યોપાર્જનની ચિંતા કરવી કારણ કે વ્યવહાર શુદ્ધ રાખવો એ ધર્મનું મૂળ કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન + 441 Page #491 -------------------------------------------------------------------------- ________________ છે પરંતુ વ્યવહાર શુદ્ધ ન હોય તો માનવ જે કાંઈ કૃત્ય કરે તે સર્વ તેનું નકામું છે લોકમાં પણ આહાર માફક શરીઅકૃતિ બંધાય છે આ વાત કવિએ રૂઢિપ્રયોગ શૈલીમાં આલેખી છે જેમ કે : જમ્યો આહાર તસ્યો ઉઢકાર, માહિષી દૂધિ અશ્વઅભાર ગાય તણઈ દૂધિ ભલતુરી, આહાર તિણિ સુધિ રાખો ખરી. આમ વચ્ચે વચ્ચે રૂઢિપ્રયોગે તેમ જ કહેવતો રાસને રસભર બનાવે છે જે કવિની કવિત્વશક્તિનું કૌશલ્ય બતાવે છે વ્યવહાર શુદ્ધિ ઉપર ધનમિત્રની કથા દર્શાવી છે. આજીવિકા અર્થે સાત ઉપાયનું આલેખન કરી દરેક ભેદ-પ્રભેદ બતાવ્યા છે તેમ જ ધન આપતાં સાક્ષી રાખવી, થાપણ કેમ રાખવી, પરદેશ આદિમાં વ્યાપાર અંગે તેમ જ પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિવચનોનું આલેખન કર્યું છે જેમકે : તુ મમ સુજે ના સમશાની શતિ તરુઅતલઈ નહી માની મ કરી સર્વ તહો વસ્વાસ સર્વથકી મમ પામીશ હૌસા તેમ જ પરદેશમાં વધુ ન રહેવું તે ઉપર કાષ્ટી શેઠની વાર્તા કહી છે. તેનો સારાંશ એ છે કે તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દોષ ઉત્પન્ન થાય છે. ત્રણ પ્રકારની ઋદ્ધિ કહી છે. દાન તથા ભોગના કામમાં ન આવે અને અનર્થ ઉત્પન્ન કરે તે પાપઋદ્ધિ કહેવાય તેનું વિવેચન સદષ્ટાંત કર્યું છે. ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન એ બેના સંબંધથી દાનની ચૌભંગીનું વર્ણન કરી અન્યાયથી મેળવેલ ધનથી દુઃખી થનાર રંકશેઠનું દષ્ટાંત સવિસ્તાર આલેખ્યું છે ‘હિતોપદેશમાલામાં કહ્યું છે કે જે માનવ દેશ, કાળ, રાજા, લોક તથા ધર્મ આમાંથી કોઈને પણ પ્રતિકુળ આવે તેવી વાત જો વર્ષ તો તે સમકિત અને ધર્મ પામે છે. આ વાત આચરણ (કર્મ) ના નવભેદ પણ સુભાષિતો દ્વારા આલેખ્યાં છે ઉચિત આચરણથી લોકમાં સ્નેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય ચે જેમકે : ઉત્તમ ચૂકઈ નહી કદા સઘલઈ રાખી લાજ નાતિ ઊચિત પણિ જાળવઈ જાતિ વડી જગ્યા આજ સાથે સાથે ઉત્તમની ઓળખ દર્શાવતા કહે છે કે : 442 * જૈન રાસ વિમર્શ Page #492 -------------------------------------------------------------------------- ________________ સુર સાંમિ પરખીઈ નારી દાતા પરખાઈ હાથિ જાતિ જિભાંઈ પરખાઈ નારી પરખીઈ અાથિ સમુદ્રો પોતાની મર્યાદા મૂકતા નથી. પર્વતો ચલાયમાન થતા નથી તેમ ઉત્તમ પુરુષો ઉચિત આચરણો છોડતા નથી તેનું સદૃષ્ટાંત આલેખન કર્યું છે. એક ઉચિત આચરણ ન હોય તે સર્વ ગુણોનો સમુદાય ઝે૨ માફક છે માટે પુરુષે સર્વ અનુચિત આચરણ છોડવું અને જે આચરવાથી પોતાની મૂર્ખમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં ગણાય છે એવા લૌકિક શાસ્ત્રમાં દર્શાવેલ મૂર્ખના સો લક્ષણ કવિએ પ્રાસાનુપ્રાસ અલંકારમાં વર્ણવ્યા છે જે તેમની શબ્દચાતુર્ય શક્તિનો પરિચય આપે છે, જેમ કે: સભા થકી ઊઠી સંચરઈ દૂતનિ સંઘેસા વિસ૨ઈ દલ ઈ ખાસ નિ ચોરી કરઈ કરત કાજિ અન થાલી ભરઈ જ આવા મૂરખના લક્ષણ જે છોડે છે તે જ દોષ વગરના માણેકની જેમ શોભે એવો બોધ આપે છે વિવેક વિલાસગ્રંથ અનુસાર કવિએ વિવેકી પુરુષ અન્ય હિતવચનો પણ ગ્રહણ કરવા જોઈએ એનું સુભાષિતો દ્વારા સુંદર વિવેચન કર્યું છે જેમ કે ઃ માતાપીતા રોગિ નિં ભ્રાત આચાર્ય પ્રથવીનો નાથ તપીઉ વિધ પરુણો બાળ મકિરશ વાદ અહીંઆ સુકમાલ તેમ જ એકલા મુસાફરી કરવી નહિ જળના પ્રવાહમાં સામા જવું નહિ વરસાદ વરસતો હોય ત્યારે દોડવું નહિ વગેરે તેમ જ નીતિશાસ્ત્રમાં કહેલા સર્વઉચત આચરણનો સમ્યક પ્રકારે વિચાર કરવો, યથાશકિત પ્રમાણે દાન આપવું, વ્યવહાર શુદ્ધ રાખવો કે જેનાથી જગમાં યશકીર્તિ વધે. શ્રાવકે સંધ્યા સમય એટલે છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે સૂર્યબિંબનો અર્ધોઅસ્ત થતાં પહેલા ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી. શ્રાવકે હંમેશાં એકાસણાં કરવાં પરંતુ જેનાથી થઈ ન શકે એમ હોય તેણે રાત્રિભોજનનો ત્યાગ કરવો ચઉવિહાર આદિ દિવસચરમ પરચક્ખાણ કરવા આ પરચક્ખાણ સુખે પળાય તે બહુ ફળદાયી છે. કવિએ અહીં એડકાક્ષનું દૃષ્ટાંત આપી દિવસચચરમ પરચક્ખાણનું મહત્ત્વ સમજાવ્યું છે. અહીં પ્રથમ દિનકૃત્ય પૂરું થાય છે. આમ પ્રથમ નવકા૨ સામાયિક પ્રતિકમણ પછી કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન * 443 Page #493 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન, ગુરુવંદન, સુપાત્રદાન, વ્યાખ્યાનશ્રવણ, પ્રભુપૂજા, સચિતઅચિત્તની ઓળખ ચૌદ નિયમ ધરવાની વિગત વ્યાપારશુદ્ધિ, ઉચિત આચરણ આદિ વિષયોની વિસ્તારપૂર્વક છણાવટ કરી છે ટિપ્પણી : એડકાક્ષના દૃષ્ટાંત ઉપરથી ખબર પડે છે કે તે સમયે પણ આંખનું પ્રત્યારોપણ થતું હશે જે આજે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી બતાવ્યું છે. રાત્રિકૃત્યઃ (દ્વિતીય પ્રકાશ) કવિ દિનકૃત્ય પછી રાત્રિ કૃત્યનું વર્ણન કરે છે. શ્રાવકે સંધ્યાસમયે અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ સઝાય મુનિરાજની સેવા ઈત્યાદિ કરે. શ્રાવકે અવશય કરવા જેની ક્રિયા એટલે ષડૂઆવશ્યક રૂપ પ્રતિક્રમણ સૂત્રમાં પણ કહ્યું છે કે શ્રાવકે અને સાધુએ રાત્રિના અને દિવસના અંતભાગે પ્રતિક્રમણ કરવું કે જે કષાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારું તેમ જ મુક્તિનું કારણ છે. વૈદ્યના ત્રીજા રસાયન ઔષધ સમાન છે. પ્રતિક્રમણના પાંચભેદ : ૧ દેવસી ૨ રાઈય ૩ પમ્બિ ૪ ચોમાસી અને ૫ સંવત્સરી બતાવી તેની વિધિનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. પ્રતિક્રમણ કરવા માટે દૃઢ અભિગ્રહ ઉપર દિલ્હીના શ્રાવકનું કથાનક આલેખ્યું છે. પ્રતિક્રમણ કરવાના નિયમમાં તેની દઢતા જોઈને દિલ્હીના બાદશાહે તેને બંદીખાનામાંથી મુક્ત કર્યો અને સન્માન આપ્યું. પ્રતિક્રમણનું ફળ દર્શાવતા કહ્યું છે: એમ પડિકમણું નર આદરઈ પછઈ સંજાય તે શ્રાવક કરઈ કર્મ ગ્રંથ નિ ઉપદેશમાલ ગણતા થાય હોઈ વીસરાલ સંધ્યા સમયે દેવસી પ્રતિકમણ કરીને સ્વાધ્યાય કરવો તેના ઉપર કવિએ ધર્મદાસનું દષ્ટાંત આપ્યું છે. જે નિત્ય સ્વાધ્યાય કરવાથી કેવળી બન્યા. સ્વજનો આદિને ધર્મોપદેશ આપવા વિષે કવિ વર્ણવે છે કે શ્રાવક પ્રતિક્રમણ સામાયિક પાળી મુનિ આદિની સેવા કરી ઘરે આવી પોતાના સ્વજનોને જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે ધર્મનો ઉપદેશ આપે છે. શ્રાવક પોતાની સ્ત્રી પુત્ર વગેરેને સવજ્ઞ પ્રણતિ ધર્મમાં ન જોડે તો તે શ્રાવક આ. લોકમાં તથા પરલોકમાં તેમનાં કરેલાં કુકર્મોથી લેપાય. કવિએ આ ત્રુટકછંદમાં આલેખી છે જેમ કે : કસ્યઉ પાસિંગ જેહ થાઈ ભુપે મસ્તગિ તે સહી ભુપનું પરોહીત મસિતગી વારઈ નહી વિધિ સ્વઉ કહી 4A * જૈન રાસ વિમર્શ Page #494 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીનું પાતિગ પુરુષ મતગિ સષિ તણું હોઈ ગુરુ ભણી કુટુંબ પાતિગ જેહ કરતું જેહ લાગઈ ઘરધણી. તેમ જ પોતાના પુત્ર વગેરેને પ્રતિબોધ કરાવવા ઉપર ધજશેઠનું દગંત આપ્યું છે. આજના પંચમકાળમાં કોઈ દેવ આવી ધર્મ પમાડે એ વાત કોઈ માને નહિ પરંતુ આ કથા સાંભળી જરૂર માનવાનું થાય ત્યાર પછી કવિએ નિદ્રાવિધિનું આલેખન નીતિશાસ્ત્રના આધારે સુભાષિતો દ્વારા કર્યું છે. શ્રાવક કયાં? ક્યારે? સૂવાનું સ્થાન કેવું હોય વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. એક સ્થાન કેવું છે એક પહોર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયા પહેલાં પોતાને અનુકૂળ સૂવાના સ્થળે થોડી થોડી ઊંઘ લે. બહુ નિદ્રા લેનાર આ ભવથી તથા પરભવથી પણ ભષ્ટ થાય છે જીવોથી ભરેલો ટૂંકો ભાંગેલો મેલ પડપાયાવાળો ખાટલો સૂવાના કામમાં વાપરવો નહિ. દેવમંદિરમાં રાફડા ઉપર વૃક્ષની નીચે સ્મશાનમાં સૂવું નહિ. આરોગ્યની દૃષ્ટિએ પણ ક્યારે સૂવું? તે સમજાવતાં કહે છે કે: રયણિ મૂકિ દિવસ સોય ગ્રીષમ રતિ કહયઉ છઈ જોય સલેખ માઠર ભાતિ થાય બિજી રતિ પીત વ્યાપી જાય આગમ પ્રમાણે સૂતી વખતે ચૈત્યવંદન વગેરે કરી દેવને ગુરુને વંદના કરવી ચઉવિહાર વગેરે પચ્ચકખાણ ગ્રંથિસહિત ઉચ્ચરવું તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિણામનો સંપક્ષે કરવા રૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારવું દેશવકાશિક વ્રત ઉપર કવિએ વાનરનું દષ્ટાંત આપ્યું છે. તેમ જ ચાર શરણા અંગીકાર કરવા સર્વજીવ રાશિને ખમાવવાં પાપની નિંદા, પુણ્યની અનુમોદના કરવી. સાગારી અનશન કરવું અને પછી નવકાર ગણના એકાંત શવ્યાને વિષે જ સૂવું પણ જ્યાં સ્ત્રી વગેરેનો સંસર્ગ હોય ત્યાં ન સૂવું બ્રહ્મચર્યનું ફળ બહુ જ મોટું છે ચતુર્થવ્રત પાળવા અસમર્થ શ્રાવકે પણ પર્વતિથિએ બ્રહ્મચર્ય પાળવું. સ્ત્રી સંસર્ગથી દૂર રહેવું કેમ કે વિષયસેવનનો અભ્યાસ અનાદિ કાળનો છે અને વેદનો ઉદય ખમવો બહુ મુશ્કેલ છે. જે કવિએ રૂઢિપ્રયોગ દ્વારા સમજાવ્યું છે જેમ કે – જીવ સભાવ એવો છઈ સહી ભુડી વાસના આવઈવહી ગાઢો ધીર હોઈ તે ચલઈ લાખ અગ્યન યોગિ જેમગલઈ તેમ જ કામરાગને જીતનાર જંબૂસ્વામી સ્થૂલિભદ્ર અને સુદર્શન શેઠના કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન « 445 Page #495 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાંત આપ્યાં છે. ત્યાર પછી કષાય આદિ જીતવાની રીત બતાવી કે ગુણો પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવો જોઈએ. ગુણથી જ સન્માન પ્રાપ્ત થાય છે. પાછલી રાત્રિએ શ્રાવકે ઊંઘ ઊડી જાય ત્યારે સંસારની વિષમતા તેમ જ જીવ ચારે ગતિમાં દુઃખી થાય છે તેનું ચિંતન કરી ધર્મના મનોરથો ભાવવા કે હું સ્વજનાદિનો સંગ મૂકી ક્યારે દીક્ષા લઈશ? અહીં રાત્રિકૃત્યનું વર્ણન પૂરું થાય છે પર્વકૃત્ય ઃ (તૃતીય પ્રકાશ) પર્વકૃત્યનું આલેખન કરતાં કવિ જણાવે છે કે શ્રી ગૌતમ સ્વામીએ બીજ-બે પ્રકારના ધર્મ આરાધવા માટે, પંચમ પાંચ જ્ઞાન આરાધના માટે, આઠમ-આઠે કર્મ ખપાવવા માટે અગિયાર અગિયાર અંગની સેવા માટે તથા ચૌદશ-ચૌદ પૂર્વોની આરાધના માટે એમ પાંચ પર્વતિથિઓ કહી છે. આ પાંચ પર્વમાં અમાસ, પૂનમ ઉમેરતા પ્રત્યેક પખવાડિયાની ઉત્કૃષ્ટ છ પર્વતિથિઓ થાય. આખા વર્ષમાં અઠ્ઠાઈ ચોમાસી વગેરે ઘણાં પર્વો છે. સુશ્રાવકે પર્વોમાં તથા વિશેષ આસો મહિનાની તથા ચૈત્ર મહિનાની અઠ્ઠાઈમાં પૌષધ વગેરે કરવું. બ્રહ્મચર્ય પાળવું. આરંભ વર્જવો. વિશિષ્ટ તપશ્ચર્યાં વગેરે કરવી. પોષ-ધર્મની પુષ્ટિને ધ-ધારણ કરે તે પોષધ કહેવાય શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પર્વોના દિવસે પૌષધ આદિ વ્રત જરૂ૨ ક૨વા. અથવા દેશાવકાશિક વ્રત જરૂર કરવા તેમ જ આરંભ અને સચિતાહારનો ત્યાગ કરવો. ત્રણ ચોમાસા અને સંવત્સરી અઠ્ઠાઈ વગેરે પર્વોમાં વિશેષ ધર્મ અનુષ્ઠાન કરવા. ઊગતી કે આથમતી તિથિ માનવી એ વિષે કવિએ છણાવટ કરતાં જણાવે છે કે સૂર્યના ઉદયના અનુસારે જ દિવસાદિનો વ્યવહાર ગણાય. તેમ જ જિનકલ્યાણકો પણ પર્વતિથિ જેવાં જ ગણવા. કવિએ અહીં કૃષ્ણમહારાજાનું દૃષ્ટાંત આપ્યું છે ભગવાન નેમિનાથે આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ તરીકે માગશર સુદ અગિયારસ કૃષ્ણ મહારાજાને બતાવી હતી. પછી કૃષ્ણ મહારાજા એ મૌન પૌષધોપવાસ કરીને તે દિવસની આરાધના કરી. જેવો રાજા તેવી પ્રજા એ ન્યાયે સર્વ લોકોમાં આ પર્વની પ્રસિદ્ધિ થઈ. પર્વ તિથિને વિષે કરેલું ધર્માનુષ્ઠાનનું શું ફળ મળે તે દર્શાવવા કવિ આલેખે છે. 446 * જૈન રાસ વિમર્શ Page #496 -------------------------------------------------------------------------- ________________ તિણઈ દિવસિ શુભ કર્મ બંધાય, બંધ આઉષનો પણિ થાય, પરતિથિ તણઈ ક૨વો ધર્મ, શમઈ કસ્યઉ તે ફ્લ દઈ ૫૨મ કવિ અન્ય દર્શનમાં પણ પર્વતિથિનું મહત્ત્વ બતાવી. પર્વના દિવસે પૌષધવ્રત કરનાર ધનેશ્વર શેઠનું કથાનક વિસ્તારથી દર્શાવે છે. શેઠની આરાધના જોઈને ખેડૂત ધોબી અને ઘાંચી પણ પર્વને દિવસે ધર્મ અનુષ્ઠાન કરી સમ્યક્ત્વધારી બન્યા. અનુક્રમે મરણ પામી દેવલોક ગયા. ત્યાંથી ત્રણે જણા રાજકુળમાં જન્મ્યા. જાતિસ્મરણ જ્ઞાન થવાથી ત્રણે રાજાઓએ દીક્ષા લઈ ૫૨મપદને પ્રાપ્ત કર્યું. કવિએ પર્વના દિવસે આરાધના કરવાનું બતાવી તેનું વિશેષ મહત્ત્વ તૃતીય પ્રકાશમાં આલેખ્યું છે. ચાતુર્માસિક કૃત્ય : (ચતુર્ય પ્રકાશ) કવિ ચાતુર્માસિક કૃત્યનું વર્ણન કરતાં દર્શાવે છે કે જે શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય તેણે દરેક ચોમાસામાં પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું જેણે રિમાણ વ્રત પૂર્વે ન લીધું હોય તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય એવા નિયમ લેવાં. વર્ષાઋતુમાં જીવોની ઉત્પત્તિ વિશેષ થતી હોવાને લીધે જીવોની ઘણી વિરાધના થાય છે. માટે ઉચિત નિયમ ગ્રહણ કરવા જેમ કે વરસાદ થવાથી ઈયળો વગેરે પડવાને લીધે રાયણ આંબા વગે૨ે ફળનો ત્યાગ કરવો. કવિએ બે પ્રકારના નિયમ દર્શાવ્યા છે એક દુઃખે પળાય એવા તથા બીજા સુખે પળાય એવાં ધનવંત માટે સચિત રસનો ત્યાગ સામાયિક વગેરે દુઃખે પળાય, પરન્તુ પૂજા, દાન વગેરે સુખે પળાય. જ્યારે દરિદ્ર માટે એનાથી ઊલટું છે. તેમ છતાં નિયમ તો શ્રાવકે જરૂર લેવા. અહીં શ્રીકૃષ્ણ તેમ જ કુમારપાળ રાજાનું દૃષ્ટાંત આપ્યું છે. અછતી વસ્તુનો નિયમ લેવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે એ દર્શાવતાં દ્રમકમુનિનું દૃષ્ટાંત કવિએ આલેખ્યું છે. વિરતિમાં મોટા ફળનો લાભ છે અને અવિરતિપણામાં ઘણા કર્મધનાદિ હોય છે. માટે વર્ષાકાળમાં વિશેષે કરી નિયમો આદરવા. ઘરના કાર્યમાં જયણા રાખવી. તેમ જ યત્નપૂર્વક કરવા. તેવી જ રીતે ઉપધાન માસક્ષમણથી, વિશસ્થાનક વગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ પ્રમાણે કરવી. પર્વમાં વિગઈનો ત્યાગ, પૌષધઉપવાસ કરવો. દરરોજ અતિથિ સંવિભાગનો લાભ લેવો. કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન * 447 Page #497 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહ કહ્યા છે. તે પ્રમાણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રચાર, તપાચાર અને વીર્યાચારના દ્રવ્યાદિના ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ લેવા. ચોમાસાના નિયમ ઉપર કવિએ વિજયસેન રાજાના રાજકુમારનું દૃષ્ટાંત દર્શાવ્યું છે. રાજકુમારે પોતાનો પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. અને પછી ઘણા નિયમો પાળી સ્વર્ગ ગયો. ત્યાંથી આવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આમ કવિએ કથાનક દ્વારા ચોમાસા સંબંધી નિયમનું મહત્ત્વ સમજાવ્યું છે. ચાતુર્માસિક કૃત્યો અંગ લૌકિક શાસ્ત્રોનું સમર્થન કવિએ સુભાષિત દ્વારા આલેખ્યું છે. જેમ કે, સંવર ક૨વો સહી કહ્યો, શઈવ શાસ્ત્ર સુ યાંહિ વિસીષ્ટ ઋષિ બોલ્યા આસ્યુ, તજિ ચોમાસું મહિ” મદિરામંથી મૂલી તજઈ, ગાજરનિં વંત્યાક. ચોમાસામાં મૌન ભોજન તથા બીજા નિયમ રાખવા ઇત્યાદિ ભવિષ્યોત્તર પુરાણમાં પણ દર્શાવ્યું છે. આમ ચાતુર્માસિક કૃત્યમાં નિયમોનું પિરમાણ કરી આરાધના કરવી તેનું આલેખન થયું છે. વર્ષકૃત્ય : (પંચમ પ્રકાશ) ચોમાસી કૃત્ય પછી કવિ વર્ષકૃત્યનું આલેખન અગિયાર દ્વાર વડે કરે છે. પ્રથમ દ્વારનું નિરૂપણ કરતા કહે છે કે શ્રાવકે દર વર્ષે જઘન્યથી એક વાર પણ ચતુર્વિધ શ્રીસંઘની પૂજા કરવી. સંઘપૂજા ત્રણ પ્રકારની છે : વસ્તુપાળમંત્રી તેમ જ દિલ્હીના જગસીશેઠના પુત્ર મહણસિંહનું દૃષ્ટાંત આપતાં કહે છે તેમણે ખૂબ જ ધન વાપરી સંઘપૂજા કરી હતી. સર્વસંઘને માત્ર સૂત્ર વગેરે આપે તોપણ ઘણો લાભ થાય. બીજા દ્વારમાં સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ બનાવ્યું છે. સર્વે ધાર્મિક કે ભાઈઓનું અથવા કેટલાકનું શક્તિ પ્રમાણે આદર-સત્કાર કરવો. પોતાના પુત્ર વગેરેના જન્મોત્સવવિવાહ હોય તો સર્વે ધાર્મિક ભાઈઓને બોલાવવા. તેઓ કદાચ કોઈ વખત મુશ્કેલીમાં હોય તો મદદ કરવી. તેમ જ વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેમાં જોગ મળે તેમ જોડવા શ્રાવિકાઓનું વત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. જે ચતુર્વિધ સંઘનું ચોથું અંગ છે. અહીં કવિ શ્રીની પ્રશંસા રૂપે આલેખે જેમ કે, 448 * જૈન રાસ વિમર્શ Page #498 -------------------------------------------------------------------------- ________________ હુંઈ ઘણિ સીતાદિક સતી, સુલતામાંહિ દૂષણ નહી રતી તેણઈ કારણિ એ શ્રાવિકા ધ્યન, ચોથો સંઘએ કહું રતન” ત્રીજા દ્વારમાં કવિ તીર્થયાત્રા, રથયાત્રા અને અઠ્ઠાઈયાત્રા એ ત્રણ યાત્રાઓનું વર્ણન કરે છે. સર્વ ચૈત્યપરિપાટી કરવા વગેરે અઠ્ઠાઈયાત્રા તે ચૈત્યયાત્રા પણ કહેવાય છે. સંપ્રતિ રાજા તથા કુમારપાળ રાજાએ કરેલી ભવ્ય રથયાત્રાનું દૃષ્ટાંત દર્શાવ્યું છે. શત્રુંજય ગિરનાર વગેરે તીર્થોમાં સમ્યક્ત શુદ્ધિ માટે જવું તે તીર્થયાત્રા કહેવાય. તેની વિધિનું વર્ણન વિસ્તારથી આલેખ્યું છે. ચોથા દ્વારમાં જિનમંદિરમાં સ્નાત્ર મહોત્સવ ધામધૂમથી કરવા તેનું વર્ણન કર્યું છે. વિવિધ પ્રકારી પૂજાના ભેદ દર્શાવ્યા છે. જેમ કે એકવીસ પ્રકારે પૂજા, સ્તરભેદી પૂજા, અષ્ટપ્રકારી પૂજા તેમ પંચપ્રકારી પૂજા ઉત્કૃષ્ટમધ્યમ અને જઘન્ય પૂજાના આ ત્રણ પ્રકારમાં સર્વ પૂજાના સર્વ પ્રકારોનો સમાવેશ થઈ જાય છે. ઉત્કૃષ્ટ મહાપૂજા ખૂબ જ ધામધૂમથી કરાય છે. તે દર્શાવ્યું છે. શ્રાવકે વર્ષે એક વાર શક્તિ પ્રમાણે જિનમંદિરમાં પૂજા ભણાવવી. પાંચમા દ્વારમાં કવિએ માળા પહેરવી, ઇંદ્રમાળા વગેરે પહેરી પહેરામણી કરવી, ધોતિયાં વગેરે આપવાં તથા દ્રવ્યની ઉછામણીપૂર્વક આરતી ઉતારવી વગેરે ધર્મકૃત્યો કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તેનું વર્ણન કર્યું છે. સોરઠદેશના વતની જગડુશાનું દäત આપ્યું છે. જેમકે, થઈસાદીક રુપ ઈઉ જેહ, સોવન રત્નનર મુકઈ જેહ થોડું થોડું મુકઈ સદા, નહી કરિ એકદા મુકઈ કદા” જગડુશાએ ત્રણ રત્નો સુવર્ણજડિત કરી કંઠાભરણ તરીકે આપ્યાં હતાં. આમ દેવદ્રવ્યની વૃદ્ધિ કરી હતી. છઠ્ઠા દ્વારમાં મહાપૂજાનું તેમ જ સાતમા દ્વારમાં ધર્મ જાગરિકાનું વર્ણન કર્યું છે. જાતજાતના ચંદરવા, દીપક, જંગલૂછણાં, ઊંચું ચંદન વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુઓ દર વર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમ જ શ્રાવકે ઉત્તમ આંગી, આભૂષણ, કેલિઘર વગેરેની રચના કરી. વિવિધ પ્રકારનાં ગાયન નૃત્ય વગેરે ઉત્સવ વડે મહાપૂજા તથા ધર્મજાગરિકા અર્થે રાત્રિજાગરણ કરવા. આઠમા દ્વારમાં શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા કરવી તેનું વિવેચન કર્યું છે. શ્રાવકે શ્રુતજ્ઞાનની કપૂર આદિ વસ્તુ વડે સામાન્ય પૂજા તો ગમે ત્યારે બની કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન + 449 Page #499 -------------------------------------------------------------------------- ________________ શકે. પરંતુ મૂલ્યવાન વસ્તુ વડે વિશેષ પૂજા દર માસે અજવાળી પાંચમને દિવસે કરવી. તેમ કરવાની શક્તિ ન હોય તો જ ધનથી વર્ષમાં એક વાર તો અવશ્ય કરવી. થરાદના સંઘવી આભૂએ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી લખાવી હતી જેમ, સકલ શાસ્ત્ર લખાવઈ જોય સોવન તણઈ અખરિ વલી કોય” આમ શ્રુતજ્ઞાનની ભક્તિ બતાવી છે. નવમા દ્વારમાં અનેક પ્રકારના ઉજમણાં ઊજવવાનું વર્ણન કર્યું છે. શ્રાવકે નવકાર આવશ્યક સૂત્ર ઉપદેશમાળા વગેરે જ્ઞાન, દર્શન અને જુદાજુદા પ્રકારના તપ સંબંધી ઉજમણમાં જઘન્યથી એક ઉમણું તો દર વર્ષે યથા વિધિ જરૂર કરવું. કેમ કે ઉજમણું કરવાથી માણસોની લક્ષ્મી સાથે સ્થાનકે જોડાય, તપસ્યા પણ સફળ થાય અને નિરંતર શુભ ધ્યાન, સમકિતનો લાભ વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તેમ જ શ્રાવકોએ ઉપધાન તપ જરૂર કરવો જોઈએ. માળા પહેરવી એ જ ઉપધાન તપનું ઉજમણું છે. દસમા દ્વારમાં જિનશાસનની પ્રભાવનાનું વર્ણન આપ્યું છે. શ્રાવકે જિનશાસનની પ્રભાવનાને માટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનું સામૈયું. પ્રભાવના વગેરે દર વર્ષે જ ધનથી એક વાર તો શક્તિ પ્રમાણે જરૂર કરવી. પ્રવેશને વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા દર્શનીઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જેથી શાસનની ઉન્નતિ થાય છે. શ્રીસંઘની પ્રભાવના કરવાથી તીર્થકરપણું વગેરે શુભફળ મળે છે. પ્રભાવના તો તેના કરનારને તે તથા બીજાને પણ મોક્ષ આપે છે. આમ જૈનશાસનની પ્રભાવનાનું મહત્ત્વ બતાવ્યું છે. અગિયારમાં દ્વારમાં આલોચનાની વિધિ, આલોચના આપનાર ગુરુના લક્ષણ આદિનું વર્ણન કર્યું છે. શ્રાવકે ગુરનો યોગ હોય તો દરવર્ષે જઘન્યથી એક વાર ગુરુ પાસે આલોચણા લેવી. કારણ કે પોતાના આત્માની શુદ્ધિ કરવાથી તે દર્પણની માફક નિર્મળ થાય છે. પફખી, ચોમાસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તો વધુમાં વધુ બાર વર્ષ જેટલા કાળે તો અવશ્ય ગીતાર્થ ગુરુ પાસે આલોચના લેવી. આલોચના લેનારે દશ દોષ ત્યજવા. જીવ જે જે દોષનું સેવન કરે છે તે દુષ્કર નથી પણ સભ્ય પ્રકારે આલોચે તે દુષ્કર છે. માટે જ તેની ગણતરી આત્યંતર તપમાં ગણી છે. તેથી જ તે મા ખમણ વગેરેથી પણ દુષ્કર છે. અહીં કવિએ લક્ષ્મણા સાધ્વીનું કથાનક આપ્યું છે કે જેમણે શલ્ય સાથે આલોચના લીધી જેના કારણે અસંખ્ય 450 * જૈન રાસ વિમર્શ Page #500 -------------------------------------------------------------------------- ________________ ભવમાં દુ:ખ ભોગવવું પડ્યું. પરંતુ સ્ત્રીહત્યા જેવા મહાપાપની સમ્યફ પ્રકારે આલોચના કરી ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તો તે જીવ તે જ ભવમાં શુદ્ધ થાય. આ વાત અર્જુનમાળી, દઢપ્રહારી વગેરેનાં દૃષ્ટાંત આપી સમજાવી છે. આમ અગિયાર દ્વારા વર્ષકૃત્યનું વર્ણન કર્યું છે. જન્મકૃત્યઃ (છઠ્ઠો પ્રકાશ) પાંચમાં વર્ષય પછી કવિ જન્મકૃત્ય છઠ્ઠા પ્રકાશનું અઢાર દ્વાર વડે આલેખન કરે છે. પ્રથમદ્વારમાં નિવાસસ્થાન કયાં અને કેવું રાખવું? તેની છણાવટ વાસ્તુશાસ્ત્રના આધારે દર્શાવી છે. જ્યાં રહેવાથી ધર્મ અર્થ અને કામ સધાય ત્યાં શ્રાવકે રહેવું, બીજે ન રહેવું. કેમ કે તેમ કરવાથી આ ભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે; જેમ કે, ભીલ પાલી પરછતિ જઈ ન રહઈ, સક ટૂછી જ્યાંહિ રે, માઠી અસર ગુણિકા શમશાનિ ઉત્તમ ન રહઈ ત્યાંહિ રે.” કુગ્રામ વાસ ન કરવો તે વણિકના દગંત વડે દર્શાવ્યું છે તેમ જ સારા-નરસા પાડોશની લાભ-હાનિનું વિવેચન કર્યું છે. ત્યાર પછી ઘરની ભૂમિની પરીક્ષા કેવી રીતે કરવી તેનું વિસ્તારથી વિવેચન કર્યું છે. સારું સ્થાન, ઉચિત મૂલ્ય આપી ન્યાયથી જ ગ્રહણ કરવું. તેમ જ જિનમંદિરની ઇંટો, લાકડાં આદિ વસ્તુઓનો ઉપયોગ કરવો નહિ. ઘરની દિશા, માપ વગેરે વાસ્તુશાસ્ત્રના આધારે જોવી. કયાં વૃક્ષોથી લાભ અને કયા વૃક્ષોથી હાનિ વગેરેનું વિવેચન કવિએ દર્શાવ્યું છે. અંતમાં વિધિપૂર્વક બંધાયેલા ઘરના લાભ અંગે વિક્રમરાજાનું તેમ જ મુનિસુવ્રતસ્વામીના સ્તૂપનું કથાનક આપ્યું છે. બીજા દ્વારમાં ધર્મ અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ થાય તે વિદ્યાઓનું જ્ઞાન અર્થાત્ સર્વ કળાઓનું જ્ઞાન વગેરેનું વિવેચન કર્યું છે. સર્વે કળાઓ શીખવાની શક્તિ ન હોય તો શ્રાવકે એવી એક કળાનો સમ્યફ પ્રકારે અભ્યાસ કરવો કે જેથી આ લોકમાં સુખી અને પરલોકમાં શુભગતિ થાય. અહીં કવિ કાલિદાસનું દષ્ટાંત આપે છે. તેમ જ અટ્ટભટ્ટ ઉપર ગોળાનું દૃષ્ટાંત આપતા જણાવે છે કે “એહેવિ કલા સીખિ નહી સારી રે વિદ્યા પર ઉપગારી રે સઘલિ વિદ્યા જો ન સીખાઈ રે, સીખો આજીવિકા સુખિ થાઈ રે” અર્થાત્ ઉચિત વિદ્યાનું ગ્રહણ કરવું તેવી શીખ આપે છે. કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત લિવેચન * 451 Page #501 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા દ્વારમાં પાણિગ્રહણ એટલે વિવાહ સંબંધી માહિતીનું નિરૂપણ થયું છે. ગોત્ર, કુળ, સારો આચાર, શીલ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પોતાની બરોબરીના હોય તેમની સાથે જ વિવાહ કરવા, સાથેસાથે વરકન્યાના ગુણદોષનું સુંદર વિવેચન કર્યું છે. વિવાહના આઠ ભેદ દર્શાવી તેમાં પ્રથમ ચાર ભેદના પ્રકારના વિવાહધર્મને અનુસરતા તેમ જ બાકીના ચાર પ્રકારના વિવાહધર્મને અનુસરતા નથી તે બતાવ્યું છે. સાથે સાથે સ્ત્રીનું રક્ષણ કરવું, યોગ્ય સન્માન આપવું વગેરેનું આલેખન કર્યું છે. ચોથા દ્વારમાં મિત્રો કેવા હોવા જોઈએ તેનું વિવરણ થયું છે. મિત્ર સગા ભાઈ જેવો ગણવો. તેનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, ધૈર્ય, ગંભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઈએ. પરંતુ અવસરે કામ ન આવે તેવો મિત્ર ન કરવો જોઈએ: ક્રોધી, લોભી, દુર્બલ કન, અરથિન આવઈ જેહનું અને પુરિષ સાથિ મૈત્રી કસી, લંપટથી રહઈ પાછો ખસી ઉત્તમ, વિશ્વાસુ જનને મિત્ર બનાવવો એવી શીખ આપી છે. પાંચમા દ્વારમાં જિનમંદિરમાં કરાવવા વિષે માહિતી આપી છે. ભરત ચક્રવર્તીની જેમ ઊંચા તોરણ શિખર, મંડપ, વગેરેથી શોભતા રત્નમય, સોનામય, રૂપામય વગેરે મોટો જિનપ્રાસાદ કરાવવો. તેટલી શક્તિ ન હોય તો ઘાસની ઝૂંપડી પણ ન્યાયથી કમાયેલા ધન વડે વિધિપૂર્વક બંધાવવી. જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાના કામો પણ કરવા કે જેનાથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. કવિએ સમ્મતિ રાજાનું અહીં દષ્ટાંત આપ્યું છે. જેમણે નેવ્યાસી હજાર મંદિરોના જીર્ણોદ્ધાર તેમ જ છત્રીશ હજાર નવાં જિનમંદિર બંધાવ્યાં હતાં. તેમ જ કુમારપાળરાજા, અંબામંત્રી વગેરેના દૃષ્ટાંતો આપ્યાં છે. છટા દ્વારમાં જિનબિંબ પ્રતિમા કેવી હોય તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. યથાશક્તિ પ્રમાણે શ્રાવકે જઘન્ય અંગૂઠા પ્રમાણ અને ઉત્કૃષ્ઠ પાંચસો ધનુષ પ્રમાણ જિનપ્રતિમા કરાવવી તેના ફળસ્વરૂપે મનુષ્યલોકમાં તથા દેવલોકમાં પરમ સુખ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભલક્ષણ વાળી પ્રતિમાનું પૂજન કરવું. જિનબિંબ અને જિનમંદિર વગેરે કરાવવાથી તેનું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવાય છે. સાતમા દ્વારમાં પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠાનું વર્ણન કર્યું છે. 452 * જેન રાસ વિમર્શ Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાની પ્રતિષ્ઠા અંજનશલાકા વગેરે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારે એક વ્યક્તિ પ્રતિષ્ઠા, ક્ષેત્ર, પ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા તે અનુક્રમે એક, ચોવીશ અને એકસો સિત્તેર ભગવાનની જાણવી. પ્રતિષ્ઠા કર્યા પછી બાર મહિના સુધી ઉત્તરોત્તર વિશેષ પૂજા તેમ જ વર્ષગાંઠને દિવસે સાધાર્મિકવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવાં. દાન આપવું. આઠમા દ્વારમાં પુત્રાદિનો દીક્ષા મહોત્સવનું વર્ણન કર્યું છે. પુત્ર, પુત્રી ભાઈ, ભત્રીજા, મિત્ર આદિની દીક્ષા તથા વડીદીક્ષાનો ઉત્સવ ઘણા ઠાઠથી ઊજવવો. અહીં કવિએ ભરતમહારાજાનું તેમ જ શ્રીકૃષ્ણનું દૃષ્ટાંત આપ્યું છે. જેમ કે “થાવચાં સંયમ આદરઈ, કૃષ્ણ દેવ તવમોહોછવ કઈ સાખલ પુણ્ય કહ્યાઉ છઈ એહ, સંયમ ફ્લનો નાવઈ છેહ.” દીક્ષા અપાવવી એ ઘણું પુણ્યનું કામ છે. શ્રીકૃષ્ણે તથા ચેટક રાજાએ પોતાની સંતતિને નહિ પરણાવવાનો નિયમ લીધો હતો. આ વાતનો પણ કવિએ ઉલ્લેખ કર્યો છે. નવમા દ્વારમાં પદસ્થાપનાનું વર્ણન કર્યું છે. પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય વગેરે જે યોગ્ય હોય તેમની પદસ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને માટે ઘણાં ઉત્સવથી કરાવવી. અહીં કવિએ ઇદ્રનું તેમ જ વસ્તુપાળ મંત્રીનું દૃષ્ટાંત આપ્યું છે. અનુક્રમે ઇન્દ્ર પોતે ગણધ૨પદની તેમ જ વસ્તુપાળ મંત્રીએ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી હતી. દસમા દ્વારમાં શ્રુતભક્તિ કેવી રીતે કરાય તેનું વર્ણન કર્યું છે. શ્રાવકે આગમ જિનેશ્વર ભગવાનના ચરિત્ર વગેરે પુસ્તકો ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્ય વડે શુદ્ધ અક્ષર તથા સારા પાનાં વગેરેથી યુક્તિથી લખાવવાં તેમ જ શ્રુતપૂજન વગેરે ઉત્સવો કરવા. અહીં પેથડશાહ તથા થરાદના સંઘવી આબૂ વગેરેનાં દૃષ્ટાંતો આપ્યાં છે. અગિયારમા દ્વારમાં પૌષધશાળા શા માટે બંધાવવી અને બંધાવવાથી શું ફળ મળે તેનું વિવેચન કર્યું છે. કવિએ સિદ્ધરાજ જયસિંહના મુખ્યમંત્રી શાન્તનુનું દૃષ્ટાંત આલેખી પૌષધશાળાનું મહત્ત્વ દર્શાવ્યું છે. જેમ કે ઉપાસરો દીધો ગહઈ ગહી. સકલ દાન તેણઈ દીધૂ સહી' આમ પૌષધશાળા કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન * 453 Page #503 -------------------------------------------------------------------------- ________________ બંધાવવામાં ઘણું પુણ્ય રહેલું છે. બારમા દ્વારમાં સમકિત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવા રૂપ શ્રાવકધર્મનું નિરૂપણ કર્યું છે. તેરમા દ્વારમાં સુશ્રાવક સર્વવિરતિના ભાવ મનમાં રાખી ગૃહસ્થપણું પાળે તેમ જ જેણે દીક્ષા લીધી છે તે સતુ પુરુષો છે અને પોતે અધન્ય છે. એમ માને અને વિચાર કરે છે જેમ કે ઘડી હોય સ્ત્રી નીર ભરી માથઈ લઈ રે, કામ રહઈ તો હોશિયાર તિમ સંસારિ સાવધાન થઈ નિરહઈ રે, ક્યારિ લેઉં સંયમ ભાર.” સુભાષિત દ્વારા કવિએ સુંદર મનોભાવના રજુ કરી છે. ચૌદમા દ્વારમાં ભાવશ્રાવકો કેવા હોય તેનું વર્ણન સત્તર ગુણો વડે વિસ્તારથી કર્યું છે. સત્તરગુણોવાળો પુરુષ જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. આવો ભાવશ્રાવક શુભકર્મના યોગથી શીધ્ર ભાવસાધુપણું પામે છે. પંદરમા દ્વારમાં આરંભ ત્યાગની વિધિ દર્શાવી છે. કોઈ કારણથી શ્રાવક જો ચારિત્ર ન આદરી શકે તો આરંભનો ત્યાગ કરવો, સર્વ આરંભ છોડી શકાય તો છોડવો. નહિ તો સચિત વસ્તુનો આહારાદિનો કેટલોક આરંભ તજવો. કારણ કે આરંભમાં જીવહિંસા છે, અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે. સોળમા દ્વારમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન શ્રાવકે રાવજી પાળવું તે સોનીભીમ અને પેથડ શાહના દાંત દ્વારા સમજાવ્યું છે. બ્રહ્મચર્યવ્રતનું મોટું ફળ મળે છે જેમ કે, “એ વરતના ફલ છઈ બહુ, અરથ દીપિકા માંહિ રથ તેણઈ કારણ નર એ વ્રત ધરો, જયમ ભવસાયર ભલિ તરો.” આમ બ્રહ્મચર્ય વ્રત ભવસાગર તરવાનું ઉત્તમ સાધન છે. સત્તરમા દ્વારમાં શ્રાવકની અગિયાર પ્રતિમાનું વર્ણન કર્યું છે. જે સંસારથી તારણહાર સમાન છે. શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી. દર્શનપ્રતિમાથી લઈને ઉત્કૃષ્ટ શ્રમણભૂતપ્રતિમા જાણવી. અઢારમા દ્વારમાં અંતિમ આરાધનાનું વર્ણન છે. એટલે શ્રાવકની સંખનાની આરાધના, આયુષ્યનો છેડો સમીપ આવે ત્યારે શ્રાવક દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંખના કરે. કવિએ અહીં કુબેરના પુત્રનું તેમ જ હરિવહન રાજાનું દૃષ્ટાંત આપ્યું છે. આહારનો ત્યાગ કરવો તે દ્રવ્ય સંલેખના 454 * જૈન રાસ વિમર્શ Page #504 -------------------------------------------------------------------------- ________________ અને ક્રોધાદિ કષાયનો ત્યાગ કરવો તે ભાવ સંલેખના અંતકાળે શ્રાવક સંયમ ન લઈ શકે તેણે સંલેખના કરી શુભ તીર્થે જઈ અનશન કરે. કહ્યું છે કે, મોટા પુષ્પમુનિ એમ કહઈ તપનીતિ પંચમ ગતિ લહઈ ધ્વનિ ભોગ પુજાઈ રાજ, અણસણથી હરી હોઈ આજ’ આવી આરાધના કરવાથી જો તે જ ભવમાં સિદ્ધ ન થાય તોપણ શુભ દેવતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય, એવું આગમ વાચન છે. તેમ જ લૌકિકશાસ્ત્રમાં પણ તેનું મહત્ત્વ બતાવ્યું છે. અંતમાં કવિ દિનકૃત્યાદિનું ફળ દર્શાવતાં કહે છે કે ઉપર કહેલ દિન કૃત્ય આદિ છ દ્વારવાળો શ્રાવકનો જે ધર્મવિધિ તેને નિરંતર જે શ્રાવકો સમ્યક્ પ્રકારે પાળે તેઓ આ વર્તમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે તથા પરલોકે સાત-આઠ ભવની અંદર સુખના હેતુભૂત પણે સુખની પરંપરા રૂપ મુક્તિસુખ જરૂ૨ પામે છે. નિષ્કર્ષ : આ શ્રાદ્ધવિધિરાસમાં કવિ ઋષભદાસે સવારે ઊઠે ત્યારથી માંડી રાતે સૂએ ત્યાં સુધીમાં એક શ્રાવક જે જે કાર્ય કરે તે ક્યારે કેવી રીતે? કેવી સાવધાનીથી કરવા. ઇત્યાદિ વાતો દૈનિક કર્તવ્યોમાં બતાવી છે. આ જ રીતે રાત વગેરેમાં જાણવું. એમાં કેટલીક વાતો આ ભવ માટે ઉપયોગી છે. કેટલીક વાતો પરભવ માટે, કેટલીક વાતો સારી રીતે જીવવા માટે જરૂરી છે. તો કેટલીક વાતો સજ્જન તરીકે જીવવા કેટલીક વાતો પોતાને અપેક્ષીને છે. તો કેટલીક વાતો બીજા સાથેના વ્યવહારને અપેક્ષીને છે. કેટલીક વાતો માનવતાની મહેક માટે આવશ્યક છે. તો કેટલીક વાતો શ્રાવકની શ્રદ્ધા માટે આવશ્યક છે. આધિ-વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા માનવીને સાચો રાહ દેખાડનાર આ રાસને લાઈફ મેનેજમેન્ટ કોર્સ પણ કહી શકાય. શ્રાવકના જીવનની જન્મથી લઈને નિર્વાણ સુધીની દરેક આત્મલક્ષી ક્રિયાઓનું સચોટ માર્ગદર્શન આલેખી આ રાસ ભાવપક્ષે સફળ રહ્યો છે. તેવી જ રીતે આ રાસનું સાહિત્યિક સ્તર પણ એટલું જ ઊંચું છે. કોઈ પણ કૃતિના પ્રતિપાદ્ય વિષયને અનુરૂપ ભાષા-શૈલીનો તેમ જ તેના ભાવોને તાદશ્ય કરવા તે તેના સાહિત્યક સ્તરના મૂલ્યાંકનની કસોટી છે. આ દૃષ્ટિથી જ્યારે આપણે કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિવાસનું અવલોકન કરીએ છીએ કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન * 455 Page #505 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સ્પષ્ટ થાય છે. કે તેનું સાહિત્યિક મૂલ્યાંકન કેટલું ઊંચું છે. આ કૃતિમાં પ્રથમ તેનું મંગલાચરણ, સરસ્વતીવંદના, તેમાં આવતા વિવિધ પાત્ર રસનિરૂપણ, વર્ણનો, અલંકારો, કહેવતો, રૂઢિપ્રયોગો, સુભાષિતો હરિયાલી, વિવિધ છંદો, દેસીઓ, રાગ-રાગિણીઓ, ભાષા શૈલી, સમાસો આદિ શબ્દવૈભવ તેમ જ શીર્ષકની યથાર્થતા વગેરે સાહિત્યિક ગુણોથી સભર દૃષ્ટિગોચર થાય છે. આ રાસ મધ્યકાલીન ગુજરાતી ભાષામાં રચાયો છે. કવિ ઋષભદાસે રાસની જમાવટ કરવામાં જે ચાતુર્ય, કલ્પનાશક્તિ, શબ્દપ્રયોગ, માધુર્ય, અલંકારો, છંદો, ભાષાશૈલી, વર્ણનો વગેરેનો પ્રયોગ કર્યો છે. તે ખરેખર તેમની કવિ કવિત્વશક્તિને બિરદાવે છે. તેમનું સ્વ-પર શાસ્ત્રજ્ઞાન તેમ જ સ્વપ્નશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આદિ વિષયકાન તેમની વિદ્વત્તાનાં દર્શન કરાવે છે. ઐતિહાસિક દૃષ્ટિથી પણ તેમની આ કૃતિમાંથી તત્કાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક આદિ પરિસ્થિતિઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમ જ લોકસંસ્કૃતિની પણ ઝાંખી કરાવે છે. “ગાગરમાં સાગર'' જેવી આ કૃતિમાં જૈન દર્શન અનુસાર ચારે-ચાર અનુયોગોનો સમાવેશ થાય છે. “વાંચન વેંચાવઈ નર કોય, લખઈ લખાવઈ શ્રાવક સોય, ભણઈ ભણાવઈ આદર કરઈ તે માનવ પંચમ ગતિ વઈ.” 456 * જૈન રાસ વિમર્શ Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઝ8ષભદાસ કૃત પૂજાવિધિ રાસ” પ્રસ્તુતકર્તા: ડૉ. પાર્વતી નેણશી ખીરાણી [૨/૨૩ જેઠવા નિવાસ, ૪૪૮, ડૉ. આંબેડકર રોડ-માટુંગા (ઝ.ઈ.) કિંગસર્કલ - મુંબઈ-૪૦૦૦૧૯ ફોન નં. ૦૦૨૨-૨૪૦૧૧૬૫૭ મોબાઈલ – ૯૮૬૯૭૮૭૬૯૨] જૈનદર્શનની આધારશિલા શ્રુતજ્ઞાન’ છે. શાશ્વત સુખની પ્રાપ્તિ શ્રુતજ્ઞાનના માધ્યમથી થાય છે. અનંતા તીર્થકર દેવોએ શ્રુતજ્ઞાનના માધ્યમથી જ મોક્ષમાર્ગથી પ્રરૂપણા કરી છે. એમને અનુસરીને અનેક સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાઓએ પણ શ્રુતજ્ઞાનની આરાધના કરી છે. એ શ્રુતજ્ઞાનને શિક્ષણ જગતમાં “સાહિત્ય' નામ આપવામાં આવ્યું છે. સાહિત્ય એટલે શું? શબ્દરૂપી મોર અર્થરૂપ પીછાં દ્વારા જ્યાં પોતાની ભિન્નભિન્ન કળા બતાવે છે તે છે સાહિત્ય. પછી તે વાણીરૂપે હોય કે પુસ્તકરૂપે. શબ્દસમૂહરૂપ શરીરથી બનેલા સાહિત્યનો આત્મા અર્થસમૂહ છે. જેનાથી માણસની લાગણી તેમ જ વિચારો સુંદર રીતે થાય છે. એ સાહિત્ય અનેક પ્રકારનું છે. એમાંથી એક છે “રાસા સાહિત્ય” કે “રાસ સાહિત્ય'. રાસ શબ્દ સાંભળતા જ હૃદય રસથી ઊભરાઈ જાય છે. ચેતનામાં ચમકાર આવી જાય છે. અંતરમાં આનંદ છવાઈ જાય છે અને મન મોહી ઊઠે છે. કારણ કે રાસ શબ્દથી જ નવરાત્રીમાં રમાતા દાંડિયારાસ ચક્ષુ સમક્ષ ઊભરી આવે છે. જેમાં ગોળાકારે અથવા તો બેકીની સંખ્યામાં મંડળી બનાવીને રમવાનું હોય છે. પરંતુ રાસ સાહિત્યનો એક કાવ્ય પ્રકાર પણ છે. એ જાણ્યા પછી રાસનો અર્થ શોધવાની યાત્રા આરંભી વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરતાં જે ચિત્ર પ્રાપ્ત થયું તે આ મુજબ છે. રાસ, રાસક, રાસડા, રાસા રાસો આ બધા પર્યાયવાચી છે. ભગવદ્ ગોમંડળ અનુસાર- (૧) રાસ- એ નામનો એક માત્રામેળ છંદ છે. તેના દરેક ચરણમાં બાવીશ માત્રા હોય તેમાં ૧,૫૯,૧૩,૧૭ અને ૨૧ માત્રાએ તાલ આવે છે. (૨) વર્તુળાકારે ગવાતા ગીતો, ગાતાં ગાતાં ગોળાકારે ફરતાં ફરતાં કરાતો નાચ કે તેમાં ગવાય તેવું ગીત રાસ હંમેશાં ગાય તો સાથે જ લેવાય છે. (૩) રાસ રાસ ધાતુ પરથી બન્યો છે. રાસ એટલે શબ્દ કરવો, બૂમ પાડવી ચીસ પાડવી વગેરે (૪) રસવાળું એક જાતનું નાટક, ગરબાની પેઠે શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ +457 Page #507 -------------------------------------------------------------------------- ________________ મોટે રાગ ગાવાનું નાનું કથાનક, ખરી બનેલી વાર્તાની કવિતા, એક પ્રાકૃત કાવ્ય પ્રબંધ જેમ કે ચંદ બારોટનો પૃથ્વીરાજ રાસ કે રાસો. વિશ્વકોશ મુજબ – રાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે ખેડાયેલો અને વિકસેલો પદ્ય પ્રકાર. સાહિત્યકાર પ્રો. વિજયરાય વૈદ્ય અનુસાર રાસ કે રાસો' એટલે પદ્યમાં રચાયેલું ધર્મ વિષયક કથાત્મક કે ચરિત્રાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય તેવું પણ સમકાલીન દેશ સ્થિતિ તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબું કાવ્ય. સાહિત્યરસિક ડૉ. ચંદ્રકાંત મહેતાના મતે રાસા ઇતિહાસ જાળવી રાખે છે, સમાજજીવનની ઝાંખી કરાવે છે, ધર્મોપદેશ આપે છે. વાર્તા કહે છે, મુક્તકો દ્વારા સંસારજ્ઞાન આપે છે અને સમસ્યાઓ દ્વારા બુદ્ધિની રમત કરવાની તક આપે છે. એ નૃત્ય અને ગેય કાવ્યો હતા. તેમ જ શ્રાવક કાવ્યો પણ હતા. આમ રાસાસાહિત્ય એ માહિતી પ્રધાન, ઇતિહાસને જાળવનાર, ધર્મબોધ આપનાર અને સુખદાયક જીવન જીવવાની કળા શીખવનાર પદ્ય પ્રકાર છે. રાસાસાહિત્યનો પ્રારંભ – સચવાયેલી માહિતીઓને આધારે પ્રથમ જે રાસ પ્રાપ્ત થાય છે તે શાલિભદ્ર સૂરિએ ઈ.સ. ૧૧૮૪ માં રચેલો ભરતેશ્વર બાહુબલિ રાસ' છે. વીરરસ પ્રધાન ૨૦૩ કડીનું સંક્ષિપ્ત કથાપ્રસંગવાળું છે. ભીમદેવ-વસ્તુપાળ-તેજપાળના સમયમાં રચાયું છે. ત્યાર પછી ૧૬ વર્ષે કવિ આસિંગકૃત જીવદયા રાસ સં. ૧૨૫૭ જાલોર પાસેના સહજિગપુરમાં રચાયો ત્યાં પછીના બસો વર્ષના ગાળામાં એટલા રાસો રચાયા છે કે પ્રખર વ્યાકરણ શાસ્ત્રી કે. કા. શાસ્ત્રી આ યુગને “રાસાયુગ' કહે છે. એ ગાળામાં અનેક જૈન સાધુ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. વિવિધ કાવ્યપ્રકારોમાંથી રાસનો કાવ્યપ્રકાર એ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે. માટે તે રાસાયુગ કહેવાય છે. એ સમયે રાસાનું કદ અને કથાવસ્તુનું ફલક પણ વિસ્તાર પામ્યું તેમ જ માત્ર ચુસ્ત ધાર્મિક વિષયોની મર્યાદા ન રહેતા ચારિત્ર ઉપરાંત ઇતિહાસ અને લોકકથાના ક્ષેત્ર સુધી વિકસ્યું. રાસાનું વર્ગીકરણ - મુખ્યત્વે ચાર પ્રકારના રાસ છે. કથાત્મક, તીર્થાત્મક, ઉપદેશાત્મક, પ્રકીર્ણ એમાં પ્રકીર્ણ રાસના મુખ્યત્વે ચાર પ્રકાર છે (૧) તાત્ત્વિક રાસ-તત્ત્વનું વર્ણન હોય તેવા (૨) સ્તુત્યાત્મક 458 * જૈને રાસ વિમર્શ Page #508 -------------------------------------------------------------------------- ________________ રાસસ્તુતિરૂપે થયેલો રાસ (૩) પ્રતિમા પ્રતિષ્ઠા રાસ અને (૪) પૂજાત્મક રાસસત્તર-ભેદી પૂજાનો રાસ, અષ્ટપ્રકારી પૂજારાસ તેમ જ ઋષભદાસનો પૂજાવિધિ રાસ. રાસમાં વિષયની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય હોય છે. રાસસાહિત્યમાં એક સાથે મહત્ત્વના અંશોનો અનોખો સંગમ જોવા મળે છે. એમાં કથા, કવિતા, નૃત્ય, ગીત, સંગીત, બોધ-ઉપદેશ વગેરે છે. એમાંથી માનવભવ સાર્થક કરવા માટેની સરસ પ્રેરણા પણ મળે છે. આ ધરતી પરનું માનવજીવન ફોગટ ફેરો ન બને અને ચોરાશી લાખનું ચક્કર સતત ફરતા રહેવું ન પડે એ માટેની ઉત્તમ બોધમય વ્રત તપ આદિ અનુષ્ઠાનની પ્રવૃત્તિનું સચોટ નિરૂપણ રાસમાં મળે છે. આવા રાસ સાહિત્યની સૃષ્ટિ પર દૃષ્ટિ નાખતા ૧૬મી ૧૭મી સદીના સમૃદ્ધ સાહિત્યવારસા પર નજર કરી ધ્યાનપૂર્વક અધ્યયન કરીએ તો આયુષ્ય ઓછું પડે એટલી અઢળક કૃતિઓ છે. અનેક વાણીવિદ્દ સંત મહાસંતની કૃતિઓમાંથી મેં સંત નહિ પણ જિનભક્તિ, શ્રમણ નહિ પણ શ્રાવક, અણગાર નહિ પણ આગાર એવા ખંભાતના ગણ્યકોટીના મધ્યકાલીન સાહિત્યના સાધક, સરૂપાદે સુત ઋષભદાસ સાંગણ મહિરાજ સંઘવીની અપ્રગટ કૃતિ પૂજાવિધિ રાસ' પર પસંદગી ઉતારી છે. પૂજાવિધિ રાસ (૧) શીર્ષકની સાર્થકતા – પૂજા એટલે ઈશ્વર કે કોઈ દેવી દેવતા પ્રતિ શ્રદ્ધા, સન્માન, વિનય અને સમર્પણનો ભાવ. એ ભાવને પ્રકટ કરવા માટે જે ક્રિયા કરવી જોઈએ કે કરવામાં આવે તેનું નામ વિધિ. રાસ એટલે એક કાવ્યપ્રકાર. આ કૃતિમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમા સમક્ષ કેવી રીતે ઉપસ્થિત થવું, તેમ જ પૂજાના વિચારથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ તથા આશાતનાથી કેમ બચવું? અને નાના દોષ લાગવાથી કેવા કર્મબંધન થઈ શકે છે - તે કેવી રીતે ઉદયમાં આવે છે એ દૃષ્ટાંત સહિત રાસ સ્વરૂપે બતાવ્યું છે તેથી એનું નામ પૂજાવિધિ રાસ સાર્થક છે. (૨) રાસનું બંધારણ – પ્રસ્તુત રાસ ૧૬ ચોપાઈ, ૧૩ દુહા, ૧૩ ઢાલ અને કુલ પ૬૬ ગાથા યુક્ત છે. કોઈ પણ રચનાકાર પોતાની કૃતિની રચના કરે છે. ત્યારે પ્રાયઃ કરીને શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ' * 459 Page #509 -------------------------------------------------------------------------- ________________ પાંચ બાબતનું સૂચન એની ગાથાઓ દ્વારા કરે છે તે આ પ્રમાણે છે : (૧) મંગલાચરણ (૨) વિષય-અભિધેય (૩) સંબંધ () પ્રયોજન (૫) અધિકારી. (૧) મંગલાચરણ - કોઈ પણ કૃતિની રચના વખતે મંગલાચરણ કરવાથી શાસ્ત્ર રચના સમયે થતા વિઘ્નો નાશ પામે છે. આદિ, મધ્ય અને અંત એમ ત્રણ જગ્યાએ મંગલાચરણ કરવામાં આવે છે. આદિ(શરૂઆત) મંગલશાસ્ત્રાર્થનો નિર્વિબ પાર પામવા માટે કરાય છે. મધ્યમંગલ શાસ્ત્રાર્થની સ્થિરતા માટે કરાય છે, અને અંતિમ મંગલ શિલ્ય – પ્રશિષ્યાદિની પરંપરામાં શાસ્ત્રાર્થને વિચ્છેદ ન થાય તે માટે કરાય છે. અર્થાત્ એમની રચના દીર્ઘકાળ સુધી જીવંત રહે. પ્રસ્તુત રાસમાં કવિએ શરૂઆતના પાંચ દુહામાં સરસ્વતી સ્તુતિ દ્વારા આદિ મંગલ કર્યું છે. (૧) સરસ વચન દિઓ સરસ્વતી, સમરયાં કરજે સાર, તુ તુઠ મુખિ આપજે, વાણીનો વિસ્તાર. (૨) પદપૂર્ણ અખર સમા, શબ્દસાર ગુણ પરમ, આપે સુગણિ સારદા, ન લહું પૂરો મરમ (૩) ભેદ ભાવભલ ઉપજઈ, તુસઈ જો તૃપરાય, - બ્રહ્મસૂતા કમલિ વસઈ, તો મનિ અંત્યું થાય. હજી વાઘેસ્વરિ વાણિ વિના, વચન કોઈ કિમ તંત. સોમદષ્ટ કોઈ સારદા, વચન વાણિ દીપંત (૫) ખોભ ન પામઈ બોલતો, પુક્યાં ઉત્તર દેહ સકલસભા રંજઈ ઘણું ઍલ્યુ કાજ કરેહ. આમ આ પાંચ ગાથા દ્વારા આદિ મંગલ કર્યું છે. મધ્ય મંગલ – ગાથા ૧૪૧માં સમોવસરણ જિન પુજઈ સહીં દ્વારા કર્યું છે. અંતિમ મંગલ – ૫૬૪મી ગાથા દ્વારા કર્યું છે. તપગચ્છનાયક મ્યુભ સુખદાયક, ઉપશમરસનો દરિઓજી, તેહ તણા પદપંકજ પુજી રાસ પુજાવિધિ કરિઓજી. પ૬૪ 460 * જૈન રાસ વિમર્શ Page #510 -------------------------------------------------------------------------- ________________ આમ ત્રણે મંગલ આ કૃતિમાં થયા છે જે કવિની તીર્થંકર દેવ, સરસ્વતી દેવી અને ગુરુ ભગવંતો પ્રત્યેની ભક્તિને પ્રગટ કરે છે. વળી તીર્થકરોની પૂજાને કારણે આ કૃતિ જેનધર્મનું પ્રતિનિધિત્વ કરે છે એ પણ જાણી શકાય છે. (૨) વિષય – અભિધેય – વિષય નિરૂપણથી ભાવક તેના અધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ તેનો નિર્ણય કરી શકે છે. અહીં કવિએ ગાથા નં.૬ માં “જિનપૂજાવિધિ ગાસ્ય રાસ' દ્વારા વિષય નિરૂપણ કર્યું છે. (૩) સંબંધ – સંબંધનો નિર્દેશ કરવાથી આ ગ્રંથ કે કૃતિને કેટલી પ્રમાણભૂત ગણવી તેનો ખ્યાલ ભાવકને આવી શકે. જો એવું સ્પષ્ટીકરણ ન હોય તો સંભવ છે કે પાઠકો તેને સ્વતંત્ર મતિનિરૂપણ માની લે અને તેથી તેના અધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ એવા વિચારમાં પડી જાય છે. ગાથા નં. ૯માં ત્રીજા અંગે માહિ જોય – અર્થાત ઠાણાંગ સૂત્રમાં ચોથા ટાણે જે ચાર નિક્ષેપ છે તેનું વિવરણ કરીને શરૂઆત કરી છે તેથી જેનાગમ સાથે તેનો સંબંધ છે. એમ લાગે છે પણ રાસનો અભ્યાસ કરતાં એનો સંબંધ શ્રાદ્ધવિધિના પ્રથમ દિનકૃત્યના એક ભાગ સાથે છે એમ સ્પષ્ટ થાય છે. () પ્રયોજન - ગ્રંથ (કૃતિ) રચનાનું પ્રયોજન જણાવવાથી ભાવક (વાચક) ને ગ્રંથરચનાના હેતુ પરત્વે કોઈ શંકા કરવાનું કારણ રહેતું નથી ગાથા નું પ૫૮ સુણી સુણાવઈ વાચઈ ભણઈ, ઘણા કાલના પાતક હણઈ, લખઈ લખાવઈ આદર કરઈ, પુણ્ય તણો ભંડાર ભરઈ. અર્થાત્ આ રાસનું અધ્યયન કરવાથી પાપ નાશ પામે છે અને પુણ્યનો ભંડાર ભરાય છે એ એની ફળશ્રુતિ છે. (૫) અધિકારી – અધિકારીનું સૂચન કરવાથી જેઓ તેના અધિકારી છે તે જ એના પઠનમાં પ્રવૃત્ત થાય છે. ગાથા પ૫૭માં ઉત્તમ નર એના અધિકારી છે એમ બતાવ્યું છે. ઉત્તમ સમજઈ થોડા માંહિ ધરિઈ કાન જ ન વાણિયાહી.” છેલ્લે કહ્યું છે કે જે જિનની પૂજા આદરે છે તે અનંત સુખ પામે છે. આમ પાંચે બાબતનો ઉલ્લેખ આ રાસમાં થયો છે. મધ્યકાલીન રાસાઓના કવિ રાસાને અંતે ગુરુપરંપરા, રચનાસ્થળ, રચના કાળ, રચના સમય ફળશ્રુતિનું આલેખન કરે છે. કવિ ઋષભદાસ પણ એ જ પરંપરાને અનુસર્યા છે જે નીચેની ગાથાઓથી સ્પષ્ટ થાય છે. શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ’ * 461 Page #511 -------------------------------------------------------------------------- ________________ મિ મન મ્યુધિ ગાયો રાસ, લ્યો મનોરથ પહોતી આસ ત્રીબાવતીમાં જોક્યો સહી, સુણો પુરુષ ગહઈ નહી. ૫૫૯ સવંત બાહ સીધીઅંગ, ચંદ શબ્દ આણતા રંગ વહઈયાખ શ્રુદિ પંચમી, ગુરુવાર મતિ હુઈ સમી. પ૬૦ આ રાસ ત્રંબાવતીમાં (ખંભાતમાં) વિ. સં. ૧૬૮૨ વૈશાખ સુદ પાંચમ ગુરુવારના રચ્યો એ સ્પષ્ટ થાય છે. સાર વસ્ત સઘલી ધરિ લહીઈ, ગુરુનામિં ગહઈ ગહઈજી, શ્રી વિજયાનંદસૂરિ શિરોમણી, નામઈ નવનીધિ લહઈજી. પ૬૩ પ્રાગવંશહાં સંઘવિ સાંગણ, બાર વરતનો ધારિજી, પ૬૫ સંઘવી સાંગણનો સુત શ્રાવક રુષભદાસ ગુણગાવઈજી. પ૬૬ આમ ઉપરની ગાથામાં ગુરુ અને પિતાને ઉલ્લેખ પણ કરી દીધો છે રચનાશૈલી – ભાષા – આ રાસ મધ્યકાલીન યુગમાં રચાયો છે તેથી તેની ભાષામાં સત્તરમી સદીની મારુ ગુજરાતી, અપભ્રંશ ગુજરાતીની છાંટ મળે છે. શબ્દાનુપ્રાસ રૂપે શબ્દાલંકાર પ્રાપ્ત થાય છે તો કયાંક રૂપક, ઉપમા જેમ કે ગાથા નં. ૮૩માં ઉપમા જેવા અલંકારો છે. ઢાલ – ચોપાઈ – દુહા વિવિધ રાગોનો – છંદોનો પણ પ્રયોગ થયેલો છે. ઉપદેશાત્મક અને દષ્ટાંત શૈલી પણ દેખાય છે ક્યાંક સુભાષિતો પણ છે જેમ કે ગાથા – ૫૪૬ “એ સંસારતણું નસરુપ દેખતા કા ઝંપલાવો કુપ જલ પંપોટા સરખી દેહ મુરિખ મધરો સબલ સનેહ. અંદ્રધનુષ સરિખો પરિવાર જોતા જાય ન લાગઈ વાર, લખ્યમિ તો સાયર કલોલ, અથીર આય જિમ પાન તંબોલ. પ૪૭ સમગ્રતયા જોતા શ્રાવકકવિ ઋષભદાસે વિદ્વાનોની નહિ પણ જનમાનસની બોલચાલમાં વપરાતી સામાન્ય ભાષાનો પ્રયોગ રાસમાં કર્યો છે. એમની ભાષા લઢણવાળી સરળ સહજ પ્રવાહિત છે. તાત્ત્વિક કૃતિ હોવાને કારણે અલંકારોની ભરમાળ કે રસોની હારમાળાનો અભાવ છે. રાસ નીરસ ન બની જાય એ માટે તેમાં વિવિધ શબ્દોનો પ્રયોગ કર્યો છે. વિભક્તિના પ્રત્યયો, અવ્યયો પર્યાયવાચી શબ્દો વગેરેમાં વિવિધતા વાપરીને વિદ્ધદુર્ભાગ્ય કૃતિને લોકભોગ્ય કૃતિમાં રજૂ કરવાનો પરમ પુરુષાર્થ કર્યો છે. ભાષા દ્વારા 462 * જૈન રાસ વિમર્શ Page #512 -------------------------------------------------------------------------- ________________ ભાવ અભિવ્યક્તિ કરાવવામાં સફળ રહ્યા છે. રચનાકારનો પરિચય – શ્રાવક કવિ ઋષભદાસ ૧૭મી સદીમાં થયેલા એક ઉત્તમ શ્રાવક હતા. કવિના પિતામહ જંબુદ્વીપના ભરત ક્ષેત્ર મધ્ય ગુજરાત રાજ્યમાં આવેલ વિસલદેવ ચાવડાએ વસાવેલ વિસલનગરના વાસી, પ્રાગવંશ વીસા પોરવાલ જૈન વણિક જ્ઞાતિના મહિરાજ સંઘવી હતી. કવિના માતા-પિતા – માતશ્રી રૂપાદે અને પિતાશ્રી સાંગણ મહિરાજ સંઘવી હતા જે વિસનગરથી પછી ખંભાતમાં આવીને સ્થાયી થયા હતા. સુખ-સમૃદ્ધિથી સંપન્ન શ્રાવક હતા. કવિનો વિદ્યાવંશ - તપગચ્છની ૫૮મી વાટે ‘સવાઈ જગદ્ગર, અકબર બાદશાહના પ્રતિબોધક હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ એમના પ્રથમ ગુરુ હતા. એમના કાળધર્મ પછી વિજયતિલક સૂરિ અને પછી આચાર્ય શ્રી વિજયાનંદ સૂરિ અને વિજયદેવ સૂરિ હતા. એ ચારે નામ એમની કૃતિઓમાંથી મળે છે. શ્રાવક કવિ ઋષભદાસ – એક સમૃદ્ધ ગૃહસ્થ હતા. પરિવારમાં એમને ભાઈ-બહેન સુશીલ પત્ની કમલા અને પુત્ર-પુત્રવધૂ બાળકોથી હર્યોભર્યો પરિવાર હતો. કવિ એક દઢધર્મી, પ્રિયધર્મી, શ્રાવકના લક્ષણોથી સંપન્ન જેમ કે રોજ ઉભયકાળે પ્રતિક્રમણ મહિનામાં ચાર પૌષધ સમકિત સહિત ૧૨ વ્રતના ધારણહાર, રોજ બ્લાસણું કરનાર, ત્રિકાળ પૂજા, બે પંચતીર્થી, સ્વાધ્યાય, વીસ સ્થાનકની આરાધના કરનાર, છઠ્ઠ-અઠ્ઠમ તપના આરાધક શેત્રુંજય, ગિરનાર, શંખેશ્વર આદિની યાત્રા કરનાર, સ્તવન-રાસ વગેરે લખીને શાસન પ્રભાવના કરનાર, વિદ્યાદાન કરનાર, પ્રભુની સામે ઊભા રહીને રોજ ૨૦ નવકારવાળી ગણનાર શ્રેષ્ઠ શ્રાવક હતા. સરસ્વતીના પરમ ઉપાસક – સાધક – પૂજક હતા. કવિત્વ – શ્રાવક કવિ ઋષભદાસનું કવિત્વ એમના કાવ્યોમાં સોળે કળાએ ખીલ્યું છે. કાવ્યના અનેક પ્રકાર છે જેવા કે કવિતા, કવિત, ફાગુ, રાસા, રાસડા, સ્તવન, બારમાસા વગેરે. કવિએ ૩૪ રાસ, હરિયાળી, ૫૮ સ્તવન, સુભાષિત સઝાય ચૈત્યવંદન, નમસ્કાર, ઢાલ આદિમાં એમની કલમ ચલાવી છે કવિ કાવ્યના ગુણ જાણતા હશે એમના કાવ્યોમાં એ ગુણો હીરાની જેમ ચમકે છે. એમના કાવ્યમાં માધુર્ય, ઓજ, પ્રસાદ ગુણો છે. અલંકાર, શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ’ * 463 Page #513 -------------------------------------------------------------------------- ________________ રસયોજના, ભાષાશૈલી સરળ છે. સંવાદોવાળી શૈલીથી પણ એમણે એમની કૃતિઓને શણગારી છે. ખંભાતના સુલતાન હબીબલો અને હીરસૂરિ વચ્ચે મોપતિ અને ઘૂંક અંગેની સંવાદ રસપ્રદ છે. તો બીરબલ – હીરસૂરિ સંવાદ, પંચાગુલી સંવાદ, ચોખા - ફોતરા સંવાદ વગેરે માણવા જેવા છે. વર્ણનાત્મક શૈલી – એમની વર્ણનાત્મક શૈલી એમની સૂક્ષ્મ અદ્ભુત નિરીક્ષણ શક્તિનો પુરાવો છે. ખંભાતનું વર્ણન, પ્રકૃતિનું વર્ણન, સરસ્વતી દેવીનું વર્ણન વગેરે પ્રશંસનીય છે. એમને માત્ર જૈન શાસ્ત્રોનું જ નહિ પણ અન્ય શાસ્ત્રોના વિષયોનું પણ અનુપમ જ્ઞાન હતું. જેમ કે પુરાણ, પદર્શન, જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર વગેરે. આ ઉપરાંત રાજનીતિ, કૂટનીતિ, પાંચ પ્રકારના યુદ્ધ વગેરેના વર્ણનો છે. એમના રાસમાં તત્કાલીન સમાજના સમૃદ્ધ ચિત્રો જોવા મળે છે. જેમ કે કુમારપાળ રાસમાં રાજપૂતોની ૩૬ જાતોનું વર્ણન તેમ જ તે જ વખતની બીજી જ્ઞાતિઓ, તેમના ધંધાઓ, વ્યક્તિનામો, સિક્કાઓ વગેરેનું વર્ણન. આ બધાં પાસાં તેમની સૂક્ષ્માતિસૂક્ષ્મ જાણકારી પુષ્ટ કરે છે. આમ સમગ્રત જોતા શ્રાવક કવિ ઋષભદાસ ઊંચી બુદ્ધિપ્રતિભા ધરાવનાર, અદ્ભુત અવલોકનકાર, વિવિધ વિષયોના વિવેચનકાર, સાહિત્યના સારથિ, ભાષાના મર્મજ્ઞ, ઘરબારમાં રહીને રાસનો દરબાર ઊભો કરનાર શ્રેષ્ઠ વ્યક્તિત્વના ધણી હતા. જેનદર્શનનું મહત્ત્વ પ્રસ્થાપિત કરનાર કવિની કૃતિઓમાં જૈનદર્શનનો અમાપ સાગર ઘૂઘવે છે. એમાંથી એક પૂજાવિધિ રાસ'નું વિવરણ અહીં કર્યું છે. પૂજાવિધિ રાસનું વિષય નિરૂપણ પૂજાવિધિ રાસની શરૂઆત સરસ્વતી માતાની સ્તુતિ રૂપ મંગલાચરણથી કવિએ કરી છે. સરસ્વતી, શારદા, ત્રિપુરા, બ્રહ્મસૂતા, વાઘેશ્વરી વગેરે નામોથી સ્તુતિ કરીને જિનપૂજા રાસ શરૂ કરું છું એમ નિવેદન કર્યું છે. પૂજાને સ્વર્ગ-સિદ્ધની નિસરણી કહી છે. ત્યાર બાદ ત્રીજું અંગ એટલે ઠાણાંગસૂત્રના ચોથે ટાણે આવેલા ચાર નિક્ષેપા-નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવનું પ્રરૂપણ કર્યું છે. એમાંથી સ્થાપના નિક્ષેપ એટલે બિંબ-પ્રતિમા પૂજનનું સૂચન કર્યું છે. તેમના દર્શનના વિચારથી માંડીને પૂજાથી શું લાભ થાય એ બતાવ્યું 464 * જૈન રાસ વિમર્શ Page #514 -------------------------------------------------------------------------- ________________ છે. જેમ કે – જિનદર્શનનો વિચાર કરવાથી ૧ ઉપવાસનું ફળ મળે છે. દર્શન કરવા માટે વહેલા ઊઠવાથી ૨ ઉપવાસનું ફળ મળે છે. જવા માટે ચાલવા તૈયાર થાય તો ૩ ઉપવાસનું ફળ મળે છે. જવા માટે પગલા ભરવાથી ૪ ઉપવાસનું ફળ મળે છે. દેરાસરના માર્ગે જતા નિર્મળ ચિત્ત રાખવાથી ૫ ઉપવાસનું ફળ મળે છે. અડધે પંથે પહોંચે ત્યારે ૧૫ ઉપવાસનું ફળ મળે છે. જિન મંદિર જોવાથી ૩૦ ઉપવાસનું ફળ મળે છે. મંદિરને પ્રદક્ષિણા આપવાથી 100 વર્ષના ઉપવાસનું ફળ મળે છે. જિનને જોવાથી ૧૦૦૦ વર્ષના ઉપવાસનું ફળ મળે છે. અરિહંતને ભાવથી વંદન કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય. પ્રેમથી જિન મંદિરને પૂજવાથી ૧૦૦ ઉપવાસનું ફળ મળે છે. વિલેપન કરવાથી ૧000 ઉપવાસનું ફળ મળે છે. ફૂલમાળા આરોપવાથી 1,00,000 ઉપવાસનું ફળ મળે છે. ગીત-ગાન-વાજિંત્ર વગાડવાથી રાવણની જેમ અનંત પુણ્ય. નાટક-સ્તુતિ કરતા ગણધર-તીર્થકર પદ પ્રાપ્ત થાય છે. પ્રભાતે પૂજા કરવાથી રાત્રિનું પાપ નાશ પામે છે. બપોરે પૂજા કરવાથી એક જન્મનું પાપ નાશ પામે છે. સાંજે પૂજા કરવાથી સાત જન્મનું પાપ નાશ પામે છે. ત્રણે કાળ પૂજા કરવાથી ત્રીજે ભવે મુક્તિ મળે છે. ઉત્કૃષ્ટ સાતઆઠ ભવકરે. પછી પૂજાના પ્રકાર – ૨૧, ૧૭, આઠ, પાંચ અને ત્રણ પ્રકારની છે. આમ પૂજાના અનેક પ્રકાર જાણીને એ પ્રમાણે પૂજા કરવાથી અવતાર સફળ થાય છે. ત્યાર પછી પણ નિસિદ્ધિનું વર્ણન છે. પહેલી નિસિહી સંસારના કામની બીજી દેરાસરના કામની અને ત્રીજી નિસિપિ દ્રવ્યપૂજાની કરીને ભાવપૂજામાં લીન થવાનું છે. પછી દેરાસરની જઘન્ય દશ ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાનું વર્ણન છે. મધ્યમ ચાલીશ પ્રકારની આશાતના બતાવી છે. આશાતના ટાળીને પવિત્ર થઈને પછી પૂજા કરવાની છે. ત્યાર બાદ બાહ્ય અને આત્યંતર સ્નાનની વાત કરી છે. જતનાપૂર્વકનું દ્રવ્યસ્નાન કરવાનું કહ્યું છે એનાથી અત્યંતર સ્નાન શ્રેષ્ઠ હોય એમ પણ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ * 465 Page #515 -------------------------------------------------------------------------- ________________ બતાવ્યું છે. તીર્થસ્નાનથી નુકસાન છે એ બતાવવા કડવી તુંબડીનું દષ્ટાંત આપ્યું છે કે કડવી તુંબડી અનેક તીર્થના પાણીમાં સ્નાન કરે તોપણ એનું શાક કડવું જ હોય પછી તેના સારરૂપ કહ્યું છે કે – તેમ અત્યંતર મઈલ જે ધરઈ, બાઝિ દ્રવ્ય સનાંન તેહને સ્યુ કરાઈ પાણિમાંહિ અસંખ્યાતા જીવ, સિવાલ શેવાળ, નીલિ નીલ, અનંત સચિવ સદેવ ૮૧ તરસ ત્રસ જીવે અણગલમાં હોય, સા દોષપણું તેણઈ કારણે જોય, બાઝિ સનાનિ સુધ નવિ હોય, ભાવ સનાન કરો સહુ કોય. ૮૨ ધ્યાનરૂપ જલ લેઈ કરી, કર્મરૂપ મલ ધુઈ ફરી, બાહીઝી સનાન પણ ગૃહસ્થ કહ્યું, જયણાપૂર્વક તે પણ કહ્યું. ૮૩ નહાયા પછી પણ ગૂમડું, ઘા વગેરેમાંથી રસી ઝરતી હોય તો એણે દ્રવ્યપૂજા બીજા પાસેથી કરાવવી પણ અગ્રપૂજા – ભાવપૂજા તો જાતે જ કરે. તેમ જ નીચે પડેલું ફૂલ લઈને પૂજા ન કરે તે માટે પુણ્યસારનું દષ્ટાંત આપ્યું છે. કામરૂપ નામના નગરમાં એક ચાંડાલને ત્યાં પુત્ર થયો. તેને પૂર્વભવના કોઈ વેરી વ્યંતરે અપહરણ કરીને જંગલમાં મૂકી દીધો. તે જગ્યાએ એ નગરનો રાજા નીકળ્યો એણે એને લઈને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો ને પુણ્યસાર નામ આપ્યું. યુવાન થયો ત્યારે એને રાજ્ય આપીને દીક્ષા લીધી અનુક્રમે પિતા કેવળી થયા. એ વિહાર કરતાં કરતાં કામરૂપ નગરમાં આવ્યા. ત્યારે ત્યાં પુષ્પસાર આવ્યો ને તેની માતા ચાંડાલણી પણ આવી. તેના રતનમાંથી દૂધ ઝ૨ ડાં કારણ પૂછ્યું તોરે કેવળીએ કહ્યું એ તારી જન્મદાતા માતા છે. ત્યારે પણ મારે પૂછ્યું હતું અફરા કારણથી ચાંડાલને ત્યાં જનમ્યો? ધ એ. ને કહ્યું તેમાં વેપારી હતો. એક વાર પ્રભુપૂજા કરતી વખતે 19-G! છતાં તેમાં પડેલું ફૂલા પેલા છે. સડાવ્યું તે કારણે તું ચાંડાલ થયો જેમાં પતંભાવના છે. માતાઓ કે તુદામાં હોવા છતાં પૂજા કરી તેથી . સ. માં ચાંડાલી. એન. આ તેની વેરાગ્ય માપી જ્યારા .. પીડી. આપ !! !!) પાડેલા થી જ કરવી હોય તેમ જ એની રાહ ! કીરો, જો કર .. તેર ! હતાં તસ્ત્રો પહેરીને જ ફરવ, એનું . છે. કુપા ૧}}ડી, રાજા રજ, રેક ને પટોપ પહેરતા માટે ?? તો રા' થી 9727) માળી લી. ૨ોહી , રામા. તું પ્રસિદ્ધ છે, આ રી | ગ્રી.માં, પો.કરાઈ રાણા , હાં, છે, જિતાડવ નાં પ્રા. લિ. ) કો, રા:રા મિત્ર Page #516 -------------------------------------------------------------------------- ________________ બતાવ્યાં છે. ત્યાર બાદ દેરાસરમાં પ્રવેશતા સૌ પ્રથમ જમણો પગ મૂકવાથી કરીને પ્રદક્ષિણા આદિની વિધિનું વર્ણન છે. ચડેલા ફૂલ નિર્માલ્ય આદિનું લક્ષણ બતાવ્યું છે પછી અંગપૂજાનું વર્ણન છે. પૂજા વખતે ઇશારા-સંકેત ત્યાગ અંગે જિણહાક શેઠનું દચંત-ધોળકાનો શ્રેષ્ઠી જિણહાક આરંભમાં ખૂબ ગરીબ હતો. ઘીના ઘડા, કપાસ વગેરેના ભાર ઉપાડવાની મજૂરી કરી પોતાનો જીવનગુજારો કરતો હતો. એ રોજ ભક્તામરસ્તોત્ર વગેરેના પાઠ કરતો હતો. તેથી તેના પર પ્રસન્ન થયેલા ચક્રેશ્વરી દેવીએ એને વશીકૃત કરે એવું રત્ન આપ્યું. તેનાથી પ્રસિદ્ધ દુષ્ટ ચોરને હણ્યા. પછી પાટણ પહોંચ્યા ત્યાં રાજાએ ખુશ થઈને દેશની રક્ષા માટે તલવાર આપી. ખાંડુ તસ સમ પાઈ, જસ ખંડા અભ્યાસ જિણહાએક સમીપીઈ તુલ ચૌલું કપાસ. ૧૩૧ એ એમના સેનાપતિને ન ગમ્યું તેથી તેણે ઈષ્યવશ કહ્યું કે જેને તલવારનો અભ્યાસ હોય એને તલવાર આપવી જોઈએ. આ જિણહાકને તો તુલ (ત્રાજવું, ચૌલ (વસ્ત્ર) અને કપાસ જ અપાય. ત્યારે જિણહાકે કહ્યું-તલવાર કુન્દાભાલા) અને શકિતને હાથમાં લઈ ફરવાવાળા તો ઘણાં છે પણ જે શૂર પુરુષ રણયુદ્ધ)માં શત્રુને હણે છે તેની માતા વિરલ પ્રસૂતા છે એના એવા વચન સાંભળીને ખુશ થયેલા રાજાએ એને દેશનો મુખ્ય કોટવાલ બનાવ્યો અને તેણે ગુજરાતમાં ચોરનું નામનિશાન મિટાવી દીધું એક વાર સૌરાષ્ટ્રના ચારણે એની પરીક્ષા માટે ઊંટની ચોરી કરી. તેથી જિણહાકના સૈનિકોએ એને પકડ્યો. સવારે જિણહાક જ્યારે !!!! જામાં હતો ત્યારે જ એની પાસે લઈ આવ્યા ત્યારે જિણહાકે બોલીને તો કોઈ આજ્ઞા કરી નહીં પણ ફૂલનું ડીંટિયું તોડવા દ્વારા સંજ્ઞા કરી કે >ો ' ડોકું ઉડાડી નાખો ત્યારે ચારણે કહ્યું કે (૧૩૬) એક જિણહાનિ જિનવરહ ન મલઈ તારે તારે, જેણઈ કરિ જિનવર પુજીઈ તે કિ, બારણ હું, અર્થાત-હે જિણહાક! તારો જિનેશ્વર સાથે તાર મળ્યો નથી. જે.!હાથે જિનવર પૂજાય છે તે કેવી રીતે મારણહાર બને આ સાંભળી ઢો5], જેણહાકે હવે પછી ચોરી નહીં કરતો એમ કહીને છોડી મૂક્યો. રમા રે. ચા, રો. કહો શ્રાવક કવિ સબદ્યસ ફ્રી પૂજાવિધિ. ૨. રા' : 46/ Page #517 -------------------------------------------------------------------------- ________________ એકા ચોરી સા કીઈ જા ખોલડઈ ન માય, બીજી ચોરી કિમ કરઈ ચાર્જ ચોર ન થાય. (૧૩૮) અર્થાત્-એક ચોરી એવી કરી કે જે મારી ઝૂંપડીમાં પણ ન સમાઈ શકે એ બીજી વાર ચોરી કેવી રીતે કરશે? જેને ચોરી શાની કરવી? કેવી રીતે કરવી? વગરે આવડતું નથી તે શું ચોરી તો ખોળામાં ન માય એવી કરી પણ તમે તો પૂજા વખતે સંકેત કરી જિનાજ્ઞાભંગરૂપ એવી ચોરી કરી કે જે ત્રણ ભુવનામાં પણ ન માય. ચારણના આ સમ્યગ્ ઉચિત શબ્દોથી સંતુષ્ટ થયેલા જિણહાકે એને પહેરામણી આપી પછી પાપસંજ્ઞા પરહરીને પોતે પૂજામાં લીન થયો. આ કથા સુંદર શીખ આપે છે કે પૂજા કરતી વખતે કેવા સાવધ રહેવાનું છે ત્યાર પછીની ગાથામાં જિનપૂજાનો ક્રમ બતાવ્યો છે કે પ્રથમ મૂળનાયકની વિવેકસહિત પછી સૃષ્ટિના ક્રમથી બીજા બધા ભગવાનની યથાયોગ્ય પૂજા કરવી. શ્રાવકે કેવા દેરાસર કરાવવા તેની પ્રરૂપણા કરી છે. એક તીર્થી ત્રણ તીર્થી ને પંચતીર્થી પણ હોય એક પટમાં ૨૪ કે ૧૭૦ તીર્થંક૨ પણ હોય એમ વગેરે ભેદ બતાવ્યા છે પછી અંગપૂજા-અગ્રપૂજાનું વર્ણન કરીને ભાવપૂજાનું મહત્ત્વ બતાવ્યું છે પછી યોગમુદ્રા જિનમુદ્રા મુકતાસુક્તિમુદ્રા એ ત્રણ મુદ્રાથી વિદ્યાસહિત પૂજા કરવાનું વિધાન છે. અવિધિથી પૂજા કરવામાં આવે તો કેવા અનર્થ થાય તે ચિતારાના દૃષ્ટાંતથી આલેખ્યું છે જે આ પ્રમાણે છે. અયોધ્યા નગરમાં સુરપ્રિય નામનો યક્ષ હતો આ યક્ષ દર વર્ષે એની યાત્રાના દિવસે જે ચિત્રકાર ચિત્રકામ કરે, તેને મારી નાખતો હતો. જો યક્ષનું ચિત્રકામ થાય નહીં તો નગરના લોકોને હણતો હતો. તેથી ચિત્રકારો નગર છોડીને ભાગવા લાગ્યા. ત્યારે રાજાએ એમને અટકાવી બધા ચિત્રકારોના નામની જુદી જુદી ચિઠ્ઠી બનાવી એક ઘડામાં નાખી જે વર્ષે જેની ચિઠ્ઠી નીકળે એની પાસે યક્ષનું ચિત્રકામ કરાવાતું. એક વખત વૃદ્ધાના પુત્રનું નામ નીકળ્યું તેથી પેલી વૃદ્ધા રોવા માંડી તે વખતે કૌશંબીથી તેને ત્યાં આવેલા ચિત્રકારે રોવાનું કારણ જાણી વિચાર્યું કે આ લોકો અવિધિથી ચિત્રકામ કરતા હશે તેથી તેણે વૃદ્ધાને કહ્યું એ યક્ષને હું જ ચીતરીશ પછી એણે છઠ્ઠનો તપ કર્યો, શરીર, વસ્ત્રો, શરીર રંગ વગેરે પવિત્ર કર્યાં. નાક ૫૨ આઠ પડવાળો મુખકોશ બાંધ્યો ઇત્યાદિ વિદ્યાઓ સાચવીને યક્ષને ચિતર્યો પછી યક્ષના બંને પગે પડી ક્ષમા પણ માંગી તેથી 468 * જૈન રાસ વિમર્શ Page #518 -------------------------------------------------------------------------- ________________ યક્ષ પ્રસન્ન થયો ને વરદાન માંગવા કહ્યું ત્યારે એણે કહ્યું કે હવે કોઈને મારવા નહીં. યક્ષે તે વાત માન્ય રાખી બીજું વરદાન માગવા કહ્યું. ત્યારે એણે કહ્યું-હું કોઈનો અંશ પણ જોઉ તો તેને ચીતરી શકે એવી શકિત આપો. યક્ષે તે આપી. આ ચિત્રકારે કૌશાંબીના રાજાની ચિત્રસભામાં પરદા પાછળ રહેલી મૃગાવતી રાણીનો અંગૂઠો જોઈને એનું આબેહૂબ ચિત્ર દોર્યું ભૂલમાં તેની જાંઘ પર થવું પડ્યું તે ચીતારાએ ભૂંસી નાખ્યું પણ એની છાપ લંછન તરીકે રહી ગઈ. આ જોઈ રાજાને એના ચરિત્ર પર શંકા ગઈ તેથી એને મારી નાખવાની આજ્ઞા કરી ત્યારે બીજા બધા ચિત્રકારોએ એને પક્ષ તરફથી મળેલા વરદાનની વાત કરી એની નિર્દોષતા બતાવી છતાં રાજાની શંકા ગઈ નહીં તેથી રાજાએ એને કુબ્બાનું મોં બતાવ્યું. એણે એ આધારે કુબ્બા જેવી હતી. તેવું ચિત્ર દોર્યું છતાં રાજાનો કોપ પૂરેપૂરો ન શમ્યો તેથી એનો જમણો હાથ કપાવી નાખ્યો. આ ચિત્રકાર ફરી યક્ષ પાસે ગયો એણે વરદાન આપ્યુંતું એ જ કાર્ય ડાબા હાથે કરી શકશે પછી એ ચિત્રકારે વેર વાળવા ડાબા હાથે મગાવતીનું ચિત્ર દેરી ચંપ્રદ્યોત રાજાને બતાવ્યું તેનાથી મૃગાવતી પર આસક્ત થયેલા ચંડપ્રદ્યોત મૃગાવતીની માગણી કરીને કૌશાંબીના રાજાને યુદ્ધમાં મારીને નગરી પર કબજો મેળવ્યો. ત્યારે મૃગાવતી જિનેશ્વરને વંદન કરવા ગઈ ને ચંપ્રદ્યોત પણ વંદન માટે ગયો. ચંડપ્રદ્યોત મૃગાવતીને ચાહતો હતો, પરંતુ મૃગાવતીને શીલરક્ષા માટે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી આ ચિતારાનું દૃષ્ટાંત આપ્યું છે માટે અવિધિ ટાળીને પૂજા કરવી જોઈએ અવિધિમાં અલ્પલાભનું દૃષ્યત-બે પુરુષોની ખૂબ ઉપાસના કરી તેથી પ્રસન્ન થયેલા એ સિદ્ધપુરુષે બંનેને તુંબીફળના બીજો આપ્યાં એ બીજોનો પ્રભાવ મેળવવા આરાધવાની વિધિ બતાવી કે સો વાર ખેડાયેલા ખેતરમાં તડકો ન હોય ત્યારે પોતે કહેલા નક્ષત્ર અને વાર હોય ત્યારે જ એ બીજ વાવવા એમાંથી વેલડી બને ત્યારે કેટલાક બીજોનો સંગ્રહ કરી લઈને એ વેલડીને પાંદડા ફૂલ અને ફળ સાથે ત્યાં એ જ ખેતરમાં બાળી નાખવી એની જે રાખ થાય, એમાંથી એક નદીઆણ જેટલી રાખ ચોસઠ ગદીયાણ જેટલા તાંબા પર નાંખવાથી એ તાંબુ શ્રેષ્ઠ સોનું બની જશે. આ રીતે એ સિદ્ધપુરુષ પાસેથી આમ્નાથ શીખીને બંને ઘરે પાછા ફર્યા. એમાંથી એકે બરાબર વિધિ કરી તેથી એ સોનું પામ્યો. બીજાએ ઓછી વિધિ કરી તેથી શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ * 469 Page #519 -------------------------------------------------------------------------- ________________ તે ચાંદી પામ્યો. આમ સર્વત્ર વિધિ શ્રેષ્ઠ છે. તેથી સાચી વિધિ જાણી લેવી જોઈએ અને પોતાની પૂરી શક્તિથી વિધિ મુજબ જ કરવું. ત્યાર બાદ અનિપુરના રાજા જિતરાત્રુની રાણી કુંતલાનું દૃષ્ટાંત છે. જેણે પોતાના જિનપ્રાસાદમાં ભાવથી પૂજા કરી પણ બીજી રાણીઓના દેરાસર પ્રતિમા પ્રત્યે મત્સર (ઈર્ષ્યા) ભાવ રાખ્યો જેથી કૂતરી તરીકે અવતરી પછી કેવળીના વચને રાણીઓના સમજાવવાથી જાતિસ્મરણજ્ઞાન થયું ને દ્વેષભાવની આલોચના કરી વૈમાનિકમાં ઉત્પન્ન થઈ. અહીં સુધી દ્રવ્યસ્તવના ભાવ છે હવે ભાવસ્તવ કહે છે. જે બધી. ભાવપૂજા છે. તે, અને જિનાજ્ઞાનું પાલન એ ભાવસ્તવ કહે છે. જિનાજ્ઞા સ્વીકાર અને ત્યાગ એમ બે પ્રકારે છે. એમાં સ્વીકારવા યોગ્ય કાર્યો કરવા કરતાં પણ નિષિધ-ત્યાગરૂપ કાર્યો છોડવા શ્રેષ્ઠ છે. કેમ કે જે નિષિદ્ધિ કાર્યો આચરે છે. તેના ઘણાં પણ સુકૃતોનું આચરણ વિશેષ ગુણકારી બનતું નથી દા.ત. ઔષધ વિના પથ્થસેવનથી રોગ મટી જાય છે પણ પથ્ય વિનાનાને તો સેંકડો ઔષધો પછી પણ રોગ મટતો નથી. દ્વવ્યસ્તવ અને ભાવસ્તવનું ફળ આ પ્રમાણે બતાવ્યું છે – ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવને આરાધીને જીવ અચ્યુત(બારમા) દેવલોક સુધી જાય છે. ભાવસ્તવથી તે અંતર્મુહૂર્ત માત્રમાં નિર્વાણ-મોક્ષ મળી શકે છે. છતાં ગૃહસ્થો માટે કૂપ બંનન દૃષ્ટાં દ્રેવ્યસ્તવ પણ કહ્યું છે ભાવપૂજા શ્રેષ્ઠ હોવા છતાં પણ. પછી પદ્મચરિત્રને આધારે દેરાસરે જવાનું ચિંતવવાથી ત્રિકાળપૂજા અને ભાવપૂજાનું શું ફળ છે. તે પૂર્વે કહ્યું એ જ અહીં બતાવ્યું છે. પછી દેવદ્રવ્યની સારસંભાળ કરવાનું ચાર જણાને સોંપવાનું કહ્યું છે. તેમ જ દેવ, ગુરુ, જ્ઞાનની આશાતના ટાળવાનું કહ્યું છે. સાકેતપુરના સાગ૨શેઠે દેવદ્રવ્યમાંથી લાભ મેળવ્યો એમાં એના નરક, તિર્થંયના અનેક(હજારો) ભવ કરવા પડ્યા પછી મુક્ત થયા તીર્થંકરપદે મોક્ષમાં ગયા. એવી જ રીતે કર્મસાર અને પુણ્યસારની કથા પણ છે. એમાં સાધારણ ખાતાનું દ્રવ્ય પોતાના કાર્ય માટે વાપર્યું હતું તેથી એમણે પણ ધણાં ભવ કરવા પડ્યા અને ઘણું દુ:ખ ભોગવવું પડ્યું. એવી જ રીતે જ્ઞાનાદિ દ્વવ્ય સંબંધી વિવેક રાખવો જોઈએ. વિવેક વગ૨ કે પોતાના માટે એક પૈસો વપરાય તો એનું હજારગણું દેવું પડે છે. એવી 470 * જૈન રાસ વિમર્શ Page #520 -------------------------------------------------------------------------- ________________ જ રીતે જે દેવદ્રવ્યાદિ બોલ્યા હોઈએ એ તરત ભરી દેવું જોઈએ. નહીં તો દુર્ગતિ થતાં વાર નહીં તેથી તેના ઘરે ધાડ પડી. લૂંટારુંઓએ તેમને મારી નાખ્યા. મરીને પાડા તરીકે ઉત્પન્ન થયા. દેરાસર જોતા જાતિસ્મરણ જ્ઞાન થયું. બીજાઓના પ્રયત્ન છતાં દેરાસરને છોડે નહીં તેથી જ્ઞાનીને પૂછતા તેમનો પૂર્વ વૃતાંત જાણી જેટલું બાકી હતું તેથી હજારગણું દેવદ્રવ્ય ભરી તેને પણ મુકત કરાવ્યા પછી કમશ: અનશન કરી સ્વર્ગે ગયો ને પછી મોક્ષે ગયો. એવી જ રીતે દેવદ્રવ્યની એક પણ વસ્તુ પોતાને માટે વાપરવી નહીં. માત્ર મંદિરના દીવામાંથી પોતાના ઘરનો દીવો પ્રગટાવીને કાર્ય કર્યું તેથી ઊંટડીનો અવતાર મળ્યો એનું દષ્ટાંત છે. એટલે ભગવાન આગળ કરેલા દિવાના પ્રકાશમાં કાગળ ન વંચાચ, કોઈ પણ ઘરનું કામ ન થાય. નાણું ન પરખાય, એમના દીવામાંથી ધરનો દીવો ન પ્રગટાવાય. ભગવાનના ચંદનમાંથી પોતાના કપાળ આદિમાં તિલક કરવું નહીં. ભગવાનના પાણીથી હાથ ન ધોવાય. ભગવાનના ભેટો ઝાલર પણ ગુરુ અથવા સંઘ આગળ વપરાય નહીં દેવદ્રવ્યથી કે એની વસ્તુથી પોતાની વાહ-વાહ થાય એવું કાર્ય કરવાથી કેવું ફળ મળે એનું દષ્ટાંત લક્ષ્મીવતી શ્રાવિકાના જીવન અંગે છે. એ કારણે ઉજમણા આદિમાં મૂકવામાં આવેલ પાટલીઓ, નાળિયેર, લાડુ આદિ વસ્તુઓનું જે મૂલ્ય હોય, તથા તે લાવતા, તૈયાર કરતાં જે ખર્ચ થયો હોય, તેથી પણ વધારે રકમ આપવાથી શુદ્ધ નકરો કહેવાય છે અને તે પ્રમાણે બધું મૂલ ચૂકવી દેવું જોઈએ. તીર્થયાત્રા વગેરે કરતી વખતે ભોજનનો ખર્ચ, ગાડા મોકલવા વગેરેનો ખર્ચ પણ તીર્થયાત્રામાં વગેરે માટે માનેલી રકમમાં જ ગણી લે તે મૂઢની કોણ જાણે શી ગતિ થશે? એ માટે એક સુભાષિત પણ લખી છે. પડવે નો દેખઈ ગાય, નીકુલ ઔષધી નોલક હાય, દૂર્વવગતિ હંસો લહઈ તાસ, ચીચાવલોની જાણદે ચાસ. પડવાના ચંદ્ર ને કમળ, નોળિયણ ને નોળિયો દૂધ ને કલહંસ ચિત્રાવલીને ચાસ પંખી જાણે એમ જગતમાં સૂક્ષ્મ ધર્મને પંડિત જ જાણી શકે છે. તેથી દેવાદિક ધન તરફ નજર પણ ન નાખવી જોઈએ. ત્યાર બાદ ઉમાસ્વાતિ મહારાજે બતાવેલી પૂજાવિધિ બતાવી છે. જેમ કે ઉત્તર દિશામાં શ્વેત વસ્ત્ર ધારણ કરવા અને પૂજા માટે પૂર્વ કે ઉત્તર શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ' 471 Page #521 -------------------------------------------------------------------------- ________________ દિશામાં શ્વેત વસ્ત્ર ધારણ કરવા અને પૂજા પૂર્વ કે ઉત્તર અભિમુખ રહી કરવી. ઘરમાં પ્રવેશતાં ડાબી બાજુએ શલ્યરહિતના સ્થાને દોઢ હાથ ઊંચી ભૂમિ પર ઘરદેરાસર કરાવવું, પ્રતિમા પશ્ચિમ સન્મુખ રહી પૂજા કરવાથી ચોથી પેઢીથી સંતાન છેદ થાય. દક્ષિણ સન્મુખ રહી પૂજા કરવાથી સંતાન થાય જ નહિ, અગ્નિખૂણામાં મોં રાખીને પૂજા કરે ધનહાનિ થાય. વાયવ્યમાં મોં રાખી પૂજા કરવાથી કુલનો ક્ષય થાય. ઈશાન ખૂણામાં મોં રાખીને પૂજા કિરવાથી સંતાન ન થાય. આમ ધ્યાન રાખીને પૂજા કરવી પછી નવ અંગની પૂજા, કયારે કઈ પૂજા, ક્યારે કરવી એનું વિવેચન છે. ત્રણ અવસ્થા (૧) છદ્મસ્થ જન્મ-રાજયન્દીક્ષા) (૨) કેવળી અને (૩) સિદ્ધ એ ત્રણ અવસ્થાનું ચિંતન કરવું. કેવલી અવસ્થામાં પ્રતિહાર્યોનું ચિંતન કરવું. કાર્યોત્સર્ગથી સિદ્ધઅવસ્થાનું ચિંતન કરવું, ત્યાર બાદ કેવા ફૂલ ચડાવવા કેવા ન ચણાવવા તેનું વર્ણન છે. શાંતિ માટે સફેદ, સૌભાગ્ય માટે પીળું, વિજય માટે શ્યામ, મંગલ માટે લાલ અને સિદ્ધિ માટે પાંચેય વર્ણના ફૂલ ચડાવવા કેવી પ્રતિમાની પૂજા કરવી જોઈએ કોના હાથે પ્રતિષ્ઠા થઈ હોવી જોઈએ વગેરે વર્ણન છે પ્રતિમાના આકારથી પણ કોઈ કોઈ બોધ પામી જાય છે માટે આકારનું મહત્ત્વ બતાવ્યું છે. પૂજા ન કરી શકનાર, ગરીબ શ્રાવકની વિધિ પણ બતાવી છે એણે ઘરે અને ત્યાં જો ફૂલ આદિ ગૂંથવાનું કાર્ય હોય તો સામાયિક પાળીને એ કાર્ય કરે ત્યાર બાદ ઉપસંહાર રૂપે ત્રણ નિસિહિ, ત્રણ પ્રદક્ષિણ, ત્રણ પ્રણામ, ત્રણ પ્રકારની પૂજા, ત્રણ અવસ્થાઓનું ભાવન, ત્રણ દિશા નિરીક્ષણ ત્યાગ, ભૂમિનું પ્રમાર્જન વર્ષાદિ ત્રિક, મુદ્રાત્રિક, ત્રણ પ્રણિધાન એ દશત્રિકના વિવિધ ભેદો સમજીને એ પ્રમાણે પૂજા કરવી. દ્રવ્યપૂજા, દેરાસર, ભાવપૂજા આદિનું મહત્ત્વ બતાવ્યું છે. પછી કોણે ક્યાં કેવાં દેરાસર બંધાવ્યાં તેનું વર્ણન છે. દેરાસર પણ કેવા હોય અને એમાં પ્રતિમાઓ હોય તેનું વર્ણન છે. તીર્થોનું વાહન છે. છરીનું વાહન (૧) સચિત પરિહારી-એમાં સમેત વસ્તુઓ કઈ કેટલા કાળે અચિત થાય એનું વર્ણન ૪૫૪ થી ૪૭૯ સુધી છે. પછી તપનું વર્ણન (૨) એકલ ઠાણકારી કયા તપથી કેટલો લાભ થાય તે બતાવ્યું છે જેમ કે . નોકારશીથી સોવરસનના નારકના કર્મ નાશ પામે એમ કમશઃ પોરશી, દોઢ પોરસી, બે પોરસી, એકાસણું નીવી ક્રોડ વર્ષ દશહજારવર્ષ, લાખવર્ષ, નવીકોડવર્ષ, દશકોડવર્ષ હજારકોડ વર્ષ દશક્રોડહજારવર્ષ, ક્રોડ લાખ, દશક્રાડલાખ 472 * જૈન રાસ વિમર્શ Page #522 -------------------------------------------------------------------------- ________________ ઓકાસણું એકલઠાણ, આંબિલ ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ, દશમ આદિનું હજાર વર્ષથી કોડાકોડિ વર્ષનું પાતક દૂર થાય () બ્રહ્મચારી નવવાડથી બ્રહ્મચર્ય પાળવાથી આઠે કર્મનો નાશ થઈ છે. સમકિત દઢ કરે પાંચ દૂષણ પરિહરે, પાંચ ભૂષણ આદરે, પાંચ લક્ષણ ધારણ કરે, સમકિતના લિંગને ઓળખે તો આઠ કર્મરહિત થઈ શકાય (૫) આવશ્યકકારી – ઉભયકાળે પ્રતિકમણ કરે (૬) પાદવિહારી – અડવાણાં ચંપલ વગર) પગે ચાલી ને શ્રીશેત્રુજ્યની યાત્રા કરે એમ છે-'રીનું પાલન કરી ને છતે પગે પદયાત્રા કરે, સંઘ કઢાવે, ખૂબ આડંબરથી યાત્રા કરે, સ્વામીવાત્સલ્ય આદિ વિક્રમ રાજાની જેમ કરે તે મહાફળ પ્રાપ્ત કરે. પછી જે મહાનુભાવોએ આવી જાત્રા કઢાવી તેના નામ છે. વિવિધ ગ્રંથોની શાખ છે ત્યારબાદ કેટલીક સુભાષિતો દ્વારા બોધ આપ્યો છે. ચાર પ્રકારના મનુષ્યની પ્રરૂપણ કરી છે. પછી રાસ ક્યારે ક્યાં રચાયો તેમ જ તેમના પરિવાર, ગુરુ અને પિતાશ્રીનો પરિચય છે. અંતે પૂજાવિધિ રાસનું ફળ બતાવીને રાસને વિરામ આપ્યો છે. સમગ્રતઃ આ રાસમાં પૂજાની વિધિ વિવિધ દષ્ટાંતો સહ બતાવી છે. મૂર્તિ, જિનમંદિર કેવા હોવા જોઈએ, પૂજાની સામગ્રી કેવી જોઈએ, છરી વિવિધ ગ્રંથોનો આધાર, વિવિધ તીર્થોનો ઉલ્લેખ, વિવિધ આચાર્યો શ્રાવકો સંઘ કઢાવનારાઓનો ઉલ્લેખ આપીને પોતાનો પરિચય અને રચનાકાળ સ્થળ વગેરે બતાવ્યું છે. પૂજાવિધિ રાસનું મૂલ્યાંકન કરતા ખ્યાલ આવે છે કે આ એક તાત્વિક રાસ છે જેમાં કોઈ કથા કે પાત્ર ન હોય તે સ્વાભાવિક છે છતાં એમાં (૧) મંગલાચરણ-સરસ્વતીદેવીની સ્તુતિથી થયું છે (૨) નામ-જિનપૂજાવિધિ ગાસ્ય રાસથી નામનો ઉલ્લેખ થયો છે (૩) નગર સ્થાનોનો ઉલ્લેખ આ કથાત્મક રાસ ન હોવાથી નગરનો ઉલ્લેખ નથી. (૪) કથા સ્વરૂપ નથી. (૫) અવાંતર કથાઓ નથી પણ દષ્ટાંતકથાઓ છે જેથી રસ જળવાય છે (૬) વર્ણનો-પૂજાવિધિને અનુરૂપ પૂજા-દેરાસર-ફળ-સામગ્રી-પ્રતિમા–વસ્ત્ર આશાતના, દ્રવ્યસ્તવ, ભાવસ્તવ, આદિના વર્ણનો છે. (૭) સુભાષિતો-ડહાપણ ભરેલા. પ્રૌઢ, અર્થપૂર્ણ છતાં ઓછામાં ઓછા શબ્દોમાં વ્યક્ત થયેલા આકર્ષક અને અપૂર્વ એવા સુંદર વિચારો શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ * 473 Page #523 -------------------------------------------------------------------------- ________________ અર્થગર્ભ સંસ્કારી અને કવિત્વપૂર્ણ વાણી દ્વારા પ્રગટ થાય એને સુભાષિત કહેવાય. યથાસ્થાને સુભાષિતોનો પ્રયોગ થયો છે જેમ કે (૫૫૭) સ્વાન ન જાણઈ ગંગ સનાન, ઉટ સ્વાદ નહીં નાગર પાન, માખિ ન ગમઈ ચંદન સંગ કાઈ નહીમરગ (૮) વિવિધ દેશીઓ છંદનો પ્રયોગ થયો છે જેમ કે પહેલી ઢાલ ત્રિપદી છે એટલે કે એમાં ચોથું પદ વારંવાર દોહરાવાનું છે જેનો આંચલી પણ કહેવાય ઢાલ-૨ એણિ પરિ રાજા કરંતા રે (ગૌડી) દેશી છે. ઢાલ-૩ વણજારની દેશી ઢાલ-૪ ઉલાલીનો-દેશી ઢોલ-૫ ઘોડીનો ઢાલ-૬ તે ચઢીઓ ઘણમાન ગજે-ધન્યાશ્રી ઢાલ-૭ પ્રણામી તુમ સીમંધરૂજી ઢાલ-૮ બનધ્યન મુનીવર વનિ વસઈ ઢાલ-૯ ત્રિપદી છે ઢાલ-૧૦ ઉલાલીનો ઢાલ-૧૧ સઈસ નગરીગી વણઝાર ઢાલ-૧૨ પહઈલ પ્રણમુચદ્રાયાણનો અધોર ઢાલ-૧૪-કલ્યાણી કરણી સુઝ વિણ સાચો-રાગ-ધન્યાસી આમ ૧૪ ઢાલની અંદર ૧૨ દેશીઓ વાપરવામાં આવી છે (૯) લોકજીવન-ની ખાસ માહિતી પ્રાપ્ત થતી નથી. કદાચ લોકો પૂજામાં શિથિલ થયા હોય કે આશાતનાદિ વધી ગઈ હોય આમે ખંભાત દોમદોમ સાહ્યબી ધરાવતું શહેર હતું તેથી લોકોને ઉપદેશવા આ રાસની રચના થઈ હશે (૧૦) ગુરુપરંપરાનો ઉલ્લેખ છે (૧૧) નામ પણ છે (૧૨) ઉપદેશ-પ્રભુ પ્રત્યે સમર્પિત થઈને જીવવાનો ઉપદેશ છે ૮૪ના ચક્કરમાંથી છૂટવાનો છે અંતે સનંત સુખ પામવાનો ઉપદેશ છે. (૧૩) રસનિષ્પતિ-રસ ભારતીય કાવ્યશાસ્ત્રનો મૂળ આધાર છે. આ એક તાત્ત્વિક કૃતિ હોવાને કારણે તત્ત્વના નિરૂપણ દ્વારા રસનું પાન કરાવે છે. તત્ત્વનો રસ પ્રશમ કે શાંત હોય છે તેથી અહીં પણ પ્રશમ રસનો ખ્યાલ આવે છે કે આ એક કથા-કથન-નગર વર્ણન-પાત્ર વર્ણન-આદિથી મુક્ત એવો તાત્ત્વિક શાંતરસ પ્રધાનરસ છે. આ રાસનું અધ્યયન 474 જૈન રાસ વિમર્શ Page #524 -------------------------------------------------------------------------- ________________ આજના માનવીને ભૌતિકતામાંથી આધ્યાત્મિતા તરફ લઈ જાય, એ જ અપેક્ષા સહ વિરમું છું સંદર્ભ સૂચિ: (૧) જૈન ગૂર્જર કવિઓ ભાગ-૩,૮ જયંત કોઠારી (૨) ભગવદ્ ગોમંડળ (૩) ગુજરાતી વિશ્વકોશ (૪) ગુજરાતી સાહિત્યના સ્વરૂપો-મંજુલાલ મજમૂદાર (૫) ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન કે. કા. શાસ્ત્રી (૬) ગુજરાતી સાહિત્યની રૂપરેખ : વિજયરાય વૈદ્ય (૭) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન-જયંત કોઠારી (૮) મધ્યકાલીન શબ્દકોશ – જયંત કોઠારી (૯) શ્રાદ્ધવિધિ (૧૦) કવિવર ઋષભદાસ – મોહનલાલ દ.દેસાઈ (૧૧) કવિ ઋષભદાસ એક અધ્યયન – વાડીલાલ ચોકસી (૧૨) આનંદકાવ્ય મહોદધિ મોકિતક – જીવણલાલ સા.ઝવેરી (૧૩) ઋષભદાસની સાહિત્યોપાસના – ઉષાબેન શેહ (૧) જૈન સાહિત્ય – બ. ક. ઠાકોર શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ' * 475 Page #525 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી જિનદત્તસૂરિકત ઉપદેશ રસાયન રાસઃ એક અભ્યાસ ડૉ. મિલિન્દ સનતકુમાર જોષી કવિ પરિચય દેશની રાજનૈતિક સ્થિતિ તો સાચે જ મુશ્કેલીમાં હતી તેની સાથેસાથે તત્કાલીન વાતાવરણ પણ અત્યાધિક કલુષિત થઈ ગયું હતું. રાજાઓ નાના-નાના રજવાડાઓ સાથે જોડાઈ જતા હતા. દેશ નાના-નાના ટુકડાઓમાં વિભક્ત થઈ ગયો હતો. રાજનૈતિક પરિસ્થિતિ બગડી ગઈ હતી. રાજાઓની અસર માત્ર પ્રજા પર જ પડતી ન હતી, પરંતુ તે અસર સર્વગ્રાહી થઈને ચારેય દિશાઓમાં ફેલાવા લાગી હતી. તેવા સમયે આચાર્ય શ્રી જિનદત્તસૂરિનો જન્મ થયો. ખરતરગચ્છના ઇતિહાસમાં આચાર્ય જિનદત્તસૂરિનું સ્થાન અનુપમ તેમ જ અદ્વિતીય છે. આચાર્ય જિનદત્તસૂરિનો જન્મ અમદાવાદ જિલ્લાના પ્રાચીન સુપ્રસિદ્ધ તેમ જ સુસમૃદ્ધશાળી નગર ધવલ્લકપુર (ધોળકા)માં વિ. સં. ૧૧૩૨માં થયો હતો. તેમના પિતા સુંબડ વંશીય જૈન હતા. પિતાનું નામ વાછિગ શાહ અને માતાનું નામ બાહડદેવી હતું.' વિ.સં. ૧૧૪૧માં નવ વર્ષની નાની ઉંમરમાં ઉપાધ્યાય ધર્મદેવ પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી. નવદીક્ષિતનું નામ સોમચન્દ્રમુનિ રાખવામાં આવ્યું હતું. સોમચન્દ્રમુનિએ પાટણમાં રહીને ન્યાય, વ્યાકરણ, આમિક તેમ જ સૈદ્ધાત્તિક ગ્રન્થોનું અધ્યયન કર્યું હતું. વિ.સં. ૧૧૬૯ વૈશાખ કૃષ્ણ છઠ શનિવારના દિવસે દેવભદ્રસૂરિએ ચિત્તોડમાં તેમને આચાર્ય પદથી વિભૂષિત કર્યા અને તેમનું નામ શ્રી. જિનવલ્લભસૂરિ રાખવામાં આવ્યું. આચાર્યશ્રીના શિષ્ય પ્રશિષ્ય ૧. ખરતકગચ્છ બૃહદ્ ગુર્નાવલી-જિનવિજયમુનિ, પૃ. ૧૪ ૨. ગણધર સાર્ધશતક પદ્ય-૭૮, પૃ. ૧૪૮માં ઉપાધ્યાય ધર્મદેવને ધર્મગુરુ સંબોધિત કરવામાં આવ્યા છે. ૩. ખરતરગચ્છ બૃહદ્ગુર્નાવલિ, પૃ. ૧૪ ૪. ગણધર સાર્ધશતક ગાથા-૮૪માં સ્વયં જિનર્તસૂરિએ દેવભદ્રસૂરિને ગુરુ દર્શાવ્યા છે. ૫. ખરતકગચ્છ બૃહદ્ગુર્નાવલિ, પૃ. ૧૫ 476 * જૈન રાસ વિમર્શ Page #526 -------------------------------------------------------------------------- ________________ સમુદાય પણ વિશાળ હતો. આ પરંપરા નવ શતાબ્દીઓથી આજ સુધી ચાલી આવે છે. આચાર્યશ્રીના કરકમળોથી હજારો શ્રાવક-શ્રાવિકાએ દીક્ષા લીધી. પટ્ટાવલીઓના આધાર પર ૧૫૦૦ સાધુ અને ૧૦૦૦ સાધ્વીજીઓનો તેમનો સમુદાય હતો. વિ.સં. ૧૨૧૧ અષાઢ સુદી અગિયારસ ગુરુવારના દિવસે ૭૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં ગયાં. - આચાર્ય જિનદત્તસૂરિએ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં અનેક ગ્રંથોની રચના કરી છે. તે ગ્રંથ માત્ર ધાર્મિક દૃષ્ટિથી જ નહીં પણ ભાષા વિજ્ઞાનની દૃષ્ટિથી પણ મહત્ત્વપૂર્ણ છે. આચાર્યશ્રીના સંરક્ષણમાં તથા યોગ્ય શાસકોના ઉદાર શાસનમાં સાહિત્યની ઉન્નતિ પ્રચુર માત્રામાં થઈ હતી. તેમના કાવ્યસાહિત્યમાં દર્શન, જ્ઞાન, ભક્તિ, ઈશ્વરસ્તુતિ, ગુરુગુણ મહિમા, આચાર-વિચાર વગેરે વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમણે મનુષ્યમાત્રના કલ્યાણ માટે ગૂઢ વિષયોના અર્થોના સરળ સ્વરૂપમાં પ્રસ્તુત કરવા માટે અનેક ગ્રંથોની રચના કરી છે. આચાર્ય શ્રી જિનદત્તસૂરિ રચિત કૃતિઓ ક્રમ ગ્રંથનું નામ વિષય પદસંખ્યા (અ) સંસ્કૃત કૃતિઓ ૧. અજિતશાંતિ સ્તોત્ર સ્તુતિ સ્તુતિ ૦૧૫ ૨. ચક્રેશ્વરી સ્તોત્ર સ્તુતિ ૦૧૦ ૩. સર્વજિનસ્તુતિ ૪. વીરસ્તુતિ સ્તુતિ O૦૪ પ. વિશિકા ૬. પદ વ્યવસ્થા (બ) પ્રાકૃત કૃતિઓ ૧. ગણધર સાદ્ધર્શતકમ્ સ્તુતિ ૨. સુગુરુ સંથવ ત્તરિયા સ્તુતિ ૦૭૫ સ્તુતિ OOx પ્રકીર્ણ OO૩ પ્રકીર્ણ ૧૫O ૬. ખરતરગચ્છ પટ્ટાવલી-૧, જિનવિજય, પૃ.૧૦. ૭. ખરતગચ્છ પટ્ટાવલી-૨, જિનવિજય. ૮. યુગપ્રધાન આચાર્ય જિનદત્તસૂરિજી કા જૈન ધર્મ એવું સાહિત્ય મેં યોગદાન, ડૉ. સ્મિતપ્રજ્ઞા શ્રી પ્રકાશક : વિચક્ષણ સ્મૃતિ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૯, પૃ. ૬૭-૬૮. આચાર્યશ્રી જિનદત્તસૂરિફત ઉપદેશ રસાયન રાસ : એક અભ્યાસ * 47 Page #527 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ૦૨૭ O૦૩ સ્તોત્ર ૧૫O ૩. સર્વાધિષ્ઠાયી સ્તોત્ર સ્તુતિ ૦૨૬ ૪. સુગુરુ પારતત્ર સ્તોત્ર સ્તુતિ ૦૨૧ ૫. વિબવિનાશી સ્તોત્ર સ્તુતિ ૦૧૪ ૬. શ્રુત સ્તવ ૭. પ્રભાવ સ્તોત્ર ૮. પાર્શ્વનાથ મંત્ર-ગર્ભિત ૦૩૭ ૯. ચૈત્યવંદન કુલક સ્તોત્ર ૦૨૮ ૧૦. સંદેહ દોહાવલી ઔપદેશિક ૧૧. ઉસૂત્ર-પદોદ્દઘાટન કુલક ઔપદેશિક ૦૩) ૧૨. ઉપદેશકુલક ઔપદેશિક ૦૩૪ ૧૩. શાન્તિપર્વ વિધિ ઔપદેસિક ૨૬૯) ૧૪. વાડિકુલકમ્ ઔપદેશિક ૦૨૪ ૧૫. આરાત્રિક વૃત્તાનિ ઔપદેશિક ૦૧૨ (ક) અપભ્રંશ કૃતિઓ ૧. ઉપદેશ ધર્મ રસાયન રાસ ઔપદેશિક ૦૮૦ ૨. ચર્ચરી ઔપદેશિક ૦૪૭ ૩. કાલસ્વરૂપ કુલક ઔપદેશિક ૦૨૮ અનુપલબ્ધ ગ્રંથ: (૧) અવસ્થા કુલક, (૨) અધ્યાત્મ ગીતા અને (૩) યોગિની સ્તોત્ર. ઉપદેશ રસાયન રાસ: ઉપદેશરસાયનરાસની રચના અપભ્રંશ ભાષામાં થઈ છે. પૂર્ણ રા રા માં ૮૦ પદ્ય છે, આમાં પદ્ધટિક પદ્ધડિયા) છન્દનો પ્રયોગ કરવામાં ર.. છે. ડો. દશરથ ઓઝાના મતાનુસાર સં. ૧૧૭૧માં ઉપદેશ ૨ સાયન ટી 24 ની રચના થઈ.યુગપ્રવરાગમ શીમદ્ જિનપતિસૂરિના. શિષ્ટ જજ પોડા ({}} {{{, સંક્ષિપ્તતરા નામની વૃત્તિની રચના કરી છે, ઉપદેશરસાયનરારા સંભવતઃ ઉપલબ્ધ જૈને. રારા ગ્રંથોમાં મોટા !!!! 1, છે. આ રાસમાં પદ્ધટિકા છન્દ નો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે પાને«{) , સર્વે રજુ થસે ત” ના અનુસાર બધા રાગોમાં ગાવામાં, ૨૫ વે છે. ઉપIછે જો, ૯, રાસ ઔર રાસાન્વયી કાટા, 3. દશરથ ઓઝા, '}. 3 78 જૈન રાસ વિમર્શ Page #528 -------------------------------------------------------------------------- ________________ રસાયન રાસ પર અનેક વૃત્તિઓની રચના કરવામાં આવી છે. અને મૂળ પાઠ સાથે સંસ્કૃત છયા, હિન્દી અનુવાદ કરવામાં આવ્યો છે.૧૦ ઉપદેશરસાયનરાસ શબ્દનો અર્થ છે કે રસથી પૂર્ણ અર્થાત્ એવો ધાર્મિક ઉપદેશ જેમાં લોકો માટે મધુર રસ પ્રવાહિત થઈ રહ્યો હોય. ચતુર્મુખી વિકાસ માટે અભૂતપૂર્વ ઔષધિ સમાન થાય. રોગી ઔષધિઓ પીને હૃષ્ટપુષ્ટ બની જાય છે તે પ્રમાણે ઉપદેશરસાયનરાસ નામના કાવ્યના શ્રવણથી શ્રાવક-શ્રાવિકાઓ, સમસ્ત જન સમુદાય તેમ જ ધર્મવિરુદ્ધ લોકો પણ ધાર્મિક બનીને અધર્મ રૂપી રોગથી રહિત થઈ જાય એવા કાવ્યને ઉપદેશ રસાયન રાસની સંજ્ઞા આપી શકાય છે. ઉપદેશરસાયનરાસના અન્તર્ગત લોકપ્રવાહમાં પ્રવાહિત જીવોને જાગૃત કરવા માટે સદ્દગુરુનું સ્વરૂપ, ચૈત્ય, વિધિ, વિશેષ આદિ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સર્વસાધારણ લોકો માટે જીવનોપયોગી ઉત્તમ શિક્ષાઓ સંસારની નશ્વરતા તથા સામાજિક વિષમતાનું સ્પષ્ટ વર્ણન કરીને મનુષ્યને ધર્મોન્મુખ કરવા માટે ઉપદેશરસાયનરાસની તેમણે રચના કરી છે. ઉપદેશરસાયનરાસ નામના ગ્રંથને વિષયવસ્તુની દૃષ્ટિથી જોવામાં આવે તો તે એક ઉપદેશાત્મક કૃતિ છે, જેમાં ભવથી છુટકારો મેળવવા માટે સાધન તેમ જ સહાયક સદ્ગુરુઓ અને નિયમોના વિષયને કલાત્મક તેમ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આના વિષયો આ પ્રમાણે છે : (૧) ગુરુવંદના મંગલાચરણ, (૨) માનવજન્મની સફળતામાં સદૂગુરુઓ તેમ જ તેનું માર્ગદર્શન, (૪) જિન ઉપાશ્રયો તેમ જ મંદિરોથી સંબંધિત વિભિન્ન પ્રકારના નિયમ અથવા સંબંધી વિવેક અને (૫) વિશ્વબંધુત્વની ભાવના. મંગલાચરણની પ્રથા કવિની પોતાની કોઈ નવીન કલ્પના નથી. પરંતુ તેનો, વિષયવસ્તુ, તો જ ઈષ્ટમ. આધાર છે. જે પરિવર્તન થાય છે, તે ૧C). (એ) ૧૧. પૂ. જિનપતિ' સૂરિજીના. શિel જિનપાલે વિ.સં. ૧૨૯૨. ટાંસ્કત છાયા રી છેઅપ... કોબાત્રીમાં , ટીકા પ્રકાશિત છે. ('! ) એપભ્રંશ, ડો ,ત્રી મૂળ પોછે સાથે સાd. છાયા પૃ. ૨.૭ ૬, સંપાદક : તા.૨." ભગવા.મોદીસે ગાંધી, પ્રકાશક: ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટ, ડોરે, ૧૯૨૭ (૬) ચચર્યાદિ ગ્રંથ, સંગ્રહ ભાલો.ત્તરસહ આચાર્ય જિનહરિસાગ૨.૨ારેિજી વિ.રા. PCC) ૪, સુરત, . ૧૯૪૩ (ડ) ગ્રસ ઓર ટારા,વવીકાવી, ડો, દશરથ ઓઝા, પૂ. ૪૩૩-૪૪૪ ,રચા 120 જમા કરે. જે ઉપદેશરેસાડીને રાસ : એકે અગ્વાસ # 479 Page #529 -------------------------------------------------------------------------- ________________ રચનાકારની પોતાની અલગ દૃષ્ટિ છે. ઉપદેશ રસાયન રાસ’ની રચના શ્રી પાર્શ્વનાથ સ્વામી તેમ જ શાસનાધીશ્વર શ્રી મહાવીર સ્વામીની વંદના સંબંધી મંગલ શ્લોકથી પ્રારંભ કરતાં કહે છે કે હે સંસારિક જીવ! તીર્થંકરોને નિર્મળ મનથી નમસ્કાર કરો અને પાપથી મુક્ત થઈ જાઓ. ઘર વ્યાપારમાં લિપ્ત થઈને જીવનની અમૂલ્ય ક્ષણને નષ્ટ ન કરો. આ અમૂલ્ય જન્મ દ્વારા પોતાના આત્માના સાંસારિક રાગદ્વેષમાં લિપ્ત થયા વગર તેને મુક્ત થવાનો ઉપાય કરો.૧૧ -- पणमत पार्श्व- वीरजिनौ भावेन यूयं सर्वे जीवा मुच्यध्वं पापेन । गृहव्यवहारे मा लग्नास्तिष्ठथ क्षणे क्षणे आयुर्गलत् प्रेक्षध्वम् ॥१॥ लब्धं मानुषजन्म मा हारयत आत्मानं भवसमुद्रगतं तारयत । आत्मानं माऽर्पयत राग- रोषयोः कुरुत निधानं मां सर्वदोषाणम् ॥२॥ પ્રસ્તુત શ્લોકમાં મંગલાચરણની સાથે ઉપદેશને પણ પોતાનામાં સમેટી લે છે. આચાર્ય સ્વયં ભગવંત વંદનની સાથે-સાથે બધા જીવોને વંદના માટે પ્રેરિત કરતાં કહે છે કે માનવજીવનને પ્રાપ્ત કરવા માટે કેટલાય પણ કષ્ટ સહન કરવાં પડ્યાં હશે. આ બધાનું પરિણામ સ્વરૂપ છે ભવ્ય જીવો આને પ્રાપ્ત કરીને આળસ, પ્રમાદ તેમ જ કદાચારમાં લીન રહેવું જોઈએ નહીં. કાંઈ એવું કામ કરો જેનાથી આ જીવ સાંસારિક દુઃખોથી મુક્તિ પામીને અમરત્વ પ્રાપ્ત કરી શકે. ઘર, વ્યાપાર, પરિવાર તેમ જ દોલત ખજાનો બધું જ અહીંયાં રહી જવાનું છે. કોઈ સાથ આપશે નહીં. યમરાજાના આગમન ૫૨ જો કોઈ સાથી બનવા તૈયાર થશે તો તે છે ભગવંતોના વંદન, શુભ આચરણ અને સારાં કર્મો આથી પોતાના આત્માને સાંસારિક રાગદ્વેષની પરિધિથી ઉપર ઉઠાવો. આની સંકીર્ણતાને દૂર કરો, એને દુઃખી ન થવા દો, ખુશ રહો અને ખુશીઓ વહેંચો. આ જ જીવનની સાર્થકતા છે. પરંતુ 19. Three Aprabhramsa Works of jinadattasuri With commentaries Idited With Introduction Notes and Appenices etc By Lalchandra Bhagawandas Gandhi Pub Oriental Institute Baroda ૧૯૨૭, p.૨૯ पणमह पास - वीरजिण भाविण तुम्हि सव्वि जिव मुच्चहुं पाविण । घरववहारि म लग्गा अच्छह खणि खणि आउ गलंतउ पिच्छह ||१|| लद्धउ माणुसजम्मु म हारहु अप्पा भव- समुद्दि गउ तारहु । अप्पु म अप्पहु यह रासह करहु निहाणु म सव्वह दो ||२|| 480 * જૈન રાસ વિમર્શ Page #530 -------------------------------------------------------------------------- ________________ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ કર્મમાં ક્યાંય ધર્મની જગ્યાએ અધર્મ ન થઈ જાય. અનાદિકાળથી સંસારરૂપી સાગરને પાર કરવા માટે કોઈ સારા અર્થાત્ સદગુરની આવશ્યકતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સદ્દગુરુના મહિમાનું વર્ણન સર્વત્ર પ્રાપ્ત થાય છે. આ ભવથી જો છુટકારો અપાવવામાં કોઈ સમર્થ છે તો તે સદ્દગુરુના મહિમાનું વર્ણન કરતાં તેમ જ તેના સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહે છે કે – सुगुरुः स उच्यते सत्यं भाषते परपरिवादिनिकरो यस्माद् नश्यति । सर्वजीवानात्मानमिव रक्षति मोक्षमार्ग पृष्टो य आख्याति ॥४॥ गुरु-प्रवहणं निष्पुण्यैन लभ्यते तस्मिन् प्रवाहे पतितो जन उह्यते । सा संसार-समुद्रे प्रविष्टा यत्र सौख्यानां वार्ताडपि प्रणष्टा ॥८॥१२ જે સત્યભાષી હોય, પરનિંદક જેનાથી દૂર ભાગે છે, પોતાના સમાન જ બધાને સમજે છે. અને બધાને મોક્ષ માર્ગ પ્રદર્શિત કરતા હોય તે સદ્ગુરુ કહેવાય છે. સદ્ગર જહાજ સમાન હોય છે. આથી પુણ્યહીન વ્યક્તિ સદ્ગુરુને પ્રાપ્ત કરી શકતો નથી. પુણ્યહીન વ્યક્તિ ચાર ગતિ ચૌરાસી લાખ યોનિઓમાં ભ્રમણ કરતા રહે છે. તે સુખહીન થઈ જાય છે. પ્રસ્તુત શ્લોકમાં સદ્ગુરુની મહિમા તેમ જ તેમના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. સદૂગુરુ હંમેશાં સત્યવાદી હોય છે. તેમ જ સત્ય બોલવા માટે, સત્યાચરણ કરવા માટે પ્રેરિત કરે છે. બીજાની નિંદાને પાપ બતાવવામાં આવી છે. આથી પરનિંદક પાપી હોય છે, તે હંમેશાં સદ્ગુરુઓથી ભયભીત થયા કરે છે. કારણ કે નિંદકનું સ્વરૂપ અપકાર સમાન છે, અને સદ્દગુરુ 92. Three Aprabhramsa Works of jinadattasuri With commentaries Idited With Introduction Notes and Appenices etc By Lalchandra Bhagawandas Gandhi Pub Oriental Institute Baroda 9629, pp. ૩૧-૩૩ सुगुरु सु वुच्चउ भासई परपरिवायि-नियर जसु नासई । सव्वि जीव जीव अप्पउ रक्खई मुक्ख-मग्गु पुच्छियउ जु अक्खई ॥४॥ गुरु-पवहणु निप्पुत्रि न लब्भई तिणि पवाहि जणु पडियउ वुब्भई । सा संसार- समुद्दि पइट्ठी जहि सुक्खह वता पणट्ठी ।।८।। આચાર્યશ્રી જિનદત્તસૂરિકત ઉપદેશ રસાયન રાસ : એક અભ્યાસ * 481 Page #531 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ સમાન છે. આથી સ્પષ્ટ છે કે પ્રકાશથી અંધકાર હંમેશાં દૂર ભાગે છે. તે પ્રમાણે નિદક સદૂગુરુઓથી હંમેશાં દૂર ભાગે છે. સદ્દગુરુ તે છે જે મોક્ષમાર્ગ માટે પ્રોત્સાહિત કરે અને તેના પર ચાલવાનો યોગ્ય માર્ગ બતાવે. સદ્દગુરુની સૌથી મોટી બીજી વિશેષતા છે. માત્મનઃ પ્રતિજૂનાનિ પરેષાં ને समाचरेत् । સદ્ગુરુના સ્વરૂપના સ્પષ્ટીકરણ બાદ શ્લેષાત્મ રૂપથી અન્યોન્ય વસ્તુઓની સાથે તુલના કરતાં કહે છે કે – આ સંસારમાં વિભિન્ન પ્રકારના નદ તેમ જ નદીઓ જોવા મળે છે, તે બધા વિષમ પ્રવાહ સમાન છે. તે નદ તેમ જ નદીઓમાંથી તે જ બચી શકે છે, છુટકારો પામી શકે છે જેની પાસે સદ્ગુરુ રૂપી મોટું જહાજ હોય. અન્યથા જે પ્રમાણે નદીઓમાં મગર ઇત્યાદિ જળચર પ્રાણી (હિંસક) રહે છે તે માનવનું ભક્ષણ કરી જાય છે. તેની યાત્રા સમાપ્ત કરી દે છે. પરંતુ યાદ રાખવા જેવી વાત એ છે કે જે જહાજ વગર અર્થાત્ સદ્ગુરુ રહિત હશે તેને જ આવી સ્થિતિ થશે. સદ્ગુરુના સંમુખ તો કોઈ પણ જળચર પ્રાણીની ઉપસ્થિતિ થવાની વાત અસંભવ છે. આ પ્રમાણે જે વ્યક્તિ પુણ્યહીન હોય છે તે પોતાનું સર્વસ્વ નષ્ટ કરી દે છે. ત્યાં સુધી કે સદ્ગુરુ વગર લોકપ્રવાહમાં પડેલો માનવ ચાર ગતિ તેમ જ ચૌરાસી લાખ જીવ યોનિ ભ્રમણ રૂપ સંસારમાં પુનઃ જઈ પડે છે. આથી સદ્ગુરુઓની મદદથી સંસારિક માયાજાળથી મુક્ત થઈને હંમેશાં સુંદર ભવની પ્રાપ્તિ માટે પ્રયાસશીલ રહેવું જોઈએ. સદાચરણ કરવું જોઈએ. જિનાચાર્યો દ્વારા નિયમિત મર્યાદા અને નિયમોનું પાલન કરવું જોઈએ. જે અન્ય ભવ માટે સુખરૂપ હોય છે. કુપથગામી અને સુપથગામીનું લક્ષણ અને મહત્ત્વ: જે વ્યક્તિ કુપથનું આચરણ કરે છે તે કુપથગામી કહેવાય છે, તે પુણ્યહીન છે. જેને સદ્ગુરુનો સંપર્ક મળતો નથી. તે પરમાત્માની ઓળખાણ કરી શકતો નથી. અર્થાત્ તેમને તો સ્વપ્નમાં પણ મોક્ષલક્ષ્મી પ્રાપ્ત થઈ શકતી નથી. આથી જ કહ્યું છે કે – સંસ્કારહીન વ્યક્તિોની દુર્દશા જ થાય છે. ક્યારેક-ક્યારેક સદ્ગુરુઓનો સંયોગ મળી પણ જાય છે. તોપણ પોતાના કર્મદોષના કારણે તે સદ્ગુરુઓનું સાન્નિધ્ય કરી શકતા નથી જેમ કાયર પુરુષ ધનુષ્ય ધારણ કરીને લક્ષ્ય વધી જાય છે. એવા કુપથગામી જીવા 482 * જૈન રાસ વિમર્શ Page #532 -------------------------------------------------------------------------- ________________ ધર્મને ધારણ કરી શકતા નથી. અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. કાયર (અસ્થિર વૃત્તિવાળા) પુરુષોને કિક્કાણ દેશના ચપળ ઘોડા સમાન બતાવ્યા છે. જેમ કે કિક્કાણ દેશના ઘોડા ચંચળ હોય છે. વાયુવેગથી કૂદતા માર્ગને છોડીને કુમાર્ગ પર ચાલ્યો જાય છે. અર્થાતુ પથભ્રષ્ટ થઈ જાય છે તેવી જ રીતે કાયર પુરુષોને પરમ સમાધિ સાથે સંગમ થતો નથી. એવા પુરુષો ઉત્તમ કુળમાં જન્મ લીધા પછી પણ વિધિ માર્ગનું આચરણ કરતા નથી. જો ગીતાર્થ ગુરુ તેમને સમજાવે છે તો તેમને મારવા દોડે છે. એવી પરિસ્થિતિમાં ગીતાર્થ પુરુષે કાયર પુરુષનો ત્યાગ કરી દેવો જોઈએ. જે ધાર્મિક પુરુષ છે, જે શાસ્ત્રાનુસાર આચરણ કરે છે, ગીતાર્થ છે, ધર્મપરાયણ છે, વિધિમાર્ગનું પાલન કરે છે, પંચપરમેષ્ઠીનું સ્મરણ કરે છે. એવા ઉપરોક્ત ગુણોથી યુક્ત સુસંસ્કારવાન સજ્જન પુરુષનું મનોવાંછિત ધાર્મિક કાર્ય શાસનદેવ પૂર્ણ કરે છે. તે પંચભૂતિક શરીરનો ત્યાગ કરીને પરમપદને પ્રાપ્ત કરે છે. ઉપરોક્ત વર્ણનના આધાર પર ધાર્મિક અને ગીતાર્થ પુરુષોના શીલ સ્વભાવ તેમ જ સદ્ગણોનું સ્પષ્ટીકરણ વધુ સારી રીતે કરી શકાય તેમ છે. આ બધું વર્ણન ગાથા ૬થી ૨૬માં કરવામાં આવ્યું છે.૩ આચાર્ય શ્રી જિનચૈત્યમાં પ્રચલિત આશાતનાઓ પર પ્રકાશ પાડતાં કહે છે કે તેમના સમયમાં ચૈત્યવાસમાં વિભિન્ન પ્રકારની બુરાઈઓ ફેલાઈ ગઈ હતી, આશાતનાઓ ઘર કરી ચૂકી હતી, જેનું સામાન્ય તેમ જ સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે કરી શકાય : यौवनस्था या नृत्यति दारा सा लगति श्रावकान् विप्रतारयितुम् । तस्या निर्मित श्रावकसुता विश्लिष्यन्ति यातेषु दिवसेषु धर्माद् भ्रश्यन्ति॥ बहवो लोका रागान्धास्तां प्रेक्षन्ते जिनमुखपङ्कजं विरला वाञ्छन्ति । जनो जिनभवने सुखार्थं य आगतो म्रियते स तीक्ष्णकटाक्षैर्धातितः । उचिताः स्तुति स्तोत्रपाठाः पठ्यन्ते ये सिद्धान्तेन सह सन्ययन्ते । तालारासकमपि ददति न रजन्यां दिवसेऽपि लगुडरासं सह पुरुषैः१४ 43. Three Aprabhramsa works of jinadttasuri with commentaries, Edited with Introduction, Notes and Appendices, etc. By Lalchandra Bhagawandas Gandhi, Pub. Oriental Institute, Baroda, ૧૯૨૭, PP.૩૧-૪૨ ૧૪. ibid. opp. ૪૬.૪૭ આચાર્યશ્રી જિનદત્તસૂરિકત ઉપદેશ રસાયન રાસઃ એક અભ્યાસ * 483 Page #533 -------------------------------------------------------------------------- ________________ આચાર્યવર્યના યુગમાં રાસ, રાસડા તથા ડાંડિયા રાસ આદિ વિવિધ નૃત્યગાનોનો ચૈત્યગૃહોમાં વિશેષ પ્રચાર હતો. મંદિરોમાં નાટક પણ ભજવવામાં આવતું હતું. તાલારાસક તેમ જ વિવિધ વાજિંત્રોનું પણ વાદન થતું હતું. વિવિધ પ્રકારથી લોકો પોતાના ભક્તિભાવોને પ્રદર્શિત કરતા હતા. આચાર્યશ્રીનું કહેવું હતું કે, જિન મંદિરોમાં ઉચિત સ્તુતિ, સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, જે જિન સિદ્ધાન્તોને અનુકૂળ હોય. શ્રદ્ધાયુક્ત હોવા છતાં પણ રાતમાં તાલારાસક પ્રદર્શિત થવો જોઈએ નહીં. દિવસમાં પણ મહિલાઓએ પુરુષની સાથે ડાંડિયા રાસ રમવો જોઈએ નહીં અર્થાત્ ચૈત્યગૃહોમાં એવા ગીતવાદ્યોનું પ્રક્ષણ, સ્તુતિ-સ્તોત્ર, ક્રીડાકૌતુકોને વર્જિત માનવા જોઈએ, જેને વિરહાક હરિભદ્રસૂરિ એ ત્યાજ્ય કહ્યું છે. જ્યાં રાત્રિમાં સ્નાન અને પ્રતિષ્ઠા થતી નથી અને જ્યાં સાધુ-સાધ્વી તેમ જ યુવતીઓનો પ્રવેશ રાત્રિમાં થતો નથી, ત્યાં વિલાસિની વારાંગનાઓનોનું નૃત્ય થતું નથી, જિન ચૈત્યમાં રાત્રિના સમયે રથભ્રમણ ક્યારેય પણ કરવામાં આવતું નથી. અને ત્યાં લટુકરાસ કરતા પુરુષોને પણ રોકવામાં આવતા હતા. કારણ કે – જ્યાં વારાંગનાઓ નવયૌવન હોય છે તે શ્રાવકોનું (ધર્માધ્યવસાયથી) અધઃપતન કરાવવા લાગે છે. તેનાથી શ્રાવકનું ચિત્ત વિક્ષિપ્ત થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રાવક માનસિક ઢંગથી ક્ષુબ્ધ થઈ જાય છે. આ પ્રમાણે સમય સાથે તે શ્રાવક શનૈઃ શનૈઃ પથભ્રષ્ટ થઈ જાય છે. પોતાના સ્થાનથી ઉન્નતિના પથની જગ્યાએ અવનતિના પથ પર આગળ વધવા લાગે છે. ઘણા બધા લોકો તો રાગાધ થઈને વારાંગનાઓમાં લિપ્ત થવા લાગે છે. વારાંગનાઓના મુખાવલોકનમાં તલ્લીન જિનેશ્વરના મુખકમળથી વિરહી થવા લાગે છે. અથવા જિનેશ્વરની તરફ તેમની દૃષ્ટિ ઓછી થવા લાગે છે. જે લોકો જિનભવનમાં ચિત્ત-શાન્તિ માટે તેમ જ સુખશાન્તિ માટે આવે છે. તે તીક્ષ્ણ કટાક્ષોના આઘાતથી ઘાયલ થઈ જાય છે. તેમનું ક્યારેય પણ પતન થઈ શકે છે. આથી આચાર્યે રાત્રિમાં તાળીરામ અને લકુટરાસને પણ વજ્ય માન્યો છે. સં. ૧૩૨૭ની આસ-પાસ. જિનેશ્વરસૂરિએ શ્રાવક જગડુ ચરિત “સખ્યત્વે મારૂં વડપટ્ટમાં આ મતનું સમર્થન કરવામાં આવ્યું છે.૧૫ १५. प्राचीन काव्यों की रूप परम्परा श्री अगरचंदजी नाहटा. पृ. १३८ ___तालरासु रमणि बह, लडउरासु मूलहु वोरहा ॥ २१ ॥ 484 * જૈન રાસ વિમર્શ Page #534 -------------------------------------------------------------------------- ________________ जोवणत्थ जा नच्चइ दारी सा लग्गई सावयइ वियारी। तिहि निमित्तु साव यसुध कट्टहि जंतिहि दिवसिहि धम्मह कि दृहि ॥ बहुय लोय रांयध य पिच्छहि जिणमुह-पंकउ विरला वंछहि । जणु जिणभवणि सुहत्थ जु आयउ मरइ सु तिक्खकडक्खिहि घायहु ॥ उचिय थुत्ति थुयपाढ पढिज्जहिं जे सिद्धांतिहिं सह संधिज्जहि । थालाराम वि दिति न रयणिहिं दविस वि लउडारासु सहुं पुरिसिहि ॥ તેથી જિન ચૈત્યમાં એ રાસ, રાસડા આદિ નર-નારીઓ દ્વારા કરવામાં આવતા હતા, તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે બાહ્યા શક્તિના સાધન હોવા છતાં પણ અન્તમાં કેવળ ચક્ષુ-શ્રોતના વિકાર માત્ર જ રહી જાય છે. એ પ્રભુ ભક્તિના વાસ્તવિક સાધન નથી. આચાર્ય શ્રી તત્કાલીન પ્રચલિત ધાર્મિક નાટકોનું વર્ણન કરતાં કહે છે – धार्मिकानि नाटकानि परं नृत्यन्ते भरत सगरनिष्क्रमणानि कथ्यन्ते । चक्रवर्ति-बलराज्यस्य चरितानि नर्तित्वाऽन्ते भवन्ति प्रव्रजितानि ॥३८॥६ જે યોગ્ય છે અર્થાત્ જેને જિનમંદિરોમાં બતાવવા જોઈએ તે ધાર્મિક સ્થાનોમાં, સમાજમાં પ્રશંસનીય હોય છે. જે આ પ્રમાણે છે – ભરતેશ્વર, બાહુબલી, સગર, બલદેવ દશાર્ણભદ્રાકિનું ચરિત્ર વગેરે. ચરિત્રના સાથે-સાથે ભરત બાહુબલીનું નિષ્ક્રમણ બતાવવું જોઈએ. એનું કથન કરવું જોઈએ. એવા મહાપુરુષોનાં જીવનદર્શનને નાટકના આધાર પર બતાવવું જોઈએ. જેનાથી પ્રવજ્યાના માટે સંવેગ-વૈરાગ્ય ઉત્પન્ન થાય. વિવિધ પ્રકારના રાસ ગાન નૃત્યનું અભિપ્રાય મનોરંજન ન થઈ ન વૈરાગ્ય ભાવનાની અભિવ્યંજના થાય. આ પ્રમાણે જ ધાર્મિક નાટકોનો અભિનય થવો જોઈએ. જિન ચેત્યોમાં અશાસ્ત્રીય ક્રિયાઓના નિષેધ સંબંધી વાત ગાથા ૩૮૩૯ દ્વારા વ્યક્ત કરતાં લખે છે : 95. Three Aprabhramsa works of jinadttasuri with commentaries, Edited with Introduction, Notes and Appendices, etc. By Lalchandra Bhagawandas Gandhi, Pub. Oriental Institute, Baroda, 9620, PP.89-8C धम्मिय नाड्य पर नच्चिज्जहिं भरह सगरनिक्खमण कहिज्जहिं । चक्कवट्टि बल-रायह-चरियई नच्चिवि अंति हुति पव्वइयंइ ॥ ३७ ॥ આચાર્યશ્રી જિનદત્તસૂરિકત ઉપદેશ રસાયન રાસ ઃ એક અભ્યાસ * 485 Page #535 -------------------------------------------------------------------------- ________________ हास्य-क्रीडा-हुड्डा अपि वज्यर्यन्ते सह पुरषैरपि केलिन क्रियते । रात्रौ युवतिप्रवेशं निवारयन्ति सन्पनं नन्दि नं प्रतिष्ठा कारयन्ति ॥ माघमाला-जलक्रीडाऽऽन्दोलनं तदप्ययुक्तं न कुर्वन्ति गुणालयाः । बलिमस्तमिते दिनकरे न धारयन्ति गृहकार्याणि पुनर्जिनगृहे न कुर्वन्ति ।।" ઉપરોક્ત ગાથાઓના આધાર પર અશાસ્ત્રીય તથા ઉન્માર્ગમાં લઈ જવાવાળી સમસ્ત ક્રિયાઓ જેવી કે માઘમાલા, ભાલારોપણ), જળક્રીડા, દેવતાઓને હિંડોળવા, હસી-મજાક કરવી. રાત્રિમાં નૈવેદ્ય ચઢાવવા આદિ પ્રવૃત્તિઓ વર્જિત હોવી જોઈએ. ભલે તે બાહ્યરૂપથી ભક્તિનું સાધન પ્રતીત થતું હોય, આ બધી ક્રિયાઓ શૃંગારિક તેમ જ પતિત કરવાવાળી છે. આ બધા અશાસ્ત્રીય કૃત્યોનું પૂર્ણતયા નિષેધ હોવો જોઈએ. આ બધી અશાસ્ત્રીય આશાતનાઓને જોઈને આચાર્યો આના વિરોધમાં જોરદાર આંદોલન આરંભ કર્યું. તથા જે શાસ્ત્રસમ્મત તેમ જ જિનમંદિરો માટે યોગ્ય નિયમ છે. તેમનું વિધાન કર્યું છે. તેમણે જિનમંદિરો તેમ જ શ્રાવકશ્રાવિકાઓની પ્રતિષ્ઠા વધે એવા વિધાનોને રજૂ કર્યા. ઉપરોક્ત વિવરણના આધાર પર કહી શકાય કે તે સમયે ચૈત્યવાસમાં પ્રસરિત બધી કુરીતિઓ તેમ જ દુર્ગુણોનો આચાર્યો જોરદાર વિરોધ કર્યો. જિનાલયોની પ્રતિષ્ઠા હેતુ શક્ય પ્રયાસ માટે આચાર્ય હંમેશાં તત્પર રહેતા હતા. વસ્તુતઃ આચાર્યનું આ પ્રતિપાદન શાસ્ત્રીય દૃષ્ટિથી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. વિશિષ્ટાચાર્યનું સ્વરૂપ યુગપ્રધાન જે આચાર્યપદના યોગ્ય છે, જે વિધિ ચૈત્યોમાં વ્યાખ્યાન આપે છે, નન્દી સ્થાપના તેમ જ મૂર્તિપ્રતિષ્ઠાના અધિકારી હોય છે. એક સમયમાં એક જ યુગપ્રધાનને માને છે, જે જિનશાસનના યોગ્ય સુસમ્પન કાર્યોનું વિધાન કરાવે છે. જે યુગપ્રધાન છદ્મસ્થ હોવા છતાં પણ ત્રણે કાળની વાતોને જાણે છે. ૧૭. Ibid. p. ૪૮ हास खिड्ड हुड्डु वज्जिज्जहिं सहु पुरिसेहि वि केलि न किज्जहिं । रत्तिहिं जुवइपवेसु निवारहिं न्हवणु नंदि न पइट्ठ करावहिं ।। ३८ ॥ माहमाल-जलकीलंदोयल ति वि अजुत्त न करंति गुणालय । बलि अत्थमियइ दिणयरि न धरहि षरकज्जइं पुण जिणहरि ज करहिं ॥३९॥ 486 * જૈન રાસ વિમર્શ Page #536 -------------------------------------------------------------------------- ________________ જેમનું મન કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ)થી રહિત હોય છે, તેની દેવતા પણ સ્તુતિ કરે છે. તત્ત્વાર્થમાં જેનું મન હંમેશાં પ્રવિષ્ટ રહે છે, સંકટના સમયમાં દેવતા રક્ષા કરે છે. રાત-દિવસ યુગપ્રધાન ગુરુના ચિત્તમાં એ જ ચિંતા રહે છે કે ક્યાંક પણ કોઈ પ્રકારથી જિનશાસનની નિંદા ન થાય. યુગપ્રધાનની સ્તુતિ કરવાવાળા ખૂબ જ ઓછા લોકો હોય છે. યુપ્રધાન હંમેશાં શુભ કાર્યોમાં પ્રવૃત્ત હોય છે, ક્ષમાશીલ હોય છે. યુગપ્રધાન પોતાની નિંદા તેમ જ પ્રશંસા સાંભળીને પણ સમપરિણામી હોય છે, પ્રાણીમાત્ર માટે હરપળ કલ્યાણની કામના કરતા રહે છે. तस्य निशि दिवसे चिन्तेत वर्तते मपि स्थाने जिनप्रवचनं भ्रश्यति । भूरयो भ्रमन्तो दश्यन्ते मुण्डिता ये तं प्रशंसन्ति ते परंस्तोका : प्रेक्ष-ते तस्य पदे पदे पानीय च्छिद्रम् )तस्यासद् दुःखं ढौकयन्त्यानीय । धर्मप्रसादेन सं पर छुट्यते सर्वत्रापि शुभकार्ये प्रवर्तते ॥ ઉપરોક્ત વિવરણના આધારે કહી શકાય કે યુગપ્રધાન ગુરુ તે જ હોઈ શકે જે પૂર્વ વણિત બધા ગુણોનો સાગર હોય. એવા યુગપ્રધાન ગુરુની બધા પ્રશંસા કરે છે. આચાર્યની ભવિષ્યવાણી : ભગવાન મહાવીર સ્વામીનો શાસનકાળ એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે. અવિચ્છિન્ન રૂપથી ધર્મનો પ્રવાહ પણ ચાલતો રહેશે. દિન-પ્રતિદિન નવા તેમ જ યોગ્ય આયામોમાં પ્રચારિત તેમ જ પ્રસારિત થતો રહેશે. આ શાસનકાળના અન્તમાં આચાર્ય “શ્રી દુuસહસૂરિ તેમ જ સત્યશ્રી નામક સાધ્વી થશે. દેશવ્રતને ધારણ કરવાવાળા નાગિલ નામક એક શ્રાવક થશે અને ફલ્યુથી નામક એક શ્રાવિકા થશે. આ પ્રમાણે ઉપરોક્ત વિવરણથી સ્પષ્ટ થાય છે કે ભગવાનની વાણી એટલી ઓજસ્વી તેમ જ પ્રભાવશીલ હતી કે ચતુર્વિધ સંઘ પણ તેમનું સન્માન કરે છે. 9C Three Aprabhramsa works of jinadttasuri with commentaries, Edited with Introduction, Notes and Appendices, etc. By Lalchandra Bhagawandas Gandhi, Pub. Oriental Institute, Baroda, ૧૯૨૭, PP.૫૧-પર આચાર્યશ્રી જિનદત્તસૂરિકૃત ઉપદેશ રસાયન રાસ : એક અભ્યાસ + 487 Page #537 -------------------------------------------------------------------------- ________________ સગૃહસ્થો માટે પાલની તેમ જ હિતકારી શિક્ષા : સમ્યકત્વધારી શ્રાવકને સાધર્મિક ભાઈના સાથે ભાઈચારા તેમ જ પ્રેમપૂર્વ વ્યવહારને પોતાનું જાણવું જોઈએ. આવશ્યકતાનુસાર કોઈને પણ દ્રવ્યની જરૂરિયાત હોય તો તેને આપવું જોઈએ. જો તે ધન પાછું ન આપી શકે તો અંદરોઅંદર લડાઈ ઝઘડો કરવો જોઈએ નહીં. લડાઈ-ઝઘડો તેમ જ કલહના વાતાવરણથી ધર્મની નિંદા થાય છે. શ્રાવકે પોતાના દ્રવ્યનો સદુપયોગ સાત ક્ષેત્ર (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનમંદિર, જિનમૂર્તિ અને જ્ઞાન)માં કરવો જોઈએ. જિનશાસનનું ક્ષેત્ર વિસ્તૃત છે. આમાં શ્રાવકના માટે સાત ક્ષેત્ર દર્શાવવામાં આવ્યાં છે. મુક્તિ હેતુ પ્રત્યેક શ્રાવકે કહેલા તે ક્ષેત્રોમાં ચંચલ લક્ષ્મીનો સદ્વ્યય કરીને પરલોક માટે પુણ્યરૂપી પાક ઉત્પન્ન કરે.૧૯ આ લોકમાં પ્રાપ્ત બીજ વાવવાનો સમય વ્યતીત થાય છે તો પરભવમાં શું સુખ શાંતિ પ્રાપ્ત થશે? અવસર પ્રાપ્ત થયો છે, જેમાં એકનું અનેક થવાવાળું છે. જિનવચનોમાં વિશ્વસ્ત થઈને સાત ક્ષેત્રમાં ધન લગાવવું જોઈએ. આ જ ધન લગાવવાની શક્તિ ન હોય તો અર્થાત્ ધનાભાવ હોય તો ધર્મ કરી શકાતો નથી એવી વાત નથી. ધર્મ કરી શકાય છે, પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. પ્રશ્ન થાય છે કે કેવી રીતે? – અનુમોદન રૂપી જળનું સિંચન કરીને. ઉપર્યુક્ત વિવરણથી સ્પષ્ટ થાય છે કે ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રતિ તેમ જ દાનાદિ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે તે માટે આચાર્યે આ પ્રકારના નિયમોનું પણ સર્જન કર્યું છે, જાગરૂક કર્યા છે. સાધર્મિક ધનથી પણ સેવા કરીને જિનશાસનના પ્રચાર-પ્રસાર સંબંધી સહયોગ આપે એ જ આચાર્યશ્રીનો ઉદ્દેશ હતો ૨૦ આચાર્યશ્રી લોકવ્યહારનું સ્પષ્ટીકરણ કરતાં જે વાત કહે છે તે જોતાં તેમણે તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું પણ ગહન ચિંતન કર્યું છે. 96 Three Aprabhramsa works of jinadttasuri with commentaries, Edited with Introduction, Notes and Appendices, etc. By Lalchandra Bhagawandas Gandhi, Pub. Oriental Institute, Baroda, 9620, PP.43-45 Verses 49-49 २० सप्त क्षेत्रि रासु, रचयिता अज्ञात कवि, संपादकः बुद्धिसागर, वि. सं. १३२७ सप्तक्षेत्रे जिनसासिण सघली कहीजई । अथिरू रिद्धि धनु द्रव्युब्बीजउ तहि पिवानो जह ॥ थेहि क्षेत्रि वावेत्रणा यानि कि लाभइ देवलोको ॥१९॥ 488 * જૈન રાસ વિમર્શ Page #538 -------------------------------------------------------------------------- ________________ સદ્દગૃહસ્થો માટે સામજિક ઉપદેશઃ સદૂગહસ્થોની રહેણી-કરણી સુચારુ રૂપથી ધાર્મિક વાતાવરણ યુક્ત હોવી જોઈએ. અન્ય કુળમાં સમુત્પન્ન થયેલી કન્યાનો આચાર-વિચાર, રહેણીકરણી, રીતિ-રિવાજ, ખાન-પાન પૃથક્ છે તો કન્યા પ્રસન્ન રહી શકતી નથી અને અન્ય પરિવારિક જન પણ નહીં. આચાર્યશ્રીએ સત્ય જ કહ્યું છે કે પુત્ર-પુત્રીનો વિવાહ સમાનકુળમાં વિવાહ કરવો જેનાથી એકબીજાના જીવનમાં વિષમતાં ન આવે. पुत्राः पुत्रिकाः परिणाय्यन्ते तेऽपि समानधर्मगहे दीयन्ते । विषमधर्मगहे यदि विवाहयति तदा सम्यक्त्वं स निश्चयेन बाधते॥६८॥ २१ ગૃહસ્થ લોકો પોતાના પુત્ર-પુત્રી સમાન ધર્મ શીલવાળા સાથે વિવાહ કરે છે. શ્રાવકોએ સમાન ધર્મવાળા સાથે જ પોતાની પુત્રીનો વિવાહ કરવો જોઈએ. વિષમ-બીજા ધર્મવાળા સાથે જો વિવાહ કરવામાં આવે તો તેનાથી સાચે જ સમ્યકત્વમાં વ્યવધાન આવે છે. પુત્ર-પુત્રીનો વિવાહ થાય છે. ગૃહસ્થ પૂર્ણ રૂપથી બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી આથી અનિયંત્રિત જીવનને નિયંત્રિત કરવા માટે વિવાહનું વિધાન કરવામાં આવ્યું છે. વિવાહનો અર્થ – સ્ત્રીપુરુષનો જીવનભર સ્નેહ અને સહયોગના સૂત્રમાં બંધાઈ જવું. તે બંધનમાં કેવળ કામ ભાવનાની પ્રમુખતા નથી હોતી, પરંતુ ઉચ્ચ, સંકલ્પ અને ઉચ્ચ ધ્યેય સાથે જીવન ક્ષેત્રમાં વિશિષ્ટતા સાથે વહન કરવા માટે વિવાહ કરવાનું કહેવામાં આવ્યું છે. તે વિવાહ દરેક સાથે કરી શકાય. આથી બે વાત દર્શાવી છે – (૧) સમાન જ્ઞાતિ અને (૨) અન્ય ગોત્ર. આચાર્ય હેમચન્દ્રાચાર્યસૂરિના અનુસાર સમાન કુળ અને શીલવાળા ૨૧. Three Aprabhramsa works of jinadattasuri with commentaries, Edited with Inroduction, Notes and Appendices, etc. By Lalchandra Bhagawandas Gandhi, pub. Oriental Institute, Baroda, ૧૯૨૭, pp. ૫૩-૫૮, Verses ૫૧-૬૨ Three Aprabhramsa works of jinadattasuri with commentaries, Edited with Introduction, Notes and Appendices, etc. by Lalchandra Bhagawandas Gandhi, Pub. Oriental, Baroda, 9629, pp. ૫૯ बेटा-बेटी परिणाविज्जहि ते वि समाणधम्मधरि दिज्जई। विसमधम्मधरि जई वीवाहई तो सम(म्म) तु सुनिच्छई वाहई ॥ ६३ ॥ આચાર્યશ્રી જિનદત્તસૂરિકૃત ઉપદેશ રસાયન રાસઃ એક અભ્યાસ +489 Page #539 -------------------------------------------------------------------------- ________________ પરિવાર સાથે વૈવાહિક સંબંધ કરી શકાય છે. પુત્ર-પુત્રીઓનાં લગ્ન પણ સારી રીતે તેમ જ પોતાના જ ધર્મવાળા સાથે કરવું જોઈએ ધર્મનો ઉત્તરોત્તર વિકાસ થાય છે. વિષમ ધર્મવાળાના ઘરે સંબંધ કરવાની સાચે સમ્યકત્વની હાની થાય છે. અર્થાત્ સમ્યકત્વમાં વિન-અવરોધો ઉપસ્થિત થાય છે. આચાર્ય દ્વારા ધન તેમ જ સમૃદ્ધિનું પ્રતિપાદનઃ સદ્દગૃહસ્થો માટે ધન એક મૂળભૂત આવશ્યકતા છે. ધનથી અર્થાત્ સ્વલ્પ ધનથી પણ સંસારના સાવદ્ય કાર્યો પૂર્ણ કરી લેવા સૌથી મોટી બુદ્ધિમાની છે. વિધિપૂર્વક તેમ જ ધાર્મિક ધનથી જ પરિવારસંચાલનનો આગ્રહ રાખવો જોઈએ. આર્થિક સમૃદ્ધિ થવા છતાં પણ ધનનો સદુપયોગ ન કરવો જોઈએ. તેનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. ગૃહસ્થ સાધર્મિક ભક્તિની સાથે-સાથે સાધુ-સાધ્વી ભગવંતોના આહારપાણીની વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવું જોઈએ. સાધર્મિક ભક્તિ, તીર્થકર, ગુરુજનો પ્રતિ શ્રદ્ધા રાખે છે, તે જ સાચો શ્રાવક કહેવાય છે. આચાર્ય અભયદેવસૂરિએ પોતાના ગ્રન્થ સાધર્મી વાત્સલ્ય કુલકમાં કહ્યું છે કે – નવકાર મંત્રનું સ્મરણ કરવાવાળા બધા જૈન ધર્મી છે તેમની સાથે સગા ભાઈથી પણ અધિક વાત્સલ્ય રાખીને ધર્મપથ પર આગળ વધવું જોઈએ. સદ્દગૃહસ્થોની સ્ત્રીઓ માટે ગૃહસ્થ ધર્મ સંબંધી ચર્ચાનું વર્ણન કરતાં આચાર્ય કહે છે. રજસ્વલા સ્ત્રીએ ત્રણ-ચાર દિવસ સુધી ઘરમાં સ્પર્શનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. જે આ નિયમનું પાલન નથી કરતા તેમનું ઘર અપવિત્ર થઈ જાય છે અને દેવોથી હીન થઈ જાય છે. ધર્મ અને ધનની હાનિ થાય છે. ઘરની સુરક્ષા હીન થઈ જાય છે, તે ઘરમાં પ્રેતોનો નિવાસ થવા લાગે છે અતઃ રજસ્વલા સ્ત્રીઓએ ધાર્મિક કાર્ય, પ્રતિક્રમણ, ગુરુવંદન, દેવદર્શન, નવકારસ્મરણ આદિ ધાર્મિક ક્રિયાઓ તેમ જ સૂત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. જો ઉપરોક્ત ક્રિયાઓ રજસ્વલા સ્ત્રી દ્વારા સંપન્ન થાય તો સમ્યકત્વની હાનિ થાય છે. પ્રાયઃ એવું જોવામાં આવે છે કે આજે પણ જે ધાર્મિક લોકો છે તેમનાં ઘરોમાં રજસ્વલા સ્ત્રીઓ પૂર્ણ રૂપથી ગૃહકાર્યોથી મુક્ત થઈને ૩-૪ દિવસ અલગ જ રહે છે. શ્રાવકના જીવનને સુખમય બનાવવા તેમ જ ઘરને સ્વર્ગમય બનાવવા માટે આચાર્ય દ્વારા બતાવેલા ૨૨. કુનશીન સાધતો વિવાદોડ પૌત્રને | યોગશાસ્ત્ર -૨/૪ઉં 490 * જૈન રાસ વિમર્શ Page #540 -------------------------------------------------------------------------- ________________ સદ્ગૃહસ્થના ઉક્ત ધર્મોનું પાલન કરવું જોઈએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવ આ બધાં સૂત્રોનું પાલન કરવું જોઈએ. વૃદ્ધ તેમ જ આદરણીય વ્યક્તિનું સમ્માન કરવું જોઈએ. માલિકની આજ્ઞામાં રહીને વચનોને માનવાં જોઈએ. માતા-પિતાની સેવા કરવી જોઈએ. કારણ કે આપણા જીવન પર તેમનો ખૂબ જ ઉપકાર હોય છે. માતા-પિતા તેમ જ ગુરુની ભક્તિ કરવી જોઈએ. માર્ગાનુસારીનો બીજો ગુણ માતા-પિતાની સેવાનો છે અન્ય સંબંધોની અપેક્ષાએ માતા-પિતાનો સંબંધ નિકટતમ છે. સંતાન પર તેમના ઉપકાર અગણિત અને અસીમ છે. જેમ માળી છોડની દેખરેખ કરે છે, તેનાથી પણ અધિક માતા-પિતા પોતાનાં સંતાનની દેખરેખ કરે છે, તેમના વિકાસનો હર પ્રયાસ કરે છે. – એક કવિએ કહ્યું કે – પૃથ્વીના સમસ્ત રજકણ તેમ જ સમુદ્રના સમસ્ત જળકણોથી પણ અનંતગણા ઉપકાર માતા-પિતાના હોય છે. આગમ સાહિત્યમાં પણ માતા-પિતાનું સ્થાન દેવ-ગુરુના સમાન દર્શાવવામાં આવ્યું છે. માતા પર દેવ સમાન શ્રદ્ધા કરવી જોઈએ. પ્રસ્તુત વાત દ્વારા આચાર્ય જિનદત્તસૂરિજીએ સગૃહસ્થને પ્રેરણા આપી છે કે માતા-પિતાની સેવા કરવાવાળા બનો. ઉપરોક્ત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે ૧૨મી સદીમાં સમાજમાં પરિવારની સ્થિતિ કેવી હતી, ગૃહસ્થોનું જીવન કેવું હતું. આચાર્યે તેમના હિત માટે ખૂબ જ ઉપયોગી શિક્ષાઓ પ્રદાન કરી છે. ઉપદેશ રસાયન રાસની અન્તિમ ગાથામાં ગ્રન્થનો ઉપસંહાર કરતાં આચાર્યે પોતાનું નામ જિનદત્ત અને ઉપદેશળ દર્શાવતાં કહ્યું છે इति जिनदत्तोपदेशरसायनम् इह-परलोकयोः सुखस्य भाजनम् । कर्णाभ्यां पिबन्ति ये भव्याः ते भवन्त्यरागमराः सर्वे ॥८०॥३ 23. Three Aprabhramsa works of jinadattasuri with commentaries, Edited with Introduction, Notes and Appendics, etc by Lalchandra Bhagawandas Gandhi, pub. Oriental Institute Baroda, ૧૯૨૭, pp.૬૫-૬૬ इन जिणदतुवएसरसायणु इहपरलोयह सुक्खह भायगु । कणंजलिहिं पयंति जि भव्वइं ते हवंति अजरामर सव्व ॥ ८०॥ આચાર્યશ્રી જિનદત્તસૂરિષ્કૃત ઉપદેશ રસાયન રાસ ઃ એક અભ્યાસ * 491 Page #541 -------------------------------------------------------------------------- ________________ ફલશ્રુતિ: આચાર્ચ જિનદત્તસૂરિ દ્વારા રચિત ઉપદેશ રસાયન રાસ સંજીવની ઔષધી સમાન છે. માધુર્યમિશ્રિત ઉપદેશને જે કોઈ રૂપી અંજલિથી પાન કરશે તો તે આ લોક અને પરલોકમાં પણ અમર થઈ જશે. ભાષા : | ઉપદેશરસાયનરાસમાં આચાર્ય શ્રી જિનદત્તસૂરિએ તત્કાલીન પ્રચલિત લોકભોગ્ય અપભ્રંશ ભાષાનો પ્રયોગ કર્યો છે. કારણ કે ઉપદેશ ત્યારે જ સાચા અર્થમાં ઉપદેશ હોય છે, જ્યારે લોકો તેને સમજે. આ દષ્ટિને ધ્યાનમાં રાખીને સરળ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તત્કાલીન જન ભાષાના પ્રભાવના કારણે તત્સમ તેમ જ દેય શબ્દોનો પ્રયોગ બહુલતયા કરવામાં આવ્યો છે. ભાષામાં હકાર, ણકાર તેમ જ હૃસ્વ વર્ગોનો પ્રયોગ પણ વિપુલ માત્રામાં મળે છે. છંદ: આ રાસમાં પ્રારંભથી અન્ન સુધી પદ્ધડિયા પંઝટિકા) છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ છંદમાં ૪+૪+૪+૪+૧૬ માત્રાઓ હોય છે. રસ : રસની દષ્ટિથી વિચાર કરતાં કહી શકાય કે જૈન રાસસાહિત્યમાં પ્રાયઃ બધા રસોનો પ્રયોગ પ્રાપ્ત થાય છે. પરંતુ આચાર્યે શાંતરસને રસરાજ પદ પર સ્થાપિત કર્યો છે. માનવ અનેક પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. ભૌતિક ઉપલબ્ધિઓને પ્રાપ્ત કર્યા પછી પણ તે ઇચ્છે છે શાંતિ. કામ, ક્રોધ, ભય મોહાદિ સંકીર્ણ માર્ગથી પસાર થતાં તેનું લક્ષ્ય વિસ્તૃત રાજમાર્ગ શાંત જ હોય છે. આચાર્યશ્રી શાંતિના પથદર્શક રહ્યા છે. તેમની રચનાઓમાં રસોનું સંમિક્ષણ શાંતિમાં તિરોહિત થઈ જાય છે. જીવનમાં શમનું મહત્ત્વ તેમણે જાણ્યું છે, આચરણમાં અપનાવ્યું છે અને ધર્મનું આલંબનમાં નિરૂપિત પણ કર્યું છે. સમસ્ત રાસ સાહિત્યની મુખ્ય સંવેદના જ ભૌતિક જીવન પર આધ્યાત્મિક જીવનનો વિજય છે. ઉપદેશરસાયનરાસમાં પણ શાંત રસ જોવા મળે છે. 492 * જૈન રાસ વિમર્શ Page #542 -------------------------------------------------------------------------- ________________ અલંકાર : અલંકારોમાં ઉપમા, રૂપક, દષ્ટાન્ત, ઉત્પ્રેક્ષા, અનુપ્રાસ, શ્લેષ આદિનો પ્રચુર માત્રામાં પ્રયોગ થયો છે. ગુરુ વર્ણનમાં તો ઉપમા જ ઉપમા દેખાય છે. રૂપક અલંકાર : (૧) નિમુદ પંૐ વિરતા વંહિ ।રૂ। મુખ કમળ અર્થાત કમળરૂપી મુખ દર્શન બધા કરવા ઇચ્છે છે. અહીંયાં રૂપક અલંકાર છે. ( २ ) इह विसमी गुरुगिरिहिं समुट्ठिय लोयपवाह सरि कुपइट्ठिय । जसु गुरूपोड नतत्थि सो निज्जइ तसु पवाहि पडियउ परिखिज्जइ ||६|| અહીંયાં લોકપ્રવાહની સરિતાનું અને ગુરુને વહાણના કાફલાનું રૂપ આપવામાં આવ્યું છે. (3) गुरु - पवहणु निप्पुन्नि न लब्भइ तिणि पवाहि जणु पडियउ वुब्भइ । सा संसार-समुद्दि पइट्ठी जहि सुक्खह वत्ता वि पट्टी ॥८॥ गुरु- पवहणु संसार - समुद्दि શ્લેષ અલંકાર : = = · ગુરુ રૂપી પ્રવહણ = જહાજ સંસાર રૂપી સમુદ્ર = खज्जइ सावएहिं सुबहुत्तिहिं भिज्जइ सामएहिं गुरुगत्तिहिं । वग्घसंघ भय पडइ सु खड्डह पडियउ होउ सु कूडउ हड्डह || १४ || સાવદ -શ્વાપરે: શ્રાવ અહીંયાં સાવહૈં યર્થક હોવાથી શ્લેષાલંકાર છે. દૃષ્ટાન્ત અલંકાર : ઉત્પ્રેક્ષા અલંકાર : અહીંયાં જાણે કે સત્તુમાં ધી પડયું છે, આ ઉત્પ્રેક્ષા થવાથી ઉત્પ્રેક્ષા અલંકાર છે. जिवि कल्लाणयपुट्ठिहि किज्जहिं तिवि करिति सावय जहसत्तिहिं । लहुडी साच्चाविज्जइ वट्टी सुगुरू- वयणि- आणिज्जइ ॥ ३२॥ અહીંયાં જીવ અર્થાત્ યથા' શબ્દ દ્વારા દષ્ટાન્તને દર્શાવવામાં આવ્યું છે. આચાર્યશ્રી જિનદત્તસૂરિષ્કૃત ઉપદેશ રસાયન રાસ ઃ એક અભ્યાસ * 493 Page #543 -------------------------------------------------------------------------- ________________ धम्मिय नाडय पर नच्चिज्जहिं भरहसगर निक्खमण कहिज्जहिं । चक्कवट्टि-बल रायहं नच्चिवि अंति हुंति पव्वइयइं ॥ ३७॥ અહીંયાં નાટકો ભજવવા માટે શિક્ષાપરક નાટકોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેનાથી દષ્ટાન્ત સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે. આથી અહીંયાં દગંત અલંકાર છે. ઉપસંહાર: આચાર્ય જિનદત્તસૂરિજી તત્કાલીન ઘણી ભાષાઓથી પરિચિત હતા એટલું નહીં પરંતુ સમ્યક જ્ઞાનયુક્ત હતા અથવા એવું પણ કહી શકાય કે તેઓ તત્કાલીન ભાષાવિદ્ પણ હતા. પ્રશ્ન એમ થાય છે કે સંસ્કૃત તેમ જ અન્ય ભાષાઓના પૂર્ણ જ્ઞાતા હોવા છતાં પણ તેમણે પોતાની રચનાઓ માટે પ્રાકૃત તેમ જ અપભ્રંશને શા માટે પસંદ કરી? તેનો ઉત્તર એકદમ સીધો અને સરળ છે - તત્કાલીન પ્રજાની ભાષાઓમાં જો કોઈ ઉપદેશ આપવામાં આવે તો જ તે લોકભોગ્ય બની શકે. ત્યાં તો વિદ્વત્તા બતાવવાની કોઈ આવશ્યકતા નથી. તે સમયની સીધી તેમ જ સરળ ભાષા અર્થાત્ પ્રાકૃત તેમ જ અપભ્રંશ ભાષાઓના સહારે જ લોકોને યોગ્ય માર્ગ પ્રદર્શનની આવશ્યકતા હતી. કારણ કે સર્વોપરિ ભાષા તે છે જે લોકોગ્ય છે. આ પ્રમાણે તત્કાલીન પરિસ્થિતિ જોતાં તેમણે પોતાની કૃતિઓ માટે પ્રાકૃત તેમ જ અપભ્રંશ ભાષાઓને સર્વશ્રેષ્ઠ માની. ઉપદેશરસાયનરાસની અપભ્રંશ ભાષામાં રચના કરીને તેમણે પ્રજા તેમ જ જૈન ધર્મને જે ઉત્તમ યોગદાન આપ્યું છે તેના માટે સમાજ હંમેશાં ઋણી રહેશે. કારણ કે તે લોકભોગ્ય હોવાથી સામાન્ય જનસમુદાય પણ તેમના પ્રદર્શિત તેમ જ ઉપદેશો પર ચાલીને એક ઉન્નત અને સુદઢ ધર્મયુક્ત સમાજની રચના કરી શકે છે. | ઉપદેશરસાયનરાસના માધ્યમથી કુપથગામી અને સુપથગામી વ્યક્તિઓની દુર્દશાનું વિવરણ, ધાર્મિક નાટકોનો અભિનય, યુગપ્રધાન ગુરુના લક્ષણ, સંઘના લક્ષણ, સમાન ધર્મ વાળા સાથે જ વૈવાહિક સંબંધ સ્થાપિત કરવો વગેરે વાતોનું સ્પષ્ટીકરણ સુચારુ રૂપથી કરવામાં આવ્યું છે. પાપાચરણયુક્ત વ્યક્તિઓની દુર્દશાનું પણ વર્ણન ખૂબ જ સારી રીતે 494 * જૈન રાસ વિમર્શ Page #544 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * કરવામાં આવ્યું છે. અને એવું પણ બતાવ્યું છે કે એવી વ્યક્તિ ક્યારેય પણ સમ્યકત્વની પ્રાપ્તિ કરી શકવી નથી. કટુંબનર્વાહના બધા પક્ષોનું સમુચિત નિરૂપણ કરવામાં આવ્યું છે. સંસારની નશ્વરતા તથા સામાજિક વિષમતાનું નિરૂપણ પણ સુચારુ રૂપથી કરવામાં આવ્યું છે. માતા-પિતા અને ગુરુની ભક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જિનેશ્વરની આજ્ઞાનુસાર જ જીવન વ્યતીત કરવાનું કહેવામાં આવ્યું છે. ગૃહસ્થને શ્રાવક ધર્મનો ઉપદેશ આપીને સન્માર્ગની ત૨ફ ઉન્મુખ કર્યો છે. મનુષ્યને વિધિપૂર્વક સત્કાર્ય કરીને જીવનનિર્વાહની શિક્ષા આપી છે. તથા ધર્મની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મથી જ આ લોકમાં સમૃદ્ધિ તેમ જ પરલોકમાં સુખ સંભવે છે. શ્રાવકોની સૌથી મહત્તાપૂર્ણ શિક્ષા (વૈવાહિક ધર્મ વર્ણન) જેનાથી વંશાવલી વધે છે, તેનું વર્ણન ક૨વામાં આવ્યું છે. અર્થાત્ ધર્મમાં યોગ્ય વૈવાહિક કૃત્યોની સમજણ આપવામાં આવી છે. ઉપદેશ રસાયન રાસના વિષયવસ્તુમાં સંસારની નશ્વરતા, સામાજિક વિષમતા અને ધાર્મિક માહાત્મ્ય વગેરેનું સ્પષ્ટીકરણ ખૂબ જ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આચાર્યશ્રી જિનદત્તસૂરિષ્કૃત ઉપદેશ રસાયન રાસ : એક અભ્યાસ * 495 Page #545 -------------------------------------------------------------------------- ________________ શકુનશાસ્ત્રચોપાઈઃ ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભાત્ર શાસ્ત્ર ડૉ અજિત ઠાકોર શકુનશાસ્ત્ર ચોપાઈની રચના પંડિત જયવિજયજીએ વિ.સં. ૧૬૬૦માં કરી હતી. જયવિજય નામના ત્રણ જૈન શ્રમણના ઉલ્લેખ મળે છે. એ પૈકી શકુનશાસ્ત્ર ચોપાઈના રચયિતા પંડિત જયવિજય વિબુધ મુખ્યદક્ષ પંડિત દેવવિજયના શિષ્ય હતા. અકબર બાદશાહને પોતાનાં જ્ઞાન અને વ્યક્તિત્વથી અત્યંત પ્રભાવિત કરી દેનાર હીરવિજયસૂરિ સાથે અકબરને ફતેહપુર સીક્કી મળવા જનારા ૬૭ સાધુસમુદાયમાં જયવિજય પણ એક હતા. બાદશાહના આમંત્રણથી થયેલી આ મુલાકાત વિ.સં. ૧૬૩૯ના જેઠ વદ બારસે સંભવી હતી. પંડિત જયવિજયની ગુરુશિષ્ય પરંપરા આ પ્રમાણે હતી : વિજયદાનસૂરિ – રાજવિમલ ઉપાધ્યાય – મુનિવિજય – દેવવિજય – જયવિજય - શુભવિજય/હર્ષવિજય - સુમતિવિજય/મેરુવિજય - રામવિજય. સમતિવિજયના શિષ્ય રામવિજય “શાંતિજિનરાસમાં અંત પ્રશસ્તિ કરતા કહે છે કે (વિ. સં. ૧૭૮૫): શ્રી જયવિજય વિબુધ શ્રદરિયા, પાર્લે સુધી કિરિયા – તસ પદ પંકજ ભમર સરિસા, શ્રી શુભવિજય કવીશા. (શ્રી આનંદ કાવ્યમહોદધિ (ભા-૭, પૃ. ૧૨૨-૨૩) હર્ષવિજયના શિષ્ય મેરુવિજય નંદિષેણ મુનિ સજઝાયને અંતે કહે છે કે – જયવિજય ગુરુ સીસ, તલ હરષ નમે નિસદીસ, મેરૂવિજય ઈમ બોલે, એહવા ગુરુને કુણ તોલે. (શ્રીઆનંદ કાવ્યમહોદધિ ભા.૭ પૃ. ૧૨૬) 496 * જૈન રાસ વિમર્શ Page #546 -------------------------------------------------------------------------- ________________ પંડિત જયવિજયે શકુનશાસ્ત્રચોપાઈ અને શોભનસ્તુતિ પર ૨૩૫૦ શ્લોકમાં વૃત્તિની રચના કરી હતી. તેમણે શકુનશાસ્ત્રચોપઈ વાગડ (રાજસ્થાન) પ્રદેશના ગિરિનગર (હાલનું ડુંગરપુર)ના રાજા સહઅમલ રાવલ અને રાજકુમાર કર્મસિંહના દરબારમાં ગાંધીનું કાર્ય કરતા સંઘના અગ્રણી સંઘરત્નના પુત્ર જોગીદાસને ભણાવવા માટે વિ.સં. ૧૬૬૦ની શરદપૂર્ણિમાએ રચી હતી : વાગડ દેશ વયરાગર નામ, રાજધાની રૂડું છામ, જીહાં ષટદર્શનના વિશ્રામ, દેશ મધ્ય ગિરપુર વલી ગામ. (શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૩) સહસમલ્લ રાઉલ ભૂપાલ, પૃથ્વી પ્રભ તણો પ્રતિપાલ. (શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૩૬બ) તસ ચુત કુંવર કર્મસિંહ જેહ, ચૌદ વિદ્યા ગુહા જાણે તેહ, (શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૩૭એ) તસ ઘર ગાંધી સંઘ પ્રધાન, ઉર ઉપગારી ન ધરે સાંન, (શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૩૮૪) સંઘરત્ન પુત્ર યોગીદાસ, શુકનશાસ્ત્રનો કરે અભ્યાસ; તેહને ભણવા કાજે કરી, પ્રાકૃત બંધ એ ચઉપઈ ખરી. (શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૩૯) વ્યોમ રસ રતી ચંદ્ર વખાણ (૧૬૬૦) સંવત્સર એ હીયડે આંણ; સરદ ઋતુ જે આસો માસ, રાકા પૂર્ણ ચંદ્ર કલાવાસ. (શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૪૩) જયવિજયરચિત શકુનશાસ્ત્ર ચોપાઈ શુકનશાસ્ત્રની પરંપરાના નિચોડરૂપે રચાઈ છે. શુકનશાસ્ત્રમાં સારંગરીય શુકનાર્ણવ, વસંતરાજ, માણિજ્યસૂરિકૃત શુકનસારોદ્ધાર, શુકનદીપિકાચોપઈ, વસંતરાજ ગ્રંથ પર શકુન શાસ્ત્રનામક ભાનુચંદ્રરચિત સંસ્કૃત ટીકા તથા જયવિજય રચિત શુકનશાસ્ત્ર ચોપાઈ મુખ્ય ગ્રંથો છે. વિ.સ. ૧૯૪૮માં જગદીશ્વર શિલાયંત્રાલય, મુંબઈથી પ્રકાશિત શકુનશાસ્ત્રચોપાઈ : ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભાવ્ય શાસ્ત્ર 497 Page #547 -------------------------------------------------------------------------- ________________ ભાનચંદ્ર ગણિરચિત સંસ્કૃત ટીકાસહિત વાસંતરાજ શાકુનગ્રંથમાં એક કથા પ્રાપ્ત થાય છે. વિજયરાજના શિવરાજ અને વસંતરાજ – એમ બે પુત્રો હતા. વસંતરાજને મિથિલાના રાજા ચંદ્રદેવે વિનંતી કરી. આથી ભટ્ટ વસંતરાજે માહેશ્વરસાર, સહદેવકૃત શાસ્ત્ર તથા બૃહસ્પતિ – ગર્ગ – શુક્ર – ભુગુ આદિના શાસ્ત્રોમાંથી સારગ્રહણ કરી વસંતરાનશાકુન ગ્રંથની રચના કરી. આ ગ્રંથ તેમણે ૨૦ વર્ગોમાં વિભાજિત કર્યો છે. જયવિજય શકુનશાસ્ત્રચોપાઈમાં પોતે ઉપયોગમાં લીધેલા ગ્રંથોનો નિર્દેશ કરતા કહે છે કે – શુકનદિપિકા ઉપઈ નામ, શુકનાર્ણવ માંહિ એ ઠામ, અથવા વસંતરાજની સાખ, શુકનોદ્ધાર ભાખીએ ભાખ. | (શકુનશાસ્ત્રચોપાઈ પદ્ય : ૩૪૦) શુકન સમુદ્ર ન લાભે પાર, ચંચ ભરી કીધો ઉદ્ધાર (શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય ૩૪રબ) પંડિત જયવિજયરચિત શુકનશાસ્ત્રચોપઈ ૩૪૬ ગાથાઓમાં રચાઈ છે. ગ્રંથની સમાપ્તિ કર્યા બાદ પરિશિષ્ટરૂપે નક્ષત્ર સ્વાધ્યાય ગાથા (પંદર ચોપઈ) જોડવામાં આવી છે. શુકનશાસ્ત્ર ચોપાઈનો આરંભ પ્રસ્તુત શુકન શાસ્ત્ર ચોપઈનું અતિઉદાર એવું સ્વરૂપ તથા વાંચકના મનમાં ઊપજતા શુભાશુભ વિચારરૂપ પ્રભાવ - એ બે વાતનું નિબંધન કરતા દુહાથી થાય છે : શુકનશાસ્ત્રની ચોપાઈ, લિપસ્ય અતિઉદાર; જે ભણતા મન ઉપજે, શુભ વલી અશુભ વિચાર. (શો.શા.ચો.૧) ત્યાર બાદ પ્રથમ બે ચોપાઈમાં સરસ્વતી અને સદ્ગરની પ્રાર્થનાવંદના કરી લોકોમાં શુકન વિશે ફેલાયેલી ઉપરછલ્લી જાણકારી, શુકનના મર્મજ્ઞ વિદ્વાનોની અછત તથા પોતે જાત અનુભવથી ને શાસ્ત્રાભ્યાસથી શુકનનો જે મર્મ અને ભેદો જાણ્યા છે તેનું વર્ણન કરવાનો ઉપક્રમ આરંભે છે : સાકલ બુદ્ધિ આપે સરસતી, અમીય સમ વાણી વરસતી; અજ્ઞાન તિમિર આરતિ વારતિ, નમો નમો ભગવતી ભારતી. 498 * જૈન રાસ વિમર્શ Page #548 -------------------------------------------------------------------------- ________________ સદગુરુચરણ નમી રે કહું, શુકન તણા જે ભેદજ લહું; શુકન શુકન મુખ સહુકો કરે, શુકન ભાવજ વીરલા લહે. | (શુ. શા.ચો. ૧-૨) શુકનશાસ્ત્ર ચોપાઈની ૩૪૬ ગાથાઓ પૈકી પ્રથમ ગાથા વિષયનિર્દેશરૂપ મંગલાચરણ દોહાછંદમાં રચાઈ છે. શેષ ૩૪૫ ગાથાઓ પૈકી ગાથા ૭૫થી ૮૫ સુધીની ૧૧ ગાથાઓ દોહામાં અને શેષ ૩૩૪ ગાથાઓ ચોપઈમાં રચાઈ છે. આ ઉપરાંત પંચાણુમી ગાથા પછી પૃષ્ઠ-૯ ઉપર “અઢાર દિશિનો યંત્ર તથા બસો ચોવીસમી ગાથા પછી પૃષ્ઠ ૨૦ ઉપર “કાગડાના સ્વરનું ફલ' દર્શાવતું યંત્ર અપાયું છે. પૃષ્ઠ ૧૭ ઉપર બસોમી ગાથામાં યોજાયેલા “દિસઈ'નું પાદટીપમાં દિપ્તઈ' – એવું પાઠાન્તર પણ નોંધાયું છે. પૃ. ૩૧ ઉપર // તિ શનશાસ્ત્ર વોપારું સંપૂર્ણ છે એમ ગ્રંથ પૂર્ણ થયા બાદ પૃષ્ઠ ૩૨ અને ૩૩ ઉપર સંભવતઃ શુકનશાસ્ત્રના અભ્યાસમાં નક્ષત્રનો સ્વાધ્યાય આવશ્યક હોવાથી પંદર ચોપાઈમાં નક્ષત્ર સ્વાધ્યાય પરિશિષ્ટરૂપે મુકાયો છે. શુકનશાસ્ત્રચોપાઈ ગ્રંથને મૂળ લેખક જયવિજય અધ્યાયોમાં વિભક્ત કરવા ઇચ્છતા હશે, એવું ૧થી ૨૦૯ ગાથા પછી દુર્ગાશકુન સમાપ્ત થયાના નિર્દેશ પછી આવતા ઇતિ પ્રથમોધ્યાયઃ ઉલ્લેખથી લાગે છે. પરંતુ દ્વિતીય અધ્યાયના આરંભ કે અંતનો નિર્દેશ ન થયો હોવાથી ગ્રંથનું અધ્યાયમાં વિભાજન સ્પષ્ટ અને સુરેખ બનતું નથી. ગાથા ૨૧૦થી ૩૪૫ સુધીનો ગ્રંથભાગ કર્તાને દ્વિતીય અધ્યાયરૂપે અભિપ્રેત હોય એ શક્ય છે. જોકે કર્તાએ ગ્રંથના વિભાગો મુખ્યત્વે શકુનોના ભેદોને આધારે કર્યા છે. એ દૃષ્ટિએ ગ્રંથ ૧૩ ખંડોમાં વિભાજિત થયો છે. દરેક ખંડને અંતે ત મે મહિના શુકન સંપૂf (શુ.શા.ચો. પૃ.૫), રૂતિ કુશન સમાપ્ત (શુ.શા.ચો. પૃ.૧૮), રૂતિ તાંતર/પ૨નામાdશશ®ન સમાપ્ત (એજન-પૃ.૧૯), ડૂત શન (એજન પૃ.૧૯), ત શવાશન (એજન પૃ.૨૨), રૂતિ મૃ1શન (એજન પૃ.૨૩), રૂતિ નાહારશદ્દન (એજન પૃ.૨૪), રૂતિ નીટશન (એજન-પૃ.૨૬), ડૂત નંવૂશન (એજન પૃ.૨૬), ત છીશદ્દન (એજન પૃ.૨૮), રૂતિ થાનગુન (એજન પૃ.૩૦), ૩થે પ્રશતિ (એજન પૃ.૩૧), રૂતિ શનશાસ્ત્ર વોપા સંપૂuf (એજન પૃ.૩૧) – એવો ઉલ્લેખ થયો છે. પ્રથમ બે ખંડોને બાદ કરતા શેષ સર્વ ખંડોનો આરંભ પણ થ તીતરશન, થ યુવરશુદ્... મથ પ્રશસ્તિ. શકુનશાસ્ત્રચોપાઈ : ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું ભાગ્ય શાસ્ત્ર + 499 Page #549 -------------------------------------------------------------------------- ________________ એવા શબ્દોથી કરાયો છે, જેથી ગ્રંથવિભાજન સુરેખ બન્યું છે. જોકે શ્રી આનંદકાવ્યમહોદધિ-ભા.૭ના સંપાદકશ્રી મુનિશ્રી સંપતવિજયે વાચકોની સગવડ માટે વિષયોપવિષયોને કેન્દ્રમાં રાખી ગાથાનો ક્રમાંક દર્શાવી વિસ્તૃત વિષયાનુક્રમ આપ્યો છે. પંડિત જયવિજયરચિત આ “શુકનશાસ્ત્ર ચોપઈ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડ શ્રેણીના ૬૬મા મહાકાવ્યરૂપે પ્રકાશિત આનંદકાવ્યમહોદધિ ભા.૭” (સં. મુનિશ્રી સંપતવિજય, પ્રકાશક: જીવનચંદ સાકરચંદ ઝવેરી, મુંબઈ ઈ.સ.૧૯૨૬)માં સંગૃહીત થઈ છે. “શુકનશાસ્ત્રચોપાઈ'નું વિષયનિરૂપણમૂલક ૧૩ ખંડોમાં થયેલું. વિભાજન પણ જોઈએ તેવું સુરેખ અને સ્પષ્ટ નથી. મુખ્ય વિષયના નિરૂપણમાં પ્રવેશી જતો સ્વતંત્ર એવો ગૌણ વિષય મુખ્યવિષયને ક્યારેક બાજુ પર ધકેલી દે છે. પ્રથમ ખંડ ધામ માહિના ગુન’ પછી ‘ગામ બાહિર શુકનનાં નિરૂપણમાં બે પ્રશ્ન, અઢાર દિશાનાં શુકન, શાંત-દીપ્ત કાર્યભેદો અને દુર્ગાશુકનનું સંમિશ્રણ વિષયને દુરુહ બનાવી દે છે. સૌપ્રથમ વિષયવસ્તુનો પરિચય મેળવીશું. ગામ માહિલા શુકનઃ સબળ સુકનના ઘણા પ્રકારો છે. એમાં ગામમાં અને નગર બહાર પૈકી પ્રથમ ગામ માંહિલા શુકનની વાત કરતા પ્રયાણ કરવાના દિવસે કઈ કઈ વસ્તુ ન કરવી તેનું નિરૂપણ થયું છે : વર્ય વસ્ત: ૧. ક્ષૌર = મુંડન ન કરવું ૨. વમન = ઊલટીની પ્રક્રિયા ન કરવી. ૩. શરીરે તેલનું મર્દન ન કરવું ૪. મૈથુન = સંભોગ ન કરવો ૫. કલહ = ઝઘડો કંકાસ-કજિયો ન કરવો ૬. રુદન = રડવું કકળવું નહીં. ૭. મદ્યપાન કરવું નહીં ૮. મનને સમજ આપી જુગાર ન રમવું. ૯. કડવાખાટા પદાર્થો તથા દૂધ-ગોળવાળું ભોજન ન કરવું. ૧૦. માંસ, તૈલી વાનગી અને મધ ન ખાવું. ઉપરોક્ત વસ્તુ વર્જવાથી સુખરૂપે પ્રયાણ કરી શકાય છે. અન્યથા જતીવેળા જ શરીર-મન કલુષિત થઈ જતાં પ્રયાણ કષ્ટદાયક બની જાય છે. અપશુકન નિવારણના ઉપાય: પથિક પ્રયાણ કરવા નીકળ્યો હોય ત્યારે માઠા શુકન થાય તો તેના નિવારણ માટે નીચેના ઉપાયો યોજવા : ૧. પથિકને માઠા શુકન થતાં પથિકે પાછી વળીને પડખું ફેરવી લઈ આઠ વાર 500 * જૈન રાસ વિમર્શ Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્વાસોચ્છવાસ લેવા. આટલો વિલંબ કરીને પછી પથિકે હૈયામાં હર્ષ ધારણ કરી પ્રયાણ કરવું. ૨. જો ફરી અપશુકન થાય તો પૂંઠ ફરી સોળ શ્વાસોચ્છુવાસના પ્રાણાયામ કરી પછી પ્રયાણ કરવું. ૩. ત્રીજી વાર શુકન ન થયા હોય એટલે કે ત્રીજી વાર અપશુકન થાય તો તે દિવસે કોઈ પણ વ્યક્તિએ પ્રયાણ કરવું નહીં. જે વ્યક્તિ શુભ શુકનમાં પ્રયાણ કરે છે તે લાભ, લોભ અને વિજય પ્રાપ્ત કરે છે. માઠા શુકન થયા હોય ત્યારે પ્રયાણ ન કરવું. એટલું જ નહીં પ્રધાન મુખ્ય-મોભી) પુરુષને કહ્યા વિના એની રજા લીધા વિના પ્રયાણ કરવું નહીં. શુભ શુકન : કાર્યસિદ્ધિમાં આવનારાં સર્વ વિબો દૂર કરી દેનારા અતિશુભશુકન આ પ્રમાણે છે: ૧. વેદધ્વનિ = વેદમંત્રોનો ઘોષ ૨. વીણાવાદન ૩. રાજા રથનાં દર્શન ૪. શંખનાદ તથા ભેરીનાદ, ૫. રાજછત્ર, સિંહાસન કે હાથીના દર્શન ૬. યોગિનીનો જયજયકાર થતો હોય છે. વાછડા સહિતની ગાયની સ્તુતિ કરી શ્વેત પુષ્પની માળા પહેરાવી (અથવા વાછડા સહિતની ગાય, બાળકની મંગલવાણી, શ્વેત પુષ્પમાળા અર્પણ કરે) ૮. દહીં, દુર્વા (દાભડો) અને મદ્ય લઈને આવનારા લોકો પ્રયાણવેળા સામા મળે – આવા અતિ શુભશુકન થતા – અલિય વિઘન સવિ દૂર ટલે' (શુ.શા.ચો.૧૧) - સર્વ અનિષ્ટ-વિબો દૂર ટળી જાય છે. માઠા શુકન: ગુણવાન વ્યક્તિ નીચેના માઠા અપશુકનો થતા જોઈ પ્રયાણ કરવાનું માંડી વાળે છે: ૧. કેશ – હાડકા – લોખંડ – સાંકળ - રાખ – ઈંધણ અને કપાસ નજરે ચડે ૨. કોઈ વ્યક્તિ કાં જાત – કિહાં જાવ' એવો પ્રશ્ન કરે ૩. ફકરા (ફીકા, પંગુ – ઠાલા હાંડલા નજરે ચડે. છે. પકાવ્યા વિનાના ચામડા (રાટુયાં વિટલ વિણ ચામડાં) છાસ-વિષ-ત્રણ ખપ્પર કટારી અઈદની ખોલ. નજરે પડે. ૫. સાપ-બિલાડો-મરીભલી તેલગોળ નજરે પડે. ૬. ઠીંગણો-વેરી-વિરવો નહીજડો-બહુરૂપિયો - છકી ગયેલો(છાકટો) અને કંજૂસ માણસ નજરે ચડે. ૭. ઠેસ (ઠોકર) વાગે. ૮. ગધેડા કે પાડા પર સવાર થયેલો પુરુષ નજરે ચડે (સામે આવે) ૯. ગર્ભવતી અને રજસ્વલા સ્ત્રી નજરે પડે. ૧૦. ખોડો (લંગડો, આંધળો, અંગહીન, પતિત, પવૈયો (પાવે, રોગી કે દીનદુનઃખિયારો સામો મળે. ૧૧. સસલો, સેહલો (શેળો), કાચિંડો નજરે પડે. ૧૨. પગ ઠોકરાતા (અખડાતા) પાઘડી શકુનશાસ્ત્રચોપાઈઃ ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભા શાસ્ત્ર * 501 Page #551 -------------------------------------------------------------------------- ________________ ઢળી પડી જાય ત્યારે ૧૩. પાલવ-વસ્ત્રનો છેડો કાંટામાં ભરાઈ જાય – આવા અપશુકન થતા સુગુણી માણસ પ્રયાણ કરવાનું માંડી વાળે છે. શુકનિયાળ – અપશુકનિયાળ વસ્તુ, ઘટના કે પરિસ્થિતિઃ પ્રમાણમાં કઈ કઈ વસ્તુ કેવું ને કેટલું પળ કે દુષ્ટફળ આપે છે તેનું નિરૂપણ ૧૬થી ૪૭ ગાથામાં લખ્યું છે : ૧. નવું સિંહાસન સર્વ પ્રકારની સિદ્ધિ આપે છે તો જૂનું સિંહાસન અડધું ફળ આપે છે. ૨. ત્રણ પાયાવાળો, માંચી અને ખાટલો જો સાદડીથી (તડસાડથી-ખજૂરીના પાનથી) ભરેલો હોય તો એ યોગ્ય નથી, સુખદાયક નથી. પથિક જ્યારે માર્ગે ચાલવા માંડે દુઃખદાયક બને છે, પેટ-પગની પિંડી અને પગમાં પીડા જન્માવે છે. ૩. પથિકે બધાં હથિયારોને બરાબર સજાવવાં (ધાર કાઢવા) જોઈએ પરંતુ વાળંદના હજામતનાં હથિયારો હંમેશાં તજી દેવાં. ૪. બધા જ પ્રકારનું લીલોતરી શાકભાજી (નીલો સાક) સારું હોય છે પરંતુ કાલિંગ (તડબૂચ) ન લઈ જવું. ૫. માછલીનું જોડું પૂરું ફળ આપે છે પરંતુ સુકાઈ ગયેલું માછલું ક્યાં તો નિષ્ફળ કરે અથવા સંભવિત ફળ હરી લે છે. ૬. સૂર્યકિરણોથી ખીલતા કમળ. રાત્રે ખીલેલા નજરે ચડે અને ચંદ્રથી ખીલતા કુમુદ (પોયણાં) દિવસે ખીલેલા નજરે ચડે તો પથિકના મનોરથ નિષ્ફળ જાય છે. ૭. વ્યક્તિની ગોરી પાની અને કાળી પાની નજરે ચડે તો તુચ્છ ફળ આપે છે. ૮. રજ (ધુળાળો) અને કાકર (કાંકરા) પ્રયોજનને નિષ્ફળ કરે છે. એ જ રીતે રાતાં ફૂલ સન્મુખ ન થાય એની કાળજી રાખવી. ૯. અરીસો હામો મળે અને તેમાં જો પથિક પોતાનું મોટું જુએ તો બધાં જ દુઃખ (આરતી-અતિશય પીડા) ટળે છે પરંતુ જો મુખ ન જુએ તો પથિકને મરણનો ભય દુઃખ પમાડે છે. ૧૦. ધોવા. માટે પલાળેલા વસ્ત્ર સામા મળે તો સુખદાયક, ધોવાઈને પાછા વળતા વસ્ત્ર સામાં મળે તો મનમાં ચિંતા ઉપજાવનાર અને તલાઈ સામે મળે તો બધી જ અસહ્ય પીડા (આરતી) દૂર કરનાર બને છે. ૧૧. ધાતુઓમાં સોનું-ચાંદી ખૂબ લાભપ્રદ બને પણ અન્ય તાંબુ આદિ ધાતુથી અપાર હાનિ થાય છે. ૧૨. ગાયનું છાણ સુખ આપે પણ ભેંસનું છાણ હંમેશાં ચિંતા ઉપજાવે છે. ૧૩. ડાંગર અને ઘઉં છોડા સાથે હોય તે શુભ છે, ઈણધાંને થતા જયજયકાર કરાવનાર થાય છે. ૧૪. તલ હાનિ કરે તો કુકસ (કંસકી) ધાન તુચ્છ ફળ આપનાર બને છે. ૧૫. દળેલું ધાન્ય રતિભાર સુખ ન આપે, શેકેલું ધાન્ય 502 જૈન રાસ વિમર્શ Page #552 -------------------------------------------------------------------------- ________________ સામે મળતા રિદ્ધિ (ધનસંપત્તિ) દૂર ભાગે, રાંધેલા ધાન્યથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય, અને કોહી ગયેલું ધાન્ય કષ્ટદાયક બને છે. ૧૬. નરેન્દ્ર (ઉત્તમ પુરુષરાજા)ની વાણી સાંભળવામાં આવે, પ્રત્યક્ષ દર્શન થાય કે નરેન્દ્ર સામે મળે તો આનંદ ઉપજાવનાર બને છે. ૧૭. અશ્વને ઘોડારમાંથી બહાર કાઢી જે રાજા એકલો એકલો જ અશ્વારુઢ થઈ દોડાવી મૂકે તો તે અશ્વારુઢ રાજા શુભ ગણાતો નથી. ૧૮. મહાભારતમાં વેદવ્યાસે ય કહ્યું છે કે, જેન યતિનું દર્શન શુભ હોય છે. ૧૯. વિદ્યાવંત આચાર્ય સામે મળે તો એક પટ્ટે રાજ્યશ્રી આપનાર બને છે. ૨૦. શુકનાર્ણવ ગ્રંથ સાક્ષી પૂરે છે કે, રાજા-મોર-અશ્વહસ્તિ-વૃષભ અને શ્વેતાંબર સામા મળે તો મનના મનોરથ સફળ થાય છે. ૨૧. ભિક્ષા પામેલો ભીક્ષાચર સામો મળે તો બધાં જ વિઘ્નો હરી લેનારો બને છે પરંતુ ભીક્ષા ન પામેલો ઠાલો ભીક્ષુક સામો મળે તો અનર્થ આપનારો થાય છે. ૨૨. વેશ્યા સન્મુખ થાય તો મંગલકારી બને. જોકે વિવાહ માટે જતા હોય તો એ શુભ ફળ આપતી નથી. એનાથી ક્યારેય સંતતિપ્રાપ્તિ સંભવતી નથી. જો વૃદ્ધ વેશ્યા સામે મળે તો હંમેશાં બધાં જ કાર્યો મનોરથ. નિષ્ફળ થાય છે. ૨૩. પૂર્ણ કુંભ સામે મળે તો પૂર્ણ ફળ મળે, અધ ભરેલ કુંભ અધું ફળ આપે, કુંભનું જોડકું છલકતું તો મહપુણ્યયોગે જ સામું મળે. જોકે ઠાલો કુંભ સામે મળે તો તે અશુભ ફળ આપનાર બને છે. ઠાલો કુંભ લઈ જતી સ્ત્રી પૂંઠ ફરીને પથિકને કશું કહે તો તે પથિકની ચિંતા ટળતી નથી, એનું મન ઉદ્વિગ્ન જ રહે છે. ૨૪. પથિકને પરણીને આવતા મનભાવતા વર-કન્યા ભાગ્ય હોય તો જ સામે મળતા હોય છે. ૨૫. કાળાનીલા વસ્ત્રો પહેરેલા સ્ત્રી-પુરુષ સામે મળે તો તે પથિકનું કાર્યસિદ્ધ થતું નથી. જેમ ખૂબ વરસાદ વરસે ખરો પણ એ વરસાદનું કશું ફળ ન નીપજે તેવું મેહ કાજ મેહ વરસે ઘણું) પથિકનાં કાર્ય બાબતે પણ બને છે. (૨૬) ગાડુ તાણતો, ગાડે જોતરાયેલો પુરષ જો પથિકની નજરે પડે તો પથિકનો વધ, બંધન કારાવાસ) અને મરણ આવી પડે છે. (૨૭) એક બળદ જોડેલું ગાડું સામું ન મળે તે જ પથિકને માટે સારું છે. ૨૮. ઊંટ પર સવારી કરેલો પુરુષ મરદ્યે ઘણું, દોડતું ઊંટ સામે મળે તો તે પથિકને અતિશય કષ્ટ આપનાર બને, ઘણાં (ષણા) ઊંટ = ઊંટનું ટોળું = સામા ઊતરે તો કુશળ પથિકને દુષ્કાળ વેઠવો પડે છે. ૨૯, વીયાયેલી ભેંશ પ્રવેશે તો શુભ શુકન થાય પણ વિવાહ સંદર્ભે આરંભાનારા કાર્યમાં પાડી સહિત ભેંશ પ્રવેશે તો શકુનશાસ્ત્રચોપાઈઃ ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભાવ્ય શાસ્ત્ર 503 Page #553 -------------------------------------------------------------------------- ________________ અશુભ શુકન થાય, પાડી સહિત ભેંસ ઘરમાં પ્રવેશે તો રિદ્ધિ (ધનસંપત્તિ) મળે, રતિકાળમાં/રજસ્વલા ભેંશ ઉફાંગે ચડીને ધસી આવે તો પથિકે પ્રયાણ ન કરવું, પાણી ભરેલો પખાલ ભરેલો) પાડો વિજયનું શુકન કરે પણ બીજા પાડા શુભશુકન હરી લે છે. ૩૦. વૃષભ પર આરૂઢ થયેલી નારી સામે આવતી દેખાય તો પથિકને ઘણો લાભ થાય છે. ૩૧. વેચવા કે કરિયાણું ખરીદવા જતા હોય ત્યારે વીંછી સામે આવે તો કરીયાણું ખરીદવામાં-વેચવામાં ઘણો લાભ થાય પરંતુ સાથે જ રાજા તરફથી અને વેરી તરફથી ભય પણ રહે છે. તેથી વીંછી પ્રવેશે તો જવાનું ટાળવું હિતાવહ છે. ૩૨. રુદન ન થતું હોય એવી શબયાત્રા સામી મળે તો મનના મનોરથ ફળે છે. પરંતુ મજાકમશ્કરી થતી હોય એવી શબયાત્રા સામી મળે તો રોગ અને મરણનો ભય રહે છે. (૩૩) પુત્રપ્રાપ્તિની ઇચ્છાવાળાને સામો દીવો મળે તો પુત્રની અને દીવી મળે તો પુત્રની પ્રાપ્તિ સંભવે છે. એ દીવા-દીવીની દીવેટ નાની (વૃત્તિ થોડી) હોય તો રોગ થવા સંભવ છે. જો દીવા-દીવીમાં થોડુંક જ તેલ હોય તો પુત્ર-પુત્રી અલ્પાયુ થાય. ૩૪. પ્રયાણ માટે જો દીપક પ્રત્યક્ષ થાય અને બીજા શુકન ન થાય તો યાત્રા છોડી ઘરે પાછા આવી જવું. ૩પ. પૂર્વ ઋષિઓના મતે રોગીને જો સામે અગ્નિ મળે તો અશુભ શુકન થાય અને વિદ્યાર્થીને જો સામે અગ્નિ મળે તો શુભ શુકન થાય છે. ૩૬. કરસણી ખેડૂત) તપોધન-નપુંસક કે બાળક હાથમાં અગ્નિ સાથે સામો મળે તો મૃત્યુ (રોગીને) મળે. ૩૭. ધુમાડાવાળા અગ્નિ સાથે ઉપરોક્ત લોકો પ્રવેશે, મળે તો તત્પણ ઉત્તમ (સુહગુ) ધાન હરી લે છે. ૩૮. કોઈ પુરુષ આંધળાને તાણી જતો સામે મળે તો બધા જ (સહી) સુખ હરી લે છે. નારી સહિત અંધ સામે મળે તો હાનિ કરે પણ અંધપુરુષ આપબલે જ ચાલતો સામે મળે તો તે પથિક સામે પ્રશસ્ય ગણાય છે. “ગ્રામ માંહીલા શુકન ખંડમાં વર્જ્ય વસ્તુ, અપશુકન-નિવારણના ઉપાય, શુભાશુભ શુકન – એમ સર્વ અંગોનું ક્રમિક નિરૂપણ થયું છે. એમાં શરીર, મન, હૃદય, ગૃહજીવનને ઉગ કરતા આહાર-વિહાર અને આચાર-વિચારને કેન્દ્રમાં રખાયા છે. આ ખંડમાં આયુર્વેદ, ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર અને લૌકિક જીવનમાં બનતા વિવિધ પ્રસંગો-પરિસ્થિતિનો વ્યક્તિ પર પડતા પ્રભાવનું નિરીક્ષણ, પરીક્ષણ ને આકલન કરતી લોકવિદ્યાનો વિનિયોગ કર્યો છે. એટલું જ નહીં અપશુકન-નિવારણના ઉપાયોમાં યોગશાસ્ત્ર પણ પ્રયોજાયું છે. 504 * જૈન રાસ વિમર્શ Page #554 -------------------------------------------------------------------------- ________________ શુકનશાસ્ત્ર ચોપાઈના ગામ બહાર શુકનમાં પંડિત જયવિજયે સર્વ પ્રથમ અષ્ટાદશ દિશાઓ, શાંત અને દીપ્ત એવા બે પ્રકારના પ્રશ્ન, દિશાકાળ-સ્વર-ચેષ્ટા-ગતિ-સ્થાનક-ભાવ-શાંતદિપ્ત કાર્યનો વિચાર કર્યો છે. અઢાર દિશાઓમાં પૂર્વ, લઘુમૂલ, અગ્નિકોહા, તોરણિયો ચિતાર, દક્ષિણ=નિવાસ, લંબક, વમવાસ, નૈઋત્ય-પ્રમાણ, પંચરાધિ, પશ્ચિમ, પંચરાતિ, વાયવ્ય ખૂણો = ખરક, પંચારક-રિતડિ, ઉત્તર ધ્રુવ, ભરિહડિ, ઈશાન, માહરુ=અઘોર, અધોદિશા અને ઊર્ધ્વદિશાનો સમાવેશ થાય છે. દિશાના અયનો, ઋતુઓ, દિવસનો પ્રાતઃકાળથી નિશિથ પર્વતના ખંડ, પ્રપ્રભાવ, રાશિ-નક્ષત્ર, ગ્રામભૂગોળ - એમ વિવિધ તત્ત્વોનો વિનિયોગ કરી સંભવતી વિવિધ પરિસ્થિતિઓ અને પ્રસંગોનું પરીક્ષણ, સમીક્ષણ અને અર્થઘટનમાંથી નીપજેલા શુભાશુભ શુકનનું કથન કર્યું છે. - પંડિત જયવિજયે દિશાના શાંત અને દીપ્ત એવા બે પ્રકાર દર્શાવ્યા છે. એ પૈકી ભસ્મ, દગ્ધ, જ્વલિત, અલિંગીતા અને ધૂમિતા એ પાંચ દીપ્ત દિશા છે તો શેષ દિશા શાંત દિશા ગણાય છે. દીપ્ત દિશાઓમાં અગ્નિ, ઈશાન, ઉત્તર, પૂર્વ, તોરણીયો અને ભરિહડિનો સમાવેશ થાય છે. જ્યારે સૂર્યનું ઉત્તરાયન થાય છે ત્યારે ઈશાન કોણ જ્વલિત થાય અને દક્ષિણાયન થાય ત્યારે અગ્નિકોણ જ્વલિત થાય છે. પંડિત જયવિજયે જ્યોતિષશાસ્ત્રાનુસાર અષ્ટ ગ્રહોનો સ્વભાવ અને પ્રભાવ વર્ણવ્યો છે. એ માટે એમણે વિવિધ જાતિ-જ્ઞાતિ સાથેનું સાદગ્ય જોડી વિશદતા પ્રકટ થઈ છે. રવિ કલંબી (કુટુંબી), સોમ રઈત્ર, મંગળ રાજકુળ, બુધ વણિક, ગુરુ બ્રાહ્મણ, અને શુક્ર મુસલમાન સદેશ છે. એ જ રીતે પનોતી બેસે તે વ્યક્તિને પહેલે પાયે માન મળે, બીજે પાયે માન બેવડું થાય, ત્રીજે પાયે રડવા વારો આવે, ચોથે નિષ્ફળતા મળે. ગામ બહારના શુકનો એક કોશની સીમા સુધી પ્રભાવક બની શકે છે. શુકનને અવગણી જે પથિક દીપ્ત દિશામાં જાય તેવા પથિકને એવું કહેવું નહીં કે – “તને કશું જ નહીં થાય.” પંડિત જયવિજયે દુર્ગાશુકન જોવાની વિધિ દર્શાવી છે. તેમણે દુર્ગાશુકનના દર્શન, ચેષ્ટા, સ્વર, ગતિ અને મુખમાં રહેલું ભક્ષ્ય – એમ શકુનશાસ્ત્રચોપાઈઃ ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભાત્ર શાસ્ત્ર * 505 Page #555 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકાર માન્યો છે. એ પાંચ પ્રભેદમાં પણ ફળસંદર્ભે ઉત્તરોત્તર ચડિયાતો પ્રભાવ વર્ણવાયો છે. જેમ કે – દુર્ગાના દર્શન કરતાં ચેષ્ટા, ચેષ્ટને મુકાબલે સ્વર, સ્વર કરતાં ગતિ અને ગતિને મુકાબલે ભક્ષણ ઉત્તરોત્તર વિશેષ પ્રભાવક હોય છે. પંડિત જયવિજયે દુર્ગાશકુનોની વિસ્તૃત યાદી તથા તેનાં ફળ વિસ્તૃત રૂપે વર્ણવે છે. એ જ રીતે તીતરશુકન, ઘુઅડશુકન, શિવાશુકન, હરિણશુકન, નાહારશુકન, લાટશુકન, જંબૂકશુકન, છીંકશુકન, પલ્લીગૃહગોધાશકુન, શ્વાનશકુન પણ વિસ્તૃત રીતે નિરૂપાયાં છે. શુકનશાસ્ત્રચોપાઈના અંતે પ્રશસ્તિમાં રચનાસમય, રચનાસ્થળ, આશ્રયદાતા, ગ્રંથરચના પાછળનો ઉદ્દેશ, શકુન શાસ્ત્રની પરંપરા અને ગુરુવંદના થઈ છે. જયવિજયે પરિશિષ્ટરૂપે નક્ષત્ર સ્વાધ્યાય જોડ્યો છે. આમ પંડિત જયવિજયરચિત શુકનશાસ્ત્ર ચોપાઈ આપણા માટે અજ્ઞાત એવા શુકનશાસ્ત્રની મધ્યકાળમાં દઢ થયેલી પરંપરાનું પરિપક્વ ફળ સમી સંદર્ભગ્રંથ: ૧. શ્રી આનંદ કાવ્યમહોદધિ ભા-૭. 506 જૈન રાસ વિમર્શ Page #556 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૪ હિન્દી નિબંધો. Page #557 --------------------------------------------------------------------------  Page #558 -------------------------------------------------------------------------- ________________ रेवंतगिरिरासु - एक परिचय प्रो. डॉ. रूपा चावडा उमा आर्ट्स एण्ड नाथीबा कोमर्स महिला कोलेज, गांधीनगर, गुजरात अपभ्रंशसे उद्भव हुई, अन्य भाषाओंके आरंभ काल में रचित काव्यकृतियां रास हैं। जैन धर्म के प्रचार हेतु लिखी गई रास कृतियो में केन्द्रस्थान पर धर्म और समाज रहा है। मुस्लिम शासनकाल में धर्म, साहित्य के ध्वंस समयमें लोकरुचिके अनुकूल लोकभाषा में, धर्माव बोध हेतु, पूर्व साहित्य से कथानक लेकर रास काव्यों की रचना हुई है। मध्यकाल में जैनरास काव्यों की एक विशिष्ट भूमिका रही। उत्तरगौर्जर अपभ्रंश भाषा-भूमिका में प्राप्त रास गेय है। श्री मं. मजमुदार कहते है - ‘प्राचीन गुजराती में रास लिखे गये उससे पूर्व अपभ्रंश में उपदेशात्मक पद्य-प्रबंध थे, जो रास नाम से जाने जाते थे। ये प्राचीन संधिकाव्य भी गेय रहे होंगे।' कडवकबद्ध गेय कविता प्रचारमें आने से रेवंतगिरिरासु जैसे रासका सर्जन होने लगा।' ई. स. १२३२ में रचित रेवंतगिरिरासु में - रंगिहि ए रमइ जो रासु ...... (४/२०) इस प्रकार रास रंगपूर्वक खेले जानेकी, समूह में गाने की काव्यविद्या के रूप में दिखाई देता है। (उत्सवों के समय जैन मंदिरो में ये रास गाये व खेले जाते थे।) रेवंतगिरिरास के चारो कडवक गेय गीतोमें रचित व नृत्यमें स्पष्ट रूपसे प्रयुक्त थे। इस प्रकारकी रचनाओं के मूलमें नृत्यप्रकार है। - ('एक से अधिक नर्तकों द्वारा प्रयोजित तालबद्ध ६४ युगल द्वारा प्रस्तुत नृत्य को रास कहा जाता है।') आरंभ में ताल, अंगचेष्टाओं के साथ गान रहता था, पश्चात् वह गेय रूप में ही रहा। ऐतिहासिक मूल्य से युक्त रेवंतगिरिरासु की रचना काव्य के अंत में निर्देश किये अनुसार वस्तुपाल-तेजपालके समकालीन विजयसेनसूरिने की है - रंगिहि ए रमइ जो रासु, सिरिविजयसेणि सूरि निम्मविर ए। रेवंतगिरिरासु - एक परिचय * 509 Page #559 -------------------------------------------------------------------------- ________________ विजयसेनसूरि नागेंद्रगच्छ के अमरचंद्रसूरि के शिष्य हरिभद्रसूरि के शिष्य थे, व वस्तुपाल-तेजपाल के गुरु थे। महेंद्रसूरिके शिष्य शांतिसूरि और इसी परंपरा में आनंदसूरि-अमरसूरि-हरिभद्रसूरि और उनके शिष्य विजयसेनसूरि हुए।३ वस्तुपाल-तेजपालने गिरनार, आवू, तारंगा आदि पर देरासर, जिन प्रतिमाओं की स्थापना आदि कार्य किये, इसके प्रेरक विजयसेनसूरि रहे। जैसा कि रेवंतगिरिरास में कहा है - नायलगच्छ मंडणउ विजयसेनसूरिराउ । उवएसहि बिहु नरपवरे, धम्मि धरिउ दिढुभाउ ।। इस बात की पुष्टि के १८ लेख मिलते है । जिस में सं. १२८५ - तारंगा पर सूरिने वस्तुपाल द्वारा आदिनाथ बिम्बकी प्रतिष्ठा करवाने का निर्देश करते हुए व स १२९६ आबू पर स्थित, जिस में भिन्न भिन्न तीर्थमि वस्तुपाल द्वारा मूर्तिप्रतिष्टा करवाने का उल्लेख है। इ.स. १२३२में गिरनार पर नेमिमंदिर बनवाने का उन्होंने तेजपालको उपदेश किया था। तेजपालने आबूगिरि पर नेमि का भव्यमंदिर बनवाया, जिसमें बिम्बप्रतिष्ठा अपने गुरु नागेंन्द्रच्छ के विजयसेनसूरि से. सं. १२८७ में करवाई।६ गिरनार पर के पर्वतलेख सं. १२८८ के है, इसी समय में इस रासकी रचना मान सकते है। उपरोक्त प्रमाणों से वस्तुपाल-तेजपाल के सुकृत्योमें गुरु विजयसेन का नाम मिलता है। वस्तुपाल कृत नरनारायणानंद काव्य (सर्ग-१६ श्लो. ३१ से ३७) में कहा है - नागेन्द्र गच्छ के आदर्श ऐसे विजयसेनसूरि के अमृततुल्य वचनोंका आस्वाद करनेवाला, धर्मपथ का पथिक में - जिसने कईबार रैवतकादि तीर्थोंकी यात्रा की है। ___ रसायुगकी आरंभकालीन कृतियां भरतेश्वर बाहुबलि घोर (ई ११६९), भरतेश्वरबाहुबलिरास (ई. ११८५) पश्चात् रचितकृति रेवंतगिरिरास एक विशिष्ट वर्ग प्रस्थापित करती है। जैन परंपरामें रेवंतगिरि या गिरनार का अति माहात्म्य है। नेमिनाथ के तीन कल्याणक-दीक्षा, केवलज्ञान व निर्वाण - यहां हुए है। गिरनार का मूलनाम उर्जयंत है। स्कंदगुप्त के गिरनार के लेखमें (ई-४५६) चक्रपालित ने एकही पर्वत के लिये दोनों नाम दिये है। गिरनार, उर्जयंत व सुवर्णसिक्ता 510 * छैन यस विमर्श Page #560 -------------------------------------------------------------------------- ________________ नदीके नाम रुद्रदामन के शिलालेखमें है। रेवंतगिरिरास में रेवंत, उज्जिल उज्जिंत, गिरनार - ये शब्द प्रयुक्त है। जैन धर्म में तीर्थस्थानों का अति महत्व होने से गिरनार, शत्रुजय आदि तीर्थोंको केन्द्र में रखकर रास लिखे है। मंदिर निर्माण, जीर्णोद्धार, प्रतिमाप्रतिष्ठा आदि भी इसमें समाविष्ट होते हैं । ___'रेवंतगिरिरासु' में कविने ऐतिहासिक प्रसंगो को मूर्त किया है। अतः ऐतिहासिक मूल्य भी बनता है। तीर्थप्रशस्ति उपरान्त कविता व गेयता भी यहां निहित है, जिससे यह केवल प्रशस्ति न रहते हुए एक काव्यकृति बनती है। कविने प्रकृतिवर्णन, मंदिर-पर्वतकी शोभा, वनस्पति आदि वर्णनोंसे काव्य को सजाया है। रसायुगके प्रारंभ की रचना होनेसे वर्णनादिमें संस्कृत व अपभ्रंश काव्यों का प्रभाव है । गुजराती काव्यसाहित्य के लक्षण व परंपरा अभी स्थापित नहीं हुए। रास के आरंभमें जिनेश्वर - तीर्थंकर की स्तुति के पश्चात् देवीकी स्तुति परमेश्वर तित्थेसरह पयपंकय पणमेवि भणिसु रासु रेवंतगिरे, अंबिकदेवि सुमरेवि । रेवंतगिरि पर तेजपाल आदि के कार्योकी प्रशंसाहेतु रचे गये इस रास के आरंभ में सोरट देश का वर्णन है। गामागर पुर वणवहण सरि सरवरि सुपएसु देवभूमि दिसि पच्छिमह, मणहरु सोरठदेसु । (ग्राम, खान, पुर, वन, गहन नदियों व सरोवरोंसे शोभित प्रदेशोंवाला देवभूमिरूप मनोहर सोरठदेश पश्चिम दिशामें स्थित है।) तत्पश्चात् ऐतिहासिक प्रसंग कवि गूंथते जाते है। रासा प्रकारके आरंभ की यह कृति ऐतिहासिक प्रसंगो के आलेखनमें एक ढाँचा - परंपरा स्थापित करती है, जिसमें पश्चात्काल में जोड होते रहे है। कवि कहते है कि - यहाँ रेवंतगिरि पर नेमिकुमार का देवालय है, देशदेशांतर से संघ यात्रा के लिये आते है। तसु मुह सणुदसद्दिसिवि देसदेसंतऊसंघ । पोरवाड कुलकी शोभारूप आसाराय का पुत्र वस्तुपाल उत्तम मंत्री है रेवंतगिरिरासु - एक परिचय * 511 Page #561 -------------------------------------------------------------------------- ________________ व उसका भ्राता तेजपाल है। उस समय धोलका में गुर्जरधरा में वीरधवलदेव राजा था। नायलगच्छके विजयसेन सूरि के उपदेशसे दोनों भाइयोने धर्म में दृढभाव धारण किया था, धम्मिधरीउ दिदुभाउ । तेजपाल ने गिरनार की तलहटी में गढ, मढ व प्रपाओंवाला तेजलपुर ग्राम बसाया था। करिउ गढमढ पवपवस मणहरु धरि आरामि । वहाँ आसाराय विहारमें पार्श्वनाथ का मंदिर व अपनी माता के नाम से कुमार सरोवर बनवाया था। उस नगर की पूर्व दिशामें उग्रसेनगढदुर्गमें ऋषभदेव आदिके मंदिर बनवाये । यहाँ यात्रीलोग गिर द्वार पर आते थे, जहां सुवर्णरेखा नदीके तट पर पंचमहरि दामोदरका भव्यमंदिर था। जोइउ जोइउ भवियण पेमिं गिरिहि दुयारि। दामोदरु हरि पंचमउ, सुवन्नरेहनइपारि॥ गुज. छाया - (जोयो जोयो भव्यजने प्रेमे गिरिने द्वारे, दामोदर, हरि पांचमो सुवर्णरेखा नदी पारे) गिरिनार, उर्जयंत व सुवर्णसिक्ता (सोनरेखा) के नाम रुद्रदामन के शिलालेख में है। प्राप्त संदर्भो के अनुसार जूनागढ के दामोदरकुंड पर दामोदरराय विष्णु का उल्लेख है ।१० बद्रीनाथ, जगन्नाथ, विठ्ठलनाथ, द्वारिकाधीश-इन चार वैष्णव तीर्थों के चार विष्णु जैसा माहात्म्य दामोदरकुंडके दामोदर का है जिसे पंचम हरि कहा है। इस वर्णनप्रधान रासकृतिमें - कवि गिरिप्रदेशकी विपुल वनराजिका, वर्णन करते है। अगुण अंजण अंबिलीय, अंबाडय अंकुल्ल उंबरु अंबरु आमलीय, अगरु असोय अहल्ले करवट करपट करणतर करवंदी करवीर । कुडा कडाह कयंबकड, करब कदलि कंवीर । सीसमि सिंबली सिरसामि सिंधुवारि सिरखंडा.....। पल्लव-फुल्ल-फलुल्लसिय, रेाइ तए वणराइ तहि उज्जिलतलि धम्मियह, उल्लटु अंगि न माइ। उर्जयंत पर्वतकी तलहटीमें धार्मिक लोग उत्साहसे समाते न थे। गुर्जरदेशमें कुमारपालराजाने सौराष्ट्रके दंडाधिपति के रूपमें श्रीमाली कुल 512 * छैन. यस. विमर्श Page #562 -------------------------------------------------------------------------- ________________ के अंबको नियुक्त किया, जिसने गिरनार पर चढने की पाज बनवाई थी। गिरनारलेख वि. सं. १२२३ लेख नं. ३०में श्रीमाल ज्ञातीयमहं श्री राणिगसूतमहं श्री आंबाकेन पद्या कारिता -११ ऐसा उल्लेख है। यहाँ दक्षिण दिशामें लाखाराम का स्थान है। जयसिंहदेवने राखेंगार को मारकर सज्जनमंत्रीको दंडाधिप बनाया। सज्जनमंत्रीने (सं. ११८५में) गिरनार पर नेमि का मंदिर बनवाया। अहिणवु नेमिजाणिंद तणि भवणु कराविउ और इक्कारसयसहिउपंचासीय वच्छरि, नेमिभुयणु उद्धरि साजणि नरसेहरि। ऐतिहासिक घटनाओंके बीच धर्म और कविता भी अनुस्यूत होते जाते जिम जिम चडई तडिकडणि गिरनारह, तिमतिम उडई जण भवण संसारट्ट । जिम जिम सेऊजलु अंगि पलोट्टए, तिमतिम कलिमलु सयलु ओहट्टए। जिम जिम वायइ वाउ तहि निज्झर सीयलु, तिमतिम भवदुहदाहो तक्खणि तुट्टइ निच्चलु । ___ मूल कृति की गुज. छाया इस प्रकार है। जेम जेम चडे तटे कडणे गिरनारनी, तेम तेम उडे जन भवन संसारनो जेम जेम ते उजल (उर्जयंत) आगळ पळाय, तेम तेम कलिमल सकल उखडे, जेम जेम वायु वाय त्यां निर्झर शीळो तेम तेम भवदुखदाण तत्क्षण तूटे...)१२ यहाँ रसात्मकता होने पर भी कला की अपेक्षा धर्म का प्राधान्य है। जैन कवियों का मुख्य लक्ष्य धर्मनिरूपण रहा है। काव्य के मिष से धर्म ही कहा गया है। काव्यतत्त्व गौण होने पर भी उत्तम रसस्थान दिखाई देते हे जैसे - वर्णन, अलंकार, छंद आदिमें इन कृतियोंको संस्कृत प्राकृत की समृद्ध काव्य परंपरा विरासत में मिली है। निश्चल कोयल कलकल मोर केकारव सुणाय मधुकर मधुर गुंजारव... ...ज्यां उजले छे सुवर्णमय मेदिनी ज्यां दीपे छे दीवा सही सुंदर गुहा-वर गुरु गंभीर गिरि-कंदरा रमणीय उत्प्रेक्षा के साथ कविने रोचक, आस्वाद्य चित्र दिये है।१२ रेवंतगिरिरासु - एक परिचय * 513 Page #563 -------------------------------------------------------------------------- ________________ मिलियनवलवलिदलकुसुमझलेहालिया, ललियसुरमहिलवलयचलण तलतालिया गलियथलकमलमयरंदजलकोमला, विउल सिलवट्ट सोहंति तहिं संमला। मणहरवणगहण रसिरहसिय किंनरा, गेउ मुहुरु गायंतो सिरिनेमिजिणेसरा । जत्थ सिरिनेमिजिणु अच्छरु अच्छरा असुरसुरउरगकिंनरयविज्जहरा। मउडमणिकिरणपिंजरिय गिरियसेहरा, हरसि आवंति बहुभतिभरी निब्भरा | यहाँ मधुर शब्दावली व यथास्थान शब्द - अर्थालंकारकी छटा के साथ ही प्रकृतिदर्शन के उदात्त बिंब मिलते है। कविवर माघने शिशुपालवध (सर्ग-४)में रैवतक गिरिका भव्य उदात्त वर्णन किया है, जिसमें योगियों की उच्च साधना के साथ ही प्रकृति की लीलायें नये - नये रूप वर्णित है। दृष्टोपि शैलः स मुहुर्मुरारेरपूर्ववद्विस्मयमाततान । क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीय कायाः । (४/१७) (बार बार देखे जाने पर भी यह (रैवतकपर्वत) अपूर्व हो, ऐसे मुरारि (श्री कृष्ण) के विस्मय को बढाता रहा, क्षण क्षणमें नवीनता धारण करना ही रमणीयता का स्वरूप है।) पर्वत की दिव्य प्राकृतिक शोभा के वर्णन के मिष से कवि अपना आदरभाव ही व्यक्त करते है। कुछ और ऐतिहासिक प्रसंग रेवंतगिरिरासु में दिये है - जैसे मालवल के भावडशाहने सुवर्ण का (नागरखाना) आमलसार बनवाया, जैसे गगनांगन से सूर्य अवतारित किया । कश्मीर देश से आये संघमें आजिउ व रतन श्रावकों ने नेमि के बिंब को अभ्यंगस्नान कराने पर विंब गल गया ।१३ गलिउ लेव सु नेमिबिंब जलधार पडतह । अत: संघपतिने पश्चातापपूर्वक २१ उपवास किये, तब अंविकादेवी प्रसन्न हुई। एकवीसी उपवासि तामु अंबितदेवि आविय । 514 * छैन । विमर्श Page #564 -------------------------------------------------------------------------- ________________ और मणिमय बिंब की प्रतिष्ठा की गई-'बिंबु मणिमउ तहिं आणइ।" वस्तुपाल मंत्री ने ऋषभदेव का अठ्ठावय-सम्मेय सिहरवर मंडपु मणहार" व तेजपाल ने नेमिनाथ का मंदिर बनवाया । कल्याणउतउतुंगभुयणु - कल्याणकत्रयतुंगं भवनं - नेमि के तीन कल्याणक संबंधी चैत्य रचवाया । देपालमंत्रीने विशाल इन्द्रमंडप का उद्धार किया। दीसइ दिसि दिसि कुंडिकुंडि नीझरणउ मालो। इंद्रमंडपु देपालि मंत्रि उद्धरिउ विसालो ...॥ ....गयणगंगजं सयलतित्थअवयारु भणिज्जइ । पक्खालिवि तहिं अंगु दुक्ख जलअंजलि दिज्जइ। रेवंतगिरि के चतुर्थ कडवक में कवि ने अंबिकादेवी के रमणीय देवालयमें यात्री आनंद करते है, मंदिरोमें दर्शन कर संतृप्त होते है. यह दिखाया है। गिरिगरुया सिहरि चडेवि, अंब-जंबाहि बंबालिउ ए। संमिणी ए अंबिकादेविदेउलु दीठुरमाउलं ए॥ वज्जइ ए ताल कंसाल, वज्जइ मद्दल गुहिरसर । रंगिहि ए नच्चइ बाल, पेखिवि अंबिक मुहकमलु । (गिरि गरवा शिखरे चढी अंबजवाहि बंबाल्यो ए स्वामिनी ए अंबिकादेवी - देवळ दीर्छ रम्य ए वागे ए ताळ कंसाल वागे मृदंग घेरे स्वरे रंगे नाचे बाल पेखी अंबिका मुखकमल) प्रशस्ति के अंत में तीर्थमहिमा व फलश्रुति निरुपित है ।१६ ठामि ठामि ए रयणसोवन्न, बिंब जिणेसर तहिं ठविया पणमइ ए ते नर धन्न, जे न कलिकालि मलमय लिया ए। जं फलु ए सिहरसंमेय, अठ्ठावय नंदीसरिहिं । तं फलु ए भावि पामेइ, पेखेविणु रेवंत सिहरो । रेवंतगिरिका माहात्म्य स्थापित करने के लिये कवि तीन उपमान देते है - रेवंतगिरिरासु - एक परिचय * 515 Page #565 -------------------------------------------------------------------------- ________________ गहगण ए माहि जिम भाणु, पव्वयमाहि जिम मेरुगिरि ए । त्रिहु भुयणे ए तेम पहाणु, तित्थमाहि रेवंतगिरि । चविहुए संघु करे, जो आवइ उज्जितगिरि दिविसवहु ए रागुकरे, सो मुचइ चउगइगमणि । आवइ ए जे न उज्जिंत, धरधरइ धंधोलियाए आविही ए हियइ न संति निष्फलु जीविउ तासु तिणउ । रंगहि ए रमइ जो रासु, सिरिविजयसेणिसूरि निम्मविउए मिजिणु ए तूस तासु, अंबिक पूरइ मणि रली ए ॥ भाषा शैली व छंद की दृष्टि से रेवंतगिरिरासु का वैशिष्ट्य है। प्राप्त कृतियों में रेवंतगिरिरासु में प्रथम बार कडवक शब्द का प्रयोग ठवणि या भास के स्थान पर मिलता है । इससे पूर्व अपभ्रंश काव्य (स्वयंभू आदि के ) संधिकाव्य कहलाते थे और वे संधि अनेक कडवकोमें विभक्त थे । " मध्यकाल के साहित्यस्वरूप- अ - आख्यान (प्रेमानंद, १७वीं सदी मध्यभाग, भालण प्रयुक्त) में कडवे का प्रयोग हुआ है । कडवकमें कडी की संख्या कम-ज्यादा रहती है । गेय रचना होने से यता साधक प्रयोगवैविध्य यह रास देता है । दोहरा, रोला सोरठा आदि मात्रामेल छंदो के बंध यहाँ प्रयुक्त है । रेवंतगिरिरासु के चार कडवक में पहला २० दोहरा का, जो निश्चित रूप से गाया जाता होगा। दूसरे में कोई विशेष 'ढाल' छंद वदलने पर पलटता है । सभी कडी एकसमान नहीं है । तीसरा कडवक २२ अर्धरोळाका, चतुर्थ में हर एक अर्ध के प्रथम शब्द के बाद व प्रथम अर्ध के अंतमें गेयतापूरक ए कार से युक्त सोरठा मिलता है । इस चतुर्थ कडवकमें गेयतापूरक ए जोडा गया है, अतः स्पष्ट है कि यह रास गेय था । जैसे गिरिगुरुयासिहरि चडे वि अंबजंबालि बंबालिउ ए । संमिणी ए अंबिकदेविदेउलु दीठु रमाउलं ए ॥ (४-१) मध्यकालीन रास गेय थे और खेले भी जाते थे, यह सर्वप्रथम रेवंतगिरि रास दिखाता है - रंगिहि ए रमइ जो रासु, सिरि विजयसेणसूरि निम्मविउ ए । जैसा कि श्री के. का. शास्त्रीने कहा है "यह रास स्पष्ट रूप से ताल या हिंचके रूपमें गा सकते है । यह तालबद्ध है । विशिष्ट लय के 516 * नैन रास विभर्श Page #566 -------------------------------------------------------------------------- ________________ लिये शुद्धबन्धो में विशेष जोड हुये है ।...' गुजराती कविता के विकास में एक विशिष्ट प्रकार की काव्यबन्ध पद्धति की दृष्टिसे इस काव्य की उपयोगिता सविशेष दिखाई देती है । १९ गुजराती भाषाकी आरंभकालीन कृति होने से प्राचीन गुजराती का विकासक्रम जानने के लिये प्राचीन गुजराती के उदाहरणरूप होने से इस कृति का विशेष मूल्य है। इस समय रचे गये साहित्य की भाषा पर अपभ्रंश का प्रभाव है । अपभ्रंश नई नई जमीने गोडती गई, तत्पश्चात् प्राचीन गुजराती आदि भाषायें अपने मूल प्राचीन रूपको पाने लगी । इस प्राचीन गुजराती या गौर्जर अपभ्रंशसे रासादि कृतियाँ रची गई। अपभ्रंश भूमिका के प्रयोग विशेष होने पर भी भाषा गुजराती मानी गई है। श्री सी. डी. दलाल रेवंतगिरिरासु को प्राचीन गुजराती काव्य कहते है । २° उनके अनुसार प्रस्तुत रासकी नकल १४वें शतक के आरंभ में मिलती है, अतः भाषा भी नि:संदेहे मूल ही सुरक्षित रही है । रासा की अभ्यासी भारती वैद्य का कहना है - 'भाषा विकास के स्वरूप को देखने पर लगता है कि सभी परिवर्तन भाषा में एकदम स्थिर नही होते, कुछ परिवर्तन नये दाखिल होते है, उसके साथ ही प्राचीन स्वरूप व प्रयोग भी बने रहते है । क्रमशः ये परिवर्तन स्थिरता प्राप्त करते है । २१ भाषा का संक्रान्तिकाल होने से रेवंतगिरि रासमें अपभ्रंशके लाक्षणिक रूपों के साथ ही बोल-चाल - व्यवहारमें आये नये शब्दप्रयोग मिलते है २२ जैसेगिरनार, सोरठ, उजिल, सम्मणि, पालाट, पाज, नीझरण, आदि । रासकी भाषा में ए के स्थान पर इ - ( वज्जइ, रक्खड़ - दीजइ) ओ के स्थान पर उ आविउ, गलिउ, उद्धरिउ, श के बदले स का प्रयोग हुआ है जैसे - दिसि समीर आ । - - यहाँ अगुण, अंबर जैसे शब्द अन्त्य उ रहित है । क्वचित्, दिठु के साथ दिइ I कारिउ कराउ, बिहु - दोउ जैसे रूप भी प्रस्तुत है 'होना' के अर्थमें ठिउ थयो का प्रयोग हुआ है । जैसे संठाविओ-संटव्योस्थाप्यो-ओहट्टए-ओटेछे-ओछु थाय छे जैसे प्रयोग किए है। दूसममाझि, तित्थंमाहि में माहि, माझि जैसे पूरकों के प्रयोग सप्तमी रेवंतगिरिरासु - एक परिचय * 517 Page #567 -------------------------------------------------------------------------- ________________ विभक्ति के है, यह परिवर्तन ध्यानास्पद है। मध्य - मज्झे-माझि-माहि । सप्तमी विभक्ति सूचक इ, ए, हि, प्रयुक्त है। सट्टाविय, भराविय . संबंधकभूतकृदंत है। विलेवतणीय - विलेपसंबंधी - तणके पश्चाद् संबंधसूचक ईय जुडा है। __ प्रस्तुत कृतिमें ‘तुं' सर्वनामका तू के अर्थ में प्रयोग हो, जो पूर्वकृतियो में स्पष्ट रूप से प्रयुक्त नहीं है ।२३ इस प्रकार भाषा-प्रयोग, छंदवैविध्य, गेयता, काव्यतत्त्व, धर्मतत्त्व, इतिहास आदि दृष्टिसे रेवंतगिरिरास लोकप्रिय, रसप्रद व मूल्यवान रासकृति बनती है। सन्दर्भ-ग्रन्थ-सूचि। (१) गुजराती मध्यकालीन साहित्यनो इति खंड-१ - गु.सा.परिषद (२) जैन साहित्यनो संक्षिप्त इति. - मोहनलाल देसाई (३) गुजरातना ऐतिहासिक लेखो - खंड १-२-३ (४) आपणा कविओ - खंड-१ (५) गिरनार तीर्थोद्धार रास - १९२० मुंबई (६) गुजराती साहित्यना स्वरूपो - मं. मजमुदार - १९५४ (७) शिशुपालवध - सं. नीतिन देसाइ (८) मध्यकालीन रास-साहित्य-भारती वैद्य (९) गुजराती साहित्य (मध्यकालीन) भाग-१ - अनंतराय रावल - मुंबई १९३४ (१०) मध्यकालना साहित्यप्रकारो - डॉ. चंद्रकान्त महेता (११) गुजराती भाषानी उत्क्रान्ति - बेचरदास - मुंबई - १९४३ (१२) जैन गुर्जर कविओ - भाग-१० - मोहनलाल देसाई- मुंबई (१३) मध्यकालीन गुजराती जैन साहित्य - संपा. जयंत कोठारी - मुंबई - १९९३ १. गुजराती साहित्यनां स्वरूपो - मं. मजमुदार - पृ. ६८ २. आ. हेमचंद्र के समय में रास या रासक का गद्य स्वरूप में रूप में प्रचलित था । स्वयंभू जैसे अपभ्रंश कवियों ने रासक व्याख्याबद्ध किया है। ३. सं. १२८७ के लेख में सूरि की गुर्वावलि मिलती है। (प्रा. जै. लेखसंग्रह - लेख - ६४) आनंदसूरि व अमरसूरि को सिद्धराज ने व्याघ्रशिशुसुक्त वे सिंहशिशुक का बिरुद दिया था। (अरि सिंह कृति सुक्त संकीर्तन) 518 * छैन रास विमर्श । Page #568 -------------------------------------------------------------------------- ________________ ४. नागेंद्रगच्छनामंडन विजयसेनसूरिराय उपदेशे वेउनरप्रवरे धर्मे धर्यो दृढभाव । ५. प्रा. जैनलेखसंग्रह - भाग - २ में इन लेखों की सूचि है। जैन सा. का. संक्षिप्त इति. - मो. देसाई - पृ. ३६४ जैनेतर परंपरा में - प्रभासपुराणादि में भी रैवतकगिरनार का माहात्मय दिखाया है। यदुक्तं प्रभास पुराणे - रैवताद्रौ जिनो नेमियुगादिविमलाचले.... तथा स्पृष्ट्वाश→जयतीर्थंगत्वा रैवतकाचले स्नात्वा गजपदेकुंडे पुनर्जन्मो न विद्यते । ८. (गु. ऐति. लेख नं. १५) ९. गू. के. ऐति - लेख - १ पृ. २१) १०. अ. रैवतकल्प : प्रा. गू. का. संग्रह - परि - ५ ब. प्रा. जै. लेखसंग्रह भाग - २ लेख नं. ५०, ५ क. कुमारपालप्रतिबोध - ११. स्कंदगुप्त के जूनागढ के शिलालेख में (गुप्तकाल-ई.४५५-५६) चक्रपालितने विष्णु का मंदिर बनवाने का उल्लेख है। १२. मूलकृति की गुजराती छांया - आपणां कविओ खंड -१ पृ. १६६ से उद्धृत १३. गिरनार तीर्थोद्धार रास में भी यह कथा है - रत्न संघपतिने गिरनार पर मूर्ति का स्नात्र करते ही लेपमय बिंब गल गया। अत: संघपति खिन्न होकर अपने को धिक् कहने लगा। उसके उपवास करने पर देवी अंबा प्रत्यक्ष हुई और कंचनबलानक प्रसाद पर ७२ बिंबो को दर्शन करवाये। रत्न श्रावकने प्रासाद निर्मित कर मणिमय बिम्वप्रतिष्ठा की व अनेक सुकृत किये । इस संबंध में गिरनार कल्प में भी उल्लेख है। १४. विंव की प्रतिष्टा देहली पर कैसे हुई इसकी कथा कही गई है। इन कथा प्रसंगा में कथा घटक की समानता रहती है । अद्भुत तत्त्व का आश्रय लेकर रोचकता लाई जाती है। १५. वस्तुपाल के कार्यों की प्रशंसा गिरनारलेख - १ वि. सं. १२८८ में है । वस्तुपालने गिरनार पर १२ करोड ८० लाख खर्च किया (तीर्थकल्प-जिनप्रभसूरि), और शत्रुजय, संमेतशिखर, अष्टापद आदि तीर्थ गिरनार पर बनवाये। गिरनार तीर्थ व उसके शिखर व उसके शिखर पर स्थित विभिन्न स्थलों का माहात्मय वर्णन है । १६. विभिन्न व्रतों का फल, व्रत, दान-महिमा आदि के निरूपण में कविकी धर्मप्रचार की दृष्टि ही रही है । मध्यकालीन कविता की इस विषय में परंपरा भी रही है, य विषय कवियाका एक भाग (हिस्सा) ही थे । काव्य में जो रुढियाँ प्रस्थापित हुई, उन्हीं काव्यलक्षणों का अनुसरण कवि करते है। जैन सूरियों द्वारा कृतियों में ये विषय अभीष्ट थे। धर्मवोध व धर्ममहिमा के साधन रूप में कृतियाँ रची गई है। रेवंतगिरिरासु - एक परिचय * 519 Page #569 -------------------------------------------------------------------------- ________________ १७. कडवक शब्द पद्य समूह का द्योतक है। भाषा में कडपलो-कडब आदि शब्द समूह का अर्थ देते है। रेवंतगिरि में अपभ्रंश कडवककी अपेक्षा देशी कडवा से समानता है। १८. भालण ने अपने कडवा आख्यानों को क्वचित् रास भी कहा है। (दशम् स्कंध) पृ. १०२ राससा, भारतीय वैद्य १९. आपणा कविओ - खंड-१ पृ. १७४-१७५ २०. आपणा कविओ - खंड -१, पृ. १६७ २१. मध्यकालीन रास साहित्य - भारतीय वैद्य - पृ. १९ २२. डॉ. भायाणी इस कालकी भाषाओं अर्वाचीन भूमिका का भाषा कहते है। २३. गुजराती भाषा की उत्क्रान्ति - प्रा. बेचरदास पटेल 520 * छैन. स.विमर्श Page #570 -------------------------------------------------------------------------- ________________ ब्रह्म जिनदास कृत 'आदिनाथ रास' : एक संक्षिप्त अध्ययन प्रो. (डॉ.) वीर सागर जैन __ आश्चर्य की बात है कि हिन्दी साहित्य के इतिहास-ग्रन्थो में जहाँ कहीं भी ‘रास' संज्ञक रचनाओं का उल्लेख मिलता है, प्राय: सर्वत्र ही गिनेचुने पांच-सात रासों का ही नाम मिलता है; जबकि जैन कवियों ने हजारों की संख्या में ‘रास' संज्ञक रचनाओं का प्रणयन किया है। हिन्दी-साहित्य के इतिहास ग्रन्थो में उनका नामोल्लेख तक नहीं मिलता, समीक्षण और मूल्यांकन तो दूर की बात है। __इन्ही जैन कवियों में ब्रह्म जिनदास का नाम स्वर्णाक्षरों में लिखे जाने योग्य है। ब्रह्म जिनदास पन्द्रहवीं शताब्दी के ऐसे महाकवि है जिन्होंने लगभग सत्तर कृतियाँ तैयार कर माँ भारती को भेंट की है। रास-संज्ञक रचनाओं के प्रणयन में तो ब्रह्म जिनदास का स्थान और भी विशिष्ट या अनुपम है । गुणवत्ता एवं परिमाण-दोनों ही दृष्टिओं से इनका रास-साहित्य अद्भुत है। ब्रह्म जिनदास की रास-संज्ञक रचनाएँ निम्नलिखित १. आदिनाथ रास ३. हरिवंश पुराण रास ५. हनुमंत रास ७. नागकुमार रास ९. सुदर्शन रास ११. जंबु स्वामी रास १३. धन्यकुमार रास १५. यशोधर रास १७. अंबिकादेवी रास १९. रात्रिभोजन रास २१. भद्रबाहु रास २३. सासरवासा को रास २. राम रास ४. अजितजिनसेन रास ६. सुकुमात स्वामी रास ८. चारुदत्त रास १०. जीवंधर स्वामी रास १२. श्रेणिक रास १४. श्रीपाल रास १६. भविष्यदत्त रास १८. रोहिणी रास २०. गौतम स्वामी रास २२. समकित षष्टांग कथा रास २४. होली रास ब्रह्म जिनदास कृत 'आदिनाथ रास' • 521 Page #571 -------------------------------------------------------------------------- ________________ २५. धर्मपरीक्षा रास २६. बंकचूल रास २७. पुष्पांजलि रास २८. अनंतव्रत रास २९. धनपाल रास ३०. चंदनषष्ठी कथा रास ३१. मौड़ सप्तमी कथा रास ३२. निर्दोष सप्तमी रास ३३. अक्षय दशमी रास ३४. दशलक्षण व्रतकथा रास ३५. सोलह कारण व्रत रास ३६. परमहंस रास ३७. प्रतिमा ग्यारह की रास ३८. चौदह गुण स्थानक रास ३९. अटावीस मूलमुग रास ४०. द्वादशानुप्रेक्षा रास ४१. कर्मविपाक रास ४२. समकित मिथ्यात रास ४३. पंचपरमेष्टी गुणवर्णन रास ___ यहाँ इनमें से 'आदिनाथ रास' का संक्षिप्त अध्ययन करने का प्रयास किया जाता है। नामकरण - इस कृति का उल्लेख तीन नामों से प्राप्त होता है - १ आदिनाथ रास, २ आदिनाथ पुराण रास एवं ३. आदिपुराण रास । परंतु इसका वास्तविक नाम आदिनाथ रास ही है जैसा कि कवि ने स्वयं भी सूचित किया है तथा ग्रन्थ की अंतिम प्रशस्ति में भी स्पष्ट लिखा है - इति श्री आदिनाथ रास' आधार ग्रन्थ प्रस्तुत कृति 'आदिनाथ रास' का मूल आधार-ग्रन्थ या उपजीव्य ग्रन्थ संस्कृत जैन महाकवि आचार्य जिनसेन द्वारा रचित 'आदिपुराण' है। ४७ पर्वो में विभाजित यह ग्रन्थ भारतीय ज्ञानपीठ जैसी स्तरीय प्रकाशन संस्था से अनेक वार प्रकाशित हो चुका है। यह ग्रन्थ जैनधर्म-दर्शन-संस्कृति का विशाल रत्नाकर माना जाता है। अनेक हिन्दी-कवियों ने इस ग्रन्थ पर टीकाएँ या वचनिकायें लिखी है तथा इसके उपाख्यानों को लेकर स्वतंत्र कृतियों का भी निर्माण किया है। वैसे तो 'आदिनाथ' पर जैन-संस्कृति में ही नहीं, समूची विश्व संस्कृति में ही अनगिनत लिखे गये है, क्योंकि जैन धर्म के प्रथम तीर्थंकर आदिनाथ को विश्व की प्राय: सभी संस्कृतियाँ किसी न किसी रूप में अपना सर्वश्रेष्ट 522 * छैन. यस. विमर्श Page #572 -------------------------------------------------------------------------- ________________ आराध्य स्वीकार करती है। कोई उन्हें 'ब्रह्मा' कहता है, कोई ‘प्रजापति', कोई ‘महादेव', कोई ‘बाबा आदम', कोई 'रेशेफ' और कोई 'बुल गोड' इत्यादि । परंतु 'आदिनाथ रास' का मूल आधार-ग्रन्थ आचार्य जिनसेन प्रणित 'आदिपुराण' ही है। क्योंकि इसी कृति में आदिनाथ का सर्वांगीण विशद विवेचन उपलब्ध होता है | आदिपुराण पर आधारित होने के कारण ही कहीं कहीं इस कृति का उल्लेख 'आदिपुराण रास' नाम से भी मिलता है | "रचना का प्रयोजन' 'आदिनाथ रास' की रचना का प्रयोजन सरल-सुबोध हिन्दी भाषा में अधिकाधिक लोगों को आदिनाथ भगवान के जीवन-चरित्र का ज्ञान कराना है। ब्रह्म जिनदास ने स्वयं कहा है कि जिस प्रकार बालक कठोर नारियल का उपयोग नहीं कर सकता लेकिन उसे साफ करके उसकी गिरि उसे दी जाये तो वह बडे आनंद से उसका स्वाद लेता है, उसी प्रकार देश भाषा में कही गई बात सर्वजन सुलभ हो जाती है - 'कठिन नारियरने दीजि बालक हाथि, ते स्वाद न जाणे । छोल्या केल्यां द्राख दीजे, ते गुण बहु माणे ॥' ग्रन्थ की पाण्डुलिपि _ 'आदिनाथ रास' अद्यावधि अप्रकाशित है । उसका कुछ अंश डॉ. प्रेमचंद रांवका ने अपनी कृति 'महाकवि ब्रह्म जिनदास व्यक्तित्व एवं कृतित्व' में प्रकाशित किया है परंतु वह अपर्याप्त है। किसी सुधी विद्वान को इस कृति का व्यवस्थित संपादन करके प्रकाशन का प्रयत्न करना चाहिए। इस ग्रन्थ की पाण्डुलिपियाँ उदयपुर, जयपुर, आमेर आदि अनेक स्थानों पर उपलब्ध होती है। उदयपुर में उपलब्ध पाण्डुलिपि वहाँ के श्री पार्थनाथ दिगम्बर जैन खण्डेलवाल बीसपन्थ मंदिर, मण्डी की नाल में पाई जाती है | ग्रन्थ का सामान्य परिचय - _ 'आदिनाथ राम' ब्रह्म जिनदास की एक बृहद रचना है जो कुल मिलाकर ३४५८ श्लोक-प्रमाण है। इसमें प्रारंभ में आदिनाथ के नौ पूर्व भवों का तथा उसके निमित्त से १४ कुलकरें एवं भोगभूमि आदि का सुंदर विवेचन किया हैं। उसके बाद अयोध्या नगरी एवं नाभिराय-मरुदेवी के वैभव का वर्णन ब्रह्म जिनदास कृत 'आदिनाथ रास' * 523 Page #573 -------------------------------------------------------------------------- ________________ है। एक रात्रि में महारानी मरुदेवी सोलह शुभ स्वप्न देखती है और प्रात: नाभिराय से उनका फल पूछती है। इस पर नाभिराय प्रथम तीर्थंकर आदिनाथ के जन्म लेने की सुखद बात कहते है - नामि राजा तब वोलियाए, मधुरिम सुललित वाणि तो। फल सुणो राणी निरमलाए, सपन तणा सुजाणि तो। स्वपन फलि अति रुवडो, पुत्र होसे तुम्ह चंग। तीर्थंकर रिलीयावणो, त्रिभुवन मांहि उत्तंग॥ प्रथम जिणेसर निरमलो आदिनाथ गुणवंत । सुरनर खेचर लगे, स्वामिप अति जयवंत ॥ 'आदिनाथ रास' का यह स्थल अत्यंत मर्मस्पर्शी है। इसमें नाभिराय प्रत्ये स्वप्न का पृथक-पृथक फल सुनाकर मरुदेवी के साथ हर्ष-विभोर हो उठते हैं। उसके बाद इन्द्र की आज्ञा से देवियों तीर्थंकर माता की सेवा करती है, कुबेर रत्नवृष्टि करता है, सर्वत्र आनंद छा जाता है। चैत्र कृष्णा नवमी के दिन शुभ मूहुर्त में आदिनाथ का जन्म होता है। देवता आकर बड़े ही उत्साह से जन्म कल्याणक मनाते हैं। बालक का नाम 'आदि जिनेश्वर' रखा जाता है। आदि जिणेसर नाम दियोए, देव सजन मिली जाणि । आदि जुगादि स्वामि अवताए, तेह भणि सार्थक नाम ।। दश अतिशय स्वामि रुवडाए, जिणवर सहज सभाव। स्वेद मल थका बेगलाए, शोणित खीर समानि । सम चौरस अतिरुवडोए, आदि संस्थान वखाणि । संहनन पहिलो अति बलोए, वज्र वृषभ गुण खाणि ॥ आदिकुमार के युवा होने पर कच्छ महाकध की पुत्री सुनंदा एवं सुमंगला से उनका विवाह हुआ। बाद में भरत, बाहुबली आदि १०१ पुत्रों एवं ब्राह्मी, सुंदरी नामक दो पुत्रियों का जन्म हुआ। आदिजिनेश्वर ने ब्राह्मी को अक्षर लिपि और सुंदरी को अंक लिपि का ज्ञान दिया। भरत आदि पुत्रों को भी विविध कलाओं एवं शास्त्रों का ज्ञान दिया। ___ आदि जिनेश्वर जन्म से ही अद्भुत प्रतिमा के धनी थे। उनके पिता नाभिराय भी उनसे परामर्श करते थे। भोगभूमि की व्यवस्था समाप्त होने एवं 524 * छैन AA विमर्श Page #574 -------------------------------------------------------------------------- ________________ कर्मभूमि की व्यवस्था आरंभ होने पर जब प्रजा में बड़ा संकट खड़ा हो गया तो आदिनाथ ने ही प्रजा का समुचित मार्गदर्शन कर उसे सुखी किया तथा सभी को असि, मसि, कृषि, वाणिज्य, शिल्प, विद्या की शिक्षा देकर षट्कर्म की स्थापना की । कर्म के अनुसार ब्राह्मण, क्षत्रिय, वैश्य एवं शुद्र वर्ग की रचना की । इससे प्रसन्न होकर प्रजा ने उनकी प्रजापति, शंकर आदि नामों से उनकी पूजा की 'जे जे काम करे जैसु, ते ते नाम हुआ सार । सोनुं घडे सोनी हुवा, कास घडी ते कंसार ॥ षट कर्म थाप्या व्यवहार तणा ए, षट कर्म धरम वीचारतों । अशुभ कर्म शुभ करम जीव ए, बांधे छौडे अवार तो ॥ धरमा धरमे प्रकासीयाए, स्वामीय आदि जिणंद तो । आदि ब्रह्मातमा चामीयाए, स्वामीय परमाणंद तो ॥ प्रजालोक प्रति पालियाए, सुख दियो महंत तो । प्रजा पति तेह भणी हुवाए, संकर नाम जयवंत तो ॥" एक दिन आदिनाथ की सभा में नीलंजना ( अप्सरा ) नृत्य कर रही थी कि उसकी आयु पूर्ण हो गई, उससे आदिनाथ को वैराग्य हो गया और उन्होंने अपने बडे पुत्र भरत को अयोध्या का राज्य सौंप कर निर्ग्रन्थ दिगम्बर मुनि दीक्षा धारण कर ली - 'ॐ नमः सिद्धेभ्यः' कह्यौ गुणधार, हृदय कमलि गुण धारिया सार । 'जया जात रूप' धरियो चंग, समता भाव लीयो उत्तंग ॥ 'दिगंबर' हुवा प्रथम जिनदेव, त्रिभुवन भवीयण करे जिन सेव । अनुपम रूप दीसे जयवंत, जय जयकार स्तवन करे संत ॥ निरंतर छ: माह तक आदिनाथ कायोत्सर्ग मुद्रा में ध्यानस्थ रहे । उनके पास जन्मजात शत्रु अपना वैरभाव छोडकर प्रेम से रहने लगे और वनस्पतियाँ भी स्वतः ही पुष्पित - पल्लवित हो गईं । तीहां वनफलियो, बहु फलें, वैरीय तणा मद गले । वैर छांडी सवे एक हुवए, सही ए ॥ हरण सींघ वाघ गाय ए, मौर भुजंग मौह पाए । आवइ ए प्रीति करि तिहाँ ए, अतिघणी ए सही ए । ब्रह्मजिनदास कृत 'आदिनाथ रास' * 525 Page #575 -------------------------------------------------------------------------- ________________ इसके बाद वे छ: माह तक आहार हेतु विहार करते रहे, पर लोग आहार की विधि नहीं जानते थे, अत: उन्हे आहार नहीं मिला । वैशाख शुक्ला तृतीया को हस्तिनापुर में राजा श्रेयांस ने जातिस्मरण द्वारा आहार की विधि को जाना और उन्हें इक्षुरस का पान कराया। तभी से यह पावन दिन अक्षयतृतीया के रूप में विख्यात हो गया। आगे चलकर आदिनाथ ने केवलज्ञान को प्राप्त किया। देवताओं ने धर्मसभा की रचना की। भगवान ने सभी प्राणियों को विस्तारपूर्वक धर्म का उपदेश दिया। अंत में योगनिरोध करके कैलाश पर्वत से उन्होंने मोक्ष को प्राप्त किया। यही इस कृति की मुख्य कथा वस्तु है किन्तु प्रसंगवश इसमे भरतवाहुबली के युद्ध एवं जय-पराजय आदि का भी वर्णन हुआ है। मंगलाचरण - 'आदिनाथ रास' का प्रारम्भ मंगलाचरण से हुआ है, जिसमें कवि ने आदि जिनेश्वर, सरस्वती माता एवं अपने गुरु सकलकीर्ति, भुवनकीर्ति को नमस्कार किया है - 'श्री आदिजिणेसवर आदि जिणेसर पाय प्रममेसुं॥ सरसति स्वामिणी वलि तवउं, बुधि सार हुं मागुं निरमल । श्री सकलकीरति पाय प्रणमिनि मुनि भुवनकीरति गुरुवांदुसोहजल ॥" रस-निरूपण - 'आदिनाथ रास' रस-निरूपण और भाव-विवेचन की दृष्टि से एक उत्कृष्ट कृति सिद्ध होती है। इसमें श्रृंगार, वात्सल्य, वीर, रौद्र आदि अनेक रसों का सुन्दर वर्णन हुआ है। अक्षहरगार्थ कतिपय स्थल द्रष्टव्य हैं - (क) श्रृंगार रस - आंगोपांग मोडे घणाए, हाव-भाव करे राग तो। मन रीझे सभा तणोए, रुध्या इन्दीय भाग तो॥ नीतंजस पात्र जाणीए, नाचे सरस अपार तो। हाव-भाव रचना करए, मोह तणे विस्तार तो।। 526 * छैन. यस. विमर्श Page #576 -------------------------------------------------------------------------- ________________ (ख) वात्सल्य रस - चन्द्र कला जिवमाधीपुए, खेलइ सरस अपार । मही मण्डल परि रीषताए, जैसो मेदनि हार ॥ हलु-हलु चाले सुंदरोए, पग मूके जीम फूल । काला वयण सुहावणा, सुललित बोलइ चंग॥ (ग) रौद्र रस तव कोप्यो बाहुबलि राज, दूत जाउ तम्हे निज राजि। बल जोउं तम्हे स्वामि तणो, बलि वलि वखाणो तम्हो घणो ॥ (घ) वीर रस वीर रस का स्थायी भाव ‘उत्साह' है । जो कभी युद्ध के लिए, कभी दान के लिए, कभी दया के लिए और कभी धर्म के लिए प्रकट हुआ है। 'आदिनाथ रास' के नायक में चारों प्रकार के वीर (युद्धवीर, दानवीर, दया वीर, धर्म वीर) के गुण मिल जाते हैं। अपने गृहस्थ जीवन में राजकुमार भरत बाहुबली के युद्धों में वीर रस का निरूपण मिलता है। संयम मार्ग पर अग्रसर होना और आने वाले उपसर्ग एवं परिग्रहों को बहादुरी से सहन करना भी वीरता है। प्राणिमात्र के प्रति दया-भाव है यह दयावीरता है। राजा श्रेयांस आदिनाथ को इक्षुरस का आहारदान देते है तब वे 'दानवीर' बन जाते है । वस्तु-वर्णन - __ वस्तु-वर्णन की दृष्टि से भी ‘आदिनाथ-रास' एक बेजोड कृति सिद्ध होती है। जन्म-वर्णन, नगर-वर्णन, सभा-वर्णन, वैराग्य-वर्णन, मोक्ष-वर्णन आदि के अनेक मनोरम दृश्य इस कृतिमें यत्र-तत्र उपलब्ध होते है। यथा - (क) जन्म-वर्णन : मास नव हुवा गुणवंत, सात दिवस अधिका जयवंत । चैत्र मास अधारा पाख, नवमी दिन कहीए गुणमास ।। उत्तराषाढ नक्षत्र सविचार, ब्रह्म जोग कहीए गुणधार ॥ सुखे जन्म हुवो आनन्द, वाधो हरष तणा तीहां कंद । ब्रह्म जिनदास कृत 'आदिनाथ रास' * 527 Page #577 -------------------------------------------------------------------------- ________________ सयल सजन आनंदीया, नीपनो जय-जयकार | जनम हुवो जिनवर तणो, प्रथम तीर्थंकर सार | दश दिशा हुई निरमली, सुगंध पवन झलकंत । अंवर दीसे निरमलो, जसो मुनिवर चिंत ॥ कुसुम वृष्टि हुई निरमली, गंधोदक वलि सार । दुंदभि बाजे सुरतणी, धवल मंगल सविचार ।। तिन्नि ज्ञान करि लंकऱ्या, कंचन वरण सरीर । रूपे मनमथ जीकीयो, प्रथम तीर्थंकर धरि ॥१२ (ख) वैराग्य-वर्णन - 'नीलांजसा तेणो खूटो आय, मरण पामी ते सुंदरीए । क्षीण मांहि जीव गयो बीजी ठामि, काले गई जम मंदिरीए । तब उपनो स्वामी वैराग्य, संसार सरीर भोग परिहरइए | जो जो एह तणो रूप सौभाग्य, सरीर सहित मटी गयो ए॥' धिग धिग ए संसार असार, थिर न दीसे दुख मस्योए । चिह गति मांहि सुख नवि ठोर, सयल दीसे क्षण भंगुरए । सरीर चपल जीम मेघ पटल, जल बुदुडा जीम जाणीयुए। धन यौवन उतावलो जाणि, नदी पुर जीम वानियए ॥१३ चरित्र चित्रण - ‘आदिनाथ रास' में कथा नायक आदिनाथ एवं उनके माता-पिता मरुदेवी-नाभिराय, उनके पुत्र भरत-बाहुबली इन पांच पात्रों का विशेष रूप से चरित्र-चित्रण प्रभावशाली रूप से अंकित हुआ है। यद्यपि ब्राह्मी-सुन्दरी आदि अन्य पात्रों का भी यथोचित चरित्र-चित्रण मिलता ही है। चरित्र-चित्रण के माध्यम से ही कवि ने अपने कथानक के उद्देश्य को सशक्त रूप से अभिव्यक्त करने में सफलता प्राप्त की है। चरित्र-चित्रण की कुशलता के कारण ‘आदिनाथ रास' एक चरित्र-प्रधान काव्य ही बन गया है। आदिनाथ की उभयलोक निपुणता पाठकों को अन्दर तक से प्रभावित कर देती है। कवि ने आदिनाथ के शारीरिक सौन्दर्य का भी अद्भुत वर्णन किया है। सौधर्म इन्द्र भी उनके शारीरिक सौन्दर्य को देखने के लिए सहस्र नेत्र धारण 528 * छैन. रास. विमर्श Page #578 -------------------------------------------------------------------------- ________________ करता है। आदिनाथ का शरीर जन्म से ही दस अतिशय सहित है, उसमें स्वेद-मलादि नहीं होते। रक्त भी दूध - के समान श्वेत है - _ 'दश अतिशय स्वामि रूवडाए, सु. जिणवर सहज सभाव । स्वेद मल थका बेगलाए, सु. सोणित खीर समानि ॥१४ प्रकृति-चित्रण - 'आदिनाथ रास' में प्रसंग पाकर प्रकृति-चित्रण भी अनेक स्थानों पर हुआ है जो कहीं आलम्बन रूप में है तो कहीं उद्दीपन रूप में। आलम्बन रूप में प्रकृति का वर्णन द्रष्टव्य है - 'वनस्पति अकालि फलि, फल फूल सुरंग । कोइल करे टहूंकडा, मोर लवे उत्तंग ॥ ममरा रण झण करे, सुआ करे कलि रेव । बहके परिमल अति घणो, सवे बहु देव ॥१५ इसके अतिरिक्त कवि ने प्रकृति से उपमानों को भी ग्रहण किया है यथा - 'बीज चन्द्र जिम वृद्धि करइए। चन्द्र कला जिम वाधीयुए॥१६ कहीं कहीं ‘अलंकारों के रूप में भी प्रकृति-चित्रण हुआ है। 'ज्ञान दिवाकर अगीयो, भवियण कमल विलास । भावना परिमल गहगहे, आनंद निरमल वास ॥१७ प्रतिपाद्य-विषयवस्तु : ‘आदिनाथ रास' में मुख्य कथावस्तु के अतिरिक्त अथवा उसके ब्याज से धर्म, दर्शन, संस्कृति, समाज, राजनीति आदि उनके महत्त्वपूर्ण विषयों का प्रतिपादन भी हुआ है जो अति संक्षेप में इस प्रकार है - (क) दर्शन - 'आदिनाथ रास' मूलत: साहित्यिक कृति होते हुए भी जैनदर्शन का एक महत्त्वपूर्ण ग्रन्थ भी है, अत: उसमें जैनदर्शन की मूल विचारधारा का प्रतिपादन भी हुआ है । कथानायक अदिनाथ को जब केवलज्ञान प्राप्त हो जाता है तब कवि ने उनके मुख से प्राणिमात्र को जो दार्शनिक उपदेश दिलाया है उसमें जैनदर्शन के सात तत्त्व, नौ पदार्थ, षद्रव्य, चार अनुयोग, सम्यकदर्शन, श्रावकाचार आदि विषयों का वर्णन किया है। जीवादि ब्रह्म जिनदास कृत 'आदिनाथ रास' * 529 Page #579 -------------------------------------------------------------------------- ________________ सप्त तत्त्वों का सच्चा श्रद्धान ही सम्यक्दर्शन है, उन तत्त्वों के नाम इस प्रकार है - _ 'जीव अजीव आश्रव बन्ध जाणो, संवर निर्जरा मोक्ष वखाणो । सत्व सात ए मानो ॥ पाप पुन्य सहित सविचार, पदारथ कहीए गुणधार । इम जाणोतम्हे सार ।।१८ 'आदिनाथ रास’ में उक्त सभी तत्त्वों का पृथक्-पृथक् वर्णन भी हुआ है। उदाहरणा निर्जरा तत्त्व का वर्णन देखिए - 'तप जप ध्यान बले कर्म बालि, करम तणी निर्जरा सविचारि । करम तणो अपार ॥१९ इसी प्रकार जैनदर्शन के अनेक दार्शनिक विषयों का इस कृतिमें प्रतिपादन यत्र-तत्र दृष्टिगोचर होता है। विशेषता यही है कि इन वर्णनों से कृति की साहित्यिकता में कोई कमी नहीं आई है । ख) संस्कृति - ‘आदिनाथ रास' में प्राचीन भारतीय संस्कृति का मनोरम चित्रण हुआ है । गर्भ, जन्म, विवाह, वर्ण-व्यवस्था, शृंगार, वस्त्राभूषण, कला, नृत्य, संगीत, युद्ध आदि अनेक सामाजिक प्रसंगों का इस कृति में सजीव चित्रण हुआ है। कथानायक आदिजिनेश्वर का जन्मोत्सव और नामकरणसमारोह देवों द्वारा भी मनाया गया है। आदिजिनेश्वर ने अपने पुत्र-पुत्रियों को अनेक विद्याओं और कलाओं का ज्ञान कराया। चौसठ विद्याओं एवं बहत्तर कलाओं की शिक्षा तभी से प्रारम्भ होती है। आदिजिनेश्वर ने प्रजा को भी असि, मसि, कृषि, विद्या, वाणिज्य एवं शिल्प - इन षट्कर्मों की शिक्षा दी तथा कर्मानुसार ही ब्राह्मण, क्षत्रिय, वैश्य, शुद्र - इन चार वर्णों की स्थापना की। आदिनाथ के विवाह प्रसंग पर और नीलांजना के नृत्य वाले प्रसंग पर तत्कालीन समाज की नृत्य संगीत में अभिरुचि का परिज्ञान होता है । भरत-बाहुबली का युद्ध तत्कालीन अहिंसक युद्ध-संस्कृति का चित्रण करता है। इसी प्रकार अन्य भी अनेक सांस्कृतिक तत्त्व इस कृति में यत्रतत्र दृष्टिगोचर होते है। कला पक्ष - 'आदिनाथ रास' का न केवल भावपक्ष अपितु कलापक्ष भी बेजोड 530 * छैन. स. विमर्श Page #580 -------------------------------------------------------------------------- ________________ है। उसकी भाषा-शैली अपने भावों को व्यक्त करने में समर्थ सिद्ध होती (क) भाषा - 'आदिनाथ रास' की भाषा ब्रज-मिश्रित राजस्थानी है जिसे कवि ने ‘देसभाषा' कहा है | कवि का उद्देश्य है कि संस्कृत-कवियों की उत्कृष्ट बात को सरल सुबोध भाषा में इस प्रकार कहा जाये की वह साधारण जनता तक सहजता से पहुंच जाये। (ख) गुण - 'आदिनाथ रास' की भाषा में अवसर के अनुकूल माधुर्य प्रसाद एवं ओज गुणों का भी प्रयोग हुआ है। उदाहरणार्थ - माधुर्य गुण का एक प्रयोग दृष्टव्य है - 'चन्द्रकला जिम वाघीयुए, खेलइ सरस अपार । मही मंडल परि रिषताए, जैसो भेदनिहार ॥ हलु हलु चाले सुंदरोए, पग मूके जीम फूल । काला वयण सुहावगा, सुललित बोलइ चंग ॥२० (ग) शब्द-भण्डार - 'आदिनाथ रास' का शब्द-भण्डार बडा विशाल है। तत्सम, तद्भव एवं देशज शब्दों के प्रयोग में तो कवि अत्यन्त कुशल प्रतीत होता है। कृति तद्भव शब्द प्राकृत-अपभ्रंश की यात्रा करके आये लगते है - 'सजल सयल आनंदीया, नीपनो जय-जयकार | जनम हुवो जिणवर तणो, प्रथम तीर्थंकर सार। तिन्नि ज्ञान करि लंकरया, कंचन वरण सरीर । रूपे मनमथ जीतीयौ, प्रथम तीर्थंकर धीर ।।२१ (घ) लोकोक्ति-मुहावरे - ‘आदिनाथ रास' में भावों की सशक्त अभिव्यक्ति के लिए अनेक लोकोक्ति-मुहावरों का सुन्दर प्रयोग हुआ है। यथा - ‘सरीर चपल जीम मेघ पटल। जल बुदुडा जीम जाणीय ए॥२२ (ड) सूक्तियां - 'आदिनाथ रास' की भाषा इतनी सुगठित है कि उसमें सूक्तियां का भी सहज निर्माण हो गया है। यथा - ‘सीयल सरीरह आमरण, सोने भारी अंग। ब्रह्म जिनदास कृत 'आदिनाथ रास' +531 Page #581 -------------------------------------------------------------------------- ________________ मुख मंडण सांचो वयण, विण तंबोल हरंग ॥ जिहां धर्म तिहां जय, जिहां पाप तिहा विणास तो । इम जाणी तम्हे धर्म करो, कहे ब्रह्मचारी जिगदास तो ॥ १२३ (च) अलंकार - ‘आदिनाथ रास' में बलात् तो अलंकारों का प्रयोग नहीं है लेकिन सहजतापूर्वक अनेक अलंकार प्रयुक्त हो गये है । पुनरुक्ति - हलु हलु चाले सुंदरोए, सु पग मूके जिम फूल । उत्प्रेक्षा रूप जोवन अति रूवडोए, जाणइ बीजो इन्द्र | एक जिह्वा किम बोलीयाए, उपमा रहीत जिणंद ॥२५ उदाहरण पुत्र करी अति सोहीया, आदि जिणंद गुणवंत तो । जीम चन्द्र नक्षत्र करि, पूनम तणो जयवंत तो ॥ विरोधाभास - जिम जिम दान घटे रुवडो, तिम तिम परमानंद । श्रेयांस मनि बीजि, वाघे धरमह कंध ॥ - - उपसंहार इस प्रकार हम देखते है कि ब्रह्म जिनदास द्वारा रचित 'आदिनाथ रास' भाव एवं कला दोनों ही दृष्टियों से एक उत्कृष्ट साहित्यिक कृति सिद्ध होती है । जिसे हिन्दी - साहित्य के इतिहास ग्रन्थों में समुचित स्थान उपलब्ध होना चाहिए, ताकि उसका अध्ययन-अध्यापन गतिमान हो सके । कृतज्ञता प्रस्तुत निबन्ध को तैयार करने में मुझे डॉ. प्रेमचन्द रावका के ग्रन्थ 'महाकवि ब्रह्म जिनदास व्यक्तित्व एवं कृतित्व' से बड़ी सहायता प्राप्त हुई है। मैं उनका कृतज्ञ हूं । - पादटिप्पणी - आदिनाथ रास की भाषा में वास्तव में गुजराती के विशेष अंश है। ये रासा की आदिनाथ कथा दिगंबर परंपरा अनुसार है । सं. - १. आदिनाथ रास, छन्द ३ २. आदिनाथ रास, २६ दूहा, १, २ ३. आदिनाथ रास, अम्स माल्हंतडांनी, ५ ४. आदिनाथ रास, दूहा, भम्स रम्सनी 532 * न रास विभर्श Page #582 -------------------------------------------------------------------------- ________________ ५. आदिनाथ रास, छन्द २७, २८ ६. आदिनाथ रास, अम्स सहीनी, ९ ७. आदिनाथ रास, मंगलाचरण ८. आदिनाथ रास, अम्स रम्सनी, २२, २३ ९. आदिनाथ रास, दूहा, ६,७ १०. आदिनाथ रास, अम्स चौपाइनी ६ ११. आदिनाथ रास, अम्स रम्सनी, २५ १२. आदिनाथ रास, अम्स चौपाइनी २९-३० और दूहा १-४ १३. आदिनाथ रास, अम्स जसोधरनी १५-१७ १४. आदिनाथ रास, अम्स माल्हंताडांनी, ६ १५. आदिनाथ रास, दूहा - १ व २ १६. आदिनाथ रास, दूहा ३ १७. आदिनाथ रास, दूहा ४ १८. आदिनाथ रास, चौपाई १०-११ १९. आदिनाथ रास, अम्स तीन चौपाईनी, २५ २०. आदिनाथ रास, ६-७ २१. आदिनाथ रास, १-४ २२. आदिनाथ रास, अम्स रम्सनी, १४ २३. आदिनाथ रास, दुहा १ २४. आदिनाथ रास, अम्स रम्सनी ३ २५. आदिनाथ रास, अम्स रम्सनी ३ ब्रह्म जिनदास कृत 'आदिनाथ रास' * 533 Page #583 -------------------------------------------------------------------------- ________________ ब्रह्मरायमलकृत नेमीश्वर रास का समीक्षात्मक अध्ययन डॉ. कुलदीप कुमार प्राचीन भारतीय संस्कृति का स्वरूप मुख्य रूप से तीन भाषाओं में उपलब्ध होता है - संस्कृत, पालि और प्राकृत । संस्कृत भाषा में मुख्यतः वैदिक वाङ्मय का साहित्य, पालि में बौद्ध वाङ्मय का साहित्य और प्राकृत में जैन वाङ्मय का साहित्य। उक्त तीनों ही संस्कृतियों का मुख्य लक्ष्य रहा है - मनुष्य जीवन में सद्गुणों की प्राप्ति, मोक्ष, निर्वाण या कैवल्य की प्राप्ति । कालान्तर में जैन वाङ्मय के साहित्य की रचना संस्कृत, अपभ्रंश, हिन्दी तथा विभिन्न प्रान्तीय भाषाओं में भी प्रचुर मात्रा में उपलब्ध होती है । इन विभिन्न भाषाओं में जैनचार्यों ने दार्शनिक ग्रन्थों के साथ-साथ काव्य- अध्यात्म, नाटक, पुराण, ज्योतिष, आयुर्वेद, व्याकरण, कोश, अलंकार सिद्धान्त, गणित, भूगोल, कथा, नीति, आचार और राजनीति आदि ग्रन्थों की रचना कर भारतीय मेधा को पुष्पित एवं पल्लवित किया है । जैन वाङ्मय में हिन्दी कवियों द्वारा रचित साहित्य अत्यन्त विशाल एवं व्यापक है । हिन्दी भाषा में जैन कवियों ने जब लिखना आरम्भ किया तब उसमें लिखना पाण्डित्य से परे समझा जाता था और वे संस्कृत, प्राकृतादि भाषा के पण्डित कहलाते थे । हिन्दी में जैन कवियों ने 'रास' संज्ञक रचनाओं से काव्य निर्माण आरम्भ किया । उस समय देश में अपभ्रंश भाषा का प्रचारप्रसार था तब भी इन कवियों ने अपनी दूरदर्शिता के कारण हिन्दी में अपनी लेखनी चलाकर साहित्य की समस्त विधाओं को सम्पोषित किया तथा तत्कालीन संस्कृति तथा समाज की मनोदशा का यथार्थ चित्रण प्रस्तुत किया और सैंकड़ो की संख्या में 'रास' ग्रन्थों की रचना की । जैन वाङ्मय के साहित्य को देखकर यह स्पष्टतया कहा जा सकता है कि जैनाचार्यों, भट्टारकों एवं जैन कवियों ने जन-जन में बौद्धिक चेतना को विकसित करने का सराहनीय कार्य किया है तथा साहित्य की प्रत्येक विधा पर अपनी लेखनी का जौहर प्रकट किया है। तथा साहित्य के प्रति उनका उत्कट प्रेम दर्पण की तरह स्पष्ट झलकता है । लेकिन यह एक बड़े 534 * छैन रास विभर्श Page #584 -------------------------------------------------------------------------- ________________ ही आश्चर्य की बात है कि जैन कवियों द्वारा रचित हिन्दी भाषा का साहित्य इतनी प्रचुर मात्रा में उपलब्ध होने के बावजूद ' हिन्दी साहित्य के इतिहास' में इसका नामोल्लेख तक प्राप्त नहीं होता । कुछ हिन्दी के विशिष्ट कवियों के द्वारा मात्र इतना कह देने से कि यह केवल धार्मिक साहित्य है और उसमें साहित्यिक तत्त्व विद्यमान नहीं है । लेकिन समय की अविरत धारा को कौन रोक सका है। धीरे धीरे जैनाचार्यों एवं जैनकवियों द्वारा रचित साहित्य भारतीय जनमानस के सामने आने लगा तथा जन-जन में लोकप्रिय होने लगा है । सर्वप्रथम अपभ्रंश भाषा के महाकाव्य पउमचरिउ (स्वयंभू) रिट्ठणेमिचरिउ, महापुराण, जम्बूमिचरिउ जैसे महाकाव्यों पर महापण्डित राहुल सांकृत्यायन जैसे ‘सरस्वती पुत्र' की दृष्टि पडी तो उन्होंने महाकवि स्वयंभू रचित 'पउमचरिउ' को हिन्दी भाषा का प्रथम महाकाव्य तक घोषित कर दिया। तत्पश्चात् हिन्दी जगत् के मूर्धन्य विद्वानों में स्वर्गीय डॉ. वासुदेव शरण अग्रवाल, स्वर्गीय डॉ. माताप्रसाद, डॉ. राम सिंह तोमर तथा डॉ. हजारीप्रसाद द्विवेदी प्रभृति विशेष उल्लेखनीय हैं, जिन्होंने जैन हिन्दी कवियों के द्वारा रचित काव्यों का मूल्यांकन कर उन्हें हिन्दी के सर्वश्रेष्ठ काव्यों की श्रेणी में सुशोभित किया। वर्तमान हिन्दी के मूर्धन्य मनीषियों में डॉ. हजारी प्रसाद द्विवेदी का नाम इस सम्बन्ध में विशेष उल्लेखनीय एवं अविस्मरणीय है उन्होंने 'हिन्दी साहित्य का आदिकाल' नामक अपनी पुस्तक में जो पंक्तियाँ लिखीं वे ध्यान देने योग्य तथा एक कवि अथवा लेखक को पक्षपातरहित एवं स्पष्टवादी होना चाहिए इसका स्पष्ट दृष्टान्त प्रस्तुत किया है । कहा भी जाता है कि सुलभाः पुरुषाः राजन् सततं प्रियवादिनः । अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः ॥ डॉ. हजारी प्रसाद द्विवेदी द्वारा उद्धृत पंक्तियाँ इस प्रकार से हैं 'इधर जैन अपभ्रंश चरित - काव्यों की जो विपुल सामग्री उपलब्ध हुई है, वह सिर्फ धार्मिक सम्प्रदाय के मुहर लगाने मात्र से अलग कर दी जाने योग्य नहीं है। स्वयम्भू, चतुर्मुख, पुष्पदन्त और धनपाल जैसे कवि केवल जैन होने के कारण ही काव्यक्षेत्र से बाहर नहीं चले जाते । धार्मिक साहित्य होने मात्र से कोई रचना साहित्य कोटि से अलग नहीं की जा सकती । यदि ऐसा समझा जाने लगे तो तुलसीदास का रामचरितमानस भी साहित्य क्षेत्र से ब्रह्मरायमलकृत नेमीश्वर रास का समीक्षात्मक अध्ययन 535 - Page #585 -------------------------------------------------------------------------- ________________ अविवेवच्य हो जाएगा और जायसी का पद्मावत भी साहित्य-सीमा के भीतर नहीं घुस सकेगा ।" 9 प्रस्तुत शोधालेख का मुख्य प्रतिपाद्य है 'नेमीश्वररास', अतः हम यहाँ पर सर्वप्रथम 'रास' को समझने का प्रयत्न करेंगे कि यह रास है क्या ? संस्कृत भाषा के अनुसार 'रास' शब्द मूलतः 'रास : ' पुल्लिङ्ग शब्द है जो रास् + घञ् प्रत्यय से निष्पन्न हुआ है, जिसके अर्थ है - होहल्ला, कोलाहल, शोरगुल, शब्द और ध्वनि इत्यादि । २ हिन्दी शब्दकोश के अनुसार रास शब्द रस के बहुवचन, ब्रह्म महारास में गोपिकाओं के बीच एक कृष्ण के अनेक रूप, स्त्रियों और पुरुषों के परस्पर हाथ बाँधकर मण्डलाकार नृत्य, कृष्ण गोपियों के हस्तबद्ध वृत्ताकार नृत्य, प्राचीन पशुपालक नृत्य में संगीत के योग से विकसित नाट्य रूप, रासलीला में परिवेष्टित चन्द्र की चन्द्रिका पर मुग्ध होकर कृष्ण- गोपिकाओं की क्रीडा, रहस्य लीला और देश भाषा के शब्द 'रास' के अर्थ में प्रयुक्त हुआ माना गया है । आज रास से लोकनाट्य के एक रूप का बोध होता है, जिसमें राधा कृष्ण गोपियों की मण्डलाकार रूप में गीति और नृत्य के साथ शृंगारिक क्रीडाएँ दिखाई देती है तथा यह रासलीला के लिए भी रुढ है । नाट्य रूप की दृष्टि से यह रास संस्कृत के नाट्यरासक, गोष्ठी काव्य, श्रीगदित और हल्लीश उपरूपकों के अधिक निकट प्रतीत होता है, विशेषतया नाट्यरासक की और रासकी प्रकृति में बहुत साम्य है । इस दृष्टिकोण से रास का संकेत 'भास' के 'बालचरित' नाटक, 'बाण' के हर्षचरित, भट्टनारायण के 'वेणीसंहार' तथा 'भागवत' के दशम स्कन्ध - ( १९ से २३ अध्याय) के रास में मिलता है। बारहवीं शती के मन्दिरों में भी इसके स्वरूप का पता लगता है। काव्य के रूप में भी रास, रासक और रासो प्रचलन में रहा है। जैनाचार्य जिनवल्लभ सूरि के निर्देशों, कवकसूरिकृत 'उपदेश- गच्छ पदावली' (हस्तलिखित) तथा 'खरतरगच्छपट्टावली' से ज्ञात होता है कि बारहवीं शती में रास या रासक का प्रचार था और रासक ग्रन्थों का निर्माण भी प्रारम्भ हो गया था, जो कि सैकड़ों की संख्या में उपलब्ध होते है । ये रासक - काव्यग्रन्थ अपभ्रंश और गुर्जर मिश्रित राजस्थानी भाषा में लिखे गए है । इनका 536 * मैन रास विभर्श Page #586 -------------------------------------------------------------------------- ________________ प्रारम्भ जैनाचार्यों के द्वारा ही हुआ है। उन्होंने जैनधर्म के प्रचार के लिए रास-नाटकों को आधार बनाया। रास-ग्रन्थों से स्पष्ट है कि कालान्तर में रास की नृत्यगीतपूर्ण शृंगार प्रधान तथा नृत्यगीतहीन धर्मप्रधान, दो धाराएँ ही गयी। नृत्य और संगीत की प्रमुखता के कारण शृंगार प्रधान धारा लोकप्रसिद्ध और प्रचलित हो गई। जैनेतर ग्रन्थों में यही धारा दृष्टिगोचर होती है। सोलहवीं शताब्दी में बल्लभाचार्य तथा हित हरिवंश ने इसी श्रृंगार मूलक रास में धर्म के अंग के साथ नृत्य की पुनः स्थापना की तथा उसका नेता रासरसिकशिरोमणि कृष्ण को बनाया। इस प्रकार काव्य का रूप फिर नाट्य रूप को प्राप्त हो गया। रास की दूसरी नाट्य शैली भी प्राप्त होती है, जिसमें बोधिसत्त्व तथा जीमूतवाहन के आत्मोत्सर्ग का संगीत तथा नृत्य के साथ अभिनय किया गया। महाकवि हर्ष का 'नागानन्द' रास की इसी शैली में लिखा गया है। तत्कालीन जैनाचार्यों की रचनाएँ आचार, रास, फागु, चरित आदि विभिन्न शैलियों में उपलब्ध होती है। आचार-शैली के काव्यों में घटनाओं के स्थान पर उपदेशात्मकता को सर्वोपरि रखा गया। फागु और चरित-काव्य शैली सामान्यतया प्रसिद्ध है । ‘रास' को जैनाचार्यों ने एक प्रभावशाली रचनाशैली का रूप प्रदान किया। जैनतीर्थंकरों के जीवन-चरित जैन आदर्शों के आवरण में ‘रास' नाम से पद्यवद्ध की गयीं। जैन मन्दिरों में श्रावक (गृहस्थ) रात्रि के समय ताल देकर 'रास' का गायन करते थे। अत: जैन साहित्य का सबसे अधिक लोकप्रिय रूप ‘रास' ग्रन्थ बन गए । वीर गाथाओं में ‘रास' का ही दूसरा नाम रासो है, लेकिन उनकी विषयवस्तु जैन रास ग्रन्थों से भिन्न है। दोनों की रचना शैलियों का अलग-अलग भूमियों पर विकास हुआ है। जैन-रास-काव्यों में धार्मिक दृष्टि प्रमुख होने से वर्णन की वह पद्धति प्रयुक्त नहीं हुई जो वीर गाथा-परक रासो-ग्रन्थों में उपलब्ध होती है। ब्रह्मरायमल्ल का जन्म संवत् १५८० के आस-पास माना जाता है। तथा संवत् १६०१ से १६४० तक की अवधि में ब्रह्मरायमल्ल हिन्दी के प्रतिनिधि कवि रहे है। हिन्दी साहित्य के इतिहास की दृष्टि से इस समय को हिन्दी का भक्तियुग कहा जाता है। महाकवि सूरदास, मीराबाई, आसकरनदास, कल्लानदास, कान्हरदास, कृष्णदास, केशवभट्ट, गिरिधर, गोपीनाथ, चतुरबिहारी, तानसेन, सन्त तुकाराम, दोमादरदास, नागरीदास, नारायणभट्ट, माधवदास, लालदास, विष्णुदास आदि इस समय के भक्तिरस ब्रह्मरायमलकृत नेमीधर रास का समीक्षात्मक अध्ययन * 537 Page #587 -------------------------------------------------------------------------- ________________ के प्रमुख उल्लेखनीय कवि हैं । उस समय में इन कवियों ने हिन्दी भाषामें भक्तिरस की रचनाएँ निबद्ध कर सम्पूर्ण देश को भावात्मक एकता में पिरोने का सराहनीय एवं अभूतपूर्व कार्य करने का अथक प्रयास किया । 1 इसी समय में अनेक जैन कवि भी हुए। जो इस भक्ति रस की धारा से अछूते नहीं रह सके। उनकी रचनाएँ भी भक्तिरस से सराबोर होकर सामने आयी । उनमें से कुछ प्रमुख कवि हैं - भट्टारक शुभचन्द्र, पाण्डे राजमल्ल, भट्टारक वीरचन्द्र, सुमतिकीर्ति, ब्रह्मविद्याभूषण, उपाध्याय साधुकीर्ति, भीखमकवि, कनकसोम, वाचकमालदेव, नवरंग, कुशललाभ, हरिभूषण और सकलभूषण आदि । हिन्दी साहित्य के साहित्यकारों ने इस समय को हिन्दी का स्वर्णयुग भी कहा है | महाकवि ब्रह्मरायमल्ल हिन्दी के इसी स्वर्णयुग के प्रतिनिधि कवि थे| तत्कालीन समाज की भावनाओं का समादर करते हुए कवि ने प्रचलित शैली में अपने काव्य की रचना कर जन-जन तक पहुँचाने का अथक प्रयास किया । ब्रह्मरायमल्ल की अधिकांश कृतियाँ राससंज्ञक हैं, जिनमे अधिकतर कथापरक हैं । यथा १. नेमीश्वररा ३. ज्येष्ठिजिनवरकथा ५. सुदर्शनरास ७. भविष्यदत्त चौपाई - ९. जम्बूस्वामी चौपाई ११. चिन्तमणि जयमाल १३. जिनलाडू गीत १५. परमहंस चौपाई २. हनुमन्तकथा ४. प्रद्युम्नरास ६. श्रीपाल स ८. परमहंस चौपाई १०. निर्दोष सप्तमी कथा १२. पंचगुरु की जयमाल १४. नेमिनिर्वाण उक्त सभी रचनाएँ हिन्दी की अनमोल एवं अति प्रशंसनीय कृतियाँ हैं तथा भाषा, शैली और विषय प्रतिपादन की दृष्टि से विशेष महत्त्वपूर्ण हैं तथा समाज को एक नई दिशा प्रदान करती हैं । उक्त सभी रचनाएँ कवि की वर्तमान में उपलब्ध कृतियाँ हैं इनके अतिरिक्त भी कवि की और कृतियाँ होने की सम्भावना की जा सकती हैं। 538 * हैन रास विभर्श Page #588 -------------------------------------------------------------------------- ________________ (ये शोधनिबंधमें प्रस्तुत नेमिनाथ कथा दिगंबर परंपरा अनुसार है।) नेमीश्वररास के प्रमुख पात्र समुद्रविजय - नेमिनाथ के पिता थे। इन्होंने गिरनार पर्वत से मोक्ष . प्राप्त किया था। शिवा देवी - नेमिनाथ की माता। उग्रसेन - राजुल के पिता। नेमिश्वर - २२वें तीर्थंकर नेमिनाथ का ही दूसरा नाम है। ये श्रीकृष्ण जी के चचेरे भाई थे। नारायण श्रीकृष्ण - वसुदेव एवं देवकी के पुत्र । राजुल - राजा उग्रसेन की लडकी। नेमिनाथ ने इनके साथ विवाह न करके वैराग्य धारण कर लिया था। राजुल ने भी नेमिनाथ के संघ में दीक्षा धारण करके अन्त में घोर तपस्या करके स्वर्ग प्राप्त किया। भाषा - प्रस्तुत काव्य ग्रन्थ की भाषा ढूंढाड प्रदेश की राजस्थानी है तथा यह राजस्थानी काव्यगत भाषा न होकर बोलचाल की भाषा है। इसमें शब्द एवं क्रियापद स्थिर न होकर परिवर्तित होते रहते है। भाषा अत्यन्त सरल, सौम्य, मधुर एवं स्वाभाविक है तथा सामान्य व्यक्ति भी भाव ग्रहण कर सकता है। इसमें कवि ने शब्दों एवं क्रियापदों को राजस्थानी बोलचाल की भाषामां परिवर्तित करके, उनका काव्यों में प्रयोग किया है । यथा-ल्याया। इत्यादि । प्रस्तुत काव्य में कुछ टेट राजस्थानी शब्दों का भी प्रयोग किया है, जिससे काव्य में स्वाभाविकता उत्पन्न होती है। यथा-सर्वांसिणी-उक्त प्रान्त में इस शब्द का प्रयोग दूल्हा-दुल्हिन की विवाहित बहन के लिए किया जाता है। संवासिणी का विशेष सम्मान होता है तथा उसे दुल्हिन की विशेष देखभाल करनी पड़ती है। यथा-गावै हो गीत संवासिणी, नाचै जी अप्छरा करिवि सिंगार।" अहो गई जी बिलाई मारग काटि। प्रस्तुत रास में प्रयुक्त सुभाषित एवं लोकोक्तियाँ - प्रस्तुत रास में कवि ने अपने समय में प्रचलित लोकोक्तियों एवं सुभाषितों का अच्छा समावेश प्रस्तुत किया है। इनके प्रयोग से न केवल काव्य में सजीवता उत्पन्न होती है, अपितु तत्कालीन समाज एवं आचार-व्यवहार के भी दर्शन होते हैं। यथा - ब्रह्मरायमलकृत नेमीश्वर रास का समीक्षात्मक अध्ययन * 539 Page #589 -------------------------------------------------------------------------- ________________ छोल्लि को रालि करि करै पेट की आस ।' जत तप संयम पाठ सह पूजा विधि त्यौहार। जीव दया विण सहु अमल, ज्यौ दुरजन उपगार ॥" कामणी चरित ते गिण्या न जाइ। जैनी की दीक्षा खांडा की धार। नगर - कवि ने अपने काव्य में द्वारिका तथा कुण्डलपुर का वर्णन किया है। जिससे काव्य में उत्सुकता एवं रोचकता उत्पन्न होती है। क्योंकि उक्त दोनों ही नगर एतिहासिक एवं सांस्कृतिक नगर हैं। जिन्होंने राष्ट्र की संस्कृति के विकास में महत्त्वपूर्ण योगदान दिया है।१० द्वारिका - यादवों की समुद्र तट पर स्थित पौराणिक नगरी है। इसी नगरी के शासक समुद्रविजय, वासुदेव एवं हलधर थे। २२वें तीर्थं नेमिनाथ की जन्मभूमि भी यही थी। प्रस्तुत रास में कवि ने इसका वर्णन इस प्रकार से किया है - अहो क्षेत्र भरय अर जंबू दीपो। नग्र द्वारा जीमती समद समीप सोभा बाग बाडी घणा। अहो छपन जी कोडि जादौ तणो वासो। लोगति सुखीय लील करै अहा इन्द्रपुरी जिन करै हा विमास॥" छन्द एवं उनका परिमाण - काव्य को सशक्त और भाषा को संगीतमय बनाने के लिए काव्य में छन्दों का प्रयोग किया जाता है। लेखक को अपने भावों, कल्पनाओं एवं कथा को यथास्थान निबद्ध करने के लिए गद्य की अपेक्षा पद्य का माध्यम सुकर होता है। कवि के काव्य में छन्दों का प्रयोग होने से काव्य में और भी सौन्दर्य आ जाता है। प्रस्तुत नेमीश्वर रास में १४५ छन्दों में कडवक छन्द का प्रयोग किया है। यथा - भण्यौ जी रासौ सिवदेवी का बालकौ, कडवाहो एक सौ अधिक पैताल। भाव जी भेद जुदा जुदा, छंद नामा इहु शब्द सुभवर्ण। कर जोडै कवियण कहै, भव-भव धर्म जिनेसुर सर्ण ॥२ रचना समय तथा स्थान - काव्य की रचना में उसके रचना स्थान का भी महत्त्वपूर्ण स्थान होता है। नेमीश्वररास की रचना राजस्थान प्रान्त के 540 * छैन. . विमर्श Page #590 -------------------------------------------------------------------------- ________________ झुझुनु नगर में संवत् १६१५ सावन कृष्णा १३ बुधवार के शुभ दिन सम्पूर्ण हुई थी।१२ इसका वर्णन करते हुए कवि ने लिखा है कि वहाँ पर्याप्त संख्या में महाजन लोग तथा छत्तीस जातियाँ निवास करती थी। तथा उस नगर के शासक चौहान जाति के थे, जो अपने परिवार के साथ राज्य करते थे। यथा - बागबाडी घणी नीकै जी ठाणि, वसै हो महाजन नग्र झाझौणि । पौणि छत्तीस लीला करै, गाम को साहिब जाति चौहाण ।१३ राज करौ परिवार स्यौ, अहो छह दरसन को राखौ जी मान ॥ प्रकृति चित्रण एवं शृंगार - प्रकृति चित्रण एवं शृंगारादि रसों का काव्य में अपना अनूठा एवं महत्त्वपूर्ण स्थान होता है, जिससे काव्य में सजीवता उत्पन्न होती है। प्रस्तुत कृति में भी कवि ने राजुल के शब्दों में साल के बारह महीनों का जो वर्णन करवाया है वह यथार्थ स्वाभाविक एवं प्राकृतिक कामदशा के अनुकूल है। यथा - श्रावण मास - श्रावण मास का वर्णन करते हुए कवि लिखते है कि इस माह में मेघों की तीव्र गर्जना के साथ घनघोर वर्षों होती है, मोर नाचने लगते है। ऐसी स्थिति में राजुल नेमिनाथ से कहती है कि उसके शरीर में श्वास कैसे रह सकती है इसलीए वह भी उन्हीं के पास रहेगी। यथा - अहो सावणाडौ बरसै सुपियार, गाजै हो मेघ अति घोर धार । असलस लावै जी मोरडा, अहो मेरी जी काया मै रहै न सासु | नेमि सेथि राजल भणे, स्वामी छाडु हो नहीं जी तुम्हारौ जी पासा ।१४ भाद्रपद मास - भाद्रपद मास में भी खूब वर्षा होती है। नदी नालों में खूब पानी बहता है। रात्रियाँ डरावनी लगती है। श्रावकगण इस मास में व्रत एवं पूजा करते हैं। ऐसे महीने में राजुल अकेली कैसे रह सकती है ? अहो भादवडौ बरसै असमान, जे ताहो व्रत ते ता तणौ जी थान । पूजा हो श्रावक जन रचौ, नदी हो नाल भरि चालै जी नीर । दीसै जी राति डरावणी, स्वामी तुम्ह बिना कैसों हो रहे जी सरीर ।१५ आसोज मास - आसोज मास में पीछे बरसने वाला पानी बरसता है। इस मास में पुरुष एवं स्त्री के टूटे हुये स्नेह भी जुड़ जाते हैं। दशहरे पर पुरुष और स्त्री भक्ति भाव से दूध-दहीं और घृत की धारा से जिनेन्द्र भगवान की पूजा करते है। लेकिन हे स्वामिन् । आप मुझे क्यां दु:ख दे रहे हो। ब्रह्मरायमलकृत नेमीश्वर रास का समीक्षात्मक अध्ययन * 541 Page #591 -------------------------------------------------------------------------- ________________ कार्तिक मास - कार्तिक मास पुरुष और स्त्री दोनों को उदीप्त करने वाला है। चारों ओर स्वच्छ जल भरा रहता है जो स्वादिष्ट लगता है। इस मास में स्त्रियाँ अपना शृंगार करती है। इसी मास में देवता भी सोकर उठ जाते है। जिनेन्द्र भगवान की पूजा भी की जाती है। हे स्वामिन् । हमें छोड कर क्यां दु:ख दे रहे हो। यथा - अहो कातिग पुरिस तीया अदमाद रिमली पान पाणी घणा स्वाद । करौ हो सिंगार ते कामिनी, अहो उट्ठो जी देव जति तणा जोग । पूजा तो कीजै जी जिण तणी, स्वामी हमकुं जी दु:ख तुम्ह तणौ जी विजोग ॥१६ मंगसिर मास - मंगसिर मास में अपने पति के साथ में पत्नी को यात्रा करनी चाहिये । चारों प्रकार के दान देने चाहिये । रात्रियाँ बडी होती है और दिन छोटे होते हैं । राजुल नेमिनाथ से कह रही है कि उसका दुख कोई नहीं जानता है। यथा - अहो मागिसिरां इक कीजै जी जात, तीरथ परिसि जै कंत कै साथि । चहुं विधि दान दीजै सदा, अहो राति बडी दिन बोछाजी होई। नेमि सेथी राजल भणे, स्वामि मेरौ हो दुख न जाणै जी कोई ॥१७ ___पोषमास - पोष मास में तीर्थंकरों के कल्याणक होने के कारण नरनारी पूजा करते हैं। मोतियों से चौक पूरा जाता है। स्त्रियाँ अपना श्रृंगार करके भक्ति-भाव से जिनेन्द्र की भक्ति करती है। लेकिन मुझे तो विधाता ने दु:ख ही दिया है। यथा - . अहो पोस मै पोस कल्याणक होई, पूजा जी नारि रचै सहू कोई। पूरै जी चौक मोत्यां तणा, अहो करै जी सिंगार गावै नरनारि। भावना भगति जिनवर तणौ, अहो हमको जी दु:ख दीन्ही करतारि। माघ मास - माघ मास में खूब पाला पडता है। इस कारण वृक्ष और पौधे बर्फ से जल जाते है तथा नष्ट हो जाते है। हे स्वामिन् । आपने तो मेरी चिन्ता किये बिना ही साधु-दीक्षा धारण कर ली है। हे स्वामिन् । अब मुझ पर भी दया करो। यथा - 542 * छैन. स.विमर्श Page #592 -------------------------------------------------------------------------- ________________ अहो माघ मांस घणा पडै जी तुसार, वनस्पती दाझि सबै हुई छार । चित्त हमारो थिर किम रहै, अहो तुम्ह तो जी जोग दिन्हौ बन आई । मेरी चिन्ता जी परहरी, स्वामि दया हो कीजै अब जादौ जी राई ॥ १९ फाल्गुन मास - फाल्गुन मास में पिछली सर्दी पडती है। बिना नेमि के यह पापी जीव निकलता ही नहीं है, क्योंकि दोनों में इतना अधिक मोह हो गया है। तीनों लोकों का सारभूत अष्टाह्निका पर्व भी इसी मास में आता है, जब देवतागण नंदीश्वर द्वीप जाते है । यथा फागुण पडै हों पछेता सीउ, नेमि विणा नौकसी पापी या जीव । मोह हमारा तुम्ह तज्यो, अहो व्रत अष्टाह्निका त्रिभुवन सार । दीप नंदिश्वर सुर करो, स्वामि हमस्यो जी जैसी करि हो कुमारी ॥२० चैत्रमास जब चैत्र मास के महीनें में बसन्त ऋतु आती है, तो वृद्धा स्त्री भी युवती बन कर गीत गाने लगती है । वन में सभी पक्षी क्रीडा करते रहते है, क्योंकि उन्हें चारों ओर सब फूल खिले हुए दिखते है । कोयल मधुर शब्द सुनाती रहती है | इस प्रकार चैत्र मास पूरा मस्ती का महीना है । ऐसे महीने में राजुल बिना नेमि के कैसे रह सकेगी । यथा 1 - अहो चैत आवे जब मास बसंत, बूढी हो तरणी जी गावे हो गीत । बन में जो पंख क्रीडा करे, अहो दीसै जी सब फूली वणराइ । करौ हो सबद अति कोकिला, अहो तुम्ह बिना रहै जादौ जी राय । २" वैशाख मास - वैशाख मास आने पर पुरुष और स्त्री में विविध भाव उत्पन्न होते है । वन में पक्षीगण क्रीडा करते है तथा स्त्रियाँ षट्स व्यंजन तैयार करती हैं, लेकिन हे स्वामी । आप तो घर-घर जाकर भिक्षा मांगते हो । यह कंजूसी आपने कबसे सीख ली ? यथा अहो मासि वैशाख आवे जब नाह, पुरिष तीया उपजै बहु भाउ । वन में हो पंखि क्रीडा करै, अहो छह रस भोजन सुंदरि नारि । भीख मांगत घरि-घरि फिरै, स्वामी योहु स्याणप तुम्ह कौण विचार।२२ जेठ मास सबसे अधिक गर्मी जेठ में पड़ती है । हे स्वामी । घर में शीतल भोजन है, स्वर्ण के थाल हैं तथा पत्नी भक्तिपूर्वक खिलाने को तैयार है । घर में अपार सम्पत्ति है लेकिन पता नहीं आप दीन वचन कहते हुए घर-घर क्यों फिरते है । आप जैसे व्यक्ति को कौन भला कहेगा ? यथा ब्रह्मरायमलकृत नेमीश्वर रास का समीक्षात्मक अध्ययन * 543 - Page #593 -------------------------------------------------------------------------- ________________ अहो जेठि मांसा अति तपति को काल, सीतल भोजन सोवन थाल । करौ हो भगति अति कामिनी, अहो घर में जी संपदा बहुविधि हो । दीन वचन घरि घरि फिरै, स्वामि ता नरस्यो भलौ कहै न कोई || २३ आषाढ मास आषाढ मास आते ही पशु-पक्षी सब अपना-अपना घर बना कर रहने लगते हैं तथा परदेश में रहने वाले घर आ जाते है, लेकिन आपने तो अपनी जिद्द पकड़ ली है । आप पर मन्त्र-तन्त्र का भी कोई असर नहीं होता। इसलिए मेरी प्रार्थना अपने चित्त में धारण करो । यथा अहो मास आसाढ आवै जब जाई, पसूहो पंखि रहै सब घर छाई । परदेसी घरां गम करै, अहो तुम्ह नै जीदई लगाई वाय । मंत्र तंत्रानवि ऊतजी, स्वामी बात चित्त में धरौ जादो जी राई ॥२४ - - ब्रह्म रामल्ल ने राजुल की व्यथा को बहुत ही संयत भाषा में छन्दोबद्ध किया है। विरह-वेदना के साथ-साथ राजुल के शब्दों में कवि ने जो अन्य धार्मिक क्रियाओं का तथा नेमिनाथ की मुनि क्रिया का उल्लेख किया है। उससे राजुल के कथन में स्वाभाविकता आ गई है । अन्त में राजुल नेमिनाथ . से यही प्रार्थना करती है के इस जन्म में जो कुछ भोग भोगना है उन्हें भोग ही लेना चाहिए, क्योंकि अगला जन्म किसने देखा है । वास्तव में जब घर में खाने को खूब अन्न है तो लंघन करके भूखों मरने से तो उल्टा पाप लगता है। इसके अतिरिक्त उस तरह मरने का भी क्या अर्थ है जिसको कोई लकडी देने वाला नहीं । यथा अहो असा जी वाराह मास कुमार रिति रिति भोग कीजै अतिसार । आता जन्म को को गिणै, अहो घर मैं जी नाज खावानै जी होय । पापि लांघण करि मरौ, स्वामि मुवा थे लाकडी देई न कोई ॥ २५ कथावस्तु प्रस्तुत नेमीश्वररास एक पौराणिक काव्य है । इसके नायक पौराणिक हैं तथा कथावस्तु का आधार महापुराण तथा हरिवंश पुराण हैं, लेकिन स्वयं कवि ने अपने काव्य में कथा के आधार का उल्लेख नहीं किया है । इसमें २२वें तीर्थंकर नेमिनाथ का जीवन चरित अंकित किया गया है। नेमिनाथ नारायण श्रीकृष्ण के चचेरे भाई थे । ये यदुवंशी समुद्रविजय के पुत्र थे। इनकी माता का नाम शिवादेवी था। एक बार रात्रि में इन्होंने सोलह स्वप्न देखे और पति से इन स्वपनों का फल पूछा । तब पतिदेव ने बतलाया 544 * छैन यस विमर्श - Page #594 -------------------------------------------------------------------------- ________________ कि उन्हें अपूर्व लक्षणोंसे युक्त पुत्ररत्न की प्राप्ति होगी। तत्पश्चात् श्रावण शुक्ला अष्टमी के दिन तीर्थं नेमिनाथ का जन्म हुआ। नगर में हर्षोल्लास सहित विभिन्न उत्सव मनाए गए। आरती उतारी गई तथा घर के आंगन को मोतियों से मण्डित किया गया। देवलोक से इन्द्र इन्द्रानियाँ उपस्थित हुए तथा बाल तीर्थंकर का सुमेर पर्वत स्थित पाण्डुक शिला पर इन्द्र के द्वारा एक हजार आठ कलशों में जलभर कर अभिषेक किया गया। तथा दूध-दहीं, घृत-रस एवं औषधियों से मिश्रित जल के द्वारा भगवान का स्नान कराया गया। यथा - सहस अटोतर इन्द्र के हाथि अवर भरि लीया जी देवतां साथि । जा हो जीऊ परि ढलिया, अहो दूध दही घृत रस कीजी धार । सार सुगंधी जी ऊषधी, अहो न्हवण भयौ शिवदेव कुमार ॥२६ इसके बाद तीर्थंकर का नामकरण संस्कार किया गया तथा उनका नाम रखा गया - नेमिकुमार । यथा - अहो वज्र की सुइस्यो जो छेदिया कान, वस्त्र आभरण विनै बहुमान । अहो किया जी महोछा अतिघणा, वंदना भक्ति करि बारं जी बार । अहो कर जोडै सुरपति भणी, नाम दिये तसु नेमिकुमार ॥२७ नेमिकुमार सुख एवं ऐश्वर्य को भोगते हुए दूज के चन्द्रमा की तरह कब युवा हो गए इसका किसी को आभास ही नहीं हुआ । एक दिन अनेक यादव कुमारों, नारायण श्रीकृष्ण तथा अन्त:पुर के पूरे परिवार के साथ हाथी, रथ एवं पालकियों पर सवार होकर नेमिकुमार वन क्रीडा को गए। वे वन में विभिन्न प्रकार की वन क्रीडाओं में मस्त हो गए। एक युवती झूला झूलने लगी तो दूसरी हाथ में डण्डा लेकर उसे मारने लगी। एक युवती यह देखकर हँसने लगी तो दूसरी अपने पति का नाम लिखने में ही मस्त हो गयी। यथा - एक तीया झुलै झुलणा, एक सखी हणै साट ले हाथि। एक सखी हा हा करै, अहो एक सखी लिहि कंत कौ नाव ॥२८ उसी स्थान पर गंगा के समान निर्मल जल के ओत-प्रोत एक विशाल एवं गहरी बावड़ी थी । नेमिकुमार ने बावडी में स्नान करने के बाद अपना दुपट्टा जल में डालकर अपनी भाभी जामवती से उसको धोने के लिए निवेदन किया। लेकिन जामवती को यह अच्छा नहीं लगा और कहने लगी कि यदि नारायण श्रीकृष्ण ऐसी बात सुन लें तो तुम्हें नगर से बाहर निकाल दें। उनके ब्रह्मरायमलकृत नेमीश्वर रास का समीक्षात्मक अध्ययन * 545 Page #595 -------------------------------------------------------------------------- ________________ पास शंख एवं धनुष जैसे शस्त्र हैं तथा वे नाग शय्या पर सोते है। यदि तुम्हारे में भी ताकत हो, तथा इन शस्त्रों को अगर प्राप्त कर सको तो वह उनके कपडे धो सकती है। नेमिकुमार को भाभी की बात अच्छी नहीं लगी। वन क्रीडा से लौटने के बाद कुमार नारायण के घर गये और वहाँ उनका शंख पूर दिया । शंख पूरने से तीनों लोकों में खलबली मच गई। कुमार ने नारायण के धनुष की प्रत्यंचा को भी चढ़ा दिया । श्रीकृष्ण वहाँ आकर क्रोधित हो कुमार को डाँटने लगे। दोनों में मल्लयुद्ध होने लगा। लेकिन श्रीकृष्ण कुमार को पराजित नहीं कर सके । तत्पश्चात् नारायण श्रीकृष्ण ने कुमार के घर आकर शिवादेवी के चरण स्पर्श किये तथा कहा कि नेमिकुमार युवा हो गए हैं अत: शीघ्र ही उनका विवाह करना चाहिए तथा यह भी बतलाया कि उग्रसेन की पुत्री उनके योग्य कन्या है । माता ने नारायण के कहने पर अपनी अनुमति दे दी। इसके पश्चात् नारायण ने राजा उग्रसेन के सामने राजुल के विवाह का प्रस्ताव रखा | उग्रसेन ने सोचा कि घर बैठे गंगा आ गई और अपने भाग्य का गुणगान किया। ज्योतिषी को बुलाया गया तथा दोनों के नक्षत्र देखे गए। उग्रसेन और श्रीकृष्ण ज्योतिषी से कहने लगे कि - अहो लेहु शुभ लग्न जिव होई कुसलात, रोग बिजोगन सांचरौ । स्वामि राहु सनिशर टालि जै लाभ, श्री नेमिजिनेश्वर पाय नमूं ॥२९ ज्योतिषी ने लग्न देखते हुए कहा कि - अहो मांडि जी खडहि कियौ बखान, ग्यारह सुरु गुरु राज लथान । नेमि नौ सात उरवि लौ अहो लिख्यौ जी लग्न गीणी ज्योतिगी यां ज्ञान । इस प्रकार राजुल तथा नेमिकुमार का सम्बन्ध निश्चित हो गया तथा श्रीकृष्ण के आँचल में पान, सुपारी, हल्दी और नारियल समर्पित किया गया । नारायण श्रीकृष्ण द्वारा सुपारी स्वीकारते ही चारों ओर हर्षोल्लास होने लगा। बाजे बजने लगे तथा घर-घर में गीत गाये जाने लगे। मधुर स्वादिष्ट षट् रस भोजन बनाए गए तथा सभी लोग एक पंक्ति में बैठकर भोजन करने लगे । भोजनोपरांत ताम्बूल प्रदान किए गए। वस्त्राभूषणों की तो कोई गिनती ही नहीं थी। अन्त में नारायण को हाथ जोडकर विदा कर दिया गया। लग्न लेकर जब श्रीकृष्ण वापिस पहुँचे तो शिवादेवी से कुमार के विवाह की तैयारियाँ करने को कहा। एक तरफ युवतियाँ गीत गाने लगी। तेल इत्रादि छिडका 546 * छैन रास.विमर्श Page #596 -------------------------------------------------------------------------- ________________ - जाने लगा तथा केसर- कस्तूरी तथा फूलों से सारा राजमहल सुगन्धित होने लगा। दूसरी ओर विश्वसनीय सेवकों को बुलाकर महिष, सुकर, सांभर, रोझ, सियाल आदि को एक बाड़े में बन्द किए जाने का आदेश दिया गया । यथा अहो तब लगु केसौ जी रच्यौ हो उबाउ, सेवक आपणा लीयाजी बुलाई। वेग देव नमौ जी गम करौ, अहो छै लाहो महिष हरण सुवर । सांबर रोझ सियाल, वेग हो जाई बाडौ रचौ अहो गौरण ओग्रजी सेणि भोवाल || कुमार की वरयात्रा में सभी यादव परिवारों के साथ-साथ कौरव और पाण्डव भी थे। सभी वरयात्री सजधजकर आंखों में काजल, मुख में पान तथा केशर, चन्दन, कुंकुम के तिलक लगाए हुए पालकी, रथ एवं हाथियों पर सवार होकर चले । लेकिन जिस समय बारात ने प्रस्थान किया तो दायीं ओर रासभ पुकारने लगा, रथ की ध्वजा फट गयी, कुत्ते ने कान फडफडाया तथा बिल्ली ने रास्ता काट दिया । कुमार के सेहरा बँधा हुआ था तथा उनके गले में मोतियों की माला लटक रही थी । कानों में कुण्डल थे तथा मुकुट में हीरे जड़े हुए थे । उनके वस्त्र विशेषकर दक्षिण देश से मँगाये गए थे। बारात जब नगर में पहुँची तो बाजे बजने लगे, शंख ध्वनि होने लगी । बारात का धूमधाम से स्वागत हुआ तथा महाराज उग्रसेन ने कुमार से कृपा रखने के लिए निवेदन किया । अगले दिन लग्न की वेला आयी तो कुमार अपने परिजनों सहित तोरण के लिए पहुँचे । उनके स्वागत में महिलाओं ने मंगल गीत गाये तथा राजुल ने अपना सम्पूर्ण श्रृंगार किया । यथा अहो मंदिर राजल करौ जी सिंगार, सोहै जी गली रत्नांड्यौ हार | नासिका मोती जी अति वण्यौ, अहो पाई नेवर महा सिरहा मैह-मंद । काना हो कुंडल अति भला, अहो मेरु दुहुं दिसो जिम सूर अर चंद || लेकिन जैसे ही कुमार तोरण द्वार पर उपस्थित हुए तो उन्हें कहीं से अनेक पशुओं की करुण एवं हृदय विदारक पुकार सुनाई दी । उनकी पुकार सुनकर कुमार शान्त न रह सके और उस करुण पुकार का कारण पूछा । जब कुमार को ज्ञात हुआ कि ये पशु उन्हीं की वरयात्रा में आए हुए बारातियों के लिए हैं तो चिन्तित हो उठे और इस सब को पाप का मूल कारण जानकर विवाह के स्थान पर वैराग्य लेने को अधिक उचित जानकर कंकन तोड ब्रह्मरायमलकृत नेमीश्वर रास का समीक्षात्मक अध्ययन * 547 - Page #597 -------------------------------------------------------------------------- ________________ गिरनार पर्वत पर चढ गये। यथा - स्वामी जीव पसू सहु दीना जो छोडि चाल्यौ जी फेरि-तप नै रथ मोडि । कांधै जी सुराह लीघी पालिकी, अहो जै जै कार-भयो असमान । सुरपति विनौ जी बोले घणौ, स्वामि जाइ चढ्यौ गिरनारि गढ थानि ॥३० कहा भी जाता है कि जहाँ जीव दया नहीं है वहाँ जप, तप, पूजा, पाठ और संयमादि सब व्यर्थ हैं। यथा - जप तप संजम पाठ सहु, पूजा विधि ब्यौहार | जीव दया विण सहु अफल, ज्यौ दुरजन उपगार ॥३१ लेकिन जिस समय राजुल ने कुमार द्वारा वैराग्य धारण करने की वार्ता सुनी तो वह मूर्छित होकर पृथ्वी पर गिर पड़ी। अहो गइ जी वचन सुणता मुरछाई, काटि जी बेलि जैसो कुमलाई । नाटिका थानक छाडिया, अहो मात पिता जब लाघी जी सार । रुदन करौ अति सिर धुणे, अहो कीना जी सीतल उपचार ॥३२ यह सब देखकर जब राजुल के माता-पिता ने उसका विवाह दूसरे कुमार के साथ करने की बात कही तो राजुल ने उसे भारतीय संस्कृति के विरुद्ध बताकर नेमिकुमार के अतिरिक्त सभी को अपने पिता और भाई के समान बताकर अपना निश्चय प्रकट किया । तथा अपनी एक सखि को साथ लेकर गिरनार पर्वत पर गयी जहाँ भगवान् नेमिनाथ मुनि दीक्षा धारण कर अपनी आत्मा में लीन हो गए थे। राजुल ने नेमिनाथ से वापिस घर चलने के लिए यथासम्भव प्रयत्न किया, अपने रूप-लावण्य की प्रशंसा की। वर्ष के बारह महीनों में होने वाले प्राकृतिक उपद्रवों की भयंकरता का प्रतिपादन किया एवं अन्य भी विभिन्न प्रकार से अनुनय-विनय की। यथा - अहो जैसा जी बारह मास कुमार, रिति रित भोग कीजै अतिसार । आवता जन्म की को गिणे, अहो घर में जी नाज खाबाजै जी होई। पापि लांघण करि मरौ स्वामी मुवा थे लाकडी देई न कोई ॥३३ नेमिनाथ ने राजुल की व्यथा को बड़े ही ध्यानपूर्वक सुना लेकिन वे रंचमात्र भी प्रभावित नहीं हुए। उन्होंने मनुष्य जीवन के महत्त्व, संसार की असारता तथा जगत् के परिवारिक सम्बन्धों के बारे में गूढ एवं विस्तृत प्रकाश डाला तथा अपने वैराग्य लेने के दृढ निश्चय को पुन: बताया। यह सब बातें सुनकर राजुल प्रभावित तो हुई लेकिन एक बार पुन: 548 * छैन. स. विमर्श Page #598 -------------------------------------------------------------------------- ________________ अपने स्त्रीगत भावों का प्रदर्शन किया। लेकिन फिर भी वह नेमिनाथ को अपने निश्चय से विचलित न कर सकी। नेमिनाथ की माता भी वहाँ आ गयी उन्होंने भी घर चलने तथा राज्य सम्पदा का भोग करने के लिए अनुनय किया। यथा - अहो माता सिवदेवि जो नेमि नै दे उपदेसि पुत्र सुकुमाल तुं हुं बालक वेस। दिन दस घर में जी थिति करौ, अहो सुखस्यौ जी भोगवै पिता को राज। दिष्या हो लेण बेला नहिं स्वामि चौथै हो आश्रमि आतमा काज ॥३४ माता-पिता के अथक प्रयास करने के बाद बलभद्र, श्रीकृष्ण एवं परिवार के गणमान्य नेमिनाथ को समझाने आए लेकिन सभी का प्रयत्न विफल गया। और अन्त में सावन शुक्ला ६ को वैराग्य धारण कर लिया। तत्काल स्वर्ग से इन्द्रों ने आकर भगवान् के चरणों की अर्चना की। राजुल ने भी वैराग्य लेने का निश्चय कर आर्यिका दीक्षा ले ली। तथा विविध व्रतों एवं तप में लीन रहती हुई अन्त में मरकर १६ वें स्वर्ग में इन्द्र हो गयी। नेमिनाथ ने कैवल्य प्राप्त किया और देश में अनेक वर्षों तक विहार करते हुए अहिंसा, अनेकान्त एवं अन्य सिद्धान्तों का उपदेश देकर देश में अहिंसा धर्म का प्रचार किया और अन्त में गिरनार पर्वत से ही मुक्त हुए। जैन काव्यों का मुख्य उद्देश्य होता है पाठकों को वैराग्य की ओर अग्रसर करना । प्रस्तुत नेमिश्वरदास में भी यही सफल प्रयास किया गया है। __ सहायकाचार्य (जैनदर्शनविभाग) श्री लालबहादुरशास्त्री राष्ट्रिय संस्कृत विद्यापीठ नई दिल्ली - १६ दूरभाष - ९५६०२५०११७ पादटीप: १. हिन्दी साहित्य का आदिकाव्य पृ. ११, प्रथम संस्करण २. वामन शिवराम आप्टे, संस्कृत हिन्दी कोश, पृ. ८५६ ३. नेमीश्वररास २३ नेमीश्वररास १४ नेमीश्वररास ६० ६. नेमीश्वररास १२२ ब्रह्मरायमलकृत नेमीश्वर रास का समीक्षात्मक अध्ययन * 549 Page #599 -------------------------------------------------------------------------- ________________ ७. नेमीश्वररास ६७ ८. नेमीश्वररास ९८ नेमीश्वररास ११६ १०. नेमीश्वररास ८,२१ व ३६ ११. नेमीश्वररास १४४ १२. अहो सोलाहसै पन्द्राह रच्यौ रास, सावलि तेरसि सावण मास । बरते जी बुधि वासी भलौ, अहो जैसी जी बुधि दिन्हो अवकास । पंडित कोई जी मत हसौ, तैसी जी बुधि कीयो परगास । नेमीश्वररास १४२ १३. नेमीश्वररास १४३ १४. नेमीश्वररास ८५ १५. नेमीश्वररास ८६ १६. नेमीश्वररास ८८ १७. नेमीश्वररास ८९ १८. नेमीश्वररास ९० १९. नेमीश्वररास ९१ २०. नेमीश्वररास ९२ २१. नेमीश्वररास ९३ २२. नेमीश्वररास ९४ २३. नेमीश्वररास ९५ २४. नेमीश्वररास ९६ २५. नेमीश्वररास ९७ २६. नेमीश्वररास २५ २७. नेमीश्वररास २८ २८. नेमीश्वररास २९. नेमीश्वररास ४८ ३०. नेमीश्वररास ७३ ३१. नेमीश्वररास ६७ ३२. नेमीश्वररास ७५ ३३. नेमीश्वररास ११४ ३४. नेपीश्वररास 550 * छैन. रा.स. विमर्श Page #600 -------------------------------------------------------------------------- ________________ वाचक कनकसोम कृत आसाढभूति रास: साहित्यिक और सांस्कृतिक मूल्यांकन डॉ. गंगाराम गर्ग, पूर्व प्राचार्य, भरतपुर रासो काव्यों की सुदीर्घ परम्परा और राजस्थानी एवं गुजराती के साहित्य भंडार को अधिक सम्पन्न करने में श्वेताम्बर जैन कवियों का विशिष्ट योगदान है। इन कवियों में सत्रहवीं शताब्दी के संत कनकसोम का साहित्य उल्लेखनीय है। जीवन वृत्तः कनकसोम खरतरगच्छीय अमरमाणिक्य जी के शिष्य थे। इनकी एक रचना 'जइतपद वेलि' में संत साधुकीर्ति की शास्त्रार्थ-विजय के आधार पर इनको अधिक श्रद्धा संत साधुकीर्ति के प्रति भी दृष्टिगत होती है, जो इनसे बडे थे। बादशाह अकबर के निमंत्रण पर संवत् १६४८ वि. में जब आचार्य जिनचंद सूरि उनसे मिलने गए; तब लाहौर के वाचक, कनकसोम जी उनके साथ गए थे । इस भेंट में अन्य साधु ‘जयसोम' महोपाध्याय, ‘वाचक रत्नविधान' पं. गुणविजय भी उपस्थित रहे थे। रचनाएं : संत कनकसोम का रचनाकाल सं. १६२५-१६५५ के मध्य निर्धारित किया गया है। इनकी प्रथम रचना 'जइतपद वेलि' संवत् १६२५ वि. में रची गई। इस ऐतिहासिक रचना में खरतरगच्छीय संत साधुकीर्ति द्वारा तपागच्छीय साधु बुद्धिविजय के शास्त्रार्थ का विवेचन है। 'आषाढभूतिरास' की रचना संवत् १६३८ वि. को खम्भात नगर में हुई। ‘मंगल कलश' नामक दूसरी महत्त्वपूर्ण रचना संवत् १६४९ वि. में मुलतान में लिखी गई। ‘आर्द्रकुमार चुपई' कवि द्वारा मारवाड के अमरसर में सृजित हुई। उक्त चार बहु चर्चित रचनाओं के अतिरिक्त शोध विद्वानों श्री अगरचंद नाहटा एवं डॉ. हरीश द्वारा वाचक कनकसोम की कई रचनाओं ‘हरिकेश संधि* (सं. १६४० वि.) कनकसोमजी की एक रचना 'गुणस्थानक चोपाई' है, जो गुणस्थानक : एक अध्ययन ले. केतकी शाह में प्रकाशित है । वाचक कनकसोम कृत आसाढभूति रास * 551 Page #601 -------------------------------------------------------------------------- ________________ ‘नेमिनाथ काग’, ‘कालिकाचार', 'सुकौसल चरित्र' का नामोल्लेख भी किया गया है । 'आचार्य जिनचंद सूरि गीत' कवि की भक्तिपूर्ण रचना है । धार्मिक, पौराणिक भक्तिपरक काव्यकृतियों के मध्य भावपूर्ण रचना ‘आषाढभूति रास’ तत्कालीन संस्कृति की अभिव्यंजना एवं रास-साहित्य की महत्त्वपूर्ण कडी है। 'आषाढभूति रास' की कथावस्तु : राजगृहीनगर वन, उद्यान, पौल, पगार आदि व्यवस्थाओं के साथ सुशोभित है। वहाँ के राजा सिंहरथ बडे न्यायी है। एक बार मुनि धर्मरुचि अपने ५०० संतों के साथ वहाँ अपना चातुर्मास करते हैं। आचार्य धर्मरुचि का एक शिष्य मुनि आषाढभूति लब्धियों के भंडार है। वे एक दिन विहार करते हुए राजगृही नगर में स्थित एक नटुवा के घर प्रविष्ट हुए वहां भोजन में उन्होंने मोदक पाया। उस मोदक को गुरु के आहार लेने की भावना से उन्होंने अन्य मुनि वेश में दूसरा मोदक भी प्राप्त किया । इस प्रकार वह रूप परिवर्तित करते हुए अनेक मोदक प्राप्त करते रहे। मुनि के चमत्कारिक व्यवहार को देखकर - घर बहार बैठा नटुवा बडा आकृष्ट हुआ और उसने मुनि से अपने घर रहने की प्रार्थना की - नटुवा व भाव सूं, हम तुम्हारे दासा रे । ल्याँ सब कुछ जै चाहीये, पूरि हमारी आसा रे ॥३॥ दूसरे दिन जब मुनि नटुवा के घर के सामने के निकले तो उन्होंने नटुवा के घर में अनेक मोदक बिखेर दिए । नटुवा को दो पुत्रियां भुवनसुंदरी और जयसुंदरी यौवनसम्पन्न थी । दोनों ही मुनि की विद्या से चमत्कृत और उसके स्वरूप पर मोहित हुई। दोनों युवतियाँ सर्वांग- सुन्दर और राषडी, वेसर, कुंडल, हार, मेखला आदि आभूषणों से सुसज्जित थीं । मुनि के कायिक सौन्दर्य से मुग्ध हुई युवतियों ने विरक्ति मार्ग की कठिनाइयों के उल्लेख के साथ अपना प्रणय निवेदन इन शब्दों में किया - 'तुम से घरि घरि किम हीडइ । तुम सिर सेहर सोहइ मीठइ । अइसे महल भोगो आई । हम सुं मुनिवर करौ सगाई ॥२८॥ तुम्हइ दीस सुंदर कोमल देही । इण संयम सुं तजहु सनेही ||२९|| ' 552 * न रास विभर्श Page #602 -------------------------------------------------------------------------- ________________ उभयपक्षीय पूर्वानुराग की स्थिति को कवि ने बड़े सुन्दर ढंग से व्यक्त किया है। नट कन्याओं और मुनि की दृष्टि ऐसे मिली - जैसे दूध में शक्कर घुल जाती है। 'मुनिवर निजर निजर सूं मेली। दूध मांहि जानूं साकर मेली।।' युवतियों पर आकृष्ट आषाढ़भूति गुरु धर्मरुचि के पास लौटे और उनसे गृहस्थ बन जाने की अनुमति चाही। शिष्य की संयमहीन स्थिति देखकर गुरु धर्मरुचि विह्वल हो उठे - 'संयम लेई किम छंडीजै। सील रयण कहि किम षंडीजै ।' गुरुने दु:खी हृदय से मांस-मदिरा का त्याग अवश्य रखें, ईतनी प्रतिज्ञा दे कर शिष्य को गृहवास में जाने की अनुमति दी ।। संयम-साधना से मुक्त आषाढ़भूति की दिनचर्या नटुवा-पुत्रियों के साथ हास-विनोद और संगीत आदि में व्यतीत होने लगी। एक दिन राजा के यहां से 'भगत' (नाट्यमहोत्सव) आयोजन का आदेश आया। तब अपने जातिगत स्वभाव के कारण जयसुन्दरी और भुवनसुन्दरी ने अधिक मदपान कर लिया । मदहोश युवतियों की कायिक और मानसिक स्थिति देखकर आषाढ़भूति को ओछी प्रीति का ज्ञान हो गया । 'नारी आला झंखेवि मंदिर मांहि परीरी। विरुचि रह्यो मुनिराय, ओछी प्रीति लसी री' ॥४४॥ मदोन्मत्त युवतियों ने जब थोडा होश संभाला तो आषाढभूति से अपने कृत्य पर क्षमा भी चाहीं। कीडी ऊपरि रोस, कता काहे करो री। मुग्धां नै कुण दोस, मदिरा बात मरोरी ॥४८|| मुनि आषाढ़भूति ने उन्हें धीरज तो बंधाया, किन्तु स्वयं संयमित स्थिति में ही रहे। राजा के पास ‘भगत' के लिए जाने पर आषाढ़भूति ने राजा से ऋषभपुत्र 'भरत' का संगीतपूर्ण अभिनय दिखलाने की रुचि प्रदर्शित की तथा उससे तदनुकुल व्यवस्था करवानी चाही। राजा भरत के समान पहले तो मुनि ने आभूषण धारण किए किन्तु बाद में कथाक्रम के अनुसार आभूषण वस्त्र आदि उतारे भी; और द्वादश भावनाओं का क्रमश: स्मरण किया। 'अशुचि' और 'अनित्य' भावनाओं को विचारते हुए मुनि आषाढ़भूति भरत के वास्तविक वाचक कनकसोम कृत आसाढभूति रास * 553 Page #603 -------------------------------------------------------------------------- ________________ रूप में ही बह गए । अभिनय काल्पनिक ही नहीं रह गया; जीवन की सच्चाई बन गया । ‘यतिय काया अपवित्र विचारी । भवना भरथह संभारी ।' आषाढभूति ने चारों धातियाँ कर्मो का नाश किया और चौदहवे गुण - स्थानों की ओर बढे । भरत के साथी ५०० राजकुमार बने पात्र भी मुनि बन गए और आषाढभूति मुनि द्वारा प्रतिबोधित हुए। मुनि आषाढभूति ने 'ऋषभपुत्र भरत की अनुकृति करते-करते स्वयं भी उसका साक्षात् चरित्र ही आत्मसात् कर लिया । कर्ममल के शोधन के लिए अन्यों को प्रेरित किया और मुनिधर्म पालते हुए स्वयं मुक्ति भी पाई 'उपदेश आवै लोक साथै कर्ममल जिन साधना । अनुक्रम कराय बिहार चारित्र, पालि मुनि मुगतै गया ।" समस्त भारतीय परम्परा में 'गुरु' को सर्वोत्कृष्ट स्थान दिया गया । श्रमण परम्परा में गुरु के आदेश एवं अनुशासन के निर्वाह की सर्वाधिक प्राथमिकता है । नटुवा-पुत्रियों पर आसक्त मुनि आषाढभूति भी गुरु की अवज्ञा नहीं कर देते । कहते है - ‘नटणी सूं हम प्रीति वणाई । द्यो आदेश हम कछु न सुहाई । कर्म-विपाकात् पथभ्रष्ट मुनि आषाढभूति की निष्कपटता तो प्रशंसनीय है ही; किन्तु विरक्त गुरु की भावुकता शिष्य के सर्वाधिक हित के लिए ही सर्वथा समर्पित रहने के स्वभाव की परिचायिका है। - 'गुरु सिरि धूणी कहै वछ मेरो । हा हा वचन भला नहु तेरा ।। ३५ । शिष्य - गुरु के स्वभावों का ऐसा स्तुत्य सम्बंध विद्या ज्ञान और अध्यात्म के क्षेत्र का अनूठा आदर्श है - एक ओर शिष्य की निष्कपटता, अनुशासन और दूसरी ओर शिष्यहित के लिए गुरु की आतुरता । जैन काव्य-परम्परा में कल्पनातीत, स्वाभाविक जीवन से अधिक ऊँचे चरित्रों की सृजना नहीं की गई। उनके पात्रों की जीवनचर्या वह वस्त्र या पट है जिसके बुनाव में यदि अधिक श्वेत धागे हैं तो कुछ श्याम धागे भी है । क्योंकि किसी भी व्यक्ति का लम्बा जीवन सदा दोषहीन या पूर्ण आदर्शमय हो ही नहीं सकता। जैन चिंतकों की दृष्टि में रात्रि का भटका हुआ यदि सुबह घर आ जाय तो भूला नहीं माना जाता । आषाढभूति मुनि कुछ काल 554 * नैन रास विभर्श Page #604 -------------------------------------------------------------------------- ________________ के लिए संयमहीन तो हुए; किन्तु संभल भी गए। सप्तव्यसनों में चर्चित मदिरापान जैसे दोष ने उनके प्रियजनों के प्रति भी उन्हें विरक्त कर दिया। मदिरोन्मत्त युवतियों ने उन्हें घोर पश्चाताप करने को बाध्य कर दिया - 'हा हा कुण अपराध, इण तूं प्रीति करी री। किम मुझ लोपी कार, इण की जाति बुरी ऐ। छंडी संयम रंग, काहे रमणि वरी री॥४५॥' समतामूलक स्वर, गुरु-शिष्य सम्बन्ध, चारित्रिक पतन के प्रति घृणा आदि मूल्यों की प्रतिष्ठा के साथ-साथ समकालीन मनोरंजन साधनों को श्वेताम्बर जैनकाव्यों में अधिक महत्त्व मिला है। उनमें से कुछ है - संगीत, नाटक एवं नट विद्या । ये विधायें अपनी कलात्मक दृष्टि से ही आकर्षक नहीं, अपितु एक बड़े समूह को एकजुट और प्रसन्न रखने के लक्ष्य से अपना सामाजिक महत्त्व भी रखती हैं। सार्वजनिक जीवन को सुखमय, रोचक, एक्य बनाने के लक्ष्य के अतिरिक्त इनका आर्थिक महत्त्व ही नहीं भुलाया जा सकता। संस्कृत नाटकों का अस्तित्व स्वीकार करते हुए भी भारत के मध्यकालीन नाटकों में अंग्रेजी साहित्य का प्रभाव मानने की चेष्टा करने वाले विद्वानों को यह स्वीकार करना ही होगा कि अभिनय की प्रकृति तो भारतीय संस्कार में ही है। ‘भगत', 'भंवई' नौटंकी जैसी लोकनाट्य कला ही नहीं; प्रसिद्ध विद्वान् अगरचंद नाहटा द्वारा उल्लिखित श्वेताम्बर जैन कवियों द्वारा लिखित संवादात्मक रचनाएं भी प्राप्त हुई है - समयसुन्दर कृत 'दान, शील, तप, भावना, संवाद' (१६६२ वि.) रंग विजय कृत 'काया-जीव संवाद' अन्य कवियों की कृतियां ‘मृगा सिज्झाय' धन्ना सिज्झाय आदि । दिगम्बर जैन कवि ब्रह्म गुलालकृत 'जोग-भोग संवाद' (१६६५ वि.) अवध क्षेत्र के प्रसिद्ध जैन कवि विनोदी लाल का ‘नेमि-राजुल संवाद काव्य' इस तथ्य के साक्षी है कि गुजरात और राजस्थान में ही नहीं, नाट्य प्रदर्शन तो अवध और ब्रज क्षेत्र में भी बडा व्यापक था । समयसुंदर तो आत्म शिक्षा गीत में साधक की आलोचना करते हुए कहते है कि यह नाटक और कौतुक देखने में रात्रि-भर जागता रहता है - 'नाटक कौतुक पेषताएं, तो जाणे रयण विहाय । 'पेषणों' नहीं देखने वाले, गीत न सुनने वाले सूम को उसकी कन्जूसी पर ढूढांड क्षेत्र के कवि ठक्कुर सी (सं. १५२०-१५९० वि.) ने प्रतारणा दी है - वाचक कनकसोम कृत आसाढभूति रास * 555 Page #605 -------------------------------------------------------------------------- ________________ 'पेषणों' कदै देषै नहीं, श्रवण न सुहाइ गीत रस ।' अकबरकालीन आगरावासी कवि बनारसीदास ब्रजप्रदेश में घर-घर गीत गाए जाने और नाटक खेले जाने का संकेत देते है - _ 'घर घर नाटक होंहि नित, घर घर गीत संगीत' मुगल बादशाह मुहम्मद शाह रंगीला की धर्मनिरपेक्षता के प्रशंसक दिल्ली बस जाने वाले धानतराम जिन दर्शन की अपेक्षा नाटक देखने वाले साधक पर झुंझला उठे हैं। 'नाट विलोकन में बहु समुझौ, रंच न दरस प्रतीत ।' पद ११० विविध क्षेत्रों के विविध कालों में आविर्भूत जैन कवियों की उपर्युक्त काव्योक्तियाँ भारतीय समाज में सर्वत्र व्याप्त नाट्यकला के प्रभाव का संकेत देती है। उक्त सभी काव्योक्तियां 'आषाढ़भूति रास' में आषाढभूति के मन पर भरत चरित्र के दृढ प्रभाव की अनुरूपता का पोषण करती है। 'आषाढभूति' जो भारतीय नाट्य प्रदर्शन का श्रेष्ठ निदर्शन प्रस्तुत करता है । श्वेताम्बर जैन कवियों का राजस्थानी और गुजराती साहित्य विरक्त और अनासक्त संतों द्वारा ही लिखा गया, किन्तु घर-घर आहार के लिए विहार करते हुए पारिवारिक और सामाजिक जीवन उनसे ओझल नहीं रह सके। इसी कारण ‘चित्रसेन-पदमावती', 'चंदन-मलयागिरि', 'जयसेनलीलावती', 'मानतुंग-मानवती’, ‘माधवानल कामन्दकला' आदि प्रणयी-युगलों का सुभति-हंस (१६९१ वि.) हेमरतनसूरि (१६७३ वि.) लब्धोदय (१६४९१६९३ वि.) भद्रसेन (१६७४-१७६६ वि.) मोहनविजय आदि कवि यथार्थ दाम्पत्य जीवन चित्रित कर सके । वाचक कनकसोम कृत 'आषाढभूति रास' भारतीय वैवाहिक पद्धति का अनुसरण करते हुए एक नया और मौलिक तथ्य यह भी प्रस्तुत करता है कि विवाह के लिए दम्पति के मनोभावों में समानता, खानपान और रीतिरिवाज में एकरूपता होना भी आवश्यक है। इसके अभाव में पारिवारिक रिश्तों में ऐसे ही खटाई आ जायेगी जैसे - नटुवा-सुताओं और आषाढभूति के प्रणय सम्बन्धों में शीघ्र ही टूटन आ गई। मानसिक मिलनसारिता की पूर्ण उपेक्षा करते हुए यौवनजन्य प्रमाद में आकण्ठ निमग्न युवा-युवतियों को पारस्पिरक समझदारी विचारपूर्वक बढाने के हेतु एक अमर और अनूठा संदेश 'आषाढभूति रास' का एक लक्ष्य है। 556 * छैन. यस. विमर्श Page #606 -------------------------------------------------------------------------- ________________ काव्य-सौष्ठव : ___ 'आषाढभूति रास' के कथानक के मध्य भाग में श्रृंगार रस और अन्तिम भाग में भक्ति और वैराग्य भाव का प्रवाह मिश्रित रूप में काव्य की उत्कृष्टता बढाता है । वस्तुत: सभी जैन कथानकों की एक विलक्षणता ही है कि पुण्यकर्मों का फल दिखलाने के लिए कई-कई सुन्दरियों से उनके विवाह करवाए जाते है किन्तु नायिका-नायकगण अधिक भोगरत नहीं रह पाते और संसार और यौवन की क्षणभंगुरता का अनुमान करते हुए बहुत जल्दी ही विरक्ति-प्रवाह में बह जाते है। दाम्पत्य रति के सामान्य लक्षणों के प्रदर्शन के अतिरिक्त उसका विलासी रूप काव्यो में चित्रित नहीं हो पाता। रीतिकाल के प्रारम्भिक कवि और सम्राट शाहजहां से सम्मान प्राप्त 'सुन्दर' (१६८८ वि.) की नायिका तो अपनी चिरी हुई मांग (सीमंत रेखा) से ही विलासियों के मनों को चीर देता है। उसका बालों में कंगनी काढना इतना तीखा है कि सौतोंकी करौंत जैसा तीखा लगता है। चीर पहरै रौं को धरेगो धीर, मांग ही कै चीरे मैं हीयो ज्यों ज्यों कांगनी जे वारनि सूतिहौ, सौतिन के आंखिक करीत ही जियहु है । __सुंदर शृंगार (१६८८ वि.) जैसे नायिका भेद की परम्परा के प्रथम वाहक सुंदर कवि का नायिका के मांग निकालने और कंघी करने के आकर्षक चित्र सहज सौदानुभूतिजन्य न होकर ऊहात्मक ही अधिक है। समस्त जैन काव्यकारों ने राजुल, कोश्या तथा अन्य युवतियों के रूपवर्णन में अंग-प्रत्यंग के लिए परम्परागत उपमान अवश्य प्रयुक्त किए वेणी के लिए ‘पन्नग' मुख के लिए 'चन्द्रमा' नेत्रदृष्टि के लिए 'बाण', भृकुटि के लिए ‘धनुष', नासिका के लिए ‘कीर', अधर के लिए 'विद्रुम', कुच के लिए घट व 'श्रीफल', नाभि के लिए 'समुद्र की गहराई' तथा कटि के सिंह आदि-आदि । सौन्दर्यवर्णन के ये भारतीय मानक 'आषाढभूति रास' में भी उल्लिखित है। 'भुवनसुंदरि' और 'जयसुंदरि' दोनों युवतियों का रूप सौन्दर्य दृष्टव्य है - 'जा सिरि सोहै राषडी वेणी पन्नग मणि जइसी रे ॥ ७ ॥ तिलक वण्यो तिलवटि भलै, नयन वाण किय भल्ला रे ॥ ८ ॥ नाख्या नकवेसर वणी, कीर चंचु गहि फूली रे । विद्रुम अधर दीयै भला, देसत कवन न भूला रे ॥ ९॥ वाचक कनकसोम कृत आसाढभूति रास * 557 Page #607 -------------------------------------------------------------------------- ________________ नाभि मंडल सागर संगइ, जाणकि तीरथ लाहा रे ॥२॥ कुच उच संपुट घट दूने, विचि विचि कमल अनुकारा रे । केहरि कटि लंकहि जिसी, कटि मेखल झणकारा रे । समकालीन रीतिकालीन हिन्दी कवियों के अनुकरण का विरोध करते हुए राजस्थानी व गुजराती के श्वेताम्बर जैन कवि अधिक कल्पनाशीलता, प्रतिभादर्शन अथवा चमत्कारिक अभिव्यक्ति के लोभ से बचे । उन्होंने नायिका के सौन्दर्य की यथार्थता को अधिक अनुभूतिमय बनाने की चेष्टा की। नई उद्भावनाऐं भी की तो, सुंदर कवि जैसी ऊहात्मक नहीं, अपितु सौन्दर्यानुभूति को अधिक व्यंजित करने की - 'लट छूटी शिर थी, जेह कूचं लपटाई जाणों पूजन शंकर एह नागिनी आई रे।' - सिर से छूटी हुई नायिका की लटें कुचों से लिपटी हुई ऐसे लगती है, मानों शिवलिंग प्रतिमा का पूजन करने नागिने आ गई हों। (उत्तम विजयकृत नेमीचंद स्नेह वेलि छंद ३/८) वाचक कनकसोम भी सौन्दर्याभूति को अनुभूतिमय बनाने हेतु नई और श्रेष्ठ उद्भवनाओं में पीछे नहीं रह पाते। 'नायिका के कानों में लटकते हुए कुण्डल ऐसे प्रतीत होते हैं, मानों उसके मुख की छवि को देखने के लिए चन्द्र और सूरज दोनों आसमान से उतर आये हो ।' 'ऊंचे उठे दोनों कुच दो घटों में रखे हुए कमल पुष्पों के समान शोभा दे रहे है और कुचों के उपर का श्याम भाग कमल पुष्पों के रूप में प्राण गंवा देने वाले श्याम भ्रमरों का प्रतिरूप है।' (आषाढभूति रास, छंद, २० व २२) हिन्दी के रीतिकालीन काव्य में पूर्वानुराग की अभिव्यक्ति के लिए उसकी आंगिक चेष्टाएं स्थूलरूप में प्रदर्शित हुई। जैन परम्परा के श्रृंगारनिरूपक रचनाकारों ने सूक्ष्म मानसिक अभिव्यक्तियों को परखा/ उनकी काव्योक्तियाँ भाव को पाठक के मन में अधिक समय तक जमाने में अधिक सफल रही। विजयदेव सूरि की बहुचर्चित रचना 'शील रासा' (१६वीं शताब्दी का अन्तिम पाद) में रहनेमि का मन राजुल को यकायक देखकर इतना विचलित हो गया जितना आग को देखकर घृत का पिघल जाना - ___ 'रूप देखि रिसि चित्त चलंति । 558 * छैन. यस. विमर्श Page #608 -------------------------------------------------------------------------- ________________ अगनि संगति घृत जेम गलंति ॥ (६५ वां छंद)' नायक-नायिका की दृष्टियां प्रथम बार एकमेक हो जाने की स्थिति दूध में घुलती हुई शक्कर से उल्लिखित कर वाचक कनकसोम ने उसे बडी सूक्ष्म अभिव्यक्ति की है। संयोग श्रृंगार के 'मान' और स्थूल रति-चित्र जैन प्रेमाख्यानक काव्यों में वर्ण्य नहीं हो सके । प्रवासजनित मानसिकता कोश्या' के विरह वर्णन में जैन कवियों द्वारा अभिव्यक्त की गई। 'कथानक के स्वरूप के अनुसार आषाढभूति चरित्र अथवा अन्य कई प्रेमाख्यानक काव्य में यह स्थान नहीं पा सकी।' अपने लघु कथा-विस्तार के कारण ‘आषाढभूति रास' में भाव-वर्णन भले ही थोडा हुआ, किन्तु जो भी हुआ वह स्वाभाविक और पुनरावृत्ति रहित । 'दैन्य' और 'वितृष्णा' के भाव नटुवा-सुताओं और आषाढभूति के निम्न कथनों में व्यक्त हुए है। अपराध बोध से ग्रसित नटुवा कुमारियों का अश्रुप्रवाह ऐसा तीव्र हो उठा है, जैसे अधिक वर्षा से नदी उफन पडी हो - 'बहति नदी असराल पावस जो उल्हरे री। छंद ४६ ॥ नटुवा कन्याओं के अति नीच कर्मो से उत्पन्न आषाढभूति की घृणा कैसे शमित हो जाय? आषाढभूति का उनसे कथन है - अंबर छोरि गमारि, जाने दे मौन करउ री। देख्यो तुम्ह आचार, हम चित्त थी उतरी री॥ कामासक्त आषाढभूति मुनि गुरु धर्मरुचि पर भी एक क्षण क्रोध कर बैठता है। मुनिधर्म के उपकरणों के त्याग के साथ उसके 'अमर्ष' भाव की प्रभावकता इन शब्दों में अभिव्यंजित हुई है - _ 'ल्यों पात्र आपणा उपगरण । भोग बिना हम जाइन रहणा ॥३४॥' परिवर्तित रूप धारण करना, मोदकों की संख्या में वृद्धि करते जाना लब्धिधारी आषाढभूति की चेष्टाएं नटुवा और उसकी पुत्रियों के विस्मय भाव की बोधक रही है। ग्रन्थान्त के छंदों में कथित तन की अशुचिता के कथन 'जुगुप्सा' भाव के संचरण में सहायक बने है। भाव प्रवणता के साथ-साथ 'आषाढ़भूति रास' में कला पक्ष भी प्रौढ रहा। राजस्थानी की प्रमुखता रखते हुए भी वाचक कनकसोम ने गुजराती और ब्रजभाषा के लोक प्रचलित शब्दों का किंचित प्रयोग कर अपनी भ्रमणशीलता का बोध भी करवाया। काव्यभाषा में अप्रयत्नज अलंकार-प्रयोग वाचक कनकसोम कृत आसाढभूति रास * 559 Page #609 -------------------------------------------------------------------------- ________________ के साथ लोकोक्तियों के समावेश ने भाषा में रोचकता बढाई जैसे - 'रतन भरि बूडत ज्यों नावा, तजि चिंतामणि सार कांच माणिक गहयो री' आदि । 'आषाढ़भूति रास' में छंदों के साथ आसावरी, गौडी आदि रागों का उल्लेख इस तथ्य का संकेतक है कि 'रासा' काव्य की गेयता में राग-रागनियों को भी प्रमुखता मिली है। राजस्थानी काव्य ‘वेलि, रास, चुपई, ढाल, स्तवन' आदि कई काव्य रूपों से बडा समृद्ध रहा। कनकसोम ने भी 'वेलि, रास, चुपई' में रचनाएं लिखकर अपनी काव्यप्रतिभा का निदर्शन किया है। सत्रहवीं शताब्दी का महान् संत वाचक कनकसोम विभिन्न काव्यरूपों में सामयिक संस्कृति को रूपायित करने वाला अप्रतिम साहित्यकार है। उसका 'आषाढभूति रास' राजस्थानी और गुजराती के अक्षय ‘रासा रत्नकोष' का एक तेजोमय हीरा है। 560 * छैन रास. विमर्श Page #610 -------------------------------------------------------------------------- ________________ श्री नेमीश्वर रास पंडित प्रवर श्री पद्मविजयजी गणिवर श्रीमती सुमित्रा प्र. टोलिया 'पारुल' १५८०, कुमारस्वामी लेआउट, बेंगलोर - ५६००७८ संपर्क - ०८०-२६६६७८८२, ०९८४५००६५४२ पश्चाद् भूमि कहते है कि गीत-संगीत परमात्मा की प्राप्ति के मार्ग के - परमात्मा के निकट के जानेवाले मार्ग के सोपान है। मनुष्य अपने हृदय के मधुरतमकोमलतम भावों की अभिव्यक्ति, गद्य की तुलना में पद्य के माध्यम से कहीं अधिक सुंदर ढंग से एवं स्पष्ट रूप से कर सकता है। माता या बहन की ममता की अभिव्यक्ति के लिए अगर पद्य ही श्रेष्ठ साधन बन सकता है तो संसार के सर्वश्रेष्ठ प्रेम-प्रभुप्रेम और प्रभुभक्ति के भावों की अभिव्यक्ति के लिए पद्य का माध्यम के रूप में स्वीकार किया जाय उसमें आश्चर्य कहाँ? मनुष्य मनोरंजनप्रिय होता है। अत: मोह-मान-माया-लोभ जैसे कुत्सित भावों में - परभावों में लिप्त मानस को भक्ति की ओर मोडने के लिए तीर्थंकर भगवंत, चक्रवर्ती, बलदेव, वासुदेव-प्रतिवासुदेव आदि के एवं अन्य साधकों के जीवन को कथारूप में संगीतबद्ध करके उनके समक्ष प्रस्तुत करने से ये बातें तीर की तरह उनके हृदय में उतर जाती है और अनेक सरल जीवों का उद्धार हो सकता है और हुआ है। मेरे इस कथन की पुष्टि के लिए सर्वश्रेष्ठ उदाहरण है हमारा प्राचीन रासो साहित्य, जो तीर्थंकरो से लेकर भरत बाहुबली, धन्ना-शालिभद्र, विजय सेठ-विजया सेठानी, स्थूलिभद्र-कोशा जैसे महान पुरुषों एवं नारियों के जीवन एवं रात्रिभोजन परिहार जैसे अनुकरणीय सिद्धातों को हमारे समक्ष रखता है । रासा साहित्य में अति प्रसिद्ध उल्लेखनीय नाम है - श्रीपाल-मयणा का रास, एलाची-कुमार रास, अंजना सुंदरी रास, धर्मबुद्धि मंत्री-पापबुद्धि राजा का रास, कान्हड कठियारा का रास, इत्यादि । ___ प्राचीन जैन साहित्य को चार प्रकारों में विभाजित किया गया है - (१) द्रव्यानुयोग (२) गणितानुयोग (३) चरणकरणानुयोग (४) कथानुयोग श्री नेमीश्वर रास * 561 Page #611 -------------------------------------------------------------------------- ________________ रासो साहित्य की विशेषता ___कलिकाल सर्वज्ञ आचार्य श्री हेमचंद्रसूरिजी द्वारा रचित महाग्रंथ 'त्रिषष्ठि शलाकापुरुष चरित्र' में वर्णित २४ तीर्थंकर, १२ चक्रवर्ती, ९ बलदेव, ९ वासुदेव तथा ९ प्रतिवासुदेव के चरित्र ही अधिकतर रासा साहित्य के विषय बने है। इनके अतिरिक्त उच्च गुणों के धारक महान संत-सतियों के जीवन तथा धर्मसाधना को आत्मसाधना को ही जीवन का लक्ष्य बनानेवाले, संसार में रहकर आत्मसिद्धि को प्राप्त करनेवाले महान नर-नारियों की जीवनगाथाओं को भी इस रासो साहित्य में आलेखित किया गया है। तीर्थंकर भगवंत प्रभु नेमनाथ तथा उनके साथे नव-नव जन्मों से विभिन्न स्नेह संबंधो में बंधी राजीमति राजुल की कथा सभी को आकृष्ट करे ऐसी है। मैंने भी उस सिद्ध दंपति की कथा का वर्णन करनेवाली कृति पंडितप्रवर श्री पद्मविजयजी गणिवर रचित 'नेमीश्वर रास' को मेरे निबंध के लिए पसंद किया है। इस कृति की रचना वि. सं. १८०२ में राधनपुर में हुई थी तथा उसके संशोधक-संपादक पू. आ. श्री विजयजिनेन्द्रसूरीश्वरजी महाराज है। उन्होंने भी अपनी प्रस्तावना में यही लिखा है कि 'भूतकाल में ऐसे रास रात के समय गाये जाते थे जिससे धर्म एवं ज्ञान की प्रवृत्ति चलती रहती थी और जीव संसार का स्वरूप समझकर उससे मुक्त होने की अभिलाषा करते थे। रासो के गान से बालजीव बोध प्राप्त करते थे।' कथा तीर्थंकर भगवंत प्रभु नेमनाथ तथा राजुल कथा से कोई भी जैन धर्मानुयायी अनभिज्ञ-अपरिचित हो ही नहीं सकता । महाराजा समुद्रविजय तथा माता शिवादेवी के सुपुत्र भगवान नेमनाथ का जन्म श्रावण शुक्ला पूर्णिमा के दिन शौरीपुर में हुआ था। राजीमती राजुल राजा उग्रसेन की पुत्री थी। प्रथम से ही संसार से विरक्त भगवान नेमनाथ माता-पिता तथा अन्य परिवार के स्वजनों के बहुत समझाने पर विवाह के लिए तैयार तो हुए, परंतु विवाहमंडप की ओर जाते समये मूक पशुओं की आर्त पुकार से उस करुणानिधान की विरक्ति प्रबल हो उठी और सारथी से कहा - 'नेमजी कहे सुण सारथी रे, कुण रुवे छे दुःखभारथी रे ।' * श्रावण शुक्ल पंचमी नेमिनाथ जन्म कल्याणक के रूप में प्रसिद्ध है । सं. 562 * छैन. स. विमर्श Page #612 -------------------------------------------------------------------------- ________________ और यह ज्ञात होने पर कि विवाहभोज के लिए इन पशुओं की बलि दी जायेगी, तत्क्षण विवाहमंडप की दिशा से विपरीत, दीक्षा के मार्ग पर अपने जीवनरथ को मोड दिया। वहाँ राजा उग्रसेन के राजभवन में सखियों के साथ हँसी-मजाक कर रही राजुल को कुछ अमंगल की अंत:प्रेरणा होती है और एक नि:श्वास निकल जाता है। आनंद मंगल मना रही सखियाँ पूछती है - ‘राजिमती इस अवसरे मूके दीर्घ निसास...' और सखी के द्वारा कारण पूछे जाने पर कहती है .... 'दाहिण फरके लोयणं, अपमंगल अविवाद...' और तभी समाचार आते है कि भगवान तो विवाहमंडप से वापस लौट गये है। इस समाचार से अनेक आशाओं को हृदय में धारण करती, भाविजीवन में एक महान पुरुष के साथ जीवनभर का संबंध बांध कर उनकी अर्धागिनी बनने की कल्पनाओं में खोई राजुल की स्थिति क्या हुई होगी ? पशुओं से भी अधिक करुण चित्कार उसके हृदय से नहीं निकला होगा ? कवि स्वयं यही कहते है - 'राजीमति इण अवसरे, वात सुणी निरधार रथ फेरी पाछा वळया, जिनवर नेमकुमार... वज्राहत धरणी ढळी, मूर्छा पामी तेह। धावमात सखियाँ वळी धावे झलझल देह.... ... तेम विलपे राजीमती कविथी पण न कहाय ।' सत्य है, नारी की व्यथा एक पुरुष कवि क्या समझ सकेंगे .....? और होश आने पर विलाप कर रही राजुल प्रभु नेमनाथ से कहना चाहती है - 'सामलिया लाल, तोरण थी रथ फेर्यो रे कारण कोने गुणगिरुआ लाल मुजने मूकी चाल्या रे दरिसण दोने ।' एक नारी सुलभ व्यथा के भावों को कवि ने यहाँ सुंदर रूप से शब्दस्थ किया है। प्रभु ! मेरा एसा कौन सा दोष है जिसका मुझे आप इतना कठोर दंड दे रहे हैं ? 'कोई अपराध कर्यो तुमचो, तो स्वामी समीपे अमचो । पण महोटा थई केम विरचो...?' श्री नेमीश्वर रास * 563 Page #613 -------------------------------------------------------------------------- ________________ परंतु कृतनिश्चयी प्रभु नेमनाथ को उनके निश्चय से डिगाने को कौन समर्थ था ? रथ को मोड कर वापस आये कुमार नेमनाथ को श्रीकृष्ण समझाने का प्रयत्न करते हैं कि संसार की असारता मुझे भी ज्ञात है, परंतु लोकनीति और शास्त्र कहते है कि माता-पिता का पालन करना ही सबसे बडा कर्तव्य 'जे संसार असारता देखाडी जगतात ! हुं पण जाणुं ते सवे, पण विलवे मात तात। शास्त्रमाहे परसिद्ध छे, लोकनीति पण एह छे, माय तात ने पालिये, केम रहेशे प्रभु तेह ....?' और कुमार के मन को बदलने हेतु वासुदेव की सभी रानियाँ भी आ जाती है। 'रमणी श्री वासुदेव नी आवी बहोंतेर हजार विनति करे, पाये पडे, रुवे सयल परिवार ।' परंतु केवल मुक्ति ही जिनका लक्ष्य है वे मेरु पर्वत सम अडोल-अकंप प्रभु नेमनाथ किसकी सुननेवाले थे ? माता-पिता को समझाते हुए कहने लगे - 'रहनेमि, सत्यनेमि वली, दृढनेमि त्रण भ्रात छे, सहोदर माहरा तेह छे, विनयवंत विख्यात वृद्धभाव ए पालशे...' और कृष्ण, आगे भविष्य की बात करते हैं। आयु क्षीण होने पर उसे जोडनेवाला, बढानेवाला कोई है ? और दीक्षा लेने के पश्चात् यदि मैं भवजलनिधि पार करुंगा तो शिवसुख के कारणरूप धर्म का दातार बनूंगा - 'दीक्षा लेइ सुणी नरपति, करशुं तुम उपगार शिवसुख कारण धर्मना था| अमे दातार.... कोण कोनां मायतात, वस्तु मते नहीं कोय एक आव्यो एकलो जशे, सांभलजो सहु कोय...." इन शब्दों को सुनकर कृष्ण को भी उनकी दृढ़ता की प्रतीति हो गई। 'कृष्ण विचारे चित्त-मां महावैरागी नेम सुर पण नव वाळी शके, वाळी शकुं हुं केम ?' 564 * छैन यसविमर्श Page #614 -------------------------------------------------------------------------- ________________ इसके बाद भगवान नेमनाथ दीक्षा की पूर्वतयारी रूप वर्षीदान देने लगे। दरिद्रों का दारिद्रय दूर किया । चौसठ इन्द्र प्रभु की वंदना करते है, गंधोदक, पंचवर्ण, पुष्पों की वर्षा करते है। देवतागण बिरुदावली गाते है। महादीक्षा का समय निकट आता है। यह सारा वर्णन गणिवर पद्मविजयजी ने अत्यंत सुंदर ढंग से सरल शब्दों में इस प्रकार किया है कि श्रोता और पाठक की दृष्टि समक्ष उसका तादृश चित्र उपस्थित हो जाता है। कुमारावस्था में काम सुमट को जीतनेवाले भगवान नेमनाथ की ऐसी भव्य आकृति हमारे सामने उपस्थित करने में कविवर पूर्णत: सफल हुए है। प्रभु शिबिका से उतरकर पंचमुष्टि लोच करते है। प्रभु जो तीन ज्ञान के स्वामी थे, उन्हें मन:पर्यव ज्ञान उत्पन्न होता है। प्रभु - ‘अकषायी-अविषायी' अभयदानदाता पृथ्वीतल पर विचरण करते है। घनघाती कर्म रूपी गिरि को तोडते हुए चौपन दिन व्यतीत हुए। पचपनवें दिन प्रभु को - _ 'आशोवदि पहले प्रहर अमावस्या ने दिन पंचावन में दहाडे केवल ज्ञान उत्पन्न...। लोकालोक प्रकाशकं, अप्रतिहत ने अनंत अप्रतिपाति एहथी मूर्त अमूर्त भासंत।' - अन्य तीर्थंकर भगवतों की भाँति प्रभु को केवलज्ञान प्राप्त होते ही सर्वत्र आनंद प्रसरित हो जाता है। नारकी भी कुछ क्षणों के लिए शाता का अनुभव करते है। यह सारा वर्णन कविवर ने इस प्रकार किया है कि पढते पढते हम भी आनंद सागर में डूब जाते है। इस ढाल के अंत में कविवर गान करते है - 'इम चोथे खंडे रंग अखंड गवाय पहले अधिकारे समोसरण रचाय पन्नरमी ढाले उत्तमविजय नो बाल, कहे पद्मविजयसुर, महिमा अतिहि रसाल....' भगवान का उपदेश - नरभव अति दुर्लभ है। जीव कर्मानुसार चार गतियों में भटकता है, नरक की पीडा भोगता है, मनुष्य भव में भी पूर्ण सुख तो है ही नहीं। आर्य देश में जन्म पाने के बाद श्री नेमीश्वर रास * 565 Page #615 -------------------------------------------------------------------------- ________________ समकित मोक्षतरु बीज छे, धर्म आवास नुं द्वार सुभट संग्राममां जेम लहे, हर्ष आनंद अपार... पहले हमने देखा कि प्रभु नेमनाथ रथ को वापस ले जाते है। इस समाचार से आहत राजीमति मूर्छित होकर पृथ्वी पर गिर जाती है। सखियाँ अनेकविध उपचार के द्वारा उन्हें स्वस्थ करने का प्रयास करती है । वे राजीमति से कहती है - 'निःस्नेही निठुर जेह, हरिण परे बिहितो गेह तेहने वरियै कहो केह ? हरिवंशे कुंवर बहुला, कामदेव परे रूपाला तेहने परणो तुमे बाला...।' किन्तु राजीमति भारतीय नारी है। भगवान नेमनाथ के अतिरिक्त किसी अन्य पुरुष का विचार भी करना उनके लिए असंभव है। और वे नेमकुमार का दोष भी नहीं देखती है। दोष है तो मेरे कर्मों का। 'है है दैव कर्यु कांई, देइ निधान ने हरी जाई मुज हैडुं फाटी जाई...।' अथवा पाप कर्यां मोटा, उदये आवयां ते खोटां किहांथी ए वर मुज भागे में न विचार्यु कंई आगे ...। लेकिन आठ आठ पूर्वभवों का संबंध इस भव में कैसे छूट सकता है? वे सखियों से कहती है - जिस प्रकार सूर्य के बिना कमलिनी विकसित नहीं होती, उस प्रकार मेरा हृदयकमल मेरे स्वामी के बिना विकसित नहीं हो सकता - 'इणे पशु पर किरपा आणी, इणे मारी बात न को जाणी ए विण परणुं नहीं को प्राणी....।' अगर प्रभु ने विवाह कर के मेरे हाथ पर हाथ नहीं रखा तो क्या हुआ ? 'नवि कीधो हाथ उपर हाथे, पण कर मुकाबुं हुं माथे पण जाऊँ प्रभुजीनी साथे।' राजीमति के ये हृदयस्पर्शी भाव और ये शब्द...। कई कवियों ने उन्हें अपनी रचनाओं में आलेखित किया है। एक दो उदाहरण यहाँ प्रस्तुत करने 566 * छैन. यस. विमर्श Page #616 -------------------------------------------------------------------------- ________________ का लोभ छोड नहीं सकती हूं। महायोगी आनंदघनजी ने 'अष्टभवांतर वालहो' पद में यही कहा ‘पशुजननी करुणा करी रे, आणी हृदय विचार माणसनी करुणा नहीं रे, ए कुण घर आचार.... . कारण रूपे प्रभु भज्यो रे कृपा करी प्रभु दीजिए रे आनंदघन पद राज ।' और यशोविजयजी ने तो 'तोरण थी रथ फेरी गया रे' पद में इससे भी अधिक स्पष्ट शब्दों में राजीमति की उस भावना को स्वर दिया है - 'जो विवाह अवसर दियो रे हाथ उपर नवि हाथ दीक्षा अवसर दीजिये रे सिर उपर जगनाथ... इम विलवती राजुल गई रे नेमी कने व्रत लीध वाचकयश कहे प्रणमीए रे हाँ ऐ दंपति दोउ सिद्ध ।' तो आधुनिक कवियों ने भी अपनी कल्पनासृष्टि के विस्तृत गगन में उडान भरी है। समयाभाव के कारण हमारे लोकप्रिय कवि श्री शांतिलाल शाह की केवल दो-चार पंक्तियाँ उद्धृत कर रही हूं... ___'तोरणथी वर पाछो जाय रे राजुल बहेनी' गीत में सखियों को राजीमति ने ऐसा ही उत्तर दिया - 'मानवी ए तो मोटा रे मनना पाडे नहीं कदी भेद जीवनना दिलमां दया उभराय रे साहेली मोरी तोरणथी वर भले जाय। जाओ भले मारा जीवनना स्वामी तम पगले नयूँ जीवन पामी अंतरमां अजवाळु थाय रे... साहेली मोरी तोरणथी वर भले जाय...।' रचना का भावपक्ष ___ इस रचना की कथा के विषय में इतना कुछ लिखने के बाद भावपक्ष के विषय में अधिक कहना शेष नहीं रहता है। फिर भी एक दृष्टि से - श्री नेमीश्वर रास * 567 Page #617 -------------------------------------------------------------------------- ________________ मेरे मन पर इस रचना के अध्ययन से जो प्रभाव पडा है उसको संक्षेप में प्रस्तुत करती हूं। 'नेमीश्वर रास' के दो प्रधान पात्र है - तीर्थंकर भगवंत प्रभु नेमनाथ तथा राजीमति राजुल । उनके इस अंतिम भव की कथा ही जगत के जीवों के लिए प्रेरणा-दायक, हमारे अंधकारपूर्ण जीवनपथ को प्रकाशित करनेवाले सूर्य के समान है। भगवान के इस जीवन को कवि और भी अधिक प्रभावोत्पादक एवं काव्यमय स्वरूप में आलेखित कर सकते थे ऐसी मेरी नम्र समझ है। भगवान के आठ पूर्वभवों को प्रथम खंड में आलेखित किया है। द्वितीय और तृतीय खंडो में कृष्ण-वासुदेव, बलदेव, जरासंध, कंस आदि के जीवन के विविध प्रसंग, उनके पूर्वभव आदि का विस्तृत वर्णन है। भगवान नेमनाथ तथा राजीमति के साधनामय आदर्श जीवन का और भगवान के संसार की असारता विषयक एवं अहिंसा से संबद्ध विचार रचनाकार प्रस्तुत करते तो, यह रचना आज के हिंसा की आग में जल रहे जगत को अनुकरणीय राह दिखा सकती थी। फिर भी रचनाकार के द्वारा सभी पात्रों के मनोभावों को और विशेष करके राजीमति के भगवान नेमनाथ के प्रति अनुराग का और उस अनुराग के कारण ही उनके द्वारा निर्दिष्ट मार्ग का तत्क्षण स्वीकार, ये सब थोडा अधिक विस्तृत रूप से आलेखित किया जा सकता था। क्योंकि ऐसे चरित्रों के गुणानुवाद करने से ही समाज और राष्ट्र का उत्थान हो सकता है । सती राजीमति केवल भगवान के प्रति अनुरक्त नारी ही नहीं, एक वीरांगना है। जिनके प्रति हृदय में अनन्य अनुराग है वे ही इस प्रकार से त्याग कर दें कि मिलन की कोई आशा ही न रहे तो जो दु:ख होता है वह मृत्यु से भी भयंकर दु:ख होता होगा। इसकी कल्पना तो वही कर सकता है जिसने उसका अनुभव किया हो । क्षण भर के लिए यह अस्वीकृता नारी का हृदय आहत हो उठता है। व्यथित हृदय कल्पांत कर उठता है। परंतु कुछ ही क्षणों में अपने हृदय पर नियंत्रण पा लेती है। और स्वयं भी अपने प्राणनाथ के मार्ग की अनुसारिणी बन कर उनके पीछे पीछे जायेगी यह निश्चय कर लेती है। मानो वह हमसे कहती है, जिससे प्रेम करो, उससे अनन्य प्रेम करो और उसके लिए सब कुछ त्याग दो।' राजमहल में पली एक राजकन्या के लिए प्रियतम के घोर कष्टों से भरे मार्ग का अनुसरण इतना कठिन है कि उसके लिए कोई उपमान भी ढूंढना कठिन है - असंभव है। लेकिन 568 * छैन रास.विमर्श Page #618 -------------------------------------------------------------------------- ________________ इन कष्टों के विषय में तो राजुल ने तनिक भी सोचा नहीं । माता-पिता के वात्सल्य की शीतल छाया, राजप्रासाद का सुखमय जीवन सबकुछ ऐसे त्याग दिया जैसे एक सर्प अपनी केंचुली । और जब वर्षा में भीगे कपडों को सुखाने वे एक गुफा में गई और रथनेमि उन्हें देखकर विचलित हो उठे तब जिस वीरता के साथ उनको उपदेश दे कर साधना के मार्ग पर स्थिर किया वह भी राजीमति की वीरता का ही परिचायक है । इन महत्त्वपूर्ण प्रसंगो को कवि अपनी रचना में अधिक स्थान दे सकते थे । भगवान नेमनाथ के जीवन के विषय में जब भी कोई चिंतन करे तो तत्क्षण राजीमति राजुल का नाम मानसपट पर उभर कर आएगा। लेकिन उनके अतिरिक्त भगवान नेमनाथ के माता-पिता का भी चरित्रांकन कवि कुछ प्रसंगों के द्वारा सुंदर लेकिन संक्षेप में किया है। भगवान को केवल ज्ञान की प्राप्ति होते ही इन्द्र अन्य देवों के साथ आते हैं और प्रभु की प्रदक्षिणा और वंदना करने के बाद क्या कहते हैं ? धन्य धन्य शिवादेवी, माता तुमची स्वामी । जिणे जग परमेश्वर जनम्या गुणगणधामी । धन्य समुद्रविजय नृप, जस कुल उग्यो भाण वास्तव में जिन्हों ने महान तीर्थंकर भगवंत को जन्म दिया उन मातापिता का मूल्य क्या कम माना जा सकता है ? माता-पिता के अतिरिक्त श्रीकृष्ण का उल्लेख कवि ने यहाँ-वहाँ किया है । जब भगवान नेमनाथ दीक्षा ग्रहण करने का निर्णय करते है तब श्रीकृष्ण उन्हें समझाने का प्रयत्न करते है - जे संसार असारता देखाडी जगतात । हुं पण जाणुं ते सर्वे, पण विलवे माततात । शास्त्र मांहे परसिद्ध छे, लोकनीति पण एह छे, माय - तातने पालिये, केम रहेशे प्रभु तेह | रचना का कलापक्ष जैसा कि जिनेन्द्रसूरिजी ने प्रस्तावना में उल्लेख किया है कि इस रास का रचनाकाल है विक्रम संवत १८०२ । अतः इसकी भाषा मध्यकालीन गुजराती भाषा है । आज की शुद्ध गुजराती इस भाषा के बहुत निकट है । श्री नेमीश्वर रास * 569 Page #619 -------------------------------------------------------------------------- ________________ त्यां उदाहरण के लिए - वर्तमान गुजराती रचना में प्रयुक्त शब्द नगरी नयरी ज्यां जिहां तिहां जेह जेनी (जिसकी) जस... इत्यादि । संपूर्ण रचना चार खंडो में विभक्त है। प्रथम तीन खंडो में भगवान नेमनाथ के आठ पूर्वभव तथा राजुल के साथ उनके जो संबंध थे उनका सुंदर वर्णन कविवर ने किया है । चौथे खंड में नेमनाथ भगवान, जो युवावस्था में पदार्पण कर चुके है उनकी कुमारक्रीडा, दीक्षा और केवलज्ञानोत्पत्ति तथा संघस्थापना आदि का काव्यमय वर्णन है। वैसे बालजीवों के समक्ष प्रभु का जीवन चित्रित हो रहा है, इसलिए पूज्य गणिवरश्री पद्मविजयजी ने सरल भाषा का ही उपयोग किया है। जैसा कि जिनेन्द्रसूरिजी अपनी प्रस्तावना में लिखते है। संस्कृत-प्राकृत भाषा का बोध न हो ऐसे लोगों की विविध ढाल-रास चोपाई इत्यादि के गान के द्वारा बोध और भक्तिका लाभ मिल सकता है । रचना के आरंभ में माता सरस्वति की स्तुति की गई है । तुजने सहु समरे सदा तहारा गुण विख्यात तुज विण शिवपद नवि लहे, तुजने समरु मात । तत्पश्चात् तीर्थंकर भगवान महावीर की वंदना करते हुए भक्त कविवर ने गाया - चरम जिणंद चोवीशमो, प्रणमुं पद अरविंद वरते पंचम कालमां, शासन जस सुखकंद। फिर भगवान नेमनाथ की वंदना करने के बाद कवि गुरु गौतम एवं सर्व गणधर तथा सर्व सूरीश, कृष्ण वासुदेव - बलदेव आदि का उल्लेख करके अपनी कथा में आगे बढते है। काव्यरचना में, दोहा, चोपाई का प्रयोग किया गया है। कवि ने उपमा अलंकार का सुंदर प्रयोग किया है। कृष्ण वासुदेव के शंख का वर्णन करते हुए कवि कहते है - शंख धवल है - कैसा धवल ? 570 * छैन यस. विमर्श Page #620 -------------------------------------------------------------------------- ________________ कुंद के समान - ‘कुंदधवल पंचमुख भलो' और दूसरी उपमा - 'बहु सीत ज्यूं हंसपंख-' हंस के पंख सम सीत - श्वेत और रूपक अलंकार का भी एक उदाहरण धन्य धन्य स्वामी तुम वंश 'शिवादेवी उर सर हंस -' शिवादेवी के उर रूपी सरोवर के हंस - 'स्वामी उतरे शिबिकामांथी जाणे केशरी एह गुफाथी' (उत्प्रेक्षा) जैसे वनराज अपनी गुफा में से निकले उस प्रकार स्वामी - भगवान नेमनाथ शिबिका से उतरे। कितना सजीव चित्र आंखो के समक्ष खड़ा होता है। भगवान कैसे दिखते होंगे ? पंडित प्रवरश्री की भाषा अत्यंत सरल फिर भी अर्थगंभीर है। सरल भाषा में कविवर ने हिरण और हिरनी के मनोभावों का जो वर्णन किया है वह हृदय को छू जाता है - हिरनी हिरन को प्रभु समक्ष मूक प्राणियों का जीवन बचाने के लिए विनंती करने को कहती है - सहु जीवोनी रक्षा तणी रे विनती कीजे जिन भणीरे निझरणां जल पीवीये रे अटवी तरणे जीवीये रे नित्य वनमां वसीये रे निरपराधी राखो तुमे रे । भगवान नेमनाथ तथा उनके लघुबंधु के स्वभाव की तुलना करते हुए राजुल के विचार भी कितने सरल शब्दों में कविवर ने शब्दस्थ किये है .... मन चिंते जुओ अंतरो जी, दोय सहोदर भाय मोक्ष भणी एक उद्यमी जी, एक नरक भणी थाय । कलापक्ष की दृष्टि से कविवर ने रासा की रचना के अन्य सभी तत्त्वों का अनुसरण किया है । 'मध्यकालीन गुजराती साहित्य की जैन परंपरा' नामक अपने लेख संकलन में सुश्री कीर्तिदा शाह ने लिखा है - रास का आरंभ तीर्थंकर वंदना से होता था, साथ में सरस्वती स्तुति, कृति के अंत में कवि का अपना नाम, गुरु का नाम, रचनासमय, फलश्रुति इत्यादि अवश्य आते थे। ये सारे तत्त्व इस रचना में उपस्थित है।' भगवान नेमनाथ तथा महासती राजुल की इस अनुपम कथा में महत्त्वपूर्ण श्री नेमीश्वर रास * 571 Page #621 -------------------------------------------------------------------------- ________________ और राजुल के जीवन को अनूठा मोड देनेवाला प्रसंग है - भगवान का आधे रास्ते से वापस जाना । इस प्रसंग में कारणरूप बने मूक पशु जिनकी करुण पुकार ने प्रभु को दीक्षा के मार्ग की ओर मोड दिया। मांसाहार भारतीय संस्कृति के लिए बहुत बडा लांछन है। भगवान ने इसके त्याग के लिए सब को आह्वान दिया। सचराचर प्राणीसृष्टि के प्रति बहती करुणा की धारा..... ‘भवे खेद प्राणीदया ।' (श्रीमद्जी) इस विषय में प्रज्ञाचक्षु पंडित सुखलालजी ने 'जैन संस्कृति का हृदय' नामक लेख में लिखा है - “एक समय था जब केवल क्षत्रियों में ही नहीं, सभी वर्गों में मांस खाने की प्रथा थी। नित्य के भोजन, सामाजिक उत्सव आदि प्रसंगों पर पशु-पक्षियों का वध ऐसा ही प्रचलित और प्रतिष्ठित था जैसा आज नारियल और फल चढाना । उस युग में यदुनंदन नेमकुमार ने एक अनूठा कदम उठाया। निर्दोष पशुपक्षियों की आर्त-मूक पुकार सुनकर उनका हृदय द्रवित हो उठा और उन्होंने निश्चय किया कि वे ऐसा विवाह नहीं करेंगे जिस प्रसंग पर अनावश्यक रूप से निर्दोष पशु-पक्षियों का वध होता हो । उनके इस प्रकार त्याग-तपस्या के मार्ग का अपनाने का कार्य के फलस्वरूप गुजरात एवं गुजरात के प्रभाववाले दूसरे प्रांतो में भी वह प्रथा नामशेष हो गई और स्थान-स्थान पर चलनेवाली पांजरापोल की प्रथा का उद्भव हुआ।' ___ अन्य सभी तीर्थंकरों से भगवान नेमनाथ के जीवन के दो अनुपम पहलू ये है कि वे बाल ब्रह्मचारी थे तथा दिव्य प्रेम के प्रणेता थे। आठ-आठ पूर्व भवों से स्नेह के बंधन में बद्ध राजुल को मोह-माया के बंधनों से मुक्त करा कर जीवन के अंतिम ध्येय-मुक्ति की प्राप्ति के लिए राजुल के हृदय पर जो वज्रप्रहार उन्होंने किया उसके पीछे करुणानिधान प्रभु का कितना भव्य-उदात्त आशय था ...। कुछ समय की वेदना... व्यथा... आंसु... परंतु अंत ? शाश्वत सुख की प्राप्ति ...| इस दिव्य प्रेम का और कोई उदाहरण हमें मिलता है ? ____पं. श्री देवेन्द्रमुनि शास्त्री भी - ‘जैन जगत के ज्योर्तिधर आचार्य' नामक ग्रंथ में लिखते है - "भगवान नेमनाथ और भगवान पार्श्वनाथ को आधुनिक विद्वान ऐतिहासिक महापुरुष मानते है। मांसाहार विरोध के में उन्हों ने जो अभियान आरंभ किया वह इतिहास के पृष्ठ पर आज भी चमक रहा है।'' 572 * छैन यस विमर्श Page #622 -------------------------------------------------------------------------- ________________ उपसंहार - जीवन के शाश्वत मूल्यों को, संसार के अद्वितीय महान जीवों के जीवन को हमारे जैसे सामान्य मनुष्यों के सामने सरल भाषा में, मन को तल्लीन बना दे ऐसे संगीत में बांध कर प्रस्तुत करनेवाले पंडित प्रवर श्री पद्मविजयजी गणिवर एवं उनके समान अनेक रचनाकारों के हम - हमारा समाज सदा ऋणि रहेगा, जो माधुर्य का सर्जन करते हुए - ‘कांता सम्मिततयोउपदेशंयुज' की भाँति हमें उस अंतिम लक्ष्य की ओर - मुक्ति की ओर उन्मुख करने का श्रमसाध्य प्रयास करते है। शत शत प्रणाम है उन महामना कविवरों को...। रासो साहित्य के रचनाकारों को। संदर्भ ग्रन्थ १. त्रिषष्ठि शलाका पुरुष चरित्र आचार्यश्री हेमचंद्र सरिजी २. रास षट्क संग्रह आ. श्री विजय जिनेन्द्र सूरीश्वरजी ३. श्री श्रीपाल राजानो रास आ. श्री विजय जिनेन्द्र सूरीश्वरजी ४. सती राजमती आ. श्री जवाहरलालजी महाराज ५. प्रज्ञा संचयनः (दर्शन चिंतन) प्रज्ञाचक्षु डा. पं. सुखलालजी ६. मध्यकालीन गुजराती साहित्यनी जैन परंपरा कीर्तिदा शाह ७. जैन जगत के ज्योर्तिधर आचार्य श्री देवेन्द्रमुनि शास्त्री ८. श्री आनंदघन पद्य रत्नावली महायोगी आनंदघनजी ९. नित्यक्रम (श्रीमद् राजचंद्र आश्रम अगास) उपाध्याय यशोविजयजी १०. नेमराजुल कथागीत श्री शांतिलाल शाह ११. गिरनारजी सिद्धक्षेत्र केसेट कृति श्री नेमीश्वर रास +573 Page #623 -------------------------------------------------------------------------- ________________ (काव्य संगीतमय) ब्रह्म गुलाल मुनिकथाः (रास-हिन्दी) प्रा. प्रतापकुमार ज. टोलिया 'पारुल', १५८० कुमारस्वामी ले-आउट, बेंगलोर-५६००७८ (मो. ९६११२३१५८०) 'जोगीरासा' आदि छंदों में निबद्ध, दिगंबर आम्नाय के जैन रासा-साहित्य की अंत में जैन मुनि बने हुए एक बहुरुपिया कलाकार की सत्यकथा भूमिका - 'केवल निजस्वभाव को, अखंड बरते ज्ञान । केवलज्ञान कहें उसे, याहि सततु-निर्वाण (होते देहनिर्वाण) ॥" केवलज्ञान-आत्मा की अनंत शक्ति और सत्तापूर्ण ‘स्वसंवेद्य गहन अनुभूति-प्रतीति-संस्थिति का प्राकट्य...। उसे 'सर्व-संवेद्य' कर विश्वहितार्थ जिन-देशना द्वारा स्पष्ट कर दिया सर्वज्ञ तीर्थंकरों ने । उस दिव्यदेशना से निसृत 'त्रिपदी' के द्वारा सारे जिनागम द्वादशांगी अंग उपांग आदि अनेक रूपों में बिखरे विस्तृत हुए। ___ उसका एक रूप था बोधकथाओं-दृष्टांतकथाओं द्वारा जीवों को - बालजीवों को - बोधिलाभ प्राप्त कराना । 'बोधि' का यह रूप स्वयं तीर्थंकरो के द्वारा संगीतमय देशना की दिव्यध्वनि में व्यक्त हुआ - ‘मधुर राग मालकौंस में बहती तीर्थंकर की वाणी' और 'गम्भीर तार रव पूरित दिग्विभागस्....।' फिर उन से धर्म कथा - ज्ञानकथाएँ भी कही गई। ‘णाथा धम्म कहा' : 'ज्ञाताधर्म कथा': 'भगवान महावीर की बोधकथाएँ' आदि इसके प्रमाण है। इस प्रकार जिनेश्वरों के श्रीमुख से बही हुई ज्ञानगंगा सूखे-भूखे-प्यासे जनों के लिए शाता-प्रदाता बनी - उसके प्रथम गीतगान से ही - ___'जब तुम्हारे गीत की पहली कडी गाई गई सूखी धरा पर । उग गये अंकुर गगन से मेघ बरसा । (देव गणों को भी संगीत नृत्य प्रेरक)२ 574 * छैन. यस. विभश Page #624 -------------------------------------------------------------------------- ________________ 'गगनमंडल में गउआ बियाणी, धरती दूध जमाया... . 'अनंत अनंत भाव, भेद से भरी जो भली, अनंत अनंत नयनिक्षेप से व्याख्यातित है ।" - यह अनंतरूपा संगीतमय देशना ही तो क्या उत्सव नहीं है हमारे बहुजनोपकारक विशद विशाल रासो-साहित्यका कथासाहित्य का ? ___हमारे श्वेतांबर, आम्नाय के कथानुयोग - चरणकरणानुयोग में वह ‘रासो साहित्य' का नामरूप लेकर अनेक पद्य-प्रकारों में विस्तृत हुई है । (गद्य प्रकारों में भी, ‘उपमिति भवप्रपंच कथा' आदि) तो दिगंबर आम्नाय के तत्त्वलक्षीगुणलक्षी-सिद्धांतलक्षी अभिगम में वह ‘पद्य कथा साहित्य' के ('पुराण' शीर्षक गद्य-प्रकारों के अतिरिक्त) रूप में यथा - 'रत्नत्रय व्रतकथा', 'दशलक्षण व्रतकथा' इत्यादि, इत्यादि । इन गुण-महिमा-वाचक कथाप्रकारों के साथ उसका दूसरा प्रकार है व्यक्ति-वाचक जो भी फिर ज्ञान, वैराग्य आदि गुणों का ही महिमा-मंडन करती है। जैन रासा साहित्य की इस प्रकार की एक सरल सुंदर और सरिता धारावत् तरल, रोचक-रोमांचक सत्य कथा - गीतकथा - कृति यहाँ प्रस्तुत है - ब्रह्मगुलाल मुनिकथा। कथा-तथ्य : जोगी रासादि छंदों में : धरणेन्द्र-पद्मावती परिपूजित पुरुषादानीय प्रभु पार्थनाथ की पूजक परंपरा रही है 'पद्मावती पोरवाल वंश परंपरा ।' ज्ञान एवं कला की उपासना और रचना-क्षमता इस परंपरा की लाक्षणिकता रही है । ‘समाधिशतक' जैसी ज्ञानपरक कृतियों के सृजक आचार्य पूज्यपाद एवं अन्य ऐसे ही ज्ञान-विद्या-वैराग्य संनिष्ठ माघवचन्दजी, प्रभावचन्दजी, महावीर कीर्तिजी एवं आसन्न वर्तमान में विमलसागरजी, निर्मलसागरजी आदि दिगंबर आम्नाय के जैनाचार्यों ने इस परंपरा को पल्लवित किया है अपने जीवन, ज्ञानसृजन एवं कला-प्रस्तुतीकरण से। इन धर्मप्रभावक सृजकों की श्रृंखला में प्रेरक वृत्तांत्त आता है स्वामी ब्रह्मगुलाल मुनि के पावन जीवन का जो कि 'कलामय, संगीतमय, नाट्यमय ऐसे अपने बहुरूपिया' स्वरूप को अंत में परिवर्तित कर देता है निग्रंथ मुनिरूप में । चारसौ वर्ष पूर्व, प्राय: विक्रम संवत १६४० के समय में घटित यह सत्यकथा आज भी इतनी रसमय, रोमांचक, रोमहर्षक और प्रेरक रही है। गुर्जर-राजस्थानी रासा साहित्यवत् ही यह शौर्य(वीर) एवं वैराग्य रस ब्रह्म गुलाल मुनिकथा: * 575 Page #625 -------------------------------------------------------------------------- ________________ की नाट्यात्मक कथा 'बृहत् जिनवाणी संग्रह', पद्मावती पुरवाल जैन डायरेक्टरी एवं 'स्वामी ब्रह्मगुलाल मुनि' शीर्षक पुस्तको में प्रकाशित है (और इस पंक्तिलेखक ने उसे अपने स्वर में स्वररस्थ-रिकार्ड भी किया है।) इस में प्रयुक्त छंद भी सुगेय और वीररस, वैराग्यरस-शान्तरस से पूर्ण है - यथा: कोशमालिनी छंद, कुंकुम छंद, जोगी रासाछन्द-नरेन्द्र छंद, लावनी और दोहा इत्यादि । रचयिताने बड़े ही प्रभावोत्पादक ढंग से इस नाट्य-कृति में ये छंद ऐसे तो प्रस्तुत किये है कि गानेवाले को श्रोता, मंत्रमुग्ध बनकर सुनते जाते है और अंत में शांत और वैराग्य रस में डूब जाते है। कृतिकार कौन है ? __किसी अज्ञात कृतिकार द्वारा रचित यह रासावत् कथाकृति पूर्वोक्त सुगेय छंदो में सरित-धारावत् बहती हुई निम्न ढालाओं या प्रकरणो में विभाजित और प्रस्तुत होती चली है। प्रारंभ में उसके वर्तमानकाल के - ५० वर्ष पूर्व के प्रस्तुतकर्ता उर्दू मिश्रित आधुनिक हिन्दी में उसका संक्षिप्त परिचय, इन दो पंक्तियों के द्वारा देते है। 'यह कहानी है अजब, कागज पे जो तहरीर है। गौर से पढिये इसे, जिनधर्म की तसवीर है॥ और फिर वे कुछ प्राचीन हिन्दी में कथासाररूप यह ‘ब्रह्मगुलाल मुनिउपदेश' देकर आगे चलते हैं - 'सर्व परिग्रह त्याग कर, धारण कर मुनि भेष। सत्य क्षमा उर धारिके, दिया यही उपदेश ।। नहीं धरा पर कुछ धरा, भरा क्लेश निहषेष। तात तुम सब भव्य जन, तजो राग और द्वेष ।। तजो राग और द्वेष, परस्पर इर्ष्या करना छोडो। करके निज कल्याण धर्म से, कर्म आठ को तोडो॥ कहते ब्रह्मगुलाल मुनि, अब समझो बात सकारी। नहीं दुनिया में कोई किसी का, बेटा, वनिता, नारी ॥६ 576 * छैन. स. विमर्श Page #626 -------------------------------------------------------------------------- ________________ इस मुनि उपदेश पद को गहराई से पढ़े तो प्रश्न उठता है कि सारी 'स्वामी ब्रह्मगुलाल मुनि की कथा' के कृतिकार कौन है ? यहाँ पद्यान्त में लिखा है 'कहते ब्रह्मगुलाल मुनि' और गीतकथा के अंत में (पूर्वोक्त तीन में से किसी भी पुस्तक-प्रति में) रचयिता का स्पष्ट नामोल्लेख नहीं है, तो वास्तव में कृतिकार किसे माने ? उपर्युक्त मुनि-उपदेश पद के अनुसार स्वयं स्वामी ब्रह्मगुलाल को ? इस विषय में दिगंबर आम्नाय के विद्वानों और आचार्यो से हमारा विचार-विमर्श-पृच्छा पत्रव्यवहार गतिशील है। देखें, क्या अधिकृत जानकारी प्राप्त होती है। परंतु रासो साहित्यवत् प्रसाद ओज-माधुर्य के सभी काव्यगुणो युक्त इस पद्य कथा की मूल कथा जानने हेतु आप सहज स्वाभाविक ही पूछेगे कि - कथा क्या है ? तो प्रथम यहाँ हम कथा-संक्षेप प्रस्तुत कर दें इस रासा-सम कृति का और बाद में उसकी तत्त्वाभिनिवेशी समीक्षा भी। कथा तो है सरासर सच्ची और विस्मयजनक। ग्रंथकृतिकार उसे 'स्वामी ब्रह्मगुलाल मुनि का कौतुहल में वैराग्य' शीर्षक देकर प्रभु महावीर की वंदना कर कोशमालिनी छंद की चाल में प्रथम ढाल का मंगलारंभ इन प्रभावोत्पादक गान-शब्दों में करते है - 'स्वामी ब्रह्मगुलाल मुनि की - सुनो कथा अचरज कारी। हंसी खेल में स्वांग रचा और जिनमत की दीक्षा धारी ॥ ॥टेक।। अब से प्राय: चारसौ अठ्ठाइस (४२८) वर्ष पूर्व का विक्रम संवत १६४० लगभग का समय... उत्तर भारत में आगरा जिले के फिरोजाबाद कस्बे का 'टापे' नामक विशाल, मग्न खंडहरोंयुक्त, गाँव.... तत्कालीन राजमंत्री 'हल्ल' की धर्मपत्नी एवं सुप्रसिद्ध संपन्न वैश्य श्री शाहन्शाए की सुंदर सुकन्या ऐसी एक धन्यमाता की कुक्षि से एक होनहार बालक का जन्म... | नाम रखा गया ब्रह्मगुलाल। __ स्वस्थ, सुडोल, सौष्ठवपूर्ण, महापुरुष के लक्षणयुक्त सुंदर शरीर, संपन्न परिवार में उत्तम ढंग से किया गया लालन-पालन और श्रेष्ठ विद्वान के द्वारा दी गई शिक्षा-दीक्षा । फलतः ब्रह्मगुलाल धर्मशास्त्र, गणित, व्याकरण, साहित्य, ब्रह्म गुलाल मुनिकथा: * 577 Page #627 -------------------------------------------------------------------------- ________________ छंद, अलंकार, शिल्प, शकुन, वैद्यक, संगीत-गान और नाट्यादि विद्या-कलाओं में निपुण हो गये। लोग कहने लगे - ‘ब्रह्मगुलाल कुमार ने पूर्व उपायो पुन्य। याते बहुविद्या फुरी, कह्यो जगत् ने धन्य ॥'' ___- इस जगत-धन्य विद्या-धुनी को फिर धुन लगी लावनी गाने और विविध स्वांग सजाने की, बहुरूपिया की भाँति - 'अद्भूत रूप अनुपम विद्या, शरधानी जिन दर्शन का। पडि कुसंग में स्वांग खेलता, रास रचा वृन्दावन का। कभी राम, कभी कृष्ण रूप धर सीता, राधा, रुक्मिनी का। मन को मोहे लोग चकित भय, समा देख यह जोबन का।।" - ये बहुरूपिया नाटक-स्वांग ही सजाने की युवा ब्रह्मगुलाल की धुन माता-पिता के बहुत रोकने-समझाने पर कुछ सीमित तो हुई परंतु छूटी नहीं... । दुर सुदूर तक फैला उनकी इस विद्या-कला का यश और राजसभा में भी बढा उनका समादर, जो कि कारण बना- अन्य राजमंत्री के ईर्ष्या, तेजोद्वेष और षडयंत्रो का। __एक दिन की बात है - इसी दुर्भाव-द्वेष से प्रेरित होकर ब्रह्मगुलाल को नीचा दिखाने, उस मंत्रीने राजकुमार को उकसाया कि - 'बहुरूपिया श्री ब्रह्मगुलाल से तुम सिंह का (शेर का) स्वांग भरकर लाने को कहो ।' और राजकुमार ने राजा के सामने तुरंत ही आदेश दिया - • 'ब्रह्मगुलाल जी। आप हमें सिंह का स्वांग भरकर दिखायें ।' 'कुमार की बात स्वीकार्य है, राजन् । किन्तु यदि हमसे कोई चुक हो जाय तो अपराध क्षमा किया जाय ।' - त्रुटि निवाराणार्थ ब्रह्मगुलालजी ने राजा से यह प्रार्थना की, राजा ने उन्हें अभयदान का वचन दिया और राजकुमार ने भी दिया इस का लिखित आज्ञापत्र । चुक में एकाध जीव की हिंसा भी कर दें तो माफ। मंत्री की कुटिल चाल थी कि सिंहरूप धारी जैनी श्रावक ब्रह्मगुलाल से हिंसा करवाकर उन्हें या तो (उसके) श्रावक-धर्म से गिराया जाय, या सिंह के स्वांग की हँसी उडाकर उनके बढते हुए प्रभाव को तोड दिया जाय । इस चाल भरे षडयंत्र से अनजान ब्रह्मगुलालजी ने तो बनाया हुबहु सिंह 578 * छैन. स.विमर्श Page #628 -------------------------------------------------------------------------- ________________ का स्वांग और अनेकों के साथ गर्जना करते हुए और पूंछ हिलाते हुए पहुँचे राजसभा में । बिलकुल शेर की वही विशाल काया, वही केशवाली, वही बडी दहाडभरी गर्जना और वही प्रभावभरी छटा जीता जागता वनकेशरी वनराज ही देख लो - 'भरी सभा में गर्ज कडक कर, आयां केशरी बलधारी । स्वामी ब्रह्मगुलाल मुनि की सुनो कथा अचरजकारी हँसी खेल में स्वांग रचा ( बनाया) और जिनमत की दीक्षा धारी । १० - किन्तु राजसभा में पहुँचते ही उन्हें दिखाई देता है मंत्री के उस षडयंत्र के एक भाग रूप, उनकी परीक्षार्थ वहाँ खडा किया गया एक पशु-बाल, एक बकरी का बच्चा । यदि वे उसे मारते है तो हिंसा होती है और नहीं मारने पर शेर के स्वांग और स्वभाव में अपूर्णता रह जाती है । 'यारों ने बकरी का बच्चा, बांधा यों तक धरि मन में । देखें कैसा है यह जोगी, दया धर्म आराधन में ।""" जोरों से गरजता हुआ और गर्व से पूंछ हिलाता हुआ सिंह यहाँ बंधित बकरी के बच्चे को देखकर साँप-छछूंदर की सी विषम स्थिति अनुभव - कर सोच में डूबा 'यदि उस चाल का पहले से पता होता तो कह सकता था या साथ आये लोगों से कहलवा सकता था कि मृगराज कहा जानेवाला शेर भूखा हो तभी ही हिंसा करता है, निरर्थक नहीं। फिर वन- राज और 'नटराज ' के इस सभ्य मानव-सभा वाले समागम में स्थान और काल का विवेक देखते हुए, अनुचित - अशोभन ऐसा हिंसा - कार्य नहीं किया जा सकता था । ' अपनी इस सबल दलील से राजा को राजी किया जा सकता था और मंत्री एवं राजकुमार को निरुत्तर - चुप । परंतु सिंहरूपधारी ब्रह्मगुलाल की इस पलभर की उधेडबुन टूटे उसके पूर्व तो मंत्री ने राजकुमार को इशारा किया और कुमार ने उन्हें मारा एक जोरदार ताना - - 'सिंह नहीं तू स्यार है, मारत नाहिं शिकार । वृथा जन्म जननी दियो, जीवन को धिक्कार ॥ ब्रह्म गुलाल मुनिकथा: * 579 Page #629 -------------------------------------------------------------------------- ________________ शेर नहीं तू है कोई गीदड, ध्रग ध्रग तेरी महतारी। हंसी खेल में स्वांग बनाया (और) जिनमत की दीक्षा धारी ।।१२ ब्रह्मगुलालजी बाहर से सिंह बने ही हुए थे और भीतर से तो सिंह वे थे ही । बस... कुमार का यह ताना सुनते ही उनकी वह शेर-चेतना विक्षुब्ध हो उठी, उनके बदन में आग भडकी और आंखो में छा गई खून की लाली । एक ही दहाड, एक ही छलांग और एक ही थापा - निर्दोष पशु बाल बकरी के बच्चे पर नहीं स्वयं ताना मारनेवाले राजकुमार ही पर !!! और इस आकस्मिक आक्रमण से घायल होकर, सुधबुध खोकर राजकुमार जमीन पर गिर पडा - सारी राजसभा में भय, आतंक और सन्नाटा छा गया ... । शेर अपना 'खेल' पूरा कर सभा से चला गया और कुमार के प्राणपखेरु काया-पिंजर छोडकर दुनिया से । दूसरी ढाल में राजा को मुनिवेश में बोध है। (इधर) राजा के इस वज्राघात - से घोर दु:ख का क्या कहना ? परंतु फिर भी उनके भीतर बैठे उदार मना नर-राज ने अपने वचन-पालन का उतना ही परिचय दिया, जितना कि वनराज-सिंह बने हुए बहुरूपिया ब्रह्मगुलाल ने 'खेल' को (स्वांग को) न्याय देने अपने कर्तव्य-पालन का। इतना ही नहीं, राजा की समता, सहिष्णुता और धीरज ने एक पितृ-सहज पुत्रशोक के वज्राघात और पुत्र विरह को भी उभरने नहीं दिया । इधर अपने खेल-रूप कर्तव्य-पालन को संपन्न करते हुए भी इस हिंसाकृत्य के कारण ब्रह्मगुलाल को भी अपार दुःख, क्षोभ और पश्चाताप हुआ। व्याकुल हो वे पश्चाताप की प्रचंड अग्नि में वे झुलसने लगे, न भूख-प्यास का पता, न नींद या आराम का ठिकाना । उधर मंत्री ने अपने उपर कोई भी कलंक नहीं आया देखकर, अपनी दूसरी चाल के दाव फेंकते हुए राजा के कान भरे - ___ 'राजन् जिसके कारण आपको इतना दु:ख और कष्ट हुआ, उस ब्रह्मगुलाल से कहिए के अब वह निग्रंथ, वीतराग जैन मुनि का स्वांग भरकर सभा में आयें और सांत्वन उपदेश सुनायें ।' राजा ने भी इस राय को मानकर ब्रह्मगुलाल को इस प्रकार के मुनिवेश में सभा में आने का आदेश दिया। मंत्री ने सोचा कि वे (ब्रह्मगुलाल) ऐसा नहीं करते है तो उनकी ही 580 * छैन. रास. विमर्श Page #630 -------------------------------------------------------------------------- ________________ अप-कीर्ति होगी और करते है तो बाद में मुनि-वेश छोडकर गृहस्थ बनने पर समाज में उनकी प्रतिष्ठा नहीं रहेगी। उधर ब्रह्मगुलालजी ने घर में अपनी धर्मपत्नी से और परममित्र मथुरामल्ल से परामर्श किया और तत्पश्चात् विधिवत् जैन मुनि का वेश धारण कर राजसभा में पहुँचे। सभी तो चकित रह गये । ___मंत्री अपने गर्भित कटाक्ष के साथ बोले - 'मुनिवर ब्रह्मगुलालजी। आप अपने सदुपदेश से राजा के पुत्रवियोगशोक का शमन कीजिये ।' और मुनिवेशधारी ब्रह्मगुलालजी ने ऐसा तो प्रभावपूर्ण बोध दिया कि बस, राजा का शोक समाप्त । "भाव क्षमा उर में धरो, कीजै कोटि उपाऊ। कमरेख टलती नहीं, कीजै कौन उपाउ । भाव क्षमा उर में धरो।' 'कोई न सुख, दु:ख दे सके, तज के भ्रम और भाव। निज हित का उद्यम करौ, जग रूप विचार ॥ भाव क्षमा उर में धरो॥' 'राजन् । रोष ने कीजिये, चित्त मांहि विचारी। मन की दुविधा परिहरो, जग रूप (को) निहारी॥ भाव क्षमा उर में धरो॥' 'सुख-दु:ख परणति कर्म की, दोऊ बन्धन रूप। (कूप) पंचम गति बिन सुख नहीं, जग है दु:ख स्वरूप ।। भाव क्षमा उर में धरो॥ 'हमरे हाथ कुंवर मरो (मर्यो) जग रूप विचारि। तन कर राग रु द्वेष का (दोष को) तनसूं समता लारि (तनमें समता लाय-पाठभेद) मौन धरो कहि भूप सों, यों वे (ऐसे) श्री मुनिराय। क्षमा उर में धरो ।।१३ तीसरी ढाल में शोकमुक्त प्रसन्न राजा और वास्तव में ही मुनि बनना बताया गया है। - और यह तत्त्वबोध सुनकर शोकमुक्त होकर, राजा आनंद ब्रह्म गुलाल मुनिकथा: * 581 Page #631 -------------------------------------------------------------------------- ________________ से भर गया और ब्रह्मगुलालजी की भूरि भूरि प्रशंसा करते हुए बोले - (कुंकुम छंद) 'दिख अवस्था मुनिरूप की, राग-द्वेष-छल को त्यागा। कहा होय के परगट मांगो जो तुम को अच्छा लागा। - तब मुनिराज, अभी तो वेशधारी मुनिराज, बोले - 'बोले ब्रह्मगुलाल मुनि, वैराग्य भाव में मन जागा । क्षमा कीजिये, हम बनवासी इच्छा का तोडा तागा ।।' ले कमंडलु, पींछी, सबकुछ छोड चलें पर उपकारी। हंसी खेल में स्वांग बनाया जिनमत् की दीक्षा धारी ॥५ राजसभा समाप्त हुई पर मुनिवेश धारी ब्रह्मगुलालजी राजसभा से निकल कर बिना कोई राज पुरस्कार लिए घर की ओर नहीं, बन की ओर चले...। चौथी ढ़ाल में मुनि को मनाने स्वजन नगर के नर-नारियों में 'हा-हा कार' मच गया। उनकी पत्नी, मातापिता और स्वजनों पर वज्राघात पडा । नव-मुनि के पास वन में पहुंचकर उन्हें पुन: घर लाने की उनकी सभी प्रार्थनाएँ व्यर्थ, सभी रोना-धोना निष्फल, सभीका सर पटकना नाकामयाब । ___ मुनि वेशधारी ब्रह्मगुलाल वास्तव में ही 'मुनि' बनकर, मन-वचन-काया को मौन बनाकर वन में बैठ गयें (साहित्य सृजन भी किया)... फिर तो 'मन मस्त हुआ तब क्यों बोले ?' यही बात थी। नकल करते करते जो 'असल' वस्तु के स्वाद को, असली आनंद को, पा गया, उसे संसार के नकली-आभासीसुख वापिस कैसे खींच सकते थे ? आत्मानुभूति की ऊंचाई पर जो पहुँच गया, वह भौतिक सुखों की खाई की गहराई में वापस कैसे उतर सकता था ? आत्मदर्शन की ध्यानाग्नि में जो अपने पूर्वजन्मार्जित कर्म भस्मीभूत करते बैठ गया उसे वे कर्म फिर से उत्पन्न होकर कैसे सता सकते थे ? 'आत्मज्ञान वहाँ मुनिपना' - अप्पणाणे मुनि होई - की - भीतरी आत्मज्ञानप्राप्ति की ओर बाह्यांतर निग्रंथदशा की ओर जो अग्रसर हो गया है, उसे कौन रोक सकते थे ? पांचवी, छठ्ठी, सातवीं ढ़ालों में मित्र का समझाना, और उन्हीं का शिष्य बनना, संवाद दर्शाया है। पत्नी-और माता तो क्या, बाद में समझाने पहुंचे हुए उनके परममित्र 582 * छैन यस. विमर्श Page #632 -------------------------------------------------------------------------- ________________ मथरामल्ल भी उन्हें डिगा नहीं सके, उल्टे स्वयं ही समझ गये और क्षुल्लकदीक्षित होकर मुनि ब्रह्मगुलाल के शिष्य बन गये। 'गये मनाने को मथुरामल्ल यति धर्म महिमा जानी। क्षुल्लक होकर साथ हो लिए, भोगवासना सब हानी। यह वैराग्य कौतुहल बांचो, मन लाके सब नरनारी। हँसी खेल में स्वांग बनाया, जिनमत की दीक्षा धारी॥ स्वामी ब्रह्मगुलाल मुनि की सुनो कथा अचरजकारी भारी ।।१६ और इस प्रकार मुनि ब्रह्मगुलाल की यह अचरजकारी गीत-कथा समाप्त होती है। कथा काव्य-कला पक्ष : अब देखें प्रस्तुत कथा की ढालों में वर्णित विविध छंदों और रसो की काव्य-कलामय अभिव्यक्ति। रासो-कथा-काव्य की क्षमता-अक्षमता की दृष्टि से निम्न बिंदुओं पर शोधन-चिंतन आवश्यक एवं उपयोगी हो सकता है - - ३ काव्य गुण : प्रसाद, ओज, माधुर्य - छंद और रागादि - अलंकार - रस और रस-निष्पत्ति - कथारस क्षमता - भाव-संप्रेषण - उद्देश्य और संदेश-बोध केवल १५ पृष्ठों की इस लघुकथा के लाघव के बावजूद उसमें प्रसाद, ओज, माधुर्य के तीनों काव्य-गुण आद्यान्त दृष्टिगत होते है। ओज-गुण की अभिव्यक्ति देखें । - __राजकुमार द्वारा सिंहरूपधारी ब्रह्मगुलाल को ‘सिंह नहीं तू स्यार है ... शेर नहीं, तू है कोई गीदड, ध्रग ध्रग तेरी महतारी' के चुनौतीभरे ताने के मुंहतोड प्रत्युत्तर में लपकते-गरजते-टूट पडते सिंह का कैसा तादृश चित्रण इन शब्दों में कथाकार ने किया है - ब्रह्म गुलाल मुनिकथा: * 583 Page #633 -------------------------------------------------------------------------- ________________ 'सुन के कुंवर के वचन, अजासुत, देखि क्रोध मन में आया। पूंछ उठा के धरि कान पै, लहू जो नैनों में छाया ।। अंग समेट उठाकर पंजा, कूदि कुंवर सन्मुख धाया। आसपास के भागे सगरे, कुछ ऐसा धडका (धरंका) खाया ॥ लगा तमाचा गिरा सिंहासन, कुंवर प्राण का परिहारी। स्वामी ब्रह्मगुलाल मुनि की सुनो कथा अजरजकारी ।।१६ फिर प्रसाद, माधुर्य दोनों काव्य-गुण दिखते है - वनवासी बैरागी मुनि बने ब्रह्मगुलाल और उन्हें मनाती हुई वंशावली काशी माता के संवाद में - मुनिराज की माता - 'नहीं जानती थी इस दिन को है यह भरी जवानी । क्यों दीपक गुल किये जात हो, छोडी नहीं निशानी ।' श्री मुनिराज का उत्तर - 'नहीं जवानी और बुढापे की कुछ जुदी है कहानी। एक दिन जिस को समझो अपनी, होगी वही बिगानी (विरानी) ॥१७ अब छंद और रागों की कुछ झाँकी करें - प्रमुख सारे छंद (कोशमालिनी, कुंकुम, जोगी-रासा - नरेन्द्र, लावनी, दोहा इत्यादि) यहाँ प्रारंभ में उनकी विविध प्रभाव-क्षमता सह उल्लिखित हो चुके है, जो दृष्टव्य है। वास्तव में प्राय: ये बहुत से छंद अन्यत्र अल्प उपयोग में आते है। अलंकार भी उपमा, उत्प्रेक्षा आदि यथास्थान प्रयुक्त हुए हैं। परंतु इस कथा-रास की महत्ता है उसके विविध रस, रस-निष्पत्ति और कथा-रस-दृढीकरण की शक्ति में। और इस विषय में कथा के लिए उचित एवं सार्थक ऐसे वीररस, शांत तत्त्व-रस और वैराग्य रास आदि को जमाने में कथाकार अत्यंत सफल हुआ है। विभिन्न पात्रों मुनि, राजकुमार, मंत्री, राजा, माता, पत्नी, मित्र मथुरामल्ल सभी के भिन्न भिन्न मनोभावों का संवादात्मक चित्रण बखूबी हुआ है। उद्देश्य-संदेश बोधक भावपक्ष अंत में उद्देश्य और संदेश-बोध भी जिनदर्शन-जिनसिद्धांत जिनवाणी की 584 * छैन. यस. विमर्श Page #634 -------------------------------------------------------------------------- ________________ चिरंतन-शाश्वत महानता, संसार और काया की असारता, वैराग्य द्वारा आत्मसत्ता की आराधना की महत्ता - यह सब सहज, सशक्त रूप में प्रतिपादित हुआ है एक सरित्-धारा की भाँति । पढते हुए बलकि गान रूप में सुनते हुए और विशेष तो नाट्यरूप में इस रास-कथा को देखते हुए यह संदेशवोध शत-प्रतिशत सिद्ध होकर रहता है। कथा की सार्थकता, प्रभाविकता, प्रभावोत्पादकता इस में निहीत है। अन्य कथाओं की तुलना में इस कथा की प्रभावोत्पादकता __ आज वर्तमान में उपलब्ध प्रचार के दृश्य-श्राव्य माध्यम जब नहीं थे तब इस कथा ने ग्राम-नगर प्रदेशों में नाट्य-दृश्य रूप और कथा-श्राव्य रूप में बडा ही प्रभाव छोडा था, इस प्रकार के ऐतिहासिक वृत्तांत्त उक्त कथा के जन्म प्रदेश उत्तर-भारत के वयस्कों, विद्वानों, मुनिजनों द्वारा प्राप्त होते है। ये सारे प्रस्तुत कथा की सार्थकता-सफलता की प्रतीति देते है। इन विशिष्ट जनों से हमारा यह जानने का प्रयास भी चल रहा है कि क्या ऐसी प्रेरक कथा ने वैसे प्रभावोत्पादक, परिवर्तनकारक, शीघ्र वैराग्य-पोषक उत्पादक परिणाम भी श्रोता-दृष्टा समाज पर छोडे थे कि जैसे जैन परंपरा में नेम-राजुल, श्रीपाल-मयणा, एलाची-कुमार धन्ना-शालीभद्र जैसी रास कथाओं ने और जैनेतर परंपराओं में भर्तृहरि, गोपीचंद-मेनावती, गोरखनाथ-मत्स्येन्द्रनाथ एवं श्री मर्यादापुरुषोत्तम श्री राम जौसे बलदेवों एवं श्रीकृष्ण जैसे वासुदेवों की प्रेरक-कथाओं और लीलाओं एवं नाटकों ने बृहत् समाज पर छोडे थे ? उत्तर भारत के, सारे ही भारत के विशाल समाज पर इन जैनेतर कथाओंलीलाओं-नाटकों की प्रभावोत्पादकता सर्व विदित, सर्वज्ञात है। जैन रासाकथाओं की भी ऐसी प्रभावपूर्णता, प्रेरकता जैन इतिहास के पृष्ठों पर एवं कईयों के हृदयपट-स्मृतिपट पर अंकित है | पश्चिम भारतमें गुजरात-राजस्थान में - हमनें स्वयं ने भी स्वानुभव से यह अवलोकन किया है। एक ही ऐसे दृष्टांत की स्मृतिरूप में भगवान नेमकुमार और राजुल की प्रेरक कथा के नाट्यात्मक मंचन का प्रसंग, हमारी बाल्यावस्था का, हमारे सन्मुख है। तव वतन जन्मभूमि अमरेली में पालीताणा से रास-कथाएँ नाटक रूप में भी प्रस्तुत करने संगीत मंडलियाँ आती रहती थी। ठीक स्मरण है एक बार कोई लब्धिसूरीश्वर संगीत कथा मंडलीने नेमकुमार-राजुल के प्रसिद्ध करुणा ब्रह्म गुलाल मुनिकथा: * 585 Page #635 -------------------------------------------------------------------------- ________________ प्रसंग प्रस्तुत करते हुए इन पंक्तियों का गीत नाट्य- रूप प्रस्तुत किया था । 'नेमप्रभुना चरणकमलनी लगनी अमने लागी रे भर - यौवनमां राजुल जेवी रमणी जेणे त्यागी रे ॥१८ इन स्पष्ट अर्थवाली पंक्तियों ने कई प्रेक्षक - श्रोताओं को बडा ही अभिभूत और प्रभावित किया था। कई युवकों को जिनप्रवज्या की और कई जनों को जीवदया - प्राणीदया की तत्काल - परिणामदायिनी प्रेरणा इस से मिली थी। कई लोग विराग - दीक्षा की ओर मूडे थे । जैन परंपरा के उपरान्त, जैनेतर परंपरा में भी ऐसा ही शीघ्र परिणामी प्रभाव तब छोडा था नाट्यकार मुळजी आशाराम के वैराग्यप्रधान ‘राजा भरथरी’ के अदम्य प्रभावपूर्ण नाटक ने 'वैराग्य शतक' के रचयिता भर्तृहरि के स्वयं के जीवन की ये हृदयस्पर्शी संवाद पंक्तियाँ सभी प्रेक्षको के हृदयों को हिला रहीं थी । 'भेख रे उतारो राजा भरथरी । रानी करे रे पुकार, राजा भरथरी ॥' 'भिक्षा दे दे मैया पिंगला । जोगी खडा है द्वार, मैया पिंगला । जोगी तो जंगल के वासी, कैसा घर - संसार? मैया पिंगला | १९ फिर जहाँ १६ महासतियों और प्रातः वंदनीय तीर्थंकर माताओं का सा नारी का तारक - समुन्नत रूप है वहाँ शेक्सपियर के 'हेम्लेट' की लेडी मेकबैथ की frailty! thy name is woman ! की नारी के दूसरे एक विपरीत मायाकपट छलना पूर्ण रूप की भी स्मृति दिलाता हुआ कटु अनुभव राजा भर्तृहरि को भी रानी पिंगला के अविश्वसनीय, धोखापूर्ण, स्त्रीचरित्र से हुआ है । वे कैसे ऐसी रानी की 'भेख उतार कर संसार में लौटने की प्रार्थना पर विश्वास कर लौट आ सकते थे ?" यहाँ पर ब्रह्मगुलाल मुनि की इस जैन कथा में नवमुनि को अपनी सच्चरित्र पत्नी से ऐसा तो कोई कटु अनुभव नहीं हुआ है, फिर भी वे वन से घर लौटने को तैयार नहीं है| दृष्टव्य है इस नाट्य- कथा में ब्रह्मगुलाल मुनि और उनकी पत्नी का यह संवाद सवाल स्त्री का 586 * मैन रास विभर्श - - Page #636 -------------------------------------------------------------------------- ________________ 'मुझे छोड मझधार चले हो, किसे बताओ प्यारे, किसका तकहूं सहारा, दिन अब कैसे कटे हमारे ?' श्री मुनिराज का उत्तर - 'नारी की पर्याय बुरी है, पराधीन दु:ख सारे, छेदे स्त्रीलिंग, धर्म से होवे शरण तुम्हारे । २० यहाँ ब्रह्मगुलाल मुनि और भगवान नेमनाथ को अपनी राजुल सी सच्चरित्र नारी के त्याग का कारण अलग है एवं शेक्सपियर-चित्रित लैडी मैकबेथवत् भर्तृहरि की विश्वासघातिनी, दुश्चरित्र रानी पिंगला के त्याग का कारण अलग है। फिर भी नारी का, नारी के प्रति की आसक्ति और विषयदृष्टि का त्याग तो ज्ञानियों ने सर्वोपरि दर्शाया है। 'सघळा आ संसारमा, रमणी नायकरूप। ए त्यागे त्याग्युं बधुं, केवळ शोक स्वरूप ॥२१ (समस्त संसार में नायकरूप है रमणी, जो ‘शोक-स्वरूप' होने से उसके त्याग में सारा ही त्याग समा जाता है।) तो कथा जो चल रही है उसमें न तो मुनि ब्रह्मगुलाल जंगल से घर को लौटे, न वैरागी-जोगी भरथरी । अभी अभी का ताजा इतिहास है कि भरथरी के प्रेरक चरित्र ने, उसके उपर्युक्त नाटक ने भी अनेक युवक-प्रेक्षकों को बैरागी बनाकर घर से जंगल को भेजा था। इसका इतना तो भारीभीषण प्रभाव रहा कि भावनगर सौराष्ट्र में मुनिजी आशाराम-अभिनीत यह नाटक जब दिनों तक खेला जा रहा था, तब रोज-प्रतिदिन नाटक का कोई न कोई युवक-प्रेक्षक नाटक देखने के बाद बैरागी बनकर घरसंसार छोडकर भाग जाता था - पलायन कर जाता था। भावनगर राज्य के नरेश तत्कालीन महाराजा भी इन घटनाओं से चिंतित हो स्वयं इस नाटक को देखने और नट भर्तृहरि पात्र मूळजी आशाराम को बाद में गिरफ्तार करने तब नाट्यगृह में पधारे। उनकी इस मन्शा की भनक उक्त नट मूळजी आशाराम को पड गई। उस रात उसने एक ओर से महाराजा को भी स्तब्ध कर हृदय से हिला देने वाला ‘भर्तृहरि' के पात्र का अद्भुत अभिनय किया, और दूसरी ओर से गतिशील नाटक को अन्य पात्रों द्वारा चालु रखाकर स्वयं पर्दो के पीछे दरवाजे से, तैयार रखे हुए अपने अश्व पर सवार हो कर दूर चले गये, भावनगर ब्रह्म गुलाल मुनिकथा: * 587 Page #637 -------------------------------------------------------------------------- ________________ राज्य की हद के बाहर, जहाँ से फिर भावनगर महाराजा उन्हें कभी पकड़ नहीं सके। तात्पर्य कि ऐसा प्रभाव था भर्तृहरि की वैराग्य नाट्य की कृति का प्रभाव की क्षमता के अन्य यथार्थ दृष्टातों में चिंतनीय है - ‘सत्य हरिश्चंद्र' कथानाटक बाल्यावस्था में देखकर प्रभावित हुए महात्मा गांधी का ‘रामकृष्ण परमहंस' फिल्म के अभिनेता प्रोफेसर का और राजा राममोहनराय के सतीप्रथा-छेदक, नारी उद्धारक नाटक की रसनिष्पतिका। ___अब हम खोज रहे है ठोस प्रभाव ब्रह्मगुलाल की भी इस नाट्यात्मक मुनिकथा का। आशा है विद्वद्जन-विशेष कर उत्तर भारत के दिगंबर आम्नाय के - हमें इस खोज में कुछ सहायता करेंगे। इस कथा से हमारा स्वयं-परिचय - इस प्रेरक नाट्यात्मक कथा की विवेचना आज यहाँ समारोह में प्रस्तुत करने से पूर्व उसका हमें एक सहज रूप से, कुछ वर्ष पहले परिचय हुआ । वर्तमान काल के अनुभव ज्ञानी हमारे सद्गुरुदेव भवित: जैन मुनि श्री सहजानंदघनजी भद्रमुनि-ने हमें श्री कल्याणमंदिर के 'ध्यानाज्जिनेश भवतो भवित: क्षणेन' श्लोक का रहस्यार्थ बतलाया था। जिनेश का गहन ध्यान करनेवाला ध्याता भी 'ईलिका-भ्रमर' न्याय से एक दिन जिनवत् बन जाता है। - यह उसका तात्पर्य-सार है । इस उपक्रम में 'बहुरूपिया वेशधारक मुनि' भी यदि ठीक से अभिनय करे तो वह मुनिदशा की गहराई में अनुभूति करते हुए सच्चा मुनि बन जाता है - 'आत्मज्ञान वहाँ मुनिपना' (श्रीमद्जी), 'अप्पणाणेण मुणि होई' (आचारांग सूत्र) वाला वास्तविक अर्थ में मुनि । ऐसे एक बहुरूपिया मुनि के उत्तर प्रदेश में आगरा निकट, हो जाने की उन्होंने बात की थी। उस मुनि की कथा को हम खोज रहे थे। योगानुयोग संयोग से श्वेतांबर-दिगंबर दोनों आम्नायों के रासो साहित्यकथा साहित्य की हमारी अल्प-सी चल रही समन्वयी प्रवृत्ति-प्रक्रिया में हमने भगवान महावीर की जीवनकथा ‘महावीर दर्शन' के रिकार्डिंग के बाद 'नेमराजुल' की एवं गिरनारजी की कथा का भी रिकार्डिंग किया था । इसी उपक्रम में दिगंबर आम्नाय के 'दशलक्षण व्रतकथा' एवं 'रत्नत्रय व्रत कथा' एवं 'सोनागिरी की यात्रा' आदि के रिकार्डिंग के अनुसंधान में हमें दिगंबाराचार्य श्री निर्मल सागरजी से यह ‘ब्रह्मगुलाल मुनि की कथा' उपलब्ध हुई। इसे 588 * छैन. स.विमर्श Page #638 -------------------------------------------------------------------------- ________________ पढते ही गुरुदेव सहजानंदघनजी-कथित-वर्णित उपर्युक्त बहुरूपिया मुनि की कथा की स्मृति हो आई। वही ये मुनि ब्रह्मगुलाल होने चाहिये ऐसी प्रतीति हुई। कथा भी सशक्त थी, परिश्रम कर विषायानुरूप प्रभावोत्पादक छंदोंरागों में उसे संगीत-स्वरबध्ध कर रिकार्ड किया, उसके श्रोताओं के उत्साहजनक प्रतिभाव प्राप्त हुए और वही कथा आज यहाँ प्रस्तुत है - समारोह के इस निबंध-शोधपत्र के रूप में और स्वरस्थ, रिकार्ड किये हुए सीड़ी रूप में भी। उसकी सार्थकता-असार्थकता : सफलता-असफलता : प्रभावोत्पादकता-अप्रभावोत्पादकता का निर्णय करना आप सर्व सुज्ञ विद्वद्जनों पर छोडता हूँ - विनम्रभाव से । पादटीप: १. श्री आत्मसिद्धि शास्त्र: सप्तभाषी-११३ २. वीतराग गीत: साध्वी मंजु' ३. श्रीआनंदघन पद्यरत्नावली-१२२' 'जिनेश्वर वाणी'-श्रीमद् राजचंद्रजी ५. डॉ. स्वामी ब्रह्मगुलाल मुनि (रघुवीर सिंहजैन) मुखपृष्ठ । ६. वही पृष्ठ-१ ७. वही, पृष्ठ-३ ८. पद्मावती पुरवाल जैन डायरेक्टरी ९. स्वामी ब्रह्मगुलाल मुनि, पृष्ट ३ १०. वही पृष्ट -४ ११. वही पृष्ठ - ४ १२. वही १३. वही - प्र. ५ १४. वही - पृ. ६ १५. वही - पृ. ७ १६. वही- पृ. ८ १७. वही- पृ. ८ १८. गिरनारजी सिद्धक्षेत्र' : नेमराजुल कथागीत (स्वयंकृति, सी.डी.) १९. राजा भर्तृहरि २०. ब्रह्मगुलाल मुनिकथा - पृ. ८ २१. मोक्षमाळा : श्रीमद् राजचंद्रजी er wa ब्रह्म गुलाल मुनिकथाः * 589 Page #639 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ આ યાદી ૨૨મા જૈનસાહિત્ય સમારોહ પ્રસંગે વંચાયેલા શોધ. નિબંધોની યાદી છે. આ પ્રસંગે ૧૦૦થી વધુ નિબંધો વંચાયા હતા, એમાંના કેટલાક નિબંધો પત્રકારત્વ વિષયના હતા. ૮૦ જેટલા નિબંધો રાસસાહિત્ય પર વંચાયા હતા, આમાંથી પસંદ કરેલા ૩૮ જેટલા નિબંધો આ પુસ્તકમાં સમાવેશ પામ્યા છે. વાચકોના સંદર્ભ માટે ૨૨મા સમારોહમાં નિબંધ રજૂ કરનારા સર્વ વક્તાઓની યાદી અહીં પ્રસ્તુત છે. (અહીં ‘શ્રીપાલાસ’ વિશેના ડૉ. અન્ના કેરનીના અને શ્રીમતી પ્રફુલ્લા શાહના લેખો પાછળથી પ્રાપ્ત થયા છે, પરંતુ વિષયથી સંબંધિત હોવાથી સમાવી લેવાયા છે.) પ્રસ્તુત થયેલા શોધ નિબંધો મોબાઈલ નંબર ક્રમ નામ ૦૦૧. અભયભાઈ આઈ. દોશી ૦૦૨. અજીતભાઈ આઈ. ઠાકોર ૦૦૩. અનિતાબેન દિનેશચંદ્ર આચાર્ય ૦૦૪. આરતી ચીમનલાલ ત્રિવેદી ૦૦૫. અશ્વિનભાઈ જયંતીલાલ ગાંધી ૦૦૬. બી. વિજય જૈન ૦૦૭. બાબુભાઈ મંગલદાસ શાહ ૦૦૮. ભાનુબેન જયંતીલાલ શાહ ૦૦૯. ભરતકુમાર મનહરલાલ ગાંધી ૦૧૦, બીજલ અનિલભાઈ શાહ ૦૧૧. ચંદ્રિકા કે. શાહ ૦૧૨. ચેતન ચંદુલાલ શાહ ૦૧૩. છાયાબેન પી. શાહ ૦૧૪. ચિત્રા દીપકભાઈ મોદી ૦૧૫. દીપા કનકરાય મહેતા ૦૧૬. ધનવંત ટી. શાહ ૦૧૭. ધરમચંદ જૈન 590 * જૈન રાસ વિમર્શ ૯૮૯૨૬૭૮૨૭૮ ૯૯૨૫૭૧૧૬ ૩૯ ૯૪૨૭૪૯૬ ૨૭૧ ૯૯૦૪૦૮૪૮૪૦ ૯૪૦૯૦૩૧૭૦૦ ૯૩૨૭૦૦૭૪૩૨ ૯૮૨૪૭૦૧૮૯૯ ૯૮૯૨૪૨૨૫૩૫ ૯૮૨૪૪૮૫૪૧૦ ૯૮૩૫૫૪૪૧૫ ૯૭૨૬૮૬૩૩૪૪ ૯૮૭૯૫૧૨૬૫૧ ૯૪૦૯૪૦૬૯૪૯ ૯૯૬૯૯૨૮૭૨૯ ૯૮૨૦૦૦૨૩૪૧ ૯૪૧૩૨૫૩૦૮૪ નિબંધનું નામ આંબડ રાસ શુકન શાસ્ત્ર ચોપાઈ રાસ શ્રી સમકિત કૌમુદી રાસ નલદમયંતિ રાસ સ્થુલીભદ્ર/ભબતેશ્વર બાહુબલી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જૈન પત્રકારત્વ કવિ ઋષભદાસ કૃત અજાકુમાર મોહનવિજયજી ચંદ્રરાજાનો રાસ પ્રબુદ્ધ જીવન હરીબલ માછીરાસ પન્ના-શાલિભદ્ર રાસ પ્રભુદાસ પારેખ-પત્રકાર દિવાલી પર્વ પર રાસ માછીરાસ શ્રીપાલ રાસપત્રકાર જયભિખ્ખુ ડૉ. નેમચંદ જૈન Page #640 -------------------------------------------------------------------------- ________________ ૦૧૮. ધીરેન્દ્ર રસિકલાલ મહેતા ૦૧૯, દક્ષાબેન હેમચંદ સાવલા ૦૨૦. ફાલ્ગની પી. જવેરી ૦૨૧. ગંગારામ ગર્ગ ૦૨૨. ગ્રીખા સંદીપ શાહ ૦૨૩. ગુલાબ બી. દેઢિયા ૦૨૪. ગુણવંતભાઈ ઉપાધ્યાય ૦૨૫. ગુણવંત બરવાળિયા ૦૨૬. એચ. એસ. ગાંધી ૯૮૨૪૯૮૦૫૦૬ માનતુંગ માનવતીનો રાસ ૯૩૨૭૯૧૪૪૮૪ મૃગાવતી રાસ ૯૯૩૭૪૯૫૭૪૫ અષ્ટપ્રકારી પૂજા રાસ આષાઢભૂતિ રાસ ૯૫૮૪૩૦૧૪૮૯ આદિનાથ રાસ ૯૮૨૦૬ ૧૧૮૫ર પત્રકાર-માવજી કે. સાવલા ૯૪૨૬૪૫૦૧૩૧ પત્રકાર શ્રી ઝવેરચંદ મેઘાણી ૯૮૨૦૨ ૧૫૫૪૨ જૈન પત્રકારત્વ શ્રી પન્નાલાલ આર. શાહ ૯૪૨૭૨૮૪૯૯૧ શત્રુંજય ઉદ્ધાર રાW પત્રકારોનું પ્રદાન મુકિતદૂત ૯૮૧૯૭૨૯૩૯૮ અંગ ફરૂક ચોપાઈ ૯૨૨૪૪૫૫૨૬ ૨ જૈન પત્રકારત્વ ૯૨૨૮૨૪૧૪૨૮ શ્રી નૈમિનાથ રાજુલ બાર માસ ૯૪૨૬૧૧૪૨૨૦૫ વીશ સ્થાનક ૯૪૨૮૪૭૪૦૪૫ કરકંડુ રાસ ૯૩૨૪૫૩૦૨૯૨ ગૌતમસ્વામીનો રાસ ૯૯૨૫૦૩૮૧૪૮ યશોધર રાસ ૯૦૩૩૧૭૪૫૧૪ વિમલમંત્રી રાસ કર્યો ૦૨૭. હંસાબેન પ્રવીણચંદ્ર શાહ ૦૨૮. હંસાબેન એસ. શાહ ૦૨૯, હંસાબેન ઉમરશી ગાલા ૦૩૦. હર્ષદ પદમશી મહેતા ૦૩૧. હેમલતા જૈન ૦૩૨. હિંમતભાઈ જી. કોઠારી ૦૩૩. હિંમતલાલ એ. શાહ ૦૩૪. હિના યશોધર શાહ ૦૩૫. હિરેન કિશોરભાઈ દોશી લાવણ્યમય ૦૩૬. હિતેશ બળવંતરાય જાની ૦૩૭. જાગૃતિ નલીનભાઈ ઘીવાલા ૦૩૮. જશવંતભાઈ ડી. શાહ ૦૩૦, જશવંતલાલ વી. શાહ ૦૪૦, જયપ્રકાશ નારાયણ દ્વિવેદી ૦૪૧. જયંતીલાલ મણિલાલ શાહ ૦૪૨. જયશ્રી ભરતભાઈ દોશી ૦૪૩, જયશ્રી મુકેશભાઈ ટોલિયા ૦૪૪. જોની કિરીટકુમાર શાહ ૦૪૫. જ્યોત્સા રસિકલાલ ધ્રુવ ૦૪૬. કૈલાશબેન એચ. મહેતા ૦૪૭. કલ્પના જૈન ૦૪૮. કનૈયાલાલ લલ્લુભાઈ શાહ ૦૪૯, કાનજી જે. મહેશ્વરી ૦૫૦. કાંતિલાલ બી. શાહ ૯૩૨૮૯૫૨૯૫૮ સમય સુંદર કૃત સીતારામ રાસ ૯૪૨૮૯૩૭૫૧ ઈલાચીકુમારનો રાસ ૦૯૪૨૬ ૧૧૬૯૭૬ લાવારસા ૯૭૬૯૨૮૭૫૦૭ જૈન દિવાકર પૂ. મુનિ ચોથમલજીકૃત શ્રીપાળ રાસ કલિકાલ રાસ કયવના રાસ ૯૮૭૦૪૦૨૮૨૯ જૈન પત્રકારત્વ ૯૪૨૮૨૫૨૨૦. આધ્યાત્મ ગીતા ૯૨૨૩૨૭૨૫૧૫ ૯૮૬૯૩૨૨૪૬ ૭ લીલાવતી સુમતીવિલાસ રાસ ૮૮૨૦૦૪૬ ૨૬૪ શત્રુંજય રાસ કપુર મંજરી રાસ ૯૭૨૫૮૯૩૩૫૫ ગુરુગુણ અમૃતવેલી રાસ ૯૪૨૬૩૮૯૬ ૩૦ વસ્તુપાલ-તેજપાલ રાસ ૯૪૨૯૦૬૪૧૪૧ સ્થૂલિભદ્ર નવરસો રાસ પરિશિષ્ટ +591 Page #641 -------------------------------------------------------------------------- ________________ ૦૫૧. કેતકી શરદભાઈ શાહ ૦૫૨. કિરીટકુમાર જયંતીલાલ શાહ ૦૫૩. કીર્તિબેન બી. દોશી ૦૫૪. કિરીટકુમાર એન. શાહ ૦૫૫. કોકિલા એચ. શાહ ૦૫૬. કોકિલા મહેન્દ્રભાઈ શાહ ૦૫૭. કુલદીપ શર્મા ૦૫૮. કુણાલ એમ. કપાસી ૦૫૯. મધુકર એન. મહેતા ૦૬૦. મધુરી પાંડે ૦૬૧. મહેન્દ્રભાઈ ભાઈલાલ ગાંધી ૦૬૨. માલતી કિશોરભાઈ શાહ ૦૬૩. મનિષભાઈ એન. શાહ ૦૬૪. મંજુલા હર્ષદભાઈ મહેતા ૦૬૫. મનોજ અજીતચંદ્ર ઉપાધ્યાય ૦૬૬. મનુભાઈ જે. શાહ ૦૬૭. મીના પિનાકીન પથક ૦૬૮. મીનાબેન પરેશભાઈ શાહ ૦૬૯, મીનલ દિનેશભાઈ અવલાણી ૦૭૦. મીતા જગદીશચંદ્ર વ્યાસ ૦૭૧. નલિની દિલીપભાઈ શાહ ૦૭૨. મિલિન્દકુમાર એચ. જોષી ૦૭૩. મધુબરવાળિયા ૦૭૪. નરેશ પ્રધુમ્નરાય અંતાણી ૦૭૫. નીતાબેન મધુકર મહેતા ૦૭૬. નીતુ જૈન ૦૭૭. પદ્મચંદ દીપચંદ મુથા ૯૩૨૦૦૯૫૩૭૨ (૧) બાલ પાટિલ (૨) કુમારપાળ દેસાઈ મહાસતી ઋષીદત્તા રાસ ૯૯૭૯૧૫૭૩૭૪ ૭૪૯૮૬૬૩૩૫૦ વિક્રમસેન રાસ ૯૪૨૮૫૬૪૯૪૮ વિજય હીરસૂરિ રાસ દ્રવ્ય ગુણાપર્યાય રાસ + જૈન પત્રકારવ્ય ૯૩૨૩૦૦૯૯૨૨ ૯૮૭૦૩૨૫૨૬૬ અંજના સતી રાસ ૯૪૨૮૮૦૫૪૨૭ ૯૫૬૦૨૫૦૧૧૭ અનેમીશ્વર રાસ કાપડહેડાનો રાસ ૯૮૨૪૦૯૩૦૬ ૩ વસ્તુપાલ-તેજપાલ રાસ ધર્મ પરીક્ષા રાસ ૯૭૨૩૩૫૩૫૮૧ ગુરુ રાસ ૯૮૨૪૮૯૪૬૬૯ જૈન પત્રકાર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ૯૮૯૮૦૧૯૬૦૦ શેત્રુંજય માહાત્મય રાસ ૯૨૨૮૨૪૧૪૨૮ શ્રી પુષ્પાવતી રાસ ૯૮૨૫૬૮૬૩૧૨ સોમવિમલસૂરિ રાસ ૯૪૨૯૫૦૫૭૫૬ શ્રી સુરસુંદરી રાસ (શ્રી પંડિતપ્રવર) શ્રીમદ્ વીરવિજયજી વિરચિત ગૌતમસ્વામીનો રાસ (કેવળ મુનિ) ૯૪૨૭૫૯૧૪૧૪ ૯૪૨૮૨૪૬૯૪૫ શ્રેણિક રાજાનો રાસ ૯૮૧૯૭૧૩૨૦૫ શ્રી અભયકુમાર રાસ ૮૧૪૧૯૨૯૨૧૭ સમય સુંદરકૃત વલ્કલચીરી રાસ ૯૪૧૯૧૬૦૮૯૩ નેમ રાજુલ રાસ ૯૮૨૫૩૧૭૪૯૨ ઉપદેશ રસાયન રાસ ૯૮૨૦૨૧૫૫૪૨ જૈન પત્રકારત્વ ૯૯૯૮૨૨૦૪૭૮ કચ્છી પત્રકાર-શ્રી પ્રાણલાલ શાહ ૦૭૮. પંકજકુમાર ઘનશ્યામભાઈ ત્રિવેદી ૯૪૨૬૪૫૪૫૪૪ ૦૭૯, પારૂલબેન ભરતકુમાર ગાંધી ૦૮૦. પાર્વતી નેનશી ખિરાણી ૦૮૧. પૌરિક વિરેન્દ્રભાઈ શાહ ૦૮૨. પ્રદીપકુમાર અમૃતલાલ ટોલિયા 592 * જૈન રાસ વિમર્શ ૯૪૨૭૫૧૨૮૯૮ ધના રાસ ૯૮૬૮૮૮૮૬૦૭ હનુમંત રાસ ૦૯૪૨૬૧૧૬૯૭૬ ભગવાન નેમિનાથ ઔર પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર રાસ ભરતેશ્વર બાહુબલી રાસ હીરવિજયસૂરિ રાસ ૯૮૨૪૪૮૫૪૧૦ ૯૮૬૯૭૮૭૬૯૨ પૂજા વિધિ-રાસ ૯૩૨૮૩૯૩૨૯૩ કોચર વ્યવહારીનો રાસ ૯૮૨૪૮૭૩૩૫૬ સગલ શાહનો રાસ Page #642 -------------------------------------------------------------------------- ________________ ૦૮૩. પ્રફુલ્લા રસિકલાલ વોરા ૦૮૪. પ્રજ્ઞા બિપીનભાઈ સંઘવી ૦૮૫. પ્રતાપકુમાર જે. ટોલિયા ૦૮૬. પ્રવીણાબેન મુકેશભાઈ શાહ ૦૮૭. પ્રવીણભાઈ સી. શાહ ૦૮૮. પ્રીતિબેન નરેન્દ્રકુમાર શાહ ૦૮૯. પૂર્ણિમા એસ. મહેતા ૦૯૦. ૨જ્જનકુમાર ૦૯૧. રામ કિશન પોહિયા ૦૯૨. રામનાથ પાંડે ૦૯૩. રશ્મિ જે. ભેડા ૦૯૪. રશ્મિભાઈ જે. ઝવેરી ૦૯૫. રતન ખીમજી છાવડા ૦૯૬. રવીન્દ્ર વી. ખાંડવાલા ૦૯૭. રેખા વ્રજલાલ વોરા ૦૯૮. રેણુકા જે. પોરવાલ ૦૯૯. રેશ્મા ડી. પટેલ ૧૦૦. ઋષિકેશ વાય. રાવલ ૧૦૧. રીતાબેન વિનોદભાઈ ગાંધી ૧૦૨. રૂપા એસ. ચાવડા ૧૦૩. રૂચિ મોર્નજય મોદી ૧૦૪. રૂપાલી અયજી બાફના ૧૦૫, સંધ્યા બિપીનભાઈ શાહ ૧૦૬. સંજય ફતેહચંદભાઈ શાહ ૧૦૭. શાંતિલાલ સી. ખોના ૧૦૮. શેખરચંદ્ર જૈન ૧૦૯. શીતલ મનિષભાઈ શાહ ૧૧૦. શોભના પૂનમચંદ જૈન ૧૧૧. શોભના આર. શાહ ૧૧૨. શ્રીકાંત રસિકલાલ ધ્રુવ ૧૧૩. શ્વેતા જૈન ૯૪૦૯૪૬૭૯૩૪ પં. શ્રી વીરવિજય નિર્વાણ રાસ ૯૮૯૨૧૧૭૭૭૮ શ્રી ધન્ના શાલિભદ્ર રાસ ૯૬૧૧૨૩૧૫૮૦ બ્રહ્મ ગુલાલ મુનિકથા અષ્ટ પ્રકારી પૂજા રાસ ૯૪૨૮૯૯૦૪૫૬ ૯૯૯૮૩૩૬૯૯૨ મહાસતી સુ૨સુંદરજીનો રાસ ૯૪૨૬૩૪૭૩૬૩ જૈન પત્રકાર સુકરણાજી ૯૪૨૭૦૨૧૨૨૧ ભરત બાલુબિલ રાસ ૯૪૧૨૯૭૮૭૧૨ જૈન જર્નાલીઝમ અને જૈન જનરલ ૯૬૯૪૧૦૨૦૯૭ એલાચીકુમાર રાસ પ્રવચનસાર રાસ ૯૮૬૭૧૮૬૪૪૦ જૈન પત્રકારત્વ ૯૮૨૧૬૮૧૦૪૬ સાધુ વંદના રાસ ૯૮૯૨૮૨૮૧૯૬ શ્રાદ્ધવિધિ રાસ ૯૯૯૮૩૬૨૮૭૬ સુરસુંદરી રાસ ૯૮૨૦૮૨૪૨૮૧ પત્રકાર શ્રી ગુણવંતભાઈ શાહ ૯૮૨૧૮૭૭૩૨૭ જૈન પત્રકારત્વ ૯૮૨૫૧૮૫૧૬૭ શત્રુંજય મંડન રાસ ૯૪૨૬૫૧૫૭૮૦ આચાર્યશ્રી સોમસુંદર સૂરિકૃત સ્થૂલિભદ્ર ચરિત્ર રાસ રોહિણેય ચોર કા રાસ ૯૮૨૫૧૬૪૩૫૬ રૈવંતગિરિ રાસ-કર્તા-વિજયચંદ્ર સાત નયનો રાસ ૯૭૬૯૦૫૦૨૫૨ ૯૪૦૩૦૮૬ ૫૭૧ જૈન પત્ર ૯૪૦૪૩૪૦૧૭૧ ૯૩૨૪૬૮૦૮૦૯ જૈન પત્રકાર શ્રી ચંદ્રકાન્ત વોરા ૯૪૨૯૦૭૭૪૦૯ પ્રાસ્તાવિક દુહા રાસ ૯૯૩૦૦૬૯૧૪૨ શ્રી ગુરુવલ્લભ પત્રકારત્વ દશા અને દિશા ૯૪૨૬૪૨૫૬૦૦ તેતલી રાસ સાધુ વંદના/સ્થુલીભદ્ર વિજ્ય/ ભરતેશ્વર બાહુબલી ૯૮૯૮૧૦૯૨૭૩ જગડુ પ્રબંધ રાસ ૯૮૬૯૩૨૨૪૬૨ ધમ્મિલકુમાર રાસ ૯૮૬૯૮૧૬૩૮૪ ૯૪૧૩૭૮૨૯૬૮ જિનવાણી માસિક પત્રિકા પરિશિષ્ટ * 593 Page #643 --------------------------------------------------------------------------  Page #644 -------------------------------------------------------------------------- ________________ 1.大 9789383 ls 14176| 专600