SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારમાં થોડું જ વધારે આનંદ આપે છે. આ સિદ્ધાંત જ એમની જીવનશૈલી દ્વારા અમને શીખવી ગયા. તેમના જીવનનો સંદેશ કે મૂલ્યાંકન છે: “આચરણ અધિક, ઉપદેશ-ચર્ચા ઓછી.” વિદ્યાવિજયજી મ. સા. પાસેથી શિવપુરીમાં શીખેલી અને અપનાવેલી વિચારધારા : જે થવાનું હશે તે થશે, જે થાય તે સારાને માટે, ઉતાવળ ન કરો અને ખેદ ન કરો.' ઝષાયમુરિત નિમુવિવ’ – કષાયોથી મુક્તિ જ ભવ-મુક્તિ છે. એ સિવાયની કોઈ બાબત પર લક્ષ્ય રાખવું નિરર્થક છે. સમયે યમ! મા પમાય’ મહાવીરે મુખ્ય ઉપદેશ પરમ શિષ્ય ગૌતમને સંબોધીને આપ્યો હતો - હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો. જેન ધર્મનો આ જ સાર છે. સારો માર્ગ જાગૃતિનો છે. જે ક્રિયાઓમાંથી જાગૃતિનું લક્ષ્ય નીકળી ગયું છે તે ક્રિયાઓ માત્ર નિરર્થક જ નહીં, નુકસાન કરવાવાળી છે. પાંડિત્યપૂર્ણ વાતો સાંભળી અવારનવાર કહેતા. “બહુ જ સારું પરંતુ હોંશમાં રહેજો.' ‘ડું-અમેતિ મંત્રો’ – “અહં અને મમ' - મોહના બે મહાશસ્ત્રો છે. આ શત્ર દરેક સ્થાને છુપાઈને આવે છે, ખાસ તો પંડિતાઈમાં વિશેષ રૂપથી. અમને ખિન અને મુંઝાયેલી સ્થિતિમાં જોતા ત્યારે કહેતા, “શાંત રહો, જે થઈ રહ્યું છે તે જુઓ. સ્વયંને જુઓ. મનને ભારે થવા ન દેશો.” વર્ષોથી વિપશ્યના ધ્યાન કરતાં કરતાં આ જ સમજાયું કે મનનો ભાર શરીર પર અભિવ્યક્ત થાય છે અને જો સાધક તેને તરત સમજી લે તો તે કષાયોમાં ફસાતો નથી અને નીકળવા માંડે છે. ‘પૂરગૃહ મદા:વું નિસ્પૃહત્વે મહાપુર્વ’ – બીજાની અથવા બીજા દ્વારા અપેક્ષા મહાદુઃખ છે અને તેનાથી મુક્તિ મહાસુખ છે.” “જ્ઞાનસારના આ ઉપદેશનું પુનરાવર્તન કરતા રહેતા હતા. જીવનમાં આર્થિક દૃષ્ટિએ કેટલાક પડતીના પ્રસંગો પણ આવ્યાં એ સમયમાં જે લોકોથી ઘોર નિરાશા પ્રાપ્ત થઈ તેમના પ્રત્યે મનમાં કોઈ કટુતા આવવા
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy