SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * કરવામાં આવ્યું છે. અને એવું પણ બતાવ્યું છે કે એવી વ્યક્તિ ક્યારેય પણ સમ્યકત્વની પ્રાપ્તિ કરી શકવી નથી. કટુંબનર્વાહના બધા પક્ષોનું સમુચિત નિરૂપણ કરવામાં આવ્યું છે. સંસારની નશ્વરતા તથા સામાજિક વિષમતાનું નિરૂપણ પણ સુચારુ રૂપથી કરવામાં આવ્યું છે. માતા-પિતા અને ગુરુની ભક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જિનેશ્વરની આજ્ઞાનુસાર જ જીવન વ્યતીત કરવાનું કહેવામાં આવ્યું છે. ગૃહસ્થને શ્રાવક ધર્મનો ઉપદેશ આપીને સન્માર્ગની ત૨ફ ઉન્મુખ કર્યો છે. મનુષ્યને વિધિપૂર્વક સત્કાર્ય કરીને જીવનનિર્વાહની શિક્ષા આપી છે. તથા ધર્મની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મથી જ આ લોકમાં સમૃદ્ધિ તેમ જ પરલોકમાં સુખ સંભવે છે. શ્રાવકોની સૌથી મહત્તાપૂર્ણ શિક્ષા (વૈવાહિક ધર્મ વર્ણન) જેનાથી વંશાવલી વધે છે, તેનું વર્ણન ક૨વામાં આવ્યું છે. અર્થાત્ ધર્મમાં યોગ્ય વૈવાહિક કૃત્યોની સમજણ આપવામાં આવી છે. ઉપદેશ રસાયન રાસના વિષયવસ્તુમાં સંસારની નશ્વરતા, સામાજિક વિષમતા અને ધાર્મિક માહાત્મ્ય વગેરેનું સ્પષ્ટીકરણ ખૂબ જ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આચાર્યશ્રી જિનદત્તસૂરિષ્કૃત ઉપદેશ રસાયન રાસ : એક અભ્યાસ * 495
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy