SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દગૃહસ્થો માટે સામજિક ઉપદેશઃ સદૂગહસ્થોની રહેણી-કરણી સુચારુ રૂપથી ધાર્મિક વાતાવરણ યુક્ત હોવી જોઈએ. અન્ય કુળમાં સમુત્પન્ન થયેલી કન્યાનો આચાર-વિચાર, રહેણીકરણી, રીતિ-રિવાજ, ખાન-પાન પૃથક્ છે તો કન્યા પ્રસન્ન રહી શકતી નથી અને અન્ય પરિવારિક જન પણ નહીં. આચાર્યશ્રીએ સત્ય જ કહ્યું છે કે પુત્ર-પુત્રીનો વિવાહ સમાનકુળમાં વિવાહ કરવો જેનાથી એકબીજાના જીવનમાં વિષમતાં ન આવે. पुत्राः पुत्रिकाः परिणाय्यन्ते तेऽपि समानधर्मगहे दीयन्ते । विषमधर्मगहे यदि विवाहयति तदा सम्यक्त्वं स निश्चयेन बाधते॥६८॥ २१ ગૃહસ્થ લોકો પોતાના પુત્ર-પુત્રી સમાન ધર્મ શીલવાળા સાથે વિવાહ કરે છે. શ્રાવકોએ સમાન ધર્મવાળા સાથે જ પોતાની પુત્રીનો વિવાહ કરવો જોઈએ. વિષમ-બીજા ધર્મવાળા સાથે જો વિવાહ કરવામાં આવે તો તેનાથી સાચે જ સમ્યકત્વમાં વ્યવધાન આવે છે. પુત્ર-પુત્રીનો વિવાહ થાય છે. ગૃહસ્થ પૂર્ણ રૂપથી બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી આથી અનિયંત્રિત જીવનને નિયંત્રિત કરવા માટે વિવાહનું વિધાન કરવામાં આવ્યું છે. વિવાહનો અર્થ – સ્ત્રીપુરુષનો જીવનભર સ્નેહ અને સહયોગના સૂત્રમાં બંધાઈ જવું. તે બંધનમાં કેવળ કામ ભાવનાની પ્રમુખતા નથી હોતી, પરંતુ ઉચ્ચ, સંકલ્પ અને ઉચ્ચ ધ્યેય સાથે જીવન ક્ષેત્રમાં વિશિષ્ટતા સાથે વહન કરવા માટે વિવાહ કરવાનું કહેવામાં આવ્યું છે. તે વિવાહ દરેક સાથે કરી શકાય. આથી બે વાત દર્શાવી છે – (૧) સમાન જ્ઞાતિ અને (૨) અન્ય ગોત્ર. આચાર્ય હેમચન્દ્રાચાર્યસૂરિના અનુસાર સમાન કુળ અને શીલવાળા ૨૧. Three Aprabhramsa works of jinadattasuri with commentaries, Edited with Inroduction, Notes and Appendices, etc. By Lalchandra Bhagawandas Gandhi, pub. Oriental Institute, Baroda, ૧૯૨૭, pp. ૫૩-૫૮, Verses ૫૧-૬૨ Three Aprabhramsa works of jinadattasuri with commentaries, Edited with Introduction, Notes and Appendices, etc. by Lalchandra Bhagawandas Gandhi, Pub. Oriental, Baroda, 9629, pp. ૫૯ बेटा-बेटी परिणाविज्जहि ते वि समाणधम्मधरि दिज्जई। विसमधम्मधरि जई वीवाहई तो सम(म्म) तु सुनिच्छई वाहई ॥ ६३ ॥ આચાર્યશ્રી જિનદત્તસૂરિકૃત ઉપદેશ રસાયન રાસઃ એક અભ્યાસ +489
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy